Romans
Romans front
રોમનોનો પરિચય
ભાગ 1: સામાન્ય પરિચય
રોમનોના પુસ્તકની રૂપરેખા
- પરિચય (1:1-15)
- ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા ન્યાયીપણું (1:16-17)
- પાપને કારણે સમગ્ર માનવજાતને દોષિત ઠરાવવામાં આવી છે (1:18-3:20)
- ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમના પર વિશ્વાસ કરવા દ્વારા ન્યાયીપણું (3:20-4:25)
- પવિત્ર આત્માના ફળો (5:1-11)
- આદમ અને ખ્રિસ્તની તુલના (5:12-21)
- આ જીવનમાં ખ્રિસ્તનાં જેવુ બનવું (6:1-8:39)
- ઇઝરાએલને માટે ઈશ્વરની યોજના (9:1-11:36)
- ખ્રિસ્તીઓ તરીકે જીવવાની વ્યવહારુ સલાહ (12:1-15:13)
- સમાપન અને અભિવાદન (15:14-16:27)
રોમનોનું પુસ્તક કોણે લખ્યું?
રોમનોનું પુસ્તક પ્રેરિત પાઉલે લખ્યું. પાઉલ તાર્સસ શહેરનો વતની હતો. તેના શરૂઆતનાં જીવનમાં તે શાઉલ તરીકે જાણીતો હતો. ખ્રિસ્તી બન્યા અગાઉ, પાઉલ ફરોશી હતો. તે ખ્રિસ્તીઓની સતાવણી કરતો હતો. તેના ખ્રિસ્તી બન્યા બાદ, તેણે રોમન સામ્રાજ્યમાં લોકોને ઈસુ વિશે કહેતા ઘણી વાર પ્રવાસ કર્યો.
પાઉલે આ પત્ર લગભગ જ્યારે તે રોમન સામ્રાજ્યમાંથી ત્રીજી યાત્રા દરમિયાન તે કરિંથ શહેરમાં રહેતો હતો ત્યારે લખ્યો.
રોમનોનું પુસ્તક શેના વિશે છે?
પાઉલે આ પત્ર રોમમાંના ખ્રિસ્તીઓને લખ્યો. પાઉલ જ્યારે તેમની મુલાકાત લે ત્યારે તેઓ તેને આવકારવા માટે તૈયાર રહે તેવી તેની ઇચ્છા હતી. તેણે કહ્યું કે તેનો હેતુ “વિશ્વાસનું આજ્ઞાપાલન લાવવા વિશેનો” હતો (16:26).
આ પત્રમાં પાઉલે ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનું સંપૂર્ણ રીતે વર્ણન કર્યું. તેણે સમજાવ્યું કે યહૂદી અને બિન-યહૂદી બંનેએ પાપ કર્યું છે, અને માત્ર જો તેઓ ઈસુમાં વિશ્વાસ કરે તો ઈશ્વર તેઓને ક્ષમા કરશે અને તેમને ન્યાયી ઠરાવશે (અધ્યાય 1-11). પછી તેણે તેમને વિશ્વાસીઓએ કેવી રીતે જીવવું તેની વ્યવહારુ સલાહ આપી (અધ્યાય 12-16),
આ પુસ્તકના શીર્ષકનું અનુવાદ કેવી રીતે થઈ શકે?
અનુવાદકારો આ પુસ્તકને તેના પરંપરાગત શીર્ષક “રોમનો” થી બોલાવવાનું પસંદ કરી શકે છે. અથવા તેઓ વધુ સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, જેમ કે “રોમની મંડળીને માટે પાઉલનો પત્ર,” અથવા “રોમના ખ્રિસ્તીઓને પત્ર.” (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
ભાગ 2: મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો
ઈસુનો ઉલ્લેખ કરવા માટે કયા શીર્ષકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે?
રોમનોમાં, પાઉલે ઈસુનું વર્ણન ઘણા શીર્ષકો અને વર્ણનોથી વર્ણન કરેલુ છે: ઈસુ ખ્રિસ્ત (1:1), દાઉદનું બીજ (1:3), ઈશ્વર પુત્ર (1:4), પ્રભુ ઈસુ ખ્રિસ્ત (1:7), ખ્રિસ્ત ઈસુ (3:24), પ્રાયશ્ચિત (3:25), ઈસુ (3:26), ઈસુ આપણા પ્રભુ, (4:24), સૈન્યોના પ્રભુ (9:29), ઠેસ ખવડાવનાર પથ્થર અને ઠોકરરૂપ ખડક (9:33), નિયમની સંપૂર્ણતા (10:4), ઉદ્ધારક (11:26), મૂએલાં અને જીવતાંના પ્રભુ (14:9), અને યશાઈની જડ (15:12).
રોમનોમાંના ધર્મશાસ્ત્રના શબ્દોનું અનુવાદ કેવી રીતે કરવું જોઈએ?
પાઉલ ઘણા ધર્મશાસ્ત્રના શબ્દોનો ઉપયોગ કરે છે જેનો ઉપયોગ ચાર સુવાર્તાઓમાં કરવામાં આવ્યો નથી. જેમ શરૂઆતના ખ્રિસ્તીઓ ઈસુ ખ્રિસ્ત અને તેમના સંદેશના અર્થ વિશે વધુ શીખ્યા, તેમ તેઓને નવા વિચારો માટે શબ્દો અને અભિવ્યક્તિઓની જરૂર હતી. આ શબ્દોના થોડા ઉદાહરણો “ન્યાયીકરણ” (5:1), “નિયમના કાર્યો” (3:20), “સમાધાન” (5:10), “પ્રાયશ્ચિત” (3:25), “શુદ્ધિકરણ” (6:19), અને “જૂનો માનવી” (6:6).
“મુખ્ય શબ્દો” શબ્દકોશ અનુવાદકારોને આ ઘણા શબ્દો સમજવામાં સહાય કરી શકે છે. (જુઓ: અમૂર્ત નામો)
જેમ કે ઉપરોક્ત આપેલા શબ્દો સમજાવવા માટે મુશ્કેલ છે. અનુવાદકારો માટે તેમની પોતાની ભાષાઓમાં સમાન શબ્દો શોધવા તે ઘણી વાર મુશ્કેલ અથવા અશક્ય બની જાય છે. આ શબ્દો માટે સમકક્ષ શબ્દ જરૂરી નથી તે જાણવું સહાયરૂપ બની શકે છે. તેને બદલે, અનુવાદકારો આ વિચારોને જણાવવા માટે ટૂંકી અભિવ્યક્તિઓ વિકસાવી શકે છે. ઉદાહરણ તરીકે, “સુવાર્તા” શબ્દને “ઈસુ ખ્રિસ્ત વિશેની ખુશ ખબર” તરીકે અનુવાદ કરી શકાય છે.
અનુવાદકારોએ આ પણ યાદ રાખવું જોઈએ કે આ શબ્દોનો એક કરતાં વધારે અર્થ પણ થાય છે. તેનો અર્થ લેખક તે શબ્દનો ઉપયોગ કેવી રીતે તે વિશેષ ભાગમાં કરે છે તે પર આધારિત છે. ઉદાહરણ તરીકે, ક્યારેક “ન્યાયીપણા” નો અર્થ થાય છે કે વ્યક્તિ ઈશ્વરના નિયમનું પાલન કરે છે. અન્ય સમયે, “ન્યાયીપણા” નો અર્થ થાય છે કે ઈસુ ખ્રિસ્ત આપણા માટે ઈશ્વરના નિયમનું સંપૂર્ણપણે પાલન કર્યું.
ઇઝરાએલના “શેષ” દ્વારા પાઉલનો શો અર્થ હતો (11:5)?
“શેષ” નો વિચાર એ જૂના કરાર અને પાઉલ એમ બંને માટે મહત્વપૂર્ણ હતો. જ્યારે આશ્શૂર અને પછી બાબિલના લોકોએ તેઓની ભૂમિ પર વિજય મેળવ્યો ત્યારે મોટાભાગના ઇઝરાએલીઓ કાં તો માર્યા ગયા અથવા તો અન્ય લોકો મધ્યે વિખેરાઈ ગયા. પ્રમાણમાં ફક્ત થોડા જ યહૂદીઓ બચી ગયા. તેઓ “શેષ” તરીકે ઓળખાયા.
11:1-9 માં, પાઉલ અન્ય શેષની વાત કરે છે. આ શેષ લોકો યહૂદીઓ હતા જેમને ઈશ્વરે બચાવ્યા કારણ કે તેઓ ઈસુ પર વિશ્વાસ કરતાં હતા. (જુઓ: શેષ)
ભાગ 3: અનુવાદને લગતા મહત્વના મુદ્દાઓ
“ખ્રિસ્તમાં” હોવું એટલે પાઉલનો અર્થ શો હતો?
“ખ્રિસ્તમાં” શબ્દસમૂહ અને સમાન શબ્દસમૂહો 3:24; 6:11, 23; 8:1,2,39; 9:1; 12:5,17; 15:17; અને 16:3,7,9,10 માં જોવા મળે છે. પાઉલ આ પ્રકારના શબ્દસમૂહોનો ઉપયોગ રૂપક તરીકે એ વ્યક્ત કરવા કરે છે કે ખ્રિસ્તી વિશ્વાસીઓ ઈસુ ખ્રિસ્તના જ છે. ખ્રિસ્તના હોવું તેનો અર્થ એ છે કે વિશ્વાસીઓને તારણ આપવામાં આવ્યું છે અને તેઓને ઈશ્વરના મિત્ર બનાવવામાં આવ્યા છે. વિશ્વાસીઓને પણ ઈશ્વર સાથે હંમેશા રહેવાનુ વચન આપવામાં આવ્યું છે. તેમ છતાં, આ વિચારને ઘણી ભાષાઓમાં રજૂ કરવો એ મુશ્કેલ બને છે.
આ શબ્દસમૂહોનો પણ ચોક્કસ અર્થ છે જેનો પાઉલે વિશેષ ભાગમાં કેવી રીતે ઉપયોગ કર્યો છે તેના પર એ આધારિત છે. ઉદાહરણ તરીકે, 3:24 (“ઉદ્ધાર કે જે ખ્રિસ્ત ઈસુમાં છે”), ઈસુ ખ્રિસ્તના “કારણે” આપણો ઉદ્ધાર થયો છે પાઉલ તેનો ઉલ્લેખ કરે છે. 8:9 માં, (“તમે દેહમાં નથી પણ આત્મામાં છો”), પાઉલ વિશ્વાસીઓને પવિત્ર આત્મા “ને” સમર્પિત થવાની વાત કરે છે. 9:1 માં (“હું ખ્રિસ્તમાં સત્ય કહું છું”), પાઉલનો અર્થ એ છે કે તે સત્ય કે જે ઈસુ ખ્રિસ્તની “સાથે કરારમાં છે” તે કહી રહ્યો છે.
તેમ છતાં, ઈસુ ખ્રિસ્ત (અને પવિત્ર આત્મા સાથે) સાથે જોડાવવાના આપણા મૂળ વિચારને આ શબ્દસમૂહોમાં પણ જોવામાં આવે છે. તેથી, અનુવાદકો પાસે ઘણા શબ્દસમૂહોમાં “માં” ઉપયોગ કરવાનું પસંદ કરી શકે છે. તે ઘણી વાર “માં,” ને વધુ ત્વરિત અર્થમાં રજૂ કરી શકે છે, જેમ કે “તેના દ્વારા,” “ની રીતે,” અથવા “ના સંદર્ભમાં.” પરંતુ, જો સંભવ હોય તો, અનુવાદકારે એ શબ્દ અથવા ભાગનો ઉલ્લેખ પસંદ કરવો જોઈએ જે ત્વરિત અર્થ અને “સાથે સંપમાં” ના અર્થમાં હોય. (જુઓ: ખ્રિસ્તમાં, ઈસુમાં, પ્રભુમાં, તેનામાં)
યુએલટી માં રોમનોમાં “પવિત્ર,” “સંતો” અથવા “પવિત્ર લોકો,” અને “શુદ્ધ” ના વિચારોને કેવી રીતે રજૂ કરવામાં આવ્યા છે?
વિવિધ વિચારોમાંથી કોઈપણનો સંકેત આપવા માટે શાસ્ત્રો આવા શબ્દોનો ઉપયોગ કરે છે. આ કારણથી, અનુવાદકારો માટે તેમના સંસ્કરણોમાં તેમને રજૂ કરવું ઘણી વાર મુશ્કેલ બને છે. અંગ્રેજીમાં અનુવાદ કરતા સમયે, યુએલટી નીચેના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે:
- કેટલીક વાર શબ્દસમૂહનો અર્થ નૈતિક પવિત્રતા દર્શાવે છે. વિશેષ કરીને સુવાર્તાને સમજવા માટે તે મહત્વનું છે કે ઈશ્વર કાળજી રાખે છે કે ખ્રિસ્તીઓ પાપરહિત બને કારણ કે તેઓ ઈસુ ખ્રિસ્ત સાથે એક થયા છે. બીજું સંબંધિત સત્ય એ છે કે ઈશ્વર સંપૂર્ણ અને દોષરહિત છે. ત્રીજું સત્ય એ છે કે ખ્રિસ્તીઓએ તેમના જીવનોમાં નિરપરાધી અને દોષરહિત વર્તન કરવું. આ કિસ્સાઓમાં, યુએલટી “પવિત્ર,” “પવિત્ર ઈશ્વર,” “પવિત્ર વ્યક્તિઓ” અથવા “પવિત્ર લોકો” ઉપયોગ કરે છે. (જુઓ 1:7)
- કેટલીક વાત ભાગનો અર્થ ખ્રિસ્તીઓ દ્વારા કરવામાં આવેલી કોઈ ખાસ ભૂમિકા સૂચવ્યા વિના સરળ ઉલ્લેખ સૂચવે છે. એવા કિસ્સાઓમાં જ્યાં અન્ય અંગ્રેજી સંસ્કરણોમાં, “સંતો” અથવા “પવિત્ર લોકો,” હોય છે જ્યારે યુએલટી “વિશ્વાસીઓ” ઉપયોગ કરે છે. (જુઓ: 8:27; 12:13; 15:25, 26, 31; 16:2, 15)
- કેટલીક વાર તે ભાગનો અર્થ કોઈ વ્યક્તિ અથવા કોઈ વસ્તુને માત્ર ઈશ્વર માટે જ અલગ કરાયાનું સૂચન કરે છે. આ કિસ્સાઓમાં, યુએલટી “અલગ કરાયેલ,” “ને સમર્પિત,” “અભિષિક્ત,” અથવા “માટે અનામત” નો ઉપયોગ કરે છે. (જુઓ: 15:16)
જ્યારે અનુવાદકો આ વિચારોને તેમના પોતાના સંસ્કરણોમાં કેવી રીતે રજૂ કરવા તે વિચારશે ત્યારે યુએસટી ઘણી વાર મદદરૂપ થશે.
રોમનોના પુસ્તકના લખાણમાં મુખ્ય મુદ્દાઓ કયા છે?
નીચેની કલમો માટે, બાઈબલનું આધુનિક સંસ્કરણ જૂના સંસ્કરણો કરતાં અલગ છે. યુએલટી આધુનિક વાંચનનો સમાવેશ કરે છે અને જૂના વાંચનને પાનની નીચે નોંધમાં મૂકે છે.
- “તે [ઈશ્વર] સર્વ બાબતો એકંદરે ભલાઈ માટે કરે છે” (8:28). કેટલાક જૂના સંસ્કરણોમાં વાંચવામાં આવે છે કે, “એકંદરે સઘળું હિતકારક નીવડે છે.”
- “પરંતુ જો તે કૃપા દ્વારા છે, તો તે કાર્યો દ્વારા નથી. નહિ તો કૃપા હવે કૃપા રહેશે નહિ” (11:6). કેટલાક જૂના સંસ્કરણોમાં વાંચવામાં આવે છે કે: “પરંતુ જો તે કાર્યો દ્વારા છે, તો તે હવે કૃપા નથી: નહિ તો કાર્ય હવે કાર્ય રહેશે નહિ.”
પ્રાચીન બાઈબલની નકલોમાં નીચેની કલમ ઉત્તમ રીતે નથી. અનુવાદકોને આ કલમ ન ઉમેરવા માટે સલાહ આપવામાં આવે છે. તેમ છતાં, જો અનુવાદકોના ક્ષેત્રમાં, બાઈબલના જૂના સંસ્કરણો છે કે જેમાં આ કલમ છે, તો અનુવાદકો તેનો સમાવેશ કરી શકે છે. જો તેનું અનુવાદ કરવામાં આવ્યું, તો તે લગભગ મૂળ રોમનોના પુસ્તકનું નથી તે દર્શાવવા માટે તેને ([]) ચોરસ કૌંસમાં મૂકવામાં આવે.
- “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમો સર્વની સાથે હો. આમેન” (16:24).
(જુઓ: શાબ્દિક ભિન્નતા)
Romans 1
રોમનો 01 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
પ્રથમ કલમ તે એક પ્રકારનો પરિચય છે. પ્રાચીન ભૂમધ્ય પ્રદેશના લોકો ઘણીવાર તેમના પત્રોni શરૂઆત આ રીતે કરતા. કેટલીક વાર તેને “અભિવાદન” કહેવામાં આવે છે.
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
સુવાર્તા
આ અધ્યાયમાં રોમનોના પુસ્તકની સામગ્રીનો “સુવાર્તા” તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. (રોમનો 1:2). રોમનો એ માથ્થી, માર્ક, લૂક અને યોહાન જેવી સુવાર્તા નથી. તેના બદલે, 1-8 અધ્યાયો બાઈબલ આધારિત સુવાર્તા રજૂ કરે છે: સર્વએ પાપ કર્યું છે. ઈસુ આપણા પાપોને લીધે મૃત્યુ પામ્યા. તેમને ફરીથી સજીવન કરવામાં આવ્યા કે આપણે તેમનામાં નવું જીવન પામીએ.
ફળ
આ અધ્યાય ફળની છબીનો ઉપયોગ કરે છે. ફળની છબી સામાન્ય રીતે વ્યક્તિના વિશ્વાસનો ઉલ્લેખ કરે છે જે તેના જીવનમાં સારા કાર્યો ઉત્પન્ન કરે છે. આ અધ્યાયમાં, રોમના ખ્રિસ્તીઓ મધ્યે પાઉલના કાર્યના પરિણામોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ફળ, ફળદાયી, નિષ્ક્રિય/નિરર્થક/બિનપરિણામકારક અને વિશ્વાસ/શ્રદ્ધા અને ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું)
સાર્વત્રિક તિરસ્કાર અને ઈશ્વરનો ક્રોધ
આ અધ્યાય સમજાવે છે કે દરેક ક્ષમા વિનાના છે. આપણે સર્વ આપણી આસપાસ તેમની સર્વ સૃષ્ટિ દ્વારા સાચા ઈશ્વર, યહોવાહ વિશે જાણીએ છીએ. આપણા પાપ અને આપણા પાપી સ્વભાવને કારણે દરેક વ્યક્તિ ન્યાયી રીતે ઈશ્વરના ક્રોધને લાયક છે. ઈસુએ તેમના પર વિશ્વાસ કરનારા લોકો માટે વધસ્તંભ પર મૃત્યુ પામીને આ ક્રોધને શાંત કર્યો. (જુઓ: વિશ્વાસ કરવો, વિશ્વાસી, માન્યતા, અવિશ્વાસી, અનાસ્થા/અશ્રદ્ધા અને પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું)
આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર
“ઈશ્વરે તેમને આપી દીધા”
ઘણા વિદ્વાનો “ઈશ્વરે તેમને આપી દીધા” અને “ઈશ્વરે તેમને સોંપી દીધા” શબ્દસમૂહોને ધર્મશાસ્ત્ર પ્રમાણે નોંધપાત્ર રીતે જુએ છે. આ કારણે, આ શબ્દસમૂહોનું અનુવાદ કરતા સમયે ક્રિયામાં નિષ્ક્રિય ભૂમિકા ભજવતા ઈશ્વરનું અનુવાદ કરવું ખૂબ મહત્વપૂર્ણ છે. ઈશ્વર કેવળ માણસોને પોતાની ઇચ્છાને અનુસરવાની મંજૂરી આપે છે, તે તેમને દબાણ કરતાં નથી. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ
મુશ્કેલ શબ્દસમૂહો અને ખ્યાલો
આ અધ્યાયમાં ઘણા મુશ્કેલ વિચારો આવેલા છે. જેવી રીતે પાઉલ લખે છે તે આ અધ્યાયનું અનુવાદ કરવું મુશ્કેલ બનાવે છે. અનુવાદકે તે શબ્દસમૂહોના અર્થ સમજવા માટે યુએસટી નો ઉપયોગ કરવો જરૂરી બની શકે છે. અને આ શબ્દસમૂહોનું વધુ મુક્તપણે અનુવાદ કરવું જરૂરી હોઈ શકે છે. કેટલાક મુશ્કેલ શબ્દસમૂહોમાં આ શામેલ છે: “વિશ્વાસનું આજ્ઞાપાલન,” “જેમની સેવા હું મારા આત્મામાં કરું છું,” “વિશ્વાસથી વિશ્વાસ સુધી,” અને “નાશવંત મનુષ્યની છબીની સમાનતા માટે અવિનાશી ઈશ્વરના મહિમાની આપ લે.”
Romans 1:1
Παῦλος
તમારી ભાષામાં આ પત્રના લેખકનો પરિચય આપવાની કોઈ ખાસ રીત હોઈ શકે છે. તમારે આ જ કલમમાં કહેવાની જરૂર પડી શકે છે કે પાઉલે આ પત્ર જેના માટે લખ્યો તે લોકો કોણ હતાં (રોમનો 1:7). વૈકલ્પિક અનુવાદ: :”મેં, પાઉલે, આ પત્ર લખ્યો હતો” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
κλητὸς ἀπόστολος, ἀφωρισμένος εἰς εὐαγγέλιον Θεοῦ
તમે આ અનુવાદ સક્રિય સ્વરૂપમાં કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે મને પ્રેરિત થવા સારું તેડ્યો અને લોકોને સુવાર્તા વિશે કહેવા મને પસંદ કર્યો છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
κλητὸς
આનો અર્થ છે કે ઈશ્વરે લોકોને તેમના બાળકો, તેમના સેવકો અને ઈસુ દ્વારા તેમના તારણના સંદેશને પ્રચાર કરનારાઓ થવા સારું નિયુક્ત અથવા પસંદ કર્યા છે.
Romans 1:2
ὃ προεπηγγείλατο διὰ τῶν προφητῶν αὐτοῦ ἐν Γραφαῖς ἁγίαις
ઈશ્વરે તેમના લોકોને વચન આપ્યું હતું કે તે તેમનું રાજ્ય સ્થાપશે. તેમણે પ્રબોધકોને આ વચનો શાસ્ત્રોમાં લખવાનું કહ્યું.
Romans 1:3
περὶ τοῦ Υἱοῦ αὐτοῦ
આ “ઈશ્વરની સુવાર્તા” નો ઉલ્લેખ કરે છે જે સુસમાચાર ઈશ્વરે તેમના પુત્રને જગતમાં મોકલવાનું વચન આપ્યું હતું.
τοῦ Υἱοῦ
ઈશ્વરના પુત્ર, આ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
τοῦ γενομένου ἐκ σπέρματος Δαυεὶδ κατὰ σάρκα
અહીં “દેહ” એ શારીરિક શરીરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “જે શારીરિક સ્વભાવ પ્રમાણે દાઉદના વંશજ છે” અથવા “જે દાઉદના પરિવારમાં જન્મ્યા હતાં” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 1:4
પાઉલ પ્રચાર કરવાની તેની ફરજ વિશે અહીં વાત કરે છે.
τοῦ ὁρισθέντος Υἱοῦ Θεοῦ ἐν δυνάμει
“તે” શબ્દનો ઉલ્લેખ ઈસુ ખ્રિસ્ત માટે કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે તેમને સામર્થ્ય સાથે ઈશ્વરના પુત્ર જાહેર કર્યા. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐξ ἀναστάσεως νεκρῶν
મૃત્યુ પામેલા લોકો મધ્યે તેમને સજીવન કરવા દ્વારા. આ અભિવ્યક્તિ સર્વ મૃત લોકો જેઓ અધોલોકમાં છે તેના વિશે કહે છે, અને ફરીથી જીવંત થવું તે તેમની મધ્યે પુનરુત્થાન જેવુ છે.
Πνεῦμα ἁγιωσύνης
આ પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે.
Romans 1:5
ἐλάβομεν χάριν καὶ ἀποστολὴν
ઈશ્વરે પાઉલને પ્રેરિત બનવાનું કૃપાદાન આપ્યું છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે મને પ્રેરિત બનવાનું કારણ આપ્યું. આ એક ખાસ વિશેષાધિકાર છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
εἰς ὑπακοὴν πίστεως ἐν πᾶσιν τοῖς ἔθνεσιν ὑπὲρ τοῦ ὀνόματος αὐτοῦ
પાઉલ ઈસુનો ઉલ્લેખ કરવા માટે ઉપનામની જેમ “નામ” નો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેમનામાં તેઓનો વિશ્વાસ હોવાને કારણે સર્વ દેશનાઓને આજ્ઞા પાલન શીખવવા માટે” (જુઓ: ઉપનામ)
Romans 1:7
πᾶσιν τοῖς οὖσιν ἐν Ῥώμῃ, ἀγαπητοῖς Θεοῦ, κλητοῖς ἁγίοις
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “રોમમાં તમને સર્વને હું આ પત્ર લખી રહ્યો છું જેમને ઈશ્વર પ્રેમ કરે છે અને તેમના લોકો બનાવવાનું પસંદ કર્યું છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
χάρις ὑμῖν καὶ εἰρήνη
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તમને કૃપા અને શાંતિ આપે” અથવા “ઈશ્વર તમને આશીર્વાદ આપો અને તમને આંતરિક શાંતિ આપો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Θεοῦ Πατρὸς ἡμῶν
“પિતા” શબ્દ એ ઈશ્વર માટેનું મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
Romans 1:8
ὅλῳ τῷ κόσμῳ
પાઉલ અને તેના વાચકો જે જગત જાણતા હતાં અને મુસાફરી કરી શક્યા એ તો રોમન સામ્રાજ્ય હતું
Romans 1:9
μάρτυς γάρ μού ἐστιν ὁ Θεός
પાઉલ ભારપૂર્વક જણાવે છે કે તે તેમના માટે આગ્રહપૂર્વક પ્રાર્થના કરે છે અને ઈશ્વરે તેને પ્રાર્થના કરતાં જોયો છે. “માટે” શબ્દ ઘણીવાર અનુવાદ કર્યા વિના જ રહી જાય છે.
ἐν τῷ πνεύματί μου
વ્યક્તિનો આત્મા એ તેનો જ ભાગ છે જે ઈશ્વરને જાણી શકે છે અને તેમનામાં વિશ્વાસ કરી શકે છે.
τῷ εὐαγγελίῳ τοῦ Υἱοῦ αὐτοῦ
બાઈબલના સુસમાચાર (સુવાર્તા) એ છે કે ઈશ્વરના પુત્રએ પોતાને જગતના તારણહાર તરીકે આપી દીધો.
Υἱοῦ
ઈશ્વરના પુત્ર, એ ઈસુ માટેનું મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
μνείαν ὑμῶν ποιοῦμαι
હું તમારા વિશે ઈશ્વરને વાત કરું છું
Romans 1:10
πάντοτε ἐπὶ τῶν προσευχῶν μου, δεόμενος εἴ…ποτὲ εὐοδωθήσομαι…ἐλθεῖν πρὸς ὑμᾶς.
દરેક સમયે જ્યારે હું પ્રાર્થના કરું છું, હું ઈશ્વરને કહું છું કે ... તમને મળવા આવવાને ... હું સફળ થાઉં
εἴ πως
ઈશ્વર જે પણ રીતે અનુમતિ આપે
ποτὲ
આખરે અથવા “છેવટે”
ἐν τῷ θελήματι τοῦ Θεοῦ
કારણ કે ઈશ્વર તે ઇચ્છે છે
Romans 1:11
પાઉલ રોમના લોકોને તેમને રૂબરૂમાં જોવાની ઇચ્છા જણાવીને તેના શરૂઆતના અભિવાદનના નિવેદનને ચાલુ રાખે છે.
ἐπιποθῶ γὰρ ἰδεῖν ὑμᾶς
કારણ કે હું ખરેખર તમને જોવા માંગુ છું
τι…χάρισμα…πνευματικὸν, εἰς τὸ στηριχθῆναι ὑμᾶς
પાઉલ રોમના ખ્રિસ્તીઓને આત્મિક રીતે સામર્થ્યવાન બનાવવા માંગે છે. વૈકલ્પિક અનુવાદ: “કેટલાક કૃપાદાનો તમને આત્મિક રીતે વૃદ્ધિ પામવામાં સહાય કરશે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 1:12
τοῦτο δέ ἐστιν συνπαρακληθῆναι ἐν ὑμῖν, διὰ τῆς ἐν ἀλλήλοις πίστεως, ὑμῶν τε καὶ ἐμοῦ
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “મારો અર્થ એ છે કે હું ચાહું છું કે ઈસુમાં વિશ્વાસના આપણા અનુભવો વહેંચીને આપણે એકબીજાને ઉત્સાહિત કરતાં રહીએ” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 1:13
οὐ θέλω…ὑμᾶς ἀγνοεῖν
પાઉલ ભાર મૂકે છે કે તે ઇચ્છે છે કે તેમની પાસે આ માહિતી હોય. તમે આ બેવડા નકારત્મકને સકારાત્મક સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “હું ઇચ્છું છું કે તમે જાણો” (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
ἀδελφοί
અહીં આ નો અર્થ સાથી ખ્રિસ્તીઓ થાય છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.
καὶ ἐκωλύθην ἄχρι τοῦ δεῦρο
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: કંઈક હંમેશાથી મને અટકાવે છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἵνα τινὰ καρπὸν σχῶ καὶ ἐν ὑμῖν
“ફસલ” શબ્દ એ રૂપક છે કે જે રોમના લોકોને રજૂ કરે છે જેમને પાઉલ ઇચ્છે છે કે તેઓ સુવાર્તા પર વિશ્વાસ કરે. વૈકલ્પિક અનુવાદ: “કે જેથી તમારી મધ્યેના વધુ લોકો ઈસુ પર ભરોસો કરે” (જુઓ: રૂપક)
τοῖς λοιποῖς ἔθνεσιν
જ્યાં તે ગયો હતો ત્યાં અન્ય પ્રદેશોમાં વિદેશી લોકો
Romans 1:14
τε…ὀφειλέτης εἰμί
“દેવાદાર” રૂપકનો ઉપયોગ કરે છે, પાઉલ ઈશ્વરની સેવા કરવા વિશે એ રીતે વાત કરે છે કે જેમ તે ઈશ્વરનો આર્થિક દેવાદાર હોય. વૈકલ્પિક અનુવાદ: “મારે સુવાર્તા લઈ જવી જોઈએ” (જુઓ: રૂપક)
Romans 1:16
οὐ…ἐπαισχύνομαι τὸ εὐαγγέλιον
તમે તેને હકારાત્મક સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “હું સુવાર્તામાં સંપૂર્ણપણે ભરોસો કરું છું” (જુઓ: વક્રોક્તિ)
δύναμις…Θεοῦ ἐστιν εἰς σωτηρίαν παντὶ τῷ πιστεύοντι
અહીં “વિશ્વાસ” નો અર્થ છે કે કોઈ વ્યક્તિ તેનો ભરોસો ખ્રિસ્તમાં મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: “જે લોકો પોતાનો ભરોસો ખ્રિસ્તમાં મૂકે છે તેમને ઈશ્વર સુવાર્તા દ્વારા સામર્થ્યવાન રીતે તારણ પમાડે છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Ἰουδαίῳ τε πρῶτον καὶ Ἕλληνι
યહૂદી લોકો માટે અને ગ્રીક લોકો માટે પણ
τε πρῶτον
અહીં “પ્રથમ” નો અર્થ છે કે સમય ક્રમમાં બીજા સર્વની પહેલા આવવું.
Romans 1:17
γὰρ…ἐν αὐτῷ
અહીં “તે” સુવાર્તાનો ઉલ્લેખ કરે છે. પાઉલ સમજાવે છે કે કેમ તે સંપૂર્ણપણે સુવાર્તામાં ભરોસો કરે છે.
δικαιοσύνη…Θεοῦ…ἀποκαλύπτεται, ἐκ πίστεως εἰς πίστιν
પાઉલ સુવાર્તા સંદેશ વિશે એ રીતે વાત કરે છે જેમ કે તે કોઈ પદાર્થ હોય કે જેને ઈશ્વર શારીરિક રૂપે લોકોને બતાવી શકે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે આપણને કહ્યું છે કે લોકો વિશ્વાસ દ્વારા શરૂઆતથી અંત સુધી ન્યાયી બને છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
καθὼς γέγραπται
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેમ કોઈએ શાસ્ત્રોમાં લખ્યું છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ὁ…δίκαιος ἐκ πίστεως ζήσεται.
અહીં “ન્યાયી” એ લોકોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરમાં ભરોસો કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તે લોકો છે જે ઈશ્વરમાં ભરોસો કરે છે કે તે તેમની સાથે યોગ્ય મનાય, અને તેઓ હંમેશ માટે જીવશે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 1:18
પાઉલ પાપી મનુષ્ય સામે ઈશ્વરનો મહાન ક્રોધ રજૂ કરે છે.
ἀποκαλύπτεται γὰρ ὀργὴ Θεοῦ
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “માટે ઈશ્વર બતાવે છે કે તે કેટલા ગુસ્સે છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
γὰρ
પાઉલ “માટે” શબ્દનો ઉપયોગ તેણે રોમનો 1:17 માં જે કહ્યું છે તે સત્ય છે એવું શા માટે લોકો જાણે છે એ દર્શાવવા કરે છે.
ἀποκαλύπτεται…ὀργὴ Θεοῦ ἀπ’ οὐρανοῦ, ἐπὶ πᾶσαν ἀσέβειαν καὶ ἀδικίαν ἀνθρώπων
“અધર્મ” અને “અન્યાયીપણું” એ શબ્દો અમૂર્ત નામો છે કે જે “અધર્મી” વિશેષણોનો ઉપયોગ કરીને અભિવ્યક્ત કરી શકાય છે, જે લોકોનું વર્ણન કરે છે, અને “અન્યાયી,” કે જે તેઓના કાર્યોનું વર્ણન કરે છે. ઈશ્વર જે લોકોથી ગુસ્સે છે તેમના માટે આ નામો તે ઉપનામો છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર સ્વર્ગમાંથી પ્રગટ કરે છે કે તે લોકોથી કેમ આટલા ગુસ્સે છે કારણ કે તેઓ અધર્મી છે અને અન્યાયી કૃત્યો કરે છે” (જુઓ: અમૂર્ત નામો અને ઉપનામ)
τὴν ἀλήθειαν…κατεχόντων
અહીં “સત્ય” એ ઈશ્વર વિશેની સાચી માહિતીનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર વિશેની સાચી માહિતી છુપાવી દો” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 1:19
τὸ γνωστὸν τοῦ Θεοῦ, φανερόν ἐστιν ἐν αὐτοῖς
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ સ્પષ્ટપણે જે જોઈ શકે છે તેના કારણે તેઓ ઈશ્વર વિશે જાણી શકે છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ὁ Θεὸς γὰρ αὐτοῖς ἐφανέρωσεν
અહીં “તેમને પ્રબુદ્ધ” કર્યાનો અર્થ ઈશ્વરે તેમને તેમના વિશેનું સત્ય બતાવે છે. વૈકલ્પિક અનુવાદ: “કારણ કે ઈશ્વરે દરેકને બતાવ્યુ છે કે તે કેવા છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 1:20
τὰ γὰρ ἀόρατα αὐτοῦ ἀπὸ κτίσεως κόσμου, τοῖς ποιήμασιν νοούμενα, καθορᾶται
પાઉલ ઈશ્વરના અદ્રશ્ય ગુણોને સમજનાર લોકોની વાત કરે છે જાણે કે લોકોએ તે ગુણો જોયા હોય. તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે લોકોએ ઈશ્વરના અદ્રશ્ય ગુણો, નામથી તેમનું સનાતન સામર્થ્ય અને અલૌકિક સ્વભાવને સ્પષ્ટપણે સમજી લીધું છે” (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
θειότης
ઈશ્વરના સર્વ ગુણો અને લાક્ષણિકતાઓ અથવા “ઈશ્વર વિશેની બાબતો જે તેમને ઈશ્વર બનાવે છે”
κόσμου
આ સ્વર્ગ અને પૃથ્વી તેમજ તેમાના સર્વસ્વનો ઉલ્લેખ કરે છે.
τοῖς ποιήμασιν
તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે જે બાબતો બનાવી છે તેને કારણે” અથવા “કારણ કે ઈશ્વરે જે બાબતો બનાવી છે તે લોકોએ જોઈ છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τὸ εἶναι αὐτοὺς ἀναπολογήτους
આ લોકો ક્યારેય કહી શકતા નથી કે તેઓ જાણતા ન હતા.
Romans 1:21
ἐματαιώθησαν ἐν τοῖς διαλογισμοῖς αὐτῶν
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “મૂર્ખ બાબતો વિચારવાનું શરૂ કર્યું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐσκοτίσθη ἡ ἀσύνετος αὐτῶν καρδία
અહીં “અંધકાર” એ રૂપક છે જે લોકોની સમજણના અભાવને રજૂ કરે છે. અહીં “હ્રદયો” એ વ્યક્તિના મન અને આંતરિક જીવ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તેઓને જે જણાવવા માંગે છે તે સમજવા તેઓ અસમર્થ બની ગયા” (જુઓ: રૂપક અને ઉપનામ)
Romans 1:22
φάσκοντες εἶναι σοφοὶ, ἐμωράνθησαν
જ્યારે તેઓ દાવો કરતાં હતા કે તેઓ સમજદાર હતા, ત્યારે તેઓ મૂર્ખ બની ગયા
φάσκοντες
રોમન 1:18 માં લોકો
Romans 1:23
ἤλλαξαν τὴν δόξαν τοῦ ἀφθάρτου Θεοῦ
સત્યનો વેપાર કર્યો કે ઈશ્વર મહિમાવાન છે અને ક્યારેય મૃત્યુ પામશે નહિ અથવા “ઈશ્વર મહિમાવાન છે અને ક્યારેય મૃત્યુ પામશે નહિ તેના પર વિશ્વાસ કરવાનું બંધ કર્યું”
ἐν ὁμοιώματι εἰκόνος
અને તેને બદલે તેના જેવી દેખાતી મૂર્તિઓની આરાધના કરવાનું પસંદ કર્યું
φθαρτοῦ ἀνθρώπου
કોઈ મનુષ્ય જેવી કે જે મૃત્યુ પામશે
πετεινῶν, καὶ τετραπόδων, καὶ ἑρπετῶν
અથવા પક્ષીઓ, ચાર પગવાળા પશુઓ અથવા પેટે ચાલનાર પ્રાણીઓ જેવી દેખાતી વસ્તુઓ
Romans 1:24
διὸ
કારણ કે મેં જે અત્યારે કહ્યું છે તે સત્ય છે
παρέδωκεν αὐτοὺς ὁ Θεὸς ἐν
ઈશ્વરે તેમને તેમાં રહેવાની પરવાનગી આપી
αὐτοὺς…αὐτῶν…αὐτοῖς;
આ શબ્દો રોમન 1:18 ના “માનવજાત” નો ઉલ્લેખ કરે છે.
ταῖς ἐπιθυμίαις τῶν καρδιῶν αὐτῶν εἰς ἀκαθαρσίαν
અહીં “તેમના હ્રદયોની વાસનાઓ” એ એક રૂઢિપ્રયોગ છે જે તેઓ દુષ્ટ બાબતો કરવા માંગતા હતા તેને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “નૈતિક રીતે અશુદ્ધ વસ્તુઓ તેઓ ખૂબ ઇચ્છતા હતા” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)
τοῦ ἀτιμάζεσθαι τὰ σώματα αὐτῶν ἐν αὐτοῖς
આ એક સૌમ્યોક્તિ છે જેનો અર્થ છે કે તેઓએ અનૈતિક જાતીય કૃત્યો કર્યા. તમે તેનું સક્રિય સ્વરૂપમા અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અને તેઓએ અનૈતિક અને અધમ જાતીય કૃત્યો કર્યા” (જુઓ: સૌમ્યોક્તિ અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 1:25
οἵτινες
આ શબ્દ રોમન 1:18 ના “માનવજાત” નો ઉલ્લેખ કરે છે.
ἐσεβάσθησαν καὶ ἐλάτρευσαν τῇ κτίσει
અહીં “સૃષ્ટિ” એ ઈશ્વરે જે સર્જન કર્યું છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓએ ઈશ્વરે સર્જન કરેલી વસ્તુઓની આરાધના કરી” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
παρὰ
તેના કરતા
Romans 1:26
διὰ τοῦτο
મૂર્તિપૂજા અને જાતીય પાપને કારણે
παρέδωκεν αὐτοὺς ὁ Θεὸς εἰς
ઈશ્વરે તેમને તેમાં રહેવા માટે પરવાનગી આપી
πάθη ἀτιμίας
શરમજનક જાતીય ઇચ્છાઓ
αἵ τε γὰρ θήλειαι αὐτῶν
કારણ કે તેમની સ્ત્રીઓ
μετήλλαξαν τὴν φυσικὴν χρῆσιν εἰς τὴν παρὰ φύσιν
સંબંધોનો વિચાર “કે જે અકુદરતી હતો” તે અનૈતિક જાતીયતા માટે સૌમ્યોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે રચના નહોતી કરી તે રીતે જાતીયતાનો વ્યવહાર શરૂ કર્યો” (જુઓ: સૌમ્યોક્તિ)
Romans 1:27
καὶ…ἄρσενες ἀφέντες τὴν φυσικὴν χρῆσιν τῆς θηλείας
અહીં “કુદરતી સંબંધો” એ જાતીય સંબંધો માટેની એક સૌમ્યોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ઘણા પુરુષોએ સ્ત્રીઓ માટે જાતીય ઇચ્છાઓ રાખવાનું બંધ કર્યું” (જુઓ: સૌમ્યોક્તિ)
ἐξεκαύθησαν ἐν τῇ ὀρέξει αὐτῶν εἰς ἀλλήλους
બીજા પુરુષો માટે તીવ્ર જાતીય ઇચ્છા અનુભવી
τὴν ἀσχημοσύνην κατεργαζόμενοι
એવા કૃત્યો કર્યા જેના માટે તેઓને શરમ આવવી જોઈતી હતી, પરંતુ તેઓ શરમાયા નહિ
ἄρσεσιν…καὶ τὴν ἀντιμισθίαν ἣν ἔδει τῆς πλάνης αὐτῶν, ἐν ἑαυτοῖς ἀπολαμβάνοντες
પુરુષો, અને ઈશ્વરે તેઓએ કરેલી ભૂલ માટે તેમને ન્યાયી શિક્ષા કરી
πλάνης
નૈતિક રીતે ખોટું, એ તથ્યો વિશે ભૂલ નથી
Romans 1:28
καὶ καθὼς οὐκ ἐδοκίμασαν, τὸν Θεὸν ἔχειν ἐν ἐπιγνώσει
ઈશ્વરને જાણવા જરૂરી છે એવો તેઓએ વિચાર કર્યો નહિ
αὐτοὺς
આ શબ્દો રોમન 1:18 ના “માનવજાત” નો ઉલ્લેખ કરે છે.
παρέδωκεν αὐτοὺς ὁ Θεὸς εἰς ἀδόκιμον νοῦν
અહીં “દુરાચારી મન” નો અર્થ એ છે કે જે મન માત્ર અનૈતિક બાબતો વિશે જ વિચાર કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે તેમના મનોને, કે જે તેઓએ નકામા અને અનૈતિક વિચારોથી ભરી દીધા હતા, તેમને સંપૂર્ણ રીતે નિયંત્રણ કરવાની પરવાનગી આપી” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
μὴ καθήκοντα
અપમાનજનક અથવા “પાપી”
Romans 1:29
πεπληρωμένους
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓમા તેમની પાસે તે માટે તીવ્ર ઇચ્છા છે” અથવા “તેઓ તે કૃત્યો કરવાની તીવ્ર ઇચ્છા રાખે છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
μεστοὺς φθόνου, φόνου, ἔριδος, δόλου, κακοηθείας
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઘણા અન્ય લોકોની સતત ઇર્ષ્યા કરે છે ... ઘણા લોકોની હત્યા કરવાની સતત ઇચ્છા રાખે છે ... લોકોમાં દલીલો અને ઝઘડા પેદા કરે છે ... અન્યોને છેતરવા ... અન્યો વિશે દ્વેષપૂર્ણ રીતે બોલવા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 1:30
καταλάλους
નિંદા કરનાર તે વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે અન્ય વ્યક્તિ વિશે ખોટી બાબતો કહે છે.
ἐφευρετὰς κακῶν
બીજાઓનું અનિષ્ટ બાબતો કરવાની નવી રીતો વિચારવી
Romans 1:32
οἵτινες τὸ δικαίωμα τοῦ Θεοῦ ἐπιγνόντες
તેઓ કેવી રીતે જીવે તે વિશે ઈશ્વર શું ચાહે છે તે તેઓ જાણે છે
ὅτι οἱ τὰ τοιαῦτα πράσσοντες
અહીં “અભ્યાસ” એ સતત અથવા ટેવપૂર્વક કરવામાં આવતી બાબતો કે જે દુષ્ટ છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “અને તેઓ કે જેઓ દુષ્ટ બાબતો કર્યા કરે છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἄξιοι θανάτου εἰσίν
મૃત્યુને પાત્ર છે
αὐτὰ
આ પ્રકારની દુષ્ટ બાબતો
τοῖς πράσσουσιν
અહીં ક્રિયાપદ “કરવું” એ દુષ્ટ બાબતો કરવાનું ચાલુ રાખવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “જેઓ દુષ્ટ બાબતો કર્યા કરે છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 2
રોમન 02 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
આ અધ્યાય તેના રોમન ખ્રિસ્તી શ્રોતાઓથી હટાવીને તેઓ તરફ લઈ જાય છે જેઓ અન્ય લોકોનો “ન્યાય” કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરતાં નથી. (જુઓ: ન્યાયાધીશ, ન્યાયાધીશો, ન્યાય, ચુકાદાઓ અને વિશ્વાસ કરવો, વિશ્વાસી, માન્યતા, અવિશ્વાસી, અનાસ્થા/અશ્રદ્ધા)
“તેથી તમે બહાના વિનાનાં છો”
આ શબ્દસમૂહ પાછલા 1 અધ્યાય તરફ જુએ છે. કેટલીક રીતે, તે અધ્યાય 1 જે ખરેખર શીખવે છે તેનાથી સમાપ્ત કરે છે. આ શબ્દસમૂહ સમજાવે છે કે કેમ આ જગતમાંના દરેકે સાચા ઈશ્વરની સ્તુતિ કરવી જોઈએ.
આ અધ્યાયના વિશિષ્ટ ખ્યાલો
“નિયમ પાળનારાઓ”
જેઓ નિયમનું પાલન કરવાનો પ્રયત્ન કરે છે તેઓ તેનું પાલન કરવાના પ્રયત્નને કારણે ન્યાયી ઠરાવવામાં આવશે નહિ. જેઓ ઈસુમાં વિશ્વાસ કરવા દ્વારા ન્યાયી ઠરાવવામાં આવ્યા છે તેઓ બતાવે છે કે ઈશ્વરની આજ્ઞા પાળવા દ્વારા તેમનો વિશ્વાસ ખરો છે. (જુઓ: ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાય, યોગ્ય ઠરાવવું, ન્યાયી ઠરાવવું અને નિયમ/કાયદો/કાનૂન, મુસાનો નિયમ, યહોવાનો નિયમ, ઈશ્વરનો નિયમ)
આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર
અલંકારિક પ્રશ્નો
પાઉલ આ અધ્યાયમાં ઘણા અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. તે દ્રશ્યમાન થાય છે કે અલંકારિક પ્રશ્નોનો ઉદ્દેશ છે કે વાચકો તેમના પાપ જુએ જેથી તેઓ ઈસુમાં વિશ્વાસ કરે. (જુઓ: આલંકારિક પ્રશ્ન, અપરાધ, (દોષ), દોષિત અને પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું અને વિશ્વાસ/શ્રદ્ધા)
આનુમાનિક પરિસ્થિતી
સંદર્ભમાં, કલમ 7 માં “તે અનંત જીવન આપશે” તે એક આનુમાનિક નિવેદન છે. જો એક વ્યક્તિ સંપૂર્ણ જીવન જીવે, તો તે અનંત જીવનનો બદલો પામે છે. પરંતુ માત્ર ઈસુ જ સંપૂર્ણ જીવન જીવવા માટે સક્ષમ હતા.
પાઉલ 17-29 કલમોમાં અન્ય આનુમાનિક પરિસ્થિતી આપે છે. અહીં તે સમજાવે છે કે જેઓ ગંભીરતાપૂર્વક મૂસાના નિયમનું પાલન કરવાનો પ્રયત્ન કરે છે તેઓ પણ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ દોષી છે. અંગ્રેજીમાં, આ તેઓને માટે છે કે જેઓ નિયમના “અક્ષર” નું પાલન કરે છે પરંતુ “આત્મા” અથવા નિયમના સામાન્ય સિદ્ધાંતોનું પાલન કરતાં નથી. (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ
“તમે જેઓ ન્યાય કરનારા”
એક સમયે, આ સરળ રીતે અનુવાદ થઈ શકે છે. પરંતુ તેનું અનુવાદ સરખામણીની દ્રષ્ટિએ પ્રતિકૂળ રીતે કરવામાં આવ્યું છે કારણ કે જ્યારે પાઉલ “લોકો જે ન્યાય કરે છે” નો ઉલ્લેખ કરે છે ત્યારે તે એ પણ કહે છે કે દરેક ન્યાય કરે છે. આનું આ અનુવાદ શક્ય છે કે “જેઓ ન્યાય કરે છે (અને દરેક ન્યાય કરે છે).”
Romans 2:1
પાઉલ ખાતરી આપે છે કે સર્વ માણસો પાપી છે અને સતત તેમને યાદ અપાવે છે કે સર્વ લોકો દુષ્ટ છે.
διὸ ἀναπολόγητος εἶ
“તેથી” શબ્દ અક્ષરના નવા વિભાગને ચિહ્નિત કરે છે. પાઉલે જે રોમન 1:1-32 માં કહ્યું છે તેના આધારે તે સમાપનનું નિવેદન પણ બને છે. વૈકલ્પિક અનુવાદ: “જેઓ સતત પાપ કરે છે તેઓને ઈશ્વર શિક્ષા કરશે, તે નિશ્ચે તમારા પાપોને ક્ષમા કરશે નહિ” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
εἶ
પાઉલ અહીં એ રીતે લખે છે કે જેમ તે એક યહૂદી વ્યક્તિને સંબોધન કરી રહ્યો છે જે તેની સાથે દલીલ કરી રહ્યો છે. પાઉલ તેના પ્રેક્ષકોને શીખવવા માટે આ કરી રહ્યો છે કે જે દરેક સતત પાપ કરે છે તેમને ઈશ્વર શિક્ષા કરશે, પછી ભલે તે યહૂદી અથવા વિદેશી હોય. (જુઓ: લુપ્તાશર સંબોધન, મૃત કે ગેરહાજર વ્યક્તિ કે વસ્તુને ઉદ્દેશીને કરેલું સંબોધન, ઉદ્ગાર સંબોધન)
εἶ
અહીં ઉપનામ “તમે” એકવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)
ὦ ἄνθρωπε, πᾶς ὁ κρίνων
પાઉલ અહીં “વ્યક્તિ” શબ્દનો ઉપયોગ જે વિચારે છે કે તે ઈશ્વર જેમ વર્તી શકે છે અને અન્યોનો ન્યાય કરી શકે છે તેને ઠપકો આપવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તમે ફક્ત માનવી છો, તેમ છતાં તમે બીજાઓનો ન્યાય કરો છો અને કહો છો કે તેઓ ઈશ્વરની શિક્ષાને પાત્ર છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἐν ᾧ γὰρ κρίνεις τὸν ἕτερον, σεαυτὸν κατακρίνεις
પરંતુ તમે ફક્ત પોતાનો જ ન્યાય કરો છો કારણ કે તમે તેઓના જેવા જ દુષ્ટ કૃત્યો કરો છો
Romans 2:2
οἴδαμεν δὲ
અહીં ઉપનામ “અમે” ખ્રિસ્તી વિશ્વાસીઓ અને યહૂદીઓ કે જેઓ ખ્રિસ્તી નથી તેઓનો પણ સમાવેશ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)
τὸ κρίμα τοῦ Θεοῦ ἐστιν κατὰ ἀλήθειαν ἐπὶ τοὺς
અહીં પાઉલ “ઈશ્વરના ન્યાય” વિશે કહે છે જાણે કે તે જીવિત હોય અને લોકો પર “પડી” શકતો હોય. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તે લોકોનો સાચો અને અદલ ન્યાય કરશે” (જુઓ: વ્યક્તિનો અવતાર)
τοὺς τὰ τοιαῦτα πράσσοντας
લોકો જે તે દુષ્ટ કૃત્યો કરે છે
Romans 2:3
λογίζῃ δὲ τοῦτο
તેથી આ ધ્યાનમાં લો અથવા “તેથી, આ ધ્યાન રાખો”
λογίζῃ…τοῦτο
હું તમને જે કહેવા જઈ રહ્યો છું તેના વિશે વિચાર કરો
ἄνθρωπε
માનવી માટે સામાન્ય શબ્દનો ઉપયોગ કરો “તમે જે પણ છો”
ὦ ἄνθρωπε, ὁ κρίνων τοὺς τὰ τοιαῦτα πράσσοντας, καὶ ποιῶν αὐτά
તમે જે કહો છો કે કોઈ ઈશ્વરની શિક્ષાને પાત્ર છે જ્યારે તમે પોતે પણ તેવા જ દુષ્ટ કૃત્યો કરો છો
ὅτι σὺ ἐκφεύξῃ τὸ κρίμα τοῦ Θεοῦ
આ ટિપ્પણી પ્રશ્નના સ્વરૂપમાં ભાર મૂકવા માટે દેખાય છે. તમે આ પ્રશ્નને એક મજબૂત નકારાત્મક નિવેદન તરીકે પણ અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમે નિશ્ચિતપણે ઈશ્વરના ન્યાયથી છટકી શકશો નહિ!” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Romans 2:4
ἢ τοῦ πλούτου τῆς χρηστότητος αὐτοῦ, καὶ τῆς ἀνοχῆς, καὶ τῆς μακροθυμίας καταφρονεῖς, ἀγνοῶν ὅτι τὸ χρηστὸν τοῦ Θεοῦ, εἰς μετάνοιάν σε ἄγει?
આ ટિપ્પણી પ્રશ્નના સ્વરૂપમાં ભાર મૂકવા માટે દેખાય છે. તમે આ પ્રશ્નને એક મજબૂત નિવેદન તરીકે પણ અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમારે એ રીતે કાર્ય ન કરવું જોઈએ કે ઈશ્વર સારા છે અને તેથી કોઈ ફરક પડતો નથી અને તે લોકોને શિક્ષા કરે તે પહેલા લાંબો સમય ધીરજથી રાહ જુએ છે, તેથી તેમની ભલાઈ તેમના પસ્તાવાનું કારણ બનશે!” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
τοῦ πλούτου τῆς χρηστότητος αὐτοῦ, καὶ τῆς ἀνοχῆς, καὶ τῆς μακροθυμίας καταφρονεῖς
સંપત્તિને ધ્યાનમાં લો ... ધૈર્ય નકામું છે અથવા “ધ્યાન રાખો ... સારું નથી”
ἀγνοῶν ὅτι τὸ χρηστὸν τοῦ Θεοῦ, εἰς μετάνοιάν σε ἄγει?
આ ટિપ્પણી પ્રશ્નના સ્વરૂપમાં ભાર મૂકવા માટે દેખાય છે. તમે આ મજબૂત નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમારે જાણવું જ જોઈએ કે ઈશ્વર તમને બતાવે છે કે તે ભલા છે જેથી તમે પસ્તાવો કરો!” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Romans 2:5
પાઉલ લોકોને સતત યાદ અપાવે છે કે સર્વ લોકો દુષ્ટ છે.
κατὰ δὲ τὴν σκληρότητά σου καὶ ἀμετανόητον καρδίαν
પાઉલ એક વ્યક્તિ જે ઈશ્વરની આજ્ઞાપાલન કરવાનો નકાર કરે છે તેની સરખામણી કંઈક કઠણ, પથ્થર જેવી વસ્તુ સાથે કરવા રૂપકનો ઉપયોગ કરે છે. તે વ્યક્તિના મન અથવા આંતરિક અસ્તિત્વને રજૂ કરવા માટે “હ્રદય” ઉપનામનો પણ ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તે એ કારણથી છે કે તમે સાંભળવાનો અને પસ્તાવો કરવાનો નકાર કર્યો” (જુઓ: રૂપક અને ઉપનામ)
τὴν σκληρότητά…καὶ ἀμετανόητον καρδίαν
આ દ્વિઅર્થી છે જેને તમે “પસ્તાવા વિનાનું હ્રદય” તરીકે જોડી શકો છો.” (જુઓ: બેવડું/બમણાં)
θησαυρίζεις σεαυτῷ ὀργὴν
“સંગ્રહ કરવો” શબ્દસમૂહ એક રૂપકનો અર્થ સૂચવે છે જે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ જે તેના ખજાનાને એકત્ર કરીને એક સુરક્ષિત સ્થળે મૂકવાનો ઉલ્લેખ કરે છે. પાઉલ કહે છે, ખજાનાને બદલે, તે વ્યક્તિ ઈશ્વરની શિક્ષાને એકત્ર કરી રહ્યો છે. જેટલો લાંબો સમય પસ્તાવા વિનાનો, એટલી ગંભીર શિક્ષા. વૈકલ્પિક અનુવાદ: “તમે તમારી શિક્ષાને વધુ ખરાબ બનાવી રહ્યા છો” (જુઓ: રૂપક)
ἐν ἡμέρᾳ ὀργῆς…ἀποκαλύψεως δικαιοκρισίας τοῦ Θεοῦ
આ બંને શબ્દસમૂહો એક જ દિવસનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “જ્યારે ઈશ્વર દરેકને બતાવે છે કે તેઓ ગુસ્સે છે અને તે સર્વ લોકોનો અદલ ન્યાય કરે છે” (જુઓ: બેવડું/બમણાં)
Romans 2:6
ἀποδώσει
વાજબી બદલો અથવા શિક્ષા આપો
ἑκάστῳ κατὰ τὰ ἔργα αὐτοῦ
તે વ્યક્તિએ જે કર્યું છે તે મુજબ દરેક વ્યક્તિને
Romans 2:7
ζητοῦσιν
આનો અર્થ એ છે કે તેઓ એવી રીતે કાર્ય કરે છે કે ન્યાયને દિવસે ઈશ્વર તરફથી હકારાત્મક નિર્ણય આવશે.
δόξαν καὶ τιμὴν καὶ ἀφθαρσίαν
તેઓ ચાહે છે કે ઈશ્વર તેમની પ્રશંસા અને સન્માન કરે, અને તેઓ ક્યારેય મૃત્યુ પામવા માંગતા નથી.
ἀφθαρσίαν
આ શારીરિક સડાનો ઉલ્લેખ કરે છે, નૈતિક નહિ.
Romans 2:8
જો કે આ ભાગ બિન-ધાર્મિક દુષ્ટ વ્યક્તિની સાથે વાત કરી રહ્યો છે, પાઉલ ઈશ્વર સમક્ષ બિન-યહૂદીઓ અને યહૂદીઓ બંને દુષ્ટ છે એમ કહીને તેનો ઉમેરો કરે છે.
ἐριθείας
સ્વાર્થી અથવા “પોતાને જે ખુશ કરે છે માત્ર તેનાથી જ ચિંતિત
ἀπειθοῦσι τῇ ἀληθείᾳ, πειθομένοις δὲ τῇ ἀδικίᾳ
આ બંને શબ્દસમૂહોનો સામાન્ય રીતે એક સમાન અર્થ થાય છે. બીજો અર્થ પ્રથમને વધારે છે. (જુઓ: સમાંતરણ)
ὀργὴ καὶ θυμός
“ક્રોધ” અને “ઉગ્ર ક્રોધ” શબ્દોનો મૂળ અર્થ સામાન્ય રીતે સમાન છે અને તે ઈશ્વરના ક્રોધ પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તેમનો ભયંકર ક્રોધ બતાવશે” (જુઓ: બેવડું/બમણાં)
ὀργὴ
અહીં “ક્રોધ” એ ઉપનામ છે જે દુષ્ટ લોકો પર ઈશ્વરની કઠોર શિક્ષાનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)
Romans 2:9
θλῖψις καὶ στενοχωρία, ἐπὶ
અહીં “ભારે દુ:ખ” અને “તકલીફ” શબ્દોનો મૂળ અર્થ સામાન્ય રીતે સમાન છે અને ઈશ્વરની શિક્ષા કેવી હશે તે પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: “ભયાનક શિક્ષાઓ થશે” (જુઓ: બેવડું/બમણાં)
ἐπὶ πᾶσαν ψυχὴν ἀνθρώπου
અહીં, પાઉલ “આત્મા” શબ્દનો ઉપયોગ રૂઢિપ્રયોગ તરીકે સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: “દરેક વ્યક્તિ ઉપર” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)
τοῦ κατεργαζομένου τὸ κακόν
સતત દુષ્ટ બાબતો કરી છે
Ἰουδαίου τε πρῶτον καὶ Ἕλληνος
ઈશ્વર પ્રથમ યહૂદી લોકોનો ન્યાય કરશે, અને પછી જેઓ યહૂદી લોકો નથી તેઓનો
πρῶτον
શક્ય અર્થ આ પ્રમાણે છે 1) “પ્રથમ સમયના ક્રમમાં” અથવા 2) “ચોક્કસપણે”
Romans 2:10
δόξα δὲ, καὶ τιμὴ, καὶ εἰρήνη, παντὶ
પરંતુ ઈશ્વર પ્રશંસા, સન્માન અને શાંતિ આપશે
τῷ ἐργαζομένῳ τὸ ἀγαθόν
જે સારું છે તે સતત કરે છે
Ἰουδαίῳ τε πρῶτον καὶ Ἕλληνι
ઈશ્વર પ્રથમ યહૂદી લોકોને બદલો આપશે, અને પછી જેઓ યહૂદી લોકો નથી તેઓને
πρῶτον
તમે રોમન 2:9 માં જે રીતે અનુવાદ કર્યું તે જ રીતે આ કરો.
Romans 2:11
οὐ γάρ ἐστιν προσωπολημψία παρὰ τῷ Θεῷ
તમે તેને હકારાત્મક સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે ઈશ્વર સર્વ લોકોની સાથે સમાન રીતે વર્તે છે” (જુઓ: વક્રોક્તિ)
Romans 2:12
ὅσοι γὰρ…ἥμαρτον
તેઓ કે જેમણે પાપ કર્યું છે
ἀνόμως…ἀνόμως καὶ ἀπολοῦνται
પાઉલ “નિયમ વિના” નું પુનરાવર્તન કરવા માટે ભાર મૂકે છે કે લોકો મૂસાના નિયમને જાણતા હોય કે નહિ તેનો કોઈ વાંધો નથી. જો તેઓ પાપ કરે, તો ઈશ્વર તેમનો ન્યાય કરશે. વૈકલ્પિક અનુવાદ: “મૂસાના નિયમને જાણ્યા વિના પણ નિશ્ચિતપણે આત્મિક મૃત્યુ પામશે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ὅσοι…ἥμαρτον
તેઓ સર્વ કે જેઓએ પાપ કર્યું છે
ἐν νόμῳ…διὰ νόμου κριθήσονται
ઈશ્વર પાપી લોકોનો તેમના નિયમ મુજબ ન્યાય કરશે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અને મૂસાના નિયમને કોણ જાણે છે, ઈશ્વર તેમનો ન્યાય તે નિયમ મુજબ કરશે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 2:13
પાઉલ તેના વાચકોને સતત જણાવે છે કે ઈશ્વરના નિયમનું સંપૂર્ણ પાલન તેઓ માટે પણ જરૂરી છે જેમની પાસે ક્યારેય ઈશ્વરનો નિયમ ન હતો.
γὰρ
14 અને 15 કલમો વાચકોને વધારાની માહિતી આપવા માટે પાઉલની મુખ્ય દલીલને અવરોધે છે. જો તમારી પાસે તમારી ભાષામાં આ પ્રકારના અવરોધને ચિહ્નિત કરવાની રીત હોય, તો તમે તેનો અહીં ઉપયોગ કરી શકો છો.
οὐ…οἱ ἀκροαταὶ νόμου
અહીં “નિયમ” મૂસાના નિયમનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તે માત્ર એ જ નથી કે જેઓ મૂસાના નિયમને સાંભળે છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
δίκαιοι παρὰ τῷ Θεῷ
જેમને ઈશ્વર ન્યાયી માને છે
ἀλλ’ οἱ ποιηταὶ νόμου
પરંતુ એ તેઓ છે જેઓ મૂસાના નિયમનું પાલન કરે છે
δικαιωθήσονται
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેમને ઈશ્વર સ્વીકારશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 2:14
ἔθνη τὰ μὴ νόμον ἔχοντα,…ἑαυτοῖς εἰσιν νόμος;
“પોતાના માટેના નિયમ” ભાગ એ એક રૂઢિપ્રયોગ છે કે જેનો અર્થ થાય છે કે આ લોકો સ્વાભાવિક રીતે ઈશ્વરના નિયમોનું પાલન કરે છે. વૈકલ્પિક અનુવાદ: “શું ઈશ્વરના નિયમો તેમની અંદર પહેલેથી જ છે” (જુઓ: રૂઢિપ્રયોગ)
νόμον…μὴ ἔχοντες
અહીં “નિયમ” એ મૂસાના નિયમનો ઉલ્લેખ કરે છે.” વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે જે મૂસાને આપ્યો હતો તે નિયમો તેઓની પાસે ખરેખર નથી” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 2:15
οἵτινες ἐνδείκνυνται
સ્વાભાવિક રીતે નિયમનું પાલન કરવા દ્વારા તેઓ બતાવે છે
τὸ ἔργον τοῦ νόμου, γραπτὸν ἐν ταῖς καρδίαις αὐτῶν
અહીં “હ્રદયો” એ વ્યક્તિના વિચારો અથવા આંતરિક વ્યક્તિ માટેનું ઉપનામ છે. “તેમના હ્રદયોમાં લખેલ” ભાગ એ તેમના મનમાં કંઈ જાણવા માટેનું રૂપક છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કે ઈશ્વરે તેમના હ્રદયો પર લખ્યું છે કે નિયમ મુજબ તેઓને શું કરવાની જરૂર છે” અથવા “કે તેઓ જાણે છે કે ઈશ્વર તેમની પાસેથી શું ઇચ્છે છે કે તેમના નિયમ મુજબ તેઓએ જે કાર્યો કરવાના છે” (જુઓ: ઉપનામ અને રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
συνμαρτυρούσης αὐτῶν…καὶ μεταξὺ ἀλλήλων, τῶν λογισμῶν κατηγορούντων ἢ καὶ ἀπολογουμένων
અહીં “સાક્ષી આપવી” તે ઈશ્વર દ્વારા તેમના હ્રદયોમાં લખેલા નિયમમાંથી મેળવેલા જ્ઞાનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેમને કહે છે જો તેઓ ઈશ્વરના નિયમનું ઉલ્લંઘન અથવા પાલન કરે છે” (જુઓ: રૂઢિપ્રયોગ)
Romans 2:16
ἐν ἡμέρᾳ ὅτε κρίνει ὁ Θεὸς
આ પાઉલના વિચારો રોમન 2:13 માંથી પૂર્ણ કરે છે. “જ્યારે ઈશ્વર ન્યાય કરશે ત્યારે આ બનશે”
Romans 2:17
અહીં પાઉલની ચર્ચા શરૂ થાય છે કે યહૂદીઓ જે નિયમ ધરાવે છે તે ખરેખર તેમની નિંદા કરે છે કારણ કે તેઓ તેનું પાલન કરતાં નથી.
εἰ…σὺ Ἰουδαῖος ἐπονομάζῃ
કેમ કે તમે તમારી જાતને યહૂદી કહો છો
ἐπαναπαύῃ νόμῳ,
“નિયમ પર આધાર રાખવો” શબ્દસમૂહ વિશ્વાસને રજૂ કરે છે કે તેઓ નિયમને પાળવા દ્વારા ન્યાયી બની શકે છે. વૈકલ્પિક અનુવાદ: “મૂસાના નિયમ પર આધાર રાખો” (જુઓ: રૂપક)
Romans 2:18
γινώσκεις τὸ θέλημα
અને ઈશ્વરની ઇચ્છા જાણો
κατηχούμενος ἐκ τοῦ νόμου
આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કારણ કે લોકોએ તમને યોગ્ય શું છે તે નિયમમાંથી શીખવ્યું છે” અથવા “કારણ કે તમે નિયમમાંથી શીખ્યા છો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 2:19
πέποιθάς τε σεαυτὸν ὁδηγὸν εἶναι τυφλῶν, φῶς τῶν ἐν σκότει
અહીં “અંધ” અને “જેઓ અંધકારમાં ચાલે છે” તે લોકોનો ઉલ્લેખ કરે છે કે જેઓ નિયમને સમજી શકતા નથી. વૈકલ્પિક અનુવાદ: “કારણ કે તમે નિયમ શીખવો છો, તમે પોતાની જાતે અંધ લોકોના માર્ગદર્શક જેવા, અને જે લોકો અંધકારમાં ખોવાયેલા છે તેમને માટે પ્રકાશ જેવા છો” (જુઓ: સમાંતરણ અને રૂપક)
Romans 2:20
παιδευτὴν ἀφρόνων
તમે જેઓ ખોટું કરે છે તેઓને સુધારો
διδάσκαλον νηπίων
અહીં પાઉલ જે લોકો નિયમ વિશે કંઈ પણ જાણતા નથી તેઓની સરખામણી ખૂબ જ નાના બાળકો સાથે કરે છે. વૈકલ્પિક અનુવાદ: “અને જેઓ નિયમ નથી જાણતા તમે તેઓને શીખવો” (જુઓ: રૂપક)
ἔχοντα τὴν μόρφωσιν τῆς γνώσεως καὶ τῆς ἀληθείας ἐν τῷ νόμῳ
નિયમમાં જે સત્યનું જ્ઞાન છે તે ઈશ્વર તરફથી આવે છે. વૈકલ્પિક અનુવાદ: “કારણ કે તમે ચોક્કસ છો કે તમે સત્યને સમજો છો જેને ઈશ્વરે નિયમશાસ્ત્રમાં આપ્યું છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 2:21
ὁ…διδάσκων ἕτερον, σεαυτὸν οὐ διδάσκεις
પાઉલ તેના શ્રોતાઓને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. તમે તેને પ્રબળ નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમે બીજાઓને શીખવો છો, પરંતુ તમારી જાતને શીખવતા નથી!” અથવા “તમે બીજાઓને શીખવો છો, પરંતુ જે તમે શીખવો છો તે તમે કરતાં નથી!” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
ὁ κηρύσσων μὴ κλέπτειν, κλέπτεις
પાઉલ તેના શ્રોતાઓને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. તમે તેને પ્રબળ નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમે લોકોને કહો છો ચોરી ન કરો, પરંતુ તમે ચોરી કરો છો!” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Romans 2:22
ὁ λέγων μὴ μοιχεύειν, μοιχεύεις
પાઉલ તેના શ્રોતાઓને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. તમે તેને પ્રબળ નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમે લોકોને કહો છો વ્યભિચાર ન કરો, પરંતુ તમે વ્યભિચાર કરો છો!” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
ὁ βδελυσσόμενος τὰ εἴδωλα, ἱεροσυλεῖς
પાઉલ તેના શ્રોતાઓને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. તમે તેને પ્રબળ નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમે કહો છો કે તમે મૂર્તિઓને ધિક્કારો છો, પરંતુ તમે મંદિરોને લૂંટો છો!” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
ἱεροσυλεῖς
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “સ્થાનિક મૂર્તિપૂજક મંદિરોમાંથી વેચવા માટે વસ્તુઓની ચોરી કરીને નફો કરો છો” અથવા 2) “ઈશ્વરને જે આપવાપાત્ર છે તે તમામ નાણાં યરૂશાલેમ મંદિરે મોકલતા નથી.”
Romans 2:23
ὃς ἐν νόμῳ καυχᾶσαι διὰ τῆς παραβάσεως τοῦ νόμου, τὸν Θεὸν ἀτιμάζεις
પાઉલ તેના શ્રોતાને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. તમે તેને પ્રબળ નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમે નિયમ પર ગર્વ હોવાનો દાવો કરો છો તે દુષ્ટતા છે, જ્યારે તે જ સમયે તમે તેનો અનાદર કરીને ઈશ્વરનું અપમાન કરો છો!” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Romans 2:24
τὸ…ὄνομα τοῦ Θεοῦ…βλασφημεῖται ἐν τοῖς ἔθνεσιν
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઘણા વિદેશીઓ ઈશ્વરના નામની નિંદા કરે છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ὄνομα τοῦ Θεοῦ
“નામ” શબ્દ એક ઉપનામ છે જે માત્ર ઈશ્વરના નામનો જ નહિ, પરંતુ તેમની સંપૂર્ણતાનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)
Romans 2:25
પાઉલ બતાવવાનું ચાલુ રાખે છે કે ઈશ્વર, તેમના નિયમ દ્વારા, યહૂદીઓ કે જેમની પાસે ઈશ્વરના નિયમ છે તેમની પણ નિંદા કરે છે.
περιτομὴ μὲν γὰρ ὠφελεῖ
હું આ સર્વ કહું છું કારણ કે સુન્નત થવી તમારા માટે લાભકારક છે
ἐὰν…παραβάτης νόμου ᾖς
જો તમે નિયમમાં આપેલી આજ્ઞાઓનું પાલન ન કરો તો
ἡ περιτομή σου, ἀκροβυστία γέγονεν
તે એવું છે જાણે કે તમારી સુન્નત કરવામાં આવી જ નથી
Romans 2:26
ἡ ἀκροβυστία
જે વ્યક્તિની સુન્નત કરવામાં આવી નથી
τὰ δικαιώματα τοῦ νόμου φυλάσσῃ
તે નિયમમાં આપેલી આજ્ઞાઓનું પાલન કરે છે
οὐχ ἡ ἀκροβυστία αὐτοῦ εἰς περιτομὴν λογισθήσεται
આ બે પ્રશ્નો પૈકીમાંનો પ્રથમ પ્રશ્ન છે જે પર ભાર મૂકવા માટે પાઉલ પૂછે છે કે સુન્નત એ નથી જે વ્યક્તિને ઈશ્વરની સમક્ષ યોગ્ય બનાવે છે. તમે આ પ્રશ્નનું નિવેદન તરીકે સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તેને સુન્નત કરેલ તરીકે ગણશે.” (જુઓ: આલંકારિક પ્રશ્ન અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 2:27
καὶ κρινεῖ ἡ ἐκ φύσεως ἀκροβυστία, τὸν νόμον τελοῦσα
આ બે પ્રશ્નો પૈકીમાંનો બીજો પ્રશ્ન છે જે પર ભાર મૂકવા માટે પાઉલ અહીં પૂછે છે કે (પ્રથમ રોમન 2:26 માં છે (./26.md)) સુન્નત એ નથી જે વ્યક્તિને ઈશ્વરની સમક્ષ યોગ્ય બનાવે છે. તમે આ પ્રશ્નોનું નિવેદન તરીકે સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેની શારીરિક રીતે સુન્નત કરવામાં આવી નથી તે તમારી નિંદા કરશે … નિયમ.” (જુઓ: આલંકારિક પ્રશ્ન અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 2:28
ἐν τῷ φανερῷ
આ યહૂદી ધાર્મિક વિધિઓનો ઉલ્લેખ કરે છે, જેમ કે સુન્નત, જે લોકો જોઈ શકે છે.
ἐν τῷ φανερῷ ἐν σαρκὶ
જ્યારે કોઈ વ્યક્તિ તેની સુન્નત કરે છે, ત્યારે તે પુરુષના શરીરમાં શારીરિક પરિવર્તનનો ઉલ્લેખ કરે છે.
σαρκὶ
આ સંપૂર્ણ શરીર માટેનો રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: “દેહ” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)
Romans 2:29
ὁ ἐν τῷ κρυπτῷ Ἰουδαῖος; καὶ περιτομὴ καρδίας
આ બંને શબ્દસમૂહો સમાન અર્થો ધરાવે છે. પ્રથમ ભાગ, “તે એક યહૂદી છે જે આંતરિક રીતે છે,” બીજા ભાગ આમ જણાવે છે, “સુન્નત તે હ્રદયની હોય છે.” (જુઓ: સમાંતરણ)
ἐν τῷ κρυπτῷ
આ તે વ્યક્તિના મૂલ્યો અને પ્રેરણાઓનો ઉલ્લેખ કરે છે જેમનું પરિવર્તન ઈશ્વરે કર્યું છે.
καρδίας
અહીં “હ્રદય” એ આંતરિક વ્યક્તિ માટેનું ઉપનામ છે. (જુઓ: ઉપનામ)
ἐν Πνεύματι, οὐ γράμματι
અહીં અક્ષર” એક રૂઢિપ્રયોગ છે જે લેખિત શાસ્ત્રનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પવિત્ર આત્માના કાર્ય દ્વારા, એટલે નહિ કેમ કે તમે શાસ્ત્રો જાણો છો” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)
ἐν Πνεύματι
આ વ્યક્તિના આંતરિક, આત્મિક ભાગનો ઉલ્લેખ કરે છે કે જેને “ઈશ્વરનો આત્મા” બદલે છે.
Romans 3
રોમન 03 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ જમણી બાજુ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું સરળ બને છે. યુએલટી આ અધ્યાયમાં આ પ્રમાણે 4 અને 10-18 કલમોમાં કરે છે, જે શબ્દો જૂના કરારમાંથી છે.
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
અધ્યાય 3, “એક વિદેશી કરતાં એક યહૂદી હોવાનો શો ફાયદો છે?” તે પ્રશ્નના જવાબો આપે છે. (જુઓ: નિયમ/કાયદો/કાનૂન, મુસાનો નિયમ, યહોવાનો નિયમ, ઈશ્વરનો નિયમ અને બચાવવું, બચાવ્યા, સલામત, તારણ)
“કેમ કે સર્વએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિશે અધૂરા છે”
કારણ કે ઈશ્વર પવિત્ર છે, કોઈપણ વ્યક્તિ તેમની સાથે સ્વર્ગમાં સંપૂર્ણ હોવી જોઈએ. કોઈપણ પાપ તે વ્યક્તિની નિંદા કરશે. (જુઓ: સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશી (સ્વર્ગીય) અને દોષિત, દંડ પામે છે, દોષિત ઠરાવેલું, દંડાજ્ઞા)
મૂસાના નિયમનો હેતુ
નિયમનું પાલન વ્યક્તિને ઈશ્વર સાથે યોગ્ય બનાવી શકતું નથી. ઈશ્વરના નિયમનું પાલન કરવાથી વ્યક્તિ બતાવે છે કે તેઓ ઈશ્વરમાં વિશ્વાસ કરે છે. લોકો હંમેશા માત્ર વિશ્વાસ દ્વારા જ ન્યાયી ઠર્યા છે. (જુઓ: ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાય, યોગ્ય ઠરાવવું, ન્યાયી ઠરાવવું અને વિશ્વાસ/શ્રદ્ધા)
આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર
અલંકારિક પ્રશ્નો
પાઉલ વારંવાર આ અધ્યાયમાં અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. દ્રશ્યમાન છે કે, આ અલંકારિક પ્રશ્નોનો ઉદ્દેશ છે કે વાચક તેમના પાપને જુએ જેથી તેઓ ઈસુમાં ભરોસો કરે. (જુઓ: આલંકારિક પ્રશ્ન અને અપરાધ, (દોષ), દોષિત)
Romans 3:1
પાઉલ યહૂદીઓના હિતની ઘોષણા કરે છે કારણ કે ઈશ્વરે તેમને તેમનો નિયમ આપ્યો છે.
τί οὖν τὸ περισσὸν τοῦ Ἰουδαίου, ἢ τίς ἡ ὠφέλια τῆς περιτομῆς
પાઉલે જે અધ્યાય 2 માં લખ્યું છે તે સાંભળ્યા પછી લોકોને જે વિચારો આવ્યા હોઈ શકે તે વિચારોને રજૂ કરે છે. તેઓને પ્રત્યુત્તર આપવાના હેતુસર તે કલમ 2 માં આમ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “કેટલાક લોકો કહેશે કે, ‘તો પછી યહૂદીને શો ફાયદો છે? અને સુન્નતનો શો લાભ છે?’” અથવા “કેટલાક લોકો કહેશે કે, ‘જો તે સત્ય છે, તો પછી યહૂદીઓને કોઈ ફાયદો નથી, અને સુન્નત કરવામાં કોઈ લાભ નથી.’” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને આલંકારિક પ્રશ્ન)
Romans 3:2
πολὺ κατὰ πάντα τρόπον
પાઉલ હવે કલમ 1 માં લાવવામાં આવેલી ચિંતાઓનો ઉત્તર આપે છે. અહીં “તે” નો ઉલ્લેખ યહૂદી લોકોના સભ્ય હોવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ ત્યાં યહૂદી હોવાનો મોટો ફાયદો છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
πρῶτον μὲν
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “સમયના ક્રમમાં પ્રથમ” અથવા 2) “વધુ ખાતરીપૂર્વક” અથવા 3) “અતિ મહત્વપૂર્ણ.”
ἐπιστεύθησαν τὰ λόγια τοῦ Θεοῦ
અહીં “પ્રકટીકરણ” ઈશ્વરના શબ્દો અને વચનોનો ઉલ્લેખ કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે યહૂદીઓને તેમના શબ્દો આપ્યા જેમાં તેમના વચનો શામેલ હતાં” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 3:3
τί γάρ εἰ ἠπίστησάν τινες? μὴ ἡ ἀπιστία αὐτῶν, τὴν πίστιν τοῦ Θεοῦ καταργήσει
પાઉલ આ પ્રશ્નોનો ઉપયોગ લોકો વિચાર કરતાં થાય તે માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: “કેટલાક યહૂદીઓ ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ રહ્યા ન હતાં. તો શું આમાંથી આપણે એ તારણ કાઢવું જોઈએ કે ઈશ્વર તેમનું વચન પૂર્ણ કરશે નહિ?” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Romans 3:4
μὴ γένοιτο
આ અભિવ્યક્તિ ભારપૂર્વક નકારે છે કે આ થઈ શકે છે. તમારી ભાષામાં તમારી કોઈ અભિવ્યક્તિ હોઈ શકે છે જેનો તમે અહીં ઉપયોગ કરી શકો છો. “તે શક્ય નથી!” અથવા “ચોક્કસપણે નહિ!”
γινέσθω δὲ
આપણે તેને બદલે આ કહેવું જોઈએ, કે
γινέσθω…ὁ Θεὸς ἀληθής
ઈશ્વર હંમેશા સત્ય રહેશે અને તેમના વચનો પાળશે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર જે વચન આપે છે તે હંમેશા કરે છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
πᾶς δὲ ἄνθρωπος ψεύστης
“દરેક” અને “જૂઠા” એ અહીં અતિશયોક્તિવાળા શબ્દો છે જે માત્ર ઈશ્વર એકલા જ તેમના વચનો પ્રત્યે સાચા છે તેના પર ભાર મૂકવા માટે ઉમેરવામાં આવેલ છે. વૈકલ્પિક અનુવાદ: “ભલે જો દરેક માણસ જૂઠો હોય તો પણ” (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)
καθὼς γέγραπται
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “હું જે કહું છું તેની સાથે શાસ્ત્રો પોતે સહમત થાય છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ὅπως ἂν δικαιωθῇς ἐν τοῖς λόγοις σου, καὶ νικήσεις ἐν τῷ κρίνεσθαί σε
આ બંને શબ્દસમૂહો ખૂબ સમાન અર્થો ધરાવે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “દરેક વ્યક્તિએ સ્વીકારવું જ જોઈએ કે જે તમે કહો છો તે સત્ય છે, અને જ્યારે તમારા પર કોઈ આરોપ મૂકશે ત્યારે તમે હંમેશા તમારો મુકદમો જીતશો” (જુઓ: સમાંતરણ અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 3:5
εἰ δὲ ἡ ἀδικία ἡμῶν, Θεοῦ δικαιοσύνην συνίστησιν, τί ἐροῦμεν? μὴ ἄδικος ὁ Θεὸς, ὁ ἐπιφέρων τὴν ὀργήν
પાઉલ આ પ્રશ્નોનો ઉપયોગ કેટલાક લોકો જેની દલીલ કરતાં હતા તેને રજૂ કરવા માટે કરે છે અને તેના વાચકો વિચારે કે આ દલીલ સાચી છે કે નહિ. વૈકલ્પિક અનુવાદ: “કેટલાક લોકો કહે છે જો કે આપણું અન્યાયીપણું ઈશ્વરના ન્યાયીપણાને બતાવે છે, તો પછી જ્યારે ઈશ્વર આપણને શિક્ષા કરે છે ત્યારે તે અન્યાયી છે” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
ὁ ἐπιφέρων τὴν ὀργήν
અહીં “ક્રોધ” એ શિક્ષા માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: “તેમની શિક્ષા આપણા પર લાવવા” અથવા “આપણને શિક્ષા કરવા” (જુઓ: ઉપનામ)
(κατὰ ἄνθρωπον λέγω.)
હું અહીં એ કહું છું કે જે કેટલાક લોકો કહે છે અથવા “આ તે છે જે કેટલાક લોકો કહે છે”
Romans 3:6
μὴ γένοιτο
આપણે ક્યારેય એવું ન જ કહેવું જોઈએ કે ઈશ્વર અન્યાયી છે
ἐπεὶ πῶς κρινεῖ ὁ Θεὸς τὸν κόσμον
જ્યાં સુધી યહૂદીઓ વિશ્વાસ કરે છે કે ઈશ્વર સર્વ લોકોનો ન્યાય કરશે, ત્યાં સુધી સુવાર્તા સામેની દલીલો પ્રમાણિત નથી; એ દર્શાવવા પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આપણે સર્વ જાણીએ છીએ કે ઈશ્વર હકિકતમાં જગતનો ન્યાય કરશે!” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
τὸν κόσμον
“જગત” એ લોકો કે જેઓ જગતમાં રહે છે તેઓ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: “જગતમાંના કોઈપણ” (જુઓ: ઉપનામ)
Romans 3:7
εἰ δὲ ἡ ἀλήθεια τοῦ Θεοῦ ἐν τῷ ἐμῷ ψεύσματι ἐπερίσσευσεν εἰς τὴν δόξαν αὐτοῦ, τί ἔτι κἀγὼ ὡς ἁμαρτωλὸς κρίνομαι
અહીં પાઉલ એવા વ્યક્તિની કલ્પના કરે છે જે ખ્રિસ્તી સુવાર્તાને નકારી કાઢવાનું ચાલુ રાખે છે. તે શત્રુ દલીલ કરે છે, તેનું પાપ ઈશ્વરનું ન્યાયીપણું બતાવે છે માટે ન્યાયના દિવસે ઈશ્વરે તે પાપી છે એવું જાહેર કરવું જોઈએ નહિ, ઉદાહરણ તરીકે, તે જૂઠું બોલે છે. (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Romans 3:8
καὶ μὴ καθὼς βλασφημούμεθα, καὶ καθώς φασίν τινες ἡμᾶς λέγειν, ὅτι ποιήσωμεν τὰ κακὰ, ἵνα ἔλθῃ τὰ ἀγαθά
અહીં પાઉલ તેના કાલ્પનિક શત્રુની દલીલ કેટલી હાસ્યાસ્પદ છે તે બતાવવા માટે, તેનો પોતાનો એક પ્રશ્ન ઉઠાવે છે. વૈકલ્પિક અનુવાદ: “હું પણ એ કહી રહ્યો છું ... આવો!” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
καθὼς βλασφημούμεθα
કેટલાક બીજાઓને કહેવા માટે જૂઠું બોલે છે કે આ અમે કહી રહ્યા છીએ
ὧν τὸ κρίμα ἔνδικόν ἐστιν
પાઉલ જે શીખવી રહ્યો છે તે વિશે જૂઠું કહેવા માટે, જ્યારે ઈશ્વર પાઉલના આ દુશ્મનોની નિંદા કરશે ત્યારે જ તે યોગ્ય ગણાશે.
Romans 3:9
પાઉલ અંતે કહે છે કે સઘળા પાપના દોષી છે, કોઈ ન્યાયી નથી, અને કોઈ ઈશ્વરની શોધ કરતું નથી.
τί οὖν? προεχόμεθα
પાઉલ તેના મુદ્દા પર ભાર મૂકવા માટે આ પ્રશ્નો પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: “આપણે યહૂદીઓએ કલ્પના કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ કે આપણે ઈશ્વરના ન્યાયથી છટકી જઈશું, ફક્ત એટલા માટે જ કે આપણે યહૂદી છીએ!” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
οὐ πάντως
આ શબ્દો સરળ “ના” કરતાં વધુ શક્તિશાળી છે, પરંતુ એટલા શક્તિશાળી નહિ જેમ કે “તદ્દન નહિ!”
Romans 3:10
καθὼς γέγραπται
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ તે પ્રમાણે છે જે પ્રબોધકોએ શાસ્ત્રોમાં લખ્યું છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 3:11
οὐκ ἔστιν ὁ συνίων
ત્યાં એવું કોઈપણ નથી જે સમજી શકે કે યોગ્ય શું છે. વૈકલ્પિક અનુવાદ: “કોઈ ખરેખર સમજતું નથી કે યોગ્ય શું છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
οὐκ ἔστιν ὁ ἐκζητῶν τὸν Θεόν
અહીં “ઈશ્વરની શોધ કરે છે” શબ્દસમૂહનો અર્થ ઈશ્વર સાથે સંબંધ રાખવો છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર સાથે સાચો સંબંધ બનાવવા માટે કોઈ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતું નથી” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 3:12
πάντες ἐξέκλιναν
આ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ છે કે લોકો ઈશ્વર વિશે વિચારવા પણ માંગતા નથી. તેઓ તેમને ટાળવા માગે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ સર્વ ઈશ્વરથી દૂર થયા છે” (જુઓ: રૂઢિપ્રયોગ)
ἅμα ἠχρεώθησαν
જે સારું છે તે કોઈપણ કરતું નથી, માટે તેઓ ઈશ્વર માટે નકામા છે. વૈકલ્પિક અનુવાદ: “દરેક વ્યક્તિ ઈશ્વર માટે નકામા થઈ ગયા છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 3:13
αὐτῶν…αὐτῶν
રોમન 3:9 નો “તેમનો” શબ્દ “યહૂદીઓ અને ગ્રીકો” નો ઉલ્લેખ કરે છે.
τάφος ἀνεῳγμένος ὁ λάρυγξ αὐτῶν
“ગળું” શબ્દ એ લોકો જે કંઈ અન્યાયી અને ધૃણાસ્પદ કહે છે તેના માટેનું ઉપનામ છે. અહીં “ઉઘાડી કબર” એ રૂપક છે જે લોકોના દુષ્ટ શબ્દોની દુર્ગંધનો ઉલ્લેખ કેર છે. (જુઓ: ઉપનામ અને રૂપક)
ταῖς γλώσσαις αὐτῶν ἐδολιοῦσαν
“જીભ” એ લોકો જે ખોટા શબ્દો બોલે છે તે માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: “લોકો જૂઠું બોલે છે” (જુઓ: ઉપનામ)
ἰὸς ἀσπίδων ὑπὸ τὰ χείλη αὐτῶν
અહીં “સર્પનું ઝેર” એક રૂપક છે જેનો ઉપયોગ લોકો બોલે છે તે દુષ્ટ શબ્દોના મોટા નુકસાનને રજૂ કરવા માટે થયો છે. “હોઠો” શબ્દ એ લોકોના શબ્દોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેમના દુષ્ટ શબ્દો લોકોને ઝેરી સર્પના ઝેરની જેમ ઈજા પહોંચાડે છે” (જુઓ: રૂપક અને ઉપનામ)
Romans 3:14
ὧν τὸ στόμα ἀρᾶς καὶ πικρίας γέμει
અહીં “મોં” એક ઉપનામ છે કે જે લોકોના દુષ્ટ શબ્દોને રજૂ કરે છે. “ભરેલું” શબ્દ લોકો કેટલીવાર કડવાશથી બોલે છે અને શ્રાપ આપે છે તે માટેની અતિશયોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ વારંવાર શ્રાપો અને નિર્દયી શબ્દો બોલે છે” (જુઓ: ઉપનામ અને અત્યુક્તિ અને સામાન્યીકરણ)
Romans 3:15
ὀξεῖς οἱ πόδες αὐτῶν, ἐκχέαι αἷμα
અહીં “પગ” એક રૂઢિપ્રયોગ છે જે લોકોને પોતાને રજૂ કરે છે. “રક્ત” શબ્દ એ રૂપક છે જે લોકોની હત્યાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ લોકોને હાનિ પહોંચાડવામાં અને હત્યા કરવાની ઉતાવળમાં છે” (જુઓ: અભિવ્યક્ત અલંકાર અને રૂપક)
οἱ πόδες αὐτῶν
“તેઓના” શબ્દ રોમન 3:9 માં યહૂદીઓ અને ગ્રીકોનો ઉલ્લેખ કરે છે.
Romans 3:16
ταῖς ὁδοῖς αὐτῶν
“તેઓના” શબ્દ રોમન 3:9 માં યહૂદીઓ અને ગ્રીકોનો ઉલ્લેખ કરે છે.
σύντριμμα καὶ ταλαιπωρία ἐν ταῖς ὁδοῖς αὐτῶν
અહીં “વિનાશ અને વેદના” ઉપનામો છે જે હાનિને રજૂ કરે છે જેને બીજા લોકો સહન કરે માટે આ લોકો ઉત્પન્ન કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ બીજાઓનો વિનાશ કરવાનો પ્રયત્ન કરે છે અને તેમને પીડા પહોંચાડે છે” (જુઓ: ઉપનામ)
Romans 3:17
ἔγνωσαν
આ શબ્દો રોમન 3:9 માં યહૂદીઓ અને ગ્રીકોનો ઉલ્લેખ કરે છે.
ὁδὸν εἰρήνης
કેવી રીતે અન્ય લોકોની સાથે શાંતિથી રહેવું. એક “રસ્તો” એ માર્ગ અથવા પથ છે.
Romans 3:18
αὐτῶν
આ શબ્દ રોમન 3:9 માં યહૂદીઓ અને ગ્રીકોનો ઉલ્લેખ કરે છે.
οὐκ ἔστιν φόβος Θεοῦ ἀπέναντι τῶν ὀφθαλμῶν αὐτῶν
અહીં “ભય” એક ઉપનામ છે જે ઈશ્વર માટેનો આદર અને તેમનું સન્માન કરવાની ઇચ્છાને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “દરેક વ્યક્તિ ઈશ્વર જે આદરના હકદાર છે તે આપવાનો નકાર કરે છે” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)
Romans 3:19
ὅσα ὁ νόμος λέγει, τοῖς…λαλεῖ
પાઉલ અહીં નિયમની વાત કરે છે જાણે કે તે જીવિત હોય અને તેને પોતાનો અવાજ હોય. વૈકલ્પિક અનુવાદ: “નિયમ જે કહે છે લોકોએ તે કરવું જોઈએ માટે” અથવા “સર્વ આજ્ઞાઓ જે મૂસાએ નિયમમાં લખી તે માટે” (જુઓ: વ્યક્તિનો અવતાર)
τοῖς ἐν τῷ νόμῳ
તેમણે જેઓએ નિયમનું પાલન કરવું જ જોઈએ
ἵνα πᾶν στόμα φραγῇ
અહીં “મોં” એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ લોકો જે શબ્દો બોલે તે થાય છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેથી કોઈપણ લોકો તેમનો પોતાનો બચાવ કરવા માટે કંઈ પણ માન્ય કહી શકશે નહિ” (જુઓ: અભિવ્યક્ત અલંકાર અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ὑπόδικος γένηται πᾶς ὁ κόσμος τῷ Θεῷ
અહીં “જગત” એક રૂઢિપ્રયોગ છે જે જગતમાં રહેતા સર્વ લોકોને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “કે ઈશ્વર જગતના દરેકને દોષિત જાહેર કરી શકે” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)
Romans 3:20
σὰρξ
અહીં “દેહ” એ સર્વ મનુષ્યોનો ઉલ્લેખ કરે છે.
γὰρ
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “તેથી” અથવા 2) “આ કારણ છે”
διὰ…νόμου ἐπίγνωσις ἁμαρτίας
જ્યારે કોઈ ઈશ્વરના નિયમને જાણે છે, ત્યારે તેને ખ્યાલ આવે છે કે તેણે પાપ કર્યું છે
Romans 3:21
અહીં “પરંતુ” શબ્દ બતાવે છે કે પાઉલે તેનો પરિચય પૂર્ણ કર્યો છે અને હવે તે તેના મુખ્ય મુદ્દાની શરૂઆત કરે છે.
νυνὶ
“હવે” શબ્દ ઈસુ પૃથ્વી પર જ્યારથી આવ્યા તે સમયનો ઉલ્લેખ કરે છે.
χωρὶς νόμου, δικαιοσύνη Θεοῦ πεφανέρωται
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે નિયમનું પાલન કર્યા વિના તેમની સાથે સમાધાનનો માર્ગ જણાવ્યો છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
μαρτυρουμένη ὑπὸ τοῦ νόμου καὶ τῶν προφητῶν
“નિયમ અને પ્રબોધકો” શબ્દો યહૂદી શાસ્ત્રોના એ ભાગોનો ઉલ્લેખ કરે છે જે મૂસા અને પ્રબોધકોએ લખ્યા હતાં. પાઉલ અહીં તેમનું વર્ણન કરે છે જેમ કે તેઓ અદાલતમાં સાક્ષી પૂરનાર હોય. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જે મૂસાએ અને પ્રબોધકોએ લખ્યું છે આ તેની પુષ્ટિ કરે છે” (જુઓ: વ્યક્તિનો અવતાર અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 3:22
δικαιοσύνη…Θεοῦ διὰ πίστεως Ἰησοῦ Χριστοῦ
અહીં “ન્યાયીપણા” નો અર્થ ઈશ્વર સાથે સમાધાન કરવું છે. વૈકલ્પિક અનુવાદ: “ઈસુ ખ્રિસ્ત પર ભરોસો કરવા દ્વારા ઈશ્વરની સાથે સમાધાન કરવું” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
οὐ γάρ ἐστιν διαστολή
પાઉલ સૂચવે છે કે ઈશ્વર સર્વ લોકોને સમાન રીતે જ સ્વીકારે છે. વૈકલ્પિક અનુવાદ: “યહૂદીઓ અને વિદેશીઓ વચ્ચે કોઈ જ તફાવત નથી” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 3:23
ὑστεροῦνται τῆς δόξης τοῦ Θεοῦ
અહીં “ઈશ્વરનો મહિમા” એક ઉપનામ છે જે ઈશ્વરની છબી અને તેમના સ્વભાવનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર જેવા બનવામાં નિષ્ફળ ગયા” (જુઓ: ઉપનામ)
Romans 3:24
δικαιούμενοι δωρεὰν τῇ αὐτοῦ χάριτι, διὰ τῆς ἀπολυτρώσεως τῆς ἐν Χριστῷ Ἰησοῦ
અહીં “ન્યાયી ઠરાવેલ” નો ઉલ્લેખ ઈશ્વર સાથે સમાધાન કરવામાં આવેલ તરીકે કરવામાં આવ્યો છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર મફત ભેટ તરીકે પોતાની સાથે તેમનું સમાધાન કરાવે છે, કારણ કે ખ્રિસ્ત ઈસુ તેમને મુક્ત કરે છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
δικαιούμενοι δωρεὰν
આનો અર્થ એ છે કે તેઓ કંઇ કમાયા વિના અથવા વાજબી ઠરાવ્યા વિના ન્યાયી ઠરાવેલા છે. ઈશ્વર તેમને મુક્તપણે ન્યાયી ઠરાવે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ કંઈ કમાયા વિના ઈશ્વરની સાથે યોગ્ય ઠરાવવામાં આવે છે”
Romans 3:25
ἐν τῷ αὐτοῦ αἵματι
આ ઈસુના મૃત્યુ માટેનું ઉપનામ છે જેમ કે પાપો માટેનું બલિદાન. વૈકલ્પિક અનુવાદ: “પાપો માટે બલિદાન તરીકે તેમના મૃત્યુમાં” (જુઓ: ઉપનામ)
πάρεσιν
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) અવગણના કરવી અથવા 2) ક્ષમા આપવી
Romans 3:26
πρὸς τὴν ἔνδειξιν τῆς δικαιοσύνης αὐτοῦ ἐν τῷ νῦν καιρῷ
તેમણે આ બતાવવા માટે કર્યું કે કેવી રીતે ઈશ્વર લોકોને તેમની સાથે યોગ્ય બનાવે છે.
εἰς τὸ εἶναι αὐτὸν δίκαιον καὶ δικαιοῦντα τὸν ἐκ πίστεως Ἰησοῦ
આ દ્વારા તે બતાવે છે કે તેઓ ન્યાયી અને જે ઈસુમાં વિશ્વાસ કરે છે તે દરેકને ન્યાયી ઠરાવનાર બંને છે.
Romans 3:27
ποῦ οὖν ἡ καύχησις? ἐξεκλείσθη
પાઉલ આ તે બતાવવા માટે પૂછે છે કે લોકો નિયમનું પાલન કરે છે તે અંગે બડાઈ કરવાનું કોઈ કારણ નથી. વૈકલ્પિક અનુવાદ: “તેથી ત્યાં એવી કોઈ રીત નથી કે આપણે બડાઈ કરી શકીએ કે ઈશ્વર આપણી તરફેણ કરશે કારણ કે આપણે તે નિયમોનું પાલન કરીએ છીએ. બડાઈ કરવાનું બાકાત રાખેલ છે” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
διὰ ποίου νόμου? τῶν ἔργων? οὐχί, ἀλλὰ διὰ νόμου πίστεως
પાઉલ જે મુદ્દો રજૂ કરે છે તે ચોક્કસપણે સત્ય છે તેના પર ભાર મૂકવા માટે આ અલંકારિક પ્રશ્નો પૂછે છે અને જવાબો આપે છે. તમે આનું અનુવાદ પાઉલ જે સૂચિત કરે છે તેનો સમાવેશ કરી, અને સક્રિય સ્વરૂપનો ઉપયોગ કરીને કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણે કયા કારણોસર બડાઈને બાકાત રાખવી જોઈએ? શું આપણે તેને આપણા સારા કાર્યોને લીધે બાકાત રાખવી જોઈએ? ના, તેને બદલે, આપણે વિશ્વાસને કારણે તેને બાકાત રાખવી જોઈએ” (જુઓ: આલંકારિક પ્રશ્ન અને અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ) અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 3:28
δικαιοῦσθαι πίστει ἄνθρωπον
અહીં “વિશ્વાસ” એક અમૂર્ત નામ છે જે ઈશ્વરમાં વિશ્વાસ કરનાર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. અહીં “વ્યક્તિ” એ કોઈપણ વ્યક્તિ છે. આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કોઈપણ વ્યક્તિ જે ઈશ્વરમાં વિશ્વાસ કરે છે તેને ઈશ્વર ન્યાયી ઠરાવે છે” અથવા “જ્યારે ઈશ્વર વ્યક્તિને ન્યાયી ઠરાવે છે, તે એમ કરે છે કારણ કે વ્યક્તિ ઈશ્વરમાં વિશ્વાસ કરે છે” (જુઓ: અમૂર્ત નામો અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
χωρὶς ἔργων νόμου
જો કે તેણે નિયમના કોઈ કાર્ય કર્યા ન હોય તોપણ
Romans 3:29
ἢ Ἰουδαίων ὁ Θεὸς μόνον
પાઉલ ભાર મૂકવા માટે આ પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: “તમે જે યહૂદીઓ છો તેઓએ ચોક્કસપણે એ ના વિચારવું જોઈએ કે તમે એકલા જ છો જેમનો ઈશ્વર સ્વીકાર કરશે!” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
οὐχὶ καὶ ἐθνῶν? ναὶ, καὶ ἐθνῶν
પાઉલ તેના મુદ્દા પર ભાર મૂકવા માટે આ પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: “તે બિન-યહૂદીઓને, કે જેઓ, વિદેશી છે, તેમને પણ સ્વીકારશે” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Romans 3:30
ὃς δικαιώσει περιτομὴν ἐκ πίστεως, καὶ ἀκροβυστίαν διὰ τῆς πίστεως
અહીં “સુન્નત” એક ઉપનામ છે જે યહૂદીઓનો ઉલ્લેખ કરે છે અને “બેસુન્નત” ઉપનામ છે જે બિન-યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર બંને યહૂદીઓ અને બિન-યહૂદીઓને તેઓના ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા તેમની સાથે યોગ્ય બનાવશે” (જુઓ: ઉપનામ)
Romans 3:31
પાઉલ વિશ્વાસ દ્વારા નિયમની પુષ્ટિ કરે છે.
νόμον οὖν καταργοῦμεν διὰ τῆς πίστεως
તેના કોઈ વાચકને હોઈ શકે એ પ્રશ્ન પાઉલ પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: “કોઈ કહી શકે છે કે અમે નિયમની અવગણના કરી શકીએ છીએ કારણ કે અમારામાં વિશ્વાસ છે.” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
μὴ γένοιτο
આ અભિવ્યક્તિ અગાઉના અલંકારિક પ્રશ્નનો સૌથી મજબૂત સંભવિત નકારાત્મક જવાબ આપે છે. તમારી ભાષામાં તમારી પાસે સમાન અભિવ્યક્તિ હોઈ શકે છે જેનો તમે અહીં ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ચોક્કસપણે સત્ય નથી” અથવા “ચોક્કસપણે નહિ” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
νόμον ἱστάνομεν
અમે નિયમનું પાલન કરીએ છીએ
καταργοῦμεν
આ ઉપનામ પાઉલ, અન્ય વિશ્વાસીઓ અને વાચકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)
Romans 4
રોમનો 04 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું સરળ બને છે. યુએલટી આ પ્રમાણે આ અધ્યાયની 7-8 કલમોમાં કરે છે, જે જૂના કરારનાં શબ્દો છે.
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
મૂસાના નિયમનો હેતુ
પાઉલ અધ્યાય 3 માંની સામગ્રીમાંથી નિર્માણ કરે છે. તે સમજાવે છે કે ઇબ્રાહિમ, ઇઝરાએલના પિતાને કેવી રીતે ન્યાયી ઠરાવવામાં આવ્યા હતાં. ઇબ્રાહિમ પણ તેણે કરેલા કાર્ય દ્વારા ન્યાયી ઠરી શક્યો ન હતો. મૂસાના નિયમનું પાલન કરવાથી વ્યક્તિ ઈશ્વરની સાથે યોગ્ય ઠરી શકતો નથી. ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવાથી વ્યક્તિ બતાવે છે કે તેઓ ઈશ્વરમાં વિશ્વાસ કરે છે. લોકો હંમેશા વિશ્વાસ દ્વારા જ ન્યાયી ઠર્યા છે. (જુઓ: ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાય, યોગ્ય ઠરાવવું, ન્યાયી ઠરાવવું અને નિયમ/કાયદો/કાનૂન, મુસાનો નિયમ, યહોવાનો નિયમ, ઈશ્વરનો નિયમ અને વિશ્વાસ/શ્રદ્ધા)
સુન્નત
ઇઝરાએલીઓ માટે સુન્નત મહત્વપૂર્ણ હતી. તે વ્યક્તિને ઇબ્રાહિમના વંશજ તરીકે ઓળખાવે છે. તે ઇબ્રાહિમ અને યહોવાહ વચ્ચે કરારની નિશાની પણ છે. તેમ છતાં, કોઈ પણ વ્યક્તિને માત્ર સુન્નત કરવા દ્વારા ન્યાયી ઠરાવવામાં આવ્યો ન હતો. (જુઓ: સુન્નત, સુન્નત કરાવેલ, સુન્નતની વિધિ, બેસુન્ન્તી, બેસુન્ન્ત અને કરાર, કરારો, નવો કરાર)
આ અધ્યાયમાંનાં અગત્યના શબ્દાલંકાર
અલંકારિક પ્રશ્નો
પાઉલ આ અધ્યાયમાં અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. આ અલંકારિક પ્રશ્નોનો ઉદ્દેશ છે કે વાચકો તેમના પાપને જુએ જેથી તેઓ ઈસુમાં વિશ્વાસ કરે. (જુઓ: આલંકારિક પ્રશ્ન અને અપરાધ, (દોષ), દોષિત અને પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું)
Romans 4:1
પાઉલ પુષ્ટિ કરે છે કે ભૂતકાળમાં પણ વિશ્વાસીઓને વિશ્વાસ દ્વારા યોગ્ય ઠરાવવામાં આવ્યા હતાં; નહિ કે નિયમ દ્વારા.
τί οὖν ἐροῦμεν, εὑρηκέναι Ἀβραὰμ τὸν προπάτορα ἡμῶν κατὰ σάρκα
પાઉલ વાચકનું ધ્યાન આકર્ષિત કરવા માટે અને કંઈક નવી બાબત કહેવાનું શરૂ કરવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આ આપણા શારીરિક પૂર્વજ ઇબ્રાહિમને મળ્યું હતું” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Romans 4:3
τί γὰρ ἡ Γραφὴ λέγει
પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભાર મૂકવા માટે કરે છે. તે શાસ્ત્રોની વાત એ રીતે કરે છે કે જેમ તેઓ જીવંત છે અને વાત કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: “માટે અમે શાસ્ત્રમાં વાંચી શકીએ છીએ” (જુઓ: આલંકારિક પ્રશ્ન અને વ્યક્તિનો અવતાર)
ἐλογίσθη αὐτῷ εἰς δικαιοσύνην
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર ઇબ્રાહિમને ન્યાયી વ્યક્તિ માનતા હતાં” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 4:4
ὁ μισθὸς οὐ λογίζεται κατὰ χάριν
આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “નિયોજક પાસેથી ભેટ તરીકે નિયોજક તેને શું ચૂકવે છે તે કોઈ ગણતું નથી” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἀλλὰ κατὰ ὀφείλημα
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ જે તેના નિયોજક પાસે બાકી છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 4:5
ἐπὶ τὸν δικαιοῦντα
ઈશ્વરમાં, જે ન્યાયી ઠેરવે છે
λογίζεται ἡ πίστις αὐτοῦ εἰς δικαιοσύνην
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તે વ્યક્તિના વિશ્વાસને ન્યાયીપણા તરીકે ગણે છે” અથવા “ઈશ્વર તે વ્યક્તિના વિશ્વાસને કારણે તેને ન્યાયી ગણે છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 4:6
καθάπερ καὶ Δαυεὶδ λέγει τὸν μακαρισμὸν τοῦ ἀνθρώπου ᾧ ὁ Θεὸς λογίζεται δικαιοσύνην χωρὶς ἔργων
દાઉદે પણ તે વિશે લખ્યું હતું કે કેવી રીતે ઈશ્વર તે વ્યક્તિને આશીર્વાદ આપે છે જેને ઈશ્વર કાર્ય વિના ન્યાયી ઠરાવે છે
Romans 4:7
ὧν ἀφέθησαν αἱ ἀνομίαι…ὧν ἐπεκαλύφθησαν αἱ ἁμαρτίαι;
આ જ ખ્યાલને બે અલગ અલગ રીતે કહેવામા આવ્યો છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પ્રભુએ તે લોકોને ક્ષમા કર્યા છે જેઓએ નિયમ તોડ્યો છે ... જેઓના પાપો પ્રભુએ ઢાંકી દીધા છે” (જુઓ: સમાંતરણ અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 4:9
ὁ μακαρισμὸς οὖν οὗτος ἐπὶ τὴν περιτομὴν, ἢ καὶ ἐπὶ τὴν ἀκροβυστίαν
આ ટિપ્પણી ભાર મૂકવા માટે પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: “શું ઈશ્વર ફક્ત જેઓએ સુન્નત કરાવી છે તેઓને અથવા જેઓએ સુન્નત નથી કરાવી તેઓને આશીર્વાદ આપે છે?” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
τὴν περιτομὴν
આ એક ઉપનામ છે જે યહૂદી લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “યહૂદીઓ” (જુઓ: ઉપનામ)
τὴν ἀκροβυστίαν
આ એક ઉપનામ છે જે જેઓ યહૂદી નથી તે લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “વિદેશીઓ” (જુઓ: ઉપનામ)
ἐλογίσθη τῷ Ἀβραὰμ ἡ πίστις εἰς δικαιοσύνην
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે ઇબ્રાહિમના વિશ્વાસને ન્યાયીપણાને અર્થે ગણ્યો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 4:10
πῶς οὖν ἐλογίσθη? ἐν περιτομῇ ὄντι, ἢ ἐν ἀκροβυστίᾳ
પાઉલ તેની ટિપ્પણી પર ભાર મૂકવા માટે આ પ્રશ્નો પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે ક્યારે ઇબ્રાહિમને ન્યાયી ગણ્યો? શું તેની સુન્નત પહેલા કે પછી? (જુઓ: આલંકારિક પ્રશ્ન)
οὐκ ἐν περιτομῇ, ἀλλ’ ἐν ἀκροβυστίᾳ
તે તેની સુન્નત પહેલા બન્યું હતું; નહિ કે તેની સુન્નત થઈ તે પછી નહિ
Romans 4:11
σφραγῖδα τῆς δικαιοσύνης τῆς πίστεως τῆς ἐν τῇ ἀκροβυστίᾳ
અહીં “વિશ્વાસનું ન્યાયીપણું” એટલે કે ઈશ્વરે તેને ન્યાયી ગણ્યો. વૈકલ્પિક અનુવાદ: “એક દ્રશ્યમાન ચિહ્ન કે ઈશ્વરે તેને ન્યાયી ગણ્યો કારણ કે તેની સુન્નત થયા પહેલા તે ઈશ્વરમાં વિશ્વાસ કરતો હતો” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
δι’ ἀκροβυστίας
જો કે તેઓની સુન્નત ન થઈ હોય તોપણ
εἰς τὸ λογισθῆναι αὐτοῖς τὴν δικαιοσύνην
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આનો અર્થ છે કે ઈશ્વર તેમને ન્યાયી ગણશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 4:12
καὶ πατέρα περιτομῆς
અહીં “સુન્નત” એ ઈશ્વરમાં જે સાચા વિશ્વાસુઓ છે તેઓનો, એટલે યહૂદીઓ અને વિદેશીઓ બંનેનો ઉલ્લેખ કરે છે.
τοῖς στοιχοῦσιν τοῖς ἴχνεσιν τῆς…πίστεως, τοῦ πατρὸς ἡμῶν Ἀβραάμ
અહીં “વિશ્વાસના પગલાંઓને અનુસરો” એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ કોઈના અનુસરવાના ઉદાહરણને અનુસરવાનું છે. વૈકલ્પિક અનુવાદ: “જેઓ આપણા પિતા ઇબ્રાહિમના વિશ્વાસના ઉદાહરણને અનુસરે છે” અથવા “જેનો વિશ્વાસ આપણા પિતા ઇબ્રાહિમના વિશ્વાસ જેવો હતો” (જુઓ: રૂઢિપ્રયોગ)
Romans 4:13
ἀλλὰ διὰ δικαιοσύνης πίστεως
“વચન આવ્યું” શબ્દો પ્રથમ શબ્દસમૂહથી જ સમજી શકાય છે. તમે આ ગર્ભિત શબ્દો ઉમેરવા દ્વારા તેનું અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ વિશ્વાસ દ્વારા વચન આવ્યું, જેને ઈશ્વર ન્યાયીપણા તરીકે ગણે છે” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
Romans 4:14
κληρονόμοι
જે લોકોને ઈશ્વરે વચનો આપ્યા છે તે લોકો વિશે કહેવામાં આવે છે જેમ કે તેઓ કુટુંબના સભ્ય પાસેથી સંપત્તિ અને ધનનો વારસો મેળવવાના હોય. (જુઓ: રૂપક)
εἰ…οἱ ἐκ νόμου κληρονόμοι
અહીં “નિયમ દ્વારા જીવવું” એ નિયમના પાલનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “જો જેઓ નિયમનું પાલન કરે છે તે જ પૃથ્વીનો વારસો મેળવશે તો” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
κεκένωται ἡ πίστις καὶ κατήργηται ἡ ἐπαγγελία
વિશ્વાસનું મૂલ્ય નથી, અને વચન તે અર્થહીન છે
Romans 4:15
οὐδὲ παράβασις
આ અમૂર્ત નામ “આક્ષેપ” દૂર કરવા માટે ફરીથી કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કોઈ નિયમ તોડી શકે નહિ” અથવા “નિયમનો અનાદર કરવો અશક્ય છે” (જુઓ: અમૂર્ત નામો)
Romans 4:16
διὰ τοῦτο
તેથી
ἐκ πίστεως
“તે” શબ્દ ઈશ્વરે જે વચન આપ્યું છે તે પ્રાપ્ત કરવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તે વિશ્વાસ દ્વારા જ આપણે વચન પ્રાપ્ત કરીએ છીએ” અથવા “આપણે વચન વિશ્વાસ દ્વારા પ્રાપ્ત કરીએ છીએ”
ἵνα κατὰ χάριν…τὴν ἐπαγγελίαν
અહીં “વચન કૃપા પર સ્થિર રહે છે” એ ઈશ્વરે તેમની કૃપાને કારણે જે આપવાનું વચન આપ્યું હતું તેને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેથી જે તેમણે વચન આપ્યું હતું તે લગભગ મફત ભેટ હોય શકે છે” અથવા “તેથી તેમનું વચન તેમની કૃપાને કારણે હોય શકે છે” (જુઓ: રૂપક)
τῷ ἐκ τοῦ νόμου
આ યહૂદી લોકોનો ઉલ્લેખ કરે છે, મૂસાના નિયમનું પાલન કરવાની જેઓની ફરજ હતી.
τῷ ἐκ πίστεως Ἀβραάμ
આ તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓનો વિશ્વાસ સુન્નત થયા પહેલા ઇબ્રાહિમનો હતો તેના જેવો હતો. વૈકલ્પિક અનુવાદ: “જેઓ ઇબ્રાહિમના જેવો વિશ્વાસ કરે છે”
πατὴρ πάντων ἡμῶν
અહીં “અમને” શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે અને ખ્રિસ્તમાં સર્વ યહૂદી તથા બિન-યહૂદી વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. ઇબ્રાહિમ યહૂદી લોકોનો શારીરક પૂર્વજ હતો, પરંતુ જેઓ વિશ્વાસ કરે છે તેઓનો તે આત્મિક પિતા પણ છે. (જુઓ: સમાવેશક “અમે”)
Romans 4:17
καθὼς γέγραπται
જ્યાં તે લખવામાં આવ્યું છે તેને સ્પષ્ટ કરી શકાય છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેમ કોઈએ શાસ્ત્રોમાં લખ્યું છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τέθεικά σε
અહીં “તમે” શબ્દ એકવચન છે અને તે ઇબ્રાહિમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)
κατέναντι οὗ ἐπίστευσεν Θεοῦ, τοῦ ζῳοποιοῦντος τοὺς νεκροὺς
અહીં “જેમનો તેને ભરોસો હતો તેમને” એ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઇબ્રાહિમ ઈશ્વરની હાજરીમાં હતો જેમના પર તે ભરોસો કરતો હતો, જે મૃત્યુ પામ્યા છે તેઓને જીવન આપે છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
καλοῦντος τὰ μὴ ὄντα ὡς ὄντα
કંઈ નહોતું તેમાંથી બધુ જ બનાવ્યું
Romans 4:18
ὃς παρ’ ἐλπίδα, ἐπ’ ἐλπίδι ἐπίστευσεν
આ રૂઢિપ્રયોગનો અર્થ એ છે કે ઇબ્રાહિમને બાળક થઈ શકે તેવું લાગતું ન હતું તેમ છતાં, તેણે ઈશ્વર પર ભરોસો કર્યો. વૈકલ્પિક અનુવાદ: “તેના માટે વંશજો થવાનું અશક્ય લાગતું હતું તેમ છતાં, તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
κατὰ τὸ εἰρημένον
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું હતું તે પ્રમાણે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
οὕτως ἔσται τὸ σπέρμα σου
ઈશ્વરે ઇબ્રાહિમને જે આખું વચન આપ્યું હતું તેને સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તું ગણતરી કરી શકે તે કરતાં તને વધુ વંશજો હશે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 4:19
καὶ μὴ ἀσθενήσας τῇ πίστει
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેમ છતાં, તે તેના વિશ્વાસમાં દ્રઢ રહ્યો” (જુઓ: વક્રોક્તિ)
Romans 4:20
οὐ διεκρίθη τῇ ἀπιστίᾳ
તમે આ બમણા નકારાત્મકને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “વિશ્વાસથી કાર્ય કરતાં રહ્યાં” (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
ἐνεδυναμώθη τῇ πίστει
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તે તેના વિશ્વાસમાં મજબૂત બન્યો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 4:21
καὶ πληροφορηθεὶς
ઇબ્રાહિમ સંપૂર્ણપણે નિશ્ચિત હતો
δυνατός ἐστιν καὶ ποιῆσαι
ઈશ્વર તે કરવા સક્ષમ હતાં
Romans 4:22
διὸ καὶ ἐλογίσθη αὐτῷ εἰς δικαιοσύνην
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેથી ઈશ્વરે ઇબ્રાહિમના વિશ્વાસને ન્યાયીપણા તરીકે ગણ્યો” અથવા “તેથી ઈશ્વરે ઇબ્રાહિમને ન્યાયી ગણ્યો કારણ કે ઈબ્રાહિમે તેમના પર વિશ્વાસ કર્યો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 4:23
ἐγράφη δὲ
અહીં ખ્રિસ્તના મૃત્યુ અને પુનરુત્થાનમાં વિશ્વાસ રાખીને આજના દિવસે વિશ્વાસીઓને વિશ્વાસ દ્વારા યોગ્ય ઠરાવવામાં આવે છે જેને ઇબ્રાહિમને વિશ્વાસ દ્વારા યોગ્ય ઠરાવવામાં આવ્યો તેની સાથે જોડવામાં આવે છે.
δι’ αὐτὸν μόνον
માત્ર ઇબ્રાહિમને માટે
ὅτι ἐλογίσθη αὐτῷ
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કે ઈશ્વરે તેને માટે એ ન્યાયીપણાને અર્થે ગણ્યું” અથવા “ઈશ્વરે તેને ન્યાયી ઠરાવ્યો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 4:24
δι’ ἡμᾶς
“અમને” શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે અને ખ્રિસ્તમાં સર્વ વિશ્વાસીઓનો સમાવેશ કરી લે છે. (જુઓ: સમાવેશક “અમે”)
καὶ δι’ ἡμᾶς, οἷς μέλλει λογίζεσθαι, τοῖς πιστεύουσιν
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: તે પણ આપણા હિત માટે હતું, કારણ કે જો આપણે વિશ્વાસ કરીએ તો ઈશ્વર આપણને પણ ન્યાયી ગણશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τὸν ἐγείραντα Ἰησοῦν, τὸν Κύριον ἡμῶν, ἐκ νεκρῶν
મૃત્યુમાંથી ઉઠાડેલ ... એ “ફરીથી સજીવન થવું” માટેનો રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: “તેમને કે જેમણે ઈસુ આપણા પ્રભુને ફરીથી જીવન આપ્યું” (જુઓ: રૂઢિપ્રયોગ)
Romans 4:25
ὃς παρεδόθη διὰ τὰ παραπτώματα ἡμῶν, καὶ ἠγέρθη διὰ τὴν δικαίωσιν ἡμῶν
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેમને ઈશ્વરે આપણા અપરાધોને લીધે શત્રુને સોંપી દીધા અને જેમને ઈશ્વર જીવનમાં પાછા લાવ્યા જેથી આપણને તેમની સાથે તે યોગ્ય ઠરાવે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 5
રોમન 05 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
ઘણા વિદ્વાનો 12-17 કલમોને શાસ્ત્રોમાંની કલમોમાંની ઘણી મહત્વપૂર્ણ, પરંતુ મુશ્કેલ માને છે. મૂળ ગ્રીકનું નિર્માણ જે રીતે થયું હતું તેમાંથી તેનું અનુવાદ કરતી વખતે થોડી તેની સમૃદ્ધિ અને અર્થ ખોવાઈ જાય છે.
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
ન્યાયીપણાના પરિણામો
પાઉલ સમજાવે છે આપણને કેવી રીતે ન્યાયી ઠરાવવામાં આવ્યા છે તે આ અધ્યાયનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ પરિણામો ઈશ્વર સાથે શાંતિ સ્થપાવવાની, ઈશ્વર પાસે જવાની, આપણા ભવિષ્ય માટે ભરોસો રાખવો, જ્યારે દૂ:ખ આવે ત્યારે આનંદ કરવા સક્ષમ, અનંતકાળ સુધીનું તારણ, અને ઈશ્વર સાથે સમાધાનનો સમાવેશ કરે છે. (જુઓ: ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાય, યોગ્ય ઠરાવવું, ન્યાયી ઠરાવવું)
“સર્વએ પાપ કર્યું છે”
પાઉલે જે કલમ 12 માં કહ્યું છે તેના પર વિદ્વાનોમાં ભાગલા પડ્યા છે: “અને મૃત્યુ સર્વ લોકોમાં પ્રસરી ગયું, કારણ કે સર્વએ પાપ કર્યું છે.” કેટલાક માને છે કે “આદમના બીજમાં” માં સમગ્ર માનવજાત હાજર હતી. તેથી, જેમ આદમ સમગ્ર માનવજાતનો પિતા છે, તેમ જ્યારે આદમે પાપ કર્યું ત્યારે સમગ્ર માનવજાત હાજર હતી. અન્ય લોકો માને છે કે આદમે માનવજાતના પ્રતિનિધિ વડા તરીકે કાર્ય કર્યું. તેથી જ્યારે તેણે પાપ કર્યું, ત્યારે પરિણામ સ્વરૂપે સમગ્ર માનવજાત “પડી” ગઈ. લોકો આજે આદમનાં મૂળ પાપમાં સક્રિય અથવા નિષ્ક્રિય ભાગ ભજવે તેઓ પણ એક રીતે આ મંતવ્યો પર ભિન્ન છે. અન્ય ફકરાઓ કોઈને નિર્ણય કરવામાં મદદ કરશે. (જુઓ: બીજ, વીર્ય અને પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
બીજો આદમ
આદમ પ્રથમ મનુષ્ય હતો અને ઈશ્વરનો પ્રથમ “પુત્ર” હતો. તેને ઈશ્વર દ્વારા રચવામાં આવ્યો હતો. તેના પ્રતિબંધિત ફળ ખાવા દ્વારા પાપ અને મૃત્યુ આ જગતમાં લાવ્યો. આ અધ્યાયમાં પાઉલ ઈસુનું વર્ણન “બીજા આદમ” અને ઈશ્વરના ખરા પુત્ર તરીકે કરે છે. તેમના વધસ્તંભ પર મૃત્યુ દ્વારા તે જીવન લાવે છે અને પાપ તથા મૃત્યુ પર વિજય મેળવે છે. (જુઓ: ઈશ્વરનો દીકરો, દીકરો અને મરી જવું, મૃત્યુ પામે છે, મૃત્યુ પામેલ, મૃત, ઘાતક, મૃત હાલત, મરણ, મરણો, જીવલેણ)
Romans 5:1
પાઉલ ઘણી બધી જુદી જુદી બાબતો કહેવાનું શરૂ કરે છે કે જ્યારે ઈશ્વર વિશ્વાસીઓને યોગ્ય ઠરાવે છે ત્યારે શું થાય છે.
δικαιωθέντες οὖν
કારણ કે આપણને ન્યાયી ઠરાવવામાં આવ્યા છે
…ἡμῶν
“અમે” અને “આપણે” ના સર્વ બનાવો સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે અને તે વ્યાપક હોવું જોઈએ. (જુઓ: સમાવેશક “અમે”)
διὰ τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને કારણે
τοῦ Κυρίου
અહીં “પ્રભુ” નો અર્થ છે કે ઈસુ ઈશ્વર છે.
Romans 5:2
δι’ οὗ καὶ τὴν προσαγωγὴν ἐσχήκαμεν, τῇ πίστει εἰς τὴν χάριν ταύτην, ἐν ᾗ ἑστήκαμεν
અહીં “વિશ્વાસ” દ્વારા ઈસુમાં આપણા વિશ્વાસનો ઉલ્લેખ કરે છે, જે આપણને ઈશ્વર સમક્ષ ઊભા રહેવાની મંજૂરી આપે છે. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે આપણે ઈસુમાં વિશ્વાસ કરીએ છીએ, ઈશ્વર આપણને તેમની હાજરીમાં આવવાની મંજૂરી આપે છે”
Romans 5:3
οὐ μόνον δέ
“આ” શબ્દ રોમન 5:1-2 માં વર્ણન કરેલ વિચારોનો ઉલ્લેખ કરે છે.
καυχώμεθα…
આ શબ્દો સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે અને તે વ્યાપક હોવું જોઈએ. (જુઓ: સમાવેશક “અમે”)
Romans 5:4
ἐλπίδα
આ નિશ્ચિતતા છે કે જેઓ ખ્રિસ્તમાં ભરોસો કરે છે તેઓને માટે ઈશ્વર તેમનું વચન પરિપૂર્ણ કરશે.
Romans 5:5
ἡμῶν…ἡμῖν
આ શબ્દો સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે અને તે વ્યાપક હોવું જોઈએ. (જુઓ: સમાવેશક “અમે”)
ἡ…ἐλπὶς οὐ καταισχύνει
પાઉલ જેમ “આત્મવિશ્વાસ” ની વાત કરે છે તેમ અહીં વ્યક્તિત્વનો ઉપયોગ કરે છે જેમ કે તે જીવંત હોય. વૈકલ્પિક અનુવાદ: “અમને ખૂબ જ આત્મવિશ્વાસ છે કે અમે જે બાબતોની રાહ જોઈશુ તે અમને મળશે” (જુઓ: વ્યક્તિનો અવતાર)
ὅτι ἡ ἀγάπη τοῦ Θεοῦ ἐκκέχυται ἐν ταῖς καρδίαις ἡμῶν
અહીં “હ્રદયો” વ્યક્તિના વિચારો, લાગણીઓ, અથવા આંતરિક વ્યક્તિને રજૂ કરે છે. “ઈશ્વરનો પ્રેમ આપણા હ્રદયોમાં રેડવામાં આવ્યો છે” તે ભાગ ઈશ્વર તેમના લોકો પ્રત્યે પ્રેમ દર્શાવે છે તેનું રૂપક છે. આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કારણ કે તેમણે અમને મહાન પ્રેમ કર્યો છે” અથવા “કારણ કે ઈશ્વરે અમને બતાવ્યુ છે કે તે અમને કેટલો પ્રેમ કરે છે” (જુઓ: ઉપનામ અને રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 5:6
ἡμῶν
અહીં “અમે” શબ્દ સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે અને તેથી તે વ્યાપક હોવું જોઈએ. (જુઓ: સમાવેશક “અમે”)
Romans 5:7
μόλις γὰρ ὑπὲρ δικαίου τις ἀποθανεῖται
ન્યાયી માણસને માટે પણ, કોઈ મૃત્યુ પામવા માટે તૈયાર હોય તે શોધવું મુશ્કેલ છે.
ὑπὲρ γὰρ τοῦ ἀγαθοῦ, τάχα τις καὶ τολμᾷ ἀποθανεῖν
પરંતુ તમને કદાચ એવી વ્યક્તિ મળી શકે છે જે આવા સારા વ્યક્તિને માટે મૃત્યુ પામવા તૈયાર હોય.
Romans 5:8
συνίστησιν
તમે “દર્શાવ્યું” અથવા “બતાવ્યું” નો ઉપયોગ કરીને આ ક્રિયાપદને ભૂતકાળમાં અનુવાદ કરી શકો છો.
ἡμῶν…ἡμῶν
“અમે” અને “આપણે” ના સર્વ બનાવો સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે અને તે વ્યાપક હોવું જોઈએ. (જુઓ: સમાવેશક “અમે”)
Romans 5:9
πολλῷ οὖν μᾶλλον δικαιωθέντες νῦν ἐν τῷ αἵματι αὐτοῦ
અહીં “ન્યાયી ઠરાવવા” નો અર્થ છે કે ઈશ્વર આપણને તેમની સાથે યોગ્ય સંબંધમાં મૂકે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે વધસ્તંભ પર ઈસુના મૃત્યુને કારણે આપણને તેમની સાથે યોગ્ય ઠરાવ્યા છે તો હવે તેનાથી વધુ તેઓ આપણા માટે શું કરે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τῷ αἵματι
વધસ્તંભ પર ઈસુના બલિદાનયુક્ત મરણ માટેનું આ એક ઉપનામ છે. (જુઓ: ઉપનામ)
σωθησόμεθα
આનો અર્થ છે કે વધસ્તંભ પર ઈસુના બલિદાનયુક્ત મરણ દ્વારા, ઈશ્વરે આપણને ક્ષમા કર્યા છે અને આપણા પાપને કારણે નર્કની શિક્ષામાંથી બચાવ્યા છે.
τῆς ὀργῆς
અહીં “ક્રોધ” એક ઉપનામ છે તે જેણે ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું છે તેમને માટે ઈશ્વરની શિક્ષાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરની શિક્ષા” (જુઓ: ઉપનામ)
Romans 5:10
ὄντες
“અમે” ના સર્વ બનાવો સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે અને તે વ્યાપક હોવું જોઈએ. (જુઓ: સમાવેશક “અમે”)
Υἱοῦ αὐτοῦ, πολλῷ μᾶλλον καταλλαγέντες, σωθησόμεθα ἐν τῇ ζωῇ αὐτοῦ
ઈશ્વરના પુત્ર ... ઈશ્વરના પુત્રનું જીવન
κατηλλάγημεν τῷ Θεῷ διὰ τοῦ θανάτου τοῦ Υἱοῦ αὐτοῦ
જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને માટે ઈશ્વરના પુત્રના મૃત્યુએ અનંતકાળીક ક્ષમા પૂરી પાડી છે અને આપણને ઈશ્વરના મિત્ર બનાવ્યા છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે આપણને તેમની સાથે શાંતિમય સંબંધ રાખવાની મંજૂરી આપી કારણ કે તેમનો પુત્ર આપણા માટે મૃત્યુ પામ્યો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τοῦ Υἱοῦ
ઈશ્વરના પુત્ર, આ ઈસુ માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
καταλλαγέντες
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “હવે જ્યારે ઈશ્વરે આપણને ફરીથી તેમના મિત્ર બનાવ્યા છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 5:12
પાઉલ સમજાવે છે કે ઈશ્વરે મૂસાને નિયમ આપ્યો તે પહેલા પણ કેમ મૃત્યુ થયા હતાં.
δι’ ἑνὸς ἀνθρώπου ἡ ἁμαρτία εἰς τὸν κόσμον εἰσῆλθεν, καὶ διὰ τῆς ἁμαρτίας ὁ θάνατος
પાઉલ વર્ણન કરે છે કે પાપ એક ભયાનક બાબત છે જે આ જગતમાં “એક વ્યક્તિ,” આદમનાં કાર્યોને લીધે આવ્યું. આ પાપ તે પછી એક શરૂઆત બની ગયું કે જેના દ્વારા મૃત્યુ, અહીં બીજી ભયાનક બાબત તરીકે ચિત્રમાં, તેમજ જગતમાં પણ આવ્યું. (જુઓ: વ્યક્તિનો અવતાર)
Romans 5:13
ἄχρι γὰρ νόμου, ἁμαρτία ἦν ἐν κόσμῳ
આનો અર્થ છે કે ઈશ્વરે નિયમ આપ્યો તે પહેલા લોકોએ પાપ કર્યું હતું. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે મૂસાને નિયમ આપ્યો તે પહેલા આ જગતનાં લોકોએ પાપ કર્યું હતું” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἁμαρτία δὲ οὐκ ἐλλογεῖται, μὴ ὄντος νόμου
આનો અર્થ છે કે ઈશ્વરે નિયમ આપતા પહેલા તેમણે લોકો પર પાપ કરવાનો આરોપ મૂક્યો ન હતો. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ ઈશ્વરે નિયમ આપ્યા પહેલા નિયમની વિરુદ્ધ પાપની નોંધ લીધી ન હતી” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 5:14
ἀλλὰ…ὁ θάνατος
મેં અત્યારે જે કહ્યું છે તે સત્ય હોવા છતાં, મૃત્યુ અથવા “આદમના સમયથી મૂસાના સમય સુધી ત્યાં લેખિત નિયમ હતો નહિ, પરંતુ મૃત્યુ હતું” (રોમન 5:13).
ἐβασίλευσεν ὁ θάνατος ἀπὸ Ἀδὰμ μέχρι Μωϋσέως
પાઉલ મૃત્યુ વિશે એ રીતે વાત કરે છે જેમ કે તે રાજ કરનાર રાજા હોય. વૈકલ્પિક અનુવાદ: “લોકો તેમના પાપને કારણે આદમના સમયથી મૂસાના સમય સુધી મૃત્યુ પામ્યા હતાં” (જુઓ: વ્યક્તિનો અવતાર અને રૂપક)
καὶ ἐπὶ τοὺς μὴ ἁμαρτήσαντας ἐπὶ τῷ ὁμοιώματι τῆς παραβάσεως Ἀδάμ
એવા લોકો જેઓના પાપો આદમથી અલગ હતા તેઓ પણ મૃત્યુ પામી રહ્યા હતાં
ὅς ἐστιν τύπος τοῦ μέλλοντος
આદમ ખ્રિસ્તનો નમૂનો હતો, જે ખૂબ પાછળથી દેખાયા. તે તેમની સાથે ખૂબ સમાન હતો.
Romans 5:15
εἰ γὰρ τῷ τοῦ ἑνὸς παραπτώματι, οἱ πολλοὶ ἀπέθανον
અહીં “એક” આદમનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “એક વ્યક્તિના પાપ કરવા દ્વારા, ઘણા મૃત્યુ પામ્યા” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
πολλῷ μᾶλλον ἡ χάρις τοῦ Θεοῦ καὶ ἡ δωρεὰ ἐν χάριτι, τῇ τοῦ ἑνὸς ἀνθρώπου, Ἰησοῦ Χριστοῦ, εἰς τοὺς πολλοὺς ἐπερίσσευσεν
અહીં “કૃપા” ઈશ્વરની મફત ભેટનો ઉલ્લેખ કરે છે જે તેમણે ઈસુ ખ્રિસ્ત દ્વારા દરેકને માટે ઉપલબ્ધ બનાવી છે. વૈકલ્પિક અનુવાદ: “ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દ્વારા અને તેથી પણ વધુ, જેઓ આપણા સર્વને માટે મૃત્યુ પામ્યા, ઈશ્વરે દયાથી આપણને અનંતકાળીક જીવનની આ ભેટ આપી, જો કે આપણે તેને લાયક નથી” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 5:16
καὶ οὐχ ὡς δι’ ἑνὸς ἁμαρτήσαντος, τὸ δώρημα
અહીં “ભેટ” એ ઈશ્વરના મુક્તપણે આપણા પાપોનો હિસાબ ભૂંસી નાખવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “એ ભેટ આદમના પાપના પરિણામ જેવી નથી” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
τὸ…γὰρ κρίμα ἐξ ἑνὸς, εἰς κατάκριμα, τὸ δὲ χάρισμα ἐκ πολλῶν παραπτωμάτων, εἰς δικαίωμα
અહીં પાઉલ બે કારણો આપે છે કે કેમ “એ ભેટ આદમના પાપના પરિણામ જેવી નથી.” “નિંદાનો ન્યાય” એ સૂચવે છે કે આપણે સર્વ આપણા પાપોને માટે ઈશ્વરની શિક્ષાને લાયક હતાં. વૈકલ્પિક અનુવાદ: “કારણ કે એક તરફ, ઈશ્વરે જાહેર કર્યું કે એક માણસના પાપને કારણે સર્વ લોકો શિક્ષાને લાયક હતા, પરંતુ બીજી તરફ” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
τὸ…χάρισμα ἐκ πολλῶν παραπτωμάτων, εἰς δικαίωμα
આ ઉલ્લેખ કરે છે કે કેવી રીતે ઈશ્વર આપણને જ્યારે આપણે તેમને લાયક નથી ત્યારે પણ તેમની સાથે યોગ્ય ઠરાવે છે. વૈકલ્પિક અનુવાદ: “”ઈશ્વરની દયાળુ ભેટ જે આપણને તેમની સાથે યોગ્ય ઠરાવે છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἐκ πολλῶν παραπτωμάτων
ઘણાંના પાપો પછી
Romans 5:17
τοῦ ἑνὸς παραπτώματι
આ આદમના પાપનો ઉલ્લેખ કરે છે.
ὁ θάνατος ἐβασίλευσεν
અહીં પાઉલ “મૃત્યુ” ની વાત કરે છે જેમ કે તે કોઈ શાસન કરનાર રાજા હોય. મૃત્યુનું “શાસન” દરેકના મૃત્યુનું કારણ બને છે. વૈકલ્પિક અનુવાદ: “દરેક મૃત્યુ પામ્યા” (જુઓ: વ્યક્તિનો અવતાર અને રૂપક)
Romans 5:18
ὡς δι’ ἑνὸς παραπτώματος
એક પાપ જે આદમે કર્યું હતું તેના દ્વારા અથવા “આદમના પાપને કારણે”
εἰς πάντας ἀνθρώπους εἰς κατάκριμα
અહીં “નિંદા” ઈશ્વરની શિક્ષાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પાપ માટે સર્વ લોકો ઈશ્વરની શિક્ષાને લાયક છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
δι’ ἑνὸς δικαιώματος
ઈસુ ખ્રિસ્તનું બલિદાન
εἰς πάντας ἀνθρώπους…δικαίωσιν ζωῆς
અહીં “ન્યાયીકરણ” એ લોકોને તેમની સાથે યોગ્ય ઠરાવવાની ઈશ્વરની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “સર્વ લોકોને તેમની સાથે યોગ્ય ઠરાવવાની ઈશ્વરની રજૂઆત” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 5:19
τῆς παρακοῆς τοῦ ἑνὸς ἀνθρώπου
આદમનો આજ્ઞાભંગ
ἁμαρτωλοὶ κατεστάθησαν οἱ πολλοί
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઘણા લોકોએ પાપ કર્યું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τῆς ὑπακοῆς τοῦ ἑνὸς
ઈસુનું આજ્ઞાપાલન
δίκαιοι κατασταθήσονται οἱ πολλοί
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર ઘણા લોકોને તેમની સાથે યોગ્ય ઠરાવશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 5:20
νόμος…παρεισῆλθεν
અહીં પાઉલ નિયમની વાત કરે છે જેમ કે તે કોઈ વ્યક્તિ હોય. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે તેમનો નિયમ મૂસાને આપ્યો” (જુઓ: વ્યક્તિનો અવતાર)
ἐπλεόνασεν ἡ ἁμαρτία
પાપ વધ્યું
ὑπερεπερίσσευσεν ἡ χάρις
અહીં “કૃપા” ઈશ્વરના અનુચિત આશીર્વાદનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તેમની પ્રત્યે વધુ દયાથી તે રીતે કાર્ય કરવાનું ચાલુ રાખે છે, જેમ કે તેઓ તેને લાયક જ ન હોય” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 5:21
ὥσπερ ἐβασίλευσεν ἡ ἁμαρτία ἐν τῷ θανάτῳ
અહીં પાઉલ “પાપ” ની વાત કરે છે જેમ કે તે કોઈ શાસન કરનાર રાજા હોય. વૈકલ્પિક અનુવાદ: “જેમ પાપનું પરિણામ મૃત્યુ આવ્યું” (જુઓ: વ્યક્તિનો અવતાર અને રૂપક)
οὕτως καὶ ἡ χάρις βασιλεύσῃ διὰ δικαιοσύνης, εἰς ζωὴν αἰώνιον διὰ Ἰησοῦ Χριστοῦ τοῦ Κυρίου ἡμῶν
પાઉલ “કૃપા” ની વાત કરે છે જેમ કે તે કોઈ શાસન કરનાર રાજા હોય. વૈકલ્પિક અનુવાદ: “કૃપાથી લોકોને ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ દ્વારા અનંતકાળીક જીવન આપ્યું” (જુઓ: વ્યક્તિનો અવતાર અને રૂપક)
οὕτως…ἡ χάρις βασιλεύσῃ διὰ δικαιοσύνης
પાઉલ “કૃપા” ની વાત કરે છે જેમ કે તે કોઈ શાસન કરનાર રાજા હોય. “ન્યાયીપણું” શબ્દ એ લોકોને તેમની સાથે યોગ્ય ઠરાવવાની ઈશ્વરની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેથી ઈશ્વર લોકોને તેમની સાથે યોગ્ય ઠરાવવા તેમની મફત ભેટ આપી શકે છે” (જુઓ: વ્યક્તિનો અવતાર અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
τοῦ Κυρίου ἡμῶν
પાઉલ પોતાનો, તેના વાચકોનો અને સર્વ વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)
Romans 6
રોમન 06 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
પાઉલ આ અધ્યાયની શરૂઆત જે તેણે અધ્યાય 5 માં શીખવ્યું છે તેનો અનુમાનિત વાંધો કોઈ કેવી રીતે ઉઠાવી શકે છે તેના જવાબો આપવા દ્વારા કરે છે. (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
નિયમ વિરુદ્ધ
આ અધ્યાયમાં, પાઉલ તે શિક્ષણને નકારી કાઢે છે કે ખ્રિસ્તીઓ તેઓનું તારણ થયા પછી તેઓ જેવી રીતે ચાહે તે રીતે જીવી શકે છે. વિદ્વાનો તેને “નિયમનો નકાર કરવો” અથવા “નિયમ વિરુદ્ધ” હોવું એમ કહે છે. ઈશ્વરીય જીવન જીવવાની પ્રેરણા આપવા, પાઉલ ખ્રિસ્તીઓ માટે ઈસુએ જે મહાન કિંમત ચૂકવી છે તેને યાદ કરે છે. (જુઓ: બચાવવું, બચાવ્યા, સલામત, તારણ અને ઈશ્વરપરાયણ/ઈશ્વરીય, ધર્મનિષ્ઠા/ઈશ્વરપરાયણતા, અધર્મી, નાસ્તિક, નાસ્તિકતા/અનાસ્થા)
પાપના દાસો
ઈસુમાં વિશ્વાસ કરતાં પહેલા, પાપ લોકોને દાસ બનાવે છે. ઈશ્વર ખ્રિસ્તીઓને પાપની સેવા કરવામાંથી મુક્ત કરે છે. તેઓ તેમના જીવનોમાં ખ્રિસ્તની સેવા કરવાનું પસંદ કરવા સક્ષમ બને છે. પાઉલ સમજાવે છે કે જ્યારે ખ્રિસ્તીઓ પાપ પસંદ કરે છે, ત્યારે તેઓ સ્વેછાએ પાપ કરવાનું પસંદ કરે છે. (જુઓ: વિશ્વાસ/શ્રદ્ધા અને પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું)
ફળ
આ અધ્યાય ફળની છબીનો ઉપયોગ કરે છે. ફળની છબી સામાન્ય રીતે વ્યક્તિનાં વિશ્વાસ દ્વારા તેમના જીવનમાં જે સારા કાર્યો ઉત્પન્ન થાય છે તેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ફળ, ફળદાયી, નિષ્ક્રિય/નિરર્થક/બિનપરિણામકારક અને ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું)
આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર
અલંકારિક પ્રશ્નો
પાઉલ આ અધ્યાયમાં અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. જોવામાં આવે છે કે આ અલંકારિક પ્રશ્નોનો ઉદ્દેશ વાચકો તેમના પાપને જુએ જેથી તેઓ ઈસુમાં વિશ્વાસ કરી શકે તે છે. (જુઓ: આલંકારિક પ્રશ્ન અને અપરાધ, (દોષ), દોષિત અને પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું)
આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ
મૃત્યુ
પાઉલ આ અધ્યાયમાં “મૃત્યુ” નો ઘણી વિવિધ રીતે ઉપયોગ કરે છે: શારીરિક મૃત્યુ, આત્મિક મૃત્યુ, મનુષ્યનાં હ્રદયમાં પાપનું શાસન કરવું, અને કંઈકનો અંત કરવો. તે ખ્રિસ્ત દ્વારા પૂરા પાડવામાં આવેલ નવા જીવન સાથે પાપ તથા મૃત્યુ અને ખ્રિસ્તીઓનાં તારણ પામ્યા પછી જીવવાની નવી રીતનો તફાવત કરે છે. (જુઓ: મરી જવું, મૃત્યુ પામે છે, મૃત્યુ પામેલ, મૃત, ઘાતક, મૃત હાલત, મરણ, મરણો, જીવલેણ)
Romans 6:1
કૃપાને આધીન, પાઉલ જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને પાપમાં મરણ પામેલ અને ઈશ્વરમાં જીવંત એવું નવું જીવન જીવવા માટે કહે છે.
τί οὖν ἐροῦμεν? ἐπιμένωμεν τῇ ἁμαρτίᾳ, ἵνα ἡ χάρις πλεονάσῃ
પાઉલ તેના વાચકોનું ધ્યાન ખેંચવા માટે આ અલંકારિક પ્રશ્નો પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: “તો, આપણે આ સર્વ વિશે શું કહી શકીએ? આપણે નિશ્ચિતરૂપે પાપ કર્યા કરવું ન જોઈએ કે જેથી ઈશ્વર આપણને વધુને વધુ કૃપા આપે! (જુઓ: આલંકારિક પ્રશ્ન)
ἐροῦμεν
“અમે” સર્વનામ પાઉલનો, તેના વાચકો, અને અન્ય લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)
Romans 6:2
οἵτινες ἀπεθάνομεν τῇ ἁμαρτίᾳ, πῶς ἔτι ζήσομεν ἐν αὐτῇ
અહીં “પાપથી મરણ” નો અર્થ છે કે જેઓ ઈસુને અનુસરે છે તેઓ હવે મૃત લોકો જેવા છે જેઓને પાપ દ્વારા અસર થઈ શકે નહિ. પાઉલ આ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ ભાર મૂકવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આપણે હવે મૃત લોકો જેવા છીએ જેમના પર પાપની કોઈ અસર નથી! તેથી આપણે ચોક્કસપણે પાપ કરવાનું ચાલું રાખવું જોઈએ નહિ!” (જુઓ: રૂપક અને આલંકારિક પ્રશ્ન)
Romans 6:3
ἢ ἀγνοεῖτε, ὅτι ὅσοι ἐβαπτίσθημεν εἰς Χριστὸν Ἰησοῦν, εἰς τὸν θάνατον αὐτοῦ ἐβαπτίσθημεν?
પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભાર મૂકવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: “યાદ રાખો, જ્યારે કોઈએ આપણને તે બતાવવા બાપ્તિસ્મા આપ્યું કે આપણો સંબંધ ખ્રિસ્ત સાથે છે, ત્યારે એ તે પણ બતાવે છે કે આપણે ખ્રિસ્ત સાથે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા! (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Romans 6:4
συνετάφημεν οὖν αὐτῷ διὰ τοῦ βαπτίσματος εἰς τὸν θάνατον
અહીં પાઉલ વિશ્વાસીના પાણીના બાપ્તિસ્માની વાત કરે છે જેમ કે તે મરણ અને દફન હોય. વૈકલ્પિક અનુવાદ: “જ્યારે કોઈએ આપણને બાપ્તિસ્મા આપ્યું, તે એવું છે કે તે વ્યક્તિએ આપણને ખ્રિસ્તની સાથે કબરમાં દફનાવી દીધા” (જુઓ: રૂપક)
ὥσπερ ἠγέρθη Χριστὸς ἐκ νεκρῶν διὰ τῆς δόξης τοῦ Πατρός, οὕτως καὶ ἡμεῖς ἐν καινότητι ζωῆς περιπατήσωμεν
મૃત્યુમાંથી ઉઠાડવા એ વ્યક્તિને ફરીથી જીવન આપવા માટેનો એક રૂઢિપ્રયોગ છે. તે વિશ્વાસીના નવા આત્મિક જીવનની સરખામણી ઈસુના શારીરિક જીવનમાં પાછા આવવા સાથે કરે છે. વિશ્વાસીનું નવું આત્મિક જીવન તે વ્યક્તિને ઈશ્વરની આજ્ઞાપાલન માટે સક્ષમ બનાવે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જે રીતે પિતા ઈસુને તેમના મરણ પછી ફરીથી જીવનમાં લાવ્યા, આપણને પણ નવું આત્મિક જીવન અને ઈશ્વરનું આજ્ઞાપાલન મળી શકે છે” (જુઓ: ઉપમા અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને રૂઢિપ્રયોગ)
ἐκ νεκρῶν
મૃત્યુ પામેલા સર્વ લોકોમાંથી. આ અભિવ્યક્તિ સર્વ મૃત લોકોનું એક સાથે અધોલોકમાં હોવાનું વર્ણન કરે છે. તેમની વચ્ચેથી ઊઠવું તે ફરીથી જીવંત થવાની વાત કરે છે.
Romans 6:5
σύμφυτοι γεγόναμεν τῷ ὁμοιώματι τοῦ θανάτου αὐτοῦ, ἀλλὰ καὶ τῆς ἀναστάσεως ἐσόμεθα
પાઉલ આપણા સંપની તુલના ખ્રિસ્તના મરણ સાથે કરે છે. જેઓ મરણમાં ખ્રિસ્તની સાથે જોડાય છે તેઓ તેમના પુનરુત્થાનમાં ભાગ લેશે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેમની સાથે મૃત્યુ પામ્યા ... તેમની સાથે ફરીથી જીવંત થયા” (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 6:6
ὁ παλαιὸς ἡμῶν ἄνθρωπος συνεσταυρώθη
“વૃદ્ધ માણસ” એક રૂપક છે જે વ્યક્તિને તે ઈસુમાં વિશ્વાસ કરવા લાગ્યો તે પહેલાનો ઉલ્લેખ કરે છે. જ્યારે આપણે ઈસુમાં વિશ્વાસ કરીએ છીએ, ત્યારે પાઉલ આપણા જૂના પાપી વ્યક્તિનું ઈસુ સાથે વધસ્તંભ પર મરણ થયું હોય તેમ વર્ણન કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણું પાપી માણસપણું ઈસુની સાથે વધસ્તંભ પર મરણ પામ્યું” (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ὁ παλαιὸς…ἄνθρωπος
આનો અર્થ છે કે વ્યક્તિ જે એક સમયે હતો, પરંતુ હવે તે અસ્તિત્વમાં નથી.
τὸ σῶμα τῆς ἁμαρτίας
આ એક ઉપનામ છે જે સંપૂર્ણ પાપી માણસપણાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આપણો પાપી સ્વભાવ” (જુઓ: ઉપનામ)
καταργηθῇ
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કદાચ મૃત્યુ પામે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
μηκέτι δουλεύειν ἡμᾶς τῇ ἁμαρτίᾳ
આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “હવે પાપ આપણને દાસ બનાવશે નહિ” અથવા “હવે આપણે પાપના દાસ રહેવું જોઈએ નહિ” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
μηκέτι δουλεύειν ἡμᾶς τῇ ἁμαρτίᾳ
પાપની દાસગીરી એક રૂપક છે જેનો અર્થ છે કે પાપ કરવાની એટલી મજબૂત ઇચ્છા હોવી કે કોઈ પોતાની જાતને પાપ કરતાં રોકી શકે નહિ. તે એવું છે જેમ કે પાપ વ્યક્તિ પર નિયંત્રણ કરતું હોય. વૈકલ્પિક અનુવાદ: “હવે પાપ દ્વારા આપણું નિયંત્રણ થવું જોઈએ નહિ” (જુઓ: રૂપક)
Romans 6:7
ὁ γὰρ ἀποθανὼν, δεδικαίωται ἀπὸ τῆς ἁμαρτίας.
અહીં “ન્યાયી” લોકોને તેમની સાથે યોગ્ય ઠરાવવાની ઈશ્વરની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જ્યારે ઈશ્વર વ્યક્તિને તેમની સાથે યોગ્ય ઠરાવે છે, ત્યારે તે વ્યક્તિ હવે પાપના નિયંત્રણ હેઠળ નથી” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 6:8
ἀπεθάνομεν σὺν Χριστῷ
અહીં “મૃત્યુ પામ્યા” એ હકીકતનો ઉલ્લેખ કરે છે કે વિશ્વાસીઓ હવે પાપના નિયંત્રણ હેઠળ નથી. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 6:9
εἰδότες ὅτι Χριστὸς ἐγερθεὶς ἐκ νεκρῶν
અહીં ઉઠાડવું એ કોઈક મૃત્યુ પામેલાને ફરીથી જીવંત બનાવવાનું કારણ આપવા માટેનો એક રૂઢિપ્રયોગ છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણે જાણીએ છીએ કે જેમ ઈશ્વર મૃત્યુ પછી ખ્રિસ્તને સજીવન કર્યા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને રૂઢિપ્રયોગ)
ἐκ νεκρῶν
જેઓ મૃત્યુ પામ્યા છે તે સર્વ લોકોમાંથી. આ અભિવ્યક્તિ અધોલોકમાં એક સાથે સર્વ મૃત લોકોનું વર્ણન કરે છે. તેમનામાંથી પાછા ઉઠાડવા એટલે કે ફરીથી જીવંત થવું છે.
θάνατος αὐτοῦ οὐκέτι κυριεύει
અહીં “મૃત્યુ” નું વર્ણન એક રાજા અથવા શાસક તરીકે કરવામાં આવે છે જેને લોકો પર સત્તા હોય છે. વૈકલ્પિક અનુવાદ: “તે ફરી ક્યારેય મૃત્યુ પામશે નહિ” (જુઓ: વ્યક્તિનો અવતાર)
Romans 6:10
ὃ γὰρ ἀπέθανεν, τῇ ἁμαρτίᾳ ἀπέθανεν ἐφάπαξ
“સઘળા માટે એક” એ ભાગનો અર્થ છે કે કંઈક સંપૂર્ણ રીતે પૂરું કરવું. તમે તમારા અનુવાદમાં આ સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “માટે જ્યારે તે મૃત્યુ પામ્યા ત્યારે તેમણે પાપના સામર્થ્યને સંપૂર્ણપણે તોડી નાખ્યું” (જુઓ: રૂઢિપ્રયોગ અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 6:11
οὕτως καὶ ὑμεῖς, λογίζεσθε
આ કારણ માટે ધ્યાન આપ
λογίζεσθε ἑαυτοὺς
તમારી જાતનો વિચાર કરો અથવા “જેમ તમારી જાતને જુઓ”
νεκροὺς μὲν τῇ ἁμαρτίᾳ
જેમ કોઈ શબને કંઈપણ કરવા દબાણ કરી શકાતું નથી, તેમ વિશ્વાસીઓને ઈશ્વરનું અપમાન કરવા દબાણ કરવાની શક્તિ પાપમાં નથી. વૈકલ્પિક અનુવાદ: “જાણે કે તમે પાપના સામર્થ્યમાં મૃત્યુ પામ્યા હોય” (જુઓ: રૂપક)
νεκροὺς μὲν τῇ ἁμαρτίᾳ, ζῶντας δὲ τῷ Θεῷ
પાપની શક્તિથી મૃત, પરંતુ ઈશ્વરને સન્માન આપવા માટે જીવંત
ζῶντας…τῷ Θεῷ ἐν Χριστῷ Ἰησοῦ
ખ્રિસ્ત ઈસુમાં તમને આપેલ સામર્થ્ય મુજબ ઈશ્વરને સન્માન આપવા માટે જીવંત
Romans 6:12
પાઉલ આપણને યાદ અપાવે છે કે કૃપા આપણા પર રાજ કરે છે, નહિ કે નિયમ; આપણે પાપના દાસ નથી પરંતુ ઈશ્વરના દાસ છીએ.
μὴ…βασιλευέτω ἡ ἁμαρτία ἐν τῷ θνητῷ ὑμῶν σώματι
પાઉલ પાપ કરતા લોકોની વાત કરે છે જેમ કે પાપ તેમનો માલિક અથવા રાજા હોય જે તેમનું નિયંત્રણ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પાપી ઇચ્છાઓને તમારા પર નિયંત્રણ કરવા ન દો” (જુઓ: વ્યક્તિનો અવતાર)
ἐν τῷ θνητῷ ὑμῶν σώματι
આ ભાગ વ્યક્તિના શારીરિક ભાગનો ઉલ્લેખ કરે છે, કે જે મૃત્યુ પામશે. વૈકલ્પિક અનુવાદ: “તમે” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)
εἰς τὸ ὑπακούειν ταῖς ἐπιθυμίαις αὐτοῦ
પાઉલ દુષ્ટ ઇચ્છાઓ ધરાવતા એક વ્યક્તિની વાત કરે છે જાણે કે તે દુષ્ટ ઇચ્છાઓનો માલિક પાપ હોય. (જુઓ: વ્યક્તિનો અવતાર)
Romans 6:13
μηδὲ παριστάνετε τὰ μέλη ὑμῶν, ὅπλα ἀδικίας τῇ ἁμαρτίᾳ
આ ચિત્ર પાપીનું છે જે તેના માલિક અથવા રાજાને “તેના શરીરના ભાગો” અર્પણ કરે છે. કોઈકના “શરીરના ભાગો” એ સંપૂર્ણ વ્યક્તિ માટેનો રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: “તમે પોતાને પાપને અર્પણ કરશો નહિ કે જેથી તમે જે યોગ્ય નથી તે કરો” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)
ἀλλὰ παραστήσατε ἑαυτοὺς τῷ Θεῷ, ὡσεὶ ἐκ νεκρῶν ζῶντας
અહીં “હવે જીવંત” એ વિશ્વાસીના નવા આત્મિક જીવનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ તમે ઈશ્વરને અર્પણ કરો, કારણ કે તેમણે તમને નવું આત્મિક જીવન આપ્યું છે” અથવા “પરંતુ તમે ઈશ્વરને અર્પણ કરો, જેમ તે મૃત્યુ પામ્યા હતા અને હવે જીવંત છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
καὶ τὰ μέλη ὑμῶν, ὅπλα δικαιοσύνης τῷ Θεῷ
અહીં “તમારા શરીરના ભાગો” નો ઉલ્લેખ એ સંપૂર્ણ વ્યક્તિ માટેનો રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરને જે પ્રસન્ન કરે છે તે માટે તેમને તમારો ઉપયોગ કરવા દો” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)
Romans 6:14
ἁμαρτία…ὑμῶν οὐ κυριεύσει,
અહીં પાઉલ “પાપ” ની વાત કરે છે જેમ કે તે કોઈ રાજા હોય જે લોકો પર શાસન કરતો હોય. વૈકલ્પિક અનુવાદ: “તમે જે કરો છો તે પર પાપી ઇચ્છાઓને નિયંત્રણ કરવા ન દો” અથવા “તમે જે કરવા માંગો છો તે તમારી પોતાની જાતને પાપી બાબતો કરવા અનુમતિ ન આપો” (જુઓ: વ્યક્તિનો અવતાર)
οὐ γάρ ἐστε ὑπὸ νόμον
“નિયમ હેઠળ” હોવું મતલબ કે તેની મર્યાદાઓ અને નબળાઈઓને આધીન હોવું. તમે તમારા અનુવાદમાં સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “માટે તમે હવે મૂસાના નિયમથી બંધાયેલા નથી, જે તમને પાપ કરતાં રોકવાનું સામર્થ્ય આપી શકશે નહિ” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἀλλὰ ὑπὸ χάριν
“કૃપાને આધીન” હોવું મતલબ કે ઈશ્વરની મફત ભેટ પાપથી દૂર રહેવાનું સામર્થ્ય આપે છે. તમે તમારા અનુવાદમાં સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ તમે ઈશ્વરની કૃપાથી બંધાયેલ છો, જે તમને પાપ કરતાં રોકવાનું સામર્થ્ય આપે છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 6:15
τί οὖν? ἁμαρτήσωμεν ὅτι οὐκ ἐσμὲν ὑπὸ νόμον, ἀλλὰ ὑπὸ χάριν? μὴ γένοιτο
પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભાર મૂકવા માટે કરે છે કે કૃપાને આધીન જીવવું એ પાપ કરવાનું કારણ નથી. વૈકલ્પિક અનુવાદ: “જો કે, અમે મૂસાના નિયમને બદલે કૃપાથી બંધાયેલા છે માત્ર તે જ કારણથી અમને પાપ કરવાની અનુમતિ મળે છે તેમ નથી” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
μὴ γένοιτο
અમે ક્યારેય તે થાય એવું ન ઇચ્છીએ! અથવા “ઈશ્વર મને તે ન કરવામાં મદદ કરે!” આ અભિવ્યક્તિ ખૂબ જ મજબૂત ઇચ્છા બતાવે છે કે તે ન થાય. તમારી ભાષામાં સમાન અભિવ્યક્તિ હોઈ શકે છે જે તમે અહીં ઉપયોગ કરી શકો છો. તમે રોમન 3:31 કેવું અનુવાદ કર્યું છે તે જુઓ.
Romans 6:16
οὐκ οἴδατε, ὅτι ᾧ παριστάνετε ἑαυτοὺς δούλους εἰς ὑπακοήν, δοῦλοί ἐστε ᾧ ὑπακούετε
પાઉલ એક પ્રશ્નનો ઉપયોગ કોઈને ઠપકો આપવા માટે કરે છે જે વિચારે છે કે ઈશ્વરની કૃપા પાપ કર્યા કરવાનું એક કારણ છે. તમે તેનું એક મજબૂત નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમારે જાણી લેવું જોઈએ કે તમે જે માલિકનું પાલન કરવાનું પસંદ કરો છો તમે તેના દાસ છો!” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
ἤτοι ἁμαρτίας…ἢ ὑπακοῆς
અહીં પાઉલ “પાપ” અને “આજ્ઞાપાલન” ની વાત કરે છે જેમ કે તેઓ કોઈ માલિકો હોય કે જેનું પાલન દાસ કરશે. વૈકલ્પિક અનુવાદ: “ભલે તમે પાપના દાસ જેવા છો ... અથવા આજ્ઞાપાલનના દાસ જેવા છો” અથવા “તમે કાં તો પાપના દાસ છો ... અથવા તો તમે આજ્ઞાપાલનના દાસ છો” (જુઓ: વ્યક્તિનો અવતાર)
εἰς θάνατον…εἰς δικαιοσύνην
જે મૃત્યુમાં પરિણમે છે … જે ન્યાયીપણામાં પરિણમે છે
Romans 6:17
χάρις δὲ τῷ Θεῷ
પરંતુ હું ઈશ્વરનો આભાર માનું છું!
ὅτι ἦτε δοῦλοι τῆς ἁμαρτίας
પાપની ગુલામી એક રૂપક છે જેનો અર્થ થાય છે કે પાપ કરવાની એટલી તીવ્ર ઇચ્છા હોવી કે કોઈપણ પોતાને પાપ કરવાથી રોકી શકતા નથી. તે એવું છે જાણે પાપ તે વ્યક્તિ પર નિયંત્રણ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તમે પાપના દાસ જેવા હતાં” અથવા “તમે પાપના નિયંત્રણ હેઠળ હતાં” (જુઓ: રૂપક)
ὑπηκούσατε δὲ ἐκ καρδίας
અહીં “હ્રદય” શબ્દ કંઈક કરવા માટે નિષ્ઠાવાન અથવા પ્રામાણિક હેતુ હોવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ તમે ખરેખર પાલન કર્યું” (જુઓ: ઉપનામ)
εἰς ὃν παρεδόθητε τύπον διδαχῆς
અહીં “નમૂનો” એ જીવનશૈલીનો ઉલ્લેખ કરે છે જે ન્યાયીપણા તરફ દોરી જાય છે. વિશ્વાસીઓ તેમની જૂની જીવનશૈલી બદલીને ખ્રિસ્તી આગેવાનો તેઓને જે શીખવે છે તે નવી જીવનશૈલી સાથે મેળ કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ખ્રિસ્તી આગેવાનોએ તમને જે શિક્ષણ આપ્યું છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 6:18
ἐλευθερωθέντες δὲ ἀπὸ τῆς ἁμαρτίας
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ખ્રિસ્તે તમને પાપમાંથી મુક્ત કર્યા છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐλευθερωθέντες δὲ ἀπὸ τῆς ἁμαρτίας
અહીં “પાપમાંથી મુક્ત” એક રૂપક છે જે હવે પાપ કરવાની તીવ્ર ઇચ્છા ન હોવી અને પોતાની જાતને પાપ કરતાં રોકવા માટે સક્ષમ છે. વૈકલ્પિક અનુવાદ: “પાપ કરવાની તમારી તીવ્ર ઇચ્છાને દૂર કરવામાં આવી છે” અથવા “તમને તમારી ઉપર પાપના નિયંત્રણથી મુક્ત કરવામાં આવ્યા છે”
ἐδουλώθητε τῇ δικαιοσύνῃ
ન્યાયીપણાની ગુલામી એક રૂપક છે જેનો અર્થ થાય છે કે જે યોગ્ય છે તે કરવાની તીવ્ર ઇચ્છા હોવી. તે એવું છે જેમ કે વ્યક્તિ ન્યાયીપણાના નિયંત્રણ હેઠળ હોય. વૈકલ્પિક અનુવાદ: “તમે ન્યાયીપણાના દાસ જેવા બન્યા છો” અથવા “તમે હવે ન્યાયીપણાના નિયંત્રણ હેઠળ છો” (જુઓ: રૂપક)
ἐδουλώθητε τῇ δικαιοσύνῃ
આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “ખ્રિસ્તે તમને ન્યાયીપણાના દાસ બનાવ્યા છે” અથવા “ખ્રિસ્તે તમારું બદલાણ કર્યું છે જેથી હવે તમે ન્યાયીપણાના નિયંત્રણ હેઠળ છો”
Romans 6:19
ἀνθρώπινον λέγω
પાઉલે અપેક્ષા રાખી હશે કે તેના વાચકો આશ્ચર્ય પામશે કે કેમ તે દાસત્વ અને સ્વતંત્રતાની વાત કરે છે. અહીં તે કહી રહ્યો છે કે તે તેમના રોજિંદા અનુભવોના વિચારોમાંથી તેમને સમજવામાં મદદ કરે છે કે લોકો પાપ દ્વારા અથવા તો ન્યાયીપણા દ્વારા નિયંત્રણમાં હોય છે. વૈકલ્પિક અનુવાદ: “હું આ વિશે માનવ દ્રષ્ટિથી બોલું છું” અથવા “હું રોજિંદા જીવનનાં ઉદાહરણોનો ઉપયોગ કરું છું”
διὰ τὴν ἀσθένειαν τῆς σαρκὸς ὑμῶν
પાઉલ ઘણીવાર “આત્મા” નાં વિરુદ્ધાર્થી શબ્દ તરીકે “દેહ” નો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “કારણ કે તમે સંપૂર્ણ રીતે આત્મિક બાબતોને સમજતા નથી” (જુઓ: ઉપનામ)
παρεστήσατε τὰ μέλη ὑμῶν δοῦλα τῇ ἀκαθαρσίᾳ, καὶ τῇ ἀνομίᾳ
અહીં, “શરીરના ભાગો” સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પોતાની જાતને દરેક બાબત જે દુષ્ટ છે અને ઈશ્વરને પ્રસન્ન કરતી નથી તેના દાસ તરીકે અર્પણ કરી” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)
παραστήσατε τὰ μέλη ὑμῶν, δοῦλα τῇ δικαιοσύνῃ εἰς ἁγιασμόν
અહીં “શરીરના ભાગો” સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પોતાની જાતને ઈશ્વરની સમક્ષ જે યોગ્ય છે તેના દાસ તરીકે અર્પણ કરો કે જેથી તે તમને અલગ કરે અને તેમની સેવા કરવાનું સામર્થ્ય આપે” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)
Romans 6:20
ἐλεύθεροι ἦτε τῇ δικαιοσύνῃ
અહીં “ન્યાયીપણામાંથી મુક્ત” એ જે ન્યાયરૂપ છે તે ન કરવા માટેનું એક રૂપક છે. લોકો એવી રીતે જીવી રહ્યા હતા કે તેઓએ વિચાર્યું કે જે યોગ્ય હતું તે તેઓએ કરવું જોઈએ નહિ. વૈકલ્પિક અનુવાદ: “તે છતાં તમે ન્યાયીપણાથી મુક્ત હતાં” અથવા “તમે એવું વર્તન કર્યું કે જે યોગ્ય હતું તે તમારે કરવું જોઈતું નહોતું” અથવા (જુઓ: રૂપક અને વક્રોક્તિ /કટાક્ષવચન)
Romans 6:21
τίνα οὖν καρπὸν εἴχετε τότε, ἐφ’ οἷς νῦν ἐπαισχύνεσθε
ફળ અહીં “પરિણામ” અથવા “ઉકેલ” માટેનું રૂપક છે. પાઉલ એક પ્રશ્નના ઉપયોગથી ભાર મૂકે છે કે પાપ કરવાથી પરિણામ કોઈપણ રીતે સારું નથી આવતું. વૈકલ્પિક અનુવાદ: “જે હવે તમને શરમજનક બનાવે છે તે બાબતોમાંથી કંઈ સારું આવ્યું નથી” અથવા “જે હવે તમને શરમજનક બનાવે છે તે બાબતો કરવા દ્વારા તમે કંઈ મેળવી શક્યા નહિ” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Romans 6:22
νυνὶ δέ, ἐλευθερωθέντες ἀπὸ τῆς ἁμαρτίας, δουλωθέντες δὲ τῷ Θεῷ
આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ હવે તમે જ્યારે પાપમાંથી મુક્ત થયા છો અને ઈશ્વરના દાસો બન્યા છો” અથવા “પરંતુ હવે ઈશ્વરે તમને પાપમાંથી મુક્ત કર્યા છે અને તમને પોતાના દાસો બનાવ્યા છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
νυνὶ δέ, ἐλευθερωθέντες ἀπὸ τῆς ἁμαρτίας
“પાપમાંથી મુક્ત” એ પાપ ન કરવા માટે સમર્થ હોવાનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ હવે ઈશ્વરે તમને પાપ ન કરવા માટે સમર્થ બનાવ્યા છે” (જુઓ: રૂપક)
δουλωθέντες δὲ τῷ Θεῷ
ઈશ્વરના “દાસ” બનવું એ ઈશ્વરની સેવા અને પાલન કરવા સમર્થ બનવા માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: “અને ઈશ્વરે તમને તેમની સેવા કરવા માટે સમર્થ બનાવ્યા છે” (જુઓ: રૂપક)
ἔχετε τὸν καρπὸν ὑμῶν εἰς ἁγιασμόν
અહીં “ફળ” એ “પરિણામ” અથવા “હિત” માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: “તમારું પવિત્રકરણ એ ફાયદો છે” અથવા “તમે પવિત્ર રીતે જીવો તે ફાયદો છે” (જુઓ: રૂપક)
τὸ δὲ τέλος ζωὴν αἰώνιον
આ સર્વનું પરિણામ એ છે કે તમે હંમેશા માટે ઈશ્વર સાથે જીવશો
Romans 6:23
τὰ γὰρ ὀψώνια τῆς ἁμαρτίας θάνατος
“વેતન” શબ્દ કોઈને તેમના કાર્યને માટે કરેલ ચૂકવણીનો ઉલ્લેખ કરે છે. “માટે જો તમે પાપની સેવા કરો, તો તમારા વેતન તરીકે તમે આત્મિક મૃત્યુ પ્રાપ્ત કરશો” અથવા “માટે જો તમે પાપ કરવાનું ચાલુ રાખશો, તો ઈશ્વર તમને આત્મિક મૃત્યુની શિક્ષા કરશે”
τὸ δὲ χάρισμα τοῦ Θεοῦ ζωὴ αἰώνιος ἐν Χριστῷ Ἰησοῦ, τῷ Κυρίῳ ἡμῶν
પરંતુ જેઓ આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુના છે તેઓને ઈશ્વર અનંતજીવન આપે છે
Romans 7
રોમન 07 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
“અથવા શું તમને ખબર નથી”
પાછલા શિક્ષણ સાથે જે અનુસરે છે તેની સાથે જોડતા, પાઉલ આ શબ્દસમૂહનો ઉપયોગ નવા વિષય પર ચર્ચા કરવા માટે કરે છે.
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
""અમને નિયમમાંથી મુક્ત કરવામાં આવ્યા છે""
પાઉલ સમજાવે છે કે મૂસાનો નિયમ હવે અસરમાં નથી. જ્યારે આ સાચું છે, ત્યારે નિયમ પાછળના અનંત સિદ્ધાંતો ઈશ્વરના ચરિત્રને પ્રતિબિંબિત કરે છે.(જુઓ: નિયમ/કાયદો/કાનૂન, મુસાનો નિયમ, યહોવાનો નિયમ, ઈશ્વરનો નિયમ)
આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર
લગ્ન
શાસ્ત્ર સામાન્ય રીતે લગ્નને રૂપક તરીકે વાપરે છે. અહીં પાઉલ તેનો ઉપયોગ મંડળી કેવી રીતે મૂસાના નિયમ સાથે અને હવે ખ્રિસ્ત સાથે સંબંધિત છે તે વર્ણવવા માટે કરે છે. (જુઓ: રૂપક)
આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ
દેહ
આ એક જટિલ મુદ્દો છે.""દેહ"" સંભવત આપણા પાપી સ્વભાવ માટેનું એક રૂપક છે. પાઉલ એવું શીખવતો નથી કે આપણા શારીરિક શરીર પાપી છે. પાઉલ એવું શીખવતા દેખાય છે કે જ્યાં સુધી ખ્રિસ્તીઓ જીવંત છે (""દેહમાં""), આપણે પાપ કરવાનું ચાલુ રાખીશું. પરંતુ આપણો નવો સ્વભાવ આપણા જૂના સ્વભાવ વિરુદ્ધ લડતો રહેશે. (જુઓ: દેહ અને પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું)
Romans 7:1
પાઉલ સમજાવે છે કે નિયમ કેવી રીતે જેઓ નિયમ હેઠળ રહેવા માંગે છે તેઓને નિયંત્રિત કરે છે.
ἢ ἀγνοεῖτε, ἀδελφοί (γινώσκουσιν γὰρ νόμον λαλῶ), ὅτι ὁ νόμος κυριεύει τοῦ ἀνθρώπου ἐφ’ ὅσον χρόνον ζῇ?
પાઉલ ભાર મૂકવા માટે આ પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી તમે ચોક્કસપણે જાણો છો કે લોકો જીવીત હોય ત્યારે જ નિયમોનું પાલન કરે છે"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
ἀδελφοί
અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.
Romans 7:2
આ કલમ દ્વારા પાઉલનો અર્થ શું છે તેનું વર્ણન શરૂ થાય છે ""નિયમ વ્યક્તિને જીવ્યા સુધી નિયંત્રિત કરે છે"" (રોમનો 7: 1).
ἡ…ὕπανδρος γυνὴ τῷ…ἀνδρὶ δέδεται νόμῳ
અહીં લગ્નના નિયમ અનુસાર ""નિયમ દ્વારા પતિને બંધાયેલ"" એ સ્ત્રીનું તેના પતિ સાથે એકરૂપ થવા માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""નિયમ અનુસાર, પરિણીત સ્ત્રી પતિ સાથે એક થાય છે"" (જુઓ: રૂપક)
ἡ…ὕπανδρος γυνὴ
આ લગ્ન કરેલી કોઈપણ સ્ત્રીનો ઉલ્લેખ કરે છે.
Romans 7:3
“વ્યક્તિ જ્યાં સુધી જીવીત છે ત્યાં સુધી નિયમ તેનું નિયંત્રણ કરે છે” (રોમનો 7:1) તે અંગે પાઉલનો શો અર્થ છે તે વર્ણનને આ કલમ પૂર્ણ કરે છે.
μοιχαλὶς χρηματίσει
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેને વ્યભિચારિણી ગણશે"" અથવા ""લોકો તેને વ્યભિચારિણી કહેશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐλευθέρα ἐστὶν ἀπὸ τοῦ νόμου
અહીં નિયમમાંથી મુક્ત થવું એટલે કે નિયમનું પાલન ન કરવું. આ કિસ્સામાં, સ્ત્રીને તે નિયમનું પાલન કરવાની જરૂર નથી જે કહે છે કે પરિણીત સ્ત્રી બીજા પુરુષ સાથે લગ્ન કરી શકતી નથી. વૈકલ્પિક અનુવાદ: ""તેણીએ નિયમનું પાલન કરવાની જરૂર નથી
Romans 7:4
ὥστε, ἀδελφοί μου
આ રોમનો 7:1 સંબંધિત છે.
ἀδελφοί
અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.
καὶ ὑμεῖς ἐθανατώθητε τῷ νόμῳ διὰ τοῦ σώματος τοῦ Χριστοῦ
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તમે ખ્રિસ્ત દ્વારા વધસ્તંભ પર મૃત્યુ પામ્યા ત્યારે તમે પણ નિયમથી મૃત્યુ પામ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τῷ ἐκ νεκρῶν ἐγερθέντι
અહીં ઉઠાડવા એ ""ફરી સજીવન કરવા"" માટેનો રૂઢિપ્રયોગ છે. આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને કે જેઓ ફરીથી સજીવન થવાનું કારણ બન્યા હતા"" અથવા ""ઈશ્વરે જેમને મૃત્યુમાંથી જીવીત કર્યા” અથવા ""ઈશ્વરે જેમને ફરીથી સજીવન કર્યા"" (જુઓ: રૂઢિપ્રયોગ)
καρποφορήσωμεν τῷ Θεῷ
અહીં ""ફળ"" એ ઈશ્વરને પ્રસન્ન કરનારી ક્રિયાઓનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણે ઈશ્વરને પ્રસન્ન કરનારા કાર્યો કરવામાં સમર્થ હોઈશું"" (જુઓ: રૂપક)
Romans 7:5
εἰς τὸ καρποφορῆσαι τῷ θανάτῳ
અહીં ""ફળ"" એ ""કોઈની ક્રિયાઓના પરિણામ"" અથવા ""કોઈની ક્રિયાઓનું પરિણામ"" નું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""જે આત્મિક-મૃત્યુનું પરિણામ હતું"" અથવા ""જેનું પરિણામ આપણું પોતાનું આત્મિક મૃત્યુ હતું"" (જુઓ: રૂપક)
Romans 7:6
પાઉલ આપણને યાદ અપાવે છે કે ઈશ્વર આપણને નિયમ દ્વારા પવિત્ર બનાવતા નથી.
κατηργήθημεν ἀπὸ τοῦ νόμου
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે આપણને નિયમમાંથી મુક્ત કર્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
κατηργήθημεν
આ સર્વનામ પાઉલ અને વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)
ἐν ᾧ κατειχόμεθα
આ નિયમનો ઉલ્લેખ કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""નિયમ જેનાથી અમે બંધાયા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
γράμματος
આ મૂસાના નિયમનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મૂસાનો નિયમ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 7:7
τί οὖν ἐροῦμεν
પાઉલ એક નવો વિષય રજૂ કરી રહ્યો છે. (જુઓ: આલંકારિક પ્રશ્ન)
μὴ γένοιτο
અલબત્ત તે સાચું નથી! આ અભિવ્યક્તિ અગાઉના અલંકારિક પ્રશ્નનો સૌથી મજબૂત સંભવિત નકારાત્મક જવાબ આપે છે. તમે તમારી ભાષામાં સમાન અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકો છો કે જે તમે અહીં ઉપયોગ કરી શકો છો. તમે રોમન 9:14 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.
τὴν ἁμαρτίαν οὐκ ἔγνων, εἰ μὴ διὰ νόμου
પાઉલ પાપની વાત કરી રહ્યો છે જાણે કે તે કાર્ય કરી શકનાર વ્યક્તિ હોય. (જુઓ: વ્યક્તિનો અવતાર)
ἁμαρτία
મારી પાપ કરવાની ઇચ્છા
Romans 7:8
ἀφορμὴν δὲ λαβοῦσα ἡ ἁμαρτία διὰ τῆς ἐντολῆς, κατειργάσατο ἐν ἐμοὶ πᾶσαν ἐπιθυμίαν;
પાઉલ તે વ્યક્તિ સાથે પાપની સરખામણી કરવાનું ચાલુ રાખે છે જે કાર્ય કરી શકે છે. (જુઓ: વ્યક્તિનો અવતાર)
ἐπιθυμίαν
આ શબ્દ બીજાની માલિકીનું મારી પાસે હોવાની ઇચ્છા અને ખોટી જાતીય ઇચ્છા બંનેનો સમાવેશ કરે છે.
χωρὶς…νόμου, ἁμαρτία νεκρά
જો નિયમ ન હોત, તો નિયમ ભંગ થયો ન હોત, તેથી ત્યાં કોઈ પાપ ન હોત
Romans 7:9
ἡ ἁμαρτία ἀνέζησεν
આનો અર્થ છે કે 1) ""મને ભાન થયું કે હું પાપ કરતો હતો"" અથવા 2) ""મને પાપ કરવાની તીવ્ર ઇચ્છા હતી"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
Romans 7:10
εὑρέθη μοι ἡ ἐντολὴ, ἡ εἰς ζωὴν, αὕτη εἰς θάνατον.
પાઉલ ઈશ્વર નિંદાની વાત કરે છે જાણે કે તે મુખ્યત્વે શારીરિક મૃત્યુનું પરિણામ હોય. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે મને આજ્ઞા આપી હતી જેથી હું જીવીશ, પરંતુ તેના બદલે તેણે મને મારી નાખ્યો"" (જુઓ: રૂપક)
Romans 7:11
ἡ γὰρ ἁμαρτία ἀφορμὴν λαβοῦσα διὰ τῆς ἐντολῆς, ἐξηπάτησέν με καὶ δι’ αὐτῆς ἀπέκτεινεν
જેમ કે રોમનો 7:7-8 માં, પાઉલ પાપનું વ્યક્તિ તરીકે વર્ણન કરી રહ્યો છે જે 3 બાબતો કરી શકે છે: તક લેવી, છેતરવું અને મારવું. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે હું પાપ કરવા માંગતો હતો, તેથી મેં પોતાને એમ વિચારીને છેતર્યો કે હું એક જ સમયે પાપ અને આજ્ઞાપાલન કરી શકું છું, પરંતુ ઈશ્વરે મને તેમનાથી અલગ કરવા દ્વારા આજ્ઞાનો અનાદર કરવા બદલ શિક્ષા કરી"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
ἡ…ἁμαρτία
મારી પાપ કરવાની ઇચ્છા
ἀφορμὴν λαβοῦσα διὰ τῆς ἐντολῆς
પાઉલ તે વ્યક્તિ સાથે પાપની તુલના કરી રહ્યો છે જે કાર્ય કરી શકે છે. તમે રોમનો 7: 8 માં તેનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: વ્યક્તિનો અવતાર)
ἀπέκτεινεν
પાઉલ પાપીઓ પર ઈશ્વરની નિંદાની વાત કરે છે જાણે કે તે મુખ્યત્વે શારીરિક મૃત્યુમાં પરિણમે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે મને ઈશ્વરથી જુદો કર્યો"" (જુઓ: રૂપક)
Romans 7:12
ἅγιος
સંપૂર્ણ નૈતિક, પાપ વિના
Romans 7:13
પાઉલ તેના આંતરિક વ્યક્તિની અંદરના આંતરિક સ્વમાંના પાપ અને તેના મનની ઈશ્વરના નિયમથી પાપ અને સારા વચ્ચેના સંઘર્ષ વિશે વાત કરે છે.
οὖν
પાઉલ એક નવો વિષય રજૂ કરી રહ્યો છે.
τὸ…ἀγαθὸν ἐμοὶ ἐγένετο θάνατος
પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભાર મૂકવા માટે કરે છે. (જુઓ: આલંકારિક પ્રશ્ન)
τὸ…ἀγαθὸν
આ ઈશ્વરના નિયમનો ઉલ્લેખ કરે છે.
ἐμοὶ ἐγένετο θάνατος
મારા મૃત્યુનું કારણ
μὴ γένοιτο
આ અભિવ્યક્તિ અગાઉના અલંકારિક પ્રશ્નનો સૌથી મજબૂત શક્ય નકારાત્મક જવાબ આપે છે. તમે તમારી ભાષામાં સમાન અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકો છો જેનો તમે અહીં ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""અલબત્ત તે સાચું નથી"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
ἡ ἁμαρτία…μοι κατεργαζομένη θάνατον;
પાઉલ પાપને જોઈ રહ્યો છે જાણે કે તે કોઈ વ્યક્તિ હોય જે કાર્ય કરી શક્તિ હોય. (જુઓ: વ્યક્તિનો અવતાર)
μοι κατεργαζομένη θάνατον
મને ઈશ્વરથી જુદો કર્યો
διὰ τῆς ἐντολῆς
કારણ કે મેં આજ્ઞાનું પાલન કર્યું નહિ
Romans 7:15
પાઉલ તેના દેહ અને ઈશ્વરના નિયમ-પાપ અને સારા વચ્ચેના આંતરિક મનુષ્યની અંદરના સંઘર્ષ વિશે વાત કરે છે.
ὃ γὰρ κατεργάζομαι, οὐ γινώσκω
મને ખાતરી નથી કે હું જે કેટલીક બાબતો કરું છું તે શા માટે કરું છું
ὃ γὰρ κατεργάζομαι
કારણ કે હું જે કરું છું
οὐ…ὃ θέλω, τοῦτο πράσσω,
હું નથી કરતો"" તેવા શબ્દો એ પર ભાર મૂકવા માટે એક અતિશયોક્તિ છે કે પાઉલ અવારનવાર જે ઇચ્છે તે કરતો નથી અથવા જે તે ઘણીવાર કરવા માંગતો નથી તે એ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું હંમેશા જે કરવા માંગુ છું તે કરતો નથી"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)
ὃ μισῶ, τοῦτο ποιῶ.
આ શબ્દો ""હું કરું છું,"" જે સૂચવે છે કે તે હંમેશા જે કરવાનું કરે છે તે કરે છે, એ પર ભાર મૂકવાની અતિશયોક્તિ છે કે પાઉલ તે કરે છે જે તે ઘણી વાર કરવા માંગતો નથી. વૈકલ્પિક અનુવાદ: ""જે વસ્તુઓ હું જાણું છું તે સારી નથી તે વસ્તુઓ જ હું કેટલીકવાર કરું છું"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)
Romans 7:16
εἰ δὲ…ποιῶ
જો કે, જો હું કરું તો
σύνφημι τῷ νόμῳ
હું જાણું છું કે ઈશ્વરનો નિયમ સારો છે
Romans 7:17
ἡ ἐνοικοῦσα ἐν ἐμοὶ ἁμαρτία
પાઉલે પાપને એક જીવંત પ્રાણી તરીકે વર્ણવે છે જેમાં તેને પ્રભાવિત કરવાની શક્તિ છે. (જુઓ: વ્યક્તિનો અવતાર)
Romans 7:18
τῇ σαρκί μου
અહીં ""દેહ"" એ પાપી પ્રકૃતિનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""મારો પાપી સ્વભાવ"" (જુઓ: ઉપનામ)
Romans 7:19
ἀγαθόν
સારા કાર્યો અથવા ""સારી ક્રિયાઓ
κακὸν
ભૂંડા કાર્યો અથવા ""ભૂંડી ક્રિયાઓ
Romans 7:20
ἀλλὰ ἡ οἰκοῦσα ἐν ἐμοὶ ἁμαρτία
પાઉલ ""પાપ"" ની વાત કરે છે જાણે કે તે જીવંત હોય અને તેની અંદર રહે છે. (જુઓ: વ્યક્તિનો અવતાર)
Romans 7:21
ὅτι ἐμοὶ τὸ κακὸν παράκειται
પાઉલ અહીં ""દુષ્ટતા"" ની વાત કરે છે જાણે કે તે જીવંત છે અને તેની અંદર રહે છે. (જુઓ: વ્યક્તિનો અવતાર)
Romans 7:22
τὸν ἔσω ἄνθρωπον
વ્યક્તિ જે ખ્રિસ્તમાં ભરોસો કરે છે તે આ નવ-જાગૃત આત્મા છે. (જુઓ: રૂપક)
Romans 7:23
βλέπω δὲ ἕτερον νόμον ἐν τοῖς μέλεσίν μου, ἀντιστρατευόμενον τῷ νόμῳ τοῦ νοός μου, καὶ αἰχμαλωτίζοντά με
હું ફક્ત તે જ કરવા માટે સક્ષમ છું જે મારો જૂનો સ્વભાવ મને કરવા કહે છે, આત્મા મને જે નવી રીત બતાવે છે તે રીતે નથી જીવતો
νόμῳ
આ નવો આત્મિક જીવંત સ્વભાવ છે.
ἕτερον νόμον ἐν τοῖς μέλεσίν μου
આ જૂનો સ્વભાવ છે, જ્યારે લોકો જન્મ લે છે ત્યારે જે રીતે હોય છે.
τῷ νόμῳ τῆς ἁμαρτίας, τῷ ὄντι ἐν τοῖς μέλεσίν μου
મારો પાપી સ્વભાવ
Romans 7:24
τίς με ῥύσεται ἐκ τοῦ σώματος τοῦ θανάτου τούτου
પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ મહાન ભાવના વ્યક્ત કરવા માટે કરે છે. જો તમારી ભાષામાં કોઈ ઉદ્દગારવાચક અથવા પ્રશ્ન દ્વારા મહાન લાગણી દર્શાવવાની રીત હોય, તો અહીં તેનો ઉપયોગ કરો. વૈકલ્પિક અનુવાદ: ""હું ઇચ્છું છું કે કોઈ મારું શરીર જે ઇચ્છે છે તેના નિયંત્રણથી મને મુક્ત કરે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
με ῥύσεται
મને બચાવો
τοῦ σώματος τοῦ θανάτου τούτου
આ એક રૂપક છે જેનો અર્થ છે કે શરીર જે શારીરિક મૃત્યુનો અનુભવ કરશે. (જુઓ: રૂપક)
Romans 7:25
χάρις τῷ Θεῷ διὰ Ἰησοῦ Χριστοῦ τοῦ Κυρίου ἡμῶν
7:24 માંના પ્રશ્નનો આ જવાબ છે.
ἄρα οὖν αὐτὸς ἐγὼ, τῷ μὲν νοῒ δουλεύω νόμῳ Θεοῦ; τῇ δὲ σαρκὶ, νόμῳ ἁμαρτίας
મન અને દેહનો ઉપયોગ અહીં બતાવવા માટે કરવામાં આવે છે કે તેઓ ઈશ્વરના નિયમ અથવા પાપના સિદ્ધાંતને કેવી રીતે સરખાવી શકે છે. મન અથવા બુદ્ધિથી કોઈ ઈશ્વરને પ્રસન્ન કરવા અને તેનું પાલન કરવાનું પસંદ કરી શકે છે અને પાપની સેવા કરવા માટે માંસ અથવા ભૌતિક પ્રકૃતિથી. વૈકલ્પિક અનુવાદ: ""મારું મન ઈશ્વરને પ્રસન્ન કરવાનું પસંદ કરે છે, પરંતુ મારો દેહ પાપનું પાલન કરવાનું પસંદ કરે છે"" (જુઓ: રૂપક)
Romans 8
રોમનો 08 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
આ અધ્યાયની પહેલી કલમ સંક્રામક વાક્ય છે. પાઉલ 7 માં અધ્યાયનું તેમનું શિક્ષણ પૂર્ણ કરે છે અને અધ્યાય 8 ના શબ્દો તરફ દોરી જાય છે.
કેટલાક અનુવાદ એ કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણની સરખામણીએ તેને વધુ જમણી બાજુએ સુયોજિત કરે છે છે જેથી તેને વાંચવું સરળ બને. યુએલટી આ પ્રમાણે કલમ 36 સાથે કરે છે. પાઉલ જૂના કરારના આ શબ્દો ટાંકે છે.
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
આત્માનું નિવાસસ્થાન
પવિત્રઆત્મા કોઈ વ્યક્તિની અંદર અથવા તેના હૃદયની અંદર રહે છે તેવું કહેવામાં આવે છે. જો આત્મા હાજર હોય, તો એ સૂચવે છે કે વ્યક્તિ તારણ પામેલ છે. (જુઓ: બચાવવું, બચાવ્યા, સલામત, તારણ)
""આ ઈશ્વરના પુત્રો છે""
ઈસુ એક અનોખી રીતે ઈશ્વરના પુત્ર છે. ઈશ્વર પણ ખ્રિસ્તીઓને તેમના સંતાનો બનાવવા ગ્રહણ કરે છે. (જુઓ: ઈશ્વરનો દીકરો, દીકરો અને દત્તક લેવું, દત્તક, દત્તક લીધેલ)
પૂર્વનિર્ધારણ
ઘણા વિદ્વાનો માને છે કે આ અધ્યાયમાં પાઉલ ""પૂર્વનિર્ધારણ"" તરીકે ઓળખાતા વિષય પર શીખવે છે. આ ""પૂર્વનિર્ધારિત"" ના બાઈબલના ખ્યાલ સાથે સંબંધિત છે. કેટલાક આ સૂચવે છે કે ઈશ્વરે, જગતનાં પાયા નાખ્યા અગાઉ, કેટલાંકને અનંતકાળ માટે બચાવવા માટે પસંદ કર્યા છે. આ વિષય પર બાઈબલ જે શીખવે છે તેના વિશે ખ્રિસ્તીઓના જુદા જુદા મતો છે. તેથી અનુવાદકોએ આ અધ્યાયનું અનુવાદ કરતી વખતે વિશેષ કાળજી લેવાની જરૂર છે, ખાસ કરીને કારણભૂત તત્વોના ઉલ્લેખમાં. (જુઓ: પૂર્વનિર્ધાર કરવો, પૂર્વનિર્ધારિત અને બચાવવું, બચાવ્યા, સલામત, તારણ)
આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર
રૂપક
પાઉલ તેમના શિક્ષણને વિસ્તૃત રૂપકના રૂપમાં 38 અને 39 ની કલમોમાં કાવ્યાત્મક રીતે રજૂ કરે છે. તે સમજાવે છે કે ઈશ્વરનો પ્રેમ જે ઈસુમાં છે તેનાથી વ્યક્તિને કશું જ અલગ કરી શકતું નથી. (જુઓ: રૂપક)
આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ
નિંદા નહિ
સૈદ્ધાંતિક મૂંઝવણ ટાળવા માટે આ શબ્દસમૂહનો કાળજીપૂર્વક અનુવાદ કરવો આવશ્યક છે. લોકો હજી પણ તેમના પાપ માટે દોષી છે. ઈસુમાં વિશ્વાસ કર્યા પછી પણ ઈશ્વર પાપમય રીતે વર્તવાનું નામંજૂર કરે છે. ઈશ્વર હજી પણ વિશ્વાસીઓના પાપોની શિક્ષા કરે છે, પરંતુ ઈસુએ તેમના પાપની શિક્ષા ચૂકવી છે. પાઉલ અહીં આ જ વ્યક્ત કરે છે. ""નિંદા"" શબ્દના અનેક શક્ય અર્થો આ પ્રમાણે છે છે. અહીં પાઉલ ભાર મૂકે છે કે જે લોકો ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને હવે ""નર્કના દોષી” કરીને તેમના પાપની અનંતકાળની શિક્ષા આપવામાં આવશે નહિ. (જુઓ: અપરાધ, (દોષ), દોષિત અને વિશ્વાસ/શ્રદ્ધા અને દોષિત, દંડ પામે છે, દોષિત ઠરાવેલું, દંડાજ્ઞા)
દેહ
આ એક જટિલ સમસ્યા છે. ""દેહ"" સંભવત આપણા પાપી સ્વભાવ માટેનું એક રૂપક છે. પાઉલ એવું શીખવતો નથી કે આપણા દૈહિક શરીરો પાપી છે. પાઉલ એવું શીખવતા દેખાય છે કે જ્યાં સુધી ખ્રિસ્તીઓ જીવંત છે (""દેહમાં""), ત્યાં સુધી આપણે પાપ કરવાનું ચાલુ રાખીશું. પરંતુ આપણો નવો સ્વભાવ આપણા જૂના સ્વભાવ સામે લડશે. (જુઓ: દેહ)
Romans 8:1
પાઉલ પાપ અને ભલાઈથી કરેલા સંઘર્ષનો જવાબ આપે છે.
οὐδὲν ἄρα νῦν κατάκριμα τοῖς ἐν Χριστῷ Ἰησοῦ
અહીં ""નિંદા"" એ લોકોને શિક્ષા કરવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ ખ્રિસ્ત ઈસુમાં જોડાયા છે ઈશ્વર તેમને દોષી ઠરાવશે નહિ અને શિક્ષા કરશે નહિ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἄρα
તે કારણસર અથવા ""કારણ કે જે મેં હમણાં તમને કહ્યું છે તે સાચું છે
Romans 8:2
ὁ…νόμος τοῦ Πνεύματος τῆς ζωῆς ἐν Χριστῷ Ἰησοῦ
આ ઈશ્વરના આત્માનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરનો આત્મા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἠλευθέρωσέν σε ἀπὸ τοῦ νόμου τῆς ἁμαρτίας καὶ τοῦ θανάτου
પાપ અને મૃત્યુના નિયમથી મુક્ત થવું એ પાપ અને મૃત્યુના નિયમ દ્વારા નિયંત્રણમાં ન આવવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""પાપ અને મૃત્યુના નિયમ હવે તમારા પર નિયંત્રણ કરશે નહિ"" (જુઓ: રૂપક)
τοῦ νόμου τῆς ἁμαρτίας καὶ τοῦ θανάτου
તે જેનો ઉલ્લેખ કરે છે તેના શક્ય અર્થો આ પ્રમાણે છે આ પ્રમાણે છે 1) નિયમ, જે લોકોને પાપ કરવા માટે ઉશ્કેરે છે, અને તેમનું પાપ તેઓના મૃત્યુનું કારણ બને છે. વૈકલ્પિક અનુવાદ: ""નિયમ કે જે પાપ અને મૃત્યુનું કારણ બને છે"" અથવા 2) સિદ્ધાંત કે લોકો પાપ કરે છે અને મૃત્યુ પામે છે.
Romans 8:3
τὸ γὰρ ἀδύνατον τοῦ νόμου, ἐν ᾧ ἠσθένει διὰ τῆς σαρκός, ὁ Θεὸς
અહીં નિયમને એક એવી વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવ્યો છે જે પાપની શક્તિને તોડી શકતો નથી. વૈકલ્પિક અનુવાદ: ""નિયમમાં અમને પાપ કરતા અટકાવવાની શક્તિ ન હતી, કારણ કે આપણી અંદર પાપની શક્તિ ખૂબ પ્રબળ હતી. પરંતુ, ઈશ્વરે અમને પાપ કરતા રોક્યા"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
διὰ τῆς σαρκός
લોકોના પાપી સ્વભાવને કારણે
τὸν ἑαυτοῦ Υἱὸν πέμψας, ἐν ὁμοιώματι σαρκὸς ἁμαρτίας, καὶ περὶ ἁμαρτίας, κατέκρινε τὴν ἁμαρτίαν
ઈશ્વરના દીકરાએ પાપ માટે અનંત બલિદાન તરીકે પોતાનું શરીર અને માનવ જીવન આપીને આપણા પાપ સામે ઈશ્વરના પવિત્ર ક્રોધને કાયમ સંતોષ્યો.
Υἱὸν
ઈશ્વરના પુત્ર, ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
ἐν ὁμοιώματι σαρκὸς ἁμαρτίας
જે બીજા કોઈ પાપી માનવ જેવો દેખાતા હતા
καὶ περὶ ἁμαρτίας
જેથી તે આપણા પાપો માટે બલિદાન તરીકે મૃત્યુ પાણી શકે
κατέκρινε τὴν ἁμαρτίαν ἐν τῇ σαρκί
ઈશ્વરે તેમના પુત્રના શરીર દ્વારા પાપના સામર્થ્યને તોડ્યું
Romans 8:4
τὸ δικαίωμα τοῦ νόμου πληρωθῇ ἐν ἡμῖν
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""અમે નિયમની જરૂરિયાતને પૂર્ણ કરી શકીશું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τοῖς μὴ κατὰ σάρκα περιπατοῦσιν
કોઈ વ્યક્તિ પોતાનું જીવન કેવી રીતે જીવે છે તે માટે એક માર્ગ પર ચાલવું એ એક રૂપક છે. દેહ પાપી માનવ પ્રકૃતિ માટેનો એક રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""અપણે જે આપણી પાપી ઇચ્છાઓને આધીન થતાં નથી"" (જુઓ: રૂપક અથવા રૂઢિપ્રયોગ)
ἀλλὰ κατὰ Πνεῦμα
પરંતુ જેઓ પવિત્ર આત્માનું પાલન કરે છે
Romans 8:6
પાઉલે આપણી પાસે જે આત્મા છે તેની સાથે દેહનો વિરોધાભાસ ચાલુ રાખ્યો છે.
τὸ…φρόνημα τῆς σαρκὸς…τὸ δὲ φρόνημα τοῦ Πνεύματος
અહીં પાઉલ ""દેહ"" અને ""આત્મા"" બંનેની વાત કરે છે જાણે કે તે જીવંત વ્યક્તિઓ છે. વૈકલ્પિક અનુવાદ: ""પાપી લોકો જે રીતે વિચારે છે ... પવિત્ર આત્માને સાંભળનારા લોકો જે રીતે વિચારે છે"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
θάνατος
અહીં આનો અર્થ એ છે કે વ્યક્તિને ઈશ્વરથી જુદા પાડવું.
Romans 8:8
οἱ…ἐν σαρκὶ ὄντες
આ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ તેમના પાપી સ્વભાવ તેમને જે કરવા કહે છે તે કરે છે.
Romans 8:9
ἐν σαρκὶ
તમારા પાપી સ્વભાવો અનુસાર કામ. રોમનો 8: 5 માં ""દેહ"" નું અનુવાદ કેવી રીતે થયું તે જુઓ.
ἐν Πνεύματι
પવિત્ર આત્મા અનુસાર કાર્ય
Πνεύματι,…Πνεῦμα Θεοῦ…Πνεῦμα Χριστοῦ
આ સર્વ પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે.
εἴπερ
આ વાક્યનો અર્થ એ નથી કે પાઉલને સંદેહ છે કે તેમાંના કેટલાકમાં ઈશ્વરનો આત્મા છે. પાઉલ ઇચ્છે છે કે તેઓને ખ્યાલ આવે કે તેઓ સર્વ પાસે ઈશ્વરનો આત્મા છે. વૈકલ્પિક અનુવાદ: ""ત્યારથી"" અથવા ""કારણ કે
Romans 8:10
εἰ…Χριστὸς ἐν ὑμῖν
ખ્રિસ્ત વ્યક્તિમાં કેવી રીતે રહે છે તે સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો ખ્રિસ્ત પવિત્ર આત્મા દ્વારા તમારામાં રહે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
τὸ μὲν σῶμα νεκρὸν διὰ ἁμαρτίαν
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) કોઈ વ્યક્તિ પાપની શક્તિથી આત્મિક રીતે મૃત્યુ પામ્યો અથવા 2) ભૌતિક શરીર પાપને કારણે મૃત્યુ પામશે. (જુઓ: રૂઢિપ્રયોગ)
τὸ…Πνεῦμα ζωὴ διὰ δικαιοσύνην
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) એક વ્યક્તિ આત્મિક રીતે જીવંત છે કારણ કે ઈશ્વર તેને યોગ્ય છે તે કરવાની શક્તિ આપી છે અથવા 2) ઈશ્વર વ્યક્તિને તેના મૃત્યુ પછી જીવંત કરશે કારણ કે ઈશ્વર ન્યાયી છે અને વિશ્વાસીઓને અનંત જીવન આપે છે. (જુઓ: રૂઢિપ્રયોગ)
Romans 8:11
εἰ δὲ τὸ Πνεῦμα τοῦ ἐγείραντος τὸν Ἰησοῦν ἐκ νεκρῶν οἰκεῖ ἐν ὑμῖν, ὁ ἐγείρας ἐκ νεκρῶν Χριστὸν Ἰησοῦν ζῳοποιήσει καὶ τὰ θνητὰ σώματα ὑμῶν, διὰ τοῦ ἐνοικοῦντος αὐτοῦ Πνεῦμα ἐν ὑμῖν.
પાઉલ ધારે છે કે પવિત્ર આત્મા તેના વાચકોમાં રહે છે. વૈકલ્પિક અનુવાદ: ""આત્મા હોવાથી ... તમારામાં રહે છે
τοῦ ἐγείραντος
ઈશ્વર, જેમણે ઉઠાડ્યા
ἐγείραντος τὸν Ἰησοῦν
અહીં ઉઠાડવા એ મૃત્યુ પામનાર વ્યક્તિને ફરીથી જીવંત બનાવવાનો રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુને ફરીથી જીવંત કર્યા"" (જુઓ: રૂઢિપ્રયોગ)
τὰ θνητὰ σώματα
દૈહિક શરીરો અથવા ""શરીરો, જે કોઈ દિવસ મૃત્યુ પામશે
Romans 8:12
ἄρα οὖν
કારણ કે મેં તમને જે કહ્યું છે તે સાચું છે
ἀδελφοί
અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.
ὀφειλέται ἐσμέν
પાઉલ આજ્ઞાપાલનની વાત કરી રહ્યો છે જાણે કે તે દેવું પાછું ચૂકવી રહ્યું હોય. વૈકલ્પિક અનુવાદ: ""આપણે પાલન કરવાની જરૂર છે"" (જુઓ: રૂપક)
οὐ τῇ σαρκὶ, τοῦ κατὰ σάρκα ζῆν
ફરીથી પાઉલ આજ્ઞાપાલનની વાત કરે છે જાણે કે તે દેવું ચૂકવતું હોય. તમે ગર્ભિત શબ્દ ""દેવાદારો"" શામેલ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ આપણે દેહના દેવાદાર નથી અને આપણી પાપી ઇચ્છાઓનું પાલન કરવાની જરૂર નથી"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ) અને રૂપક)
Romans 8:13
εἰ γὰρ κατὰ σάρκα ζῆτε
કારણ કે જો તમે ફક્ત તમારી પાપી ઇચ્છાઓને પ્રસન્ન કરવા માટે જીવો છો
μέλλετε ἀποθνῄσκειν
તમે ખરેખર ઈશ્વરથી જુદા થઈ જશો
εἰ δὲ Πνεύματι τὰς πράξεις τοῦ σώματος θανατοῦτε
પાઉલ ખ્રિસ્ત સાથે વધસ્તંભે જડાયેલા ""વૃદ્ધ માણસ"" ની વાત કરે છે, જે વ્યક્તિ તેની પાપી ઇચ્છાઓ માટે જવાબદાર છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ જો પવિત્ર આત્માની શક્તિથી તમે તમારી પાપી ઇચ્છાઓનું પાલન કરવાનું બંધ કરો"" (જુઓ: રૂપક)
Romans 8:14
ὅσοι γὰρ Πνεύματι Θεοῦ ἄγονται
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તે સર્વ લોકો માટે કે જેમની પાસે ઈશ્વરનો આત્મા આવે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
υἱοί Θεοῦ
અહીં આનો અર્થ છે ઈસુમાંના સર્વ વિશ્વાસીઓ અને ઘણીવાર ""ઈશ્વરના બાળકો"" તરીકે અનુવાદ કરવામાં આવે છે.
Romans 8:15
ἐν ᾧ κράζομεν
જે આપણને રડવાનું કારણ આપે છે
Ἀββά, ὁ Πατήρ
અબ્બા અરામીક ભાષામાં ""બાપ"" છે. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ અને નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
Romans 8:17
κληρονόμοι μὲν Θεοῦ
પાઉલ ખ્રિસ્તી વિશ્વાસીઓની વાત કરે છે જાણે કે તેઓ કુટુંબના સભ્ય પાસેથી સંપત્તિ અને મિલકતનો વારસો મેળવવાના હોય. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે પણ આપણને જે વચન આપ્યું છે તે આપણે એક દિવસ પ્રાપ્ત કરીશું"" (જુઓ: રૂપક)
συνκληρονόμοι…Χριστοῦ
પાઉલ ખ્રિસ્તી વિશ્વાસીઓની વાત કરે છે જાણે કે તેઓ કુટુંબના સભ્ય પાસેથી સંપત્તિ અને સંપત્તિનો વારસો મેળવશે. ઈશ્વર ખ્રિસ્તને જે આપે છે તે આપણને આપશે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે આપણને અને ખ્રિસ્તને જે વચન આપ્યું છે તે સાથે મળીને પ્રાપ્ત કરીશું"" (જુઓ: રૂપક)
ἵνα καὶ συνδοξασθῶμεν
ઈશ્વર જ્યારે તેઓ ખ્રિસ્તનું સન્માન કરશે ત્યારે ખ્રિસ્તી વિશ્વાસીઓનું સન્માન કરશે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કે ઈશ્વર તેમની સાથે અમારો મહિમા કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 8:18
પાઉલ આપણને વિશ્વાસીઓ તરીકે યાદ અપાવે છે કે આપણા શરીરના ઉદ્ધાર સમયે આપણા શરીર બદલાશે જે આ ભાગમાં રોમનો 8:25 માં સમાપ્ત થાય છે.
γὰρ
તે ""હું ધ્યાનમાં લઈશ"" એ પર ભાર મૂકે છે. તેનો અર્થ ""કારણ કે"" નથી.
λογίζομαι…ὅτι οὐκ ἄξια τὰ παθήματα τοῦ νῦν καιροῦ, πρὸς
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""હું આ વર્તમાન સમયના વેદનાની તુલના કરી શકતો નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἀποκαλυφθῆναι
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર પ્રગટ કરશે"" અથવા ""ઈશ્વર જણાવે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 8:19
ἡ…ἀποκαραδοκία τῆς κτίσεως, τὴν…ἀπεκδέχεται
પાઉલે ઈશ્વરે બનાવેલી દરેક વસ્તુનું વર્ણન એક વ્યક્તિ કે જે કશાની આતુરતાથી રાહ જુએ છે એ રીતે વર્ણન કરે છે. (જુઓ: વ્યક્તિનો અવતાર)
τὴν ἀποκάλυψιν τῶν υἱῶν τοῦ Θεοῦ
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તે સમય માટે જ્યારે ઈશ્વર તેમના બાળકોને જાહેર કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
υἱῶν τοῦ Θεοῦ
અહીં આનો અર્થ છે ઈસુમાંના સર્વ વિશ્વાસીઓ. તમે આનું અનુવાદ “ઈશ્વરનાં બાળકો"" તરીકે પણ કરી શકો છો.
Romans 8:20
τῇ γὰρ ματαιότητι, ἡ κτίσις ὑπετάγη
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે જે સર્જન કર્યું હતું તેને તેમણે જે ઇરાદો રાખ્યો હતો તે પ્રાપ્ત કરવા અસમર્થ બનાવ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
οὐχ ἑκοῦσα, ἀλλὰ διὰ τὸν ὑποτάξαντα
અહીં પાઉલ ""સર્જન"" નું વર્ણન તે વ્યક્તિ તરીકે કરે છે જે ઇચ્છા કરી શકે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે આ બનાવેલી વસ્તુઓ ઇચ્છતી નથી, પરંતુ કારણ કે તે ઈશ્વર ઇચ્છે છે"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
Romans 8:21
αὐτὴ ἡ κτίσις ἐλευθερωθήσεται
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર સૃષ્ટિને બચાવશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἀπὸ τῆς δουλείας τῆς φθορᾶς
નાશ થવાના દાસત્વમાં રહેવું એ નાશ થવાના નિશ્ચિત હોવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""દાસની જેમ નાશ થવું"" (જુઓ: રૂપક)
εἰς τὴν ἐλευθερίαν τῆς δόξης τῶν τέκνων τοῦ Θεοῦ
અહીંની સ્વતંત્રતા નાશ થવાની દાસત્વની વિરુદ્ધ છે. તે એક રૂપક છે જેનો અર્થ એ છે કે સૃષ્ટિ નાશ થતી નથી. વૈકલ્પિક અનુવાદ: ""કે તે ઈશ્વરના બાળકોની જેમ મહિમાથી નાશથી મુક્ત થઈ જશે"" (જુઓ: રૂપક)
Romans 8:22
οἴδαμεν γὰρ ὅτι πᾶσα ἡ κτίσις συνστενάζει καὶ συνωδίνει ἄχρι τοῦ νῦν
સર્જનની તુલના બાળકને જન્મ આપતી વખતે કરનારી સ્ત્રી સાથે કરવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણે જાણીએ છીએ કે ઈશ્વરે સર્જન કરેલી દરેક વસ્તુ મુક્ત થવા માંગે છે અને બાળકને જન્મ આપતી સ્ત્રીની જેમ તે નિસાસો નાખે છે"" (જુઓ: રૂપક)
Romans 8:23
υἱοθεσίαν ἀπεκδεχόμενοι, τὴν ἀπολύτρωσιν τοῦ σώματος ἡμῶν
અહીં ""આપણને દત્તક લેવાનો” અર્થ છે જ્યારે આપણે દત્તક લીધેલા બાળકોની જેમ ઈશ્વરના પરિવારના સંપૂર્ણ સભ્યો બનીએ. શબ્દ ""છૂટકારા"" નો અર્થ થાય છે કે જ્યારે ઈશ્વર આપણને બચાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે આપણે સંપૂર્ણ રીતે ઈશ્વરના પરિવારના સભ્યો બનીશું તેની રાહ જોવી અને તે આપણા શરીરને નાશ અને મૃત્યુથી બચાવે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને રૂપક)
Romans 8:24
τῇ γὰρ ἐλπίδι ἐσώθημεν
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે આપણને બચાવ્યા કારણ કે આપણે તેની આશા રાખી હતી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐλπὶς δὲ βλεπομένη, οὐκ ἔστιν ἐλπίς; ὃ γὰρ βλέπει τις, ἐλπίζει
પાઉલ એક પ્રશ્નનો ઉપયોગ તેના પ્રેક્ષકોને ""આશા"" શું છે તે સમજવામાં મદદ કરવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ જો આપણે આત્મવિશ્વાસથી પ્રતીક્ષા કરીએ છીએ, તો તેનો અર્થ એ કે આપણી પાસે જે જોઈએ છે તે હજી સુધી નથી. કોઈ પણ આત્મવિશ્વાસથી રાહ જોઈ શકે નહિ, જો તેને જે જોઈએ છે તે તેની પાસે પહેલેથી જ છે"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Romans 8:26
જોકે પાઉલ ભારપૂર્વક કહ્યું છે કે દેહ અને આત્મા વચ્ચેના વિશ્વાસીઓમાં સંઘર્ષ છે, તે પુષ્ટિ આપે છે કે આત્મા આપણને સહાય કરે છે.
στεναγμοῖς ἀλαλήτοις
નિસાસો જે આપણે શબ્દોમાં વ્યક્ત કરી શકીએ નહિ
Romans 8:27
ὁ…ἐραυνῶν τὰς καρδίας
અહીં ""તે"" ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. અહીં ""હૃદયો"" એ વ્યક્તિના વિચારો અને ભાવનાઓ માટેનું એક ઉપનામ છે. ""હૃદયોની શોધ કરે છે"" આ વાક્ય એ વિચારો અને ભાવનાઓની તપાસ માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર, જે આપણા સર્વ વિચારો અને ભાવનાઓને જાણે છે"" (જુઓ: ઉપનામ અને રૂપક)
Romans 8:28
પાઉલ વિશ્વાસીઓને યાદ અપાવે છે કે ઈશ્વરના પ્રેમથી તેમને કંઈપણ અલગ કરી શકશે નહિ.
τοῖς…κλητοῖς οὖσιν
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે જેને પસંદ કર્યા છે તેમના માટે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 8:29
οὓς προέγνω
જેઓને તેમણે રચના કરી તે પહેલાથી તેમને ઓળખતા હતા
καὶ προώρισεν
તેમણે ઠરાવ્યું પણ હતું અથવા ""તેમણે અગાઉથી યોજના પણ બનાવી હતી
συμμόρφους τῆς εἰκόνος τοῦ Υἱοῦ αὐτοῦ
ઈશ્વરે સૃષ્ટિની શરૂઆત પહેલાથી જ યોજના બનાવી હતી કે જેઓ ઈસુ, ઈશ્વરના પુત્રમાં વિશ્વાસ કરે છે, તેઓ ઈસુ જેવા વ્યક્તિઓ તરીકે વૃદ્ધિ પામે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કે તેઓ તેમના પુત્ર જેવા બનશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Υἱοῦ
ઈશ્વરનો પુત્ર, ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
εἰς τὸ εἶναι αὐτὸν πρωτότοκον
જેથી તેનો પુત્ર પ્રથમજનિત પુત્ર હશે
ἐν πολλοῖς ἀδελφοῖς
અહીં ""ભાઈઓ"" એ સર્વ વિશ્વાસીઓ, પુરુષ અને સ્ત્રી એમ બંનેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘણા ભાઈઓ અને બહેનોમાં જે ઈશ્વરના પરિવાર સાથે જોડાયેલા છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 8:30
οὓς…προώρισεν
જેમના માટે ઈશ્વર અગાઉથી યોજનાઓ બનાવે છે
τούτους καὶ ἐδικαίωσεν
અહીં ""ન્યાયી ઠરાવવા"" એ ભૂતકાળમાં છે જે ભાર મૂકે છે કે આ ચોક્કસપણે થશે. વૈકલ્પિક અનુવાદ: ""આ તેણે પોતાની જાત સાથે પણ મૂક્યું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
τούτους καὶ ἐδόξασεν
મહિમાવંત"" શબ્દ એ ભૂતકાળમાં છે જે ભાર મૂકે છે કે આ ચોક્કસપણે થશે. વૈકલ્પિક અનુવાદ: ""તે પણ આ મહિમા કરશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 8:31
τί οὖν ἐροῦμεν πρὸς ταῦτα? εἰ ὁ Θεὸς ὑπὲρ ἡμῶν, τίς καθ’ ἡμῶν
પાઉલ જે તેણે અગાઉ કહ્યું તેના મુખ્ય મુદ્દા પર ભાર મૂકવા માટે પ્રશ્નોનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ સર્વમાંથી આપણે આ જાણવું જોઈએ: ઈશ્વર આપણને મદદ કરી રહ્યા છે, તેથી કોઈ આપણને હરાવી શકે નહિ"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Romans 8:32
ὅς γε τοῦ ἰδίου Υἱοῦ οὐκ ἐφείσατο
ઈશ્વર પિતાએ ઈશ્વરના પુત્ર, ઈસુ ખ્રિસ્તને, માનવતાના પાપ સામે ઈશ્વરના અનંત, પવિત્ર સ્વભાવને સંતોષવા માટે જરૂરી પવિત્ર અનંત બલિદાન તરીકે વધસ્તંભ પર મોકલ્યા. અહીં ""પુત્ર"" એ ઈસુ, ઈશ્વરના પુત્ર માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
ἀλλὰ…παρέδωκεν αὐτόν
પરંતુ તેને તેના દુશ્મનોના નિયંત્રણમાં રાખો
πῶς οὐχὶ καὶ σὺν αὐτῷ, τὰ πάντα ἡμῖν χαρίσεται
પાઉલ ભાર માટે એક પ્રશ્નનો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""તે ચોક્કસપણે અને મુક્તપણે આપણને બધી વસ્તુઓ આપશે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
τὰ πάντα ἡμῖν χαρίσεται
કૃપા કરીને અમને બધી વસ્તુઓ આપો
Romans 8:33
τίς ἐγκαλέσει κατὰ ἐκλεκτῶν Θεοῦ? Θεὸς ὁ δικαιῶν
પાઉલ ભાર માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર સમક્ષ કોઈ આપણા પર દોષારોપણ કરી શકતું નથી કારણ કે તે જ છે જેણે આપણને તેમની સાથે યોગ્ય ઠરાવ્યા છે” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Romans 8:34
τίς ὁ κατακρινῶν
પાઉલ ભાર મૂકવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેને કોઈ જવાબની અપેક્ષા નથી. વૈકલ્પિક અનુવાદ: ""આપણા પર કોઈ દોષ મૂકશે નહિ!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
ὅς, καί ἐστιν ἐν δεξιᾷ τοῦ Θεοῦ
ઈશ્વરના જમણા હાથે"" રહેવું એ ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાની એક પ્રતીકાત્મક ક્રિયા છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરની બાજુમાં સન્માનના સ્થળે કોણ છે"" (જુઓ: સાંકેતિક પગલું)
Romans 8:35
τίς ἡμᾶς χωρίσει ἀπὸ τῆς ἀγάπης τοῦ Χριστοῦ
પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ શીખવવા માટે કરે છે કે કંઈપણ આપણને ખ્રિસ્તના પ્રેમથી અલગ કરી શકશે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""અમને ખ્રિસ્તના પ્રેમથી કોઈ પણ જુદા પાડી શકશે નહિ!"" અથવા ""કંઈપણ આપણને ખ્રિસ્તના પ્રેમથી ક્યારેય અલગ કરશે નહિ!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
θλῖψις, ἢ στενοχωρία, ἢ διωγμὸς, ἢ λιμὸς, ἢ γυμνότης, ἢ κίνδυνος, ἢ μάχαιρα
ખ્રિસ્તના પ્રેમથી આપણને અલગ કરશે"" શબ્દો પહેલાના પ્રશ્નથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""શું વિપત્તિ, અથવા વેદના, અથવા સતાવણી, અથવા દુકાળ, અથવા નગ્નતા, અથવા જોખમ અથવા તલવાર આપણને ખ્રિસ્તના પ્રેમથી અલગ કરે છે?"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
θλῖψις, ἢ στενοχωρία, ἢ διωγμὸς, ἢ λιμὸς, ἢ γυμνότης, ἢ κίνδυνος, ἢ μάχαιρα
પાઉલ આ પ્રશ્નના ઉપયોગ પર ભાર મૂકે છે કે આ વસ્તુઓ પણ અમને ખ્રિસ્તના પ્રેમથી અલગ કરી શકતી નથી. વૈકલ્પિક અનુવાદ: ""વિપત્તિ, વેદના, સતાવણી, દુકાળ, નગ્નતા, જોખમ અને તરવાર પણ અમને ખ્રિસ્તના પ્રેમથી અલગ કરી શકતા નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
θλῖψις, ἢ στενοχωρία, ἢ διωγμὸς, ἢ λιμὸς, ἢ γυμνότης, ἢ κίνδυνος, ἢ μάχαιρα
અમૂર્ત નામ ક્રિયાપદના વાક્ય સાથે વ્યક્ત કરી શકાય છે. અહીં ""તલવાર"" એક રૂપક છે જે હિંસક રીતે માર્યા જવાનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ભલે લોકો આપણને મુશ્કેલી પહોંચાડે, દુ:ખ પહોંચાડે, આપણા કપડા અને ખોરાક છીનવી લે અથવા આપણને મારી નાખે, પણ તેઓ આપણને ખ્રિસ્તના પ્રેમથી અલગ કરી શકતા નથી."" (જુઓ: અમૂર્ત નામો અને ઉપનામ)
θλῖψις, ἢ στενοχωρία
આ શબ્દોમાં બંનેનો અર્થ એક જ છે. (જુઓ: બેવડું/બમણાં)
Romans 8:36
ὅτι ἕνεκεν σοῦ
અહીં ""તમારું"" એકવચન છે અને ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા માટે"" (જુઓ: તમેનાં સ્વરૂપો)
θανατούμεθα ὅλην τὴν ἡμέραν
અહીં ""આપણે"" તેમનો ઉલ્લેખ કરે છે જેમણે અધ્યાયનો આ ભાગ લખ્યો હતો, જેઓ ઈશ્વર હતા, પરંતુ તેના પ્રેક્ષકોનો નહિ. ""આખો દિવસ"" આ વાક્ય એ છે કે તેઓ કેટલા ભયમાં છે તેના પર ભાર મૂકવા માટે આ એક અતિશયોક્તિ છે. પાઉલ અધ્યાયના આ ભાગનો ઉપયોગ તે બતાવવા માટે કરે છે કે જેઓ ઈશ્વરના છે તેઓએ મુશ્કેલ સમયની અપેક્ષા રાખવી જોઈએ. તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અમારા દુશ્મનો સતત અમને મારવા માગે છે"" (જુઓ: સમાવેશક “અમે” અને અત્યુક્તિ અને સામાન્યીકરણ અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐλογίσθημεν ὡς πρόβατα σφαγῆς
અહીં પાઉલ પશુધન સાથે તુલના કરે છે જેને લોકો મારી નાખે છે કારણ કે તેઓ ઈશ્વર પ્રત્યે વફાદાર છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તેઓને મારી નાખતા ઘેટાં કરતાં આપણું જીવન તેમના માટે વધુ મૂલ્ય ધરાવતું નથી"" (જુઓ: ઉપમા અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 8:37
ὑπερνικῶμεν
આપણો સંપૂર્ણ વિજય છે
διὰ τοῦ ἀγαπήσαντος ἡμᾶς
ઈસુએ જે પ્રકારનો પ્રેમ બતાવ્યો તે તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુને કારણે, જેણે આપણને ખૂબ જ પ્રેમ કર્યો તે આપણા માટે મરવા તૈયાર હતા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 8:38
πέπεισμαι
મને ખાતરી છે અથવા ""મને વિશ્વાસ છે
ἀρχαὶ
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) દુષ્ટાત્માઓ અથવા 2) માનવીય રાજાઓ અને અધિકારીઓ.
οὔτε δυνάμεις
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શક્તિવાળા આત્મિક જીવો અથવા 2) શક્તિવાળા માનવીઓ.
Romans 9
રોમનો 09 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
આ અધ્યાયમાં, પાઉલ જે વિશે શીખવે છે તે બદલે છે. અધ્યાય 9-11 માં, તે ઇઝરાએલ રાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
કેટલાક અનુવાદો એ કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુએ સુયોજિત કરે છે કે જેથી તેને વાંચવું વધુ સરળ બને. યુએલટી આ અધ્યાયની 25-29 અને 33 ની કલમો સાથે આ પ્રમાણે કરે છે. પાઉલ જૂના કરારના આ સર્વ શબ્દો ટાંકે છે.
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
દેહ
પાઉલ આ અધ્યાયમાં ""દેહ"" શબ્દનો ઉપયોગ ફક્ત ઇઝરાએલીઓનો ઉલ્લેખ કરવા માટે કરે છે, યાકૂબ દ્વારા શારીરિક રીતે ઇબ્રાહિમના લોકો ઉતરી આવ્યા હતા, જેને ઈશ્વરે ઇઝરાએલ નામ આપ્યું. (જુઓ: દેહ)
અન્ય અધ્યાયોમાં, પાઉલ સાથી ખ્રિસ્તીઓ માટે ""ભાઈ"" શબ્દનો ઉપયોગ કરે છે. જો કે, આ અધ્યાયમાં, તે તેના સગાઓ ઇઝરાએલીઓને અર્થ આપવા માટે ""મારા ભાઈઓ"" નો ઉપયોગ કરે છે.
પાઉલ એવા લોકોનો ઉલ્લેખ કરે છે કે જેઓ ઈસુને ""ઈશ્વરના સંતાનો"" અને ""વચનનાં સંતાનો"" તરીકે માને છે.
પૂર્વનિર્ધારણ
ઘણા વિદ્વાનો માને છે કે આ અધ્યાયમાં પાઉલ ""પૂર્વનિર્ધારણ"" તરીકે ઓળખાતા વિષય પર વ્યાપકપણે શીખવે છે. આ ""પૂર્વનિર્ધારણ"" બાઈબલના ખ્યાલ સાથે સંબંધિત છે. કેટલાક લોકો આ સૂચવે છે કે ઈશ્વરે કેટલાક લોકોને જગતની સ્થાપના અગાઉ અનંતકાળને માટે બચાવવા પસંદ કર્યા છે. આ વિષય પર બાઈબલ જે શીખવે છે તેના વિશે ખ્રિસ્તીઓના જુદા જુદા મતો છે. તેથી આ અધ્યાયનું અનુવાદ કરતી વખતે અનુવાદકે વધારાની કાળજી લેવાની જરૂર છે. (જુઓ: પૂર્વનિર્ધાર કરવો, પૂર્વનિર્ધારિત અને બચાવવું, બચાવ્યા, સલામત, તારણ)
આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર
ઠોકર ખાવાનો પથ્થર
પાઉલ સમજાવે છે કે જ્યારે કેટલાક વિદેશી લોકોએ ઈસુને વિશ્વાસ કરીને તેમના તારણહાર તરીકે સ્વીકાર્યા, ત્યારે મોટાભાગના યહૂદીઓ તેમનું તારણ કમાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેથી તેઓએ ઈસુને નકાર્યા. પાઉલે, જૂના કરારને ટાંકીને, ઈસુને એક પથ્થર તરીકે વર્ણવ્યા હતા, જ્યારે ચાલતી વખતે યહૂદીઓ ઠોકર ખાતા હતા. આ ""ઠોકરનો પથ્થર"" તેમના ""પતન"" નું કારણ છે. (જુઓ: રૂપક)
આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ
""ઇઝરાએલમાં તે દરેક જણ નથી જે ખરેખર ઇઝરાએલના છે""
પાઉલ આ કલમમાં ""ઇઝરાએલ"" શબ્દનો ઉપયોગ બે જુદા જુદા અર્થ સાથે કરે છે. પ્રથમ ""ઇઝરાએલ"" નો અર્થ યાકૂબ દ્વારા ઇબ્રાહિમના શારીરિક વંશજો છે. બીજા ""ઇઝરાએલ"" નો અર્થ તે છે જે વિશ્વાસ દ્વારા ઈશ્વરના લોકો છે. યુએસટી આનું પ્રતિબિંબ પાડે છે.
Romans 9:1
પાઉલ પોતાની અંગત ઇચ્છા વિશે જણાવે છે કે ઇઝરાએલ રાષ્ટ્રના લોકોનો ઉદ્ધાર થશે. પછી તે જુદી જુદી રીતો પર ભાર મૂકે છે જેમાં ઈશ્વરે તેમને વિશ્વાસ કરવા માટે તૈયાર કર્યા છે.
ἀλήθειαν λέγω ἐν Χριστῷ, οὐ ψεύδομαι
આ બંને અભિવ્યક્તિઓનો અર્થ મૂળભૂત રીતે સમાન છે. પાઉલે તેઓનો ઉપયોગ એ વાત પર ભાર મૂકવા માટે કર્યો કે તે સત્ય કહે છે. (જુઓ: બેવડું/બમણાં)
συνμαρτυρούσης μοι τῆς συνειδήσεώς μου ἐν Πνεύματι Ἁγίῳ
પવિત્ર આત્મા મારા અંત:કરણને નિયંત્રિત કરે છે અને હું જે કહું છું તેની પુષ્ટિ કરે છે
Romans 9:2
ὅτι λύπη μοί ἐστιν μεγάλη, καὶ ἀδιάλειπτος ὀδύνη τῇ καρδίᾳ μου
અહીં ""મારા અંત:કરણમાં અખંડ વેદના"" એ એક રૂઢિપ્રયોગ છે જેનો ઉપયોગ પાઉલ તેની ભાવનાત્મક તકલીફને વહેંચવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને કહું છું કે મને ભારે અને ઊંડો શોક થાય છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)
λύπη…μεγάλη, καὶ ἀδιάλειπτος ὀδύνη
આ બંને અભિવ્યક્તિઓનો અર્થ મૂળભૂત રીતે સમાન છે. પાઉલ તેમની લાગણીઓ કેટલી મહાન છે તેના પર ભાર મૂકવા માટે તેમનો ઉપયોગ કરે છે. (જુઓ: બેવડું/બમણાં)
Romans 9:3
ηὐχόμην γὰρ ἀνάθεμα εἶναι αὐτὸς, ἐγὼ ἀπὸ τοῦ Χριστοῦ ὑπὲρ τῶν ἀδελφῶν μου, τῶν συγγενῶν μου, κατὰ σάρκα
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""હું વ્યક્તિગત રૂપે ઈશ્વરને મારા પર શાપ આપવા અને મને કાયમ માટે ખ્રિસ્તથી અલગ રાખવા દેવા તૈયાર છું, જો તે મારા સાથી ઇઝરાએલીઓને, મારા પોતાના લોકોના જૂથને, ખ્રિસ્તમાં વિશ્વાસ કરવામાં મદદ કરે તો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τῶν ἀδελφῶν
અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.
Romans 9:4
οἵτινές εἰσιν Ἰσραηλεῖται
તેઓ, મારા જેવા, ઇઝરાએલીઓ છે. ઈશ્વરે તેમને યાકૂબના વંશજો તરીકે પસંદ કર્યા
ὧν ἡ υἱοθεσία
અહીં પાઉલે ""દત્તક લેવાના"" રૂપકનો ઉપયોગ એ સૂચવવા માટે કર્યો કે ઇઝરાએલીઓ ઈશ્વરના સંતાનો જેવા છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તેઓના પિતા તરીકે છે"" (જુઓ: રૂપક)
Romans 9:6
પાઉલ ભાર મૂકે છે કે જેઓ ઇઝરાએલ પરિવારમાં જન્મે છે તેઓ વિશ્વાસ દ્વારા ખરેખર ફક્ત ઇઝરાએલનો સાચો ભાગ બની શકે છે.
οὐχ οἷον δὲ, ὅτι ἐκπέπτωκεν ὁ λόγος τοῦ Θεοῦ
પરંતુ ઈશ્વર પોતાના વચનો પાળવામાં નિષ્ફળ નિવડ્યા નથી અથવા ""ઈશ્વરે તેમના વચનો પાળ્યા છે
οὐ γὰρ πάντες οἱ ἐξ Ἰσραήλ οὗτοι, Ἰσραήλ
ઈશ્વર ઇઝરાએલના સર્વ શારીરિક વંશજો (અથવા યાકૂબ) માટે તેમના વચનો આપ્યા ન હતા, પરંતુ તેમના આત્મિક વંશજો માટે, એટલે કે, જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે.
Romans 9:7
οὐδ’ ὅτι εἰσὶν σπέρμα Ἀβραάμ πάντες τέκνα
કે તેઓ સર્વ જ ઈશ્વરના સંતાન નથી કારણ કે તેઓ ઇબ્રાહિમના વંશજ છે
Romans 9:8
οὐ τὰ τέκνα τῆς σαρκὸς,
અહીં ""દેહના સંતાનો"" એક રૂપક છે જે ઇબ્રાહિમના શારીરિક વંશનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઇબ્રાહિમના સર્વ વંશજો નથી"" (જુઓ: ઉપનામ)
ταῦτα τέκνα τοῦ Θεοῦ
આ એક રૂપક છે જે આત્મિક વંશના એવા લોકોનો ઉલ્લેખ કરે છે, જેમને ઈસુમાં વિશ્વાસ છે. (જુઓ: રૂપક)
τὰ τέκνα τῆς ἐπαγγελίας
આ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈશ્વરે ઇબ્રાહિમને આપેલા વચનોનો વારસો મેળવશે.
Romans 9:9
ἐπαγγελίας…ὁ λόγος οὗτος
આ શબ્દોનો ઉપયોગ જ્યારે ઈશ્વર વચન આપતા હતા ત્યારે તેમણે કર્યો હતો
ἔσται τῇ Σάρρᾳ υἱός
ઈશ્વર સારાને પુત્ર આપશે તે દર્શાવવા માટે તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""હું સારાને પુત્ર આપીશ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 9:10
τοῦ πατρὸς ἡμῶν
પાઉલ ઇસહાકને ""અમારા પિતા"" તરીકે ઉલ્લેખ કરે છે કારણ કે ઇસહાક પાઉલનો પૂર્વજ હતો અને રોમમાં યહૂદી વિશ્વાસી હતો. (જુઓ: સમાવેશક “અમે”)
κοίτην, ἔχουσα
ગર્ભવતી થઈ ગઈ હતી
Romans 9:11
μήπω γὰρ γεννηθέντων, μηδὲ πραξάντων τι ἀγαθὸν ἢ φαῦλον
બાળકોના જન્મ પહેલાં અને પછી તેઓ કંઈક કરતા, સારું કે ખરાબ
ἵνα ἡ κατ’ ἐκλογὴν πρόθεσις τοῦ Θεοῦ μένῃ
જેથી ઈશ્વર તેમની પસંદ પ્રમાણે જે બને તેવું ઇચ્છે છે તે બનશે
μήπω γὰρ γεννηθέντων
બાળકોનો જન્મ થયો તે પહેલાં
μηδὲ πραξάντων τι ἀγαθὸν ἢ φαῦλον
તેઓએ કરેલા કંઈપણને લીધે નહિ
Romans 9:12
ઈશ્વરને કારણે
ἐκ τοῦ
આ કલમને કલમ 10 અને 11 મી કલમની વચ્ચે રાખવી તમારી ભાષામાં આવશ્યક છે: ""અમારા પિતા ઇસહાક, તેણીને કહેવામાં આવ્યું હતું કે, 'મોટો નાનાની ચાકરી કરશે.' હવે બાળકો હજુ સુધી જન્મ્યા નથી અને હજુ સુધી કંઈ સારું અથવા ખરાબ કર્યું નથી, પરંતુ જેથી ઈશ્વરની પસંદગી પ્રમાણે ઉદ્દેશ ઉભા થયો-ક્રિયાઓથી નહિ, પરંતુ તેના માટે જે બોલાવે છે. તે માત્ર
ἐρρέθη αὐτῇ, ὅτι ὁ μείζων δουλεύσει τῷ ἐλάσσονι
ઈશ્વરે રિબકાને કહ્યું, 'મોટો દીકરો નાના દીકરાની ચાકરી કરશે'
Romans 9:13
τὸν Ἰακὼβ ἠγάπησα, τὸν δὲ Ἠσαῦ ἐμίσησα
ધિક્કાર"" શબ્દ અતિશયોક્તિવાળો છે. ઈશ્વર યાકૂબને એસાવ કરતા વધારે પ્રેમ કરતા હતા. તે શાબ્દિક રીતે એસાવને ધિક્કારતો ન હતો. (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)
Romans 9:14
τί οὖν ἐροῦμεν
પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ તેના વાચકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે કરી રહ્યા છે. (જુઓ: આલંકારિક પ્રશ્ન)
μὴ γένοιτο
તે શક્ય નથી! અથવા ""ચોક્કસપણે નહિ!"" આ અભિવ્યક્તિ ભારપૂર્વક નકારે છે કે આ થઈ શકે છે. તમે તમારી ભાષામાં સમાન અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકો છો જેનો તમે અહીં ઉપયોગ કરી શકો છો.
Romans 9:15
τῷ Μωϋσεῖ γὰρ λέγει
પાઉલ ઈશ્વરની મૂસા સાથેની વાત વિશે જાણે છે કે હાલના સમયમાં થઈ રહી હોય. વૈકલ્પિક અનુવાદ: ""માટે ઈશ્વરે મૂસાને કહ્યું,"" (જુઓ: રૂપક)
Romans 9:16
οὐ τοῦ θέλοντος, οὐδὲ τοῦ τρέχοντος
તે લોકોની ઇચ્છાને કારણે નથી અથવા તેઓ સખત પ્રયત્ન કરે છે
οὐδὲ τοῦ τρέχοντος
પાઉલ એવી વ્યક્તિની વાત કરે છે જે ઈશ્વરની કૃપા મેળવવા માટે સારી વસ્તુઓ કરે છે જાણે કે તે વ્યક્તિ કોઈ દોડ ચલાવી રહ્યો હોય. (જુઓ: રૂપક)
Romans 9:17
λέγει γὰρ ἡ Γραφὴ
અહીં શાસ્ત્રને વ્યક્તિગત કરવામાં આવે છે જાણે કે ઈશ્વર ફારુન સાથે વાત કરી રહ્યા હોય. વૈકલ્પિક અનુવાદ: ""શાસ્ત્ર નોંધ કરે છે ઈશ્વર કહે છે તે"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
ἐξήγειρά…ἐνδείξωμαι…μου
ઈશ્વર પોતાનો ઉલ્લેખ કરી રહ્યા છે.
σε
એકવચન (જુઓ: તમેનાં સ્વરૂપો)
ἐξήγειρά σε
અહીં ઉઠાડવા એ એક રૂઢિપ્રયોગ છે ""તે જે છે તેને એ બનવાનું નિમિત્ત આપે છે."" વૈકલ્પિક અનુવાદ: ""મેં તમને તે શક્તિશાળી માણસ બનાવ્યો કે જે તમે છો"" (જુઓ: રૂઢિપ્રયોગ)
ὅπως διαγγελῇ τὸ ὄνομά μου
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કે લોકો મારું નામ પ્રગટ કરે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τὸ ὄνομά μου
આ ઉપનામ યા તો 1) તેમના સર્વ અસ્તિત્વમાં ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું કોણ છું"" અથવા 2) તેની પ્રતિષ્ઠા માટે. વૈકલ્પિક અનુવાદ: ""હું કેટલો મહાન છું"" નો ઉલ્લેખ કરે છે (જુઓ: ઉપનામ)
ἐν πάσῃ τῇ γῇ
જ્યાં પણ લોકો છે (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)
Romans 9:18
ὃν δὲ θέλει, σκληρύνει
ઈશ્વર જેને ચાહે તેને હઠીલો બનાવે છે.
Romans 9:19
ἐρεῖς μοι οὖν
પાઉલ તેમના ઉપદેશના ટીકાકારો સાથે વાત કરી રહ્યો છે જાણે કે તે ફક્ત એક જ વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હોય. તમારે અહીં બહુવચનનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)
τί οὖν ἔτι μέμφεται? τῷ γὰρ βουλήματι αὐτοῦ, τίς ἀνθέστηκεν
આ અલંકારિક પ્રશ્નો ઈશ્વર વિરુદ્ધ ફરિયાદો છે. તમે તેમને મજબૂત નિવેદનો તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તેમણે અમારી સાથે દોષ ન શોધવો જોઈએ. કોઈ તેમની ઇચ્છા આગળ ટકી શક્યું નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
μέμφεται…αὐτοῦ
અહીં ""તે"" અને ""તેના"" શબ્દો ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.
τῷ…βουλήματι αὐτοῦ…ἀνθέστηκεν
છે ... તેને જે કરવાનું છે તે કરવાનું બંધ કર્યું
Romans 9:20
μὴ ἐρεῖ τὸ πλάσμα, τῷ πλάσαντι, τί με ἐποίησας οὕτως
પાઉલ કુંભારના અધિકારનો ઉપયોગ માટીમાંથી ઇચ્છતા કોઈપણ પ્રકારનું પાત્ર બનાવવા માટે તેના સર્જન સાથે જે ઇચ્છે છે તે કરવાના સર્જકના અધિકારના રૂપક તરીકે છે. પાઉલ તેના મુદ્દા પર ભાર મૂકવા પ્રશ્નો પૂછે છે. તેનું પ્રબળ નિવેદન તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેનો વ્યક્તિએ ઘાટ ઘડ્યો તેણે ઘડનારને કદી કહેવું જોઈએ નહિ, 'કેમ ... આમ?'"" (જુઓ: રૂપક અને આલંકારિક પ્રશ્ન)
τί με ἐποίησας οὕτως
આ પ્રશ્ન એક ઠપકો છે અને પ્રબળ નિવેદન તરીકે તેનું અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે મને આ રીતે બનાવવો ન જોઈએ!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Romans 9:21
ἢ οὐκ ἔχει ἐξουσίαν ὁ κεραμεὺς τοῦ πηλοῦ, ἐκ τοῦ αὐτοῦ φυράματος ποιῆσαι ὃ μὲν εἰς τιμὴν σκεῦος, ὃ δὲ εἰς ἀτιμίαν
આ અલંકારિક પ્રશ્ન એક ઠપકો છે. વૈકલ્પિક અનુવાદ: ""કુંભાર પાસે ચોક્કસપણે અધિકાર છે ... દૈનિક ઉપયોગ માટે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Romans 9:22
σκεύη ὀργῆς
પાઉલ લોકો વિશેની વાત કરે છે જાણે કે તેઓ પાત્ર હોય. વૈકલ્પિક અનુવાદ: ""લોકો ક્રોધને લાયક છે"" (જુઓ: રૂપક)
Romans 9:23
γνωρίσῃ…αὐτοῦ
અહીં ""તે"" અને ""તેના"" શબ્દો ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.
σκεύη ἐλέους
પાઉલ લોકોની જેમ જાણે પાત્ર છે. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો દયાને લાયક છે"" (જુઓ: રૂપક)
τὸν πλοῦτον τῆς δόξης αὐτοῦ ἐπὶ
પાઉલ અહીં ઈશ્વરની અદભૂત કાર્યોની સરખામણી ""સંપત્તિ"" સાથે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમનું ગૌરવ, જે ખૂબ મૂલ્યનું છે, તેના પર"" (જુઓ: રૂપક)
ἃ προητοίμασεν εἰς δόξαν
અહીં ""મહિમા"" ઈશ્વર સાથે સ્વર્ગમાં જીવનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેને તેઓ સમયની સાથે તૈયાર કરે છે જેથી તેઓ તેની સાથે જીવી શકે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 9:24
καὶ…ἡμᾶς
અહીં ""આપણે"" શબ્દ પાઉલ અને સાથી વિશ્વાસીઓને સૂચવે છે. (જુઓ: સમાવેશક “અમે”)
ἐκάλεσεν
અહીં ""તેડ્યા"" નો અર્થ છે કે ઈસુએ લોકોને તેમના બાળકો બનવા, તેમના સેવકો અને ઈસુ દ્વારા તેમના મુક્તિના સંદેશના જાહેર કરનારાઓ તરીકે નિમ્યા અથવા પસંદ કર્યા છે.
Romans 9:25
આ વિભાગમાં પાઉલ સમજાવે છે કે કેવી રીતે અગાઉથી પ્રબોધક હોશિયા દ્વારા ઇઝરાએલના એક રાષ્ટ્ર તરીકેના અવિશ્વાસ વિશે કહેવામાં આવ્યું હતું.
ὡς καὶ ἐν τῷ Ὡσηὲ λέγει
અહીં ""તે"" ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ કે હોશિયાએ લખેલા પુસ્તકમાં ઈશ્વર કહે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
τῷ Ὡσηὲ
હોશિયા એક પ્રબોધક હતો. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
καλέσω τὸν οὐ λαόν μου, λαόν μου
હું મારા લોકો માટે પસંદ કરીશ જેઓ મારા લોકો ન હતા
τὴν οὐκ ἠγαπημένην, ἠγαπημένην
અહીં ""તેણી"" હોશિયાની પત્ની ગોમેરનો ઉલ્લેખ કરે છે, જે ઇઝરાએલ રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેને હું પ્રેમ કરું તે બનવા હું તેણીને પસંદ કરીશ જેને હું પસંદ કરતો ન હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 9:26
υἱοὶ Θεοῦ ζῶντος
જીવીત"" શબ્દ એ તથ્યનો ઉલ્લેખ કરી શકે છે કે ઈશ્વર એકમાત્ર સાચા ઈશ્વર છે, અને ખોટી મૂર્તિઓની જેમ નહિ. વૈકલ્પિક અનુવાદ: ""સાચા ઈશ્વરના સંતાન
Romans 9:27
κράζει
પોકરે છે
ὡς ἡ ἄμμος τῆς θαλάσσης
અહીં પાઉલે ઇઝરાએલના લોકોની સંખ્યાને સમુદ્રમાંની રેતીની સંખ્યા સાથે સરખાવી છે. વૈકલ્પિક અનુવાદ: ""ગણતરી માટે ઘણાં"" (જુઓ: ઉપમા)
σωθήσεται
પાઉલ આત્મિક અર્થમાં ""તારણ"" શબ્દનો ઉપયોગ કરે છે. જો ઈશ્વર કોઈ વ્યક્તિને બચાવે છે, તો તેનો અર્થ એ છે કે ઈસુના વધસ્તંભ પરના મૃત્યુ પર વિશ્વાસ કરીને, ઈશ્વરે તેને માફ કર્યો છે અને તેને તેના પાપની શિક્ષાથી બચાવ્યો છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર બચાવશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 9:28
λόγον…ποιήσει Κύριος ἐπὶ τῆς γῆς
અહીં ""શિક્ષા"" એ સૂચવે છે કે તેમણે લોકોને કેવી શિક્ષા આપવાનું નક્કી કર્યું છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર પૃથ્વી પરના લોકોને તેમણે જેમ કહ્યું છે તે પ્રમાણે શિક્ષા કરશે.
Romans 9:29
ἡμῖν…ν ἐγενήθημεν
અહીં ""આપણે"" અને ""અમે"" શબ્દો યશાયા અને તે જેની સાથે બોલ્યા તેઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)
ὡς Σόδομα ἂν ἐγενήθημεν, καὶ ὡς Γόμορρα ἂν ὡμοιώθημεν
ઈશ્વરે સદોમ અને ગમોરાના સર્વ લોકોને તેમના પાપને કારણે માર્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ""આપણે બધા સદોમ અને ગમોરાના લોકોની જેમ નાશ પામ્યા હોત"" અથવા ""ઈશ્વરે આપણા સર્વને નષ્ટ કરી દીધા હોત, જેમ કે તેમણે સદોમ અને ગમોરા શહેરોનો નાશ કર્યો હતો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 9:30
τί οὖν ἐροῦμεν
પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ તેના વાચકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ આપણે કહેવું જ જોઈએ"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
ὅτι ἔθνη
આપણે કહીશું કે વિદેશીઓ
τὰ μὴ διώκοντα δικαιοσύνην
જે ઈશ્વરને ખુશ કરવાનો પ્રયત્ન ન કરતા
δικαιοσύνην…τὴν ἐκ πίστεως
અહીં ""વિશ્વાસ દ્વારા"" એ વ્યક્તિનો વિશ્વાસ ખ્રિસ્તમાં મૂકવાનો ઉલ્લેખ કરે છે. તમે તમારા અનુવાદમાં આ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે જ્યારે તેઓએ ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો ત્યારે ઈશ્વરે તેમની સાથે તેમને યોગ્ય બનાવ્યા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 9:31
οὐκ ἔφθασεν
આનો અર્થ એ છે કે ઇઝરાએલીઓ નિયમ જાળવવાનો પ્રયાસ કરીને ઈશ્વરને પ્રસન્ન કરી શક્યા નહિ. તમે તમારા અનુવાદમાં આ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""નિયમને પાળી ઈશ્વરને ખુશ કરવામાં સમર્થ ન હતા કારણ કે તેઓ તેને પાળી શકતા નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 9:32
διὰ τί
આ એક અનુક્ત શબ્દ છે. તમે તમારા અનુવાદમાં ગર્ભિત શબ્દોને શામેલ કરી શકો છો. પાઉલ આ પ્રશ્ન તેના વાચકોનું ધ્યાન આકર્ષિત કરવા પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ કેમ ન્યાયીપણું મેળવી શક્યા નહિ?"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ) અને આલંકારિક પ્રશ્ન)
ὡς ἐξ ἔργων
આ તે બાબતોનો ઉલ્લેખ કરે છે જે લોકો ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરે છે. તમે તમારા અનુવાદમાં આ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરને ખુશ કરે તેવી બાબતો કરવાનો પ્રયાસ કરીને"" અથવા ""નિયમ પાળીને"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 9:33
καθὼς γέγραπται
તમે સૂચવી શકો છો કે યશાયાએ આ લખ્યું છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ પણ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""યશાયા પ્રબોધકે લખ્યું હતું તેમ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐν Σιὼν
અહીં સિયોન એક રૂપક છે જે ઇઝરાએલનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઇઝરાએલમાં"" (જુઓ: ઉપનામ)
λίθον προσκόμματος, καὶ πέτραν σκανδάλου
આ બંને શબ્દસમૂહોનો મૂળભૂત અર્થ એ જ છે અને તે રૂપકો છે જે ઇસુ અને તેના મૃત્યુને વધસ્તંભ પર દર્શાવે છે. તે જાણે લોકો પથ્થર પર ઠોકર મારતા હતા કારણ કે જ્યારે તેઓ ઈસુના મૃત્યુને વધસ્તંભ પર માનતા હતા ત્યારે તેઓને નારાજગી હતી. (જુઓ: બેવડું/બમણાં અને રૂપક)
πιστεύων ἐπ’ αὐτῷ
કારણ કે પથ્થર એક વ્યક્તિ માટેનો અર્થ છે, તમારે તેનું અનુવાદ ""તેમના પર વિશ્વાસ કરે છે"" એ રીતે કરવાની જરૂર પડી શકે છે.
Romans 10
રોમનો 10 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
કેટલાક અનુવાદો બાકીના લખાણની તુલનામાં પાનાંની દૂર જમણી બાજુએ જૂના કરારથી ગદ્ય અવતરણો ગોઠવવામાં આવ્યા છે. યુએલટી આમ કલમ 8 માં અવતરિત કરેલા શબ્દોથી કરે છે.
કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું વધુ સરળ બને. યુએલટી આ અધ્યાયની 18-20 કલમો સાથે આ પ્રમાણે કરે છે, જે જૂના કરારના શબ્દો છે
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
ઈશ્વરનું ન્યાયીપણું
પાઉલ અહીં શીખવે છે કે ઘણા યહૂદીઓએ પ્રામાણિકપણે ન્યાય કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ સફળ ન થયા. આપણે ઈશ્વરનું ન્યાયીપણું મેળવી શકતા નથી. જ્યારે આપણે તેમનામાં વિશ્વાસ કરીએ ત્યારે ઈશ્વર આપણને ઈસુનું ન્યાયીપણું આપે છે. (જુઓ: ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું અને વિશ્વાસ/શ્રદ્ધા)
આ અધ્યાયમાં અગત્યના શબ્દાલંકાર
અલંકારિક પ્રશ્નો
પાઉલ આ અધ્યાયમાં ઘણા અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. તે આ તેમના વાચકોને સમજાવવા માટે કરે છે કે ઈશ્વર ફક્ત હિબ્રૂ લોકોને જ બચાવતા નથી, તેથી ખ્રિસ્તીઓએ આખા જગત સાથે સુવાર્તા વહેંચવા માટે તૈયાર રહેવું જોઈએ. (જુઓ: આલંકારિક પ્રશ્ન અને બચાવવું, બચાવ્યા, સલામત, તારણ)
આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ
“હું તમને ઇર્ષ્યા માટે ઉશ્કેરું છું તે રાષ્ટ્ર નથી”
પાઉલ આ ભવિષ્યવાણીનો ઉપયોગ એ સમજાવવા માટે કરે છે કે ઈશ્વર મંડળીનો ઉપયોગ હિબ્રૂ લોકોની ઇર્ષ્યા કરવા માટે કરશે. આ તે છે જેથી તેઓ ઈશ્વરની શોધ કરશે અને સુવાર્તા પર વિશ્વાસ કરશે. (જુઓ: પ્રબોધક, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા અને ઈર્ષાળુ, અદેખાઈ અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 10:1
પાઉલ ઇઝરાએલ વિશ્વાસ કરે તે માટે તેની ઇચ્છા દર્શાવવાનું ચાલુ રાખે છે પરંતુ ભાર મૂકે છે કે જે લોકો યહૂદીઓ છે તેમજ બીજા દરેકને ઈસુમાં વિશ્વાસ દ્વારા બચાવી શકાય છે.
ἀδελφοί
અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.
ἡ μὲν εὐδοκία τῆς ἐμῆς καρδίας
અહીં ""હૃદય"" એ વ્યક્તિની ભાવનાઓ અથવા આંતરિક અસ્તિત્વ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""મારી સૌથી મોટી ઇચ્છા"" (જુઓ: ઉપનામ)
ὑπὲρ αὐτῶν εἰς σωτηρίαν
એ છે કે ઈશ્વર યહૂદીઓને બચાવશે
Romans 10:2
μαρτυρῶ…αὐτοῖς
હું તેમના વિશે સત્યપણે જાહેર કરું છું
Romans 10:3
ἀγνοοῦντες γὰρ τὴν τοῦ Θεοῦ δικαιοσύνην
અહીં ""ન્યાયપણા” નો અર્થ એ છે કે ઈશ્વર લોકોને પોતાની સાથે કેવી રીતે રાખે છે. તમે અનુવાદમાં આ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે તેઓ જાણતા નથી કે ઈશ્વર લોકોને પોતાની સાથે કેવી રીતે રાખે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
τῇ δικαιοσύνῃ τοῦ Θεοῦ οὐχ ὑπετάγησαν
લોકોને પોતાની જાત સાથે ઠીક કરવાની ઈશ્વરની રીત તેઓએ સ્વીકારી ન હતી
Romans 10:4
τέλος γὰρ νόμου Χριστὸς
કેમ કે ખ્રિસ્તે સંપૂર્ણ રીતે નિયમ પરિપૂર્ણ કર્યો
εἰς δικαιοσύνην παντὶ τῷ πιστεύοντι
અહીં ""વિશ્વાસ"" નો અર્થ ""ભરોસો."" વૈકલ્પિક અનુવાદ: ""એ હેતુસર કે તેઓ દરેક જેઓ તેમના પર વિશ્વાસ કરે તેઓને ઈશ્વર સમક્ષ યોગ્ય કરે."" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 10:5
τὴν δικαιοσύνην τὴν ἐκ νόμου
પાઉલ ""ન્યાયીપણા"" ની વાત કરે છે જાણે કે તે જીવંત છે અને ચાલવા માટે સક્ષમ છે. વૈકલ્પિક અનુવાદ: ""નિયમ વ્યક્તિને ઈશ્વર સમક્ષ કેવી રીતે યોગ્ય બનાવે છે"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
ὅτι ὁ ποιήσας αὐτὰ ἄνθρωπος, ζήσεται ἐν αὐτῇ
નિયમ દ્વારા ઈશ્વર સાથે યોગ્ય બનવા માટે, વ્યક્તિએ નિયમ સંપૂર્ણ રીતે પાળવો પડે, જે શક્ય નથી. વૈકલ્પિક અનુવાદ: ""જે વ્યક્તિ નિયમનું સંપૂર્ણ પાલન કરે છે તે જીવશે કારણ કે નિયમ તેને ઈશ્વર સમક્ષ યોગ્ય બનાવશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ζήσεται
જીવશે"" શબ્દો આ પ્રમાણે ઉલ્લેખ કરતું હોઈ શકે 1) અનંત જીવન અથવા 2) ઈશ્વર સાથેની સંગતમાં નશ્વર જીવન.
Romans 10:6
ἡ δὲ ἐκ πίστεως δικαιοσύνη οὕτως λέγει
અહીં ""ન્યાયીપણું"" એ એક વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવે છે જે બોલી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ મૂસા આ વિશે લખે છે કે વિશ્વાસ વ્યક્તિને ઈશ્વર સમક્ષ કેવી રીતે યોગ્ય બનાવે છે"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
μὴ εἴπῃς ἐν τῇ καρδίᾳ σου
મૂસા લોકોને તે રીતે સંબોધન કરી રહ્યા હતા જાણે કે તે ફક્ત એક જ વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હોય. અહીં ""હૃદય"" એ કોઈ વ્યક્તિના મન અથવા આંતરિક અસ્તિત્વ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""પોતાને ના કહેશો"" (જુઓ: તમેનાં સ્વરૂપો અને ઉપનામ)
τίς ἀναβήσεται εἰς τὸν οὐρανόν
મૂસા તેના શ્રોતાઓને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેમની અગાઉની સૂચના, ""કહો નહિ"" આ પ્રશ્નના નકારાત્મક જવાબની જરૂર છે. તમે આ પ્રશ્નનું નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કોઈ સ્વર્ગમાં જવા માટે સક્ષમ નથી"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
τοῦτ’ ἔστιν Χριστὸν καταγαγεῖν
એ હેતુસર કે તેઓ ખ્રિસ્તને પૃથ્વી પર નીચે લાવી શકે છે
Romans 10:7
τίς καταβήσεται εἰς τὴν Ἄβυσσον
મૂસા તેના પ્રેક્ષકોને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેમની અગાઉની સૂચના, ""કહો નહિ"" આ પ્રશ્નના નકારાત્મક જવાબની જરૂર છે. તમે આ નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કોઈ પણ વ્યક્તિ નીચે જઈને તે સ્થળે પ્રવેશી શકશે નહિ જ્યાં મૃત વ્યક્તિઓના આત્મા છે"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
ἐκ νεκρῶν
મૃત્યુ પામેલા સર્વ લોકોમાંથી. આ અભિવ્યક્તિ અધોલોકમાંના સર્વ મૃત લોકોનું એક સાથે વર્ણન કરે છે. તેમની મધ્યેથી ઉઠાડવું એ ફરી સજીવન થવા સમાન છે.
νεκρῶν
આ શબ્દ શારીરિક મૃત્યુની વાત કરે છે.
Romans 10:8
ἀλλὰ τί λέγει
તે"" શબ્દ એ રોમનો 10:6 ના ""ન્યાયીપણા"" નો ઉલ્લેખ કરે છે. અહીં પાઉલ ""ન્યાયીપણા"" નું વર્ણન એક વ્યક્તિ તરીકે કરી શકે છે જે બોલી શકે છે. પાઉલ એક પ્રશ્નનો જવાબ આપવા માટે કરે છે જે જવાબ તે આપી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ મૂસા કહે છે તે આ છે"" (જુઓ: વ્યક્તિનો અવતાર અને આલંકારિક પ્રશ્ન)
ἐγγύς σου τὸ ῥῆμά ἐστιν
પાઉલ ઈશ્વરના સંદેશાની વાત કરે છે જાણે કે તે વ્યક્તિ હોય જે ચાલી શકતો હોય. વૈકલ્પિક અનુવાદ: ""તમે સંદેશ સાંભળ્યો છે"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
τὸ ῥῆμά ἐστιν, ἐν τῷ στόματί σου
મોં"" શબ્દ એક રૂપક છે જે વ્યક્તિના કહેવા પર આધારિત છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે કેવી રીતે બોલવું તે જાણો છો ... ઈશ્વરનો સંદેશ"" (જુઓ: ઉપનામ)
τὸ ῥῆμά ἐστιν,…ἐν τῇ καρδίᾳ σου
તમારા હૃદયમાં"" શબ્દસમૂહ એ રૂપક છે જે વ્યક્તિ જે વિચારે છે અને માને છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જાણો છો ... ઈશ્વરનો સંદેશ શું થાય છે"" (જુઓ: ઉપનામ)
τὸ ῥῆμα τῆς πίστεως
ઈશ્વરનો સંદેશ જે જણાવે છે કે આપણે તેનામાં વિશ્વાસ કરવો જ જોઇએ
Romans 10:9
ἐὰν ὁμολογήσῃς ἐν τῷ στόματί σου, Κύριον Ἰησοῦν
જો તમે સ્વીકારો કે ઈસુ પ્રભુ છે
πιστεύσῃς ἐν τῇ καρδίᾳ σου
અહીં ""હૃદય"" એ કોઈ વ્યક્તિના મન અથવા આંતરિક વ્યક્તિ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા મનમાં વિશ્વાસ કરો"" અથવા ""ખરેખર માનો"" (જુઓ: ઉપનામ)
αὐτὸν ἤγειρεν ἐκ νεκρῶν
અહીં ઉઠાડવા એ ""ફરી સજીવન કરવા"" માટેનો રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને ફરીથી જીવવાના નિમિત્ત બનાવ્યા"" (જુઓ: રૂઢિપ્રયોગ)
σωθήσῃ
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તમને બચાવશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 10:10
καρδίᾳ γὰρ πιστεύεται εἰς δικαιοσύνην, στόματι δὲ ὁμολογεῖται εἰς σωτηρίαν
અહીં ""હૃદય"" એક રૂપક છે જે મન અથવા ઇચ્છાને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે મનથી વ્યક્તિ ઈશ્વર પર વિશ્વાસ કરે છે અને તેમની સમક્ષ યોગ્ય ઠરે છે, અને તે મોંથી વ્યક્તિ કબૂલ કરે છે અને ઈશ્વર તેને બચાવે છે"" (જુઓ: ઉપનામ)
στόματι
અહીં ""મોં"" એ ભાગ છે જે વ્યક્તિની બોલવાની ક્ષમતાને રજૂ કરે છે. (જુઓ: અભિવ્યક્ત અલંકાર)
Romans 10:11
λέγει γὰρ ἡ Γραφή
પાઉલ શાસ્ત્ર વિશે એ રીતે બોલે છે જાણે કે તે સજીવન હોય અને તેને અવાજ હોય. તમે સ્પષ્ટ કરી શકો છો કે પાઉલે અહીં જે શાસ્ત્રવચન વાપર્યું છે તે કોણે લખ્યું છે. વૈકલ્પિક અનુવાદ: ""શાસ્ત્રમાં યશાયાએ લખ્યું છે તે માટે"" (જુઓ: વ્યક્તિનો અવતાર અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
πᾶς ὁ πιστεύων ἐπ’ αὐτῷ οὐ καταισχυνθήσεται
આ બરાબર છે: ""દરેક વ્યક્તિ જે માનતો નથી તે શરમજનક બનશે."" નકારાત્મક અહીં ભાર માટે વપરાય છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેના પર વિશ્વાસ કરતા દરેકને સન્માન આપશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 10:12
οὐ γάρ ἐστιν διαστολὴ Ἰουδαίου τε καὶ Ἕλληνος
પાઉલ સૂચવે છે કે ઈશ્વર સર્વ લોકો સાથે સમાન રીતે વર્તશે. તમે તમારા અનુવાદમાં આ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""આ રીતે, ઈશ્વર યહૂદીઓ અને બિન-યહૂદીઓ સાથે સમાન રીતે વર્તે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
πλουτῶν εἰς πάντας τοὺς ἐπικαλουμένους αὐτόν
અહીં ""તે શ્રીમંત છે"" તેનો અર્થ એ છે કે ઈશ્વર સમૃદ્ધપણે આશીર્વાદ આપે છે. તમે તમારા અનુવાદમાં આ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તે તેમના પર ભરોસો કરનારા સર્વને પુષ્કળ આશીર્વાદ આપે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 10:13
πᾶς γὰρ ὃς ἂν ἐπικαλέσηται τὸ ὄνομα Κυρίου, σωθήσεται
અહીં ""નામ"" શબ્દ એ ઈસુ માટેનું એક ઉપનામ છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરે છે તે દરેકને તેઓ બચાવશે"" (જુઓ: ઉપનામ અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 10:14
πῶς οὖν ἐπικαλέσωνται εἰς ὃν οὐκ ἐπίστευσαν
ખ્રિસ્તના સુસમાચાર જેણે સાંભળ્યા નથી તેઓ પાસે લઈ જનારા લોકોના મહત્વ પર ભાર મૂકવા માટે પાઉલે પ્રશ્નનો ઉપયોગ કર્યો છે. ""તેઓ"" શબ્દનો અર્થ તે લોકોનો છે કે જેઓ હજી ઈશ્વરના નથી. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો ઈશ્વરમાં વિશ્વાસ નથી કરતા તેઓ તેમને તેમની પાસે બોલાવી શકતા નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
πῶς…πιστεύσωσιν οὗ οὐκ ἤκουσαν
પાઉલ આ જ કારણોસર બીજા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અને જો તેઓએ તેનો સંદેશ સાંભળ્યો ન હોય તો તેઓ તેમનામાં વિશ્વાસ કરી શકશે નહિ!"" અથવા ""અને જો તેઓએ તેના વિશે સંદેશ ન સાંભળ્યો હોય તો તેઓ તેમનામાં વિશ્વાસ કરી શકતા નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
πιστεύσωσιν
અહીં આનો અર્થ એ છે કે તે વ્યક્તિએ કહ્યું છે તે સાચું છે.
πῶς…ἀκούσωσιν χωρὶς κηρύσσοντος
પાઉલ આ જ કારણોસર બીજા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અને જો કોઈ તેમને કહેશે નહિ તો તેઓ સંદેશ સાંભળી શકશે નહિ!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Romans 10:15
ὡς ὡραῖοι οἱ πόδες τῶν εὐαγγελιζομένων τὰ ἀγαθά!
પાઉલ ""પગ"" નો ઉપયોગ જે લોકો મુસાફરી કરે છે અને સંદેશ ન સાંભળેલ લોકોને સંદેશો પહોંચાડે છે તેમને રજૂ કરવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે સંદેશવાહકો આવે છે અને અમને સુસમાચાર કહે છે ત્યારે તે અદભૂત છે"" (જુઓ: ઉપનામ)
Romans 10:16
οὐ πάντες ὑπήκουσαν
અહીં ""તેઓ"" યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. ""સર્વ યહૂદીઓએ આજ્ઞા પાળી નહિ
Κύριε, τίς ἐπίστευσεν τῇ ἀκοῇ ἡμῶν
પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ તેના પર ભાર મૂકવા માટે કરી રહ્યા છે કે યશાયાએ શાસ્ત્રમાં ભવિષ્યવાણી કરી કે ઘણા યહૂદીઓ ઈસુમાં વિશ્વાસ કરશે નહિ. તમે તેનું નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ, તેમાંના ઘણા અમારા સંદેશા પર વિશ્વાસ કરતાં નથી"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
τῇ ἀκοῇ ἡμῶν
અહીં, ""અમારા"" એ ઈશ્વર અને યશાયાનો ઉલ્લેખ કરે છે.
Romans 10:17
ἡ πίστις ἐξ ἀκοῆς
અહીં ""વિશ્વાસ"" એ ""ખ્રિસ્તમાં વિશ્વાસ"" કરવાનો ઉલ્લેખ કરે છે
ἡ…ἀκοὴ διὰ ῥήματος Χριστοῦ
ખ્રિસ્ત વિશેનો સંદેશ સાંભળવા દ્વારા
Romans 10:18
ἀλλὰ λέγω, μὴ οὐκ ἤκουσαν? μενοῦνγε
પાઉલ ભાર માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તમે તેનું નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પણ, હું કહું છું કે યહૂદીઓએ ચોક્કસપણે ખ્રિસ્ત વિશેનો સંદેશ સાંભળ્યો છે"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)
εἰς πᾶσαν τὴν γῆν, ἐξῆλθεν ὁ φθόγγος αὐτῶν; καὶ εἰς τὰ πέρατα τῆς οἰκουμένης, τὰ ῥήματα αὐτῶν
આ બંને નિવેદનોનો અર્થ મૂળભૂત રીતે સમાન છે અને પાઉલ તેનો ઉપયોગ ભાર માટે કરે છે. ""તેમના"" શબ્દનો અર્થ સૂર્ય, ચંદ્ર અને તારાઓ છે. અહીં તેઓને માનવ સંદેશવાહક તરીકે વર્ણવવામાં આવ્યા છે જે લોકોને ઈશ્વર વિશે કહે છે. આ સૂચવે છે કે તેમનું અસ્તિત્વ કેવી રીતે ઈશ્વરની શક્તિ અને ગૌરવ દર્શાવે છે. તમે સ્પષ્ટ કરી શકો છો કે પાઉલ અહીં શાસ્ત્રને ટાંકે છે. વૈકલ્પિક અનુવાદ: ""શાસત્રો નોંધે છે, 'સૂર્ય, ચંદ્ર અને તારાઓ ઈશ્વરની શક્તિ અને મહિમાનો પુરાવો છે, અને વિશ્વમાં દરેક તેમને જુએ છે અને ઈશ્વર વિશેનું સત્ય જાણે છે.'"" (જુઓ: સમાંતરણ અને વ્યક્તિનો અવતાર અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી )
Romans 10:19
ἀλλὰ λέγω, μὴ Ἰσραὴλ οὐκ ἔγνω
પાઉલ ભાર મૂકવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. ""ઇઝરાએલ"" શબ્દ ઇઝરાએલ રાષ્ટ્રમાં રહેતા લોકો માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""ફરીથી હું તમને કહું છું કે ઇઝરાએલના લોકો સંદેશ જાણતા હતા"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને ઉપનામ)
πρῶτος Μωϋσῆς λέγει, ἐγὼ παραζηλώσω ὑμᾶς,…παροργιῶ ὑμᾶς.
આનો અર્થ એ છે કે મૂસાએ ઈશ્વરે જે કહ્યું તે લખ્યું. ""હું"" ઈશ્વરનો ઉલ્લેખ કરે છે, અને ""તમે"" ઇઝરાએલીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રથમ મૂસા કહે છે કે ઈશ્વર તમને ઉશ્કેરશે ... ઈશ્વર તમને ઉત્તેજિત કરશે"" (જુઓ: તમેનાં સ્વરૂપો અને પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)
ἐπ’ οὐκ ἔθνει
તે લોકો દ્વારા તમે એક વાસ્તવિક રાષ્ટ્ર નથી માનતા અથવા ""એવા લોકો દ્વારા કે જેઓ કોઈ પણ રાષ્ટ્રના નથી
ἐπ’ ἔθνει ἀσυνέτῳ
અહીં ""જાણ્યા વિના"" નો અર્થ એ છે કે લોકો ઈશ્વરને ઓળખતા નથી. વૈકલ્પિક અનુવાદ: ""એવા રાષ્ટ્ર દ્વારા કે જેઓ મને કે મારા આદેશોને જાણતા નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
παροργιῶ ὑμᾶς
હું તમને ગુસ્સે કરીશ અથવા ""હું તમને ગુસ્સે થવાનું કારણ આપીશ
ὑμᾶς
આ ઇઝરાએલ રાષ્ટ્રનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)
Romans 10:20
અહીં ""હું,"" ""મને,"" અને ""મારું"" શબ્દો ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.
Ἠσαΐας δὲ ἀποτολμᾷ καὶ λέγει
આનો અર્થ એ છે કે પ્રબોધક યશાયાએ ઈશ્વરે જે કહ્યું તે લખ્યું.
εὑρέθην ἐν τοῖς ἐμὲ μὴ ζητοῦσιν
પ્રબોધકો ઘણીવાર ભવિષ્યમાં વસ્તુઓ વિશે એ રીતે બોલે છે જાણે તે પહેલેથી જ બન્યું હોય. આ ભાર મૂકે છે કે ભવિષ્યવાણી ચોક્કસપણે સાચી થશે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""વિદેશી લોકો મને શોધશે નહિ, તોપણ તેઓ મને મેળવશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐμφανὴς ἐγενόμην
મેં મારી જાતને જાણીતી કરી
λέγει
તે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે, જે યશાયા દ્વારા બોલી રહ્યાં છે.
Romans 10:21
ὅλην τὴν ἡμέραν
આ વાક્યનો ઉપયોગ ઈશ્વરના સતત પ્રયત્નો પર ભાર મૂકવા માટે થાય છે. ""સતત
ἐξεπέτασα τὰς χεῖράς μου πρὸς λαὸν ἀπειθοῦντα καὶ ἀντιλέγοντα
મેં તમારું સ્વાગત કરવા અને તમને મદદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તમે મારી મદદનો ઇનકાર કર્યો અને અનાદર કરવાનું ચાલુ રાખ્યું
Romans 11
રોમનો 11 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું વધુ સરળ બને. યુએલટી આ પ્રમાણે 9-10, 26-27 અને 34-35 કલમો સાથે કરે છે, જે જૂના કરારના શબ્દો છે.
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
કલમ કરવી
પાઉલ ""કલમ કરવાની છબી"" નો ઉપયોગ ઈશ્વરની યોજનાઓમાં વિદેશીઓ અને યહૂદીઓના સ્થાનનો ઉલ્લેખ કરવા માટે કરે છે. એક છોડને કાયમી ધોરણે બીજા છોડનો ભાગ બનાવવો એટલે ""કલમ કરવી."" પાઉલે જંગલી શાખા તરીકે વિદેશીઓનો ઈશ્વરની બચાવ યોજનાઓમાં કલમ કરતાં ઈશ્વરના ચિત્રનો ઉપયોગ કર્યો છે. પરંતુ ઈશ્વર યહૂદીઓને ભૂલી ગયા નથી, જેમને કુદરતી છોડ તરીકે બોલાવવામાં આવ્યા છે. ઈસુમાં વિશ્વાસ રાખનારા યહૂદીઓને પણ ઈશ્વર બચાવશે.
આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ
""શું ઈશ્વરે તેમના લોકોને નકારી કાઢયા છે? તે ક્યારેય ન થાઓ""
ઇઝરાએલ (ઇબ્રાહિમના શારીરિક વંશજો, ઈસહાક અને યાકૂબ) ઈશ્વરની યોજનાઓમાં ઇઝરાએલનું ભવિષ્ય છે કે નહિ, અથવા જો તેઓને મંડળી દ્વારા ઈશ્વરની યોજનાઓમાં બદલવામાં આવ્યા છે, તો તે અધ્યાય 9-11 માંનો એક મોટો ધર્મશાસ્ત્રનો મુદ્દો છે. આ શબ્દસમૂહ રોમનના આ વિભાગનો મહત્વપૂર્ણ ભાગ છે. એવું લાગે છે કે ઇઝરાએલ મંડળીથી અલગ રહે છે. આ નિષ્કર્ષ પર સર્વ વિદ્વાનો પહોંચતા નથી. તેઓએ હાલમાં ઈસુને તેમના મસીહા તરીકે નકારી કાઢયા હોવા છતાં, ઇઝરાએલે ઈશ્વરની કૃપા અને દયાને ખતમ કરી નથી. (જુઓ: ખ્રિસ્ત, મસીહ અને કૃપા, કૃપાળુ અને દયા, દયાળુ)
Romans 11:1
એક રાષ્ટ્ર તરીકે ઇઝરાએલે ઈશ્વરને નકારી કાઢયા હોવા છતાં, ઈશ્વર ઇચ્છે છે કે તેઓ સમજે કે તારણ કરણી વિના કૃપાથી આવે છે.
λέγω οὖν
હું, પાઉલ, પછી કહું છું
μὴ ἀπώσατο ὁ Θεὸς τὸν λαὸν αὐτοῦ
પાઉલ આ પ્રશ્ન પૂછે છે જેથી તે અન્ય યહૂદીઓ જેઓ નારાજ છે તેઓના પ્રશ્નોના જવાબ આપી શકે કે ઈશ્વરે તેમના લોકોમાં વિદેશીઓનો સમાવેશ કર્યો, જ્યારે યહૂદી લોકોના હૃદય કઠણ કરવામાં આવ્યા. (જુઓ: આલંકારિક પ્રશ્ન)
μὴ γένοιτο
તે શક્ય નથી! અથવા ""ચોક્કસપણે નહિ!"" આ અભિવ્યક્તિ ભારપૂર્વક નકારે છે કે આ થઈ શકે છે. તમે તમારી ભાષામાં સમાન અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકો છો જેનો તમે અહીં ઉપયોગ કરી શકો છો. તમે રોમનો 9:14 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.
φυλῆς Βενιαμείν
આ બિન્યામીનથી ઉતરી આવેલા વંશજોનો ઉલ્લેખ કરે છે, ઇઝરાએલના લોકોને વિભાજિત કરેલા 12 જાતિઓમાંથી એક.
Romans 11:2
ὃν προέγνω
જેને તે સમય પહેલા જાણતો હતો
οὐκ οἴδατε ἐν Ἠλείᾳ τί λέγει ἡ Γραφή, ὡς ἐντυγχάνει τῷ Θεῷ κατὰ τοῦ Ἰσραήλ
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે એલિયાએ ઇઝરાએલની વિરુદ્ધ ઈશ્વરને વિનંતી કરી ત્યારે શાસ્ત્રવચનો શું નોંધે છે તે ચોક્કસપણે તમે જાણો છો"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
τί λέγει ἡ Γραφή
પાઉલ શાસ્ત્રનો ઉલ્લેખ એ રીતે કરી રહ્યા છે જાણે તેઓ બોલવામાં સક્ષમ હોય. (જુઓ: વ્યક્તિનો અવતાર)
Romans 11:3
ἀπέκτειναν
તેઓ ઇઝરાએલના લોકોને સૂચવે છે.
κἀγὼ ὑπελείφθην μόνος
અહીં ""હું"" સર્વનામ એલિયાનો ઉલ્લેખ કરે છે.
ζητοῦσιν τὴν ψυχήν μου
મને મારી નાખવાની ઇચ્છા છે
Romans 11:4
ἀλλὰ τί λέγει αὐτῷ ὁ χρηματισμός
પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ વાચકને તેની આગામી મુદ્દા પર લાવવા માટે કરી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેનો જવાબ કેવી રીતે આપે છે?"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
αὐτῷ
તેને"" સર્વનામ એલિયાનો ઉલ્લેખ કરે છે.
ἑπτακισχιλίους ἄνδρας
7,000 પુરુષો (જુઓ: સંખ્યાઓ)
Romans 11:5
λῖμμα
અહીં આનો અર્થ લોકોનો નાનો ભાગ છે જેઓ ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરે એવું તેમણે પસંદ કર્યું.
Romans 11:6
εἰ δὲ χάριτι
પાઉલ ઈશ્વરની કૃપા કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવવાનું ચાલુ રાખે છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ ઈશ્વરની દયા કૃપા દ્વારા કાર્ય કરે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 11:7
τί οὖν
આપણે શું તારણ કાઢવું જોઈએ? પાઉલ આ પ્રશ્ન તેના વાચકને તેના પછીના મુદ્દા પર લાવવા પૂછે છે. તમે એક નિવેદન તરીકે તેનું અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""આ એ જ છે જેને આપણે યાદ રાખવાની જરૂર છે"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Romans 11:8
ἔδωκεν αὐτοῖς ὁ Θεὸς πνεῦμα κατανύξεως, ὀφθαλμοὺς τοῦ μὴ βλέπειν, καὶ ὦτα τοῦ μὴ ἀκούειν
લોકો આત્મિક રીતે નિસ્તેજ છે તે તથ્ય વિશેનું આ એક રૂપક છે. તેઓ આત્મિક સત્ય સાંભળવા અથવા પ્રાપ્ત કરવામાં સક્ષમ નથી. (જુઓ: રૂપક)
πνεῦμα κατανύξεως
અહીં આનો અર્થ ""ની લાક્ષણિકતાઓ હોવી,"" જેવી કે ""જ્ઞાનનો આત્મા"" થાય છે.
ὀφθαλμοὺς τοῦ μὴ βλέπειν
કોઈની આંખોથી જોવાના ખ્યાલની સમજણ મેળવવા માટે સમાન માનવામાં આવતી હતી.
ὦτα τοῦ μὴ ἀκούειν
કોઈના કાનોથી સંભાળવાના ખ્યાલનું આજ્ઞાપાલન મેળવવા માટે સમાન માનવામાં આવતી હતી.
Romans 11:9
γενηθήτω ἡ τράπεζα αὐτῶν εἰς παγίδα, καὶ εἰς θήραν
અહીં કોષ્ટક એક રૂપક છે જે મેજનું પ્રતિનિધિત્વ કરે છે, અને ""જાળ"" અને ""પાશ"" ઉપનામ છે જે શિક્ષાને રજૂ કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કૃપા કરીને ઈશ્વર, તેમની મેજને જાળ જેવી બનાવે જે તેમને પકડે"" (જુઓ: ઉપનામ અને રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
σκάνδαλον
ઠોકર"" એ એવી કોઈ પણ વસ્તુ છે જેનાથી વ્યક્તિ લપસી જાય છે જેથી તે નીચે પડી જાય. અહીં તે કંઈક એવું પ્રતિનિધિત્વ કરે છે જે વ્યક્તિને પાપ માટે લલચાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""એવું કંઈક જે તેમને પાપ માટે લલચાવશે"" (જુઓ: રૂપક)
ἀνταπόδομα αὐτοῖς
કંઈક કે જે તમને તેમના પર બદલો લેવા માટે પરવાનગી આપે છે
Romans 11:10
τὸν νῶτον αὐτῶν διὰ παντὸς σύνκαμψον
ગુલામોને તેમની પીઠ પર ભારે ભાર વહન કરવા દબાણ કરવા માટે અહીં ""તેઓની પીઠ વાંકી વાળ"" એ એક ઉપનામ છે. તેઓને પીડા આપવા માટેનું આ એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને ભારે ભાર વહન કરતા લોકોની જેમ પીડા કરો"" (જુઓ: ઉપનામ અને રૂપક)
Romans 11:11
ઇઝરાએલે રાષ્ટ્ર તરીકે ઈશ્વરને નકારી કાઢતાં, પાઉલ વિદેશી લોકોને ચેતવણી આપે છે કે તેઓ સમાન ભૂલ ન કરે તેની કાળજી લે.
μὴ ἔπταισαν ἵνα πέσωσιν
પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભાર ઉમેરવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""શું તેઓએ પાપ કર્યું હોવાને કારણે ઈશ્વરે તેમને કાયમ માટે નકારી કાઢ્યા છે?"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
μὴ γένοιτο
તે શક્ય નથી! અથવા ""ચોક્કસપણે નહિ!"" આ અભિવ્યક્તિ ભારપૂર્વક નકારે છે કે આ થઈ શકે છે. તમારી ભાષામાં સમાન અભિવ્યક્તિ હોઈ શકે છે જેનો તમે અહીં ઉપયોગ કરી શકો છો. તમે રોમનો 9:14 માં તેનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.
παραζηλῶσαι
તમે રોમનો 10:19 આ શબ્દસમૂહનું અનુવાદ માં કેવી રીતે કર્યું છે તે જુઓ.
Romans 11:12
εἰ…τὸ παράπτωμα αὐτῶν, πλοῦτος κόσμου, καὶ τὸ ἥττημα αὐτῶν, πλοῦτος ἐθνῶν
આ બંને વાક્યનો અર્થ મૂળભૂત રીતે સમાન છે. જો તમને જરૂર હોય, તો તમે તેને તમારા અનુવાદમાં જોડી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે યહૂદીઓ આધ્યાત્મિક રીતે નિષ્ફળ ગયા, ત્યારે પરિણામ એ આવ્યું કે ઈશ્વરે બિન-યહૂદીઓને પુષ્કળ આશીર્વાદ આપ્યા"" (જુઓ: બેવડું/બમણાં)
πλοῦτος κόσμου
કારણ કે યહૂદીઓએ ખ્રિસ્તને નકારી કાઢયા, તેથી ઈશ્વરે વિદેશીઓને ખ્રિસ્તને ગ્રહણ કરવાની તક આપી ખૂબ આશીર્વાદ આપ્યો.
κόσμου
અહીં ""જગત"" એક ઉપ્ન્સ્સ્મ છે જે વિશ્વમાં રહેતા લોકો, ખાસ કરીને વિદેશી લોકોનો ઉલ્લેખ કરે છે.
Romans 11:14
παραζηλώσω
તમે રોમનો 10:19 માં આ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.
μου τὴν σάρκα
આ ""મારા સાથી યહૂદીઓ"" નો ઉલ્લેખ કરે છે.
καὶ σώσω τινὰς ἐξ αὐτῶν
ઈશ્વર વિશ્વાસ કરનારાઓને બચાવશે. વૈકલ્પિક અનુવાદ: ""કદાચ કેટલાક માને છે અને ઈશ્વર તેમને બચાવે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 11:15
εἰ γὰρ ἡ ἀποβολὴ αὐτῶν καταλλαγὴ κόσμου
કારણ કે ઈશ્વરે તેમને નકારી કાઢયા છે માટે તેઓ બાકીના જગતનું પોતાની સાથે સમાધાન કરશે
ἡ ἀποβολὴ αὐτῶν
તેમના"" સર્વનામ એ યહૂદી અવિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે
κόσμου
અહીં ""જગત"" એ લોકો કે જેઓ જગતમાં રહે છે તેઓ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જગતમાંના લોકો"" (જુઓ: ઉપનામ)
τίς ἡ πρόσλημψις εἰ μὴ ζωὴ ἐκ νεκρῶν
પાઉલ આ પ્રશ્ન પર ભાર મૂકે છે કે જ્યારે ઈશ્વર યહૂદીઓનો સ્વીકાર કરશે, ત્યારે તે એક અદભૂત વસ્તુ હશે. તમે તેને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે ઈશ્વર તેમને સ્વીકારે છે ત્યારે તે કેવી રીતે થશે? એવું થશે કે તેઓ મરેલામાંથી જીવનમાં પાછા આવ્યા છે!"" અથવા ""પછી જ્યારે ઈશ્વર તેમને સ્વીકારે છે, ત્યારે તે મૃત્યુ પામ્યા છે અને ફરીથી જીવંત બનશે એવું થશે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
νεκρῶν
આ શબ્દો અધોલોકમાંના સર્વ મૃત લોકો વિશે વાત કરે છે.
Romans 11:16
εἰ δὲ ἡ ἀπαρχὴ ἁγία, καὶ τὸ φύραμα;
પાઉલ ઇઝરાએલના પૂર્વજો ઇબ્રાહિમ, ઈસહાક અને યાકૂબ વિશે એ રીતે બોલી રહ્યાં છે જાણે તેઓ લણવામાં આવેલા પ્રથમ અનાજ અથવા ""પ્રથમ ફળ"" જેવા હોય. તે અનાજમાંથી બનાવેલા ""લોટના લોંદા"" સમાન હોય. વૈકલ્પિક અનુવાદ: ""જો ઇબ્રાહિમની ગણતરી ઈશ્વરને અર્પણ કરવામાં આવેલ પ્રથમ તરીકે કરવામાં આવે, તો તે પછીના આપણા સર્વ પૂર્વજો પણ ઈશ્વરની માલિકી તરીકે ગણાવા જોઈએ"" (જુઓ: રૂપક)
εἰ ἡ ῥίζα ἁγία, καὶ οἱ κλάδοι
પાઉલ ઇઝરાએલના પૂર્વજો ઇબ્રાહિમ, ઈસહાક અને યાકૂબ વિશે એ રીતે બોલે છે જાણે તેઓ કોઈ વૃક્ષના મૂળ હોય, અને ઇઝરાએલીઓ જેઓ તે માણસોના વંશજો છે તેઓ વિશે પણ એ રીતે બોલી રહ્યાં છે જાણે તેઓ વૃક્ષની ""ડાળીઓ"" હોય. (જુઓ: રૂપક)
ἁγία
લોકો હંમેશા તેઓએ લણેલા પ્રથમ પાકને ઈશ્વરને સમર્પિત કરતાં હતા. અહીં ""પ્રથમ ફળ"" ખ્રિસ્તમાં પ્રથમ વિશ્વાસ કરનારા લોકો માટે વપરાય છે. (જુઓ: રૂપક)
Romans 11:17
σὺ δὲ ἀγριέλαιος ὢν
તમે"" સર્વનામ અને ""એક જંગલી જૈતૂન ડાળી"" જે શબ્દસમૂહ છે તે વિદેશી લોકોનો ઉલ્લેખ કરે છે જેમણે ઈસુ દ્વારા તારણનો સ્વીકાર કર્યો છે. (જુઓ: તમેનાં સ્વરૂપો અને રૂપક)
εἰ δέ τινες τῶν κλάδων ἐξεκλάσθησαν
અહીં પાઉલ એવા યહૂદીઓનો ઉલ્લેખ કરે છે જેમણે ઈસુને ""તૂટેલી ડાળીઓ"" તરીકે નકારી કાઢ્યા હતા. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ જો કોઈ કેટલીક ડાળીઓ તોડી નાખે"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐνεκεντρίσθης ἐν αὐτοῖς
અહીં પાઉલ વિદેશી ખ્રિસ્તીઓની વાત કરે છે જાણે કે તેઓ ""કલમવાળી ડાળીઓ"" હોય. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""બાકીની ડાળીઓમાં ઈશ્વર તમને વૃક્ષ સાથે જોડે છે"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τῆς ῥίζης τῆς πιότητος τῆς ἐλαίας ἐγένου
અહીં ""સમૃદ્ધ જડ"" એક રૂપક છે જે ઈશ્વરના વચનોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: રૂપક)
Romans 11:18
μὴ κατακαυχῶ τῶν κλάδων
અહીં ""ડાળીઓ"" એક રૂપક છે જે યહૂદી લોકો માટે વપરાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે નકારી કાઢેલા યહૂદી લોકો કરતા તમે સારા છો એમ ન બોલો"" (જુઓ: રૂપક)
οὐ σὺ τὴν ῥίζαν βαστάζεις, ἀλλὰ ἡ ῥίζα σέ
ફરીથી પાઉલ સૂચવે છે કે વિદેશી વિશ્વાસીઓ ડાળીઓ છે. ઈશ્વર યહૂદીઓ સાથે કરેલા કરારના વચનોને લીધે જ તેમને બચાવે છે. (જુઓ: રૂપક)
Romans 11:19
ἐξεκλάσθησαν κλάδοι
અહીં ""ડાળીઓ"" એ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે જેમણે ઈસુને નકારી કાઢયા અને જેને ઈશ્વર હવે નકારી ચૂક્યા છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે ડાળીઓ તોડી"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐγὼ ἐνκεντρισθῶ
પાઉલ આ વાક્યનો ઉપયોગ વિદેશી વિશ્વાસીઓ જેઓને ઈશ્વર સ્વીકારે છે તેઓનો ઉલ્લેખ કરવા માટે કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તે કદાચ મને જોડશે"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 11:20
…ἐξεκλάσθησαν
ઉપનામ ""તેમના"" અને ""તેઓ"" એવા યહૂદી લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ વિશ્વાસ કરતાં ન હતા.
σὺ δὲ τῇ πίστει ἕστηκας
પાઉલ વિદેશી વિશ્વાસુઓને વિશ્વાસુ રહેવાની વાત કરે છે જાણે કે તેઓ દ્રઢ ઊભા હોય અને કોઈ તેમને ખસેડી શકશે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તમે તમારા વિશ્વાસના લીધે રહ્યા છો"" (જુઓ: રૂપક)
Romans 11:21
εἰ γὰρ ὁ Θεὸς τῶν κατὰ φύσιν κλάδων οὐκ ἐφείσατο, οὐδὲ σοῦ φείσεται
અહીં ""અસલ ડાળીઓ"" એ ઈસુને નકારી કાઢનારા યહૂદી લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે ઈશ્વરે જડમાંથી નીકળેલા વૃક્ષની અસલ ડાળીઓની જેમ ઉછરેલા એવા અવિશ્વાસુ યહૂદીઓને બક્ષ્યા નહિ, તો પછી જાણો, જો તમે વિશ્વાસ કરતા નથી, તો તેઓ તમને પણ છોડશે નહિ (જુઓ: રૂપક)
Romans 11:22
χρηστότητα καὶ ἀποτομίαν Θεοῦ
પાઉલ યહૂદી વિશ્વાસીઓને યાદ અપાવે છે કે ઈશ્વર તેમના પ્રત્યે ખૂબ જ માયાળુ વર્તન કરી શકે છે, તેમ છતાં, તેઓ ન્યાય અને શિક્ષા કરવામાં અચકાશે નહિ.
ἐπὶ μὲν τοὺς πεσόντας, ἀποτομία; ἐπὶ…σὲ, χρηστότης Θεοῦ
અમૂર્ત નામો ""સખતાઈ"" અને ""દયા"" દૂર કરવા માટે તેને ફરીથી ગોઠવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે યહૂદીઓ પડ્યા હતા તેમની સાથે ઈશ્વર કઠોર વ્યવહાર કરે છે ... પણ ઈશ્વર તમારી પ્રત્યે દયાળુ રીતે વર્તે છે"" (જુઓ: અમૂર્ત નામો)
τοὺς πεσόντας
જે ખોટું છે તે કરવાને જાણે નીચે પડી જવા સમાન બોલવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદીઓ કે જેમણે ખોટું કર્યું છે"" અથવા ""યહૂદીઓ કે જેમણે ખ્રિસ્તમાં વિશ્વાસ કરવાનો ઇનકાર કર્યો છે"" (જુઓ: રૂપક)
ἐὰν ἐπιμένῃς τῇ χρηστότητι
અમૂર્ત નામ ""દયા"" ને દૂર કરવા માટે તેને ફરીથી દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે યોગ્ય કરવાનું ચાલુ રાખશો જેથી તે તમારા પ્રત્યે દયાળુ રહવાનું જારી રાખે"" (જુઓ: અમૂર્ત નામો)
ἐπεὶ καὶ σὺ ἐκκοπήσῃ
પાઉલ ફરીથી એક ડાળીના રૂપકનો ઉપયોગ કરે છે, જેની જરૂર હોય તો ઈશ્વર તેને ""કાપી"" શકે છે. અહીં કોઈનો અસ્વીકાર કરવા માટે ""કાપવું"" એ એક રૂપક છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""અન્યથા ઈશ્વર તમને કાપી નાખશે"" અથવા ""અન્યથા ઈશ્વર તમને નકારી કાઢશે"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 11:23
ἐὰν μὴ ἐπιμένωσι τῇ ἀπιστίᾳ
તેમના અવિશ્વાસમાં આગળ વધશો નહિ"" આ શબ્દસમૂહ બેવડું નકારાત્મક છે. તમે તેનું હકારાત્મક સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જો યહૂદીઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવાનું શરૂ કરે છે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
ἐνκεντρισθήσονται
પાઉલ યહૂદીઓ વિશે બોલે છે જાણે કે તેઓ ડાળીઓ હોય કે જેને પાછા વૃક્ષમાં કલમ બનાવી શકાય, જો તેઓ ઈસુમાં વિશ્વાસ કરવાની શરૂઆત કરે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેમને ફરીથી કલમ કરશે"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐνκεντρίσαι
આ એક સામાન્ય પ્રક્રિયા છે જ્યાં એક વૃક્ષની જીવંત ડાળીના અંતને બીજા વૃક્ષમાં દાખલ કરવામાં આવે છે જેથી તે વૃક્ષમાં નવી ડાળી વધતી રહે.
κἀκεῖνοι…αὐτούς
તેઓ"" અથવા ""તેમને"" ની બધી ઘટનાઓ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે.
Romans 11:24
εἰ γὰρ σὺ ἐκ τῆς κατὰ φύσιν ἐξεκόπης ἀγριελαίου, καὶ παρὰ φύσιν ἐνεκεντρίσθης εἰς καλλιέλαιον, πόσῳ μᾶλλον οὗτοι, οἱ κατὰ φύσιν ἐνκεντρισθήσονται τῇ ἰδίᾳ ἐλαίᾳ
પાઉલ વિદેશી વિશ્વાસીઓ અને યહૂદીઓ વિશે બોલતા રહે છે જાણે કે તેઓ કોઈ વૃક્ષની ડાળીઓ હોય. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે જો ઈશ્વરે તમને કુદરતી રીતે જંગલી જૈતૂનના વૃક્ષ પરથી કાપી કાઢ્યા, અને કુદરતની વિરુદ્ધ સારા જૈતૂનના વૃક્ષમાં કલમ કર્યા, તો કેટલુ વિશેષે કરીને તેઓ આ યહૂદીઓ, જેઓ અસલ ડાળીઓ છે, તેઓને પોતાના જૈતૂનના વૃક્ષમાં કલમ કરશે?"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
οἱ κατὰ φύσιν
પાઉલ યહૂદીઓ અને વિદેશી લોકોની વાત કરી રહ્યો છે જાણે કે તેઓ ડાળીઓ હોય. ""અસલ ડાળીઓ"" યહૂદીઓને રજૂ કરે છે, અને ""કલમવાળી ડાળીઓ"" વિદેશી વિશ્વાસીઓને રજૂ કરે છે. (જુઓ: રૂપક)
Romans 11:25
οὐ…θέλω ὑμᾶς ἀγνοεῖν
અહીં પાઉલ બેવડાં નકારાત્મકનો ઉપયોગ કરે છે. તમે તેનું હકારાત્મક સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને ખૂબ સચેત કરવા માંગું છું"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
ἀδελφοί
અહીં ""ભાઈઓ"" નો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.
θέλω
હું"" સર્વનામ પાઉલનો ઉલ્લેખ કરે છે.
ὑμᾶς…ἦτε…ἑαυτοῖς
તમે"" અને ""તમારા"" સર્વનામો વિદેશી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.
ἵνα μὴ ἦτε παρ’ ἑαυτοῖς φρόνιμοι
પાઉલ ઇચ્છતો નથી કે વિદેશી વિશ્વાસીઓ માને કે તેઓ યહૂદી વિશ્વાસીઓ કરતાં વધારે સમજદાર છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી તમે ન વિચારો કે તમે તમારા કરતા વધારે બુદ્ધિશાળી છો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
πώρωσις ἀπὸ μέρους τῷ Ἰσραὴλ γέγονεν
પાઉલ ""કઠિનતા"" અથવા હઠીલાપણાની વાત કરે છે જાણે કે શરીરમાં શારીરિક અવયવો કઠિન હોય. કેટલાક યહૂદીઓએ ઈસુ દ્વારા તારણ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""ઇઝરાએલના ઘણા લોકો હઠીલા રહે છે"" (જુઓ: રૂપક)
ἄχρι οὗ τὸ πλήρωμα τῶν ἐθνῶν εἰσέλθῃ
અહીં ""ત્યાં સુધી"" શબ્દ સૂચવે છે કે ઈશ્વર મંડળીમાં વિદેશીઓને લાવવાનું સમાપ્ત કરશે પછી કેટલાક યહૂદીઓ માનશે.
Romans 11:26
પાઉલ કહે છે કે એક છોડાવનાર ઇઝરાએલથી ઈશ્વરના મહિમા માટે બહાર આવે છે.
καὶ οὕτως πᾶς Ἰσραὴλ σωθήσεται
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આમ ઈશ્વર સર્વ ઇઝરાએલને બચાવશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
καθὼς γέγραπται
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેમ શાસ્ત્રો નોંધ કરે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐκ Σιὼν
અહીં ઈશ્વર જીવે છે તે સ્થળ માટે ""સિયોન"" નો ઉપયોગ ઉપનામ તરીકે થયો છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાંથી ઈશ્વર યહૂદીઓની મધ્યે છે"" (જુઓ: ઉપનામ)
ὁ ῥυόμενος
એક જેઓ તેમના લોકોને સલામતીમાં લાવે છે
ἀποστρέψει ἀσεβείας
પાઉલ અધર્મ વિશે એવી રીતે બોલે છે જાણે તે કોઈ એવી વસ્તુ હોય જેને દૂર કરી શકાતી હોય, જાણે કે કોઈ વસ્ત્રોને દૂર કરે છે. (જુઓ: રૂપક)
ἀπὸ Ἰακώβ
અહીં ""યાકૂબ"" નો ઉપયોગ ઇઝરાએલ માટેના ઉપનામ તરીકે થયો છે. વૈકલ્પિક અનુવાદ: ""ઇઝરાએલી લોકો તરફથી"" (જુઓ: ઉપનામ)
Romans 11:27
ἀφέλωμαι τὰς ἁμαρτίας αὐτῶν
અહીં પાઉલ પાપોની વાત કરે છે જાણે કે તે પદાર્થો છે જેને કોઈ લઈ શકતું હોય. વૈકલ્પિક અનુવાદ: ""હું તેમના પાપોનો ભાર દૂર કરીશ"" (જુઓ: રૂપક)
Romans 11:28
κατὰ μὲν τὸ εὐαγγέλιον
તમે સ્પષ્ટ કરી શકો છો કે શા માટે પાઉલે સુવાર્તાનો ઉલ્લેખ કર્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે યહૂદીઓએ સુવાર્તાનો નકાર કર્યો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἐχθροὶ δι’ ὑμᾶς
તમે સ્પષ્ટ કરી શકો છો કે તેઓ કોના દુશ્મન છે, અને વિદેશી લોકો માટે કેવું હતું. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ તમારા માટે ઈશ્વરના શત્રુ છે"" અથવા ""ઈશ્વર તેઓને શત્રુ તરીકે માની રહ્યા છે કે જેથી તમે પણ સુવાર્તા સાંભળો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
κατὰ…τὴν ἐκλογὴν
તમે સ્પષ્ટ કરી શકો છો કે શા માટે પાઉલ ચૂંટણીનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે ઈશ્વરે યહૂદીઓની પસંદગી કરી છે"" અથવા ""કારણ કે ઈશ્વરે યહૂદીઓને પસંદ કર્યા છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἀγαπητοὶ διὰ τοὺς πατέρας
તમે સ્પષ્ટ કરી શકો છો કે યહૂદીઓને કોણ ચાહે છે અને શા માટે પાઉલ તેમના પૂર્વજોનો ઉલ્લેખ કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં પણ અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમના પૂર્વજોને જે કરવાનું વચન આપ્યું હતું તેના કારણે ઈશ્વર હજુ પણ તેમને પ્રેમ કરે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 11:29
ἀμεταμέλητα γὰρ τὰ χαρίσματα καὶ ἡ κλῆσις τοῦ Θεοῦ
પાઉલ ઈશ્વરે જે આત્મિક અને ભૌતિક આશીર્વાદોનું વચન તેમના લોકોને આપ્યું હતું એ વિશે એવી રીતે વાત કરે છે જાણે તેઓ ભેટ હોય. ઈશ્વરનું તેડું એ હકીકતનો ઉલ્લેખ કરે છે કે ઈશ્વરે યહૂદીઓને તેમના લોકો બનાવવા માટે તેડું આપ્યું. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેઓને જે આપવાનું વચન આપ્યું છે તેના વિશે અને તેઓને તેમના લોકો બનવા કેવી રીતે બોલાવ્યાં છે તેના વિશે તેમનો વિચાર ક્યારેય બદલાયો નથી"" (જુઓ: રૂપક અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 11:30
ὑμεῖς ποτε ἠπειθήσατε
તમે ભૂતકાળમાં પાલન ન કર્યું
ἠλεήθητε τῇ τούτων ἀπειθείᾳ
અહીં દયાનો અર્થ ઈશ્વરના આશીર્વાદો જેના માટે આપણે લાયક નહોતા. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદીઓએ ઈસુને નકારી કાઢ્યા છે તે માટે જેને તમે લાયક નથી તમને તે આશીર્વાદો મળ્યા છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ὑμεῖς
આ વિદેશી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે, અને તે બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)
Romans 11:32
συνέκλεισεν…ὁ Θεὸς τοὺς πάντας εἰς ἀπείθειαν
જે લોકો જેલમાંથી છટકી શકતા નથી તેવા કેદીઓની જેમ જેઓ ઈશ્વરનો અનાદર કરે છે તેવા લોકો સાથે ઈશ્વર વર્ત્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેમની આજ્ઞાભંગ કરનારાઓને કેદીઓ બનાવ્યા છે. હવે તેઓ ઈશ્વરને અવગણવું રોકી શકતા નથી"" (જુઓ: રૂપક)
Romans 11:33
ὦ βάθος πλούτου, καὶ σοφίας καὶ γνώσεως Θεοῦ
અહીં ""ડહાપણ"" અને ""જ્ઞાન"" નો અર્થ મૂળરૂપે સમાન છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરના ડહાપણ અને જ્ઞાન બંનેના ઘણા હિત કેટલા આશ્ચર્યજનક છે!"" (જુઓ: બેવડું/બમણાં)
ὡς ἀνεξεραύνητα τὰ κρίματα αὐτοῦ, καὶ ἀνεξιχνίαστοι αἱ ὁδοὶ αὐτοῦ
તેમણે નક્કી કરેલી બાબતોને સમજવામાં અને તેઓ આપણી સાથે જે રીતે વર્તે છે તે માર્ગો શોધવા માટે આપણે સંપૂર્ણપણે અસમર્થ છીએ
Romans 11:34
τίς γὰρ ἔγνω νοῦν Κυρίου, ἢ τίς σύμβουλος αὐτοῦ ἐγένετο
પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભાર મૂકવા માટે કરે છે કે કોઈ પણ ઈશ્વર જેટલું જ્ઞાની નથી. તમે એક નિવેદન તરીકે તેનું અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરના મનને કોઈએ ક્યારેય જાણ્યું નથી, અને કોઈ તેનો સલાહકાર બન્યો નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
νοῦν Κυρίου
અહીં ""મન"" વસ્તુઓને જાણવાની અથવા વસ્તુઓ વિશે વિચારવા માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ તે બધું જાણે છે"" અથવા ""તે વિશે પ્રભુ શું વિચારે છે"" (જુઓ: ઉપનામ)
Romans 11:35
ἢ τίς προέδωκεν αὐτῷ, καὶ ἀνταποδοθήσεται αὐτῷ
પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ તેના મુદ્દા પર ભાર મૂકવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરને કોઈએ ક્યારેય એવું કંઈપણ આપ્યું નથી જે તેણે ઈશ્વર પાસેથી પ્રથમ પ્રાપ્ત કર્યું ન હોય"" (જુઓ: આલંકારિક પ્રશ્ન) * માટે તેમના તરફથી ... તેમના દ્વારા ... તેમને - અહીં, ""તેમને"" ની સર્વ ઘટનાઓ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.
Romans 11:36
αὐτῷ ἡ δόξα εἰς τοὺς αἰῶνας
આ સર્વ લોકો ઈશ્વરનું સન્માન કરવાની પાઉલની ઇચ્છાને વ્યક્ત કરે છે. તમે તમારા અનુવાદમાં આ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""સર્વ લોકો તેમનું કાયમ સન્માન કરે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 12
રોમનો 12 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું વધુ સરળ બને. યુએલટી આ કલમ 20 ના શબ્દોમાં કરે છે, જે જૂના કરારના શબ્દો છે.
ઘણા વિદ્વાનો માને છે કે પાઉલ રોમનો 12:1 માં 1-11 બધા અધ્યાયોનો ઉલ્લેખ કરવા માટે ""તેથી"" શબ્દનો ઉપયોગ કરે છે. ખ્રિસ્તી સુવાર્તાને કાળજીપૂર્વક સમજાવ્યા પછી, પાઉલે હવે સમજાવ્યું કે ખ્રિસ્તીઓને આ મહાન સત્યના પ્રકાશમાં કેવી રીતે જીવવું જોઈએ. અધ્યાય 12-16 ખ્રિસ્તી વિશ્વાસમાં જીવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વ્યવહારુ સૂચનાઓ આપવા માટે પાઉલ આ અધ્યાયોમાં ઘણા વિવિધ આદેશોનો ઉપયોગ કરે છે. (જુઓ: વિશ્વાસ/શ્રદ્ધા)
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
ખ્રિસ્તી જીવન
મૂસાના નિયમ હેઠળ, લોકોને ભક્તિસ્થાનમાં પ્રાણીઓ અથવા અનાજના અર્પણો ચઢાવવા જરૂરી હતા. હવે ખ્રિસ્તીઓએ ઈશ્વરને બલિદાનના પ્રકાર તરીકે પોતાનું જીવન જીવવું જરૂરી છે. શારીરિક બલિદાનની હવે જરૂર નથી. (જુઓ: નિયમ/કાયદો/કાનૂન, મુસાનો નિયમ, યહોવાનો નિયમ, ઈશ્વરનો નિયમ)
આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર
ખ્રિસ્તનું શરીર
ખ્રિસ્તનું શરીર મંડળીનો ઉલ્લેખ કરવા માટે શાસ્ત્રમાં ઉપયોગમાં લેવાયેલ એક મહત્વપૂર્ણ રૂપક અથવા છબી છે. દરેક મંડળીના સભ્ય એક અનન્ય અને મહત્વપૂર્ણ કાર્ય કરે છે. ખ્રિસ્તીઓને એકબીજાની જરૂર છે. (જુઓ: શરીર, શરીરો અને રૂપક)
Romans 12:1
પાઉલ જણાવે છે કે વિશ્વાસીનું જીવન કેવું હોવું જોઈએ અને વિશ્વાસીઓએ કેવી રીતે સેવા કરવી જોઈએ.
παρακαλῶ οὖν ὑμᾶς, ἀδελφοί, διὰ τῶν οἰκτιρμῶν τοῦ Θεοῦ
અહીં ""ભાઈઓ"" એ સાથી વિશ્વાસીઓનો, પુરુષ અને સ્ત્રી બંનેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""સાથી વિશ્વાસીઓ, ઈશ્વરે તમને આપેલી મહાન દયાને કારણે હું તમને ખૂબ ઇચ્છું છું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
παραστῆσαι τὰ σώματα ὑμῶν θυσίαν ζῶσαν
અહીં પાઉલ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે ""શરીરો"" શબ્દનો ઉપયોગ કરે છે. પાઉલ ખ્રિસ્તમાંના વિશ્વાસી જેઓ ઈશ્વરની સંપૂર્ણ આજ્ઞાનું પાલન કરે છે તેની તુલના યહૂદીઓએ મારી નાખી અને પછી ઈશ્વરને અર્પણ કરેલા પ્રાણીઓ સાથે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જીવંત છો ત્યારે તમારી જાતનું સંપૂર્ણ અર્પણ ઈશ્વરને કરો જાણે કે તમે ભક્તિસ્થાનની વેદી પરનું મૃત બલિદાન હોવ તેમ કરો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર અને રૂપક)
ἁγίαν, εὐάρεστον, τῷ Θεῷ
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તમે એકલા ઈશ્વરને જ બલિદાન આપો અને તે તેમને ખુશ કરે છે"" અથવા 2) ""ઈશ્વરને સ્વીકાર્ય છે કારણ કે તે નૈતિક રીતે શુદ્ધ છે"" (જુઓ: બેવડું/બમણાં)
τὴν λογικὴν λατρείαν ὑμῶν
ઈશ્વરની ઉપાસના કરવાનો આ યોગ્ય માર્ગ છે
Romans 12:2
μὴ συνσχηματίζεσθε τῷ αἰῶνι τούτῳ
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જગત જેમ વર્તે છે તેમ વર્તન ન કરો"" અથવા 2) ""જગત જે રીતે કરે છે તેવું ન વિચારો."" (જુઓ: રૂપક)
μὴ συνσχηματίζεσθε τῷ αἰῶνι τούτῳ
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તમારે શું કરવાનું છે અને શું વિચારવાનું છે તે તમને જગત ના જણાવે"" અથવા 2) ""જગત જે કરે છે તે કરવા પોતાને મંજૂરી આપશો નહિ."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τῷ αἰῶνι τούτῳ
તે જગતમાં રહેતા અવિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)
ἀλλὰ μεταμορφοῦσθε τῇ ἀνακαινώσει τοῦ νοός
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તમે જે રીતે વિચારો અને વર્તન કરો છો તેને ઈશ્વરને બદલવા દો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 12:3
διὰ τῆς χάριτος τῆς δοθείσης μοι
અહીં ""કૃપા"" એ ઈશ્વરે પાઉલનો મંડળીના પ્રેરિત અને આગેવાન તરીકે પસંદ કર્યો તેનો ઉલ્લેખ કરે છે. તમે તમારા અનુવાદમાં આ સ્પષ્ટ કરી શકો છો. તમે તેનું સક્રિય સ્વરૂપમાં પણ અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે ઈશ્વરે મને મુક્તપણે પ્રેરિત તરીકે પસંદ કર્યો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
παντὶ τῷ ὄντι ἐν ὑμῖν, μὴ ὑπερφρονεῖν παρ’ ὃ δεῖ φρονεῖν
કે તમારામાંના કોઈએ એવું વિચારવું ન જોઇએ કે તેઓ અન્ય લોકો કરતા સારા છે
ἀλλὰ φρονεῖν εἰς τὸ σωφρονεῖν
પરંતુ તમારે તમારા વિશેના વિચારોમાં સમજદાર હોવું જોઈએ
ἑκάστῳ ὡς ὁ Θεὸς ἐμέρισεν μέτρον πίστεως
પાઉલ અહીં સૂચવે છે કે વિશ્વાસીઓની વિવિધ ક્ષમતાઓ છે જે ઈશ્વરમાં તેમના વિશ્વાસને અનુરૂપ છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે ઈશ્વરે તમારા તેમના પ્રત્યેના વિશ્વાસને કારણે તમને દરેકને જુદી જુદી ક્ષમતાઓ આપી છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 12:4
γὰρ
પાઉલે આ શબ્દનો ઉપયોગ એ બતાવવા માટે કર્યો કે તે સમજાવે છે કે કેમ કેટલાક ખ્રિસ્તીઓએ એમ ન માનવું જોઈએ કે તેઓ બીજાઓ કરતા સારા છે.
ἐν ἑνὶ σώματι, πολλὰ μέλη ἔχομεν
પાઉલ ખ્રિસ્તમાંના સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે જાણે કે તેઓ માનવ શરીરના જુદા જુદા અવયવો હોય. તે એમ સમજાવવા માટે આ કરે છે કે ભલે ખ્રિસ્તીઓ વિવિધ રીતે ખ્રિસ્તની સેવા કરી શકે, પણ દરેક વ્યક્તિ ખ્રિસ્તની છે અને મહત્વપૂર્ણ રીતે સેવા આપે છે. (જુઓ: રૂપક)
μέλη
આ આંખો, પેટ અને હાથ જેવી વસ્તુઓ છે.
Romans 12:5
τὸ δὲ καθ’ εἷς ἀλλήλων μέλη
પાઉલ વિશ્વાસીઓની વાત કરે છે જાણે કે ઈશ્વર શારીરિકરૂપે માનવ શરીરના અવયવોની જેમ તેમની સાથે જોડાયા હતા. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે દરેક વિશ્વાસીને બીજા વિશ્વાસીઓ સાથે જોડાયા છે"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 12:6
ἔχοντες δὲ χαρίσματα κατὰ τὴν χάριν τὴν δοθεῖσαν ἡμῖν διάφορα
પાઉલ ઈશ્વર તરફથી મફત દાન હોવા તરીકે વિશ્વાસીઓની વિવિધ ક્ષમતાઓની વાત કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે આપણામાંના દરેકને તેના માટે જુદી જુદી વસ્તુઓ કરવાની ક્ષમતા મુક્તપણે આપી છે"" (જુઓ: રૂપક)
κατὰ τὴν ἀναλογίαν τῆς πίστεως
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તેને એવી ભવિષ્યવાણીઓ કહેવા દો જે ઈશ્વરે આપણને આપેલી વિશ્વાસની માત્રાથી આગળ ન જાય"" અથવા 2) ""તેને એવી ભવિષ્યવાણીઓ બોલવા દો જે આપણા વિશ્વાસના ઉપદેશોથી સંમત છે.
Romans 12:8
ὁ μεταδιδοὺς
અહીં ""આપવું"" એ લોકોને નાંણા અને અન્ય વસ્તુઓ આપવાનો ઉલ્લેખ કરે છે. તમે તમારા અનુવાદમાં આ અર્થ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જો કોઈ પાસે જરૂરિયાતમંદ લોકોને નાણાં અથવા અન્ય વસ્તુઓ આપવાનું કૃપાદાન હોય તો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 12:9
ἡ ἀγάπη ἀνυπόκριτος
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તમારે લોકો પર ઢોંગ વગરનો અને ખરા અર્થમાં પ્રેમ રાખવો જોઈએ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἡ ἀγάπη
અહીં પાઉલ જે શબ્દનો ઉપયોગ કરે છે તે પ્રકારનો પ્રેમ ઉલ્લેખે છે કે જે ઈશ્વર તરફથી આવે છે અને બીજાના હિત પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને ફાયદો ન કરાવતું હોય.
ἡ ἀγάπη
આ બીજો શબ્દ છે જેનો અર્થ થાય છે ભાઈ અથવા મિત્ર અથવા પરિવારના સભ્યો માટેનો પ્રેમ. તે મિત્રો અથવા સંબંધીઓ વચ્ચેનો કુદરતી માનવીય પ્રેમ છે.
Romans 12:10
τῇ φιλαδελφίᾳ…φιλόστοργοι
અહીં પાઉલ નવ વસ્તુઓની સૂચિ શરૂ કરે છે, પ્રત્યેકમાં ""ને લગતું ... બનો"" વિશ્વાસીઓને કહેવા માટે કે તેઓ કયા પ્રકારનાં લોકો હોવા જોઈએ. તમારે કેટલીક બાબતોને ""ને લગતું ... કરો"" તરીકે અનુવાદ કરવાની જરૂર પડી શકે છે. સૂચિ રોમનો 12:13 સુધી ચાલુ રહે છે.
τῇ φιλαδελφίᾳ
કેવી રીતે તમે તમારા સાથી વિશ્વાસીઓને પ્રેમ કરો છો
φιλόστοργοι
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પ્રેમ બતાવો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τῇ τιμῇ ἀλλήλους προηγούμενοι
એક બીજાને માન અને આદર આપો અથવા ""તમારા સાથી વિશ્વાસીઓને માન આપીને તેમનો આદર કરો
Romans 12:11
τῇ σπουδῇ μὴ ὀκνηροί, τῷ πνεύματι ζέοντες, τῷ Κυρίῳ δουλεύοντες
તમારા ઉદ્યોગમાં આળસુ ન બનો, પરંતુ આત્માને અનુસરવા અને ઈશ્વરની સેવા કરવા ઉત્સાહી બનો
Romans 12:12
τῇ θλίψει ὑπομένοντες
જ્યારે પણ તમને સંકટ હોય ત્યારે ધીરજથી રાહ જુઓ
Romans 12:13
ταῖς χρείαις τῶν ἁγίων κοινωνοῦντες
આ સૂચિમાંની છેલ્લી વસ્તુ છે જેની શરૂઆત રોમન 12:9 માં થઈ હતી. ""જ્યારે સાથી ખ્રિસ્તીઓ મુશ્કેલીમાં હોય, ત્યારે તેમને જેની જરૂર હોય તે માટે મદદ કરો
τὴν φιλοξενίαν διώκοντες
જ્યારે તેમને રહેવા માટે જગ્યાની જરૂર હોય ત્યારે હંમેશા તમારા ઘરમાં તેમનું સ્વાગત કરો
Romans 12:16
τὸ αὐτὸ εἰς ἀλλήλους φρονοῦντες
આ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ એકતામાં રહેવું એમ થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""એક બીજા સાથે સંમત થાઓ"" અથવા ""એક બીજા સાથે એકતામાં રહો"" (જુઓ: રૂઢિપ્રયોગ)
μὴ τὰ ὑψηλὰ φρονοῦντες
એવું વિચારશો નહિ કે તમે બીજા કરતા વધારે મહત્વના છો
τοῖς ταπεινοῖς συναπαγόμενοι
મહત્વના ન લાગે તેવા લોકોનું સ્વાગત કરો
μὴ γίνεσθε φρόνιμοι παρ’ ἑαυτοῖς
પોતાને બીજા સર્વ કરતા વધારે બુદ્ધિમાન ન સમજો
Romans 12:17
μηδενὶ κακὸν ἀντὶ κακοῦ ἀποδιδόντες
કોઈએ જેણે તમારી સાથે ભૂંડાઈ કરી છે તેની સાથે ભૂંડું ન કરો
προνοούμενοι καλὰ ἐνώπιον πάντων ἀνθρώπων
એવી વસ્તુઓ કરો કે જેને દરેક જણ સારુ માને છે
Romans 12:18
τὸ ἐξ ὑμῶν, μετὰ πάντων ἀνθρώπων εἰρηνεύοντες
દરેક સાથે શાંતિથી રહેવા માટે તમે જે કંઈપણ કરી શકો તે કરો
Romans 12:19
δότε τόπον τῇ ὀργῇ
અહીં ""ક્રોધ"" એ ઈશ્વરની શિક્ષા માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને શિક્ષા કરવા માટે ઈશ્વરને મંજૂરી આપો"" (જુઓ: ઉપનામ)
γέγραπται γάρ
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે કોઈએ લખ્યું છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐμοὶ ἐκδίκησις; ἐγὼ ἀνταποδώσω
આ બે શબ્દસમૂહો મૂળભૂત રીતે સમાન વસ્તુનો અર્થ ધરાવે છે અને ભાર મૂકે છે કે ઈશ્વર તેમના લોકોનો બદલો લેશે. વૈકલ્પિક અનુવાદ: ""હું ચોક્કસપણે તમારો બદલો લઈશ"" (જુઓ: સમાંતરણ)
Romans 12:20
ὁ ἐχθρός σου, ψώμιζε αὐτόν;…πότιζε αὐτόν; τοῦτο γὰρ ποιῶν,…σωρεύσεις
તમે"" અને ""તમારા"" ના સર્વ સ્વરૂપો એક વ્યક્તિ તરીકે સંબોધવામાં આવ્યા છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)
ἀλλὰ ἐὰν πεινᾷ ὁ ἐχθρός σου, ψώμιζε αὐτόν; ἐὰν διψᾷ, πότιζε αὐτόν; τοῦτο γὰρ ποιῶν, ἄνθρακας πυρὸς σωρεύσεις ἐπὶ τὴν κεφαλὴν αὐτοῦ.
12:20 માં પાઉલ અધ્યાયનો બીજો ભાગ ટાંકે છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ શાસ્ત્રવચન એ પણ કહે છે કે, 'જો તમારો વૈરી ભૂખ્યો હોય ... તેના માથા ઉપર'
ψώμιζε αὐτόν
તેને થોડો ખોરાક આપો
ἄνθρακας πυρὸς σωρεύσεις ἐπὶ τὴν κεφαλὴν αὐτοῦ
પાઉલ વૈરીઓને પ્રાપ્ત થશે તેવા આશીર્વાદોની વાત કરે છે જાણે કોઈ તેમના માથા પર ધગધગતા અંગારા કરતા હોય. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જે વ્યક્તિએ તમને નુકસાન પહોંચાડ્યું છે તે દુ:ખ અનુભવે કે તેણે કેવી રીતે તમારી સાથે દુષ્કર્મ કર્યું છે"" અથવા 2) ""તમારા વૈરીનો વધુ કઠોરતાથી ન્યાય કરે માટે ઈશ્વરને એક કારણ આપો."" (જુઓ: રૂપક)
Romans 12:21
μὴ νικῶ ὑπὸ τοῦ κακοῦ, ἀλλὰ νίκα ἐν τῷ ἀγαθῷ τὸ κακόν
પાઉલ ""ભૂંડાઈ"" ને એ રીતે વર્ણવે છે જાણે તે એક વ્યક્તિ હોય. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ભૂંડા લોકો તમને પરાજિત ન કરે, પરંતુ જે સારું છે તે કરીને ભૂંડા લોકોને હરાવો"" (જુઓ: વ્યક્તિનો અવતાર અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
μὴ νικῶ ὑπὸ τοῦ κακοῦ, ἀλλὰ νίκα…τὸ κακόν
આ ક્રિયાપદોને એક વ્યક્તિ તરીકે સંબોધવામાં આવ્યા છે અને તેથી તે એકવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)
Romans 13
રોમનો 13 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
આ અધ્યાયના પહેલા ભાગમાં, પાઉલ ખ્રિસ્તીઓને તેમના પર અધિકાર કરનારા અધિકારીઓનું પાલન કરવાનું શીખવે છે. તે સમયે, અધર્મી રોમન અધિકારીઓ તે ભૂમિ પર શાસન કરતા હતા. (જુઓ: ઈશ્વરપરાયણ/ઈશ્વરીય, ધર્મનિષ્ઠા/ઈશ્વરપરાયણતા, અધર્મી, નાસ્તિક, નાસ્તિકતા/અનાસ્થા)
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
અધર્મી શાસકો
પાઉલ જયારે અધિકારીઓનું પાલન કરવાનું શીખવે છે, ત્યારે કેટલાક વાચકો માટે આ સમજવું મુશ્કેલ બનશે, ખાસ કરીને જ્યાં અધિકારીઓ મંડળીને સતાવે છે. ખ્રિસ્તીઓએ તેમના અધિકારીઓનું પાલન કરવું જોઈએ અને તેજ રીતે ઈશ્વરનું પાલન કરવું જોઈએ, જ્યાં સુધી અધિકારીઓ ખ્રિસ્તીઓને ઈશ્વર જે કરવાની સ્પષ્ટ આજ્ઞા આપે છે તે કરવા દેવાની મંજૂરી ન આપે ત્યાં સુધી. એવો સમય આવે છે જ્યારે વિશ્વાસીઓએ આ અધિકારીઓને આધીન રહેવું પડશે અને તેમના હાથનું ભોગવવું પડશે. ખ્રિસ્તીઓ સમજે છે કે આ જગત અસ્થાયી છે અને તેઓ અંતે ઈશ્વર સાથે કાયમ રહેશે. (જુઓ: અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ)
આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ
દેહ
આ એક જટિલ મુદ્દો છે. ""દેહ"" સંભવત આપણા પાપી સ્વભાવ માટેનું એક રૂપક છે. પાઉલ એવું શીખવતા નથી કે આપણા દૈહિક શરીર પાપી છે. પાઉલ એવું શીખવતા દેખાય છે કે જ્યાં સુધી ખ્રિસ્તીઓ જીવંત છે (""દેહમાં""), આપણે પાપ કરવાનું ચાલુ રાખીશું. પરંતુ આપણો નવો સ્વભાવ આપણા જૂના સ્વભાવ સામે લડશે. (જુઓ: દેહ અને પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું)
Romans 13:1
પાઉલ વિશ્વાસીઓને કહે છે કે તેમના અધિકારીઓ હેઠળ કેવી રીતે જીવવું.
πᾶσα ψυχὴ…ὑποτασσέσθω
અહીં ""આત્મા"" એ સમગ્ર વ્યક્તિ માટેની અતિશયોક્તિ છે. ""દરેક ખ્રિસ્તીએ પાલન કરવું જોઈએ"" અથવા ""દરેક વ્યક્તિએ પાલન કરવું જોઈએ"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)
ἐξουσίαις ὑπερεχούσαις
સરકારી અધિકારીઓ
γὰρ
કારણ કે
οὐ…ἔστιν ἐξουσία, εἰ μὴ ὑπὸ Θεοῦ
સર્વ અધિકાર ઈશ્વર તરફથી આવે છે
αἱ δὲ οὖσαι ὑπὸ Θεοῦ τεταγμέναι εἰσίν
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""અને સત્તામાં હોય તેવા લોકો ત્યાં છે કારણ કે ઈશ્વર તેમને ત્યાં મૂકે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 13:2
τῇ ἐξουσίᾳ
તે સરકારી સત્તા અથવા ""તે સત્તા કે જે ઈશ્વરની સત્તામાં છે
οἱ…ἀνθεστηκότες, ἑαυτοῖς κρίμα λήμψονται
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર સરકારી અધિકારનો વિરોધ કરનારા લોકોનો ન્યાય કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 13:3
γὰρ
પાઉલ આ શબ્દનો ઉપયોગ રોમનો 13:2 ની પોતાનો ખુલાસો રજૂ કરવા અને જો સરકાર કોઈ વ્યક્તિની નિંદા કરે તો પરિણામ શું આવશે તે વિશે કહેવા માટે કરે છે.
οἱ…ἄρχοντες οὐκ εἰσὶν φόβος
અધિકારીઓ સારા લોકોને ડરાવતા નથી.
τῷ ἀγαθῷ ἔργῳ,…τῷ κακῷ
લોકો તેમના ""સારા કાર્યો"" અથવા ""ભૂંડા કાર્યો"" થી ઓળખાય છે.
θέλεις δὲ μὴ φοβεῖσθαι τὴν ἐξουσίαν
પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ લોકોને અધિકારીઓથી ડરવા નહિ પણ તે માટે તેઓએ શું કરવાની જરૂર છે તે વિશે વિચારવા કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને જણાવું છું કે તમે કેવી રીતે અધિકારીઓથી ડર્યા વિના રહી શકો."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
ἕξεις ἔπαινον ἐξ αὐτῆς
જે લોકો સારું કરે છે તેના વિશે સરકાર સારી વાતો કહેશે.
Romans 13:4
οὐ…εἰκῇ τὴν μάχαιραν φορεῖ
તમે તેનું હકારાત્મક સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તે ખૂબ જ સારા કારણસર તલવાર રાખે છે"" અથવા ""તે લોકોને શિક્ષા કરવાની શક્તિ ધરાવે છે, અને તે લોકોને શિક્ષા કરશે"" (જુઓ: વક્રોક્તિ)
τὴν μάχαιραν φορεῖ
રોમનના કારભારીઓ તેમની સત્તાના પ્રતીક તરીકે ટૂંકી તરવાર રાખે છે. (જુઓ: ઉપનામ)
ἔκδικος εἰς ὀργὴν
અહીં ""ક્રોધ"" જ્યારે ભૂંડા કાર્યો કરે છે ત્યારે લોકોને મળેલી શિક્ષાને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે વ્યક્તિ જે ભૂંડા સામે સરકારના ગૂસાની અભિવ્યક્તિ તરીકે લોકોને શિક્ષા કરે છે"" (જુઓ: ઉપનામ)
Romans 13:5
οὐ μόνον διὰ τὴν ὀργὴν, ἀλλὰ καὶ διὰ τὴν συνείδησιν
માત્ર એટલું જ નહિ કે સરકાર તમને શિક્ષા કરશે નહિ, પણ ઈશ્વરની સમક્ષ તમારુ સ્પષ્ટ અંત:કરણ હશે
Romans 13:6
διὰ τοῦτο
કારણ કે સરકાર અપરાધીઓને શિક્ષા કરે છે
τελεῖτε
પાઉલ અહીં વિશ્વાસીઓને સંબોધિત કરી રહ્યા છે, તેથી આ બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)
γὰρ…εἰσιν
આ માટે તમારે કર ચૂકવવા જોઈએ: અધિકારીઓ
προσκαρτεροῦντες
વહીવટ કરો અથવા ""કામ કરો
Romans 13:7
ἀπόδοτε πᾶσι
પાઉલ અહીં વિશ્વાસીઓને સંબોધન કરી રહ્યો છે, તેથી આ બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)
τῷ τὸν φόρον, τὸν φόρον; τῷ τὸ τέλος, τὸ τέλος; τῷ τὸν φόβον, τὸν φόβον; τῷ τὴν τιμὴν, τὴν τιμήν
પાછલા વાક્યથી ""ચૂકવો"" શબ્દ સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેનો કર ચૂકવવાનો બાકી છે તેનો કર ચૂકવો અને જેનો દાણ ભરવાનો બાકી છે તેનો દાણ ભરો. જેને બીક ઘટારત છે તેની બીક રાખો અને જે માનયોગ્ય છે તેને માન આપો"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
τῷ τὸν…φόβον, τὸν φόβον; τῷ τὴν τιμὴν, τὴν τιμήν
અહીં બીક અને માન ચૂકવવું એ બીક અને માન માટે લાયક લોકોની બીક અને માન રાખવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ બીકને લાયક છે તેઓની બીક રાખો, અને જેમને માન મળવા લાયક છે તેમને માન આપો"" અથવા ""જેમને તમારે આદર આપવું જોઈએ તે લોકોનો આદર કરો, અને તમારે જેને માન આપવું જોઈએ તેને માન આપો"" (જુઓ: રૂપક)
τὸ τέλος
આ એક પ્રકારનો કર છે.
Romans 13:8
પાઉલ વિશ્વાસીઓને કહે છે કે પડોશીઓ પ્રત્યે કેવી રીતે વર્તવું.
μηδενὶ μηδὲν ὀφείλετε, εἰ μὴ τὸ ἀλλήλους ἀγαπᾶν
આ બમણું નકારાત્મક છે. તમે તેને હકારાત્મક સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમે સર્વની ચુકવણી કરો અને એક બીજાને પ્રેમ કરો” (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
ὀφείλετε
આ ક્રિયાપદ બહુવચન છે અને સર્વ રોમન ખ્રિસ્તીઓને લાગુ પડે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)
εἰ μὴ τὸ ἀλλήλους ἀγαπᾶν
આ એક એવું દેવું છે જે ઉપરની નોંધમાં બતાવ્યા પ્રમાણે રહી શકે છે.
ἀγαπᾶν
આ તે પ્રકારનો પ્રેમ સૂચવે છે જે ઈશ્વર તરફથી આવે છે અને બીજાના સારા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને ફાયદો ન કરે.
Romans 13:9
ἐπιθυμήσεις
બીજાની પાસે જે કંઇક છે અથવા ધરાવવાની ઇચ્છા છે.
Romans 13:10
ἡ ἀγάπη τῷ πλησίον κακὸν οὐκ ἐργάζεται
આ વાક્ય પ્રેમને એક વ્યક્તિ તરીકે દર્શાવ્યું છે જે અન્ય લોકો પ્રત્યે માયાળુ છે. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો તેમના પડોશીઓને પ્રેમ કરે છે તેઓ તેમનું કંઈ ભૂંડું કરતા નથી"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
Romans 13:11
εἰδότες τὸν καιρόν, ὅτι ὥρα ἤδη ὑμᾶς ἐξ ὕπνου ἐγερθῆναι
પાઉલ રોમન વિશ્વાસીઓને તેમની વર્તણૂક બદલવા માટેની જરૂરિયાતની વિશે એવી રીતે વાત કરે છે જાણે તેમને ઊંઘમાંથી ઊઠવાની જરૂર છે. (જુઓ: રૂપક)
Romans 13:12
ἡ νὺξ προέκοψεν
પાઉલ તે સમયની વાત કરે છે જ્યારે લોકો રાતની જેમ ભૂંડા કાર્યો કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પાપી સમય લગભગ સમાપ્ત થઈ ગયો છે"" અથવા ""રાત ઘણી થઈ ગઈ હોય તેવું છે"" (જુઓ: રૂપક)
ἡ…ἡμέρα ἤγγικεν
પાઉલ તે સમયની વાત કરે છે જ્યારે લોકો દિવસમાં જે યોગ્ય છે તે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ન્યાયીપણાનો સમય ટૂંક સમયમાં શરૂ થશે"" અથવા ""તે જાણે જલ્દી જ દિવસ હશે"" (જુઓ: રૂપક)
ἀποθώμεθα οὖν τὰ ἔργα τοῦ σκότους
પાઉલ ""અંધકારના કામો"" ની વાત કરે છે જાણે કે તે વસ્ત્રો હોય જે વ્યક્તિને બાજુમાં રાખે છે. અહીં ""તજી દઈને"" એટલે કંઈક કરવાનું બંધ કરવું. અહીં ""અંધકાર"" એ ભૂંડાઈ માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી લોકો અંધકારમાં જે ભૂંડું કરે છે તે વસ્તુઓ કરવાનું બંધ કરે"" (જુઓ: રૂપક)
ἐνδυσώμεθα…τὰ ὅπλα τοῦ φωτός
અહીં ""પ્રકાશ"" જે સારું અને યોગ્ય છે તે માટેનું રૂપક છે. પાઉલ જે યોગ્ય છે તે કરવાની વાત કરે છે જાણે કે તે પોતાના સ્વાર્થને બચાવવા બખ્તર મૂકી રહ્યો હોય. વૈકલ્પિક અનુવાદ: ""આપણે જે કરવાનું છે તે કરવાનું શરૂ કરીએ. આમ કરવાથી આપણને જે ભૂંડું છે તેનાથી રક્ષણ મળશે જેમ બખ્તર સૈનિકનું રક્ષણ છે"" (જુઓ: રૂપક)
Romans 13:13
περιπατήσωμεν
પાઉલ પોતાની સાથે તેમના વાચકો અને અન્ય વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)
ὡς ἐν ἡμέρᾳ εὐσχημόνως περιπατήσωμεν
પાઉલ સાચા વિશ્વાસીઓ તરીકે જીવવાનું કહે છે જાણે કોઈ દિવસે ચલાતો હોય એમ ચાલતો હોય. વૈકલ્પિક અનુવાદ: ""ચાલો આપણે દૃશ્યમાન રીતે ચાલીએ કે દરેક વ્યક્તિ આપણને જોઈ શકે"" (જુઓ: રૂપક)
κοίταις καὶ ἀσελγείαις
આ વિચારોનો અર્થ મૂળભૂત રીતે સમાન છે. તમે તેને તમારા અનુવાદમાં જોડી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""વિષયભોગના કાર્યો"" (જુઓ: બેવડું/બમણાં)
ἔριδι
તે બીજા લોકો સામે કાવતરું ઘડવાનો અને દલીલ કરવાનો ઉલ્લેખ કરે છે.
ζήλῳ
તે બીજા વ્યક્તિની સફળતા અથવા અન્ય લોકો પરના હિત સામે નકારાત્મક લાગણીઓનો ઉલ્લેખ કરે છે.
Romans 13:14
ἐνδύσασθε τὸν Κύριον Ἰησοῦν Χριστόν
પાઉલ ખ્રિસ્તના નૈતિક સ્વભાવને સ્વીકારવાની વાત કરે છે જાણે તે આપણા બાહ્ય વસ્ત્રો હોય જેને લોકો જોઈ શકતા હોય. (જુઓ: રૂપક)
ἐνδύσασθε
જો તમારી ભાષામાં આદેશો માટે બહુવચન છે, તો તેનો અહીં ઉપયોગ કરો.
τῆς σαρκὸς πρόνοιαν μὴ ποιεῖσθε
અહીં ""દેહ"" એ લોકોના સ્વ-નિર્દેશિત સ્વભાવનો ઉલ્લેખ કરે છે જેઓ ઈશ્વરનો વિરોધ કરે છે. આ મનુષ્યનો પાપી સ્વભાવ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા જૂના દુષ્ટ હૃદયને દુષ્ટ કાર્યો કરવા માટે કોઈ પણ તકની મંજૂરી ન આપો"" (જુઓ: ઉપનામ)
Romans 14
રોમનો 14 સામાન્ય નોંધ
માળખું અને બંધારણ
કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું વધુ સરળ બને. યુએલટી આ પ્રમાણે આ અધ્યાયની કલમ 11 સાથે કરે છે, જેને પાઉલ જૂના કરારમાંથી ટાંકે છે.
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
વિશ્વાસમાં નબળા
પાઉલ શીખવે છે કે ખ્રિસ્તીઓ પ્રત્યક્ષ વિશ્વાસ રાખી શકે છે અને તે જ સમયે આપેલ પરિસ્થિતિમાં ""વિશ્વાસમાં નબળા"" હોઈ શકે છે. તે એવા ખ્રિસ્તીઓને વર્ણવે છે જેમનો વિશ્વાસ અપરિપક્વ છે, મજબૂત નથી, અથવા ગેરસમજ છે. (જુઓ: વિશ્વાસ/શ્રદ્ધા)
આહાર પ્રતિબંધો
પ્રાચીન નજીકના પૂર્વમાં ઘણા ધર્મોએ શું ખાવું તે પ્રતિબંધિત કર્યું હતું. ખ્રિસ્તીઓને જે ઇચ્છે તે ખાવા માટેની સ્વતંત્રતા છે. પરંતુ તેઓએ આ સ્વતંત્રતાનો કુશળતાપૂર્વક ઉપયોગ એવી રીતે કરવાની જરૂર છે કે જે ઈશ્વરનું સન્માન કરતું હોય અને બીજાઓને પાપ કરવા માટેનું કારણ ન આપતું હોય. (જુઓ: પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું)
ઈશ્વરનું ન્યાયાસન
ઈશ્વર કે ખ્રિસ્તનું ન્યાયાસન એ તે સમયનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે ખ્રિસ્તીઓ સહિતના, સર્વ લોકો તેઓ જે રીતે જીવ્યા તે માટે તેઓને જવાબદાર માનવામાં આવશે.
Romans 14:1
પાઉલ વિશ્વાસીઓને યાદ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે કે તેઓ ઈશ્વરને જવાબદાર છે.
ἀσθενοῦντα τῇ πίστει
આ તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ અમુક વસ્તુઓ ખાવા અને પીવા માટે દોષિત અનુભવે છે.
μὴ εἰς διακρίσεις διαλογισμῶν
અને તેમના મંતવ્યો માટે તેમની નિંદા ન કરો
Romans 14:2
ὃς μὲν πιστεύει φαγεῖν πάντα
અહીં ""વિશ્વાસ"" એ ઉલ્લેખ કરે છે કે કોઈ વ્યક્તિ માને છે કે ઈશ્વર તેને કરવા માટે કહે છે.
ὁ…ἀσθενῶν λάχανα ἐσθίει
આ એવી વ્યક્તિનું વર્ણન કરે છે કે જે માને છે કે ઈશ્વર ઇચ્છતા નથી કે તે માંસ ખાય.
Romans 14:4
σὺ τίς εἶ, ὁ κρίνων ἀλλότριον οἰκέτην
જેઓ બીજાઓનો ન્યાય કરે છે તેઓને ઠપકો આપવા માટે પાઉલ એક પ્રશ્નનો ઉપયોગ કરી રહ્યા છે. તમે નિવેદન તરીકે તેનું અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તમે ઈશ્વર નથી અને તમને તેના એકેય ચાકરનો ન્યાય કરવાની મંજૂરી નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
σὺ…ὁ κρίνων
અહીં ""તમે"" નું સ્વરૂપ એકવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)
τῷ ἰδίῳ κυρίῳ στήκει ἢ πίπτει
પાઉલ ઈશ્વર વિશે એવી રીતે બોલે છે જાણે તેઓ એક માલિક હોય જેઓ ચાકરોની માલિકી ધરાવતા હોય. વૈકલ્પિક અનુવાદ: ""તે ફક્ત માલિક જ નક્કી કરશે કે તે ચાકરને સ્વીકારશે કે નહી"" (જુઓ: રૂપક)
σταθήσεται δέ, δυνατεῖ γὰρ ὁ Κύριος στῆσαι αὐτόν
પાઉલ એવો ચાકર જે ઈશ્વરને સ્વીકાર્ય હોય તેના વિશે એવી રીતે બોલે છે જાણે તેને પડવાની જગ્યાએ ""ઊભા રહેવા"" કહેવામાં આવ્યું હોય. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ પ્રભુ તેને સ્વીકારે છે કારણ કે તે ચાકરોને સ્વીકાર્ય બનાવવા માટે સમર્થ છે"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 14:5
ὃς μὲν κρίνει ἡμέραν παρ’ ἡμέραν; ὃς δὲ κρίνει πᾶσαν ἡμέραν.
એક વ્યક્તિ વિચારે છે કે એક દિવસ એ બીજા સર્વ કરતા વધુ મહત્વનો છે, પરંતુ બીજો વ્યક્તિ વિચારે છે કે સર્વ દિવસો એક સરખા છે
ἕκαστος ἐν τῷ ἰδίῳ νοῒ, πληροφορείσθω
તમે સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકો છો. તમે તેનું સક્રિય સ્વરૂપમાં પણ અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""દરેક વ્યક્તિને ખાતરી કરાવો કે તે જે કરી રહ્યો છે તે ઈશ્વરનું સન્માન કરવા સમાન છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 14:6
ὁ φρονῶν τὴν ἡμέραν, Κυρίῳ φρονεῖ
અહીં ""અવલોકન કરવું"" એ આરાધના કરવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે વ્યક્તિ ચોક્કસ દિવસે આરાધના કરે છે તે પ્રભુનું સન્માન કરવા માટે કરે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ὁ ἐσθίων
બધું"" શબ્દ રોમનો 14:3 પરથી સમજી શકાય છે. તેનું અહીં પુનરાવર્તન કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે વ્યક્તિ જે દરેક પ્રકારનો ખોરાક લે છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
Κυρίῳ ἐσθίει
પ્રભુનું સન્માન કરવા માટે ખાય છે અથવા ""પ્રભુનું સન્માન કરવા તે રીતે ખાય છે
καὶ ὁ μὴ ἐσθίων
બધું"" શબ્દ રોમનો 14:3 પરથી સમજી શકાય છે. તેનું અહીં પુનરાવર્તન કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે બધું જ ન ખાવું"" અથવા ""તે વ્યક્તિ કે જે ચોક્કસ પ્રકારનો ખોરાક લેતો નથી"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
Romans 14:7
οὐδεὶς γὰρ ἡμῶν ἑαυτῷ ζῇ
અહીં ""પોતાને માટે જીવે છે"" નો અર્થ ફક્ત પોતાની જાતને ખુશ કરવા માટે જીવવાનો છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણામાંના કોઈએ ફક્ત પોતાને ખુશ કરવા માટે જીવવું જોઈએ નહિ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
οὐδεὶς…ἡμῶν
પાઉલ તેના વાચકોને શામેલ કરે છે, તેથી આ વ્યાપક છે. (જુઓ: સમાવેશક “અમે”)
οὐδεὶς ἑαυτῷ ἀποθνῄσκει
તેનો અર્થ એ કે કોઈનું મૃત્યુ અન્ય લોકોને અસર કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણામાંથી કોઈએ એવું ન વિચારવું જોઈએ કે જ્યારે આપણે મરી જઈશું, ત્યારે તે ફક્ત આપણા પર જ અસર કરશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 14:8
પાઉલ પોતાની અને તેના વાચકો બંનેની વાત કરી રહ્યા છે, તેથી સર્વ કિસ્સાઓમાં ""આપણે"" વ્યાપક છે. (જુઓ: સમાવેશક “અમે”)
Romans 14:10
τί κρίνεις τὸν ἀδελφόν σου? ἢ καὶ σὺ τί ἐξουθενεῖς τὸν ἀδελφόν σου
આ પ્રશ્નોનો ઉપયોગ કરીને, પાઉલ તે બતાવી રહયો છે કે કેવી રીતે તેણે તેના વાચકો મધ્યેના વ્યક્તિઓને ઠપકો આપવો પડી શકે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા માટે તમારા ભાઈનો ન્યાય કરવો તે ખોટું છે, અને તમારા ભાઈને તુચ્છકારવો તે ખોટું છે!"" અથવા ""તમારા ભાઈનો ન્યાય કરવાનું અને ધિક્કારવાનું બંધ કરો!"" (જુઓ: તમેનાં સ્વરૂપો)
τὸν ἀδελφόν
અહીં તેનો અર્થ સાથી ખ્રિસ્તી, પુરુષ કે સ્ત્રી થાય છે.
πάντες γὰρ παραστησόμεθα τῷ βήματι τοῦ Θεοῦ
ન્યાયાસન"" એ ન્યાય કરવાનો ઈશ્વરનો અધિકાર સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર આપણા સર્વ માટે ન્યાય કરશે"" (જુઓ: ઉપનામ)
Romans 14:11
γέγραπται γάρ…ἐγώ
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કોઈએ શાસ્ત્રમાં લખ્યું છે તે માટે: 'જેમ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ζῶ ἐγώ
આ વાક્યનો ઉપયોગ સમ અથવા ગૌરવપૂર્ણ વચન શરૂ કરવા માટે થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે નિશ્ચિત થઈ શકો છો કે આ સાચું છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἐμοὶ κάμψει πᾶν γόνυ, καὶ πᾶσα γλῶσσα ἐξομολογήσεται τῷ Θεῷ
પાઉલ સમગ્ર વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે ""ઘૂંટણ"" અને ""જીભ"" શબ્દોનો ઉપયોગ કરે છે. વળી, ઈશ્વર પોતાનો ઉલ્લેખ કરવા માટે પ્રભુ શબ્દનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""દરેક વ્યક્તિ વાંકો વળશે અને મારી સ્તુતિ કરશે"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર અને પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)
Romans 14:12
περὶ ἑαυτοῦ, λόγον δώσει τῷ Θεῷ
આપણા કાર્યો ઈશ્વરને સમજાવવા પડશે
Romans 14:13
ἀλλὰ τοῦτο κρίνατε μᾶλλον, τὸ μὴ τιθέναι πρόσκομμα τῷ ἀδελφῷ ἢ σκάνδαλον
અહીં ""ઠેસ"" અને “ઠોકરરૂપ"" નો અર્થ મૂળરૂપે સમાન છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તેણે બદલે જે તમારા સાથી વિશ્વાસીઓને પાપ કરાવડાવે તેવું કશું પણ ન કરવા કે કહેવાનો તમારો હેતુ બનાવો"" (જુઓ: બેવડું/બમણાં)
τῷ ἀδελφῷ
અહીં તેનો અર્થ સાથી ખ્રિસ્તી, પુરુષ કે સ્ત્રી થાય છે.
Romans 14:14
οἶδα καὶ πέπεισμαι ἐν Κυρίῳ Ἰησοῦ
અહીં ""જાણવું"" અને ""હું સમજાવું છું"" શબ્દોનો મૂળ અર્થ સમાન જ છે; પાઉલ તેમની નિશ્ચિતતા પર ભાર મૂકવા માટે તેનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ ઈસુ સાથેના મારા સંબંધોને કારણે હું ચોક્કસ છું"" (જુઓ: બેવડું/બમણાં)
οὐδὲν κοινὸν δι’ ἑαυτοῦ
તમે તેનું હકારાત્મક સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""બધું જ સ્વયં શુધ્ધ છે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
δι’ ἑαυτοῦ
તેના સ્વભાવ દ્વારા અથવા ""તે શું છે તેના કારણે
εἰ μὴ τῷ λογιζομένῳ τι κοινὸν εἶναι, ἐκείνῳ κοινόν
પાઉલ અહીં સૂચવે છે કે વ્યક્તિને જે અશુદ્ધ લાગે છે તે કોઈપણ વસ્તુથી દૂર રહેવું જોઈએ. તમે તમારા અનુવાદમાં આ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ જો કોઈ વ્યક્તિને કંઇક અશુદ્ધ લાગે છે, તો તે વ્યક્તિ માટે તે અશુદ્ધ છે અને તેણે તેનાથી દૂર રહેવું જોઈએ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 14:15
εἰ…διὰ βρῶμα, ὁ ἀδελφός σου λυπεῖται
જો તમે ભોજનની બાબતમાં તમારા સાથી વિશ્વાસીને વિશ્વાસમાં ખેદ પહોંચાડો છો. અહીં ""તમારા"" શબ્દનો અર્થ તે છે જેઓ વિશ્વાસમાં મજબૂત છે અને ""ભાઈ"" જેઓ વિશ્વાસમાં નબળા છે.
ὁ ἀδελφός
અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તી, પુરુષ કે સ્ત્રી થાય છે.
οὐκέτι κατὰ ἀγάπην περιπατεῖς
પાઉલ ચાલનારા વિશ્વાસીઓના વર્તન વિશે બોલે છે. વૈકલ્પિક અનુવાદ: ""તો પછી તમે હવે પ્રેમ બતાવતા નથી"" (જુઓ: રૂપક)
Romans 14:16
μὴ βλασφημείσθω οὖν ὑμῶν τὸ ἀγαθόν
જો કોઈ એવું વિચારે છે કે કંઇક દુષ્ટ છે, તો તેને ન કરો, પછી ભલે તેને સારું માનતા હોય
Romans 14:17
οὐ γάρ ἐστιν ἡ Βασιλεία τοῦ Θεοῦ βρῶσις καὶ πόσις, ἀλλὰ δικαιοσύνη, καὶ εἰρήνη, καὶ χαρὰ ἐν Πνεύματι Ἁγίῳ
પાઉલે દલીલ કરી છે કે ઈશ્વરે પોતાનું રાજ્ય સ્થાપ્યું છે જેથી તે આપણો પોતાની સાથે સાચો સંબંધ કરી શકે, અને શાંતિ અને આનંદ પ્રદાન કરે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમનું રાજ્ય સ્થાપ્યું નથી જેથી આપણે જે ખાઈએ અને પીએ તેના પર તે રાજ કરી શકે. તેમણે તેમનું રાજ્ય સ્થાપ્યું જેથી આપણે તેમની સાથે સાચો સંબંધ બનાવી શકીએ, અને તેથી તે આપણને શાંતિ અને આનંદ આપી શકે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 14:18
δόκιμος τοῖς ἀνθρώποις
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""લોકો તેને માન્ય કરશે"" અથવા ""લોકો તેનો આદર કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 14:19
τὰ τῆς εἰρήνης διώκωμεν, καὶ τὰ τῆς οἰκοδομῆς τῆς εἰς ἀλλήλους
અહીં ""એકબીજાને સશક્ત કરો"" એ એકબીજાને વિશ્વાસમાં વૃદ્ધિ કરવામાં મદદ કરવા માટેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ચાલો આપણે શાંતિથી સાથે રહેવાનો પ્રયત્ન કરીએ અને એકબીજાને વિશ્વાસમાં વૃદ્ધિ કરવામાં મદદ કરીએ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 14:20
μὴ ἕνεκεν βρώματος, κατάλυε τὸ ἔργον τοῦ Θεοῦ
તમે આ વાક્યનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તમે ચોક્કસ પ્રકારનો ખોરાક ખાવા માંગો છો માટે સાથી વિશ્વાસી માટે ઈશ્વરે જે કર્યું છે તેને તોડી પાડશો નહિ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἀλλὰ κακὸν τῷ ἀνθρώπῳ τῷ διὰ προσκόμματος ἐσθίοντι
અહીં કોઈ પણ વસ્તુ જે ""તેને ઠોકર પહોંચાડે છે"" નો અર્થ એ છે કે તે નબળા ભાઈને કંઈક કરવા માટેનું કારણ બને છે જે તેના અંત:કરણની વિરુદ્ધ છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ કોઈને ભોજન લેવું તે પાપ હશે, જે બીજા ભાઈને ખાવાનું ખોટું લાગે છે, જો આ ખાવાથી નબળા ભાઈને તેવું થાય છે જે તેના અંત:કરણની વિરુદ્ધ છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 14:21
καλὸν τὸ μὴ φαγεῖν κρέα, μηδὲ πιεῖν οἶνον, μηδὲ ἐν ᾧ ὁ ἀδελφός σου προσκόπτει
માંસ ન ખાવું કે દ્વાક્ષારસ પીવો નહિ ત સારું છે અથવા બીજું કંઈ કરવું ન જોઈએ જે તમારા ભાઈને પાપ કરાવે
ὁ ἀδελφός
અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તી, પુરુષ કે સ્ત્રી થાય છે.
σου
આ વિશ્વાસમાં મજબૂત અને ""ભાઈ"" વિશ્વાસના નબળાઓનો ઉલ્લેખ કરે છે.
Romans 14:22
σὺ πίστιν ἣν ἔχεις
આ ખોરાક અને પીણા વિશેની માન્યતાઓનો ઉલ્લેખ કરે છે.
σὺ…σεαυτὸν
એકવચન. કારણ કે પાઉલ વિશ્વાસીઓને સંબોધન કરી રહ્યો છે, તેથી તમારે બહુવચનનો ઉપયોગ કરીને તેનું અનુવાદ કરવું પડશે. (જુઓ: તમેનાં સ્વરૂપો)
μακάριος ὁ μὴ κρίνων ἑαυτὸν ἐν ᾧ δοκιμάζει
પોતાને જે વાજબી લાગે છે તે બાબતમાં જે પોતાને દોષિત ઠરાવતો નથી તેને ધન્ય છે
Romans 14:23
ὁ δὲ διακρινόμενος, ἐὰν φάγῃ, κατακέκριται
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર કહેશે કે વ્યક્તિ ખોટું કરે છે જો તે ચોક્કસ ખોરાક લેવાનું યોગ્ય છે કે નહિ તેની ખાતરી ન કરે, પરંતુ તે તે કોઈપણ રીતે ખાય છે"" અથવા ""તે વ્યક્તિ કે જે ચોક્કસ ખોરાક લેવાનું યોગ્ય છે કે નહિ તેની ખાતરી તેને નથી, પરંતુ તે પછી તેને ખાય છે તો પણ અંત:કરણ મુશ્કેલીમાં હશે ""(જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ὅτι οὐκ ἐκ πίστεως
કંઈપણ જે ""વિશ્વાસથી નથી"" એવું કંઈક છે જે ઈશ્વર તમને કરાવવા માંગતા નથી. તમે સંપૂર્ણ અર્થ અહીં સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર કહેશે કે તે ખોટું છે કારણ કે તે એવું કંઈક ખાઈ રહ્યો છે જે માને છે કે ઈશ્વર તેને ખાવા દેવા માંગતા નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
πᾶν δὲ ὃ οὐκ ἐκ πίστεως, ἁμαρτία ἐστίν
કંઈપણ જે ""વિશ્વાસથી નથી"" એવું કંઈક છે જે ઈશ્વર તમને કરાવવા માંગતા નથી. તમે સંપૂર્ણ અર્થ અહીં સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તમે પાપ કરો છો જો તમે એવું કંઈક કરો કે જેનો તમે વિશ્વાસ ન કરતા હો તો ઈશ્વર તમને તે કરાવવા માગે છે "" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 15
રોમનો 15 સામાન્ય નોધો
માળખું અને બંધારણ
કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું વધુ સરળ બને. યુએલટી આ અધ્યાયની 9-11 અને 21 ની કલમો સાથે આ પ્રમાણે કરે છે, જે જૂના કરારના શબ્દો છે.
કેટલાક અનુવાદો જૂના કરારના ગદ્ય અવતરણોને પાનાંની દૂર જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું સરળ બને. યુએલટી આ પ્રમાણે કલમ 12 માં અવતરણ કરેલા શબ્દો સાથે કરે છે.
રોમનો 15:14 માં, પાઉલ વધુ વ્યક્તિગત રીતે બોલવાનું શરૂ કરે છે. તે શીખવવાથી ખસીને પોતાના વ્યક્તિગત આયોજનો કહેવાનું શરૂ કરે છે.
આ અધ્યાયમાં અગત્યના શબ્દાલંકાર
બળવાન/નબળા
આ શબ્દો એવા લોકોના ઉલ્લેખ માટે વપરાય છે જેઓ તેમના વિશ્વાસમાં પરિપક્વ અને અપરિપક્વ છે. પાઉલે શીખવ્યું કે જે લોકો વિશ્વાસમાં મજબૂત છે તેઓએ વિશ્વાસમાં નબળા લોકોને મદદ કરવાની જરૂર છે. (જુઓ: વિશ્વાસ/શ્રદ્ધા)
Romans 15:1
વિશ્વાસીઓ કે જેઓ બીજાઓ માટે જીવે છે તેઓને ખ્રિસ્ત કેવી રીતે જીવ્યા તે યાદ દેવડાવીને પાઉલ આ ભાગ પૂર્ણ કરે છે.
δὲ
દલીલમાં નવા વિચારને રજૂ કરવા માટે તમારી ભાષા જે શબ્દોનો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ કરીને તેનું અનુવાદ કરો.
ἡμεῖς, οἱ δυνατοὶ
અહીં ""બળવાન"" એ લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ તેમના વિશ્વાસમાં મજબૂત છે. તેઓ માને છે કે ઈશ્વર તેમને કોઈપણ પ્રકારનું ખોરાક ખાવા દે છે. વૈકલ્પિક અનુવાદ: ""અમે કે જેઓ વિશ્વાસમાં બળવાન છીએ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἡμεῖς
આ પાઉલ, તેના વાચકો અને અન્ય વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)
τῶν ἀδυνάτων
અહીં ""નિર્બળ"" એ લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ તેમના વિશ્વાસમાં નિર્બળ છે. તેઓ માને છે કે ઈશ્વર તેમને અમુક પ્રકારનો ખોરાક લેવાની મંજૂરી આપતા નથી. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ વિશ્વાસમાં નિર્બળ છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 15:2
πρὸς οἰκοδομήν
આ દ્વારા, પાઉલનો મતલબ કોઈના વિશ્વાસને મજબૂત બનાવવાનો છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના વિશ્વાસને મજબૂત કરવા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 15:3
καθὼς γέγραπται
અહીં પાઉલ એવા શાસ્ત્રનો ઉલ્લેખ કરે છે જ્યાં ખ્રિસ્ત (મસીહા) ઈશ્વર સાથે વાત કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""મસીહાએ શાસ્ત્રોમાં ઈશ્વરને કહ્યું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
οἱ ὀνειδισμοὶ τῶν ὀνειδιζόντων σε, ἐπέπεσαν ἐπ’ ἐμέ
ઈશ્વરની નિંદા કરનારાઓની નિંદા ખ્રિસ્ત પર પડી.
Romans 15:4
ὅσα γὰρ προεγράφη, εἰς τὴν ἡμετέραν διδασκαλίαν ἐγράφη
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""અગાઉના સમયમાં, પ્રબોધકોએ આપણને શીખવવા માટે શાસ્ત્રો બધું જ લખ્યું હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἡμετέραν…ἔχωμεν
પાઉલ તેના વાચકો અને અન્ય વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)
ἵνα διὰ τῆς ὑπομονῆς καὶ διὰ τῆς παρακλήσεως τῶν Γραφῶν, τὴν ἐλπίδα ἔχωμεν
અહીં ""આત્મવિશ્વાસ છે"" નો અર્થ એ છે કે વિશ્વાસીઓ જાણતા હશે કે ઈશ્વર તેમના વચનો પૂરા કરશે. તમે તમારા અનુવાદમાં સ્પષ્ટ અર્થ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""આ રીતે શાસ્ત્રો આપણને અપેક્ષા કરવા પ્રોત્સાહિત કરશે કે ઈશ્વરે તે વચન આપ્યું છે કે આપણા માટે બધું જ કરશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 15:5
પાઉલ વિશ્વાસીઓને યાદ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે કે વિદેશી વિશ્વાસીઓ અને યહૂદીઓ માને છે કે બંને ખ્રિસ્તમાં એક બનાવવામાં આવ્યા છે.
Θεὸς…δῴη
હું પ્રાર્થના કરું છું કે …ઈશ્વર... આપશે
τὸ αὐτὸ φρονεῖν ἐν ἀλλήλοις
અહીં ""સમાન મન"" એ એક ઉપનામ છે જેનો અર્થ એકબીજા સાથે સહમત થવાનો છે. વૈકલ્પિક અનુવાદ: ""એકબીજા સાથે સહમતિ રાખવી"" અથવા ""એક થવું"" (જુઓ: ઉપનામ)
Romans 15:6
ἐν ἑνὶ στόματι, δοξάζητε
તેનો અર્થ ઈશ્વરની પ્રશંસા કરવામાં એક થવાનો છે. વૈકલ્પિક અનુવાદ: ""એકતામાં ઈશ્વર સાથે સ્તુતિ કરો જાણે કે એક જ મોં બોલે છે"" (જુઓ: ઉપનામ)
Romans 15:7
προσλαμβάνεσθε ἀλλήλους
એકબીજાને સ્વીકારો
Romans 15:8
λέγω γὰρ
માટે હું કહું છું હું” શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે.
Χριστὸν διάκονον γεγενῆσθαι περιτομῆς
અહીં ""સુન્નત"" એક ઉપનામ છે જે યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ ખ્રિસ્ત યહૂદીઓના સેવક બન્યા છે"" (જુઓ: ઉપનામ અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
εἰς τὸ βεβαιῶσαι τὰς ἐπαγγελίας
આ બે હેતુઓમાંથી એક છે જેના માટે ખ્રિસ્ત સુન્નતના સેવક બન્યા.
τὰς ἐπαγγελίας τῶν πατέρων
અહીં ""પૂર્વજો"" એ યહૂદી લોકોના પૂર્વજોનો ઉલ્લેખ કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે યહૂદીઓના પૂર્વજોને આપેલા વચનો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 15:9
τὰ δὲ ἔθνη, ὑπὲρ ἐλέους δοξάσαι τὸν Θεόν
આ બીજું કારણ છે જેના માટે ખ્રિસ્ત સુન્નતના સેવક બન્યા. વૈકલ્પિક અનુવાદ: ""અને વિદેશી લોકો તેમની દયાને લીધે ઈશ્વરનો મહિમા કરે તે માટે
καθὼς γέγραπται
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેમ કે કોઈએ શાસ્ત્રોમાં લખ્યું છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τῷ ὀνόματί σου ψαλῶ
અહીં ""તમારું નામ"" એક ઉપનામ છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારી સ્તુતિ ગાઈશ"" (જુઓ: ઉપનામ)
Romans 15:10
καὶ πάλιν λέγει
ફરીથી શાસ્ત્ર કહે છે
μετὰ τοῦ λαοῦ αὐτοῦ
આ ઈશ્વરના લોકોનો ઉલ્લેખ કરે છે. તમે તમારા અનુવાદમાં આ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરના લોકોની સાથે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 15:11
ἐπαινεσάτωσαν αὐτὸν
પ્રભુની સ્તુતિ કરો
Romans 15:12
ῥίζα τοῦ Ἰεσσαί
યશાઈ દાઉદ રાજાનો શારીરિક પિતા હતો. વૈકલ્પિક અનુવાદ: ""યશાઈનો વંશજ"" (જુઓ: ઉપનામ)
ἐπ’ αὐτῷ ἔθνη ἐλπιοῦσιν
અહીં ""તે"" યશાઈના વંશજ, મસીહાનો ઉલ્લેખ કરે છે. જેઓ યહૂદીઓ નથી તે પણ તેના વચનો પૂરા કરવા માટે તેના પર વિશ્વાસ કરશે. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો યહૂદીઓ નથી તે તેઓએ જે વચન આપ્યું છે તે પ્રમાણે કરશે એવો તેમના પર ભરોસો રાખી શકે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 15:13
πληρώσαι ὑμᾶς πάσης χαρᾶς καὶ εἰρήνης
પાઉલ તેના મુદ્દા પર ભાર આપવા માટે અહીં અલંકારિક કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમને મહાન આનંદ અને શાંતિથી ભરો"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)
Romans 15:14
પાઉલ રોમમાં વિશ્વાસીઓને યાદ અપાવે છે કે ઈશ્વરે તેને વિદેશી લોકો સુધી પહોંચવા માટે પસંદ કર્યો.
πέπεισμαι…ἀδελφοί μου, καὶ αὐτὸς ἐγὼ περὶ ὑμῶν
પાઉલને ખાતરી છે કે રોમમાં વિશ્વાસીઓ એકબીજાને તેમની વર્તણૂંકમાં માન આપી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""હું મારી જાતને સંપૂર્ણ ખાતરી આપુ છે કે તમે પોતે જ સંપૂર્ણ સારી રીતે બીજાઓ માટે વર્તો છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἀδελφοί
અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.
πεπληρωμένοι πάσης γνώσεως
પાઉલ તેના મુદ્દા પર ભાર મૂકવા માટે અહીં અતિશયોક્તિ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરને અનુસરવા માટે પૂરતા જ્ઞાનથી ભરેલું છે"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)
δυνάμενοι καὶ ἀλλήλους νουθετεῖν
અહીં ""પ્રોત્સાહન"" એટલે શીખવવું. વૈકલ્પિક અનુવાદ: ""એકબીજાને શીખવવામાં પણ સક્ષમ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 15:15
τὴν χάριν τὴν δοθεῖσάν μοι ὑπὸ τοῦ Θεοῦ
પાઉલ કૃપાની વાત કરે છે જાણે તે ભૌતિક ભેટ છે જેને ઈશ્વરે તેને આપેલી છે. ઈસુને અનુસરવાનું નક્કી કરતાં પહેલાં પાઉલે વિશ્વાસીઓની સતાવણી કરી છતા ઈશ્વરે તેની અને પ્રેરિતોની નિમણૂક કરી હતી. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે મને આપેલી કૃપા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 15:16
γένηται ἡ προσφορὰ τῶν ἐθνῶν εὐπρόσδεκτος
પાઉલ તેમના સુવાર્તાના ઉપદેશની વાત કરે છે જાણે કે, તે એક ધર્મોપદેશક તરીકે, ઈશ્વરને અર્પણ કરી રહ્યો હોય. વૈકલ્પિક અનુવાદ: ""વિદેશી લોકો જ્યારે ઈશ્વરનું પાલન કરે ત્યારે તેઓ તેમને પ્રસન્ન કરી શકે"" (જુઓ: રૂપક)
Romans 15:18
εἰς ὑπακοὴν ἐθνῶν
જેથી વિદેશી લોકો ઈશ્વરનું પાલન કરશે
λόγῳ καὶ ἔργῳ
આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે: વૈકલ્પિક અનુવાદ: વૈકલ્પિક અનુવાદ: ""આ તે વસ્તુઓ છે જે મેં કહ્યું અને કર્યું છે તે દ્વારા ખ્રિસ્તે પૂર્ણ કર્યું છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 15:19
ἐν δυνάμει σημείων καὶ τεράτων ἐν δυνάμει Πνεύματος Θεοῦ
તમે આ બમણા નકારાત્મકનું હકારાત્મક સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. અહીં ""આ વસ્તુઓ છે"" તેનો અર્થ છે કે ખ્રિસ્તે પાઉલ દ્વારા જે પૂર્ણ કર્યું છે. વૈકલ્પિક અનુવાદ: ""વિદેશી લોકોની આજ્ઞાપાલન ખાતર, હું ફક્ત પવિત્ર આત્માની શક્તિ દ્વારા મારા શબ્દો અને કાર્યોમાં અને સંકેતો અને અજાયબીઓની શક્તિ દ્વારા ખ્રિસ્તે મારા દ્વારા જે કર્યું છે તે વિશે જ બોલીશ"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
σημείων καὶ τεράτων
આ બંને શબ્દો મૂળરૂપે સમાન વસ્તુનો અર્થ છે અને વિવિધ પ્રકારના ચમત્કારોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: બેવડું/બમણાં)
ὥστε…ἀπὸ Ἰερουσαλὴμ καὶ κύκλῳ μέχρι τοῦ Ἰλλυρικοῦ
આ યરૂશાલેમ શહેરથી ઇટાલીની નજીકના ઇલ્લુરિકાનો પ્રાંત છે.
Romans 15:20
οὕτως δὲ φιλοτιμούμενον εὐαγγελίζεσθαι, οὐχ ὅπου ὠνομάσθη Χριστός
પાઉલ ફક્ત એવા લોકોને જ ઉપદેશ આપવા માંગે છે જેમણે ક્યારેય ખ્રિસ્ત વિશે સાંભળ્યું નથી. વૈકલ્પિક અનુવાદ: ""આ કારણે, હું એવા સ્થળોએ ખુશખબર પ્રચાર કરવા માગું છું જ્યાં લોકોએ ક્યારેય ખ્રિસ્ત વિશે સાંભળ્યું નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἵνα μὴ ἐπ’ ἀλλότριον θεμέλιον οἰκοδομῶ
પાઉલ તેમના સુવાર્તાના કામની વાત કહે છે જાણે કે કોઈ પાયા પર મકાન બનાવી રહ્યો હોય. વૈકલ્પિક અનુવાદ: ""એ હેતુસર કે મેં કદાચ બીજા કોઈએ પહેલેથી શરૂ કરેલું કામ ચાલુ રાખ્યું ન હોય. હું કોઈના પાયા પર ઘર બનાવનારા માણસની જેમ બનવા માંગતો નથી"" (જુઓ: રૂપક)
Romans 15:21
καθὼς γέγραπται
અહીં પાઉલે યશાયા શાસ્ત્રમાં જે લખ્યું તેનો ઉલ્લેખ કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો અને અર્થને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેવું યશાયાએ શાસ્ત્રમાં લખ્યું છે તેવું જે થઈ રહ્યું છે તે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
οἷς οὐκ ἀνηγγέλη περὶ αὐτοῦ
અહીં પાઉલ ખ્રિસ્ત વિશેના “સમાચાર” અથવા સંદેશની વાત કરે છે જાણે તે જીવંત છે અને પોતે જ ખસવા માટે સક્ષમ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને જેમને કોઈએ તેમના વિશે સમાચાર નથી કહ્યા"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
Romans 15:22
પાઉલ રોમમાં વિશ્વાસીઓને તેમની મુલાકાત લેવાની તેમની વ્યક્તિગત યોજનાઓ વિશે કહે છે અને વિશ્વાસીઓને પ્રાર્થના કરવા કહે છે.
καὶ ἐνεκοπτόμην
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ પણ મને અવરોધે છે"" અથવા ""લોકો પણ મને અવરોધે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 15:23
μηκέτι τόπον ἔχων ἐν τοῖς κλίμασι τούτοις
પાઉલ સૂચવે છે કે આ વિસ્તારોમાં ત્યાં કોઈ વધુ સ્થળો નથી જ્યાં લોકો રહે છે જેમણે ખ્રિસ્ત વિશે સાંભળ્યું નથી. વૈકલ્પિક અનુવાદ: ""આ પ્રદેશોમાં એવી કોઈ વધુ જગ્યાઓ નથી કે જ્યાં લોકોએ ખ્રિસ્ત વિશે સાંભળ્યું ન હોય"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 15:24
τὴν Σπανίαν
રોમની પશ્ચિમમાં આ એક રોમન પ્રાંત છે જેની મુલાકાત પાઉલ લેવા માગતો હતો. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો અને અજાણી બાબતો નો અનુવાદ)
διαπορευόμενος
જેમ કે હું રોમમાંથી પસાર થાઉ છું અથવા ""જ્યારે હું મારા માર્ગ પર છું
καὶ ὑφ’ ὑμῶν προπεμφθῆναι ἐκεῖ
અહીં પાઉલ સૂચવે છે કે રોમન વિશ્વાસીઓને તેની સ્પેનની મુસાફરી કરવા માટે થોડીક આર્થિક સહાય પ્રદાન કરે તેવું ઇચ્છે છે. વૈકલ્પિક અનુવાદ: ""કે તમે મારા પ્રવાસમાં મને મદદ કરશો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐὰν ὑμῶν…ἐμπλησθῶ
તમારી સાથે થોડો સમય પસાર કરવામાં આનંદ કર્યો છે અથવા ""તમારી મુલાકાત લેવાનો આનંદ માણ્યો છે
Romans 15:26
εὐδόκησαν…Μακεδονία καὶ Ἀχαΐα
અહીં ""મકદોનિયા"" અને ""અખાયા"" શબ્દો તે વિસ્તારોમાં રહેનારા લોકો માટેના રૂઢિપ્રયોગો છે. વૈકલ્પિક અનુવાદ: ""મકદોનિયા અને અખાયા પ્રાંતના વિશ્વાસીઓ ખુશ હતા"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)
Romans 15:27
εὐδόκησαν γάρ
મકદોનિયા અને અખાયાના વિશ્વાસીઓને તે કરવાથી આનંદ થયો
γάρ…ὀφειλέται εἰσὶν αὐτῶν
ખરેખર મકદોનિયા અને અખાયાના લોકો યરૂશાલેમના વિશ્વાસીઓના ઋણીઓ છે
εἰ…τοῖς πνευματικοῖς αὐτῶν ἐκοινώνησαν τὰ ἔθνη, ὀφείλουσιν καὶ…λειτουργῆσαι αὐτοῖς
વિદેશીઓએ યરૂશાલેમના વિશ્વાસીઓની આધ્યાત્મિક બાબતોમાં ભાગ લીધો હોવાથી, વિદેશીઓ યરૂશાલેમના વિશ્વાસીઓના ઋણી છે
Romans 15:28
σφραγισάμενος αὐτοῖς τὸν καρπὸν τοῦτον
પાઉલ તે નાણાંની વાત કરે છે જે તે યરૂશાલેમ લઈ જઈ રહ્યો છે જાણે કે તે તેમના માટે એકઠા કરેલા ફળ હોય. વૈકલ્પિક અનુવાદ: ""અને સુરક્ષિત રીતે આ દાન તેમને પહોંચાડયું છે"" (જુઓ: રૂપક)
Romans 15:29
οἶδα δὲ ὅτι ἐρχόμενος πρὸς ὑμᾶς, ἐν πληρώματι εὐλογίας Χριστοῦ, ἐλεύσομαι
આ વાક્યનો અર્થ એ છે કે ખ્રિસ્ત પાઉલ અને રોમન વિશ્વાસીઓને આશીર્વાદ આપશે. વૈકલ્પિક અનુવાદ: ""અને હું જાણું છું કે જ્યારે હું તમારી મુલાકાત લઈશ ત્યારે ખ્રિસ્ત આપણને પુષ્કળ આશીર્વાદ આપશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 15:30
δὲ
જો તમારી ભાષામાં એ બતાવવાનો કોઈ રસ્તો છે કે પાઉલે સારી એવી વાતો વિશે વાત કરવાનું બંધ કરી દીધું છે જેનો તેને વિશ્વાસ છે (રોમન 15:29) અને હવે તે જે જોખમોનો સામનો કરે છે તેના વિશે વાત કરવાનું શરૂ કરશે, તેનો અહીં ઉપયોગ કરો.
παρακαλῶ…ὑμᾶς
હું તમને પ્રોત્સાહિત કરું છું
ἀδελφοί
અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.
συναγωνίσασθαί
તમે સખત મહેનત કરો છો અથવા ""તમે સંઘર્ષ કરો છો
Romans 15:31
ῥυσθῶ ἀπὸ τῶν ἀπειθούντων
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર મને તે અવિશ્વાસી લોકોથી બચાવશે"" અથવા ""જે લોકો અનાદર કરે છે તેઓથી મને નુકસાન પહોંચાડતા અટકાવે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
καὶ ἡ διακονία μου ἡ εἰς Ἰερουσαλὴμ εὐπρόσδεκτος τοῖς ἁγίοις γένηται
અહીં પાઉલ તેની ઇચ્છા વ્યક્ત કરે છે કે યરૂશાલેમના વિશ્વાસીઓ મકદોનિયા અને અખાયાના વિશ્વાસીઓ પાસેથી રાજીખુશીથી નાણાં સ્વીકારશે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રાર્થના કરો કે યરૂશાલેમના વિશ્વાસીઓ માટે જે નાણાં હું લાવ્યો છું તે મેળવીને તેઓ આનંદિત થાય"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 15:33
ὁ…Θεὸς τῆς εἰρήνης μετὰ
શાંતિદાતા ઈશ્વર"" એ ઈશ્વરનો અર્થ છે જેના થકી વિશ્વાસીઓમા આંતરિક શાંતિનું કારણ બને છે. વૈકલ્પિક અનુવાદ: ""હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર જે આપણા સર્વને આંતરિક શાંતિ આપે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 16
રોમન 16 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
આ અધ્યાયમાં, પાઉલે રોમમાંના કેટલાક ખ્રિસ્તીઓનું વ્યક્તિગત અભિવાદન કરે છે. પ્રાચીન નજીકના પૂર્વમાં આ પ્રકારના વ્યક્તિગત અભિવાદન સાથે એક પત્રનો અંત લાવવો એ સામાન્ય વાત હતી.
આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ
આ અધ્યાયની વ્યક્તિગત પ્રકૃતિને કારણે, સંદર્ભનો વધુ પડતો ભાગ અજાણ છે. આ અનુવાદને વધુ મુશ્કેલ બનાવશે.(જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 16:1
ત્યારબાદ રોમના ઘણા વિશ્વાસીઓને નામ દ્વારા પાઉલ અભિવાદન પાઠવે છે.
συνίστημι δὲ ὑμῖν Φοίβην
હું ઇચ્છું છું કે તમે ફેબીનું સન્માન કરો
Φοίβην
આ એક મહિલાનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો અને અજાણી બાબતો નો અનુવાદ)
τὴν ἀδελφὴν ἡμῶν
“આપણે"" શબ્દ પાઉલ અને સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ખ્રિસ્તમાં આપણી બહેન"" (જુઓ: સમાવેશક “અમે”)
Κενχρεαῖς
આ ગ્રીસ શહેરનું એક બંદર હતું. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો અને અજાણી બાબતો નો અનુવાદ)
Romans 16:2
αὐτὴν προσδέξησθε ἐν Κυρίῳ
પાઉલ રોમના વિશ્વાસીઓને સાથી વિશ્વાસી તરીકે ફેબીનું સ્વાગત કરવા પ્રોત્સાહિત કરે છે. વૈકલ્પિક અનુવાદ : ""તેણીનું સ્વાગત કરો કારણ કે આપણે સર્વ પ્રભુના છીએ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἀξίως τῶν ἁγίων
જે રીતે વિશ્વાસીઓએ અન્ય વિશ્વાસીઓનું સ્વાગત કરવું જોઈએ
παραστῆτε αὐτῇ
પાઉલ રોમન વિશ્વાસીઓને ફેબીને જે કંઈપણ જોઈએ તે આપવા પ્રોત્સાહિત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણીને જેની જરૂર હોય તે આપીને તેણીને મદદ કરશો” (જુઓ: સૌમ્યોક્તિ)
προστάτις πολλῶν ἐγενήθη καὶ ἐμοῦ αὐτοῦ
ઘણા લોકોની મદદ કરી છે, અને તેણીએ મને પણ મદદ કરી છે
Romans 16:3
Πρίσκαν καὶ Ἀκύλαν
પ્રિસ્કા એ અકુલાસની પત્ની હતી. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
τοὺς συνεργούς μου ἐν Χριστῷ Ἰησοῦ
પાઉલના ""સાથી કામદારો"" એવા લોકો છે જેઓ ઈસુ વિશે બીજાઓને પણ કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો ખ્રિસ્ત ઈસુ વિશે કહેવા માટે મારી સાથે કામ કરે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 16:5
καὶ τὴν κατ’ οἶκον αὐτῶν ἐκκλησίαν
તેઓના ઘરમાં આરાધના કરવા માટે મળનારા વિશ્વાસીઓને સલામ કહેજો
Ἐπαίνετον
આ એક પુરૂષનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો અને અજાણી બાબતો નો અનુવાદ)
ἀπαρχὴ τῆς Ἀσίας εἰς Χριστόν
પાઉલ અપૈનિતસ વિશે બોલે છે કે જાણે તે એક પ્રથમફળ હોય. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુમાં વિશ્વાસ કરનાર એશિયામાં પ્રથમ વ્યક્તિ"" (જુઓ: રૂપક)
Romans 16:6
Μαρίαν
આ એક મહિલાનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
Romans 16:7
Ἀνδρόνικον
આ એક પુરૂષનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
Ἰουνίαν
આ કાં તો 1) જુનિયાસ, એક મહિલાનું નામ, અથવા, ઘણી ઓછી સંભાવના, 2) જુનિયાસ, એક પુરુષનું નામ. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
οἵτινές εἰσιν ἐπίσημοι ἐν τοῖς ἀποστόλοις
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પ્રેરિતો તેઓને ખૂબ સારી રીતે જાણે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 16:8
Ἀμπλιᾶτον
આ એક પુરૂષનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
τὸν ἀγαπητόν μου ἐν Κυρίῳ
મારા પ્રિય મિત્ર અને સાથી વિશ્વાસી
Romans 16:9
Οὐρβανὸν…Στάχυν
આ પુરુષોના નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
Romans 16:10
Ἀπελλῆν…Ἀριστοβούλου
આ પુરુષોના નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
τὸν δόκιμον ἐν Χριστῷ
મંજૂરી"" શબ્દનો ઉલ્લેખ એવો કોઈને થાય છે કે જેની ચકાસણી કરવામાં આવી અને સાચો સાબિત થયો. વૈકલ્પિક અનુવાદ: ""જેને ખ્રિસ્તે મંજૂરી આપી છે
Romans 16:11
Ἡρῳδίωνα…Ναρκίσσου
આ પુરુષોના નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
τοὺς ὄντας ἐν Κυρίῳ
આ ઈસુમાં વિશ્વાસ રાખનારાઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""વિશ્વાસીઓ કોણ છે"" અથવા ""જે પ્રભુના છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 16:12
Τρύφαιναν…Τρυφῶσαν…Περσίδα
આ મહિલાઓના નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો અને અજાણી બાબતો નો અનુવાદ)
Romans 16:13
Ῥοῦφον
આ એક પુરુષનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો અને અજાણી બાબતો નો અનુવાદ)
τὸν ἐκλεκτὸν ἐν Κυρίῳ
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુએ જેને પસંદ કર્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τὴν μητέρα αὐτοῦ καὶ ἐμοῦ
પાઉલ રૂફસની મા વિશે બોલે છે જાણે તે તેની પોતાની મા હોય. વૈકલ્પિક અનુવાદ: ""તેની મા, જેને હું મારી મા તરીકે પણ માનું છું"" (જુઓ: રૂપક)
Romans 16:14
Ἀσύγκριτον, Φλέγοντα, Ἑρμῆν, Πατροβᾶν, Ἑρμᾶν
આ પુરુષોના નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો અને અજાણી બાબતો નો અનુવાદ)
ἀδελφούς
અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.
Romans 16:15
Φιλόλογον…Νηρέα…Ὀλυμπᾶν
આ પુરુષોના નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો અને અજાણી બાબતો નો અનુવાદ)
Ἰουλίαν
એક સ્ત્રીનું નામ. જુલિયા સંભવત ફિલોલોગસની પત્ની હતી. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો અને અજાણી બાબતો નો અનુવાદ)
Romans 16:16
φιλήματι ἁγίῳ
સાથી વિશ્વાસીઓ માટે લાગણીની અભિવ્યક્તિ
ἀσπάζονται ὑμᾶς αἱ ἐκκλησίαι πᾶσαι τοῦ Χριστοῦ
અહીં પાઉલ ખ્રિસ્તની મંડળીઓ વિશે સામાન્ય રીતે બોલે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ ક્ષેત્રની તમામ મંડળીઓમાંના વિશ્વાસીઓ તમને અભિવાદન મોકલે છે"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)
Romans 16:17
પાઉલ એકતા અને ઈશ્વર માટે જીવવા વિશે વિશ્વાસીઓને એક છેલ્લી ચેતવણી આપે છે.
ἀδελφοί
અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.
σκοπεῖν
તેઓને ધ્યાનમાં રાખો
τὰς διχοστασίας καὶ τὰ σκάνδαλα…ποιοῦντας
આ તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ દલીલ કરે છે અને બીજાઓને ઈસુ પર વિશ્વાસ બંધ કરવાનું કારણ આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે વિશ્વાસીઓને એકબીજા સાથે દલીલ કરવા અને ઈશ્વર પર વિશ્વાસ રાખવા અટકાવવાનું કારણ આપે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
παρὰ τὴν διδαχὴν ἣν ὑμεῖς ἐμάθετε
તેઓ એવી વસ્તુઓ શીખવે છે કે જે તમે પહેલાથી શીખ્યા તે સત્યથી સહમત નથી
ἐκκλίνετε ἀπ’ αὐτῶν
અહીંથી પાછા ફરવુ એ ""સાંભળવાનો ઇનકાર"" માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને સાંભળશો નહિ"" (જુઓ: રૂપક)
Romans 16:18
ἀλλὰ τῇ ἑαυτῶν κοιλίᾳ
તેઓ સેવા આપે છે"" તે શબ્દો પહેલાના વાક્યથી સમજી શકાય છે. આ એક અલગ વાક્ય તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના બદલે, તેઓ તેમના પોતાના પેટની સેવા કરે છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
ἀλλὰ τῇ ἑαυτῶν κοιλίᾳ
અહીં ""પેટ"" એક ઉપનામ છે જે શારીરિક ઇચ્છાઓનો ઉલ્લેખ કરે છે. ત્યાં પેટની સેવા તેમની ઇચ્છાઓને સંતોષવાનું રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તેઓ ફક્ત તેમની પોતાની સ્વાર્થી ઇચ્છાઓને જ સંતોષવા માગે છે"" (જુઓ: ઉપનામ અને રૂપક)
καὶ διὰ τῆς χρηστολογίας καὶ εὐλογίας
સરળ"" અને ""ખુશામત"" શબ્દોનો અર્થ સમાન જ છે. પાઉલે ભાર મૂક્યો છે કે આ લોકો કેવી રીતે વિશ્વાસીઓને છેતરતા હોય છે. વૈકલ્પિક અનુવાદ: ""સારી અને સાચી લાગે તેવી બાબતો કહીને"" (જુઓ: બેવડું/બમણાં)
ἐξαπατῶσι τὰς καρδίας τῶν ἀκάκων
અહીં ""હૃદય"" એ કોઈ વ્યક્તિના મન અથવા આંતરિક અસ્તિત્વ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ નિર્દોષ વિશ્વાસીઓને છેતરે છે"" (જુઓ: ઉપનામ)
ἀκάκων
આ તે લોકોનો ઉલ્લેખ કરે છે જે સરળ, બિનઅનુભવી, અને ભોળા છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ નિર્દોષપણે તેમના પર વિશ્વાસ કરે છે"" અથવા ""જેઓ નથી જાણતા કે આ શિક્ષકો તેઓને મૂર્ખ બનાવે છે
Romans 16:19
ἡ γὰρ ὑμῶν ὑπακοὴ, εἰς πάντας ἀφίκετο
અહીં પાઉલ રોમન વિશ્વાસીઓના આજ્ઞાપાલનની એ રીતે વાત કરે છે જાણે તે એક વ્યક્તિ હોય જે લોકો મધ્યે જઈ શકતી હોય. વૈકલ્પિક અનુવાદ: ""દરેક વ્યક્તિએ સાંભળ્યું છે કે તમે કેવી રીતે ઈસુનું પાલન કરો છો"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
ἀκεραίους…εἰς τὸ κακόν
ભૂંડી વસ્તુઓ કરવામાં સામેલ નથી
Romans 16:20
ὁ δὲ Θεὸς τῆς εἰρήνης συντρίψει τὸν Σατανᾶν ὑπὸ τοὺς πόδας ὑμῶν ἐν τάχει
તમારા પગ તળે છૂંદવુ"" આ શબ્દસમૂહ દુશ્મન પરની સંપૂર્ણ જીતનો ઉલ્લેખ કરે છે. અહીં પાઉલ શેતાન પરની જીતની વાત કરે છે જાણે કે રોમન વિશ્વાસીઓ દુશ્મનને તેમના પગ નીચે કચડી રહ્યા હોય. વૈકલ્પિક અનુવાદ: ""ટૂંક સમયમાં ઈશ્વર તમને શાંતિ અને શેતાન પર સંપૂર્ણ વિજય આપશે"" (જુઓ: રૂપક)
Romans 16:21
પાઉલ તેની સાથે રહેલા વિશ્વાસીઓ તરફથી અભિવાદન કરે છે.
Λούκιος, καὶ Ἰάσων, καὶ Σωσίπατρος
આ પુરુષોના નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
Romans 16:22
ἐγὼ, Τέρτιος, ὁ γράψας τὴν ἐπιστολὴν
તેર્તિયુસ તે પુરુષ છે જેણે પાઉલે જે કહ્યું તે લખ્યું હતું. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
ἀσπάζομαι ὑμᾶς…ἐν Κυρίῳ
સાથી વિશ્વાસી તરીકે તમને અભિવાદન
Romans 16:23
Γάϊος…Ἔραστος…Κούαρτος
આ પુરુષોના નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
ὁ ξένος
આ ગાયસનો ઉલ્લેખ કરે છે, તે વ્યક્તિ જેના ઘરે પાઉલ અને તેના સાથી વિશ્વાસીઓ આરાધના માટે એકત્ર થયા હતા.
ὁ οἰκονόμος
આ તે વ્યક્તિ છે જે જૂથ માટેના નાણાંની સંભાળ રાખે છે.
Romans 16:25
પાઉલ આશીર્વાદની પ્રાર્થના સાથે સમાપન કરે છે.
δὲ
અહીં શબ્દ ""હવે"" અક્ષરના સમાપન વિભાગને ચિહ્નિત કરે છે. જો તમારી પાસે તમારી ભાષામાં આમ કરવાની રીત હોય, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.
ὑμᾶς στηρίξαι
પાઉલ અહીં પ્રબળ વિશ્વાસ હોવા વિશે એવી રીતે જણાવે છે જાણે વ્યક્તિ પડવાને બદલે ઊભો હોય. વૈકલ્પિક અનુવાદ: ""તમારા વિશ્વાસને મજબૂત બનાવવા"" (જુઓ: રૂપક)
κατὰ τὸ εὐαγγέλιόν μου, καὶ τὸ κήρυγμα Ἰησοῦ Χριστοῦ
મેં ઈસુ ખ્રિસ્ત વિશે સુવાર્તા દ્વારા જે ઉપદેશ આપ્યો છે
κατὰ ἀποκάλυψιν μυστηρίου χρόνοις αἰωνίοις σεσιγημένου
પાઉલ કહે છે કે ઈશ્વરે વિશ્વાસીઓ માટે અગાઉ છુપાયેલા સત્યો જાહેર કર્યા છે. તે એ રીતે બોલે છે જાણે આ સત્યની વાત કોઈ ગુપ્ત છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે ઈશ્વરે જે તેમણે લાંબા સમયથી રહસ્ય રાખ્યું હતું તે વિશ્વાસીઓને પ્રગટ કર્યું છે"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Romans 16:26
φανερωθέντος δὲ νῦν διά τε Γραφῶν προφητικῶν, κατ’ ἐπιταγὴν τοῦ αἰωνίου Θεοῦ…εἰς πάντα τὰ ἔθνη γνωρισθέντος
ક્રિયાપદ ""પ્રગટ"" અને ""જાણીતું કરવું"" મૂળભૂત રીતે સમાન વસ્તુ છે. પાઉલ તેમના મુદ્દા પર ભાર મૂકવા માટે આ બંનેનો ઉપયોગ કરે છે. તમે આ શબ્દોને જોડી શકો છો અને તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ હવે અનંતકાળીક ઈશ્વરે ભવિષ્યવાણીના લખાણો દ્વારા તે તમામ રાષ્ટ્રો માટે જાણીતું કર્યું છે"" (જુઓ: બેવડું/બમણાં અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
εἰς ὑπακοὴν πίστεως
અહીં ""આજ્ઞાપાલન"" અને ""વિશ્વાસ"" અમૂર્ત નામો છે. તમે તમારા અનુવાદમાં ""આજ્ઞાપાલન કરો"" અને ""વિશ્વાસ"" ક્રિયાપદ વાપરી શકો છો. તમારે સ્પષ્ટતા કરવાની જરૂર પડી શકે છે કે કોણ પાલન કરશે અને વિશ્વાસ કરશે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી તમામ રાષ્ટ્રો ઈશ્વરનું પાલન કરશે કારણ કે તેઓ તેમનામાં વિશ્વાસ રાખે છે"" (જુઓ: અમૂર્ત નામો અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Romans 16:27
μόνῳ σοφῷ Θεῷ…ᾧ ἡ δόξα εἰς τοὺς αἰῶνας. ἀμήν!
અહીં ""ઈસુ ખ્રિસ્ત દ્વારા"" ઈસુએ જે કર્યું તે સૂચવે છે. ""મહિમા"" આપવાનો અર્થ ઈશ્વરની સ્તુતિ કરવી. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે તેના લીધે, આપણે કાયમ તેમની, જેઓ એકલા જ ઈશ્વર અને જ્ઞાની છે, તેમની પ્રશંસા કરીશું. આમેન"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)