એક નિષ્ઠુર સેવકની વાર્તા
એક દિવસ, પિતરે ઈસુને પૂછ્યું, “સ્વામી, કેટલી વખત મારે મારા ભાઈને માફ કરવો જોઈએ જ્યારે તે મારા વિરુદ્ધ પાપ કરે?શું સાત વખત સુધી?”ઈસુએ કહ્યું, “સાત વખત નહિ, પરંતુ સિત્તેરગણી સાતવાર!”આ રીતે, ઈસુએ એ અર્થ દર્શાવ્યો કે આપણે હંમેશા માફ કરવું જોઈએ.પછી ઈસુએ આ વાર્તા કહી.
ઈસુએ કહ્યું, “ઈશ્વરનું રાજ્ય એક રાજા જેવું છે જે પોતાના સેવકો સાથે હિસાબ કરવા માંગે છે. તેના એક સેવકે એક વિશાળ દેવું લીધું જેનું મુલ્ય ૨૦૦,૦૦૦ વર્ષના વેતન જેટલું હતું.”
“સેવક તે દેવાની ચૂકવણી ન કરી શક્યો, તેથી રાજાએ કહ્યું, “દેવું ચૂકવણી કરવા માટે આ માણસ અને તેના કુટુંબોને ગુલામ તરીકે વેચી દો.”
“સેવકે રાજા સમક્ષ તેમના ઘૂંટણ પર પડી અને કહ્યું કે, “ 'મારી સાથે ધીરજ રાખ, અને હું તમને દેવાની સંપૂર્ણ રકમ ચૂકવી આપીશ.'રાજાએ સેવક ઉપર દયા કરી, તેથી તેમણે તેનું તમામ દેવું માફ કરી દીધું અને તેને જવા દીધો.”
પરંતુ જયારે તે સેવક રાજા પાસેથી નીકળ્યો, ત્યારે તે તેના સાથી સેવકને મળ્યો જેના ઉપર ચાર મહિનાના વેતન જેટલું દેવું હતું.સેવકે તેના સાથી સેવકનું ગળુ પકડીને કહ્યું, “મારી પાસેથી લીધેલા પૈસા મને ચૂકવી દે”
"સાથી સેવકે તેના ઘૂંટણ પર પડીને કહ્યું કે, ‘મારા પ્રત્યે ધીરજ રાખ, હું તને દેવાની સંપૂર્ણ રકમ ચૂકવી આપીશ.’પરતું તેના બદલે તે, સેવકે તેના સાથી સેવકને જ્યાં સુધી તે દેવું ચૂકવે નહિ ત્યાં સુધી તેને જેલમાં પૂર્યા.”
કેટલાક બીજા સેવકોએ આ થતું જોયુ અને દિલગીર થઈ ગયા.તેઓ રાજા પાસે ગયા અને તેને બધું કહી સંભળાવ્યું.”
રાજાએ સેવકને બોલાવ્યો અને કહ્યું, હે દુષ્ટ સેવક!મેં તારું દેવું માફ કર્યું કારણ કે તેં વિનંતી કરી.તારે પણ તેમ જ કરવું જોઈતું હતું.”રાજા વધારે ગુસ્સે થયો અને જ્યાં સુધી બધું દેવું ચુકવી ના દે ત્યાં સુધી તે સેવકને જેલમાં પૂરી દીધો.”
પછી ઈસુએ કહ્યું, “તમે તમારા ભાઈને તમારા હૃદયથી માફ નહી કરો તો મારા સ્વર્ગીય પિતા પણ તમારી દરેક સાથે આ રીતે કરશે.”
બાઈબલમાંથી એક વાર્તા: માથ્થી ૧૮:૨૧-૩૫