ગુજરાતી (Gujarati): translationWords

Updated ? hours ago # views See on DCS Draft Material

Key Terms

અંત:કરણ

વ્યાખ્યા:

અંત:કરણ વ્યક્તિના વિચારોનો એક ભાગ છે કે જે દ્વારા ઈશ્વર તેને વાકેફ કરે છે કે તે કઈંક અધમ (પાપ) કરી રહ્યો છે.

  • ઈશ્વરે લોકોને સાચું શું છે અને ખોટું શું છે, તે વચ્ચે ભેદ પારખવા માટે મદદ તરીકે અંત:કરણ આપ્યું છે.
  • જે વ્યક્તિ ઈશ્વરને આધીન જીવે છે તેને “શુદ્ધ” અથવા “નિર્મળ” અથવા “સ્વચ્છ” અંત:કરણ છે તેમ કહેવાય છે.
  • જો વ્યક્તિને “નિર્મળ અંત:કરણ હોય” તેનો અર્થ કે તે કોઇપણ પાપ છૂપાવતો નથી.
  • જો કોઈ તેમના અંત:કરણનો નકાર કરે અને જયારે તે પાપો કરે ત્યારે તેને અપરાધની લાગણી અનુભવતો નથી, તેનો અર્થ કે જે બાબત ખોટી છે તે માટે તેનું અંત:કરણ સંવેદનશીલ રહ્યું નથી. બાઈબલ તેને “દમાયેલું/શુષ્ક” અંત:કરણ તરીકે દર્શાવે છે, જેના પર જાણે કે ગરમ લોખંડ દ્વારા “નિશાન (છાપ)” પાડવામાં આવ્યું છે. આવા અંત:કરણને “લાગણીશૂન્ય” અને “પ્રદૂષિત” થયેલું પણ કહેવાય છે.
  • સંભવિત રીતે આ શબ્દનું ભાષાંતર, “આંતરિક નૈતિક માર્ગદર્શક” અથવા “નૈતિક વિચારો” જેવા શબ્દોનો સમાવેશ કરી શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G4893

અંતિમ દિવસ, અંતિમ દિવસો, પછીના દિવસો

વ્યાખ્યા:

સામાન્ય રીતે "અંતિમ દિવસો" અથવા "પછીના દિવસો" શબ્દો વર્તમાન યુગના અંતના સમયગાળાનો ઉલ્લેખ કરે છે.

  • આ સમયગાળો અજાણ મુદ્દતનો હશે.
  • "અંતિમ દિવસો" એ જેઓ ઈશ્વરથી વિમુખ થયા છે તેઓ માટે ન્યાયનો સમય હશે.

અનુવાદ માટેના સૂચનો:

  • "અંતિમ દિવસો" શબ્દનું અનુવાદ "આખરી દિવસો" અથવા "અંતના દિવસો" એમ કરી શકાય.
  • કેટલાંક સંદર્ભમાં, તેનું અનુવાદ "જગતનો અંત" અથવા "જ્યારે આ જગતનો અંત આવશે" એમ કરી શકાય.

(આ પણ જુઓ: પ્રભુનો દિવસ, ન્યાયાધીશ, ફરવું, જગત)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H319, H3117, G2078, G2250

અતિ ઉચ્ચ, સર્વોચ્ચ

તથ્યો:

“સર્વોચ્ચ” શબ્દ ઈશ્વરનું એક શીર્ષક છે. તે તેમની મહાનતા અથવા તો અધિકાર સૂચવે છે.

  • આ શબ્દનો અર્થ “સાર્વભૌમ” અથવા તો “પરમ” શબ્દોના અર્થ સમાન છે.
  • આ શીર્ષકમાં “ઉચ્ચ” શબ્દ ભૌતિક ઊંચાઈ કે અંતરનો ઉલ્લેખ કરતો નથી.

તે મહાનતાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • આ શબ્દનો અનુવાદ “અતિ ઉચ્ચ ઈશ્વર” અથવા તો “સર્વોચ્ચ વ્યક્તિ” અથવા તો “ઈશ્વર કે જેઓ પરમ છે” અથવા તો “સૌથી મહાન” અથવા તો “ઈશ્વર કે જેઓ સર્વ કરતા મહાન છે” એ રીતે પણ કરી શકાય.
  • જો “ઉચ્ચ” જેવો શબ્દ વાપરવામાં આવે તો ધ્યાન રાખો કે તે ભૌતિક અર્થમાં ઊંચા કે ઉચ્ચ એવો અર્થ વ્યક્ત ન કરતો હોય.

(આ પણ જૂઓ: ઈશ્વર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5945, G5310

અધિકાર

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ સામાન્યપણે પ્રભાવની, જવાબદારીની સ્થિતિ અથવા બીજા વ્યક્તિ ઉપરના અધિકારને ઉલ્લેખે છે.

  • રાજાઓ અને બીજા શાસકોને, જેઓ પર તેઓ શાસન ચલાવતા હોય તેઓના પર અધિકાર હોય છે.
  • “અધિકારીઓ” શબ્દનો ઉલ્લેખ, લોકો, સરકારો અથવા સંસ્થાઓનો બીજાઓ પરના અધિકાર માટે થઇ શકે છે.
  • “અધિકારીઓ” શબ્દનો ઉલ્લેખ અસ્તિત્વ ધરાવતા આત્માઓ થઇ શકે છે જેઓને લોકો પર અધિકાર હોય છે જેમણે પોતાને ઈશ્વરના અધિકારને આધિન કર્યા નથી.
  • માલિકોને તેમના સેવકો અથવા ગુલામો ઉપર અધિકાર હોય છે. માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.
  • સરકારોને સત્તા અથવા હક હોય છે કાયદાઓ બનાવવાનો જે તેમના નાગરિકો પર શાશન ચલાવે.

ભાષાંતરના સુચનો:

  • “અધિકાર” શબ્દનું ભાષાંતર “નિયંત્રણ” અથવા “હક” અથવા “લાયકાત” પણ કરી શકાય.
  • ક્યારેક “અધિકાર” એ “વર્ચસ્વ” અર્થ સાથે વપરાય છે.
  • જયારે “અધિકારીઓ” નો ઉલ્લેખ લોકો અથવા સંસ્થાઓ કે જે લોકો પર શાસન કરેછે તે માટે વપરાય છે, ત્યારે તેનું ભાષાંતર “આગેવાનો” અથવા “શાસકો” અથવા “સત્તાઓ” પણ કરી શકાય.
  • “તેના પોતાના અધિકાર દ્વારા,” આ શબ્દસમૂહનું ભાષાંતર “તેના પોતાના હક થી દોરવું” અથવા ‘તેની પોતાની લાયકાત પર આધારિત” એ રીતે પણ કરી શકાય.
  • ”અધિકાર હેઠળ” ની અભિવ્યક્તિનું ભાષાંતર “આધીન થવા માટે જવાબદાર” અથવા “બીજાઓની આજ્ઞાઓ પાળવા બંધાયેલ” થઇ શકે છે.

(આ શબ્દો જુઓ:  આધિપત્ય, રાજા, શાસક, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H8633, G831, G1413, G1849, G1850, G2003, G2715, G5247

અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ

વ્યાખ્યા:

“શાશ્વત” અને “અનંત” શબ્દોના ખૂબજ સમાન અર્થો છે, અને તે કઈંક જે હંમેશા અસ્તિત્વમાં હશે અથવા કે જે હંમેશા ચાલુ રહેશે, તે દર્શાવે છે.

  • “અનંતકાળ” શબ્દ કે જેની શરૂઆત અથવા અંત નથી, તે દર્શાવે છે. જીવન કે જેનો કદી અંત નથી, તે માટે પણ દર્શાવી શકાય છે.
  • પૃથ્વી પરના હાલના જીવન પછી, મનુષ્યો ઈશ્વરની સાથે સ્વર્ગમાં અથવા ઈશ્વર સિવાય નર્કમાં અનંતકાળ પસાર કરશે.
  • “અનંતજીવન” અને “શાશ્વત જીવન” શબ્દો, નવા કરારમાં સદાકાળ ઈશ્વરની સાથે સ્વર્ગમાં રહેવા માટે વાપરવામાં આવ્યા છે.
  • “સનાતન અને હંમેશા” શબ્દસમૂહમાં સમયનો વિચાર આવેલો છે કે જેનો કદી અંત નથી, અને અનંતકાળ અથવા અનંતજીવન શું છે તે વ્યક્ત કરે છે. “સનાતન” શબ્દ, કદી અંત નહિ આવનાર સમયને દર્શાવે છે. ક્યારેક તેને “ખૂબજ લાંબા સમય” માટે રૂપકાત્મક અર્થમાં વાપરવામાં આવ્યો છે.
  • “સદાકાળ અને હંમેશા” શબ્દ, કઈંક કે જે હંમેશા બનશે અથવા અસ્તિત્વમાં આવશે, તેના પર ભાર મૂકે છે.
  • “સદાકાળ અને હંમેશા” શબ્દસમૂહ, અનંતકાળ અથવા અનંતજીવન શું છે, તે વ્યક્ત કરે છે. તેમાં સમયનો વિચાર પણ છે કે, જેનો કદી અંત નથી.
  • ઈશ્વરે કહ્યું કે દાઉદનું સિંહાસન “સદાકાળ” ટકી રહેશે. આ એક સત્ય દર્શાવે છે કે દાઉદનો વંશજ, ઈસુ રાજા તરીકે હંમેશા રાજ કરશે.

ભાષાંતરના સૂચનો:

  • “અનંત” અથવા “શાશ્વત” શબ્દનું બીજી રીતે ભાષાંતર કરવામાં આવે તો, “જેનો કદી અંત નથી” અથવા “કદી બંધ ન થનાર” અથવા “હંમેશા ચાલુ,” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
  • “અનંતજીવન” અને “શાશ્વત જીવન” શબ્દનું ભાષાંતર, “જીવન કે જેનો કદી અંત નથી” અથવા “જીવન કે જે બંધ થયા વગર હંમેશા ચાલુ રહે છે” અથવા “આપણા શરીરો હંમેશા જીવવા ઉઠશે.” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય.
  • સંદર્ભ પર આધાર રાખીને “અનંતકાળ” શબ્દના વિવિધ ભાષાંતરમાં, “સમય બહારનું અસ્તિત્વ” અથવા “જેનો અંત નથી તેવું જીવન” અથવા “સ્વર્ગમાંનું જીવન,” જેવા (શબ્દો)નો સમાવેશ કરીને કરી શકાય છે.
  • આ પણ ધ્યાનમાં રાખો કે બાઇબલના ભાષાંતરમાં સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં આ શબ્દનું ભાષાંતર કેવી રીતે થયેલું છે.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું)

  • “સદાકાળ” શબ્દનું ભાષાંતર, “હંમેશા” અથવા “જેનો કદી અંત નથી,” જેવા શબ્દો દ્વારા પણ કરી શકાય છે.
  • “સદાકાળ ટકશે” શબ્દસમૂહનુ ભાષાંતર, “હંમેશા અસ્તિત્વમાં” અથવા “કદી બંધ થશે નહીં” અથવા “હંમેશા ચાલુ રહેશે,” તરીકે પણ કરી શકાય છે.
  • “સદાકાળ અને હંમેશા” ભારયુક્ત શબ્દસમૂહનું ભાષાંતર, “હંમેશા અને હંમેશા માટે” અથવા “ક્યારેય અંત નથી” અથવા “કે જેનો કદી, ક્યારેય અંત નથી,” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય છે.
  • દાઉદનું સિંહાસન સદાકાળ ટકશે, તેનું ભાષાંતર “દાઉદના વંશજો સદાકાળ રાજ કરશે” અથવા “દાઉદના વંશજ હંમેશા રાજ કરશે” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: દાઉદ, રાજ, જીવન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 27:1 એક દિવસે, એક યહૂદી કાયદાના નિષ્ણાતે ઈસુની પરીક્ષા કરવા તેની પાસે આવ્યો, કહે છે, ગુરુજી, અનંતજીવન નો વારસો પામવા મારે શું કરવું?”
  • 28:1 એક દિવસે, એક જુવાન ધનવાન અધિકારી ઈસુની પાસે આવ્યો, અને તેને પૂછયું “સારા શિક્ષક, “અનંતજીવન” પામવા મારે શું કરવું જોઈએ?” ઈસુએ તેને કહ્યું, “તું સારા વિશે મને કેમ પૂછે છે? સારા ફક્ત એક જ છે, અને તે ઈશ્વર છે. પરંતુ જો તારે અનંતજીવન પામવું હોય તો ઈશ્વરના નિયમોને પાળ.”
  • 28:10 ઈસુએ જવાબ આપ્યો કે, જે કોઈ મારા નામને લીધે ઘરો, ભાઈઓ, બહેનો, પિતા, માતા, બાળકો, અથવા મિલકતને છોડી દીધા છે, તેઓ 100 ઘણું વધારે અને અનંતજીવન પણ પ્રાપ્ત કરશે.”

શબ્દ માહિતી:

  • Strong's: H3117, H4481, H5331, H5703, H5705, H5769, H5865, H5957, H6924, G126, G165, G166, G1336

અન્યાય, અન્યાયો

વ્યાખ્યા:

“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.

  • “અન્યાય” શબ્દનો વાસ્તવિક/શાબ્દિક અર્થ, (કાયદાને) વાંકો વાળવો અથવા ખંડિત કરવો છે. તે મોટા અન્યાયને દર્શાવે છે.
  • અન્યાય એ બીજા લોકોની વિરુદ્ધ, ઇરાદાપૂર્વક અને હાનિકારક ક્રિયાઓ તરીકે વર્ણવી શકાય છે.
  • અન્યાયની અન્ય વ્યાખ્યાઓમાં “વૈમનસ્ય” અને “દુરાચરણ” જેવા શબ્દોનો સમાવેશ થાય છે, કે જે બંને શબ્દો ભયંકર પાપની સ્થિતિનું વર્ણન કરે છે.

ભાષાંતરના સૂચનો:

  • “અન્યાય” શબ્દનું ભાષાંતર, “દુષ્ટતા” અથવા “વિકૃત ક્રિયાઓ” અથવા “હાનિકારક કાર્યો” તરીકે કરી શકાય છે.
  • “પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.

(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, આજ્ઞાભંગ)

બાઇબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H0205, H1942, H5753, H5758, H5766, H5771, H5932, H5999, H7562, G00920, G00930, G04580, G38920, G41890

અપરાધ, (દોષ), દોષિત

વ્યાખ્યા:

“દોષ” શબ્દ, પાપ અથવા ગુનો કર્યાની હકીકત દર્શાવે છે.

  • “દોષિત હોવું” શબ્દનો અર્થ, નૈતિક રીતે કંઈક ખોટું હોય કે જે દર્શાવે છે કે (તે વ્યક્તિએ) દેવની આજ્ઞાનો અનાદર કર્યો છે.
  • “દોષિત” શબ્દનો વિરુદ્ધભાસી “નિર્દોષ” થાય છે.

ભાષાંતરના સૂચનો:

  • કેટલીક ભાષાઓ કદાચ “દોષ” શબ્દનું ભાષાંતર, “પાપનો ભાર” અથવા “પાપોની ગણતરી” તરીકે કરે છે.
  • “દોષિત હોવું” શબ્દના ભાષાંતરમાં જે શબ્દ અથવા શબ્દસમૂહ વપરાય જેનો અર્થ, “દોષ પર હોવું” અથવા “નૈતિક રીતે કંઈક ખોટું કરેલું હોવું” અથવા “પાપ કરેલું હોવું” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: નિર્દોષ, અન્યાય, સજા, પાપ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 39:2 તેઓ ઘણા સાક્ષીઓ લાવ્યાં કે જેઓ તેના (ઈસુ) વિશે જૂઠું બોલ્યાં. જો કે, તેઓની નિવેદનો એકબીજા સાથે સંમત થયા નહોતા, જેથી યહૂદી આગેવાનો તે (ઇસુ) કંઈપણ બાબત માટે દોષિત હતો તે સાબિત કરી શક્યા નહીં.
  • 39:11 ઈસુ સાથે વાત કર્યા પછી, પિલાત ટોળામાં બહાર ગયો અને કહ્યું, “આ ણસમાં મને કોઈ દોષ માલૂમ પડતો નથી. પણ યહૂદી આગેવાનો અને ટોળાએ બૂમો પાડી, “તેને વધસ્તંભે જડો!” પિલાતે ઉત્તર આપ્યો, “તે દોષિત નથી.” પણ તેઓએ બધારે મોટેથી બૂમો પાડી. પછી પિલાતે ત્રીજી વાર કહ્યું, “તે દોષિત નથી!.
  • 40:4 ઈસુને બે લૂંટારાઓની વચ્ચે વધસ્તંભે જડવામાં આવ્યો.

તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પરંતુ બીજાએ કહ્યું, “શું તું દેવથી પણ ડરતો નથી? આપણે દોષિત છીએ, પણ આ માણસ નિર્દોષ છે.

  • 49:10 તારા પાપને કારણે, તું દોષિત છે અને મૃત્યુને લાયક છે.

શબ્દ માહિતી:

  • Strong's: H816, H817, H818, H5352, H5355, G338, G1777, G3784, G5267

અપરાધ, અપરાધો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"અપરાધ" નો અર્થ એ છે કે કાયદાનો ભંગ કરવો અથવા અન્ય વ્યક્તિના હકોનું ઉલ્લંઘન કરવું. "અપરાધ" એ "ઉલ્લંઘન કરવાની" ક્રિયા છે.

  • અપરાધ એ નૈતિક અથવા દીવાની કાયદાનું ઉલ્લંઘન હોઈ શકે છે અથવા અન્ય વ્યક્તિ સામે કરેલું પાપ હોઈ શકે છે.
  • આ શબ્દ "પાપ," અને "ઉલ્લંઘન" શબ્દ સાથે સંબંધિત છે, ખાસ કરીને તે ઈશ્વરનું ઉલ્લંઘન કરવા સાથે સંબંધિત છે. બધા પાપો ઈશ્વર સામે અપરાધ છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • સંદર્ભના આધારે, "વિરુદ્ધ અપરાધ કરવો" નો અનુવાદ " સામે પાપ કરવું " અથવા "નિયમ ભંગ કરવો" તરીકે કરી શકાય છે.
  • કેટલીક ભાષાઓમાં "અપરાધ."નું ભાષાંતર "મર્યાદા ઓળંગવી" જેવી અભિવ્યક્તિ હોઈ શકે છે.
  • વિચાર કરો કે આ શબ્દ બાઇબલ લખાણના આસપાસના અર્થ સાથે કેવી રીતે બંધબેસે છે અને અન્ય શબ્દો સાથે જેનો સમાન અર્થ હોય તેની સાથે તુલના કરો, જેમ કે "ઉલ્લંઘન" અને "પાપ."

(આ પણ જુઓ: અનાદર, અન્યાય, પાપ, ઉલ્લંઘન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H816, H817, H819, H2398, H4603, H4604, H6586, H6588, G264, G3900

અફસોસ

વ્યાખ્યા:

આ" અફસોસ "શબ્દ મહાન તણાવની એક લાગણીનો ઉલ્લેખ કરે છે. તે એક ચેતવણી પણ આપે છે કે કોઇને ગંભીર મુશ્કેલીનો અનુભવ થશે.

  • “અફસોસ "શબ્દની અભિવ્યક્તિ લોકો માટે ચેતવણી દ્વારા કરવામાં આવે છે કે તેઓ તેમના પાપોની સજા તરીકે દુઃખનો અનુભવ કરશે.
  • બાઇબલમાં અનેક જગ્યાએ, ખાસ કરીને ભયંકર ચુકાદા પર ભાર મૂકવા, " અફસોસ " શબ્દ પુનરાવર્તન કરવામાં આવે છે.
  • જે વ્યકિત કહે છે કે " અફસોસ છે મને " અથવા "મને અફસોસ" ગંભીર દુઃખ વિશે દુઃખ વ્યક્ત કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • સંદર્ભને આધારે, " અફસોસ " શબ્દનો અનુવાદ "મહાન દુ: ખ" અથવા "ઉદાસી" અથવા "આફત" અથવા "આપત્તિ" તરીકે પણ કરી શકાય છે.
  • “અફસોસ (શહેરના નામ)” અભિવ્યક્તિને અન્ય રીતે અનુવાદ કરવામાં શામેલ થઈ શકે છે, "તે (શહેરના નામ) માટે કેટલું ભયંકર હશે" અથવા "લોકો (તે શહેરમાં) ને ગંભીર સજા કરવામાં આવશે"અથવા "તે લોકો મોટા પ્રમાણમાં સહન કરશે."
  • અભિવ્યકિત, " મને અફસોસ છે!" અથવા "મને અફસોસ !" નું ભાષાંતર "હું કેવી રીતે ઉદાસી છું!" અથવા "હું ખૂબ ઉદાસ છું!" અથવા "મારા માટે કેટલું ભયંકર છે!" એમ કરી શકાય છે.
  • અભિવ્યક્તિ "તમને અફસોસ" નું ભાષાંતર પણ "તમે ઘણું સહન કરવું પડશે" અથવા "તમે ભયંકર મુશ્કેલીઓનો અનુભવ કરશો."

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H188, H190, H337, H480, H1929, H1945, H1958, G3759

અભિષેક, અભિષિક્ત, અભિષિક્ત કરેલો

વ્યાખ્યા:

“અભિષેક” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુ ઉપર તેલ ચોળવું અથવા રેડવું. ક્યારેક આ તેલમાં મસાલા મિશ્રિત કરાતા હતા, જે મધુર, સુગંધીદાર સુવાસ આપે છે. આ શબ્દનો ઉપયોગ રૂપકાત્મક રીતે પણ થાય છે, જે પવિત્ર આત્મા દ્વારા થયેલી પસંદગી અને તેના દ્વારા મળેલ સામર્થ્યને દર્શાવે છે.

  • જૂનાકરારમાં, યાજકો, રાજાઓ અને પ્રબોધકોને તેલથી અભિષિક્ત કરી દેવની વિશેષ સેવા માટે તેઓને અલગ કરાતા હતા.
  • વસ્તુઓ જેવી કે ધૂપવેદીઓ અથવા મુલાકાતમંડપને પણ તેલથી અભિષિક્ત કરવામાં આવતા હતા કે જેઓ દેવના મહિમા અને આરાધના માટે વપરાતા હતા.
  • નવા કરારમાં ઉપચાર માટે, માંદા લોકોને સાજા કરવા તેલથી અભિષિક્ત કરવામાં આવતા હતા.
  • નવા કરારમાં નોંધ લેવામાં આવી છે કે ઈસુને બે વાર સ્ત્રી દ્વારા સુગંધી તેલથી અભિષિક્ત કરી તેમનું ભજન કરવામાં આવ્યું.

એકવાર ઈસુએ અભિપ્રાય આપ્યો કે આ કરવાથી તેણીએ તેના ભવિષ્યના દફન માટે તૈયારી કરી.

  • ઈસુના મરણ બાદ, તેના મિત્રોએ ઇસુના શરીરને તેલ અને મસાલા દ્વારા અભિષિક્ત કરીને દફનને સારુ તૈયાર કર્યું.
  • “મસીહ” (હિબ્રુ) અને “ખ્રિસ્ત” (ગ્રીક) શીર્ષકોનો અર્થ “અભિષિક્ત થયેલો” થાય છે.
  • ઈસુ મસીહ એક કે જે પસંદ કરાયેલો અને પ્રબોધક, મુખ્ય યાજક, અને રાજા તરીકે અભિષિક્ત થયેલ હતો.

ભાષાંતરના સુચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, “અભિષેક” નું શબ્દ ભાષાંતર “ઉપર તેલ રેડવું” અથવા “ઉપર તેલ મુકવું” અથવા “સુગંધીદાર તેલ ઉપર રેડીને અર્પણ કરવું” એમ થઇ શકે છે.
  • “અભિષિક્ત હોવું” તેનું ભાષાંતર “તેલ દ્વારા અર્પણ થયેલું” અથવા “નિમણુક પામેલ” અથવા “અર્પણ થયેલું” તેવો થઇ શકે છે.
  • કેટલાક સંદર્ભમાં “અભિષેક” શબ્દનું ભાષાંતર “નિમણુક” થઇ શકે છે.
  • “અભિષિક્ત યાજક” જેવા શબ્દનું ભાષાંતર “યાજક કે જે તેલથી અર્પણ થયેલો હતો” અથવા “યાજક કે જે તેલ રેડીને અલગ કરાયેલ હતો.”

(આ પણ જુઓ: ખ્રિસ્ત, અર્પણ, મુખ્ય યાજક, યહૂદીઓનો રાજા, યાજક, પ્રબોધક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H47, H430, H1101, H1878, H3323, H4397, H4398, H4473, H4886, H4888, H4899, H5480, H8136, G32, G218, G743, G1472, G2025, G3462, G5545, G5548

અમંગળ, અમંગળ વસ્તુઓ, અમંગળ થયેલ

વ્યાખ્યા:

“અમંગળ” શબ્દનો ઉપયોગ એવી વસ્તુ માટે કરવામાં આવ્યો છે કે, જેને કોઈ વસ્તુ પ્રત્યે અણગમો અથવા સખત નાપસંદગી હોય.

  • મિસરી લોકોને હિબ્રુ લોકો પ્રત્યે ખુબ જ “અણગમો” હતો

એટલે કે જે મિસરી લોકોને હિબ્રુ લોકો પ્રત્યે ખુબ જ અણગમો હતો, તેઓ તેની સાથે ભળતા ન હતા અથવા તેમની નજીક જતા નહીં.

  • બાઈબલની અંદર અમુક બાબતોને “યહોવાહને અમંગળ” કહેવામાં આવી છે, જેમકે જુઠું બોલવું, અભિમાન, માનવ બલિદાન, મૂર્તિપૂજા, ખૂન, અને જાતિયતાના પાપો જેવા કે વ્યભિચાર, પુમૈથીનીઓ.
  • જયારે ઈસુએ તેના શિષ્યોને અંતના દિવસોનું શિક્ષણ આપ્યું ત્યારે દાનિએલની ભવિષ્યવાણી બતાવીને દર્શાવ્યું કે જયારે “ઉજ્જ્ળતાની અમંગળ” નિશાની જોશો, જે ઈશ્વરની સામે એક બળવાખોર અને ભજનસ્થાનને અપવિત્ર કરનારી હશે.

ભાષાંતર માટેના સૂચનો:

  • “અમંગળ” શબ્દનું ભાષાંતર એવું થઇ શકે કે “જેનાથી ઈશ્વરને ધિક્કાર આવે” અથવા “અણગમો આવે એવી વસ્તુ” અથવા “અણગમો આવે એવી પ્રથા” અથવા “ખુબજ ભૂંડું કાર્ય.”
  • સંદર્ભ પ્રમાણે “જે અમંગળ છે” તે શબ્દનું ભાષાંતર “જેને ખુબજ ધિક્કાર કરવામાં આવે છે તેવું” અથવા “જેનાથી અણગમો થાય તેવું” અથવા “જે સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે તેવું” અથવા “જેનાથી ઊંડો અણગમો થાય” તેમ થઈ શકે છે.
  • “વેરાનકારક અમંગળ” શબ્દનું ભાષાંતર એવું થઇ શકે છે કે “એવી વસ્તુ હોય કે જેનાથી લોકોને ખુબજ નુકશાન થાય” અથવા “અણગમો લાવનાર બાબત જેનાથી ખુબજ વેદના આવે.”

(જુઓ: વ્યભિચાર, ધર્મભ્રષ્ટ, વેરાનકારક, જુઠા દેવ, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H887, H6292, H8251, H8262, H8263, H8441, G946

અલગ કરવું

વ્યાખ્યા:

"અલગ કરવું" નો અર્થ ચોક્કસ હેતુ પરિપૂર્ણ કરવા માટે કંઈકથી જુદા કરવું. ઉપરાંત, કોઈ વ્યક્તિ અથવા વસ્તુને "અલગ કરવું" તે "અલગ કરવું" છે.

  • ઈઝરાયેલીઓ ઈશ્વરની સેવાને માટે અલગ કરવામાં આવ્યા હતાં.
  • પવિત્ર આત્માએ પાઉલ અને બાર્નાબાસને અલગ કરવાં અંત્યોખના ખ્રિસ્તીઓને આજ્ઞા કરી કે જેથી તેઓ ઈશ્વર જે ચાહતા હતા તે કામ કરે.
  • એક વિશ્વાસી કે જેને ઈશ્વરની સેવાને માટે "અલગ કરવામાં" આવ્યો છે તે ઈશ્વરની ઈચ્છા પરિપૂર્ણ કરવા "સમર્પિત" છે.
  • “પવિત્ર" શબ્દનો એક અર્થ ઈશ્વર માટે અલગ કરાયેલ અને જગતના પાપી માર્ગોથી જુદા કરવામાં આવેલ એમ થાય છે.
  • કોઈકને "પવિત્ર કરવું" તેનો અર્થ ઈશ્વરની સેવાને માટે તે વ્યક્તિને અલગ કરવો એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “અલગ કરવું" નું અનુવાદ કરવાની રીતોમાં "ખાસ કરીને પસંદ કરવું" અથવા "તમારામાંથી જુદા કરાયેલ" અથવા "ખાસ કાર્ય કરવાને માટે એકબાજુએ કરાયેલ" નો સમાવેશ કરી શકાય છે.
  • “અલગ કરવું" નું અનુવાદ "જુદા કરાયેલ (થી)” અથવા "ખાસ કરીને નિમાયેલ (કોઈકને માટે)

(આ પણ જુઓ: પવિત્ર, પવિત્ર કરવું, નીમવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2764, H4390, H5674, H6918, H6942, H6944, G37, G38, G40, G873

અવિશ્વાસુ (વિશ્વાસવિહીન), બેવફાઈ

વ્યાખ્યા:

“અવિશ્વાસુ” શબ્દનો અર્થ, વિશ્વાસ ના હોવો અથવા (તેમાં) માનવું નહીં.

  • આ શબ્દ લોકો કે જેઓ દેવમાં માનતા નથી, તેઓનું વર્ણન કરવા માટે વપરાયેલ છે.

તેઓનો માન્યતાનો અભાવ તેઓના અનૈતિક કાર્યથી જોવાય છે.

  • યર્મિયા પ્રબોધકે ઈઝરાએલને અવિશ્વાસુ, અને દેવની અવગણના કરનારા આરોપી ગણ્યા.
  • તેઓએ મૂર્તિઓની પૂજા કરી, અને અન્ય લોકોના જૂથોના પાપી રિવાજો ને અનુસર્યા, અને દેવની આરાધના અથવા આજ્ઞા પાળી નહીં.

ભાષાંતરના સૂચનો

  • સંદર્ભ પર આધાર રાખીને, “અવિશ્વાસુ” શબ્દનું ભાષાંતર, “બેવફા” અથવા “અવિશ્વાસી” અથવા “દેવની અવગણના કરનારું” અથવા “ વિશ્વાસ ના કરનારું,” તરીકે કરી શકાય છે.
  • “બેવફાઈ” શબ્દનું ભાષાંતર, “અવિશ્વાસ” અથવા “અવિશ્વાસુપણું” અથવા “દેવની વિરુદ્ધ બળવો,” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: માનવું, વિશ્વાસુ, અનાદર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G571

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

  • “આત્મા” શબ્દ જેને ભૌતિક શરીર નથી તેવાં અસ્તિત્વ ધરાવનાર ખાસ કરીને દુષ્ટાત્માનો ઉલ્લેખ કરી શકે છે.
  • વ્યક્તિનો આત્મા એ તેનામાંનો ભાગ છે કે જે ઈશ્વરને ઓળખી શકે અને તેમનામાં વિશ્વાસ કરી શકે.
  • સામાન્ય રીતે, “આત્મિક” શબ્દ એ બિન ભૌતિક જગતનું કંઈ પણ વર્ણવે છે.
  • બાઈબલમાં, તે ખાસ કરીને જે કંઈ ઈશ્વર સાથે સંબંધિત છે ખાસ કરીને પવિત્ર આત્મા તેનો ઉલ્લેખ કરે છે,
  • ઉદાહરણ તરીકે, “આત્મિક ભોજન” ઈશ્વરના શિક્ષણનો ઉલ્લેખ કરે છે, જે વ્યક્તિના આત્માને પોષણ આપે છે, અને “આત્મિક ડહાપણ” એ જ્ઞાન અને ન્યાયી વર્તન કે જે પવિત્ર આત્મા પાસેથી આવે છે તેનો ઉલ્લેખ કરે છે.
  • ઈશ્વર આત્મા છે અને તેમણે બીજા આત્મિક અસ્તિત્વ ધરાવનારા વ્યક્તિઓ બનાવ્યાં, કે જેઓને ભૌતિક શરીરો નથી.
  • દૂતો આત્મિક અસ્તિત્વ ધરાવનારા છે, તેઓને સમાવિષ્ટ કરીને કે જેઓએ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકાર્યું હતું અને દુષ્ટાત્માઓ બન્યા હતા.
  • “નો આત્મા” તેનો અર્થ “ની લાક્ષણિકતા હોવી,” જેમ “ડહાપણના આત્મામાં” અથવા “એલિયાના આત્મામાં” થઇ શકે.
  • “આત્મા” ના વલણ અને લાગણી તરીકેના ઉદાહરણો “ડરનો આત્મા” અને “અદેખાઈનો આત્મા” નો સમાવેશ કરશે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભને આધારે, “આત્મા”ને અનુવાદિત કરવાની રીતમાં “બિન ભૌતિક વ્યક્તિ” અથવા “આંતરિક ભાગ” અથવા “આંતરિક વ્યક્તિ” નો સમાવેશ કરી શકાય.
  • કેટલાંક સંદર્ભોમાં, “આત્મા” શબ્દનું અનુવાદ “દુષ્ટ આત્મા” અથવા “દુષ્ટ આત્માંવાળું” એમ કરી શકાય.
  • ઘણીવાર “આત્મા” શબ્દ વ્યક્તિની લાગણીઓ વ્યક્ત કરવા માટે વપરાય છે, જેમ “મારો આત્મા મારાં અંતરાત્મામાં ખેદિત થયો છે” તેમ.

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

  • “નો આત્મા” શબ્દસમૂહનું અનુવાદ “ના લક્ષણો” અથવા “ની અસર” અથવા “નું વલણ” અથવા “ના દ્વારા વર્ગીકૃત થયેલા વિચારો” એમ કરી શકાય.
  • સંદર્ભને આધારે, “આત્મિક”નું અનુવાદ “બિન ભૌતિક” અથવા “પવિત્ર આત્માથી” અથવા “ઈશ્વરનું” અથવા “બિન ભૌતિક જગતનો ભાગ” તરીકે કરી શકાય.
  • “આત્મિક દૂધ” રૂપકાત્મક અભિવ્યક્તિનું અનુવાદ “ઈશ્વર તરફથી પાયાનું શિક્ષણ” અથવા “ઈશ્વરનું શિક્ષણ કે જે આત્માને પોષણ આપે છે (દૂધ અઆપે છે તેમ)” તરીકે પણ કરી શકાય.
  • “આત્મિક પરિપક્વતા”નું અનુવાદ “ઈશ્વરને ગમતું વર્તન કે જે પવિત્ર આત્માને આધીન છે તેમ બતાવે છે” તરીકે કરી શકાય.
  • “આત્મિક દાન”નું અનુવાદ “ખાસ ક્ષમતા જે પવિત્ર આત્મા આપે છે” તારીકેકારી શકાય.

(આ પણ જુઓ: દૂત, અશુદ્ધ આત્મા, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 13:3 ત્રણ દિવસ પછી,લોકોએ પોતાને તૈયાર કર્યા આત્મિક રીતે, ઈશ્વર સિનાઈ પર્વતને ટોચે મેઘગર્જના, વીજળી, ધુમાડા, અને મોટા રણશિંગડાના અવાજ સાથે ઉતરી આવ્યા.
  • 40:7 પછી ઈસુ રડ્યા અને બોલ્યા, “સંપૂર્ણ થયું!

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

  • 45:5 જેમ સ્તેફન મરણ વખતે બોલ્યો, “ઈસુ, સ્વીકારો મારો આત્મા."
  • 48:7 સર્વ પ્રજા જૂથો તેમના દ્વારા આશીર્વાદિત થયા, કારણ કે જે સર્વ ઈસુમાં વિશ્વાસ કરે છે તે પાપમાંથી બચી જાય છે, અને બને છે આત્મિક વારસદાર ઈબ્રાહિમનો.

શબ્દ માહિતી:

  • Strong's: H178, H1172, H5397, H7307, H7308, G4151, G4152, G4153, G5326, G5427

આત્મા, આત્માઓ, જીવ, સ્વયં, વ્યક્તિ

વ્યાખ્યા:

"આત્મા" શબ્દ એ સામાન્યત રીતે વ્યક્તિના આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગનો, વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે અથવા તે વિશિષ્ટ રીતે વ્યક્તિની સ્વયં સબંધીની જાગૃતતા જે તે વ્યક્તિને બીજા વ્યક્તિઓથી વિશિષ્ટ રીતે અલગ કરે છે, તેને દર્શાવે છે.

  • બાઇબલમાં “જીવ” અને”આત્મા” શબ્દો બે અલગ ખ્યાલો હોઈ શકે, અથવા તે બે શબ્દો હોય જે સમાન ખ્યાલનો ઉલ્લેખ કરતાં હોય.
  • જ્યારે વ્યક્તિ મરણ પામે છે ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે.
  • શરીરના વિરોધાભાસમાં “આત્મા” શબ્દનો ઉલ્લેખ "ઈશ્વરને સંબંધિત" શરીરના ભાગ તરીકે થઇ શકે છે.
  • "આત્મા" શબ્દનો ઉલ્લેખ કેટલીકવાર રૂપકાત્મક રીતે સમગ્ર વ્યક્તિને સંબોધવા વપરાય છે. ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે છે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

  • “આત્મા” શબ્દનો અનુવાદ “આંતરિક સ્વ” અથવા “આંતરિક વ્યક્તિ” તરીકે પણ કરી શકાય.
  • કેટલાંક સંદર્ભોમાં, “મારો આત્મા” નું અનુવાદ “હું” કે “મને” એમ કરી શકાય.
  • સામાન્ય રીતે “આત્મા” શબ્દસમૂહનું અનુવાદ સંદર્ભને આધારે “વ્યક્તિ” અથવા “તે” અથવા “તેને” એમ કરી શકાય.
  • કેટલીક ભાષાઓમાં “આત્મા” અને “આત્મા” ના ખ્યાલને માટે એક જ શબ્દ હોઈ શકે છે.
  • હિબ્રુઓ 4:12 માં, રૂપકાત્મક શબ્દસમૂહ “આત્મા અને મજ્જાને અલગ કરનાર” નો અર્થ “ઘણી ઊંડે સુધુ દ્રષ્ટિવાળું અથવા આંતરિક વ્યક્તિને ખુલ્લો પાળવો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5082, H5315, H5397, G5590

આદેશ/આજ્ઞા, આદેશ આપવો/આજ્ઞા આપવી

વ્યાખ્યા:

“આદેશ” શબ્દનો અર્થ, કોઈકને કઈંક કરવા હુકમ કરવો. “આદેશ” અથવા “આજ્ઞા” શબ્દ, વ્યક્તિને જે કરવાનો હુકમ આપવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ કરે છે.

  • ઘણી વખત “આજ્ઞા” ઈશ્વરની ચોક્કસ આજ્ઞાઓ કે જે વધુ ઔપચારિક અને કાયમી હોય છે, તેને દર્શાવે છે, જેમકે “દસ આજ્ઞાઓ.”
  • આજ્ઞા હકારાત્મક (“તારા માબાપનું સન્માન કર”) અથવા નકારાત્મક (ચોરી કરવી નહીં”) હોઈ શકે છે.
  • “આજ્ઞા ઉઠાવવી/જવાબદારી લેવી”નો અર્થ કોઈકનું અથવા કશાકનું “નિયંત્રણ કરવું” અથવા “હવાલો લેવો.”

ભાષાંતરના સૂચનો

  • “કાયદો” શબ્દ કરતાં આ શબ્દનું અલગ રીતે ભાષાંતર કરવું શ્રેષ્ઠ ગણાશે. સાથે સાથે તેની તુલના “હુકમનામું અને “કાનૂન” ની વ્યાખ્યાઓ સાથે પણ કરવી.
  • કેટલાક અનુવાદકો “આદેશ” અને “આજ્ઞા”ને તેઓની ભાષામાં એક સમાન શબ્દથી ભાષાંતર કરવાનું પસંદ કરી શકે છે.
  • જયારે બીજા, આજ્ઞા શબ્દ માટે ખાસ શબ્દ કે જે કાયમી, ઔપચારિક આદેશો કે જે ઈશ્વરે બનાવ્યા તે દર્શાવવા પસંદ કરી શકે છે.

(જુઓ હુકમનામુ, કાનૂન, કાયદો, દસ આજ્ઞાઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H559, H560, H565, H1696, H1697, H1881, H2706, H2708, H2710, H2941, H2942, H2951, H3027, H3982, H3983, H4406, H4662, H4687, H4929, H4931, H4941, H5057, H5713, H5749, H6213, H6310, H6346, H6490, H6673, H6680, H7101, H7218, H7227, H7262, H7761, H7970, H8269, G1263, G1291, G1296, G1297, G1299, G1690, G1778, G1781, G1785, G2003, G2004, G2008, G2036, G2753, G3056, G3726, G3852, G3853, G4367, G4483, G4487, G5506

આધિપત્ય

વ્યાખ્યા:

“આધિપત્ય” શબ્દ, સત્તા, નિયંત્રણ, અથવા લોકો, પ્રાણીઓ, અથવા જમીન ઉપર અધિકારને દર્શાવે છે.

  • ઈસુ ખ્રિસ્તે જણાવ્યું હતું કે તેને, પ્રબોધક, યાજક, અને રાજા તરીકે આખા જગત પર આધિપત્ય છે.
  • ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના મૃત્યુ દ્વારા શેતાનના આધિપત્યને કાયમ માટે હરાવવામાં આવ્યું છે.
  • નિર્માણ સમયે દેવે માણસને કહ્યું કે, માછલી, પક્ષીઓ, અને પૃથ્વી પરના સઘળા જીવો પર તારો અધિકાર છે.

ભાષાંતરના સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું બીજી રીતે ભાષાંતર કરવામાં આવે ત્યારે, “અધિકાર” અથવા “સત્તા” અથવા “નિયંત્રણ” (જેવા શબ્દનો) સમાવેશ થાય છે.
  • “(તેના) ઉપર અધિકાર હોવો” શબ્દસમૂહનું ભાષાંતર, “ઉપર રાજ્ય કરવું” અથવા “વહીવટ કરવો,” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સત્તા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1166, H4474, H4475, H4896, H4910, H4915, H7287, H7300, H7980, H7985, G2634, G2904, G2961, G2963

આમેન, ખચીત

વ્યાખ્યા:

“આમેન” શબ્દનો ઉપયોગ, જયારે કોઈ બાબતની વાત પર ભાર મુકવો હોય અથવા કોઈ બાબત પર વધારે ધ્યાન ખેચવું હોય, ત્યારે થાય છે. તેનો ઉપયોગ પ્રાર્થના પૂરી કરવા માટે કરવામાં આવે છે. અમુકવાર આ શબ્દનું ભાષાંતર “ખચીત” કરવામાં આવ્યું છે.

  • જયારે તેનો ઉપયોગ પ્રાર્થના પૂરી કરવા માટે કરવામાં આવે છે, ત્યારે પોતાની ઈચ્છા અભિવ્યક્ત કરીને તે પ્રાર્થના સાથે સહમત થાય છે.
  • પ્રભુ ઈસુએ પોતાના શિક્ષણમાં “આમેન” શબ્દનો ઉપયોગ કરીને સત્યો પર ભાર મૂક્યો.

આ શબ્દનો ઉપયોગ કર્યા પછી તરત જ ઈસુએ કહ્યું કે “અને હું તમને સાચે જ કહું છું કે” એવું કહીને તેમણે આગળના શિક્ષણને અનુલક્ષીને નવું શિક્ષણ પ્રસ્તુત કર્યું.

  • જયારે ઇસુ “આમેન” શબ્દનો આવો ઉપયોગ કરે છે ત્યારે અંગ્રેજી ભાષાંતર (અને યુ.એલ.બી. આવૃત્તિ), “સાચે જ” અથવા “ખરેખર” શબ્દોનો ઉપયોગ કરે છે.
  • “સાચે જ” શબ્દના અર્થનું બીજું ભાષાંતર “ચોક્કસ” અથવા “ખાતરીપૂર્વક” થઇ શકે છે અને તે દ્વારા જ્યારે વક્તા જે કહે છે તેના પર વધુ ભાર મૂકે છે.

ભાષાંતરના સૂચનો:

  • લક્ષ્ય ભાષામાં કોઈ બાબત પર ભાર મુકવામાં આવે ત્યારે આ શબ્દ અથવા સંજ્ઞા કેવી રીતે વાપરવામાં આવી છે તેનું ધ્યાન રાખવું.
  • જયારે “આમેન” ઉપયોગ પ્રાર્થનાના અંતે કરવામાં આવે છે, ત્યારે તેનું ભાષાંતર “એવું થવા રહેવા દો” અથવા “એવું થવા દો” અથવા “એ સાચું છે” એમ થઇ શકે છે.
  • જયારે ઇસુ કહે છે કે “હું તમને સાચે જ કહું છું” તેનું ભાષાંતર “હા, હું તમને નિષ્ઠાપૂર્વક કહું છું” અથવા “તે સત્ય છે અને હું તમને તે જ કહું છું” એવું થઇ શકે છે.
  • “હું તમને ખચીત ખચીત કહું છું” તેનું ભાષાંતર “હું તમને સાચે જ કહું છું” અથવા “હું તમને સંકલ્પ કરીને કહું છું” અથવા “હું તમને જે કહું છું તે સત્ય છે” એમ થઇ શકે છે.

(તે પણ જુઓ: પૂર્ણ થવું, સાચું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H543, G281

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા, "કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને" દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

  • બાઇબલમાં, “આશા’ શબ્દનો અર્થ “વિશ્વાસ” પણ છે, જેમ કે “મારો વિશ્વાસ પ્રભુમાં છે.” ઈશ્વરે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષાનો ઉલ્લેખ તે કરે છે.
  • ક્યારેક યુ.એલ.ટી. (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે. આ મોટેભાગે નવા કરારની પરિસ્થિતિઓમાં આ બને છે, કે જયારે લોકો કે જેઓએ ઈસુને પોતાનો તારનાર છે તેવો વિશ્વાસ રાખે છે અને તેમણે જે વચન આપ્યું છે તે પ્રાપ્ત કરવા વિશ્વાસની ખાતરી (અથવા આત્મવિશ્વાસ અથવા આશા) રાખે છે, તેને દર્શાવે છે.
  • “આશા ના હોવી” તેનો અર્થ કંઈક સારું બનશે એવી અપેક્ષા ન હોવી. તેનો અર્થ કે તે ખરેખર ખૂબજ નિશ્ચિત છે કે તે થશે નહિ.

ભાષાંતરના સૂચનો:

  • કેટલાક સંદર્ભોમાં, “આશા” શબ્દનું ભાષાંતર, “ચાહવું” અથવા “ઈચ્છા” અથવા “અપેક્ષા” તરીકે પણ કરી શકાય છે.
  • “કોઈપણ બાબત માટે આશા નથી” અભિવ્યક્તિનું ભાષાંતર, “કશામાં વિશ્વાસ નથી” અથવા “કંઈપણ સારા માટે અપેક્ષા નથી” તરીકે કરી શકાય છે.
  • “આશા નથી” શબ્દસમૂહનું ભાષાંતર, “કંઈપણ સારા થવાની અપેક્ષા નથી” અથવા “સુરક્ષા ન હોવી” અથવા “ખાતરી હોવી કે કંઈપણ સારું થશે નહિ” તરીકે કરી શકાય છે.
  • "તેના ઉપર તમારી આશા રાખો” અભિવ્યક્તિનું ભાષાંતર, “તમારો આત્મવિશ્વાસ તેનામાં મૂકો” અથવા “માં વિશ્વાસ રાખવામાં આવ્યો છે” તરીકે પણ કરી શકાય છે.
  • “તમારા વચનમાં મને આશા મળી છે” શબ્દસમૂહનું ભાષાંતર, “મને વિશ્વાસ છે કે તમારું વચન સત્ય છે” અથવા “તમારું વચન મને તમારામાં વિશ્વાસ રાખવામાં મદદ કરે છે” અથવા “જયારે મેં તમારા વચનો પાળ્યા છે ત્યારે હું ચોક્કસ આશીર્વાદિત થયો છું,” તરીકે પણ કરી શકાય છે.
  • શબ્દસમૂહ જેવા કે ઈશ્વર “માં આશા,” તેનું ભાષાંતર, “ઈશ્વરમાં વિશ્વાસ કરવો” અથવા “નક્કી જાણવું કે ઈશ્વરે જે વચન આપ્યુ છે તે તેઓ કરશે જ” અથવા “નિશ્ચિત રહો કે ઈશ્વર વિશ્વાસુ છે” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: આશીર્વાદ, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, વિશ્વાસ, દેવનું વચન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H982, H983, H986, H2620, H2976, H3175, H3176, H3689, H4009, H4268, H4723, H7663, H7664, H8431, H8615, G91, G560, G1679, G1680, G2070

આશીર્વાદ, આશીર્વાદિત (ધન્ય), આશીર્વચન/આશીર્વાદ આપવો

વ્યાખ્યા:

કોઈકને અથવા કશાકને “આશીર્વાદ” આપવાનો અર્થ છે કે સારું અથવા લાભદાયી કરવું તે વ્યક્તિ કે વસ્તુ માટે જેને આશીર્વાદ આપવામાં આવી રહ્યો છે.

  • કોઈને આશીર્વાદ આપવાનો અર્થ એમ પણ થાય કે તે વ્યક્તિને માટે હકારાત્મક અને ફાયદાકારક થાય તેવી ઈચ્છા વ્યક્ત કરવી.
  • બાઈબલના સમયોમાં, પિતા તેના બાળકો ઉપર મોટાભાગે ઔપચારિક રીતે આશીર્વાદ ઉચ્ચારતા હતા.
  • જયારે લોકો ઈશ્વરને “ધન્ય કહે છે” અથવા પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે કે ઈશ્વર ધન્ય હો, એટલે કે તેઓ ઈશ્વરની પ્રસંશા કરે છે.
  • “આશીર્વાદ આપવો” એ શબ્દનો ઉપયોગ, ખોરાક ખવાયા પહેલા ખોરાકને પવિત્ર કરવા, અથવા ખોરાક માટે ઈશ્વરની આભાર અને સ્તુતિ કરવા માટે થાય છે

ભાષાંતરના સૂચનો:

  • આશીર્વાદ આપવો” તેનું ભાષાંતર, “સમૃદ્ધપણે પુરું પાડવું” અથવા “ખૂબ દયાળુ અને કૃપાળુ હોવું” એમ પણ કરી શકાય.
  • “ઈશ્વર મહાન આશીર્વાદ લાવ્યા” તેનું ભાષાંતર, “ઈશ્વરે ઘણા સારા વાનાં આપ્યાં” અથવા “ઈશ્વરે ભરપૂરપણે પૂરું પાડ્યું” અથવા “ઈશ્વરે ઘણું સારું થવા દીધું” એમ પણ કરી શકાય.
  • “તે આશીર્વાદિત છે” તેનું ભાષાંતર, “તેને ખુબ જ ફાયદો થશે” અથવા “તેને સારી વસ્તુઓનો અનુભવ થશે” અથવા “ઈશ્વર તેના વિકાસનું કારણ બનશે” આ રીતે પણ કરી શકાય છે.
  • ”વ્યક્તિ કે જે ધન્ય (આશીર્વાદિત) છે” તેનું ભાષાંતર, “તે વ્યક્તિ માટે તે કેટલું સારું છે” એમ પણ થઇ શકે છે.
  • “પ્રભુને ધન્ય હો” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર “પ્રભુની સ્તુતિ થાઓ” અથવા “પ્રભુની સ્તુતિ” અથવા “હું પ્રભુની સ્તુતિ કરું છું” એમ થઇ શકે છે.
  • આશીર્વાદિત ખોરાકના સંદર્ભમાં, તેનું ભાષાંતર, “ખોરાક માટે આભાર” અથવા “તેઓને ખોરાક આપ્યો માટે ઈશ્વરની સ્તુતિ થાઓ” અથવા “ઈશ્વરની સ્તુતિ દ્વારા તે ખોરાક પવિત્ર કરવો” એમ પણ થઇ શકે છે.

(આ પણ જુઓ : સ્તુતિ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 1:7 ઈશ્વરે જોયું કે તે સારું છે અને તેણે તેઓને આશીર્વાદ આપ્યો.
  • 1:15 ઈશ્વરે આદમ અને હવાને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યા. તેણે તેઓને આશીર્વાદ આપ્યો અને કહ્યું કે, “ઘણા સંતાનોથી તથા પૌત્ર-પુત્રીઓથી, પૃથ્વીને ભરપૂર કરો.
  • 1:16 જેથી ઈશ્વરે જે બધું કર્યું, તેનાથી તેણે આરામ લીધો. તેણે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને પવિત્ર ઠરાવ્યો, કારણકે આ દિવસે તેણે પોતાના કામથી આરામ લીધો.
  • 4:4 “હું તારું નામ મોટું કરીશ. જેઓ તને આશીર્વાદ આપશે તેઓને હું આશીર્વા આપીશ અને જેઓ શાપ આપે છે તેઓને હું શાપ આપીશ. પૃથ્વી પરના બધાં જ પરિવારો તારા લીધે આશીર્વાદિત થશે.”
  • 4:7 મલ્ખીસદેકે ઈબ્રામને આશીર્વાદ આપ્યો અને કહ્યું, સર્વોચ્ચ ઈશ્વર કે જે આકાશ અને પૃથ્વીનો માલિક છે તે ઈબ્રામને આશીર્વાદ આપો.”
  • 7:3 ઈસહાક તેનો આશીર્વાદ એસાવને આપવા માંગતો હતો.
  • 8:5 જેલમાં પણ, યુસફ ઈશ્વરને વિશ્વાસુ રહ્યો, અને ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો.

શબ્દ માહિતી:

  • Strong's: H833, H835, H1288, H1289, H1293, G1757, G2127, G2128, G2129, G3106, G3107, G3108, G6050

ઈઝરાએલ, ઈઝરાએલીઓ

સત્યો:

“ઈઝરાએલ” શબ્દ, એક નામ છે, જે દેવે યાકૂબને આપ્યું હતું. તેનો અર્થ, “તે દેવ સાથે સંઘર્ષ કરે છે.”

  • યાકૂબના વંશજો “ઈઝરાએલના લોકો” અથવા “ઈઝરાએલનો દેશ” અથવા “ઈઝરાએલીઓ” તરીકે જાણીતા બન્યા.
  • દેવે ઈઝરાએલના લોકો સાથે તેનો કરાર સ્થાપ્યો.

તેઓ તેના પસંદ કરેલા લોકો હતા.

  • ઈઝરાએલનો દેશ બાર કુળોનો બનેલો હતો.
  • સુલેમાન રાજાના મરણ પછી ટૂંક સમયમાં, ઈઝરાએલનું બે રાજ્યોમાં વિભાજન થયું: “ઈઝરાએલ”ના દક્ષિણ રાજ્યને, “યહૂદા” કહેવામાં આવ્યું, અને ઉત્તર રાજ્યને, “ઈઝરાએલ” કહેવામાં આવ્યું.
  • સંદર્ભ પર આધાર રાખીને, મોટેભાગે “ઈઝરાએલ” શબ્દનું ભાષાંતર, “ઈઝરાએલના લોકો” અથવા “ઈઝરાએલનો દેશ” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: યાકૂબ, ઈઝરાએલનું રાજ્ય, યહૂદા, દેશ, ઈઝરાએલના બાર કુળો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 8:15 બાર દીકરાઓના વંશજો ઈઝરાએલ ના બાર કુળો બન્યા.
  • 9:3 મિસરીઓ એ ઈઝરાએલીઓ ને ઘણી ઇમારતો અને સમગ્ર શહેરો પણ બાંધવા ફરજ પાડી.
  • 9:5 અમુક ઈઝરાએલી સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો.
  • 10:1 તેઓએ કહ્યું, “દેવ આ પ્રમાણે કહે છે કે ઈઝરાએલ, મારા લોકને જવા દો!”
  • 14:12 પણ આ બધું છતાં, ઈઝરાએલ ના લોકોએ દેવની અને મૂસાની વિરુદ્ધ ફરિયાદ અને કચકચ કરી.
  • 15:9 તે દિવસે ઈઝરાએલ માટે દેવ લડ્યો.

તેને અમોરીઓને ગૂંચવી નાખ્યા અને મોટા કરા મોકલ્યા કે જેઓએ ઘણા અમોરીઓને મારી નાખ્યા.

  • 15:9 આ યુદ્ધ પછી, દેવે ઈઝરાએલ ના દરેક કુળને વચનની ભૂમિમાં તેઓનો પોતાનો હિસ્સો આપ્યો. પછી દેવે ઈઝરાએલ ને તેઓની બધી સરહદોની સાથે શાંતિ આપી.
  • 16:16 જેથી મૂર્તિઓની પૂજા કરવા માટે દેવે ઈઝરાએલ ને ફરીથી સજા કરી.
  • 43:6 ઈઝરાએલ ના માણસો, ઈસુ માણસ હતો કે જેણે દેવના સામર્થ્ય દ્વારા ઘણા મહાન ચમત્કારો અને આશ્ચર્યકામો કર્યા, જે તમે જોયું છે અને જાણો છો.

શબ્દ માહિતી:

  • Strong's: H3478, H3479, H3481, H3482, G935, G2474, G2475

ઈર્ષાળુ, અદેખાઈ

વ્યાખ્યા:

“ઈર્ષાળુ” અને “અદેખાઈ” શબ્દો, સંબંધની શુદ્ધતાનું રક્ષણ કરવાની મજબૂત ઈચ્છાને દર્શાવે છે. તેઓ કંઈક અથવા કોઈની વસ્તુને માલિકીમાં રાખવાની મજબૂત ઈચ્છા રાખે છે તેને પણ દર્શાવી શકે છે.

  • મોટેભાગે આ શબ્દો વ્યક્તિને તેની પતિ અથવા પત્ની પ્રત્યે કે જે તેઓના લગ્નમાં અવિશ્વાસુ હોય છે, તેમના ગુસ્સાની લાગણીનું વર્ણન કરવા માટે આ શબ્દો વાપરવામાં આવ્યા છે.
  • જયારે દેવ તેના લોકોને શુદ્ધ અને પાપથી નિષ્કલંક રહે તેવી મજબૂત ઈચ્છા રાખે છે, તે દર્શાવવા આ શબ્દનો બાઈબલમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • દેવ પણ તેના નામ માટે “આવેશી” છે, તે આશા રાખે છે કે તેની સાથે સન્માન અને આદરથી વ્યવહાર કરવામાં આવે.
  • ઈર્ષાળુ હોવું તેનો બીજો અર્થ, બીજા કોઈ કે જે સફળ અથવા વધુ લોકપ્રિય થાય તેના પ્રત્યે ગુસ્સો કરવો.

તે “ઈર્ષાળુ” શબ્દના અર્થની નજીક છે.

ભાષાંતરના સૂચનો:

“ઈર્ષાળુ” શબ્દના ભાષાંતરમાં “મજબૂત રક્ષણાત્મક ઈચ્છા” અથવા સ્વત્વબોધક ઈચ્છા (પોતાની માલિકીનું હોવું તેવી ઈચ્છા)” નો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.

  • “અદેખાઈ” શબ્દનું ભાષાંતર, “મજબૂત રક્ષણાત્મક લાગણી” અથવા “પોતાનું છે તેવી લાગણી” તરીકે કરી શકાય છે.
  • જયારે દેવ વિશે વાત કરવામાં આવે છે, ત્યારે ખાતરી કરો કે આ શબ્દોનો કોઈ બીજાને માટે અણગમતા હોય એવો નકારાત્મક અર્થ આપવો જોઈએ નહીં.
  • જયારે બીજા લોકો વધુ સફળ થાય છે તેવા સંદર્ભમાં, તેઓ પ્રત્યેની ગુસ્સાની ખોટી લાગણીઓ માટે, “ઈર્ષાળુ” અને “ઈર્ષા” શબ્દો વાપરી શકાય છે.

પણ આ શબ્દો દેવ માટે વાપરવા જોઈએ નહીં

(આ પણ જુઓ: ઈર્ષા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H7065, H7067, H7068, H7072, G2205, G3863

ઈશ્વર

સત્યો:

બાઈબલમાં, “ઈશ્વર” શબ્દ દર્શાવે છે કે, એ શાશ્વત વ્યક્તિ છે કે જેમણે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું છે. ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તરીકે અસ્તિત્વમાં છે. ઈશ્વરનું વ્યક્તિગત નામ “યહોવા” છે.

  • ઈશ્વર હંમેશા અસ્તિત્વમાં હોય છે; બીજું કંઈ અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં તે અસ્તિત્વમાં હતા, અને તેમનું અસ્તિત્વ સદાકાળ માટે ચાલુ રહેશે.
  • ફક્ત તેજ સાચા ઈશ્વર છે અને આખી સૃષ્ટિમાં બધા ઉપર તેમનો અધિકાર છે.
  • ઈશ્વર સંપૂર્ણપણે પ્રામાણિક, અનંત જ્ઞાની, પવિત્ર, પાપરહિત, ન્યાયી, દયાળુ, અને પ્રેમાળ છે.
  • તે કરાર પાળનાર ઈશ્વર છે કે જે હંમેશા તેમના વચનો પૂર્ણ કરે છે.
  • લોકોને ઈશ્વરની આરાધના કરવા બનાવવામાં આવ્યા હતા અને તે ફક્ત એક જ છે જેમની તેઓએ આરાધના કરવી જોઈએ.
  • ઈશ્વરે તેમનું નામ “યહોવા” તરીકે જાહેર કર્યું, કે જેનો અર્થ “તે છે” અથવા “હું” અથવા “એક કે જે (હંમેશા) અસ્તિત્વમાં છે.”
  • બાઈબલ પણ જૂઠા “દેવો” વિશે શિક્ષણ આપે છે, કે જેઓ નિર્જિવ મૂર્તિઓ કે જેની લોકો ખોટી રીતે પૂજા કરે છે.

ભાષાંતરના સૂચનો:

  • “ઈશ્વર” (શબ્દ)નું ભાષાંતર કરવા માટે, “દેવતા” અથવા “ઉત્પન્નકર્તા” અથવા “સાર્વભૌમ” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે. “ઈશ્વર” શબ્દનું બીજી રીતે ભાષાંતર કરવામાં આવે તો, “સર્વોચ્ચ સર્જક” અથવા “અનંત સાર્વભૌમ પ્રભુ” અથવા “અનંત સર્વોચ્ચ વ્યક્તિ” કરી શકાય.
  • ધ્યાનમાં લો કે ઈશ્વરને સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં કેવી રીતે દર્શાવવામાં આવ્યા છે. ભાષામાં ભાષાંતર તરીકે ત્યાં કદાચ પહેલેથીજ “ઈશ્વર” માટે શબ્દ હોઈ શકે. એમ હોય તો, ખાતરી કરો કે તે ઉપર વર્ણવેલા એક સાચા ઈશ્વરના લક્ષણો સાથે આ શબ્દ બંધબેસતો આવે કે નહિ તે જોવું અગત્યનું છે.
  • જૂઠા દેવ શબ્દના તફાવત માટે ઘણી ભાષાઓમાં એક સાચા ઈશ્વર માટે પ્રથમ મૂળાક્ષર મોટો કરવામાં આવે છે (જેમકે અંગ્રેજીમાં “જી ફોર ગોડ” કેપિટલ હોય છે). બીજી રીતે “ઈશ્વર” અને “ભગવાન” માટેનો ભેદ દર્શાવવા માટે અલગ અલગ શબ્દો વાપરવામાં આવે છે. નોંધ: બાઇબલના લખાણમાં જ્યારે એક વ્યક્તિ યહોવાની આરાધના કરતો નથી અને યહોવાનો ઉલ્લેખ કરતા (અંગ્રેજી પ્રથમ શબ્દ નાનો જી ઉપયોગ કરે છે), તો તે શબ્દ કેપિટલ મૂળાક્ષર વગર વપરાયો હોય તેમ છતાં યહોવા માટે તેને સ્વીકારી શકાય છે. (જુઓ યૂના ૧:૬, ૩:૯)
  • “હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે,” શબ્દસમૂહનું ભાષાંતર, “હું, ઈશ્વર, આ લોકો ઉપર રાજ કરીશ અને તેઓ મારી ઉપાસના કરશે,” તરીકે ભાષાંતર કરી શકાય છે

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ઉત્પન્ન, ખોટા દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, જૂઠો દેવ, ઈશ્વરના દીકરા, યહોવા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 1:1 ઈશ્વરે સૃષ્ટિ અને તેમાંનું બધુ જ છ દિવસમાં બનાવ્યું.
  • 1:15 ઈશ્વરે તેમની પોતાની પ્રતિમા પ્રમાણે નર અને નારી બનાવ્યા.
  • 5:3 “હું સર્વશક્તિમાન ઈશ્વર છું. હુ તમારી સાથે કરાર કરીશ.”
  • 9:14 ઈશ્વરે કહ્યું, “હું જે છું તે છું. તેમને કહેજો કે, ‘હું છું તેમણે મને મોકલ્યો છે.’ તેઓને એ પણ કહો, ‘હું યહોવા, તમારા પૂર્વજો ઈબ્રાહિમ, ઈસહાક, અને યાકૂબનો ઈશ્વર છું. આ મારું સદાકાળનું નામ છે.”
  • 10:2 આ મરકીઓ દ્વારા, ઈશ્વરે ફારુનને બતાવ્યું કે ફારુન અને તેના બધા જૂઠા દેવો કરતાં તે વધુ શક્તિશાળી છે.
  • 16:1 સાચા ઈશ્વર યહોવાને બદલે, ઈઝરાએલીઓએ કનાનીઓના દેવોની આરાધના કરવાની શરૂ કર્યું.
  • 22:7 મારા દીકરા, તું, સર્વોચ્ચ ઈશ્વરનો પ્રબોધક કહેવાશે કે જે મસીહને સ્વીકારવા માટે લોકોને તૈયાર કરશે.
  • 24:9 યહોવા એકલોજ ઈશ્વર છે. પણ યોહાને ઈશ્વર પિતાને બોલતા સાંભળ્યા, અને જયારે તેણે ઈસુનું બાપ્તિસ્મા આપ્યું ત્યારે ઈસુ પુત્ર અને પવિત્ર આત્માને જોયા.
  • 25:7 “ફક્ત તમારા ઈશ્વર યહોવાનું ભજન કરો, અને ફક્ત તેમના એકલાની જ સેવા કરો.
  • 28:1 ફક્ત એક કે જે સારા છે, અને તે ઈશ્વર છે.
  • 49:9 પણ ઈશ્વરે જગતમાંના દરેકને ખૂબજ પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો જેથી જે કોઈ ઈસુમાં વિશ્વાસ કરશે તેને તેના પાપો માટે સજા થશે નહીં પણ (તે) ઈશ્વરની સાથે સદાકાળ રહેશે.
  • 50:16 પણ એક દિવસે ઈશ્વર નવું આકાશ અને નવી પૃથ્વી ઉત્પન્ન કરશે કે જે સંપૂર્ણ હશે.

શબ્દ માહિતી:

  • Strong's: H136, H305, H410, H426, H430, H433, H2486, H2623, H3068, H3069, H3863, H4136, H6697, G112, G516, G932, G935, G1096, G1140, G2098, G2124, G2128, G2150, G2152, G2153, G2299, G2304, G2305, G2312, G2313, G2314, G2315, G2316, G2317, G2318, G2319, G2320, G3361, G3785, G4151, G5207, G5377, G5463, G5537, G5538

ઈશ્વર નિંદા, ઈશ્વરની નિંદા કરવી, નિંદા કરાયેલ, અનાદરભર્યું, દુર્ભાષણો

વ્યાખ્યા:

બાઈબલમાં, “ઈશ્વર નિંદા” શબ્દ, દેવ અથવા લોકો માટે ઊંડો અનાદર બતાવવો એમ દર્શાવવામાં આવ્યું છે. “નિંદા કરવી” એટલે કે, કોઈ વ્યક્તિની વિરુદ્ધમાં એવી રીતે બોલવું જેથી બીજાઓ લોકો તેના વિશે કંઇક ખોટું અથવા ખરાબ વિચારે.

  • મોટે ભાગે, દેવની નિંદા કરવી એટલે બદનક્ષી કરવી અથવા તેના વિશે સાચું નથી તે કહીને તેનું અપમાન કરવું અથવા અનૈતિક વર્તન કરવું કે જે તેનું અપમાન થાય.
  • માનવી જયારે દેવ હોવાનો દાવો કરે છે ત્યારે તેઓ ઈશ્વરનિંદા કરે છે, કારણકે એક સાચા દેવની જગ્યા પર તેઓ પોતે દેવ હોવાનો દાવો કરે છે.
  • કેટલાક અંગ્રેજી આવૃત્તિઓમાં “બદનક્ષી કરવી” તે શબ્દ લોકો નિંદા માટે વાપરવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો

  • “દુર્ભાષણ કરવું” તેનું ભાષાંતર “કોઈની વિરુદ્ધ ભૂંડી વાતો કહેવી” અથવા “દેવનું અપમાન કરવું” અથવા “બદનક્ષી કરવી” એમ થઇ શકે છે.

“દુર્ભાષણ” શબ્દનું ભાષાંતર “બીજા વિશે ખોટું બોલવું” અથવા “નિંદા કરવી” અથવા “ખોટી અફવા ફેલાવવી” તેમ થઇ શકે છે.

(આ પણ જુઓ : અપમાન, નિંદા)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

  • Strong's: H1288, H1442, H2778, H5006, H5007, H5344, G987, G988, G989

ઈશ્વરના દીકરાઓ

વ્યાખ્યા:

“ઈશ્વરના દીકરાઓ” શબ્દ એ રૂપકાત્મક અભ્વ્યક્તિ છે કે જેના અનેક શક્ય અર્થ થાય છે.

  • નવા કરારમાં, “ઈશાવ્રના દીકરાઓ” ઈસુમાં સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે અને તેને ઘણીવાર “ઈશ્વરના બાળકો” તરીકે પણ અનુવાદિત કરવામાં આવ્યો છે જેમાં પુરુષ અને સ્ત્રી બંનેનો સમાવેશ થાય છે.
  • આ રીતે શબ્દનો ઉપયોગ ઈશ્વર સાથેના સંબંધ વિષે વાત કરે છે કે જે માનવી પિતા-પુત્ર વચ્ચેના સંબંધ દીકરા બનવા સાથે જોડાયેલી દરેક સવલતો સાથે જેવું જ છે.
  • કેટલાંક લોકો “ઈશ્વરના દીકરાઓ” નું અર્થઘટન ઉત્પતિ 6 માં બતાવવામાં આવ્યું છે પતિત દૂતો-દુષ્ટાત્મા અથવા અશુદ્ધ આત્મા એમ કરે છે.

બીજો વિઅચારે છે કે તે શક્તિશાળી રાજકીય રાજકર્તાઓનો અથવા સેથના વંશજોનો ઉલ્લેખ કરે છે

  • નવા કરારમાં, “ઈશાવ્રના દીકરાઓ” ઈસુમાં સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે અને તેને ઘણીવાર “ઈશ્વરના બાળકો” તરીકે પણ અનુવાદિત કરવામાં આવ્યો છે જેમાં પુરુષ અને સ્ત્રી બંનેનો સમાવેશ થાય છે.
  • આ રીતે શબ્દનો ઉપયોગ ઈશ્વર સાથેના સંબંધ વિષે વાત કરે છે કે જે માનવી પિતા-પુત્ર વચ્ચેના સંબંધ દીકરા બનવા સાથે જોડાયેલી દરેક સવલતો સાથે જેવું જ છે.
  • “ઈશ્વરના દીકરો” શિર્ષક એ અલગ શબ્દ છે: તે ઇસુનો ઉલ્લેખ કરે છે, કે જેઓ ઈશ્વરના એકમાત્ર દીકરા છે.

અનુવાદ માટેના સૂચનો:

  • જ્યારે “ઈશ્વરના દીકરાઓ” ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ હોય તો, તેને “ઈશ્વરના બાળકો” તરીકે અનુવાદ કરી શકાય.
  • ઉત્પતિ 6:2 અને 4 માં “ઈશ્વરના દીકરાઓ” નું અનુવાદ કરવાની રીતોમાં “દૂતો,” “આત્મા,” અલૌકિક પ્રાણી,” અથવા “અશુદ્ધ આત્માઓ” સમાવિષ્ટ કરી શકાય.
  • “દીકરો” શબ્દ પણ જુઓ.

(આ પણ જુઓ: દૂત, અશુદ્ધ આત્મા, દીકરો, ઈશ્વરનો દીકરો, રાજકર્તા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H430, H1121, G2316, G5043, G5207

ઈશ્વરના લોકો, મારા લોકો

વ્યાખ્યા:

“ઈશ્વરના લોકો” શબ્દ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓને ઈશ્વરે પોતાની સાથે ખાસ સંબંધ રાખવા જગતમાંથી તેડ્યા છે.

  • જ્યારે ઈશ્વર “મારા લોકો” કહે છે ત્યારે તેઓ જેઓને તેઓએ પસંદ કર્યા છે અને જેઓનો ઈશ્વર સાથે સંબંધ છે તે લોકો વિષે વાત કરે છે.
  • ઈશ્વરના લોકોને ઈશ્વર દ્વારા પસંદ કરવામાં આવ્યા છે અને ઈશ્વરને પ્રસન્ન કરે તેવી રીતે જીવવા જગતમાંથી અલગ કરવામાં આવ્યા છે.

ઈશ્વર પોતાના લોકોને પોતાના બાળકો પણ કહે છે.

  • જૂના કરારમાં, “ઈશ્વરના લોકો” શબ્દ ઇઝરાયલ દેશનો ઉલ્લેખ કરે છે કે જેને ઈશ્વર દ્વારા પસંદ કરાયો હતો અને તેમની સેવા કરવા તથા આજ્ઞાઓ પાળવા બીજા દેશોમાંથી અલગ કરાયો હતો.
  • નવા કરારમાં, “ઈશ્વરના લોકો” શબ્દ ખાસ કરીને એ બધા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે અને જેઓને મંડળી કહેવામા આવે છે.

તેમાં યહૂદીઓ અને બિનયહૂદીઓ બંનેનો સમાવેશ થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “ઈશ્વરના લોકો” શબ્દનો અનુવાદ “ઈશ્વરની પ્રજા” અથવા તો “ઈશ્વરની આરાધના કરતા લોકો” અથવા તો “ઈશ્વરની સેવા કરતા લોકો” અથવા તો “ઈશ્વરની માલિકીના લોકો” તરીકે કરી શકાય.
  • જ્યારે ઈશ્વર “મારા લોકો” શબ્દ વાપરે છે તો તેનો બીજો અનુવાદ “એવા લોકો કે જેઓને મેં પસંદ કર્યા છે” અથવા તો “મારી આરાધના કરતા લોકો” અથવા તો “મારી માલિકીના લોકો” એ રીતે કરી શકાય.
  • તેવી જ રીતે, “તમારા લોકો” શબ્દનો અનુવાદ “તમારી માલિકીના લોકો” અથવા તો “એવા લોકો જેમણે તમારા બનવા પસંદ કર્યું” તરીકે કરી શકાય.
  • વળી “તેમના લોકો” શબ્દનો અનુવાદ “તેમની માલિકીના લોકો” અથવા તો “ઈશ્વરે પોતાના બનાવવા માટે પસંદ કરેલા લોકો” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: ઇઝરાયલ, લોકજાતિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H430, H5971, G2316, G2992

ઈશ્વરની ઇચ્છા

વ્યાખ્યા:

"ઇશ્વરની ઇચ્છા" ઈશ્વરની ઇચ્છાઓ અને યોજનાઓનો ઉલ્લેખ કરે છે.

  • ઈશ્વરની ઇચ્છા ખાસ કરીને લોકો સાથેની તેમની વાતચીત સંબંધીછે અને તે ઇચ્છે છે કે લોકો તેમના પ્રત્યેની પ્રત્યુત્તરઆપે.
  • તે તેમની બાકીની સર્જન માટે તેમની યોજનાઓ અથવા ઇચ્છાઓનો પણ ઉલ્લેખ કરે છે.
  • "ઇચ્છા” શબ્દ નો અર્થ "નક્કી કરવું" અથવા "ઇચ્છા રાખવી” થાય છે.

અનુવાદનાં સૂચનો:

  • “ઈશ્વરની ઇચ્છા' નું ભાષાંતર "ઈશ્વર જે ઈચ્છે તે” અથવા "ઈશ્વર જે યોજના કરેછે તે” અથવા "ઈશ્વરના હેતુ" અથવા "ઈશ્વરને જે ગમે છે તે” તરીકે કરી શકાય છે.

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: H6310, H6634, H7522, G1012, G1013, G2307, G2308, G2309, G2596

ઈશ્વરનું રાજ્ય, સ્વર્ગનું રાજ્ય

વ્યાખ્યા:

"ઈશ્વરનું રાજ્ય" અને "સ્વર્ગનું રાજ્ય" બંને શબ્દો ઈશ્વરના લોકો અને સર્વ સર્જન પર તેમના શાસન અને સત્તાનો ઉલ્લેખ કરે છે.

  • યહુદીઓ અવારનવાર "સ્વર્ગ" શબ્દનો ઉપયોગ ઈશ્વરને સંબોધવા, સીધે સીધેસીધી રીતે તેમના નામનો ઉપયોગ ટાળવા કરતાં હતા. (જુઓ: ભાષાલંકાર)
  • નવા કરારના માથ્થીએ લખેલ પુસ્તકમાં, તે ઈશ્વરના રાજ્યને "સ્વર્ગના રાજ્ય" તરીકે સંબોધે છે, કદાચ તે મુખ્યત્વે યહૂદી શ્રોતાઓ માટે તે લખી રહ્યો હતો તેને કારણે.
  • ઈશ્વરનું રાજ્ય એ ઈશ્વર આત્મિક રીતે લોકોને દોરે છે તથા ભૌતિક જગત પર રાજ કરે છે તેનો ઉલ્લેખ કરે છે.
  • જૂના કરારના પ્રબોધકોએ લખ્યું કે ઈશ્વર મસીહાને ન્યાયથી રાજ કરવા મોકલશે.

ઈસુ, ઈશ્વરના દીકરા, મસીહા છે જે ઈશ્વરના રાજ્ય પર સદાકાળ રાજ કરશે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભને આધારે, "ઈશ્વરનું રાજ્ય" નું અનુવાદ "ઈશ્વરનું શાસન (રાજા તરીકે)" અથવા "જ્યારે ઈશ્વર રાજા તરીકે રાજ કરશે ત્યારે" અથવા "સઘળાં પર ઈશ્વરનું શાસન" એમ કરી શકાય.
  • "સ્વર્ગનું રાજ્ય" શબ્દનું અનુવાદ "સ્વર્ગમાથી ઈશ્વરનું રાજા તરીકે રાજ" અથવા "સ્વર્ગમાના ઈશ્વર રાજ કરે છે" અથવા "સ્વર્ગ સઘળાં પર રાજ કરે છે" એમ પણ કરી શકાય. જો તેનું અનુવાદ સરળ અને સ્પષ્ટ રીતે કરવું શક્ય નથી તો, તેને બદલે "ઈશ્વરનું રાજ્ય" એમ અનુવાદ કરી શકાય.
  • કેટલાંક અનુવાદકો "સ્વર્ગ" શબ્દને અંગ્રેજીમાં કેપીટલ અક્ષરમાં તે ઈશ્વર માટે સંબોધવામાં આવ્યું છે તે માટે લખે છે. બીજાઓ લખાણમાં નોંધનો સમાવેશ કરે છે, જેમ કે "સ્વર્ગનું રાજ્ય (જે ઈશ્વરનું રાજ્ય)."
  • બાઇબલના પૃષ્ઠની નીચેના ભાગનો આ અભિવ્યક્તિમાં "સ્વર્ગ" શબ્દનો અર્થ સમજાવવા પણ નોંધ કરવા ઉપયોગ કરી શકાય.

(આ પણ જુઓ: ઈશ્વર, સ્વર્ગ, રાજા, રાજ્ય, યહુદીઓના રાજા, રાજ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

  • 24:2 તેણે (યોહાન) લોકોને બોધ કર્યો, એમ કહીને કે, "પસ્તાવો કરો કેમ કે ઈશ્વરનું રાજ્ય નજીક છે!"
  • 28:6 પછી ઈસુએ તેમના શિષ્યોણે કહ્યું, "ધનવાન લોકોને પેંસવું ઘણું અઘરું છે ઈશ્વરના રાજયમાં!

હા, સોયના નાકામાથી ઊંટને પસાર થવું સહેલું છે ધનવાન માણસના પ્રવેશવા કરતાં ઈશ્વરના રાજયમાં."

  • 29:2 ઈસુએ કહ્યું, " __ ઈશ્વરનું રાજય__ એક રાજા જેવુ છે જે તેના ચાકરો સાથે હિસાબની પતાવટ કરવા માંગે છે."
  • 34:1 ઈસુએ બીજી ઘણી વાતો કહી ઈશ્વરના રાજ્યની.

ઉદાહરણ તરીકે એમણે કહ્યું, " ઈશ્વરનું રાજ્ય એ રાઈના દાણા જેવુ છે જે કોઇકે તેના ખેતરમાં વાવ્યું."

  • 34:3 ઈસુએ બીજી વાત કહી, " ઈશ્વરનું રાજ્ય એ ખમીર જેવુ છે કે જેને સ્ત્રીએ લોટમાં ભેળવી દીધું જ્યાં સુધી તે સર્વ લોટમાં ફેલાય ન જાય ત્યાં સુધી."
  • 34:4 " ઈશ્વરનું રાજ્ય એ છુપાયેલા ખજાના જેવુ છે જેને કોઇકે ખેતરમાં છુપાવી દીધું હતું..

બીજા કોઈક માણસને તે ખજાનો મળ્યો અને તેણે પણ દાટી દીધો."

  • 34:5 " ઈશ્વરનું રાજ્ય એ સંપૂર્ણ મોતી જે ઘણું મૂલ્યવાન છે તેના જેવુ પણ છે."
  • 42:9 તેમણે તેમના શિષ્યોને ઘણી રીતે સાબિત કરી આપ્યું કે તેઓ જીવંત છે, અને તેમણે તેમણે શીખવ્યું ઈશ્વરના રાજ્ય વિષે.
  • 49:5 ઈસુએ કહ્યું કે ઈશ્વરનું રાજ્ય જગતમાં જે કંઈ પણ છે તેનાથી ઘણું મૂલ્યવાન છે.
  • 50:2 જ્યારે ઈસુ પૃથ્વી પર જીવંત હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, "મારા શિષ્યો સારા સમાચારનો બોધ કરશે ઈશ્વરના રાજ્યના સર્વત્ર જગતના લોકોને, અને પછી અંત આવશે."

શબ્દ માહિતી:

  • Strong's: G932, G2316, G3772

ઈશ્વરનો દીકરો, દીકરો

તથ્યો:

“ઈશ્વરનો દીકરો” શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે, ઈશ્વરનો શબ્દ, કે જે માનવ બનીને આ જગતમાં આવ્યાં. તેમને ઘણીવાર “દીકરા” તરીકે પણ સંબોધવામાં આવે છે.

  • ઈશ્વરના દીકરા પાસે ઈશ્વર પિતા જેવો જ સ્વભાવ છે, અને તેઓ સંપૂર્ણપણે ઈશ્વર છે.
  • ઈશાવ્ર પિતા, ઈશ્વર પુત્ર, અને ઈશ્વર પવિત્ર આત્મા તેઓ એક ગુણધર્મના છે.
  • માનવ પુત્રોની જેમ, ઈશ્વરના દીકરા હંમેશા અસ્તિત્વ ધરાવે છે.
  • શરૂઆતમાં, ઈશ્વરના દીકરા, પિતા અને પવિત્ર આત્મા સાથે દુનિયા બનાવવામાં સક્રિય હતા.

ઈસુએ ઈશ્વરના દીકરા છે તે માટે, તેઓ તેમના પિતાને પ્રેમ કરે છે અને તેમને આધીન થાય છે, અને તેમના પિતા તેમને પ્રેમ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “ઈશ્વરના દીકરા” શબ્દ માટે, ભાષામાં માનવ દીકરાને સંબોધવા જે શબ્દનો ઉપયોગ થાય છે તે સમાન શબ્દ “દીકરા” નું અનુવાદ કરવું એ શ્રેષ્ઠ છે.
  • “દીકરા” નું અનુવાદ કરવા જે શબ્દનો ઉપયોગ કરો તેનું ધ્યાન રાખો કે તે “પિતા” નું અનુવાદ કરવાના શબ્દ સાથે બંધબેસે અને આ શબ્દો પ્રોજેક્ટ ભાષામાં પિતા-દીકરાના સંબંધને વ્યક્ત કરવા સર્વસામાન્ય હોય.
  • “દીકરા” શબ્દની શરૂઆત અંગ્રેજીમાં મોટાં અક્ષરથી કરવાથી એ બતાવવા મદદ મળશે કે તે ઈશ્વર વિશેની વાત છે.
  • “દીકરા” શબ્દસમુહએ “ઈશ્વરના દીકરા”નું નાનું રૂપ છે, ખાસ કરીને જ્યારે તે “પિતા”ના સમાન સંદર્ભમાં ઉદ્દભવે ત્યારે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પૂર્વજ, ઈશ્વર, ઈશ્વર પિતા, પવિત્ર આત્મા, ઈસુ, દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 22:5 ડોટે જણાવ્યું, “પવિત્ર આત્મા તારા પર આવશે, અને ઈશ્વરનું સામર્થ્ય તારા પર આચ્છાદન કરશે. તેથી બાળક પવિત્ર હશે, ઈશ્વરના દીકરા.”
  • 24:9 ઈશ્વરે યોહાનને કહ્યું, “પવિત્ર આત્મા નીચે ઉતરશે અને જેણે તું બાપ્તિસ્મા આપીશ તેના પર બેસશે. તે વ્યક્તિ ઈશ્વરના દીકરા હશે."
  • 31:8 શિષ્યો આશ્ચર્ય પામ્યાં. તેઓએ ઈસુની આરાધના કરી, એમ કહીને, “ખરેખર તમે ઈશ્વરના દીકરા છો.”
  • 37:5 માર્થાએ જવાબ આપ્યો, હા, માલિક! હું જાણું છું કે તમે મસીહા છો, ઈશ્વરના દીકરા."
  • 42:10 તેથી જાઓ, દરેક જૂથના લોકોને શિષ્યો બનાવો બાપ્તિસ્મા આપીને પિતાના, દીકરાના, અને પવિત્ર આત્માના નામમાં, અને મેં જે તમને હુકમ કર્યો છે તે સર્વને આધીન થવાનું શિક્ષણ આપીને.”
  • 46:6 તરત જ, શાઉલે દમાસ્ક્સમાં યહુદીઓને બોધ કરવાનો શરૂ કર્યો, એમ કહીને કે, “ઈસુએ ઈશ્વરના દીકરા છે!”
  • 49:9 કેમ કે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો દીકરો આપ્યો, કે જેથી જે કોઈ ઈસુમાં વિશ્વાસ કરે તેને તેના પાપોની શિક્ષા ન થાય, પરંતુ તે ઈશ્વર સાથે સદાકાળ જીવે.

શબ્દ માહિતી:

  • Strong's: H426, H430, H1121, H1247, G2316, G5207

ઈશ્વરનો શબ્દ, યહોવાનો શબ્દ, પ્રભુનો શબ્દ, સત્યનો શબ્દ, શાસ્ત્ર

વ્યાખ્યા:

બાઈબલમાં "ઈશ્વરના શબ્દ" ઈશ્વર લોકોની સાથે જે કંઈપણ વાતચીત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. તે બોલાયેલા અને લેખિત સંદેશાઓને સામેલ કરે છે ઈસુને પણ "ઈશ્વરના શબ્દ" કહેવામાં આવે છે.

  • શબ્દ " શાસ્ત્રો " નો અર્થ "લખાણો" થાય છે. તે ફક્ત નવા કરારમાં જ વપરાય છે અને હીબ્રુ શાસ્ત્રોનો ઉલ્લેખ કરે છે, જે જૂનો કરાર છે. આ લખાણો ઈશ્વરના સંદેશ હતા કે જે તેમણે લોકોને લખવા માટે કહ્યું હતું જેથી ભવિષ્યના ઘણા વર્ષોમાં લોકો તેને વાંચી શકે.
  • સંબંધિત શબ્દો "યહોવાનું વચન" અને "પ્રભુનું વચન" વારંવાર ઈશ્વર તરફથી એક ચોક્કસ સંદેશનો ઉલ્લેખ કરે છે જે બાઈબલમાં પ્રબોધક અથવા અન્ય વ્યક્તિને આપવામાં આવ્યો હતો.
  • કેટલીકવાર આ શબ્દ ફક્ત " વચન " અથવા "મારું વચન" અથવા "તમારૂ વચન "(જ્યારે ઈશ્વરના વચન વિશે વાત કરીએ ત્યારે) દ્રશ્યમાન થાય છે.
  • નવા કરારમાં, ઈસુને "શબ્દ" અને "ઈશ્વરના શબ્દ" કહેવામાં આવે છે. આ શિર્ષકોનો અર્થ એ છે કે ઈસુ સંપૂર્ણપણે પ્રગટ કરે છે કે ઈશ્વર કોણ છે, કેમ કે તે પોતે ઈશ્વર છે.                                                                                                                                              "સત્યનો શબ્દ" શબ્દસમૂહ "ઈશ્વરના વચન"નો ઉલ્લેખ કરવાનો અન્ય માર્ગ છે, જે તેમનો સંદેશ અથવા શિક્ષણ છે. તે માત્ર એક જ શબ્દનો ઉલ્લેખ કરતું નથી.
  • ઈશ્વરના સત્યના વચનોમાં, ઈશ્વરે લોકોને તેમના વિષે જે શીખવ્યું છે તે, તેમનું સર્જન, અને ઈસુ દ્વારા તારણની તેમની યોજનાનો સમાવેશ થાય છે.
  • આ શબ્દ એ હકીકત પર ભાર મૂકે છે કે ઈશ્વર જે કહ્યું છે તે સાચું, વિશ્વાસયોગ્ય અને વાસ્તવિક છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • સંદર્ભને આધારે, આ શબ્દને અનુવાદિત કરવાના અન્ય રીતોમાં "યહોવાનો સંદેશ" અથવા "ઈશ્વરનો સંદેશ" અથવા "ઈશ્વર તરફથી શિક્ષણ"નો સમાવેશ થઇ શકે છે.
  • આ શબ્દને કેટલીક ભાષાઓમાં બહુવચન બનાવવા વધુ કુદરતી હોઈ શકે છે અને તેને "ઈશ્વરના શબ્દો" અથવા "યહોવાહના શબ્દો" કહી શકાય છે.
  • "યહોવાનું વચન આવ્યું" અભિવ્યકિત ઈશ્વરે કંઈક તેના પ્રબોધકો અથવા તેમના લોકોને જણાવી હતી તે દર્શાવવા માટે વારંવાર વપરાય છે. આનો અનુવાદ "યહોવાએ આ સંદેશો આપ્યો" અથવા "યહોવાએ આ વચનો કહ્યા" કરી શકાય છે.
  • " શાસ્ત્ર " અથવા " શાસ્ત્રો " શબ્દનો અનુવાદ "લખાણો" અથવા "ઈશ્વર તરફથી લેખિત સંદેશાઓ" કરી શકાય છે. આને "વચન" શબ્દના અનુવાદથી અલગ શબ્દની રીતે અનુવાદ કરવી જોઈએ.
  • જ્યારે માત્ર "શબ્દ"નો ઉલ્લેખ હોય છે અને તે ઈશ્વરના શબ્દને ઉલ્લેખે છે, ત્યારે તેનો અનુવાદ "સંદેશ" અથવા "ઈશ્વરનો શબ્દ" અથવા "શિક્ષણ" તરીકે થઈ શકે છે. ઉપર સૂચવેલ વૈકલ્પિક અનુવાદોને પણ ધ્યાનમાં લો.
  • જ્યારે બાઈબલ ઈસુને "શબ્દ" કહે છે, ત્યારે આ શબ્દનો અર્થ "સંદેશ" અથવા "સત્ય" તરીકે ભાષાંતર કરી શકાય છે.
  • "સત્યના વચન" નું ભાષાંતર "ઈશ્વરના ખરો સંદેશ" અથવા "ઈશ્વરનું વચન, જે સાચું છે" તરીકે થઈ શકે છે.
  • આ શબ્દના અનુવાદ માટે મહત્વનું છે કે તે સત્ય હોવાના અર્થનો સમાવેશ કરે.

(આ પણ જુઓ: પ્રબોધક, ખરું, યહોવાહ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 25:7 ઈશ્વરના વચનમાં તે પોતાના લોકોને આજ્ઞા આપે છે, “ફક્ત તમારા ઈશ્વરની ઉપાસના કરો અને ફક્ત તેમની સેવા કરો.”
  • 33:6 તેથી ઈસુ સમજાવે છે, 'બીજ એ ઈશ્વરનું વચન છે.
  • 42:3 પછી ઈસુએ તેમને સમજાવ્યું કે ઈશ્વરનું વચન મસીહ વિષે શું કહે છે.
  • 42:7 ઈસુએ કહ્યું, “મેં તમને કહ્યું હતું કે ઈશ્વરના વચનમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું પૂર્ણ થવું જ જોઈએ.” પછી તેમણે તેમના મન ખોલ્યાં જેથી તેઓ ઈશ્વરનું વચન સમજી શક્યા.
  • 45:10 ફિલિપે પણ અન્ય શાસ્ત્રોનો ઉપયોગ કરીને તેને ઈસુ વિષેની સુવાર્તા કહી.
  • 48:12 પરંતુ ઈસુ બધા કરતાં મહાન પ્રબોધક છે. તે ઈશ્વરના શબ્દ છે.
  • 49:18 ઈશ્વર તમને પ્રાર્થના કરવા, તેમના વચનનો અભ્યાસ કરવા, અન્ય ખ્રિસ્તીઓ સાથે તેમની ઉપાસના કરવા, અને તેમણે તમારા માટે શું કર્યું છે તે બીજા લોકોને જણાવવા કહે છે.

શબ્દ માહિતી:

  • Strong's: H561, H565, H1697, H3068, G3056, G4487

ઈશ્વરપરાયણ/ઈશ્વરીય, ધર્મનિષ્ઠા/ઈશ્વરપરાયણતા, અધર્મી, નાસ્તિક, નાસ્તિકતા/અનાસ્થા

વ્યાખ્યા:

“ઈશ્વરીય” શબ્દ એવી વ્યક્તિના વર્ણન માટે વાપર્યો છે કે જે તેના કાર્યોમાં ઈશ્વરને માન આપે છે, અને ઈશ્વર કેવા છે તે દર્શાવે છે. “ઈશ્વર પરાયણતા” ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરી તેમનું સન્માન કરવાનો ચારિત્ર્ય ગુણ છે.

  • વ્યક્તિ કે જેને ઈશ્વરીય ગુણો છે તે પવિત્ર આત્માના ફળો દર્શાવશે, જેવા કે પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, દયા, અને આત્મસંયમ.
  • ઈશ્વર પરાયણતાના ગુણ બતાવે છે કે વ્યક્તિમાં પવિત્ર આત્મા છે અને તે તેમની આજ્ઞા પાળે છે.
  • “નાસ્તિક” અને “અધર્મી” શબ્દો લોકો કે જેઓ ઈશ્વરની વિરુદ્ધ બળવો કરે છે તેનું વર્ણન કરે છે. ઈશ્વર વિશે વિચાર્યા વગર, દુષ્ટ રીતે જીવવાને “અધર્મી” અથવા “ઈશ્વર વિહોણો” કહેવાય છે.
  • આ શબ્દોના અર્થો ખૂબજ સમાન છે. જો કે, “નાસ્તિક” અને “નાસ્તિકતા” કદાચ વધુ આત્યંતિક પરિસ્થિતિ દર્શાવે છે કે જેમાં લોકો અથવા દેશો ઈશ્વરને સ્વીકારતા પણ નથી અને તેઓ પર તેમના શાસનના અધિકારનો નકાર કરે છે.
  • ઈશ્વર દરેક અધર્મી લોકો ઉપર, તે દરેક કે જે તેમને અને તેમના માર્ગોને નકારી કાઢે છે તેઓ પર તેમનો ન્યાય અને કોપ જાહેર કરે છે.

ભાષાંતરના સૂચનો:

  • “ઈશ્વરીય” શબ્દસમૂહનું ભાષાંતર, “ધાર્મિક લોકો” "ઈશ્વર પરાયણ લોકો" અથવા “લોકો કે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે” તરીકે કરી શકાય છે (જુઓ: નામધારી વિશેષણ)
  • “ઈશ્વરીય” વિશેષણનું ભાષાંતર, “ઈશ્વરને આજ્ઞાકારી” અથવા “ન્યાયી” અથવા “ઈશ્વરને પ્રસન્ન કરનાર” તરીકે કરી શકાય છે.
  • “ઈશ્વરીય રીતે” શબ્દસમૂહનું ભાષાંતર, “એક જે ઈશ્વરની આજ્ઞા પાળે છે” અથવા “કાર્યો અને શબ્દો સાથે કે જે ઈશ્વરને ખુશ કરે” તરીકે કરી શકાય છે.
  • “ઈશ્વરીય પરાયણતા” શબ્દનું ભાષાંતર કરવામાં આવે તો, “એવી રીતે વર્તવું કે જે ઈશ્વરને ખુશ કરે” અથવા “ઈશ્વરની આજ્ઞા પાળવી” અથવા “ન્યાયી રીતે જીવવું” જેવા (શબ્દોનો) સમાવેશ કરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, “અધર્મી” શબ્દનું ભાષાંતર, “ઈશ્વરને નાખૂશ કરવા” અથવા “અનૈતિક” અથવા “ઈશ્વરની આજ્ઞાનો અનાદર કરવો” તરીકે કરી શકાય છે.
  • “નાસ્તિક” અને “નાસ્તિકતા/અનાસ્થા” શબ્દોનો શાબ્દિક અર્થ કે જે “લોકો ઈશ્વર વિનાના” અથવા “ઈશ્વર વિષે વિચારતા નથી” અથવા “એવી રીતે વર્તે છે કે ઈશ્વરને સ્વીકારતા નથી.”
  • “અધર્મ” અથવા “નાસ્તિકતા/અનાસ્થા” શબ્દનું અન્ય રીતે ભાષાંતર “દુષ્ટતા” અથવા “દુષ્ટ” અથવા “ઈશ્વરની વિરુદ્ધ બળવો” થઇ શકે છે.

(આ પણ જુઓ દુષ્ટ, સન્માન, આજ્ઞા પાળવી, ન્યાયી, પ્રામાણિક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H430, H1100, H2623, H5760, H7563, G516, G763, G764, G765, G2124, G2150, G2152, G2153, G2316, G2317

ઈશ્વરપિતા, સ્વર્ગીય પિતા, પિતા

સત્યો:

“ઈશ્વર પિતા” અને “સ્વર્ગીય પિતા” શબ્દો યહોવા, એક સાચા ઈશ્વરને દર્શાવે છે. તે જ અર્થવાળો બીજો શબ્દ “પિતા” જે વારંવાર ઈસુ દ્વારા વાપરવામાં આવ્યો હતો.

  • ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે, ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, અને ઈશ્વર પવિત્ર આત્મા તરીકે. તેઓ દરેક સંપૂર્ણ ઈશ્વર છે, અને તેમ છતાં પણ તેઓ એક જ ઈશ્વર છે. આ એક રહસ્ય છે જે આપણે સર્વ સામાન્ય માનવી સંપૂર્ણ રીતે સમજી શકતા નથી.
  • ઈશ્વર પિતાએ ઈશ્વર પુત્ર (ઈસુ)ને આ જગતમાં મોકલ્યા અને તે (ઈસુ) તેમના લોકો માટે પવિત્ર આત્મા મોકલે છે.
  • જે કોઈ ઈશ્વરના પુત્રમાં વિશ્વાસ કરશે તે ઈશ્વર પિતાનું બાળક બનશે, અને ઈશ્વરના પવિત્ર આત્મા તે વ્યક્તિમાં આવીને તેનામાં વસે છે. આ એક બીજું રહસ્ય છે કે જે માણસ જાત સંપૂર્ણ રીતે સમજી શક્તા નથી.

ભાષાંતરના સૂચનો:

“ઈશ્વર પિતા” શબ્દસમૂહને ભાષાંતર કરતાં, ઉત્તમ એ છે કે "પિતા" શબ્દનું ભાષાંતર કરવું, એ જ સમાન શબ્દ દ્વારા જે ભાષા પ્રાકૃતિક રીતે માનવીય પિતાનો ઉલ્લેખ કરવા ઉપયોગમાં લે છે.

  • “સ્વર્ગીય પિતા” શબ્દનું ભાષાંતર, “પિતા કે જે સ્વર્ગમાં રહે છે” અથવા “ઈશ્વરપિતા કે જે સ્વર્ગમાં રહે છે” અથવા “સ્વર્ગમાંના અમારા ઈશ્વર પિતા” તરીકે કરી શકાય છે.
  • સામાન્ય રીતે "પિતા"ને અંગ્રેજી ભાષામાં કેપિટલ લખાય છે ત્યારે તે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: પૂર્વજ, ઈશ્વર , સ્વર્ગ, પવિત્ર આત્મા, ઈસુ, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 24:9 યહોવા એકલા જ ઈશ્વર છે. પણ યોહાન જયારે ઈસુને બાપ્તિસ્મા આપતો હતો ત્યારે તેણે ઈશ્વર પિતાને બોલતા સાંભળ્યા, અને તેણે ઈસુ પુત્ર અને પવિત્ર આત્માને જોયા.
  • 29:9 ઈસુએ કહ્યું કે, જો તમે તમારા ભાઈને હ્રદયથી માફ નહિ કરો તો મારા સ્વર્ગીય પિતા તમને દરેકને એજ પ્રમાણે કરશે.
  • 37:9 પછી ઈસુએ આકાશ તરફ જોઈને કહ્યું , “પિતા તમે મારું સાભળ્યું માટે તમારો આભાર.”
  • 40:7 પછી ઈસુ મોટેથી રડ્યા, “સંપૂર્ણ થયું! પિતા હું મારો આત્મા તમારા હાથમાં સોંપું છું.”
  • 42:10 “તેથી જાઓ, પિતા, પુત્ર, અને પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપો અને તે દરેક જાતિના લોકોને મારા શિષ્યો બનાવો અને જેમ મેં આજ્ઞા આપી છે તેમ તેઓને બધુજ પાળવાનું શીખવતા જાઓ.
  • 43:8 “હાલમાં ઈસુ ઈશ્વર પિતા ને જમણે હાથે મહિમાવાન કરાયેલા છે.”
  • 50:10 “પછી ન્યાયી વ્યક્તિ ઈશ્વરપિતાના રાજ્યમાં સૂર્યની પેઠે ચમકશે.”

શબ્દ માહિતી:

  • Strong's: H1, H2, G3962

ઈશ્વરીય

વ્યાખ્યા:

“ઈશ્વરીય” શબ્દ કંઈપણ ઈશ્વરને લગતું દર્શાવે છે.

  • આ શબ્દમાં બીજા કેટલાક શબ્દો જેવા કે, “ઈશ્વરીય અધિકાર,” ઈશ્વરીય ન્યાય,” “ઈશ્વરીય સ્વભાવ,” “ઈશ્વરીય શક્તિ,” અને ઈશ્વરીય “મહિમા,” (જેવા શબ્દો) વપરાય છે.
  • બાઇબલના એક ભાગમાં, જૂઠા દેવતાનું કાંઇક વર્ણન કરવા “દૈવી” શબ્દ વપરાયો છે.

ભાષાંતરના સૂચનો:

  • “ઈશ્વરીય” શબ્દનું ભાષાંતરમાં બીજા શબ્દો જેવા કે, “ઈશ્વરનું” અથવા “ઈશ્વર તરફથી” અથવા “ઈશ્વરને લગતું” અથવા “ઈશ્વરના ચારિત્ર્યને લગતું” સમાવેશ કરી શકાય છે.
  • ઉદાહરણ તરીકે, “ઈશ્વરીય અધિકાર” શબ્દનું ભાષાંતર, “ઈશ્વરીય અધિકાર” અથવા “અધિકાર કે જે ઈશ્વરથી આવે છે” તરીકે કરી શકાય.
  • “ઈશ્વરીય મહિમા” શબ્દનું ભાષાંતર, “ઈશ્વરનો મહિમા” અથવા “મહિમા કે જે ઈશ્વરને છે” અથવા “મહિમા કે જે ઈશ્વરથી આવે છે,” તરીકે કરી શકાય છે.
  • કેટલાક ભાષાંતરોમાં જયારે કઈંક કે જે જૂઠા દેવને (મહિમા) દર્શાવવાનું હોય છે ત્યારે કદાચ અન્ય શબ્દ વાપરવાનું પસંદ કરે છે.

(આ પણ જુઓ: અધિકાર, જૂઠો દેવ, મહિમા, ઈશ્વર, ન્યાયાધીશ, શક્તિ)

બાઇબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong’s: G23040, G29990

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો/તથ્યો:

ઈસુ ઈશ્વરના પુત્ર છે. “ઈસુ” નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે જેનો અર્થ “અભિષિક્ત” છે અને તે મસીહા માટેનો બીજો શબ્દ છે.

  • આ બે નામો મોટેભાગે “ઈસુ ખ્રિસ્ત” અથવા “ખ્રિસ્ત ઈસુ” તરીકે સંયુક્ત કરવામાં આવે છે. આ નામો ઈશ્વરના પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યા હતા.
  • ચમત્કારિક રીતે, પવિત્ર આત્માએ અનંતકાળિક ઈશ્વરના દીકરાને મનુષ્ય તરીકે જન્મ આપ્યો. એક દૂત દ્વારા તેમની માતાને તેને “ઈસુ” કહેવા કહેવાયું હતું કારણ કે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલા હતા.
  • ઈસુએ ઘણા ચમત્કારો કર્યા કે જે પ્રગટ કરે છે કે તે ઈશ્વર છે અને તેજ ખ્રિસ્ત, અથવા મસીહા છે.

ભાષાંતરના સૂચનો:

  • ઘણી ભાષાઓમાં “ઈસુ” અને “ખ્રિસ્ત” ની જોડણી એવી રીતે કરવામાં આવી છે કે તે શક્ય રીતે વધુમાં વધુ અસલ જોડણી સાથે મળતા રાખી શકાય. ઉદાહરણ તરીકે, “જેસુક્રીસ્તો,” “જેઝુસ ખ્રીસ્તુસ,” અને “યેસુસ ખ્રીસ્તસ” અને "હેસુખ્રીસ્તો" એ અમુક રીતો છે જે દ્વારા આ નામોનું ભાષાંતર અલગ અલગ ભાષાઓમાં કરવામાં આવ્યું છે.
  • “ખ્રિસ્ત” શબ્દ માટે કદાચ કેટલાક અનુવાદકો આખો વખત ફક્ત “મસીહા” શબ્દ વાપરવાનું પસંદ કરે.
  • એ પણ ધ્યાન રાખવું કે આ નામોની જોડણી નજીકની સ્થાનિક અને રાષ્ટ્રીય ભાષામાં કેવી રીતે કરવામાં આવી છે.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ખ્રિસ્ત, ઈશ્વર, ઈશ્વર પિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, ઉદ્ધારકર્તા, ઈશ્વરના પુત્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 22:4 દૂતે કહ્યું, “તને ગર્ભ રહેશે અને તું પુત્રને જન્મ દેશે. તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”
  • 23:2 "તેનું નામ ઈસુ રાખજે (જેનો અર્થ, ‘યહોવા બચાવે છે'), કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવશે."
  • 24:7 તેથી યોહાને (ઈસુ) ને બાપ્તિસ્મા આપ્યું, જો કે ઈસુએ કદી પાપ કર્યું નહોતું .
  • 24:9 ફક્ત એક જ ઈશ્વર છે. પણ યોહાને ઈશ્વરપિતાની વાણી સાંભળી, અને ઈસુને તથા પવિત્ર આત્માને જોયા જ્યારે તેણે ઈસુ ને બપ્તિસ્મા આપ્યું.
  • 25:8 ઈસુ શેતાનના પરીક્ષણોને સોંપાયા નહિ, તેથી શેતાન તેમને છોડી ચાલ્યો ગયો.
  • 26:8 પછી ઈસુ સમગ્ર ગાલીલના વિસ્તારમાં ગયા, અને મોટું ટોળું તેમની પાસે આવ્યું. તેઓ ઘણા લોકોને લાવ્યા કે જેઓ માંદા અથવા અપંગ કે જેઓ જોઈ, ચાલી, સાંભળી, અથવા બોલી શકતા ન હતા અને ઈસુએ તેઓને સાજા કર્યા.
  • 31:3 પછી ઈસુ પ્રાર્થના પૂરી કરીને શિષ્યો પાસે ગયા. તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યા!
  • 38:2 તે (યહૂદા) જાણતો હતો કે યહૂદી આગેવાનોએ ઈસુનો મસીહા તરીકે નકાર કર્યો હતો અને તેઓ તેમને મારી નાંખવાનું કાવતરું કરતા હતા.
  • 40:8 ઈસુ એ તેમના મૃત્યુ દ્વારા, લોકો માટે ઈશ્વરની પાસે આવવાનો માર્ગ ખોલ્યો.
  • 42:11 પછી ઈસુ ને સ્વર્ગમાં ઉપર લઈ લેવામાં આવ્યા હતા, અને એક વાદળે તેમને તેઓની દ્રષ્ટિથી ઢાંકી દીધા. ઈસુ સઘળી બાબતો પર રાજ કરવા ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે.
  • 50:17 ઈસુ અને તેના લોકો નવી પૃથ્વી પર રહેશે, અને જે બધું અસ્તિત્વમાં છે તેના પર તે સદાકાળ રાજ કરશે. તે દરેક આંસુને લૂછી નાખશે અને ત્યાં વધુ પીડા, નિરાશા, રુદન, દુષ્ટતા, દુઃખ, અથવા મરણ હશે નહિ. ઈસુ શાંતિ અને ન્યાયથી તેનું રાજ્ય ચલાવશે, અને તે તેમના લોકો સાથે સદાકાળ રહેશે.

શબ્દ માહિતી:

  • Strong's: G2424, G5547

ઉત્તેજન, પ્રોત્સાહન, બોધ આપવો

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ, જે યોગ્ય છે તે કરવા માટે સખત રીતે કોઈને પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

  • પ્રોત્સાહનનો હેતુ પાપને ટાળવા, અને ઈશ્વરની ઈચ્છાને અનુસરવા માટે બીજા લોકોને સમજાવવાનો છે.
  • નવો કરાર ખ્રિસ્તીઓને શીખવે છે કે કઠોરતાથી અથવા તોછડી રીતે નહિ, પણ પ્રેમથી દરેકે એકબીજાને બોધ આપવો.

ભાષાંતરના સૂચનો:

  • સંદર્ભ પર આધારિત, “બોધ” શબ્દનું ભાષાંતર, “સખત રીતે અરજ કરવી” અથવા “સમજાવવું” અથવા “સલાહ આપવી,” પણ કરી શકાય છે.
  • ખાતરી કરો કે આ શબ્દનું ભાષાંતર, બોધ આપનાર ગુસ્સે થઇ કહે છે તેવું સૂચિત ન થવું જોઈએ. શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.
  • મુખ્ય સંદર્ભોમાં, “બોધ” શબ્દનું ભાષાંતર, “સલાહ આપવી” કરતા અલગ રીતે થવું જોઈએ,” જેનો અર્થ “પ્રેરણા, ખાતરી, અથવા કોઈને આશ્વાસન આપવું છે.
  • સામાન્ય રીતે આ શબ્દનું ભાષાંતર, “સમજાવવું” શબ્દથી અલગ રીતે પણ થઈ શકે, કેમકે તેનો અર્થ કોઈકને તેના ખોટા/અયોગ્ય વર્તન માટે ચેતવણી અથવા સુધારાનો છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G3867, G3870, G3874, G4389

ઉત્સાહ, ઉત્સાહી

વ્યાખ્યા:

શબ્દો "ઉત્સાહ" અને "ઉત્સાહી" વ્યક્તિ અથવા વિચારને સમર્થન આપવા માટે ભારપૂર્વક સમર્પિત હોવાનો સંદર્ભ આપે છે.

  • ઉત્સાહમાં મજબૂત ઇચ્છા અને ક્રિયાઓનો સમાવેશ થાય છે જે એક સારા કારણને પ્રોત્સાહન આપે છે. તે ઘણીવાર એવી વ્યક્તિનું વર્ણન કરવા માટે વપરાય છે કે જે વિશ્વાસુપણે ઈશ્વરને આધીન થાય છે અને બીજાઓને તેમ કરવા માટે પણ શીખવે છે.
  • ઉત્સાહી બનવું, એમાં કંઈક કરવાનું અને તેના પ્રયત્નોમાં સતત પ્રયત્ન ચાલુ રાખવામાં તીવ્ર પ્રયાસ કરવાનો સમાવેશ છે.
  • "પ્રભુનો ઉત્સાહ" અથવા "યહોવાહનો ઉત્સાહ" એ તેમના લોકોને આશીર્વાદ આપવા માટે અથવા ન્યાય પૂર્ણ થવા માટે ઈશ્વરનાં મજબૂત, નિરંતર કાર્યોનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • 'ઉત્સાહી થાઓ' માટેનું ભાષાંતર "ખૂબ મહેનત કરો" અથવા "તીવ્ર પ્રયત્ન કરો", કરી શકાય.
  • "ઉત્સાહ" શબ્દનું "ઊર્જાસભર નિષ્ઠા" અથવા "આતુર નિર્ણય" અથવા "પ્રામાણિક ઉત્સાહ"તરીકે પણ ભાષાંતર કરી શકાય છે
  • "તમારા ઘર માટે ઉત્સાહ" શબ્દસમૂહનું ભાષાંતર "મજબૂત રીતે તમારા મંદિરનું સન્માન કરવું" અથવા "તમારા ઘરનું ધ્યાન રાખવાની તીવ્ર ઇચ્છા" તેવું ભાષાંતર થઈ શકે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H7065, H7068, G2205, G2206, G2207, G6041

ઉદ્ધાર/છૂટકારો, ઉદ્ધારક, ઉદ્ધાર કરવો

વ્યાખ્યા:

“ઉદ્ધાર” તે કશુંક કે કોઈક, જે અગાઉ બીજાની માલિકીનું હતું અથવા તો બંધક હતું તેને પાછું ખરીદી લેવાનો ઉલ્લેખ કરે છે. “ઉદ્ધારક” એવી વ્યક્તિ છે કે જે કશુક કે કોઈક ને મુક્ત કરે છે.

  • ઈશ્વરે ઇઝરાયલીઓને વસ્તુઓ કે લોકોને કેવી રીતે છોડાવવા તે વિષે નિયમો આપ્યા હતા. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ, એક મનુષ્ય કે જે ગુલામીમાં હતો તેને કિંમત ચૂકવીને છોડાવી શકે છે કે જેથી તે ગુલામ મુક્ત બને. “મુક્તિદંડ” શબ્દ આ પ્રથાનો ઉલ્લેખ કરે છે.
  • જો કોઇની જમીન વેચાઈ ગયી હોય તો, તે વ્યક્તિનો સંબંધી તે જમીનને “છોડાવી” શકે અથવા તો “પાછી ખરીદી” શકે કે જેથી તે જમીન કુટુંબમાં જ રહે.
  • આ પ્રથાઓ દર્શાવે છે કે જેઓ પાપની ગુલામીમાં છે તે લોકોને ઈશ્વર કેવી રીતે છોડાવે છે. જ્યારે તેઓ વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે, ઈસુએ લોકોના પાપો માટે પૂરી કિંમત ચૂકવી અને જે બધા ઉદ્ધાર પામવા તેમના પર વિશ્વાસ કરે છે તેઓને છોડાવ્યા. જે લોકોને ઈશ્વર દ્વારા છોડાવવામાં આવ્યા છે તેઓને પાપ અને તેની શિક્ષાથી મુક્ત કરવામાં આવ્યા છે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભ અનુસાર, “ઉદ્ધાર/છૂટકારો કરવો” શબ્દનો અનુવાદ “પાછું ખરીદી લેવું” અથવા તો “(કોઈને) છોડાવવા ચુકવણી કરવી” અથવા તો “મુક્તિદંડ” પણ કરી શકાય.
  • “ઉદ્ધાર/છૂટકારો કરવો” શબ્દસમૂહનો અનુવાદ “મુક્તિદંડ” અથવા તો “મુક્તિ માટેની કિંમત” અથવા તો “પાછા ખરીદી લેવું” કરી શકાય.
  • “મુક્તિદંડ ચૂકવવો” અને “ઉદ્ધાર/છૂટકારો કરવો” બંનેનો મૂળભુત અર્થ સમાન છે અને તેથી કેટલીક ભાષાઓમાં તે બંનેનો અનુવાદ કરવા એક જ શબ્દ હોય શકે. તો પણ, “મુક્તિદંડ” શબ્દનો અર્થ કશાકને કે કોઈકને "મુક્ત કરવાની" જરૂરી ચુકવણી કિંમત હોઈ શકે છે. "ઉદ્ધાર" શબ્દ સ્વયં ખરેખર ચૂકવણીનો ઉલ્લેખ કદીપણ દર્શાવી શકતો નથી.

(આ પણ જૂઓ: મુક્ત, મુક્તિદંડ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1350, H1353, H6299, H6302, H6304, H6306, H6561, H7069, G59, G629, G1805, G3084, G3085

ઉપાસના

વ્યાખ્યા:

"ઉપાસના" એટલે કોઈને માન આપવું, પ્રશંસાકરવી અને આધીન રહેવું, ખાસ કરીને ઈશ્વરને.

  • આ શબ્દનો વારંવાર શાબ્દિક અર્થ નમ્રતાપૂર્વક કોઈને માન આપવા "નમવું" અથવા "પોતાને શરણે કરવું" એવો થાય છે.
  • જ્યારે આપણે તેમની સ્તુતિ કરીને અને તેમને આધીન થઈને, તેમની સેવા અને સન્માન કરીએ છીએ ત્યારે તેમની ભક્તિ કરીએ છીએ.
  • ઈસ્રાએલીઓ ઈશ્વરની ઉપાસના કરતી વખતે, ઘણીવાર પ્રાણીનું યજ્ઞવેદી પર બલિદાન આપતા હતા.
  • કેટલાક લોકો જૂઠા દેવોની પૂજા કરતા હતા.

અનુવાદ માટેનાં સૂચનો:

  • " ઉપાસના " શબ્દનું " ઘૂંટણીયે પડવું " અથવા "માન આપવું અને સેવા કરવી" અથવા " માન આપવું અને આધીન થવું." તરીકે ભાષાંતર કરી શકાય છે
  • કેટલાક સંદર્ભોમાં, તેને "નમ્રતાપૂર્વક પ્રશંસા" અથવા "માન અને સ્તુતિ આપો" તરીકે અનુવાદિત કરી શકાય છે.

(આ પણ જુઓ: બલિદાન, વખાણ, સન્માન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 13:4 પછી દેવે તેમને એ કરાર આપ્યો અને કહ્યું, "હું યહોવા તમારો દેવ છું, જેણે તમને ઇજિપ્તની ગુલામીમાંથી બચાવી લીધા. અન્ય દેવોની ઉપાસના ન કરવી."
  • 14:2 કનાનીઓ ઈશ્વરની ઉપાસના કરતા ન હતા અથવા ઈશ્વરની આજ્ઞા પાળતા ન હતા. તેઓએ ખોટા દેવતાઓની ઉપાસના કરી અને ઘણા દુષ્ટ વસ્તુઓ કરી.
  • 17:6 દાઉદ એક મંદિરનું નિર્માણ કરવા માગતા હતા જ્યાં બધા ઈસ્રાએલીઓ ઈશ્વરનું ભજન કરી શકે અને ઈશ્વરને બલિદાન આપી શકે.
  • 18:12 બધા રાજાઓ અને ઇઝરાયેલ રાજ્યના મોટાભાગના લોકો મૂર્તિઓની પૂજા કરતા હતા.
  • 25:7 ઈસુએ જવાબ આપ્યો, "શેતાન, મારાથી દૂર જા! ઈશ્વરના વચનમાં તે પોતાના લોકોને આજ્ઞા આપે છે, 'કેવળ પ્રભુ તારા દેવનું ભજન કરો અને માત્ર તેમની સેવા કરો.”
  • 26:2 સાબ્બાથે , તે (ઈસુ)ભજન સ્થાને ગયા.
  • 47:1 ત્યાં તેઓ લુદીય નામની સ્ત્રીને મળ્યા જે વેપારી હતી. તે ઈશ્વરને પ્રેમકરતી અને ઉપાસના કરતી.
  • 49:18 ઈશ્વરતમને કહે છે કે તમે પ્રાર્થના કરો, તેમના વચનોનો અભ્યાસ કરો, અન્ય ખ્રિસ્તીઓ સાથે ઉપાસના કરો અને અન્ય લોકોને જણાવો કે તેમણે તમારા માટે શું કર્યું છે.

શબ્દ માહિતી:

  • Strong's: H5457, H5647, H6087, H7812, G1391, G1479, G2151, G2318, G2323, G2356, G3000, G3511, G4352, G4353, G4573, G4574, G4576

ઉલ્લંઘન, ઉલ્લંઘનો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"ઉલ્લંઘન" શબ્દનો અર્થ આદેશ, નિયમ અથવા નૈતિક કોડને તોડવા એવો થાય છે. "ઉલ્લંઘન" કરવું એટલે "નિયમભંગ" કરવું.

  • બીજા શબ્દોમાં કહીએ તો, "ઉલ્લંઘન" માટે, "રેખા ઓળંગવી", વ્યક્તિ અને અન્યના ભલા માટે એક મર્યાદા અથવા સીમા નક્કી કરવામાં આવી હોય છે તેની ઉપરવટ જવાને વર્ણવી શકાય.
  • શબ્દો "ઉલ્લંઘન," "પાપ," "અન્યાય," અને "દોષ બધામાં ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ કાર્ય કરવાનો અને તેમની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરવાનો સમાવેશ થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • " ઉલ્લંઘન " નું ભાષાંતર "પાપ કરવું" અથવા "અનાજ્ઞાધીન થવું" અથવા "બળવો કરવો" કરી શકાય છે.
  • જો કોઈ કલમ અથવા ફકરામાં બે શબ્દોનો ઉપયોગ કરે છે જેનો અર્થ "પાપ" અથવા "ઉલ્લંઘન" અથવા "દોષ" થાય છે, જો શક્ય હોય તો, આ શબ્દોનો વિવિધ રીતે અનુવાદ કરવો. જ્યારે બાઇબલ સમાન સંદર્ભમાં સમાન અર્થો સાથે બે અથવા વધુ શબ્દોનો ઉપયોગ કરે છે, ત્યારે સામાન્ય રીતે તેના હેતુ પર ભાર મૂકે છે કે શું કહેવામાં આવ્યું છે અથવા તેનું મહત્વ દર્શાવવું તે છે

(જુઓ: સમાંતરણ)

(આ પણ જુઓ: પાપ, અપરાધ, અન્યાય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H898, H4603, H4604, H6586, H6588, G458, G459, G3845, G3847, G3848, G3928

ઊંચુ કરવું, ઊંચું કરાયેલ, ઊંચો કરે છે, ઉન્નત

વ્યાખ્યા:

ઊંચો કરવો એટલે કોઈના અત્યંત વખાણ અને સન્માન કરવા. તેનો અર્થ કોઈને ઊંચા હોદ્દા પર મૂકવું પણ થાય છે.

  • બાઈબલમાં, મોટેભાગે “ઊંચું” શબ્દ દેવને ઊંચો કરવા માટે વાપરવામાં આવ્યો છે.
  • જયારે વ્યક્તિ પોતાને ઊંચો કરે છે, તેનો અર્થ એ કે તે અભિમાનમાં અથવા ઘમંડી રીતે પોતા વિશે વિચારે છે.

બાઈબલના સૂચનો:

  • ”ઊંચો કરવો” શબ્દનું ભાષાંતર, “અત્યંત વખાણ” અથવા “ખૂબજ સન્માન આપવું” અથવા “ગુણ ગાવા” અથવા “તેના અત્યંત વખાણ કરવા,” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
  • કેટલાક સંદર્ભોમાં શબ્દ અથવા શબ્દસમૂહ દ્વારા ભાષાંતર, કે જેનો અર્થ “અત્યંત ઊંચા હોદ્દા પર મૂકવું” અથવા “ખૂબજ સન્માન આપવું” અથવા “ગર્વથી તે વિશે વાત કરવી” તરીકે કરી શકાય છે.
  • “પોતાની જાતને ઊંચી ન કરો” શબ્દનું ભાષાંતર, “પોતા માટે વધુ ઊંચું ના વિચારો” અથવા “પોતા વિશે બડાઈ ન કરો,” તરીકે પણ કરી શકાય છે.
  • “તેઓ કે જે પોતાને ઊંચા કરે છે” તેનું ભાષાંતર, “તેઓ કે જેઓ પોતાના વિશે ગર્વથી વિચારે છે” અથવા “તેઓ કે જેઓ પોતાના વિશે બડાઈ કરે છે,” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: વખાણ, આરાધના, મહિમા, બડાઈ, ગર્વ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1361, H4984, H5375, H5549, H5927, H7311, H7426, H7682, G1869, G5229, G5251, G5311, G5312

એફોદ

વ્યાખ્યા:

એફોદ એ કપડા જેવું આવરણ જે ઈઝરાએલી યાજકો દ્વારા પહેરવામાં આવતું હતું. તેને આગળ અને પાછળ એમ બે ભાગ હતા, કે જે ખભા પર એકસાથે જોડાયેલું હતું અને કમરની આજુબાજુ કપડાના પટ્ટાથી બાંધેલું હતું.

  • એફોદ એક પ્રકારના સાદા કપડાં વડે બનાવેલું હતું, અને સામાન્ય યાજકો દ્વારા પહેરવામાં આવતું હતું.
  • જે એફોદ મુખ્ય યાજક દ્વારા પહેરવામાં આવતું હતું તે ખાસ કરીને સોનેરી, ભૂરો, જાંબુડિયા અને લાલ સુતરથી ગૂંથેલું હતું.
  • એફોદની આગળ મુખ્ય યાજકના બખ્તરને (છાતીપત્રને) જોડવામાં આવતું હતું. મુખ્ય યાજકના બખ્તરની પાછળ ઉરીમ અને તુમ્મીમ સંગ્રહિત કરેલા હતા કે જે પત્થરો ચોક્કસ બાબતોમાં ઈશ્વરની ઈચ્છા પૂછવા માટે વાપરવામાં આવતા હતા.
  • ન્યાયાધીશ ગિદિયોને મૂર્ખ રીતે સોનામાંથી એફોદ બનાવ્યો અને તેથી એવું બન્યું કે ઈઝરાએલીઓએ તેની એક મૂર્તિ તરીકે પૂજા કરી.

(આ પણ જુઓ: યાજક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H641, H642, H646

કબૂલ કરવું, કબૂલ કરેલું, કબૂલ કરે છે, કબૂલાત

વ્યાખ્યા:

કબૂલ કરવું શબ્દનો અર્થ, કઈંક સાચું છે કે જે સ્વીકારવું અથવા વ્યક્ત કરવું. “કબૂલાત” એટલે કઈંક સાચું છે તેનું નિવેદન અથવા સ્વીકાર કરવો.

  • “કબૂલ કરવું” શબ્દ, ઈશ્વરના સત્ય વિશે હિંમતભેર કહેવું, તે દર્શાવે છે.

અમે પાપ કર્યું તે સ્વીકારવા અને તેને દર્શાવવા તેનો ઉપયોગ થાય છે.

  • બાઈબલ કહે છે કે જો લોકો તેઓના પાપો દેવને કબૂલ કરશે, તે તેઓને માફ કરશે.
  • પ્રેરિત યાકૂબે તેના પત્રમાં લખ્યું છે કે જયારે વિશ્વાસીઓ તેઓના પાપો એકબીજાની આગળ કબૂલ કરશે,આ આત્મિક સાજાપણું લાવે છે.
  • પાઉલ પ્રેરિતે ફિલિપ્પીઓને લખ્યું છે કે એક દિવસ દરેક જણ કબૂલ અથવા જાહેર કરશે કે, ઈસુ પ્રભુ છે.
  • પાઉલે એ પણ કહ્યું છે કે જો લોકો કબૂલ કરશે કે ઈસુ પ્રભુ છે અને દેવે તેને મુએલામાંથી પાછો ઉઠાડ્યો છે એવો વિશ્વાસ કરશે, તો તેઓ તારણ પામશે.

ભાષાંતરના સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર, “કબૂલ કરવું”, “સ્વીકારવું” અથવા “સાક્ષી આપવી” અથવા “જાહેર કરવું” અથવા “મંજૂર રાખવું” અથવા “સમર્થન કરવું,” એવા શબ્દનો સમાવેશ કરી શકાય છે.
  • “કબૂલાત” શબ્દનું વિવિધ ભાષાંતર આ રીતે કરી શકાય, “ઘોષણા” અથવા “સાક્ષી” અથવા “અમે શું માનીએ તે વિશેનો દાવો” અથવા “પાપને સ્વીકારવું.”

(આ પણ જુઓ: વિશ્વાસ, સાક્ષી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3034, H8426, G1843, G3670, G3671

કરાર, કરારો, નવો કરાર

વ્યાખ્યા:

કરાર એ બે પક્ષો વચ્ચે બંધાયેલ ઔપચારિક સંમતિ છે કે જે એક અથવા બંને પક્ષોએ પરિપૂર્ણ કરવું જરૂરી હોય છે.

  • આ સંમતિ વ્યક્તિઓ વચ્ચે, લોકોના જૂથો વચ્ચે, અથવા દેવ અને લોકો વચ્ચે હોઈ શકે છે.
  • જયારે લોકો એકબીજા સાથે કરાર કરે છે, ત્યારે તેઓ વચન આપે છે કે તેઓ કઈંક કરશે અને તેઓએ તે અવશ્ય કરવું.
  • માનવ કરારોના ઉદાહરણોમાં લગ્નના કરારો, ધંધાના કરારો, અને દેશો વચ્ચેની સંધિઓનો સમાવેશ થાય છે.
  • સમગ્ર બાઈબલમાં, દેવે તેના લોકો સાથે કેટલાક વિવિધ કરારો કર્યા છે.
  • કેટલાક કરારોમાં, દેવે શરતો વગર તેનો કાર્ય પરિપૂર્ણ કરવાનું વચન આપ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે દેવે માનવજાત સાથે તેનો કરાર સ્થાપિત કરી વચન આપ્યું કે, તે પૃથ્વીનો નાશ જળપ્રલયથી કદી કરશે નહીં, આ વચનને પરિપૂર્ણ કરવા લોકો માટે કોઈ શરત નહોતી.

  • અન્ય કરારોમાં, જો લોકો તેને આધીન રહેશે અને તેઓના ભાગનો કરાર પાડશે, ફક્ત ત્યારે જ દેવ તેના વચનો પરિપૂર્ણ કરશે.
  • “નવો કરાર” શબ્દ, દેવના કરારને (સમંતિ) દર્શાવે છે કે, જે દેવે તેના લોકો સાથે તેના પુત્ર ઈસુના બલિદાન દ્વારા કર્યો છે.
  • દેવનો “નવીન કરાર” બાઈબલના ભાગને સમજાવવા માટે આપવામાં આવ્યો છે, જેને “નવો કરાર” કહેવાય આવે છે.
  • આ નવો/નવીન કરાર, જે “જૂના” અથવા “ભૂતપૂર્વ” કરારની સામે વિરોધાભાસ ઉભો છે કે, જે દેવે જૂના કરારના સમયમાં ઈઝરાએલીઓ સાથે કર્યો હતો.
  • નવો કરાર એ જૂના કરતાં વધારે સારો છે, કારણકે તે ઈસુના બલિદાન પર આધારિત છે, જે સંપૂર્ણપણે સદાને માટે લોકોના પાપોના પ્રાયશ્ચિત કરે છે.

જૂનાકરાર હેઠળ બલિદાનો કરવામાં આવતા હતા તે આ કરવામાં અસમર્થ હતા. જેઓ ઈસુના વિશ્વાસીઓ બને છે, તેઓના હ્રદય પર દેવ નવો કરાર લખે છે. આ તેઓને દેવને આધીન થવા અને પવિત્ર જીવનો જીવવાનું શરૂ કરવા મદદ કરે છે.

  • જયારે અંતના સમયમાં દેવ પૃથ્વી ઉપર તેનું રાજ્ય સ્થાપશે, ત્યારે નવો કરાર સંપૂર્ણપણે પરિપૂર્ણ થશે.

જયારે દેવે પ્રથમ દુનિયાને રચી હતી તેમ બધું ફરીથી ખૂબજ સારું થઇ જશે.

ભાષાંતરના સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતરમાં, “કરારનું બંધન” અથવા “ઔપચારિક કબૂલાત” અથવા “પ્રતિજ્ઞા” અથવા “કરાર,” શબ્દોનો સમાવેશ કરી શકાય.
  • અમુક ભાષાઓમાં કદાચ કરાર માટે જુદા શબ્દો હશે કે જે એક પક્ષ અથવા બંને પક્ષોને કરેલા વચન તેઓએ અવશ્ય પાળવા જરૂરી છે.

જો કરાર એક તરફી હોય તો તેનું ભાષાંતર “વચન” અથવા “પ્રતિજ્ઞા” તરીકે કરી શકાય.

  • ખાતરી કરો કે આ શબ્દનું ભાષાંતર લોકો પ્રસ્તાવ મૂકે છે તેવું ના હોય.

બધાંજ કિસ્સાઓમાં દેવ અને લોકો વચ્ચેના કરારોમાં, દેવે કરાર શરૂઆત કરી હતી.

  • “નવો કરાર” શબ્દનું ભાષાંતર “નવું ઔપચારિક સંમતિ” અથવા “નવી સંધિ” અથવા “નવીન કરાર” તરીકે કરી શકાય છે.
  • “નવા” શબ્દની આ અભિવ્યક્તિઓનો અર્થ, “તાજું” અથવા “નવા પ્રકારનું” અથવા “બીજું કોઈ” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ: કરાર, વચન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 4:9 પછી દેવે ઈબ્રાહિમ સાથે કરાર કર્યો. કરાર એ બે પક્ષો વચ્ચેની સંમતિ છે.
  • 5:4 “હું ઈશ્માએલને પણ, મહાન દેશ બનાવીશ, પણ મારો કરાર ઈસહાક સાથે હશે.
  • 6:4 લાંબા સમય બાદ, ઈબ્રાહિમ મરી ગયો અને બધાંજ કરાર ના વચનો કે જે દેવે તેની સાથે કર્યા હતા, તે ઈસહાકને આપવામાં આવ્યા.
  • 7:10 દેવે જે કરારના વચનો ઈબ્રાહિમ અને ઈસહાકને આપ્યા હતા તે હવે યાકૂબને આપવામાં આવ્યા.
  • 13:2 દેવે મૂસા અને ઈઝરાએલના લોકોને કહ્યું, “જો તમે વચનો પ્રમાણે મારા આજ્ઞાઓ પાળી અને મારો કરારને પાળશો, તો તમે મારું કિંમતી ધન, યાજકોનું રાજ્ય, અને પવિત્ર દેશ થશો.
  • 13:4 પછી દેવે તેઓને કરાર આપ્યો અને કહ્યું, હું યહોવા, તમારો દેવ છું કે જેણે તમને મિસરની ગુલામીમાંથી બચાવ્યા છે. “અન્ય દેવોની ઉપાસના કરશો નહીં.”
  • 15:13 પછી યહોશુઆએ લોકોને દેવે સિનાઈમાં ઈઝરાએલીઓ સાથે જે કરાર કર્યો હતો, તેને પાળવાની જવાબદારી યાદ કરાવી.
  • 21:5 યર્મિયા પ્રબોધક દ્વારા, દેવે વચન આપ્યું કે તે નવો કરાર કરશે, પણ એવો કરાર નહીં કે જે દેવે ઈઝરાએલ સાથે સિનાઈ પર કર્યો. નવા કરારમાં, દેવ તેનો નિયમ લોકોના હ્રદયો પર લખશે, લોકો દેવને વ્યક્તિગત રીતે ઓળખશે, તેઓ તેના લોક થશે, અને દેવ તેઓના પાપો માફ કરશે.

મસીહ _નવા કરાર_ની શરૂઆત કરશે.

  • 21:14 મસીહના મૃત્યુ અને પુનરુત્થાન દ્વારા, પાપીઓને બચાવવા અને નવા કરાર ની શરૂઆત કરવા દેવ તેની યોજના પરિપૂર્ણ કરશે.
  • 38:5 પછી ઈસુએ પ્યાલો લીધો અને કહ્યું, “આ પીઓ. તે મારા નવા કરાર નું રક્ત છે તે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવેલું છે. દરેક વખતે જયારે તમે આ પીઓ, ત્યારે મારી યાદગીરીમાં આ કરો.
  • 48:11 પણ દેવે હવે નવો કરાર કર્યો છે જે દરેક માટે ઉપલબ્ધ છે.

નવા કરાર ને કારણે, દરેક વ્યક્તિ કોઇપણ લોકદળમાંથી ઈસુમાં વિશ્વાસ કરી દેવના લોકોનો હિસ્સો બની શકે છે.

શબ્દ માહિતી:

  • Strong's: H1285, H2319, H3772, G802, G1242, G4934

કરારકોશ, યહોવાનો કોશ

વ્યાખ્યા:

આ શબ્દો વિશેષ લાકડાંની પેટી, સોનાથી મઢેલી, કે જેમાં બે શિલાપાટીઓ જેની ઉપર દસ આજ્ઞાઓ લખેલી છે તેનો સમાવેશ થાય છે. તેમાં માન્નાનું પાત્ર અને હારુનની લાકડીનો સમાવેશ થાય છે.

  • આ શબ્દ “કોશ”નું ભાષાંતર “પેટી” અથવા “ખોખું” અથવા “પાત્ર” થઇ શકે છે.
  • આ પેટીમાંની વસ્તુઓ ઈઝરાએલીઓને દેવના તેમની સાથેનો કરાર યાદ કરાવે છે.
  • કરારકોશ “પરમ પવિત્રસ્થાનમાં” મુકવામાં આવ્યો હતો.
  • દેવની હાજરી મુલાકાત મંડપના સૌથી પવિત્રસ્થાનમાં કરારકોશ ઉપર હતી, કે જ્યાં મૂસા દેવ સાથે ઈઝરાએલીઓના માટે વાત કરતો.

તે સમય દરમ્યાન જયારે કરારકોશ મંદિરના પરમપવિત્રસ્થાન હતો, ત્યારે ફક્ત મુખ્યયાજક વર્ષમાં એક જ વાર પ્રાયશ્ચિતના દિવસે તે કરારકોશ પાસે જઈ શકતો હતો. ઘણી અંગ્રેજી આવૃત્તિઓમાં, આ શબ્દ “કરારની આજ્ઞાઓ” નો શાબ્દિક અર્થ “સાક્ષી” થઇ શકે છે. આ સત્ય છે કે દસ આજ્ઞાઓ, દેવના તેના લોકોની સાથે કરવામાં કરાર, જે પુરાવો અથવા સાક્ષી સમાન હતા.

(આ પણ જુઓ: કોશ, કરાર, પ્રાયશ્ચિત, પવિત્રસ્થાન, સાક્ષી)

શબ્દ માહિતી:

  • Strong's: H727, H1285, H3068

કરારનું વિશ્વાસુપણું, કરારની વફાદારી, પ્રેમાળ દયા, અમોઘ પ્રેમ

વ્યાખ્યા:

આ શબ્દ દેવ કે જેણે તેના લોકો સાથે વચનોને પરિપૂર્ણ કરવાનું સમર્પણ કર્યું છે તેનું વર્ણન કરવા માટે વપરાયો છે.

  • દેવે ઈઝરાએલીઓ માટે વચનોના જે ઔપચારિક કરારો કર્યા છે તેને “કરારો” કહેવામાં આવ્યા છે.
  • “કરારનું વિશ્વાસુપણું” અથવા “કરારની વફાદારી,” યહોવા તેના લોકોને આપેલા વચનો પાળે છે તેની સત્યતા દર્શાવે છે.
  • દેવ તેના લોકો પ્રત્યે તેના વચનોના કરાર પાળવા માટે જે વિશ્વાસુપણું દર્શાવે છે તે તેની કૃપાની અભિવ્યક્તિ છે.
  • “વફાદારી” શબ્દ એ એક વિવિધ શબ્દ છે કે જે વચન અપાયેલું છે તે કહેવા અને કરવા માટે તે વ્યક્તિ સમર્પિત અને વિશ્વસનીય છે, જેનો ફાયદો બીજા લોકોને પણ થાય છે.

ભાષાંતરના સૂચનો:

  • આ શબ્દના ભાષાંતરનો આધાર, “કરાર” અને “વિશ્વાસુપણું” શબ્દોનું ભાષાંતર કેવી રીતે થયેલું છે તે પર રહેલો છે.
  • આ શબ્દનું વિવિધ રીતે ભાષાંતર કરીએ તો, “વિશ્વાસુ પ્રેમ” અથવા “વફાદાર” અથવા “સમર્પિત પ્રેમ” અથવા “પ્રેમાળ વિશ્વસનીયતા” જેવા શબ્દોનો સમાવેશ કરી શકાય.

આ પણ જુઓ: કરાર, વિશ્વાસુ, કૃપા, ઈઝરાએલl, દેવના લોકો, વચન

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2617

કરુણા, કરુણામય

વ્યાખ્યા:

કરુણા શબ્દ ખાસ કરીને તેઓ માટે કે જેઓ પીડાય છે, તે લોકો માટે ચિંતાની લાગણી થાય તેને દર્શાવે છે. “કરુણામય” વ્યક્તિ અન્ય લોકો વિશે કાળજી લે છે અને તેઓને મદદ કરે છે. સામાન્ય રીતે “કરુણા” શબ્દ, લોકોની જરૂરિયાત વિશે સંભાળ લેવી, તેમજ તેઓને મદદ કરવા માટે કાર્ય કરે છે.

  • બાઈબલ કહે છે કે દેવ “કરુણામય છે”, કેમકે તે પ્રેમ અને દયાથી ભરપૂર છે.
  • કલોસ્સીઓને લખેલા પાઉલના પત્રમાં, તે તેઓને કહે છે “કરુણાના વસ્ત્રોથી પોતાને શણગારો.”

તે તેઓને લોકોની સંભાળ વિશે અને જેઓ જરૂરીયાતમાં છે તેઓને સક્રિય રીતે મદદ કરવા સૂચના આપે છે.

ભાષાંતર માટેના સૂચનો:

  • “કરુણા” નો વાસ્તવિક અર્થ “દયાનો ભાવ” છે

આ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ “દયા” અથવા “દયાભાવ” થાય છે. બીજી ભાષાઓમાં તેના અર્થ માટે તેઓની પોતાની અભિવ્યક્તિ હોઈ શકે છે.

  • “કરુણા” શબ્દના ભાષાંતરમાં, “બીજા માટે ગંભીરતાથી સંભાળ લેનાર” અથવા “મદદરૂપ દયા દર્શાવનાર” એવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
  • “કરુણામય” શબ્દનું ભાષાંતર, “સંભાળ અને મદદરૂપ” અથવા “ખુબ જ પ્રેમાળ અને દયાળુ” એમ પણ કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2550, H7349, H7355, H7356, G1653, G3356, G3627, G4697, G4834, G4835

કસોટી, કસોટીઓ, કસોટી પામેલ

વ્યાખ્યા:

શબ્દ " કસોટી " એક મુશ્કેલ અથવા પીડાદાયક અનુભવનો ઉલ્લેખ કરે છે જે વ્યક્તિની શક્તિ અને નબળાઈઓ દર્શાવે છે.

  • ઈશ્વર લોકોની કસોટી કરે છે, પણ તે પાપ કરવાને લલચાવતા નથી. જોકે, શેતાન, લોકોને પાપ કરવા લલચાવે છે.
  • ઈશ્વર ક્યારેક લોકોના પાપને છતું કરવા કસોટીઓનો ઉપયોગ કરે છે. કસોટી વ્યક્તિને પાપમાંથી દૂર થવા અને ઈશ્વરની નજીક આવવા માટે મદદ કરે છે.
  • સોના અને અન્ય ધાતુઓને અગ્નિથી ચકાસવામાં આવે છે જેથી તે કેટલું શુદ્ધ અને મજબૂત છે. તે જાણી શકાય છે.

આ એક ચિત્ર છે કે ઈશ્વર કેવી રીતે પોતાના લોકોની કસોટી માટે પીડાદાયક સંજોગોનો ઉપયોગ કરે છે.

  • " કસોટીમાં મૂકવું" તેનો અર્થ એવો થાય છે, "કંઈક અથવા કોઈ વ્યક્તિને તેના મૂલ્યને સાબિત કરવા માટે પડકારવું.
  • ઈશ્વરની પરીક્ષા કરવાના સંદર્ભમાં, તેનો અર્થ એ છે કે તેને આપણા માટે ચમત્કાર કરવા, તેની દયાનો લાભ લેવાનો પ્રયત્ન કરવો.
  • ઈસુએ શેતાનને કહ્યું કે ઈશ્વરનું પરીક્ષણ કરવું ખોટું છે.

તે સર્વશક્તિમાન, પવિત્ર ઈશ્વર છે, જે સર્વશ્રેષ્ઠ અને દરેકની ઉપર છે.

અનુવાદ માટેના સૂચનો:

  • "કસોટી" શબ્દનો "પડકાર" અથવા "મુશ્કેલીઓનો અનુભવ થવો" અથવા "સાબિત કરવું" એમ ભાષાંતર કરી શકાય છે.
  • "એક કસોટી" ભાષાંતર કરવાની રીતો, "એક પડકાર" અથવા "એક મુશ્કેલ અનુભવ" હોઈ શકે છે.
  • "પરીક્ષણમાં મૂકવા" નું ભાષાંતર "પરીક્ષણ" તરીકે અથવા "એક પડકાર સ્થાપિત કરવો" અથવા "પોતાને સાબિત કરવા માટેનું દબાણ" તરીકે કરી શકાય છે.
  • પરમેશ્વરના પરીક્ષણના સંદર્ભમાં, આનું ભાષાંતર કરી શકાય છે, કે " ઈશ્વરને તેના પ્રેમને સાબિત કરવા માટે દબાણ કરવા પ્રયાસ કરી રહ્યા છે."
  • કેટલાક સંદર્ભોમાં, જ્યારે ઈશ્વર કર્તા ન હોય, ત્યારે "કસોટી" શબ્દનો અર્થ "લલચાવવું" એવોથાય છે.

(આ પણ જુઓ: લલચાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5713, H5715, H5749, H6030, H8584, G1242, G1263, G1303, G1957, G3140, G3141, G3142, G3143, G4303, G4828, G6020

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

"કાર્ય" શબ્દ સામાન્યપણે, કાંતો કશુંક હાંસલ કરવા માટે વિસ્તૃત કરવામાં આવેલ પ્રયત્નોને અથવા તે કાર્યના પરિણામનો ઉલ્લેખ કરે છે. "કાર્યો" શબ્દ સામાન્યપણે સમગ્ર કૃત્યોનો (એટલે કે, બાબતો જે પૂર્ણ થઇ છે અથવા પૂર્ણ કરવાની છે તેનો) ઉલ્લેખ કરે છે.

  • બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે ઈશ્વર અથવા લોકોના સંદર્ભમાં ઉલ્લેખાયેલ છે.
  • જ્યારે ઈશ્વરના સંદર્ભમાં બાઇબલ "કાર્ય" શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે મહદઅંશે તે ઈશ્વરના કાર્ય જેવા કે, સૃષ્ટિની રચના કરવી કે તેમના લોકોનો બચાવ કરવો (કાંતો દુશ્મનોથી, પાપથી અથવા બંનેથી), નો ઉલ્લેખ કરે છે.
  • ઈશ્વરના કાર્યો એટલે તેમણે જે સઘળું કર્યું છે કે તે જે સઘળું કરે છે, જેમ કે જગતની ઉત્પત્તિ કરવી, પાપીઓને બચાવવા, સમગ્ર સર્જનની જરૂરીયાતો પૂરી પાડવી અને સમગ્ર સુષ્ટિને એકસૂત્રતામાં જાળવી રાખવાનો સમાવેશ કરે છે.
  • વ્યક્તિ જે કાર્યો કે પ્રક્રિયાઓ કરે છે તે કાંતો સારા કે ખરાબ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • “કામો" અથવા "કાર્યો" નું ભાષાંતર અન્ય રીતે "ક્રિયાઓ" અથવા "જે બાબતો થઈ છે તે" કરી શકાય છે.
  • પરમેશ્વરના "કામો" અથવા "કાર્યો" અને "તેમના હાથનાં કામ" નો ઉલ્લેખ કરતી વખતે, આ શબ્દોનો અર્થ "ચમત્કારો" અથવા "પરાક્રમી કૃત્યો" અથવા "ઈશ્વર જે અદ્દભુત કાર્યો કરે છે" તરીકે પણ કરી શકાય છે.
  • “ઈશ્વરના કામ" શબ્દનું ભાષાંતર "જે બાબતો ઈશ્વર કરી રહયા છે" અથવા "ઈશ્વર કરે છે તે ચમત્કારો" અથવા "ઈશ્વર કરે છે એ અદ્દભુત વસ્તુઓ" અથવા "ઈશ્વરે જે કંઈ સિદ્ધ કર્યું છે તે" તરીકે ભાષાંતર કરી શકાય છે.
  • કામ” શબ્દ ફક્ત” દરેક સારા કામને" અથવા "દરેક સારા કાર્યો" જેવા "કામો" નું એકવચન હોઇ શકે છે.
  • જ્યારે કાર્ય ઈશ્વર માટે કે અન્યોને માટે કરવામાં આવે ત્યારે તેનું ભાષાંતર "સેવા" અથવા "સેવા કાર્ય" કરી શકાય છે.
  • “કામ" શબ્દ "સેવા" અથવા "સેવાકાર્ય" ના વ્યાપક અર્થમાં પણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે."
  • “તમારા પોતાના કામનું પરીક્ષણ" શબ્દનું ભાષાંતર "ઈશ્વરની ઇચ્છા છે કે તમે જે કરો છો તે કરો" અથવા "ખાતરી કરો કે જે તમે કરો છો તે ઈશ્વરને ખુશ કરે છે."
  • “પવિત્ર આત્માનું કાર્ય" શબ્દસમૂહનું ભાષાંતર "પવિત્ર આત્માનું ભરપુરીપણું" અથવા "પવિત્ર આત્માનું સેવાકાર્ય” અથવા "જે બાબતો પવિત્ર આત્મા કરે છે તે" તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4566, H4567, H4611, H4659, H5949, G2041

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેણે કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

  • ઈશ્વરની કૃપા એ પાપી માણસજાત માટે એક ભેટ છે કે જે મફત આપવામાં આવી છે.
  • કૃપા શબ્દનો વિચાર/ખ્યાલ દયાળુ હોવું એ પણ દર્શાવે છે, અને કોઈકે જેણે ખોટું અથવા હાનિકારક બાબતો કરી છે તેને માફ કરવું.
  • “કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ ઈશ્વર તરફથી દયા અને મદદ મેળવવી. ઈશ્વર કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, મહદઅંશે તે અર્થનો સમાવેશ તે કરે છે.

ભાષાંતરના સૂચનો:

  • “કૃપા” શબ્દના વિવિધ ભાષાંતરમાં, “ઈશ્વરીય કૃપા” અથવા “ઈશ્વરની તરફેણ” અથવા “ઈશ્વરની કૃપા” અને પાપીઓ માટે માફી” અથવા “દયાળુ કૃપા” જેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
  • “કૃપાળુ” શબ્દનું ભાષાંતર, “કૃપાથી ભરપૂર” અથવા “માયાળુ” અથવા “દયાળુ” અથવા “દયાળુ રીતે માયાળુ” કરી શકાય છે.
  • “તે ઈશ્વરની નજરમાં કૃપા પામ્યો” અભિવ્યક્તિનું ભાષાંતર, “તેણે ઈશ્વર પાસેથી દયા મેળવી” અથવા “ઈશ્વરે દયાળુ રીતે તેને મદદ કરી” અથવા “ઈશ્વરે તેમની કૃપા તેને દર્શાવી” અથવા “ઈશ્વર તેનાથી ખુશ હતા અને તેને મદદ કરી” તરીકે કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2580, H2587, H2589, H2603, H8467, G2143, G5485, G5543

કોપ, ક્રોધ

વ્યાખ્યા:

ક્રોધ એ તીવ્ર ગુસ્સો છે જે ક્યારેક લાંબો સમય ચાલે છે. તે ખાસ કરીને પાપના ઈશ્વરના ન્યાયી ચુકાદા અને તેમની વિરુદ્ધ બળવાખોર લોકોની સજાને દર્શાવે છે.

  • બાઇબલમાં, “ક્રોધ"સામાન્ય રીતે જે તેમની વિરુદ્ધ પાપ કરે છે તેમના પ્રત્યે દેવના ગુસ્સાને દર્શાવે છે.
  • “દેવનો ક્રોધ"પાપ માટે તેમનો ચુકાદો અને સજાનો પણ ઉલ્લેખ કરી શકે છે.
  • જેઓ પાપનો પસ્તાવો ન કરે, તેમના માટે ઈશ્વરનો ક્રોધ ન્યાયી દંડ છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • સંદર્ભને આધારે, અન્ય શબ્દોમાં આ શબ્દનો અનુવાદ થઈ શકે છે તેમાં "તીવ્ર ગુસ્સો" અથવા "ન્યાયી ચુકાદો" અથવા "ગુસ્સો" નો સમાવેશ થાય છે.
  • ઈશ્વરના ક્રોધ વિશે વાત કરતી વખતે, ખાતરી કરો કે આ શબ્દનો અનુવાદ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા શબ્દ અથવા શબ્દસમૂહ પાપી ક્રોધાવેશને યોગ્ય દર્શાવતા નથી ને.

ઈશ્વરનો કોપ ન્યાયી અને પવિત્ર છે.

(આ પણ જુઓ: ન્યાયાધીશ, પાપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H639, H2197, H2528, H2534, H2740, H3707, H3708, H5678, H7107, H7109, H7110, H7265, H7267, G2372, G3709, G3949, G3950

કોપશમન

વ્યાખ્યા:

“કોપશમન” શબ્દ ઈશ્વરના ન્યાયને તૃપ્ત કરવા કે સંતોષવા અને તેઓના કોપનું શમન કરવા કરવામાં આવેલા બલિદાનનો ઉલ્લેખ કરે છે.

  • ઈસુ ખ્રિસ્તના બલિદાનના રક્તનું અર્પણ માણસજાતના પાપોને માટે ઈશ્વર પ્રતિ કોપશમન છે.
  • ઈસુનું વધસ્તંભ પરનું મૃત્યુ ઈશ્વરનો પાપ વિરુદ્ધનો કોપ શમાવે છે..

આ બાબત ઈશ્વર માટે લોકો ઉપર કૃપાળુ દ્રષ્ટિ કરવા અને તેઓને અનંતજીવન આપવા માર્ગ પૂરો પાડે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • આ શબ્દનો અનુવાદ “શમન” અથવા તો “ઈશ્વર લોકોના પાપ માફ કરે અને તેઓને કૃપા બક્ષે તેમ કરવું” તરીકે કરી શકાય.
  • “પ્રાયશ્ચિત” શબ્દ અર્થની રીતે “કોપશમન” નો નજીકનો શબ્દ છે.

કેવી રીતે આ બે શબ્દોને વાપરવામાં આવે છે તેની તુલના કરવી તે ખૂબ જ મહત્ત્વનું છે.

(આ પણ જૂઓ: પ્રાયશ્ચિત, સદાકાળનું, માફ કરવું, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G2434, G2435

ખૂણાનો મુખ્ય પથ્થર, ખૂણાના મુખ્ય પથ્થરો

વ્યાખ્યા:

“ખૂણાનો મુખ્ય પથ્થર” શબ્દ મોટો પથ્થર કે, જે વિશેષ રીતે કાપીને મકાનના પાયાના ખૂણામાં મુકવામાં આવેલો હોય છે, તેને દર્શાવે છે.

  • ત્યારબાદ મકાનના બીજા બધા પથ્થરોને માપીને મુખ્ય પથ્થરના સંબંધમાં મૂકવામાં આવે છે.
  • તે પુરા માળખાની તાકાત અને સ્થિરતા માટે ખુબજ અગત્યનો ભાગ ભજવે છે.
  • નવા કરારમાં, મંડળીઓના વિશ્વાસીઓને રૂપક રીતે ઇમારતની સાથે સરખાવવામાં આવે છે, જેમાં ઈસુ ખ્રિસ્ત જે “ખૂણાનો મુખ્ય પત્થર” છે.

જે રીતે ખૂણાનો મુખ્ય પત્થર આખા મકાનને આધાર આપે છે અને તેની સ્થિતિ નક્કી કરેછે, તેવી રીતે ઈસુ ખ્રિસ્ત ખૂણાનો મુખ્ય પથ્થર છે કે જેના ઉપર મંડળીના વિશ્વાસીઓની સ્થાપના અને આધાર છે.

ભાષાંતરના સૂચનો:

  • “ખૂણાના મુખ્ય પથ્થર” શબ્દનું ભાષાંતર, “મકાનનો મુખ્ય પથ્થર” અથવા “પાયાનો પથ્થર” તરીકે કરી શકાય છે.
  • ધ્યાન રાખો કે લક્ષ્ય ભાષાનો કયો શબ્દ છે કે, જે ઇમારત માટે પાયાનો ભાગ અને મુખ્ય આધાર છે.

જો એમ હોય તો આ શબ્દ વાપરી શકાય છે.

  • વિવિધ રીતે ભાષાંતર કરવામાં આવે તો, “મકાનના ખૂણાના પાયા માટે વપરાતો પથ્થર, એમ થઇ શકે છે.
  • તે મહત્વની હકીકત છે કે, આ મોટો પથ્થર છે જે મકાનની સામગ્રીને મજબૂત અને સુરક્ષિત રાખવા માટે વપરાય છે.

જો મકાનના નિર્માણ માટે પથ્થરો વપરાયા નથી, તો તેના માટે કદાચ બીજો શબ્દ, જેનો અર્થ “મોટો પત્થર” (જેવો કે “શિલાખંડ”) વાપરી શકાય છે, પણ તે સારી રીતે રચાયેલો અને બંધ બેસતો હોવો જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H68, H6438, H7218, G204, G1137, G2776, G3037

ખૂબ વ્હાલું (અતિપ્રિય)

વ્યાખ્યા:

“ખૂબ વ્હાલું” શબ્દ એક પ્રકારની અભિવ્યક્તિ દર્શાવે છે, કે જયારે કોઈ વ્યક્તિ પર પ્રેમ કરવામાં આવે અને કોઈને કોઈ વ્યક્તિ પ્રિય હોય.

  • “ખૂબ વ્હાલા” શબ્દનો શાબ્દિક અર્થ, “પ્રિયજન” અથવા “જેના પર પ્રેમ કર્યો હોય” એમ થાય છે.
  • ઈશ્વર ઈસુને તેમના “પ્રિય પુત્ર” તરીકે દર્શાવે છે.
  • પ્રેરિતોએ જયારે ખ્રિસ્તી મંડળીઓ પર પત્રો લખ્યા ત્યારે તે વારંવાર સાથી વિશ્વાસીઓને “ખૂબ વ્હાલા” એમ કહી સંબોધે છે.

ભાષાંતરના સુચનો:

  • આ શબ્દનું ભાષાંતર, “પ્રેમ કરાયેલ” અથવા “પ્રિયજન” અથવા “ખુબ પ્રેમ કરાયેલ,” અથવા “અતિ પ્રિય” થઇ શકે છે.
  • જયારે નિકટના મિત્રના સંદર્ભમાં વાત કરીએ તો, આનું ભાષાંતર “મારા પ્રિય મિત્ર” અથવા “મારા નજીકના મિત્ર” થઈ શકે છે. અંગ્રેજીમાં “મારા પ્રિય મિત્ર, પાઉલ,” અથવા “પાઉલ, જે મારો પ્રિય મિત્ર” તે બહુ જ કુદરતી રીતે કહેવામાં આવ્યું છે. બીજી ભાષાઓમાં આ ક્રમ વધારે કુદરતી હોય શકે પણ તે અલગ રીતે આવી શકે છે.
  • એ બાબતની નોંધ લો કે “પ્રિય” શબ્દ ઈશ્વરના પ્રેમ પરથી આવે છે, જે બિનશરતી, નિસ્વાર્થી, અને બલિદાનયુક્ત પ્રેમ છે.

(આ પણ જુઓ: પ્રેમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H157, H1730, H2532, H3033, H3039, H4261, G25, G27, G5207

ખોજો, ખોજાઓ

વ્યાખ્યા

સામાન્ય રીતે “ખોજો” શબ્દ, માણસ કે જેના અંડ કાપી નાખવામાં આવ્યા છે, તે દર્શાવે છે. સમય જતાં આ શબ્દ સામાન્ય બન્યો, જે કોઇપણ સરકારી અધિકારી, જેઓ ખામી વગરના હોય, તેમને માટે પણ દર્શાવાયો છે.

  • ઈસુએ કહ્યું કેટલાક ખોજા (બની) જન્મ્યા છે, કારણકે કદાચ લૈંગિક અવયવોમાં નુકસાન અથવા જાતીય કાર્ય માટે સક્ષમ ના હોય.

અન્ય ખોજાઓ બ્રહ્મચારી જીવનશૈલી જેવું જીવન જીવવાનું પસંદ કરે છે.

  • પ્રાચીન સમયમાં, મોટેભાગે ખોજાઓ રાજાના ચાકરો હતા કે જેઓ સ્ત્રીઓના નિવાસ પર ચોકીદાર તરીકે બેસતાં હતા.
  • અમુક ખોજાઓ મહત્વપૂર્ણ સરકારી અધિકારીઓ હતા, જેવા કે હબસી ખોજો જે પ્રેરિત ફિલિપને રણમાં મળ્યો.

(આ પણ જુઓ: ફિલિપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H5631, G2134, G2135

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને ઈશ્વરનો દીકરો દર્શાવે છે.

  • નવા કરારમાં “મસીહ” અને ખ્રિસ્ત” બન્ને શબ્દ ઈશ્વરના પુત્રને દર્શાવવા માટે વાપરવામાં આવ્યા છે, જેને ઈશ્વરપિતાએ તેના લોકો ઉપર રાજા તરીકે, અને તેઓને પાપ અને મરણમાંથી બચાવવા નીમ્યા છે.
  • જૂના કરારમાં, ઈસુના પૃથ્વી પર જન્મ લીધાના ઘણા વર્ષો પહેલાં, પ્રબોધકોએ મસીહ વિશે ભવિષ્યવાણીઓ લખી હતી.
  • જૂના કરારમાં મોટેભાગે “અભિષેક થયેલ” શબ્દનો અર્થ મસીહ કે જે આવનાર છે, તે દર્શાવવા માટે વપરાયો છે.
  • ઈસુએ ઘણી ભવિષ્યવાણીઓ પૂરી કરી અને ઘણા અદભૂત કાર્યો કર્યા કે જે સાબિત કરે છે કે તે મસીહ છે અને બાકી રહેલી ભવિષ્યવાણીઓ તે પાછા આવશે ત્યારે પૂરી કરશે.
  • મોટેભાગે “ખ્રિસ્ત” શબ્દ શીર્ષક તરીકે વપરાય છે, જેમકે “ખ્રિસ્ત” અને “ઈસુ ખ્રિસ્ત.” તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

  • આ શબ્દના અર્થનો ઉપયોગ કરીને તેનું ભાષાંતર, ”અભિષિક્ત થયેલ” અથવા “ઈશ્વરના અભિષિક્ત તારનાર” કરી શકાય છે.
  • ઘણી ભાષાઓએ લિપ્યાંતરિત કરીને આ શબ્દને વાપર્યો છે કે, જેનો ઉચ્ચાર અને દેખાવ “ખ્રિસ્ત” અથવા “મસીહ” જેવો લાગે છે.
  • જયારે આ શબ્દને લિપ્યાંતરિત કરીને વાપવામાં આવે છે, ત્યારે એ શબ્દની પાછળ તેની ટૂંકી વ્યાખ્યા આપવામાં આવવી જોઈએ, જેમકે “ખ્રિસ્ત, અભિષિક્ત થયેલા છે.”
  • બાઈબલમાં જયારે આ શબ્દનું ભાષાંતર કરવામાં આવે ત્યારે દરેક જગ્યા પર તેનું ભાષાંતર સુસંગત હોવું જોઈએ જેથી તેનો અર્થ સ્પષ્ટ થાય કે તે એક જ સમાન વ્યક્તિની વાત કરે છે.
  • જયારે “મસીહ” અને “ખ્રિસ્ત” બંને શબ્દો એક કલમમાં સાથે આવે ત્યારે ધ્યાનમાં રાખો કે તે બન્ને શબ્દો વાક્યમાં સારી રીતે ગોઠવાય છે (જેમકે યોહાન 1:41).

(આ પણ જુઓ: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ, અભિષિક્ત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 17:7મસીહ _તે ઈશ્વરનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.
  • 17:8 એ પ્રમાણે થયું કે, મસીહ આવ્યા પહેલા ઈઝરાએલીઓને લગભગ 1000 વર્ષોના સમયગાળા સુધી રાહ જોવી ડી.
  • 21:1શરૂઆતથી જ, ઈશ્વરે _મસીહ _ ને મોકલવાનું આયોજન કર્યું હતું.
  • 21:4ઈશ્વરે દાઉદ રાજાને વચન આપ્યું કે મસીહ દાઉદના પોતાના વંશજોમાંનો એક હશે.
  • 21:5મસીહ_ નવા કરારની શરુઆત કરશે.
  • 21:6ઈશ્વરના પ્રબોધકોએ પણ કહ્યું કે મસીહ પ્રબોધક, યાજક, અને રાજા હશે.
  • 21:9યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી કે મસીહ કુંવારીથી જન્મ લેશે.
  • 43:7 “પણ ભવિષ્યવાણી પૂરી થાય માટે ઈશ્વરે તેને ફરીથી ઉઠાડ્યો, જે કહે છે, તું તારા પવિત્રને કબરમાં કોહવાણ લાગવા નહીં દે.”
  • 43:9 "પણ ચોક્કસ જાણો કે, ઈશ્વરે ઈસુને પ્રભુ અને મસીહ બંને બનાવ્યા છે.
  • 43:11 પિતરે તેઓને જવાબ આપ્યો, “તમે દરેક જણાએ પસ્તાવો કરે અને ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ્તિસ્મા લે, જેથી ઈશ્વર તમારા પાપોને માફ કરે.”
  • 46:6 ઈસુ મસીહ હતા તે સાબિત કરવા, શાઉલે યહૂદીઓની સાથે ચર્ચા કરી.

શબ્દ માહિતી:

  • Strong's: H4899, G3323, G5547

ખ્રિસ્તમાં, ઈસુમાં, પ્રભુમાં, તેનામાં

વ્યાખ્યા:

“ખ્રિસ્તમાં” શબ્દસમૂહ અને તેને સંબંધિત શબ્દો એવી સ્થિતિ અથવા અવસ્થાને દર્શાવે છે કે જેઓ વિશ્વાસ દ્વારા ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આવેલા છે.

  • તેમાં અન્ય સંબંધિત શબ્દસમૂહો, જેવા કે, “ખ્રિસ્ત ઈસુમાં, ઈસુ ખ્રિસ્તમાં, ઈસુ પ્રભુમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, જેવા (શબ્દસમૂહો) નો સમાવેશ થાય છે.
  • “ખ્રિસ્તમાં હોવું” તે શબ્દસમૂહના શક્ય અર્થોમાં જેવા કે, “કેમકે તમે ખ્રિસ્તના છો” અથવા “ખ્રિસ્તમાં જે સંબંધ રહેલો છે” અથવા “ખ્રિસ્તમાં તમારા વિશ્વાસને આધારે” જેવા (શબ્દસમૂહ)નો સમાવેશ કરી શકાય છે.
  • આ બધા શબ્દસમૂહોનો એક અર્થ થાય છે, કે ઈસુને માનવું અને તેના શિષ્યો રહેવાની અવસ્થામાં હોવું.
  • નોંધ:

ક્યારેક “માં” શબ્દ ક્રિયાપદનો અથવા ક્રિયાપદ સાથે સંકળાયેલો હોય છે. ઉદાહરણ તરીકે, “ખ્રિસ્તમાં સહભાગિતા” (શબ્દસમૂહ)નો અર્થ, આ “સહભાગિતામાં” જેમાં ખ્રિસ્તને જાણવાથી લાભો પ્રાપ્ત થાય છે. ખ્રિસ્તના “મહિમામાં” તેનો અર્થ, આંનંદિત હોવું અને ઈસુ કોણ છે અને તેણે શું કર્યું છે તે માટે દેવની પ્રશંસા કરવી. ખ્રિસ્ત “માં વિશ્વાસ” કરવાનો અર્થ, તારનાર તરીકે તેનામાં વિશ્વાસ કરવો અને તેને જાણવો.

ભાષાંતરના સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, “ખ્રિસ્તમાં” અને “પ્રભુમાં” (અને સંબંધિત શબ્દસમુહો)નો સમાવેશ કરી તેના વિવિધ ભાષાંતર કરી શકાય છે:
  • “ખ્રિસ્તનું કોણ છે”
  • “કારણકે તમે ખ્રિસ્તમાં માનો છો”
  • “કારણકે ખ્રિસ્તે આપણને બચાવ્યા છે”
  • “પ્રભુની સેવામાં”
  • “પ્રભુ પર આધાર રાખવો”
  • “કારણકે પ્રભુએ જે કર્યું છે”
  • જે લોકો ખ્રિસ્ત “માં માને છે” અથવા જેઓને “તેનામાં પર વિશ્વાસ કરે છે,” તેઓ ઈસુએ શીખવ્યું છે તેને માને છે અને તેણે તેઓને બચાવ્યા છે તેવો વિશ્વાસ તે કરે છે, કેમકે તેણે (ઇસુએ) વધસ્તંભ ઉપરના બલિદાન દ્વારા તેઓના પાપોનો દંડ ચૂકવ્યો છે. કેટલીક ભાષાઓમાં કદાચ એક શબ્દ છે કે જેનું ભાષાંતર ક્રિયાપદોમાં, (આ શબ્દો દ્વારા) જેવાકે “(તે)માં વિશ્વાસ” અથવા “(તે)માં સહભાગિતા” અથવા “(તે)માં ભરોસો” થઇ શકે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પ્રભુ, ઈસુ, માનવું, વિશ્વાસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G1519, G2962, G5547

ખ્રિસ્તવિરોધી, ખ્રિસ્તવિરોધીઓ

વ્યાખ્યા:

“ખ્રિસ્તવિરોધી” શબ્દ દર્શાવે છે કે એવો વ્યક્તિ જે ઈસુ ખ્રિસ્તના શિક્ષણ અને તેના કાર્ય વિરોધી હોય. વિશ્વમાં ઘણા ખ્રિસ્તવિરોધીઓ છે.

  • પ્રેરિત યોહાને લખ્યું તે વ્યક્તિ ખ્રિસ્તવિરોધી છે, જે લોકોને ઈસુ મસીહ નથી એમ કહીને લોકોને છેતરે છે, અથવા તે ઈસુ દેવ અને માનવ બન્ને હોવાનું નકારે છે.
  • બાઈબલ તે પણ શીખવે છે કે વિશ્વમાં ખ્રિસ્તવિરોધી એક સામાન્ય આત્મા છે કે જે ઈસુના કામનો વિરોધ કરે છે.
  • નવાકરારમાં પ્રકટીકરણનું પુસ્તક જણાવે છે કે “ખ્રિસ્તવિરોધી” એક માણસ હશે જે અંતના સમયમાં પ્રગટ થશે .
  • આ માણસ ઈશ્વરના લોકોનો નાશ કરવા કોશિશ કરશે, પણ તે ઈસુ દ્વારા હારી જશે.

ભાષાંતરના સુચનો:

  • આ શબ્દનું બીજી રીતે ભાષાંતર કરીએ તો, તે શબ્દ અથવા શબ્દસમૂહનો અર્થ “ખ્રિસ્તનો વિરોધ કરનાર” અથવા “ખ્રિસ્તનો શત્રુ” અથવા “ખ્રિસ્તની વિરુદ્ધનો વ્યક્તિ” એમ થઈ શકે છે.
  • શબ્દસમૂહ “ખ્રિસ્તવિરોધીનો આત્મા” નું ભાષાંતર “એવો આત્મા જે ખ્રિસ્તની વિરુદ્ધ છે” અથવા “જે ખ્રિસ્ત વિશે જૂઠું શીખવે” અથવા “ખ્રિસ્ત વિશે જુઠું સ્વીકારવાનું વલણ” અથવા “આત્મા કે જે ખ્રિસ્ત વિશે જુઠું શીખવે છે.”
  • આ શબ્દનું રાષ્ટ્રીય ભાષામાં અથવા સ્થાનિક ભાષા કેવી રીતે ભાષાંતર કરવામાં આવ્યું છે તેનું ધ્યાન આપો.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પ્રગટ કરવું, ભારે દુઃખ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G500

ખ્રિસ્તી

વ્યાખ્યા

ઈસુ સ્વર્ગમાં પાછા ગયા પછી અમુક સમય પછી, લોકોએ “ખ્રિસ્તી” નામ બનાવ્યું જેનો અર્થ થાય છે “ખ્રિસ્તનો અનુયાયી.”

  • તે અંત્યોખ શહેરમાં હતું જ્યાં ઈસુના અનુયાયીઓને પ્રથમ “ખ્રિસ્તીઓ” તરીકે ઓળખવામાં આવતા હતા.
  • એક ખ્રિસ્તી એવી વ્યક્તિ છે જે માને છે કે ઈસુ દેવના પુત્ર છે, અને જે ઈસુને તેના પાપોમાંથી બચાવવા માટે વિશ્વાસ કરે છે.
  • આપણા આધુનિક સમયમાં, ઘણી વખત "ખ્રિસ્તી" શબ્દનો ઉપયોગ એવા વ્યક્તિ માટે થાય છે જે ખ્રિસ્તી ધર્મ સાથે ઓળખાવે છે, પરંતુ જે ખરેખર ઈસુને અનુસરતા નથી. આ બાઈબલમાં "ખ્રિસ્તી" નો અર્થ નથી.
  • કારણ કે બાઈબલમાં "ખ્રિસ્તી" શબ્દ હંમેશા એવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ખરેખર ઈસુમાં વિશ્વાસ કરે છે, ખ્રિસ્તીને "વિશ્વાસી" પણ કહેવામાં આવે છે.

અનુવાદ સૂચનો:

  • આ શબ્દનું ભાષાંતર "ખ્રિસ્ત-અનુયાયી" અથવા "ખ્રિસ્તના અનુયાયી" અથવા કદાચ "ખ્રિસ્ત-વ્યક્તિ" તરીકે થઈ શકે છે
  • ખાતરી કરો કે આ શબ્દનો અનુવાદ શિષ્ય અથવા પ્રેરિત માટે વપરાતા શબ્દો કરતાં અલગ રીતે કરવામાં આવ્યો છે.
  • આ શબ્દનો એવા શબ્દ સાથે અનુવાદ કરવામાં સાવચેત રહો જે ફક્ત અમુક જૂથોને જ નહીં, પરંતુ ઈસુમાં વિશ્વાસ કરનારા દરેકને સંદર્ભિત કરી શકે.
  • એ પણ ધ્યાનમાં લો કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં બાઈબલના અનુવાદમાં આ શબ્દનું કેવી રીતે ભાષાંતર કરવામાં આવે છે. (જુઓ: [કેવી રીતે અજ્ઞાત ભાષાંતર કરવું])

(આ પણ જુઓ: [અંત્યોખ], [ખ્રિસ્ત], [મંડળી], [શિષ્ય], [વિશ્વાસ], [ઈસુ], [દેવનો પુત્ર])

બાઈબલ સંદર્ભો:

  • [૧ કરિંથી ૬:૭-૮]
  • [૧ પિતર ૪:૧૬]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૬]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૮]

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [૪૬:૯] તે અંત્યોખમાં હતું જ્યાં ઈસુમાં વિશ્વાસ કરનારાઓને પ્રથમ "ખ્રિસ્તીઓ" કહેવામાં આવતું હતું.
  • [૪૭:૧૪] પાઉલ અને અન્ય ખ્રિસ્તી આગેવાનોએ ઘણા શહેરોમાં પ્રવાસ કર્યો, લોકોને ઈસુ વિશેના સુવાર્તાનો ઉપદેશ આપ્યો અને શીખવ્યું.
  • [૪૯:૧૫] જો તમે ઈસુમાં વિશ્વાસ કરો છો અને તેણે તમારા માટે શું કર્યું છે, તો તમે ખ્રિસ્તી છો!
  • [૪૯:૧૬] જો તમે ખ્રિસ્તી છો, તો ઈસુએ જે કર્યું તેના કારણે દેવે તમારા પાપોને માફ કરી દીધા છે.
  • [૪૯:૧૭] તમે ખ્રિસ્તી હોવા છતાં પણ તમે પાપ કરવા લલચાશો.
  • [૫૦:૩] તે સ્વર્ગમાં પાછા ફર્યા તે પહેલાં, ઈસુએ ખ્રિસ્તીઓને કહ્યું કે તે લોકોને સુવાર્તા જાહેર કરો જેમણે તે ક્યારેય સાંભળ્યું નથી.
  • [૫૦:૧૧] જ્યારે ઈસુ પાછો આવશે, ત્યારે દરેક ખ્રિસ્તી જે મૃત્યુ પામ્યા છે તે મૃત્યુમાંથી ઉઠશે અને તેને આકાશમાં મળશે.

શબ્દ માહિતી:

  • Strong's: G55460

ગૌરવ, તેજસ્વી/સ્તુત્ય, મહિમા કરવો

વ્યાખ્યા:

“ગૌરવ’ શબ્દનો અર્થ સામાન્ય રીતે ખ્યાલોના એક પરિવાર છે જે સમાવેશ કરે છે, મૂલ્યવાન, માન યોગ્ય, મહત્વતા, સન્માન, શોભા, અને અત્યંત મહાનતા છે, તેવા શબ્દો કે શબ્દસમૂહનો. "મહિમા કરવો" શબ્દસમૂહ કોઈકને અથવા કંઈપણને મહિમા દર્શાવે છે, અથવા કોઈક અથવા કશુંક કેટલું મહિમાવાન છે તે જણાવવું.

  • બાઈબલમાં "મહિમા" શબ્દ ઈશ્વરનું વર્ણન કરવા વપરાય છે, જેઓ સમગ્ર સૃષ્ટિમાં જે કોઈ અથવા જે કાંઈ છે તેના કરતાં ખૂબ જ મૂલ્યવાન, ખૂબ જ માન યોગ્ય, ખૂબ જ મહત્વના, ખૂબ જ સન્માનપાત્ર, ખૂબ જ વૈભવી અને ખૂબ જ જાજરમાન છે.
  • ઈશ્વરે જે અદભુત બાબતો કરી છે તેના વિષે કહીને લોકો ઈશ્વરનો મહિમા કરી શકે છે. ઈશ્વરના સ્વભાવની સમાનતામાં જીવન જીવીને પણ લોકો ઈશ્વરનો મહિમા કરી શકે છે, કારણ કે તેમ કરવાથી લોકો બીજાઓને ઈશ્વરનું મહત્વ, માનયોગ્યતા, માહત્મ્ય, સન્માન, વૈભવ અને  ગૌરવ દર્શાવે છે.
  • "માં મહિમાવંત" અભિવ્યક્તિનો અર્થ છે કશાક વિષે અભિમાન કરવું અથવા કશાકમાં અભિમાન લેવું.

જૂનો કરાર

જૂના કરારમાં વિશિષ્ટ શબ્દસમૂહ "યહોવાનો મહિમા" સામાન્યપણે કોઈ એક ચોક્કસ સ્થાનમાં યહોવાની હાજરીની કોઈક કલ્પનાશીલ અભિવ્યક્તિનો ઉલ્લેખ કરે છે.

નવો કરાર

  • ઈસુ કેટલા મહિમાવંત છે તે સઘળા લોકો સમક્ષ સંપૂર્ણત: પ્રગટ કરવા દ્વારા ઈશ્વરપિતા, ઈશ્વરપુત્રને મહિમાવાન કરશે.
  • દરેક જે ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે, તેને તેમની (ખ્રિસ્ત) સાથે મહિમાવંત થશે. "મહિમાવંત" શબ્દનો ઉપયોગ એક વિશિષ્ટ અર્થ ધરાવે છે. તેનો અર્થ છે કે જ્યારે ખ્રિસ્તમાં વિશ્વાસ કરતા લોકોને જીવનમાં ફરીથી ઉઠાડાશે ત્યારે ઈસુ તેમના પુનરુત્થાન પછી પ્રગટ થયા હતા તે સમાન તેઓ શારીરિક રીતે બદલાઈ જશે.

ભાષાંતરના સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, “ગૌરવ” શબ્દ સમાવેશ કરે છે; “ભવ્યતા” અથવા “તેજ” અથવા “વૈભવ” અથવા “શ્રેષ્ઠ મહાનતા” અથવા “અત્યંત મૂલ્યવાન.”
  • “તેજસ્વી/સ્તુત્ય” શબ્દનું ભાષાંતર, “સંપૂર્ણ મહિમા” અથવા “અત્યંત મૂલ્યવાન” અથવા “તેજસ્વી રીતે ચમકતું” અથવા “શ્રેષ્ઠ રીતે જાજરમાન” હોઈ શકે છે.
  • “ઈશ્વરને મહિમા આપો” અભિવ્યક્તિનું ભાષાંતર, “ઈશ્વરની મહાનતાનું સન્માન કરો” અથવા “તેમના વૈભવને કારણે તેમના વખાણ કરો” અથવા “અન્યોને કહો કે ઈશ્વર કેટલા મહાન છે,” તેમ પણ કરી શકાય છે.
  • “(તે)માં મહિમા કરવો” અભિવ્યક્તિનું ભાષાંતર, “વખાણ” અથવા “તેમાં ગર્વ લેવું” અથવા “વિશે બડાઈ કરવી” અથવા “તેમાં આનંદ લેવો” તેમ પણ કરી શકાય છે.
  • “મહિમાવાન કરવું” નું ભાષાંતર, “મહિમા આપવો” અથવા “મહિમા લાવવો” અથવા “મહાન દેખાડવો,” તેમ પણ કરી શકાય છે.
  • “ઈશ્વરને મહિમાવાન કરવા” શબ્દસમૂહનું ભાષાંતર, “ઈશ્વરની પ્રશંસા કરવી” અથવા “ઈશ્વરની મહાનતા વિશે વાત કરવી” અથવા “દેખાડવું કે ઈશ્વર કેટલા મહાન છે” અથવા “(તેમની આજ્ઞા પાળવા દ્વારા) ઈશ્વરને માન આપવું” તેમ પણ કરી શકાય છે.
  • “મહિમાવાન હોવું” શબ્દનું ભાષાંતર, “ખૂબ જ મહાન હોવાનું બતાવવું” અથવા “પ્રશંસા કરવી” અથવા “ઊંચું મનાવવું” તેમ પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: માન આપવું, મહિમા, ખૂબ માન આપવું, આજ્ઞા પાળવી, પ્રશંસા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 23:7 એકાએક, આકાશો ઈશ્વરની પ્રશંસા કરતાં દૂતોથી ભરાઈ ગયા, એમ કહેતાં કે, "સ્વર્ગમાં ઈશ્વરને મહિમા થાઓ અને પૃથ્વી પર જે લોકો પર તેની કૃપા છે તેઓને શાંતિ થાઓ.
  • 25:6 પછી શેતાને ઈસુને જગતના બધા રાજ્યો અને તેઓનો મહિમા દેખાડયો અને કહ્યું, જો તું નમીને મારી પૂજા કરીશ તો આ સઘળું હું તને આપીશ.
  • 37:1 જયારે ઈસુએ આ સમાચાર સાંભળ્યા, ત્યારે તેમણે કહ્યું કે, આ બીમારીનો અંત મૃત્યુ નહિ થાય, પણ તે ઈશ્વરના મહિમા માટે છે.
  • 37:8 ઈસુએ ઉત્તર આપ્યો, કે શું મેં તમને નહોતું કહ્યું કે જો તમે મારામાં વિશ્વાસ કરશો તો તમે ઈશ્વરનો મહિમા જોશો”?

શબ્દ માહિતી:

  • Strong's: H117, H142, H155, H215, H1342, H1921, H1922, H1925, H1926, H1935, H1984, H2892, H3367, H3513, H3519, H3520, H6286, H6643, H7623, H8597, G1391, G1392, G1740, G1741, G2620, G2744, G2745, G2746, G2755, G2811, G4888

ઘેટું, ઈશ્વરનું હલવાન

વ્યાખ્યા:

"ઘેટું" શબ્દ યુવાન ઘેટાંનો ઉલ્લેખ કરે છે. ઘેટાં ચાર પગવાળા, જાડા ઊનવાળા વાળ સાથેના પ્રાણીઓ છે, જેનો ઈશ્વરને બલિદાન કરવામાં ઉપયોગ કરવામાં આવતો. ઈસુને "ઈશ્વરના હલવાન" કહેવામાં આવ્યા કારણ કે લોકોના પાપોની કિંમત ચૂકવવા તેઓ બલિદાન થયા હતા.

  • આ પ્રાણીઓ સરળતાથી અવડે માર્ગે દોરવાઈ જાય અને તેમને રક્ષણની જરૂર હોય છે.

ઈશ્વર માણસજાતને ઘેટાં સાથે સરખાવે છે.

  • ઈશ્વરે તેમના લોકોને સૂચિત કર્યું હતું કે તેમને બલિદાન આપવા માટે શારીરિક રીતે સંપૂર્ણ ઘેટાંઓ અને હલવાનો અર્પવા.
  • ઈસુને "ઈશ્વરના હલવાન" કહેવામાં આવ્યા જેઓ લોકોના પાપોની કિંમત ચૂકવવા બલિદાન થયા હતા.

તેઓ સંપૂર્ણ, દોષરહિત બલિદાન હતા કારણ કે તેઓ સંપૂર્ણપણે પાપ વિનાના હતા.

અનુવાદ માટેના સૂચનો:

  • જો ભાષાકીય વિસ્તારમાં ઘેટાં જાણીતા છે તો, "ઘેટું" અથવા "ઈશ્વરનું હલવાન" શબ્દોનો અનુવાદ કરવા માટે તેના યુવાન ઘેટાં માટેનું નામ વપરાવું જોઈએ.
  • "ઈશ્વરનું હલવાન" નું અનુવાદ "ઈશ્વરનું (બલિદાનયુક્ત) હલવાન" અથવા "હલવાન કે જે ઈશ્વરને બલિદાન કરવામાં આવ્યું" અથવા "ઈશ્વર તરફથી (બલિદાનયુક્ત) હલવાન" એમ કરી શકાય.
  • જી ઘેટાં વિષે જાણકારી ન હોય તો, આ શબ્દનો અનુવાદ આમ કરી શકાય "યુવાન ઘેટું" એ નોંધ સાથે જે ઘેટાં કેવા છે તેનું વર્ણન કરતું હોય.

નોંધ ઘેટાં અને હલવાનને તે વિસ્તારના પ્રાણીઓ સાથે સરખાવી શકે જેઓ ટોળામાં રહેતા હોય, જે ડરપોક અને રક્ષણ કરવા અસમર્થ હોય, અને વારંવાર ભટકી જતાં હોય.

  • એ પણ ધ્યાન રાખો કે આ શબ્દનું નજીકના સ્થાનિક કે રાષ્ટ્રીય ભાષાના બાઇબલ અનુવાદમાં કેવી રીતે અનુવાદ થયો છે.

(જુઓ: અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ઘેટાં, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

  • 5:7 જ્યારે ઈબ્રાહિમ અને ઈસહાક દહનાર્પણની જગા તરફ જય રહ્યા હતા ત્યારે ઈસહાકે પૂછ્યું, “પિતા, આપની પાસે દહનાર્પણ માટે લાકડાં છે પરંતુ ક્યાં છે હલવાન?”
  • 11:2 જે કોઈપણ ઈશ્વર પર વિશ્વાસ કરે તેના પ્રથમજનિતને બચાવવાનો રસ્તો ઈશ્વરે કરી આપ્યો.

દરેક કુટુંબે સંપૂર્ણ પસંદ કરવું હલવાન અથવા બકરું અને તેની હત્યા કરવી.

  • 24:6 પછીના દિવસે, ઈસુ યોહાન દ્વારા બાપ્તિસ્મા પામવા આવ્યા.

જ્યારે યોહાને તેમને જોયા ત્યારે, તેણે કહ્યું, “જુઓ! અહીંયા ઈશ્વરનું હલવાન છે જે જગતના પાપ લઈ લેશે."

  • 45:8 તેમણે વાંચ્યું, “તેઓ તેમને દોરી ગયા હલવાનની જેમ મારી નાંખવા માટે, અને ત્યારે હલવાન શાંત છે, તેમણે એકપણ શબ્દ કહ્યો નહીં.
  • 48:8 જ્યારે ઈશ્વરે ઈબ્રાહિમને તેના દીકરા, ઈસહાકને, દહનાર્પણ તરીકે, આપવાનું કહ્યું ત્યારે, ઈશ્વરે પૂરું પાડ્યું હલવાન તેના દીકરા, ઈસહાકના બદલામાં દહનાર્પણને માટે.

આપણે સર્વ આપણાં પાપોને માટે મરણને લાયક હતા! પરંતુ ઈશ્વરે ઈસુ પૂરા પાડ્યા હલવાન ઈશ્વરના, આપણાં સ્થાને બલિદાન તરીકે મરવાને માટે.

  • 48:9 જ્યારે ઈશ્વરે મિસર પર છેલ્લી મરકી મોકલી ત્યારે, તેમણે દરેક ઈઝરાયેલી કુટુંબોને મારવા માટે કહ્યું સંપૂર્ણ હલવાન અને તેનું રક્ત તેમના દરવાજાની બારસાખો તથા ઓતરંગ પર છાંટવું.

શબ્દ માહિતી:

  • Strong's: H7716, G721, G2316

ચમત્કાર, ચમત્કારો, આશ્ચર્યકર્મ, આશ્ચર્યકર્મો, ચિહ્ન, ચિહ્નો

વ્યાખ્યા:

“ચમત્કાર” એક એવી અદભૂત બાબત છે કે જો ઈશ્વર ન કરે તો તે શક્ય નથી.

  • ઈસુએ કરેલા ચમત્કારોના ઉદાહરણોમાં તોફાનને શાંત કરવું તથા અંધજનને દેખતો કરવાનો સમાવેશ થાય છે.
  • કેટલીક વાર ચમત્કારોને “આશ્ચર્યકર્મો” કહેવામાં આવે છે કારણકે તેઓ લોકોને આશ્ચર્યચકિત તથા વિસ્મિત કરી દે છે.
  • “આશ્ચર્યકર્મ” શબ્દ વધારે સામાન્ય અર્થમાં ઈશ્વરના આશ્ચર્યજનક સામર્થ્યના પ્રદર્શનનો પણ ઉલ્લેખ કરી શકે છે, જેમ કે જ્યારે તેમણે આકાશો અને પૃથ્વી રચ્યાં.
  • ચમત્કારોને “ચિહ્નો” પણ કહી શકાય કારણકે ઈશ્વર સર્વશક્તિમાન છે એટલે કે તેઓની પાસે સમગ્ર વિશ્વ પર સંપૂર્ણ અધિકાર છે તેવા સંકેતો અથવા તો પૂરાવાઓ તરીકે તેઓનો ઉપયોગ થાય છે.
  • કેટલાક ચમત્કારો ઈશ્વરે કરેલા છૂટકારાના કામો હતા, જેમ કે તેમણે ઇઝરાયલીઓને ઈજીપ્તની ગુલામીમાંથી છોડાવ્યા અને દાનિયેલને સિંહોના જોખમથી બચાવ્યો.
  • બીજા આશ્ચર્યકર્મો ઈશ્વરે કરેલા ન્યાયના કામો હતા, જેમ કે તેઓ નૂહના સમયમાં વિશ્વભરમાં પૂર લાવ્યા અને મૂસાના સમયમાં ઈજીપ્ત દેશમાં ભયંકર મરકીઓ લાવ્યા.
  • ઈશ્વરના ઘણાં ચમત્કારો માંદાઓને શારીરિક રીતે સાજા કરવાના અથવા તો મૃતકોને સજીવન કરવાના હતા.
  • જ્યારે ઈસુએ લોકોને સાજા કર્યાં, તોફાનો શાંત કર્યાં, તેઓ પાણી પર ચાલ્યા, અને મૃતકોને સજીવન કર્યાં ત્યારે, તેઓમાં ઈશ્વરનું સામર્થ્ય પ્રગટ કરાયું હતું.

આ બધા જ ચમત્કારો હતા.

  • ઈશ્વરે પ્રબોધકો તથા પ્રેરિતોને પણ સાજા કરવાના અને બીજા ચમત્કારો કરવા શક્તિ આપી કે જે ઈશ્વરના સામર્થ દ્વારા જ શક્ય હતું.

અનુવાદ માટેના સૂચનો:

  • “ચમત્કારો” અથવા તો “આશ્ચર્યકર્મો” ના સંભવત અનુવાદોમાં “ઈશ્વર જે અશક્ય બાબતો કરે છે તે” અથવા તો “ઈશ્વરના સામર્થ્યવાન કાર્યો” અથવા તો “ઈશ્વરના અદભૂત કાર્યો” નો સમાવેશ કરી શકાય.
  • વારંવાર વપરાતી અભિવ્યક્તિ “ચિહ્નો અને આશ્ચર્યકર્મો” નો અનુવાદ “સાબિતીઓ અને ચમત્કારો” અથવા તો “ચમત્કારિક કાર્યો કે જે ઈશ્વરનું સામર્થ સાબિત કરે છે” અથવા તો “અદભૂત ચમત્કારો કે જે દર્શાવે છે કે ઈશ્વર કેટલા મહાન છે” તરીકે થઈ શકે.
  • નોંધ કરો કે ચમત્કારિક ચિહ્નોનો આ અર્થ એક ચિહ્ન કે જે કોઈ બાબતની સાબિતી કે પૂરાવો આપે છે તેનાથી અલગ છે.

આ બન્ને સંબંધિત હોઈ શકે છે.

(આ પણ જૂઓ: સામર્થ્ય, પ્રબોધક, પ્રેરિત, ચિહ્ન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 16:8 ગિદિયોને ઈશ્વર પાસે બે ચિહ્નો માંગ્યા કે જેથી તેને ખાતરી થાય કે ઈશ્વર તેનો ઉપયોગ ઇઝરાયલને બચાવવા કરશે.
  • 19:14 ઈશ્વરે એલિશા દ્વારા ઘણા ચમત્કારો કર્યાં.
  • 37:10ચમત્કારને કારણે ઘણા યહૂદીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
  • 43:6 “ઇઝરાયલી માણસો, જેમ તમે જોયું છે અને તમને અગાઉથી ખબર છે તેમ, ઈસુ એ વ્યક્તિ હતા કે જેમણે ઈશ્વરના સામર્થ્ય દ્વારા ઘણા પરાક્રમી ચિહ્નો અને આશ્ચર્યકર્મો કર્યાં.
  • 49:2 ઈસુએ ઘણા ચમત્કારો કર્યાં કે જેથી સાબિત થયું કે તેઓ ઈશ્વર હતા.

તેઓ પાણી પર ચાલ્યા, તોફાનોને શાંત કર્યાં, ઘણાં બીમારોને સાજા કર્યાં, દુષ્ટાત્માઓને કાઢ્યા, મૃતકોને સજીવન કર્યાં અને પાંચ રોટલી તથા બે નાની માછલીઓને 5000 કરતા વધારે લોકો માટે પુરતું ભોજન બનાવી નાખ્યાં.

શબ્દ માહિતી:

  • Strong's: H226, H852, H2368, H2858, H4150, H4159, H4864, H5251, H5824, H5953, H6381, H6382, H6383, H6395, H6725, H7560, H7583, H8047, H8074, H8539, H8540,, G880, G1213, G1229, G1411, G1569, G1718, G1770, G1839, G2285, G2296, G2297, G3167, G3902, G4591, G4592, G5059

ચિહ્ન, ચિહ્નો, સાબિતી, સ્મૃતિપત્ર

વ્યાખ્યા:

ચિહ્ન એ એક હેતુ, પ્રસંગ, અથવા ક્રિયા છે કે જે ખાસ અર્થ વિષે વાતચીત કરે છે.

  • “સ્મૃતિપત્રો” ચિહ્નો છે જે લોકોને “યાદ અપાવે છે” તેઓને કંઇક યાદ કરાવવા મદદરૂપ બનીને, મોટેભાગે જેનું વચન આપવામાં આવ્યું હતું તેને:
  • આકાશમાં જે મેઘધનુષ્ય ઈશ્વર રચે છે તે લોકોને યાદ અપાવવા માટે ચિહ્ન છે કે તેમણે વચન આપ્યું છે કે હવે પછી તેઓ સર્વ જીવોનો નાશ વૈશ્વિક જળપ્રલયથી નહિ કરે.
  • ઈશ્વરે ઈઝરાયેલીઓને આજ્ઞા કરી કે તેમના તેઓ સાથેના કરારના ચિહ્ન તરીકે તેઓના દીકરાઓની સુન્નત કરાવવામાં આવે.
  • ચિહ્નો કંઇક પ્રગટ કે દર્શાવી શકે છે:
  • દૂતે ભરવાડોને ચિહ્ન આપ્યું કે જે તેઓને મદદરૂપ બને એ જાણવા માટે કે કયું બાળક બેથલેહેમમાં નવા જન્મેલાં મસીહા છે.
  • યહુદાએ ધાર્મિક આગેવાનોને ઈસુ એ જ વ્યક્તિ છે જેને તેઓએ પકડવા જોઈએ તેના ચિહ્ન તરીકે ઈસુને ચુંબન કર્યું.
  • ચિહ્નો સાબિત કરી શકે છે કે કંઇક સાચું છે:
  • પ્રબોધકો અને પ્રેરીતો દ્વારા જે ચમત્કારો કરવામાં આવ્યા તે ચિહ્નરૂપ હતા કે જે સાબિત કરતાં હતા કે તેઓ ઈશ્વરનો સંદેશો બોલી રહ્યા છે.
  • ઈસુએ જે ચમત્કારો કર્યા તે ચિહ્નરૂપ હતા જે સાબિત કરતાં હતા કે તેઓ ખરેખર મસીહા હતા.

અનુવાદ માટેના સૂચનો:

  • તેના સંદર્ભના આધારે, “ચિહ્ન” નું અનુવાદ “સંકેત” અથવા “પ્રતિક” અથવા “ચિહ્ન” અથવા “પુરાવો” અથવા “સાબિતી” અથવા “હાવભાવ” એમ પણ કરી શકાય.
  • “હાથ વળે ચિહ્નો કરવા” નું અનુવાદ “હાથ વળે પ્રસ્તાવ” અથવા “હાથ વળે હાવભાવ” અથવા “હાવભાવ કરવા” એમ પણ અનુવાદ કરી શકાય.
  • કેટલીક ભાષાઓમાં, “ચિહ્ન” માટે એક જ શબ્દ હોઈ શકે કે જે કંઇક સાબિત કરે અને જુદા જુદા શબ્દ “ચિહ્ન” માટે કે જે ચમત્કાર હોઈ શકે.

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રેરિત, ખ્રિસ્ત, કરાર, સુન્નત)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H226, H852, H2368, H2858, H4150, H4159, H4864, H5251, H5824, H6161, H6725, H6734, H7560, G364, G880, G1213, G1229, G1718, G1730, G1732, G1770, G3902, G4102, G4591, G4592, G4953, G4973, G5280

જન્મસિદ્ધ હક

વ્યાખ્યા:

બાઈબલમાં “જન્મસિદ્ધ હક” શબ્દ માન, કુટુંબનું નામ, અને ભૌતિક સંપત્તિને દર્શાવે છે, કે જે સામાન્ય રીતે કુટુંબના પ્રથમજનિત પુત્રને આપવામાં આવે છે. પ્રથમજનિત પુત્રના જન્મસિદ્ધ હકમાં પોતાના પિતાના વારસોનો બમણો ભાગનો સમાવેશ થાય છે. રાજાના પ્રથમજનિત પુત્રને સામાન્ય રીતે તેના પિતાના અવશાન પછી શાસન કરવાનો જન્મસિદ્ધ અધિકાર આપવામાં આવ્યો હતો. એસાવે તેનો જન્મસિદ્ધ હક પોતાના નાના ભાઈ યાકૂબને વેચી દીધો. આ કારણે, એસાવના બદલે યાકૂબને પ્રથમજનિત વારસાનો આશીર્વાદ મળ્યો. જન્મસિદ્ધ હકમાં કુટુંબની વંશાવળીનું સન્માન પ્રથમજનિત પુત્રના વંશને આપવામાં આવે છે અને તે દ્વારા કુટુંબનો વંશવેલો શોધી શકાય છે.

ભાષાંતરના સુચનો:

  • “જન્મસિદ્ધ હક” શબ્દનું સંભવિત ભાષાંતર “પ્રથમજનિત પુત્રના હકો અને સંપત્તિ” અથવા “કુટુંબનું સન્માન” અથવા “પ્રથમજનિતની તક અને વારસો નો” સમાવેશ થાય છે.

(આ પણ જુઓ : પ્રથમજનિત, વારસ, વંશજો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1062, G4415

જમણો હાથ

વ્યાખ્યા:

રૂપકાત્મક શબ્દપ્રયોગ "જમણો હાથ" શાસકની અથવા બીજા મહત્વના વ્યક્તિની જમણી બાજુ માન અથવા બળની જગ્યા સૂચવે છે.

  • શક્તિ, અધિકાર અથવા સામર્થ્યના ચિહ્ન તરીકે પણ જમણા હાથનો ઉપયોગ થાય છે.
  • બાઈબલ વર્ણવે છે કે ઈસુ વિશ્વાસીઓના (મંડળી) શરીરના શિર તરીકે અને સમગ્ર સૃષ્ટિ પર અંકુશ ધરાવનાર શાસક તરીકે ઈશ્વરપિતાના "જમણા હાથે" બેઠા છે.
  • જ્યારે આશીર્વાદ આપવાને માટે કોઈના માથા પર હાથ મુકવામાં આવતો ત્યારે વ્યક્તિનો જમણો હાથ ખાસ માન બતાવવા માટે વાપરવામાં આવતો હતો (જેમ વડા યાકુબે યુસફના દીકરા એફ્રાઈમને આશીર્વાદ આપ્યો હતો તેમ).
  • કોઈના "જમણા હાથે રહીને સેવા કરવી'' એનો અર્થ એ કે એવા વ્યક્તિ બનવું કે જેની સેવા ખાસ કરીને તે વ્યક્તિ માટે મદદરૂપ તથા મહત્વની હોય.

અનુવાદ માટેના સૂચનો:

  • કેટલીકવાર "જમણો હાથ" ખરેખર વ્યક્તિના જમણા હાથને દર્શાવે છે, જેમ કે રોમન સૈનિકોએ ઠપકો આપવાને માટે ઈસુના જમણા હાથે એક કર્મચારીને રાખ્યો હતો.

આ હાથનો સંદર્ભ આપવા માટે ભાષા જે શબ્દનો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ કરીને તેનું અનુવાદ થવું જોઈએ.

  • રૂપકાત્મક ઉપયોગ માટે, જો "જમણો હાથ" શબ્દનો સમાવેશ કરતો શબ્દપ્રયોગનો પ્રોજેક્ટ ભાષામાં સમાન અર્થ થતો ન હોય તો તે ભાષામાં સમાન અર્થવાળો કોઈ શબ્દપ્રયોગ છે કે નહીં તે કાળજીપૂર્વક ધ્યાનમાં લો.
  • "જમણા હાથે" શબ્દપ્રયોગનું અનુવાદ "જમણી બાજુએ" અથવા "બાજુના સન્માનના સ્થાને" અથવા "સામર્થ્યની સ્થિતિમાં" અથવા "મદદ માટે તૈયાર" એમ પણ થઇ શકે છે.
  • ''તેના જમણા હાથ વડે" નું અનુવાદ "અધિકાર સાથે" અથવા "શક્તિનો ઉપયોગ કરીને" અથવા "તેના અદ્દભૂત સામર્થ્ય વડે" એ રીતે પણ કરી શકાય.
  • રૂપકાત્મક શબ્દપ્રયોગ "તેનો જમણો હાથ અને તેનો શક્તિશાળી ભૂજ" ઈશ્વરની શક્તિ અને મહાન સામર્થ્ય પર ભાર મૂકી બે રીતે ઉપયોગમાં લે છે. આ શબ્દપ્રયોગનો અનુવાદ કરવાની એક રીત આ પણ હોઈ શકે "તેનું અદ્દભૂત સામર્થ્ય અને સમર્થ શક્તિ.'' (જુઓ: સમાંતરણ)
  • શબ્દપ્રયોગ "તેનો જમણો હાથ જુઠ્ઠો છે" તેનું અનુવાદ "તેમના વિશેની સન્માનીય બાબત પણ જુઠ્ઠ દ્વારા દૂષિત છે" અથવા "તેમનું સન્માનીય સ્થાન છેતરપીંડી દ્વારા દૂષિત છે" અથવા "તેઓ પોતાને શક્તિમાન બનાવવા માટે જુઠ્ઠનો ઉપયોગ કરે છે" તેમ થઇ શકે છે.

(આ પણ જુઓ: દોષારોપણ, દુષ્ટ, માન, શક્તિશાળી, શિક્ષા, બંડખોર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3225, H3231, H3233, G1188

જીવન, જીવવું, જીવે છે, જીવંત

વ્યાખ્યા:

"જીવન" શબ્દ મૃત નહિના વિરોધાભાસમાં શારીરિક રીતે જીવંત હોવાનો ઉલ્લેખ કરે છે.

1. ભૌતિક જીવન*

  • "જીવન" એક વ્યક્તિગત વ્યક્તિનો પણ ઉલ્લેખ કરે છે જેમ કે "એક જીવન બચાવવામાં આવ્યું."
  • કેટલીકવાર "જીવન" શબ્દ જીવવાના અનુભવનો ઉલ્લેખ કરે છે જેમ કે, "તેનું જીવન આનંદપ્રદ હતું."
  • તે વ્યક્તિના જીવનકાળનો પણ ઉલ્લેખ કરે છે, જેમ કે અભિવ્યક્તિ, "તેના જીવનનો અંત".
  • "જીવંત" શબ્દ શારીરિક રીતે જીવંતનો ઉલ્લેખ કરે છે, જેમ કે "મારા માતા હજુ પણ જીવે છે." તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ કે "તેઓ શહેરમાં રહેતા હતા."
  • બાઈબલમાં, "જીવન" નો ખ્યાલ મહદઅંશે "મરણ" ના ખ્યાલ કરતાં વિરોધાભાસમાં છે.

2. આત્મિક જીવન

  • જ્યારે વ્યક્તિ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે ત્યારે તે અનંતજીવન પામે છે. ઈશ્વર તે વ્યક્તિમાં પવિત્ર આત્માને રહેવા દઈ તેને પરિવર્તિત જીવન આપે છે.
  • આત્મિક જીવનનું વિરુદ્ધાર્થી આત્મિક મરણ છે, જેનો અર્થ ઈશ્વરથી અલગ અને અનંતકાળની શિક્ષા અનુભવવી તેમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભને આધારે, "જીવન" નું અનુવાદ "અસ્તિત્વ" અથવા "વ્યક્તિ" અથવા "આત્મા" અથવા "અસ્તિત્વ ધરાવનાર" અથવા "અનુભવ" કરી શકાય.
  • "જીવવું" શબ્દનું અનુવાદ "વસવું" અથવા "રહેવું/માં નિહિત હોવું" અથવા "અસ્તિત્વમાં હોવું" કરી શકાય.
  • "તેના જીવનનો અંત" અભિવ્યક્તિનું અનુવાદ "જ્યારે તેણે જીવવાનું બંધ કર્યું" તરીકે કરી શકાય.
  • "તેમના જીવનોને બક્ષી દો" અભિવ્યક્તિનું અનુવાદ "તેમને જીવવા માટે મંજૂરી આપી" અથવા "તેમની હત્યા કરી નહિ" કરી શકાય.
  • "તેમણે પોતાના જીવનો જોખમમાં નાખ્યા" અભિવ્યક્તિનું અનુવાદ "તેમણે પોતાને જોખમમાં મૂક્યા" અથવા "તેમણે એવું કંઈક કર્યું જે તેમના જીવનને ખતમ કરી શક્યું હોત" કરી શકાય.
  • જ્યારે બઈબલનું વચન અનંતજીવનની વાત કરે છે ત્યારે, સંદર્ભને આધારે "જીવન" નો અનુવાદ નિમ્નલેખિત મુજબ કરી શકાય: "અનંત જીવન" અથવા "ઈશ્વર આપણને આપણાં આત્મામાં જીવંત બનાવી રહ્યા છે" અથવા "ઈશ્વરના આત્મા દ્વારા નવું જીવન" અથવા "આપણાં આંતરિક જીવનમાં જીવંત બનાવવામાં આવેલા".
  • સંદર્ભને આધારે, "જીવન આપવું"નો અનુવાદ "જીવવાનું કારણ આપવું" અથવા "અનંતજીવન આપવું" અથવા "અનંતકાળિક રીતે જીવવાને દોરવું" કરી શકાય.

(આ પણ જુઓ: મરણ, અનંતકાળિક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

  • 1:10 તેથી ઈશ્વરે થોડી માટી લીધી, તેની માણસમાં રચના કરી, અને તેનામાં જીવનનો શ્વાસ ફૂંક્યો.
  • 3:1 ઘણાં લાંબા સમય પછી, ઘણા લોકો જગતમાં જીવી રહ્યા હતા.
  • 8:13 જ્યારે યુસફના ભાઈઓ ઘરે પરત ફર્યા અને તેમના પિતા, યાકુબને કહ્યું કે, યુસફ હજુ જીવંત છે, ત્યારે તે ખૂબ ખુશ થયો હતો.
  • 17:9 જો કે, તેના અંત સમયે (દાઉદના)જીવનના તેણે ઈશ્વરની આગળ ભયંકર પાપ કર્યું.
  • 27:1 એક દિવસ, યહૂદી નિયમનો નિષ્ણાત ઈસુની કસોટી કરવા તેમની પાસે આવ્યો, તેણે પૂછ્યું કે, "શિક્ષક, અનંત જીવનનો વારસો પામવા મારે શું કરવું?"
  • 35:5 ઈસુએ પ્રત્યુત્તર આપ્યો, "હું પુનરુત્થાન તથા જીવન છું."
  • 44:5 "તમે એ લોકો છો કે જેઓએ રોમન રાજ્યપાલને ઈસુની હત્યા કરવા માટે કહ્યું. તમે જીવનના લેખકને મારી નાખ્યા, પરંતુ ઈશ્વરે તેમણે મરણમાંથી ઉઠાડ્યા."

શબ્દ માહિતી:

  • Strong's: H1934, H2416, H2417, H2421, H2425, H5315, G198, G222, G227, G806, G590

જીવનોત્થાન, ઉત્થાન

વ્યાખ્યા:

“જીવનોત્થાન” શબ્દ મરણ પામ્યા બાદ ફરીથી જીવિત થવું તેનો ઉલ્લેખ કરે છે.

  • કોઈ વ્યક્તિનું જીવનોત્થાન કરવાનો અર્થ તે વ્યક્તિને ફરીથી જીવિત કરવી એવો થાય છે.

આ કરવાનું સામર્થ ફક્ત ઈશ્વર પાસે છે.

  • “જીવનોત્થાન” શબ્દ ઘણી વાર ઈસુ મરણ પામ્યા અને બાદમાં સજીવન થયા તેનો ઉલ્લેખ કરે છે.
  • જ્યારે ઈસુએ કહ્યું કે, “ઉત્થાન તથા જીવન હું છું” ત્યારે, તેમના કહેવાનો અર્થ એ હતો કે જીવનોત્થાનનો સ્રોત તેઓ પોતે છે અને તેઓ જ લોકો પાછા સજીવન થાય તેવું કરનાર છે.

અનુવાદ માટેના સૂચનો:

  • એક વ્યક્તિના “જીવનોત્થાન” નો અનુવાદ “ફરીથી જીવતા થવું” અથવા તો “મરણ પામ્યા બાદ ફરીથી જીવિત થવું” તરીકે કરી શકાય.
  • આ શબ્દનો શાબ્દિક અર્થ “ઊભા થવું” અથવા તો “(મરણમાંથી) ઊભા થવાની ક્રિયા” એવો થાય છે. આ શબ્દનો અનુવાદ કરવાની આ બીજી રીતો હશે.

(આ પણ જૂઓ: જીવન, મરણ, ઊભા કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 21:14 મસીહાના મરણ અને જીવનોત્થાન દ્વારા, ઈશ્વર પાપીઓને બચાવવાની અને નવો કરાર સ્થાપિત કરવાની યોજના સિદ્ધ કરશે.
  • 37:5 ઈસુએ પ્રત્યુતર આપ્યો કે, “ઉત્થાન તથા જીવન હું છું.

જે કોઈ મારામાં વિશ્વાસ કરે છે તે જો કે મરણ પામે તો પણ જીવશે.

શબ્દ માહિતી:

  • Strong's: G386, G1454, G1815

જુબાની, સાક્ષી આપવી, પુરાવા, સાક્ષી, પ્રત્યક્ષદર્શી

વ્યાખ્યા:

જ્યારે કોઈ વ્યક્તિ " સાક્ષી " આપે છે ત્યારે તેજે કંઈ જાણે છે તે અંગે નિવેદન કરે છે, અને દાવો કરે છે કે નિવેદન સાચું છે. "પુરાવો આપવો" એ " સાક્ષી" આપવી છે.

  • મોટાભાગે વ્યક્તિએ જે પ્રત્યક્ષ અનુભવ્યું હોય તે કોઈ બાબત વિશે તે "પુરાવો આપે છે."
  • જે વ્યક્તિ "જૂઠ્ઠી સાક્ષી" આપે છે તે જે બન્યું હોય તે વિશે કશું જ સત્ય જણાવતો નથી.
  • કેટલીકવાર "શાહેદી” શબ્દ એ પ્રબોધક જે ભવિષ્યવાણીને વર્ણવે છે તેને જણાવે છે.
  • નવા કરારમાં, આ શબ્દનો વારંવાર ઉપયોગ ઈસુના અનુયાયીઓએ ઈસુના જીવન, મૃત્યુ અને પુનરુત્થાનની ઘટનાઓ વિશે કેવી રીતે સાક્ષી આપી હતી એ કરવા માટે થયો હતો.                                                                                                                                  "સાક્ષી" શબ્દ એવા વ્યક્તિના માટે ઉલ્લેખ થાય છે કે જેને જે કંઈ બન્યું છે તેનો વ્યક્તિગત અનુભવ થયો હોય. સામાન્ય રીતે આ એવી વ્યક્તિ પણ છે કે જે સત્ય તે જાણતો હોય છે, તેના વિશે તે સાક્ષી આપે છે. "પ્રત્યક્ષદર્શી - પ્રત્યક્ષ પુરાવો આપનાર" શબ્દ/શબ્દસમૂહ વ્યક્તિ ખરેખર ત્યાં હતો અને જે બન્યું હતું તે તેણે જોયું હતું તેના પર ભાર મૂકે છે.
  • કોઇ વિષે “ સાક્ષી આપવી” નો અર્થ જે બન્યું છે તે જોયું છે, થાયછે
  • તપાસ વખતે સાક્ષી "સાક્ષી આપે છે" અથવા "સાક્ષી બને છે." "જુબાની આપવી."નો અર્થ એવો જ છે.
  • સાક્ષીઓ પાસે તેઓએ જે જોયું કે સાંભળ્યું છે તે વિષે સત્ય કહેવાની અપેક્ષા રાખવામાં આવે છે.
  • સાક્ષી જે બન્યું છે તે વિષે સત્ય કહેતો નથી તેને “જૂઠ્ઠો સાક્ષી” કહેવાય છે તેને "જૂઠ્ઠી સાક્ષી આપવી" અથવા "ખોટા સાક્ષી બનવું" કહેવામાં આવે છે.
  • “ની વચ્ચે સાક્ષી હોવું" શબ્દની અભિવ્યક્તિનો અર્થ એ થાય કે કોઇ વસ્તુ કે કોઈ વ્યક્તિ પુરાવા તરીકે હશે કે જેની સાથે કરાર કરવામાં આવ્યો છે. સાક્ષી એ ખાતરી કરશે કે દરેક વ્યક્તિ જે કરવાનું વચન આપે છે તે પ્રમાણે તે કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “સાક્ષી આપવી" અથવા "પુરાવો આપવો" શબ્દનો અનુવાદ "હકીકતો જણાવવી" અથવા " જે સાંભળ્યું કે જોયું હતું તે કહેવું " અથવા "વ્યક્તિગત અનુભવમાંથી જણાવવું" અથવા "પુરાવો આપવો" અથવા "શું બન્યું તે જણાવવું" તરીકે ભાષાંતર કરી શકાય છે.
  • "જુબાની" નો બીજી રીતે અનુવાદ, "શું બન્યું તેની જાણ કરવી" અથવા "સાચું છે તે નિવેદન કરવું" અથવા "પુરાવો" અથવા " કહેવામાં આવ્યું છે તે" અથવા "ભવિષ્યવાણી" નો સમાવેશ થાય છે.
  • શબ્દસમૂહ, "તેમને માટે એક સાક્ષી તરીકેનો" અનુવાદ "તેમને શું સાચું છે તે બતાવવું " અથવા " શું સાચું છે તે તેમને સાબિત કરવું" થઇ શકે છે.
  • "તેમની વિરુદ્ધ જુબાની તરીકે" નો અનુવાદ "જે તેમને તેમના પાપ બતાવશે" અથવા "તેમના પાખંડને ખુલ્લું પાડવું" અથવા "સાબિત કરવું કે તેઓ ખોટા છે." થઇ શકે છે.
  • "ખોટી સાક્ષી આપવી" નો અનુવાદ "વિશે ખોટી બાબતો કહેવી" અથવા "જે બાબતો સાચી નથી"તે જણાવવી” તરીકે કરી શકાય છે.
  • "સાક્ષી" અથવા "શાહેદી" અથવા "પ્રત્યક્ષદર્શી" શબ્દનો કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે અનુવાદ થઈ શકે છે જેનો અર્થ થાય છે "વ્યક્તિ તે જુએ"છે અથવા " જેણે તેને તે બનતાં જોયું" અથવા "જે લોકોએ(તે બાબતો) બનતાં જોઇ અને સાંભળી
  • જો કોઈ "સાક્ષી" છે તો તેનો અનુવાદ "ખાતરી હોવી" અથવા "અમારા વચનનું ચિન્હ" અથવા "આ સાચું છે એવું પ્રમાણિત કરે છે", થઇ શકે છે.
  • “તમે મારા સાક્ષી થશો" શબ્દસમૂહનું ભાષાંતર "તમે અન્ય લોકોને મારા વિશે કહેશો" અથવા " જે સત્ય મેં તમને શીખવ્યું તે તમે લોકોને શીખવતા જશો “ અથવા "તમે જે મને કરતાં જોયો છે અને મને શીખવતાં સાંભળ્યો છે તે તમે લોકોને જણાવશો” એમ કરી શકાય છે.
  • “ના કાયદેસર સાક્ષી બનવું”નું ભાષાંતર "જે જોયુ છે તે જણાવવું" અથવા "પુરાવો આપવો" અથવા "જે થયું તે જણાવવું" થાય છે.
  • કોઈ માટે “સાક્ષી" થવું તેનું "કંઈક જોવું" અથવા " જે કંઈ થાય છે તે અનુભવવું" એમ ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: કરારકોશ, અપરાધીભાવન્યાયાધીશ, પ્રબોધકજુબાનીસાચુ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 39:2, યહૂદી આગેવાનોએ ઈસુની તપાસ ઘરની અંદર કરી. તેઓ ઘણા જૂઠા સાક્ષીઓ લાવ્યા જેઓ તેમના(ઈસુ) વિશે જૂઠું બોલ્યા.
  • 39:4 પ્રમુખ યાજકે તેનાં કપડાં ગુસ્સામાં ફાડી નાખ્યાં અને બૂમ પાડી, "આપણને બીજા કોઈ સાક્ષીઓની જરૂર નથી. તમે તેને એમ કહેતા સાંભળ્યો છે કે તે ઈશ્વરનો દીકરો છે. તમારો ચુકાદો શું છે? "
  • 42:8" શાસ્ત્રોમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે મારા શિષ્યો પ્રગટ કરશે કે દરેકે પસ્તાવો કરવો જોઈએ જેથી તેઓને તેઓના પાપોની માફી પ્રાપ્ત થાય. તેઓ યરૂશાલેમમાંથી શરૂ કરશે, અને ત્યારબાદ લોકજૂથોમાં સર્વત્ર જશે. તમે આ બાબતોના સાક્ષીઓ છો.“
  • 43:7 " ઈશ્વરે ઈસુને ઉઠાડયા છે એ હકીકતના અમે સાક્ષી છીએ."

શબ્દ માહિતી:

  • Strong's: H5707, H5713, H5715, H5749, H6030, H8584, G267, G1263, G1957, G2649, G3140, G3141, G3142, G3143, G3144, G4303, G4828, G4901, G5575, G5576, G5577, G6020

જે પવિત્ર છે

વ્યાખ્યા:

“જે પવિત્ર છે” શબ્દ બાઈબલમાં શીર્ષક છે, કે જે મોટેભાગે દેવને દર્શાવે છે.

  • જૂના કરારમાં, મોટેભાગે આ શીર્ષક શબ્દસમૂહ તરીકે “ઈઝરાએલનો પવિત્ર” એવી રીતે આવે છે.
  • નવા કરારમાં, ઈસુને પણ “જે પવિત્ર છે” તરીકે દર્શાવવામાં આવ્યો છે.
  • બાઈબલમાં “જે પવિત્ર છે” શબ્દ દૂત માટે પણ ક્યારેક વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

  • તે શાબ્દિક શબ્દ, “જે પવિત્ર છે” (“એક” જે સૂચિત થયેલ) તેને દર્શાવે છે. ઘણી ભાષાઓ (જેવી કે અંગ્રેજી) તેનું ભાષાંતર સૂચિત સંજ્ઞા તરીકે કરે છે (જેમકે “એક” અથવા “દેવ”)
  • આ શબ્દનું ભાષાંતર, “દેવ, કે જે પવિત્ર છે” અથવા “એક કે જે અલગ કરાયેલ છે” તરીકે પણ કરી શકાય છે.
  • “ઈઝરાએલનો જે પવિત્ર છે” શબ્દસમૂહનું ભાષાંતર, “પવિત્ર દેવ કે જેની ઈઝરાએલ આરાધના કરે છે” અથવા “પવિત્ર કે જે ઈઝરાએલ પર રાજ્ય કરે છે” એમ (ભાષાંતર) થઇ શકે છે.
  • આ શબ્દનું શ્રેષ્ઠ ભાષાંતર કરવા માટે તેનો સમાન શબ્દ અથવા શબ્દસમૂહ વાપરીને “પવિત્ર” શબ્દનું ભાષાંતર કરવું.

(આ પણ જુઓ: પવિત્ર, દેવ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2623, H376, H6918, G40, G3741

ટેટ્રાર્ક

વ્યાખ્યા:

" ટેટ્રાર્ક " શબ્દ એ એક સરકારી અધિકારીનો ઉલ્લેખ કરે છે જેણે રોમન સામ્રાજ્યના ભાગ પર શાસન કર્યું હતું. દરેક ટેટ્રાર્ક રોમન સમ્રાટની સત્તા હેઠળ હતો.

  • "ટેટ્રાર્ક" શિર્ષકનો અર્થ "ચાર સંયુક્ત શાસકોમાંથી એક છે."
  • સમ્રાટ ડાયોક્લેટિન હેઠળ શરૂ કરીને, ત્યાં રોમન સામ્રાજ્યના ચાર મુખ્ય વિભાગો હતા અને દરેક ટેટ્રાર્કે એક વિભાગ પર શાસન કર્યું.
  • "મહાન" હેરોદનું રાજ્ય, જે ઈસુના જન્મ સમયે રાજા હતા, તેમના મૃત્યુ પછી ચાર વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું, અને તેમના પુત્રોએ " ટેટ્રાર્ક " અથવા "ચોથા ભાગના શાસકો" તરીકે શાસન કર્યું હતું.
  • દરેક વિભાગમાં એક અથવા વધુ નાનાં ભાગો "પ્રાંતો" કહેવાતા હતા. જેવા કે ગાલીલ અથવા સમરૂન.
  • " હેરોદ ટેટ્રાર્ક "નો નવા કરારમાં ઘણી વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેમને "હેરોદ અંતિપાસ" તરીકે પણ ઓળખવામાં આવે છે.

  • " ટેટ્રાર્ક " શબ્દનો અનુવાદ "પ્રાદેશિક રાજયપાલ" અથવા "પ્રાંતીય શાસક" અથવા "શાસક" અથવા " રાજયપાલ " તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: રાજયપાલ, હેરોદ અંતિપાસ, પ્રાંત, [રોમ], શાસક)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G5075, G5076

ડર,(ભય), ડર લાગે છે, બીક

વ્યાખ્યા:

“ડર” અથવા “બીક” શબ્દો જયારે વ્યક્તિને પોતા અથવા અન્ય માટે નુકશાનની ધમકી આપવામાં આવે હોય ત્યારે જે અપ્રિય લાગણી થાય છે, તે દર્શાવે છે.

  • “ડર” શબ્દ, જે વ્યક્તિ સત્તામાં હોય, તેની ધાક અને ઊંડા આદરને પણ દર્શાવી શકે છે.
  • “યહોવાનો ભય” શબ્દસમૂહ તેમજ તેને સંબંધિત શબ્દો, “દેવનો ડર” અને “પ્રભુનો ડર”, દેવ માટે ઊંડો આદર અને તે તેની આજ્ઞા પાળીને દર્શાવવામાં આવે છે.

દેવ પવિત્ર છે અને પાપને ધિક્કારે છે તે ભયને જાણી તેના દ્વારા પ્રેરિત થવું તેને દર્શાવે છે.

  • બાઈબલ શીખવે છે કે જે વ્યક્તિ યહોવાનો ભય રાખે છે, તે જ્ઞાની થશે.

ભાષાંતરના સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, “ડર” શબ્દનું ભાષાંતર, “બીક લાગવી” અથવા “ઊંડો આદર” અથવા “આદર હોવો” તરીકે કરી શકાય છે.
  • “બીક” શબ્દનું ભાષાંતર, “ભયગ્રસ્ત” અથવા “ભયભીત” અથવા “ભયજનક” તરીકે કરી શકાય છે.
  • “દેવનો ભય તે બધા ઉપર આવ્યો” તે વાક્યનું ભાષાંતર, “એકાએક તેઓ બધાને દેવ માટે ઊંડો ડર અને ધાક લાગ્યા” અથવા “તરત જ, તેઓ બધા ખૂબ જ આશ્ચર્ય પામ્યા અને દેવને ઊંડો આદર આપ્યો” અથવા “પછી તરતજ, (તેની મહાન શક્તિથી) તેઓ બધાને દેવનો ખુબજ ડર લાગ્યો” તરીકે (ભાષાંતર) પણ કરી શકાય છે
  • “ડરો નહીં” શબ્દસમૂહનું ભાષાંતર, “બીક રાખશો નહીં” અથવા બીવાનું બંધ કરો” તરીકે પણ કરી શકાય છે.
  • નોંધ કરો કે “યહોવાનું ભય” શબ્દસમૂહ નવા કરારમાં આવતો નથી.

“યહોવાનો ભય” શબ્દસમૂહને બદલે અથવા “પ્રભુ દેવનો ભય” વાપરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: આશ્ચર્યl, ધાક, પ્રભુ, શક્તિ, યહોવા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H367, H926, H1204, H1481, H1672, H1674, H1763, H2119, H2296, H2727, H2729, H2730, H2731, H2844, H2849, H2865, H3016, H3025, H3068, H3372, H3373, H3374, H4032, H4034, H4035, H4116, H4172, H6206, H6342, H6343, H6345, H6427, H7264, H7267, H7297, H7374, H7461, H7493, H8175, G870, G1167, G1168, G1169, G1630, G1719, G2124, G2125, G2962, G5398, G5399, G5400, G5401

ડાહ્યું, ડહાપણ

વ્યાખ્યા:

"શાણા" શબ્દ એવી વ્યક્તિને વર્ણવે છે જે સમજે છે કે શું કરવું યોગ્ય અને નૈતિક છે અને તે પછી તેમ કરે છે. "શાણપણ" એ સાચું અને નૈતિક રીતે યોગ્ય છે તે સમજે અને પાળે છે.

  • બુદ્ધિમાન બનવું, સારા નિર્ણયો લેવાની ક્ષમતા, ખાસ કરીને ઈશ્વરને ખુશ કરવા માટે પસંદ કરવાનું છે.
  • બાઇબલમાં, "દુન્યવી ડહાપણ " શબ્દનો અર્થ એ છે કે આ દુનિયાના લોકો ડાહ્યા છે, પરંતુ ખરેખર મૂર્ખ છે તેના સંદર્ભમાં એક રૂપક છે.
  • ઈશ્વરનું સાંભળીને અને નમ્રતાથી તેમની ઇચ્છાના આધીન થવા દ્વારા લોકો જ્ઞાની બની જાય છે.
  • ડાહી વ્યક્તિ તેના જીવનમાં પવિત્ર આત્માના ફળ, જેમ કે આનંદ, દયા, પ્રેમ અને ધીરજ બતાવશે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • સંદર્ભને આધારે, "ડાહયું" ને અન્ય રીતે ભાષાંતર કરવા "ઈશ્વરના આજ્ઞાધીન" અથવા "સમજુ અને આજ્ઞાકારી" અથવા "દેવ-ભય રાખનાર" સમાવેશ થઈ શકે છે.

"* ડહાપણ"નો અર્થ શબ્દ અથવા શબ્દસમૂહ કે જેનો અર્થ થાય છે "ડાહ્યું જીવન" અથવા "યોગ્ય અને આજ્ઞાકારી જીવન" અથવા "સારો નિર્ણય". થાય છે.

  • તે "જ્ઞાની" અને "શાણપણ" નું એવી રીતે ભાષાંતર કરવું શ્રેષ્ઠ છે કે તેઓ ન્યાયી અથવા આજ્ઞાકારી જેવા અન્ય મુખ્ય શબ્દોથી અલગ અલગ શબ્દો છે.

(આ પણ જુઓ: આજ્ઞા પાળો, ફળ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:

  • 2:5 તે જ્ઞાની થવા માગતી હતી, તેથી તેણે કેટલાક ફળ લીધા અને તે ખાધા.
  • 18:0 જ્યારે સુલેમાને ડહાપણ માટે પૂછ્યું, ત્યારે ઈશ્વર ખુશ થયા અને તેને વિશ્વનો સૌથી ડાહ્યો માણસ બનાવી દીધો.
  • 23:0 કેટલાક સમય પછી, દેશોના દૂર પૂર્વમાં જ્ઞાની પુરુષોએ આકાશમાં અસામાન્ય તારો જોયો.
  • 45:0 તે (સ્તેફન) ની સારી પ્રતિષ્ઠા હતી અને તે પવિત્ર આત્માથી અને ડહાપણ થી ભરપૂર હતો.

શબ્દ માહિતી:

  • Strong's: H998, H1350, H2445, H2449, H2450, H2451, H2452, H2454, H2942, H3820, H3823, H6195, H6493, H6912, H7535, H7919, H7922, H8454, G4678, G4679, G4680, G4920, G5428, G5429, G5430

ઢોંગી, ઢોંગીઓ, પાખંડ

વ્યાખ્યા:

“ઢોંગી” શબ્દ વ્યક્તિ કે જે ન્યાયી હોવાની બાબતો કરે છે, પણ તે ગુપ્તમાં દુષ્ટ રીતે વર્તે છે. “પાખંડ” શબ્દ, એવું વર્તન કે જે તે વ્યક્તિ ન્યાયી છે તેવો વિચાર કરાવી લોકોને છેતરે છે, તેને દર્શાવે છે. ઢોંગીઓ સારી બાબતો કરે છે તેવું દેખાડવા માંગે છે, જેથી કે લોકો તેઓ વિશે વિચારે કે તેઓ સારા લોકો છે.

  • મોટેભાગે ઢોંગી કે જે તેઓ પોતે કરે છે તેવી સમાન પાપરૂપ બાબતો કરવા માટે બીજા લોકોને ટીકા કરે છે.
  • ઈસુએ ફરોશીઓને ઢોંગીઓ કહ્યા છે, કારણકે તેઓ ધાર્મિક રીતે વર્ત્યા, જેમકે ચોક્કસ કપડાં પહેરવા અને ચોક્કસ ખોરાક ખાવો, એમ છતાં પણ તેઓ લોકો માટે દયાળુ અથવા વ્યાજબી ન હતા.
  • ઢોંગી બીજા લોકોમાં ખામીઓ શોધે છે, પણ પોતાની ખામીઓને સ્વીકારતા નથી.

ભાષાંતરના સૂચનો:

  • કેટલીક ભાષાઓમાં એક અભિવ્યક્તિ છે જેવીકે “બે મોઢાવાળું” કે જે ઢોંગી અથવા ઢોંગીના કાર્યોને દર્શાવે છે.
  • “ઢોંગી” શબ્દના અન્ય ભાષાંતરમાં, “છેતરપિંડી” અથવા “દંભી” અથવા “ઘમંડી, કપટી વ્યક્તિ” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
  • “ઢોંગ” શબ્દનું ભાષાંતર, “છેતરપિંડી” અથવા “નકલી કાર્યો” અથવા “ઢોંગ” દ્વારા કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H120, H2611, H2612, G505, G5272, G5273

તારણહાર, તારનાર

તથ્યો:

“તારનાર” શબ્દ એવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે કે જે બીજાઓને જોખમથી બચાવે છે અથવા છોડાવે છે. તે એવા વ્યક્તિનો પણ ઉલ્લેખ કરે છે કે જે બીજાને બળ આપે છે અથવા તેમને પૂરું પાડે છે.

  • જુના કરારમાં, ઈશ્વરનો ઉલ્લેખ ઈઝરાયેલના તારણહાર તરીકે કરવામાં આવ્યો છે કારણ કે તેમણે વારંવાર તેઓને તેઓના શત્રુઓથી છોડાવ્યા, તેમને બળ આપ્યું, અને જીવવા માટે જે કંઈ જરૂરી હતું તે પણ પૂરું પાડયું.
  • જુના કરારમાં, અન્ય જાતી જૂથો જેઓ ઈઝરાયેલીઓ પર હુમલો કરવા આવ્યા હતા તેમની વિરુદ્ધ ઈઝરાયેલીઓનું રક્ષણ કરવા, તેમને લડાઈમાં દોરવા, ઈશ્વરે ન્યાયાધીશોની નિમણૂંક કરી.
  • નવા કરારમાં, “તારણહાર” એ ઈસુ ખ્રિસ્ત માટેના વર્ણન અથવા શિર્ષક તરીકે ઉપયોગમાં લેવાય છે કારણ કે તેઓ લોકોને તેમના પાપોની અનંતકાળની શિક્ષાથી બચાવે છે. તેઓ તેમને તેમના પાપોના ચૂંગલથી/નિયંત્રણથી પણ બચાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • જો શક્ય છે, તો “તારણહાર” નો અનુવાદ એ શબ્દ સાથે થવો જોઈએ કે જે શબ્દો “બચાવવું” અને “તારણ” સાથે સંબંધિત છે.
  • આ શબ્દનું અનુવાદ કરવાની રીતોમાં “એક કે જે બચાવે છે” અથવા “ઈશ્વર, કે જે બચાવે છે” અથવા “જે જોખમથી બચાવે છે” અથવા “જે શત્રુઓથી બચાવે છે” અથવા “ઈસુ, કે જે (લોકોને) પાપોથી છોડાવે છે” નો સમાવેશ કરી શકાય.

(આ પણ જુઓ: છોડાવવું, ઈસુ, બચાવવું, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3467, G4990

તેડું, તેડું આપે છે, બોલાવવું, તેડાયેલા

વ્યાખ્યા:

“બોલાવ્યા” અને “બોલાવવું” શબ્દનો અર્થ, જેઓ પાસે નથી તેમને કંઇક કહેવા કે બોલાવવા મોટે સાદે પોકારવું. કોઈકને “તેડાવવા” તેનો અર્થ, તે વ્યક્તિ બોલાવવા, એમ થાય છે. તેના બીજા પણ કેટલાક અર્થ થાય છે.

  • કોઈકને “બોલાવવું” તેનો અર્થ, કોઈક દૂર છે તેને બૂમ પાડીને અથવા મોટેથી બોલાવવું.

તેનો તે પણ અર્થ થાય કે કોઈક ને મદદ માટે પૂછવું, ખાસ કરીને ઈશ્વરને. બાઈબલમાં મોટેભાગે, “તેડાનો” અર્થ “બોલાવવું” અથવા “આવવાની આજ્ઞા આપવી” અથવા “આવવાની વિનંતી કરવી”

  • દેવે લોકોને તેની પાસે આવવા અને તેના લોકો થવા બોલાવ્યા.

આ તેઓનું “તેડું” છે

  • જયારે દેવ લોકોને “બોલાવે છે,” જેનો અર્થ દેવ લોકોને તેના બાળકો થવા, તેના સેવકો થવા અને ઈસુ દ્વારા મુક્તિનો સંદેશ પ્રચાર કરવા નિમણુક કરે છે અથવા પસંદ કરે છે.
  • આ શબ્દ કોઈકના નામકરણના સંદર્ભમાં પણ વપરાય છે.

ઉદાહરણ તરીકે, “તેનું યોહાન કહેવાયું” તેનો અર્થ, “તેનું નામ યોહાન આપવામાં આવ્યું” અથવા “તેનું નામ યોહાન છે.”

  • “નામ દ્વારા બોલાવવું” તેનો અર્થ એમ કે, કોઈકને બીજી વ્યક્તિનું નામ આપવામાં આવ્યું.

દેવ કહે છે કે તેણે તેના લોકોને તેના નામથી બોલાવ્યા.

  • “મેં તને નામથી બોલાવ્યો છે” તેવી વિવિધ અભિવ્યક્તિનો અર્થ, “દેવે તે વ્યક્તિને વિશેષ કરીને પસંદ કરી છે.

ભાષાંતરના સુચનો:

“તેડું” શબ્દના ભાષાંતરમાંથી જે શબ્દ નીકળે છે તેનો અર્થ, “બોલાવવું” કરી શકાય છે, જે ઇરાદાપૂર્વક અથવા હેતુપૂર્ણ તેડાનો વિચાર આપે છે.

  • “તમને બહાર બોલાવે” અભિવ્યક્તિનુ ભાષાંતર, “મદદ માટે તમને પૂછે છે” અથવા “તમને તાકીદથી વિનંતી કરે છે” એમ થઇ શકે છે.
  • જયારે બાઈબલ કહેછે કે દેવે આપણને તેના સેવકો થવા “તેડ્યા” છે, તેનું ભાષાંતર, “આપણને ખાસ રીતે પસંદ કર્યા છે” અથવા “આપણી નિમણુક કરી છે” જેથી આપણે તેના સેવકો થઇ શકીએ.
  • “તમે અવશ્ય તેને તેના નામથી બોલવો” તેનું ભાષાંતર, “તમે તેને અવશ્ય નામ આપો” થઇ શકે છે.
  • “તેનું નામ તે કહેવાશે” તેનું ભાષાંતર, “તે તેનું નામ છે” અથવા “તેને તે નામ આપવામાં આવ્યું છે” થઇ શકે છે.
  • “બોલાવવું” નું ભાષાંતર, “મોટેથી કહેવું” અથવા “બૂમ પાડવી” અથવા “મોટા અવાજથી કહેવું” એમ કરી શકાય છે.

ખાતરી કરી ધ્યાન રાખો કે તેનું ભાષાંતર, કોઈ વ્યક્તિ ગુસ્સે થયો છે તેવું ન લાગવું જોઈએ.

  • “તમારું તેડું” તે અભિવ્યક્તિનું ભાષાંતર “તમારો હેતુ” અથવા “તમારા માટે દેવનો હેતુ” અથવા “તમારા માટે દેવનું ખાસ કામ” તરીકે કરી શકાય.
  • “પ્રભુના નામને પોકારવું” નું ભાષાંતર, “પ્રભુને શોધવા અને તેના પર આધાર રાખવો” અથવા “પ્રભુમાં ભરોસો રાખવો અને તેને આધીન રહેવું” થઇ શકે છે.
  • “ કોઈને બોલાવવું” તે શબ્દનું ભાષાંતર, “માંગવું” અથવા “પૂછવું” અથવા “આદેશ આપવો” એમ કરી શકાય છે.
  • “તને મારા નામથી બોલાવ્યા છે” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “મેં તમને મારું નામ આપ્યું છે જે દર્શાવે છે કે તમે મારા છો” એમ કરી શકાય છે.
  • જયારે દેવ કહે છે, “મેં તને નામથી બોલાવ્યો છે”, તેનું ભાષાંતર, “હું તમને જાણું છું અને મેં તમને પસંદ કર્યા છે” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: પ્રાર્થના)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H559, H2199, H4744, H6817, H7121, H7123, G154, G363, G1458, G1528, G1941, G1951, G2028, G2046, G2564, G2821, G2822, G2840, G2919, G3004, G3106, G3333, G3343, G3603, G3686, G3687, G4316, G4341, G4377, G4779, G4867, G5455, G5537, G5581

ત્યાગ, ત્યાગ કરે છે, ત્યજાયેલો, ત્યજાઈ ગયેલું

વ્યાખ્યા:

“ત્યાગ” શબ્દનો અર્થ કોઈને છોડી દેવું અથવા કશાકનો પરિત્યાગ કરવો. કોઈ કે જે “ત્યજાયેલો” છે, તે કોઈ બીજા દ્વારા ત્યજેલો અથવા છોડી દીધેલો છે.

  • જયારે લોકો દેવને ત્યજી દે છે, ત્યારે તેઓ તેનો અનાદર કરીને તેને અવિશ્વાસુ બને છે.
  • જયારે દેવ લોકોનો “ત્યાગ કરે છે,” ત્યારે તે તેઓને મદદ કરવાનું બંધ કરે છે અને તેઓને તેની પાસે પાછા ફરે માટે તેઓને પીડાનો અનુભવ કરવા દે છે.
  • આ શબ્દનો અર્થ વસ્તુઓનો ત્યાગ કરવો પણ હોઈ શકે છે, જેવું કે કાંઈક પરિત્યાગ કરવું, અથવા દેવના શિક્ષણને અનુસરવું નહીં
  • “ત્યજાયેલો” શબ્દનો ભૂતકાળ તરીકે ઉપયોગ થઈ શકે છે જેમકે, “તેણે તમને દીધા છે” અથવા કોઈ કે જેને “ત્યજી દેવામાં” આવ્યો છે, એમ કરી શકાય છે.

ભાષાંતરના સૂચનો:

  • આ શબ્દના વિવિધ ભાષાંતરમાં, “ત્યાગ” અથવા “ઉપેક્ષા” અથવા “(તે)નો પરિત્યાગ કરવો” અથવા “તેનાથી દૂર જતા રહો” અથવા “પાછળ છોડવું” જેવા શબ્દો વાપરી સંદર્ભ પ્રમાણે તેનું (ભાષાંતર) કરી શકાય છે.
  • “દેવના કાયદાનો ત્યાગ કરવો” શબ્દનું ભાષાંતર, “દેવના કાયદાનો અનાદર કરવો” થઈ શકે છે.

તેનું ભાષાંતર “ત્યાગ કરવો” અથવા “પરિત્યાગ કરવો” અથવા “આજ્ઞા પાળવાનું બંધ કરવું” તેનું શિક્ષણ અથવા તેના કાયદા “પાળવાનું બંધ કરવું” પણ થઈ શકે છે.

  • “ત્યજાયેલ હોવું” શબ્દસમૂહનું ભાષાંતર, “છોડી દીધેલું હોવું” અથવા “ત્યજી દીધેલું હોવું” તરીકે કરી શકાય છે.
  • આ શબ્દના ભાષાંતરને વધારે સ્પષ્ટ કરવા અલગ શબ્દો વાપરવા, જેમકે શું આ લખાણ વસ્તુને અથવા વ્યક્તિના ત્યાગને વર્ણવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H488, H2308, H5203, H5428, H5800, H5805, H7503, G646, G657, G863, G1459, G2641,

દત્તક લેવું, દત્તક, દત્તક લીધેલ

વ્યાખ્યા:

“દત્તક,” “દત્તક લેવું” શબ્દ, દર્શાવે છે કે જે વ્યક્તિને જૈવિક રીતે પોતાનું બાળક ના હોય પણ તેને કાયદાકીય પ્રક્રિયા દ્વારા અપનાવામાં આવે.

  • બાઈબલ આ શબ્દનો ઉપયોગ રૂપક રીતે કરે છે, જે દર્શાવે છે કે કેવી રીતે ઈશ્વર લોકોને પોતાના આત્મિક દીકરા અને દીકરી બનાવી પોતાના કુટુંબના ભાગરૂપ બનાવે છે.
  • દત્તક લીધેલ સંતાન તરીકે ઈશ્વર દરેક વિશ્વાસીને પોતાના દીકરા અને દીકરી બનાવી ઇસુ ખ્રિસ્તની સાથે સહવારસ બનાવાની તક આપે છે.

ભાષાંતરના સૂચનો:

  • આ શબ્દનું ભાષાંતર એવા શબ્દથી કરવું જેથી તે માબાપ-બાળક વચ્ચેના ખાસ સબંધને દર્શાવે.

આ શબ્દનો અર્થ, રૂપક અને આત્મિક રીતે થાય તેની તકેદારી રાખો.

  • “પુત્રોને તરીકે દત્તક લીધાનો અનુભવ” શબ્દનું ભાષાંતર “ઈશ્વરે તેના બાળકો તરીકે દત્તક લીધા છે” અથવા “ઈશ્વરના (આત્મિક) બાળકો બન્યા છે” એમ થઇ શકે છે.
  • “તેના દત્તક પુત્રો બનવા રાહ જોવી” તેનું ભાષાંતર “ઈશ્વરના બાળકો બનવા તાકીને રાહ જોવી” અથવા “ઈશ્વરના બાળકો બનવા આશા સાથે રાહ જોવી” તેમ થઇ શકે છે.
  • “તેમને દત્તક લીધા” નું ભાષાંતર “તેમને બાળકો તરીકે સ્વીકાર્યા” અથવા “તેમને પોતાના (આત્મિક) બાળકો બનાવ્યા” એમ થઇ શકે છે.

(તે પણ જુઓ: વારસ, વારસો, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G5206

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને જ્યારે તેઓ નિમ્ન અથવા દયામણી સ્થિતિમાં હોય.

  • “દયા” શબ્દમાં લોકોએ કશુંક ખોટું કર્યું હોય તો તેમને શિક્ષા ન કરવાનો અર્થ પણ સમાયેલો છે.
  • જ્યારે એક શક્તિશાળી વ્યક્તિ જેમકે એક રાજા લોકોને નુકસાન પહોંચાડવાને બદલે તેઓ સાથે માયાળુપણે વર્તે છે ત્યારે તેને “દયાળુ” કહેવામાં આવે છે.
  • દયાળુ હોવાનો અર્થ કોઈ વ્યક્તિ કે જેણે આપણી વિરુદ્ધ કંઈક ખોટું કર્યું હોય તેને માફ કરવાનો પણ છે.
  • જ્યારે આપણે જેઓ ખૂબ જ જરૂરિયાતમાં છે તેઓને મદદ કરીએ છીએ ત્યારે આપણે દયા દાખવીએ છીએ.
  • ઈશ્વર આપણી પ્રત્યે દયાળુ છે, અને તેઓ ઈચ્છે છે કે આપણે બીજાઓ પ્રત્યે દયાળુ બનીએ.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભને ધ્યાનમાં રાખતા “દયા”નો અનુવાદ “ભલાઈ” અથવા તો “કરુણા” અથવા તો “રહેમ” તરીકે કરી શકાય.
  • “દયાળુ” શબ્દનો અનુવાદ “દયા કરવી” અથવા તો “કોઈક પ્રત્યે ભલા હોવું” અથવા તો “માફ કરવું” તરીકે કરી શકાય.
  • “દયા બતાવવી” અથવા તો “તેના પર દયા કરવી”નો અનુવાદ “માયાળુપણે વર્તવું” અથવા તો “તેના પર કરુણામય હોવું” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 19:16 તેઓ (પ્રબોધકો) બધાએ લોકોને મૂર્તિપૂજા કરવાનું બંધ કરવા અને બીજાઓ પ્રત્યે ન્યાય તથા દયા દર્શાવવા કહ્યું.
  • 19:17 તે (યર્મિયા) કૂવાના તળિયે રહેલ કાદવમાં ખૂંપી ગયો , પણ પછી રાજાએ તેના પર દયા કરી અને તેણે યર્મિયા મરી જાય તે પહેલાં તેને બહાર કાઢવા પોતાના ચાકરોને આજ્ઞા કરી.
  • 20:12 ઈરાનનું સામ્રાજ્ય શક્તિશાળી હતું તો પણ તેણે જીતેલા લોકો પ્રત્યે તે દયાળુ હતું.
  • 27:11 પછી ઈસુએ નિયમના નિષ્ણાંતને પૂછ્યું, “તને શું લાગે છે? જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”
  • 32:11 પણ ઈસુએ તેને કહ્યું, “ના, મારી ઈચ્છા છે કે તું ઘરે જાય અને ઈશ્વરે તારા માટે જે બધું કર્યું છે અને કેવી રીતે તેઓએ તારા પર દયા કરી છે તે વિષે તારા મિત્રો તથા કુટુંબને જણાવે.
  • 34:9 “પણ કર ઉઘરાવનાર ધાર્મિક આગેવાનથી દૂર ઊભો રહ્યો અને આકાશ તરફ જોયું પણ નહિ. તેને બદલે, તેણે છાતી કૂટીને પ્રાર્થના કરી, ‘ઈશ્વર, મારા પર મહેરબાની કરીને દયા કરો કારણકે હું પાપી છું.’”

શબ્દ માહિતી:

  • Strong's: H2551, H2603, H2604, H2616, H2617, H2623, H3722, H3727, H4627, H4819, H5503, H5504, H5505, H5506, H6014, H7349, H7355, H7356, H7359, G1653, G1655, G1656, G2433, G2436, G3628, G3629, G3741, G4698

દયાસન, પ્રાયશ્ચિત્તનું ઢાંકણ

વ્યાખ્યા:

“દયાસન” સોનાનું બનેલું હતું કે જે કરારકોશના ઉપરના ભાગને ઢાંકવા વપરાતું હતું. ઘણા અંગ્રેજી ભાષાંતરમાં, તેને “પ્રાયશ્ચિતના ઢાંકણ” તરીકે પણ ઓળખવામાં આવ્યું છે.

  • દયાસન આશરે 115 સેન્ટીમીટર લાંબુ અને 70 સેન્ટીમીટર પહોળું હતું.
  • સોનાના બે કરૂબો તેમની પાંખો સાથે દયાસનની ઉપર જોડાયેલા હતા.
  • યહોવાએ કહ્યું કે તે ઈઝરાએલીઓને દયાસનની ઉપર કરૂબોએ પાંખો ફેલાવેલી છે તેની નીચે મળશે.
  • ફક્ત મુખ્ય યાજકને આ રીતે લોકોના પ્રતિનિધિ તરીકે યહોવાને મળવાની પરવાનગી હતી.
  • ક્યારેક આ પ્રાયશ્ચિતના ઢાંકણને “દયાસન” તરીકે ઓળખવામાં આવ્યું છે, કારણકે તે દર્શાવતું હતું કે દેવની દયા માણસોને પાપથી છોડાવવા માટે નીચે આવે છે.

ભાષાંતરના સુચનો:

  • આ શબ્દને બીજી રીતે ભાષાંતર કરીએ તો “કરારકોશનું આવરણ કે જ દેવના વચન દ્વારા છૂટકારો આપે છે” અથવા “જગ્યા કે જ્યાં દેવ છૂટકારો આપે છે” અથવા “કોશનું ઢાંકણ જ્યાં દેવ માફ કરે છે અને પુનઃસ્થાપિત કરે છે.”
  • તેનો અર્થ “રીઝવવાનું સ્થાન” પણ થઇ શકે છે.
  • “પ્રાયશ્ચિત” “રીઝવવું” અને “છૂટકારો” સાથે આ શબ્દની સરખામણી કરો કે તેનું ભાષાંતર કેવી રીતે થયું છે.

(આ પણ જુઓ: કરારકોશ, પ્રાયશ્ચિત, કરુબીમ, રીઝવવું, છૂટકારો)

બાઈબલની કલમો

શબ્દ માહિતી:

  • Strong's: H3727, G2435

દાન, દાનો

વ્યાખ્યા:

“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.

  • પૈસા, ખોરાક, કપડાં, અથવા અન્ય વસ્તુઓ જે ગરીબ લોકોને આપવામાં આવે છે, તેને “દાનો” કહેવામાં આવે છે.
  • બાઈબલમાં, દેવને અર્પણ અથવા બલિદાન આપવામાં આવે છે, તેને પણ દાન કહેવામાં આવે છે.
  • કંઈક મુક્તિનું દાન છે જે ઈસુમાં વિશ્વાસ દ્વારા દેવ આપણને આપે છે.
  • નવા કરારમાં, “દાનો” શબ્દ એ ખાસ આત્મિક ક્ષમતાઓ (વરદાન) દર્શાવવા પણ વાપરવામાં આવ્યો છે કે જે દેવ બધા ખ્રિસ્તીઓને અન્ય લોકોની સેવા કરવા માટે આપે છે.

ભાષાંતરના સૂચનો:

  • “દાન” માટેના સામાન્ય શબ્દનું ભાષાંતર શબ્દ અથવા શબ્દસમૂહ સાથે કરી શકાય કે જેનો અર્થ, “કંઈક કે જે આપવામાં આવે છે.”
  • કોઈને દેવ તરફથી દાન (વરદાન) અથવા ખાસ ક્ષમતા હોય તે સંદર્ભમાં, “આત્મા તરફથી દાન” શબ્દનું ભાષાંતર, “આત્મિક ક્ષમતા” અથવા “પવિત્ર આત્મા દ્વારા ખાસ ક્ષમતા” અથવા “ વિશેષ આત્મિક કૌશલ્ય કે જે દેવ આપે છે,” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H814, H4503, H4864, H4976, H4978, H4979, H4991, H5078, H5083, H5379, H7810, H8641, G334, G1390, G1394, G1431, G1434, G1435, G3311, G5486

દીકરો

વ્યાખ્યા:

પુરુષ અને સ્ત્રીનું નર સંતાન તેમનો “દીકરો” તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કહેવાય. તેને તે પુરુષનો દીકરો અને તે સ્ત્રીનો દીકરો પણ કહેવાય. “દત્તક પુત્ર” એક પુરુષ છે જેને દીકરો હોવાના સ્થાને કાયદેસર રીતે મૂકવામાં આવ્યો છે.

  • શબ્દસમૂહ “નો દીકરો”  નો ઉપયોગ વ્યક્તિના પિતા, માતા, અથવા એક પૂર્વજ આગળની કોઈક પેઢીમાંથી માટે કરી શકાય છે. આ શબ્દસમૂહનો ઉપયોગ ઘણા સ્થાનોએ વંશાવળીમાં થાય છે.
  • "ઈઝરાયેલના દીકરાઓ" એટલે સામાન્યપણે ઈઝરાયેલી રાષ્ટ્ર (ઉત્પતિ પછી).
  • “નો દીકરો” ઉપયોગ કરીને વારંવાર પિતાનું નામ આપીને એવા લોકોની ઓળખ કરવા મદદ કરે છે જેઓના નામ એકસરખા છે. ઉદાહરણ તરીકે, ૧ રાજાઓ ૪ મા, “સાદોકનો દીકરો અઝાર્યા” અને નાથાનનો દીકરો અઝાર્યા” અને ૨ રાજાઓ ૧૫ મા “અમાસ્યાનો દીકરો અઝાર્યા” ત્રણે જુદા જુદા માણસો છે.
  • "નો દીકરો" શબ્દસમૂહનો ઉપયોગ વ્યક્તિ સાથે આગળ આવતા વ્યક્તિ અથવા ખ્યાલને જોડવા માટે ઉપયોગમાં લેવાય છે. આ અર્થ ખૂબ વીશાળ રીતે સંદર્ભ દ્વારા નક્કી થાય છે. એ હકારાત્મક હોઈ શકે છે (ઉદાહરણ તરીકે ૨ જો રાજા ૨:૧૬: "ક્ષમતાના દીકરાઓ"), નકારાત્મક (ઉદાહરણ તરીકે ૨ જો શમૂએલ ૭:૧૦" "દુષ્ટતાના દીકરાઓ), જૂથમાં સભ્યપદ આપવું, વ્યક્તિનું નામ લીધા વગર તુચ્છકારને વ્યક્ત કરવો (ઉદાહરણ તરીકે "તમે ઝેરુયાહના દીકરાઓ"), વિગેરે.

અનુવાદ માટેના સૂચનો:

  • આ શબ્દના મોટા ભાગના બનાવોમાં, “દીકરા”નું અનુવાદ ભાષામાં પુત્ર માટે વપરાતા શાબ્દિક શબ્દ દ્વારા કરવું શ્રેષ્ઠ રહેશે.
  • “ઈશ્વરના દીકરા” શબ્દસમૂહનું અનુવાદ કરતી વખતે, પ્રોજેક્ટ ભાષાનો “દીકરા” માટેનો સામાન્ય શબ્દ વાપરવો જોઈએ.
  • કેટલીકવાર “દીકરાઓ” નું અનુવાદ “બાળકો” કરી શકાય, જ્યારે બંને પુરુષ અને સ્ત્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. ઉદાહરણ તરીકે, “ઈશ્વરના દીકરાઓ” નું અનુવાદ “ઈશ્વરના બાળકો” તરીકે કરી શકાય જેમાં આ અભિવ્યક્તિ છોકરીઓ અને સ્ત્રીઓનો પણ સમાવેશ કરે છે. (આ પણ જુઓ: વંશજ, પૂર્વજ, ઈશ્વરનો દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 4:8 ઈશ્વરે અબ્રામ સાથે વાત કરી અને ફરી વચન આપ્યું કે તેને દીકરો થશે આકાશમાંના તારા જેટલા વંશજો થશે.
  • 4:9 ઈશ્વરે કહ્યું, “તારા પોતાના દેહમાંથી હું તને દીકરો આપીશ.”
  • 5:5 લગભગ એક વર્ષ બાદ, જ્યારે ઈબ્રાહીમ 100 વર્ષનો હતો ને સારા 90 વર્ષની હતી, ત્યારે સારાએ ઈબ્રાહિમના દીકરાને જન્મ આપ્યો.
  • 5:8 જ્યારે તેઓ દહનાર્પણની જગાએ પહોંચ્યા, ત્યારે ઈબ્રાહિમે તેના દીકરા ઈસહાકને બાંધ્યો અને તેને વેદી પર સુવડાવ્યો. તે તેના દીકરાને મારવાની તૈયારીમાં જ હતો ત્યારે ઈશ્વરે કહ્યું, “થોભી જા! છોકરાને નુકસાન પહોંચાડીશ નહિ! હવે હું જાણું છું કે તું મારાથી બીએ છે કારણ કે તેં તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી.”
  • 9:7 જ્યારે તેણીએ બાળકને જોયું, ત્યારે તેણી તેને પોતાના દીકરા તરીકે લઇ ગઈ.
  • 11:6 ઈશ્વરે મીસરીઓના દરેક પ્રથમ જનીત દીકરાઓને મારી નાંખ્યા.
  • 18:1 ઘણાં વર્ષો પછી દાઉદ મરણ પામ્યો, અને તેના દીકરા સુલેમાને રાજ કરવાની શરૂઆત કરી.
  • 26:4 તેઓએ પૂછ્યું, શું એ દીકરો યુસફનો છે?"

શબ્દ માહિતી:

  • Strong's: H1060, H1121, H1123, H1248, H3173, H3206, H3211, H4497, H5209, H5220, G3816, G5043, G5207

દુષ્ટ, દુરાચારી, ન ગમે એવું

વ્યાખ્યા:

બાઇબલમાં "દુષ્ટ" શબ્દ કાં તો 'નૈતિક દુષ્ટતા' અથવા 'લાગણીની રીતે ન ગમે તેવું,' જેવા ખ્યાલનો ઉલ્લેખ કરે છે. મહદઅંશે સંદર્ભ સ્પસ્ટ કરશે કે ચોક્કસ ઘટનામાં કયો અર્થ સૂચવવામાં આવ્યો છે.

  • જ્યારે “દુષ્ટ” એ કદાચ વ્યક્તિના ચારિત્ર્યનુ વર્ણન કરે ત્યારે “દુરાચારી” (શબ્દ) કદાચ વ્યક્તિના વર્તનને દર્શાવે છે. જો કે, બન્ને શબ્દો અર્થમાં ખૂબજ સમાન છે
  • “દુષ્ટતા” શબ્દ દર્શાવે છે કે જયારે લોકો દુષ્ટ બાબતો કરે છે ત્યારે તેના અસ્તિત્વમાં રહેલી દુષ્ટતા (દેખાઈ આવે છે).
  • દુષ્ટતાનું પરિણામ સ્પષ્ટ બતાવે છે કે કેવી રીતે લોકો બીજાની સાથે ખરાબ વર્તન કરીને, મારી નાખે, ચોરી કરે, નિંદા કરી અને ક્રૂર બની અને નિર્દય બની જતા હોય છે.

ભાષાંતરના સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, “દુષ્ટ” અને “દુરાચારી” શબ્દોનું ભાષાંતર, “ખરાબ” અથવા “પાપી” અથવા “અનૈતિક” તરીકે કરી શકાય.
  • બીજી રીતે આ શબ્દનું ભાષાંતર કરવામાં આવે તો, “જે સારું નથી” અથવા “પ્રામાણિક/ન્યાયી નથી” અથવા “નૈતિક નથી” તેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
  • ખાતરી કરો કે આ શબ્દોનું ભાષાંતર કરવા માટે જે શબ્દો અથવા શબ્દસમૂહો જે સંદર્ભમાં વપરાયા છે તે લક્ષ્ય ભાષામાં તે કુદરતી રીતે બંધ બેસતું હોય.

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, પ્રામાણિક, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 2:4 માત્ર ઈશ્વર જાણે છે કે જેવું તમે તે ખાશો, તમે ઈશ્વરના જેવા અને તેમના જેવું સારું અને ભૂંડું જાણનાર થશો.
  • 3:1 લાંબા સમય પછી, ઘણા લોકો જગતમાં રહેવા લાગ્યા. તેઓ ખૂબજ દુષ્ટ અને હિંસક બન્યાં હતા.
  • 3:2 પણ નૂહને ઈશ્વરથી કૃપા પ્રાપ્ત થઇ. તે દુષ્ટ લોકોની વચ્ચે રહેતો એક પ્રામાણિક માણસ હતો.
  • 4:2 ઈશ્વરે જોયું કે જો તેઓ બધા સાથે મળીને દુષ્ટતા કરવાનું ચાલુ રાખશે, તો તેઓ ઘણી પાપરૂપ બાબતો કરશે.
  • 8:12 જયારે તમે મને ગુલામ તરીકે વેચ્યો ત્યારે તમે દુષ્ટતા કરવા પ્રયાસ કર્યો, પણ ઈશ્વરે દુષ્ટતા નો સારા માટે ઉપયોગ કર્યો.
  • 14:2 તેઓ (કનાનીઓ) એ જૂઠા દેવોની પૂજા કરી અને ઘણી દુષ્ટ બાબતો કરી.
  • 17:1 પણ પછી તે માણસ (શાઉલ) દુષ્ટ બન્યો કે જેણે ઈશ્વરની આજ્ઞા પાળી નહિ, જેથી ઈશ્વરે બીજો એક માણસ પસંદ કર્યો કે જે એક દિવસ તેની જગાએ રાજા થશે.
  • 18:11 ઈઝરાએલના નવા રાજ્યમાં, બધાંજ રાજાઓ દુષ્ટ હતા.
  • 29:8 રાજા બહુજ ગુસ્સે થયો, કે જેથી દુષ્ટ ચાકર જ્યાં સુધી તેનું બધું દેવું ભરપાઈ ન કરે ત્યાં સુધી તેને કેદખાનામાં નાંખ્યો.
  • 45:2 તેઓએ કહ્યું, અમે તેને (સ્તેફન) ને મૂસા અને ઈશ્વર વિરુદ્ધ દુષ્ટ બાબતો બોલતો સાંભળ્યો.
  • 50:17 તે (ઈસુ) દરેક આસું લૂછી નાખશે, અને ત્યાં કોઈ વધુ પીડા, નિરાશા, રડવું, દુષ્ટતા, દર્દ, અથવા મરણ હશે નહીં.

શબ્દ માહિતી:

  • Strong's: H205, H605, H1100, H1681, H1942, H2154, H2162, H2617, H3415, H4209, H4849, H5753, H5766, H5767, H5999, H6001, H6090, H7451, H7455, H7489, H7561, H7562, H7563, H7564, G92, G113, G459, G932, G987, G988, G1426, G2549, G2551, G2554, G2555, G2556, G2557, G2559, G2560, G2635, G2636, G4151, G4189, G4190, G4191, G5337

દેવ, જૂઠા દેવો, દેવી, મૂર્તિ, મૂર્તિઓ, મૂર્તિપૂજક, મૂર્તિપૂજકો, મૂર્તિપૂજક, મૂર્તિપૂજા

વ્યાખ્યા:

જૂઠો દેવ એ છે કે લોકો સાચા દેવને બદલે તેની પૂજા કરે છે. વિશેષ કરીને “દેવી” શબ્દ, જૂઠા નારી દેવને (દેવીને) દર્શાવે છે.

  • આ જૂઠા દેવો અથવા દેવી અસ્તિત્વમાં હોતા નથી.

ફક્ત યહોવા એકલો દેવ છે.

  • ક્યારેક લોકો પૂજા કરવા માટે તેઓના જૂઠા દેવોના નિશાન તરીકે મૂર્તિઓની પ્રતિમા બનાવે છે.
  • બાઈબલમાં વારંવાર દેવના લોકો જૂઠા દેવોની પૂજા કરવા તેનાથી દૂર ચાલ્યા ગયા.
  • મોટેભાગે ભૂતો લોકોને વિશ્વાસ આપીને છેતરે છે કે જૂઠા દેવો અને જે મૂર્તિઓની તેઓ પૂજા કરે છે, તેમની પાસે પણ શક્તિ છે.
  • બાઈબલના સમયમાં બઆલ, દેગોન, અને મોલેખ એ ઘણા જૂઠા દેવોમાંના ત્રણ હતા કે, જેઓની લોકો દ્વારા પૂજા થતી હતી.
  • અશેરાહ અને આર્તીમીશ (ડાયના) બે દેવીઓ હતી કે પ્રાચીન લોકોએ તેઓની પૂજા કરતા. મૂર્તિ એ એક વસ્તુ છે કે લોકો તેને બનાવે છે જેથી તેઓ તેની પૂજા કરી શકે. સાચા ઈશ્વર વગર બીજા કોઈને માન આપવામાં આવે તેને “મૂર્તિપૂજક” કહેવામાં આવે છે.
  • લોકો જૂઠા દેવોની મૂર્તિઓ બનાવી તેનું પ્રતિનિધિત્વ કરે છે કે તેઓ તેની પૂજા કરે.
  • આ જૂઠા દેવો અસ્તિત્વમાં નથી, યહોવા વિના કોઈ દેવ નથી.
  • ક્યારેક ભૂતો એક મૂર્તિ દ્વારા કાર્ય કરે છે કે જે બતાવે છે કે તેની પાસે શક્તિ છે.
  • મોટેભાગે મૂર્તિઓને કિંમતી સામગ્રી જેવી કે સોનું, ચાંદી, પિત્તળ, અથવા મોંઘા લાકડામાંથી બનાવવામાં આવે છે.
  • “મૂર્તિપૂજક રાજ્ય” શબ્દનો અર્થ, “લોકોનું રાજ્ય જે જ્યાં મૂર્તિઓની પૂજા થાય છે” અથવા “લોકોનું રાજ્ય કે જ્યાં પૃથ્વીની વસ્તુઓની પૂજા કરે છે.”
  • “મૂર્તિપૂજાની આકૃતિ” શબ્દ એ “કોતરેલી પ્રતિમા” અથવા એક “મૂર્તિ” માટેનો અન્ય શબ્દ છે.

ભાષાંતરના સૂચનો:

  • કદાચ ત્યાંની નજીકમાં રહેતા ભાષાવાળા લોકો પાસે, “દેવ” અથવા “જૂઠો દેવ” શબ્દ હોઈ શકે છે.
  • “મૂર્તિ” શબ્દ જૂઠા દેવોને દર્શાવવા માટે વાપરી શકાય છે.
  • અંગ્રેજીમાં, જૂઠા દેવોને દર્શાવવા માટે નાનો “જી” (G) વાપરવામાં આવ્યો છે, અને સાચા દેવને દર્શાવવા માટે મોટો “જી” વાપરવામાં આવ્યો છે. અન્ય ભાષાઓ પણ તેમજ કરે છે.
  • અન્ય વિકલ્પમાં જૂઠા દેવોને દર્શાવવા માટે સંપૂર્ણપણે અલગ શબ્દનો ઉપયોગ કરવો.
  • કદાચ કેટલીક ભાષાઓમાં જૂઠા દેવો નર કે નારી છે તે સ્પષ્ટતા કરવા જે તે શબ્દ ઉમેરવામાં આવે છે.

(આ પણ જુઓ: દેવ, અશેરાહ, બઆલ, મોલેખ, ભૂત, પ્રતિમા, રાજ્ય, પૂજા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો :

  • 10:2 આ મરકી દ્વારા, દેવે ફારુન ને બતાવ્યું કે, તે ફારુન અને મિસરના સઘળા દેવો કરતા વધારે શક્તિશાળી છે.
  • 13:4 પછી દેવે તેઓને કરાર આપ્યો અને કહ્યું, “હું યહોવા, તમારો દેવ છું, કે જેણે તમને મિસરની ગુલામીમાંથી બચાવ્યા. અન્ય દેવોની પૂજા કરશો નહીં.
  • 14:2 તેઓ (કનાનીઓ) એ જૂઠા દેવોની પૂજા કરી અને ઘણી દુષ્ટ બાબતો કરી.
  • 16:1 ઈઝરાએલીઓએ યહોવા સાચા દેવને બદલે, કનાનીઓના દેવોની આરાધના કરવાની શરૂઆત કરી.
  • 18:13 પણ મોટાભાગના યહૂદાના રાજાઓ દુષ્ટ, ભ્રષ્ટ હતા, અને તેઓએ મૂર્તિઓની આરાધના કરી. કેટલાક રાજાઓએ જૂઠા દેવોને તેઓના બાળકોનું બલિદાન પણ આપ્યું.

શબ્દ માહિતી:

  • Strong's: H205, H367, H410, H426, H430, H457, H1322, H1544, H1892, H2553, H3649, H4656, H4906, H5236, H5566, H6089, H6090, H6091, H6456, H6459, H6673, H6736, H6754, H7723, H8163, H8251, H8267, H8441, H8655, G1493, G1494, G1495, G1496, G1497, G2299, G2712

દેવદૂત, દેવદૂતો, મુખ્ય દેવદૂત

વ્યાખ્યા:

દેવદૂત ઈશ્વર દ્વારા સર્જાયેલ એક આત્મા છે. જે પ્રમાણે ઈશ્વર આજ્ઞા આપે તે પ્રમાણે કરવા દૂતો હયાતી ધરાવે છે. “મુખ્ય દેવદૂત” શબ્દ એવા દેવદૂતને દર્શાવે છે કે જે બીજા દેવદૂતો પર શાસન કરનાર અથવા આગેવાની આપનાર છે.

  • “દેવદૂત” શબ્દનો શાબ્દિક અર્થ “સંદેશવાહક” થાય છે.
  • “મુખ્ય દેવદૂત” આ શબ્દનો શાબ્દિક અર્થ “મુખ્ય સંદેશવાહક” થાય છે.

બાઈબલમાં ફક્ત મિખાયેલ માટે “મુખ્ય દેવદૂત” છે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  • બાઈબલમાં દેવદૂતો દેવ તરફથી લોકોને સંદેશાઓ આપતા.

આ સંદેશાઓમાં દેવ લોકો પાસે શું કરાવવા માંગે છે તેની સૂચનાઓનો સમાવેશ થાય છે.

  • દેવદૂતો ભવિષ્યમાં શું ઘટનાઓ બનવાની છે અથવા કઈ ઘટનાઓ અગાઉથી બની ગઈ છે તે વિશે પણ લોકોને જણાવતા.
  • દેવદૂતોને દેવના પ્રતિનિધિ તરીકે અધિકાર રહેલો છે અને ઘણીવાર બાઈબલમાં દેવ પોતે બોલી રહ્યા છે તેમ તેઓ બોલ્યા.
  • બીજી રીતે જોઈએ દેવદૂતો લોકોને રક્ષણ આપી અને તેમને દ્રઢ કરી દેવની સેવા કરતા.
  • “યહોવાનો દૂત” તે વિશેષ વાક્યના એક કરતાં વધારે અર્થ હોઈ શકે: 1) તે અર્થ કદાચ “દેવદૂત કે જે યહોવાનું પ્રતિનિધિત્વ કરે છે તે દર્શાવે છે” અથવા “સંદેશવાહક કે જે યહોવાની સેવા કરે છે.”

2) તે કદાચ યહોવા પોતે છે તેમ દર્શાવે છે, અને જે વ્યક્તિ સાથે તે બોલે છે તેને દેવદૂત જેવો દેખાય છે.

આ બેમાંનો એક અર્થ સમજાવે છે કે કેવી રીતે દુતો “હું” શબ્દનો ઉપયોગ કરે છે જાણે કે યહોવા પોતે બોલી રહ્યા છે.

ભાષાંતરના સૂચનો:

“દૂત” શબ્દનું ભાષાંતર “દેવ તરફથી સંદેશવાહક” અથવા “દેવનો સ્વર્ગીય સેવક” અથવા “દેવનો આત્મિક સંદેશ વાહક” એમ થઇ શકે છે. આ શબ્દ “મુખ્ય દૂતનું” ભાષાંતર “વડો દૂત” અથવા “સૌની ઉપર હુકમ ચલાવનાર દૂત” અથવા “દુતોનો આગેવાન” એમ થઇ શકે છે.

  • આ શબ્દનું રાષ્ટ્રીય ભાષા અથવા સ્થાનિક ભાષામાં કેવી રીતે ભાષાંતર કરવું તે ધ્યાન રાખવું.

“યહોવાનો દૂત” શબ્દના ભાષાંતર માટે “દૂત” અથવા “યહોવા” શબ્દોનો ઉપયોગ થયો હોવો જોઈએ. તેથી આ શબ્દ માટે જુદાજુદા ખુલાસાઓ થઇ શકે છે. આ શબ્દનું શક્ય ભાષાંતર “યહોવા તરફથી દૂત” અથવા “યહોવા દ્વારા મોકલેલ દૂત” અથવા “યહોવા, કે જે દૂત સમાન દેખાય છે” તેમ થઇ શકે છે.

(આ પણ જુઓ : અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ : મુખ્ય, વડો, સંદેશવાહક, મિખાએલ, શાસક, સેવક)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 2:12 દેવે મોટા શક્તિશાળી દૂતોને બાગના પ્રવેશ દ્વાર આગળ રાખ્યા કે કોઇપણ જીવનના વ્રુક્ષનું ફળ ખાવાથી દુર રહે.
  • 22:3 દૂતે ઝખાર્યાને જવાબ આપ્યો “તને સુસમાચાર આપવા દેવે મને મોકલ્યો હતો.”
  • 23:6 એકાએક ચમકતો દૂત તેઓને (ઘેટાપાળકોને) દેખાયો, અને તેઓ ભયભીત થયા. દૂતે “કહ્યું ગભરાશો નહીં કારણકે મારી પાસે તમારા માટે શુભ સમાચાર છે.”
  • 23:7 એકાએક, દેવની સ્તુતિ કરતાં દેવદૂતો થી આકાશ ભરાઈ ગયું.
  • 25:8 પછી દેવદૂતો એ આવીને ઈસુની સંભાળ લીધી.
  • 38:12 ઈસુ ખુબજ વ્યથિત હતા અને તેનો પરસેવો લોહીના ટીપાં જેવો થઇ ગયો.

તેને શક્તિ આપવા દેવે દૂતને મોકલ્યો.

  • 38:15 “મારા બચાવ માટે પિતા પાસે હું દૂતો નું સૈન્ય માગી શકું છું.”

શબ્દ માહિતી:

  • Strong's: H47, H430, H4397, H4398, H8136, G32, G743, G2465

દેવની પ્રતિમા, સ્વરૂપ

વ્યાખ્યા:

“પ્રતિમા” શબ્દ દર્શાવે છે કે કંઈક જે બીજાના જેવું જ દેખાય છે અથવા કે જે જેનામાં બીજાના જેવું ચરિત્ર અથવા ગુણ દેખાય. સંદર્ભ પર આધાર રાખીને, “દેવની પ્રતિમા” શબ્દસમૂહને વિવિધ રીતે વાપરવામાં આવ્યો છે.

  • શરૂઆતના સમયમાં, દેવે “પોતાના સ્વરૂપ પ્રમાણે” માનવ જાતને ઉત્પન્ન કર્યું, જેનામાં “તેના જેવી સમાનતા” હતી. તેનો અર્થ કે લોકોમાં ચોક્કસ પ્રકારની લાક્ષણિકતા રહેલી છે જે દેવની પ્રતિમાનું પ્રતિબિંબ પાડે છે, જેવા કે લાગણીનો અનુભવ કરવાની શક્તિ, તર્ક શક્તિ અને વાતચીત કરવાની ક્ષમતા, અને આત્મા કે જે (આપણામાં) સદાકાળ જીવે છે.
  • બાઈબલ શીખવે છે કે ઈસુ, દેવનો દીકરો, જે “દેવની પ્રતિમા છે”, (અને) તે પોતે દેવ છે. ઈસુને બીજા મનુષ્યની જેમ બનાવવામાં આવ્યો નહોતો. અનંતકાળથી દેવ પુત્રની પાસે બધાજ દૈવી લક્ષણો છે કારણકે તેની પાસે ઈશ્વર પિતાની જેમ એ જ પ્રકારના ગુણો રહેલા છે.

ભાષાંતરના સૂચનો:

  • “દેવની પ્રતિમા” તરીકે જયારે ઈસુને દર્શાવવા આવે છે ત્યારે તેનું ભાષાંતર, “દેવના સમાન સ્વરૂપમાં” અથવા “દેવની જેમ જ” કરી શકાય છે.
  • જયારે માણસ જાતને દર્શાવવામાં આવે છે, ત્યારે “દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે તેઓને બનાવ્યા” તેનું ભાષાંતર, શબ્દસમૂહ સાથે કરવામાં આવે તો તેનો અર્થ, “દેવે તેઓને તેના જેવા થવા માટે ઉત્પન્ન કર્યા” અથવા “દેવે તેઓને તેના પોતાના જેવા લક્ષણો સાથે ઉત્પન્ન કર્યા.”

(આ પણ જુઓ: પ્રતિમા, દેવનો દીકરો, દેવનો પુત્ર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H4541, H1544, H2553, H6456, H6459, H6754, H6816, H8403, G504, G179

દેવનું ઘર, યહોવાનું ઘર

વ્યાખ્યા:

બાઈબલમાં, “દેવનું ઘર” (દેવનું ઘર) અને “યહોવાનું ઘર” (યહોવાનું ઘર) શબ્દસમૂહો જ્યાં દેવની આરાધના થાય છે, તે સ્થળ ને દર્શાવે છે.

  • મુલાકાત મંડપ અથવા મંદિરને દર્શાવવા પણ આ શબ્દને વધુ નિશ્ચિત રીતે વાપરવામાં આવ્યો છે.
  • ક્યારેક “દેવના ઘર”ને દેવના લોકોને દર્શાવવા વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

  • જયારે આરાધનાના સ્થળ તરીકે દર્શાવવામાં આવે છે, ત્યારે આ શબ્દનું ભાષાંતર, “દેવની આરાધના માટેનું ઘર” અથવા “દેવની આરાધના માટેનું સ્થળ” તરીકે કરી શકાય છે.
  • જો તે મંદિર અથવા મુલાકાત મંડપને દર્શાવે છે, તો આ શબ્દનું ભાષાંતર “મંદિર (અથવા મુલાકાત મંડપ) જ્યાં દેવની આરાધના થાય છે (“જ્યાં દેવ હાજર છે” અથવા “જ્યાં દેવ તેના લોકોને મળે છે”) તરીકે કરી શકાય છે.
  • જયારે “ઘર” વિશે વાત કરવામાં આવે ત્યારે, માહિતીસંચાર માટે દેવ “ત્યાં રહે છે” તે શબ્દ વાપરવો અગત્યનો છે, એટલે કે તેનો આત્મા તેના લોકોને મળવા અને તેઓ દ્વારા તેની આરાધના પ્રાપ્ત કરવા માટે તે એ સ્થળમાં છે.

(આ પણ જુઓ: દેવના લોકો, મુલાકાત મંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H426, H430, H1004, H1005, H3068, G2316, G3624

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

  • રૂપકાત્મક રીતે સઘળા માનવ જાત અથવા સઘળા જીવિત પ્રાણીઓને દર્શાવવા બાઈબલ પણ “દેહ” શબ્દનો ઉપયોગ કરે છે.
  • નવા કરારમાં, “દેહ” શબ્દ માનવ જાતના પાપી સ્વભાવને દર્શાવવા માટે વપરાયેલ છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

  • “પોતાનો દેહ અને લોહી” અભિવ્યક્તિ કોઈ કે જે જૈવિક રીતે બીજી વ્યક્તિને સંબંધિત છે, જેવા કે માતા- પિતા, ભાઈ-બહેન, બાળક, અથવા પૌત્ર-પૌત્રીને દર્શાવે છે.
  • “દેહ અને લોહી” અભિવ્યક્તિ વ્યક્તિના પૂર્વજો અથવા વંશજોને પણ દર્શાવી શકે છે.
  • “એક દેહ” અભિવ્યક્તિ લગ્નમાં પુરુષ અને સ્ત્રી શારીરિક રીતે એક થાય છે તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

  • એક પ્રાણીના શરીરના સંદર્ભમાં, “દેહ” શબ્દનું ભાષાંતર, “શરીર” અથવા “ચામડી” અથવા “માંસ” તરીકે કરી શકાય છે. જયારે આ શબ્દ સામાન્ય રીતે જીવતા પ્રાણીને માટે કરવામાં આવે છે, ત્યારે આ શબ્દનું ભાષાંતર, “જીવતા પ્રાણીઓ” અથવા “જે કાંઈ જીવતું છે,” એમ (ભાષાંતર) થઇ શકે છે.
  • સામાન્ય રીતે જયારે બધા લોકો માટે દર્શાવવામાં આવે છે, ત્યારે આ શબ્દનું ભાષાંતર, “લોકો” અથવા “માનવ જાત” અથવા “દરેક જેઓ જીવે છે,” તરીકે કરી શકાય છે.
  • “માંસ અને લોહી” અભિવ્યક્તિનું ભાષાંતર, “સંબંધીઓ” અથવા “કુટુંબ” અથવા “સ્વજન” અથવા “કુટુંબનું કુળ” તરીકે પણ કરી શકાય છે.

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

  • કેટલીક ભાષાઓમાં કદાચ આ અભિવ્યક્તિનો સમાન અર્થ, “માંસ અને લોહી” હોઈ શકે છે.
  • “એક દેહ થવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “જાતીય રીતે એક થવું” અથવા “એક શરીર થવું” અથવા “આત્મા અને શરીરમાં એક વ્યક્તિ જેવું બનવું,” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ. (જુઓ: સૌમ્યોક્તિ). આ શબ્દનો અર્થ રૂપકાત્મક સમજાવો જોઈએ, અને તેનો અર્થ એવો નથી કે પુરુષ અને સ્ત્રી “એક દેહ બન્યા” એટલે કે તેઓ વાસ્તવિક રીતે એક વ્યક્તિ બન્યા.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H829, H1320, H1321, H2878, H3894, H4207, H7607, H7683, G2907, G4559, G4560, G4561

દોષિત, દંડ પામે છે, દોષિત ઠરાવેલું, દંડાજ્ઞા

વ્યાખ્યા:

“દોષિત” અને “દંડાજ્ઞા” શબ્દો, કોઈને કઈંક ખોટું કરવા માટે ન્યાય કરવો, તે દર્શાવે છે.

  • “દોષિત” શબ્દ, મોટેભાગે વ્યક્તિ કે જેણે ખોટું કર્યું છે તેને સજા આપવા માટે વાપરવામાં આવે છે.
  • “દોષિત” શબ્દનો અર્થ, ક્યારેક કોઈકને ખોટી રીતે દોષારોપણ કરવું અથવા કોઈનો કઠોરતાથી ન્યાય કરવો.
  • “દંડાજ્ઞા” શબ્દ કોઈને દોષિત ગણવો કરવો અથવા તહોમત મૂકવાનું કાર્ય દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર “કઠોરતાથી ન્યાય કરવો” અથવા “ખોટી રીતે ટીકા કરવી” તરીકે કરી શકાય છે.
  • “તેને દોષિત ઠરાવો” વાક્યનું ભાષાંતર, “ન્યાયમાં તે અપરાધી છે” અથવા “પાપી જાહેર કરવો” અથવા “એવા સ્થાન પર કે જ્યાં તેને પાપ માટે અવશ્ય સજા કરવી” એમ કરી શકાય છે.
  • “દંડાજ્ઞા” શબ્દનું ભાષાંતર, “કઠોરતાથી ન્યાય કરવો” અથવા “દોષિત જાહેર કરવું” અથવા “અપરાધની સજા” તરીકે કરી શકાય.

(આ પણ જુઓ: ન્યાય, સજા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H6064, H7034, H7561, H8199, G176, G843, G2607, G2613, G2631, G2632, G2633, G2917, G2919, G2920, G5272, G6048

દ્રષ્ટાંત, દ્રષ્ટાંતો

વ્યાખ્યા:

“દ્રષ્ટાંત” શબ્દ સામાન્ય રીતે એક નાની વાર્તા અથવા તો પદાર્થપાઠનો ઉલ્લેખ કરે છે કે જેનો ઉપયોગ એક નૈતિક સત્ય સમજાવવા અથવા તો શીખવવા થાય છે.

  • ઈસુએ પોતાના શિષ્યોને શીખવવા દ્રષ્ટાંતોનો ઉપયોગ કર્યો.

જો કે તેમણે લોકોના ટોળાઓને પણ દ્રષ્ટાંતો કહ્યાં, તો પણ તેમણે હંમેશાં દ્રષ્ટાંતની સમજણ આપી નહિ.

  • દ્રષ્ટાંતનો ઉપયોગ એક તરફ ફરોશીઓ જેવા લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરતાં ન હતા તેઓથી સત્યને છુપાવવા તો બીજી તરફ પોતાના શિષ્યોને સત્ય પ્રગટ કરવા કરી શકાતો હતો.
  • નાથાન પ્રબોધકે દાઉદ રાજાને તેનું ભયંકર પાપ બતાવવા એક દ્રષ્ટાંત કહ્યું હતું.
  • ભલા સમરૂનીની વાર્તા એક દ્રષ્ટાંત કે જે વાર્તા છે તેનું ઉદાહરણ છે.

ઈસુએ જૂની તથા નવી મશકોની સરખામણી કરી તે દ્રષ્ટાંતનું એક ઉદાહરણ છે. શિષ્યોને ઈસુનું શિક્ષણ સમજવામાં મદદ કરવા તે એક પદાર્થપાઠ હતો.

(આ પણ જૂઓ: સમરૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1819, H4912, G3850, G3942

નમ્ર, નમ્ર કરાયેલું, દીનતા/નમ્રતા

વ્યાખ્યા:

નમ્ર શબ્દ એવી વ્યક્તિને વર્ણવે છે કે જે બીજાઓ કરતાં પોતે વધુ સારો (સારી) છે એમ વિચારતો નથી. તે અભિમાની અથવા ઘમંડી નથી. નમ્રતા એ નમ્ર હોવાનો ગુણ છે.

  • ઈશ્વરની આગળ નમ્ર હોવાનો અર્થ, ઈશ્વરની મહાનતા, ડહાપણ, અને સંપૂર્ણતાની સરખામણીમાં પોતાની નબળાઈ અને અપૂર્ણતાને સમજવી.
  • જયારે વ્યક્તિ પોતાને નમ્ર કરે છે, ત્યારે તે પોતાને નિમ્ન મહત્વના દરજ્જામાં મૂકે છે.
  • નમ્રતા એટલે પોતાની જરૂરિયાતો કરતાં બીજાની જરૂરિયાતોની વધારે કાળજી રાખવી.
  • નમ્રતાનો અર્થ, જયારે પોતાના વરદાનો અને ક્ષમતાઓને વિનમ્રતાના વલણથી ઉપયોગમાં લઇ સેવા કરવી.
  • “નમ્ર રહેવું” શબ્દસમૂહનું ભાષાંતર, “ઘમંડી ન રહો” તરીકે કરી શકાય છે.
  • “ઈશ્વરની આગળ સ્વને નમ્ર કરો,”નું ભાષાંતર “ઈશ્વરની મહાનતાને ઓળખી, તેમની ઈચ્છાને આધિન થાઓ” કરી શકાય.

(આ પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 17:2 દાઉદ એ નમ્ર અને ન્યાયી માણસ હતો કે જેણે ઈશ્વર પર ભરોસો રાખ્યો અને તેમને આધીન રહ્યો.
  • 34:10 “દરેક કે જેઓ અભિમાની છે તેઓને ઈશ્વર નમ્ર કરશે, અને તે જે કોઈ પોતાને નમ્ર કરે છે તેને ઊંચો કરશે.”

શબ્દ માહિતી:

  • Strong's: H1792, H3665, H6031, H6035, H6038, H6041, H6800, H6819, H7511, H7807, H7812, H8213, H8214, H8215, H8217, H8467, G858, G4236, G4239, G4240, G5011, G5012, G5013, G5391

નર્ક, અગ્નિની ખાઈ

વ્યાખ્યા:

નર્ક એ દુઃખ અને પીડાનું અંતિમ શાશ્વત સ્થળ છે જ્યાં દેવ દરેક કે જેઓ તેની વિરુદ્ધ બળવો કરે છે અને ઈસુના બલિદાન દ્વારા તેઓને બચાવવાની તેની યોજનાને નકારે છે, તેઓને સજા કરશે. તેને “અગ્નિની ખાઈ” તરીકે પણ દર્શાવવામાં આવી છે.

  • નર્કને અગ્નિના સ્થળ અને ગંભીર યાતનાની જગ્યા તરીકે વર્ણવામાં આવ્યું છે.
  • શેતાન અને દુષ્ટ આત્માઓ કે જે તેને અનુસરે છે તેઓને અનંતકાળની સજા માટે નર્કમાં નાખવામાં આવશે.
  • લોકો કે જેઓ તેઓના પાપ માટેના ઈસુના બલિદાનમાં વિશ્વાસ કરતા નથી અને તે તેઓને બચાવશે તેવો વિશ્વાસ તેનામાં રાખતા નથી, તેઓને નર્કમાં સદાકાળની સજા થશે.

ભાષાંતરના સૂચનો:

  • આ શબ્દ અલગ સંદર્ભોમાં જુદી રીતે આવતો હોય છે, તેથી તેનું ભાષાંતર અલગ રીતે થવું જોઈએ.
  • કેટલીક ભાષાઓ “અગ્નિની ખાઈ (તળાવ)” શબ્દસમૂહમાં “તળાવ” શબ્દનો ઉપયોગ કરી શકતા કરતા નથી કારણકે તે પાણીને દર્શાવે છે.
  • “નર્ક” શબ્દનું ભાષાંતર, “દુઃખનું સ્થળ” અથવા “દુઃખ અને અંધકારનું અંતિમ સ્થળ” તરીકે કરી શકાય છે.
  • “અગ્નિની ખાઈ” શબ્દનું ભાષાંતર, “અગ્નિનો સમુદ્ધ” અથવા “(દુઃખનો) વિશાળ અગ્નિ” અથવા “અગ્નિનું ક્ષેત્ર” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: સ્વર્ગ, મરણ, હાદેસ, પાતાળ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 50:14 તે (દેવ) તેઓને નર્ક માં ફેંકી દેશે, જ્યાં તેઓને હંમેશા વેદનામાં રડવું અને દાંત પીસવું થશે.

અગ્નિ કે જે કદી હોલવાશે નહિ પણ સતત તે તેઓને બાળશે, અને કીડાઓ તેઓને ખાવાનું કદી બંધ કરશે નહીં.

  • 50:15 તે શેતાનને નર્ક માં નાંખી દેશે, ત્યાં તે તથા તેની સાથે જેઓ દેવને આધીન થવાને બદલે શેતાનને અનુસરવાનું પસંદ કર્યું તેઓ સદાકાળ માટે બળશે.

શબ્દ માહિતી:

  • Strong's: H7585, G86, G439, G440, G1067, G3041, G4442, G4443, G4447, G4448, G5020, G5394, G5457

નાજીરી, નાજીરીઓ, નાજીરવ્રત

તથ્યો:

“નાજીરી” શબ્દ એક વ્યક્તિ કે જેણે “નાજીરવ્રત” લીધું છે તેનો ઉલ્લેખ કરે છે. મહદ્દઅંશે પુરુષો આ વ્રત લેતા હતા, પણ સ્ત્રીઓ પણ તે લઈ શકતી હતી.

  • નાજીરવ્રત લેનાર વ્યક્તિ તે વ્રત પૂરું કરવાના નિયત સમયગાળા દરમ્યાન દ્રાક્ષાનો બનાવેલો ખોરાક કે પીણું ન લેવા પ્રતિજ્ઞા લેતી હતી.

આ સમયગાળા દરમ્યાન તેણે વાળ પણ કપાવવાના ન હતા અને મૃતદેહ પાસે જવાનું ન હતું.

  • જ્યારે નિયત સમયગાળો પૂરો થતો અને વ્રત પૂરું થતું ત્યારે, નાજીરી યાજક પાસે જતો અને અર્પણ કરતો.

ત્યારે તેના વાળ કાપવામાં આવતા અને બાળી નાખવામાં આવતા. બીજા બધા પ્રતિબંધો પણ દૂર કરવામાં આવતા હતા.

  • સામસૂન જૂના કરારનો પ્રસિદ્ધ માણસ છે કે જેણે નાજીરીવ્રત લીધું હતું.
  • યોહાન બાપ્તિસ્મીનો જન્મ ઘોષિત કરનાર દૂતે ઝખાર્યાને કહ્યું કે તેનો પુત્ર દ્રાક્ષાસવ નહિ પીએ કે જે કદાચને દર્શાવે છે કે યોહાન નાજીરીવ્રત હેઠળ હતો.
  • પ્રેરિતોનાં કૃત્યોના એક શાસ્ત્રભાગ અનુસાર પાઉલ પ્રેરિતે પણ એક સમયે આ વ્રત લીધું હશે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)

(આ પણ જૂઓ: યોહાન (બાપ્તિસ્મી), બલિદાન, સામસૂન, વ્રત, [ઝખાર્યા])

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5139

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

"નામ" શબ્દ એ તે શબ્દને દર્શાવે છે જેના દ્વારા કોઈ વ્યક્તિ અથવા વસ્તુને સંબોધી શકાય. બાઇબલમાં, જો કે “નામ” શબ્દનો ઉપયોગ વિવિધ રીતે થયો છે જે વિવિધ ખ્યાલોને સૂચિત કરે છે.

  • અમુક સંદર્ભોમાં, “નામ” એક વ્યક્તિની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરી શકે છે, જેમ કે “ચાલો આપણે આપણા માટે નામના મેળવીએ”.
  • “નામ” શબ્દ કોઈ બાબતની યાદનો ઉલ્લેખ પણ કરી શકે છે. ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી હવે પછી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.
  • “ઈશ્વરના નામમાં બોલવાનો” અર્થ તેમના સામર્થ્ય અને અધિકારથી બોલવું અથવા તો તેમના પ્રતિનિધિ તરીકે બોલવું થાય છે.
  • કોઈક વ્યક્તિનું “નામ” તેના આખા વ્યક્તિત્વનો ઉલ્લેખ કરી શકે છે, જેમ કે “જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી.” (આ પણ જૂઓ: લક્ષણાલંકાર)

અનુવાદ માટેના સૂચનો:

  • “તેનું સારું નામ” એ અભિવ્યક્તિનો અનુવાદ “તેની સારી પ્રતિષ્ઠા” તરીકે કરી શકાય છે.
  • કોઈ વ્યક્તિના “નામમાં” કશુંક કરવાનો અનુવાદ તે વ્યક્તિના “અધિકારથી” અથવા તો “પરવાનગીથી” અથવા તો “તેના પ્રતિનિધિ તરીકે કરવું” એમ કરી શકાય છે.
  • “આપણા માટે નામના મેળવવી” અભિવ્યક્તિનો અનુવાદ “ઘણાં લોકો આપણા વિષે જાણે તેવું કરવું” અથવા તો “લોકો આપણા માટે વિચારે કે આપણે અગત્યના છીએ તેવું કરવું” તરીકે કરી શકાય.
  • “તેનું નામ કહેવાવું” અભિવ્યક્તિનો અનુવાદ “નામ પાડવું” અથવા તો “તેને નામ આપવું” તરીકે કરી શકાય.
  • “જેઓ તમારા નામને પ્રેમ કરે છે” અભિવ્યક્તિનો અનુવાદ “જેઓ તમને પ્રેમ કરે છે” તરીકે કરી શકાય.
  • “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા” અભિવ્યક્તિનો અનુવાદ “મૂર્તિઓનો નાશ કરવો કે જેથી તેઓને યાદ પણ કરવામાં ન આવે” અથવા તો “લોકોને જૂઠા દેવોની આરાધના કરતા રોકવા” અથવા તો “બધી મૂર્તિઓનો સંપૂર્ણપણે નાશ કરવો કે જેથી લોકો તેઓ વિષે વિચારે પણ નહિ” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: કહેવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5344, H7121, H7761, H8034, H8036, G2564, G3686, G3687, G5122

નાશ પામવું, નાશ પામતું, નાશવંત

વ્યાખ્યા:

“નાશ પામવું” શબ્દનો અર્થ સામાન્ય રીતે હિંસા કે કોઈ હોનારતને પરિણામે મૃત્યુ પામવું અથવા તો ખતમ થઈ જવું એવો થાય છે. બાઇબલમાં, તેનો ખાસ અર્થ અનંતકાળ માટે નર્કમાં શિક્ષા પામવી એવો થાય છે.

  • જે લોકો “નાશ પામી રહ્યાં” છે તેઓ એ છે કે જેઓ નર્કમાં જવાના છે કારણકે પોતાના ઉદ્ધાર માટે તેઓએ ઈસુમાં વિશ્વાસ કરવાનો ઇન્કાર કર્યો છે.
  • યોહાન 3:16 શીખવે છે કે “નાશ પામવું” નો અર્થ સ્વર્ગમાં અનંતકાળ માટે ન રહેવું એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભ અનુસાર, આ શબ્દનો અનુવાદ “અનંતકાળ માટે મરવું” અથવા તો “નર્કમાં શિક્ષા થવી” અથવા તો “વિનાશ થવો” એ રીતે કરી શકાય.
  • “નાશ પામવું” ના અનુવાદનો અર્થ નર્કમાં અનંતકાળ માટે રહેવું એવો થાય અને “અસ્તિત્વનો નાશ થવો” એવો ન થાય તે જોવાની કાળજી રાખો.

(આ પણ જૂઓ: મૃત્યુ, અનંતકાળિક)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H6, H7, H8, H1478, H1820, H5486, H5595, H6544, H8045, G599, G622, G684, G853, G1311, G2704, G4881, G5356

નિમણુક, નિમણુક કરવી, નિમણુક થયેલ

વ્યાખ્યા:

“નિમણુક” અને “નિમણુક પામેલ” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિને નિશ્ચિત કામ પરિપૂર્ણ કરવા માટે પસંદગી કરવામાં આવે. “નિમણુક થવી” એ દર્શાવે છે કે કશુંક મેળવવા માટે “પસંદ કરાયેલું” જેમકે “અનંતજીવન પ્રાપ્ત કરવા નિમણુક થયેલ.” તે લોકો “અનંતજીવન માટે નિમણુક થયેલ” એટલે કે તેઓ અનંતજીવન પામવા પસંદ કરાયેલા હતા.

  • “નિમાયેલ સમય” શબ્દ દર્શાવે છે કે દેવનો “પસંદ કરેલો સમય” અથવા કંઇક બનવા માટે “આયોજિત કરેલ સમય.”
  • “નિમણુક” શબ્દનો અર્થ કોઈને કાંઇક કરવા “હુકમ કરવો” અથવા “સોપવું” તેમ પણ થઇ શકે છે.

ભાષાંતરના સુચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, “નિમણુક” નું ભાષાંતર “પસંદ કરવું” અથવા “સોપવું” અથવા “ઔપચારિક રીતે પસંદ કરેલું” અથવા “નિયુક્ત કરવું” એમ થઇ શકે છે.
  • “નિમણુક કરવી” શબ્દનું ભાષાંતર “સોપેલું” અથવા “આયોજિત” અથવા “નિશ્ચિતપણે પસંદ કરેલું” થઇ શકે છે.
  • “નિમણુક થવી” તે શબ્દનું ભાષાંતર “પસંદ કરાવું” થઇ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H561, H977, H2163, H2296, H2706, H2708, H2710, H3198, H3245, H3259, H3677, H3983, H4150, H4151, H4152, H4487, H4662, H5324, H5344, H5414, H5567, H5975, H6310, H6485, H6565, H6635, H6680, H6923, H6942, H6966, H7760, H7896, G322, G606, G1299, G1303, G1935, G2525, G2749, G4287, G4384, G4929, G5021, G5087

નિયમ/કાયદો/કાનૂન, મુસાનો નિયમ, યહોવાનો નિયમ, ઈશ્વરનો નિયમ

વ્યાખ્યા:

ખૂબ સરળ રીતે, "નિયમ" શબ્દ, એક કાયદો અથવા સૂચના કે જેનું અનુસરણ કરવામાં આવે, તેનો ઉલ્લેખ કરે છે. બાઈબલમાં "નિયમ" શબ્દનો મહદઅંશે ઉપયોગ, એવું દરેક અને સઘળું જે ઈશ્વર ઈચ્છે છે કે તેમના લોકો પાળે અને કરે, તેનો ઉલ્લેખ કરે છે. વિશિષ્ટ શબ્દસમૂહ "મૂસાનો નિયમ" ઈશ્વરે મૂસાને આપેલ આજ્ઞાઓ અને સૂચનાઓ કે જેનું પાલન ઇઝરાયેલીઓ કરે, તેનો ઉલ્લેખ કરે છે.

  • સંદર્ભને આધારે, "નિયમ" નો ઉલ્લેખ થઈ શકે કે:
  • દસ અજ્ઞાઓ જે ઈશ્વરે પથ્થરની પાટી પર ઈઝરાયેલીઓ માટે લખી
  • મુસાને આપવામાં આવેલા સર્વ નિયમો
  • જૂના કરારના પ્રથમ પાંચ પુસ્તકો
  • સમગ્ર જૂનો કરાર (નવા કરારમાં "શાસ્ત્રો/વચનો" તરીકે પણ ઉલ્લેખવામાં આવેલ)
  • ઈશ્વરની સઘળી સૂચનાઓ અને ઈચ્છાઓ
  • "નિયમો અને પ્રબોધકો" શબ્દસમૂહ નવા કરારમાં હિબ્રૂ શાસ્ત્રો/વચનો (અથવા "જૂના કરાર") ના ઉલ્લેખ માટે ઉપયોગમાં લેવાયેલ છે.

અનુવાદ માટેના સૂચનો:

  • "નિયમો" બહુવચનના ઉપયોગ દ્વારા આ શબ્દનો અનુવાદ કરી શકાય, કેમ કે તે ઘણી સૂચનાઓનો ઉલ્લેખ કરે છે.
  • "મુસાનો નિયમ" નું અનુવાદ "નિયમો કે જે ઈશ્વરે મુસાને ઈઝરાયેલીઓ આપવા સારું કહ્યા" એમ કરી શકાય.
  • સંદર્ભને આધારે, "મુસાનો નિયમ" નું અનુવાદ "નિયમ કે જે ઈશ્વરે મુસાને કહ્યા" અથવા "ઈશ્વરના નિયમો કે જે મુસાએ લખ્યા" અથવા "નિયમો કે જે ઈશ્વરે મુસાને ઈઝરાયેલીઓને આપવા સારું કહ્યા" એમ કરી શકાય.
  • "નિયમ/કાયદો/કાનૂન" અથવા ”ઈશ્વરનો નિયમ” અથવા "ઈશ્વરના નિયમો" નું અનુવાદ કરવાની રીતોમાં "ઈશ્વર તરફથી નિયમો" અથવા "ઈશ્વરના હુકમો/આજ્ઞાઓ" અથવા "નિયમો કે જે ઈશ્વરે આપ્યા" અથવા "સઘળું જેનો ઈશ્વર હુકમ કરે છે" અથવા "ઈશ્વરની સઘળી સૂચનાઓ" નો સમાવેશ કરી શકાય.
  • "યહોવાનો નિયમ" શબ્દસમૂહનું અનુવાદ આમ પણ કરી શકાય; "યહોવાના નિયમો" અથવા "નિયમો કે જે યહોવાએ પાળવા કહ્યા" અથવા "યહોવા તરફથી નિયમો" અથવા "યહોવાએ હુકમ કરેલી બાબતો."

(આ પણ જુઓ: સૂચન, મુસા, દસ આજ્ઞાઓ, કાયદેસર, યહોવા)

બાઈબલ સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

  • 13:7 ઈશ્વરે અનુસરવાને માટે બીજા ઘણા કાનુનો અને નિયમો આપ્યા. જો લોકો આ કાનુનોને આધીન થાય તો, ઈશ્વર વચન આપે છે કે તેઓ તેમને આશીર્વાદ આપશે અને તેમનું રક્ષણ કરશે. જો તેઓ ઉલ્લંઘન કરે તો, ઈશ્વર તેઓને શિક્ષા કરશે.
  • 13:9 જે કોઈ ઈશ્વરના કાનુનોનો આજ્ઞાભંગ કરે તો તે મુલાકાત મંડપની સામે વેદી પર ઈશ્વરને માટે બલિદાન તરીકે પ્રાણી લાવતો.
  • 15:13 પછી યહોશુઆએ સિનાઈ ખાતે ઈશ્વરે ઈઝરાયેલીઓ સાથે જે કરાર કર્યો હતો તેને આધીન થવા માટે તેમની જવાબદારીની યાદ અપાવી. લોકોએ ઈશ્વરને વિશ્વાસુ રહેવાનુ અને તેમના કાનુનોને અનુસરવાનું વચન આપ્યું.
  • 16:1 યહોશુઆના મરણ પછી, ઈઝરાયેલીઓ ઈશ્વરને આધીન રહ્યા નહિ અને ઈશ્વરના કાનુનોને આધીન ના રહેતા બાકી રહેલા કનાનીઓને કાઢી મૂક્યા નહિ.
  • 21:5 નવા કરારમાં, ઈશ્વર તેમનો નિયમ લોકોના હ્રદયપટ પર લખશે, લોકો ઈશ્વરને વ્યક્તિગત રીતે ઓળખશે, તેઓ તેમના લોક થશે, અને ઈશ્વર તેઓના પાપ માફ કરશે.
  • 27:1 ઈસુએ જવાબ આપ્યો, "ઈશ્વરના નિયમમાં શું લખેલું છે?"
  • 28:1 ઈસુએ તેને કહ્યું, "તું મને 'સારો કેમ કહે છે?' સારો તો એક જ છે, અને તે ઈશ્વર છે. પરંતુ જો તું અનંતજીવન મેળવવા ઈચ્છે છે તો, ઈશ્વરના નિયમોને આધીન થા."

શબ્દ માહિતી:

  • Strong's: H430, H1881, H1882, H2706, H2710, H3068, H4687, H4872, H4941, H8451, G2316, G3551, G3565

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો. વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.

  • જો કોઈ વ્યક્તિએ કંઈ ખોટું કર્યું નથી તો તે આરોપી નિર્દોષ છે.
  • ક્યારેક “નિર્દોષ” શબ્દ, લોકો કે જેઓની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે, અને તેને લાયક તે વ્યક્તિઓએ કંઈજ ખોટું કર્યું નથી, જેવા કે દુશ્મનનું લશ્કર કે જેઓ “નિર્દોષ લોકો” ઉપર હુમલો કરે છે.

ભાષાંતરના સૂચનો:

  • મોટાભાગના સંદર્ભોમાં, “નિર્દોષ” શબ્દનું ભાષાંતર, “દોષિત નથી” અથવા “જવાબદાર નથી” અથવા કોઈ બાબત માટે જેના પર “આરોપ નથી” તરીકે કરી શકાય છે.
  • જયારે નિર્દોષ લોકોનો સામાન્ય ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે આ શબ્દનું ભાષાંતર, “જેઓએ કંઈજ ખોટું કર્યું નથી” અથવા “જેઓ દુષ્ટ કરવામાં સામેલ નથી” તરીકે કરી શકાય છે.
  • વારંવાર આવતી અભિવ્યક્તિ “નિર્દોષ લોહી” શબ્દનું ભાષાંતર, “લોકો કે જેઓએ મરવા લાયક કંઈ ખોટું કર્યું નથી” તરીકે કરી શકાય છે.
  • “નિર્દોષ લોહી રેડવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “નિર્દોષ લોકોને મારી નાખવું” અથવા “એવા લોકોને મારી નાખવા કે જેઓએ મરવા લાયક કંઇપણ કર્યું નથી” તરીકે કરી શકાય છે.
  • કોઈને મારી નાખ્યાના સંદર્ભમાં, “(તે)ના લોહીમાં નિર્દોષ” શબ્દોનું ભાષાંતર, “મરણ માટે દોષિત નથી” તરીકે કરી શકાય છે.
  • જયારે લોકો ઈસુ વિશેની સુવાર્તા સાંભળે છે પણ તેને સ્વીકારતા નથી તેવા લોકો વિશે વાત કરવામાં આવે છે ત્યારે “(તે)ના લોહી વિશે નિર્દોષ” તે (શબ્દસમૂહ)નું ભાષાંતર, “તેઓ આત્મિક મૃત અવસ્થા છે કે નહિ તે માટે (હું/અમે) જવાબદાર નથી” અથવા “આ સંદેશને તેઓ સ્વીકારે કે નહિ તે માટે (હું/અમે) જવાબદાર નથી” તરીકે કરી શકાય છે.
  • જયારે યહૂદાએ કહ્યું, “મેં નિર્દોષ લોહીનો વિશ્વાસઘાત કર્યો છે,” ત્યારે તે કહેતો હતો કે, “મેં એક માણસ જેણે કંઈ ખોટું કર્યું નથી તેનો વિશ્વાસઘાત કર્યો છે” અથવા “હું માણસ કે જે પાપરહિત હતો તેના મરણનું કારણ થયો છું.”
  • જયારે પિલાતે ઈસુ વિશે કહ્યું “હું આ નિર્દોષના લોહી વિશે નિર્દોષ છું,” તેનું ભાષાંતર, “આ માણસના મરણ માટે હું જવાબદાર નથી કે જેણે તેને લાયક કંઈ ખોટું કર્યું નથી.”

(આ પણ જુઓ: દોષ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 8:6 બે વર્ષ પછી, તે નિર્દોષ હોવા છતાં પણ, હજુ યૂસફ જેલમાં હતો.
  • 40:4 તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પણ બીજાએ કહ્યું, “શું તને દેવનો ભય નથી? આપણે દોષિત છીએ, પરંતુ આ માણસ નિર્દોષ છે.”
  • 40:8 જયારે સિપાઈ ઈસુની ચોકી કરતા હતો ત્યારે જે બધું થયું તે જોયું, તેણે કહ્યું, “ખરેખર, આ માણસ નિર્દોષ હતો.

તે દેવનો દીકરો હતો”.

શબ્દ માહિતી:

  • Strong's: H2136, H2600, H2643, H5352, H5355, H5356, G121

નિર્દોષ, દોષ રહિત

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી ઈશ્વરને આધીન થાય છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.

  • ઈબ્રાહિમ અને નૂહ ઈશ્વરની આગળ પાપરહિત માનવામાં આવ્યા હતા.
  • જેની પ્રતિષ્ઠા “નિર્દોષ” વ્યક્તિ તરીકે હોય તે વ્યક્તિ ઈશ્વરને માન મળે તે રીતે વર્તે છે.
  • એક કલમ પ્રમાણે, નિર્દોષ તે વ્યક્તિ છે “જે ઈશ્વરનો ભય રાખે અને દુષ્ટતાથી દૂર રહે છે.”

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર એમ પણ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે ઈશ્વરને સંપૂર્ણપણે આજ્ઞાધીન છે” અથવા “પાપને ટાળે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H5352, H5355, G273, G274, G298, G338, G410, G423

ન્યાયનો દિવસ

વ્યાખ્યા:

“ન્યાયનો દિવસ” શબ્દ, તે ભવિષ્યના સમયને દર્શાવે છે કે જયારે દેવ દરેક વ્યક્તિનો ન્યાય કરશે.

  • દેવે તેના પુત્ર, ઈસુ ખ્રિસ્તને બધા લોકોનો ન્યાય કરવા ઠરાવ્યો છે.
  • ન્યાયના દિવસે, ખ્રિસ્ત લોકોનો ન્યાય તેના ન્યાયી ચરિત્રના આધાર પર કરશે.

ભાષાંતરના સૂચનો:

  • તે શબ્દનું ભાષાંતર, “ન્યાયનો સમય” તરીકે કરી શકાય છે, કારણકે તે એક કરતાં વધારે દિવસ દર્શાવી શકે છે.
  • બીજી રીતે આ શબ્દના ભાષાંતરમાં, “અંતનો સમય કે જયારે દેવ બધા લોકોનો ન્યાય કરશે” તેવા (શબ્દોનો) સમાવેશ કરીને ભાષાંતર કરી શકાય છે.
  • કેટલાક ભાષાંતરોમાં આ શબ્દ મોટો (અંગ્રેજીમાં કેપિટલ) બતાવવામાં આવ્યો છે કે જે તે વિશેષ દિવસ અથવા સમયનું નામ દર્શાવે છે:

“ન્યાયનો દિવસ” અથવા “ન્યાયનો સમય.”

(આ પણ જુઓ: ન્યાયાધીશ, ઈસુ, સ્વર્ગ, નર્ક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2962, H3117, H4941, G2250, G2920, G2962

ન્યાયાધીશ, ન્યાયાધીશો, ન્યાય, ચુકાદાઓ

વ્યાખ્યા:

મોટેભાગે “ન્યાયાધીશ” અથવા “ન્યાય” શબ્દો, કંઈક નૈતિક રીતે સાચું કે ખોટું છે તે વિશે નિર્ણય કરવો તેને દર્શાવે છે.

  • મોટેભાગે “દેવનો ન્યાય” કોઈ બાબત અથવા કોઈને પાપી તરીકે દંડ કરવાના તેના નિર્ણયને દર્શાવે છે.
  • સામાન્ય રીતે દેવનો ન્યાય લોકોને તેઓના પાપ માટે સજા કરવાનો સમાવેશ કરે છે.
  • “ન્યાય” શબ્દનો અર્થ, “દંડ” પણ થઈ શકે છે.

દેવ તેના લોકોને સૂચન કરે છે કે આ રીતે એક બીજાનો ન્યાય ન કરો.

  • જયારે જે વ્યક્તિ વચ્ચે તકરાર હોય ત્યારે તેનો બીજો અર્થ, “બે વ્યક્તિ વચ્ચે વહેંચણી કરવી” અથવા “બે વ્યક્તિ વચ્ચે ન્યાય કરવો” એમ થાય છે.
  • કેટલાક સંદર્ભોમાં, દેવના “ચુકાદાઓ” તેણે જે નક્કી કર્યા છે તે સાચા અને ન્યાયી હોય છે.

તેઓ તેના આદેશો, નિયમો, અથવા આજ્ઞાઓ સમાન છે.

  • “ન્યાય” ને સમજદાર નિર્ણય કરનારની ક્ષમતાને દર્શાવે છે.

વ્યક્તિ કે જેનામાં “ન્યાય” કરવાનો અભાવ હોય છે તેની પાસે સમજદાર નિર્ણયો કરવાનું જ્ઞાન હોતું નથી.

ભાષાંતરના સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, “ન્યાય કરવો” (શબ્દોના) ભાષાંતરમાં, “નિર્ણય કરવો” અથવા “દંડ કરવો” અથવા “સજા કરવી” અથવા “આદેશ આપવો” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
  • “ન્યાય” શબ્દનું ભાષાંતર, “સજા” અથવા “નિર્ણય” અથવા “ચુકાદો” અથવા “આદેશ” અથવા “દંડાજ્ઞા” તરીકે કરી શકાય છે.
  • કેટલાક સંદર્ભોમાં, “ન્યાયમાં” શબ્દસમૂહનું ભાષાંતર, “ન્યાયના દિવસે” અથવા “એ સમય દરમ્યાન કે જયારે દેવ લોકોનો ન્યાય કરશે” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: આદેશ, ન્યાયાધીશ, ન્યાયનો દિવસ, ન્યાયી, કાયદો, નિયમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 19:16 પ્રબોધકોએ લોકોને ચેતવણી આપી કે જો તેઓ ભૂંડું કરવાનું બંધ નહીં કરે અને દેવની આજ્ઞા પાળવાનું ચાલુ નહિ કરે તો, પછી દેવ દોષિત ગણી તેઓનો ન્યાય કરશે, અને તે તેઓને સજા કરશે.
  • 21:8 રાજા એ કોઈક કે જે રાજ્ય ઉપર રાજ કરે છે અને લોકોનો ન્યાય કરે છે.

મસીહ જે રાજા બનીને આવશે અને તે દાઉદના રાજ્યાસન પર બેસીને સંપૂર્ણ રાજા બનશે. તે આખી દુનિયા પર સદાકાળ માટે રાજ્ય કરશે, અને તે હંમેશા પ્રમાણિકપણે અને સારા નિર્ણયો કરી ન્યાય કરશે.

  • 39:4 પ્રમુખ યાજકે પોતાના કપડાં ફાડીને ગુસ્સામાં તથા મોટા અવાજે કહ્યું કે, “હવે આપણને બીજા કોઈની સાક્ષીની જરૂર નથી!” તમે તેને કહેતા સાંભળ્યું કે તેણે કહ્યું કે તે દેવનો દીકરો છે. તમારો ન્યાય શું છે?"
  • 50:14 પણ દેવ દરેકનો જેઓ ઇસુ પર વિશ્વાસ કરતા નથી તેઓનો ન્યાય કરશે.

જ્યાં તેઓ સદાકાળ માટે નરકમાં નાખવામાં આવશે કે ત્યાં તેઓ રડશે અને દાંત પીસશે.

શબ્દ માહિતી:

  • Strong's: H148, H430, H1777, H1778, H1779, H1780, H1781, H1782, H2940, H4055, H4941, H6414, H6415, H6416, H6417, H6419, H6485, H8196, H8199, H8201, G144, G350, G968, G1106, G1252, G1341, G1345, G1348, G1349, G2917, G2919, G2920, G2922, G2923, G4232

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાય, યોગ્ય ઠરાવવું, ન્યાયી ઠરાવવું

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણોને પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

  • "ન્યાયી" હોવું એટલે બીજાઓ પ્રત્યે વાજબી અને સાચી રીતે વર્તવું. તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા માટે પ્રમાણિક્તા અને અખંડતાને સૂચવે છે.
  • "ન્યાયપૂર્ણ" રીતે વર્તવું એટલે ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે સાચી, સારી, અને યોગ્ય રીતે વર્તવું.
  • "ન્યાય" મેળવવો એટલે નિયમ હેઠળ યોગ્ય રીતે વ્યવહાર પ્રાપ્ત કરવો, કાં તો નિયમ દ્વારા સુરક્ષિત થઈને અથવા તો નિયમ તોડવાને લીધે શિક્ષા પામીને.
  • કેટલીકવાર "ન્યાયી" શબ્દનો "ન્યાયી" અથવા "ઈશ્વરના નિયમોને અનુસરવું" એવો વિશાળ અર્થ હોય છે.
  • "અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.
  • "અન્યાય" જેને માટે વ્યક્તિ લાયક નથી તેવું કંઈક ખોટું તેને કરવું/થવું એવો અર્થ થાય છે. તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.
  • અન્યાયનો અર્થ, થોડાક લોકો સાથે ખરાબ રીતે જ્યારે બીજાઓ સાથે સારી રીતે વર્તવું પણ  થાય છે.
  • કોઈક જે અન્યાયી રીતે વર્તે છે તે "પક્ષપાતી" અથવા "પૂર્વગ્રહવાળો" છે કારણ કે તે લોકોની સાથે સમાન રીતે વર્તતો નથી.
  • "યોગ્ય ઠરાવવું" અને "ન્યાયી ઠરાવવુ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. લોકોને ન્યાયી ખરેખર માત્ર ઈશ્વર જ ઠરાવી શકે.
  • જ્યારે ઈશ્વર લોકોને ન્યાયી ઠરાવે છે ત્યારે, તેઓ તેમના પાપો માફ કરે છે અને એવા બનાવે છે કે જાણે તેઓમાં કોઈ પાપ છે જ નહિ. તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.
  • "ન્યાયી ઠરાવવુ" એ જ્યારે ઈશ્વર વ્યક્તિના પાપો માફ કરે છે અને તે વ્યક્તિને પોતાની દ્રષ્ટિમાં ન્યાયી જાહેર કરે છે ત્યારે શું કરે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભને આધારે, "ન્યાયી" ને બીજી રીતે અનુવાદ કરવામાં "નૈતિક રીતે ખરું" અથવા "વાજબી" નો સમાવેશ કરી શકાય.
  • "ન્યાય" શબ્દનો અનુવાદ "વાજબી વર્તાવ" અથવા "પરિણામો માટે લાયક" કરી શકાય.
  • "ન્યાયપૂર્ણ રીતે વર્તવું"નો અનુવાદ "વાજબી રીતે વર્તવું" અથવા "ન્યાયી રીતે વર્તવું" કરી શકાય.
  • કેટલાંક સંદર્ભોમાં, "ન્યાયી"નો અનુવાદ "ન્યાયી" અથવા "સદ્દગુણી" તરીકે કરી શકાય.
  • સંદર્ભને આધારે, "અન્યાયી"નો અનુવાદ "ગેરવ્યાજબી" અથવા "પક્ષપાતી" અથવા "અન્યાયી" પણ કરી શકાય.
  • "અન્યાયી" શબ્દસમૂહનો અનુવાદ "અન્યાયીઓ" અથવા "અન્યાયી લોકો" અથવા "લોકો કે જેઓ બીજાઓ સાથે ગેરવ્યાજબી રીતે વર્તે છે" અથવા "અન્યાયી લોકો" અથવા "લોકો કે જેઓએ ઈશ્વરનો અનાદ કરે છે" કરી શકાય.
  • "અન્યાયી રીતે" શબ્દનો અનુવાદ "ગેરવ્યાજબી રીતે" અથવા "ખોટી રીતે" અથવા "ગેરવ્યાજબી" કરી શકાય.
  • "અન્યાય"નું અનુવાદ કરવાની રીતોમાં "ખોટો વર્તાવ" અથવા "ગેરવ્યાજબી વર્તાવ" અથવા "ગેરવ્યાજબી રીતે વર્તવું"નો સમાવેશ કરી શકાય. (જુઓ: અવ્યક્ત નામો)
  • "ન્યાયી ઠરાવવું"ની અનુવાદ કરવાની રીતોમાં "કોઈકને ન્યાયી જાહેર કરવું" અથવા "કોઈકને ન્યાયી બનાવવું" નો સમાવેશ કરી શકાય.
  • "ન્યાયીકરણ" શબ્દનું અનુવાદ "ન્યાયી જાહેર કરવું" અથવા "ન્યાયી થવું/બનવું" અથવા "લોકોને ન્યાયી બનાવવું" કરી શકાય.
  • "ન્યાયી ઠારવામાં પરીણમવું" શબ્દસમૂહનું અનુવાદ "તેથી ઈશ્વરે ઘણાં લોકોને ન્યાયી ઠરાવ્યા" અથવા "જેનું પરીણામ ઈશ્વરે લોકોને ન્યાયી ઠરાવ્યા" કરી શકાય.
  • "આપણને ન્યાયી ઠરાવવા માટે" શબ્દસમૂહનું અનુવાદ "આપણે ઈશ્વર દ્વારા ન્યાયી બની શકીએ તે હેતુથી" કરી શકાય.

(આ પણ જુઓ: માફ કરવું, દોષ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

  • 17:9 ઘણાં વરસો સુધી દાઉદે ન્યાય અને વિશ્વાસુપણા સાથે રાજ કર્યું, અને ઈશ્વરે તેને આશીર્વાદિત કર્યો.
  • 18:13 (યહુદીયા) ના કેટલાંક રાજાઓ સારા પુરુષો હતા જેઓએ ન્યાયી રીતે રાજ કર્યું અને ઈશ્વરનું ભજન કર્યું.
  • 19:16 તેઓ (પ્રબોધકો) સર્વએ લોકોને મૂર્તિપૂજા રોકવા અને બીજાઓ માટે ન્યાય અને દયા શરૂ કરવા કહ્યું.
  • 50:17 ઈસુ શાંતિ સાથે અને ન્યાય સાથે તેમના રાજયનું રાજ કરશે , અને તે તેમના લોકો સાથે સર્વકાળ હશે.

શબ્દ માહિતી:

  • Strong's: H205, H2555, H3477, H5765, H5766, H5767, H6662, H6663, H6664, H6666, H8003, H8264, H8636, G91, G93, G94, G1342, G1344, G1345, G1346, G1347, G1738

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ રહ્યું.

  • આ શબ્દો ઘણી વાર જે વ્યક્તિ ઈશ્વરનું આજ્ઞાપાલન કરે છે અને નૈતિક રીતે સારી છે તેને દર્શાવવા વપરાય છે. તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.
  • બાઈબલમાં જેઓને “ન્યાયી” કહેવામાં આવ્યા હતા તેવા લોકોના ઉદાહરણોમાં નૂહ, અયૂબ, ઇબ્રાહિમ, ઝખાર્યા અને એલિસાબેતનો સમાવેશ થાય છે.
  • જ્યારે લોકો પોતાને બચાવવા ઈસુ પર વિશ્વાસ કરે છે ત્યારે, ઈશ્વર તેઓને તેમના પાપોથી શુદ્ધ કરે છે અને ઈસુના ન્યાયપણાને લીધે તેઓને ન્યાયી ઘોષિત કરે છે.                                                                                                                                                     “અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.
  • આ શબ્દો ખાસ કરીને, ઈશ્વરના શિક્ષણ અને આજ્ઞાઓ ન પાળતી રીતે જીવન જીવવાને, ઉલ્લેખે છે.
  • અન્યાયી લોકો તેમના વિચારો અને કાર્યોમાં અનૈતિક છે.
  • કેટલીક વાર “અન્યાયી” શબ્દ ખાસ કરીને જે લોકો ઈસુમાં વિશ્વાસ કરતા નથી તેઓનો ઉલ્લેખ કરે છે.                                                                                                                                                                                                                            “પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.
  • આ શબ્દોના અર્થમાં સીધા ઊભા રહેવું અને પ્રત્યક્ષ રીતે સામે જોવું જેવા વિચારોનો સમાવેશ થાય છે.
  • જે વ્યક્તિ “પ્રામાણિક” છે તે એવી વ્યક્તિ છે કે જે ઈશ્વરના નિયમો પાળે છે અને ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધની બાબતો કરતી નથી.
  • “સત્યનિષ્ઠા” અને “ન્યાયી” જેવા શબ્દો સમાન અર્થ ધરાવે છે અને તેઓ કેટલીક વાર સમાંતરિતા રચનાઓમાં વપરાય છે, જેમ કે “સત્યનિષ્ઠા અને પ્રમાણિકપણું.” (જૂઓ: સમાંતરિતા)

અનુવાદ માટેના સૂચનો:

  • જ્યારે તે ઈશ્વરને વર્ણવે છે ત્યારે, “ન્યાયી” શબ્દનો અનુવાદ “સંપૂર્ણપણે ભલા તથા ન્યાયપૂર્ણ” અથવા તો “હંમેશાં ખરી રીતે વર્તતા” થઈ શકે.
  • ઈશ્વરનું “ન્યાયીપણું” નો અનુવાદ “સંપૂર્ણ વિશ્વાસુપણું તથા ભલાઈ” પણ કરી શકાય.
  • જ્યારે તે જે લોકો ઈશ્વરને આજ્ઞાધીન છે તેઓનું વર્ણન કરે છે ત્યારે, “ન્યાયી” શબ્દનો અનુવાદ “નૈતિક રીતે સારા” અથવા તો “ન્યાયપૂર્ણ” અથવા તો “ઈશ્વરને ખુશ કરતું જીવન જીવતા લોકો” પણ કરી શકાય.
  • “ન્યાયી” શબ્દનો અનુવાદ “ન્યાયી લોકો” અથવા તો “ઈશ્વરનો ભય માનનારા લોકો” તરીકે થઈ શકે.
  • સંદર્ભ અનુસાર, “ન્યાયીપણું” નો અનુવાદ એવા શબ્દ કે શબ્દસમૂહ દ્વારા કરી શકાય કે જેનો અર્થ “ભલાઈ” અથવા તો “ઈશ્વર સમક્ષ સંપૂર્ણ હોવું” અથવા તો “ઈશ્વરનું આજ્ઞાપાલન કરીને ખરી રીતે વર્તવું” અથવા તો “સંપૂર્ણપણે સારું કરવું” પણ કરી શકાય.
  • “અન્યાયી” શબ્દનો સરળ અનુવાદ “ન્યાયી નહીં” એ રીતે કરી શકાય.
  • સંદર્ભ અનુસાર, આનો અનુવાદ “દુષ્ટ” અથવા તો “અનૈતિક” અથવા તો “ઈશ્વરની વિરુદ્ધ બળવો કરતા લોકો” અથવા તો “પાપીઓ” નો સમાવેશ કરે છે.
  • “અન્યાયીઓ” શબ્દનો અનુવાદ “અન્યાયી લોકો” તરીકે કરી શકાય.
  • “અન્યાયીપણું” શબ્દનો અનુવાદ “પાપ” અથવા તો “દુષ્ટ વિચારો અને કાર્યો” અથવા તો “દુષ્ટતા” તરીકે કરી શકાય.
  • જો શક્ય હોય તો, તેનો અનુવાદ એ રીતે કરવો કે જ્યાં તેનો સંબંધ “ન્યાયી”, ન્યાયીપણું” સાથે દર્શાવે છે, તો તે ઉત્તમ રહેશે.
  • “પ્રામાણિક” નો અનુવાદ “ખરી રીતે વર્તતું” અથવા તો “ખરી રીતે વર્તતી વ્યક્તિ” અથવા તો “ઈશ્વરના નિયમો પાળતું” અથવા તો “ઈશ્વરને આજ્ઞાધીન” અથવા તો “જે ખરું છે તે રીતે વર્તતું” નો સમાવેશ કરે છે.
  • “પ્રામાણિકપણું” શબ્દનો અનુવાદ “નૈતિક શુદ્ધતા” અથવા તો “સારો નૈતિક વ્યવહાર” અથવા તો “ખરાપણું” કરી શકાય.
  • “પ્રામાણિકો” શબ્દનો અનુવાદ “જેઓ પ્રામાણિક છે તેવા લોકો” અથવા તો “પ્રામાણિક લોકો” થઈ શકે.                                                                                                                                                                                                                                                                                                                                                                               (આ પણ જૂઓ: દુષ્ટ, વિશ્વાસુ, સારું, પવિત્ર, સત્યનિષ્ઠા, ન્યાયપૂર્ણ, નિયમ, નિયમ, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, નિયમ વિરૂદ્ધનું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 3:2 પણ નૂહ ઈશ્વરની નજરમાં કૃપા પામ્યો. તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.
  • 4:8 ઈશ્વરે ઘોષિત કર્યું કે અબ્રામ ન્યાયી હતો કારણ કે તેણે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.
  • 17:2 દાઉદ નમ્ર અને ન્યાયી માણસ હતો કે જેણે ઈશ્વર પર ભરોસો કર્યો અને તેમનું આજ્ઞાપાલન કર્યું.
  • 23:1 યૂસફ કે જેની સાથે મરિયમની સગાઈ થઈ હતી તે, એક ન્યાયી માણસ હતો.
  • 50:10 ત્યારે ન્યાયી લોકો ઈશ્વર તેમના પિતાના રાજયમાં સૂરજની જેમ પ્રકાશસે.”

શબ્દ માહિતી:

  • Strong's: H205, H1368, H2555, H3072, H3474, H3476, H3477, H3483, H4334, H4339, H4749, H5228, H5229, H5324, H5765, H5766, H5767, H5977, H6662, H6663, H6664, H6665, H6666, H6968, H8535, H8537, H8549, H8552, G93, G94, G458, G1341, G1342, G1343, G1344, G1345, G1346, G2118, G3716, G3717

પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત

વ્યાખ્યા:

“પક્ષ” એટલે પસંદ છે. જયારે કોઈ વ્યક્તિનો પક્ષ લે છે, ત્યારે તે હકારાત્મક રીતે તે વ્યક્તિ પર ધ્યાન દે છે અને અન્ય ના ફાયદા માટે જે કરે છે તેના કરતા તે વ્યક્તિના ફાયદા માટે વધારે કરે છે.

  • “પક્ષપાત” શબ્દનો અર્થ કેટલાક લોકો પ્રત્યે તરફેણ કરે પણ બીજાઓ માટે નહી.

તેનો અર્થ એક વ્યક્તિ ઉપર બીજાને પસંદ કરવાની ઈચ્છા અથવા એક બાબત ઉપર બીજી બાબત પસંદ કરવાની ઈચ્છા કારણકે વ્યક્તિ અથવા વસ્તુ પસંદ કરેલી છે.???? સામાન્ય રીતે, “પક્ષપાત” ને અયોગ્ય માનવામાં આવે છે.

  • ઈસુ દેવ અને માણસોની “પ્રસન્નતામાં” વધતો ગયો.

તેનો અર્થ કે તેઓએ તેના ચારિત્ર્ય અને વર્તન ને મંજુર કર્યા.

  • કોઇ થી “પક્ષ શોધવો” અભિવ્યક્તિ કે તે વ્યક્તિ દ્વારા કોઇકને મંજુર કરવો.?????
  • જયારે રાજા કોઈના માટે પક્ષ બતાવે છે, ત્યારે મોટેભાગે તેનો અર્થ કે તે વ્યક્તિની વિનંતીને મંજૂર અને તેનું અનુદાન કરે છે.
  • “પક્ષ” એ અન્ય વ્યક્તિ તરફ અને તેના ફાયદા માટે હાવભાવ અથવા ક્રિયા પણ હોઈ શકે છે.

ભાષાંતરના સૂચનો:

  • “પક્ષ” શબ્દનું બીજી રીતે ભાષાંતર કરતા, “આશીર્વાદ” અથવા “ફાયદો” નો સમાવેશ કરીને કરી શકાય છે.
  • “યહોવાની તરફેણનો દિવસ” નું ભાષાંતર “વર્ષ (અથવા સમય” જયારે યહોવા મહાન આશીર્વાદ લાવશે” તરીકે કરી શકાય છે.)
  • “પક્ષપાત” શબ્દનું ભાષાંતર “તરફેણ” અથવા “પૂર્વગ્રહવાળું હોવું” અથવા “અન્યાયી વર્તન” તરીકે કરી શકાય છે.

આ શબ્દ “મનપસંદ” શબ્દ સાથે સંબંધિત છે,” જેનો અર્થ “એક કે જે પસંદ અથવા અતિપ્રિય” છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H995, H1156, H1293, H1779, H1921, H2580, H2603, H2896, H5278, H5375, H5414, H5922, H6213, H6437, H6440, H7521, H7522, H7965, G1184, G3685, G4380, G4382, G5485, G5486

પચાસમનોદિવસ, પર્વના અઠવાડીયા

હકીકત:

આ”પર્વના અઠવાડિયામાં”યહુદીઓનો ત્યોહાર આવતો હતો જે પાસ્ખાપર્વના પચાસ દિવસ પછી મનાવામાં આવતો હતો .જેને પછીથી પચાસમાંના દિવસ તરીકે ઓળખવામાં આવતો હતો.

  • અઠવાડિયાનો તહેવાર પ્રથમ ફળોના તહેવાર પછી સાત અઠવાડિયાનો (પચાસ દિવસ) હતો. નવા કરારના સમયમાં, આ તહેવારને "પેન્ટેકોસ્ટ" કહેવામાં આવતું હતું, જે તેના અર્થના ભાગરૂપે "પચાસ" ધરાવે છે.
  • અનાજની લણણીની શરૂઆતની ઉજવણી કરવા અઠવાડિયાનો તહેવાર યોજાયો હતો. એ પણ યાદ કરવાનો સમય હતો જ્યારે ઈશ્વરે ઈસ્રાએલીઓને મુસાને આપેલી પથ્થરની તકતીઓ પર પ્રથમ વખત નિયમ આપ્યો હતો.
  • નવા કરારમાં, પેન્ટેકોસ્ટનો દિવસ ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે તે દિવસે ઈસુના વિશ્વાસીઓને નવી રીતે પવિત્ર આત્મા પ્રાપ્ત થયો હતો.

(ભાષાંતર અનુવાદ: નામને કેવી રીતે અનુવાદ કરવા)

(આપણજુઓ:પર્વ,પ્રથમફળ,લણણી,પાવિત્રઆત્મા,ઉછેર)

બાઈબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ: H2282, H7620, G40050

પથ્થર, પથ્થરો, પથ્થર મારવા

વ્યાખ્યા:

પથ્થર એ નાનો ખડક છે. કોઈકને “પથ્થર” મારવા એટલે કે તે વ્યક્તિ સામે તેને મારી નાંખવાના ઈરાદાથી પથ્થરો અને મોટા ખડકો ફેંકવા. “પથ્થર મારવા” એ એક બનાવ છે કે જેમાં કોઈકને પથ્થરે મારવામાં આવ્યા હોય છે.

  • પ્રાચીન સમયમાં, લોકોને જે ગુનો તેમણે કર્યો હોય તેની શિક્ષા તરીકે પથ્થર વડે મારી નાંખવાની સામાન્ય રીત હતી.
  • ઈશ્વરે ઈઝરાયેલીઓના આગેવાનોને હુકમ આપ્યો હતો કે ચોક્કસ પાપો જેવા કે વ્યભિચારને માટે લોકોને પથ્થરે મારવા.
  • નવા કરારમાં, ઈસુએ વ્યભિચારમાં પકડાયેલ સ્ત્રીને માફ કરી અને લોકોને પથ્થર મારતા અટકાવ્યા.
  • સ્તેફન, કે જે બાઈબલમાં પ્રથમ વ્યક્તિ હતો જેને ઈસુ વિશેની સાક્ષીને કારણે પથ્થરો મારીને મારી નાંખવામાં આવ્યો.
  • લુસ્ત્રા શહેરમાં, પ્રેરિત પાઉલને પથ્થર મારવામાં આવ્યા, પરંતુ તે તેના ઘાઓથી મરણ પામ્યો નહિ.

(આ પણ જુઓ: વ્યભિચાર, કરવું, ગુનો, મરણ, લુસ્ત્રા, સાક્ષી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H68, H69, H810, H1382, H1496, H1530, H2106, H2672, H2687, H2789, H4676, H4678, H5553, H5601, H5619, H6344, H6443, H6697, H6864, H6872, H7275, H7671, H8068, G2642, G2991, G3034, G3035, G3036, G3037, G4074, G4348, G5586

પરિપૂર્ણ થવું, પૂર્ણ થયું

વ્યાખ્યા:

“પરિપૂર્ણ” શબ્દનો અર્થ, કંઈક કે જે અપેક્ષા હતી, તેને પૂર્ણ અથવા પરિપૂર્ણ કરવી.

  • જયારે ભવિષ્યવાણી પૂર્ણ થાય છે, ત્યારે તેનો અર્થ કે ભવિષ્યવાણીમાં જે ભાખ્યું હતું તે દેવ થવા દે છે.
  • જો વ્યક્તિ વચન અથવા પ્રતિજ્ઞાને પરિપૂર્ણ કરે છે, તો તેનો અર્થ કે જે તેણે વચન આપ્યું તે તે કરે છે.
  • જવાબદારીને પૂર્ણ કરવી તેનો અર્થ કે જે કાર્ય કરવા સોંપેલ અથવા જરૂરી હતું તે પૂરું કરવું.

ભાષાંતરના સૂચનો:

સંદર્ભ પર આધાર રાખીને, “પરિપૂર્ણ” નું ભાષાંતર, “પૂરું કરવું” અથવા “પૂર્ણ કરવું” અથવા “થવા માટેનું કારણ બનવું” અથવા “આજ્ઞા પાળવી” અથવા “કામ પૂર્ણ કરવું,” તરીકે કરી શકાય છે.

  • “પૂર્ણ થઈ રહી છે” શબ્દસમૂહનું ભાષાંતર, “સાચું પુરવાર થયું છે” અથવા “થયું છે” અથવા “ તે બન્યું છે,” તરીકે પણ કરી શકાય છે.
  • “તમારી સેવા પરિપૂર્ણ કરો,” જેમાં “પરિપૂર્ણ” શબ્દનું ભાષાંતર, “પૂર્ણ” અથવા “કામ પૂરું કરવું” અથવા “તેમ કરવું” અથવા “જેમ દેવે તમને બીજા લોકોની સેવા કરવા માટે બોલાવ્યા છે તેમ કરો” જેવા શબ્દનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: પ્રબોધક, ખ્રિસ્ત, મંત્રી, બોલાવવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 24:4 પ્રબોધકોએ જે જણાવ્યું હતું તે યોહાને પૂર્ણ કર્યું, જેમકે હું મારા દૂતને તમારી આગળ મોકલી આપીશ કે જે તમારો માર્ગ તૈયાર કરશે.
  • 40:3 ઈસુના કપડાં માટે સિપાઈઓ જુગાર રમ્યા.

જયારે તેઓએ આ કર્યું, ત્યારે ભવિષ્યવાણીમાં જે કહેવામાં આવ્યું હતું તે તેઓએ પૂર્ણ કર્યું, તેઓએ મારા કપડાં પોતાની વચ્ચે વિભાજીત કર્યા, અને મારા કપડાં માટે જુગાર રમ્યા.

  • 42:7 ઈસુએ જણાવ્યું કે “હું તમને કહું છું કે ધર્મશાસ્ત્રમાં મારા વિશે જે બધું લખાયું છે તે અવશ્ય પૂર્ણ થશે.
  • 43:5 પ્રબોધક યોએલ દ્વારા જે ભવિષ્યવાણી કરવામાં આવી છે તે અહીં પરિપૂર્ણ થાય છે, જેમાં દેવે જણાવ્યું છે કે, ‘છેલ્લા દિવસોમાં, હું મારો આત્મા રેડી દઈશ.”
  • 43:7 ”આ ભવિષ્યવાણીને પરિપૂર્ણ કરે છે જે કહે છે, તું તારા પવિત્રને કોહવાણ લાગવા દેશે નહીં.
  • 44:5 જો કે તમે જે કરી રહ્યા હતા તે તમે સમજ્યા નહીં, (પણ) દેવે તમારા કાર્યોને ભવિષ્યવાણીઓને પરિપૂર્ણ કરવા વાપર્યા, જેમકે મસીહા દુઃખ સહન કરશે અને મરણ પામશે.

શબ્દ માહિતી:

  • Strong's: H1214, H5487, G1096, G4138

પવિત્ર આત્મા, ઈશ્વરના આત્મા, પ્રભુના આત્મા, આત્મા

સત્યો:

આ બધા જ શબ્દો પવિત્ર આત્મા, કે જે ઈશ્વર છે તેમને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

  • પવિત્ર આત્માને “આત્મા” અને “યહોવાનો આત્મા” અને “સત્યનો આત્મા” તરીકે પણ ઉલ્લેખાય છે.
  • કારણકે પવિત્ર આત્મા ઈશ્વર છે, તે સંપૂર્ણપણે પવિત્ર છે, અનંત શુદ્ધ, અને તેમના પૂર્ણ સ્વભાવમાં અને જે બધું તે કરે છે તેમાં તે નૈતિક રીતે સંપૂર્ણ છે.
  • પિતા અને પુત્રની સાથે, પવિત્ર આત્મા જગતનું સર્જન કરવામાં સક્રિય હતા.
  • જયારે ઈશ્વરના દીકરા ઈસુ, સ્વર્ગમાં પરત ગયા, ત્યારે ઈશ્વરે તેમના લોકોને દોરવણી આપવા, તેઓને શીખવવા, દિલાસો આપવા, અને તેઓને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવા સક્ષમ થવા પવિત્ર આત્માને મોકલ્યા.
  • પવિત્ર આત્મા એ ઈસુને માર્ગદર્શન આપ્યું અને તે જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને માર્ગ દર્શન આપે છે.

ભાષાંતરના સૂચનો:

  • સામાન્યપણે “પવિત્ર” અને “આત્મા” શબ્દોનું ભાષાંતર કરવા માટે ઉપયોગમાં લેવાતા શબ્દો દ્વારા આ શબ્દોનું ભાષાંતર કરી શકાય છે.
  • આ શબ્દના ભાષાંતરની રીતોમાં, “શુદ્ધ આત્મા” અથવા “આત્મા કે જે પવિત્ર છે” અથવા “ઈશ્વર આત્મા” શબ્દોનો પણ સમાવેશ કરીશકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર, આત્મા, ઈશ્વર, પ્રભુ, ઈશ્વર પિતા, ઈશ્વરના દીકરા, ભેટ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 1:1 પરંતુ ઈશ્વરનો આત્મા ત્યાં પાણી ઉપર હતો.
  • 24:8 બાપ્તિસમા પામ્યા પછી જયારે ઈસુ પાણીમાંથી બહાર આવ્યા, ત્યારે ઈશ્વરના આત્મા કબૂતરના રૂપમાં દેખાયા અને નીચે ઉતરી આવી તેમના ઉપર બેઠા.
  • 26:1 શેતાનના પરીક્ષણો પર જીત પ્રાપ્ત કર્યા બાદ, ઈસુ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થઈને ગાલીલના પ્રદેશમાં જ્યાં તે રહેતા હતા ત્યાં પાછા આવ્યા.
  • 26:3 ઈસુએ વાચ્યું, “ઈશ્વરે તેમનો આત્મા મને આપ્યો છે કે જેથી હું દરિદ્રીઓને સુવાર્તા જાહેર કરું, બંદીવાનોને છૂટકારો, અંધજનોને દ્રષ્ટિ, અને કચડાયેલાઓને છોડાવું.”
  • 42:10 જેથી તમે જઈને સર્વ જાતિના લોકોને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે બાપ્તિસ્મા આપીને, અને મેં તમને જે જે આજ્ઞા આપી છે, તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.”
  • 43:3 તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા હતા અને તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા.
  • 43:8 “તેમણે જે વચન આપ્યું હતું તે પ્રમાણે ઈસુએ પવિત્ર આત્મા મોકલ્યા. પવિત્ર આત્મા જે કાર્ય કરી રહ્યા છે તે હવે તમે જોઈ રહ્યા છો અને સાંભળી રહ્યા છો.
  • 43:11 પિતરે તેઓને જવાબ આપ્યો, "તમારામાંના દરેક જણે પસ્તાવો કરી ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા લેવું જોઈએ જેથી ઈશ્વર તમારા પાપો માફ કરે. પછી તે તમને પવિત્ર આત્માની ભેટ પણ આપશે.”
  • 45:1 તેની (સ્તેફન) શાખ સારી હતી અને તે પવિત્ર આત્મા અને જ્ઞાનથી ભરપૂર હતો.

શબ્દ માહિતી:

  • Strong's: H3068, H6944, H7307, G40, G4151

પવિત્ર આત્માથી ભરપૂર થવું

વ્યાખ્યા:

“પવિત્ર આત્માથી ભરપૂર થવું” શબ્દ એ રૂપકાત્મક અભિવ્યક્તિ છે, જયારે તે શબ્દ વ્યક્તિનું વર્ણન કરવા વપરાય છે ત્યારે તેનો અર્થ એમ કે પવિત્ર આત્મા તે વ્યક્તિને દેવની ઈચ્છા પ્રમાણે કરવા સામર્થ્ય આપે છે.

  • “(તેના)થી ભરેલ” એ એક અભિવ્યક્તિ છે, જેનો મોટેભાગે અર્થ, “(તેના) દ્વારા નિયંત્રણ થયેલ” એમ થાય છે.
  • જયારે લોકો “પવિત્ર આત્માથી ભરપૂર” થાય છે, ત્યારે તેઓ પવિત્ર આત્માના નેતૃત્વ હેઠળ અને સંપૂર્ણપણે તેના પર આધાર રાખીને જે દેવ તેઓ દ્વારા જે કરાવવા માંગે છે, તે કરી શકે છે.

ભાષાંતરના સૂચનો:

  • આ શબ્દનું ભાષાંતર, “પવિત્ર આત્મા દ્વારા શસક્ત કરાયેલું” અથવા “પવિત્ર આત્મા દ્વારા નિયંત્રણ થયેલું” તરીકે કરી શકાય છે.
  • પરંતુ તેનો અર્થ એવો ના થવો જોઈએ કે પવિત્ર આત્મા વ્યક્તિને કઈંક કરવા મજબૂર કરે છે.
  • વાક્ય જેવા કે, “તે પવિત્ર આત્માથી ભરપૂર હતો” તે શબ્દનું ભાષાંતર, “તે સંપૂર્ણપણે આત્માની શક્તિથી જીવતો હતો” અથવા “તે સંપૂર્ણપણે પવિત્ર આત્માથી દોરાયેલો હતો” અથવા “ પવિત્ર આત્મા સંપૂર્ણપણે તેને માર્ગદર્શન આપતો હતો” તરીકે કરી શકાય છે.
  • “આત્મા દ્વારા જીવવું” અભિવ્યક્તિનો અર્થ સમાન છે, પણ “પવિત્ર આત્માથી ભરપૂર થવું” જે તે વ્યક્તિ તેના જીવનમાં સંપૂર્ણ રીતે પવિત્ર આત્માના નિયંત્રણ અથવા પ્રભાવ તળે રહી તેને કામ કરવા દે છે.

જો શક્ય હોય તો, આ બે અભિવ્યક્તિઓનું ભાષાંતર અલગ રીતે થવું જોઈએ.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G40, G4130, G4137, G4151

પવિત્ર કરવું, પવિત્ર કરે છે, પવિત્રીકરણ

વ્યાખ્યા:

પવિત્ર કરવું એટલે કે અલગ કરવું અથવા પવિત્ર બનાવવું. પવિત્રીકરણ એ પવિત્ર બનવાની પ્રક્રિયા છે.

  • જુના કરારમાં, ચોક્કસ લોકો અને બાબતો ઈશ્વરને માટે પવિત્ર કરવામાં આવતી હતી અથવા અલગ કરવામાં આવતી હતી.
  • નવો કરાર શીખવે છે કે જે લોકો ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને ઈશ્વર પવિત્ર કરે છે.

એટલે કે, તેઓ લોકોને તેમની સેવા કરવાં માટે પવિત્ર કરે છે અને અલગ કરે છે.

  • ઈસુમાં વિશ્વાસીઓને આજ્ઞા પણ આપવામાં આવી છે કે તેઓ પોતાને ઈશ્વરને માટે પવિત્ર કરે, જે સઘળું તેઓ કરે તેઓમાં પવિત્ર રહીને.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભને આધારે “પવિત્ર કરવું” શબ્દનું અનુવાદ “અલગ કરવું” અથવા “પવિત્ર બનાવવું” અથવા “ શુદ્ધ કરવું” એમ કરી શકાય.
  • જ્યારે લોકો પોતાને પવિત્ર કરે, ત્યારે તેઓ પોતાને શુદ્ધ કરે છે અને પોતાને ઈશ્વરની સેવાને માટે સમર્પિત કરે છે. “અભિષેક” શબ્દ વારંવાર બાઈબલમાં આ અર્થ સાથે વાપરવામાં આવ્યો છે.
  • જ્યારે તેનો અર્થ “અભિષેક” કરવો હોય, ત્યારે આ શબ્દનો અનુવાદ “ઈશ્વરની સેવાને માટે કોઈકને (અથવા કંઇક) સમર્પિત કરવું” આ પ્રમાણે કરી શકાય.
  • સંદર્ભને આધારે, “તમારું પવિત્રીકરણ” શબ્દસમૂહનું અનુવાદ “તમને પવિત્ર બનાવવા” અથવા “તમને અલગ કરવા (ઈશ્વરને માટે)” અથવા “જે તમને પવિત્ર બનાવે છે” આ પ્રમાણે કરી શકાય.

(આ પણ જુઓ: અભિષેક, પવિત્ર, અલગ કરવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H6942, G37, G38

પવિત્ર સ્થાન

વ્યાખ્યા:

બાઈબલમાં “પવિત્ર સ્થાન” અને “પરમ પવિત્ર સ્થાન” શબ્દો, મુલાકાત મંડપના અથવા મંદિરની ઈમારતના બે ભાગોને દર્શાવે છે. પ્રથમ ખંડ “પવિત્ર સ્થાન” હતું, અને તેમાં વેદીનો ધૂપ અને ટેબલ ઉપર ખાસ “રોટલીની હાજરી” રાખવામાં આવતી હતી.

  • સૌથી અંદરનો ખંડ, જે બીજું સ્થાન હતું કે જે “પરમ પવિત્ર સ્થાન” કહેવાતું, અને તેમાં કરારકોશ આવેલો હતો.
  • જાડા, ભારે પડદા બહારના ખંડથી અંદરના ખંડને અલગ કરતા.
  • ફક્ત પ્રમુખ યાજક એક જ હતો કે જેને પરમપવિત્ર સ્થાનમાં જવાની પરવાનગી આપવામાં આવતી હતી.
  • ક્યારેક, મંદિર અથવા મુલાકાત મંડપની ઈમારત અને આંગણાનો એમ બંને વિસ્તારને “પવિત્ર સ્થાન” તરીકે દર્શાવવામાં આવે છે.

સામાન્ય રીતે તે કોઈપણ જગ્યા હોય, તે દેવ માટે અલગ કરાયેલી હતી એમ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો:

  • “પવિત્ર સ્થાન” શબ્દનું ભાષાંતર, “ખંડ કે જે દેવ માટે અલગ કરાયેલો છે” અથવા “દેવને મળવાનો ખાસ ઓરડો” અથવા “દેવ માટેનું અનામત સ્થળ” તરીકે પણ કરી શકાય છે.
  • “પરમ પવિત્ર સ્થાન” શબ્દ નું ભાષાંતર “દેવ માટે સૌથી અલગ કરાયેલો ઓરડો” અથવા “દેવને મળવા માટેનો વિશેષ ઓરડો” તરીકે કરી શકાય છે. સંદર્ભ પર આધાર રાખીને, “પવિત્ર સ્થાન” શબ્દનું સામાન્ય અભિવ્યક્તિમાં ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “અભિષેક કરેલું સ્થાન” અથવા “દેવ કે જેણે અલગ કરેલું સ્થાન” અથવા “મંદિરની ઇમારતનું સ્થાન, કે જે પવિત્ર છે” અથવા “દેવના પવિત્ર મંદિરનું આંગણુ,” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: વેદીનું ધૂપ, કરાર કોશ, રોટલી, અભિષેક, આંગણા, પડદો, પવિત્ર, અલગ કરેલું, મુલાકાત મંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1964, H4720, H4725, H5116, H6918, H6944, G39, G40, G3485, G5117

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પૂજ્ય

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે સર્વ પાપી અને અપૂર્ણથી ઈશ્વરને તદ્દન નિરાળા અને અલગ કરે છે

  • ફક્ત ઈશ્વર જ સંપૂર્ણપણે પવિત્ર છે. તે લોકો અને વસ્તુઓને પવિત્ર કરે છે.
  • વ્યક્તિ કે જે પવિત્ર છે તે ઈશ્વરનો છે, અને ઈશ્વરની સેવાના હેતુ માટે અને તેમને મહિમા મળે માટે અલગ કરાયેલો છે.
  • વસ્તુ જેને ઈશ્વરે પવિત્ર જાહેર કરી છે તે તેમના મહિમા અને તેમના કાર્ય માટે અલગ કરવામાં આવી છે, જેમ કે વેદી જે તેમને બલિદાન ચઢાવવાના હેતુ માટે છે.
  • જ્યાં સુધી તે (ઈશ્વર) પરવાનગી ના આપે ત્યાં સુધી લોકો તેમની નજીક જઈ શકતા નથી, કારણકે તે પવિત્ર છે અને મનુષ્ય માત્ર પાપી અને અપૂર્ણ છે.
  • જૂના કરારમાં, ઈશ્વરે યાજકોને તેમની સેવા માટે પવિત્ર તરીકે અલગ કર્યા છે. ઈશ્વરની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું હતું.
  • ઈશ્વરે ચોક્કસ સ્થળો અને વસ્તુઓને પણ પવિત્ર કરીને અલગ કર્યા કે જે તેમના છે અથવા તેમાં તે પોતાને પ્રગટ કરે છે, જેમ કે કે તેમનું મંદિર.
  • શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે ઈશ્વરનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.
  • આ શબ્દ કોઈક કે જે ઈશ્વર વિરુદ્ધ બળવો કરી તેમનું અપમાન કરે છે, તેનું વર્ણન કરવા વપરાયો છે.
  • વસ્તુ જે સામાન્ય, અપવિત્ર અથવા અશુદ્ધ હોય તેને “અપવિત્ર” કહી શકાય છે. તે ઈશ્વરનું નથી.
  • “પવિત્ર” શબ્દ કંઈક કે જે ઈશ્વરની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની વિદેશી મૂર્તિપૂજાને વર્ણવે છે.
  • જૂના કરારમાં, “પૂજ્ય” શબ્દ મોટેભાગે પત્થરના થાંભલાઓ અને જૂઠા દેવોની આરાધના માટે પણ ઉપયોગમાં લેવાતી બીજી વસ્તુઓનું વર્ણન કરે છે. તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.
  • “પવિત્ર ગીતો” અને “પવિત્ર સંગીત” કે જે ઈશ્વરના મહિમા માટે ગાવામાં અથવા વગાડવામાં આવે છે, તેને દર્શાવે છે. તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે ઈશ્વરની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.
  • “પવિત્ર ફરજો” શબ્દસમૂહ, “ધાર્મિક ફરજો” અથવા “વિધિઓ” કે જે લોકોને ઈશ્વરની આરાધનામાં દોરવા માટે યાજક જે કરે છે, તેને દર્શાવે છે. જૂઠા દેવની ભક્તિ કરવા માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી વિધિઓને પણ તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

  • “પવિત્ર” શબ્દનું ભાષાંતર, “ઈશ્વર માટે અલગ કરાયેલું” અથવા “ઈશ્વરનું” અથવા “સંપૂર્ણ શુદ્ધ” અથવા “સંપૂર્ણપણે પાપ રહિત” અથવા “પાપથી અલગ કરાયેલું”નો સમાવેશ કરે છે.
  • મોટેભાગે અંગ્રેજીમાં “પવિત્ર બનાવવા” શબ્દનું ભાષાંતર, “શુદ્ધ કરવું” તરીકે કરવામાં આવેલું છે. તેનું ભાષાંતર “ઈશ્વરના મહિમા માટે (કોઈને) અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.
  • “અપવિત્ર” શબ્દનું ભાષાંતરમાં, “પવિત્ર નથી” અથવા “ઈશ્વરનું નથી તે” અથવા “ઈશ્વરને મહિમા આપતું નથી” અથવા “ઈશ્વરીય નથી”નો સમાવેશ કરે છે.
  • કેટલાક સંદર્ભોમાં, “અપવિત્ર”નું ભાષાંતર “અશુદ્ધ” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, અભિષેક, શુદ્ધ, અલગ કરવું)

બાઇબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 1:16 તેમણે (ઈશ્વરે) સાતમા દિવસને આશીર્વાદ દીધો અને તેને પવિત્ર ઠરાવ્યો, કારણકે આ દિવસે તેઓ તેમના કામથી સ્વસ્થ રહ્યા.
  • 9:12 “તું પવિત્ર જગા ઉપર ઊભો છે.”
  • 13:1 “જો તમે મારી આજ્ઞા પાળશો અને મારો કરાર માનશો, તો તમે મારું કિંમતી દ્રવ્ય અને યાજકોનું રાજ્ય અને પવિત્ર દેશ કહેવાશો.
  • 13:5 “ હંમેશા સાબ્બાથ દિવસને પવિત્ર રાખો.”
  • 22:5 “જેથી તે બાળક જે ઈશ્વરનો દીકરો છે, તે પવિત્ર હશે,.”
  • 50:2 જયારે આપણે ઈસુના પાછા આવવાની રાહ જોઈએ છીએ, ત્યારે ઈશ્વર ચાહે છે કે આપણે એવું પવિત્ર જીવન જીવીએ કે જેથી તેમને માન મળે.

શબ્દ માહિતી:

  • Strong's: H430, H2455, H2623, H4676, H4720, H6918, H6922, H6942, H6944, H6948, G37, G38, G39, G40, G41, G42, G462, G1859, G2150, G2412, G2413, G2839, G3741, G3742

પવિત્રસ્થાન

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “પવિત્રસ્થાન”નો અર્થ “પવિત્ર સ્થાન” અને તે જે જગ્યાને ઈશ્વરે પવિત્ર બનાવી છે તેનો ઉલ્લેખ કરે છે. તે એવી પણ જગ્યાનો ઉલ્લેખ કરે છે કે જે રક્ષણ અને સલામતી આપે છે.

  • જુના કરારમાં, “પવિત્રસ્થાન” શબ્દનો વારંવાર ઉપયોગ મુલાકાતમંડપ અથવા મંદિર કે જ્યાં “પવિત્ર સ્થાન” અને “પરમ પવિત્રસ્થાન” સ્થાપિત હતું તેનો ઉલ્લેખ કરવા માટે થયો હતો.
  • ઈશ્વરે પવિત્રસ્થાનને તેઓ તેમના લોકો, ઈઝરાયેલીઓ મધ્યે રહેતાં હતાં તે સ્થળ તરીકે ઉલ્લેખ કર્યો હતો.
  • તેઓ પોતાને “પવિત્રસ્થાન” અથવા તેમના લોકોને માટે સલામત જગ્યા કે જ્યાં તેઓ રક્ષણ મેળવી શકે એ પ્રમાણે પણ ઓળખાવતાં હતાં.

અનુવાદ માટેના સૂચનો:

  • આ શબ્દનો મૂળભૂત અર્થ "પવિત્ર સ્થાન" અથવા "સ્થળ કે જે અલગ કરવામાં આવ્યું છે" તે છે.
  • સંદર્ભને આધારે “પવિત્રસ્થાન” શબ્દનો અનુવાદ “પવિત્ર સ્થાન” અથવા “પવિત્ર ઈમારત” અથવા “ઈશ્વરનું પવિત્ર રહેવાનું સ્થાન” અથવા “રક્ષણ માટેનું પવિત્ર સ્થાન” અથવા “સલામતી માટેનું પવિત્ર સ્થાન” એ પ્રમાણે કરી શકાય.
  • શબ્દસમૂહ “પવિત્રસ્થાનનું શેકેલ” નું અનુવાદ “મુલાકાત મંડપને માટે એક પ્રકારનું શેકેલ આપવામાં આવતું” અથવા “મંદિરની સંભાળ લેવાને માટે કર ચુકવવા શેકેલનો ઉપયોગ થતો” આ પ્રમાણે કરી શકાય.
  • નોંધ: સાવધ રહો કે આ શબ્દનું અનુવાદ આધુનિક સમયની મંડળીમાં ભજન ખંડનો ઉલ્લેખ કરતુ નથી

(આ પણ જુઓ: પવિત્ર, પવિત્ર આત્મા, પવિત્ર, અલગ કરવું, મુલાકાત મંડપ, કર, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4720, H6944, G39

પશ્ચાતાપ કરવો, પશ્ચાતાપ કરે છે, પશ્ચાતાપ કર્યો, પશ્ચાતાપ

વ્યાખ્યા:

“પશ્ચાતાપ કરવો” અને “પશ્ચાતાપ” શબ્દો પાપથી દૂર જવું અને ઈશ્વર તરફ પાછા ફરવું તેનો ઉલ્લેખ કરે છે.

  • “પશ્ચાતાપ કરવા” નો શાબ્દિક અર્થ “મન બદલવું” એવો થાય છે.
  • બાઇબલમાં, “પશ્ચાતાપ કરવા” નો અર્થ સામાન્ય રીતે વિચારવાના તથા વ્યવહાર કરવાના પાપી માનવીય માર્ગમાંથી પાછા ફરવું અને વિચારવાના તથા વ્યવહાર કરવાના ઈશ્વરના માર્ગ તરફ વળવું એવો થાય છે.
  • જ્યારે લોકો પોતાના પાપો માટે સાચી રીતે પશ્ચાતાપ કરે છે ત્યારે, ઈશ્વર તેમને માફ કરે છે અને તેમનું આજ્ઞાપાલન કરવાની શરૂઆત કરવા મદદ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “પશ્ચાતાપ કરવો” શબ્દનો અનુવાદ “(ઈશ્વર તરફ) પાછા વળવું” અથવા તો “પાપથી પાછા અને ઈશ્વર તરફ વળવું” અથવા તો “ઈશ્વર તરફ અને પાપથી પાછા ફરવું” એવા શબ્દસમૂહોથી થઈ શકે.
  • “પશ્ચાતાપ” શબ્દનો અનુવાદ ઘણી વાર “પશ્ચાતાપ કરવો” તે ક્રિયાપદ વાપરીને કરી શકાય છે.

ઉદાહરણ તરીકે, “ઈશ્વરે ઇઝરાયલને પશ્ચાતાપ બક્ષ્યો છે” નો અનુવાદ “ઈશ્વરે ઇઝરાયલને પશ્ચાતાપ કરવા સક્ષમ કર્યો છે” તરીકે કરી શકાય.

  • “પશ્ચાતાપ” નો અનુવાદ “પાપથી પાછા ફરવું” અથવા તો “ઈશ્વર તરફ અને પાપથી પાછા ફરવું” જેવી બીજી રીતે કરી શકાય.

(આ પણ જૂઓ: માફ કરવું, પાપ, ફરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 16:2 ઘણા વર્ષો સુધી ઈશ્વરનું આજ્ઞાપાલન ન કરવા તથા પોતાના શત્રુઓથી જુલમ સહ્યા બાદ, ઇઝરાયલીઓએ પશ્ચાતાપ કર્યો અને તેઓને છોડાવવા ઈશ્વરને વિનંતી કરી.
  • 17:13 દાઉદે તેના પાપ માટે પશ્ચાતાપ કર્યો અને ઈશ્વરે તેને માફ કર્યું.
  • 19:18 તેઓને (પ્રબોધકોએ) લોકોને ચેતવણી આપી કે જો તેઓ પશ્ચાતાપ નહીં કરે તો ઈશ્વર તેઓનો નાશ કરશે.
  • 24:2 ઘણા લોકો યોહાનને સાંભળવા અરણ્યમાં ગયા.

તેણે તેઓને, “પશ્ચાતાપ કરો, કારણ કે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે!” કહેતા પ્રચાર કર્યો.

  • 42:8 “શાસ્ત્રમાં પણ લખ્યું હતું કે મારા શિષ્યો દરેક વ્યક્તિએ તેના પાપની માફી પામવા માટે પશ્ચાતાપ કરવો જોઈએ એવું ઘોષિત કરશે.”
  • 44:5 “તો હવે, પશ્ચાતાપ કરો અને ઈશ્વર તરફ પાછા ફરો કે જેથી તમારા પાપો ધોવાઈ જાય.”

શબ્દ માહિતી:

  • Strong's: H5150, H5162, H5164, G278, G3338, G3340, G3341

પસંદ કરેલું, પસંદ કરવું, પસંદ કરાયેલા લોકો, પસંદ કરાયેલ વ્યક્તિ, ચૂંટી કાઢવું

વ્યાખ્યા:

“ચૂંટી કાઢવું” શબ્દનો શબ્દશઃ અર્થ, “પસંદ કરાયેલા” અથવા “પસંદ કરાયેલા લોકો” અને જેમને પોતાના લોક થવા ઈશ્વરે નિમણૂક કર્યા છે અથવા પસંદ કર્યાનો ઉલ્લેખ કરે છે. “પસંદ કરાયેલા” અથવા "ઈશ્વરના પસંદ કરેલા એક" શીર્ષક ઈસુનો ઉલ્લેખ કરે છે, કે જે પસંદ કરાયેલ મસીહા છે.

  • “પસંદ” શબ્દનો અર્થ, કઈંક અથવા કોઈકને પસંદ કરવું/કરવો અથવા કઈંક નક્કી કરવું. મોટેભાગે તે એવી વ્યક્તિને દર્શાવે છે કે જેને ઈશ્વર, તેમના લોક થવા સારું અને તેમની સેવા કરવા સારું નિમણૂક કરે છે.
  • “પસંદ કરાયેલા હોવું” શબ્દનો અર્થ કઈંક કરવા “પસંદ હોવું” અથવા” નિમણૂક કરેલું હોવું.”
  • ઈશ્વરે લોકોને પવિત્ર રહેવા, સારા આત્મિક ફળ ધારણ કરવાના હેતુ માટે તેના દ્વારા અલગ કરી પસંદ કર્યા છે. તેને લીધે તેઓ “પસંદ કરાયેલા અથવા “ચૂંટેલા” કહેવાય છે.
  • ” “પસંદ કરાયેલા” શબ્દ બાઈબલમાં ક્યારેક ચોક્કસ લોકો જેવા કે મૂસા, અને દાઉદ રાજા જેમને ઈશ્વરે તેમના લોકો ઉપર નેતાઓ તરીકે નિમણૂક કરી, તે માટે વાપર્યો છે. તે ઈઝરાયેલ દેશના પસંદ કરેલા લોકોને દર્શાવવા પણ વપરાયો છે.
  • “ચૂંટી કાઢવું” શબ્દસમૂહ એ એક જૂનો શબ્દસમૂહ છે કે જેનો શાબ્દિક અર્થ, “પસંદ કરાયેલા” અથવા “પસંદ કરેલા લોકો” થાય છે. જયારે ખ્રિસ્તમાં વિશ્વાસીઓને દર્શાવવામાં આવે છે, ત્યારે મૂળ ભાષામાં આ શબ્દસમૂહ બહુવચન છે.
  • બાઈબલની જૂના અંગ્રેજીની આવૃત્તિમાં, જૂના અને નવા કરારના બન્નેના ભાષાંતરમાં, “પસંદ કરેલા(ઓ)” (બહુવચન) માટે “ચૂંટવું” શબ્દ વાપરવામાં આવ્યો છે. નવા કરારમાં “ચૂંટવું” શબ્દ, મોટાભાગની આધુનિક આવૃત્તિઓમાં વાપર્યો છે, જે દર્શાવે છે કે લોકો વિશ્વાસથી ઈસુમાં ઈશ્વર દ્વ્રારા બચાવવામાં આવ્યા છે. બાઈબલના અન્યત્ર લખાણમાં “પસંદ કરાયેલાઓ” તરીકે આ શબ્દનું ભાષાંતર વધારે શાબ્દિક રીતે કર્યું છે.

ભાષાંતરના સૂચનો:

  • “ચૂંટી કાઢવું”નું  ભાષાંતર, શબ્દ અથવા શબ્દસમૂહ કે જેનો અર્થ, “પસંદ કરેલાઓ” અથવા “પસંદ કરેલા લોકો” થાય છે, તે રીતે કરવું ઉત્તમ છે. તેનું ભાષાંતર, “લોકો જેમને ઈશ્વરે પસંદ કરેલા” અથવા “ઈશ્વરે તેમને તેના લોકો થવા નિમણૂક કરેલા છે” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય છે.
  • “જેઓ પસંદ કરેલા હતા” શબ્દસમૂહનું ભાષાંતર, “જેઓની નિમણૂક કરેલી હતી” અથવા “જેઓને પસંદ કરેલા હતા” અથવા “જેમને ઈશ્વરે પસંદ કર્યા” તરીકે પણ કરી શકાય છે.
  • “મેં તમને પસંદ કર્યા છે” તે શબ્દનું ભાષાંતર, “મેં તમારી નિમણૂક કરી છે” અથવા “મેં તમને પસંદ કર્યા છે” એમ થઇ શકે છે.
  • ઈસુના સંદર્ભમાં, “પસંદ કરેલાનું ભાષાંતર “ઈશ્વરેના પસંદ કરાયેલ” અથવા “ઈશ્વર દ્વારા ખાસ નિમાયેલો મસીહા” અથવા “એક કે જે ઈશ્વરે (લોકોને બચાવવા) નિમેલો” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: નિમણૂક, ખ્રિસ્ત)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H970, H972, H977, H1262, H1305, H4005, H6901, G138, G140, G1586, G1588, G1589, G1951, G4400, G4401, G4758, G4899, G5500

પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તેમ ન કરવાનો પણ ઉલ્લેખ કરે છે.

  • પાપ આપણે એવું કંઈપણ કરીએ છીએ જે ઈશ્વરને આધીન નથી અથવા તો તેમને પ્રસન્ન કરતુ નથી, તેનો સમાવેશ કરે છે, એવી પણ બાબતો કે જેના વિષે બીજા કોઈ જાણતા નથી.
  • વિચારો અને ક્રિયાઓ કે જે ઈશ્વરની ઈચ્છાને આધીન નથી તેને “પાપરૂપ” કહેવાય છે.
  • આદમે પાપ કર્યું તેને કારણે, સમગ્ર માનવજાત “પાપી સ્વભાવ” થી જન્મે છે, એવો સ્વભાવ કે જે તેમના પર અંકુશ ધરાવે છે અને તેમને પાપ કરવા તરફ દોરી જાય છે.
  • “પાપી” એ છે કે જે પાપ કરે છે, તેથી દરેક મનુષ્ય પાપી છે.
  • ઘણીવાર “પાપીઓ” શબ્દ ધાર્મિક લોકો જેવા કે ફરોશીઓ દ્વારા એવા લોકોને સંબોધવા માટે વાપરવામાં આવતો હતો કે જેઓ નિયમો પાળતા ન હતા, જે ફરોશીઓ ઈચ્છતા હતા કે તેમણે પાળવા જોઈએ.
  • “પાપી” શબ્દ એવા લોકો માટે પણ વાપરવામાં આવતો હતો જેમને બીજા લોકો કરતાં ખરાબ પાપી ગણવામાં આવતા હતા. ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

  • “પાપ” શબ્દનું અનુવાદ એવા શબ્દ કે શબ્દસમૂહ જેનો અર્થ “ઈશ્વરને આધીન નથી” અથવા “ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ જવું” અથવા “દુષ્ટ વર્તન અને વિચારો” અથવા “ખોટું કરવું” તરીકે કરી શકાય.
  • “પાપ” કરવું નો અનુવાદ “ઈશ્વરનું ન માનવું” અથવા “ખોટું કરવું” પણ કરી શકાય.
  • સંદર્ભને આધારે “પાપી” શબ્દનું અનુવાદ “ખોટું કરવાથી ભરપુર” અથવા “દુષ્ટ” અથવા “અનૈતિક” અથવા “દુષ્ટ” અથવા “ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારવું” કરી શકાય.
  • સંદર્ભને આધારે “પાપી” નું અનુવાદ એવા શબ્દ કે શબ્દસમૂહનો અર્થ, “એવી વ્યક્તિ કે જે પાપ કરે છે” અથવા “વ્યક્તિ કે જે ખોટી બાબતો કરે છે” અથવા “વ્યક્તિ કે ઈશ્વરનું માનતી નથી” અથવા “વ્યક્તિ કે જે નિયમોને પાળતી નથી” કરી શકાય.
  • “પાપીઓ” શબ્દનું અનુવાદ જે શબ્દ કે શબ્દસમૂહનો અર્થ “અતિ ઘણાં પાપી લોકો” અથવા “લોકો જેઓને ઘણાં પાપી ગણવામાં આવ્યા છે” અથવા “અનૈતિક લોકો” કરી શકાય.
  • “દાણીઓ અને પાપીઓ” નું અનુવાદ કરવાની રીતોમાં “લોકો કે જેઓ સરકાર માટે નાણાં ઉઘરાવે છે, અને બીજા ઘણાં પાપી લોકો” અથવા “ઘણાં પાપી લોકો, જેમાં દાણીઓનો પણ સમાવેશ થાય” કરી શકાય.
  • એ ધ્યાનમાં રાખો કે આ શબ્દનું અનુવાદ પાપી વર્તન અને વિચારોનો સમાવેશ કરે, એવા પણ જેને બીજા લોકો જોઈ શકતા નથી કે તે વિષે જાણતા નથી.
  • “પાપ” શબ્દ સામાન્ય, અને “દુષ્ટતા,” “દુષ્ટ” શબ્દોથી જુદો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અનાધીન, દુષ્ટ, શરીર, દાણી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 3:15 ઈશ્વરે કહ્યું, “હું વચન આપું છું હું હવે કદી લોકોના દુષ્ટ કૃત્યોને કારણે ભૂમિને શાપિત કરીશ નહિ, અથવા જળપ્રલય લાવીને જગતનો નાશ કરીશ નહિ, બાળપણના સમયથી લોકો પાપી હોય તોપણ.”
  • 13:12 ઈશ્વર તેમના પર ઘણાં ગુસ્સે હતા તેમના પાપના કારણે અને તેમનો નાશ કરવાને માટે યોજના કરી.
  • 20:1 ઈઝરાયેલ અને યહુદિયા બંને રાજ્યોએ ઈશ્વરની વિરુદ્ધમાં પાપ કર્યું. તેમણે ઈશ્વરે તેમની સાથેનો કરેલો સિનાઈ પર્વત પરનો કરાર તોડી નાંખ્યો.
  • 21:13 પ્રબોધાકોએ તેમ પણ કહ્યું કે મસીહા સંપૂર્ણ, પાપરહિત હશે. બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.
  • 35:1 એક દિવસ, ઈસુ ઘણાં દાણીઓ અને બીજા પાપીઓને જેઓ તેમનું સાંભળવા ભેગા થયા હતા, તેમને શીખવતા હતા.
  • 38:5 પછી ઈસુએ પ્યાલો લીધો અને કહ્યું, “આ પીઓ. તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે."
  • 43:11 પીતરે તેઓને ઉત્તર આપ્યો, “તમારામાના દરેકે પસ્તાવો કરવો જોઈએ અને ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ્તિસ્મા લેવું જોઈએ કે જેથી ઈશ્વર તમારા પાપો માફ કરે.”
  • 48:8 આપણે સર્વ આપણા પાપોને માટે મરવા યોગ્ય છીએ!
  • 49:17 જો કે તમે ખ્રિસ્તી છો, તોપણ તમને પાપનું પરીક્ષણ થશે. પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને કહે છે કે જો તમે તમારા પાપો કબૂલ કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

  • Strong's: H817, H819, H2398, H2399, H2400, H2401, H2402, H2403, H2408, H2409, H5771, H6588, H7683, H7686, G264, G265, G266, G268, G361, G3781, G3900, G4258

પાળક, પાળકો

વ્યાખ્યા:

“પાળક” શબ્દ શબ્દશઃ રીતે “ઘેટાંપાળક” નો સમાનાર્થી શબ્દ છે. કોઈ વ્યક્તિ કે જે એક વિશ્વાસીઓના જૂથનો આત્મિક આગેવાન છે તેના માટે તે શીર્ષક તરીકે વપરાય છે.

  • અંગ્રેજી બાઇબલના અનુવાદોમાં, “પાળક” શબ્દ ફક્ત એક જ વાર એટલે કે એફેસીઓના પત્રમાં જોવા મળે છે.

બીજે બધે જ્યાં “ઘેટાંપાળક” શબ્દનો અનુવાદ થયો છે તેનો આ સમાનર્થી શબ્દ છે.

  • કેટલીક ભાષાઓમાં, “પાળક” માટેનો શબ્દ “ઘેટાંપાળક” માટેના શબ્દ સમાન છે.
  • ઈસુનો ઉલ્લેખ “ઉત્તમ ઘેટાંપાળક” તરીકે કરવામાં જે શબ્દ વપરાયો છે તે આ જ શબ્દ છે.

અનુવાદ માટેના સૂચનો:

  • ભાષાંતર કરવાની ભાષામાં “ઘેટાંપાળક” માટે જે શબ્દ છે તે જ શબ્દ દ્વારા આ શબ્દનો અનુવાદ કરવો સૌથી શ્રેષ્ઠ રીત છે.
  • આ શબ્દનો અનુવાદ કરવાની બીજી રીતોમાં “આત્મિક પાળક” અથવા તો “ખ્રિસ્તી પાળકિય આગેવાન” નો સમાવેશ થઈ શકે.

(આ પણ જૂઓ: ઘેટાંપાળક, ઘેટું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H7462, G4166

પાવન કરવું, પાવન કરેલું, પવિત્રીકરણ

વ્યાખ્યા:

પાવન કરવું શબ્દનો અર્થ, કઈંક અથવા કોઈકને દેવની સેવા માટે અર્પણ કરવું. વસ્તુ અથવા વ્યક્તિ કે જેને પાવન કરેલી છે તેને પવિત્ર માનવામાં આવે છે અને તે દેવ માટે અલગ કરાયેલી છે.

  • આ શબ્દનો અર્થ, “પવિત્ર કરવું” અથવા “પવિત્ર બનાવવું” થાય છે, પણ તેમાં એક ઔપચારિક અર્થ ઉમેરવામાં આવે છે એટલે કે તેને દેવની સેવા માટે અલગ કરવામાં આવે છે.
  • દેવને જે વસ્તુઓ પાવન તરીકે અર્પણ કરવામાં આવે છે તેમાં બલિદાન આપવાના પ્રાણીઓ, અર્પણની હોમ વેદી, અને મુલાકાત મંડપનો સમાવેશ થાય છે.
  • લોકો કે જેઓ દેવને પાવન થયેલા હતા, તેમાં યાજકો, ઈઝરાએલના લોકો, અને પ્રથમ નર બાળકનો સમાવેશ થાય છે.
  • ક્યારેક “પાવન” શબ્દનો અર્થ “શુદ્ધ” શબ્દની સમાન હોય છે, ખાસ કરીને જયારે તે લોકો અથવા વસ્તુઓને અનુલક્ષીને દેવની સેવા માટે તૈયાર કરવામાં આવે કે જેથી તેઓ શુદ્ધ અને સ્વીકાર્ય બને.

ભાષાંતરના સૂચનો:

  • “પાવન” શબ્દનું ભાષાંતર, “દેવની સેવા માટે અલગ કરાયેલા” અથવા “દેવની સેવા માટે શુદ્ધ કરાયેલા” એવા શબ્દોનો સમાવેશ થઇ શકે છે.
  • “પવિત્ર” અને “શુદ્ધ કરવું” તે શબ્દોના ભાષાંતર કેવી રીતે કરવું તે ધ્યાનમાં રાખો.

(આ પણ જુઓ: પવિત્ર, શુદ્ધ, પવિત્ર કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2763, H3027, H4390, H4394, H5144, H5145, H6942, H6944, G1457, G5048

પાસ્ખા, પાસ્ખાપર્વ

તથ્યો:

ઈશ્વરે કેવી રીતે તેઓના પૂર્વજોને એટલે કે ઇઝરાયલીઓને ઈજીપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા તેની યાદગીરીમાં યહૂદીઓ દર વર્ષે જે ધાર્મિક પર્વ મનાવતા હતા તેનું નામ “પાસ્ખાપર્વ” છે.

  • આ પર્વનું નામ એ હકીકત પર આધારિત છે કે જ્યારે ઈશ્વરે ઈજીપ્તના લોકોના પ્રથમજનિત પુત્રોનો સંહાર કર્યો ત્યારે તેમણે ઇઝરાયલીઓના ઘરોને ટાળ્યા અને તેઓના પુત્રોનો સંહાર કર્યો નહિ.
  • પાસ્ખાપર્વની ઉજવણીમાં એક સંપૂર્ણ હલવાન (ઘેટું) કે જેને હલાલ કરીને તથા શેકીને અને ખમીર વગરની રોટલીનું તૈયાર કરેલું ખાસ ભોજન કરવામાં આવતું હતું.

આ ખોરાક તેમને તે ભોજનની યાદ અપાવતો હતો કે જેને ઇઝરાયલીઓએ ઈજિપ્તમાંથી છૂટકારો પામ્યા તેની આગલી રાત્રે ખાધું હતું.

  • કેવી રીતે ઈશ્વરે તેઓના ઘરોને “ટાળ્યા” અને તેઓને ઈજીપ્તની ગુલામીમથી મુક્ત કર્યા તેને યાદ કરવા અને તેનો ઉત્સવ મનાવવા ઈશ્વરે ઇઝરાયલીઓને આ ભોજન દર વર્ષે ખાવા કહ્યું હતું.

અનુવાદ માટેના સૂચનો:

  • “પાસ્ખાપર્વ” શબ્દનો અનુવાદ “પસાર થવું” અને “ઉપરથી” એ બંને શબ્દોને જોડીને અથવા તો આવો અર્થ ધરાવતા બીજા શબ્દોને જોડવા દ્વારા કરી શકાય.
  • આ પર્વના નામ માટે જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તે શબ્દો દૂતે ઇઝરાયલીઓના ઘરોને ટાળવામાં અને તેઓના પુત્રોને બચાવવામાં જે કર્યું તેની સાથે સ્પષ્ટ રીતે જોડાયેલા હોય તો તે મદદરૂપ થશે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

  • 12:14 ઈશ્વરે દર વર્ષે પાસ્ખાપર્વ પાળવા દ્વારા ઇઝરાયલીઓને ઈશ્વરનો ઈજિપ્તના લોકો પરનો વિજય અને ઇઝરાયલીઓનો ગુલામીમાંથી છૂટકારો યાદ રાખવા આજ્ઞા આપી.
  • 38:1 યહૂદીઓ દર વર્ષે પાસ્ખાપર્વ પાળતા. ઘણી સદીઓ અગાઉ કેવી રીતે ઈશ્વરે તેઓના પૂર્વજોને ઈજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા તેની આ ઉજવણી હતી.
  • 38:4 ઈસુએ પોતાના શિષ્યો સાથે પાસ્ખાપર્વ મનાવ્યું.
  • 48:9 જ્યારે ઈશ્વરે રક્ત જોયું ત્યારે, તેમણે તેઓના ઘરોને ટાળ્યા અને તેઓના પ્રથમજનિત પુત્રોનો સંહાર કર્યો નહીં. આ ઘટનાને પાસ્ખાપર્વ કહેવામાં આવે છે.
  • 48:10 ઈસુ આપણું પાસ્ખાપર્વનું હલવાન છે.

તેઓ સંપૂર્ણ અને પાપરહિત હતા અને તેમને પાસ્ખાપર્વની ઉજવણી દરમ્યાન મારી નાખવામાં આવ્યા હતા.

શબ્દ માહિતી:

  • Strong's: H6453, G3957

પુનઃસ્થાપિત કરવું, ઠીક કરવું, પાછું સોંપવું, પુનઃસ્થાપિત કરે છે, પુનઃસ્થાપિત કર્યું, પુનઃસ્થાપના

વ્યાખ્યા:

“પુનઃસ્થાપિત કરવું” અને “પુનઃસ્થાપના” શબ્દો કોઈ બાબત તેની મૂળ અને વધારે સારી સ્થિતિમાં પાછી બદલાય તેવું કરવાનો ઉલ્લેખ કરે છે.

  • જ્યારે શરીરનો રોગગ્રસ્ત ભાગ ઠીક કરવામાં આવ્યો છે ત્યારે, તેનો અર્થ તેને સાજો કરવામાં આવ્યો છે એવો થાય છે.
  • ભંગીત સંબંધ કે જેને ઠીક કરવામાં આવ્યો છે તેમાં “સમાધાન” કરવામાં આવ્યું છે.

ઈશ્વર પાપી લોકોને પુનઃસ્થાપિત કરે છે અને પોતાની સાથે પાછા જોડે છે.

  • જો લોકોને તેમના વતનના દેશમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે તો, તેઓને તે દેશમાં “પાછા લાવવામાં આવ્યા છે” અથવા તો “ તેઓ પાછા આવ્યા છે”.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભ અનુસાર, “પુનઃસ્થાપિત કરવું” નો અનુવાદ “નવીનીકરણ કરવું” અથવા તો “ચૂકવી આપવું” અથવા તો “પાછું આપવું” અથવા તો “સાજું કરવું” અથવા તો “પાછા લાવવું” એ રીતોથી કરી શકાય.
  • આ શબ્દની બીજી અભિવ્યક્તિઓ “નવું બનાવવું” અથવા તો “ફરી નવા જેવુ બનાવવું” જેવી થઈ શકે.
  • જ્યારે સંપત્તિ “પાછી સોંપવામાં આવે” છે ત્યારે, તે “સમારવામાં આવી છે” અથવા તો “બદલવામાં આવી છે” અથવા તો તેના માલિકને “પાછી આપવામાં આવી છે”.
  • સંદર્ભ અનુસાર, “પુનઃસ્થાપના” નો અનુવાદ “નવીનીકરણ” અથવા તો “સાજાપણું” અથવા તો “સમાધાન” તરીકે થઈ શકે.

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H7725, H7999, H8421, G600, G2675

પૂર્વનિર્ધાર કરવો, પૂર્વનિર્ધારિત

વ્યાખ્યા:

“પૂર્વનિર્ધાર કરવો” તથા “પૂર્વનિર્ધારિત” શબ્દો અગાઉથી નક્કી કરવું કે યોજના કરવી કે કોઈક બાબત બનશે તેનો ઉલ્લેખ કરે છે.

  • આ શબ્દ ખાસ કરીને ઈશ્વર પૂર્વનિર્ધાર કરે છે કે લોકો અનંતજીવન પામશે તેનો ઉલ્લેખ કરે છે.
  • કેટલીક વાર “પૂર્વઠરાવ” શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે કે જેનો અર્થ પણ અગાઉથી નક્કી કરવું તેઓ થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “પૂર્વનિર્ધાર કરવો” શબ્દનો અનુવાદ “અગાઉથી નક્કી કરવું” અથવા તો “સમય પહેલાં નક્કી કરવું” તરીકે કરી શકાય.
  • “પૂર્વનિર્ધારિત” શબ્દનો અનુવાદ “ઘણા સમય અગાઉ નક્કી કરેલું” અથવા તો “સમય અગાઉ આયોજિત કરલું” અથવા તો “અગાઉથી નક્કી કરેલું” તરીકે કરી શકાય.
  • “આપણને પૂર્વનિર્ધારિત કર્યાં” શબ્દસમૂહનો અનુવાદ “ઘણા સમય અગાઉ નક્કી કર્યું કે આપણે” અથવા તો “સમય અગાઉ ક્યારનુંય નક્કી કર્યું દીધું કે આપણે” તરીકે કરી શકાય.
  • કાળજી રાખો કે આ શબ્દનો અનુવાદ “પૂર્વજ્ઞાન હતું” શબ્દના અનુવાદથી અલગ હોય.

(આ પણ જૂઓ: પૂર્વજ્ઞાન હતું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G4309

પ્રગટ કરવું, પ્રગટ કરે છે, પ્રગટ કર્યું/પ્રકટીકરણ

વ્યાખ્યા:

“પ્રગટ કરવું” શબ્દનો અર્થ કોઈ બાબતની જાણ થાય તેમ કરવું, થાય છે. “પ્રગટીકરણ” એવી બાબત છે કે જે પ્રગટ કરવામાં આવી છે.

  • ઈશ્વરે પોતે જે કઈ સર્જન કર્યું છે તે દ્વારા અને તેમણે કહેલા તથા લખેલા સંદેશાઓના વાતવ્યવહાર દ્વારા પોતાને પ્રગટ કર્યા છે.
  • ઈશ્વરે પોતાને સ્વપ્નો અને સંદર્શનો દ્વારા પણ પ્રગટ કર્યા છે.
  • જ્યારે પાઉલે કહ્યું કે તેણે સુવાર્તા “ઈસુ ખ્રિસ્ત તરફથી પ્રકટીકરણ” દ્વારા પ્રાપ્ત કરી ત્યારે, તેનો અર્થ એ હતો કે ઈસુએ પોતે તે સુવાર્તા તેને સમજાવી હતી.
  • નવા કરારનું “પ્રકટીકરણ” નું પુસ્તક ઈશ્વર અંત સમયે થવાના બનાવોને પ્રગટ કરે છે, તે વિષે છે. તેમણે તે ઘટનાઓને સંદર્શનો દ્વારા પ્રેરિત યોહાનને પ્રગટ કરી.

અનુવાદ માટેના સૂચનો:

  • “પ્રગટ કરવું” ના બીજા અનુવાદો “જણાવવું” અથવા તો “જાહેર કરવું” અથવા તો “સ્પષ્ટપણે બતાવવું” નો સમાવેશ કરે છે.
  • સંદર્ભ અનુસાર, “પ્રગટીકરણ” ના સંભવિત અનુવાદો “ઈશ્વર તરફથી સંદેશવ્યવહાર” અથવા તો “ઈશ્વરે પ્રગટ કરેલી બાબતો” અથવા તો “ઈશ્વર વિષેનું શિક્ષણ” તરીકે કરી શકાય. ભાષાંતરમાં “પ્રગટ કરવું” નો અર્થ સાચવવો મહત્વનું છે.
  • “જ્યાં પ્રગટીકરણ નથી” એ શબ્દસમૂહનો અનુવાદ “જ્યારે ઈશ્વર પોતાને લોકો સમક્ષ પ્રગટ કરતા નથી” અથવા તો “જ્યારે ઈશ્વર લોકો સાથે વાત કરતા નથી” અથવા તો “એવા લોકોમાં જેમની સાથે ઈશ્વર વાતવ્યવહાર કરતા નથી” કરી શકાય.

(આ પણ જૂઓ: શુભસંદેશ, સુવાર્તા, સ્વપ્ન, દર્શન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H241, H1540, H1541, G601, G602, G5537

પ્રતિજ્ઞા, સમ, મંજૂર

વ્યાખ્યા:

પ્રતિજ્ઞા એક વચન છે કે જે વ્યક્તિ ઈશ્વરને આપે છે. વ્યક્તિ વિશિષ્ટ રીતે ઈશ્વરનું સન્માન કરવા અથવા તેને ભક્તિ દર્શાવવા માટે ચોક્કસ વસ્તુ કરવાના વચનો આપે છે.

  • વ્યક્તિએ પ્રતિજ્ઞા કર્યા પછી, તે પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે તે જવાબદાર છે.
  • બાઇબલ શીખવે છે કે કોઈ વ્યક્તિ તેની પ્રતિજ્ઞા ન પાળે તો તે વ્યક્તિનો ઈશ્વરથી ન્યાય થઈ શકે છે.
  • ક્યારેક કોઈ વ્યક્તિ ઈશ્વરને તેમનું રક્ષણ કરવા માટે કહી શકે છે અથવા પ્રતિજ્ઞા ના બદલામાં પૂરું પાડવા તેમને કહી શકે છે.
  • પરંતુ, કોઈ વ્યક્તિએ તેની પ્રતિજ્ઞા માટે વિનંતી કરવાની વિનંતી કરવાની જરૂર નથી.

અનુવાદ માટેનાં સૂચનો:

  • સંદર્ભને આધારે, "પ્રતિજ્ઞા" નું ભાષાંતર "ગંભીર વચન" અથવા "ઈશ્વરને આપેલ વચન" તરીકે કરી શકાય છે.
  • પ્રતિજ્ઞા એક ખાસ પ્રકારના શપથ છે જે ઈશ્વરને માટે કરવામાં આવે છે.

આ પણ જુઓ: વચન, શપથ

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: H5087, H5088, G2171

પ્રબોધક, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા

વ્યાખ્યા:

“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે. જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.

  • ઘણીવાર પ્રબોધકોએ લોકોને તેઓના પાપોથી પાછા ફરવા અને ઈશ્વરની આજ્ઞાઓ પાળવા ચેતવણી આપી.
  • પ્રબોધકો જે સંદેશો આપે છે તેને “પ્રબોધવાણી” કહે છે. “પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો, થાય છે.
  • મોટાભાગે પ્રબોધવાણીનો સંદેશો ભવિષ્યમાં કશું થશે તે વિષે હતો.
  • જૂના કરારની ઘણી પ્રબોધવાણીઓ ક્યારનીય પરિપૂર્ણ થઈ ચુકી છે.
  • બાઈબલમાં પ્રબોધકોએ લખેલા પુસ્તકોના સંગ્રહને ઘણીવાર “પ્રબોધકો” તરીકે ઉલ્લેખવામાં આવે છે.
  • ઉદાહરણ તરીકે, “નિયમ તથા પ્રબોધકો” શબ્દસમૂહ તે સમગ્ર હિબ્રૂ શાસ્ત્રવચનનો ઉલ્લેખ કરવાની એક રીત છે કે જે “જૂનો કરાર” તરીકે પણ ઓળખાય છે.
  • પ્રબોધક માટેનો જૂનો શબ્દ “દ્રષ્ટા” અથવા તો “એવો વ્યક્તિ કે જે જૂએ છે” તે હતો.
  • ઘણીવાર “દ્રષ્ટા” શબ્દ જૂઠા પ્રબોધકનો અથવા તો જે વ્યક્તિ ભવિષ્ય ભાખવાનું કામ કરે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “પ્રબોધક” શબ્દનો અનુવાદ “ઈશ્વરનો પ્રવકતા” અથવા તો “ઈશ્વર માટે બોલતો માણસ” અથવા તો “ઈશ્વરના સંદેશાઓ કહેનાર માણસ” તરીકે કરી શકાય.
  • “દ્રષ્ટા” નો અનુવાદ “દર્શનો જોનાર વ્યક્તિ” અથવા તો “ઈશ્વર તરફથી ભવિષ્ય જોનાર વ્યક્તિ” તરીકે કરી શકાય.
  • “પ્રબોધિકા” શબ્દનો અનુવાદ “ઈશ્વરની પ્રવકતા” અથવા તો “ઈશ્વર માટે બોલતી સ્ત્રી” અથવા તો “ઈશ્વરના સંદેશાઓ કહેનાર સ્ત્રી” તરીકે કરી શકાય.
  • “પ્રબોધવાણી” નો અનુવાદ “ઈશ્વર તરફથી સંદેશો” અથવા તો “પ્રબોધકનો સંદેશા” નો સમાવેશ કરે છે.
  • “પ્રબોધવાણી કરવી” નો અનુવાદ “ઈશ્વર તરફથી વચનો કહેવી” અથવા તો “ઈશ્વરનો સંદેશો કહેવો” કરી શકાય.
  • પ્રતિકાત્મક અભિવ્યક્તિ “નિયમ તથા પ્રબોધકો” નો અનુવાદ “નિયમના તથા પ્રબોધકોના પુસ્તકો” અથવા તો “ઈશ્વરના નિયમો તથા તેમના પ્રબોધકોએ જે પ્રચાર કર્યો તે સહિત ઈશ્વર તથા તેમના લોકો સંબંધી લખાયેલી બધી જ બાબતો” તરીકે પણ કરી શકાય. (આ જૂઓ: ઉપલક્ષ્ય અલંકાર)
  • જ્યારે જૂઠા દેવના પ્રબોધક (કે દ્રષ્ટાનો) ઉલ્લેખ કરવામાં આવે ત્યારે, તે જરૂરી છે કે તેનો અનુવાદ “જૂઠો પ્રબોધક (દ્રષ્ટા)” અથવા તો “જૂઠા દેવનો પ્રબોધક (દ્રષ્ટા)” અથવા તો ઉદાહરણ તરીકે “બઆલનો પ્રબોધક” તરીકે કરવામાં આવે.

(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્ય ભાખવું, જૂઠો દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ કરવું, નિયમ, દર્શન)

બાઈબલના સંદર્ભો:

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 12:12 જ્યારે ઇઝરાયલીઓએ જોયું કે ઈજીપ્તના લોકો મરણ પામ્યા છે ત્યારે, તેઓએ ઈશ્વરમાં વિશ્વાસ કર્યો અને માન્યું કે મૂસા ઈશ્વરનો પ્રબોધક છે.
  • 17:13 દાઉદે જે કર્યું હતું તે વિષે ઈશ્વર ખૂબ જ ક્રોધિત થયા, તેથી દાઉદને તેનું પાપ કેટલું દુષ્ટ હતું તે કહેવા તેમણે નાથાન પ્રબોધકને મોકલ્યો.
  • 19:1 ઇઝરાયલીઓના સમગ્ર ઇતિહાસ દરમ્યાન ઈશ્વરે તેમની પાસે પ્રબોધકો મોકલ્યા. પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.
  • 19:6 બઆલના 450 પ્રબોધકો સહિત સમગ્ર ઇઝરાયલ રાજ્યના બધા જ લોકો કાર્મેલ પર્વત પર આવ્યા.
  • 19:17 મોટાભાગે લોકોએ ઈશ્વરની આજ્ઞાઓ પાળી નહીં. ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.
  • 21:9 યશાયા પ્રબોધકે પ્રબોધવાણી કરી કે મસીહા એક કુંવારી યુવતી દ્વારા જન્મ લેશે.
  • 43:5 “આ બાબત યોએલ પ્રબોધકે કરેલી પ્રબોધવાણી પરિપૂર્ણ કરે છે જેમાં ઈશ્વરે કહ્યું, ‘અંતના દિવસોમાં હું મારો પવિત્ર આત્મા રેડી દઇશ.’”
  • 43:7 “આ બાબત એ પ્રબોધવાણી પરિપૂર્ણ કરે છે જે કહે છે કે ‘તમે તમારા પવિત્રને કબરમાં સડવા દેશો નહીં’”.
  • 48:12 મૂસા મહાન પ્રબોધક હતો કે જેણે ઈશ્વરનું વચન ઘોષિત કર્યું. પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે. તે ઈશ્વરના શબ્દ (વચન) છે.

શબ્દ માહિતી:

  • Strong's: H2372, H2374, H4853, H5012, H5013, H5016, H5017, H5029, H5030, H5031, H5197, G2495, G4394, G4395, G4396, G4397, G4398, G5578

પ્રભુ યહોવા, યહોવા દેવ

તથ્યો:

જૂના કરારમાં, " પ્રભુ યહોવા " નો વારંવાર એક સાચા ઈશ્વરનો ઉલ્લેખ કરવા માટે ઉપયોગ થાય છે.

  • " પ્રભુ " શબ્દ એક દૈવી શીર્ષક છે અને " યહોવા " એ ઈશ્વરનું વ્યક્તિગત નામ છે.
  • " યહોવા " ને ઘણીવાર "દેવ" શબ્દ સાથે જોડવામાં આવે છે જેને " યહોવા દેવ " બનાવવામાં આવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • જો "યહોવા" કેટલાક સ્વરૂપે ઈશ્વરના વ્યક્તિગત નામના અનુવાદ માટે વપરાય છે, તો શબ્દો "પ્રભુ યહોવા" અને "યહોવા દેવ" શાબ્દિક ભાષાંતર કરી શકાય.

ઈશ્વરનો ઉલ્લેખ કરતી વખતે " પ્રભુ " શબ્દનો સંદર્ભ અન્ય સંદર્ભોમાં અનુવાદિત કરવામાં આવે છે તે પણ ધ્યાનમાં લો.

  • કેટલીક ભાષાઓ નામ પછી શીર્ષક મૂકીને આ રીતે "યહોવા પ્રભુ" તરીકે અનુવાદ કરશે.

પ્રોજેક્ટ ભાષામાં કુદરતી શું છે તે ધ્યાનમાં લો: "પ્રભુ" શીર્ષક "યહોવા" પહેલાં અથવા પછી આવવું જોઈએ?

  • " યહોવા દેવ " પણ "ઈશ્વર જેને યહોવા કહેવાય છે" અથવા " દેવ જે જીવંત છે" અથવા "હું, જે ઈશ્વરછું."
  • જો અનુવાદ "યહોવા" ને "પ્રભુ" અથવા "પ્રભુ" તરીકે રજૂ કરવા માટેની પરંપરાને અનુસરે છે, તો " પ્રભુ યહોવા" શબ્દનો અનુવાદ "પ્રભુ ઈશ્વર" અથવા "ઈશ્વર જે પ્રભુ છે."

અન્ય શક્ય અનુવાદો, "માલીક પ્રભુ" અથવા "ઈશ્વર પ્રભુ" હોઈ શકે છે.

  • " પ્રભુ યહોવા" શબ્દને "પ્રભુ પ્રભુ" તરીકે રજૂ કરવામાં નહીં આવે કારણ કે વાચકોને અક્ષરના કદમાં તફાવત ન દેખાય કે પરંપરાગત રીતે આ બે શબ્દોને અલગ પાડવા માટે ઉપયોગમાં લેવાય છે અને તે ખૂબ વિચિત્ર લાગશે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: ઈશ્વર, પ્રભુ, પ્રભુ, યહોવા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H136, H430, H3068, G2316, G2962

પ્રભુ, ઈશ્વર, માલીક, સાહેબ/સ્વામી

વ્યાખ્યા:

બાઈબલમાં "પ્રભુ" શબ્દ સામન્ય રીતે કોઈ વ્યક્તિને અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવતા હોવાનો ઉલ્લેખ કરે છે. જો કે, બાઈબલમાં આ શબ્દનો ઉપયોગ ઈશ્વરના સમાવેશ સાથે ઘણાં વિવિધ પ્રકારના લોકોને સંબોધિત કરવા માટે ઉપયોગમાં લેવાયો છે.

  • ઈસુનો ઉલ્લેખ કરતી વખતે અથવા ગુલામોના માલિકની વાત કરતી વખતે આ શબ્દનો ઘણીવાર "માલિક" તરીકે અનુવાદ કરવામાં આવે છે.
  • કેટલાક અંગ્રેજી આવૃતીઓ આ શબ્દ જ્યાં કોઈ ઉચ્ચ સ્થિતિવાળા વ્યક્તિને નમ્રતાપૂર્વક સંબોધનનો સંદર્ભ હોય ત્યારે "સાહેબ" તરીકે અનુવાદિત કરે છે.

જ્યારે "પ્રભુ" મોટા અક્ષરોમાં હોય, ત્યારે તે શીર્ષક ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

  • જૂના કરારમાં, આ શબ્દનો ઉપયોગ " સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર" અથવા "પ્રભુ યહોવા" અથવા "યહોવા અમારા પ્રભુ" જેવી અભિવ્યક્તિમાં પણ થાય છે.
  • નવા કરારમાં, પ્રેરિતોએ આ શબ્દનો ઉપયોગ "પ્રભુ ઈસુ" અને "પ્રભુ ઈસુ ખ્રિસ્ત" જેવા શબ્દોમાં કર્યો છે, જે જણાવે છે કે ઈસુ પ્રભુ છે.
  • નવા કરારમાં ફક્ત "પ્રભુ" શબ્દનો ઉપયોગ ઈશ્વરના સીધા સંદર્ભ તરીકે કરવામાં આવ્યો છે, ખાસ કરીને જૂના કરારમાંના અવતરણમાં. ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે "જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે" અને નવા કરારમાં લખાણ છે "જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."
  • યુ.એલ.ટી અને યુ.ડી.બીમાં, "પ્રભુ" શીર્ષકનો ઉપયોગ ફક્ત હિબ્રૂ અને ગ્રીક શબ્દનો અનુવાદ કરવા માટે થાય છે જેનો અર્થ "પ્રભુ" થાય છે. જેમ ઘણા અનુવાદોમાં થાય છે તેમ ઈશ્વરના નામ (યહોવા) ના ભાષાંતર તરીકે ક્યારેય ઉપયોગમાં લેવાતો નથી.
  • કેટલીક ભાષાઓ "પ્રભુ" ને "માલીક" અથવા "શાસક" અથવા અન્ય કોઈ શબ્દ જે માલિકી અથવા સર્વોચ્ચ શાસનને દર્શાવતા હોય તે અનુસાર અનુવાદ કરે છે.
  • યોગ્ય સંદર્ભોમાં, ઘણા અનુવાદો, આ શબ્દનો પ્રથમ મોટો અક્ષર વાચકને સ્પષ્ટ કરે છે કે તે ઈશ્વરનો ઉલ્લેખ કરનાર શીર્ષક છે.
  • નવા કરારમાં સ્થાનોમાં જ્યાં જૂના કરારના અવતરણ છે, "પ્રભુ ઈશ્વર" શબ્દોનો ઉપયોગ એ સ્પષ્ટ કરવા માટે થઈ શકે છે કે આ ઈશ્વરના સંદર્ભમાં છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • આ શબ્દનો અનુવાદ જ્યારે તે ગુલામોના માલિકની વાત કરે છે ત્યારે "માલિક" ની સમકક્ષ કરી શકાય છે. નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.
  • જ્યારે તે ઈસુને ઉલ્લેખ કરે છે, જો સંદર્ભ દર્શાવે છે કે વક્તા તેને ધાર્મિક શિક્ષક તરીકે જુએ છે, તો ધાર્મિક શિક્ષક માટે એક આદરણીય સંબોધન સાથે અનુવાદ કરી શકાય છે. , જેમ કે "સાહેબ."
  • જો ઈસુને સંબોધતી વ્યક્તિ તેને ઓળખતી ન હોય, તો "પ્રભુ" ને આદરપૂર્ણ સ્વરૂપ સાથે અનુવાદિત કરી શકાય છે જેમ કે "સ્વામી." આ ભાષાંતરનો ઉપયોગ અન્ય સંદર્ભો માટે પણ કરવામાં આવશે જેમાં વ્યક્તિને નમ્ર સ્વરૂપે સંબોધન કરવામાં આવે છે.
  • પિતા અથવા ઈસુને ઈશ્વરનો સંદર્ભ આપતા, આ શબ્દ એક શીર્ષક માનવામાં આવે છે, જે અંગ્રેજીમાં "પ્રભુ" (મોટા અક્ષરો) તરીકે લખાય છે.

(આ પણ જુઓ: ઈશ્વર, ઈસુ, શાસક, યહોવા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 25:5 પરંતુ ઈસુએ શાસ્ત્રવચનોમાંથી અવતરણ ટાંકીને શેતાનને જવાબ આપ્યો. તેમણે કહ્યું, "ઈશ્વરના વચનમાં, તેમણે પોતાના લોકોને આજ્ઞા આપી છે, 'તમારા ઈશ્વર પ્રભુ નું પરીક્ષણ ન કરો.'"
  • 25:7 ઈસુએ જવાબ આપ્યો, "મારાથી દૂર રહે, શેતાન! ઈશ્વરના વચનમાં તેમણે પોતાના લોકોને આજ્ઞા આપી છે, 'ફક્ત તમારા પ્રભુ ઈશ્વરની જ પૂજા કરો અને તેની જ સેવા કરો.' "
  • 26:3પ્રભુનું માન્ય વર્ષ છે.
  • 27:2 શાસ્ત્રીએ જવાબ આપ્યો કે ઈશ્વરનો નિયમ કહે છે, "તમારા પ્રભુ ઈશ્વર પર તમારા પૂરા હૃદયથી, આત્માથી, શક્તિથી અને મનથી પ્રેમ કરો."
  • 31:5 પછી પિતરે ઈસુને કહ્યું, "સ્વામી, જો તે તમે જ છો, તો મને પાણી પર ચાલીને તમારી પાસે આવવા માટે આજ્ઞા આપો"
  • 43:9 "પરંતુ ચોક્કસ જાણો કે ઈશ્વરે ઈસુને પ્રભુ અને મસીહ બન્ને બનાવ્યા છે!"
  • 47:3 આ દુષ્ટાત્માના માધ્યમથી તેણે લોકો માટે ભવિષ્યની આગાહી કરી, તેણીએ એક ભવિષ્યવેત્તા તરીકે તેના માલીકોને ખૂબ પૈસા કમાવી આપ્યા.
  • 47:11 પાઉલે જવાબ આપ્યો, "ઈસુ સ્વામી માં વિશ્વાસ કરો, , અને તમે અને તમારું કુટુંબને બચાવી લેવામાં આવશે."

શબ્દ માહિતી:

  • Strong's: H113, H136, H1167, H1376, H4756, H7980, H8323, G203, G634, G962, G1203, G2962

પ્રભુનો દિવસ, યહોવાનો દિવસ

વ્યાખ્યા:

જૂના કરારનો શબ્દ “યહોવાનો દિવસ” ચોક્કસ સમય દર્શાવવા વપરાયો છે કે જયારે ઈશ્વર લોકોને તેઓને તેઓના પાપની સજા કરશે.

  • નવા કરારમાં “પ્રભુનો દિવસ” શબ્દ, સામાન્ય રીતે એ દિવસ અથવા સમયને દર્શાવે છે કે જયારે અંતના સમયે પ્રભુ ઈસુ લોકોનો ન્યાય કરવા માટે પાછા આવશે.
  • આ અંતિમ, “છેલ્લો દિવસને” પણ અમુકવાર ન્યાય અને પુનરુત્થાનના ભવિષ્યના સમય તરીકે દર્શાવામાં આવે છે. જયારે પ્રભુ ઈસુ પાપીઓનો ન્યાય કરવા અને સદાકાળ માટે તેનું રાજ્ય સ્થાપવા પાછા આવશે ત્યારે આ સમય શરૂ થશે.
  • આ શબ્દસમૂહોમાં “દિવસ” શબ્દ, તે ક્યારેક શાબ્દિક દિવસ અથવા “સમય” અથવા “પ્રસંગ” કે જે દિવસ કરતા લાંબો હોઈ શકે છે, તેને દર્શાવે છે.
  • ક્યારેક તેને એક પ્રકારની સજા તરીકે દર્શાવામાં આવે છે કે જેઓ તેના પર વિશ્વાસ કરતા નથી તેઓ પર “ઈશ્વરનો કોપ રેડી દેવામાં” આવશે.

ભાષાંતરના સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, “યહોવાનો દિવસ” શબ્દનું ભાષાંતર બીજી રીતે કરીએ તો તેમાં “યહોવાનો સમય” અથવા “સમય કે જયારે યહોવા તેમના શત્રુઓને સજા કરશે” અથવા “યહોવાના કોપનો સમય” એમ કરી શકાય છે.
  • “પ્રભુના દિવસનું” બીજી રીતે ભાષાંતર કરીએ તો તેને “પ્રભુના ન્યાયનો સમય” અથવા “સમય કે જયારે પ્રભુ ઈસુ લોકોનો ન્યાય કરવા પાછા આવશે” એવા શબ્દસમૂહોનો સમાવેશ કરી શકાય.

(આ પણ જુઓ: દિવસ, ન્યાયનો દિવસ, પ્રભુ, પુનરુત્થાન, યહોવા)

બાઇબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong’s: H3068, H3117, G22500, G29620

પ્રભુભોજન

વ્યાખ્યા:

પ્રેરિત પાઊલ “પ્રભુભોજન” શબ્દ રચનાનો ઉપયોગ જ્યારે તેમની યહૂદી આગેવાનો દ્વારા ધરપકડ કરવામાં આવી તે રાત્રિએ પ્રભુ ઇસુ ખિસ્ત પોતાના શિષ્યો સાથે પાસ્ખાપર્વનું ભોજન લે છે તેને દર્શાવે છે.

  • આ ભોજન દરમિયાન, ઈસુએ પાસ્ખાપર્વની રોટલીને ભાંગીને તેને તેમનું શરીર કહ્યું, જેને ટૂંક સમયમાં વીંધવામાં આવશે અને મારી નાખવામાં આવશે.
  • તેમણે દ્રાક્ષારસના પ્યાલાને તેમનું લોહી કહ્યું જે પાપોની માફીને તેમના મૃત્યુના રૂપમાં વહેવડાવવામાં આવશે.
  • ઇસુએ આજ્ઞા આપી કે જેટલીવાર આ ખાઓ કે પીઓ તેટલી વાર તેમની યાદગીરી ને સારું તેમનું મરણ અને પુનરુથાન પ્રગટ કરો.
  • તેના પત્ર કોરિંથીઓના પહેલા પત્રમાં પ્રેરિત પાઊલે પ્રભુભોજનના સંસ્કારની સ્થાપના એક ઈસુ ખ્રિસ્તના વિશ્વાસીઓ એ નિયમિતક્રિયા તરીકે કરી.
  • આજની મંડળીઓમાં “પવિત્ર સંસ્કાર“ શબ્દ વારંવાર ઉપયોગ પ્રભુભોજન માટે વપરાય છે. ”છેલ્લુભોજન”એ શબ્દ પણ કોઈવાર વપરાય છે.

ભાષાંતર સૂચનો:

  • આ શબ્દ રચના “પ્રભુની મેજ” અથવા “ઇસુ ખ્રિસ્તનું જમણ”અથવા “ઇસુખ્રિસ્ત ની યાદગીરીનું ભોજન” તરીકે પણ અનુવાદ કરી શકાય.

(જુઓ પણ: પાસ્ખા)

બાઈબલ રેફરન્સ:

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ: G11730, G29600

પ્રમુખ યાજક

વ્યાખ્યા:

“પ્રમુખ યાજક” શબ્દ વિશેષ યાજકને દર્શાવે છે કે જેને બધા અન્ય ઈઝરાએલી યાજકો માટે એક વર્ષ આગેવાન તરીકે સેવા કરવા નિમણુક કરવામાં આવતો હતો.

  • પ્રમુખ યાજકને ખાસ જવાબદારીઓ હતી.

ફક્ત તેને એકલાને જ વરસમાં એક વાર ખાસ બલિદાન ચઢાવવા માટે મંદિરના સૌથી પવિત્ર ભાગમાં જવાની પરવાનગી હતી.

  • ઈઝરાએલીઓને ઘણા યાજકો હતા, પણ એક સમયે ફક્ત એકજ પ્રમુખ યાજક રહેતો.
  • જયારે ઈસુની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે કાયાફાસ સત્તાવાર પ્રમુખ યાજક હતો.

ક્યારેક કાયાફાસના સસરા અન્નાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણકે તે ભૂતપૂર્વ પ્રમુખ યાજક હતો તેમ છતાં પણ હજુ તે કદાચ લોકો ઉપર સત્તા અને અધિકાર ધરાવતો હતો.

ભાષાંતરના સૂચનો:

  • “પ્રમુખ યાજક” શબ્દનું ભાષાંતર, “સાર્વભૌમ યાજક” અથવા “સૌથી ઊંચા સ્તરનો યાજક” તરીકે કરી શકાય છે.
  • ખાતરી કરો કે આ શબ્દનું ભાષાંતર “મુખ્ય યાજક” કરતાં અલગ થવું જોઈએ.

(આ પણ જુઓ: અન્નાસ, કાયાફાસ, મુખ્ય યાજકો, યાજક, મંદિર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 13:8 પડદાની પાછળના ખંડમાં પ્રમુખ યાજક સિવાય કોઈ જઈ શકતું નહોતું, કારણકે દેવ ત્યાં રહેતો હતો.
  • 21:7 મસીહા કે જે આવશે તે સંપૂર્ણ પ્રમુખ યાજક રહેશે કે જે સંપૂર્ણ બલિદાન તરીકે પોતાની જાતને દેવને અર્પણ કરશે.
  • 38:3 પ્રમુખ યાજક ની દોરવણી પ્રમાણે યહૂદી આગેવાનોએ, ઈસુને પર પરસ્વાધિન કરવા માટે યહૂદાને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવ્યા.
  • 39:1 ઈસુને પ્રશ્નો પૂછવા માટે સિપાઈઓ તેને (ઈસુને) પ્રમુખ યાજકના ઘરમાં લઈ ગયા.
  • 39:3 છેવટે, પ્રમુખ યાજકે સીધાજ ઈસુ સામે જોયું અને કહ્યું, “અમને કહે, તું મસીહા, જીવતા દેવનો પુત્ર છે?”
  • 44:7 બીજા દિવસે, યહૂદી આગેવાનો પિતર અને યોહાનને પ્રમુખ યાજક અને અન્ય ધાર્મિક આગેવાનો પાસે લાવ્યાં.
  • 45:2 જેથી ધાર્મિક આગેવાનોએ સ્તેફનની ધરપકડ કરી અને પ્રમુખ યાજક અને અન્ય યહૂદી આગેવાનોએ પાસે લાવ્યાં, ત્યાં સ્તેફન વિશે ઘણા જૂઠા સાક્ષીઓએ ખોટી શાહેદી પૂરી.
  • 46:1 પ્રમુખ યાજકે શાઉલને દમસ્ક શહેરમાં જઈને ત્યાંના ખ્રિસ્તીઓને ધરપકડ કરી અને યરૂશાલેમ પાછા લાવવાની સંમતિ આપી.
  • 48:6 ઈસુ એ મહાન પ્રમુખ યાજક છે અન્ય યાજકોથી વિપરીત, તેણે પોતે પોતાનું બલિદાન આપ્યું કે જેથી તે જગતના બધા લોકોના પાપ લઈ શકે. ઈસુ સંપૂર્ણ પ્રમુખ યાજક હતો, કારણકે તેણે દરેક પાપ, કે જે કોઈપણ વ્યક્તિએ ગમે ત્યારે કરેલા હોય, તેઓની સજા ઈસુએ માથે લીધી.

શબ્દ માહિતી:

  • Strong's: H7218, H1419, H3548, G748, G749

પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિત કરવું, પ્રાયશ્ચિત કરે છે, પ્રાયશ્ચિત કરેલ

વ્યાખ્યા:

“પ્રાયશ્ચિત” અને “પ્રાયશ્ચિત કરવું” શબ્દો દર્શાવે છે કે દેવે કેવી રીતે લોકોના પાપો માટે બલિદાન પૂરું પાડ્યું અને પાપનો કોપ શમાવ્યો છે.

  • જૂનાકરારના સમયમાં, દેવે ઈઝરાએલીઓના પાપોના પ્રાયશ્ચિત માટે રક્તના અર્પણ દ્વારા થોડા વખત માટે પ્રાયશ્ચિત કરવાની ની મંજુરી આપી હતી કે જેમાં પશુઓને મારી નાખવામાં આવતા.
  • નવા કરારમાં જે રીતે નોંધવામાં આવ્યું છે તે પ્રમાણે વધસ્તંભ ઉપર ખ્રિસ્તનું મૃત્યુ ફક્ત સાચું અને પાપ માટેનું શાશ્વત પ્રાયશ્ચિત છે.

જયારે ઈસુ મૃત્યુ પામ્યા, ત્યારે તેમણે લોકોના પાપની સજા પોતા પર લઈ લીધી. તેણે પોતાના બલિદાનયુક્ત મરણ દ્વારા પ્રાયશ્ચિતની કિંમત ચૂકવી.

ભાષાંતરના સુચનો

  • “પ્રાયશ્ચિત” શબ્દનું ભાષાંતર, જયારે કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ દ્વારા કરવામાં આવે તો તેનો અર્થ “કોઈ માટે ચુકવવું” અથવા “ચુકવણી કરવી” અથવા “કોઈકના પાપોને માફીનું કારણ બનવું” અથવા “ગુના માટેનો બદલો ભરવો” એમ થઇ શકે છે.
  • “પ્રાયશ્ચિત” શબ્દના ભાષાંતરમાં “ચુકવણી” અથવા “પાપ માટે બલિદાન આપવું” અથવા “માફીનો ઉપાય પૂરો પાડવો” એવા શબ્દોનો સમાવેશ થઈ શકે છે.
  • આ શબ્દનું ભાષાંતર પૈસાની ચુકવણીનો ઉલ્લેખ કરતા નથી તેનું ધ્યાન રાખો.

(આ પણ જુઓ: પ્રાયશ્ચિતનું ઢાંકણ, માફ કરવું, મનાવવું, સમાધાન કરવું, છોડાવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3722, H3725, G2643

પ્રાર્થના કરવી, પ્રાર્થના, પ્રાર્થનાઓ, પ્રાર્થના કરી

વ્યાખ્યા:

“પ્રાર્થના કરવી” અને “પ્રાર્થના” શબ્દો ઈશ્વર સાથે વાત કરવાનો ઉલ્લેખ કરે છે. જે લોકો જૂઠા દેવો સાથે વાત કરવા પ્રયાસ કરે છે તેઓનો ઉલ્લેખ કરવા પણ આ શબ્દોનો ઉપયોગ કરાયો છે.

  • લોકો ઈશ્વર સાથે પોતાના વિચારોમાં વાત કરતા શાંત રીતે પ્રાર્થના કરી શકે છે અથવા તો ઈશ્વર સાથે પોતાના અવાજથી વાત કરતા મોટેથી પ્રાર્થના કરી શકે છે. જેમ દાઉદે ગીતશાસ્ત્રના પુસ્તકમાં તેની પ્રાર્થનાઓ લખી છે તેમ, કેટલીક વાર પ્રાર્થનાઓને લખવામાં આવે છે.
  • પ્રાર્થનામાં ઈશ્વર પાસે દયા માંગવી, કોઈ પ્રશ્ન વિષે મદદ માંગવી અને નિર્ણયો કરવા માટે બુધ્ધિ માંગવાનો સમાવેશ થઈ શકે છે.
  • મોટાભાગે લોકો જેઓ બીમાર છે તેઓને સાજા કરવા કે જેઓને બીજી બાબતોમાં મદદની જરૂર છે તેના માટે ઈશ્વર પાસે માંગે છે.
  • જ્યારે લોકો ઈશ્વરને પ્રાર્થના કરે છે ત્યારે તેઓ તેમનો આભાર માને છે અને સ્તુતિ પણ કરે છે.
  • પ્રાર્થનામાં ઈશ્વર સમક્ષ આપણાં પાપો કબૂલ કરવા તથા તેઓ આપણને માફ કરે તે માંગવુ, તેનો સમાવેશ થાય છે.
  • ઈશ્વર સાથે વાત કરવાની બાબતને કેટલીક વાર તેઓ સાથે “સંગત કરવી” એવું કહેવામાં આવે છે જ્યારે આપણો આત્મા આપણી લાગણીઓને પ્રગટ કરતા તથા તેમની હાજરીનો આનંદ માણતા તેમના આત્મા સાથે વાતચીત કરે છે.
  • આ શબ્દનો અનુવાદ “ઈશ્વર સાથે વાત કરવી” અથવા તો “ઈશ્વર સાથે વાર્તાલાપ કરવો” તરીકે કરી શકાય. આ શબ્દનો અનુવાદ જે પ્રાર્થના શાંત રીતે કરવામાં આવે છે તેનો સમાવેશ કરતો હોવો જોઈએ.

(આ જૂઓ: જૂઠો દેવ, માફ કરવું, સ્તુતિ કરવી)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 6:5 ઈસહાકે રિબકા માટે પ્રાર્થના કરી અને તે જોડિયા બાળકો સાથે ગર્ભવતી થાય તેવા આશીર્વાદ ઈશ્વરે રિબકાને આપ્યા.
  • 13:12 પણ મૂસાએ તેઓ માટે પ્રાર્થના કરી અને ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળીને તેઓનો નાશ કર્યો નહીં.
  • 19:8 પછી બઆલના પ્રબોધકોએ બઆલને પ્રાર્થના કરી કે, “ઓ બઆલ, અમારું સાંભળ!”
  • 21:7 યાજકોએ પણ લોકો માટે ઈશ્વરને પ્રાર્થના કરી.
  • 38:11 ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થના કરવા કહ્યું કે જેથી તેઓ પરીક્ષણમાં ન પડે.
  • 43:13 શિષ્યોએ સતત પ્રેરિતોનું શિક્ષણ સાંભળવાનું ચાલુ રાખ્યું, સાથે સમય ગાળ્યો, સાથે ખાધું અને એકબીજા સાથે પ્રાર્થના કરી.
  • 49:18 ઈશ્વર તમને પ્રાર્થના કરવા, તેમના વચનનો અભ્યાસ કરવા, બીજા ખ્રિસ્તીઓ સાથે મળીને તેમની સ્તુતિ કરવા તથા તેઓએ તમારા માટે જે કર્યું છે તે બીજાઓને કહેવા, જણાવે છે.

શબ્દ માહિતી:

  • Strong's: H559, H577, H1156, H2470, H3863, H3908, H4994, H6279, H6293, H6419, H6739, H7592, H7878, H7879, H7881, H8034, H8605, G154, G1162, G1189, G1783, G2065, G2171, G2172, G3870, G4335, G4336

પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા, પ્રિય, અતિ પ્રિય

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો એટલે તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જેનાથી તેને લાભ થાય. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે, જેને કેટલીક ભાષાઓ જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વર તરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે સ્વયંને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

  • ઈસુએ આપણને પાપ અને મરણમાંથી છોડાવવા માટે પોતાના જીવનું બલિદાન આપવા દ્વારા આ પ્રકારનો પ્રેમ દર્શાવ્યો છે. તેમણે (ઈસુએ) તેમના અનુયાયીઓને પણ બીજાઓને બલિદાનયુક્ત પ્રેમ કરવાનું શીખવ્યું.
  • જ્યારે લોકો આ પ્રકારના પ્રેમથી બીજાઓને પ્રેમ કરે છે, ત્યારે તેઓ તે રીતે વર્તતા હોય છે જે દર્શાવે છે કે તેઓ વિચારે છે કે બીજાઓને પ્રગતીશીલ બનવા શું જરૂરી છે. આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.
  • યુ.એલ.ટી.માં, "પ્રેમ" શબ્દનો અર્થ આ પ્રકારના બલિદાન પ્રેમને થાય છે, જ્યાં સુધી અનુવાદ નોંધ અલગ અર્થ સૂચવે નહીં.                                                                                                                                                                                                                   2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.
  • આ શબ્દ મિત્રો અથવા સંબંધીઓ વચ્ચે કુદરતી માનવીય પ્રેમનો ઉલ્લેખ કરે છે.
  • આ શબ્દનો ઉપયોગ આ સંદર્ભમાં પણ થઈ શકે છે, જેમ કે, "તેઓ ભોજનની સૌથી મહત્વપૂર્ણ બેઠકોમાં બેસવાનું ચાહે છે." આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે.                                                                                                                                                                                                       3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે.                                                                                                                                             4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" એમ અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • જ્યાં સુધી અનુવાદ નોંધમાં સૂચવવામાં નહીં આવે ત્યાં સુધી, યુ.એલ.ટી. માં "પ્રેમ" શબ્દનો અર્થ ઈશ્વર તરફથી આવેલો બલિદાનયુક્ત પ્રેમ છે.
  • અમુક ભાષાઓમાં ઈશ્વરના નિઃસ્વાર્થ, બલિદાનયુક્ત પ્રેમ માટે વિશિષ્ટ શબ્દ હોઈ શકે છે. આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વર તરફથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તેનો સમાવેશ થાય છે કે નહીં
  • કેટલીકવાર અંગ્રેજી શબ્દ "પ્રેમ" એ ઊંડી કાળજીનું વર્ણન કરે છે જે લોકોને તેમના મિત્રો અને પરિવારના સભ્યો માટે હોય છે. કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."
  • સંદર્ભમાં જોઈએ તો જ્યાં શબ્દ "પ્રેમ" કંઈક માટે એક મજબૂત પસંદગી વ્યક્ત કરવા માટે વપરાય છે ત્યાં , આ "ભારપૂર્વક પ્રાધાન્ય" અથવા "ખૂબ ગમે છે " અથવા "અત્યંત ઈચ્છા" તરીકે અનુવાદ કરી શકાય.
  • કેટલીક ભાષાઓમાં એક અલગ શબ્દ હોઈ શકે છે જે પતિ અને પત્ની વચ્ચે રોમેન્ટિક અથવા જાતીય પ્રેમનો ઉલ્લેખ કરે છે.
  • ઘણી ભાષાઓએ ક્રિયા તરીકે "પ્રેમ" ને વ્યક્ત કરવું આવશ્યક છે. તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મૃત્યુ, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 27:2 શાસ્ત્રીએ જવાબ આપ્યો કે ઈશ્વરનો નિયમ કહે છે, "પ્રભુ તમારા ઈશ્વર પર તમારા ખરા હૃદયથી, આત્માથી, સામર્થ્યથી, અને મનથી પ્રેમ કરો. અને તમારા પાડોશી પર તમારા જેવો પ્રેમ કરો."
  • 33:8 "કાંટાળી જમીન એ એવી વ્યક્તિ છે જે ઈશ્વરના વચનને ધ્યાનથી સાંભળે છે, પરંતુ સમય પસાર થતાં, જીવનની ચિંતા, સંપત્તિ અને આનંદ એ ઈશ્વર માટેના તેમના પ્રેમ ને દબાવી દે છે."
  • 36:5 પીતર વાત કરતો હતો ત્યારે, તેઓના પર એક તેજસ્વી વાદળ નીચે આવ્યું અને વાદળમાંથી એક અવાજ આવ્યો, "આ મારો પુત્ર છે જેને હું પ્રેમ કરું છું."
  • 39:10 "જે કોઈ વ્યક્તિ સત્યને ચાહે છે તે મારું સાંભળે છે."
  • 47:1 તેણી (લુદીયા)એ ઈશ્વરને પ્રેમ કર્યો અને ઈશ્વરની ઉપાસના કરી.
  • 48:1 જ્યારે ઈશ્વરે વિશ્વ બનાવ્યું, ત્યારે બધું જ સંપૂર્ણ હતું. ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કરતા હતા, અને તેઓ ઈશ્વરને પ્રેમ કરતા હતા.
  • 49:3 તેમણે (ઈસુ) એ શીખવ્યું હતું કે તમારે બીજા લોકોને તમારી જાતને પ્રેમ કરો છો તેવો જ પ્રેમ કરવો જોઈએ.
  • 49:4 તે (ઈસુ) એ પણ શીખવ્યું હતું કે કશાને પણ પ્રેમ કરવા કરતાં, તમારી સંપત્તિને પણ પ્રેમ કરવા કરતાં. તમારે ઈશ્વરને વધુ પ્રેમ કરવાની જરૂર છે.
  • 49:7 ઈસુએ શીખવ્યું કે ઈશ્વર પાપીઓને ખૂબ પ્રેમ કરે છે.
  • 49:9 પરંતુ ઈશ્વરે વિશ્વમાં દરેકને એટલા બધો પ્રેમ કર્યો છે કે તેમણે પોતાના એકમાત્ર દીકરાને આપ્યો જેથી જે કોઈ પણ ઈસુમાં વિશ્વાસ કરે તેને તેના પાપો માટે સજા કરવામાં આવશે નહીં, પરંતુ તે હંમેશાં ઈશ્વર સાથે રહેશે.
  • 49:13 ઈશ્વર તમને પ્રેમ કરે છે અને ઈચ્છે છે કે તમે ઈસુમાં વિશ્વાસ કરો જેથી તેઓ તમારી સાથે ગાઢ સંબંધ રાખી શકે.

શબ્દ માહિતી:

  • Strong's: H157, H158, H159, H160, H2245, H2617, H2836, H3039, H4261, H5689, H5690, H5691, H7355, H7356, H7453, H7474, G25, G26, G5360, G5361, G5362, G5363, G5365, G5367, G5368, G5369, G5377, G5381, G5382, G5383, G5388

પ્રેરિત, પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” ઈશ્વર અને તેમના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” શબ્દ જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા તેઓના હોદ્દા અને અધિકારનો ઉલ્લેખ કરે છે.

  • “પ્રેરિત” શબ્દનો અર્થ “જેને વિશેષ હેતુ માટે બહાર મોકલવામાં આવ્યા છે.” પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.
  • ઈસુના નજીકના બાર શિષ્યો પ્રથમ પ્રેરિતો બન્યા. બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા.
  • ઈશ્વરીય શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરવ અને લોકોને સાજા કરવા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી હાંકી કાઢવા માટે સક્ષમ હતા.

ભાષાંતરના સૂચનો:

  • “પ્રેરિત” શબ્દનું ભાષાંતર એક શબ્દ અથવા શબ્દસમૂહ દ્વારા થઇ શકે છે જેનો અર્થ થાય છે કે “જેને બહાર મોકલવામાં આવેલ છે” અથવા “બહાર મોકલેલ એક” અથવા “વ્યક્તિ કે જેને તેડવામાં આવ્યો છે કે તે ઈશ્વરનો સંદેશ લોકો પાસે લઈ જાય.”
  • “પ્રેરિત” અને “શિષ્ય” શબ્દોનું ભાષાંતર જુદી જુદી રીતે થાય તે મહત્વનું છે.
  • આ શબ્દનું સ્થાનિક અને રાષ્ટ્રીય ભાષાના બાઈબલમાં કેવી રીતે ભાષાંતર થયેલ છે તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. (જુઓ અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું.)

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, તે બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 26:10 પછી ઈસુએ બાર માણસો પસંદ કર્યા જેઓ તેના પ્રેરિતો કહેવાયા. પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેમની પાસેથી શીખ્યા.
  • 30:1 ઈસુએ તેના પ્રેરિતોને ઘણા જુદા જુદા ગામોમાં લોકોને બોધ તથા શિક્ષણ આપવા મોકલ્યા.
  • 38:2 યહૂદા ઈસુના પ્રેરિતો માંનો એક હતો. તે પ્રેરિતોનાં નાણાંની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો હતો.
  • 43:13 શિષ્યોએ પોતાને પ્રેરિતોની સાથે બોધમાં, સંગતમાં, સાથે મળીને ભોજન કરવામાં અને પ્રાર્થનામાં સમર્પિત કર્યા.
  • 46 :8 પછી બાર્નાબાસ નામનો વિશ્વાસી શાઉલને પ્રેરિતો પાસે લઈ આવ્યો અને તેઓને જણાવ્યું કે કેવી રીતે શાઉલે હિંમતભેર દમસ્કમાં ઉપદેશ કર્યો.

શબ્દ માહિતી:

  • Strong's: G651, G652, G2491, G5376, G5570

ફરીથી જન્મ પામવો, ઈશ્વર દ્વારા જન્મેલો, નવો જન્મ

વ્યાખ્યા:

“નવો જન્મ” શબ્દ, પ્રથમ ઈસુ દ્વારા વપરાયો હતો, તેનો અર્થ એમ થાય છે કે જયારે ઈશ્વર વ્યક્તિને આત્મિક મૃત્યુમાંથી બદલીને નવું આધ્યાત્મિક જીવન આપે છે. “ઈશ્વર દ્વારા જન્મેલો” અને “આત્માથી જન્મેલો” શબ્દો દર્શાવે છે કે જયારે વ્યક્તિને નવું આત્મિક જીવન અપાયેલું હોય છે.

  • બધા મનુષ્યો આધ્યાત્મિક રીતે મૃત સ્થિતિમાં જન્મેલા છે અને જયારે તેઓ ઈસુ ખ્રિસ્તને પોતાના તારનાર તરીકે સ્વીકારે છે ત્યારે તેઓ “નવો જન્મ” પામે છે.
  • આત્મિક રીતે નવો જન્મ પામવાની ક્ષણથી જ ઈશ્વરના પવિત્ર આત્મા નવા વિશ્વાસીમાં રહેવા આવે છે અને તેના જીવનમાં તેને સારા આધ્યાત્મિક ફળ ઉપજાવવા સમર્થ કરે છે.
  • વ્યક્તિ નવો જન્મ પામે તે ઈશ્વરનું કામ છે અને તે દ્વારા વ્યક્તિ ઈશ્વરનું બાળક બને છે.

ભાષાંતરના સુચનો:

  • “નવો જન્મ પામવો” તેનું બીજી રીતે ભાષાંતર, “નવો જન્મેલું” અથવા “આધ્યાત્મિક જન્મ” થઇ શકે છે.
  • શાબ્દિક અર્થ અનુસાર આ શબ્દનું શ્રેષ્ઠ ભાષાંતર કરવું હોય તો જે શબ્દ નવા જન્મેલા માટે વપરાય છે તેવો જ સામાન્ય ભાષાનો શબ્દ વાપરવો.
  • “નવો જન્મ” શબ્દનું ભાષાંતર, “આધ્યાત્મિક જન્મ” થઇ શકે છે.
  • “ઈશ્વર દ્વારા જન્મેલો” શબ્દનું ભાષાંતર, “ઈશ્વરના દ્વારા નવા જન્મેલા શિશુ જેવું જીવન હોવું” અથવા “ઈશ્વર દ્વારા અપાયેલું નવું જીવન” તરીકે કરી શકાય છે.
  • એજ રીતે, “આત્માથી જન્મેલો” શબ્દનું ભાષાંતર, “પવિત્ર આત્મા દ્વારા અપાયેલું નવું જીવન” અથવા “ઈશ્વરનું બાળક બનવા માટે પવિત્ર આત્મા દ્વારા અપાયેલું સામર્થ્ય” અથવા “આત્માથી નવા જન્મેલા શિશુ જેવું નવું જીવન હોવું” એમ કરી શકાય છે.

(આ પણ જુઓ : પવિત્ર આત્મા, બચાવવું)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

  • Strong's: G313, G509, G1080, G3824

ફરોશી, ફરોશીઓ

તથ્યો:

ફરોશીઓ ઈસુના સમયમાં યહૂદી ધાર્મિક આગેવાનોનું એક મહત્ત્વનું શક્તિશાળી જૂથ હતું.

  • તેઓમાંના ઘણા મધ્યમ વર્ગીય વેપારીઓ હતા અને કેટલાક યાજકો પણ હતા.
  • બધા જ યહૂદી આગેવાનોમાં, ફરોશીઓ મૂસાના નિયમો અને બીજા યહૂદી નિયમો તથા પરંપરાઓ પાળવામાં સૌથી ચૂસ્ત હતા.
  • યહૂદી લોકોને તેઓની આસપાસના બિનયહૂદીઓના પ્રભાવથી દૂર રાખવા વિષે તેઓ ખૂબ જ કાળજી ધરાવતા હતા.

“ફરોશી” નામ “અલગ કરવું” શબ્દ પરથી આવે છે.

  • ફરોશીઓ મૃત્યુ પછીના જીવન વિષે માનતા હતા અને તેઓ દૂતોના તથા બીજા આત્મિક જીવોના અસ્તિત્વ વિષે પણ માનતા હતા.
  • ફરોશીઓ તથા સાદૂકીઓએ સક્રિય રીતે ઈસુનો અને શરૂઆતના ખ્રિસ્તીઓનો વિરોધ કર્યો હતો.

(આ પણ જૂઓ: ન્યાયસભા, યહૂદી આગેવાનો, નિયમ, સાદૂકીઓ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G5330

બચાવવું, બચાવ્યા, સલામત, તારણ

વ્યાખ્યા:

“બચાવવું” શબ્દ કોઈકને કંઇક ખરાબ અથવા નુકસાનકારક અનુભવતા દુર રાખવુંનો ઉલ્લેખ કરે છે. “સલામત રહેવું”નો અર્થ નુકસાન અથવા જોખમથી સુરક્ષિત, થાય છે.

  • શારીરિક અર્થમાં, લોકોને નુકસાન, જોખમ, અથવા મરણથી બચાવવામાં અથવા છોડાવવામાં આવી શકે.
  • આત્મિક અર્થમાં, જો વ્યક્તિને “બચાવવામાં”આવ્યો છે, તો પછી ઈશ્વરે, ઈસુના વધસ્તંભના મરણ દ્વારા, તેને માફ કર્યો છે અને નરકમાં પોતાના પાપોની શિક્ષા ભોગવતા છોડાવ્યો છે.
  • લોકો બીજા લોકોને બચાવી શકે અથવા જોખમમાંથી છોડાવી શકે, પરંતુ માત્ર ઈશ્વર જ લોકોને તેઓના પાપોની અનંતકાળની શિક્ષાથી બચાવી શકે.                                                                                                                                                                    “તારણ” શબ્દ બચાવવામાં આવ્યા અથવા દુષ્ટતાથી અને જોખમથી છોડાવવામાં આવ્યા, નો ઉલ્લેખ કરે છે.
  • બાઈબલમાં, “તારણ” જેઓએ પોતાના પાપોનો પસ્તાવો કર્યો છે અને ઈસુમાં વિશ્વાસ કર્યો છે તેઓનો આત્મિક અને અનંતકાળ છુટકારો ઈશ્વર દ્વારા માન્ય થયો છે, તેનો ઉલ્લેખ કરે છે.
  • બાઈબલ ઈશ્વર તેમના લોકોને તેમના શારીરિક શત્રુઓથી બચાવે અથવા છોડાવે છે, એ વિષે પણ વાત કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “બચાવવું” નું અનુવાદ કરવાની રીતોમાં “છોડાવવું” અથવા “નુકસાનથી દુર રાખવું” અથવા “નુકસાનના માર્ગેથી બહાર લાવવું” અથવા “મરણથી દુર રાખવું” નો સમાવેશ કરી શકાય.
  • “જે કોઈ પોતાનો જીવ બચાવે” તે અભિવ્યક્તિમાં “બચાવે” શબ્દનો અનુવાદ “સાચવવું” અથવા “રક્ષણ” એમ પણ કરી શકાય.
  • “સલામત” શબ્દનો અનુવાદ “જોખમથી સુરક્ષિત” અથવા “એવી જગ્યામાં કે જ્યાં કશું પણ નુકસાન ન કરી શકે” એમ કરી શકાય.
  • “તારણ” શબ્દનો અનુવાદ “બચાવવું” અથવા “છોડાવવું” શબ્દોનો ઉપયોગ કરીને કરી શકાય જેવી રીતે “ઈશ્વર દ્વારા બચાવવામાં આવેલા લોકો (તેમના પાપોની શિક્ષામાંથી)” અથવા “ઈશ્વર પોતાના લોકોને છોડાવે છે (તેમના શત્રુઓથી)” તે રીતે.
  • “ઈશ્વર મારું તારણ છે” તેનું અનુવાદ “ઈશ્વર એ છે કે જે મને બચાવે છે” એમ કરી શકાય.
  • “તમે તારણના ઝરાઓમાંથી પાણી ભરશો” નું અનુવાદ “તમે પાણીથી તાજગી પામશો કારણ કે ઈશ્વર તમને છોડાવે છે.”

(આ પણ જુઓ: વધસ્તંભ, છોડાવવું, શિક્ષા, પાપ, તારણહાર)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 9:8 મુસાએ તેના સાથી ઈઝરાયેલીને બચાવવાને પ્રયત્ન કર્યો .
  • 11:2 જેઓએ તેમના પર વિશ્વાસ કર્યો હોય તેવા કોઈપણના પ્રથમજનિત દીકરાને બચાવવા માટે ઈશ્વરે માર્ગ કરી આપ્યો.
  • 12:5 મુસાએ ઈઝરાયેલીઓને કહ્યું, “ભયભીત થવાનું મૂકી દો! ઈશ્વર તમારા માટે આજે લડશે અને તમને બચાવશે.”
  • 12:13 ઈઝરાયેલીઓએ તેમની નવી સ્વતંત્રતા ઉજવવા માટે ઘણાં ગીતો ગાયા અને ઈશ્વરની સ્તુતિ કરી કારણ કે તેમણે તેઓને ઈજીપ્તના લશ્કરથી બચાવ્યા.
  • 16:17 આ માળખું ઘણીવાર પુનરાવર્તિત થયું: ઈઝરાયેલીઓ પાપ કરે, ઈશ્વર તેઓને શિક્ષા કરે, તેઓ પસ્તાવો કરે, અને ઈશ્વર તેઓને બચાવવા માટે છોડાવનાર મોકલે.
  • 44:8 “તમે ઈસુને વધસ્તંભે જડ્યા, પરંતુ ઈશ્વરે તેઓને સજીવન કર્યા! તમે તેઓને નકાર્યા, પરંતુ ઈસુના સામર્થ્ય સિવાય તારણ પામવાનો બીજો કોઈ રસ્તો નથી!”
  • 47:11 જ્યારે દરોગો પાઉલ અને સિલાસ પાસે ધ્રુજતો ધ્રુજતો આવ્યો અને પૂછ્યું, “તારણ પામવા માટે મારે શું કરવું જોઈએ?" પાઉલે જવાબ આપ્યો, “ઈસુ પર વિશ્વાસ કર, કે જે માલિક છે, અને તું અને તારું કુટુંબ તારણ પામશો.”
  • 49:12 સારી કરણીઓ તમને બચાવી શકશે નહિ.
  • 49:13 દરેક કે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે અને તેઓને પોતાના માલિક તરીકે સ્વીકારે છે તેઓને ઈશ્વર બચાવશે. પરંતુ જેઓ તેમનામાં વિશ્વાસ નથી કરતાં તે કોઈને પણ તેઓ બચાવશે નહિ  .

શબ્દ માહિતી:

  • Strong's: H983, H2421, H3444, H3467, H3468, H4190, H4422, H4931, H6403, H7682, H7951, H7965, H8104, H8668, G803, G804, G806, G1295, G1508, G4982, G4991, G4992, G5198

બડાઈ, બડાઈ મારવી, બડાઈખોર

વ્યાખ્યા:

“બડાઈ” શબ્દનો અર્થ કંઈક અથવા કોઈને વિશે ગર્વથી બોલવું. તેનો અર્થ વારંવાર પોતા વિશે બડાઈ મારવી.

  • જયારે કોઈ વ્યક્તિ પોતાના વિશે “બડાઈખોર” બનીને ગર્વથી બોલે છે.
  • દેવે ઈઝરાએલીઓને તેઓના મૂર્તિઓ માટે “બડાઈ મારવા” માટે ઠપકો આપ્યો.

તેઓ ઉધ્ધત્તાઈથી સાચા દેવને બદલે જુઠા દેવોની આરાધના કરી. બાઈબલ પણ બડાઈ મારનારા લોકો વિશે વાત કરે છે જેમાં તેઓની સંપત્તિ, તેઓની શક્તિ, તેઓના ફળદ્રુપ ખેતરો, અને તેઓના કાયદાકાનૂનનો સમાવેશ થાય છે. તેનો અર્થ એ કે તેઓ આ સર્વ વસ્તુઓ વિશે ગર્વ કરતા હતા, અને તેઓએ સ્વીકાર્યું નહીં કે દેવે આ વસ્તુઓ તેમને પૂરી પાડી છે.

  • દેવે ઇઝરાએલીઓને અરજ કરી કે તેઓ “બડાઈ કરવાને” બદલે તેઓ દેવને જાણે છે તેનો તેઓ ગર્વ કરે.
  • પાઉલ પ્રેરિત પણ પ્રભુમાં અભિમાન કરવા વિશે વાત કરે છે, કે જેનો અર્થ પ્રભુમાં આનંદ કરવો અને તેઓ માટે તેણે જે કર્યું તે વિશે તેઓ દેવના આભારી રહે.

ભાષાંતરના સૂચનો

  • “બડાઈ” શબ્દનું ભાષાંતર બીજી રીતે કરીએ તો “બડાઈ હાંકવી” અથવા “અભિમાનથી બોલવું” એમ થઈ શકે છે.
  • “ઉન્મત” શબ્દ અથવા શબ્દસમૂહના ભાષાંતરનો અર્થ “અભિમાનથી ભરપૂર વાતો” અથવા “અભિમાનથી ભરપૂર” અથવા “પોતા વિશે બડાઈથી વાતો કરવી” એમ થઈ શકે છે.
  • અભિમાન કરવાના સંદર્ભમાં અથવા ઈશ્વરને જાણવાની બાબતમાં, આ શબ્દનું ભાષાંતર “તેનામાં અભિમાન કરવું” અથવા “ખુબજ આનંદ કરવો” અથવા “ઈશ્વરનો આભાર માનવો” એમ થઈ શકે છે.
  • અમુક ભાષામાં “અભિમાન” શબ્દ માટે બે પ્રકારના શબ્દો આવેલા હોય છે: એક શબ્દ નકારાત્મક છે જેનો અર્થ ઘમંડ કરવું એમ થાય છે જયારે બીજો શબ્દ છે જેનો હકારત્મક અર્થ, પોતાના કાર્યમાં, કુટુંબમાં, અથવા દેશમાં આભિમાન કરવું, એમ થઈ શકે છે.

ભાષાંતરના સુચનો:

(તે પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1984, H3235, H6286, G212, G213, G2620, G2744, G2745, G2746, G3166

બાંધવું, બંધન, બાંધેલું

વ્યાખ્યા:

“બાંધવું” શબ્દનો અર્થ, કંઈક બાંધવું અથવા સુરક્ષિત રીતે બાંધી રાખવું એમ થાય છે. જે કંઈક બંધાયેલું અથવા સાથે જોડાયેલું છે તેને “બંધન” કહેવામાં આવે છે. “બાંધેલું” શબ્દ, બાંધવું શબ્દનો ભૂતકાળ દર્શાવે છે.

  • “બંધન” આ શબ્દનો અર્થ, કંઈક બાંધવું અથવા કોઈ વસ્તુની આસપાસ કાંઈ લપેટવું, એમ થાય છે.
  • રૂપકાત્મક અર્થમાં, વ્યક્તિ શપથથી “બંધાયેલો” હોય છે, કે જે વચન તેણે આપ્યું છે તે “જરૂર પૂરું કરે.”
  • “બંધન” શબ્દ દર્શાવે છે કે, કંઈપણ કે જે બાંધી રાખે છે, અલગ રાખી મુકે છે, અથવા કોઈકને કેદ કરવામાં આવ્યું છે.

તે શબ્દ મોટેભાગે ભૌતિક સાંકળો, બંધનો, અથવા દોરડાઓને દર્શાવે છે કે જે વ્યક્તિ સ્વતંત્ર રીતે ફરવા દેતો નથી.

  • બાઈબલના સમયોના બંધનો એવા હતા કે જેમાં દોરડાં અથવા સાંકળોનો ઉપયોગ કરવામાં આવતો જેના વડે કેદીઓને દીવાલ અથવા જેલના પત્થરના ભોંયતળિયા સાથે બાંધી દેવામાં આવતા હતા.
  • “બાંધવું” શબ્દ, વાગેલા ઘાની આસપાસ વીંટાડવામાં આવેલા પાટાને દર્શાવે છે કે જેથી જલદી મટી જાય.
  • મૃત વ્યક્તિને તેની દફનની તૈયારી માટે કફનમાં “બાંધવામાં” (લપેટવામાં) આવે છે.
  • ”બંધન” શબ્દ રૂપકાત્મક રીતે કંઈક દર્શાવે છે, જેમ કે પાપ, કે જે નિયંત્રણો અથવા કોઈકનું ગુલામ રહેવું.
  • બંધન એવી બાબત છે કે જે લોકોની એકબીજાની સાથે ભાવનાત્મક, આધ્યાત્મિક, અને શારીરિક રીતે નજીકના રહીને એકબીજાનો ટેકો પુરા પાડે છે.

આ લગ્નના બંધન માટે લાગુ પડે છે.

  • ઉદાહરણ તરીકે, પતિ અને પત્ની એકબીજા સાથે “બંધનકર્તા” અથવા બંધાયેલા હોય છે.

તે બંધન કે જે દેવ તોડવા માંગતા નથી.

ભાષાંતરના સુચનો:

“બાંધવું” શબ્દનું ભાષાંતર, “જોડવું” અથવા “બાંધી દેવું” અથવા “વીંટવું” (આસપાસ) થઇ શકે છે.

  • રૂપકાત્મક રીતે તેનું ભાષાંતર, “દૂર રાખવું” અથવા “રોકવું” અથવા “કશાક થી દૂર રાખવું” થઇ શકે છે.
  • માથ્થી 16 અને 18 માં “બાંધવું” શબ્દનો વિશિષ્ઠ ઉપયોગ, “મનાઈ કરવી” અથવા પરવાનગી ના આપવી” એમ કરવામાં આવ્યો છે.
  • “બંધન” શબ્દનું ભાષાંતર, “સાંકળો” અથવા “દોરડાઓ” અથવા “બંધનો” તરીકે કરી શકાય છે.
  • “બંધન” શબ્દનું રૂપકાત્મક ભાષાંતર, “ગાંઠ” અથવા “જોડાણ” અથવા “નજીકના સબંધો” થઇ શકે છે.

“શાંતિનું બંધન” વાક્યનો અર્થ, “સુમેળમાં રહેવું, કે જેથી લોકોને એકબીજાના સાથે નજીકના સબંધમાં આવે” અથવા “સાથે જોડી દેવું જેથી શાંતિ થાય” એમ થઇ શકે છે.

  • “વીંટાડવું” શબ્દનું ભાષાંતર, “આસપાસ વીંટાડવું” અથવા “ઉપર પાટો બાંધવો” એમ કરી શકાય છે.
  • પોતાની જાતને કોલથી “બાંધવું” તેનું ભાષાંતર, “વચન પૂરું કરવા કોલ કરાર કરવા” અથવા “કોલ કરાર પુરા કરવા અર્પિત હોવું” એમ થઇ શકે છે .
  • સંદર્ભ પર આધાર રાખીને “બંધન” શબ્દનું ભાષાંતર, “બંધાયેલું” અથવા જોડાયેલું” અથવા “સાંકળોથી બંધાયેલું” અથવા “વચનબદ્ધ (પૂરું કરવા) અથવા “કરવું જરૂરી છે” તેમ થઇ શકે છે.

(તે પણ જુઓ: પૂરું કરવું, શાંતિ, જેલ, દાસ, કોલકરાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H247, H481, H519, H615, H631, H632, H640, H1366, H1367, H1379, H2280, H2706, H3256, H3533, H3729, H4147, H4148, H4205, H4562, H5650, H5656, H5659, H6029, H6123, H6616, H6696, H6872, H6887, H7194, H7405, H7573, H7576, H8198, H8244, H8379, G254, G331, G332, G1195, G1196, G1198, G1199, G1210, G1397, G1398, G1401, G1402, G2611, G2615, G3734, G3784, G3814, G4019, G4029, G4385, G4886, G4887, G5265

બાપ્તિસ્મા આપવું, બાપ્તિસ્મા પામેલ, બાપ્તિસ્મા

વ્યાખ્યા:

નવાકરારમાં “બાપ્તિસ્મા આપવું” અને “બાપ્તિસ્મા” શબ્દ સામાન્ય રીતે ધર્મિક વિધિને દર્શાવે છે, જેમાં ખ્રિસ્તી વ્યક્તિ જળસંસ્કારથી સ્નાન કરે છે, એ દર્શાવે કે તેઓ પોતાના પાપોથી શુદ્ધ થઈને ખ્રિસ્ત સાથે એક થાય છે.

  • પાણીના બાપ્તિસ્મા ઉપરાંત, બાઈબલમાં “પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામવું” અને “અગ્નિથી બાપ્તિસ્મા પામવા” વિશે કહેવામાં આવ્યું છે.
  • બાઈબલમાં “બાપ્તિસ્મા” શબ્દ, મહાન પીડામાંથી ગુજરવું તે માટે પણ વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સુચનો:

  • વ્યક્તિએ કેવી રીતે પાણીથી બાપ્તિસ્મા પામવું જોઈએ છે તે વિશે ખ્રિસ્તીઓમાં અલગ અલગ દ્રષ્ટિકોણ રહેલા છે. સામાન્ય રીતે આ શબ્દનું શ્રેષ્ઠ ભાષાંતર, જેમાં પાણીને અલગ અલગ રીતે ચોપડવામાં આવે છે.
  • સંદર્ભ પ્રમાણે, “બાપ્તિસ્મા આપવું” શબ્દનું ભાષાંતર “શુદ્ધ કરવું”, “બહાર ઉપર રેડવું,” “પૂરેપૂરું ડુબાડવું અથવા (અંદર) ડુબાડવું,” ધોઈ કાઢવું,” અથવા “આત્મિક રીતે શુદ્ધ કરવું” થઈ શકે છે. ઉદાહરણ તરીકે, “તને પાણીથી બાપ્તિસ્મા આપવું” તેનું ભાષાંતર “તને પાણીમાં પુરેપુરો ડુબાડવો” થઈ શકે છે.
  • “બાપ્તિસ્મા” શબ્દનું ભાષાંતર “શુદ્ધીકરણ,” “બહાર રેડવું,” “ડૂબકી મારવાની ક્રિયા,” “સફાઈ,” અથવા “આત્મિક રીતે ધોયેલા” થઈ શકે છે.
  • જયારે તેનો ઉલ્લેખ પીડા માટે કરાય છે ત્યારે “બાપ્તિસ્મા” શબ્દનું ભાષાંતર “ભયંકર પીડાનો સમય” અથવા “સખત પીડા દ્વારા સફાઈ” થઇ શકે છે.
  • આ શબ્દનું ભાષાંતર બાઈબલમાં સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં કેવી રીતે થયું છે, તેનું ધ્યાન રાખો.

(આ પણ જુઓ: અજ્ઞાનનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્મી), પસ્તાવો કરવો, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 24:3 જયારે લોકોએ યોહાનનો સંદેશો સાંભળ્યો, તેઓમાંથી ઘણાએ તેમના પાપોનો પસ્તાવો કર્યો, અને યોહાને તેઓને બાપ્તિસ્મા આપ્યું.

ઘણા ધાર્મિક આગેવાનો પણ યોહાનથી બાપ્તિસ્મા પામવા આવ્યા, પણ તેઓએ પસ્તાવો કર્યો નહીં અથવા તેમના પાપોની કબૂલાત કરી નહીં.

  • 24:6 બીજા દિવસે, ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા આવ્યો.
  • 24:7 યોહાને ઈસુને કહ્યું, “હું તને બાપ્તિસ્મા આપવાને લાયક નથી.

તારે મને બાપ્તિસ્મા આપવું જોઈએ.”

  • 42:10 જેથી જઈને બધા જાતિના લોકોને શિષ્યો બનાવો, અને પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે બાપ્તિસ્મા આપો, અને મેં જે આજ્ઞા આપી છે તે તેઓને શીખવતા જાઓ.”
  • 43:11 પિતરે તેઓને જવાબ આપ્યો, “તમે દરેક જણ પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા પામો જેથી કરીને દેવ તમારા પાપો માફ કરશે.”
  • 43:12 પિતરે જે કહ્યું તે સાંભળીને લગભગ 3,000 લોકોએ વિશ્વાસ કર્યો અને ઈસુના શિષ્યો બન્યા.
  • તેઓ બાપ્તિસ્મા પામ્યા હતા અને યરુશાલેમની મંડળીના ભાગરૂપ બન્યા.
  • 45:11 જયારે ફિલિપ અને હબસી ખોજાએ પ્રવાસ કરી, તેઓ થોડા પાણી પાસે આવ્યા. ઈથોપિયન હબસી ખોજાએ કહ્યું, “જો!” અહીં થોડું પાણી છે! શું હું બાપ્તિસ્મા લઉં શકું?”
  • 46:5 શાઉલ તરત ફરીથી જોઈ શક્યો, અને અનાન્યાએ તેને બાપ્તિસ્મા આપ્યું.
  • 49:14 ઈસુ તમને તેનામાં વિશ્વાસ કરી બાપ્તિસ્મા લેવાનું આમંત્રણ આપે છે.

શબ્દ માહિતી:

  • Strong's: G907

બાર, અગિયાર

વ્યાખ્યા:

"બાર" શબ્દ બાર માણસોને દર્શાવે છે જે ઈસુએ તેના સૌથી નજીકના અનુયાયીઓ અથવા પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. યહૂદાના પોતે માર્યા ગયાબાદ , તેઓ "અગિયાર." તરીકે ઓળખાતા હતા

  • ઈસુના બીજા ઘણા શિષ્યો હતા, પરંતુ "બાર" શિર્ષકવાળાબીજા લોકોથી અલગ હતા જેઓ દેખીતી રીતે ઈસુની નજીક હતા.
  • આ બાર શિષ્યોના નામ માથ્થી10, માર્ક 3, અને લુક 6 ની યાદી આપેલ છે.
  • ઈસુ સ્વર્ગમાં પાછા ફર્યાના અમુક સમય પછી "અગિયાર" શિષ્યોએ માથ્થિયસને યહૂદાની જગ્યાએ પસંદ કર્યા.

ત્યારબાદ ફરીથી તેઓ બાર તરીકે ઓળખવા લાગ્યા.

અનુવાદ માટેના સૂચનો:

  • ઘણાં ભાષાઓ માટે સંજ્ઞા ઉમેરવી વધુ સ્પષ્ટ અથવા વધુ કુદરતી હોઈ શકે છે, અને કહે છે, "બાર પ્રેરિતો" અથવા "ઈસુના બાર સૌથી નજીકના અનુયાયીઓ."
  • "અગિયાર" નો અનુવાદ "ઈસુના બાકીના અગિયાર શિષ્યો" તરીકે થાય છે. "
  • કેટલાક અનુવાદો તેને " બાર " અને "અગિયાર" શીર્ષક તરીકે ઉપયોગમાં લેતા હતા તે દર્શાવવા માટે મોટા અક્ષરોનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.

(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G1427, G1733

બાળકો, બાળક, સંતાન

વ્યાખ્યા:

બાઇબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, (બહુવચન "બાળકો") સામાન્ય રીતે પુરુષ અને સ્ત્રીના સંતાનનો ઉલ્લેખ કરે છે. આ શબ્દ મોટાભાગે બહુ સામાન્યપણે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય અને પુખ્ત વયનું થયું નથી તેને દર્શાવે છે. "સંતાન" શબ્દ માનવો અને પ્રાણીઓના જૈવિક વંશજોના સામાન્ય અર્થમાં દર્શાવાય છે.

  • ક્યારેક બાઇબલમાં, શિષ્યો અથવા અનુયાયીઓને “બાળકો” કહીને બોલાવામાં આવ્યા છે.
  • મોટેભાગે વ્યક્તિના વંશજોને દર્શાવવા “બાળકો” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • મોટાભાગે બાઇબલમાં, "સંતાનો" નો અર્થ "બાળકો" અથવા "વંશજો"ની સમાનતામાં થાય છે.
  • "બીજ" શબ્દ ક્યારેક અલંકારિક રૂપે સંતાનોનો ઉલ્લેખ કરવા વપરાય છે.
  • “(તે)ના બાળકો” એ શબ્દસમૂહ એ કોઈ પ્રકારના ચારિત્ર્યને વર્ગીકૃત કરવા માટે દર્શાવાઈ શકાય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

  • પ્રકાશના બાળકો
  • આજ્ઞાપાલન ના બાળકો
  • શેતાનના બાળકો
  • આ શબ્દ "મંડળી"ને પણ દર્શાવી શકે છે. ઉદાહરણ તરીકે નવો કરાર ક્યારેક “ઈશ્વરના બાળકો” શબ્દસમૂહનો ઉપયોગ, લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી ઈશ્વરના બનેલા છે, તેઓને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

  • જયારે “બાળક” શબ્દનું ભાષાંતર ‘વંશજો” કરવામાં આવે ત્યારે તે વ્યક્તિના દોહિત્ર અને દોહિત્રના બાળકોને દર્શાવે છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, “(તે)ના બાળકો” ભાષાંતર, “લોકો કે જેઓને તેવી લાક્ષણિકતા હોય છે” અથવા “લોકો કે જે એ પ્રકારનું વર્તન કરે છે” એમ થઈ શકે છે.
  • શક્ય હોય તો “ઈશ્વરના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઇબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણા આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ ઈશ્વરના છે” અથવા “ઈશ્વરના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.
  • જયારે ઈસુએ શિષ્યોને તેના “બાળકો” કહીને બોલાવ્યા તેનું ભાષાંતર “વ્હાલા મિત્રો” અથવા “મારા પ્રિય શિષ્યો”તરીકે પણ કરી શકાય.
  • જયારે પાઉલે અને યોહાને ઈસુમાં વિશ્વાસીઓને “બાળકો” તરીકે દર્શાવ્યા છે ત્યારે તેનું ભાષાંતર, “વ્હાલા સાથી વિશ્વાસીઓ” તરીકે પણ કરી શકાય છે.
  • “વચનના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, “લોકો કે જેઓને ઈશ્વરનું વચન આપવામાં આવ્યું અને તેઓને તે પ્રાપ્ત થયું છે” એમ કરી શકાય છે.

*

(આ પણ જુઓ : વંશજ, બીજવચન, પુત્ર, આત્મા , માનવું, પ્રિય)

બાઇબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1069, H1121, H1123, H1129, H1323, H1397, H1580, H2029, H2030, H2056, H2138, H2145, H2233, H2945, H3173, H3205, H3206, H3208, H3211, H3243, H3490, H4392, H5271, H5288, H5290, H5759, H5764, H5768, H5953, H6185, H7908, H7909, H7921, G730, G815, G1025, G1064, G1471, G3439, G3515, G3516, G3808, G3812, G3813, G3816, G5040, G5041, G5042, G5043, G5044, G5206, G5207, G5388

બેખમીર રોટલી

વ્યાખ્યા:

"બેખમીર રોટલી" શબ્દ એ રોટલીનો ઉલ્લેખ કરે છે, જે ખમીર અથવા અન્ય ધમણ વિના બનાવવામાં આવે છે. આ પ્રકારની રોટલી સપાટ છે કારણ કે તેમાં વધારો કરવા માટે કોઈ ખમીર નથી.

  • જ્યારે ઈશ્વરે ઈસ્રાએલીઓને મિસરની ગુલામીમાંથી છોડાવ્યા ત્યારે, તેમણે તેઓને કહ્યું કે, રોટલી બનવાની રાહ જોયા વિના તરત જ તેઓ મિસરથી ભાગી જજો.

તેથી તેઓએ તેમના ભોજન સાથે બેખમીર રોટલી ખાધી. ત્યારથી બેખમીર રોટલી તેમને તે સમયે યાદ કરાવવા માટે તેમના વાર્ષિક પાસ્ખાપર્વની ઉજવણીમાં વપરાય છે.

  • ત્યારથી ક્યારેક ખમીર પાપના એક ચિત્ર તરીકે વપરાય છે, "બેખમીર રોટલી" એક વ્યક્તિના જીવનમાંથી પાપ દૂર થયેલ હોય જે ઈશ્વરને સન્માન આપતી રીતે જીવતી હોય તેને રજૂ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • આ શબ્દને અનુવાદિત કરવાની અન્ય રીતોમાં " આથા વગરની રોટલી" અથવા "સપાટ રોટલી જે ફૂલતી ન હતી " નો સમાવેશ થઈ શકે છે.
  • ખાતરી કરો કે આ શબ્દનો અનુવાદ તમે કેવી રીતે " આથો, ખમીર" શબ્દનો અનુવાદ કરો છો તેની સાથે સુસંગત છે.
  • કેટલાક સંદર્ભોમાં, આ શબ્દ "બેખમીર રોટલી" "બેખમીર રોટલીનું પર્વ" નો ઉલ્લેખ કર્યો છે અને તે રીતે ભાષાંતર કરી શકાય.

(આ પણ જુઓ: રોટલી, ઇજિપ્ત, ઉત્સવ, પાસ્ખાપર્વ, નોકર, પાપ, આથો)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: H4682, G106

ભરોસો/વિશ્વાસ, વિશ્વાસ કર્યો, વિશ્વસનીય, વિશ્વસનીયતા

વ્યાખ્યા:

કંઈક અથવા કોઈ વ્યક્તિ પર "વિશ્વાસ" કરવો એ એવું માને છે કે આ વસ્તુ અથવા વ્યક્તિ સાચી છે અથવા ભરોસાપાત્ર છે. એવી માન્યતાને "વિશ્વાસ" પણ કહેવામાં આવે છે. "વિશ્વસનીય" વ્યક્તિ તે છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો અને ખરું અને સાચું શું છે તે કહી શકો છો, અને તેથી તે વ્યક્તિ પાસે "વિશ્વસનીયતા"નો ગુણ હોય છે.

  • ભરોસો વિશ્વાસ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જો આપણે કોઈ વ્યક્તિ પર ભરોસો કરીએ છીએ, તો તેણે જે કરવાનું વચન આપ્યું છે તે તે કરશે તેવો વિશ્વાસ આપણે કરીએ છીએ.
  • કોઈની પર ભરોસો રાખવો એ તેનો અર્થ તે વ્યક્તિ પર આધાર રાખવો, થાય છે.
  • ઈસુમાં "વિશ્વાસ" કરવો તેનો અર્થ, તે ઈશ્વર છે તેવો વિશ્વાસ કરવો, તે આપણા પાપોની કિમત ચૂકવવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા હતા તેવો વિશ્વાસ કરવો અને આપણા ઉદ્ધાર માટે તેમના પર આધાર રાખવો, થાય છે.
  • એ "વિશ્વસનીય ઉચ્ચારણ" નો અર્થ એ થાય છે કે, કાંઇક જે કહેવાયું છે તેને સાચું ગણી શકાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • "વિશ્વાસ/ભરોસા" નું અનુવાદ કરવાની રીતોમાં "માનવું" અથવા "વિશ્વાસ હોવો" અથવા "આત્મવિશ્વાસ" અથવા "પર આધાર રાખવો"નો સમાવેશ કરી શકાય છે.
  • "માં તમારો ભરોસો મૂકો" શબ્દસમૂહ "માં વિશ્વાસ છે" ના અર્થમાં ખૂબ જ સમાન છે.
  • "વિશ્વસનીય" * શબ્દનું ભાષાંતર "આધારભૂત" અથવા "વિશ્વસનીય" અથવા "હંમેશા વિશ્વસનીય કરી શકાય છે."

(આ પણ જુઓ: વિશ્વાસ, આત્મવિશ્વાસ, વિશ્વાસ, વફાદાર, સાચું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 12:12 જ્યારે ઈસ્રાએલીઓએ જોયું કે ઇજિપ્તવાસીઓ મૃત્યુ પામ્યા હતા,ત્યારે તેઓએ ઈશ્વરમાં વિશ્વાસ કર્યો અને માનતા થયા કે મુસા ઈશ્વરનો પ્રબોધક હતો.
  • 14:15 યહોશુઆ એક સારો નેતા હતો કારણ કે તેણે વિશ્વાસ કર્યો અને તે ઈશ્વરને આધીન થયો હતો.
  • 17:2 દાઉદ એક નમ્ર અને પ્રામાણિક માણસ હતો જેણે વિશ્વાસ કર્યો અને ઈશ્વરને આધીન થયો હતો.
  • 34:6 પછી ઈસુએ એવા લોકો વિશેની એક વાર્તા કહી કે જેઓ તેમના સારા કાર્યોમાં વિશ્વાસ કરતા હતા અને અન્ય લોકોનો તિરસ્કાર કરતા હતા.

શબ્દ માહિતી:

  • Strong's: H539, H982, H1556, H2620, H2622, H3176, H4009, H4268, H7365, G1679, G3872, G3982, G4006, G4100, G4276

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

  • જૂના કરારમાં, “ભાઈઓ” શબ્દ, સામાન્ય સંદર્ભમાં સબંધીઓ અથવા સાથીઓ જેમકે સમાન કુળના સભ્યો, ગોત્ર, વ્યવસાય અથવા લોકોનું જૂથ માટે પણ વપરાયો છે. જ્યારે આ રીતે "ભાઈઓ" શબ્દનો ઉપયોગ કરાય ત્યારે આ શબ્દ પુરુષો અને સ્ત્રીઓ,બંનેનો સમાવેશ કરે છે.
  • નવા કરારમાં, પ્રેરિતો મોટે ભાગે “ભાઈઓ” શબ્દ, ખ્રિસ્તી સાથીઓ, પુરુષો અને સ્ત્રીઓ (બન્ને સહિત), કારણકે બધા વિશ્વાસીઓ ખ્રિસ્તમાં એક આત્મિક કુટુંબના સભ્યો હોઈ, ઈશ્વર તેઓના સ્વર્ગીય પિતા છે.
  • નવા કરારમાં કોઈક વાર, પ્રેરિતોએ “બહેન” શબ્દ પણ વાપર્યો છે, ખાસ કરીને કે જયારે ખ્રિસ્તી સાથી તે સ્ત્રી હતી, અથવા તે દર્શાવે છે કે પુરુષો અને સ્ત્રીઓ બન્નેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે”, તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તો તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

  • જૂના કરારમાં જયારે “ભાઈઓને” સામાન્ય રીતે દર્શાવવા માટે, જેમાં વિશેષ કરીને, એક જ કુટુંબના સભ્યો, ગોત્ર, અથવા જન જૂથ માટે આ શબ્દ વપરાયો હોય ત્યારે તેનું સંભવિત ભાષાંતર “સબંધીઓ” અથવા “કુળના સભ્યો” અથવા “સાથી ઈઝરાએલી” થઇ શકે છે.
  • ખ્રિસ્તમાં સાથી વિશ્વાસીના સંદર્ભના જયારે આ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે આ શબ્દનું ભાષાંતર “ખ્રિસ્તમાં ભાઈ” અથવા “આત્મિક ભાઈ” એમ કરી શકાય છે.
  • જો પુરુષો અને સ્ત્રીઓ બન્નેને “ભાઈ” તરીકે ઉલ્લેખવામાં આવે અને તે જો ખોટો અર્થ આપે તો તે સંદર્ભમાં સગપણને લગતો કોઈ સામાન્ય શબ્દનો ઉપયોગ કરવો કે જેમાં પુરુષો અને સ્ત્રીઓનો બંનેનો સમાવેશ કરી શકાય.
  • બીજી રીતે આ શબ્દનું ભાષાંતર કરીએ તો પુરુષ અને સ્ત્રી વિશ્વાસીઓ માટે “વિશ્વાસુ સાથી” અથવા “ખ્રિસ્તી ભાઈઓ અને બહેનો” શબ્દ વાપરી શકાય.
  • સંદર્ભ પ્રમાણે ધ્યાનથી તપાસ કરીને નિર્ણય કરવો કે, શું તેમાં ફક્ત પુરુષને દર્શાવવામાં આવ્યો છે, અથવા શું તેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વર પિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H251, H252, H264, H1730, H2992, H2993, H2994, H7453, G80, G81, G2385, G2455, G2500, G4613, G5360, G5569

ભૂત વળગેલાઓ

વ્યાખ્યા:

વ્યક્તિ કે જેને ભૂત વળગેલું છે તેને ભૂત અથવા દુષ્ટ આત્મા, જે તે વ્યકિત કરે છે અને વિચારે છે તેનું નિયંત્રણ કરે છે.

  • મોટેભાગે ભૂત વળગેલું વ્યક્તિ પોતાને અથવા અન્ય લોકોને નુકસાન કરે છે કારણકે ભૂત તેની પાસે તે કરાવે છે.
  • ઈસુએ ભૂત વળગેલા લોકોને ભૂતોને તેઓમાંથી નીકળી જવાનો આદેશ આપી સાજા કર્યા.

મોટેભાગે તેને ભૂતોને “બહાર કાઢવા” એવું કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

  • બીજી રીતે આ શબ્દનું ભાષાંતર કરવામાં આવે ત્યારે, “ભૂતથી નિયંત્રણ થતો” અથવા “દુષ્ટ આત્મા દ્વારા નિયંત્રણ” અથવા “દુષ્ટ આત્મા અંદર હોવો” એવા શબ્દોનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 26:9 ઘણા લોકો કે જેઓમાં ભૂતો હતા તેઓને ઈસુ પાસે લાવ્યા.
  • 32:2 જયારે તેઓ સરોવરની બીજી બાજુએ પહોંચ્યા, ત્યારે ભૂત વળગેલો માણસ દોડીને ઈસુ પાસે આવ્યો.
  • 32:6 ભૂત વળગેલો માણસ મોટા અવાજે બૂમ પાડી અને કહ્યું કે “ઈસુ, સર્વોચ્ચ દેવના દીકરા, મારી પાસેથી તારે શું જોઈએ છે?” “મહેરબાની કરી મને ત્રાસ ન આપ!”
  • 32:9 નગરમાંથી લોકો આવ્યા અને માણસ કે જેને ભૂતો હતા તેને જોયો.
  • 47:3 દરરોજ તેઓ (પાઉલ અને સિલાસ) ત્યાં જતા હતા, ભૂત વળગેલી ગુલામ છોકરી તેઓને અનુસરતી હતી.

શબ્દ માહિતી:

  • Strong's: G1139

ભૂત, દુષ્ટ આત્મા, અશુદ્ધ આત્મા

વ્યાખ્યા:

આ બધાંજ શબ્દો તે ભૂતોને દર્શાવે છે, કે જેઓના આત્મા અસ્તિત્વ ધરાવે છે, તેઓ દેવની ઈચ્છાનો વિરોધ કરે છે. દેવે દૂતોને તેની સેવા કરવા માટે બનાવ્યા. જયારે શેતાને દેવની વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે કેટલાક દૂતોએ પણ બળવો કર્યો અને તેઓને સ્વર્ગમાંથી બહાર ફેકવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે આ “પતિત થયેલા દૂતો,” ભૂતો અને દુષ્ટ આત્માઓ છે.

  • ક્યારેક આ ભૂતોને “અશુદ્ધ આત્માઓ” કહેવામાં આવ્યા છે.

“અશુદ્ધ” શબ્દનો અર્થ “ભૂંડો” અથવા “દુષ્ટ” અથવા “અપવિત્ર” છે

  • કારણકે ભૂતો શેતાનની સેવા કરે છે, અને તેઓ દુષ્ટ વસ્તુઓ કરે છે.

ક્યારેક તેઓ લોકોની અંદર રહે છે અને તેઓનું નિયંત્રણ કરે છે.

  • ભૂતો માનવજાત કરતા વધારે શક્તિશાળી હોય છે, પણ દેવ જેટલા શક્તિશાળી હોતા નથી.

ભાષાંતરના સૂચનો:

  • “ભૂત” શબ્દનું ભાષાંતર, “દુષ્ટ આત્મા” થઇ શકે છે.
  • “અશુદ્ધ આત્મા” શબ્દનું ભાષાંતર, “ભૂંડો આત્મા” અથવા “ભ્રષ્ટ આત્મા” અથવા “દુષ્ટ આત્મા” તરીકે પણ કરી શકાય છે.
  • આ શબ્દ અથવા શબ્દસમૂહ જે આ શબ્દના ભાષાંતરમાં વપરાય છે તે શેતાન માટે વપરાયેલા શબ્દથી અલગ છે, તેનું ધ્યાન રાખો.
  • તે પણ ધ્યાનમાં રાખો કે “ભૂત” શબ્દનું સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં ભાષાંતર કેવી રીતે થયું છે.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ : ભૂત-વળગેલો, શેતાન, જૂઠા દેવ, ખોટા દેવ, દૂત, દુષ્ટ, શુદ્ધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 26:9 ઘણા લોકો કે જેઓને ભૂતો વળગેલા હતા તેઓને ઈસુ પાસે લાવ્યાં. યારે ઈસુએ તેઓને આજ્ઞા આપી, ત્યારે ભૂતો લોકોમાંથી બહાર નીકળી ગયા, અને ઘણીવાર બૂમો પાડી કે, “તું દેવનો દીકરો છે!”
  • 32:8 ભૂતો માણસમાંથી બહાર આવ્યા અને ભૂંડોમાં પેઠા.
  • 47:5 છેવટે એક દિવસ ગુલામ છોકરીએ ચીસ પાડી, ત્યારે પાઉલે તેણીની તરફ ફરી અને ભૂત કે જે તેણીમાં હતું તેને કહ્યુ કે, “ઈસુના નામમાં, તેણીમાંથી બહાર નીકળ.” તરત જ ભૂત તેણીને મૂકી ચાલ્યું ગયું.
  • 49:2 તે (ઈસુ) પાણી ઉપર ચાલ્યો, તોફાનને શાંત પાડ્યું, ઘણા બીમાર લોકોને સાજા કર્યા, ભૂતોને બહાર હાંકી કાઢ્યા, મરેલાને સજીવન કર્યા, અને પાંચ રોટલીઓ અને બે નાની માછલીને 5000 લોકો માટે ખોરાકમાં ફેરવી નાંખી.

શબ્દ માહિતી:

  • Strong's: H2932, H7307, H7451, H7700, G169, G1139, G1140, G1141, G1142, G4190, G4151, G4152, G4189

મંડળી, મંડળીઓ, વૈશ્વિક મંડળી

વ્યાખ્યા:

નવાકરારમાં, “મંડળી” શબ્દ, ઈસુમાં વિશ્વાસીઓનું સ્થાનિક જૂથ કે જેઓ નિયમિત રીતે એક સાથે મળી પ્રાર્થના અને ઈશ્વરના વચનોનો પ્રચાર સાંભળતા હતા, તેમને દર્શાવે છે. મોટેભાગે “મંડળી” (વૈશ્વિક મંડળી) શબ્દ બધા ખ્રિસ્તીઓને દર્શાવે છે.

  • તે શબ્દનો શાબ્દિક અર્થ, “બોલાવવામાં આવેલી,” જે લોકોની સભા અથવા મંડળી છે, કે જેઓ વિશેષ હેતુ માટે સાથે મળતા હોય તેને દર્શાવે છે.
  • જયારે આ શબ્દ બધા વિશ્વાસીઓ માટે વાપરવામાં આવે છે, ત્યારે તે ખ્રિસ્તના પુરા શરીરની સર્વત્ર મંડળીને દર્શાવે છે, અમુક ભાષાંતર “મંડળી” (વૈશ્વિક મંડળી) દર્શાવવા માટે અંગ્રેજીમાં વિશેષ જોડણી વાપરે છે (ચર્ચ માટે કેપીટલ સી), જેથી તે સ્થાનિક મંડળીથી અલગ દેખાઈ આવે.
  • મોટેભાગે વિશ્વાસીઓ ખાસ શહેરમાં કોઈકના ઘરમાં એક સાથે મળતાં હતા. આ શહેરોની સ્થાનિક મંડળીઓને જેમકે “એફેસસ ની મંડળી” એવું નામ આપવામાં આવતું હતું.
  • બાઇબલમાં, “મંડળી” તે મકાનને દર્શાવાતું નથી.

ભાષાંતરના સૂચનો:

  • “મંડળી” શબ્દનું ભાષાંતર, “એક સાથે ભેગા થવું” અથવા “સભા” અથવા “મંડળ” અથવા “જેઓ એક સાથે ભેગા થાય” તરીકે કરી શકાય છે.
  • આ શબ્દ અથવા શબ્દસમૂહ કે જે ભાષાંતરમાં વપરાયો છે, તે શબ્દ ફક્ત નાના જૂથ ને જ નહીં, પણ બધા વિશ્વાસીને દર્શાવતો હોવો જોઈએ.
  • ધ્યાનમાં રાખો કે “મંડળી શબ્દનું ભાષાંતર ફક્ત મકાનને દર્શાવતું નથી.
  • જૂના કરારમાં “સભા” માટે જે શબ્દ વપરાયો છે તે જ શબ્દનો ઉપયોગ કરી ભાષાંતર કરી શકાય છે.
  • એ પણ ધ્યાનમાં રાખો કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય બાઇબલ ભાષાંતરમાં તેનું ભાષાંતર કેવી રીતે થયું છે.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું.)

(આ પણ જુઓ: સભા, માનવું, ખ્રિસ્તી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 43:12 પિતરે જે કહ્યું તે સાંભળીને લગભગ 3000 લોકોએ વિશ્વાસ કર્યો અને ઈસુના શિષ્યો બન્યા. તેઓએ બાપ્તિસ્મા લીધું અને યરૂશાલેમની મંડળી ના એક ભાગરૂપ બન્યા.
  • 46:9 અંત્યોખમાંના મોટાભાગના લોકો યહૂદી નહોતા, પણ પ્રથમવાર તેઓમાંના ઘણા વિશ્વાસીઓ બન્યા. બર્નાબાસ અને શાઉલ આ નવા વિશ્વાસીઓને ઈસુ વિશે વધારે શીખવવા અને મંડળી ને મજબૂત કરવા ત્યાં ગયા.
  • 46:10 જેથી અંત્યોખની મંડળી એ બર્નાબાસ અને શાઉલ પર તેઓના હાથો મૂકીને તેઓ માટે પાર્થના કરી. પછી તેઓએ તેઓને ઈસુની સુવાર્તાનો પ્રચાર કરવા બીજા અન્ય સ્થળોએ મોકલ્યા.
  • 47:13 ઈસુની સુવાર્તા પ્રસરતી ગઈ અને મંડળી વધતી ગઈ.
  • 50:1 લગભગ 2000 વર્ષોથી, જગતની આસપાસના લોકો ઈસુ મસિહની સુવાર્તા સાંભળતા આવ્યા છે. તે રીતે મંડળી વૃદ્ધિ પામી રહી છે.

શબ્દ માહિતી:

  • Strong's: G1577

મંદિર

તથ્યો:

મંદિર દિવાલોથી ઘેરાયેલ આંગણાવાળું એક મકાન હતું, જ્યાં ઈસ્રાએલીઓ ઈશ્વરને પ્રાર્થના કરવા અને બલિદાન અર્પણ કરવા માટે આવ્યા. તે યરૂશાલેમ શહેરમાં મોરીયા પર્વત પર આવેલું હતું.

  • મોટેભાગે "મંદિર" શબ્દ સમગ્ર મકાન સંકુલને ઓળખવામાં આવે છે, જેમાં મુખ્ય મકાનની આસપાસની આંગણાઓનો સમાવેશ થાય છે.

કેટલીકવાર તે મકાનને જ ઓળખવામાં આવે છે.

  • મંદિરના મકાનમાં બે ઓરડા હતા, પવિત્રસ્થાન અને પરમ પવિત્રસ્થાન હતું.
  • ઈશ્વર મંદિરને તેમના નિવાસસ્થાન તરીકે ઓળખાવે છે.
  • સુલેમાન રાજાએ તેમના રાજયકાળ દરમ્યાન મંદિર બાંધ્યું.

યરૂશાલેમમાં પૂજા માટેની કાયમી જગ્યા હોવાનું માનવામાં આવે છે

  • નવા કરારમાં, "પવિત્ર આત્માનું મંદિર" શબ્દનો ઉપયોગ ઈસુના વિશ્વાસીઓના એક જૂથ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણ કે પવિત્ર આત્મા તેમનામાં રહે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • સામાન્ય રીતે જ્યારે લખાણમાં જણાવે છે કે લોકો "મંદિરમાં," હતા ત્યારે તે ઇમારતની બહારના આંગણાનો ઉલ્લેખ કરવામાં આવે છે.

આનું ભાષાંતર "મંદિરના આંગણામાં" અથવા "મંદિરના સંકુલમાં" તરીકે થઈ શકે છે.

  • જ્યાં ખાસ કરીને મકાનનો ઉલ્લેખ કરે છે, કેટલાક અનુવાદો “મંદિર”ને "મંદિરની ઇમારત" તરીકે અનુવાદ કરે છે, જે તેનો સંદર્ભ સ્પષ્ટ કરે છે.
  • બીજી રીતે ભાષાંતર કરવાની રીતોમાં "મંદિર"ને "દેવનું પવિત્ર ઘર" અથવા "પવિત્ર ભજન સ્થાન" નો સમાવેશ થાય છે.
  • ઘણી વખત બાઇબલમાં, મંદિરને "યહોવાનું ઘર" અથવા "દેવનું ઘર " કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: બલિદાન,સુલેમાન, બાબેલ, પવિત્ર આત્મા, મંડપ, આંગણું, સિયોન, ઘર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 17:6 દાઉદ એક મંદિર બનાવવ। માંગતો હતો કે જ્યાં બધા ઈસ્રાએલીઓ ઈશ્વરની ઉપાસના કરી શકે અને તેમને બલિદાનો આપી શકે.
  • 18:2 યરૂશાલેમમાં, સુલેમાને મંદિર નું નિર્માણ કર્યું હતું જેના માટે તેમના પિતા દાઉદે આયોજન કર્યું હતું અને સામગ્રી એકત્ર કરી હતી. લોકો હવે મુલાકાત મંડપને બદલે, ઈશ્વરની ઉપાસના મંદિર ખાતે કરવા લાગ્યા અને તેમને બલિદાન અર્પણ કરે છે. ઈશ્વર આવ્યા હતા અને મંદિર માં હાજર હતા, અને તે તેના લોકો સાથે ત્યાં રહેતા હતા.
  • 20:7 તેઓ (બાબેલોનીઓએ) યરૂશાલેમના શહેરને કબજે કરી લીધું, અને મંદિર નો નાશ કર્યો, અને તમામ ખજાનાને લુંટી લીધો.
  • 20:13 જ્યારે લોકો યરૂશાલેમ પહોંચ્યા, તેઓએ મંદિર અને શહેર અને મંદિર તથા શહેરની આસપાસની દીવાલ ફરી બાંધી.
  • 25:4 પછી શેતાન મંદિર ના સૌથી ઊંચા શિખર પર ઈસુને લઇ ગયો અને કહ્યું હતું કે, "જો તમે ઈશ્વરન। પુત્ર છો, તો પોતાને નીચે ફેંકી દો, કેમકે લખવામાં આવેલ છે,કે 'ઈશ્વર તેમના તો ને આદેશ કરશે જેથી તમારા પગ પથ્થર પર અફળાય નહી.
  • 40:7 જયારે તે મૃત્યુ પામ્યો ત્યારે ત્યાં ધરતીકંપ થયો અને મંદિર નો મોટો પડદો જે લોકોને ઈશ્વરની હાજરીથી જુદાં પાડતો હતો, તે ઉપર થી નીચે સુધી બે ભાગમાં ફાટી ગયો.

શબ્દ માહિતી:

  • Strong's: H1004, H1964, H1965, H7541, G1493, G2411, G3485

મધ્યસ્થી કરવી, મધ્યસ્થી કરે છે, મધ્યસ્થી

વ્યાખ્યા:

“મધ્યસ્થી કરવી” અને “મધ્યસ્થી” શબ્દો બીજી વ્યક્તિના બદલામાં કોઈને વિનંતી કરવી તે દર્શાવે છે. સામાન્ય રીતે બાઈબલમાં આ લોકો બીજા માટે પ્રાર્થના કરવાનું દર્શાવે છે.

  • “(તે) માટે મધ્યસ્થી કરો” અને “ (તેને) માટે મધ્યસ્થી કરો” અભિવ્યક્તિઓનો અર્થ અન્ય લોકોના લાભ માટે દેવને વિનંતી કરવી.
  • બાઈબલ શીખવે છે કે પવિત્ર આત્મા આપણા માટે મધ્યસ્થતા કરે છે, જે દેવને આપણા માટે પ્રાર્થના કરે છે.
  • વ્યક્તિ કોઈ જે અધિકારમાં છે તેને વિનંતીને કરી બીજા લોકો માટે મધ્યસ્થી કરવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

  • “મધ્યસ્થી કરવી” ના વિવિધ ભાષાંતરમાં, “(બીજા) માટે આજીજી” અથવા “(કોઈને) માટે અરજ કરવી (કોઈ બીજાના માટે)” જેવાનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
  • “મધ્યસ્થી” સંજ્ઞાનું ભાષાંતર, “અરજી” અથવા “વિનંતી” અથવા “તાત્કાલિક પ્રાર્થના” તરીકે કરી શકાય છે.
  • “માટે મધ્યસ્થી કરો” શબ્દસમૂહનું ભાષાંતર, “(તે)ના લાભના માટે વિનંતી કરો” અથવા “ના બદલે અરજી કરો” અથવા “મદદ માટે દેવને પૂછો” અથવા “(કોઈને) આશીર્વાદ આપવા માટે દેવને અરજ કરવી” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: પ્રાર્થના)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H6293, G1783, G1793, G5241

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

  • બાઇબલમાં, “મહિમા” ઈશ્વરની મહાનતાનો વારંવાર ઉલ્લેખ કરે છે કે જેઓ વિશ્વમાં સર્વોચ્ચ રાજાધિરાજ છે.
  • અંગ્રેજી ભાષામાં “યોર મેજેસ્ટી” એ રાજાને સંબોધવાની એક રીત છે.

અનુવાદ માટેના સૂચનો:

  • આ શબ્દોનો અનુવાદ “બાદશાહી મહાનતા” અથવા તો “રાજવી વૈભવ” તરીકે કરી શકાય.
  • “યોર મેજેસ્ટી”નો અનુવાદ “યોર હાઈનેસ” અથવા તો “યોર એક્ષેલન્સિ” તરીકે કરી શકાય અથવા તો અનુવાદ કરવાની ભાષામાં એક રાજાને સંબોધવાની સામાન્ય રીતનો ઉપયોગ કરી શકાય.

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

  • Strong's: H1347, H1348, H1420, H1923, H1926, H1935, H7238, G3168, G3172

માણસનો દીકરો, માણસનો દીકરો

વ્યાખ્યા:

“માણસનો દીકરો” શિર્ષક ઈસુ દ્વારા પોતાને સંબોધવા વાપરવામાં આવ્યું તેમને ઘણીવાર આ શબ્દ “હું” કે “મને” બોલવાને બદલે વાપર્યું.

  • બાઈબલમાં, “માણસનો દીકરો” માણસનો ઉલ્લેખ કરવા કે સંબોધવાની રીત હોઈ શકે.

તેનો એ પણ અર્થ થાય કે “માનવ.”

  • જુના કરારના હઝકિયેલના સંગ પુસ્તક દ્વારા, ઈશ્વર હઝકિયેલને વારંવાર “માણસના દીકરા” તરીકે સંબોધે છે.

ઉદાહરણ ટીકે, તેઓએ કહ્યું, “તારે, માણસના દીકરા, પ્રબોધ કરવો જ જોઈએ.”

  • દાનિયેલ પ્રબોધકે વાદળાંમા આવતાં “માણસના દીકરાનું” દર્શન જોયું, જે આવનાર મસીહાનો સંદર્ભ છે.
  • ઈસુએ પણ કહ્યું કે માણસનો દીકરો કોઈક દિવસે વાદળાં પર પાછો આવશે.
  • આ વાદળાં પર આવતાં માણસના દીકરાના સંદર્ભો પ્રગટ કરે છે કે ઈસુ મસીહા એ ઈશ્વર છે.

અનુવાદ માટેના સૂચનો:

  • જ્યારે ઈસુ “માણસની દીકરો” શબ્દ વાપરે છે ત્યારે તેનું અનુવાદ “એક કે જે માનવ બન્યા” અથવા “સ્વર્ગમાંથી માણસ” એમ કરી શકાય.
  • કેટલાંક અનુવાદકો “હું” અને “મને” પ્રસંગોપાત આ શિર્ષક સાથે સમાવેશ કરે છે (“હું, માં માણસનો દીકરો”) તેને સ્પષ્ટ કરવાને માટે કે ઈસુ પોતાને વિષે વાત કરે છે.
  • એ નક્કી કરવા માટે તપાસ કરો કે આ શબ્દનું અનુવાદ ખોટો અર્થ ન આપે (જેમ કે વ્યભિચારથી જન્મેલ દીકરાનો ઉલ્લેખ અથવા ખોટી છાપનો ઉલ્લેખ કરવો કે ઈસુ માત્ર માનવ હતાં).
  • જ્યારે વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે, “માણસના દીકરા”નું અનુવાદ “તું માનવ” અથવા “તું, માણસ” અથવા “માનવ” અથવા “માણસ” એમ કરી શકાય.

(આ પણ જુઓ: સ્વર્ગ, દીકરો, ઈશ્વરનો દીકરો, યહોવા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H120, H606, H1121, H1247, G444, G5207

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

  • સામાન્ય રીતે સન્માન કોઈ કે જેને ઊંચો હોદ્દો અને મહત્વ છે, જેવા કે રાજા અથવા દેવ.
  • દેવે ખ્રિસ્તીઓને બીજાઓને માન આપવાની સૂચના આપી છે.
  • બાળકોને તેઓના માતા પિતાને માન આપવાની સૂચના આપવામાં આવી છે કે જેમાં તેઓને આદર અને તેઓની આજ્ઞા પાળવાનો સમાવેશ થાય છે.
  • ખાસ કરીને જયારે આ શબ્દો ઈસુને માટે દર્શાવવામાં આવ્યા છે, ત્યારે મોટેભાગે “સન્માન” અને “મહિમા” બંને શબ્દો એકસાથે વાપરવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

  • દેવને માન આપવાની રીતોમાં તેનો આભાર અને પ્રશંસા કરવાનો, અને તેની આજ્ઞા પાળીને તેને આદર આપવાનો અને એવી રીતે જીવી દેખાડવું કે તે કેટલો મહાન છે, તેવી (બાબતોનો) સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

  • “માન” શબ્દનું બીજી રીતે ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “આદર” અથવા “સન્માન” અથવા “ઉચ્ચ આદર,” જેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
  • “માન” શબ્દનું ભાષાંતર, “ખાસ આદર દેખાડવો” અથવા “તેની પ્રશંસા થવા દેવી” અથવા “(તેના) માટે ઉચ્ચ આદર દેખાડવો” અથવા “અત્યંત આદર” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, મહિમા, પ્રશંસા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1420, H1921, H1922, H1923, H1926, H1927, H1935, H2082, H2142, H3366, H3367, H3368, H3372, H3373, H3374, H3444, H3513, H3519, H3655, H3678, H5081, H5375, H5457, H6213, H6286, H6437, H6942, H6944, H6965, H7236, H7613, H7812, H8597, H8416, G820, G1391, G1392, G1784, G2151, G2570, G3170, G4411, G4586, G5091, G5092, G5093, G5399

માન્ના

વ્યાખ્યા:

માન્ના એ સફેદ, અનાજ જેવો ખોરાક હતો જે ઈસ્રાએલીઓએ ઇજિપ્ત છોડ્યા પછી ૪૦ વર્ષ રણમાં જીવ્યા દરમિયાન તેઓને ખાવા માટે દેવે પ્રદાન કર્યું હતું.

  • માન્ના ઝાકળ હેઠળ જમીન પર દરરોજ સવારે દેખાતા સફેદ ટુકડા જેવા દેખાતા હતા. તેનો સ્વાદ મધ જેવો મીઠો હતો.
  • ઈસ્રાએલીઓ વિશ્રામવાર સિવાય દરરોજ માન્ના ટુકડા ભેગા કરતા.
  • વિશ્રામવારના આગલા દિવસે, દેવે ઈસ્રાએલીઓને કહ્યું કે તેઓ બમણા માન્ના એકઠા કરે જેથી તેઓને તેમના આરામના દિવસે તે ભેગું ન કરવું પડે.
  • "માન્ના" શબ્દનો અર્થ થાય છે "તે શું છે?"
  • બાઈબલમાં, માન્નાને "સ્વર્ગમાંથી રોટલી" અને "સ્વર્ગમાંથી અનાજ" તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનુવાદ સૂચનો

  • આ શબ્દનો અનુવાદ કરવાની અન્ય રીતોમાં "ખોરાકના પાતળા સફેદ ટુકડા" અથવા "સ્વર્ગમાંથી ખોરાક" શામેલ હોઈ શકે છે.

16 * એ પણ ધ્યાનમાં લો કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં બાઈબલના અનુવાદમાં આ શબ્દનું કેવી રીતે ભાષાંતર કરવામાં આવે છે. (જુઓ: [કેવી રીતે અજ્ઞાત ભાષાંતર કરવું])

આ પણ જુઓ: [રોટલી], [રણ], [અનાજ], [સ્વર્ગ], [વિશ્રામદિન]

બાઇીબલ સંદર્ભો:

  • [પુનર્નિયમ ૮:૩]
  • [નિર્ગમન ૧૬:૨૭]
  • [હિબ્રૂ ૯:૩-૫]
  • [યોહાન ૬:૩૦-૩૧]
  • [યહોશુઆ ૫:૧૨]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H4478, G31310

માફ કરવું, માફ કરે છે, માફ કરાયેલું, માફી, માફ કરવું, માફ થયેલ

વ્યાખ્યા:

કોઈને માફ કરવું તેનો અર્થ, તેઓએ કંઈક હાનિકારક કર્યું હોવા છતાંપણ તે વ્યક્તિની વિરુદ્ધ અદાવત રાખવી નહીં. “માફી” એ કોઈકને માફ કરવાનું કાર્ય છે.

  • મોટેભાગે કોઈને માફ કરવાનો અર્થ, તે વ્યક્તિને તેણે જે ખોટું કર્યું છે તે માટે સજા કરવી નહીં.
  • “રદ કરવું’ શબ્દ, રૂપકાત્મક રીતે “દેવું માફ કરવું” તે અભિવ્યક્તિના અર્થમાં વાપરી શકાય છે.
  • જયારે લોકો તેઓના પાપો કબૂલ કરે છે, ત્યારે દેવ તેઓને ઈસુના વધસ્તંભ ઉપરના બલિદાનરૂપી મૃત્યુના આધાર પર માફ કરે છે.
  • ઈસુએ તેના શિષ્યોને શીખવ્યું કે તેણે તેઓને જે રીતે માફ કર્યા તેમ તેઓ પણ બીજાઓને માફ કરે.

“માફ કરવું” શબ્દનો અર્થ કોઇકને તેના પાપ માટે માફ કરવું અને સજા કરવી નહીં.

  • આ શબ્દનો પણ સમાન અર્થ “માફ કરવું” શબ્દની જેમ થઈ શકે છે, પણ અહી તેનો અર્થ કોઈ જે દોષિત છે તેને સજા નહીં કરવાનો ઔપચારિક નિર્ણયનો પણ સમાવેશ થાય છે.
  • કાયદાના ન્યાયાલયમાં, ન્યાયાધીશ ગુનામાં દોષિત થયેલી વ્યક્તિને માફ કરી શકે છે.
  • આપણે પાપમાં દોષિત હોવા છતાં, ઈસુ ખ્રિસ્ત આપણને તેના વધસ્તંભ ઉપરના બલિદાનરૂપી મૃત્યુના આધાર પર નરકમાં જવાની સજાથી માફ કરે છે.

ભાષાંતરના સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને “માફ કરવું” શબ્દનું ભાષાંતર, “ક્ષમા કરવી” અથવા “રદ કરવું” અથવા “છૂટકારો આપવો” અથવા “(કોઈની) વિરુદ્ધમાં પકડી રાખવું નહીં.
  • “માફી” શબ્દનું ભાષાંતર શબ્દ અથવા શબ્દસમૂહ સાથે કરવામાં આવે તો તેનો અર્થ “અણગમો ન બતાવવો (એવી રીત)” અથવા “કોઈને દોષિત તરીકે જાહેર કરવું નહીં” અથવા “માફ કરવાનું કાર્ય” તરીકે કરી શકાય છે.
  • જો આ ભાષામાં માફ કરવાના ઔપચારિક નિર્ણય માટે શબ્દ હોય છે, તો તેને માટે “ક્ષમા કરવું” શબ્દ વાપરીને ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: દોષ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 7:10 પણ પહેલેથીજ એસાવે યાકૂબને માફ કરી દીધો હતો, અને તેઓ એકબીજાને ફરીથી જોઈ ખુશ થયા.
  • 13:15 પછી મૂસા ફરીથી પર્વત ઉપર ચઢ્યો અને પ્રાર્થના કરી કે દેવ લોકોને માફ કરે. દેવે મૂસાનું સાભળ્યું અને તેઓને માફ કર્યા.
  • 17:13 દાઉદે તેના પાપનો પસ્તાવો કર્યો અને દેવે તેને માફ કર્યો.
  • 21:5 નવા કરારમાં, દેવ લોકોના હ્રદય પર તેના નિયમો લખશે, લોકો દેવને વ્યક્તિગત રીતે જાણશે, તેઓ તેના લોક થશે, અને દેવ તેઓના પાપોને માફ કરશે.
  • 29:1 એક દિવસે પિતરે ઈસુને પૂછયું, “પ્રભુ, જયારે મારો ભાઈ મારી વિરુદ્ધમાં પાપ કરે છે, ત્યારે કેટલી વાર મારે માફ કરવું જોઈએ?
  • 29:1 મેં તને માફ કર્યો, કારણકે તે મારી પાસે માફીની યાચના કરી.
  • 38:5 પછી ઈસુએ પ્યાલો લીધો અને કહ્યું, “આ પીઓ. આ મારું નવા કરારનું લોહી છે કે જે પાપોની માફી ને સારું વહેવડાવવામાં આવ્યું છે.

શબ્દ માહિતી:

  • H5546, H5547, H3722, H5375, H5545, H5547, H7521, G859, G863, G5483

મુક્તિદંડ, મુક્તિદંડ ચુકવ્યો

વ્યાખ્યા:

“મુક્તિદંડ” શબ્દ નાણાકિય રકમ કે બીજી ચૂકવણીનો ઉલ્લેખ કરે છે જેને કોઈ વ્યક્તિ કે જેને બંધક બનાવવામાં આવી છે તેના છૂટકારા માટે તેની માંગણી કરવામાં આવી છે.

  • ક્રિયાપદ તરીકે, “મુક્તિદંડ ચૂકવવા” નો અર્થ કોઈ વ્યક્તિ કે જેને પકડવામાં આવી છે, ગુલામ બનાવવામાં આવી છે અથવા તો બંદી બનાવવામાં આવી છે તેના છૂટકારા માટે નાણાંની ચુકવણી કરવી અથવા તો સ્વબલિદાન આપીને કંઈક કરવું તેવો થાય છે. “પાછા ખરીદી લેવું” નો અર્થ “છુટકારો કરવા” ના અર્થની સમાન છે.
  • પાપી લોકોને તેઓની પાપની ગુલામીમાંથી મુક્ત કરવા ઈસુએ મુક્તિદંડ તરીકે પોતાની હત્યા થવા દીધી.

લોકોના પાપનો દંડ ચૂકવીને તેઓને પાછા ખરીદી લેવાના ઈશ્વરના આ કાર્યને બાઇબલમાં “છૂટકારો/ઉધ્ધાર” પણ કહેવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “મુક્તિદંડ ચૂકવવો” શબ્દનો અનુવાદ “છૂટકારા માટે ચુકવણી કરવી” અથવા તો “મુક્તિ માટે કિંમત ચૂકવવી” અથવા તો “પાછું ખરીદી લેવું’ તરીકે પણ કરી શકાય.
  • “મુક્તિદંડ ચૂકવવો” શબ્દસમૂહનો અનુવાદ “મુક્તિની કિંમત ચૂકવવી” અથવા તો “લોકોને મુક્ત કરવા દંડ ભરવો” અથવા તો “જરૂરી ચુકવણી કરવી” તરીકે કરી શકાય.
  • “મુક્તિદંડ” સંજ્ઞાનો અનુવાદ લોકો કે જમીનને મુક્ત કરવા કે પાછા ખરીદવા માટે “વળતી ખરીદી” અથવા તો “દંડ ચુકવણી” અથવા તો “ચૂકવેલ કિંમત” તરીકે કરી શકાય.
  • અંગ્રેજી ભાષામાં “મુક્તિદંડ” અને “છુટકારો/ઉધ્ધાર” ના અર્થ સમાન છે પણ કેટલીક વાર તેઓને થોડા અલગ રીતે વાપરવામાં આવ્યા છે.

બીજી ભાષાઓમાં આ વિચાર માટે માત્ર એક જ શબ્દ હોય શકે.

  • આનો અનુવાદ “પ્રાયશ્ચિત” થી ભિન્ન રીતે કરવામાં આવે તેનું ધ્યાન રાખો.

(આ પણ જૂઓ: પ્રાયશ્ચિત, છુટકારો કરવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1350, H3724, H6299, H6306, G04870, G30830

મુલાકાતમંડપ

વ્યાખ્યા:

આ મુલાકાતમંડપ એ ખાસ તંબુ જેવું હતું, જ્યાં ઈસ્રાએલીઓ 40 વર્ષ દરમિયાન ઈશ્વરનું ભજન કરતા હતા.

  • ઈશ્વરે ઈસ્રાએલીઓને આ વિશાળ તંબુ બનાવવા માટે વિગતવાર સૂચનો આપ્યા હતા, જેમાં બે ઓરડા હતા અને એક બંધ આંગણાથી ઘેરાયેલું હતું.

દરરોજ ઈસ્રાએલીઓ અરણ્યમાં રહેવા માટે જુદીજુદી જગ્યાએ જતાં ત્યારે,યાજકો મુલાકાતમંડપને ઊંચકીને તેને બીજી છાવણીએ લઈ જતા હતા. પછી તેઓ ફરીથી તેને નવી છાવણીની મધ્યમાં ઊભો કરતા.

  • મુલાકાતમંડપ કાપડ,બકરાના વાળ અને પશુના ચામડામાંથી બનેલા પડદાને લાકડાની ફ્રેમ સાથે લટકાવીને બનાવવામાં આવ્યો હતો. આંગણાને આસપાસ વધુ પડદાથી બંધ કરવામાં આવ્યું હતું.
  • મંડપના બે ભાગ પવિત્રસ્થાન (જ્યાં ધૂપ બાળવાની ધૂપવેદી હતી) અને પરમપવિત્ર સ્થાન (જ્યાં કરારકોશ રાખવામાં આવ્યો હતો) હતા.
  • આ મંડપના આંગણામાં પ્રાણીના બલિદાન માટે વેદી અને ખાસ ધાર્મિક શુધ્ધિકરણ માટેનો હોજ હતા.
  • સુલેમાન દ્વારા યરૂશાલેમમાં મંદિર બાંધવામાં આવ્યું ત્યારે, ઈસ્રાએલીઓએ મુલાકાતમંડપનો ઉપયોગ કરવાનું બંધ કર્યું.

અનુવાદ માટેના સૂચનો:

"મંડપ" શબ્દનો અર્થ "નિવાસસ્થાન" થાય છે. બીજી રીતે અનુવાદ કરવામાં "પવિત્ર તંબુ" અથવા " જ્યાં ઈશ્વર હતા તે તંબુ" અથવા " ઈશ્વરનો તંબુ" નો સમાવેશ થાય છે. ખાતરી કરો કે આ શબ્દનો અનુવાદ "મંદિર"ના અનુવાદથી અલગ છે.

(આ પણ જુઓ: યજ્ઞવેદી, ધૂપવેદી, કરારકોશ, મંદિર, મુલાકાતમંડપ)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: H168, H4908, H5520, H5521, H5522, H7900, G4633, G4634, G4636, G4638

મૂર્ખ, બુદ્ધિહીન, મૂર્ખતા

વ્યાખ્યા:

“મૂર્ખ” શબ્દ વ્યક્તિ કે જે મોટેભાગે ખોટી પસંદગીઓ, ખાસ કરીને કે જ્યારે તે (ઈશ્વરની આજ્ઞાનું) અનાદર કરવાનું પસંદ કરે છે, તેનો ઉલ્લેખ કરે છે.

“બુદ્ધિહીન" શબ્દ વ્યક્તિ અથવા વર્તન કે જે ડહાપણયુક્ત/જ્ઞાની નથી, તેનું વર્ણન કરે છે.

  • બાઈબલમાં, સામાન્ય રીતે “મૂર્ખ” શબ્દ, વ્યક્તિ કે જે ઈશ્વરને માનતો અથવા આજ્ઞા પાળતો નથી, તેને દર્શાવે છે. આ વ્યક્તિના વિરોધાભાસમાં જ્ઞાની માણસ છે કે જે ઈશ્વરમાં વિશ્વાસ કરે છે અને ઈશ્વરની આજ્ઞા પાળે છે.
  • ગીતશાસ્ત્રમાં, દાઉદ મૂર્ખ વ્યક્તિનું વર્ણન કરે છે કે જે ઈશ્વરમાં વિશ્વાસ કરતો નથી, તે ઈશ્વરના સર્જનના બધાંજ પુરાવાને અવગણે છે.
  • જૂના કરારનું નીતિવચનનું પુસ્તક પણ મૂર્ખ શું છે અથવા બુદ્ધિહીન વ્યક્તિ કેવી હોય છે, તેના ઘણા વર્ણનો આપે છે. * “મૂર્ખતા” શબ્દ એક એવી ક્રિયા છે કે જે ડહાપણરૂપ નથી, કારણકે તે ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ છે. મોટેભાગે “મૂર્ખતા” શબ્દના અર્થ માં કઇંક કે જે હાસ્યસ્પદ અથવા ખતરનાક છે, તેનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

  • “મૂર્ખ” શબ્દનું ભાષાંતર, “નાદાન વ્યક્તિ” અથવા “અજ્ઞાની વ્યક્તિ” અથવા “મૂર્ખ વ્યક્તિ” અથવા “પાપી વ્યક્તિ” તરીકે કરી શકાય છે.
  • “બુદ્ધિહીન” શબ્દના ભાષાંતરમાં “સમજણનો અભાવ” અથવા “અજ્ઞાની” અથવા “મૂર્ખ” તેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.

(આ પણ જુઓ: જ્ઞાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H191, H196, H200, H1198, H1984, H2973, H3684, H3687, H3688, H3689, H3690, H5034, H5036, H5039, H5528, H5529, H5530, H5531, H6612, H8417, H8602, H8604, G453, G454, G781, G801, G877, G878, G3471, G3472, G3473, G3474, G3912

યજ્ઞવેદી, યજ્ઞવેદીઓ

વ્યાખ્યા:

યજ્ઞવેદી એક ઉભું કરેલું માળખું હતું કે જ્યાં ઈઝરાએલીઓ દેવને પશુઓ અને અનાજનું દહન તરીકે અર્પણ કરતા.

  • બાઈબલના સમયો દરમ્યાન સાદી યજ્ઞવેદીઓ બાંધવામાં આવતી, જેમકે નીચે માટી ચણી તેના ઉપર મોટા પથ્થરોને વારાફરતી સાવચેતીથી મુકવામાં આવતા જેથી વેદી હાલે નહિ.
  • ઘણી ડબ્બા-આકારની વિશિષ્ઠ યજ્ઞવેદીઓ બનાવવામાં આવતી, જેને લાકડા પર સોનું, પિત્તળ અથવા કાંસાની ધાતુઓથી મઢી લેવામાં આવતી હતી.
  • બીજા જૂથના લોકો જેઓ ઈઝરાએલીઓની નજીક રહેતા હતા, તેઓએ પણ તેમના દેવોને બલિદાન ચઢાવવા યજ્ઞવેદીઓ બાંધતા.

(આ પણ જુઓ: ધૂપની વેદી, જૂઠા દેવ, ખાધાર્પણ, બલિદાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 3:14 વહાણમાંથી બહાર નિકળ્યા બાદ નુહે વેદી બાંધી અને બલિદાન માટે ઉપયોગ કરી શકાય, તેવાં થોડા એક પ્રાણીઓનું બલિદાન આપ્યું.
  • 5:8 જયારે તેઓ બલિદાનની જગ્યાએ પહોંચ્યા, ઈબ્રાહિમે તેના દિકરા ઈસહાકને બાંધીને વેદી ઉપર સુવાડયો.
  • 13:9 યાજક પશુને મારીને વેદી ઉપર તેનું દહન કરતા.
  • 16:6 તેણે (ગિદિઓને) મુર્તિઓની વેદી ની નજીકમાં નવી વેદી બાંધી દેવને અર્પણ કરી અને તેની ઉપર દેવ માટે બલિદાન ચઢાવ્યા.

શબ્દ માહિતી:

  • Strong's: H741, H2025, H4056, H4196, G1041, G2379

યહુદીઓનો રાજા, યહુદીઓનો રાજા

વ્યાખ્યા:

"યહુદીઓનો રાજા" શબ્દ એ ઈસુ, મસીહાનો ઉલ્લેખ કરે છે.

  • જ્યારે જ્ઞાની પુરુષો બેથલેહેમમાં જે "યહુદીઓનો રાજા" હતો તેને જોવા આવ્યા હતા તેમના દ્વારા પ્રથમ વાર આ શીર્ષકનો ઉપયોગ કરવામાં આવ્યો એમ બાઇબલ નોંધે છે."
  • દૂતે મરિયમને પ્રગટ કર્યું કે તેણીનો દીકરો, દાઉદ રાજાનો વંશજ, રાજા બનશે જેનું રાજ સર્વકાળ ટકશે.
  • ઈસુ વધસ્તંભ પર જડાયા તે પહેલા, રોમન સૈનિકોએ ઈસુના ઠઠ્ઠા "યહુદીઓનો રાજા" એમ કહીને કર્યા.

આ શીર્ષકને લાકડાના ટુકડા પર પણ લખવામાં આવ્યું અને ઈસુના વધસ્તંભની ઉપર તેને લગાવવામાં આવ્યું.

  • ઈસુ ખરેખર યહૂદીઓના રાજા અને સર્વ સર્જન પર રાજા હતા.

અનુવાદ માટેના સૂચનો:

  • "યહુદીઓનો રાજા" શબ્દનું અનુવાદ "યહુદીઓ પર રાજા" અથવા "રાજા જે યહુદીઓ પર રાજ કરે છે" અથવા "યહુદીઓનો સર્વોચ્ચ શાસક" એમ કરી શકાય.
  • "નો રાજા" શબ્દસમૂહનું અનુવાદ બીજી અનુવાદની જગ્યાએ કેવી રીતે થયું છે તે જોવા તપાસ કરો.

(આ પણ જુઓ: વંશજ, યહૂદી, ઈસુ, રાજા, રાજ્ય, ઈશ્વરનું રાજ્ય, જ્ઞાની પુરુષો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

  • 23:9 થોડાં સમય પછી, દૂરના પૂર્વના દેશોમાથી જ્ઞાની પુરુષોએ અસમાન્ય તારો આકાશમાં જોયો. તેઓ સમજ્યા કે એનો અર્થ એક નવો યહુદીઓનો રાજા જન્મ્યો હતો.
  • 39:9 પિલતે ઈસુને પૂછ્યું, "શું તું યહુદીઓનો રાજા છે?"
  • 39:12 રોમન સૈનિકોએ ઈસુને ચાબુક મારી અને શાહી ઝભ્ભો તેમણે પહેરાવ્યો અને કાંટાનો બનાવેલો મુગટ તેમના માથા પર મૂક્યો . પછી, તેઓએ તેમની એવું કહેતા ઠઠ્ઠા કર્યા કે, "જુઓ, યહુદીઓનો રાજા!"
  • 40:2 પિલતે હુકમ કર્યો કે તેઓ લખે, "યહુદીઓનો રાજા" ચિહ્ન પર અને તેને ઈસુના માથાની ઉપર વધસ્તંભ પર મૂકે.

શબ્દ માહિતી:

  • Strong's: G935, G2453

યહૂદી, યહૂદી સંબંધી

સત્યો/તથ્યો:

યહૂદી લોકો કે જેઓ ઈબ્રાહિમના પૌત્ર યાકૂબના વંશજો છે. “યહૂદી” શબ્દ “યહૂદા” શબ્દ પરથી આવે છે.

  • જયારે તેઓ બાબિલમાંના બંદીવાસમાંથી પાછા ફર્યા ત્યારે લોકોએ ઈઝરાએલીઓને “યહૂદીઓ” કહેવાની શરૂઆત કરી હતી.
  • ઈસુ મસીહ યહૂદી હતા. તેમ છતાં, યહૂદી ધાર્મિક આગેવાનોએ ઈસુનો નકાર કર્યો અને તેમને મારી નાખવાની માંગણી કરી.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, યાકૂબ, ઈઝરાએલ, બાબિલ, યહૂદી આગેવાનો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 20:11 હવે ઈઝરાએલીઓને યહૂદીઓ કહેવામાં આવતા હતા અને તેઓમાંના મોટાભાગનાઓએ તેમનું સમગ્ર જીવન બાબિલમાં વિતાવ્યું હતું.
  • 20:12 જેથી, સિત્તેર વર્ષોના બંદીવાસ પછી, યહૂદીઓનું નાનું જૂથ યહૂદામાં યરૂશાલેમના શહેરમાં પાછા ફર્યા.
  • 37:10 આ ચમત્કારને કારણે યહૂદીઓમાંના ઘણાએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
  • 37:11 પણ યહૂદીઓના ધાર્મિક આગેવાનો ઈર્ષાળુ હતા, જેથી તેઓએ એકસાથે ભેગા મળી યોજના કરી કે કેવી રીતે તેઓ ઈસુ અને લાઝરસને મારી શકે.
  • 40:2 પિલાતે તેઓને નિશાની (ચિહ્ન) તરીકે “યહૂદીઓ નો રાજા” લખવા આદેશ આપ્યો, અને વધસ્તંભની ઉપર ઈસુના માથા પર તે મૂકી.
  • 46:6 તરત જ, શાઉલે દમસ્કમાં યહૂદીઓને “ઈસુ ઈશ્વરના પુત્ર છે” એમ કહીને, પ્રચાર કરવાનું શરૂ કર્યું.

શબ્દ માહિતી:

  • Strong's: H3054, H3061, H3062, H3064, H3066, G2450, G2451, G2452, G2453, G2454

યહોવાહ

તથ્યો:

"યહોવાહ" શબ્દ ઈશ્વરનું વ્યક્તિગત નામ છે જે તેમણે પ્રગટ કર્યું, જ્યારે તેમણે બળતા ઝાડવા પાસે મૂસાને જણાવ્યું હતું.

  • “યહોવાહ" નામ જે શબ્દ પરથી આવે છે જેનો અર્થ છે, "હોવું" અથવા "અસ્તિત્વમાં છે."

" * યહોવાહ" ના શક્ય અર્થમાં શામેલ છે, "તે છે" અથવા "હું છું" અથવા "જે કોઈ હોવાનું કારણ બને છે તે."

  • આ નામ દર્શાવે છે કે ઈશ્વર હંમેશાં જીવ્યા છે અને હંમેશ માટે જીવવાનું ચાલુ રાખશે.

તેનો અર્થ એ પણ છે કે તે હંમેશા હાજર છે.

  • પરંપરાને અનુસરતાં, ઘણી બાઇબલ આવૃત્તિઓ " યહોવાહ” ની રજૂઆત કરવા માટે "પ્રભુ"અથવા "પ્રભુ"શબ્દનો મોટા અક્ષરોમાં ઉપયોગ કરે છે. આ પરંપરા એ હકીકતથી પરિણમી હતી કે ઐતિહાસિક રીતે, યહુદી લોકોએ યહોવાહનું નામ ખોટું બોલવાની દ્વિધાથી ડરતા હતા અને "યહોવાહ" શબ્દદેખાય ત્યાં દરેક શબ્દમાં "પ્રભુ" બોલવાની શરૂઆત કરી. આધુનિક બાઈબલો ઈશ્વરના અંગત નામ પ્રત્યે આદર દર્શાવવા અને તેને "પ્રભુ" થી જુદા પાડવા, જે એક અલગ હિબ્રુ શબ્દ છે મોટા મૂળાક્ષરોથી લખે છે.
  • યુએલબી અને યુડીબી ગ્રંથો હંમેશા આ શબ્દનો "યહોવાહ" તરીકે અનુવાદ કરે છે, કારણ કે તે શાબ્દિક રીતે જૂના કરારના હિબ્રૂ લખાણમાં થાય છે.
  • “યહોવાહ " શબ્દ ક્યારેય નવા કરારના મૂળ લખાણમાં જોવા મળતો નથી; જૂના કરારના અવતરણમાં પણ "પ્રભુ" માટેના ગ્રીક શબ્દનો ઉપયોગ થાય છે.
  • જૂના કરારમાં, જ્યારે ઈશ્વરે પોતાના વિશે વાત કરી હતી, ત્યારે તે વારંવાર સર્વનામ બદલે તેના નામનો ઉપયોગ કર્યો હતો.
  • સર્વનામ "હું" અથવા "મને" ઉમેરીને, યુ.એલ.બી વાંચકને સૂચવે છે કે ઈશ્વર વક્તા છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"* યહોવાહ" શબ્દનો અર્થ "હું છું" અથવા "જીવનારું" અથવા "જે તે છે" અથવા "જે જીવંત છે તે" દ્વારા ભાષાંતર કરી શકાય છે.

  • આ શબ્દને એવી રીતે લખી શકાય છે કે જે "યહોવાહ"ની જોડણીની સમાન છે.

કેટલીક મંડળીના સંપ્રદાયો "યહોવાહ" શબ્દનો ઉપયોગ નહીં કરવાને બદલે પરંપરાગત અનુવાદનો ઉપયોગ કરે છે, "પ્રભુ". એક મહત્વની વિચારણા એ છે કે જ્યારે તે મોટેથી વાંચવામાં આવે ત્યારે તે મૂંઝવણ થઈ શકે છે કારણ કે તે "પ્રભુ" શીર્ષક જેવો જ ધ્વનિ (અવાજ) કરશે. કેટલીક ભાષાઓમાં એક લગાડવું અથવા અન્ય વ્યાકરણીય માર્કર હોઈ શકે છે જે "યહોવાહ" ને "પ્રભુ" થી એક અલગ નામ "પ્રભુ" તરીકે ઓળખવામાં આવે છે.

  • જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી શાબ્દિક લખાણમાં યહોવાહનું નામ રાખવું તે શ્રેષ્ઠ છે, પરંતુ કેટલાક અનુવાદો માત્ર લખાણને વધુ કુદરતી અને સ્પષ્ટ બનાવવા કેટલીક જગ્યાએ સર્વનામનો ઉપયોગ કરવાનું વિચારે છે.
  • આવું અવતરણ રજૂ કરો , " યહોવાહ આ કહે છે."

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: ઈશ્વર, સ્વામી, પ્રભુ, મૂસા, પ્રગટ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 9:14 ઈશ્વરે કહ્યું, "હું જે છું તે છું. તેઓને કહે,’ હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે.’ ઉપરાંત, તેમને કહેવું 'હું યહોવાહ, તમારા પૂર્વજો ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબનો દેવ છું. આ મારું નામ સદા એ જ છે."
  • 13:4 પછી ઈશ્વરે તેમને કરાર આપ્યો અને જણાવ્યું હતું કે, "હું યહોવાહ, તમારો દેવ, જે તમને મિસરની ગુલામીમાંથી બચાવનાર છું. અન્ય દેવોની પૂજા કરશો નહીં."
  • 13:5 "મૂર્તિઓ બનાવશો નહીં અથવા તેમની પૂજા કરશો નહીં, કારણ કે હું, યહોવાહ, ઇર્ષ્યાળુ દેવ છું."
  • 16: 1 ઈસ્રાએલીઓએ યહોવાહ, સાચા ઈશ્વરની જગ્યાએ કનાની દેવોની પૂજા કરવાનું શરૂ કર્યું.
  • 19:10. પછી એલીયાએ પ્રાર્થના કરી, " ઓ યહોવાહ, ઇબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબના દેવ, , આજે અમને બતાવો કે તમે ઈસ્રાએલના દેવ છો અને હું તમારો સેવક છું."

શબ્દ માહિતી:

  • Strong's: H3050, H3068, H3069

યાજક, યાજકો, યાજકપદ

વ્યાખ્યા:

બાઇબલમાં, યાજક એ માણસ હતો કે જેને ઈશ્વરના લોકો માટે ઈશ્વરને બલિદાનો ચડાવવા પસંદ કરવામાં આવ્યો હતો. “યાજકપદ” એ તેના હોદ્દાનું નામ અથવા તો યાજક હોવાની સ્થિતિ હતી.

  • જૂના કરારમાં, ઈશ્વરે પોતાના ઇઝરાયલી લોકો માટે હારુન અને તેના વંશજોને પોતાના યાજકો થવા પસંદ કર્યા હતા.
  • “યાજકપદ” એક અધિકાર અને એક જવાબદારી હતી કે જેને લેવીઓના કુળમાં પિતા તરફથી પુત્રને આપવામાં આવતી હતી.
  • ઇઝરાયલી યાજકો પાસે ભક્તિસ્થાનની બીજી ફરજો સાથેસાથે ઈશ્વરને લોકોના બલિદાનો ચડાવવાની જવાબદારી હતી.
  • યાજકો લોકો માટે ઈશ્વરને નિયમિત પ્રાર્થનાઓ પણ અર્પણ કરતા હતા તથા બીજી ધાર્મિક વિધિઓ કરતા હતા.
  • યાજકો ઔપચારિક રીતે લોકોને આશીર્વાદ આપતા અને તેઓને ઈશ્વરના નિયમો શીખવતા હતા.
  • ઈસુના સમયમાં, મુખ્ય યાજકો અને પ્રમુખ યાજક સહિત યાજકોના વિભિન્ન સ્તરો હતા.
  • ઈસુ આપણાં “મહાન પ્રમુખ યાજક” છે કે જેઓ ઈશ્વરની સન્મુખ આપણા માટે મધ્યસ્થીની પ્રાર્થનાઓ કરે છે.

તેમણે આપણા માટે અંતિમ બલિદાન તરીકે પોતાનું સ્વાર્પણ કર્યું છે. તેનો અર્થ એ થાય છે કે માનવીય યાજકો દ્વારા આપતા બલિદાનોની હવે જરૂર નથી.

  • નવા કરારમાં, ઈસુના દરેક વિશ્વાસીને “યાજક” કહેવામાં આવે છે કે જે પોતાના માટે અને બીજાઓ માટે મધ્યસ્થીની પ્રાર્થનાઓ કરવા ઈશ્વર પાસે પ્રત્યક્ષ રીતે આવી શકે છે.
  • પ્રાચીન સમયોમાં, અધાર્મિક યાજકો પણ હતા કે જેઓ બઆલ જેવા જૂઠા દેવોને બલિદનો ચડાવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભ અનુસાર, “યાજક” શબ્દનો અનુવાદ “બલિદાન આપનાર વ્યક્તિ” અથવા તો “ઈશ્વરનો મધ્યસ્થ” અથવા તો “બલિદાન આપનાર મધ્યસ્થ” અથવા તો “ઈશ્વર પોતાના પ્રતિનિધિ તરીકે જેને નિયુક્ત કરે છે તે વ્યક્તિ” તરીકે કરી શકાય.
  • “યાજક” નો અનુવાદ “મધ્યસ્થ” ના અનુવાદ કરતા અલગ હોવો જોઈએ.
  • કેટલાક અનુવાદકો “ઇઝરાયલનો યાજક” અથવા તો “યહૂદી યાજક” અથવા તો “યહોવાનો યાજક” અથવા તો “બઆલનો યાજક” જેવા શબ્દો હંમેશાં વાપરવાનું પસંદ કરી શકે છે કે જેથી સ્પષ્ટ થાય કે આ શબ્દો આધુનિક સમયના યાજકોનો ઉલ્લેખ કરતા નથી.
  • “યાજક” માટે વપરાતો શબ્દ “મુખ્ય યાજક”, “પ્રમુખ યાજક”, “લેવી” તથા “પ્રબોધક” કરતા અલગ હોવો જોઈએ.

(આ પણ જૂઓ: હારુન, પ્રમુખ યાજકો, પ્રમુખ યાજક, મધ્યસ્થ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 4:7 “સર્વોચ્ચ ઈશ્વરનો યાજક “મલ્ખીસેદેક”
  • 13:9 જેણે પણ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય તે મુલાકાત મંડપની સામે વેદી પર ઈશ્વર માટે બલિદાન તરીકે એક પ્રાણી લાવી શકતો હતો. એક યાજક તે પ્રાણીનું બલિદાન આપતો અને તેને વેદી પર બાળતો. બલિદાન કરાયેલા પ્રાણીનું રક્ત વ્યક્તિના પાપને ઢાંકતું અને તે વ્યક્તિને ઈશ્વરની નજરમાં શુદ્ધ કરતું. ઈશ્વરે મૂસાના ભાઈ હારુનને તથા તેના વંશજોને પોતાના યાજકો થવા પસંદ કર્યા.
  • 19:7 તેથી બઆલના યાજકોએ એક બલિદાન તૈયાર કર્યું પણ અગ્નિ સળગાવ્યો નહીં.
  • 21:7 ઇઝરાયલી યાજક એ માણસ હતો કે જે લોકો માટે તેઓના પાપની સજાની અવેજી બદલ ઈશ્વરને બલિદાનો ચડાવતો હતો. યાજકો લોકો માટે ઈશ્વરને પ્રાર્થના પણ કરતા હતા.

શબ્દ માહિતી:

  • Strong's: H3547, H3548, H3549, H3550, G748, G749, G2405, G2406, G2407, G2409, G2420

રક્ત

વ્યાખ્યા:

“રક્ત” શબ્દ, જયારે વ્યક્તિને ઈજા અથવા ઘા થાય ત્યારે તે વ્યક્તિની ચામડીના ભાગમાંથી લાલ પ્રવાહી બહાર આવે છે તેને દર્શાવે છે. રક્ત વ્યક્તિના આખા શરીરમાં જીવન આપવાના પોષક તત્વો લાવે છે.

  • રક્ત જીવનનું પ્રતિક છે અને જયારે તે વહેવડાવવા અથવા બહાર રેડવામાં આવે છે ત્યારે તે જીવન ગુમાવવાનું અથવા મરણનું પ્રતિક છે.
  • જયારે લોકો દેવને બલિદાનો કરે છે, તેઓ પ્રાણીને મારી નાખે છે અને તેનું રક્ત વેદી ઉપર રેડે છે.

આ પ્રાણીના જીવનનું બલિદાન લોકોના પાપોની ચુકવણી માટેનું પ્રતિક છે.

  • ઇસુના વધસ્તંભ ઉપરના મૃત્યુ દ્વારા, તેમણે પોતાના રક્તના પ્રતિક દ્વારા લોકોને તેઓના પાપોથી શુધ્ધ કરે છે અને જે પાપોની શિક્ષા માટે તેઓ લાયક હતા તેની તેમણે ચુકવણી કરી છે.
  • “માંસ અને રક્ત” અભિવ્યક્તિ માનવજાતને દર્શાવે છે.
  • “પોતાનુ માંસ અને રક્ત” અભિવ્યક્તિ લોકો કે જેઓ જૈવિક રીતે જોડાયેલા છે તેઓને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

  • લક્ષ્ય ભાષામાં આ શબ્દનું ભાષાંતર જે શબ્દ રક્ત માટે વપરાય છે તેના માટે થવું જોઈએ.
  • “માંસ અને રક્ત” અભિવ્યક્તિનું ભાષાંતર “લોકો” અથવા “મનુષ્ય જાત” તરીકે કરી શકાય.

સંદર્ભ પર આધાર રાખીને, “મારું પોતાનું રક્ત અને માંસ” અભિવ્યક્તિનું ભાષાંતર “મારું પોતાનું કુટુંબ” અથવા “મારા પોતાના સગા સબંધીઓ” અથવા “મારા પોતાના લોકો” થઇ શકે છે.

  • જો લક્ષ્ય ભાષામાં આ અભિવ્યક્તિ આવેલી છે તો તે અભિવ્યક્તિનું ભાષાંતર “માંસ અને રક્ત” કરી શકાય છે.

(આ પણ જુઓ: માંસ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 8:3 યુસુફના ભાઈઓએ ઘરે પાછા ફરતા પહેલા, તેઓએ યુસુફનો ઝભ્ભો ફાડયો અને તે બકરાના રક્તમાં બોળ્યો.
  • 10:3 દેવે નાઈલ નદીનું પાણી રક્તમાં ફેરવી નાંખ્યું, પણ ફારુને ઈઝરાએલીઓને જવા દીધા નહીં.
  • 11:5 ઈઝરાએલીઓના બધાજ ઘરોના બારણાની ચોફેર રક્ત લગાવ્યું હતું, જેથી દેવ તે ઘરો આગળથી પસાર થઇ ગયો અને અંદર બધા જ સલામત રહ્યા.

તેઓ હલવાનના રક્તને કારણે બચ્યા હતાં.

  • 13:9 પ્રાણીના બલિદાનનું રક્ત કે જે વ્યક્તિના પાપને ઢાંકતુ હતું તે વ્યક્તિને દેવની નજરમાં શુધ્ધ કરે છે.
  • 38:5 પછી ઈસુ એ પ્યાલો લીધો અને કહ્યું, “આ પીઓ. તે મારું નવા કરારમાંનું રક્ત છે કે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવેલું છે.
  • 48:10 જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે છે તો ઈસુનું રક્ત તે વ્યક્તિના પાપોને દૂર કરે છે, અને તે દેવની શિક્ષામાંથી બચી જાય છે.

શબ્દ માહિતી:

  • Strong's: H1818, H5332, G129, G130, G131, G1420

રાબ્બી

વ્યાખ્યા:

“રાબ્બી” શબ્દનો શાબ્દિક અર્થ થાય છે “મારો ગુરુ” અથવા “મારો શિક્ષક.”

  • તે આદરનું શીર્ષક હતું જેનો ઉપયોગ યહૂદી ધાર્મિક શિક્ષક, ખાસ કરીને દેવના નિયમોના શિક્ષક એવા માણસને સંબોધવા માટે કરવામાં આવતો હતો.
  • યોહાન બાપતિસ્ત અને ઈસુ બંનેને તેમના શિષ્યો દ્વારા કેટલીકવાર “રાબ્બી” કહેવામાં આવતા હતા.

અનુવાદ સૂચનો:

  • આ શબ્દનો અનુવાદ કરવાની રીતોમાં "મારા ગુરુ" અથવા "મારા શિક્ષક" અથવા "માનનીય શિક્ષક" અથવા "ધાર્મિક શિક્ષક" નો સમાવેશ થઈ શકે છે. કેટલીક ભાષાઓ આ રીતે શુભેચ્છાને મુખ્ય કરી શકે છે, જ્યારે અન્ય નહીં.
  • પ્રોજેક્ટની ભાષામાં શિક્ષકોને સામાન્ય રીતે સંબોધવામાં આવે તેવી વિશિષ્ટ રીત પણ હોઈ શકે છે.
  • ખાતરી કરો કે આ શબ્દનો અનુવાદ સૂચવે છે કે ઈસુ એક શાળાના શિક્ષક હતા.
  • એ પણ ધ્યાનમાં લો કે બાઈબલના અનુવાદમાં સંબંધિત ભાષા અથવા રાષ્ટ્રીય ભાષામાં "રાબ્બી" કેવી રીતે અનુવાદિત થાય છે.

(જુઓ: [અજ્ઞાતને કેવી રીતે અનુવાદિત કરવું])

(આ પણ જુઓ: [શિક્ષક])

બાઈબલ સંદર્ભો:

  • [યોહાન ૧:૪૯-૫૧]
  • [યોહાન ૬:૨૪-૨૫]
  • [માર્ક ૧૪:૪૩-૪૬]
  • [માથ્થી ૨૩:૮-૧૦]

શબ્દ ડેટા:

  • સ્ટ્રોંગ્સ: : G44610

લલચાવવું, પરીક્ષણ

વ્યાખ્યા:

કોઈને લલચાવવો તે તે વ્યક્તિને કંઇક ખોટું કરવા માટે પ્રયાસ કરવો એ છે.

  • પરીક્ષણ એવું છે જે વ્યક્તિને કંઈક ખોટું કરવા પ્રેરે છે.

લોકો તેમના પોતાના પાપી સ્વભાવ અને અન્ય લોકો દ્વારા લલચાય છે.

  • શેતાન લોકોને ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા અને દુષ્કૃત્યો કરીને ઈશ્વર વિરુદ્ધ પાપ કરવા પ્રેરે છે.
  • શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું અને તેમને કંઈક ખોટું કરવા પ્રયત્ન કર્યો, પરંતુ શેતાનના પરીક્ષણનો સામનો કર્યો અને કદી પાપ કર્યું નહિ.
  • જે કોઈ "ઈશ્વરનું પરીક્ષણ કરે છે" તે કોઈ ખોટું કરીને કઇ મેળવવાનો પ્રયાસ કરતા નથી, પરંતુ, તેના આજ્ઞા ઉલ્લંઘનનું હઠીલાપણ ચાલુ રહે છે કે ઈશ્વર તેને સજા કરીને જવાબ આપે.

આને પણ "ઈશ્વરનું પરીક્ષણ" કહેવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • " લલચાવવું ", શબ્દ "પાપ કરવા માટે પ્રેરવાનો પ્રયત્ન કરવો" અથવા "ઉશ્કેરવું" અથવા "પાપ કરવાની ઇચ્છા કરાવવી" તરીકે ભાષાંતર કરી શકાય છે
  • " પરીક્ષણ "નું બીજી રીતે ભાષાંતર " લલચવાનારી વસ્તુઓ" અથવા "જે વસ્તુઓ કોઈને પાપમાં લલચાવી શકે છે" અથવા "જે વસ્તુઓ ખોટું કરવાની ઇચ્છા કરાવે છે” શામેલ થઈ શકે છે.
  • "ઈશ્વરનું પરીક્ષણ કરવા" ભાષાંતર કરી શકાય છે, "ઈશ્વરને પરીક્ષણમાં મૂકવા" અથવા "ઈશ્વરની કસોટી કરવી" અથવા " ઈશ્વરની ધીરજને અજમાવી જુઓ" અથવા "ઈશ્વરને સજા કરાવવા પ્રેરવા" અથવા " ઈશ્વરનું ઉલ્લંઘન કરતા રહીને હઠીલા બનવું."

(આ પણ જુઓ: અનાધીન, શેતાન, પાપ, કસોટી)

બાઇબલના સંદર્ભો

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 25:1 પછી શેતાન ઈસુ પાસે આવ્યો અને તેમને પાપ કરવા પરીક્ષણ કર્યું.
  • 25:8 ઈસુએ શેતાનના પરીક્ષણમાં ન આવ્યા, તેથી શેતાને તેને છોડી દીધો.
  • 38:11 ઈસુએ તેમના શિષ્યોને પ્રાર્થના કરવાનું કહ્યું કે તેઓ પરીક્ષણમાં ન પડે.

શબ્દ માહિતી:

  • Strong's: H974, H4531, H5254, G551, G1598, G3985, G3986, G3987

લાયક, યોગ્ય, અયોગ્ય, મહત્વહીન

વ્યાખ્યા:

"લાયક" શબ્દ કોઈ વ્યક્તિ અથવા કશાકનો ઉલ્લેખ કરે છે જે માન અથવા સન્માનની પાત્રતા ધરાવે છે. "મૂલ્ય ધરાવવું"નો અર્થ મૂલ્યવાન અથવા મહત્વપૂર્ણ હોવું છે. "મહત્વહીન" શબ્દનો અર્થ છે, કોઈ પણ મૂલ્ય નથી, મહત્વ નથી.

  • લાયક હોવું તે, મૂલ્યવાન અથવા મહત્વપૂર્ણ હોવા સાથે સંબંધિત છે.
  • “અયોગ્ય” માટેનો અર્થ છે, કોઈ વિશેષ ધ્યાનને લાયક ન થવું.
  • લાયક ન હોવાની લાગણીનો અર્થ બીજા કોઈની સરખામણીમાં ઓછા મહત્વનું માનવું અથવા સન્માન અથવા દયાથી વર્તવામાં આવવાની યોગ્યતા ન અનુભવવી.
  • શબ્દ "અયોગ્ય" અને "નકામું" શબ્દનો સંબંધ છે, પરંતુ અર્થો જુદા જુદા છે "અયોગ્ય" હોવાનો અર્થ એ છે કે કોઈ સન્માન અથવા માન્યતા માટે યોગ્ય નથી. "નકામું" હોવાનો અર્થ કોઇ હેતુ અથવા મૂલ્ય ધરાવતો નથી.

અનુવાદ માટેનાં સૂચનો:

  • ”લાયક" નો અનુવાદ "લાયક" અથવા "મહત્વપૂર્ણ" અથવા "મૂલ્યવાન" તરીકે કરી શકાય છે. "
  • મૂલ્ય" શબ્દનું ભાષાંતર "કિંમત" અથવા "મહત્વ."કરી શકાય છે.
  • “મૂલ્યવાન" શબ્દનો અનુવાદ "મૂલ્યવાન" અથવા "મહત્વપૂર્ણ" તરીકે થઈ શકે છે.
  • વધુ મૂલ્યના" શબ્દનું ભાષાંતર કરી શકાય છે "ના કરતાં વધુ મૂલ્યવાન છે."
  • સંદર્ભને આધારે, "અયોગ્ય" શબ્દનો અનુવાદ "બિનમહત્વપૂર્ણ" અથવા "અપમાનજનક" અથવા "અયોગ્ય" તરીકે પણ કરી શકાય છે.
  • "નકામું" શબ્દનો અનુવાદ "કોઈ મૂલ્ય વગર" અથવા "કોઈ હેતુ વગર" અથવા " કંઈ મૂલ્ય નહીં " તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: સન્માન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H117, H639, H1929, H3644, H4242, H4373, H4392, H4592, H4941, H6994, H7939, G514, G515, G516, G2425, G2661, G2735

વચન, વચન આપવું

વ્યાખ્યા:

જ્યારે ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેવાય ત્યારે "વચન" શબ્દ વ્યક્તિના કૃત્યનો ઉલ્લેખ કરે છે એમ દર્શાવી કે તેણે જે કહ્યું છે તે પૂર્ણ કરવા પોતાને જવાબદાર માનતો હોય તે રીતે તે કશુંક કરશે. જ્યારે નામ તરીકે ઉપયોગમાં લેવાય ત્યારે "વચન" શબ્દ એ બાબતનો ઉલ્લેખ કરે છે જે કરવાને વ્યક્તિ પોતાને જવાબદાર માને છે.

  • બાઈબલ એવા ઘણા વચનોનો હેવાલ આપે છે જે ઈશ્વરે પોતાના લોકોને આપ્યાં છે.
  • વચનો, કરારો જેવી ઔપચારિક સમજૂતીઓનો એક મહત્ત્વનો ભાગ છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “વચન” શબ્દનો અનુવાદ “સમર્પણ” અથવા તો “બાયંધરી” અથવા તો “ખાતરી” તરીકે કરી શકાય.
  • “કશું કરવાનું વચન આપવું” તેનો અનુવાદ “કોઈ વ્યક્તિને ખાતરી કરાવવી કે તમે કશું કરશો જ” અથવા તો “કશું કરવાનું સમર્પણ કરવું” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: કરાર, સમ, પ્રતિજ્ઞા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 3:15 ઈશ્વરે કહ્યું, “જો કે લોકો તેમના બાળપણથી જ પાપી હોય છે તે છતાં હું વચન આપું છું કે લોકો જે દુષ્ટ બાબતો કરે છે તે કારણે હું ભૂમિને કદાપિ શ્રાપ નહીં આપું, કે પૂર લાવીને દુનિયાનો નાશ નહીં કરું.”
  • 3:16 ત્યાર બાદ પોતાના વચનની નિશાની તરીકે ઈશ્વરે પ્રથમ મેઘધનુષ રચ્યું. મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.
  • 4:8 ઈશ્વરે ઇબ્રામ સાથે વાત કરી અને ફરીથી વચન આપ્યું કે તેને એક પુત્ર થશે અને તેના સંતાનો આકાશમાંના તારાઓ જેટલાં થશે. ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.
  • 5:4 “તારી પત્ની સારાયને એક પુત્ર થશે – તે વચનનો પુત્ર હશે.”
  • 8:15 કરારના જે વચનો ઈશ્વરે ઇબ્રાહિમને આપ્યાં તેઓને બાદમાં ઇસહાકને, પછી યાકૂબને અને પછી યાકૂબના બારા પુત્રોને તથા તેઓના કુટુંબોને આપવામાં આવ્યાં.
  • 17:14 જો કે દાઉદ ઈશ્વર પ્રત્યે અવિશ્વાસુ હતો તો પણ ઈશ્વર પોતાના વચનો પ્રત્યે હજુ પણ વિશ્વાસુ હતા.
  • 50:1 ઈસુએ વચન આપ્યું કે જગતના અંતે તેઓ પાછા આવશે. જો કે તેઓ હજું પાછા આવ્યા નથી, તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

  • Strong's: H559, H562, H1696, H8569, G1843, G1860, G1861, G1862, G3670, G4279

વચનનો દેશ

તથ્યો:

“વચનનો દેશ” શબ્દ ફક્ત બાઇબલની વાર્તાઓમાં જોવા મળે છે અને બાઇબલના શાસ્ત્રભાગોમાં જોવા મળતો નથી. ઈશ્વરે ઇબ્રાહિમ તથા તેના વંશજોને જે કનાન દેશ આપવાનું વચન આપ્યું હતું તેનો ઉલ્લેખ કરવાની આ એક બીજી રીત છે.

  • જ્યારે ઇબ્રામ ઉર શહેરમાં રહેતો હતો ત્યારે, ઈશ્વરે તેને કનાન દેશમાં જઈને રહેવા આજ્ઞા કરી હતી.

તે અને તેના વંશજો એટલે કે ઇઝરાયલીઓ ત્યાં ઘણા વર્ષો સુધી રહ્યા.

  • જ્યારે એક ભીષણ દુકાળને કારણે કનાનમાં ખોરાક ખૂટી ગયો ત્યારે ઇઝરાયલીઓએ ઈજીપ્તમાં સ્થળાંતર કર્યું.
  • ચારસો વર્ષ બાદ, ઈશ્વરે ઇઝરાયલીઓને ઈજીપ્તની ગુલામીમાંથી છોડાવ્યા અને તેઓને પાછા કનાન દેશમાં લાવ્યા, એ દેશ કે જે આપવાનું ઈશ્વરે તેઓને વચન આપ્યું હતું.

અનુવાદ માટેના સૂચનો:

  • “વચનનો દેશ” નો અનુવાદ “ઈશ્વરે ઇબ્રાહિમને આપવાનું કહ્યું હતું તે દેશ” અથવા તો “ઈશ્વરે ઇબ્રાહિમને જેનું વચન આપ્યું હતું તે દેશ” અથવા તો “ઈશ્વરે પોતાના લોકોને જેનું વચન આપ્યું હતું તે દેશ” અથવા તો “કનાન દેશ” તરીકે કરી શકાય.
  • બાઇબલના શાસ્ત્રભાગોમાં, “ઈશ્વરે જેનું વચન આપ્યું હતું તે દેશ” જેવા રૂપમાં આ શબ્દ જોવા મળે છે.

(આ પણ જૂઓ: કનાન, વચન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 12:1 તેઓ (ઇઝરાયલીઓ) હવે ગુલામો નહોતા અને તેઓ વચનના દેશમાં જઈ રહ્યા હતા!
  • 14:1 ઈશ્વરે ઇઝરાયલીઓને પોતાના તેઓની સાથેના કરારના ભાગરૂપે જે નિયમો તેઓ ઇચ્છતા હતા કે ઇઝરાયલીઓ પાળે તે જણાવ્યા બાદ, ઈશ્વરે તેઓને સિનાઇ પહાડથી વચનના દેશ તરફ એટલે કે જેને કનાન પણ કહેવાય છે તે તરફ દોરવાનું શરૂ કર્યું.
  • 14:2 ઈશ્વરે ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબને વચન આપ્યું હતું કે તેઓ તેમના વંશજોને વચનનો દેશ આપશે, પણ હમણાં તો ત્યાં ઘણી લોકજાતિઓ રહેતી હતી.
  • 14:14 પછી ઈશ્વરે લોકોને ફરીથી વચનના દેશની સરહદ સુધી દોર્યા.
  • 15:2 ઇઝરાયલીઓને વચનના દેશમાં પ્રવેશવા યર્દન નદી પાર કરવાની હતી.
  • 15:12 આ યુદ્ધ પછી, ઈશ્વરે ઇઝરાયલના દરેક કુળને વચનના દેશનો તેમનો પોતાનો ભાગ આપ્યો.
  • 20:9 જ્યારે ઈશ્વરના લોકોને વચનનો દેશ છોડવા ફરજ પાડવામાં આવી તે સમયગાળાને દેશનિકાલ કહેવામાં આવે છે.

શબ્દ માહિતી:

  • Strong's: H776, H3068, H3423, H5159, H5414, H7650

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલ વ્યક્તિ તે છે કે જે સ્થાનિક મંડળીમાં સાથી વિશ્વાસીઓને સાથે વ્યવહારુ જરૂરીયાતો, જેવી કે ખોરાક અથવા પૈસાની મદદ કરીને સેવા આપે છે.

  • “વડીલ” શબ્દ સીધો જ ગ્રીક શબ્દમાંથી લેવાયો છે જેનો અર્થ, “સેવક” અથવા “કારભારી” થાય છે.
  • શરૂઆત ખ્રિસ્તીઓના સમયથી માંડીને વડીલની ભૂમિકા અને સેવા મંડળીમાં વિશિષ્ટ અને સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે.
  • ઉદાહરણ તરીકે, નવા કરારમાં વિશ્વાસીઓ જે કઈ પૈસા અથવા ખાદ્ય સામગ્રી આપતા તેનું વિતરણ સારી રીતે અને નીતિથી વિધવાઓને થાય તેનું વડીલો ધ્યાન આપતા.
  • “વડીલ” શબ્દનું ભાષાંતર, “મંડળીનો સેવક” અથવા “મંડળીનો કાર્યકર” અથવા “મંડળીનો ચાકર,” અથવા અન્ય કેટલાક શબ્દસમૂહ કે જે બતાવે છે કે તે વ્યક્તિની ઔપચારિક રીતે નિમણુક આપવામાં આવતી, જેથી તે ચોક્કસ કાર્યો કરે, જેનાથી સ્થાનિક ખ્રિસ્તી સમાજને ફાયદો થાય.

(આ પણ જુઓ: સેવક, ચાકર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G1249

વધસ્તંભ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, વધસ્તંભ એ એક જમીનમાં ઉભું કરેલું લાકડું, જેની ઉપરની ટોચના આડા લાકડા સાથે મોભથી જોડાયેલું હતું.

  • રોમન સામ્રાજ્યના સમય દરમ્યાન, રોમન સરકાર ગુનેગારોને મારી નાખવા માટે તેઓને વધસ્તંભે બાંધીને અથવા ખીલાથી જડીને મરવા માટે ત્યાં છોડી દેતા.
  • ઈસુએ જે ગુનાઓ કર્યા નહોતા તેવા ખોટા તહોમત તેમના પર લગાવામાં આવ્યા અને રોમનોએ તેમને વધસ્તંભ ઉપર મારી નાખ્યા.

ધ્યાનમાં રાખો કે, આ શબ્દ ક્રિયાપદ “પાર જવું” (ક્રોસ કરવું) તે શબ્દથી સંપૂર્ણપણે અલગ છે કે જેનો અર્થ, જેમકે નદી અથવા સરોવરની પેલે પાર જવું.

ભાષાંતરના સૂચનો:

  • લક્ષ્ય ભાષામાં આ શબ્દનું ભાષાંતર એવી રીતે કરવું કે જે એક ચોકડી આકારના (ક્રૂસ/વધસ્તંભને) દર્શાવે છે. ધ્યાન રાખો કે વધસ્તંભનું વર્ણન એવી વસ્તુથી કરવું કે જે પર લોકોને જડીને મારી નાખવા માટે વાપરવામાં આવતા, જેના માટે “દેહાંતદંડનો થાંભલો” અથવા “વૃક્ષના લાકડા પરનું મૃત્યુ” એવા શબ્દસમૂહનો ઉપયોગ કરવો.
  • એ પણ ધ્યાનમાં રાખો કે બાઈબલના આ શબ્દનું ભાષાંતર સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં કેવી રીતે થયું છે.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 40:1 ઈસુની મશ્કરી કર્યા પછી સિપાઈઓ, તેને વધસ્તંભે જડવા સારું દૂર લઈ ગયા.

તેઓએ જે વધસ્તંભ પર તેનું મૃત્યુ થવાનું હતું તે તેને ઉંચકાવ્યો.

  • 40:2 સિપાઈઓ ઈસુને “ખોપડી” નામની જગ્યાએ લાવ્યા અને વધસ્તંભ પર તેના હાથો અને પગો ખીલાથી જડ્યા.
  • 40:5 યહૂદી આગેવાનો અને ટોળામાંના લોકોએ ઈસુની મશ્કરી કરી.

તેઓએ તેને કહ્યું , “જો તું દેવનો દીકરો હોય તો, “વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ અને પોતાને બચાવ! પછી અમે તને માનીશું.

  • 49:10 જયારે ઈસુ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા, ત્યારે તેણે તમારી સજા સ્વીકારી.
  • 49:12 તમારે અવશ્ય માનવું જોઈએ કે ઈસુ દેવનો દીકરો છે, કે જે તમારે બદલે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો છે, અને દેવે તેને ફરીથી સજીવન કર્યો છે.

શબ્દ માહિતી:

  • Strong's: G4716

વધસ્તંભે જડવું, વધસ્તંભે જડી દીધો

વ્યાખ્યા:

“વધસ્તંભે જડવું” તેનો અર્થ, કોઈકને વધસ્તંભ પર જડી અને મહાન દુઃખ ભોગવવા અને મરવા છોડી દઈને સજા કરવી.

  • દોષિત વ્યક્તિને વધસ્તંભે બાંધવામાં અથવા ખીલા દ્વારા જડી દેવામાં આવતો.

વધસ્તંભે જડેલા લોકો લોહી ઓછું થવાથી અથવા ગૂંગળામણથી મૃત્યુ પામતા.

  • પ્રાચીન રોમન સામ્રાજ્યમાં મોટેભાગે આ દેહાંતદંડ પદ્ધતિનો ઉપયોગ જેઓ ભયંકર ગુનેગારો હતા અથવા તેમના સરકારના અધિકારની વિરુદ્ધ બળવો કર્યો હોય તેવા લોકોને સજા કરીને મારી નાખવા માટે ઉપયોગ કરતા હતા.
  • યહૂદી ધાર્મિક આગેવાનોએ રોમન રાજ્યપાલને તેના સિપાઈ દ્વારા ઈસુને વધસ્તંભે જડવા આદેશ આપવા માંગણી કરી.

સિપાઈઓ એ ઈસુને વધસ્તંભે જડ્યો. તેણે ત્યાં છ કલાક પીડા સહન કરી અને પછી તે મૃત્યુ પામ્યો.

ભાષાંતરના સૂચનો:

  • “વધસ્તંભે જડવું: શબ્દનું ભાષાંતર “વધસ્તંભ ઉપર મારી નાખવો” અથવા “ખીલા મારીને વધસ્તંભ દ્વારા મારી નાખવું” એમ કરી શકાય છે.

(આ પણ જુઓ: વધસ્તંભ, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 39:11 યહૂદી આગેવાનો અને ટોળાએ બૂમો પાડી કે, તેને (ઈસુ)ને વધસ્તંભે જડો!”
  • 39:12 પિલાત ભયભીત થયો કે લોકોનું ટોળું હુલ્લડ શરૂ કરશે, જેથી તેણે તેના સિપાઈઓને ઈસુને વધસ્તંભે જડવા આદેશ આપ્યો, તેણે ઈસુ ખ્રિસ્તના ક્રૂસારોહણમાં મહત્વનો ભાગ ભજવ્યો.
  • 40:1 સિપાઈઓએ ઈસુની મશ્કરી કર્યા પછી, તેઓ તેને વધસ્તંભે જડવા દૂર દોરી ગયા. જેના પર તેનું મૃત્યુ થવાનું હતું તે વધસ્તંભ તેઓએ તેની પાસે ઉંચકાવ્યો.
  • 40:4 ઈસુને બે લૂંટારાઓની વચ્ચે વધસ્તંભે જડ્યો હતો.
  • 43:6 “ઈઝરાએલના માણસો, ઈસુ માણસ હતો કે જેણે દેવના સામર્થ્ય દ્વારા ઘણા શક્તિશાળી ચીહ્નો અને ચમત્કારો કર્યા, જે તમે અગાઉથી જાણો છો અને જોયા છે. તોપણ તમે તેને વધસ્તંભે જડ્યો.”
  • 43:9”તમે આ માણસ, ઈસુને વધસ્તંભે જડી દીધો
  • 44:8 પિતરે તેઓને જવાબ આપ્યો, “આ માણસ જે તમારી આગળ ઊભો છે તે ઈસુ મસીહના સામર્થ્ય દ્વારા સાજો થયો છે. તમે ઈસુને વધસ્તંભે જડ્યો, પણ દેવે તેને ફરીથી સજીવન કર્યો છે!”

શબ્દ માહિતી:

  • Strong's: G388, G4362, G4717, G4957

વફાદાર (વિશ્વાસુ), વિશ્વસનીય, વિશ્વાસપાત્ર, અવિશ્વાસુ, બેવફાઈ

વ્યાખ્યા:

ઈશ્વરને “વફાદાર” હોવું તેનો અર્થ, સતત ઈશ્વરના શિક્ષણ પ્રમાણે જીવવું. તેનો અર્થ આજ્ઞાપાલન દ્વારા તેમને “વફાદાર” રહેવું. “વિશ્વાસુપણું” એ “વફાદાર” હોવાની સ્થિતિ છે.

  • વ્યક્તિ કે જે વિશ્વાસુ હોય છે, તે હંમેશા તેના વચનો પાળવામાં વિશ્વસનીય હોઈ શકે છે અને હંમેશા બીજા લોકો માટેની તેની જવાબદારીઓ પરિપૂર્ણ કરે છે.
  • જયારે કાર્ય લાંબુ અને મુશ્કેલ હોય, ત્યારે પણ વિશ્વાસુ વ્યક્તિ ધૈર્ય (ખંત) રાખે છે.
  • ઈશ્વર પ્રત્યે વિશ્વાસુપણું રહેવું એટલે, ઈશ્વર આપણી પાસે જે કરાવવા માંગે છે તેમાં સતત રીતે લાગ્યા રહેવું.
  • “અવિશ્વાસુ” શબ્દ એવા લોકોનું વર્ણન કરે છે કે જેઓ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે કરતા નથી. “અવિશ્વાસુ” હોવાની સ્થિતિ અથવા રીત જેને “બેવફાઈ” (અવિશ્વાસુપણું) કહી શકાય છે.
  • જયારે ઈઝરાએલના લોકોએ અન્ય રીતે ઈશ્વરનો અનાદર કર્યો અને મૂર્તિઓની પૂજા કરવાની શરૂઆત કરી ત્યારે તેઓ “અવિશ્વાસુ” કહેવાયા હતા.
  • લગ્નમાં, કોઈ કે જે વ્યભિચાર કરે છે તે તેના અથવા તેણીના પતિ અથવા પત્નીને “અવિશ્વાસુ” છે.
  • “બેવફાઈ” શબ્દ, ઈશ્વરે ઈઝરાએલના આજ્ઞાભંગના વર્તનને વર્ણવવા માટે વાપર્યો છે. તેઓ ઈશ્વરની આજ્ઞાઓ પાળતા નહોતા, અને તેમને માન આપતા નહોતા.

ભાષાંતરના સૂચનો:

  • ઘણા સંદર્ભોમાં, “વિશ્વાસુ” શબ્દનું ભાષાંતર, “વફાદાર” અથવા “સમર્પિત” અથવા “વિશ્વસનીય,” તરીકે કરી શકાય છે.
  • બીજા સંદર્ભોમાં, “વિશ્વાસુ” શબ્દનું ભાષાંતર શબ્દ અથવા શબ્દસમૂહ દ્વારા કરી શકાય કે જેનો અર્થ, “માનવાનું ચાલુ રાખવું” અથવા “માનવામાં અને આજ્ઞા પાડવામાં લાગુ રહેવું,” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય છે.
  • “વિશ્વાસુપણું” શબ્દના ભાષાંતરમાં, “માનવામાં લાગુ રહેવું” અથવા “વફાદારી” અથવા “વિશ્વસનીયતા” અથવા “ઈશ્વરની આજ્ઞા માનવી અને પાળવી,” એવા શબ્દો સામેલ કરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, “અવિશ્વાસુ” શબ્દનું ભાષાંતર, “વિશ્વાસુ નથી” અથવા “અવિશ્વાસી” અથવા “આજ્ઞાકારી નથી” અથવા “વફાદાર નથી,” તરીકે કરી શકાય છે.
  • “અવિશ્વાસુ” શબ્દસમૂહનું ભાષાંતર, “લોકો કે જેઓ (ઈશ્વરને) વિશ્વાસુ નથી” અથવા “અવિશ્વાસુ લોકો” અથવા “લોકો કે જે ઈશ્વરનો અનાદર કરે છે” અથવા “લોકો કે જેઓ ઈશ્વરની વિરુદ્ધ બળવાખોર છે,” તરીકે કરી શકાય છે.
  • “બેવફાઈ” શબ્દનું ભાષાંતર, “આજ્ઞાભંગ” અથવા “બેવફાઈ” અથવા “વિશ્વાસ અથવા આજ્ઞા ન પાળવી,” તરીકે કરી શકાય છે.
  • કેટલીક ભાષાઓમાં, “અવિશ્વાસુ” શબ્દ “અવિશ્વાસ” શબ્દ માટે સંબંધિત છે

(આ પણ જુઓ: વ્યભિચાર, માનવું, અનાદર, વિશ્વાસ, વિશ્વાસ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 8:5 કેદમાં પણ, યૂસફ ઈશ્વરને વિશ્વાસુ રહ્યો, અને ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો.
  • 14:12 તેથી, હજુ પણ ઈશ્વર તેમના વચનો માટે ઈબ્રાહિમ, ઈસહાક, અને યાકૂબને વિશ્વાસુ હતા.
  • 15:13 લોકોએ ઈશ્વરને વિશ્વાસુ રહેવા અને તેમના નિયમોને અનુસરવા વચન આપ્યું.
  • 17:9 દાઉદે ઘણા વર્ષો માટે ન્યાય અને વિશ્વાસુ પણા સાથે રાજ્ય કર્યું, અને ઈશ્વરે તેને આશીર્વાદિત કર્યો. જો કે, તેના જીવનના પાછલા ભાગમાં તેણે ઈશ્વરની વિરુદ્ધ ભયંકર પાપ કર્યું.
  • 18:4 ઈશ્વર સુલેમાન પર ગુસ્સે હતા, અને સુલેમાંનના અવિશ્વાસુ પણા ની સજા તરીકે, તેમણે સુલેમાંનના મરણ પછી ઈઝરાએલ રાષ્ટ્રના બે ભાગ કરવાનું વચન આપ્યું.
  • 35:12 મોટા દીકરાએ તેના પિતાને કહ્યું, આ સઘળા વર્ષોમાં મેં વિશ્વાસુ રીતે તારા માટે કામ કર્યું છે!”
  • 49:17 પણ ઈશ્વર વિશ્વાસુ છે અને કહે છે કે જો તમે તમારા પાપો કબૂલ કરો તો, તે તમને માફ કરશે.
  • 50:4 જો અંત સુધી તમે મને વિશ્વાસુ રહેશો, તો પછી ઈશ્વર તમને બચાવશે.

શબ્દ માહિતી:

  • Strong's: H529, H530, H539, H540, H571, H898, H2181, H4603, H4604, H4820, G569, G571, G4103

વહાણ

વ્યાખ્યા:

“વહાણ” શબ્દનો શાબ્દિક અર્થ દર્શાવે છે કે, લંબચોરસ લાકડાનું ખોખું કે જેમાં કાંઈક રાખી શકાય અથવા તેમાં રક્ષણ થઈ શકે. વહાણ નાનું કે મોટું હોઈ શકે, તે તેના ઉપયોગ પર આધારિત છે. અંગ્રેજી બાઈબલમાં, પ્રથમવાર “વહાણ” શબ્દ બહુ મોટા લંબચોરસ, કે જે વિશ્વભરના જળપ્રલયથી બચવા નુહે બાંધેલી લાકડાંની નાવ એમ દર્શાવે છે વહાણનું તળિયું, છત, અને દિવાલો સીઘા હતા. આ શબ્દનું ભાષાંતર “ખુબ મોટી નાવ” અથવા “સપાટ તળિયા વાળી માલવાહક નૌકા” અથવા “નૌકાભાર” અથવા “મોટી, ખોખા આકારની નાવ” થઇ શકે છે.

  • આ હિબ્રુ શબ્દ કે જે આ વિશાળ નાવ માટે વપરાયો છે તેજ શબ્દ પેટી અથવા ખોખું માટે વપરાયો છે અથવા પેટી કે જેમાં બાળક મૂસાને તેની માતાએ નાઈલ નદીમાં સંતાડવા ઉપયોગ કર્યો હતો.

આ કિસ્સામાં સામાન્ય રીતે તેનું ભાષાંતર “પેટી” થઇ શકે છે.

  • “કરારકોશ” શબ્દમાં “કોશ” માટે જુદો જ હિબ્રુ શબ્દનો ઉપયોગ કરાયો છે.

તેનું ભાષાંતર “ખોખું” અથવા “પેટી” અથવા “ડબ્બો” થઇ શકે છે.

  • જયારે આ શબ્દ “વહાણ” ભાષાંતર કરવા પસંદ કરીએ, ત્યારે તેનો ઉપયોગ કયા સંદર્ભમાં થયો છે તે સમજવું અગત્યનું છે.

(આપણ જુઓ: કરારકોશ, પેટી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H727, H8392, G2787

વારસો મેળવવો, વારસો, ધરોહર, વારસદાર

વ્યાખ્યા:

“વારસો મેળવવો” શબ્દ દર્શાવે છે કે માબાપ અથવા બીજીકોઈ વ્યક્તિ સાથેના ખાસ સંબંધને કારણે, અન્ય વ્યક્તિ દ્વારા કંઈક કિંમતી વસ્તુ પ્રાપ્ત કરવી. જે મેળવેલું છે તે “વારસો” છે.

  • ભૌતિક વારસો કે જે કદાચ પૈસા, જમીન, અથવા બીજા પ્રકારની મિલકતના રૂપમાં મેળવવામાં આવે છે.
  • આત્મિક વારસો, જેમાં બધું જ જેમકે હાલના જીવનના આશીર્વાદો, તેમજ તેની સાથે અનંતજીવન જે દેવ ઈસુમાં વિશ્વાસ કરવાથી લોકોને આપે છે.
  • બાઈબલ પણ કહે છે કે દેવના લોકો તેનો વારસો છે, જેનો અર્થ એમ કે તેઓ તેના છે; તેઓ તેની કિંમતી મિલકત છે.
  • દેવે ઈબ્રાહિમ અને તેના વંશજોને વચન આપ્યું કે તેઓ કનાનની ભૂમિનો વારસો પામશે, કે જે સદા માટે તેઓની થશે.
  • અહીં રૂપકાત્મક અથવા આત્મિક અર્થમાં જે લોકો દેવના છે તેઓ “જમીનનો વારસો પામશે” તેમ પણ કહેવામાં આવ્યું છે.

આ બાબતનો અર્થ એમકે તેઓ દેવ દ્વારા ભૌતિક અને આત્મિક રીતે આબાદ અને આશીર્વાદિત થશે.

  • નવા કરારમાં, દેવે વચન આપ્યું છે કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરશે તેઓને “તારણનો વારસો” અને “અનંતજીવનનો વારસો” મળશે.

તેને “દેવના રાજયના વારસા” તરીકે પણ વ્યક્ત કરવામાં આવ્યું છે. આ આત્મિક વારસો છે જે સદાકાળ ટકે છે.

  • આ શબ્દો માટેના બીજા રૂપકાત્મક અર્થો છે:
  • બાઈબલ કહે છે કે જ્ઞાની લોકો “મહિમાનો વારસો” પામશે અને ન્યાયી લોકો “સારી બાબતોનો વારસો” પામશે.
  • “વચનોનો વારસો પામવો” તેનો અર્થ સારી બાબતોને પ્રાપ્ત કરવી કે જે દેવે તેના લોકોને આપવાનું વચન આપ્યું છે.
  • આ શબ્દને મૂર્ખ અને આજ્ઞા ન માનનારા લોકો કે જેઓ “પવનનો વારસો” અથવા “મૂર્ખાઈનો વારસો” પામનાર છે, તેવા નકારાત્મક અર્થમાં પણ આ (શબ્દને) વાપરવામાં આવ્યો છે.

આ બાબતનો અર્થ એમ કે તેઓને તેઓના પાપી કાર્યોને કારણે સજા અને નકામા જીવનનું પરિણામ પ્રાપ્ત કરશે.

ભાષાંતરના સૂચનો:

  • હંમેશા ધ્યાન રાખો કે લક્ષ ભાષામાં, શબ્દો જેવા કે, વારસો અથવા ઉત્તરાધિકાર પહેલેથી જ હોય તો તેવા શબ્દોનો ઉપયોગ કરો.
  • સંદર્ભ પર આધાર રાખીને, “વારસો” શબ્દનું વિવિધ રીતે ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “પ્રાપ્ત” અથવા “ધરાવે છે” અથવા “વારસામાં આવવું” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
  • “વારસો” શબ્દના ભાષાંતરમાં, “વચનની ભેટ” અથવા “સુરક્ષિત વારસો” જેવા (શબ્દોનો) સમાવેશ કરી શકાય છે.
  • જયારે દેવના લોકોને તેના વારસા તરીકે દર્શાવવામાં આવ્યા છે ત્યારે તેનું ભાષાંતર, “કિંમતી લોકો જે તેના પોતાના છે” તરીકે કરી શકાય છે.
  • “વારસદાર” શબ્દનું ભાષાંતર શબ્દ અથવા શબ્દસમૂહ વડે કરી શકાય જેનો અર્થ, “વિશેષાધિકૃત બાળક કે જે પિતાનો વારસો મેળવે છે” અથવા “વ્યક્તિ કે જેને (દેવના) આત્મિક વારસા અથવા આશીર્વાદો માટે પસંદ કરવામાં આવ્યો છે.”
  • “ધરોહર” શબ્દનું ભાષાંતર, “દેવ તરફથી આશીર્વાદ” અથવા “વારસાગત આશીર્વાદો” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: વારસદાર, કનાન, વચનની ભૂમિ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 4:6 જયારે ઈબ્રાહિમ કનાનમાં પહોંચ્યો ત્યારે દેવે કહ્યું, “તારી આસપાસ નજર નાખીને સઘળું જો. જે તું જુએ છે તે બધી જમીન હું તને અને તારા વંશજોને વારસા તરીકે આપીશ.”
  • 27:1 એક દિવસે, એક યહૂદી કાયદાનો નિષ્ણાત ઈસુ પાસે તેની પરીક્ષા કરવા આવ્યો, કહ્યું કે, “ગુરુજી, અનંતજીવનનો વારસો પામવા મારે શું કરવું.”
  • 35:3 “એક માણસ હતો જેને બે દીકરા હતા. નાના દીકરાએ તેના પિતાને કહ્યું, ‘પિતા, હમણાં જ મારે મારો વારસો જોઈએ છે! જેથી પિતાએ તેની મિલકત બે દીકરાઓની વચ્ચે વિભાજીત કરી.”

શબ્દ માહિતી:

  • Strong's: H2490, H2506, H3423, H3425, H4181, H5157, H5159, G2816, G2817, G2819, G2820

વિદેશી, વિદેશીઓ

સત્યો:

“વિદેશી” શબ્દ કોઈ પણ કે જે યહૂદી નથી, તેને દર્શાવે છે. વિદેશીઓ એ લોકો હતા કે જેઓ યાકૂબના વંશજો નહોતા.

  • બાઇબલમાં, રૂપકાત્મક રીતે “બેસુન્ન્ત” શબ્દ પણ વિદેશીઓને દર્શાવે છે, કારણ કે જે રીતે ઈઝરાએલીઓએ કર્યું તે રીતે તેઓમાંના ઘણાએ તેઓના નર બાળકોની સુન્નત કરી ન હતી.
  • કારણ કે ઈશ્વરે યહૂદીઓને તેના ખાસ લોક થવા સારું પસંદ કર્યા હતા, જેથી તેઓએ વિદેશીઓને બહારના તરીકે ગણ્યા કે તેઓ ક્યારેય ઈશ્વરના લોકો બની શકે નહીં.
  • ઈતિહાસના અલગ અલગ સમયોમાં યહૂદીઓને “ઈઝરાએલીઓ” અથવા “હિબ્રૂઓ” પણ કહેવામાં આવ્યા હતા. તેઓએ બીજા દરેકને “વિદેશી” તરીકે ઓળખ્યા.
  • વિદેશીનું ભાષાંતર, “યહૂદી નહિ” અથવા બિન-યહૂદીઓ” અથવા “એક કે જે ઈઝરાએલી નથી” (જૂના કરારમાં) અથવા “બિન યહૂદી” તરીકે પણ કરી શકાય છે.
  • પરંપરાગત રીતે યહૂદીઓ વિદેશીઓ સાથે ખાતા અથવા સંબંધ રાખતા નહોતા, કે જેને કારણે શરૂઆતની મંડળીની અંદર સમસ્યાઓ થઈ હતી.

(આ પણ જુઓ: ઈઝરાએલ, યાકૂબ, યહૂદી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1471, G1482, G1484, G1672

વિલાપકરવો, વિલાપ

વ્યાખ્યા:

“વિલાપકરવો” અને “વિલાપ” શબ્દો શોક, દુ:ખ અથવા શોકની મજબૂત અભિવ્યક્તિનો સંદર્ભ આપે છે.

  • કેટલીકવાર આમાં પાપ માટે ઊંડો પસ્તાવો અથવા આપત્તિનો અનુભવ કરનારા લોકો માટે કરુણાનો સમાવેશ થાય છે.
  • વિલાપમાં વિલાપકરવો, રડવું અથવા વિલાપનો સમાવેશ થઈ શકે છે.

અનુવાદ સૂચનો:

  • “વિલાપ” શબ્દનું ભાષાંતર “ઊંડો શોક” અથવા “દુઃખમાં વિલાપ” અથવા “શોકમાં દુ:ખ થવો” તરીકે કરી શકાય છે.
  • "વિલાપગીત" (અથવા "વિલાપ")નું ભાષાંતર "મોટેથી વિલાપ અને રડવું" અથવા "ઊંડું દુઃખ" અથવા "દુઃખભર્યું રડવું" અથવા "શોકપૂર્ણ વિલાપ" તરીકે કરી શકાય છે.

બાઈબલ સંદર્ભો:

  • [આમોસ ૮:૯-૧૦]
  • [હઝકિયેલ ૩૨:૧-૨]
  • [યર્મિયા ૨૨:૧૮]
  • [અયૂબ ૨૭:૧૫-૧૭]
  • [વિલાપ ૨: ૫]
  • [વિલાપ ૨:૮]
  • [મીખાહ 2:4]
  • [ગીતશાસ્ત્ર ૧૦૨:૧-૨]
  • [ઝખાર્યા ૧૧:૨]

શબ્દ માહિતી

  • સ્ટ્રોંગ્સ: H0056, H0421, H0578, H0592, H1058, H4553, H5091, H5092, H5594, H6088, H6969, H7015, H8567, G23540, G2550, G208, G2080

વિશ્રામવાર

વ્યાખ્યા:

“વિશ્રામવાર” શબ્દ અઠવાડિયાના સાતમા દિવસનો ઉલ્લેખ કરે છે, કે જેને ઈશ્વરે ઇઝરાયેલીઓ માટે આરામના દિવસ અને કોઈ કામ ન કરવાં તરીકે અલગ કરવાં ફરમાવ્યો હતો.

  • ઈશ્વરે છ દિવસમાં સૃષ્ટિનું સર્જન પૂર્ણ કર્યા પછી, સાતમા દિવસે તેમણે આરામ કર્યો.

તે જ પ્રમાણે, સાતમા દિવસને આરામના અને ઈશ્વરની આરાધના કરવાના ખાસ દિવસ તરીકે અલગ કરવાં તેમણે ઈઝરાયેલીઓને આજ્ઞા આપી હતી.

  • “સાબ્બાથ દિન પવિત્ર પાળવો” એ આજ્ઞા દસ આજ્ઞાઓમાંની એક આજ્ઞા છે કે જે ઈશ્વરે શિલાપાટીઓ પર લખી હતી કે જે તેમણે મુસાને ઈઝરાયેલીઓ માટે આપી હતી.
  • યહૂદી પદ્ધતિ પ્રમાણે દિવસોની ગણતરી, સાબ્બાથની શરૂઆત શુક્રવારના સુર્યાસ્તથી થતી અને શનિવારના સુર્યાસ્ત સુધી રહેતી.
  • ઘણીવાર બાઈબલમાં સાબ્બાથને માત્ર સાબ્બાથને બદલે “વિશ્રામવાર” કહેવામાં આવ્યું છે.

અનુવાદ માટેના સૂચનો:

  • તેનો “આરામનો દિવસ” અથવા “આરામ માટેનો દિવસ” અથવા “કામ ન કરવાનો દિવસ” અથવા “ઈશ્વરનો આરામનો દિવસ” તરીકે પણ અનુવાદ કરી શકાય.
  • કેટલાંક અનુવાદોમાં આ શબ્દને તે ખાસ દિવસ છે માટે મોટાં અક્ષરોમાં બતાવવામાં આવે છે, “વિશ્રામવાર” અથવા “આરામનો દિવસ” આ પ્રમાણે.
  • આ શબ્દનો અનુવાદ સ્થાનિક અને રાષ્ટ્રીય ભાષામાં કેવી રીતે કરવામાં આવ્યો છે તે ધ્યાનમાં લો.

(આ પણ જુઓ: કેવી રીતે અજ્ઞાતનો અનુવાદ કરવો)

(આ પણ જુઓ: આરામ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 13:5 હંમેશા ચોક્કસ રહો વિશ્રામવાર પવિત્ર પાળવાને માટે. એટલે કે, તમારું બધું જ કામ છ દિવસમાં કરો, સાતમો દિવસ તમારાં માટે આરામનો અને મને માન આપવાનો દિવસ છે.
  • 26:2 ઈસુ નાઝરેથ શહેરમાં ગયાં જ્યાં તેઓ તેમના બાળપણના દિવસો દરમિયાન ત્યાં રહ્યાં. વારે વિશ્રામ, તેઓ આરાધના માટેના સ્થળે ગયાં.
  • 41:3 ઈસુને દફનાવવામાં આવ્યાં તે પછીનો દિવસ હતો વિશ્રામ વાર, અને તે દિવસે યહુદીઓને કબર પર જવાની પરવાનગી ન હતી.

શબ્દ માહિતી:

  • Strong's: H4868, H7676, H7677, G4315, G4521

વિશ્વ, દુન્યવી/જગિક

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોને દર્શાવે છે.

  • મોટાભાગે સામાન્ય અર્થમાં, "વિશ્વ “ શબ્દ સ્વર્ગમાં અને પૃથ્વીને, તેમજ તેમાંની દરેક વસ્તુનો ઉલ્લેખ કરે છે.
  • ઘણા બધા સંદર્ભોમાં, "જગત" નો અર્થ "વિશ્વમાંના લોકો" થાય છે.
  • કેટલીક વખત એવું સૂચિત છે કે આનો ઉલ્લેખ પૃથ્વી પરના દુષ્ટ લોકો અથવા જે લોકો ઈશ્વરને આધીન થતા નથી તે છે.
  • આ જગતમાં રહેતા લોકોની સ્વાર્થી વર્તણૂક અને ભ્રષ્ટ મૂલ્યોનો ઉલ્લેખ કરવા માટે પ્રેરિતોએ "જગત"નો ઉપયોગ કર્યો હતો. આ માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓનો સમાવેશ કરી શકે છે.
  • આ મૂલ્યો દ્વારા વર્ગીકૃત લોકો અને વસ્તુઓને  "દુન્યવી/જગિક" કહેવામાં આવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • સંદર્ભને આધારે, "વિશ્વ"નું "બ્રહ્માંડ" અથવા "આ જગતના લોકો" અથવા "દુનિયાની ભ્રષ્ટ વસ્તુઓ" અથવા "દુનિયાના લોકોના દુષ્ટ વર્તન" તરીકે ભાષાંતર કરી શકાય છે.
  • “સમગ્ર વિશ્વ/જગત“ શબ્દનો અર્થ "ઘણા લોકો" થાય છે અને તે ચોક્કસ પ્રદેશમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા" કરી શકાય છે.
  • રોમન વસ્તી ગણતરીમાં નોંધાવવા આખું જગત તેમના વતનમાં ગયા” નું ભાષાંતર કરવાનો બીજો રસ્તો "રોમન સામ્રાજ્યના શાસન હેઠળના પ્રદેશોમાં રહેતા ઘણા લોકો ગયા …"
  • સંદર્ભના આધારે, "દુન્યવી/જગિક" શબ્દોનો અનુવાદ "દુષ્ટ" અથવા "પાપી" અથવા "સ્વાર્થી" અથવા "અધર્મી" અથવા "ભ્રષ્ટ" અથવા "આ દુનિયામાં લોકોના ભ્રષ્ટ મૂલ્યોથી પ્રેરાયેલ" થઈ શકે છે."
  • “દુનિયામાં આ વાતો કહેતા" શબ્દનું ભાષાંતર "વિશ્વના લોકોને આ વાતો કહે છે."
  • અન્ય સંદર્ભોમાં, "દુનિયામાં"નું ભાષાંતર "જગતના લોકોમાં વસવું" અથવા "અધર્મી લોકોમાં રહેવું" કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, ઈશ્વરીય)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H776, H2309, H2465, H5769, H8398, G1093, G2886, G2889, G3625

વિશ્વાસ કરવો, વિશ્વાસી, માન્યતા, અવિશ્વાસી, અનાસ્થા/અશ્રદ્ધા

વ્યાખ્યા:

“વિશ્વાસ કરવો” અને “તેમાં વિશ્વાસ રાખવો” આ શબ્દોમાં નજીકનો સંબંધ રહેલો છે, પણ તેના અર્થ થોડા અલગ થાય છે.

1. વિશ્વાસ કરવો

  • કોઈ બાબત પર વિશ્વાસ કરવો એટલે તે સ્વીકારવું અથવા તે સાચું છે તેવો ભરોસો કરવો.
  • કોઈકને માન્ય કરવું એટલે સ્વીકારવું કે જે તે વ્યક્તિએ કહ્યું છે તે સાચું છે.

2. તેમાં વિશ્વાસ રાખવો

  • કોઈકમાં "વિશ્વાસ કરવો” એટલે કે તે વ્યક્તિ “પર ભરોસો કરવો.” તેનો અર્થ થાય છે કે તે વ્યક્તિ જે કહે છે તે તે છે તેવો ભરોસો રાખવો, કે તે હંમેશા સત્ય કહે છે, અને તેણે જે વચન આપ્યું છે તે તે કરશે.
  • જયારે વ્યક્તિ કોઈ બાબતમાં ખરેખર વિશ્વાસ રાખે છે, ત્યારે તે એ રીતે વર્તશે જે તેની માન્યતાને દર્શાવશે.
  • “તેમાં વિશ્વાસ હોવો” તે વાક્યનો અર્થ સામાન્યપણે “તેમાં વિશ્વાસ કરવા” જેવો જ થાય છે.
  • “ઈસુમાં વિશ્વાસ કરવો” એટલે કે તે ઈશ્વરના પુત્ર છે તેમ માનવું, કે જે સ્વયં ઈશ્વર છે જે માણસ પણ બન્યા અને આપણા પાપોના બલિદાન માટે મૃત્યુ પામી તેમણે કિંમત ચૂકવી. તેનો અર્થ છે કે તેમના પર તારનાર તરીકે વિશ્વાસ કરવો અને એવી રીતે જીવવું કે જે તેમને સન્માન આપે છે.

3. વિશ્વાસી

બાઈબલમાં, “વિશ્વાસી” શબ્દ એક એવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધારક તરીકે  વિશ્વાસ રાખે છે અને આધારિત રહે છે.

  • “વિશ્વાસી” શબ્દનો શાબ્દિક અર્થ, “વ્યક્તિ કે જે વિશ્વાસ કરે છે.”
  • “ખ્રિસ્તી” શબ્દ, સમયકાળે વિશ્વાસીઓ માટેનું મુખ્ય શીર્ષક બની ગયો કારણકે તે સૂચવે છે કે તેઓ ખ્રિસ્તમાં માને છે અને તેમના શિક્ષણને પાળે છે.

4. અવિશ્વાસ

“અવિશ્વાસ” શબ્દ દર્શાવે છે, કે કોઈક બાબતમાં અથવા કોઈક પર વિશ્વાસ ન કરવો.

  • બાઈબલમાં “અવિશ્વાસ” શબ્દ દર્શાવે છે, કે ઈસુને પોતાના ઉદ્ધારક તરીકે ના માનવા અથવા તેવો વિશ્વાસ ના કરવો.
  • જે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તમાં માનતો નથી તેને “અવિશ્વાસી” કહેવામાં આવે છે.

ભાષાંતરના સુચનો:

  • “વિશ્વાસ કરવો” શબ્દનું ભાષાંતર, “સાચું હોવું તે જાણે છે” અથવા “ઉચિત હોવું તે જાણે છે” તરીકે કરી શકાય.
  • “તેમાં માનવું” તે શબ્દનું ભાષાંતર, “સંપૂર્ણપણે ભરોસો કરવો” અથવા “ભરોસો રાખવો અને આધીન થવું” અથવા “સંપૂર્ણપણે આધાર રાખવો અને પાછળ ચાલવું,” એમ થઈ શકે છે.
  • કેટલાક ભાષાંતર “ઈસુમાં વિશ્વાસી” અથવા “ખ્રિસ્તમાં વિશ્વાસી” કહેવાની પસંદ કરી શકે છે.
  • આ શબ્દનું ભાષાંતર, કોઈ એક શબ્દ અથવા શબ્દસમૂહ દ્વારા થઇ શકે છે જેનો અર્થ, “વ્યક્તિ કે જે ઈસુમાં વિશ્વાસ કરે છે” અથવા “કોઈક જે ઈસુને જાણે છે અને તેમના માટે જીવે છે.”
  • “વિશ્વાસી” શબ્દનું બીજું ભાષાંતર “ઈસુને અનુસરનાર” અથવા “વ્યક્તિ કે જે ઈસુને ઓળખે છે અને તેમને આધીન થાય છે” તેમ કરી શકાય.
  • “વિશ્વાસી” શબ્દ, ખ્રિસ્તના દરેક વિશ્વાસી માટે સામાન્ય શબ્દ છે, જયારે “શિષ્ય” અને “પ્રેરિત” શબ્દ, વધુ ચોક્કસપણે ઈસુ જ્યારે પૃથ્વી પર જીવતા હતા અને જે લોકો તેમને ઓળખતા હતા, તેઓ માટે વપરાયો હતો. આ દરેક શબ્દનું અલગ અલગ રીતે ભાષાંતર કરવું સારું છે જેથી તેઓ વચ્ચેનું અંતર જળવાઈ રહે.
  • “અવિશ્વાસ” શબ્દનું ભાષાંતર બીજી રીતે કરીએ તો, “વિશ્વાસનો અભાવ” અથવા “ન માનવું” તેમ થઇ શકે છે.
  • “અવિશ્વાસી” શબ્દનું ભાષાંતર આ રીતે પણ કરી શકાય છે કે “વ્યક્તિ જે ઈસુમાં વિશ્વાસ કરતો નથી” અથવા “જે કોઈ ઈસુ પર તારનાર તરીકે ભરોસો કરતો નથી.”

(આ પણ જુઓ: માનવું, પ્રેરિત, ખ્રિસ્તી, શિષ્ય, વિશ્વાસ, ભરોસો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 3:4 નૂહે આવનાર જળપ્રલય વિષે લોકોને ચેતવણી આપી અને તેઓને ઈશ્વર તરફ ફરવા કહ્યું, પણ તેઓએ તેનું માન્યું નહીં.
  • 4:8 ઈબ્રાહિમે ઈશ્વરનું વચન માન્યું. ઈશ્વરે જાહેર કર્યું કે ઈબ્રાહિમ ન્યાયી હતો, કારણકે તેણે ઈશ્વરનું વચન માન્યું.
  • 11:2 જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે, તેઓના પ્રથમજનિતને બચાવવા માટે ઈશ્વરે રસ્તો પૂરો પાડ્યો.
  • 11:6 પણ મિસરીઓએ ઈશ્વરને અથવા તેમની આજ્ઞાઓને માની નહીં.
  • 37:5 “ઈસુએ જવાબ આપ્યો, પુનરુત્થાન તથા જીવન હું જ છું. જે કોઈ મારામાં વિશ્વાસ કરે, જો કે તે મરી જાય તો પણ તે જીવશે. દરેક જણ કે જે મારામાં વિશ્વાસ કરે છે, તે કદી મરશે નહિ. શું તમે આ માનો છો?”
  • 43:1 ઈસુ સ્વર્ગમાં પાછા ગયા પછી, ઈસુએ જેમ કરવાની શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓ યરૂશાલેમમાં રહ્યા. ત્યાં વિશ્વાસીઓ સતત પ્રાર્થના કરવા માટે હંમેશા એકઠા થતા.
  • 43:3 જયારે વિશ્વાસીઓ ભેગા થયા હતા ત્યારે એકાએક સખત પવન જેવા અવાજ સાથે, તેઓ જે ઘરમાં રહેતા હતા તે ભરાઈ ગયું. ત્યારબાદ તેઓમાંના દરેક વિશ્વાસી ના માથાં પર અગ્નિની જ્વાળા જેવું કાંઇક દેખાઈ આવ્યું.
  • 43:13 દરરોજ વધુ લોકો વિશ્વાસીઓની બન્યા.
  • 46:6 તે દિવસે યરૂશાલેમમાં ઘણાં લોકોએ ઈસુના અનુયાયીઓની સતાવણી કરવાની શરૂઆત કરી, તેથી વિશ્વાસીઓ અન્ય સ્થળોએ ભાગી ગયા. પરંતુ તેમ છતાં તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં તેઓએ ઈસુ વિશે પ્રચાર કર્યો.
  • 46:1 શાઉલ એક યુવાન માણસ હતો કે જેણે સ્તેફેનને મારી નાખનારના ઝભ્ભા (લૂગડાં) સાચવ્યા હતા. તેણે ઈસુ પર વિશ્વાસ કર્યો ન હતો, તેથી તેણે વિશ્વાસીઓની સતાવણી કરી.
  • 46:9 અમુક વિશ્વાસીઓ જેઓ યરૂશાલેમની સતાવણીથી ભાગી ગયા હતા તેઓ અંત્યોખ સુધી દૂર ગયા અને તેઓએ ત્યાં ઈસુ વિશે પ્રચાર કર્યો. એતો અંત્યોખ હતું કે જ્યાં વિશ્વાસીઓ પ્રથમ “ખ્રિસ્તી” કહેવાયા.
  • 47:14 તેઓએ મંડળીઓના વિશ્વાસીઓને પ્રોત્સાહન તથા શિક્ષણ આપવા માટે ઘણાં પત્રો લખ્યા.

શબ્દ માહિતી:

  • Strong's: H539, H540, G543, G544, G569, G570, G571, G3982, G4100, G4102, G4103, G4135

વિશ્વાસ/શ્રદ્ધા

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા તે સંબંધી આત્મવિશ્વાસને દર્શાવે છે.

  • કોઈનામાં “વિશ્વાસ હોવો” એટલે, તે જે કહે છે અને કરે છે તે સાચું અને વિશ્વસનીય છે તેમ માનવું.
  • “ઈસુમાં વિશ્વાસ હોવો” તેનો અર્થ, ઈશ્વરના ઈસુ વિશેના બધાજ શિક્ષણને માનવું. ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન, જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.
  • ઈસુમાં સાચો વિશ્વાસ અથવા માન્યતા, વ્યક્તિને સારા આત્મિક ફળો અથવા સારું વર્તન કરવામાં મદદરૂપ થશે, કારણકે પવિત્ર આત્મા તેનામાં રહે છે.
  • ક્યારેક “વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે ઈસુ વિશેના સઘળા શિક્ષણને દર્શાવે છે, અને તેને “વિશ્વાસના સત્યો” તરીકે અભિવ્યક્તિ કરે છે.
  • “વિશ્વાસ રાખવો” અથવા “વિશ્વાસ મૂકી દેવા,” તેવા સંદર્ભમાં, “વિશ્વાસ” શબ્દ ઈસુ વિશેના સઘળા શિક્ષણમાં વિશ્વાસ કરવાની સ્થિતિને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

  • કેટલાક સદર્ભોમાં, “વિશ્વાસ” શબ્દનું ભાષાંતર, “માન્યતા” અથવા “પ્રતીતિ” અથવા “આત્મવિશ્વાસ” અથવા “ભરોસો” અથવા "શ્રદ્ધા" કરી શકાય છે.
  • કેટલીક ભાષાઓ માટે આ શબ્દો ક્રિયાપદના સ્વરૂપમાં, જેમકે “વિશ્વાસ કરવો.” તેમ વાપરવામાં આવતા હશે. (જુઓ: ભાવવાચક સંજ્ઞા)
  • “વિશ્વાસ રાખો” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “ઈસુમાં વિશ્વાસ રાખો” અથવા “ઈસુમાં માનવાનું ચાલુ રાખો,” એમ કરી શકાય છે.
  • આ વાક્ય, “તેઓ અવશ્ય વિશ્વાસના ઊંડા સત્યો પકડી રાખે” તેનું ભાષાંતર, “તેઓ ઈસુ વિશે ની સઘળી સાચી બાબતો છે કે જે તેઓને શીખવવામાં આવી છે તેમાં વિશ્વાસ રાખવાનું ચાલુ રાખે,” એમ કરી શકાય છે.
  • “વિશ્વાસમાં મારા સાચા દીકરા” અભિવ્યક્તિનું ભાષાંતર, “મારા જેવો દીકરો કોને છે કારણકે મેં તેને ઈસુમાં વિશ્વાસ કરવાનું શીખવ્યું છે” અથવા “મારા આત્મિક દીકરા, જે ઈસુમાં માને છે” એ પ્રમાણે (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: માનવું, વફાદાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 5:6 જયારે ઈસહાક જુવાન માણસ હતો, ત્યારે ઈશ્વરે ઈબ્રાહિમના વિશ્વાસ ની પરીક્ષા કરી એમ કહીને કે "ઈસહાક તારા એકના એક પુત્રને લઇ તું જા અને મને અર્પણ તરીકે તેને મારી નાખ."
  • 31:7 પછી તેણે (ઈસુ) એ પિતરને કહ્યું, “ઓ અલ્પવિશ્વાસી, તેં સંદેહ કેમ રાખ્યો?”
  • 32:16 ઈસુએ તેણીને કહ્યું, “તારા વિશ્વાસે તને સાજી કરી છે. શાંતિએ જા.”
  • 38:9 પછી ઈસુએ પિતરને કહ્યું, શેતાન તારું બધું જ માંગે છે, પણ પિતર, મેં તારા માટે પ્રાર્થના કરી, કે તારો વિશ્વાસ નિષ્ફળ ન જાય.

શબ્દ માહિતી:

  • Strong's: H529, H530, G1680, G3640, G4102, G6066

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો

વ્યાખ્યા:

“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.

  • “વ્યભિચારી” શબ્દ સામાન્ય રીતે એવી વ્યક્તિ દર્શાવે છે કે જે તે વ્યભિચારનું પાપ કરે છે.
  • અમુકવાર “વ્યભિચારીણી” શબ્દ એવી સ્ત્રીને દર્શાવે છે કે જેણે વ્યભિચારનું પાપ કર્યું હોય.
  • વ્યભિચાર એવા પ્રકારના પાપને દર્શાવે છે કે, જે પતિ અને પત્ની પોતાના લગ્નજીવનમાં ઈશ્વર સામે કરેલા કરારનો ભંગ કરી તેનું વચન તોડે છે.
  • દેવે ઇસ્રાએલપુત્રોને વ્યભિચારનું પાપ ન કરવા આજ્ઞા આપી હતી.
  • બાઈબલમાં ઘણીવાર “વ્યભિચારી” શબ્દનો ઉપયોગ ઇસ્રાએલ લોકોના ઈશ્વર પ્રત્યેના અવિશ્વાશીપણા વિશે દર્શાવે છે, ખાસ કરીને જયારે તેઓએ જુઠા દેવોનું ભજન કર્યું.

ભાષાંતર માટે સૂચનો:

  • જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દ ન હોય તો આ શબ્દનું ભાષાંતર આ રીતે થવું જોઈએ, જેમકે “બીજાની પત્ની સાથે જાતીયતાના સબંધો રાખવા” અથવા “બીજા કોઈની પત્ની સાથે વધુ નિકટતાના સબંધો રાખવા.”
  • બીજી ભાષાઓમાં આ શબ્દનો ઉપયોગ આડકતરી રીતે કરવામાં આવે છે.જેમકે “બીજા વ્યક્તિની પત્ની સાથે સુઈ જવું” અથવા “પોતાની પત્નીને અવિશ્વાસુ રહેવું” (જુઓ: સૌમ્યોક્તિ)
  • બાઈબલમાં જયારે "વ્યભિચારી" શબ્દનો રૂપક રીતે ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે આ શબ્દનું લાક્ષણિક અને શ્રેષ્ઠ ભાષાંતર એમ થાય કે, એક બેવફા પતિ કે પત્ની માફક ઈશ્વરની અવગણના કરવી.

જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.

(જુઓ: કરવું, કરાર, જાતીય અનૈતિકતા, સાથે સુઈ જવું, વફાદાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

  • 13:6 "વ્યભિચાર ન કર."
  • 28:2 "વ્યભિચાર ન કર."
  • 34:7 "ધાર્મિક આગેવાન આ પ્રમાણે પ્રાર્થના કરતા કે “પ્રભુ હું તમારો આભાર માનું છું કે બીજા વ્યક્તિના જેવો લુંટારો, અન્યાયી, વ્યભિચારી, કે આ એક દાણી જેવો પાપી નથી.

શબ્દ માહિતી:

  • Strong's: H5003, H5004, G3428, G3429, G3430, G3431, G3432

શરીર, શરીરો

વ્યાખ્યા:

શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે. આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.

  • મોટેભાગે “શરીર” (મૃતદેહ) શબ્દ મરેલા વ્યક્તિ અથવા પ્રાણીને દર્શાવે છે. ક્યારેક આ શબ્દ ”લાશ” અથવા ”શબ” ને દર્શાવે છે.
  • જયારે ઈસુએ તેના શિષ્યોની સાથે છેલ્લા પાસ્ખા ભોજનમાં કહ્યું, “આ (રોટલી) મારું શરીર છે,” તે તેના દૈહિક શરીરને દર્શાવતો હતો કે જે તેમના પાપોની ચુકવણી સારું “ભાંગવામાં” (મારી નાખવામાં) આવશે.
  • બાઈબલમાં ખ્રિસ્તી લોકોના સમુદાયને “ખ્રિસ્તના શરીર” તરીકે દર્શાવામાં આવ્યા છે.
  • જે રીતે દૈહિક શરીરના ઘણા ભાગો હોય છે, તે જ રીતે “ખ્રિસ્તના શરીર” ના પણ વ્યક્તિગત સભ્યો રહેલા છે.
  • દરેક વિશ્વાસીને ખ્રિસ્તના શરીરમાં વિશેષ કાર્ય આપવામાં આવ્યું છે જેથી આખો સમુદાય સાથે મળીને દેવની સેવા અને તેનો મહિમા લાવવા મદદ કરે.
  • ઈસુને પણ તેના વિશ્વાસીઓના “શરીર” ના “શિરપતિ (આગેવાન)” તરીકે દર્શાવામાં આવ્યા છે.

જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.

ભાષાંતરના સૂચનો:

  • આ શબ્દનું ઉત્તમ ભાષાંતર કરવા માટે, લક્ષ ભાષામાં જે સૌથી સામાન્ય શબ્દ હોય તેનો ઉપયોગ કરવો.

ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય. જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.

  • જયારે ઈસુએ કહ્યું, “આ મારું શરીર છે,” તેનું શાબ્દિક ભાષાંતર કરવું અને જરૂર પડે તેની નોંધ લઇ સમજાવવું. અમુક ભાષામાં જયારે મૃત શરીરની વાત કરવામાં આવે ત્યારે તેના માટે અલગ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, જેમકે માણસ માટે “લાશ” અથવા પ્રાણી માટે “મડદું” (મૃતદેહ) હોય શકે. જયારે આવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ધ્યાન રાખવું કે જે તે સંદર્ભમાં તે સ્વીકાર્ય હોય.

(આ પણ જુઓ: શિર, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H990, H1320, H1460, H1465, H1472, H1480, H1655, H3409, H4191, H5038, H5085, H5315, H6106, H6297, H7607, G4430, G4954, G4983, G5559

શાપ, શાપિત, શ્રાપો, શાપ આપવો

વ્યાખ્યા:

“શાપ” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુઓને જેને શાપ આપવામાં આવ્યો છે અથવા તેવી નકારાત્મક વસ્તુ બનવા કારણ થવું.

  • શાપ એ કોઈક અથવા કશાકને નુકશાન થશે તેનું વિધાન (વાક્ય) હોઈ શકે છે.
  • કોઈકને શાપ આપવો એ ઈચ્છાની અભિવ્યક્તિ હોઈ શકે કે તેમનું ખોટું અથવા ખરાબ બાબત થશે.
  • તે સજા તરીકે પણ દર્શાવી શકાય અથવા બીજી નકારાત્મક વસ્તુઓ કે જે બીજા માટે થવા કારણ બને.

ભાષાંતરના સૂચનો:

  • આ શબ્દનું ભાષાંતર, “ખોટી વસ્તુઓ થવા કારણ બનવું” અથવા “કઈંક ખરાબ થશે તે જાહેર કરવું” અથવા “દુષ્ટ વસ્તુઓ થવા માટે સમ ઘાલવા” એમ કરી શકાય છે.
  • દેવ તેના અનાજ્ઞાકિંત લોકો ઉપર શ્રાપો મોકલવાના સંદર્ભમાં, તેનું ભાષાંતર, “ખરાબ વસ્તુઓ દ્વારા સજા થવા દેવી” એમ કરી શકાય છે.
  • જયારે “શાપિત” શબ્દ લોકોનું વર્ણન કરવા વપરાય છે ત્યારે તેનું ભાષાંતર, “(આ વ્યક્તિ) ખૂબ મુશ્કેલીનો અનુભવ કરશે” તરીકે કરી શકાય છે.
  • “શાપિત હોવું” શબ્દસમૂહનું ભાષાંતર, “(આ વ્યક્તિ) પર મોટી મુશ્કેલીઓ આવો” એમ કરી શકાય છે.
  • “ભૂમિ શાપિત છે” શબ્દસમૂહનું ભાષાંતર, “જમીન વધારે ફળદ્રુપ નહીં બને” એમ કરી શકાય છે.
  • “હું જે દિવસે જન્મ્યો તે શાપિત હો” તેનું ભાષાંતર, “હું દુઃખી છું તેથી હું જન્મ્યો ના હોત તો સારું” એમ પણ કરી શકાય છે.
  • તેમ છતાં, જો લક્ષ્ય ભાષામાં “શાપિત હો” એવો શબ્દસમૂહ હોય કે જેનો અર્થ તેના સમાન હોય તો પછી તે જ શબ્દસમૂહ રાખવો તે સારું છે.

(આ પણ જુઓ : આશીર્વાદ)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 2:9 દેવે સાપને કહ્યું, “તું શાપિત હો!”
  • 2:11 “હવેથી ભૂમિ શાપિત છે ,અને તારે અન્ન ઉપજાવવા ભારે પરિશ્રમ કરવો પડશે.”
  • 4:4 “જેઓ તને આશીર્વાદ આપે છે તેઓને હું આશીર્વાદ અને જેઓ તને શાપ આપે છે તેઓને હું શાપ આપીશ.”
  • 39:7 પછી પિતર સમ ખાઈને કહ્યું, “કદાચ જો હું આ માણસ ને જાણતો હોઉં તો દેવ મને શાપ આપો!”
  • 50:16 કારણકે આદમ અને હવા એ દેવની આજ્ઞાનો અનાદર કર્યો અને આ જગતમાં પાપ લાવ્યાં, દેવે તેને (પાપ) શાપ આપ્યો અને નાશ કરવાનું નક્કી કર્યું.

શબ્દ માહિતી:

  • Strong's: H422, H423, H779, H1288, H2763, H2764, H3994, H5344, H6895, H7043, H7045, H7621, H8381, G331, G332, G685, G1944, G2551, G2652, G2653, G2671, G2672, G6035

શાસ્ત્રી, શાસ્ત્રીઓ

વ્યાખ્યા:

શાસ્ત્રીઓ અધિકૃત હતા કે જેઓ સરકારી અથવા ધાર્મિક મહત્વના દસ્તાવેજો હાથથી લખવા અથવા નકલ કરવા જવાબદાર હતા. યહૂદી શાસ્ત્રીનું બીજું નામ “યહૂદી નિયમમાં પારંગત” હતું.

  • શાસ્ત્રીઓ જુના કરારના પુસ્તકોની નકલ કરવા અને સાચવવા જવાબદાર હતા.
  • તેઓએ ઈશ્વરના નિયમ પર ધાર્મિક અભિપ્રાયો અને વિવરણની પણ નકલ, સાચવણી, અને અર્થઘટન પણ કર્યું હતું.
  • એક સમયે, શાસ્ત્રીઓ મહત્વના સરકારી અધિકૃત હતા.
  • બાઈબલ આધારિત મહત્વના શાસ્ત્રીઓમાં બારૂખ અને એઝરાનો સમાવેશ થતો હતો.
  • નવા કરારમાં, “શાસ્ત્રીઓ” શબ્દનો અનુવાદ “નિયમના શિક્ષકો” તરીકે પણ થયો છે.
  • નવા કરારમાં, શાસ્ત્રીઓ સામાન્ય રીતે ધાર્મિક જૂથ “ફરોશી” નામના જૂથના ભાગ હતા, અને બને જૂથનો ઉલ્લેખ વારંવાર સાથે જ કરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: નિયમ, ફરોશી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5608, H5613, H7083, G1122

શિષ્ય, શિષ્યો

વ્યાખ્યા:

“શિષ્ય” શબ્દ, વ્યક્તિ કે જે શિક્ષક સાથે વધારે સમય વિતાવે છે, તે શિક્ષકના ચરિત્ર અને શિક્ષણથી શીખે છે તે માટે દર્શાવાયો છે.

  • જે લોકો ઈસુને અનુસરતા, તેનું શિક્ષણને સાંભળતા અને પાળતા, તેઓ તેના શિષ્યો કહેવાતા હતા.
  • યોહાન બાપ્તિસ્તને પણ શિષ્યો હતા.
  • ઈસુની સેવા, દરમ્યાન, ત્યાં ઘણા શિષ્યો હતા કે જેઓએ તેનું સાભળ્યું અને તેના શિક્ષણને અનુસર્યા.
  • ઈસુએ તેના બાર શિષ્યોને તેના નજીકના અનુયાયીઓ થવા સારું પસંદ કર્યા; આ માણસો તેના “પ્રેરિતો” તરીકે જાણીતા બન્યા.
  • ઈસુના બાર પ્રેરિતોએ તેના “શિષ્યો” અથવા “મુખ્ય બાર” હોવાનું ચાલુ રાખ્યું.
  • ઈસુના સ્વર્ગમાં ગયા અગાઉ, તેણે તેના શિષ્યોને બીજા લોકો ઈસુના શિષ્યો કેવી રીતે બનવું તે વિશે શિક્ષણ આપવાની આજ્ઞા આપી.
  • જેઓ ઈસુમાં માને છે અને તેના શિક્ષણને પાળે છે તેઓને ઈસુના શિષ્યો કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

  • “શિષ્ય” શબ્દનું ભાષાંતર શબ્દ અથવા શબ્દસમૂહ દ્વારા કરવામાં આવે તો તેનો અર્થ, “અનુયાયી” અથવા “છાત્ર” અથવા “વિદ્યાર્થી” અથવા “શિખાઉ” તરીકે કરી શકાય છે.
  • ધ્યાન રાખો કે આ શબ્દનું ભાષાંતર ફક્ત વર્ગખંડમાં શીખતા વિદ્યાર્થીઓને દર્શાવતું નથી.
  • આ શબ્દનું ભાષાંતર “પ્રેરિત” શબ્દના ભાષાંતરથી અલગ હોવું જોઈએ.

(આ પણ જુઓ: પ્રેરિત, માનવું, ઈસુ, યોહાન (બાપ્તિસ્ત), બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 30:8 તેણે (ઈસુએ) તેના શિષ્યોને લોકોને આપવા માટે ટુકડાઓ આપ્યા. શિષ્યોએ ભોજન વહેંચવાનું ચાલુ રાખ્યું, અને તે કદી ખૂટ્યું નહીં.
  • 38:1 લગભગ ત્રણ વર્ષ પછી ઈસુએ જાહેરમાં પ્રથમ શિક્ષણ અને પ્રચાર શરૂ કર્યું, ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે તે યરૂશાલેમમાં તેઓની સાથે પાસ્ખા ની ઉજવણી કરવા માંગે છે,અને ત્યાં તેને મારવામાં આવશે.
  • 38:11 પછી ઈસુ તેના શિષ્યોની સાથે જે જગા ગેથસેમાને કહેવાય છે ત્યાં ગયો. ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે તમે પ્રાર્થના કરતા રહો જેથી તમે પરીક્ષણમાં નહિ પડો.
  • 42:10 ઈસુએ તેના શિષ્યો ને કહ્યું, “સ્વર્ગ અને પૃથ્વી પર બધો જ અધિકાર મને અપાયો છે. તેથી તમે જાઓ અને સર્વ જાતિના લોકોને શિષ્ય બનાવો અને તેમને પિતા, પુત્ર તથા પવિત્ર આત્માને નામે બાપ્તિસ્મા આપતા જાઓ અને જે મેં તમને આજ્ઞા આપી છે તે શીખવતા જાઓ.

શબ્દ માહિતી:

  • Strong's: H3928, G3100, G3101, G3102

શિસ્ત, સ્વ-શિસ્ત

વ્યાખ્યા:

“શિસ્ત” શબ્દ, નૈતિક આચરણ માટે લોકોને આપવામાં આવતી એક દિશાનિર્દેશોનોની શ્રેણીને આધીન થવા માટેની તાલીમને ઉલ્લેખે છે.

  • માબાપ તેઓના બાળકોને નૈતિક માર્ગદર્શન અને દિશા પૂરા પાડે છે જેથી તેઓ શિક્ષણ પ્રાપ્ત કરી શિસ્તથી આજ્ઞાનું પાલન કરે.
  • એ જ રીતે, ઈશ્વર તેમના બાળકોને મદદ કરવા શિસ્ત કરે છે કે તેઓના જીવનમાં તંદુરસ્ત આત્મિક ફળ જેવા કે આનંદ, પ્રેમ, અને ધીરજ ઉત્પન્ન થાય.
  • ઈશ્વરને કેવી રીતે પ્રસન્ન કરી જીવવાની સૂચનાઓ/આજ્ઞાઓની સાથે સાથે ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધના વર્તન માટે સજાનો સમાવેશ શિસ્ત કરે છે.
  • સ્વયં-શિસ્તપાલન, એ પોતાના જીવન માટે નૈતિક અને આત્મિક સિદ્ધાંતોને લાગુ કરવાની પ્રક્રિયા છે.

ભાષાંતરના સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને “શિસ્ત” શબ્દનું ભાષાંતર, “તાલીમ અને સૂચના આપવી” અથવા “નૈતિક માર્ગદર્શન” અથવા “ખોટું કર્યા બદલ થતી શિક્ષા,” એવું (ભાષાંતર) કરી શકાય છે.
  • “શિસ્ત” સંજ્ઞાનું/નામનું ભાષાંતર, “નૈતિક તાલીમ” અથવા “સજા” અથવા “નૈતિક સુધારો” અથવા “નૈતિક માર્ગદર્શન અને સૂચના” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H4148, G1468

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ, કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી, થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

  • જૂના કરારના નિયમોના સંબંધમાં, “શુદ્ધ કરવું” અને “શુદ્ધિકરણ” મુખ્યત્વે કોઈ વસ્તુ અથવા તો વ્યક્તિને જે બાબતો વિધિવત અશુદ્ધ કરે છે તે બાબતોથી શુદ્ધ કરવાનો ઉલ્લેખ કરે છે, જેમ કે રોગ, શરીરના પ્રવાહી સ્રાવ અથવા તો બાળકનો જન્મ.
  • જૂના કરારમાં લોકોએ કેવી રીતે પાપથી શુદ્ધ થવું તે ફરમાવતા નિયમો પણ હતા જે સામાન્યપણે પ્રાણીના બલિદાન દ્વારા થતું હતું. આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.
  • નવા કરારમાં, શુદ્ધ થવું ઘણી વાર પાપથી શુદ્ધ થવું નો ઉલ્લેખ કરે છે.
  • લોકો માટે પાપથી સંપૂર્ણપણે અને સદાને માટે શુદ્ધ થવાનો એક માત્ર માર્ગ ઈસુ પર અને તેમના બલિદાન પર વિશ્વાસ કરવા દ્વારા પશ્ચાતાપ કરવો અને ઈશ્વરની માફી મેળવવી તે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “શુદ્ધ કરવું” શબ્દનો અનુવાદ “શુદ્ધ બનાવવું” અથવા તો “સાફ કરવું” અથવા તો “બધા જ પ્રદૂષણોથી સાફ કરવું” અથવા તો “બધા જ પાપ દૂર કરવા” કરી શકાય.
  • “જ્યારે તેમના શુદ્ધિકરણનો સમય પૂરો થયો” જેવા શબ્દસમૂહનો અનુવાદ “જરૂરી દિવસો સુધી રાહ જોવા દ્વારા જ્યારે તેમણે પોતાને શુદ્ધ કર્યા” કરી શકાય.
  • “પાપ માટે શુદ્ધિકરણ પૂરું પાડ્યું” શબ્દસમૂહનો અનુવાદ “લોકો માટે તેમના પાપથી સંપૂર્ણપણે શુદ્ધ થવાનો માર્ગ પૂરો પાડ્યો” કરી શકાય.
  • “શુદ્ધિકરણ” ના અન્ય અનુવાદ “સાફ કરવું” અથવા તો “આત્મિક અર્થમાં ધોવું” અથવા તો “વિધિવત રીતે શુદ્ધ બનવું” નો સમાવેશ કરે છે.

(આ જૂઓ: પ્રાયશ્ચિત, સાફ કરવું, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1249, H1252, H1253, H1305, H1865, H2134, H2135, H2141, H2212, H2398, H2403, H2561, H2889, H2890, H2891, H2892, H2893, H3795, H3800, H4795, H5343, H5462, H6337, H6884, H6942, H8562, G48, G49, G53, G54, G1506, G2511, G2512, G2513, G2514

શુદ્ધ, સાફ કરવું

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

  • “શુદ્ધ” કરવાની પ્રક્રિયા, એટલે કશુંક “શુદ્ધ કરવું.” તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.
  • ઈશ્વરે જૂના કરારમાં ઈઝરાએલીઓને નિર્દેશ કરીને કહ્યું હતું કે કયા પ્રાણીઓ ધાર્મિક રીતે “શુદ્ધ” અને કયા “અશુદ્ધ” છે. ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓનો ઉપયોગની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે ઈશ્વરને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.
  • વ્યક્તિ કે જેને ચોક્કસ ચામડીના રોગો હોય, તેને જ્યાં સુધી વ્યક્તિની ચામડી ચેપ પર પુરુ સાજપણું ન આવે ત્યાં સુધી તે અશુદ્ધ ગણાતો. ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.
  • ક્યારેક “શુદ્ધ” શબ્દ, રૂપકાત્મક રીતે નૈતિક શુધ્ધતા દર્શાવવા માટે વપરાય છે.
  • બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને ઈશ્વરે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.
  • ઈશ્વરે ઈઝરાયેલીઓને કયા પ્રાણીઓ “શુદ્ધ” અને કયા “અશુદ્ધ” હતાં તે વિશે સૂચના આપી. અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે ઉપયોગની પરવાનગી આપી નહોતી.
  • ચોક્કસ પ્રકારના ચામડીના રોગોવાળા લોકો સાજા થાય નહીં, ત્યાં સુધી તેઓ “અશુદ્ધ” કહેવાતા હતા.
  • જો ઈઝરાએલીઓ કઈંક “અશુદ્ધ” સ્પર્શ કરે તેઓ ચોક્કસ સમયગાળા માટે અશુદ્ધ ગણાતા.
  • ઈઝરાએલીઓ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ ઈશ્વરની સેવા માટે અલગ કરાયેલા હતા.
  • શારીરિક અને ક્રિયાકાંડોની અશુદ્ધતા એ નૈતિક અશુધ્ધ્તાનું પણ સંકેત હતું.
  • અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

  • સામાન્ય રીતે આ શબ્દનું ભાષાંતર, “શુદ્ધ” અથવા “ચોખ્ખું” જેવા શબ્દો વડે થઇ શકે છે (તેનો અર્થ, એવું જે ગંદુ ન હોય).
  • આ શબ્દનું બીજી રીતે ભાષાંતર કરીએ તો “ધાર્મિક રીતે શુદ્ધ” અથવા “ઈશ્વરને સ્વીકાર્ય” જેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
  • “સ્વચ્છ કરવું” શબ્દનું ભાષાંતર “ધોવું” અથવા “શુદ્ધ કરવું” થઇ શકે છે.
  • ધ્યાન રાખો કે શબ્દો જેવા કે “શુદ્ધ” અથવા “શુદ્ધ કરવું” તે રૂપકાત્મક ભાવમાં પણ સમજાવા જોઈએ.
  • “અશુદ્ધ” શબ્દનું ભાષાંતર, “શુદ્ધ નથી” અથવા “ઈશ્વરની નજરમાં અયોગ્ય છે” અથવા “શારીરિક રીતે અશુદ્ધ” અથવા “અશુદ્ધ થયેલ” તરીકે પણ કરી શકાય છે.
  • ભૂતપ્રેતને અશુદ્ધ આત્મા તરીકે દર્શાવવામાં આવે તે વખતે, “અશુદ્ધ” નું ભાષાંતર “દુષ્ટ” અથવા “અશુદ્ધ” તરીકે કરી શકાય.
  • આત્મિક અસ્વચ્છતાના ભાષાંતર માટે આ શબ્દ વાપરી શકાય. આ શબ્દ, ઈશ્વરે જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ થવું, ભૂતપ્રેત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1249, H1252, H1305, H2134, H2135, H2141, H2398, H2548, H2834, H2889, H2890, H2891, H2893, H2930, H2931, H2932, H3001, H3722, H5079, H5352, H5355, H5356, H6172, H6565, H6663, H6945, H7137, H8552, H8562, G167, G169, G2511, G2512, G2513, G2839, G2840, G3394, G3689

શેતાન, શેતાન, દુષ્ટ

તથ્યો:

જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો. તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

  • શેતાન ઈશ્વર અને ઈશ્વરે સૃજાવેલા સઘળાને ધિક્કારે છે કારણ કે તે ઈશ્વરની જગ્યા લેવા માંગે છે અને લોકો તેનું ઈશ્વર તરીકે ભજન કરે એવું ઈચ્છે છે.
  • શેતાન લોકોને ઈશ્વરની વિરુદ્ધ બંડ કરવાં લલચાવે છે.
  • ઈશ્વરે લોકોને શેતાનના નિયંત્રણથી છોડાવવા માટે તેમના દીકરા, ઈસુને મોકલ્યાં.
  • શેતાનનો અર્થ “વિરોધી” અથવા “દુશ્મન” થાય છે.
  • “શેતાન” શબ્દનો અર્થ “દોષ મુકનાર” થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “શેતાન” શબ્દનો અનુવાદ “દોષ મુકનાર” અથવા “દુષ્ટ વ્યક્તિ” અથવા “દુષ્ટાત્માઓનો રાજા” અથવા “મુખ્ય દુષ્ટ આત્મા” એમ પણ કરી શકાય.
  • “શેતાન” નો અનુવાદ “હરીફ” અથવા “વિરોધી” અથવા બીજું કોઈ નામ કે જે બતાવે કે તે શેતાન છે.
  • આ શબ્દનો અનુવાદ અશુદ્ધ આત્મા અને દુષ્ટાત્માથી અલગ રીતે થવો જોઈએ.
  • આ શબ્દનો અનુવાદ સ્થાનિક અને રાષ્ટ્રીય ભાષામાં કેવી રીતે થાય છે તે ધ્યાન આપો.

(જુઓ: અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું)

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(જુઓં: અશુદ્ધ આત્મા, દુષ્ટl, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 21:1 સાપ કે જેણે હવાને ભરમાવી તે શેતાન હતો.

વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.

  • 25:6 પછી શેતાન જગતના સઘળાં રાજ્ય તથા તેઓનો મહિમા ઈસુને દેખાડ્યા અને કહ્યું, “જો તમે પગે પાડીને મારું ભજન કરો, તો આ સઘળાં હું તમને આપીશ.”
  • 25:8 ઈસુ પડ્યા નહિ શેતાનના પરીક્ષણોમાં, તેથી શેતાન તેમને છોડીને ચાલ્યો ગયો.
  • 33:6 તેથી ઈસુએ સમજાવ્યું, “બીજ એ તો ઈશ્વરનું વચન છે.

રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”

  • 38:7 યહુદાએ રોટલી લીધી પછી, શેતાન તેનામાં પ્રવેશ્યો.
  • 48:4 ઈશ્વરે વચન આપ્યું કે હવાનું એક વંશજ છુંદશે શેતાનનું શિર, અને શેતાન તેઓની એડી છુંદશે.

તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.

  • 49:15 ઈશ્વરે તમને ખેંચી લીધા છે શેતાનના અંધકારના રાજ્યમાંથી અને ઈશ્વરના પ્રકાશના રાજ્યમાં મૂક્યાં છે.
  • 50:9 “ખરાબ ઘાસ એવા લોકોને સૂચવે છે કે જેઓ સંબંધિત છે દુષ્ટ વ્યક્તિને.

દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”

  • 50:10 “જ્યારે જગતનો અંત આવશે, ત્યારે દૂતો સર્વ લોકોને ભેગા કરશે કે જેઓ સંબંધિત છે શેતાનને અને તેઓને બળતી અગ્નિમાં ફેંકી દેશે, જ્યાં તેઓ ભયંકર યાતનામાં રડશે અને પોતાના દાંત પીસશે.”
  • 50:15 જ્યારે ઈસુ પાછા આવશે, ત્યારે તેઓ સંપૂર્ણપણે નાશ કરશે શેતાન અને તેના રાજ્યનો.

તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.

શબ્દ માહિતી:

  • Strong's: H7700, H7854, H8163, G1139, G1140, G1141, G1142, G1228, G4190, G4566, G4567

શેષ

વ્યાખ્યા:

“શેષ” શબ્દ શાબ્દિક રીતે લોકો અથવા વસ્તુઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ મોટા જૂથ અથવા તો પ્રમાણમાંથી “બાકી બચેલા” અથવા તો “બાકી વધેલા” છે.

  • ઘણીવાર “શેષ” એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ જીવનની જોખમભરી પરિસ્થિતીથી બચી ગયા હોય અથવા તો સતાવણીમાંથી પસાર થતી વખતે ઈશ્વરને વિશ્વાસુ રહ્યા હોય.
  • જેઓ બહારના લોકોના હુમલાઓથી બચી જશે અને કનાન દેશમાં વચનની ભૂમિમાં પાછા ફરવા જીવતા રહેશે તેવા યહૂદીઓના જૂથનો ઉલ્લેખ યશાયાએ શેષ કરીકે કર્યો હતો.
  • પાઉલ ઈશ્વરે તેમની કૃપા મેળવવા પસંદ કરેલા લોકોના “શેષ” વિષે વાત કરે છે.
  • “શેષ” શબ્દ સૂચિત કરે છે કે બીજા લોકો પણ હતા કે જેઓ વિશ્વાસુ રહ્યા નહીં અથવા તો બચ્યા નહીં અથવા તો તેઓને પસંદ કરવામાં આવ્યા નહોતા.

અનુવાદ માટેના સૂચનો:

  • “આ લોકોનો શેષ” એવા શબ્દસમૂહનો અનુવાદ “આ લોકોમાંના બાકીના લોકો” અથવા તો “જે લોકો વિશ્વાસુ રહ્યા તેઓ” અથવા તો “બાકી રહેલા લોકો” તરીકે કરી શકાય.
  • “લોકોનો તમામ શેષ” નો અનુવાદ “બાકીના બધા જ લોકો” અથવા તો “બાકી રહેલા લોકો” તરીકે કરી શકાય.

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3498, H3499, H5629, H6413, H7604, H7605, H7611, H8281, H8300, G2640, G3005, G3062

સંગત

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “સંગત” શબ્દ, લોકોના જૂથના સભ્યો વચ્ચે મૈત્રીપૂર્ણ વાર્તાલાપ કે જેઓ સમાન રૂચિ અને અનુભવોની આપ લે કરે છે.

  • બાઈબલમાં, સામાન્ય રીતે “સંગત” શબ્દ, ખ્રિસ્તના વિશ્વાસીઓની એકતા માટે દર્શાવાયો છે.
  • ખ્રિસ્તી સંગત એ સંબંધોની આપ લે છે કે, જે વિશ્વાસીઓને એકબીજા સાથે તેઓના ખ્રિસ્ત અને પવિત્ર આત્માના સંબંધના કારણે હોય છે.
  • શરૂઆતના ખ્રિસ્તીઓ દેવના વચનના શિક્ષણને સાંભળી અને એકસાથે પ્રાર્થના દ્વારા, તેઓના સામાનની આપલે કરીને, અને એકસાથે ભોજન કરીને વ્યક્ત કરતા હતા.
  • ખ્રિસ્તીઓ તેઓના ઈસુમાં વિશ્વાસ અને તેના વધસ્તંભ પરના તેના બલિદાનના મૃત્યુ દ્વારા કે જે દેવ અને લોકો વચ્ચેનો અવરોધ દૂર કરે છે તે દ્વારા દેવની સાથે સંગત થાય છે.

ભાષાંતરના સૂચનો:

  • “સંગત” શબ્દના ભાષાંતરમાં, “એકસાથે વહેંચીને ખાવું” અથવા “સંબંધ” અથવા “સોબત” અથવા “ખ્રિસ્તી સમાજ” એવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2266, H8667, G2842, G2844, G3352, G4790

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

  • મંડળીના ઇતિહાસમાં પાછળથી, પોતાના સારા કાર્યો માટે જાણીતા વ્યક્તિને “સંત” શિર્ષક આપવામાં આવ્યું હતું, પરંતુ નવા કરારના સમય દરમિયાન આ શબ્દનો ઉપયોગ આ પ્રમાણે થતો ન હતો..
  • ઈસુમાં વિશ્વાસ કરનારાઓ સંતો કે પવિત્ર વ્યક્તિઓ છે, તેઓએ જે કર્યું તેને કારણે નહિ, પરંતુ તેને બદલે ઈસુ ખ્રિસ્તના બચાવ કાર્યમાં તેઓના વિશ્વાસને કારણે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “સંતો”નું અનુવાદ કરવાની રીતોમાં “પવિત્ર વ્યક્તિઓ” અથવા “પવિત્ર લોકો” અથવા “ઈસુમાં પવિત્ર વિશ્વાસીઓ” અથવા “અલગ કરાયેલાઓ” નો સમાવેશ થઇ શકે છે.
  • કાળજી રાખો એવાં શબ્દનો ઉપયોગ ન કરવાં માટે જે માત્ર એક જ ખ્રિસ્તી જૂથના લોકોનો ઉલ્લેખ કરતો હોય .

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2623, H6918, H6922, G40

સદૂકી, સદૂકીઓ

વ્યાખ્યા:

ઈસુ ખ્રિસ્તના સમય દરમિયાન સદૂકીઓ યહૂદી યાજકોનું રાજકીય જૂથ હતું. તેઓ રોમન સત્તાને સમર્થન આપતાં હતાં અને પુનરુત્થાનમાં માનતાં ન હતાં.

  • ઘણાં સદૂકીઓ શ્રીમંત, ઉચ્ચ કક્ષાના યહૂદીઓ કે જેઓ મુખ્ય યાજક અને પ્રમુખ યાજક જેવાં શક્તિશાળી નેતૃત્વવાળા દરજ્જા ધરાવતાં હતાં.
  • સદૂકીઓની ફરજોમાં મંદિર સંકુલની સંભાળ રાખવી અને બલિદાનો આપવા જેવા યાજકવર્ગના કાર્યોનો સમાવેશ થતો હતો.
  • સદૂકીઓ અને ફરોશીઓએ રોમન આગેવાનોને ઈસુને વધસ્તંભે જડવાં માટે પ્રભાવિત કર્યા હતા.
  • ઈસુ આ બે ધાર્મિક જૂથો વિરુદ્ધ તેમના સ્વાર્થીપણા અને ઢોંગને કારણે બોલ્યાં હતા.

(આ પણ જુઓ: મુખ્ય યાજકો, પરિષદ, પ્રમુખ યાજક, ઢોંગી, યહૂદી આગેવાનો, ફરોશી, યાજક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G4523

સભાસ્થાન

વ્યાખ્યા:

સભાસ્થાન એ એક એવી ઇમારત છેકે જ્યાં યહૂદી લોકો ઈશ્વરનું ભજનકરવા ભેગા મળે છે.

  • પ્રાચીન સમયથી, સભાસ્થાનની સેવામાં પ્રાર્થના,શાસ્ત્રવાચન અને શાસ્ત્ર અંગેના શિક્ષણના સમયનો સમાવેશ થયેલ છે.
  • યહુદીઓએ શરૂઆતના સ્થળો તરીકે સભાસ્થાનોનું બાંધકામ શરૂ કર્યું, જેથી તેઓ પોતાનાં શહેરોમાં પ્રાર્થના અને ભજન કરી શકે, કેમ કે તેઓમાંના ઘણા યરૂશાલેમના મંદિરથી દૂર રહેતા હતા.
  • ઈસુએ વારંવાર સભાસ્થાનોમાં શીખવ્યું અને ત્યાં લોકોને સાજા કર્યા.
  • "સભાસ્થાન" શબ્દનો અલંકારિક અર્થ ત્યાં ભેગા થયેલા લોકોના સમૂહને દર્શાવવા થાય છે.

(આ પણ જુઓ: સાજાથવું, યરુશાલેમ, યહુદી, પ્રાર્થના, મંદિર, દેવનું વચન, ભજન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4150, G656, G752, G4864

સમાધાન કરવું, સમાધાન કરે છે, સમાધાન કર્યું, સમાધાન

વ્યાખ્યા:

“સમાધાન કરવું” અને “સમાધાન” જે લોકો અગાઉ એકબીજાના દુશ્મન હતા તેઓ વચ્ચે “શાંતિ કરાવવી” તેનો ઉલ્લેખ કરે છે. “સમાધાન” એ શાંતિ કરાવવાનું કાર્ય છે.

  • બાઇબલમાં, આ શબ્દ ઈશ્વર પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા લોકો સાથે સમાધાન કરે છે તેનો ઉલ્લેખ કરે છે.
  • પાપને કારણે બધા જ મનુષ્યો ઈશ્વરના દુશ્મન છે.

પણ પોતાના કરુણામય પ્રેમને કારણે ઈશ્વરે લોકોને ઈસુ દ્વારા પોતાની સાથે સમાધાન પામવાનો માર્ગ પૂરો પાડ્યો.

  • પોતાના પાપ માટે ઈસુના બલિદાનને ચુકવણી તરીકે માનીને લોકો માફી પામી શકે છે અને ઈશ્વર સાથે શાંતિ સ્થાપી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “સમાધાન કરવું” શબ્દનો અનુવાદ “શાંતિ સ્થાપવી” અથવા તો “સારા સંબંધો પુનઃસ્થાપિત કરવા” અથવા તો “મિત્રો બને તેવું કરવું” તરીકે કરી શકાય.
  • “સમાધાન” શબ્દનો અનુવાદ “સારા સંબંધો પુનઃસ્થાપિત કરવા” અથવા તો “શાંતિ કરાવવી” અથવા તો “શાંતિમય સંબંધો કેળવવા” તરીકે કરી શકાય.

(જુઓં: શાંતિ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2398 , H3722 , G604 , G1259 , G2433 , G2643, G2644

સર્વશક્તિમાન

સત્યો:

બાઇબલમાં “સર્વશક્તિમાન” શબ્દનો શાબ્દિક અર્થ “સંપૂર્ણ રીતે શક્તિશાળી” થાય છે, તે હમેશાં ઈશ્વર માટે વપરાયો છે.

  • “સર્વશક્તિમાન” અથવા “પૂર્ણ શક્તિશાળી” હમેશાં ઈશ્વર માટે વપરાતા શીર્ષકો છે, કે જેની પાસે સંપૂર્ણ સામર્થ્ય અને અધિકાર રહેલા છે.
  • આ શબ્દ ઈશ્વરના શીર્ષકો દર્શાવવા માટે વાપરવામાં આવ્યા છે, જેમકે “સર્વશક્તિમાન ઈશ્વર” અને “ઈશ્વર જે સર્વશક્તિમાન છે” અને “પ્રભુ જે સર્વશક્તિમાન છે” અને “પ્રભુ ઈશ્વર જે સર્વશક્તિમાન છે”

ભાષાંતર માટેના સુચનો:

  • આ શબ્દનું ભાષાંતર ઈશ્વર “સર્વશક્તિમાન” અથવા “સંપૂર્ણ રીતે શક્તિશાળી” અથવા “ઈશ્વર જે સર્વશક્તિમાન છે” તેવો થઈ શકે છે.
  • “પ્રભુ દેવ સર્વશક્તિમાન” શબ્દ નું ભાષાંતર એમ થઇ શકે છે કે “ઈશ્વર જે સામર્થ્યવાન છે” અથવા “સામર્થ્યવાન સાર્વભોમ ઈશ્વર” અથવા “સામર્થ્યવાન ઈશ્વર જે સર્વ ઉપર સ્વામી છે.”

(ભાષાંતરના સુચનો: નામનું ભાષાંતર કેવી રીતે કરવું)

(જુઓ: ઈશ્વર, પ્રભુ, સામર્થ્ય)

બાઇબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H7706, G38410

સાચું, સત્ય

વ્યાખ્યા:

"સત્ય" શબ્દ એક અથવા વધુ ખ્યાલો છે જે હકીકતો છે, વાસ્તવમાં જે ઘટનાઓ બને છે, અને વાસ્તવમાં કહેવામાં આવતા નિવેદનોનો ઉલ્લેખ કરે છે. આવા ખ્યાલોને "સાચા" કહેવાય છે. સાચી ઘટનાઓ વાસ્તવમાં બનેલી ઘટનાઓ છે. સાચા વાક્યો એ વાક્યો છે જે વાસ્તવિક દુનિયા પ્રમાણે ખોટા નથી.

  • "સાચી" વસ્તુઓ વાસ્તવિક, અસલી, ખરેખરી, યોગ્ય, કાયદેસર અને હકીકતલક્ષી છે.
  • "સત્ય" એક સમજણો, માન્યતાઓ, તથ્યો અથવા નિવેદનો છે જે સાચા છે.
  • એમ કહેવું કે ભવિષ્યવાણી "સાચી પડી" અથવા "સાચી થઈ જશે" એનો અર્થ એ થયો કે તે વાસ્તવમાં આગાહી પ્રમાણે થયું કે તે પ્રમાણે થશે.
  • બાઇબલમાં "સત્ય"નો ખ્યાલ એવી રીતે કામ કરવાના ખ્યાલનો સમાવેશ કરે છે જે વિશ્વસનીય અને વફાદાર છે.
  • ઈસુએ ઈશ્વરનું સત્ય તેમણે કહેલા શબ્દોમાં પ્રગટ કર્યું..
  • બાઇબલ/ઈશ્વરના શબ્દ સત્ય છે. તે ખરેખર જે થયું છે તે વિશે કહે છે અને ઈશ્વર વિષે અને તેમણે જે કંઈ પણ બનાવ્યું છે તે બધું સાચું છે, તે વિષે શીખવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • સંદર્ભ અને તેના વર્ણનના આધારે, "સાચું" શબ્દનો અનુવાદ "વાસ્તવિક" અથવા "તથ્યપૂર્ણ" અથવા "સાચા" અથવા "ખરું" અથવા "ચોક્કસ" અથવા "અસલી" પણ કરી શકાય છે.
  • "સત્ય" શબ્દને ભાષાંતર કરવાની રીતોમાં "સાચું શું છે" અથવા "હકીકત" અથવા "નિશ્ચિતતા" અથવા "સિદ્ધાંત" શામેલ હોઈ શકે છે.
  • "સાચું થયું છે" અભિવ્યક્તિ "ખરેખર થયું છે" અથવા "પૂર્ણ થયું" અથવા "આગાહી પ્રમાણે થવું" તરીકે અનુવાદિત કરવામાં આવે છે.
  • "સત્ય કહો" અથવા "સત્ય બોલો" અભિવ્યક્તિનો " શું સાચું છે તે કહો " અથવા " ખરેખર શું થયું તે કહો " અથવા " જે વિશ્વસનીય છે કહો." તરીકે પણ અનુવાદ કરી શકાય.
  • "સત્ય સ્વીકારવું"નું ભાષાંતર કરી શકાય છે " ઈશ્વર વિશે જે સાચું છે તે માનવું "
  • "આત્મામાં તથા સત્યમાં ઈશ્વરની ભક્તિ કરવી" જેવી અભિવ્યક્તિનું, "સત્યમાં" શબ્દનો અર્થ "ઈશ્વરે આપણને જે શીખવ્યું છે તે પાળવું" એવું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: માને છે, વફાદાર, પરિપૂર્ણ, આજ્ઞા પાળવી, પ્રબોધક, સમજવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 2:4 સર્પે સ્ત્રીને પ્રત્યુત્તર આપ્યો, 'તે સાચું નથી! તમે મરશો નહીં.”
  • 14:6 તરત જ કાલેબ અને યહોશુઆ, અન્ય બે જાસૂસોએ કહ્યું કે, "તે સાચું છે કે કનાનના લોકો ઉંચા અને મજબૂત છે, પણ આપણે તેમને હરાવી શકીએ છીએ!"
  • 16:1 ઇઝરાયેલીઓએ યહોવાહ, સાચા ઈશ્વરને બદલે કનાની દેવોની પૂજા કરવાનું શરૂ કર્યું.
  • 31:8 તેઓએ ઈસુની ભક્તિ કરી, તેમને કહ્યું, "સાચે જ, તમે ઈશ્વરના પુત્ર છો."
  • 39:10 "હું પૃથ્વી પર ઈશ્વર વિશેનું સત્ય કહેવા આવ્યો છું. જે કોઈ સત્ય ને પ્રેમ કરે છે તે મારું સાંભળે છે." પિલાતે પૂછ્યું, " સત્ય શું છે?"

શબ્દ માહિતી:

  • Strong's: H199, H389, H403, H529, H530, H543, H544, H551, H571, H935, H3321, H3330, H6237, H6656, H6965, H7187, H7189, G225, G226, G227, G228, G230, G1103, G3303, G3483, G3689, G4103, G4137

સામર્થ્ય, બળવાન, શક્તિશાળી

વ્યાખ્યા:

“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. “શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.

  • “ઈશ્વરનું સામર્થ્ય” શબ્દ ઈશ્વરની બધું જ કરવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવી બાબતો કરવાની ક્ષમતા કે જે મનુષ્યો માટે અશક્ય હોય.
  • ઈશ્વર પાસે તેઓએ સૃજેલી દરેક બાબત પર સંપૂર્ણ સત્તા છે.
  • ઈશ્વર જે ઈચ્છે છે તે કરવા પોતાના લોકોને સામર્થ્ય આપે છે, કે જેથી જ્યારે તેઓ લોકોને સાજા કરે કે બીજા ચમત્કારો કરે ત્યારે, તેઓ તે ઈશ્વરના સામર્થ્યથી કરે.
  • કારણ કે ઈસુ અને પવિત્ર આત્મા પણ ઈશ્વર છે, તેઓ પાસે સમાન સામર્થ્ય છે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભ અનુસાર, “સામર્થ” શબ્દનો અનુવાદ “ક્ષમતા” અથવા તો “બળ” અથવા તો “શક્તિ” અથવા તો “ચમત્કારો કરવાની ક્ષમતા” અથવા તો “નિયંત્રણ” તરીકે પણ કરી શકાય.
  • “શક્તિઓ” શબ્દનો અનુવાદ “શક્તિશાળી જીવો” અથવા તો “નિયંત્રણ કરનારા આત્માઓ” અથવા તો “જેઓ બીજાઓને નિયંત્રિત કરે છે તેઓ” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: બળ, પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)

બાઈબલના સંદર્ભો:

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 22:5 દૂતે સમજાવ્યું, “પવિત્ર આત્મા તારા પર આવશે અને ઈશ્વરનું સામર્થ તારા પર આચ્છાદાન કરશે. તેથી તે બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.
  • 26:1 શેતાનના પરીક્ષણો પર વિજય પામ્યા બાદ, ઈસુ પવિત્ર આત્માના સામર્થ્યમાં ગાલીલના પ્રદેશમાં કે જ્યાં તેઓ રહેતા હતા ત્યાં પાછા ફર્યા.
  • 32:15 તરત જ ઈસુને ખબર પડી કે તેમનામાંથી સામર્થ્ય નિકળ્યું હતું.
  • 42:11 ઈસુ મરણમાંથી સજીવન થયાના ચાલીસ દિવસ બાદ, તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવે ત્યારે મારા પિતા તમને સામર્થ આપે ત્યાં સુધી યરૂશાલેમમાં રહો.”
  • 43:6 “ઈઝરાયલના માણસો, જેમ તમે જોયું છે અને જાણો છો તેમ ઈસુ એ માણસ હતા કે જેમણે ઈશ્વરના સામર્થ્યથી મહાન ચિહ્નો અને આશ્ચર્યકૃત્યો કર્યા.”
  • 44:8 પિતરે તેઓને જવાબ આપ્યો, “આ માણસ તમારી સમક્ષ ઈસુ મસીહાના સામર્થ્યથી સાજો થઈને ઊભો છે.”

શબ્દ માહિતી:

  • Strong's: H410, H1369, H2220, H2428, H2429, H2632, H3027, H3028, H3581, H4475, H4910, H5794, H5797, H5808, H6184, H7786, H7980, H7981, H7983, H7989, H8280, H8592, H8633, G1411, G1415, G1756, G1849, G1850, G2478, G2479, G2904, G3168

સારા સમાચારો, સુવાર્તા

વ્યાખ્યા:

“સુવાર્તા” શબ્દનો શાબ્દિક અર્થ, “સારા સમાચાર” અને સંદેશ અથવા જાહેરાત થાય છે, જેનાથી જે લોકોને જે કંઈક કહે છે તેનાથી તેઓને લાભ થાય છે અને પ્રસન્ન કરે છે.

  • બાઈબલમાં, સામાન્ય રીતે આ શબ્દ ઈસુના વધસ્તંભ ઉપરના બલિદાન દ્વારા લોકો માટે ઈશ્વરની મુક્તિ વિશેનો જે સંદેશ છે તેને દર્શાવે છે.
  • લગભગ બધા અંગ્રેજી બાઈબલોમાં, “શુભ સમાચાર”ને “સુવાર્તા’ તરીકે ભાષાંતર કર્યું છે, અને શબ્દસમૂહોમાં જેવા કે, “ઈસુ ખ્રિસ્તની સુવાર્તા,” “દેવનીસુવાર્તા” અને “રાજ્યની સુવાર્તા” (શબ્દસમૂહો) પણ વાપરવામાં આવ્યા છે.

ભાષાંતરના સૂચનો:

  • વિવિધ રીતે આ શબ્દનું ભાષાંતર કરવામાં આવે તો, “સારો સંદેશ” અથવા “સારી જાહેરાત” અથવા “દેવનો તારણનો સંદેશ” અથવા “ઈસુ વિશે દેવ સારી બાબતો શીખવે છે” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, “સુવાર્તાનું” શબ્દસમૂહના ભાષાંતરમાં, “સુવાર્તા/ (તેના વિશે) સંદેશ” અથવા “(તેના) તરફથી સારો સંદેશ” અથવા “સારી બાબતો વિશે દેવ આપણને કહે છે” અથવા “દેવ જણાવે છે કે કેવી રીતે લોકોને બચાવે છે” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: રાજ્ય, બલિદાન, બચાવવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 23:6 દૂતે કહ્યું, “ભયભીત ન થા, કારણકે તારા માટે મારી પાસે સારા (આનંદના) સમાચાર છે. મસીહા, સ્વામી, બેથલેહેમમાં જન્મ્યો છે!”
  • 26:3 ઈસુએ વાંચ્યું, “દેવે તેનો આત્મા મને આપ્યો છે, જેથી હું દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરી શકું, બંદીવાનોને છૂટકારો, અંધજનોને દૃષ્ટિ પામવાનું, અને કચડાયેલાને છોડાવી શકું. આ વર્ષ પ્રભુની કૃપા છે.”
  • 45:10 ફિલિપે તેને ઈસુની સુવાર્તા જણાવવા અન્ય ધર્મશાસ્ત્રોનો પણ ઉપયોગ કર્યો.
  • 46:10 પછી તેઓએ ઈસુ વિશેની સુવાર્તા પ્રચાર કરવા તેઓને ઘણી અન્ય જગાઓમાં મોકલી દીધા.
  • 47:1 એક દિવસે, પાઉલ અને તેનો મિત્ર સિલાસ ઈસુ વિશેની સુવાર્તા પ્રગટ કરવા ફિલિપ્પી શહેરમાં ગયા.
  • 47:13 ઈસુ વિશેની સુવાર્તા પ્રસરતી ગઈ અને મંડળી વધતી ગઈ.
  • 50:1 લગભગ 2,000 વર્ષોથી, દુનિયાની આસપાસ વધુ અને વધુ લોકો ઈસુ મસીહા વિશેની સુવાર્તા સાંભળી રહ્યા છે.
  • 50:2 જયારે ઈસુ જગત પર જીવતો હતો ત્યારે તેણે કહ્યું, “મારા શિષ્યો જગતમાં બધેજ મારા રાજ્ય વિશેની સુવાર્તા લોકોને પ્રચાર કરશે, અને ત્યાર પછી (દુનિયાનો) અંત આવશે.
  • 50:3 તેના સ્વર્ગમાં પાછા ગયા અગાઉ, ઈસુએ જેઓએ કદી સુવાર્તા સાંભળી નથી, તે લોકોને સુવાર્તા પ્રચાર કરવા ખ્રિસ્તીઓને જણાવ્યું.

શબ્દ માહિતી:

  • Strong's: G2097, G2098, G4283

સારું, યોગ્ય, સુખદ, વધુ સારું, શ્રેષ્ઠ, ભલાઈ

વ્યાખ્યા:

“સારું” શબ્દ સામાન્ય રીતે કોઈકની કોઈકના પ્રત્યેના હકારાત્મક મૂલ્યાંકનની લાગણી, મહદઅંશે નૈતિક અને લાગણીકીય અર્થમાં, નો ઉલ્લેખ કરે છે. જો કે  બાઇબલમાં આ શબ્દ વિવિધ બારીક વિગતોને તેના સંદર્ભના અર્થમાં રજૂ કરે છે.

  • સામાન્ય રીતે, કંઈક કે જે દેવના ચારિત્ર્ય, હેતુઓ, અને ઈચ્છા સાથે બંધબેસતું છે તો તે સારું છે.
  • જે કાંઇક પ્રશંસનીય, ઉત્તમ, ઉપયોગી, યોગ્ય, નફાકારક, અને નૈતિક રીતે સાચું છે, તેને “સારું” કહી શકાય છે.
  • જમીન કે જે “સારી” છે તેને “ફળદાયી” અને “ઉત્પાદક” કહી શકાય છે.
  • “સારા” પાકને “પુષ્કળ” પાક કહી શકાય છે.
  • જે વ્યક્તિ તેના પોતાના કાર્ય અથવા વ્યવસાયમાં કુનેહ હોય તેને “સારી” કહી શકાય, અભિવ્યક્તિ જેવી કે, “સારો ખેડૂત.”
  • મોટેભાગે બાઇબલમાં, “સારા” શબ્દનો સામાન્ય અર્થ “દુષ્ટ” શબ્દની વિરોધાભાસમાં દર્શાવવામાં આવ્યો છે.
  • સામાન્ય રીતે “ભલાઈ” શબ્દ નૈતિક રીતે સારા હોવું, અથવા વિચારો અને કાર્યોમાં પ્રામાણિક હોવું તે દર્શાવે છે.
  • ઈશ્વરની ભલાઈ તે કેવી રીતે લોકોને સારી અને ગુણકારી વસ્તુઓ આપીને તેઓને આશીર્વાદ આપે છે, તેને દર્શાવે છે. તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.
  • ક્યારેક "સારું" અટેલે ભાવનાત્મક રીતે સુખદ, નૈતિક રીતે સાચું, ઉત્તમ, મદદરૂપ, બંધબેસતું અથવા લાભદાયી.

ભાષાંતરના સૂચનો:

  • લક્ષ્ય ભાષામાં જયારે “સારા” (શબ્દ) માટેનો સામાન્ય શબ્દનો અર્થ ચોક્કસ અને કુદરતી હોય, ખાસ કરીને સંદર્ભોમાં જયારે તે દુષ્ટની સામે વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો હોય ત્યારે તેનો ઉપયોગ કરવો.
  • સંદર્ભ પર આધાર રાખીને, બીજી રીતે આ શબ્દનું ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “માયાળુ” અથવા “ઉત્તમ” અથવા “ઈશ્વરને પસંદ પડે તેવું” અથવા “પ્રામાણિક” અથવા “નૈતિક રીતે સારા” અથવા "લાભદાયી" જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
  • “સારી જમીન” શબ્દનું ભાષાંતર, “ફળદ્રુપ જમીન” અથવા “ઉત્પાદક જમીન” તરીકે કરી શકાય છે; “સારો પાક” શબ્દનું ભાષાંતર, “પુષ્કળ ફસલ” અથવા “મોટા પ્રમાણમાં પાક” તરીકે કરી શકાય છે.
  • “સારું કરો” શબ્દસમૂહનો અર્થ, એવું કાંઇક કરો કે જેથી બીજાઓને લાભ થાય અને તેનું ભાષાંતર, “માયાળુ હોવું” અથવા “મદદ” અથવા કોઈકને “લાભ થાય” અથવા "કોઈકને વૃદ્ધિ પામવા મદદરૂપ થવું', એમ થઇ શકે છે.
  • “સબ્બાથ પર સારું કર” જેનો અર્થ, “લોકોને મદદ થાય તેવી બાબતો સાબ્બાથ પર કરો.”
  • સંદર્ભ પર આધાર રાખીને, “ભલાઈ” શબ્દનું ભાષાંતર એવી રીતે કરવામાં આવે જેમાં, “આશીર્વાદ” અથવા “દયા” અથવા “નૈતિક સંપૂર્ણતા” અથવા “ઈમાનદારી” અથવા “શુદ્ધતા” શબ્દોનો સમાવેશ કરી શકાય છે.

*

(આ પણ જુઓ: પવિત્ર, લાભ, પ્રામાણિકન્યાયી, વૃદ્ધિ પામતું, દુષ્ટ)

બાઈબલની કલમો:

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 1:4 ઈશ્વરે જોયું કે તેમણે જે બનાવ્યું તે સારું હતું
  • 1:11 ઈશ્વરે ભલું અને ભૂંડું જાણવાનું વૃક્ષ રોપ્યું.
  • 1:12 પછી ઈશ્વરે કહ્યું "માણસ એકલો રહે તે તેના માટે સારું નથી."
  • 2:4 “માત્ર ઈશ્વર જાણે છે કે જેવું તમે તે ખાશો, તમે ઈશ્વરના જેવા અને તે જેમ સમજે છે તેમ તમે ભલું અને ભૂંડું સમજનારા થશો.
  • 8:12 જયારે તમે મને ગુલામ તરીકે વેચ્યો ત્યારે તમે મારું ભૂંડું કરવા પ્રયત્ન કર્યો, પણ ઈશ્વરે તે ભૂંડા કૃત્યનો સારા માટે ઉપયોગ કર્યો.
  • 14:15 યહોશુઆ એક સારો આગેવાન હતો, કારણકે તેને ઈશ્વર પર ભરોસો રાખ્યો અને તેને આધીન થયો.
  • 18:13 તેમાંના કેટલાક રાજાઓ સારા માણસો હતા કે જેઓએ ન્યાયથી રાજ કર્યું અને ઈશ્વરની આરાધના કરી.
  • 28:1સારા શિક્ષક, અનંતજીવન પામવા માટે મારે શું કરવું જોઈએ?” ઈસુએ તેને કહ્યું, “તું મને ‘સારો’ શા માટે કહે છે? ફક્ત એક જ જે સારા છે, અને તે ઈશ્વર છે.”

શબ્દ માહિતી:

  • Strong's: H117, H145, H155, H202, H239, H410, H1580, H1926, H1935, H2532, H2617, H2623, H2869, H2895, H2896, H2898, H3190, H3191, H3276, H3474, H3788, H3966, H4261, H4399, H5232, H5750, H6287, H6643, H6743, H7075, H7368, H7399, H7443, H7999, H8231, H8232, H8233, H8389, H8458, G14, G15, G18, G19, G515, G744, G865, G979, G1380, G2095, G2097, G2106, G2107, G2108, G2109, G2114, G2115, G2133, G2140, G2162, G2163, G2174, G2293, G2565, G2567, G2570, G2573, G2887, G2986, G3140, G3617, G3776, G4147, G4632, G4674, G4851, G5223, G5224, G5358, G5542, G5543, G5544

સિયોન, સિયોન પહાડ

વ્યાખ્યા:

મૂળમાં, શબ્દ "સિયોન" અથવા "સિયોન પહાડ" એ ગઢ અથવા કિલ્લાનો ઉલ્લેખ કરે છે જે રાજા દાઉદે યબૂસીઓ પાસેથી કબજે કર્યા હતા. આ બંને શબ્દો યરૂસાલેમનો ઉલ્લેખ કરવાના અન્ય માર્ગો બન્યા.

  • સિયોન પર્વત અને મોરિયા પર્વત એ બે ટેકરીઓ હતા જેના પર યરૂસાલેમ શહેર આવેલું હતું. પાછળથી, આ બંને પર્વતો અને જેરુસાલેમ શહેરનો સંદર્ભ આપવા માટે "સિયોન" અને "સિયોન પહાડ" નો ઉપયોગ સામાન્ય શબ્દો તરીકે થયો. કેટલીકવાર તેઓ યરૂસાલેમમાં આવેલા મંદિરનો પણ ઉલ્લેખ કરતા હતા. (જુઓ: [metonymy])
  • દાઉદે સિયોન અથવા યરૂસાલેમનું નામ "દાઉદનું શહેર" રાખ્યું. આ દાઉદેના વતન બેથલહેમથી અલગ છે, જેને દાઉદેનું શહેર પણ કહેવામાં આવતું હતું.
  • "સિયોન" શબ્દનો ઉપયોગ અન્ય અલંકારિક રીતે થાય છે, ઇસ્રાએલ અથવા દેવના આધ્યાત્મિક રાજ્ય અથવા નવા, સ્વર્ગીય જેરુસાલેમ કે જે દેવ બનાવશે તેનો સંદર્ભ આપવા માટે.

(આ પણ જુઓ: [ઇબ્રાહિમ], [દાઉદ], [જેરૂસાલેમ], [બેથલેહેમ], [યબૂસીઓ])

બાઈબલ સંદર્ભો:

  • [૧ કાળવૃત્તાંત ૧૧:૫]
  • [આમોસ ૧:૨]
  • [યર્મિયા ૫૧:૩૫]
  • [ગીતશાસ્ત્ર ૭૬:૧-૩]
  • [રોમનો ૧૧:૨૬]

શબ્દ માહિતી

  • સ્ટ્રોંગ્સ: H6726

સિયોનની પુત્રી

વ્યાખ્યા:

“સિયોનની દીકરી” એ ઈસ્રાએલના લોકોનો ઉલ્લેખ કરવાની અલંકારિક રીત છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ભવિષ્યવાણીઓમાં થાય છે.

  • જૂના કરારમાં, "સિયોન" ઘણીવાર યરૂસાલેમ શહેર માટે બીજા નામ તરીકે વપરાય છે.
  • "સિયોન" અને "યરૂસાલેમ" બંનેનો ઉપયોગ ઈસ્રાએલનો સંદર્ભ આપવા માટે પણ થાય છે.
  • "દીકરી" શબ્દ એ સ્નેહ અથવા પ્રેમનો શબ્દ છે. તે ધીરજ અને કાળજી માટે એક રૂપક છે જે દેવ તેના લોકો માટે ધરાવે છે.

અનુવાદ સૂચનો:

  • આનું ભાષાંતર કરવાની રીતોમાં "મારી દીકરી ઈસ્રાએલ, સિયોનમાંથી" અથવા "સિયોનના લોકો, જેઓ મારા માટે દીકરી સમાન છે" અથવા "સિયોન, મારા વહાલા લોકો ઈસ્રાએલ"નો સમાવેશ થઈ શકે છે.
  • આ અભિવ્યક્તિમાં "સિયોન" શબ્દ રાખવો શ્રેષ્ઠ છે કારણ કે તે બાઈબલમાં ઘણી વખત વપરાય છે. તેના અલંકારિક અર્થ અને ભવિષ્યવાણીના ઉપયોગને સમજાવવા માટે એક નોંધ અનુવાદમાં શામેલ કરી શકાય છે.
  • આ અભિવ્યક્તિના અનુવાદમાં "દીકરી" શબ્દ રાખવાનું વધુ સારું છે, જ્યાં સુધી તે યોગ્ય રીતે સમજી શકાય.

(આ પણ જુઓ: [યરૂસાલેમ], [પ્રબોધક], [સિયોન])

બાઈબલ સંદર્ભો:

  • [યર્મિયા ૬:૨]
  • [યોહાન ૧૨:૧૫]
  • [માથ્થી ૨૧:૫]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H1323, H6726

સુગંધી

વ્યાખ્યા:

સુગંધી એ તેલ અથવા મસાલા છે જે આફ્રિકા અને એશિયામાં ઉગતા ગંધના ઝાડના રાળમાંથી બનાવવામાં આવે છે. તે લોબાન સાથે સંબંધિત છે.

  • સુગંધીનો ઉપયોગ ધૂપ, અત્તર અને દવા બનાવવા અને મૃતદેહને દફનાવવા માટે પણ કરવામાં આવતો હતો.
  • સુગંધી એ એક ભેટ હતી જે વિદ્વાન માણસોએ ઈસુને આપી હતી જ્યારે તેનો જન્મ થયો હતો.
  • જ્યારે ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા ત્યારે પીડા ઓછી કરવા માટે તેમને સુગંધી મિશ્રિત દાખરસ ધરવામાં આવ્યો હતો.

(આ પણ જુઓ: [લોબાન], [શિક્ષિત પુરુષો])

બાઈબલ સંદર્ભો:

  • [નિર્ગમન ૩૦:૨૨-૨૫]
  • [ઉત્પત્તિ ૩૭:૨૫-૨૬]
  • [યોહાન ૧૧:૧-૨]
  • [માર્ક ૧૫:૨૩]
  • [માથ્થી ૨:૧૧-૧૨]

શબ્દ માહિતી

  • સ્ટ્રોંગ્સ: H3910, H4753, G34640, G46660, G46690

સુન્નત, સુન્નત કરાવેલ, સુન્નતની વિધિ, બેસુન્ન્તી, બેસુન્ન્ત

વ્યાખ્યા:

“સુન્નત” નો અર્થ, માણસ અથવા નર બાળકની શિશ્નના આગળના ભાગની ચામડી કાપવી, એમ થાય છે. કદાચ સુન્નત વિધિનો સંસ્કાર આ બાબતના અનુસંધાનમાં કરવામાં આવે છે.

  • ઈશ્વરે ઈબ્રાહિમને આદેશ આપ્યો કે, ઈશ્વરના તેની સાથેના કરારના ચિહ્ન તરીકે તેના કુટુંબીજનો અને ચાકરોમાંના દરેક પુરુષની સુન્નત કરવી.
  • ઈશ્વરે ઈબ્રાહિમના વંશજોને પણ આદેશ આપ્યો તેઓના કુટુંબમાં જન્મેલા દરેક નર બાળકને આ પ્રમાણે કરવું
  • “હ્રદયની સુન્નત કરવી” એ શબ્દસમૂહ અર્થાલંકારિક રીતે “કાપીને દૂર કરવું” અથવા વ્યક્તિમાંથી પાપને કાઢી નાખવું, એમ દર્શાવે છે.
  • આત્મિક અર્થમાં “સુન્નત કરવી” તે દર્શાવે છે કે, લોકો કે જેઓને ઈશ્વરે ઈસુના લોહી દ્વારા પાપથી શુદ્ધ કર્યા છે અને જેઓ તેના લોકો છે.
  • “બેસુન્ન્ત” શબ્દ દર્શાવે છે, જેઓની શારીરિક સુન્ન્ત થઈ નથી. તે અર્થાલંકારિક રીતે દર્શાવે છે કે જેઓની આત્મિક રીતે સુન્નત થઈ નથી, અને જેઓને ઈશ્વરની સાથે સંબંધ નથી.
  • “બેસુન્ન્તી” અને “બેસુન્ન્ત” શબ્દ પુરૂષ કે જેની શારીરિક સુન્નત કરાઈ નથી તેને દર્શાવે છે. આ શબ્દો રૂપક રીતે પણ વપરાયા છે.
  • મિસર દેશમાં પણ સુન્નત ફરજીયાત હતી. જયારે ઈશ્વરે મિસરના “બેસુન્ન્તીઓને” હરાવવા કહ્યું, ત્યારે ઈશ્વર એવા મિસરીઓની વાત કરે છે જેઓ સુન્ન્ત કરવાનું ધિક્કારતા હતા.
  • બાઇબલ એવા લોકોને દર્શાવે છે કે જેઓ “બેસુન્ન્ત હ્રદયવાળા” છે અથવા જેઓ “જેઓનું હૃદય બેસુન્ન્ત થયેલું” છે. આ બાબતને અર્થાલંકારિક રીતે કહેવામાં આવે તો આ લોકો ઈશ્વરના લોકો નથી અને ઈશ્વરની અવગણના કરનારા હઠીલા છે.
  • જો કોઈ ભાષામાં સુન્નત શબ્દ જાણીતો હોય તો “બેસુન્ન્ત” શબ્દનું ભાષાંતર “સુન્નત ન થયેલા” એમ થઇ શકે.
  • સંદર્ભ પર આધાર રાખીને “બેસુન્નત” અભિવ્યક્તિનું ભાષાંતર, “લોકો કે જેઓની સુન્નત થઈ નથી” અથવા “લોકો કે જેઓ ઈશ્વરના નથી”, એમ કરી શકાય છે.
  • આ શબ્દનું બીજી રીતે રૂપકાત્મક ભાષાંતર કરીએ તો, “જેઓ ઈશ્વરના લોકો નથી” અથવા “બંડખોર લોકો જેઓ ઈશ્વરના નથી” અથવા “લોકો જેમાં ઈશ્વરના હોવાની કોઈ નિશાની નથી” એમ કરી શકાય.
  • “હ્રદયનો બેસુન્ન્તી” અભિવ્યક્તિનું ભાષાંતર, “હઠીલો બળવાખોર” અથવા “જે વિશ્વાસ કરવા ઇન્કાર કરે છે” તે કરી શકાય. તેમ છતાં, બની શકે તો આ અભિવ્યક્તિ એમ જ રાખવી અથવા તેના સમાન રાખવી, કારણકે આત્મિક સુન્નત એક અગત્યનો વિષય છે.

ભાષાંતરના સૂચનો:

  • જો લક્ષ્ય ભાષાની સંસ્કૃતિમાં પુરૂષો ઉપર સુન્નત થાય છે, તો તે માટે જે શબ્દ વપરાય છે તે વાપરવો.
  • બીજી રીતે આ શબ્દનું ભાષાંતર કરીએ તો, “આસપાસ કાપવું” અથવા “ગોળાકારમાં કાપવું” અથવા “આગળના ભાગની ચામડી કાપી નાખવી” એમ થઇ શકે.
  • જે સંસ્કૃતિમાં સુન્નત જાણીતી નથી તેને સમજાવવા પાદનોંધ અથવા શબ્દાવલીમાં છણાવટ કરવી અનિવાર્ય છે. ધ્યાન રાખો કે આ શબ્દનું જે ભાષાંતર સ્ત્રીઓને માટેની સુન્નત દર્શાવતી ન હોય. આ શબ્દનું ભાષાંતર થાય ત્યારે દર્શાવેલ શબ્દ અથવા શબ્દસમૂહ “પુરુષની” સુન્નત સાથે જોડાયેલો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, કરાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 5:3 "તમારે તમારા કુટુંબના દરેક પુરુષની સુન્નત અવશ્ય કરવી.
  • 5:5 તે દિવસે ઈબ્રાહિમે તેના ઘરના બધાંજ પુરુષોની સુન્નત કરી.

શબ્દ માહિતી:

  • Strong's: H4135, H4139, H5243, H6188, H6189, H6190, G203, G564, G1986, G4059, G4061

સુવાર્તિક, સુવાર્તિકો

વ્યાખ્યા:

“સુવાર્તિક” એક એવી વ્યક્તિ છે કે જે બીજાને ઈસુ વિશેની સુવાર્તા જણાવે છે.

  • “સુવાર્તિક” શબ્દનો શાબ્દિક અર્થ, “કોઈક કે જે સુવાર્તાનો પ્રચાર કરે છે.”
  • ઈસુએ તેના પ્રેરીતોને સુસમાચાર ફેલાવવા બહાર મોકલ્યા કે જેથી તેઓ કેવી રીતે ઈસુમાં વિશ્વાસ અને પાપ માટેના તેના બલિદાન દ્વારા કેવી રીતે વિશ્વાસથી દેવના રાજ્યના ભાગીદાર થવું.
  • બધાં ખ્રિસ્તીઓને આ સુવાર્તા વહેંચવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
  • કેટલાક ખ્રિસ્તીઓને અન્યોને અસરકારક રીતે સુવાર્તા જણાવવા માટે વિશેષ આત્મિક વરદાન આપવામાં આવ્યા છે.

આ લોકોને સુવાર્તા પ્રચારનું વરદાન છે અને તેઓ “સુવાર્તિકો” કહેવાય છે.

ભાષાંતરના સૂચનો:

  • “સુવાર્તિક” શબ્દનું ભાષાંતર, “કોઈક કે જે સુવાર્તા પ્રચાર કરે છે” અથવા “સુવાર્તા પ્રચારનો શિક્ષક” અથવા “વ્યક્તિ કે જે (ઈસુ વિશે) ની સુવાર્તા જાહેર કરે છે” અથવા “સુવાર્તા પ્રચારક” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: સુવાર્તા, આત્મા, વરદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G2099

સૂબેદાર, સૂબેદારો

વ્યાખ્યા:

સૂબેદાર એ રોમન સૈન્યનો અધિકારી હતો કે, જેની સત્તા નીચે 100 સૈનિકોનું જૂથ આવેલું હતું.

  • આ શબ્દ ભાષાંતરનો અર્થ, “એકસો માણસોનો નેતા” અથવા “સૈન્યનો નેતા” અથવા “એકસોની સંભાળ લેનારો અધિકારી” એમ પણ કરી શકાય છે.
  • એક રોમન સૂબેદારે ઈસુ પાસે આવીને તેના નોકરને સાજા થવા માટે વિનંતી કરી.
  • ઈસુ કેવી રીતે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા, તે જોઇને સૂબેદારને આશ્ચર્ય લાગ્યું.

દેવે સૂબેદારને પિતર પાસે મોકલ્યો, જેથી પિતર તેને ઈસુ વિશેની સુવાર્તા સમજાવી શકે.

(આ પણ જુઓ: રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G1543, G2760

સેવા આપવી, સેવા

વ્યાખ્યા:

બાઇબલમાં, “સેવા” શબ્દ બીજાઓને ઈશ્વર વિષે શીખવવા દ્વારા અને તેમની આત્મિક જરૂરિયાતો માટે કાળજી કરવા દ્વારા સેવા કરવાનો ઉલ્લેખ કરે છે.

  • જૂના કરારમાં, યાજકો ભક્તિસ્થાનમાં બલિદાનો આપવા દ્વારા ઈશ્વરની સેવા કરતા હતા.
  • તેઓની “સેવામાં” ભક્તિસ્થાનની સંભાળ રાખવાનો અને લોકો તરફથી ઈશ્વરને પ્રાર્થનાઓ કરવાનો સમાવેશ થતો હતો.
  • લોકોને “સેવા આપવાના” કાર્યમાં લોકોને ઈશ્વર વિષે શીખવવા દ્વારા તેઓની આત્મિક રીતે સેવા કરવાનો સમાવેશ થઈ શકે.
  • તે લોકોની શારીરિક સેવા કરવાનો ઉલ્લેખ પણ કરી શકે છે, જેમ કે ગરીબોને ખોરાક પૂરો પાડવો અને બીમારોની કાળજી કરવી.

અનુવાદ માટેના સૂચનો:

  • લોકોની સેવા કરવાના સંદર્ભમાં, “સેવા આપવી”નો અનુવાદ “સેવા કરવી” અથવા તો “કાળજી લેવી” અથવા તો “જરૂરિયાતો પૂરી પાડવી” તરીકે પણ કરી શકાય.
  • જ્યારે ભક્તિસ્થાનમાં સેવા આપવાનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે, “સેવા આપવી” શબ્દનો અનુવાદ “ભક્તિસ્થાનમાં ઈશ્વરની સેવા કરવી” અથવા તો “લોકો માટે ઈશ્વરને બલિદાનો ચડાવવા” તરીકે કરી શકાય.
  • ઈશ્વરની સેવા કરવાના સંદર્ભમાં, આનો અનુવાદ “સેવા કરવી” અથવા તો “ઈશ્વર માટે કામ કરવું” એ રીતે કરી શકાય.
  • “સેવા કરી” શબ્દસમૂહનો અનુવાદ “કાળજી લીધી” અથવા તો “પૂરું પાડ્યું” અથવા તો “મદદ કરી” તરીકે પણ થઈ શકે.

(આ પણ જૂઓ: સેવા કરવી, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H6399, H8120, H8334, H8335, G1247, G1248, G1249, G2023, G2038, G2418, G3008, G3009, G3010, G3011, G3930, G5256, G5257, G5524

સૈન્યોનો યહોવા, સૈન્યોનો દેવ, સ્વર્ગનું સૈન્ય , આકાશોનું સૈન્ય, સૈન્યોનો પ્રભુ

વ્યાખ્યા:

" સૈન્યોનો યહોવા " અને " સૈન્યોનો દેવ " શબ્દો શીર્ષક છે જે તેમની આજ્ઞા પાળનારા હજારો દૂતો પર ઈશ્વરની સત્તા વ્યક્ત કરે છે. " * સૈન્ય " અથવા "સૈન્યો" એક શબ્દ છે જેનો અર્થ છે મોટી સંખ્યામાં કંઈક, જેમ કે લોકોની સેના અથવા મોટીસંખ્યામાં તારાઓ. તે દુષ્ટ આત્માઓ સહિત તમામ ઘણા આત્માઓનો પણ ઉલ્લેખ કરી શકે છે. સંદર્ભમાં તે સ્પષ્ટ કરે છે કે જેનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.

  • “આકાશોનું સૈન્ય " જેવા સમાન શબ્દસમૂહો બધા તારા, ગ્રહો અને અન્ય સ્વર્ગીય પદાર્થોની ઉલ્લેખ કરે છે.
  • નવા કરારમાં, " સૈન્યોનો પ્રભુ " શબ્દનો અર્થ " સૈન્યોનો યહોવા " તરીકે થાય છે. પરંતુ, હેબ્રુ શબ્દ " યહોવા " શબ્દનો ઉપયોગ નવા કરારમાં નથી થતો ત્યાં સુધી તેનો અનુવાદ તે રીતે કરી શકાતો નથી.

અનુવાદ માટેનાં સૂચનો:

  • “સૈન્યોનો યહોવા" નો અનુવાદનો સમાવેશ થાય છે, "યહોવા, જે બધા દૂતો પર અધિકારચલાવે છે" અથવા" યહોવા, દૂતોની સેના પર શાસન કરે છે" અથવા " યહોવા, સર્વ સૃષ્ટિનો અધિકારી."

"* સૈન્યો નો " શબ્દસમૂહ " સૈન્યોનો દેવ " અને " સૈન્યોનો પ્રભુ " શબ્દનો અનુવાદ " સૈન્યોનો યહોવા " ની જેમ જ ઉપર મુજબ અનુવાદ કરવામાં આવશે.

  • અમુક મંડળીઓ શાબ્દિક શબ્દ "યહોવા" ને સ્વીકારતા નથી અને તેના બદલે, ઘણા બાઇબલ આવૃત્તિઓની પરંપરાને અનુસરીને, "પ્રભુ" શબ્દના ઉપયોગમાં મોટા અક્ષરના શબ્દનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.

આ મંડળીઓ માટે, જૂના કરારમાં " સૈન્યોનો દેવ યહોવા " શબ્દનો ઉપયોગ " સૈન્યોનો પ્રભુ " માટે કરવામાં આવશે.

(આ પણ જુઓ: દેવદૂત, સત્તા, ઈશ્વર, સ્વામી, પ્રભુ, પ્રભુ યહોવા, યહોવાહ)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: H430, H3068, H6635

સ્તોત્ર, સ્તોત્રો

વ્યાખ્યા:

“સ્તોત્ર” શબ્દ પવિત્ર ગીતનો ઉલ્લેખ કરે છે કે જે ઘણી વાર કવિતાના રૂપમાં હોય છે કે જેને ગાવા માટે લખવામાં આવ્યું છે.

  • જૂના કરારના ગીતશાસ્ત્રના પુસ્તકમાં દાઉદ રાજા અને મૂસા, સુલેમાન, આસફ અને બીજા કેટલાક ઇઝરાયલીઓ દ્વારા લખાયેલા આવા ગીતોનો સંગ્રહ છે.
  • સ્તોત્રોનો ઉપયોગ ઇઝરાયલ દેશના લોકો દ્વારા તેમની ઈશ્વરની આરાધનામાં થતો હતો.
  • સ્તોત્રોનો ઉપયોગ આનંદ, વિશ્વાસ અને સન્માન તથા દુઃખ અને શોક પ્રગટ કરવા કરી શકાય છે
  • નવા કરારમાં, ખ્રિસ્તીઓને ઈશ્વરની આરાધના કરવાની એક રીત સ્વરૂપે તેમના સ્તોત્રો ગાવા બોધ આપવામાં આવ્યો છે.

(આ જૂઓ: દાઉદ, વિશ્વાસ, આનંદ, મૂસા, પવિત્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2158, H2167, H2172, H4210, G5567, G5568

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

  • “આકાશો” શબ્દ, સૂર્ય, ચંદ્ર, અને તારા સહિત બધું જ જે આપણે પૃથ્વીથી ઉપર જોઈએ છીએ તેને દર્શાવે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

  • “આકાશ” શબ્દ પૃથ્વીની ઉપર વાદળી વિસ્તારને દર્શાવે છે કે જેમાં વાદળો છે, અને જેની હવામાં આપણે શ્વાસ લઈએ છીએ.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

  • બાઈબલમાં કેટલાક સંદર્ભોમાં, “સ્વર્ગ” શબ્દને આકાશ અથવા સ્થળ કે જ્યાં દેવ રહે છે, તેને દર્શાવે છે.
  • જયારે “સ્વર્ગ” ને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યું છે, ત્યારે તે દેવને દર્શાવે છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

  • જયારે “સ્વર્ગ” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યું છે, ત્યારે તેનું ભાષાંતર “દેવને” દર્શાવે છે.
  • માથ્થીના પુસ્તકમાંના ‘સ્વર્ગનું રાજ્ય” એવો શબ્દ વાપરવામાં આવ્યો છે, તે માથ્થીની સુવાર્તાની વિશિષ્ટતા છે તેથી તે જ “સ્વર્ગ” શબ્દ રાખવો શ્રેષ્ઠ છે.
  • “આકાશી” અથવા “સ્વર્ગીય શરીરો” શબ્દોનું ભાષાંતર, “સૂર્ય, ચંદ્ર, અને તારા” અથવા “દુનિયામાંના બધા તારા” તરીકે પણ કરી શકાય છે.
  • “સ્વર્ગના તારા ”શબ્દસમૂહનું ભાષાંતર, “આકાશમાંના તારા” અથવા “આકાશગંગાના તારા” અથવા “દુનિયામાંના તારા” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 4:2 તેઓએ પણ “સ્વર્ગ” સુધી પહોચવા ઊંચો બુરજ બાંધવાનું શરૂ કર્યું.
  • 14:11 તેણે (દેવે) સ્વર્ગ માંથી તેઓને રોટલી આપી, જે માન્ના કહેવાય છે.
  • 23:7 એકાએક, દેવની સ્તુતિ કરતા દૂતોથી આકાશો ભરાઈ ગયા હતા, કહે છે સ્વર્ગ માં દેવને મહિમા હો અને પૃથ્વી ઉપરના લોકો જેના પર તેની કૃપા છે તેઓને શાંતિ થાઓ.
  • 29:9 ઈસુએ જણાવ્યું કે, જો તમે તમારા ભાઈને તમારા હ્રદયથી માફ નહિ કરો તો આ મારો આકાશી બાપ તમને તેમ જ કરશે.
  • 37:9 પછી ઈસુએ આકાશ તરફ ઊંચું જોઇને કહ્યું. “પિતા. તમે મારું સાભળ્યું છે માટે આભાર.”
  • 42:11 પછી ઈસુ ઉપર સ્વર્ગ માં ગયો, અને વાદળે તેને તેઓની દૃષ્ટિથી ઢાંકી દીધો.

શબ્દ માહિતી:

  • Strong's: H1534, H6160, H6183, H7834, H8064, H8065, G932, G2032, G3321, G3770, G3771, G3772

હાદેસ, શેઓલ

વ્યાખ્યા:

“હાદેસ” અથવા “શેઓલ” શબ્દો, મૃત્યુને માટે અને જયારે લોકો મરણ પામે ત્યારે તેમના આત્માઓ જે જગ્યામાં જાય છે તે દર્શાવવા માટે (તે શબ્દો) બાઈબલમાં વાપરવામાં આવ્યા છે. તેઓના અર્થો સમાન છે.

  • જૂના કરારમાં મોટેભાગે હિબ્રૂ શબ્દ “શેઓલ” ને સામાન્ય રીતે મૃત્યુની જગ્યા દર્શાવવા વાપરવામાં આવ્યો છે.
  • નવા કરારમાં, ગ્રીક શબ્દ “હાદેસ” જેઓ દેવની વિરુદ્ધ બળવો કરે છે તેઓના આત્માઓ માટેની જગ્યાને દર્શાવે છે.

આ આત્માઓ “નીચે” હાદેસમાં જાય છે, એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્યારેક આ શબ્દ “ઉપર” સ્વર્ગમાં જવાની બાબતથી વિરોધાભાસમાં દર્શાવવામાં આવ્યો છે કે, જ્યાં ઈસુમાં વિશ્વાસ કરનારા લોકોના આત્માઓ રહે છે.

  • “હાદેસ” શબ્દ પ્રકટીકરણના પુસ્તકમાં “મરણ” શબ્દ સાથે જોડી દેવામાં આવ્યો છે.

અંતના સમયમાં, મરણ અને હાદેસ બંને અગ્નિની ખાઈ, કે જે નર્ક છે તેમાં નાંખી દેવામાં આવશે.

ભાષાંતરના સૂચનો:

  • જૂના કરારનો શબ્દ “શેઓલ”નું ભાષાંતર, “મરેલાઓની જગ્યા” અથવા “મરેલા આત્માઓ માટેની જગ્યા” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.કેટલાક ભાષાંતરોમાં આ શબ્દનું ભાષાંતર સંદર્ભ પર આધાર રાખીને, “ખાડો” અથવા “મરણ” તરીકે કરવામાં આવ્યું છે.
  • નવા કરારના “હાદેસ” શબ્દનું ભાષાંતર, “અવિશ્વાસી આત્માઓ માટેનું સ્થળ” અથવા “મરેલા માટે યાતનાની જગ્યા” અથવા “અવિશ્વાસી મરેલા લોકોના આત્માઓ માટેની જગ્યા” તરીકે પણ કરી શકાય છે.
  • કેટલાક ભાષાંતરો “શેઓલ” અને “હાદેસ” શબ્દો રાખે છે, જેથી તેની જોડણી ભાષાંતરની ભાષાની ધ્વની પ્રથાને બંધ બેસતી રાખવામાં આવે. (જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું).
  • તે દરેકને સમજાવવા શબ્દસમૂહને પણ ઉમેરી શકાય છે, ઉદાહરણો તરીકે, “શેઓલ, જ્ગ્યાકે જ્યાં મરેલા લોકો હોય છે” અને “હાદેસ, જે મરણની જગ્યા છે.” (ભાષાંતરના સૂચનો: અજ્ઞાતોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: મરણ, સ્વર્ગ, નર્ક, કબર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H7585, G86

હિબ્રૂ, હિબ્રુઓ

તથ્યો:

"હિબ્રૂ" શબ્દ ખૂબ જ સામાન્ય અર્થમાં ઇસહાક અને યાકૂબની વંશાવળી દ્વારા ઇબ્રાહિમથી ઉતરી આવેલા લોકોના જૂથનો સંદર્ભ આપે છે.

  • ચોક્કસ શબ્દ "હિબ્રૂ" ક્યાં તો લોકોના જૂથમાંની વ્યક્તિગત વ્યક્તિ અથવા તે લોકોના જૂથ દ્વારા બોલાતી ભાષાનો સંદર્ભ આપી શકે છે.
  • જૂના કરારનો મોટા ભાગનો ભાગ "હિબ્રૂ" નામની ભાષામાં લખાયો હતો. જો કે, નવા કરારમાં મોટા ભાગના કિસ્સાઓમાં, ચોક્કસ શબ્દ "હિબ્રૂ" કદાચ હિબ્રૂ ભાષાને બદલે અરામિક ભાષાનો સંદર્ભ આપે છે.
  • બાઇબલમાં જુદી જુદી જગ્યાઓમાં, હિબ્રૂઓને “યહૂદી લોકો” અથવા “ઇઝરાએલીઓ” પણ કહેવામાં આવ્યા છે. જ્યાં સુધી એ સ્પષ્ટ થાય છે કે આ ત્રણેય શબ્દો, એક લોકોના જૂથને દર્શાવે છે, ત્યાં સુધી આ ત્રણેય શબ્દો અલગ રાખવા ઉત્તમ છે.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ઇઝરાએલ, યહૂદી, યહૂદી આગેવાનો)

બાઇબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong’s: H5680, G14440, G14450, G14460, G14470

હ્રદય, હ્રદયો

વ્યાખ્યા:

બાઈબલમાં, “હ્રદય” શબ્દ રૂપકાત્મક રીતે મોટેભાગે વ્યક્તિના વિચારો, લાગણીઓ, અથવા ઈચ્છાને દર્શાવવા વાપરવામાં આવ્યો છે.

  • “કઠણ હ્રદય” હોવું એ સામાન્ય અભિવ્યક્તિ છે કે જેનો અર્થ જીદ્દીપણે દેવનો ઇનકાર કરવો એવો થાય છે.
  • “મારા પૂરા હ્રદય થી” અથવા “મારા સંપૂર્ણ હ્રદય થી” અભિવ્યક્તિઓનો અર્થ પાછું રાખ્યા સિવાય પૂર્ણ સમર્પણ અને ઈચ્છાથી કંઈક કરવું.
  • “હ્રદયમાં તે લેવું” અભિવ્યક્તિના અર્થ, કોઈ બાબતને ગંભીરતાથી લેવી અને પોતાના જીવનમાં તેને લાગુ કરવું.
  • “ભંગીત હ્રદયવાળું” શબ્દ, વ્યક્તિ કે જે ખૂબ જ નિરાશ છે તેને દર્શાવે છે.

તે વ્યક્તિ ભાવનાત્મક રીતે ઊંડી રીતે ઈજા પામેલું છે.

ભાષાંતરના સૂચનો

  • ઘણી ભાષાઓમાં આ વિચારોને દર્શાવવા અલગ અલગ શરીરના ભાગોને દર્શાવે છે, જેવા કે “પેટ” અથવા “યકૃત.”
  • કદાચ અન્ય ભાષાઓમાં આ કેટલાક ખ્યાલોને વ્યક્ત કરવા એક શબ્દ વાપરે છે અને બીજાઓને વ્યક્ત કરવા માટે અન્ય શબ્દ વાપરે છે.
  • જો “હ્રદય” અથવા અન્ય શરીરના ભાગોને આ પ્રમાણેના અર્થ ના હોય તો કદાચ કેટલીક ભાષાઓમાં આ શબ્દો શાબ્દિક રીતે વ્યક્ત કરવા જરૂરી છે, જેવા કે “વિચારો” અથવા “લાગણીઓ” અથવા “ઈચ્છાઓ.”
  • સંદર્ભ પર આધાર રાખીને, “મારા સંપૂર્ણ હ્રદય થી” અથવા “મારા પૂર્ણ હ્રદયથી” નું ભાષાંતર “મારી પૂરી શક્તિ થી” અથવા “સંપૂર્ણ સમર્પણ સાથે” અથવા “સંપૂર્ણપણે” અથવા “સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે” તરીકે કરી શકાય છે.
  • “તેને હ્રદયમાં લો” અભિવ્યક્તિનું ભાષાંતર, “તેને ગંભીરપણે લો” અથવા “તેના વિશે કાળજીપૂર્વક વિચારો” તરીકે કરી શકાય છે.
  • “કઠણ હ્રદયવાળું” અભિવ્યક્તિનું ભાષાંતર, “જીદ્દીપણે બળવાખોર” અથવા “આજ્ઞા પાડવાનો ઇનકાર” અથવા “સતત દેવની અવજ્ઞા કરવી” તરીકે પણ કરી શકાય છે.
  • “ભંગીતહ્રદયવાળું” શબ્દના ભાષાંતરમાં શબ્દો જેવા કે, “ખૂબજ નિરાશ” અથવા ઊંડા દુઃખની લાગણી થવી” (શબ્દો)નો સમાવેશ કરીને કરી શકાય છે.

(આ પણ જુઓ: કઠણ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1079, H2436, H2504, H2910, H3519, H3629, H3820, H3821, H3823, H3824, H3825, H3826, H4578, H5315, H5640, H7130, H7307, H7356, H7907, G674, G1282, G1271, G2133, G2588, G2589, G4641, G4698, G5590