ગુજરાતી (Gujarati): translationNotes

Updated ? hours ago # views See on DCS Draft Material

2 Peter

2 Peter front

૨પિતરનો પરિચય

ભાગ ૧: સાધારણ પરિચય

૨ પિતરની રૂપરેખા

  1. પરિચય (૧:૧-૨)
  2. ઈશ્વરીય જીવનો જીવવા સ્મરણ કરાવવું કેમ કે એ પ્રમાણે કરવા ઈશ્વરે આપણને સમર્થ કર્યા છે (૧:૩-૧૫)
  3. પ્રેરિતીય શિક્ષણની યથાર્થતા માટે સ્મરણ કરાવવું (૧:૧૬-૨૧)
  4. ખોટા ઉપદેશકો અંગેની ભવિષ્યવાણી (૨:૧-૩)
  5. ખોટા ઉપદેશકોનું વર્ણન અને જાહેર આરોપ (૨:૧૦બ -૨૨)
  6. ઇસુ નિયુક્ત સમયે આવશે તે અંગે સ્મરણ કરાવવું (૩:૧-૧૩)
  7. ઈશ્વરીય જીવનો જીવવા આખરી શિખામણ (૩:૧૪-૧૭)

૨ પિતરનું પુસ્તક કોણે લખ્યું ?

લેખક પોતાની ઓળખાણ સિમોન પિતર તરીકેની આપે છે. સિમોન પિતર એક પ્રેરિત હતો. તેણે ૧ પિતર પુસ્તક પણ લખ્યું. તેના મરણ પહેલાં પિતરે આ પત્ર કદાચ તે રોમની જેલમાં હતો ત્યારે લખ્યું હતું. પિતર આ પત્રને તેનો બીજો પત્ર કહે છે, માટે આપણે તેને ૧ પિતર પછીનાં સમયમાં ગોઠવી શકીએ છીએ. તેના પ્રથમ પત્રની જેમ આ પત્ર પણ તેણે પહેલાનાં જ શ્રોતાઓને લખ્યો હતો. આ શ્રોતાઓ લગભગ સમગ્ર એશિયા માઈનરમાં વિખેરાઈ ગયેલાં ખ્રિસ્તીઓને લખવામાં આવ્યો હતો.

૨ પિતરનાં પત્ર કયા વિષયમાં લખવામાં આવ્યું છે ?

પિતરે આ પત્ર વિશ્વાસીઓને ઈશ્વરીય સ્વભાવનાં જીવનો જીવવા માટે પ્રોત્સાહન આપવા લખ્યો હતો. તેણે તેઓને ખોટા ઉપદેશકો કે જેઓ કહી રહ્યા હતા કે ઈસુના આગમનને બહુ મોડું થઇ રહ્યું છે તેઓ વિષે ચેતવણી આપી. તેણે તેઓને કહ્યું કે ઇસુ તેમના આગમન માટે મોડું કરી રહ્યા નથી. તેને બદલે, ઈશ્વર લોકોને પસ્તાવો કરવાનો સમય આપી રહ્યા હતા કે જેથી તેઓનું તારણ થઇ શકે.

આ પુસ્તકનાં શીર્ષકનો કઈ રીતે અનુવાદ કરવો જોઈએ ?

અનુવાદકો તેને તેના પરંપરાગત નામ “૨ પિતર” કે “બીજો પિતર” કહી શકે છે. અથવા તેઓ એક સ્પષ્ટ શિર્ષકની પણ પસંદગી કરી શકે, જેમ કે, “પિતરનો બીજો પત્ર” અથવા “પિતરે લખેલ બીજો પત્ર.” (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ભાગ ૨: મહત્વનાં ધાર્મિક અને સાંસ્કૃતિક વિષયો

કયા લોકોની વિરુધ્ધમાં પિતર બોલ્યો ?

જે લોકોની વિરુધ્ધમાં પિતર બોલ્યો હતો તેઓ એવું બની શકે કે જેઓ જ્ઞાનવાદીઓ તરીકે જાણીતા થયા તેઓ હોય. આ ઉપદેશકો તેઓના પોતાના લાભ માટે શાસ્ત્રના ઉપદેશોનો મારીમચરડીને ખોટો અર્થ કાઢતાં હતા. તેઓ અનૈતિક માર્ગોમાં જીવતા અને તેવું કરવા બીજાઓને પણ ઉપદેશ આપતા.

શાસ્ત્રવચનો માટે ઈશ્વરે પ્રેરણા પૂરી પાડીનો શું અર્થ થાય છે ?

શાસ્ત્રનો સિધ્ધાંત અતિશય મહત્વનો છે. ૨ પિતર વાંચકોને સમજવામાં સહાયતા આપે છે કે શાસ્ત્રવચનનાં દરેક લેખકની તેની પોતાની એક આગવી લેખનશૈલી હતી, તોપણ શાસ્ત્રનાં સાચા લેખક તો ઈશ્વર જ છે (૧:૨૦-૨૧).

ભાગ ૩: અનુવાદમાં અગત્યની સમસ્યાઓ

“તું”નું એકવચન અને બહુવચન

આ પુસ્તકમાં “હું” શબ્દ પિતરનો ઉલ્લેખ કરે છે. તેની સાથે, “તમને” શબ્દ હંમેશા બહુવચનમાં આવે છે અને તે પિતરનાં શ્રોતાઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે” અને તમેનાં સ્વરૂપો)

૨ પિતરનાં પાઠોમાં મુખ્ય સમસ્યાઓ કઈ છે ?

નિમ્નલિખિત કલમો માટે, અમુક પ્રાચીન હસ્તપ્રતો વચ્ચે અંતર જોવા મળે છે. ULT મોટાભાગના જ્ઞાનીઓ જેને સૌથી વધારે અસલ ગણે છે તેઓનું અનુકરણ કરે છે જયારે બીજા લેખોને ટૂંકનોંધમાં નીચેના હાંસિયામાં મૂકે છે. પ્રદેશમાં સૌથી વધારે પ્રચલિત ભાષામાં બાઈબલનો અનુવાદ અસ્તિત્વમાં હોય તો, તે આવૃતિમાં જોવા મળતા બાઈબલનાં લેખનનો અનુવાદકો ઉપયોગ કરવાની ઈચ્છા રાખી શકે. જો તેમ નથી, તો અનુવાદકો ULTનો ઉપયોગ કરે એવી સલાહ આપવામાં આવે છે.

  • “ન્યાયકરણ થતાં સુધી નીચેનાં અંધકારની સાંકળોથી બંધનમાં રાખ્યા” (૨:૪). અમુક પ્રાચીન હસ્તપ્રતોમાં “ન્યાયકરણ થતાં સુધી નીચેના અંધકારના ખાડાઓમાં બંધનમાં રાખ્યા.” લખેલ છે.
  • તમારી સાથે પ્રેમભોજન કરતી વેળાએ તેઓ તેઓના કપટયુક્ત આચરણોમાં મોજ માણે છે”(૨:૧૩). અમુક હસ્તપ્રતોમાં, “તેઓ પ્રેમભોજનોમાં મોજશોખ કરીને તમારી સાથે ભોજન કરે છે” લખેલ છે.
  • “બસોર” (૨:૧૫). અમુક હસ્તપ્રતોમાં વાંચન આ મુજબ છે, “બયોર.”
  • “તત્વો અગ્નિથી પીગળી જશે, અને પૃથ્વી તથા તેમાંના કામોને પ્રગટ કરવામાં આવશે” (૩:૧૦). અન્ય હસ્તપ્રતો કહે છે, “તત્વોને અગ્નિથી બાળી નાંખવામાં આવશે, અને પૃથ્વીને તથા તે પરના કામોને બાળી નાખવામાં આવશે.”

(જુઓ: શાબ્દિક ભિન્નતા)

2 Peter 1

૨ પિતર ૧ સાધારણ ટૂંકનોંધ

માળખું અને રચના

  1. પરિચય (૧:૧-૨)
  2. ઈશ્વરીય જીવનો જીવવા સ્મરણ કરાવવું કેમ કે એ પ્રમાણે કરવા ઈશ્વરે આપણને સમર્થ કર્યા છે (૧:૩-૧૫)
  3. પ્રેરિતીય શિક્ષણની યથાર્થતા માટે સ્મરણ કરાવવું (૧:૧૬-૨૧)

    પિતર જેઓને આ પત્ર લખે છે તેઓની આગળ પોતાની ઓળખ આપીને, અને શુભેચ્છા પાઠવીને, તેનું નામ લખતાં 1:1–2 માં તેના પત્રની શરૂઆત કરે છે. આ જમાનામાં પરંપરાગત રીતે પત્રોની શરૂઆત આ મુજબ જ લોકો વડે કરવામાં આવતી હતી.

આ અધ્યાયની વિશેષ સંકલ્પનાઓ

ઈશ્વરનું જ્ઞાન

ઈશ્વરનું અનુભવ સાથેનું જ્ઞાન હોવાનો અર્થ થાય છે કે તેમના થઇ જવું કે તેમની સાથે સંબંધ હોવો. અહીં, “જ્ઞાન”નો ભાવાર્થ ઈશ્વર વિષે માનસિક રીતે માહિતી હોવા કરતા વિશેષ અર્થમાં વાતચીત કરવામાં આવી છે. તે વ્યક્તિગત સંબંધનાં જ્ઞાન વિષે વાત કરે છે જેમાં ઈશ્વર વ્યક્તિનું તારણ કરે છે અને તેને કૃપા અને શાંતિ આપે છે. (જુઓ: જાણવું, જાણે છે, જાણતો હતો, જ્ઞાન, ઓળખાવું, ઓળખાયો, ઓળખાવે છે, ઓળખાવ્યો, અજાણ, વંશવેલો, પૂર્વજ્ઞાન, ભેદ દર્શાવવો, નામાંકિત કરવું)

ઈશ્વરીય જીવનો જીવવા

પિતર ઉપદેશ આપતા જણાવે છે કે ઈશ્વરીય જીવનો જીવવા માટે ઈશ્વરે વિશ્વાસીઓને જરૂરી સઘળા વાનાં આપ્યા છે. તેથી, ઈશ્વરને આધીન રહેવા માટે વિશ્વાસીઓએ તેઓનાથી બનતું સઘળું વધારે ને વધારે કરતા રહેવું જોઈએ. જો વિશ્વાસીઓ આ પ્રમાણે કરવામાં સતત પ્રવૃત્ત રહે છે તો ઇસુ સાથેના તેઓના સંબંધમાં તેઓ વધારે પ્રભાવશાળી અને ફળદાયી થશે. પરંતુ, જો વિશ્વાસીઓ ઈશ્વરીય સ્વભાવ ધરાવનાર જીવનો જીવવામાં પ્રવૃત્ત નહિ રહે તો, તેઓનું તારણ કરવા માટે ખ્રિસ્તની મારફતે ઈશ્વરે જે કર્યું છે તે બાબતોને તેઓ ભૂલી ગયા છે એવું ગણાશે. (જુઓ: ઈશ્વરપરાયણ/ઈશ્વરીય, ધર્મનિષ્ઠા/ઈશ્વરપરાયણતા, અધર્મી, નાસ્તિક, નાસ્તિકતા/અનાસ્થા અને બચાવવું, બચાવ્યા, સલામત, તારણ)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત સમસ્યાઓ

શાસ્ત્રનું સત્ય

પિતર ઉપદેશ આપતા જણાવે છે કે શાસ્ત્રમાં જોવા મળતી ભવિષ્યવાણીઓ મનુષ્યની બનાવટ નથી. તેઓને બોલનાર કે તેઓને લખનાર મનુષ્યોની આગળ પવિત્ર આત્માએ ઈશ્વરના સંદેશને પ્રગટ કર્યો હતો. અને એ પણ કે, પિતર અને અન્ય પ્રેરિતોએ ઇસુ વિષે લોકોને જે વાર્તાઓ કહી તે તેઓએ ઉપજાવી કાઢેલી વાર્તાઓ નથી. ઈસુએ જે કામો કર્યા અને ઈશ્વરે ઈસુને તેમનો દીકરો કહ્યો તેના તેઓ સાક્ષીઓ રહ્યા હતા.

2 Peter 1:1

Σίμων Πέτρος

આ સમાજમાં, પત્રના લેખકો સૌથી પહેલા તેઓના નામો આપતા, અને પછી તેઓ પોતાને ત્રીજા પુરુષના સર્વનામમાં સંબોધિત કરતા. જો તે તમારી ભાષામાં ગૂંચવાડો ઉત્પન્ન કરનાર બાબત થતી હોય તો, તમે પ્રથમ પુરુષનો ઉપયોગ કરી શકો છો. પત્રના લેખકનો પરિચય આપવા માટે જો તમારી ભાષામાં કોઈ વિશેષ શૈલી હોય તો તમે તેનો અહીં ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “હું, સિમોન પિતર, આ પત્ર લખું છું” કે “સિમોન પિતર તરફથી” (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Σίμων Πέτρος

સિમોન પિતર ઈસુના એક શિષ્ય એવા એક પુરુષનું નામ છે. ૨ પિતરનાં પરિચયનાં ભાગ ૧ માં તેના વિષેની માહિતીને જુઓ. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

δοῦλος καὶ ἀπόστολος Ἰησοῦ Χριστοῦ

આ શબ્દસમૂહ સિમોન પિતર વિષે વધુ પરિચય આપે છે. તે તેના વિષે સંબોધન કરતા જણાવે છે કે તે ઇસુ ખ્રિસ્તનો સેવક અને ખ્રિસ્તના પ્રેરિતતરીકેની પદવી અને અધિકાર પ્રાપ્ત કરેલ વ્યક્તિ છે. (જુઓ: માહિતી આપવી કે યાદ દેવડાવવું વચ્ચેનો તફાવત)

τοῖς…λαχοῦσιν

આ સમાજમાં, તેઓના પોતાના નામો આપ્યા પછી, પત્રના લેખકો જેઓને તેઓ પત્ર લખી રહ્યા હોય એવા લોકોના નામો ત્રીજા પુરુષનાં સર્વનામો વડે ઉલ્લેખ કરીને તેઓના નામોનો ઉલ્લેખ કરતા. જો તે તમારી ભાષામાં ગૂંચવાડો ઉત્પન્ન કરનાર બાબત થતી હોય તો, તમે પ્રથમ પુરુષનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેઓ પામ્યા છે તેઓને” (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

τοῖς ἰσότιμον ἡμῖν λαχοῦσιν πίστιν

કે આ લોકો વિશ્વાસ પામ્યા છેનો સૂચિતાર્થ થાય છે કે તેઓને આ વિશ્વાસ ઈશ્વરે આપ્યો છે. વૈકલ્પિક અનુવાદ: “અમારી સમાનતામાં મૂલ્યવાન વિશ્વાસ જેઓને આપવામાં આવ્યો છે તેઓને” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τοῖς ἰσότιμον…λαχοῦσιν πίστιν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા વિશ્વાસની પાછળ રહેલા વિચારને તમે “ભરોસો કરવો” કે “વિશ્વાસ કરવું” જેવા ક્રિયાપદ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે જેઓને ભરોસો કરતા કર્યા છે તેઓને” અથવા “ઈશ્વરે જેઓને વિશ્વાસ રાખતા કર્યા છે તેઓને” (જુઓ: અમૂર્ત નામો)

ἡμῖν

અહીં, અમારાશબ્દ પિતર અને અન્ય પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે, અને તે જેઓને આ પત્ર લખે છે તેઓનો ઉલ્લેખ તેમાં કરતો નથી. વૈકલ્પિક અનુવાદ: “અમ પ્રેરિતો જે રીતે પામ્યા છે” (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ἐν δικαιοσύνῃ

થીશબ્દ તેઓ જેના વડે વિશ્વાસ પામ્યા તે માધ્યમને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયીપણાનાં માધ્યમથી”

δικαιοσύνῃ τοῦ Θεοῦ ἡμῶν καὶ Σωτῆρος

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા ન્યાયીપણાની પાછળ રહેલા વિચારને “ન્યાયી” કે “ખરો” જેવા વિશેષણ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણા ઈશ્વર અને તારનારનાં ન્યાયી કૃત્યો” કે “આપણા ઈશ્વર અને તારનારનાં ખરા માર્ગ” (જુઓ: અમૂર્ત નામો)

2 Peter 1:2

χάρις ὑμῖν καὶ εἰρήνη πληθυνθείη

આ સમાજમાં, પત્રના લેખકો પત્રના મુખ્ય વિષયનો પરિચય આપે તે પહેલા પત્રનો સ્વીકાર કરનારાઓને સારી શુભેચ્છા પાઠવતા. તમારી ભાષામાં એવા એક રૂપનો ઉપયોગ કરો કે જે સ્પષ્ટતા આપતું હોય કે આ એક શુભેચ્છા અને આશિષવચન છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તમારા પ્રત્યે તેમના ભલાઈનાં કામોનો વધારો કરો અને તમને વધારે શાંતિમાં રાખો” (જુઓ: INVALID translate/translate-blessing)

χάρις…καὶ εἰρήνη πληθυνθείη

વિશ્વાસીઓને કૃપાઅને શાંતિ આપનાર ઈશ્વર જ છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તે માહિતીને સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કરી શકો છો: “ઈશ્વર તેમની કૃપા અને શાંતિનો વધારો કરો” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

χάρις ὑμῖν καὶ εἰρήνη πληθυνθείη

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞાઓ કૃપા અને શાંતિની પાછળ રહેલા વિચારોને તમે તેના સમાનર્થી શબ્દપ્રયોગો વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તમારા પ્રત્યે તેમના ભલાઈનાં કાર્યોમાં ગુણોત્તર વૃધ્ધિ કરતા જાઓ અને તમને હજુ વધારે શાંત આત્મા આપો” (જુઓ: અમૂર્ત નામો)

χάρις…καὶ εἰρήνη πληθυνθείη

કૃપા અને શાંતિનાં વિષયમાં પિતર એ રીતે બોલે છે કે જાણે તેઓ કદ અને સંખ્યામાં વધારો થાય એવા પદાર્થો હોય. જો તે તમારી ભાષામાં ગુંચવણ ઊભી કરનાર હોય તો તમે કોઈ એક ભિન્ન રૂપકનો ઉપયોગ કરી શકો જેનો અર્થ થતો હોય કે આ બાબતોમાં વધારો થાય છે અથવા તમે એક સરળ ભાષાનો ઉપયોગ કરી શકો છો: “ઈશ્વર તેમની કૃપા અને શાંતિ વધારો” (જુઓ: રૂપક)

ὑμῖν

અહીં સર્વનામ બહુવચનમાં છે, કેમ કે પિતર ઇસુમાં વિશ્વાસ કરનાર વિશ્વાસીઓના એક સમૂહને લખી રહ્યો છે. સામાન્ય રીતે, આ જ કારણને લીધે સમગ્ર પત્રમાં “તમે” અને “તમારા” શબ્દો બહુવચનમાં જ રહેશે.

ἐν ἐπιγνώσει τοῦ Θεοῦ, καὶ Ἰησοῦ τοῦ Κυρίου ἡμῶν

જો તમે અહીં ભાવવાચક સંજ્ઞાનો ઉપયોગ કરનાર નથી, તો તમે જ્ઞાનનો એક ક્રિયા કરનાર શબ્દસમૂહનો ઉપયોગ કરીને તમે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે તમે આપણા ઈશ્વરને અને આપણા પ્રભુ ઈસુને ઓળખો છો” (જુઓ: અમૂર્ત નામો)

ἐν ἐπιγνώσει τοῦ Θεοῦ, καὶ Ἰησοῦ τοῦ Κυρίου ἡμῶν

તેનો અર્થ આ હોય શકે: (૧) “ઈશ્વરને અને આપણા પ્રભુ ઈસુને ઓળખવાને કારણે” અથવા (૨) “ઈશ્વર અને આપણા પ્રભુ ઈસુને ઓળખવાથી.”

τοῦ Κυρίου ἡμῶν

અહીં, આપણા પ્રભુનો અર્થ “આપણા ઉપર જે સ્વામી છે તે વ્યક્તિ” અથવા “આપણા પર રાજ કરનાર વ્યક્તિ.” થાય છે. (જુઓ: માલિકી)

2 Peter 1:3

ὡς…ἡμῖν τῆς θείας δυνάμεως αὐτοῦ…δεδωρημένης

અહીં,તેનાથી શબ્દ સૂચવે છે કે આ કલમ અપેક્ષિત પરિણામ માટેના કારણને પૂરું પાડે છે, જે 1:5–7માં પિતરની આજ્ઞા છે. વૈકલ્પિક અનુવાદ: “તેમના ઈશ્વરી સામર્થ્યે આપણને આપ્યાં છે” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ἡμῖν

અહીં, આપણનેશબ્દ પિતર અને સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

τῆς θείας δυνάμεως αὐτοῦ

તેમનાસર્વનામ આ બાબતોનો ઉલ્લેખ કરતું હોય: (૧) ઈશ્વર. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરના ઈશ્વરી સામર્થ્યે” (૨) ઇસુ. વૈકલ્પિક અનુવાદ: “ઇસુ, ઈશ્વર તરીકે તેમના સામર્થ્યથી” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

τῆς θείας δυνάμεως αὐτοῦ

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા સામર્થ્યની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદનાં રૂપમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર, કેમ કે તે કંઈપણ કરી શકે છે,” (જુઓ: અમૂર્ત નામો)

τῆς θείας δυνάμεως αὐτοῦ…δεδωρημένης

પિતર ઈશ્વરના ઈશ્વરી સામર્થ્યઅંગે અલંકારિક શબ્દપ્રયોગમાં બોલે છે કે જાણે તે એક સજીવ વસ્તુ હોય જે લોકોને કંઇક આપી શકે છે. ઈશ્વર એક એવા વ્યક્તિ છે જે આપનાર છે, અને તેવું કરવા માટે તે તેમના ઈશ્વરી સામર્થ્યનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે આપવા માટે તેમના ઈશ્વરી સામર્થ્યનો ઉપયોગ કર્યો છે” (જુઓ: વ્યક્તિનો અવતાર)

πρὸς ζωὴν καὶ εὐσέβειαν

અહીં, માટે શબ્દ વિશ્વાસીઓને આ સઘળી બાબતો ઈશ્વરે જેના માટે આપી છે તેના હેતુને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: “જીવન અને ભક્તિભાવનાં હેતુ માટે” (જુઓ: જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

πρὸς ζωὴν καὶ εὐσέβειαν

અહીં, ભક્તિભાવ જીવનશબ્દનું વર્ણન કરે છે. વૈકલ્પિક અનુવાદ: “એક ભક્તિભાવપૂર્ણ જીવન માટે” (જુઓ: સંયોજકો)

εὐσέβειαν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા ભક્તિભાવની પાછળ રહેલા વિચારને કોઈ એક ક્રિયાપદનાં રૂપનો ઉપયોગ કરીને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર પ્રત્યે આદરપૂર્વકનો વ્યવહાર પ્રગટ કરીને” (જુઓ: અમૂર્ત નામો)

διὰ τῆς ἐπιγνώσεως

થીશબ્દ જીવન અને ભક્તિભાવ માટે જે સઘળું ઈશ્વરે આપ્યું છે તે માધ્યમનો સંકેત આપે છે. વૈકલ્પિક અનુવાદ: “જ્ઞાનનાં માધ્યમથી”

διὰ τῆς ἐπιγνώσεως τοῦ καλέσαντος ἡμᾶς

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા જ્ઞાનનો કોઈ એક ક્રિયાપદનાં રૂપ વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેમણે આપણને બોલાવ્યા તેમને ઓળખવાથી” (જુઓ: અમૂર્ત નામો)

τοῦ καλέσαντος ἡμᾶς

આ શબ્દસમૂહનો અર્થ આ હોય શકે: (૧) ઈશ્વર. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરને, જેમણે આપણને બોલાવ્યા” (૨) ઇસુ. વૈકલ્પિક અનુવાદ: “ઈસુને, જેમણે આપણને બોલાવ્યા”

ἡμᾶς

અહીં, આપણને શબ્દ પિતર અને તેમના સાથી વિશ્વાસીઓ એવા તેના શ્રોતાઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

διὰ δόξης καὶ ἀρετῆς

અહીં, થી શબ્દ ઈશ્વરે આપણને જેના માધ્યમથી બોલાવ્યા તેનો સંકેત આપે છે. વૈકલ્પિક અનુવાદ: “તેમના મહિમા અને ઉત્કૃષ્ટતાનાં માધ્યમથી”

διὰ δόξης καὶ ἀρετῆς

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞાઓ મહિમાઅને ઉત્કૃષ્ટતાની પાછળ રહેલાં વિચારને તમે એક ક્રિયાપદનાં રૂપમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તે ઘણા મહાન અને ઘણા સારાં હોવાને લીધે” (જુઓ: અમૂર્ત નામો)

2 Peter 1:4

δι’ ὧν

અહીં, થીશબ્દ ઈશ્વરે તેમના વાયદાઓ જેના માધ્યમથી આપ્યા તેનો સંકેત આપે છે. વૈકલ્પિક અનુવાદ: “જેના માધ્યમથી”

δι’ ὧν

અહીં, તેનાથી શબ્દ ઉપરોક્ત કલમનો નિર્દેશ કરે છે. તે આનો ઉલ્લેખ કરતુ હોય શકે: (૧) “તેમનો મહિમા અને ઉત્કૃષ્ટતા.” વૈકલ્પિક અનુવાદ: “તેમના મહિમા અને ઉત્કૃષ્ટતાથી” (૨) “જીવન અને ભક્તિભાવને માટે જરૂરી સઘળાં વાનાં.” વૈકલ્પિક અનુવાદ: “આ સઘળાં વાનાં આપણને આપીને” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

ἡμῖν

અહીં, આપણને શબ્દ પિતર અને તેમના સાથી વિશ્વાસીઓ એવા તેના શ્રોતાઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

δεδώρηται

તેણેસર્વનામ આનો ઉલ્લેખ કરતુ હોય શકે: (૧) ઈશ્વર. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે આપ્યા છે” (૨)ઇસુ. વૈકલ્પિક અનુવાદ: “ઈસુએ આપ્યા છે” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

τὰ τίμια καὶ μέγιστα ἡμῖν ἐπαγγέλματα δεδώρηται,

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા વાયદાઓની પાછળ રહેલાં વિચારને એક ક્રિયાપદનાં રૂપમાં રજુ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: “તેમણે આપણને મૂલ્યવાન અને અતિશય મોટાં વાયદાઓ આપ્યાં છે” (જુઓ: અમૂર્ત નામો)

ἵνα διὰ τούτων γένησθε θείας κοινωνοὶ φύσεως

આ હેતુ ઉક્તિ છે. ઈશ્વરે આપણને જે મૂલ્યવાન અને અતિશય મોટાં વાયદાઓ આપ્યાં છે તેના હેતુને પિતર દર્શાવે છે. તમારા અનુવાદમાં, હેતુદર્શી ઉક્તિઓ માટે વપરાતાં તમારી ભાષાના સંવાદોનો ઉપયોગ કરો. વૈકલ્પિક અનુવાદ (અલ્પવિરામ મૂક્યા વગર): “એવા હેતુથી કે તેઓ વડે તમે ઈશ્વરી સ્વભાવના ભાગીદારો થઇ શકો” (જુઓ: જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

διὰ τούτων

દ્વારાશબ્દ ઈશ્વરી સ્વભાવનાં ભાગીદાર થવા માટેના માધ્યમનો સંકેત આપે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓના માધ્યમથી”

διὰ τούτων

અહીંતેઓસર્વનામ ઉપરોક્ત ઉલ્લેખિત શબ્દસમૂહનાં મૂલ્યવાન અને અતિશય મોટા વાયદાઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આ વાયદાઓ દ્વારા” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

θείας…φύσεως

ભાવવાચક સંજ્ઞા સ્વભાવશબ્દ કોઈ વસ્તુના સ્વાભાવિક લક્ષણોનો ઉલ્લેખ કરે છે અથવા તે કેવું છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર જેવા છે તેના જેવા” (જુઓ: અમૂર્ત નામો)

ἀποφυγόντες τῆς…φθορᾶς

દુષ્ટ ઈચ્છાઓને લીધે જે ભ્રષ્ટાચારથાય છે તેનાથી પીડિત નથી એવા લોકોના વિષયમાં પિતર અલંકારિક ભાષાપ્રયોગમાં બોલે છે કે જાણે તેઓ તે ભ્રષ્ટતામાંથી છૂટીગયા હોય. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “હવે જેનાથી ભ્રષ્ટ થઇ રહ્યા નથી” (જુઓ: રૂપક)

ἐν τῷ κόσμῳ

અહીં, જગતનો આ અર્થ હોય શકે: (૧)આપણે જ્યાં રહીએ છીએ તે સ્થળ, કે જ્યાં આપણે પાપી લોકો અને પાપમય પરીક્ષણોથી ઘેરાયેલાં છીએ. વૈકલ્પિક અનુવાદ: “આપણી આસપાસમાં જે સઘળું છે તે” (૨) ઈશ્વરનું સન્માન ન રાખનાર લોકો જેને મહત્વ આપે છે તે વ્યવસ્થા. વૈકલ્પિક અનુવાદ: “જગતની ઈશ્વરવિહોણી મૂલ્ય વ્યવસ્થા” (જુઓ: ઉપનામ)

ἐν ἐπιθυμίᾳ

અહીં, થીશબ્દ જગત જેનાથી ભ્રષ્ટ થાય છે તેનો સંકેત આપે છે. તે કોઈ એવા માધ્યમનો સંકેત આપતું નથી કે જેના વડે પિતરનાં શ્રોતાઓ તે ભ્રષ્ટાચારથી બચી ગયા હોય. વૈકલ્પિક અનુવાદ: “દુર્વાસનાનાં માધ્યમથી”

φθορᾶς

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા ભ્રષ્ટાચારની પાછળ રહેલા વિચારને તમે કોઈ એક ક્રિયાપદનાં રૂપ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમને ભ્રષ્ટ કરનાર બાબતો” (જુઓ: અમૂર્ત નામો)

2 Peter 1:5

καὶ αὐτὸ τοῦτο δὲ

એ જ કારણને લીધે શબ્દસમૂહ ઉપરોક્ત કલમોમાં હાલમાં જ પિતરે જેનો ઉલ્લેખ કર્યો છે તેનો સંકેત આપે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અને હવે ઈશ્વરે જે બાબતો કરી છે તેને લીધે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

σπουδὴν πᾶσαν παρεισενέγκαντες

સંપૂર્ણ પરિશ્રમ કરીને** શબ્દસમૂહ હવે પછી જેનો ઉલ્લેખ થનાર છે તે કૃત્યને કરવા માટે વ્યક્તિએ જે માધ્યમનો ઉપયોગ કરવાનો છે તેનો સંકેત આપે છે. વૈકલ્પિક અનુવાદ: “સંપૂર્ણ પરિશ્રમ કરવાના માધ્યમથી”

σπουδὴν πᾶσαν παρεισενέγκαντες

અહીં, સંપૂર્ણ પરિશ્રમ કરીનેશબ્દ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ વ્યક્તિની શ્રેષ્ઠતા કે શ્રેષ્ઠ પ્રયાસ કરવા થાય છે. વૈકલ્પિક અનુવાદ: “દરેક પ્રયાસ કરવા” (જુઓ: રૂઢિપ્રયોગ)

ἐπιχορηγήσατε ἐν τῇ πίστει ὑμῶν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા વિશ્વાસની પાછળ રહેલા વિચારને “ભરોસો કરવો” કે “વિશ્વાસ કરવો” જેવા ક્રિયાપદ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઇસુમાં તમે ભરોસો રાખી રહ્યા છો ત્યારે, ને ઉમેરો” (જુઓ: અમૂર્ત નામો)

ὑμῶν

તમારાસર્વનામ અહીં બહુવચનમાં આવશે કેમ કે પિતર ઇસુમાં વિશ્વાસ કરનાર વિશ્વાસીઓના સમૂહને લખી રહ્યો છે. એ જ કારણને લીધે સામાન્યતઃ “તમે” અને “તમારા” સર્વનામો સમગ્ર પત્રમાં બહુવચનમાં જ આવશે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

τὴν ἀρετήν…τῇ ἀρετῇ

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા ભલાઈની પાછળ રહેલાં વિચારને તમે આ કલમમાં બંને સમયોએ કોઈ એક વિશેષણયુક્ત શબ્દસમૂહનો ઉપયોગ કરીને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જે ભલું છે તે કરીને... જે ભલું છે તે કરીને” (જુઓ: અમૂર્ત નામો)

ἐν δὲ τῇ ἀρετῇ τὴν γνῶσιν

ઘણી ભાષાઓમાં વાક્યને પૂર્ણ કરવા માટે જરૂરી પડે એવા કેટલાક શબ્દોને પિતર કાઢી મૂકે છે. આ શબ્દોને ઉપરોક્ત વાક્યમાંથી લાવીને તેની ભરપાઈ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તમારી ભલાઈમાં જ્ઞાનને ઉમેરી દો” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

τὴν γνῶσιν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા જ્ઞાનની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદનું રૂપ વાપરીને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર વિષેનાં જ્ઞાનમાં વધારો કરવો” (જુઓ: અમૂર્ત નામો)

2 Peter 1:6

ἐν δὲ τῇ γνώσει τὴν ἐνκράτειαν

ઘણી ભાષાઓમાં વાક્યને પૂર્ણ કરવા માટે જરૂરી પડે એવા કેટલાક શબ્દોને પિતર કાઢી મૂકે છે. આ શબ્દોને ઉપરોક્ત વાક્યમાંથી લાવીને તેની ભરપાઈ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તમારા જ્ઞાનમાં સંયમને ઉમેરી દો” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

τῇ γνώσει

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા જ્ઞાનની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદનું રૂપ વાપરીને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર વિષેનાં જ્ઞાનમાં વધારો કરવો” (જુઓ: અમૂર્ત નામો)

τὴν ἐνκράτειαν…τῇ ἐνκρατείᾳ

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા સંયમની પાછળ રહેલાં વિચારને તમે આ કલમમાં બંને સમયોએ કોઈ એક વિશેષણયુક્ત શબ્દસમૂહનો ઉપયોગ કરીને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમને નિયંત્રિત રાખીને... તમને નિયંત્રિત રાખીને” (જુઓ: અમૂર્ત નામો)

ἐν δὲ τῇ ἐνκρατείᾳ τὴν ὑπομονήν

ઘણી ભાષાઓમાં વાક્યને પૂર્ણ કરવા માટે જરૂરી પડે એવા કેટલાક શબ્દોને પિતર કાઢી મૂકે છે. આ શબ્દોને ઉપરોક્ત વાક્યમાંથી લાવીને તેની ભરપાઈ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તમારા સંયમમાં ધીરજને ઉમેરી દો” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

τὴν ὑπομονήν…τῇ ὑπομονῇ

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા ધીરજની પાછળ રહેલાં વિચારને તમે આ કલમમાં બંને સમયોએ કોઈ એક વિશેષણયુક્ત શબ્દસમૂહનો ઉપયોગ કરીને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “દુઃખ સહન કરીને... દુઃખ સહન કરીને” (જુઓ: અમૂર્ત નામો)

ἐν δὲ τῇ ὑπομονῇ τὴν εὐσέβειαν,

ઘણી ભાષાઓમાં વાક્યને પૂર્ણ કરવા માટે જરૂરી પડે એવા કેટલાક શબ્દોને પિતર કાઢી મૂકે છે. આ શબ્દોને ઉપરોક્ત વાક્યમાંથી લાવીને તેની ભરપાઈ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તમારી ધીરજમાં ભક્તિભાવને ઉમેરી દો” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

τὴν εὐσέβειαν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા ભક્તિભાવની પાછળ રહેલાં વિચારને તમે ક્રિયાપદનાં રૂપનો ઉપયોગ કરીને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર પ્રત્યે આદરયુક્ત વ્યવહાર પ્રગટ કરીને” (જુઓ: અમૂર્ત નામો)

2 Peter 1:7

ἐν δὲ τῇ εὐσεβείᾳ τὴν φιλαδελφίαν

ઘણી ભાષાઓમાં વાક્યને પૂર્ણ કરવા માટે જરૂરી પડે એવા કેટલાક શબ્દોને પિતર કાઢી મૂકે છે. આ શબ્દોને ઉપરોક્ત વાક્યમાંથી લાવીને તેની ભરપાઈ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તમારા ભક્તિભાવમાં બંધુપ્રીતી ઉમેરી દો” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

τὴν φιλαδελφίαν…τῇ φιλαδελφίᾳ

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા ભક્તિભાવની પાછળ રહેલાં વિચારને તમે ક્રિયાપદનાં રૂપનો ઉપયોગ કરીને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમારા ભાઈઓ અને બહેનોની કાળજી રાખીને... તમારા ભાઈઓ અને બહેનોની કાળજી રાખીને” (જુઓ: અમૂર્ત નામો)

ἐν δὲ τῇ φιλαδελφίᾳ τὴν ἀγάπην

ઘણી ભાષાઓમાં વાક્યને પૂર્ણ કરવા માટે જરૂરી પડે એવા કેટલાક શબ્દોને પિતર કાઢી મૂકે છે. આ શબ્દોને ઉપરોક્ત વાક્યમાંથી લાવીને તેની ભરપાઈ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તમારી બંધુપ્રીતીમાં પ્રેમને ઉમેરી દો” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

τὴν ἀγάπην

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા પ્રેમની પાછળ રહેલાં વિચારને તમે ક્રિયાપદનાં રૂપનો ઉપયોગ કરીને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “બીજાઓને પ્રેમ કરીને” (જુઓ: અમૂર્ત નામો)

2 Peter 1:8

ταῦτα γὰρ ὑμῖν ὑπάρχοντα καὶ πλεονάζοντα

કેમ કે શબ્દ અહીં સંકેત આપે છે કે 1:5–7માં આપવામાં આવેલ આજ્ઞાનું તેના શ્રોતાઓએ કેમ પાલન કરવું જોઈએ તે વિષેનું કારણ પિતર આપે છે. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે આ વાનાંઓ તમારામાં અસ્તિત્વ ધરાવે છે અને વૃધ્ધિ પામે છે તેને લીધે” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ταῦτα γὰρ ὑμῖν ὑπάρχοντα καὶ πλεονάζοντα, οὐκ ἀργοὺς οὐδὲ ἀκάρπους καθίστησιν

પિતર એક શરતી સ્થિતિનું વર્ણન કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને તે રીતે અભિવ્યકત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જો આ વાનાંઓ તમારામાં અસ્તિત્વ ધરાવે અને તે તમારામાં વૃધ્ધિ કરે તો પછી તેઓ તમને શુષ્ક કે ફળ વગરનાં રહેવા દેશે નહિ” (જુઓ: આનુમાનિક સ્થિતિઓને – જોડવી)

ταῦτα

અહીં, આ વાનાં શબ્દ 1:5–7 માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

οὐκ ἀργοὺς οὐδὲ ἀκάρπους καθίστησιν

આ સદ્ગુણો ન ધરાવનાર વ્યક્તિ વિષે પિતર એવા અર્થમાં બોલે છે કે જાણે તે એક ખેતર હોય જે ફસલને ઉત્પન્ન કરતું ન હોય. જો તમારી ભાષામાં તે મૂંઝવણ ઊભી કરનાર હોય તો તેનો તે અર્થ આપનાર કોઈ રૂપકનો તમે ઉપયોગ કરી શકો અથવા તમે તેને સીધા સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમને ફળ વગરનાં કે નિરર્થક રહેવા દેશે નહિ” (જુઓ: રૂપક)

οὐκ ἀργοὺς οὐδὲ ἀκάρπους καθίστησιν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સરળ રીતે સકારાત્મક શૈલીઓમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ફળ ઉત્પન્ન કરનાર અને આપનાર તમને બનાવશે” (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

οὐκ ἀργοὺς οὐδὲ ἀκάρπους

સૂકાંઅને ફળ વગરના શબ્દોનો મૂળભૂત રીતે એક જ અર્થ થાય છે. નકારાત્મક શબ્દોન તો અને નું સંયોજનનો આ બાબત પર ભાર મૂકવા માટે ઉપયોગ કરાયો છે કે આ વ્યક્તિ ફળરહિત રહેશે નહિ પણ તે ઈસુને ઓળખવાને લીધે વધારે ફાયદાઓનો અનુભવ કરશે. એક જ અર્થ થતો હોય એવા બે શબ્દોનો એકસાથે ઉપયોગ કરવું જો તમારી ભાષામાં મૂંઝવણ ઊભી કરનાર થતું હોય તો તેનો તે અર્થ જાળવી રાખનાર કોઈ એક જ શબ્દનો તમે અહીં ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “નિષ્ફળ નહિ” (જુઓ: બેવડું/બમણાં)

εἰς τὴν τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ, ἐπίγνωσιν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા જ્ઞાનની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદનું રૂપ વાપરીને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્ત વિષેનાં તમારા જ્ઞાનમાં” (જુઓ: અમૂર્ત નામો)

2 Peter 1:9

γὰρ

1:5–7 માં આપવામાં આવેલ આજ્ઞાનું પાલન તેના શ્રોતાઓએ કેમ કરવું જોઈએ તે વિષેનું બીજું કારણ પિતર આપે છે તે પણ શબ્દ સંકેત આપે છે અને અહીં તે નકારાત્મક કારણ આપે છે. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ᾧ…μὴ πάρεστιν ταῦτα, τυφλός ἐστιν

અહીં, તેશબ્દ કોઈ એક ચોક્કસ વ્યક્તિનો ઉલ્લેખ કરતું નથી, પરંતુ જેની પાસે આ વાનાં નથી તે કોઇપણ વ્યક્તિ વિષે વાત કરે છે.” વૈકલ્પિક અનુવાદ: “જે કોઈની પાસે આ વાનાં નથી તે” (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના)

ταῦτα

અહીં, આ વાનાં શબ્દ [1:5-7] (../01/05.md) માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τυφλός ἐστιν μυωπάζων

આ રૂપકમાં પિતર જેની પાસે આ સદ્ગુણો નથી તેવી વ્યક્તિ વિષે એ રીતે બોલે છે કે જાણે તે વ્યક્તિ આંધળો કે ટૂંકીદ્રષ્ટિનો હોય. તેના કહેવાનો આ એક આત્મિક અર્થ છે કે આત્મિક રીતે જે મહત્વનું છે તેને આ વ્યક્તિ જોઈ શકતો નથી. જો તે તમારી ભાષામાં મૂંઝવણ ઊભી કરનાર હોય તો, તેનો તે જ અર્થ ધરાવનાર કોઈ બીજા રૂપકનો તમે ઉપયોગ કરી શકો અથવા તમે તેને સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આંધળો કે ટૂંકી દ્રષ્ટિનો માણસ છે જે તેઓના મહત્વને જોઈ શકતો નથી” (જુઓ: રૂપક)

τυφλός ἐστιν μυωπάζων

આંધળો અને ટૂંકી દ્રષ્ટિઆ બંને શબ્દોનાં એકસમાન જ અર્થ થાય છે તોપણ આંધળોશબ્દ ટૂંકી દ્રષ્ટિ કરતા વધારે માત્રાનું છે અને એક વ્યક્તિ એક જ સમયે બંને ના હોય શકે. આ રીતે આ બંને શબ્દોનો ઉલ્લેખ કોઈ વ્યક્તિ આ રીતે કરે તેના લીધે જો તમારી ભાષામાં મૂંઝવણ ઉભી થતી હોય તો તમે “કે”જેવા શબ્દનો અથવા તેઓની વચ્ચેનો એક તટસ્થ શબ્દ વાપરી શકો અથવા તેઓ બંને એકસાથે કઈ રીતે કામ કરે છે તે દર્શાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તે... આંધળો કે ટૂંકી દ્રષ્ટિનો છે” કે “તે...અંધાપાને લીધે ટૂંકી દ્રષ્ટિનો છે” કે “તે... એટલી ટૂંકી દ્રષ્ટિનો છે કે આત્મિક રીતે જે મહત્વનું છે તે જોવા માટે તે આંધળો છે” (જુઓ: સંયોજકો)

λήθην λαβὼν τοῦ καθαρισμοῦ

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે આ શબ્દસમૂહમાં રહેલ ભાવવાચક સંજ્ઞા ભૂલકણાપણુંની પાછળ રહેલા વિચારને કોઈ એક ક્રિયાપદ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “શુધ્ધિકરણને ભૂલી ગયો છે” (જુઓ: અમૂર્ત નામો)

τοῦ καθαρισμοῦ τῶν πάλαι αὐτοῦ ἁμαρτιῶν

જો તમારી ભાષામાં તે સ્પષ્ટ થતું હોય તો તમે ભાવવાચક સંજ્ઞા શુધ્ધની પાછળ રહેલા વિચારને કોઈ એક ક્રિયાપદનાં શબ્દસમૂહ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કે તેના જૂના પાપોમાંથી ઈશ્વરે તેને શુધ્ધ કર્યો છે” (જુઓ: અમૂર્ત નામો)

τοῦ καθαρισμοῦ τῶν πάλαι αὐτοῦ ἁμαρτιῶν.

પાપની માફી અંગે પિતર અલંકારિક શબ્દપ્રયોગમાં બોલી રહ્યો છે કે જાણે તે કોઈ એવી બાબત હોય જેણે લોકોને મેલાં કરી દીધા હોય અને તેને લીધે ઈશ્વર તરફથી શુધ્ધતાની જરૂરત પડી હોય. વૈકલ્પિક અનુવાદ: “તેના જૂના પાપોની માફીને” (જુઓ: રૂપક)

2 Peter 1:10

διὸ

પિતર એ માટેશબ્દનો ઉપયોગ થોડા સમય પહેલા જ તેણે જે કહ્યું તેના પરિણામે તેના વાંચકોએ હવે શું કરવું જોઈએ તેનો પરિચય આપવા માટે કરે છે. [1:8-9] (..01/08.md)માં આપવામાં આવેલ બાબતોને આધીન થવા માટેનાં બે કારણોનો વિશેષ રીતે તે ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આ કારણોને લીધે” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ἀδελφοί

ઇસુમાં તેના સાથી વિશ્વાસીઓ સાથેના સીધા સંવાદની એક રીત તરીકે અલંકારિક ભાષાપ્રયોગમાં પિતર ભાઈઓશબ્દનો ઉપયોગ કરે છે. UST માં જુઓ. (જુઓ: રૂપક)

ἀδελφοί

પિતર ભાઈઓશબ્દનો એક જનસાધારણ ભાવાર્થમાં ઉપયોગ કરે છે જેમાં પુરુષો અને સ્ત્રીઓ એમ બંનેનો સમાવેશ થાય છે. તમારા અનુવાદમાં આ વિષયને સ્પષ્ટતાથી રજુ કરવાની કાળજી લો કે જેથી વાંચકોનાં મનમાં એવી છાપ ન ઉભી થાય કે પિતર માટે પુરુષોનું સંબોધન કરી રહ્યો છે. જો તમે બિન અલંકારિક શબ્દ જેમ કે “વિશ્વાસીઓ”નો ઉપયોગ કરો છો તો તમારી ભાષામાં તે શબ્દની સાથે નપુંસક લિંગ અને સ્ત્રીલિંગ એમ બંને રૂપોનો ઉપયોગ કરવાની જરૂરત પડી શકે છે. જો તમે રૂપકને પકડી રાખો છો તો તમે “મારા ભાઈઓ અને બહેનો” શબ્દનો ઉપયોગ કરી શકો છો.” (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

βεβαίαν ὑμῶν τὴν κλῆσιν καὶ ἐκλογὴν ποιεῖσθαι

તેડુંઅને પસંદગીશબ્દો એકસમાન અર્થ ધરાવે છે અને બંને શબ્દો ઈશ્વર તેમના થવા માટે વિશ્વાસીઓની પસંદગી કરે છે તેનો ઉલ્લેખ કરે છે. આ વિચાર પર ભાર મૂકવા માટે પિતર તેઓનો એકસાથે ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં તે સ્પષ્ટ થતું હોય તો, તમે માત્ર એક જ શબ્દનો ઉપયોગ કરી શકો છો અને ભાર મૂકવા માટે બીજી કોઈ રીતનો ઉપયગો કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેમના થવા માટે ઈશ્વરે તમને વાસ્તવિકતામાં પસંદ કર્યા છે તેની તકેદારી રાખો” (જુઓ: બેવડું/બમણાં)

ταῦτα γὰρ ποιοῦντες

અહીં, આ વાનાં શબ્દ [1:5-7] (../01/05.md)માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

ταῦτα γὰρ ποιοῦντες οὐ μὴ πταίσητέ ποτε

પિતર અહીં એક શરતી સ્થિતિનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને તે રીતે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે જો તમે આ પ્રમાણે કરો તો ચોક્કસપણે તમે ઠોકર ખાવાનાં નથી” (જુઓ: આનુમાનિક સ્થિતિઓને – જોડવી)

οὐ μὴ πταίσητέ ποτε

અહીં શબ્દોનું સંયોજન મજબૂત દ્રઢ નિષેધની રજૂઆત કરે છે. વૈકલ્પિક અનુવાદ: “સૌથી ખાતરીપૂર્વક છે કે તમે કદી ઠોકર ખાશો નહિ”

οὐ μὴ πταίσητέ ποτε

અહીં, ઠોકરનો આ અર્થ હોય શકે: (૧) ખ્રિસ્ત પરના વિશ્વાસનો ત્યાગ કરવો. વૈકલ્પિક અનુવાદ: “સૌથી ખાતરીપૂર્વકની બાબત છે કે ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસનો તમે કદી ત્યાગ કરશો નહિ” (૨) પાપમાં પડવું. વૈકલ્પિક અનુવાદ: “તેની પૂરી ખાતરી છે કે તમે પાપમય વ્યવહારમાં ચાલશો નહિ” (જુઓ: રૂપક)

2 Peter 1:11

γὰρ

કારણ કે શબ્દ 1:5-7 અને 1:10 માં આપવામાં આવેલ આજ્ઞાઓનું પાલન તેના વાંચકોએ કેમ કરવું જોઈએ તેનું કારણ પિતર આપે છે તેને દર્શાવે છે. (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

οὕτως

અહીં, એમ કરવાથી શબ્દ [1:5-7] (../01/05.md) માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો જીવનશૈલીમાં સમાવેશનો ફરીથી ઉલ્લેખ કરે છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

πλουσίως ἐπιχορηγηθήσεται ὑμῖν ἡ εἴσοδος εἰς τὴν αἰώνιον βασιλείαν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો તમે તેને એક સકર્મક રૂપમાં કહી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર સદાકાલિક રાજયમાં પ્રવેશ માટે પૂરેપૂરાં હક્કદાર બનાવશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἰς τὴν αἰώνιον βασιλείαν τοῦ Κυρίου ἡμῶν καὶ Σωτῆρος, Ἰησοῦ Χριστοῦ

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો તમે ભાવવાચક સંજ્ઞા રાજયની પાછળ રહેલા વિચારને કોઈ એક ક્રિયાપદનાં શબ્દસમૂહ વડે રજુ કરી શકો છો, જેમ કે “જ્યાં આપણા તારનાર પ્રભુ ઇસુ ખ્રિસ્ત રાજ કરે છે ત્યાં.” વૈકલ્પિક અનુવાદ: આપણા પ્રભુ અને તારનાર ઇસુ ખ્રિસ્ત રાજ કરે છે તે અનંત સ્થાનમાં” (જુઓ” અમૂર્ત નામો)

2 Peter 1:12

διὸ

પિતર માટેશબ્દનો ઉપયોગ તેના પત્રનાં હેતુનો પરિચય આપવા માટે કરે છે. [1:5-10] (../01/05.md) માં તેમણે કહેલી બાબતોને લીધે અને ખાસ કરીને 1:11માં રહેલ પ્રતિજ્ઞાને લીધે તેના વાંચકોને તે સઘળું કરવા માટે ઉત્તેજન પૂરું પાડવા, આ બાબતોનું નિત્ય સ્મરણ કરાવવાની તે ઈચ્છા રાખે છે. અગાઉ જે બાબતો આવી ચૂકી છે તેને કહેવાનું પરિણામ કે હેતુનો આ પરિચય આપે છે તે દર્શાવવા તમારી ભાષામાં કોઈ એક સ્વાભાવિક રૂપનો ઉપયોગ કરો. વૈકલ્પિક અનુવાદ: “આ બાબતો ઘણી અગત્યની હોવાને લીધે” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

τούτων

અહીં, આ વાનાં શબ્દ 1:5–7 માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

ἐστηριγμένους ἐν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમે સારી રીતે શીખી ચૂક્યા છો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐστηριγμένους ἐν τῇ παρούσῃ ἀληθείᾳ

અહીં, સ્થાપિતશબ્દનો કોઈ બાબત માટે દ્રઢતાથી કોઈ વ્યક્તિ સમર્પિત થઇ જાય તેનો ઉલ્લેખ કરવા માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: “તમારી પાસે તાજેતરમાં જે સત્ય છે તેમાં તમે મજબૂતાઈથી વિશ્વાસ કરો છો” (જુઓ: રૂપક)

ἐν τῇ παρούσῃ ἀληθείᾳ

અહીં, માંશબ્દ “ના સંદર્ભમાં” કે “ની સાથે સંકળાઈને” નાં અર્થમાં છે. વૈકલ્પિક અનુવાદ: “તાજેતરનાં સત્યના સંદર્ભમાં”

ἐν τῇ παρούσῃ ἀληθείᾳ

અહીં, તાજેતરશબ્દ અલંકારિક ભાષાપ્રયોગમાં વપરાયો છે કે સત્યજાણે કોઈ એક એવી વસ્તુ હોય જે પિતરના શ્રોતાઓ સાથે ત્યાં હાજર હોય. અહીં તે તાજેતરનાં સમયનો ઉલ્લેખ કરતુ નથી. વૈકલ્પિક અનુવાદ: “તમારી પાસે જે સત્ય છે તેમાં” કે “તામ્રી સાથે જે સત્ય છે તેમાં” (જુઓ: રૂપક)

ἐν τῇ παρούσῃ ἀληθείᾳ

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા સત્યની પાછળ રહેલા વિચારને તમે કોઈ એક વિશેષણ, જેમ કે “સાચા” વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ સાચા ઉપદેશોમાં” (જુઓ: અમૂર્ત નામો)

2 Peter 1:13

δὲ

પણનો આ અર્થ હોય શકે: (૧) તેણે ઉપરોક્ત કલમમાં થોડા સમય અગાઉ જે કહ્યું હતું તેની સાથે પિતર હમણાં જે કહેનાર છે તેની સાથે વિરોધાભાસ ઉત્પન્ન કરે છે. તેના શ્રોતાઓ સત્યને અગાઉથી જાણી ચૂક્યા છે, પણ તે તેઓને ફરીથી યાદ કરાવવા ચાહે છે. UST માં જેમ છે તેમ, વૈકલ્પિક અનુવાદ: “તેમ છતાં.” (૨) ઉપરોક્ત કલમનાં આરંભમાં તેણે જે કહ્યું હતું તેની સાથે પિતર આ વાક્યને જોડે છે. પિતર સત્યના વિષયમાં તેઓને હંમેશા યાદ કરાવવા તૈયાર છે, અને તેને એવું લાગે છે કે તેમ કરવું યથાયોગ્ય છે. વૈકલ્પિક અનુવાદ: “અને” (જુઓ: સંયોજક શબ્દો અને શબ્દસમૂહો)

ἐφ’ ὅσον εἰμὶ ἐν τούτῳ τῷ σκηνώματι

પિતર તેના શરીર વિષે બોલી રહ્યો છે કે જાણે તે એક તંબુહોય જેને પહેરીને તે રાખે છે અને તેને તે કાઢી મૂકશે. તેના શરીરમાં રહેવાનો અર્થ જીવતા રહેવું થાય છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેનો તમે સીધી રીતે સંકેત આપી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જ્યાં સુધી આ શરીરમાં હું છું ત્યાં સુધી” કે “જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી” (જુઓ: રૂપક)

διεγείρειν ὑμᾶς ἐν ὑπομνήσει

પિતર સાવધ કરવાશબ્દનો અલંકારિક રૂપમાં ઉપયોગ કરે છે જે આ બાબતો વિષે તેના વાંચકોને વિચારતા કરવાનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક અભિવ્યક્તિ વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમને આ બાબતો અંગે તમને સ્મરણ કરાવવા કે જેથી તેઓ વિષે તમે વિચાર કરતા રહો” (જુઓ: રૂપક)

διεγείρειν ὑμᾶς ἐν ὑπομνήσει

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, આ શબ્દસમૂહમાં રહેલ ભાવવાચક સંજ્ઞા સ્મરણની પાછળ રહેલા વિચારને તમે “સ્મરણ કરાવવું” ક્રિયાપદ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમને સ્મરણ કરાવવું” (જુઓ: અમૂર્ત નામો)

2 Peter 1:14

εἰδὼς

1:5–7 માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે ખાસ કરીને વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનાં સૈધાંતિક સત્યોને કેમ તે તેના શ્રોતાઓને હંમેશા સ્મરણ કરાવશે તેના એક કારણને પિતર દર્શાવે છે તે આ ઉપવાક્યમાં નજરે પડે છે. વૈકલ્પિક અનુવાદ: “હું જાણું છું તેના કારણે” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ταχινή ἐστιν ἡ ἀπόθεσις τοῦ σκηνώματός μου

પિતર તેના શરીર વિષે બોલી રહ્યો છે કે જાણે તે એક તંબુહોય જેને પહેરીને તે રાખે છે અને તેને તે કાઢી મૂકશે. તેના શરીરમાં રહેવાનો અર્થ જીવતા રહેવું અને તેને ઉતારી મૂકવાનો અર્થ મરણ પામવું થાય છે. વૈકલ્પિક અનુવાદ: “હું બહુ જલદીથી આ શરીરને છોડી દેવાનો છું” (જુઓ: રૂપક)

ταχινή ἐστιν ἡ ἀπόθεσις τοῦ σκηνώματός μου

તેનો તંબુ*પડી જવાનો*છે તે મરણ થવાનો ઉલ્લેખ કરવા વિષેનો એક સારો ભાષાપ્રયોગ છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો તમે તેને સ્પષ્ટ શબ્દોમાં સૂચવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “હું જલદી મરનાર છું” (જુઓ: સૌમ્યોક્તિ)

καθὼς καὶ ὁ Κύριος ἡμῶν, Ἰησοῦς Χριστὸς, ἐδήλωσέν μοι

સૂચન કરવામાં આવેલ ટૂંકનોંધ: “યોહાન ૨૧:૧૮-૧૯માં નોંધવામાં આવ્યું છે તેમ ઈસુએ તેને જે કહ્યું હતું તેનો પિતર અહીં ઉલ્લેખ કરે છે એવું લાગે છે”

2 Peter 1:15

δὲ καὶ

તે પ્રમાણે નો અહીં આ અર્થ હોય શકે: (૧) ઉપરોક્ત કલમમાં પિતરે થોડા સમય પહેલાં જ જે કહ્યું હતું તેની સાથેનું આ વધારાનું આ વાક્ય છે. વૈકલ્પિક અનુવાદ: “તે ઉપરાંત” (૨) આ વાક્ય ઉપરોક્ત કલમમાં તેણે થોડા સમય પહેલા જે કહ્યું હતું તે અને હમણાં તે જે કહેનાર છે તેની સાથે વિરોધાભાસ ઉત્પન્ન કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ” (જુઓ: સંયોજક શબ્દો અને શબ્દસમૂહો)

ἑκάστοτε, ἔχειν ὑμᾶς…τὴν τούτων μνήμην ποιεῖσθαι

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, આ શબ્દસમૂહમાં રહેલ ભાવવાચક સંજ્ઞા સ્મરણની પાછળ રહેલા વિચારને તમે “સ્મરણ કરાવવું” ક્રિયાપદ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ બાબતોનું તમને સ્મરણ કરાવવું” (જુઓ: અમૂર્ત નામો)

τούτων

અહીં, આ વાનાં શબ્દ 1:5–7 માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

μετὰ τὴν ἐμὴν ἔξοδον

તેના મરણ અંગે બોલવા માટે પિતર એક સારો શબ્દ પ્રસ્થાનનો ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, વધારે સાધારણ સૌમ્યોક્તિનો તમે ઉપયોગ કરી શકો કે તેને તમે પ્રત્યક્ષ શબ્દોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “મારા મરણ પછી” કે “હું મરી જાઉં પછી” (જુઓ: સૌમ્યોક્તિ)

2 Peter 1:16

γὰρ

કેમ કે શબ્દ 1:16–21માં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે “આ વાનાં”ને તેઓએ કેમ યાદ રાખવું તેનો ખુલાસો પિતર 1:5–7માં કરે છે તેને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: “તેને કારણને લીધે” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ἐγνωρίσαμεν

અહીં, અમે શબ્દ પિતર અને બીજા પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે. તે તેના વાંચકોનો ઉલ્લેખ કરતું નથી. વૈકલ્પિક અનુવાદ: “અમ પ્રેરિતો અનુસર્યા નહોતા” (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

τὴν…δύναμιν καὶ παρουσίαν

સામર્થ્ય અને આગમન શબ્દો એક જ બાબતનો ઉલ્લેખ કરવા માટે એક સાથે કામ કરે છે; તેઓને કોઈ એક શબ્દસમૂહમાં અનુવાદ કરી શકાય. વૈકલ્પિક અનુવાદ: “સામર્થ્યસહિતનું આગમન” (જુઓ: સંયોજકો)

τὴν τοῦ Κυρίου ἡμῶν Ἰησοῦ Χριστοῦ δύναμιν καὶ παρουσίαν

આ ઉપવાક્યમાં પિતર ધરતી પર પ્રભુ ઈસુના બીજા આગમનનો ઉલ્લેખ કરે છે. આ ભવિષ્યની ઘટના, માથ્થી ૧૭:૧-૮, માર્ક ૯:૧-૮, અને લૂક ૯:૨૮-૩૬માં ઉલ્લેખ કરવામાં આવેલ “રૂપાંતરણ” તરીકે ઓળખાતા ઈસુના એક સામર્થી પ્રગટીકરણ વડે પૂર્વછાયાનાં રૂપમાં પ્રગટ કરવામાં આવેલ છે. તે ઘટનાનાં રૂબરૂ સાક્ષીઓમાંનો એક પિતર હતો.

τοῦ Κυρίου ἡμῶν Ἰησοῦ Χριστοῦ

અહીં, આપણાશબ્દ સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ἐπόπται γενηθέντες

આ શબ્દસમૂહ ઈસુના બીજા આગમન અંગે પ્રેરિતોએ જે માધ્યમથી બીજા લોકોને વાત પ્રગટ કરી તેનો ઉલ્લેખ કરે છે. ઈસુના બીજા આગમન અંગેના તેઓના ઉપદેશનાં એક ભાગ તરીકે પ્રેરિતોએ તેઓના પોતાના રૂબરૂ અનુભવનો ઉપયોગ કર્યો હતો. વૈકલ્પિક અનુભવ: “તેના રૂબરૂ સાક્ષીઓ થવા મારફતે”

τῆς ἐκείνου μεγαλειότητος

તેનાસર્વનામ ઇસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈસુની મહાન પ્રભુતા” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

τῆς ἐκείνου μεγαλειότητος

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો ભાવવાચક સંજ્ઞાપ્રભુતાની પાછળ રહેલા વિચારને તમે એક વિશેષણ જેમ કે “પ્રતાપી”શબ્દનો ઉપયોગ કરીને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેમના પ્રતાપી લક્ષણને ” (જુઓ: અમૂર્ત નામો)

2 Peter 1:17

γὰρ

અહીં, કેમ કેશબ્દ 1:17–18માં જે થનાર છે તે કારણ છે તેને દર્શાવે છે જેનાં વિષે ઉપરોક્ત કલમમાં પિતર કહી શકે છે કે તે ઈસુની મહાન પ્રભુતાનો રૂબરૂ સાક્ષી હતો. કોઈ એક સંયોજનનો ઉપયોગ કરો જે સૂચવી શકે કે આ કારણ કે ખુલાસો છે. વૈકલ્પિક અનુવાદ: “આ કારણને લીધે હું આ કહું છું” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

παρὰ Θεοῦ Πατρὸς

બાપ શબ્દ ઈશ્વર માટેનું એક મહત્વનું ખિતાબ છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

λαβὼν…παρὰ Θεοῦ Πατρὸς τιμὴν καὶ δόξαν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞાઓ માન તથા મહિમા*નો ક્રિયાપદોનો ઉપયોગ કરનારા સમાનાર્થી શબ્દો વડે તમે અનુવાદ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “અને ઈશ્વરે બાપે તેમને માન અને મહિમા આપ્યા” (જુઓ: અમૂર્ત નામો)

φωνῆς ἐνεχθείσης αὐτῷ τοιᾶσδε ὑπὸ τῆς Μεγαλοπρεποῦς Δόξης

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “બહુ તેજસ્વી મહિમામાંથી તેમની પાસે આવેલ વાણી જયારે તેમણે સાંભળી” કે “તેમની સાથે તેજસ્વી મહિમામાંથી વાત કરનાર વાણી જયારે તેમણે સાંભળી” કે “જયારે તેજસ્વી મહિમાએ તેમની સાથે વાત કરી” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

φωνῆς ἐνεχθείσης αὐτῷ τοιᾶσδε ὑπὸ τῆς Μεγαλοπρεποῦς Δόξης

તમારી ભાષામાં સ્વાભાવિક લાગતાં પ્રત્યક્ષ અવતરણોનો પરિચય કરાવવાની બાબતને ધ્યાનમાં લો. વૈકલ્પિક અનુવાદ: “તેજસ્વી મહિમામાંથી તેમની પાસે આવી વાણી લાવવામાં આવી, અને ઈશ્વરે આ પ્રમાણે કહ્યું” (જુઓ: અવતરણો અને અવતરણ શબ્દો)

ἐνεχθείσης αὐτῷ

તેનાસર્વનામ ઇસુનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઇસુ પાસે લાવવામાં આવ્યા” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

τῆς Μεγαλοπρεποῦς Δόξης

પિતર તેમના મહિમાના સંદર્ભોમાં ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. ઈશ્વરનો મહિમા ઈશ્વરની સાથે જ જોડાયેલ છે અને અહીં તેમના નામને સ્થાને વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર, સર્વોચ્ચ મહિમા” (જુઓ: ઉપનામ)

ὁ Υἱός μου

પુત્રઈશ્વરના પુત્ર, ઇસુ માટેનું મહત્વનું ખિતાબ છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

μου…μου…ἐγὼ

મારો અને હુંસર્વનામો ઈશ્વર પિતાનો ઉલ્લેખ કરે છે, જે ટાંકવામાં આવેલ અવતરણમાં બોલી રહ્યા છે. (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

2 Peter 1:18

ταύτην τὴν φωνὴν ἡμεῖς ἠκούσαμεν ἐξ οὐρανοῦ, ἐνεχθεῖσαν

અમે પોતેશબ્દોની સાથે, પિતર તેના પોતાનો અને તેમની સાથેનાં યાકૂબ અને યોહાન શિષ્યોનો ઉલ્લેખ કરી રહ્યો છે, કે જેઓએ પણ વાણી સાંભળી હતી. વૈકલ્પિક અનુવાદ: “અમે, યાકૂબ અને યોહાને, આકાશમાંથી આવેલ વાણી સાંભળી હતી. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ἐξ οὐρανοῦ, ἐνεχθεῖσαν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આકાશમાંથી આવેલ” કે “જે આકાશમાંથી આવી તે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

σὺν αὐτῷ, ὄντες

આ એક સમયદર્શક શબ્દસમૂહ છે જેની શરૂઆત “જયારે” વડે થાય છે. વૈકલ્પિક અનુવાદ: “જયારે અમે તેમની સાથે હતા”

σὺν αὐτῷ

અહીં, તેમનીશબ્દ ઈશ્વર પિતાનો નહિ, પરંતુ ઇસુનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈસુની સાથે હતા” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

τῷ ἁγίῳ ὄρει

પિતર જે પહાડનો ઉલ્લેખ કરે છે તે “રૂપાંતરણ” તરીકે જાણીતી ઘટનામાં ઇસુ જે પહાડ પર સામર્થી રીતે રૂપાંતરિત થયા હતા તે છે. જો તમારા વાંચકોને સહાયક થતું હોય તો, તમે આ માહિતી સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઇસુ જે પવિત્ર પહાડ પર સામર્થી રીતે રૂપાંતરિત થયા હતા તે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Peter 1:19

ἔχομεν βεβαιότερον τὸν προφητικὸν λόγον

વધારે ખાતરીપૂર્વક શબ્દનો જે અનુવાદ કરાયો છે તે આનો ઉલ્લેખ કરતુ હોય શકે: (૧) સંપૂર્ણપણે જેના પર આધાર રાખી શકાય એવી. આ કેસમાં,[1:18-19] (../01/18.md)માં પિતર કહી રહ્યો છે કે અમારી પાસે ઈસુના મહિમા અંગે ઈશ્વરના પોતાના બે આધારભૂત સાક્ષીઓ છે: રૂપાંતરણનાં પહાડ પર ઈશ્વરના પોતાની વાણી અને સૌથી વધારે આધારભૂત ભવિષ્યવાણીનાં શાસ્ત્રવચનો. વૈકલ્પિક અનુવાદ: “અમારી પાસે સૌથી વધારે આધારભૂત ભવિષ્યવચન પણ છે” (૨) બીજી કોઈ બાબત વડે જે સમર્થન પામેલ છે તે. આ કેસમાં, પહાડ પરની ઈશ્વરની વાણી સંમતી આપે છે અથવા તેને હજુ વધારે ભરોસાપાત્ર બનાવી દે છે, તે ભવિષ્યવચનો છે જેના પર અમે અગાઉથી જ સંપૂર્ણપણે ભરોસો રાખીએ છીએ. વૈકલ્પિક અનુવાદ: “સંમતી આપનાર ભવિષ્યવચન અમારી પાસે છે”

ἔχομεν

અહીં, અમારી શબ્દ શબ્દ પિતર અને તેના વાંચકોનો સમાવેશ કરીને સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

βεβαιότερον τὸν προφητικὸν λόγον

સમગ્ર જૂનો કરારનો ઉલ્લેખ કરવા પિતર ભવિષ્યવચનશબ્દસમૂહનો અલંકારિક રૂપમાં ઉપયોગ કરે છે. તે માત્ર “પ્રબોધકો”તરીકે જાણીતા જૂનો કરારનાં પુસ્તકો કે જૂનો કરારમાં સમાવિષ્ટ ભવિષ્યવાણીની આગાહીઓનો જ ઉલ્લેખ કરતું નથી. વૈકલ્પિક અનુવાદ: “શાસ્ત્રવચનો, જે પ્રબોધકો બોલ્યા હતા તે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ᾧ καλῶς ποιεῖτε προσέχοντες

અહીં સંબંધિત સર્વનામ તેને ઉપરોક્ત શબ્દસમૂહમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ભવિષ્યવચનને દર્શાવે છે. પિતર વિશ્વાસીઓને સલાહ આપે છે કે તેઓ ભવિષ્યવચનનાં સંદેશ, જે જૂનો કરાર છે, પર વધારે ચિત્ત લગાડે. (જુઓ: સર્વનામ)

ᾧ καλῶς ποιεῖτε προσέχοντες

પિતર તમે સારું કરોવાક્યનો ઉપયોગ તેના શ્રોતાઓને કહેવા માટે કરે છે કે તેઓએ જૂનો કરારનાં શાસ્ત્રવચનો પર બારીકાઇથી ચિત્ત લગાડવું જોઈએ. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે આ શબ્દસમૂહને કોઈ એક સલાહ કે આજ્ઞાનાં રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેના પર તમારે ધ્યાન આપવું જોઈએ” (જુઓ: વિધાનો - અન્ય ઉપયોગો)

ὡς λύχνῳ φαίνοντι ἐν αὐχμηρῷ τόπῳ

અંધકારમાં અજવાળું આપનાર એક દીવાની સાથે પિતર ભવિષ્યવચનની તુલના કરે છે. અંધારે ઠેકાણે જોવા માટે દીવો જે રીતે કોઈ વ્યક્તિને મદદ કરે છે તેમ, ભવિષ્યવચન આ પાપથી ભરેલ જગતમાં સુયોગ્ય રીતે કઈ રીતે જીવવું તેનું માર્ગદર્શન વિશ્વાસીઓને આપનાર ભવિષ્યવચન છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક બિન અલંકારિક અર્થમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ જગતમાં કઈ રીતે જીવવું તેના માટે એક માર્ગદર્શક” (જુઓ: ઉપમા)

ἕως οὗ ἡμέρα διαυγάσῃ

સવારમાં જે આવે છે તેને નવો દિવસ કહીને પિતર ખ્રિસ્તના બીજા આગમનને અલંકારિક રૂપમાં બોલે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેના અર્થને બિન અલંકારિક રૂપમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ખ્રિસ્ત પાછા ફરે તે દિવસ સુધી” (જુઓ: રૂપક)

φωσφόρος ἀνατείλῃ ἐν ταῖς καρδίαις ὑμῶν

અલંકારિક રૂપમાં પિતર ખ્રિસ્ત અંગે સવારનો તારો શબ્દ વાપરે છે, જે તારો સવાર થવાનો અને રાતનો અંત આવવાનો સંકેત આપે છે. વિશ્વાસીઓના હૃદયોમાં અજવાળું પાથરીને ખ્રિસ્ત ઉગશે, જે સર્વ સંદેહનો અંત લાવશે અને તેમના ઓળખ વિષે સંપૂર્ણ સમજ પ્રદાન કરશે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તે અર્થને બિન અલંકારિક રૂપમાં રજુ કરી શકો અથવા રૂપકને તમે ઉપમામાં ફેરવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જે રીતે સવારનો તારો જગતમાં પ્રકાશે છે તેમ ખ્રિસ્ત તમારી પાસે સર્વ સમજણ લઈને આવે છે” (જુઓ: રૂપક)

ἐν ταῖς καρδίαις ὑμῶν

અહીં, હૃદયોશબ્દ લોકોના મનો માટે વિપર્યય છે. વૈકલ્પિક અનુવાદ: “તમારા મનોમાં” કે “તમને સમજણ આપવા સહાય કરવા” (જુઓ: ઉપનામ)

φωσφόρος

સવારનો તારોશુક્ર ગ્રહનો ઉલ્લેખ કરે છે, જે સૂર્યોદય થતા પહેલાં અમુકવાર આકાશમાં નજરે પડે છે, અને તે સંકેત આપે છે કે પોહ ફાટવાની તૈયારી છે. જો તે તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તમે આ માહિતીને હજુ વધારે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “સૂર્યોદય થાય તેના અગાઉ જે તારો દેખાય છે તે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Peter 1:20

τοῦτο πρῶτον γινώσκοντες

મહત્વ દર્શાવવાનાં ઉદ્દેશ્યથી પિતર અહીં પ્રથમ શબ્દનો ઉપયોગ કરે છે. સમયનાં ક્રમનો તે ઉલ્લેખ કરતુ નથી. વૈકલ્પિક અનુવાદ: “સૌથી વધારે મહત્વનું, તમારે સમજવાનું છે”

τοῦτο πρῶτον γινώσκοντες

સલાહ આપવા માટે પિતર એક વાક્યનો ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં તે સ્પષ્ટ થતું હોય તો, એક આજ્ઞાકારક વાક્યમાં અન્ય્વાદ કરીને તમે તે દર્શાવી શકો છો. જો તમે એવું કરો છો, તો તમે અહીં એક નવા વાક્યની શરૂઆત કરો તો ઘણું સારું રહેશે. વૈકલ્પિક અનુવાદ: “સર્વ ઉપરાંત, આ જાણો” (જુઓ: વિધાનો - અન્ય ઉપયોગો)

πᾶσα προφητεία Γραφῆς ἰδίας ἐπιλύσεως οὐ γίνεται

અહીં, વ્યક્તિનું પોતાનું અર્થઘટન અર્થ નીકળી શકે: (૧) ઈશ્વરે જે કહ્યું હતું તેનું તેઓના પોતાના અર્થઘટનો કાઢીને જૂનો કરારનાં પ્રબોધકોએ તેઓની ભવિષ્યવાણીઓનો આધાર રાખ્યો નહોતો, પણ તેઓની સમક્ષ ઈશ્વરે જે પ્રગટ કર્યું હતું તે જ તેઓએ ભવિષ્યવાણીનાં રૂપમાં મૂક્યું હતું. જો તમારી ભાષામાં તે હજુ વધારે સ્વાભાવિક લાગતું હોય તો, તમે માહિતીનાં ક્રમને બદલી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કોઈપણ પ્રબોધકે તેના પોતાના અર્થઘટન વડે તેની ભવિષ્યવાણીનું અર્થઘટન કર્યું નહોતું” (૨) કે કોઇપણ વ્યક્તિ તેની કે તેણીની પોતાની ઈચ્છા મુજબ શાસ્ત્રવચનનું અર્થઘટન કરી શકે નહિ, પરંતુ માત્ર પવિત્ર આત્માની સહાયથી અને વિશ્વાસીઓનાં એક વિશાળ સમુદાયની સહાયથી જ. વૈકલ્પિક અનુવાદ: “કોઈપણ વ્યક્તિ તેની પોતાની કાબેલિયતથી બાઈબલની ભવિષ્યવાણીનો ખુલાસો કરવા સક્ષમ નથી” (જુઓ: માહિતી માળખું)

ἰδίας ἐπιλύσεως

અર્થઘટનશબ્દ એક ક્રિયાને દર્શાવનાર ભાવવાચક સંજ્ઞા છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે કોઈ એક ક્રિયાપદનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કોઇપણ પ્રબોધકે પોતે જે વિચાર્યું તે મુજબ ભવિષ્યવાણીનું અર્થઘટન કર્યું નથી” (જુઓ: અમૂર્ત નામો)

2 Peter 1:21

γὰρ

કેમ કેસૂચવે છે કે જે થનાર છે તે ઉપરોક્ત કલમનું વાક્ય સાચું છે. તેનો અર્થ આ હોય શકે: (૧) પ્રબોધકો તેઓના પોતાના અર્થઘટન મુજબ ભવિષ્યવાણી કરી શકે નહિ, કેમ કે સત્ય ભવિષ્યવાણી માત્ર પવિત્ર આત્માથી જ આવી શકે છે. (૨) પવિત્ર આત્માની સહાયતા વગર કોઈપણ વ્યક્તિ ભવિષ્યવાણીનું અર્થઘટન કરી શકે નહિ, કેમ કે ભવિષ્યવાણી પવિત્ર આત્મા તરફથી આવે છે. વૈકલ્પિક અનુવાદ: “તેનું કારણ તે છે” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

οὐ…θελήματι ἀνθρώπου ἠνέχθη προφητεία ποτέ

જો તમારી ભાષામાં તે સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો, અને કોણે ક્રિયા કરી તે પણ તમે જણાવી શકો છો: “કોઈપણ પ્રબોધકે કદીપણ મનુષ્યની ઈચ્છા મુજબ ભવિષ્યવાણી કરી નથી” કે “મનુષ્યની ઈચ્છાથી કોઈપણ ભવિષ્યવાણી કદીપણ આવી નથી” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

οὐ…θελήματι ἀνθρώπου ἠνέχθη προφητεία ποτέ

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા ઈચ્છાની પાછળ રહેલા વિચારને તમે ક્રિયાપદનાં શબ્દસમૂહ જેમ કે “મનુષ્ય જે ઈચ્છે તે મુજબ”નો ઉપયોગ કરીને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “મનુષ્ય જે ઈચ્છે ત મુજબ કોઈપણ ભવિષ્યવાણી કદી આવી નથી” (જુઓ: અમૂર્ત નામો)

θελήματι ἀνθρώπου

પિતર મનુષ્યશબ્દનો જનસાધારણ અર્થમાં ઉપયોગ કરે છે જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે. વૈકલ્પિક અનુવાદ: “મનુષ્ય ઇચ્છાથી” (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

ὑπὸ Πνεύματος Ἁγίου φερόμενοι, ἐλάλησαν ἀπὸ Θεοῦ ἄνθρωποι

તેઓ જેનું લખાણ કરે એવી ઈશ્વરની જે ઈચ્છા હતી તે મુજબ પ્રબોધકોને મદદ કરનાર પવિત્ર આત્માઅંગે પિતર અલંકારિક ભાષામાં બોલે છે કે જાણે તે તેઓને એક સ્થળેથી બીજે સ્થળે દોરી જતોહોય. વૈકલ્પિક અનુવાદ: “તેઓને માર્ગદર્શન આપનાર પવિત્ર આત્માની મારફતે માણસો ઈશ્વર તરફથી બોલ્યા” (જુઓ: રૂપક)

ἐλάλησαν ἀπὸ Θεοῦ ἄνθρωποι

આ શબ્દસમૂહમાં, વાક્યને પૂર્ણ કરવા માટે ઘણી ભાષાઓમાં જરૂર પડે એવા એક શબ્દને પિતર કાઢી મૂકે છે. જો તમારી ભાષામાં આ શબ્દની જરૂરત પડે છે તો, કલમનાં અગાઉના ભાગમાંથી તેને અહીં પૂરું પાડી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “મનુષ્યો ઈશ્વર તરફથી ભવિષ્યવાણી બોલ્યા” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

2 Peter 2

૨ પિતર ૨ સામાન્ય ટૂંકનોંધ

માળખું અને રચના

૧.ખોટા ઉપદેશકો અંગેની ભવિષ્યવાણી (૨:૧-૩) ૧. દિવ્ય ન્યાયદંડનાં દાખલાઓ(૨:૪-૧૦અ) ૧. ખોટા ઉપદેશકોનું વર્ણન અને જાહેર આરોપ (૨:૧૦બ -૨૨)

જયારે સાચા પ્રબોધકો જૂનો કરારને લખતા હતા ત્યારે જેમ જૂઠાં પ્રબોધકો કરતા હતા તેમ વિશ્વાસીઓને કપટથી ઠગવાનો પ્રયાસ ખોટા ઉપદેશકો કરશે તે વિષે ભવિષ્યવાણી કરતા પિતર આ પત્રને 2:1–3 માં આગળ લખવાનું ચાલુ રાખે છે. પછી તેઓની માફક ભવિષ્યમાં ઊભા થનાર જૂઠાં ઉપદેશકો પર ઈશ્વર જે ન્યાયદંડ લાવશે તેના વિષે પિતર 2:4–10a માં વર્ણન કરે છે. પછી 2:10b–22માં આ જૂઠાં ઉપદેશકોનાં દુષ્ટ ચારિત્ર્ય અને કામોનું વર્ણન કરીને પિતર આ વિભાગનું સમાપન કરે છે.

આ અધ્યાયની વિશેષ સંકલ્પનાઓ

દેહ

“દેહ” વ્યક્તિના પાપમય સ્વભાવને દર્શાવનાર રૂપક છે. મનુષ્યનો પાપમય ભાગ શારીરિક ભાગ નથી. “દેહ” એવા મનુષ્ય સ્વભાવને દર્શાવે છે જે ઈશ્વરની સઘળી બાબતોનો તિરસ્કાર કરે છે અને જે પાપમય છે તેની સ્વીકાર કરે છે. ઇસુમાં વિશ્વાસ કરીને તેઓ પવિત્ર આત્મા પામે તે ઘડી સુધી સર્વ માનવજાતિની સ્થિતિ આ મુજબની જ છે. (જુઓ: દેહ)

સૂચક માહિતી

જો જૂનો કરારનો હજુ સુધી અનુવાદ કરવામાં આવ્યો ના હોત તો 2:4–8માં કેટલાક દાખલાઓ એવા છે જેઓને સમજવું ઘણું આકરું સાબિત થાત. વિગતવાર ખુલાસાની જરૂરીયાત ઊભી થઇ શકે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Peter 2:1

δὲ

હવેશબ્દનો અનુવાદ આ બાબતોનો ઉલ્લેખ કરતું હોય શકે: (૧) ULT માં હવેશબ્દ વડે નવા વિષયની શરૂઆતને દર્શાવવામાં આવે છે. (૨) અગાઉની કલમમાં જૂનો કરારનાં જે સાચા પ્રબોધકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેઓ અને આ ઉપવાક્યમાં રજુ કરેલ જૂઠાં પ્રબોધકો વચ્ચે વિરોધાભાસને દર્શાવવામાં આવ્યો હોય. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ” (જુઓ: જોડાણ-વિરોધાભાસ સબંધ)

ἐν τῷ λαῷ

અહીં લોકો શબ્દ વિશેષ કરીને ઇઝરાયેલનાં લોકોનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો તમે તેને સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઇઝરાયેલના લોકો” કે “ઇઝરાયેલીઓ” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

αἱρέσεις ἀπωλείας

અહીં, પાખંડી મતોખ્રિસ્ત અને પ્રેરિતોનાં ઉપદેશથી વિરુધ્ધ જનાર મતોનો ઉલ્લેખ કરાયો છે. વૈકલ્પિક અનુવાદ: “નાશકારક પાખંડી મતો” (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

αἱρέσεις ἀπωλείας,

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો નાશસંજ્ઞાની પાછળ રહેલા વિચારને તમે એક સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “નાશકારક દુર્મતો” અથવા “એવા દુર્મતો જે વિનાશ લાવે છે” (જુઓ: અમૂર્ત નામો)

αἱρέσεις ἀπωλείας

નાશનાં લક્ષણથી રજુ થનાર એક મતનો ઉલ્લેખ કરવા પિતર સંબંધક વિભક્તિનો ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં આ સ્પષ્ટ નથી તો, “નાશ”સંજ્ઞાનો ઉપયોગ કરવાને બદલે તમે “નાશકારક” વિશેષણનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “નાશકારક દુર્મતો” (જુઓ: માલિકી)

αἱρέσεις ἀπωλείας

અહીં, નાશઆ બાબતોનો ઉલ્લેખ કરતું હોય શકે: (૧) જેઓ આ દુર્મતોશીખવે છે અથવા સ્વીકારે છે તેઓનો અનંત વિનાશ. વૈકલ્પિક અનુવાદ: “દુર્મતો જે તેઓના અનંત વિનાશનું કારણ બને છે” (૨) જેઓ આ દુર્મતોશીખવે છે અને સ્વીકારે છે તેઓના વિશ્વાસનો નાશ. વૈકલ્પિક અનુવાદ: “એવા દુર્મતો જે મસીહામાં તેઓના વિશ્વાસનો નાશ કરે છે”

τὸν ἀγοράσαντα αὐτοὺς Δεσπότην

અહીં, ધણીશબ્દ ઇસુનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ધણી ઇસુ જેણે તેઓને ખરીદ્યા” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τὸν ἀγοράσαντα αὐτοὺς Δεσπότην

જેણે તેમના મરણથી તેઓના પાપનો દંડ ભોગવીને નાશથી બચાવ્યા છે તે લોકોના માલિક તરીકે ઇસુ માટે ધણી જેણે ખરીદ્યા શબ્દસમૂહનો ઉપયોગ પિતર અલંકારિક રૂપમાં વાપરે છે. જો તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તેને તમે બિન અલંકારિક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓનો ઉધ્ધાર કરનાર ઇસુ” (જુઓ: રૂપક)

ἐπάγοντες ἑαυτοῖς ταχινὴν ἀπώλειαν

અહીં, ઉપરોક્ત ઉપવાક્યોમાં વર્ણન કરવામાં આવેલ જૂઠાં ઉપદેશકોની કરણીઓનું પરિણામ આ ઉપવાક્ય છે તે વહોરી લેશેશબ્દ સૂચવે છે. જો તમારી ભાષામાં તે સહાયક થતું હોય તો, તમે આ સંયોજનને વધારે સ્પષ્ટ કરી શકો છો અને એક નવા વાક્યની રચના કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “તેના પરિણામે, તેઓ તેઓના પર ઉતાવળે નાશ વહોરી લઇ રહ્યા છે.” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ταχινὴν ἀπώλειαν

અહીં, ઉતાવળેશબ્દનો આ અર્થ હોય શકે: (૧) તેઓનો નાશ ઉતાવળ કરીને આવશે. વૈકલ્પિક અનુવાદ: “નાશ જે બહુ જલદીથી થનાર છે” અથવા “નિકટવર્તી વિનાશ” (૨) તેઓનો વિનાશ અચાનક કે ઝડપથી થશે. વૈકલ્પિક અનુવાદ: “ઝડપી નાશ”

ἐπάγοντες ἑαυτοῖς ταχινὴν ἀπώλειαν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, નાશસંજ્ઞાની પાછળ રહેલા વિચારને તમે કોઈ એક ક્રિયાપદ જેમ કે “નાશ કરવું” વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ તેઓના ઝડપી વિનાશનું કારણ થઇ રહ્યા છે” (જુઓ: અમૂર્ત નામો)

2 Peter 2:2

πολλοὶ

જો તમારા વાંચકો માટે તે સહાયક થતું હોય તો, જેમ UST કરે છે તેમ તમે તેને સ્પષ્ટ શબ્દોમાં સૂચવી શકો છો કે તે લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐξακολουθήσουσιν

અહીં પિતર પાછળ ચાલશેશબ્દનો અલંકારિક રૂપમાં ઉપયોગ કરે છે જે કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિના પગલેપગલે અનુકરણ કરે તેનો ઉલ્લેખ કરે છે જેમ કે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિની પાછળ એક જ દિશાએ ચાલતો રહે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને શબ્દશઃ રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓના ભ્રષ્ટાચારયુક્ત આચરણોનું અનુકરણ કરશે” (જુઓ: રૂપક)

αὐτῶν ταῖς ἀσελγείαις

અહીં, તેઓનાસર્વનામ ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે જેઓનો અગાઉની કલમમાં પરિચય આપી દેવામાં આવ્યો છે. જો તમારી ભાષામાં તે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકોનાં ભ્રષ્ટાચારયુક્ત આચરણો” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

ταῖς ἀσελγείαις

અહીં, ભ્રષ્ટાચારયુક્ત આચરણોઅનૈતિક જાતીય કૃત્યો જે સંયમનો અભાવ દર્શાવે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “અનિયંત્રિત કામુક આચરણો”

δι’ οὓς

અહીં, તેઓનાશબ્દ ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. અગાઉના ઉપવાક્યમાં દર્શાવેલ ભ્રષ્ટાચારયુક્ત આચરણોનો તે ઉલ્લેખ કરતું નથી. જો તમારા વાંચકો માટે તે સહાયક થતું હોય તો, જેમ UST કરે છે તેમ, તમે સ્પષ્ટ શબ્દોમાં તેને સૂચવી શકો છો કે તે ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો વડે” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

ἡ ὁδὸς τῆς ἀληθείας

સત્યના માર્ગશબ્દસમૂહનો પિતર ખ્રિસ્તી વિશ્વાસ કે એક ખ્રિસ્તી વ્યક્તિ તેનું કે તેણીનું જીવન જે રીતે જીવે છે તેનો અલંકારિક ભાષામાં ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે શબ્દશઃ રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ખરા ખ્રિસ્તી જીવનનું આચરણ” કે “સત્ય ખ્રિસ્તી વિશ્વાસ” (જુઓ: રૂપક)

ἡ ὁδὸς τῆς ἀληθείας

પિતર માલિકીદર્શક શબ્દનો સત્યથી રજુ થનાર માર્ગશબ્દ વડે ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષામાં સ્પષ્ટ નથી તો, “સત્ય”સંજ્ઞાને બદલે તમે “સાચા” વિશેષણનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “સાચો માર્ગ” (જુઓ: માલિકી)

ἡ ὁδὸς τῆς ἀληθείας βλασφημηθήσεται

તેને તમે સકર્મક રૂપમાં રજુ કરી શકો અને સાથે કોણ ક્રિયા કરશે તે પણ જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અવિશ્વાસીઓ સત્યના માર્ગની નિંદા કરશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἡ ὁδὸς τῆς ἀληθείας βλασφημηθήσεται

સત્યના માર્ગને પિતર અલંકારિક રૂપમાં રજુ કરે છે કે જાણે તે કોઈ એક વ્યક્તિ હોય જેની નિંદા કરી શકાય અથવા અપમાન દર્શાવી શકાય. વૈકલ્પિક અનુવાદ: “તેઓ સત્યના માર્ગ વિષે ખરાબ વાતો બોલશે” (જુઓ: વ્યક્તિનો અવતાર)

ἡ ὁδὸς τῆς ἀληθείας βλασφημηθήσεται

પિતર અનુમાન કરી લે છે કે તેના શ્રોતાઓ સમજી જશે કે જયારે ખોટા ઉપદેશકો અને તેઓના અનુયાયીઓનાં કામુક જીવનોને જોશે ત્યારે અવિશ્વાસી લોકો ખ્રિસ્તી વિશ્વાસની નિંદા કરશે. જો તમારા વાંચકો માટે તે સહાયક થતું હોય તો તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “સત્યના માર્ગની અવિશ્વાસીઓ દ્વારા નિંદા કરવામાં આવશે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Peter 2:3

ἐν πλεονεξίᾳ

અહીં, માશબ્દ ખોટા ઉપદેશકો જે કરે છે તેનું કારણ આપે છે. વૈકલ્પિક અનુવાદ: “લાલચને લીધે”

ἐν πλεονεξίᾳ

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞાલાલચની પાછળ રહેલા વિચારને તમે વિશેષણ જેમ કે “લાલચી” શબ્દ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ લાલચી હોવાને લીધે” (જુઓ: અમૂર્ત નામો)

πλαστοῖς λόγοις

અહીં, કપટી વાતોનાં માધ્યમથી ખોટા ઉપદેશકો તેઓના ભોગ બનેલાઓનું શોષણ કરશે. વૈકલ્પિક અનુવાદ: “કપટી વાતોનાં માધ્યમથી”

πλαστοῖς λόγοις

પિતર વાતોશબ્દનો ઉપયોગ ખોટા ઉપદેશકોનાં ઉપદેશોનું વર્ણન કરવા માટે કરે છે જેને તેઓએ વાતો વડે પ્રગટ કરી હતી. વૈકલ્પિક અનુવાદ: “ખોટા ઉપદેશોથી” (જુઓ: ઉપનામ)

ἐμπορεύσονται

અહીં, ૨:૧ માં પરિચય આપવામાં આવેલ ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરવા તેઓશબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો તમારું શોષણ કરશે” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

οἷς τὸ κρίμα ἔκπαλαι οὐκ ἀργεῖ

અહીં, 2:1 માં પરિચય આપવામાં આવેલ ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરવા તેઓનેશબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો માટેની અગાઉથી ઠરાવેલ સજા વધારે ઢીલ કરતી નથી” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

οἷς τὸ κρίμα ἔκπαλαι οὐκ ἀργεῖ

અહીં, તેઓને માટેનો** શબ્દ ખોટા ઉપદેશકોની વિરુધ્ધ જે નાશ ગતિ કરે છે તેને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: “અગાઉથી ઠરાવેલ તેઓની વિરુધ્ધની સજા ઢીલ કરતી નથી”

οἷς τὸ κρίμα ἔκπαλαι οὐκ ἀργεῖ, καὶ ἡ ἀπώλεια αὐτῶν οὐ νυστάζει

આ બે લાંબા શબ્દસમૂહોનો મૂળભૂત અર્થ એકસમાન જ છે કે ખોટા ઉપદેશકોનો ચોક્કસપણે નાશ થશે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેઓનું સંયોજન કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અગાઉથી ઠરાવેલ તેઓની સજા ચોક્કસપણે થનાર છે” (જુઓ: સમાંતરણ)

οἷς τὸ κρίμα ἔκπαλαι οὐκ ἀργεῖ, καὶ ἡ ἀπώλεια αὐτῶν οὐ νυστάζει

તમે આ શબ્દસમૂહોનો અનુવાદ સકારાત્મક રૂપોના ક્રિયાપદો વડે કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અગાઉથી ઠરાવેલ તેઓની સજા સક્રિય છે, અને તેઓનો નાશ જાગૃત છે” (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

τὸ κρίμα ἔκπαλαι οὐκ ἀργεῖ, καὶ ἡ ἀπώλεια αὐτῶν οὐ νυστάζει

પિતર સજા અને નાશવિષે અલંકારિક ભાષામાં બોલે છે કે જાણે તેઓ એવા લોકો હોય જેઓ ઢીલ કરી શકે અથવા ઊંઘી જઈ શકે. જો તમારા વાંચકો માટે તે મૂંઝવણ ઉભી કરનાર બાબત છે, તો બિન અલંકારિક અર્થમાં તમે તેને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અગાઉથી ઠરાવેલ સજા બિનઅસરકારક નથી, અને તેઓનો નાશ વાર લગાડશે નહિ” (જુઓ: વ્યક્તિનો અવતાર)

οἷς τὸ κρίμα ἔκπαλαι οὐκ ἀργεῖ, καὶ ἡ ἀπώλεια αὐτῶν οὐ νυστάζει

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞાઓ “સજા” અને “નાશ”ની પાછળ રહેલા વિચારોને તમે ક્રિયાપદનાં રૂપોનો ઉપયોગ કરીને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અગાઉથી ઠરાવેલ તેઓની સજા ઢીલ કરીને થનાર નથી, અને તેઓનો નાશ બહુ લાંબા વખત પછી થનાર નથી” (જુઓ: અમૂર્ત નામો)

2 Peter 2:4

γὰρ

અગાઉની કલમમાં તેણે જેનું સૂચિતાર્થમાં ઉલ્લેખ કર્યો હતો તેના પરિણામનું કારણ આપવા માટે પિતર કેમ કેશબ્દનો ઉપયોગ કરે છે. ખોટા ઉપદેશકોનો નાશ ચોક્કસપણે થનાર છે તેનું શું કારણ છે તે અહીં કહે છે. વૈકલ્પિક અનુવાદ: “આ કારણને લીધે” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

εἰ

અહીં, જો શબ્દ એક શરતી વાક્યની શરૂઆત કરે છે જે 2:4 થી 2:10 સુધી જાય છે. પિતર તેને એવી રીતે બોલે છે કે જાણે તે એક આનુમાનિક સંભાવના હોય, પરંતુ તેના કહેવાનો અર્થ એ છે કે તે હકીકતમાં સાચી વાત છે. કોઈ એક ચોક્કસ કે સત્ય વાતને રજુ કરવા માટે જો તમારી ભાષા કોઈ બાબતને શરતી વાક્યમાં રજુ કરતી નથી, અને જો તમારા વાંચકોને ગેરસમજ ઊભી થાય અને વિચારવા માંડે કે પિતર જે કહી રહ્યો છે તે ચોક્કસ વાત નથી, તો તમે તેને એક નિશ્ચયપૂર્વકનાં વાક્ય તરીકે અનુવાદ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “જે દૂતોએ પાપ કર્યું તેઓને પણ ઈશ્વરે છોડયા નથી તો” (જુઓ: વાસ્તવિક સ્થિતિઓને – જોડવા)

οὐκ ἐφείσατο

અહીં, બચાવ્યાશબ્દનો અર્થ “દંડ કરવાથી પાછા પડવું” થાય છે. વૈકલ્પિક અનુવાદ: “દંડ કરવાથી પાછા પડયા નહિ”

ἀγγέλων ἁμαρτησάντων

જેઓએ પાપ કર્યું હતુંનો ઉપયોગ પિતર ઈશ્વરે જેઓને દંડ કર્યો તેઓ અને જેઓને દંડ કરવામાં આવ્યો નહોતો તેઓ વચ્ચે અંતર જાળવવા કરે છે. (જુઓ: માહિતી આપવી કે યાદ દેવડાવવું વચ્ચેનો તફાવત)

σειροῖς ζόφου

સૌથી ઉત્તમ પ્રાચીન હસ્તપ્રતોમાંના કેટલાંકમાં “સાંકળો”ને બદલે “ખાડાઓ” શબ્દ લખવામાં આવ્યો છે. જો તમારા પ્રદેશમાં બાઈબલનો અનુવાદ અસ્તિત્વમાં છે તો તેમાં જે શબ્દ મૂકવામાં આવ્યો છે તે તમે લખી શકો છો. જો તમારા પ્રદેશમાં બાઈબલનો અનુવાદ અસ્તિત્વમાં નથી તો ULT માં જે રીતે લખવામાં આવ્યું છે ત મુજબ તમે ઉપયોગ કરી શકો. (જુઓ: શાબ્દિક ભિન્નતા)

σειροῖς ζόφου

આ શબ્દસમૂહનો અર્થ હોય શકે: (૧) ઘણા અંધકારવાળા સ્થાનમાંની સાંકળો” વૈકલ્પિક અનુવાદ: “અંધકારમાંની સાંકળોમાં” (૨) એક ઘણો ઘાઢ અંધકાર જે સાંકળોની જેમ તેઓને બાંધી રાખે છે. વૈકલ્પિક અનુવાદ: “સાંકળોની માફક અંધકારમાં બાંધી રાખવામાં આવેલ” (જુઓ: રૂપક)

ταρταρώσας

તાર્તરસશબ્દ પ્રાચીન ગ્રીક ધર્મનો શબ્દ છે જે જ્યાં દુષ્ટ આત્માઓ અને મરણ પામેલ દુષ્ટ લોકોને દંડ આપવામાં આવે છે એવા સ્થાનનો ઉલ્લેખ કરે છે. ગ્રીક ભાષામાં લખવામાં આવેલ કેટલાંક પ્રાચીન યહૂદી સાહિત્યો તાર્તરસનો ઉપયોગ ઈશ્વર દુષ્ટ લોકોને જ્યાં દંડ કરે છે એવા સ્થાનને દર્શાવવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેમણે તેઓને નરકમાં નાખી દીધા” (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

παρέδωκεν

જે દૂતોએ પાપ કર્યું હતું તેઓને સોંપી દેનાર ઈશ્વર પોતે હતા. જો તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તમે તમારા અનુવાદમાં તેને સ્પષ્ટ રીતે રજુ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે સોંપી દીધા” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

παρέδωκεν

અહીં, બંદીવાસ કરવા માટે કોઈ વ્યક્તિ અપરાધીને જેલના ચોકીદારોનાં હાથમાં સોંપી દે છે એની માફક જેઓએ પાપ કર્યું હતું તે દૂતોને ઈશ્વર બંદીવાન કરી રહ્યા હોય તેમ અલંકારિક ભાષામાં બોલે છે. વૈકલ્પિક અનુવાદ: “જેલમાં પૂર્યા” (જુઓ: રૂપક)

εἰς κρίσιν

પાપ કરનાર દૂતોને બંધનમાં રાખવાનો હેતુ કે લક્ષ્ય આ શબ્દસમૂહ આપે છે. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયકરણનાં હેતુ માટે” (જુઓ: જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

εἰς κρίσιν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા ન્યાયકરણનો અનુવાદ તમે કોઈ એક ક્રિયાપદનાં શબ્દસમૂહ વડે કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયદંડ થતા સુધી” (જુઓ: અમૂર્ત નામો)

εἰς κρίσιν τηρουμένους

આ શબ્દસમૂહ કલમમાં અગાઉ જેઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવા પાપી દૂતોનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેઓને ન્યાયકરણ થવા માટે બંધનમાં રાખી મૂકવામાં આવ્યા છે એવા પાપી દૂતો” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

εἰς κρίσιν τηρουμένους

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો તમે તેને એક સકર્મક ક્રિયાપદનાં રૂપમાં જણાવી શકો છો અને કોણ ક્રિયા કરી રહ્યું છે તે પણ તમે સૂચવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયકરણ થતા સુધી ઈશ્વર જેઓને રાખી મૂકે છે તેઓ” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Peter 2:5

καὶ

અહીં, અનેશબ્દ 2:4 થી લઈને 2:10 સુધી ફેલાયેલાં એક શરતી વાક્યમાં બીજી શરતની શરૂઆત થાય છે તેને દર્શાવે છે. પિતર તેને એવી રીતે બોલે છે કે જાણે તે એક આનુમાનિક સંભાવના હોય, પરંતુ તેના કહેવાનો અર્થ એ છે કે તે હકીકતમાં સાચી વાત છે. કોઈ એક ચોક્કસ કે સત્ય વાતને રજુ કરવા માટે જો તમારી ભાષા કોઈ બાબતને શરતી વાક્યમાં રજુ કરતી નથી, અને જો તમારા વાંચકોને ગેરસમજ ઊભી થાય અને વિચારવા માંડે કે પિતર જે કહી રહ્યો છે તે ચોક્કસ વાત નથી, તો તમે તેને એક નિશ્ચયપૂર્વકનાં વાક્ય તરીકે અનુવાદ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “તે પછી ” (જુઓ: વાસ્તવિક સ્થિતિઓને – જોડવા)

ἀρχαίου κόσμου οὐκ ἐφείσατο

અહીં, જગતશબ્દ તેમાં નિવાસ કરનાર લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પ્રાચીન સમયમાં જેઓ રહેતા હતા તે લોકોને પણ તેમણે છોડયા નહિ” (જુઓ: ઉપનામ)

οὐκ ἐφείσατο

2:4 માં જેમ છે તેમ બચાવ્યાશબ્દનો અર્થ અહીં “દંડ કરતા અટકી જવું” થાય છે. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયદંડ કરતા પોતાને અટકાવ્યો નહિ”

οὐκ ἐφείσατο

અહીં, તેમણે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે છોડયા નહિ” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

ὄγδοον, Νῶε

અહીં, આઠશબ્દ રૂઢિપ્રયોગ છે જે આઠ લોકોના સમૂહનો ઉલ્લેખ કરવા માટે વપરાયો છે. તેનો અર્થ થાય છે કે ઈશ્વરે જેઓનો નાશ ન કર્યો એવા પ્રાચીન જગતના લોકોમાંનાં આઠ લોકોમાંનો એક નૂહ હતો. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે રૂઢિપ્રયોગનો શબ્દશઃ અર્થને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “નૂહનો સમાવેશ કરતા આઠ લોકો” અથવા “બીજા સાતની સાથે, નૂહ” (જુઓ: રૂઢિપ્રયોગ)

Νῶε

નૂહ એક પુરુષનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Νῶε, δικαιοσύνης κήρυκα

આ શબ્દસમૂહ આપણને નૂહ વિષે હજુ વધારે માહિતી આપે છે. તે આપણને જણાવે છે કે પ્રાચીન જગતના અધર્મી લોકોને નૂહે ન્યાયીપણુંપ્રગટ કર્યું હતું. આ નૂહને આ બાબત અન્ય બીજી નૂહ નામની વ્યક્તિથી અલગ પાડતી નથી. (જુઓ: માહિતી આપવી કે યાદ દેવડાવવું વચ્ચેનો તફાવત)

δικαιοσύνης κήρυκα

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા ન્યાયીપણુંની પાછળ રહેલા વિચારને તમે એક સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. આ સંદર્ભમાં, શબ્દશૈલી ન્યાયી કૃત્યોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ન્યાયી કૃત્યોનાં એક ઉપદેશક” અથવા “ખરાઈથી કઈ રીતે આચરણ કરવું તે બતાવનાર ઉપદેશક” (જુઓ: અમૂર્ત નામો)

δικαιοσύνης κήρυκα

પિતર કદાચ માલિકીદર્શક રૂપનો ઉપયોગ આનો ઉલ્લેખ કરવા માટે કરી રહ્યો હોય: (૧) એક ઉપદેશક જેના લક્ષણો ન્યાયીપણાથી દ્રશ્યમાન થાય છે. વૈકલ્પિક અનુવાદ: “એક ઉપદેશક જે ન્યાયી છે” (૨) ન્યાયી જીવન જીવવા માટે બીજાઓને કહેનાર એક ઉપદેશક. વૈકલ્પિક અનુવાદ: “બીજાઓને ન્યાયી જીવન જીવવા વિનંતી કરનાર એક વ્યક્તિ” (જુઓ: માલિકી)

κατακλυσμὸν κόσμῳ ἀσεβῶν ἐπάξας

આ ઉપવાક્ય USTમાં જે રીતે અનુવાદ કરવામાં આવ્યો છે તેમ જ્યારે તે જગતમાં જળપ્રલય લાવ્યા, ત્યારે ઈશ્વરે નૂહ અને તેના પરિવારના સાત સભ્યોને બચાવ્યા તેને સૂચવે છે.

κόσμῳ ἀσεβῶν

પિતર કદાચ માલિકીદર્શક રૂપનો ઉપયોગ આનો ઉલ્લેખ કરવા માટે કરી રહ્યો હોય: (૧)પ્રાચીન જગતના માનવીય વિષયો. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી લોકોથી ભરપૂર જગત” (૨) અધર્મનાં લક્ષણોથી ભરપૂર જગત. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી જગત” (જુઓ: માલિકી)

2 Peter 2:6

καὶ

અહીં, અનેશબ્દ 2:4 થી લઈને 2:10 સુધી ફેલાયેલાં એક શરતી વાક્યમાં ત્રીજી શરતની શરૂઆત થાય છે તેને દર્શાવે છે. પિતર તેને એવી રીતે બોલે છે કે જાણે તે એક આનુમાનિક સંભાવના હોય, પરંતુ તેના કહેવાનો અર્થ એ છે કે તે હકીકતમાં સાચી વાત છે. કોઈ એક ચોક્કસ કે સત્ય વાતને રજુ કરવા માટે જો તમારી ભાષા કોઈ બાબતને શરતી વાક્યમાં રજુ કરતી નથી, અને જો તમારા વાંચકોને ગેરસમજ ઊભી થાય અને વિચારવા માંડે કે પિતર જે કહી રહ્યો છે તે ચોક્કસ વાત નથી, તો તમે તેને એક નિશ્ચયપૂર્વકનાં વાક્ય તરીકે અનુવાદ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “તે પછી ” (જુઓ: વાસ્તવિક સ્થિતિઓને – જોડવા)

καὶ πόλεις Σοδόμων καὶ Γομόρρας τεφρώσας καταστροφῇ κατέκρινεν

જો તમારી ભાષામાં તે સ્વાભાવિક લાગતું હોય તો તમે આ શબ્દસમૂહોનાં ક્રમને ઉલટાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અને તેમણે સદોમ અને ગમોરા શહેરોને બાળીને ભસ્મ કરીને શિક્ષા કરી” (જુઓ: માહિતી માળખું)

πόλεις Σοδόμων καὶ Γομόρρας τεφρώσας

આ શબ્દસમૂહ ઈશ્વરે સદોમ અને ગમોરા શહેરોને કઈ રીતે નાશ કર્યા તે દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: “સદોમ અને ગમોરા શહેરોને બાળીને ભસ્મ કરવા દ્વારા”

Σοδόμων καὶ Γομόρρας

સદોમ અને ગમોરાશહેરોનાં નામો છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

καταστροφῇ κατέκρινεν

અહીં, તેમણેશબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓનો નાશ કરીને ઈશ્વરે સજા કરી” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

καταστροφῇ κατέκρινεν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા નાશની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદ જેમ કે “નાશ કરવું” વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓનો નાશ થવા દઈને તેમણે સજા કરી” (જુઓ: અમૂર્ત નામો)

ὑπόδειγμα μελλόντων ἀσεβέσιν τεθεικώς

કલમનાં અગાઉના ઉપવાક્યોમાં જે થયું તેના પરિણામને આ ઉપવાક્ય સૂચવે છે. જેઓ ઈશ્વરની અવજ્ઞા કરે છે તેઓનું શું થાય છે તેનો દાખલો અને એક ચેતવણી ઈશ્વરે જે સદોમ અને ગમોરા શહેરોને નાશ કર્યા તેના પરિણામે આવ્યું. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી લોકોની સાથે શું થશે તેનું ઉદાહરણ બેસાડવા ઈશ્વરે તેઓને સ્થાપિત કર્યા તે પરિણામ આવ્યું” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ἀσεβέσιν

અહીં, અધર્મીશબ્દ કોઈ એક ચોક્કસ દુષ્ટ વ્યક્તિનો નહિ, પરંતુ સર્વસાધારણ દુષ્ટ લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “એક અધર્મી વ્યક્તિ” કે “અધર્મી લોકો” (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના)

2 Peter 2:7

καὶ

અહીં, અનેશબ્દ 2:4 થી લઈને 2:10 સુધી ફેલાયેલાં એક શરતી વાક્યમાં ચોથી શરતની શરૂઆત થાય છે તેને દર્શાવે છે. પિતર તેને એવી રીતે બોલે છે કે જાણે તે એક આનુમાનિક સંભાવના હોય, પરંતુ તેના કહેવાનો અર્થ એ છે કે તે હકીકતમાં સાચી વાત છે. કોઈ એક ચોક્કસ કે સત્ય વાતને રજુ કરવા માટે જો તમારી ભાષા કોઈ બાબતને શરતી વાક્યમાં રજુ કરતી નથી, અને જો તમારા વાંચકોને ગેરસમજ ઊભી થાય અને વિચારવા માંડે કે પિતર જે કહી રહ્યો છે તે ચોક્કસ વાત નથી, તો તમે તેને એક નિશ્ચયપૂર્વકનાં વાક્ય તરીકે અનુવાદ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “તે પછી ” (જુઓ: વાસ્તવિક સ્થિતિઓને – જોડવા)

ἐρύσατο

અહીં, તેમણેશબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ, UST મુજબ: “ઈશ્વરે છોડાવ્યો” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

Λὼτ

લોતએક પુરુષનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

καταπονούμενον ὑπὸ τῆς τῶν ἀθέσμων ἐν ἀσελγείᾳ ἀναστροφῆς

આ ઉપવાક્ય લોતવિષેની વધુ માહિતી આપે છે. જો તે તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તેની સ્પષ્ટતા કરવા માટે તમે અહીં એક નવા વાક્યની શરૂઆત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી લોકોના કામુક દુરાચારને લીધે તે ત્રાસ પામતો હતો” (જુઓ: માહિતી આપવી કે યાદ દેવડાવવું વચ્ચેનો તફાવત)

καταπονούμενον ὑπὸ τῆς τῶν ἀθέσμων ἐν ἀσελγείᾳ ἀναστροφῆς

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી લોકોના કામુક દુરાચારો તેને ત્રાસ આપતા હતા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὑπὸ τῆς τῶν ἀθέσμων ἐν ἀσελγείᾳ ἀναστροφῆς

અહીં, થીશબ્દનો ઉલ્લેખ આવો થઇ શકે: (૧) જેમ ULT માં છે તેમ, લોતને ત્રાસ પમાડનાર બાબત. (૨) લોત કેમ ત્રાસ પામતો હતો તેનું કારણ. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી લોકોના કામુક દુરાચારો તેને ત્રાસ આપતા હતા તેને કારણે” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ὑπὸ τῆς τῶν ἀθέσμων…ἀναστροφῆς

જો તમારી ભાષામાં તે સહાયક થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા આચરણનો તમે એક સમાનાર્થી અભિવ્યક્તિ વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી લોકો જે કામ કરતા તેનાથી” કે “અધર્મીઓના આચરણોને લીધે” (જુઓ: અમૂર્ત નામો)

ἐν ἀσελγείᾳ ἀναστροφῆς

અહીં, માંશબ્દ અધર્મી લોકો જે કામ કરતા હતા તેના વિષયને દર્શાવવામાં આવ્યું છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, કામુકશબ્દને તમે વિશેષણ વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કામુક આચરણ”

τῆς τῶν ἀθέσμων ἐν ἀσελγείᾳ ἀναστροφῆς

જો તમારી ભાષામાં તે સહાયક થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા કામુકનો તમે એક વિશેષણ વડે અનુવાદ કરી શકો છો. 2:2 માં તમે આને બહુવચનનાં રૂપમાં કઈ રીતે અનુવાદ કર્યો છે તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી લોકોના કામુક આચરણ” અથવા “અધર્મી લોકોના જંગલી કામુક આચરણ” (જુઓ: અમૂર્ત નામો)

τῶν ἀθέσμων

અહીં, અધર્મી લોકો જ્યાં લોત નિવાસ કરતો હતો તે સદોમ શહેરમાં નિવાસ કરતા લોકોનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “સદોમનાં અધર્મી લોકોનાં” અથવા “સદોમમાં કોઈ કાયદો નથી એવી રીતે આચરણ કરનાર લોકોનાં” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Peter 2:8

γὰρ

પિતર અહીં માટેશબ્દ સદોમમાં લોતનાં જીવન વિષે પૂર્વભૂમિકાની માહિતી પૂરી પાડવા ઉપયોગ કરે છે. અગાઉની કલમમાં પિતર લોતને કેમ ન્યાયી વ્યક્તિ કહે છે તે વાંચકોને સમજવામાં સહાયતા કરવા માટે તે છે. પરિણામને સૂચવવા માટે પિતર અહીં માટેશબ્દનો ઉપયોગ કરતો નથી. પૂર્વભૂમિકાની માહિતીનો પરિચય આપવા માટે તમારી ભાષામાં સ્વાભાવિક હોય તેવા રૂપનો ઉપયોગ કરો. વૈકલ્પિક અનુવાદ: “હવે” (જુઓ: પૂર્વભૂમિકા)

βλέμματι γὰρ καὶ ἀκοῇ

જો તમારી ભાષામાં સહાયક થતું હોય તો, ભાવવાચક સંજ્ઞાઓ જોઈને અને સાંભળીને તમે ક્રિયાપદનાં શબ્દસમૂહો વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તે જે જોતો હતો તેને લીધે અને તે જે સાંભળતો હતો તેને લીધે” (જુઓ: અમૂર્ત નામો)

ὁ δίκαιος

આ શબ્દ લોતનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયી લોત” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐνκατοικῶν ἐν αὐτοῖς

આ ઉપવાક્ય સદોમમાં લોત જે સમયે નિવાસ કરતો હતો તેને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓની મધ્યે જ્યારે તે નિવાસ કરતો હતો ત્યારે”

αὐτοῖς

અહીં, તેઓનીસર્વનામ સદોમનાં નિવાસીઓનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તેઓનીશબ્દ શેનો ઉલ્લેખ કરે છે તે વિષે તમે સ્પષ્ટતા કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “સદોમનાં લોકો” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

ἐνκατοικῶν ἐν αὐτοῖς ἡμέραν ἐξ ἡμέρας

આ શબ્દસમૂહ એક દિવસથી બીજા દિવસ સુધી એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ “દિનપ્રતિદિન” કે “દરરોજ” થાય છે. તમારી ભાષામાં તેને તમારે શબ્દશઃ રજુ કરવાની જરૂરત પડી શકે. વૈકલ્પિક અનુવાદ: “દિનપ્રતિદિન તેઓની સાથે રહીને” અથવા “દરરોજ તેઓની સાથે રહીને” (જુઓ: રૂઢિપ્રયોગ)

ψυχὴν δικαίαν…ἐβασάνιζεν

અહીં, પ્રાણશબ્દ લોતના વિચારો અને ભાવનાઓનો ઉલ્લેખ કરે છે. સદોમ અને ગમોરાનાં નિવાસીઓનાં અનૈતિક આચરણ તેને ભાવનાત્મક રીતે ખિન્ન કરતા હતા. વૈકલ્પિક અનુવાદ: “અતિશય ખિન્ન થતો હતો” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ἀνόμοις ἔργοις

આ શબ્દસમૂહનો અર્થ આવો થઇ શકે: (૧) અધર્મી કામોને લીધે લોત તેના પ્રાણમાં ખિન્ન થતો હતો. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી કામો વડે” (૨) લોતનો પ્રાણ કેમ ખિન્ન થતો હતો તેનું કારણ અધર્મી કામો હતા. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી કામોને લીધે”

2 Peter 2:9

οἶδεν Κύριος

2:4 થી લઈને 2:10 સુધી વિસ્તૃત એક શરતી વાક્યની સમાપ્તિ આ કલમ અને આગલી કલમ છે. ઉપરોક્ત શરતો સાચી છે તેનાં પરિણામને પિતર આપે છે. જો તમે 2:4–10ને અલગ વાક્યોમાં રૂપાંતરિત કર્યું છે તો ઉપરોક્ત શરતો સત્ય છે તેના પરિણામને તમારે 2:9 માં સૂચવવાની જરૂરત પડશે. વૈકલ્પિક અનુવાદ: “તેથી, પ્રભુ જાણે છે કે કઈ રીતે” અથવા “તોપછી આ બાબતો સત્ય હોવાને લીધે, આ વાતો પણ સત્ય છે કે પ્રભુ જાણે છે કે કઈ રીતે” (જુઓ: વાસ્તવિક સ્થિતિઓને – જોડવા)

ἀδίκους δὲ εἰς ἡμέραν κρίσεως κολαζομένους τηρεῖν

અહીં, પણશબ્દનો અર્થ આવો થઇ શકે: (૧) ULT અને UST માં જેમ છે તેમ અગાઉના ઉપવાક્ય અને આગળ આવનાર ઉપવાક્ય વચ્ચેનો તે એક વિરોધાભાસ હોઈ શકે. (૨) અગાઉના અને હવે પછીના ઉપવાક્ય વચ્ચેનું એક સાધારણ સંયોજન. વૈકલ્પિક અનુવાદ: “અને અધર્મીઓને ન્યાયકાળ સુધી દંડને માટે રાખી મૂકવાનું” (જુઓ: સંયોજક શબ્દો અને શબ્દસમૂહો)

πειρασμοῦ…ἀδίκους δὲ εἰς ἡμέραν κρίσεως κολαζομένους τηρεῖν

આ ઉપવાક્યમાં, વાક્યને પૂર્ણ કરવા માટે કેટલીક ભાષાઓમાં જરૂર પડે એવા કેટલાક શબ્દોને પિતર કાઢી મૂકે છે. આ શબ્દો અગાઉના ઉપવાક્યમાં અહીં ખેંચી લાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “એક કસોટી અને અધર્મીઓને ન્યાયકાળ સુધી દંડને માટે કઈ રીતે રાખી મૂકવાનું તે પ્રભુ જાણે છે” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

κολαζομένους

આ એક હેતુદર્શક ઉપવાક્ય છે. અન્યાયી લોકોને ઈશ્વર કેમ રાખી મૂકે છે તેનો હેતુ પિતર રજુ કરે છે. વૈકલ્પિક અનુવાદ (અલ્પવિરામ મૂક્યા વગર): “દંડ આપવાના ઉદ્દેશ્યથી” (જુઓ: જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

ἀδίκους…κολαζομένους τηρεῖν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓને દંડ કરવા અધર્મીઓને રાખી મૂકવાનું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἰς ἡμέραν κρίσεως

અહીં, મા શબ્દનો અર્થ આવો થઇ શકે: (૧) જયારે અન્યાયીઓને શિક્ષા કરવામાં આવશે ત્યારે. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયકાળનાં દિવસ સુધી” (૨) અન્યાયીઓને શિક્ષા કરવામાં આવશે તે સમય સુધી. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયદંડનાં દિવસ સુધી”

ἡμέραν κρίσεως

પિતર ન્યાયદંડનાં લક્ષણ ધરાવનાર એક દિવસનો ઉલ્લેખ કરવા માટે માલિકીદર્શક રૂપનો ઉપયોગ કરે છે. જો તે તમારી ભાષામાં સ્પષ્ટ નથી તો, તેનો ખુલાસો કરવા માટે તમે કોઈ એક શબ્દસમૂહનો ઉપયોગ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર જે દિવસે માનવજાતિનો ન્યાય કરશે તે દિવસ” (જુઓ: માલિકી)

2 Peter 2:10

δὲ

અહીં, પણશબ્દ અગાઉની કલમનાં છેલ્લું ઉપવાક્ય અને હવે પછી આવનાર વાક્ય વચ્ચેનાં સંયોજનને દર્શાવે છે. તે અગાઉની કલમમાં વર્ણિત “અન્યાયી” અને આ કલમમાં “જેઓ દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે” તેઓ વચ્ચેનાં વિરોધાભાસને દર્શાવતું નથી. વૈકલ્પિક અનુવાદ: “અને વિશેષ કરીને જેઓ દૈહિક વિકારો પાછળ ચાલે છે તેઓ” (જુઓ: સંયોજક શબ્દો અને શબ્દસમૂહો)

τοὺς ὀπίσω…πορευομένους

પિતર અલંકારિક રૂપમાં પાછળ ચાલે છેશબ્દસમૂહનો આદત હોવાને લીધે કંઇક કરતા રહેવાનો ઉલ્લેખ કરે છે. આ શબ્દપ્રયોગનો ખોટા દેવતાઓની ઉપાસના કરનાર લોકો અથવા જાતીય અનૈતિકતામાં રચ્યાપચ્યા રહેતા લોકોનો ઉલ્લેખ કરવા માટે બાઈબલમાં સતત ઉપયોગ કરવામાં આવ્યો છે. જો તે તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ હોય તો, તમે તેને સ્પષ્ટ રીતે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આદતમાં ટેવાયેલા હોવાને લીધે જેઓ તેમાં રચ્યાપચ્યા રહે છે તેઓ” (જુઓ: રૂપક)

σαρκὸς

અહીં, દેહ*નો ઉપયોગ અલંકારિક રૂપમાં વ્યક્તિના પાપમય સ્વભાવને દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ હોય તો, તેને તમે શબ્દશઃ અભિવ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓના પાપમય સ્વભાવ” (જુઓ: ઉપનામ)

ἐν ἐπιθυμίᾳ μιασμοῦ

અહીં, માશબ્દ સૂચવે છે કે આ શબ્દસમૂહ દર્શાવે છે કે જેના વડે દુષ્ટ લોકો દેહની પાછળ ચાલે છે. વૈકલ્પિક અનુવાદ: “કામુક વિકારોનાં આચરણ મુજબ વ્યવહાર કરીને”

ἐν ἐπιθυμίᾳ μιασμοῦ

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞાવિકારની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદવાળા શબ્દસમૂહ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અશુધ્ધ કરનાર તેની કામુકતામાં” (જુઓ: અમૂર્ત નામો)

καὶ κυριότητος καταφρονοῦντας

અહીં, અનેસૂચવે છે કે અગાઉનાં ઉપવાક્યમાં ઉલ્લેખ કરેલ લક્ષણોમાં આ ઉપવાક્ય વધારો કરે છે. તે દુષ્ટ લોકોનો બીજો સમૂહ છે એવું તે દર્શાવતો નથી. આ દુષ્ટ લોકો તેઓના પાપમય દુર્વાસનાઓ પણ ચાલે છે એટલું જ નહિ પરંતુ અધિકારને પણ તુચ્છકારે છે. વૈકલ્પિક અનુવાદ: “અને તેઓ અધિકારને પણ તુચ્છકારે છે” (જુઓ: સંયોજક શબ્દો અને શબ્દસમૂહો)

κυριότητος καταφρονοῦντας

અહીં, અધિકારશબ્દ આનો ઉલ્લેખ કરતું હોય શકે: (૧) અગાઉની કલમોમાં દર્શાવ્યા મુજબ ઈશ્વરની વિરુધ્ધ બળવો કરવાના દાખલાઓ આપવામાં આવ્યા છે તે મુજબ, ઈશ્વરનો અધિકાર. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરના અધિકારને તુચ્છ માને છે” (૨) કલમનાં બાકીના ભાગમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મુજબ “મહિમાથી ભરપૂર વ્યક્તિઓ”નું અપમાન કરીને વડે દર્શાવવામાં આવ્યું છે તે મુજબ, દૂતોના અધિકાર. વૈકલ્પિક અનુવાદ: “દૂતોના અધિકારને તુચ્છકારે છે”

τολμηταὶ

ઉદ્દત લોકોશબ્દ આ અધ્યાયનાં બીજા ભાગની શરૂઆતનો સંકેત આપે છે જે2:22 નાં અંત ભાગ સુધી વિસ્તૃત થયેલ છે. આ વિભાગમાં, પિતર ખોટા ઉપદેશકોનાં દુષ્ટ ચારિત્ર્ય અને કામોનું વર્ણન કરે છે.

τολμηταὶ αὐθάδεις

ઉદ્દત લોકો અને સ્વછંદી લોકોશબ્દો ઉદ્ગારના શબ્દો છે જે ખોટા ઉપદેશકોનાં નીડર ઘમંડ પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ એવા ઉદ્દત અને સ્વછંદી છે !” અથવા “તેઓ કેવા ઉદ્દત અને સ્વછંદી છે !” (જુઓ: ઉદ્ગાર સંબોધનો)

αὐθάδεις

સ્વછંદીનો અર્થ “વ્યક્તિ પોતાની મરજીમાં જે આવે તે કરે” થાય છે. વૈકલ્પિક અનુવાદ: “એવા લોકો જેઓ તેઓની ઈચ્છા મુજબ ફાવેતેમ વર્તે છે”

οὐ τρέμουσιν

અહીં, તેઓશબ્દ 2:1માં પિતર જેઓનો પરિચય આપે છે તે ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તે તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકોને ડર લાગતો નથી” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

δόξας…βλασφημοῦντες

આ ઉપવાક્ય ખોટા ઉપદેશકો ક્યાંરે ડરતા નથી તેના સમયનું સૂચન કરે છે. વૈકલ્પિક અનુવાદ: “મહિમાથી ભરપૂર વ્યક્તિઓને તુચ્છકારતી વખતે”

δόξας

અહીં, મહિમાથી ભરપૂર વ્યક્તિઓનો અર્થ આવો થઇ શકે: (૧) આત્મિક પ્રકૃતિવાળા, જેમ કે સ્વર્ગદૂતો, દુષ્ટ આત્માઓ, કે બંને. વૈકલ્પિક અનુવાદ: “મહિમાવંતો” (૨) મહત્વના માનવીઓ, જેમ કે મંડળીના આગેવાનો. વૈકલ્પિક અનુવાદ: “મહિમાવંત લોકો”

2 Peter 2:11

ἰσχύϊ καὶ δυνάμει μείζονες ὄντες

આ ઉપવાક્યનો અર્થ થઇ શકે: (૧) આ ઉપવાક્યમાં દૂતોનાં વર્ણનની સાથે આગલા ઉપવાક્યમાં તેઓના આચરણની સાથે દર્શાવેલ વર્ણન વચ્ચેના વિરોધાભાસને દર્શાવતું હોય. વૈકલ્પિક અનુવાદ: “ બળ અને શક્તિમાં મહાન હોય તેઓને તુચ્છકારે છે” (૨) દૂતોનું વર્ણન. વૈકલ્પિક અનુવાદ: “જેઓ બળ અને શક્તિમાં મહાન છે” (જુઓ: માહિતી આપવી કે યાદ દેવડાવવું વચ્ચેનો તફાવત)

ἰσχύϊ καὶ δυνάμει μείζονες ὄντες

વાક્યને પૂર્ણ કરવા માટે કેટલીક ભાષાઓમાં જરૂરી પડે એવા કેટલાક શબ્દોને પિતર કાઢી મૂકે છે. તે શબ્દોને આસપાસનાં સંદર્ભમાંથી ખોળીને લાવી શકાય છે, જે ખોટા ઉપદેશકો અંગેનું વર્ણન છે. વૈકલ્પિક અનુવાદ: “બળ અને શક્તિમાં તેઓ આ ખોટા ઉપદેશકો કરતા વધારે મહાન છે” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

ἰσχύϊ καὶ δυνάμει μείζονες ὄντες

બળ અનેશક્તિ શબ્દોનો અર્થ એકસમાન થાય છે. ભાર મૂકવા માટે પિતર તેઓનો એકસાથે ઉપયોગ કરે છે. સાથે મળીને, આ બંને શબ્દો અતિશય શક્તિને દર્શાવે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે આ જોડકાં શબ્દોને એક શબ્દમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અતિ વધારે શક્તિશાળી” (જુઓ: બેવડું/બમણાં)

οὐ φέρουσιν κατ’ αὐτῶν…βλάσφημον κρίσιν

અહીં, તેઓનીશબ્દનો અર્થ આ હોય શકે: (૧) “મહિમાવંતો.” વૈકલ્પિક અનુવાદ: “આ મહિમાવંતોની વિરુધ્ધમાં અપમાનિત કરનાર દોષ મૂકતા નથી.” (૨) ખોટા ઉપદેશકો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકોની વિરુધ્ધ અપમાનિત કરનાર દોષ મૂકતા નથી.” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

2 Peter 2:12

οὗτοι

અહીં, શબ્દ 2:1 માં પરિચય આપવામાં આવેલ ખોટા પ્રબોધકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

οὗτοι…ὡς ἄλογα ζῷα

પિતર આ ખોટા ઉપદેશકોનેતર્કવિહીન પશુઓની સાથે સરખાવે છે. જે રીતે પશુઓ તર્કબધ્ધ રીતે વિચારી શકતા નથી, તેમ આ લોકો પણ વિચારી શકતા નથી. વૈકલ્પિક અનુવાદ: “આ જૂઠાં ઉપદેશકો પશુઓ જેવા છે જેઓ તર્કબધ્ધ રીતે વિચાર કરવા માટે સક્ષમ નથી” (જુઓ: રૂપક)

γεγεννημένα φυσικὰ εἰς ἅλωσιν καὶ φθοράν

આ ઉપવાક્ય તર્કવિહીન પશુઓ વિષે વધુ માહિતી આપે છે, અને તેથી, સરખામણી કરતા ખોટા ઉપદેશકો વિષે. વૈકલ્પિક અનુવાદ: “જેઓ સ્વભાવથી જ પકડાવા અને નાશ પામવા સારુ જન્મેલા છે” (જુઓ: માહિતી આપવી કે યાદ દેવડાવવું વચ્ચેનો તફાવત)

γεγεννημένα φυσικὰ εἰς ἅλωσιν καὶ φθοράν

અહીં, સ્વભાવથીનો અર્થ તર્કવિહીન પશુઓ(અને સરખામણી કરતા ખોટા ઉપદેશકો) આ હેતુ માટે જન્મેલા પશુઓની માફક જ પકડાવા અને નાશ પામવાના તેઓના સ્વભાવને લીધે અગાઉથી નિર્મિત થયેલ છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓના સ્વભાવ મુજબ, આ પશુઓ પકડાવા અને નાશ પામવા માટે જન્મેલા છે”

εἰς ἅλωσιν καὶ φθοράν

આ હેતુદર્શી ઉપવાક્ય છે. માટેશબ્દ તેના પછી આવનાર શબ્દો આ પશુઓ જે હેતુને માટે જન્મ્યા છે તેને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: “પકડાવા અને નાશ પામવાના હેતુ માટે” (જુઓ: જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

εἰς ἅλωσιν καὶ φθοράν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞાઓપકડાવા અને નાશની પાછળ રહેલા વિચારોને તમે ક્રિયાપદો વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓને પકડવા અને નાશ કરવાના ઉદ્દેશ્યથી” (જુઓ: અમૂર્ત નામો)

ἐν οἷς ἀγνοοῦσιν βλασφημοῦντες

આ ઉપવાક્યનો અર્થ થઇ શકે: (૧) ખોટા ઉપદેશકો વિષે વધુ માહિતી. વૈકલ્પિક માહિતી: “તેઓ જે બાબતો વિષે અજાણ્યા છે તેઓની નિંદા કરે છે” (૨) ખોટા ઉપદેશકોનો નાશ કરવામાં આવશે તેનું કારણ. વૈકલ્પિક અનુવાદ: “તેઓ જે બાબતો વિષે અજાણ્યા તેઓની તેઓ નિંદા કરે છે તેને લીધે”

ἐν οἷς ἀγνοοῦσιν

અહીં, જે વિષેનો અર્થ આવો થઇ શકે: (૧). 2:10 નાં “મહિમાવંતો” હોય શકે. વૈકલ્પિક અનુવાદ: “જેઓના વિષે તેઓ અજાણ્યા છે તેઓની તેઓ નિંદા કરે છે” (૨) આ ખોટા ઉપદેશકો જેનો નકાર કરે છે તે ખ્રિસ્તી ઉપદેશો. વૈકલ્પિક અનુવાદ: “જેનાં વિષે તેઓ અજાણ્યા છે તે ઉપદેશોની તેઓ નિંદા કરે છે”

ἐν τῇ φθορᾷ αὐτῶν καὶ φθαρήσονται

અહીં, તેઓઅને તેઓનીસર્વનામો 2:1.માં જેનો પરિચય કરવામાં આવ્યો છે એવા ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો પણ તેઓના નાશમાં નાશ પામશે” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

καὶ φθαρήσονται

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ હોય તો, તમે તેને સકર્મક રૂપમાં પણ જણાવી શકો છો, અને કોણ ક્રિયા કરશે તે પણ જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓનો પણ ઈશ્વર નાશ કરશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

καὶ φθαρήσονται

અહીં, પણશબ્દ ભાર મૂકવાના હેતુ માટે ઉપયોગ કરાયો છે અને “ખરેખર” કે “ચોક્કસપણે”તરીકે અનુવાદ કરી શકાય. વૈકલ્પિક અનુવાદ: “તેઓ ખરેખર નાશ પામશે” કે “તેઓ ચોક્કસપણે નાશ પામશે”

ἐν τῇ φθορᾷ αὐτῶν

આ ઉપવાક્ય ખોટા ઉપદેશકો ક્યાંરે નાશ પામશે તે સમયને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓના નાશનાં સમયે”

ἐν τῇ φθορᾷ αὐτῶν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ હોય તો, ભાવવાચક સંજ્ઞા નાશની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદ જેમ કે “નાશ કરવું” વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જયારે તેઓ નાશ પામશે” (જુઓ: અમૂર્ત નામો)

2 Peter 2:13

ἀδικούμενοι μισθὸν ἀδικίας

ખોટા ઉપદેશકો જે દંડ ભોગવશે તેના વિષે પિતર અલંકારિક રૂપમાં બોલે છે કે જાણે તેઓ જે કમાયા તેનો તે પગાર હોય. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક રીતમાં બોલી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓના અન્યાય માટે તેઓ જેને લાયક છે તે દંડ ભોગવશે” (જુઓ: રૂપક)

ἀδικίας

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા અન્યાયને સ્થાને કોઈ એક સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરીને અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓએ જે ભૂંડા કામો કર્યા છે તેઓનો” (જુઓ: અમૂર્ત નામો)

ἡδονὴν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા સુખભોગને સ્થાને કોઈ એક સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરીને અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “મનપસંદ બાબત” (જુઓ: અમૂર્ત નામો)

τὴν ἐν ἡμέρᾳ τρυφήν

અહીં, મોજશોખશબ્દ અનૈતિક પ્રવૃત્તિનો ઉલ્લેખ કરે છે જેમાં ખાઉધરાપણું, દારૂડીયાપણું અને જાતીય પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે આ ભાવવાચક સંજ્ઞાને સ્થાને કોઈ સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરીને અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ધોળે દિવસે મોજશોખ માણવાની તેઓની હોશિયારી” (જુઓ: અમૂર્ત નામો)

τὴν ἐν ἡμέρᾳ τρυφήν

ખોટા ઉપદેશકો ક્યાંરે મોજશોખમાણે છે તે સમયનું નિર્દેશન આ ઉપવાક્ય આપે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે માશબ્દને બદલે “દરમિયાન” શબ્દનો ઉપયોગ કરીને અનુવાદ કરી શકો છો. “દિવસ દરમિયાન” આ બાબતો કરે છે વાક્ય સૂચવે છે કે આ લોકો આ આચરણનાં વિષયમાં સંકોચ રાખતા નથી. વૈકલ્પિક અનુવાદ: “દિવસ દરમિયાન મોજશોખ માણે છે”

σπίλοι καὶ μῶμοι

ખોટા ઉપદેશકો વિષે પિતર બોલે છે કે જાણે તેઓ વસ્ત્ર પરના ડાઘકે એબહતા જે તેને જે પહેરે છે તેને શરમમાં નાખે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે આ રૂપકને એક ઉપમાનાં રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ફજેતી કરાવનાર, વસ્ત્રો પરના ડાઘ કે એબની માફક” (જુઓ: રૂપક)

σπίλοι καὶ μῶμοι

ડાઘઅને એબ શબ્દો એકસરખા ભાવાર્થને રજુ કરે છે. ભાર મૂકવા માટે પિતર તેઓને એકસાથે ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે કોઈ એક શબ્દ વડે તેનો અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ગંદા ડાઘ” (જુઓ: બેવડું/બમણાં)

σπίλοι καὶ μῶμοι

ભાર મૂકવા માટે, વાક્યને પૂર્ણ કરવા માટે કેટલીક ભાષાઓમાં જરૂર પડે એવા કેટલાક શબ્દોને પિતર કાઢી મૂકે છે. સંદર્ભમાંથી આ શબ્દોની ખાલી જગ્યા અહીં પૂરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ ડાઘ અને એબ છે” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

ἐντρυφῶντες ἐν ταῖς ἀπάταις αὐτῶν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો,તમે ભાવવાચક સંજ્ઞા ભ્રામકતાઓને બદલે વિશેષણ જેમ કે “ભ્રામક” જેવા શબ્દનો ઉપયોગ કરીને અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓના ભ્રામક કામોમાં મોજશોખ માણે છે” (જુઓ: અમૂર્ત નામો)

2 Peter 2:14

ὀφθαλμοὺς ἔχοντες μεστοὺς μοιχαλίδος

અહીં, આંખોશબ્દ વ્યક્તિની ઈચ્છાઓને અલંકારિક રૂપમાં ઉલ્લેખ કરે છે, અને આંખો ભરેલીનો અર્થ થાય છે કે એક વ્યક્તિ એક બાબતની નિત્ય ઈચ્છા રાખે છે. વૈકલ્પિક અનુવાદ: “નિત્ય એક વ્યભિચારીણીની ઈચ્છા રાખે છે” (જુઓ: ઉપનામ)

ὀφθαλμοὺς ἔχοντες μεστοὺς μοιχαλίδος

આ ઉપવાક્યનો અર્થ થઇ શકે: (૧) ખોટા ઉપદેશકો તેઓની નજરે ચઢનાર કોઈપણ સ્ત્રી સાથે અનૈતિક જાતીય સંબંધોની નિત્ય ઈચ્છા રાખતા હતા, અને તેના લીધે દરેક સ્ત્રીને તેઓ સંભવિત વ્યભિચારીણી તરીકે નિહાળતા. વૈકલ્પિક અનુવાદ: “જેઓની સાથે વ્યભિચાર કરી શકે એવી સ્ત્રીઓની નિત્ય ઈચ્છા રાખનાર” (૨) ખોટા ઉપદેશકો અનૈતિક જાતીય સંબંધો રાખવા માટે નિત્ય અનૈતિક સ્ત્રીઓને શોધતા રહેતા હતા. વૈકલ્પિક અનુવાદ” જાતીય રીતે અનૈતિક સ્ત્રીઓને નિત્ય શોધનાર”

δελεάζοντες ψυχὰς ἀστηρίκτους

2:1 માં પિતર જે ખોટા ઉપદેશકોનો પરિચય આપે છે તેઓના આચરણોનો ઉલ્લેખ આ ઉપવાક્ય કરે છે. જો તમારી ભાષામાં તે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો અસ્થિર આત્માઓને લલચાવે છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

δελεάζοντες ψυχὰς ἀστηρίκτους

અહીં, આત્માઓશબ્દ લોકોને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: “અસ્થિર લોકોને લલચાવે છે” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

καρδίαν γεγυμνασμένην πλεονεξίας ἔχοντες

2:1 માં પિતર જે ખોટા ઉપદેશકોનો પરિચય આપે છે તેઓના આચરણોનો ઉલ્લેખ આ ઉપવાક્ય કરે છે. જો તમારી ભાષામાં તે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓના હૃદયો લાલચમાં કેળવાયેલાં છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

καρδίαν γεγυμνασμένην πλεονεξίας ἔχοντες

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો, અને કોણે ક્રિયા કરી હતી તે પણ જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “લાલચી થવા માટે તેઓએ તેઓના હૃદયોને તાલીમ આપી છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

καρδίαν γεγυμνασμένην πλεονεξίας ἔχοντες

પિતર હૃદયોશબ્દનો ઉપયોગ અલંકારિક રૂપમાં સમગ્ર વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે કરે છે, જેમાં તેઓના વિચારો, ઈચ્છાઓ અને ભાવનાઓનો સમાવેશ થાય છે. તેને લીધે આ શબ્દને કર્તૃત્વવાચક સર્વનામ “તેઓની** વડે અનુવાદ કરી શકાય. વૈકલ્પિક અનુવાદ: “તેઓએ પોતાને લાલચી થવા માટે કેળવ્યા છે” (જુઓ: ઉપનામ)

καρδίαν γεγυμνασμένην πλεονεξίας ἔχοντες

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા લાલચની પાછળ રહેલા વિચારને એક ક્રિયાપદ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “લાલચ કરવા માટે તેઓના હૃદયોને તેઓએ કેળવ્યા છે” (જુઓ: અમૂર્ત નામો)

κατάρας τέκνα

જે વસ્તુમાં વ્યક્તિનું જે લક્ષણ નજરે પડતું હોય તેનું તે “સંતાન” કહેવાય એવા એક હિબ્રૂ રૂઢિપ્રયોગનો ઉપયોગ પિતર કરી રહ્યો છે. અહીં શાપનાં છોકરાંશબ્દસમૂહ ઈશ્વરથી શાપિત થયેલ લોકોનો ઉલ્લેખ કરે છે. જેઓ બીજાઓને શાપ આપે છે તેઓનો તે ઉલ્લેખ કરતો નથી. વૈકલ્પિક અનુવાદ: “શાપિત લોકો” (જુઓ: રૂઢિપ્રયોગ)

κατάρας τέκνα

આ શબ્દો ઉદ્ગારનાં છે જે ખોટા ઉપદેશકોની દુષ્ટતા પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ કેવા શાપિત છોકરાં છે !” અથવા “કેવા શાપિત છોકરાં છે તેઓ !” (જુઓ: ઉદ્ગાર સંબોધનો)

2 Peter 2:15

καταλειπόντες εὐθεῖαν ὁδὸν

પિતર અહીં ખરો માર્ગ મૂકીનેરૂપકનો ઉપયોગ કોઈ એક મુસાફર એક ચોક્કસ માર્ગ મૂકીને બીજે વળી જાય તેનું ચિત્ર આપવા માટે કરે છે. પ્રભુની આધિનતામાં તેઓના જીવનો જીવવાનો નકાર કરનાર ખોટા ઉપદેશકો વિષે તે અલંકારિક રૂપમાં બોલે છે કે જાણે તેઓએ પ્રભુના માર્ગમાં ચાલવાનું છોડી મૂક્યું હોય. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરની આધિનતામાં જીવવાનો નકાર કરે છે” (જુઓ: રૂપક)

εὐθεῖαν ὁδὸν

અહીં, ખરો માર્ગજીવનનાં માર્ગને દર્શાવે છે કે જે ખરો છે અને પ્રભુને ગમે છે. 2:2 માં “સત્યનો માર્ગ” તરીકે તેણે કરેલ ઉપયોગને સમાંતર પિતર અહીં વિશેષ કરીને ખ્રિસ્તી વિશ્વાસનો ઉલ્લેખ કરી રહ્યો હશે. વૈકલ્પિક અનુવાદ: “પ્રભુનો ખરો માર્ગ” (જુઓ: રૂઢિપ્રયોગ)

ἐπλανήθησαν

અહીં, પિતર અગાઉના ઉપવાક્યમાંથી લીધેલ માર્ગ રૂપકનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે. ખોટા ઉપદેશકોની દુષ્ટ જીવનશૈલીઓનું વર્ણન કરવા માટે તે અલંકારિક રૂપમાં જણાવે છે કે તેઓ જાણે સીધા માર્ગમાંથી ભટકી ગયાહોય. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ દુષ્ટતાથી વ્યવહાર કરી રહ્યા છે” (જુઓ: રૂપક)

ἐπλανήθησαν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ અવળે માર્ગે ભટકી ગયા છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐξακολουθήσαντες τῇ ὁδῷ τοῦ Βαλαὰμ τοῦ Βοσὸρ, ὃς μισθὸν ἀδικίας ἠγάπησεν

આ કલમમાં, પિતર ખોટા ઉપદેશકોને બલામની સાથે સરખાવે છે. પિતર અનુમાન કરે છે કે તે જૂનો કરારનું પુસ્તક ગણનામાં વર્ણન કરવામાં આવેલ એક ઘટના વિષે તે ઉલ્લેખ કરી રહ્યો છે એમ તેના વાંચકો સમજી લેશે. તે ઘટનામાં, દુષ્ટ રાજાઓએ ઇઝરાયેલનાં લોકોને શાપ આપવા માટે બલામને ભાડે રાખ્યો હતો. જયારે ઈશ્વરે તે પ્રમાણે કરવાની બલામને મનાઈ કરી ત્યારે, જાતીય અનૈતિકતામાં અને મૂર્તિપૂજા કરવા માટે ઇઝરાયેલીઓને ફસાવવા માટે તેણે દુષ્ટ સ્ત્રીઓનો ઉપયોગ કર્યો કે જેથી તેઓના આજ્ઞાભંગ માટે ઈશ્વર તેઓને દંડ કરે. બલામે આવા દુષ્કૃત્યો કર્યા કેમ કે દુષ્ટ રાજાઓ તેને ધનદોલત આપે એવી તે ઈચ્છા રાખતો હતો, પરંતુ આખરે જયારે ઇઝરાયેલનાં લોકોએ કનાન દેશ જીતી લીધો ત્યારે તેઓએ તેને મારી નાખ્યો હતો. જો તમારા વાંચકો ખાસ કરીને તે ઘટના વિષે જાણતા નથી તો તેઓને સહાયતા મળી રહે તેના માટે તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અન્યાયનાં ફળ પર મોહ પામીને, પૈસા મેળવવાની ઈચ્છાથી ઇઝરાયેલનાં લોકોને અનૈતિકતા અને મૂર્તિપૂજામાં ઘસડી લઇ જનાર બયોરનાં પુત્ર બલામનાં માર્ગમાં ચાલનારા થયા” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐξακολουθήσαντες τῇ ὁδῷ τοῦ Βαλαὰμ τοῦ Βοσὸρ

અહીં, પિતર પાછળ ચાલ્યાશબ્દનો અલંકારિક રૂપમાં કોઈ એક એવી વ્યક્તિ બીજી વ્યક્તિના પગલાઓનું અનુકરણ કરે જેમ કે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિની પાછળ એક જ દિશામાં ચાલે તેનો ઉલ્લેખ કરવા માટે કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને શબ્દશઃ રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “બયોરનાં દીકરા બલામનાં માર્ગનું અનુકરણ કરનારા” (જુઓ: રૂપક)

Βαλαὰμ…Βοσὸρ

બલામઅને બયોરબે પુરુષોના નામો છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

τῇ ὁδῷ τοῦ Βαλαὰμ τοῦ Βοσὸρ

અહીં, પિતર બલામનો માર્ગશબ્દનો અલંકારિક રૂપમાં બલામ કઈ રીતે જીવતો હતો તેનો ઉલ્લેખ કરવા માટે કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને શબ્દશઃ રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “બયોરનાં દીકરા બલામનાં જીવનશૈલી મુજબ” (જુઓ: રૂપક)

ὃς μισθὸν ἀδικίας ἠγάπησεν

અહીં,જેસર્વનામ બલામનો ઉલ્લેખ કરે છે. તે ન તો બયોરનો ઉલ્લેખ કરે છે કે નથી ખોટા ઉપ્દેશાકોનો. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો,તમે તેને પ્રત્યક્ષ રીતે જણાવી શકો છો. જો તમે એક નવા વાક્યની શરૂઆત કરો છો તો તમારે અલ્પવિરામને કાઢી નાખીને પૂર્ણ વિરામ મૂકવાની જરૂરત પડશે. વૈકલ્પિક અનુવાદ: “બલામ અન્યાયનાં ફળ પર મોહ પામ્યો” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

ὃς μισθὸν ἀδικίας ἠγάπησεν

અન્યાયનાં લક્ષણો ધરાવનાર ફળોનું વર્ણન કરવા માટે પિતર માલિકીદર્શક રૂપનો ઉપયોગ કરી રહ્યો છે. જો તમારી ભાષામાં તે સ્પષ્ટ નથી તો, તેનો ખુલાસો કરવા માટે તમે એક શબ્દસમૂહનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જે અન્યાયનાં ફળ પર મોહ પામ્યો” (જુઓ: માલિકી)

μισθὸν ἀδικίας

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા અન્યાયની પાછળ રહેલા વિચારને સ્થાને વિશેષણ “અન્યાયી” શબ્દ રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અન્યાયી ફળ” કે “અન્યાયી કૃત્યોના ફળ” (જુઓ: અમૂર્ત નામો)

2 Peter 2:16

ἔλεγξιν…ἔσχεν

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા ઠપકોને તમે એક ક્રિયાપદ વડે રજુ કરી શકો છો અને કોણે ક્રિયા કરી તે પણ જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે તેને ઠપકો આપ્યો” (જુઓ: અમૂર્ત નામો)

ἔλεγξιν…ἔσχεν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, બલામને કોણે ઠપકો આપ્યો તેનો ખુલાસો તમે આપી શકો છો. આ ઉપવાક્યનો અર્થ થઇ શકે: (૧) ગધેડાએ બલામને ઠપકો આપ્યો. વૈકલ્પિક અનુવાદ: “એક ગધેડાએ તેને ઠપકો આપ્યો” (૨) ગધેડાનો ઉપયોગ કરીને ઈશ્વરે બલામને ઠપકો આપ્યો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે તેને ઠપકો આપ્યો” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἰδίας παρανομίας

અપરાધવિશેષ કરીને જાતીય અનૈતિકતા અને મૂર્તિપૂજા કરવા માટે ઇઝરાયેલનાં લોકોને દોરી જવા માટે દુષ્ટ સ્ત્રીઓનો બલામે કરેલ ઉપયોગનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે સહાયક થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઇઝરાયેલના લોકોને અનૈતિક કુકર્મો કરવાને દોરી જવાને લીધે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τὴν τοῦ προφήτου παραφρονίαν

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા બુધ્ધિહીનતાશબ્દની પાછળ રહેલા વિચારને એક વિશેષણ જેમ કે “બુધ્ધિ વગરનો” કે “મૂર્ખ” શબ્દ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પ્રબોધકનું બુધ્ધિ વગરનું કામ” કે “પ્રબોધકનું મૂર્ખામીભર્યું કામ” (જુઓ: અમૂર્ત નામો)

ἐκώλυσεν τὴν τοῦ προφήτου παραφρονίαν

અહીં, પ્રબોધક શબ્દ બલામનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પ્રબોધક બલામની ઘેલછાને અટકાવી” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Peter 2:17

οὗτοί

આ માણસોશબ્દ 2:1 માં પરિચય આપવામાં આવેલ ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તે તમારા વાંચકો માટે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

οὗτοί εἰσιν πηγαὶ ἄνυδροι

તેઓની નિરર્થકતાનો ઉલ્લેખ કરવા માટે ખોટા ઉપદેશકો વિષે પિતર અલંકારિક રૂપમાં બોલે છે. તરસ છીપાવવા માટે લોકો ઝરાઓ પાણી પૂરું પાડે એવી અપેક્ષા રાખતા હોય છે, પરંતુ પાણી વગરના ઝરાઓ તરસ્યા લોકોને નિરાશ કરી દે છે. એ જ રીતે, ખોટા ઉપદેશકો, ભલે તેઓ અનેક બાબતોનો વાયદો આપતા હોય છે, પણ તેઓ જેનો વાયદો આપે છે તે પૂરું કરવા સક્ષમ હોતા નથી. જો તે તમારા વાંચકો માટે એકદમ સ્પષ્ટ નથી તો, તેને તમે બિન અલંકારિક રૂપમાં અનુવાદ કરી શકો છો અથવા રૂપકને તમે ઉપમામાં ફેરવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ માણસો પાણી વગરના ઝરાઓની માફક નિરાશ કરનારા છે” (જુઓ: રૂપક)

ὁμίχλαι ὑπὸ λαίλαπος ἐλαυνόμεναι

ખોટા ઉપદેશકોની નિરર્થકતા દર્શાવવા પિતર બીજું અલંકારિક ચિત્રણ પૂરું પાડે છે. જયારે લોકો તોફાનથી ઘસડાતી ધૂમરને જુએ છે ત્યારે વરસાદ પડવાની અપેક્ષા તેઓ રાખે છે. વરસાદ પડે તેના પહેલા તોફાનમાં રહેલ પવન આવીને વાદળોને દૂર હડસેલી જાય છે, ને એમ લોકો નિરાશ થઇ જાય છે. એ જ રીતે, ખોટા પ્રબોધકો, ભલે તેઓ અનેક વાયદાઓ આપતા હોય છે પરંતુ તેઓને પૂરા કરવા માટે તેઓ સક્ષમ હોતા નથી. જો તે તમારા વાંચકો માટે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક રૂપમાં અનુવાદ કરી શકો છો, અથવા રૂપકને ઉપમામાં ફેરવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ જે વાયદો કરે છે તે કદી આપતા નથી” અથવા “તોફાનથી દૂર ખેંચાઈ જનાર વરસાદી વાદળાઓની માફક તેઓ નિરાશ કરનારા છે” (જુઓ: રૂપક)

οὗτοί εἰσιν πηγαὶ ἄνυδροι, καὶ ὁμίχλαι ὑπὸ λαίλαπος ἐλαυνόμεναι

આ બે રૂપકોનો એકસમાન અર્થ થાય છે. ભાર મૂકવા માટે પિતર તેઓનો એકસાથે ઉપયોગ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એકાકી અભિવ્યક્તિ વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ એવા લોકો છે કે તેઓ ચોક્કસપણે જેનો વાયદો કરે છે તે કદીપણ પૂર્ણ કરતા નથી.” અથવા “આ એવા માણસો છે જેઓ ચોક્કસપણે નિરાશ કરે છે” (જુઓ: બેવડું/બમણાં)

οἷς ὁ ζόφος τοῦ σκότους τετήρηται

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક સકર્મક રૂપમાં જણાવી શકો છો, અને કોણે ક્રિયા કરી તે પણ તમે જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેઓને સારુ ઈશ્વરે ઘોર અંધકાર રાખી મૂક્યો છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ ζόφος τοῦ σκότους

આનો અર્થ થઇ શકે: (૧) ઘોરની સાથેનું લક્ષણ અંધકારછે. વૈકલ્પિક અનુવાદ: “ગાઢ અંધકાર” (૨) ઘોરની ઓળખ અંધકારની સાથે છે. વૈકલ્પિક અનુવાદ: “ઘોર, જે અંધકાર છે.”

ὁ ζόφος τοῦ σκότους

અહીં, ઘોરઅને અંધકારશબ્દોનો નરકનો ઉલ્લેખ કરવા માટે પિતર અલંકારિક ઉપયોગ કરે છે. જો તે તમારા વાંચકો માટે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે પ્રત્યક્ષ રીતે જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેઓને માટે ઈશ્વરે નરકનો ઘોર અંધકાર રાખી મૂક્યો છે” (જુઓ: રૂપક)

2 Peter 2:18

γὰρ

અહીં, માટેશબ્દ જેમ અગાઉની કલમમાં વર્ણન કરવામાં આવેલ છે, તેમ ઘોર અંધકારમાં દંડ કરવા માટે ખોટા ઉપદેશકોને કેમ રાખી મૂકવામાં આવ્યા છે તેના કારણને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: “આવું છે કેમ કે” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ὑπέρογκα…ματαιότητος φθεγγόμενοι

પાપ કરવા માટે બીજાઓને ખોટા પ્રબોધકો જેનાથી લલચાવે છે તેના વિષે આ ઉપવાક્ય સૂચન આપે છે. વૈકલ્પિક અનુવાદ: “ખાલી બડાઈની વાતો કહીને”

ὑπέρογκα…ματαιότητος

વ્યર્થતાનાં લક્ષણોથી ભરપૂર બડાઈની વાતોનું વર્ણન કરવા માટે પિતર માલિકીદર્શક રૂપનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ખાલી, બડાઈ મારવાની બાબતો” કે “ખાલી અને બડાઈની બાબતો” (જુઓ: માલિકી)

ματαιότητος

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞાખાલીપણાની પાછળ રહેલા વિચારને તમે એક વિશેષણ જેમ કે “ખાલી” શબ્દ વડે રજુ કરી શકો છો. (જુઓ: અમૂર્ત નામો)

δελεάζουσιν ἐν ἐπιθυμίαις σαρκὸς

અહીં, તેઓસર્વનામ 2:1માં પરિચય કરવામાં આવેલ ખોટા પ્રબોધકોનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “દૈહિક વિષયોથી આ ખોટા ઉપદેશકો મોહ પમાડે છે” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

ἐν ἐπιθυμίαις σαρκὸς

અહીં, દેહશબ્દ વ્યક્તિના પાપમય સ્વભાવને અલંકારિક રૂપમાં ઉપયોગ કરાયો છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, રૂપક માટેનો આ શબ્દશઃ ભાવાર્થને તમે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓના પાપમય સ્વભાવોની દુર્વાસનાઓથી” (જુઓ: રૂપક)

ἀσελγείαις

અહીં, કામુક કૃત્યોસંયમનાં અભાવને પ્રદર્શિત કરનાર અનૈતિક જાતીય આચરણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2:2માં તમે તે શબ્દશૈલીનો અનુવાદ તમે કઈ રીતે કર્યો છે તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “અનિયંત્રિત કામુક આચરણો”

τοὺς ὀλίγως ἀποφεύγοντας τοὺς ἐν πλάνῃ ἀναστρεφομένους

હાલમાં જ વિશ્વાસીઓ થયેલા પાપમય માનવજાતિમાંથી મુક્ત થવાની તૈયારી કરતાહોય એવા લોકોના વિષયમાં પિતર અલંકારિક રીતે બોલે છે. તે હજુ સુધી તેઓની પાપમય ઈચ્છાઓ મુજબ જીવન જીવનાર અવિશ્વાસીઓનો પણ ઉલ્લેખ કરતા જણાવે છે કે તેઓ ભ્રમણામાં પડયા છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક રૂપમાં બોલી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અન્ય લોકો જેમ કરે છે તેમ પાપમય જીવન જીવવાનું જે લોકોએ હાલમાં છોડી મૂક્યું છે તેઓ” (જુઓ: રૂપક)

2 Peter 2:19

ἐλευθερίαν αὐτοῖς ἐπαγγελλόμενοι

અગાઉની કલમમાંથી ચાલુ રહેલ આ ઉપવાક્ય તેઓના અનુયાયીઓને ખોટા ઉપદેશકો કઈ રીતે લલચાવે છે તેની બીજી એક રીતનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓને સ્વતંત્રતા આપવાનું વચન આપીને પણ તેઓ લલચાવે છે”

ἐλευθερίαν αὐτοῖς ἐπαγγελλόμενοι

અહીં, સ્વતંત્રતાશબ્દ વ્યક્તિ પોતાની મરજીથી જીવી શકે એવી સ્વનિર્ભરતાનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ જે રીતે જીવવાની ઈચ્છા રાખે છે તે રીતે જીવવાની ક્ષમતા આપવાનું વચન તેઓ તેઓને આપે છે” (જુઓ: રૂપક)

ἐλευθερίαν αὐτοῖς ἐπαγγελλόμενοι

અહીં, તેઓસર્વનામ ખોટા ઉપદેશકો દ્વારા જે લોકો ભ્રમણામાં પડેલાં છે તેઓનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ જેઓને ઠગે છે તેઓને સ્વતંત્રતા આપવાનું વચન આપે છે” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

αὐτοὶ δοῦλοι ὑπάρχοντες τῆς φθορᾶς;

પિતર અહીં તેઓ પોતે શબ્દ આત્મિક રીતે બંધનમાં રહેલ લોકો બીજાઓને આત્મિક સ્વતંત્રતા આપવાનું વચન આપે છે તે કઠોર બાબત પર ભાર મૂકવા માટે ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ પોતે વિનાશનાં દાસો છે” (જુઓ: સ્વવાચક સર્વનામો)

δοῦλοι

જેઓ પાપમય જીવનો જીવે છે એવા લોકો માટે પિતર અલંકારિક રૂપમાં બોલે છે કે જાણે તેઓ પાપના ગુલામોછે જેઓએ પોતે તેઓના બંધનમાંથી મુક્ત થવાની જરૂરત છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક ઉપમાના રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ગુલામો જેવા” (જુઓ: રૂપક)

δοῦλοι…τῆς φθορᾶς

નાશનાં લક્ષણો ધરાવનાર ગુલામોનો ઉલ્લેખ કરવા માટે પિતર માલિકીદર્શક રૂપનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ગુલામો કે જેઓ નાશ પામશે” (જુઓ: માલિકી)

ᾧ γάρ τις ἥττηται, τούτῳ δεδούλωται

જ્યારે કોઈ વ્યક્તિ પર કોઈ બાબત નિયંત્રણ કરતી હોય ત્યારે પિતર તે વ્યક્તિને ગુલામીમાં આવી પડેલકહે છે, અને તે બાબતને તે તે વ્યક્તિ પર રાજ કરનાર માલિક કહે છે. જો તે તમારા વાંચકો માટે સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક બિન અલંકારિક રૂપમાં અથવા ઉપમામાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ બાબત જીતે છે, ત્યારે તે વ્યક્તિ તે બાબત વડે નિયંત્રિત થાય છે” અથવા “જો કોઈ વ્યક્તિ કોઈ બાબતથી હારી જાય, તો તે બાબત કરવા માટે તે વ્યક્તિ તેનો ગુલામ થઇ જાય છે” (જુઓ: રૂપક)

ᾧ γάρ τις ἥττηται, τούτῳ δεδούλωται

જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે જે કોઈ બાબત વ્યક્તિને હરાવે છે, તે બાબત તે વ્યક્તિને ગુલામ બનાવી દે છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Peter 2:20

γὰρ

અહીં, કેમ કેશબ્દનો અર્થ થઇ શકે: (૧) અગાઉની કલમમાં પિતરે કહેલ વાક્ય “તેઓ પોતે નાશનાં ગુલામો છે”નો ખુલાસો આપવામાં આવ્યો હોય, (૨) અગાઉની કલમમાં પિતરે જે કહ્યું તેમાંથી આ કલમમાં હવે તે જે કહી રહ્યો છે તેમાં સ્થાનાંતર. અહીં, અગાઉની કલમમાં જે કહેવામાં આવ્યું હતું તેનું કારણ કે પરિણામ કેમ કેશબ્દ રજુ કરતુ નથી. UST માં જેમ છે તેમ, વૈકલ્પિક અનુવાદ: “અને”

εἰ…ἀποφυγόντες τὰ μιάσματα τοῦ κόσμου, ἐν ἐπιγνώσει τοῦ Κυρίου ἡμῶν καὶ Σωτῆρος, Ἰησοῦ Χριστοῦ, τούτοις δὲ πάλιν ἐμπλακέντες ἡττῶνται, γέγονεν αὐτοῖς τὰ ἔσχατα χείρονα τῶν πρώτων

આ કોઈ એક આનુમાનિક સંભાવના હોય એ રીતે પિતર બોલી રહ્યો છે, પરંતુ તેનો અર્થ એ છે કે તે સત્ય છે. જો કોઈ બાબત ચોક્કસ કે સત્ય હોય તેને તમારી ભાષા એક શરત તરીકે રજુ કરતી નથી, અને જો તમારા વાંચકોમાં ગેરસમજ ઊભી થતી હોય અને તેઓ એમ વિચારે કે પિતર જે કહે છે તે ચોક્કસ નથી, તો પછી તમે તેના શબ્દોને નિશ્ચયાત્મક વાક્ય તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુ અને તારનાર ઇસુ ખ્રિસ્તને ઓળખીને તેઓ જગતની મલિનતાઓથી છૂટી ગયા, પરંતુ તેઓ તેમાં ફરીથી ફસાઈને હારી ગયા, તો પછી તેઓની છેલ્લી દશા પહેલી દશા કરતા વધારે ખરાબ થઇ ગઈ છે” (જુઓ: વાસ્તવિક સ્થિતિઓને – જોડવા)

εἰ…ἀποφυγόντες τὰ μιάσματα τοῦ κόσμου

2:18 માં જે છે તેના જેવા જ રૂપકનો ઉપયોગ કરીને અહીં પિતર વિશ્વાસીઓ વિષે અલંકારિક રૂપમાં બોલે છે કે જાણે તેઓ જગતની મલિનતાનાં ગુલામો હતા અને તેઓ તે બંધનમાંથી મુક્ત થયા છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જગતની મલિન કરનાર વ્યવહારમાં જીવવાનું તેઓએ બંધ કરી નાખ્યું છે તો” (જુઓ: રૂપક)

τὰ μιάσματα τοῦ κόσμου

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞામલિનતાઓની પાછળ રહેલા વિચારને તમે એક સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પાપમય માનવ સમાજ તેને પોતાને મલિન કરવા માટે કરે છે એવી બાબતો” (જુઓ: અમૂર્ત નામો)

τὰ μιάσματα τοῦ κόσμου

અહીં, જગતશબ્દ માનવ સમાજનો ઉલ્લેખ કરે છે, જે પાપને લીધે ભ્રષ્ટ થઇ ચૂક્યો છે. વૈકલ્પિક અનુવાદ: “પાપમય માનવ સમાજનાં મલિન આચરણો” (જુઓ: ઉપનામ)

ἐν ἐπιγνώσει τοῦ Κυρίου ἡμῶν καὶ Σωτῆρος, Ἰησοῦ Χριστοῦ

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞાજ્ઞાનની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદનાં શબ્દસમૂહ વડે રજુ કરી શકો છો. 1:2 માં તમે તેના જેવા શબ્દસમૂહનો કઈ રીતે અનુવાદ કર્યો છે તેને જુઓ. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુ અને તારનાર ઇસુ ખ્રિસ્તને ઓળખીને” (જુઓ: અમૂર્ત નામો)

τοῦ Κυρίου ἡμῶν καὶ Σωτῆρος

અહીં, આપણા પ્રભુનો અર્થ “આપણા પર જે વ્યક્તિ ધણીપણું કરે છે” તે થાય છે અથવા “આપણા પર જે વ્યક્તિ રાજ કરે છે” તે થાય છે. અનેસંયોજક સૂચવે છે કે આપણાપણ તારનારસાથેનો સંલગ્ન છે, જેનો અર્થ “આપણને બચાવે છે એવી વ્યક્તિ.” થાય છે. વૈકલ્પિક અનુવાદ: “આપણા પર રાજ કરનાર અને આપણને બચાવનાર વ્યક્તિના” (જુઓ: માલિકી)

τούτοις…πάλιν ἐμπλακέντες ἡττῶνται

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક સકર્મક રૂપમાં જણાવી શકો છો, અને પાછલી કલમમાંથી ક્રિયા કરનાર વ્યક્તિની જોગવાઈ અહીં કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ બાબતોએ તેઓને ફરીથી ફસાવીને; તેઓને આ બાબતોએ હરાવી દીધા છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πάλιν ἐμπλακέντες

અહીં, પિતર અગાઉ વિશ્વાસીઓ હતા પરંતુ પાપમય જીવન જીવવા પાછા ફરી ગયા છે એવા લોકોના વિષયમાં અલંકારિક રૂપમાં બોલી રહ્યો છે કે જાણે તેઓ એક જાળમાં ફસાઈગયા હોય. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે બિન અલંકારિક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જો તેઓએ ફરીથી પાપમય જીવન જીવવાનું શરૂ કરી દીધું છે તો” (જુઓ: રૂપક)

τούτοις

અહીં, આ બાબતોસર્વનામ “જગતની મલિનતા”નો ઉલ્લેખ કરે છે. જો તે તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તમે તમારા અનુવાદમાં તેનો ચોક્કસ ઉલ્લેખ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જગતની આ મલિનતાથી” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

αὐτοῖς

અહીં, તેઓસર્વનામ 2:1 માં જેનો પરિચય આપવામાં આવ્યો છે અને 2:12–19 માં જેઓની ચર્ચા કરવામાં આવી છે તે ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

γέγονεν αὐτοῖς τὰ ἔσχατα χείρονα τῶν πρώτων

અહીં, છેલ્લી અને પહેલી વિશેષણો સંજ્ઞાઓ તરીકે કામ કરે છે. તેઓ બહુવચન છે, અને તેને દર્શાવવા માટે ULT દરેક કેસમાં બાબતોસંજ્ઞાનો ઉમેરો કરે છે. જો તમારી ભાષા આ રીતે વિશેષણનો ઉપયોગ કરતી નથી, તો તમે હજુ વધારે ચોક્કસ એકવચનનું રૂપ પૂરું પાડી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓની અંતિમ દશા તેઓની અસલ દશા કરતા વધારે ખરાબ થઇ જાય છે” (જુઓ: નામવાચક વિશેષણો)

2 Peter 2:21

γὰρ

અહીં, કેમ કેશબ્દ, જેમ અગાઉની કલમમાં વર્ણન કરવામાં આવ્યું છે તેમ ખોટા પ્રબોધકોની દશા તેઓની પહેલીની દશા કરતા વધારે ખરાબ કેમ થઇ જાય છે તેના કારણને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: “આવું છે તેને કારણે” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

αὐτοῖς

અહીં, તેઓસર્વનામ 2:1માં જેનો પરિચય આપવામાં આવ્યો છે તેવા ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો માટે” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

τὴν ὁδὸν τῆς δικαιοσύνης

ન્યાયીપણાનાં લક્ષણોવાળા માર્ગનો ઉલ્લેખ કરવા માટે પિતર માલિકીદર્શક શબ્દનો ઉપયોગ કરી રહ્યો છે. જો તમારી ભાષામાં તે સ્પષ્ટ નથી તો, તેનો ખુલાસો કરવા માટે તમે એક શબ્દસમૂહનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયી માર્ગ” (જુઓ: માલિકી)

τὴν ὁδὸν τῆς δικαιοσύνης

જીવનનાં વિષે પિતર અલંકારિક રૂપમાં માર્ગ કે રસ્તો શબ્દ વાપરે છે. આ શબ્દસમૂહ જીવન જીવવાના માર્ગનો ઉલ્લેખ કરે છે જે ખરો અને પ્રભુને ગમે એવો છે. પિતર અહીં તેનો વિશેષ કરીને ખ્રિસ્તી વિશ્વાસનો ઉલ્લેખ કરવા માટે પણ ઉપયોગ કરી રહ્યો હોય, જેમ કે 2:2 તે “સત્યનો માર્ગ” નો ઉપયોગ કરે છે, અને 2:15 માં તે “ખરો માર્ગ” શબ્દનો ઉપયોગ કરે છે તેની માફક. વૈકલ્પિક અનુવાદ: “પ્રભુને ગમતી જીવનશૈલી” (જુઓ: રૂઢિપ્રયોગ)

ἐπιγνοῦσιν

આ ઉપવાક્ય સૂચવે છે કે આગલું ઉપવાક્ય એક એવી ઘટનાનો ઉલ્લેખ કરે છે જે આ ઉપવાક્યની ઘટના પછી થઇ છે. જો તે તમારી ભાષામાં સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તે જાણ્યા પછી”

ὑποστρέψαι ἐκ τῆς…ἁγίας ἐντολῆς

અહીં, પાછા ફરી જવુંએક રૂપક છે જેનો અર્થ કોઈક બાબત કરતા અટકી જવું થાય છે. વૈકલ્પિક અનુવાદ: પવિત્ર આજ્ઞાનું પાલન કરતા અટકી જવું” (જુઓ: રૂપક)

τῆς…ἁγίας ἐντολῆς

પિતર પવિત્ર આજ્ઞાશબ્દ ઈશ્વરની સર્વ આજ્ઞાઓનાં સદર્ભમાં બોલે છે. તે કોઈ એક વિશેષ આજ્ઞાનો ઉલ્લેખ કરી રહ્યો નથી. આ આજ્ઞાઓ વિશ્વાસીઓને પ્રેરિતોની મારફતે સોંપવામાંઆવી હતી. વૈકલ્પિક અનુવાદ: “પવિત્ર આજ્ઞાઓ” (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના)

τῆς…ἁγίας ἐντολῆς

જો તમારી ભાષામાં તે સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા આજ્ઞાની પાછળ રહેલા વિચારને તમે એક સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે જે આજ્ઞા આપી તે” (જુઓ: અમૂર્ત નામો)

τῆς παραδοθείσης αὐτοῖς ἁγίας ἐντολῆς

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો, અને કોણે ક્રિયા કરી તે પણ જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓને પ્રેરિતોએ જે પવિત્ર આજ્ઞાઓ સોંપી હતી તે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Peter 2:22

συμβέβηκεν αὐτοῖς τὸ τῆς ἀληθοῦς παροιμίας

અહીં, શબ્દ આ કલમમાં પછીથી પિતર જણાવે છે તે કહેવતનો ઉલ્લેખ કરે છે. અગાઉના કલમમાં રહેલ વિધાનવાક્યનો ઉલ્લેખ તે કરતું નથી. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે કોઈ બીજી અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “આ સત્ય કહેવત જે કહે છે તે મુજબ તેઓની સાથે થયું છે” અથવા “તેઓની સાથે જે થયું તેના વિષે આ સત્ય કહેવત વર્ણન કરે છે” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

αὐτοῖς

અહીં, તેઓસર્વનામ 2:1માં જેનો પરિચય આપવામાં આવ્યો છે તેવા ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો માટે” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

κύων ἐπιστρέψας ἐπὶ τὸ ἴδιον ἐξέραμα, καί, ὗς λουσαμένη, εἰς κυλισμὸν βορβόρου

ખોટા પ્રબોધકોએ જે કર્યું છે તેનું ચિત્રણ આપવા માટે પિતર બે કહેવતોનો ઉપયોગ કરે છે. આ કહેવતો એક અલંકારિક તુલના રજુ કરે છે: જે રીતે કૂતરું તેની પોતાની ઓક ખાવા માટે પાછું ફરે છે અને ધોયેલુ ભૂંડ કાદવમાં આળોટવા જાય છે, તેમ આ ખોટા ઉપદેશકો, જેઓએ એક સમયે પાપમય જીવન જીવવાનું છોડી મૂક્યું હતું, પણ હવે ફરીથી પાપમય જીવન જીવવા માટે પાછા ફરી ગયા છે. તેઓએ “ન્યાયીપણાનો માર્ગ” જાણ્યા છતાં, તેઓને નૈતિક અને આત્મિક રીતે મલિન કરે એવા કામો કરવા માટે પાછા ફરી ગયા છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે આ કહેવતોને ઉપમાઓ તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ કૂતરાઓ જેવા છે જેઓ તેઓની પોતાની ઓક ખાય છે અથવા સ્વચ્છ ભૂંડો જેવા છે જેઓ કાદવમાં આળોટવા ફરી જતા રહે છે.” (જુઓ: નીતિવચનો)

κύων

કૂતરુંએક એવું જાનવર છે જેને યહૂદીઓ અને ઘણા પ્રાચીન પૂર્વી દેશોના લોકો અશુધ્ધ અને ઘૃણાસ્પદ ગણતા હતા. તેથી, કોઈને કૂતરાશબ્દ વડે કરવામાં આવેલ સંબોધન અપમાન કરવા માટેનો શબ્દ હતો. જો તમારા સમાજમાં કૂતરાંઓ વિષે જાણકારી ન હોય અને કોઈ બીજું જાનવર અશુધ્ધ અને ઘૃણાસ્પદ ગણવામાં આવતું હોય અથવા અપમાન કરવા માટે જે નામનો ઉપયોગ કરવામાં આવતો હોય, તો તેને બદલે તમે આ જાનવરનો ઉપયોગ કરી શકો છો. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

ὗς

ભૂંડએક એવું જાનવર છે જેને યહૂદીઓ અને ઘણા પ્રાચીન પૂર્વી દેશોના લોકો અશુધ્ધ અને ઘૃણાસ્પદ ગણતા હતા. તેથી, કોઈને ભૂંડશબ્દ વડે કરવામાં આવેલ સંબોધન અપમાન કરવા માટેનો શબ્દ હતો. જો તમારા સમાજમાં ભૂંડો વિષે જાણકારી ન હોય અને કોઈ બીજું જાનવર અશુધ્ધ અને ઘૃણાસ્પદ ગણવામાં આવતું હોય અથવા અપમાન કરવા માટે જે નામનો ઉપયોગ કરવામાં આવતો હોય, તો તેને બદલે તમે આ જાનવરનો ઉપયોગ કરી શકો છો. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

2 Peter 3

૨ પિતર ૩ સામાન્ય ટૂંકનોંધ

માળખું અને રચના

  1. ઇસુ નિયુક્ત સમયે આવશે તે અંગે સ્મરણ કરાવવું (૩:૧-૧૩)
  2. ઈશ્વરીય જીવનો જીવવા આખરી શિખામણ (૩:૧૪-૧૭)

આ અધ્યાયમાંની વિશેષ સંકલ્પનાઓ

અગ્નિ

પદાર્થોનો નાશ કરવા માટે અથવા કચરો અને બિનજરૂરી વસ્તુઓને બાળી નાખીને કોઈ વસ્તુને શુધ્ધ બનાવવા માટે લોકો કેટલીકવાર અગ્નિનો ઉપયોગ કરે છે. તેથી, જયારે ઈશ્વર દુષ્ટ લોકોને શિક્ષા કરે છે કે તેમના લોકોને શુધ્ધ કરે છે ત્યારે તે ક્રિયા અમુકવાર અગ્નિ સાથે જોડાયેલી હોય છે. (જુઓ: અગ્નિ, આગ સળગાવે છે, સળગતું લાકડું, આગની સૂપડી, સગડી, ચૂલો, ચૂલાઓ)

પ્રભુનો દિવસ

લોકોને આશ્ચર્ય થાય એ રીતે પ્રભુનો દિવસ ચોક્કસપણે આવશે. “રાત્રે આવનાર ચોરની માફક” ઉપમાનો એ જ અર્થ છે. આ કારણને લીધે, પ્રભુના આગમનને માટે ખ્રિસ્તી લોકોએ સર્વ સમયે તૈયાર રહેવું જોઈએ. (જુઓ: પ્રભુનો દિવસ, યહોવાનો દિવસ અને ઉપમા)

2 Peter 3:1

ἀγαπητοί

વહાલાઓ શબ્દ પિતર જેઓને પત્ર લખી રહ્યો છે તેઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ તે સર્વ વિશ્વાસીઓ સુધી વિસ્તૃત થઇ શકે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “વહાલા સાથી વિશ્વાસીઓ” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐν αἷς

અહીં, જે શબ્દ આ પત્ર અને આ વિશ્વાસીઓનાં જૂથને પિતરે જે પહેલો પત્ર લખ્યો હતો તે એમ બંનેનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને સ્પષ્ટ શબ્દોમાં રજુ કરવા માટે તમે એક નવા વાક્યની શરૂઆત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ બંને પત્રોમાં” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

διεγείρω ὑμῶν ἐν ὑπομνήσει τὴν εἰλικρινῆ διάνοιαν

અહીં, પિતર, જાગૃત કરવાશબ્દ અલંકારિક રૂપમાં ઉપયોગ કરે છે કે જાણે તેના વાંચકોનાં મનો ઊંઘેલા હોય, જે આ બાબતો વિષે તેના વાંચકો વિચાર કરતા થાય તેનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક બિન અલંકારિક અભિવ્યક્તિ વડે અનુવાદ કરી શકો. 1:13 માં તમે આ શબ્દશૈલીનો અનુવાદ કઈ રીતે કર્યો હતો તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “આ બાબતો વિષે તમારા નિર્મળ મનોને સ્મરણ કરાવવા ચાહું છે કે જેથી તમે તેઓ વિષે વિચાર કરી શકો” (જુઓ: રૂપક)

ἐν ὑπομνήσει

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, આ શબ્દ્સમૂહમાંની ભાવવાચક સંજ્ઞા સ્મરણની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદ વડે રજુ કરી શકો છો.1:13 માં તમે આ શબ્દશૈલીનો અનુવાદ કઈ રીતે કર્યો હતો તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “સ્મરણ કરવું” (જુઓ: અમૂર્ત નામો)

ὑμῶν…τὴν εἰλικρινῆ διάνοιαν

નિર્મળશબ્દ ખાસ કરીને કોઈ દૂષણમુક્ત વસ્તુ માટે કે જે વસ્તુ બીજા કોઈમાં મિશ્રિત થઇ ગઈ નથી તેને દર્શાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે, તેમ છતાં પિતર તેનો તેના વાંચકો પાસે એવા મનો છે કે જેઓ ખોટા ઉપદેશકો દ્વારા છેતરાયા નથી તે સૂચવવા અલંકારિક રૂપમાં ઉપયોગ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક રીતે જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમારા છેતરાયા વગરના મનો” (જુઓ: રૂપક)

2 Peter 3:2

μνησθῆναι

અહીં, પિતર આ પત્ર કેમ લખી રહ્યો છે તેનો હેતુ જણાવે છે. વૈકલ્પિક અનુવાદ (અલ્પવિરામ વિના): કે જેથી તમે યાદ રાખો” (જુઓ: જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

τῶν προειρημένων ῥημάτων, ὑπὸ τῶν ἁγίων προφητῶν

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ પવિત્ર પ્રબોધકો દ્વારા અગાઉ કહેવામાં આવેલા વચનો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῶν προειρημένων ῥημάτων

શબ્દોનો ઉપયોગ કરીને રજુ કરવામાં આવેલ જૂનો કરારનાં પ્રબોધકોની ભવિષ્યવાણીઓ, વિશેષ કરીને ભવિષ્યમાં થનાર ખ્રિસ્તના બીજા આગમન વિષેની ભવિષ્યવાણીઓનો ઉલ્લેખ કરવા માટે પિતર વચનોશબ્દોનો અહીં ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “અગાઉ કહેવામાં આવેલ ભવિષ્યવાણીઓ” (જુઓ: ઉપનામ)

ὑπὸ τῶν ἁγίων προφητῶν

અહીં, પ્રબોધકોશબ્દ જૂનો કરારનાં પ્રબોધકોનો ઉલ્લેખ કરે છે જેઓના વિષે પિતરે 1:19–21 માં પણ ઉલ્લેખ કર્યો હતો. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જૂનો કરારના પવિત્ર પ્રબોધકોની મારફતે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τῆς τῶν ἀποστόλων ὑμῶν ἐντολῆς τοῦ Κυρίου καὶ Σωτῆρος

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુ અને તારનારની આજ્ઞા, જે તમને તમારા પ્રેરિતોએ આપી” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῆς…ἐντολῆς τοῦ Κυρίου καὶ Σωτῆρος

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા આજ્ઞાની પાછળ રહેલા વિચારને તમે એક સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુ અને તારનારે જેની આજ્ઞા આપી હતી” (જુઓ: અમૂર્ત નામો)

τῆς…ἐντολῆς τοῦ Κυρίου καὶ Σωτῆρος

પિતર અહીં આજ્ઞાશબ્દનો ઉપયોગ સામાન્ય રીતે ઈસુની આજ્ઞાઓનાં વિષયમાં બોલે છે. તે કોઈ એક વિશેષ આજ્ઞાનો ઉલ્લેખ કરતો નથી. આ આજ્ઞાઓ પ્રેરિતોની મારફતે વિશ્વાસીઓને આપવામાં આવી હતી. વૈકલ્પિક અનુવાદ: “પ્રભુ અને તારનારની આજ્ઞાઓ” (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના)

τοῦ Κυρίου

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા પ્રભુની પાછળ રહેલા વિચારને તમે એક સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “એવી વ્યક્તિ જે રાજ કરે છે” (જુઓ: અમૂર્ત નામો)

Σωτῆρος

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા તારનારની પાછળ રહેલા વિચારને તમે એક સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “એવી વ્યક્તિ જે તારે છે” (જુઓ: અમૂર્ત નામો)

τῶν ἀποστόλων ὑμῶν

પિતરના વાંચકોનેપ્રભુ અને તારનારની આજ્ઞા કઈ રીતે આપવામાં આવી તેના વિષે આ શબ્દસમૂહ સૂચન કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તમારા પ્રેરિતોની મારફતે”

τῶν ἀποστόλων ὑμῶν

અહીં, તમારા પ્રેરિતોનો અર્થ થઇ શકે: (૧) પિતરનાં વાંચકોની સમક્ષ ખ્રિસ્તના ઉપદેશોની ઘોષણા કરનાર પ્રેરિતો કે તેઓની કોઈક રીતે સેવા કરનાર પ્રેરિતો. વૈકલ્પિક અનુવાદ: “તમારી સેવા કરનાર પ્રેરિતો” (૨) સર્વ ખ્રિસ્તીઓનાં, સર્વ પ્રેરિતો. વૈકલ્પિક અનુવાદ: “આપણા સર્વનાં પ્રેરિતો” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Peter 3:3

τοῦτο πρῶτον γινώσκοντες

પિતર અહીં મહત્વના દરજ્જાને રજુ કરવા માટે પ્રથમશબ્દનો ઉલ્લેખ કરે છે. તે સમયનાં ક્રમનો ઉલ્લેખ કરતું નથી. 1:20 માં તમે તેનો કઈ રીતે અનુવાદ કર્યો છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: “સૌથી મહત્વની બાબત, તમારે સમજવાનું છે”

τοῦτο πρῶτον γινώσκοντες

સૂચન આપવા માટે પિતર એક વિધાન વાક્યનો ઉપયોગ કરે છે. જો તે તમારી ભાષામાં સહાયક થતું હોય તો, તમે તેને એક આજ્ઞા તરીકે અનુવાદ કરીને સૂચવી શકો છો. જો તમે એવું કરો છો, તો અહીં એક નવા વાક્યની શરૂઆત કરવું તમારા માટે સહાયક થઇ પડશે. 1:20માં તમે તેનો કઈ રીતે અનુવાદ કર્યો છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: “તે સર્વ ઉપરાંત, આ જાણો” (જુઓ: વિધાનો - અન્ય ઉપયોગો)

ἐλεύσονται…ἐν ἐμπαιγμονῇ ἐμπαῖκται

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા મશ્કરીની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “મશ્કરી કરનારાઓ આવશે અને મશ્કરી કરશે” (જુઓ: અમૂર્ત નામો)

κατὰ τὰς ἰδίας ἐπιθυμίας αὐτῶν πορευόμενοι

અહીં, પિતર ચાલશેશબ્દનો અલંકારિક રૂપમાં આદતને લીધે કંઈક કરતા રહેવાનો ઉલ્લેખ કરવા ઉપયોગ કરે છે, જેમ કે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ તરફ ગતિ કરે તે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને શબ્દશઃ અભિવ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓની પોતાની દુર્વાસનાઓ મુજબની આદતોથી જીવનારાઓ” (જુઓ: રૂપક)

κατὰ τὰς ἰδίας ἐπιθυμίας αὐτῶν πορευόμενοι

અહીં, દુર્વાસનાઓશબ્દ ઈશ્વરની ઈચ્છાની વિરુધ્ધમાં જે છે તે પાપમય ઈચ્છાઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓની પોતાની પાપમય ઈચ્છાઓ મુજબ જીવનાર” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Peter 3:4

καὶ λέγοντες

તમારી ભાષામાં પ્રત્યક્ષ અવતરણોને રજુ કરવાની રીતોને ધ્યાનમાં લો. વૈકલ્પિક અનુવાદ: “અને તેઓ કહેશે” (જુઓ: અવતરણો અને અવતરણ શબ્દો)

ποῦ ἐστιν ἡ ἐπαγγελία τῆς παρουσίας αὐτοῦ?

ઇસુ પાછા આવશે એમાં તેઓ વિશ્વાસ કરતા નથી તે બાબત પર ભાર મૂકવા માટે મશ્કરી કરનારાઓ આ આડંબરભર્યો સવાલ પૂછશે. વૈકલ્પિક અનુવાદ: “તેના આગમનનો કોઈ વાયદો અપાયો નથી !” અથવા “તેના આગમન માટેનો વાયદો સાચો નથી !” (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ποῦ ἐστιν ἡ ἐπαγγελία τῆς παρουσίας αὐτοῦ?

અહીં, ક્યાં શબ્દનો વાયદાનું શું થયું તે પૂછવા માટે રૂઢિપ્રયોગાત્મક રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. મશ્કરી કરનારાઓ તે બાબતનાં સ્થળ વિષે પૂછપરછ કરવા સવાલ પૂછી રહ્યા નથી. જો તે તમારી ભાષામાં સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક બિન અલંકારિક રીતે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેના આગમન વિષેના વાયદાનું શું થયું ? કે “તેમના આગમનનાં વાયદાનાં વિષયમાં શું પરિણામ આવ્યું છે ?” (જુઓ: રૂઢિપ્રયોગ)

ποῦ ἐστιν ἡ ἐπαγγελία τῆς παρουσίας αὐτοῦ

અહીં, વાયદોશબ્દ ઇસુ પાછા આવશે તે વિષેના વાયદાની પૂર્ણતાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેમના આગમનનાં વાયદાની પૂર્ણતા ક્યાં ગઈ ? (જુઓ: ઉપનામ)

ἡ ἐπαγγελία τῆς παρουσίας αὐτοῦ

અહીં, તેમનાસર્વનામ ઇસુનો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈસુના આગમનનાં વાયદા” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

τῆς παρουσίας αὐτοῦ

અહીં, તેમના આગમનશબ્દ ધરતી પર પ્રભુ ઈસુના પાછા ફરવાની બાબતનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ધરતી પર ઈસુનું પાછા ફરવું” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἀφ’ ἧς γὰρ οἱ πατέρες ἐκοιμήθησαν

અહીં, પિતાઓશબ્દ અલંકારિક ભાષાપ્રયોગમાં વપરાયો છે. તેનો અર્થ થઇ શકે: (૧) જૂનો કરારના ઇઝરાયેલનાં પૂર્વજો, જેઓ “પિતૃઓ”તરીકે પણ ઓળખાઈ છે. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે ઇઝરાયેલનાં પિતૃઓ ઊંઘી ગયા છે” (૨) પિતર આ પત્ર લખે તેના પહેલા મરણ પામેલ ખ્રિસ્તી લોકોના પ્રથમ પેઢીનાં આગેવાનો. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે પ્રથમ ખ્રિસ્તી આગેવાનો ઊંઘી ગયા છે” (જુઓ: રૂપક)

οἱ πατέρες ἐκοιμήθησαν

અહીં, ઊંઘી ગયા છેશબ્દ મરણ માટેનો સૌમ્ય શબ્દ છે. તમારી ભાષામાં મરણ માટેનો તેના જેવો કોઈ સૌમ્ય શબ્દનો તમે ઉપયોગ કરી શકો અથવા તેને તમે બિન અલંકારિક રૂપમાં પણ જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પિતૃઓ મરણ પામ્યા છે” (જુઓ: સૌમ્યોક્તિ)

πάντα οὕτως διαμένει ἀπ’ ἀρχῆς κτίσεως

અહીં, સઘળુંશબ્દ મશ્કરી કરનારાઓ દલીલ રજુ કરવા માટે જે અતિશયોક્તિનો ઉપયોગ કરે છે તેને દર્શાવે છે કે જગતમાંની કોઇપણ બાબતમાં આજદિન સુધી કોઈ બદલાણ આવ્યું નથી, એમ જ ઇસુ પાછા આવશે તે વાત પણ સાચી હોઈ શકે નહિ. (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

ἀπ’ ἀρχῆς κτίσεως

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા ઉત્પત્તિની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદનાં શબ્દસમૂહ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે જગતની ઉત્પત્તિ કરી ત્યારથી” (જુઓ: અમૂર્ત નામો)

2 Peter 3:5

λανθάνει γὰρ αὐτοὺς τοῦτο, θέλοντας

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે તેઓ જાણીજોઇને આ વાત પોતાનાથી છૂપાવી રાખે છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

θέλοντας ὅτι οὐρανοὶ ἦσαν ἔκπαλαι

વાક્યને પૂર્ણ કરવા માટે કેટલીક ભાષાઓમાં જરૂર પડે એવા આ ઉપવાક્યના જરૂરી કેટલાંક શબ્દોને પિતર કાઢી મૂકે છે. કલમનાં અંત ભાગમાંથી આ શબ્દોને અહીં લાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કે ઈશ્વરના શબ્દથી આકાશો પ્રથમથી જ હતા” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

γῆ…συνεστῶσα τῷ τοῦ Θεοῦ λόγῳ

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરના શબ્દે ધરતીની રચના કરી” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐξ ὕδατος καὶ δι’ ὕδατος συνεστῶσα

આ ઉપવાક્ય ઈશ્વર ભૂમિને પાણીમાંથી અને પાણીથીઅલગ કરે છે તેનું ઉલ્લેખ કરે છે, જેને લીધે સઘળાં પાણીનાં સ્રોતો એક જગાએ એકઠા થઈને ભૂમિને દ્રશ્યમાન કરી.

τῷ τοῦ Θεοῦ λόγῳ

અહીં, ઈશ્વરના શબ્દઈશ્વરના વિશેષ આદેશ કે જેના વડે ધરતીનું સર્જન કરવામાં આવ્યું તેનો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષામાં સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરની આજ્ઞાથી” (જુઓ: ઉપનામ)

2 Peter 3:6

δι’ ὧν

અહીં, તેશબ્દ ઈશ્વરના વચન અને પાણી એમ બંનેનો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ કરતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરના શબ્દ અને પાણીથી” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

ὕδατι κατακλυσθεὶς

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં રજુ કરી શકો છો, અને કોણે ક્રિયા કરી તે પણ તમે જણાવી શકો છો. તમારે એક નવા વાક્યની શરૂઆત કરવાની જરૂર પડશે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર જગતમાં જળપ્રલય લાવ્યા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ τότε κόσμος

અહીં, તે વેળાએશબ્દ જળપ્રલયની પહેલાં જે જગત અસ્તિત્વમાં હતું તેનો ઉલ્લેખ કરે છે. સકલ સૃષ્ટિનું સર્જન ક્યાંરે થયું તેના ચોક્કસ સમય વિષે તે ઉલ્લેખ કરતું નથી. વૈકલ્પિક અનુવાદ: “તે વેળાએ જે જગત અસ્તિત્વમાં હતું તે”

ὕδατι κατακλυσθεὶς

પ્રાચીન જગત કઈ રીતે નાશ પામ્યું તેને આ શબ્દસમૂહ સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: “પાણીમાં ડૂબીને”

2 Peter 3:7

οἱ δὲ νῦν οὐρανοὶ καὶ ἡ γῆ

અહીં, પરંતુશબ્દ વડે અગાઉ વર્ણન કરવામાં આવેલ પ્રાચીન જગતનું ભૂતકાળમાં થયેલ નાશનો વર્તમાન જગતનો ભવિષ્યમાં થનાર નાશની સાથે પિતર વિરોધાભાસ ઉત્પન્ન કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેનાથી વિપરીત, વર્તમાન આકાશો અને ધરતી” (જુઓ: જોડાણ-વિરોધાભાસ સબંધ)

οἱ…νῦν οὐρανοὶ καὶ ἡ γῆ, τῷ αὐτῷ λόγῳ τεθησαυρισμένοι εἰσὶν, πυρὶ

જો તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો અને કોણે ક્રિયા કરી તે પણ તમે જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તે જ શબ્દ વડે, આગને સારુ વર્તમાન આકાશો અને ધરતીને ઈશ્વરે રાખી મૂક્યાં છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῷ αὐτῷ λόγῳ

અહીં, શબ્દ “ઈશ્વરના વચન”નો ઉલ્લેખ કરે છે, જેના વિષે પિતરે 3:5–6 માં કહ્યું હતું કે જેના વડે આકાશો અને ધરતીનું સર્જન કરવામાં આવ્યું હતું અને જળપ્રલયે જગતનો નાશ કર્યો. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરના તે જ શબ્દ વડે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

πυρὶ

અહીં,પણ વર્તમાન આકાશો અને ધરતીને ઈશ્વરે રાખી મૂક્યા છે તેના હેતુને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: “આગના હેતુ માટે” (જુઓ: જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

πυρὶ

અહીં, પિતર આગશબ્દનો આગ જે કામ કરે છે, અર્થાત બાળી નાંખવાનો ઉલ્લેખ માટે ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આગથી બાળી નાખવા માટે” (જુઓ: ઉપનામ)

τηρούμενοι εἰς ἡμέραν κρίσεως

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો અને કોણ ક્રિયા કરી રહ્યું છે તે પણ જણાવી શકો છો. એક નવા વાક્યની શરૂઆત કરવું પણ સહાયક થઇ પડશે. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયકાળનાં દિવસ લગી ઈશ્વરે તેઓને રાખી મૂક્યા છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἰς ἡμέραν κρίσεως

અહીં, માટેશબ્દનો અર્થ થઇ શકે: (૧) વર્તમાન આકાશો અને ધરતીને ઈશ્વર જે હેતુ માટે રાખી મૂકે છે તે. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયકાળનાં દિવસનાં હેતુ માટે” (૨) વર્તમાન આકાશો અને ધરતીને ઈશ્વર રાખી મૂકે તે સમય સુધી” વૈકલ્પિક અનુવાદ: “ન્યાયકાળનાં દિવસ સુધી”

ἡμέραν κρίσεως καὶ ἀπωλείας τῶν ἀσεβῶν ἀνθρώπων

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞાઓ ન્યાયકાળઅને નાશની પાછળ રહેલા વિચારોને તમે ક્રિયાપદનાં શબ્દસમૂહોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ ઈશ્વર જે દિવસે માનવજાતિનો ન્યાય કરશે અને દુષ્ટ માણસોનો નાશ કરશે તે દિવસે” (જુઓ: અમૂર્ત નામો)

τῶν ἀσεβῶν ἀνθρώπων

માણસોશબ્દ પુરુષવાચક જેવું લાગે છે તેમ છતાં પિતર તે શબ્દ જનસાધારણ ભાવમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “દુષ્ટ માણસોનો” (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

2 Peter 3:8

ἓν…τοῦτο μὴ λανθανέτω ὑμᾶς

વૈકલ્પિક અનુવાદ: “આ એક હકીકત સમજવામાં ભૂલ કરશો નહિ” અથવા “આ એક બાબતનો નજરઅંદાજ કરશો નહિ”

ὅτι μία ἡμέρα παρὰ Κυρίῳ ὡς χίλια ἔτη

અહીં, પ્રભુની સાથેનો અર્થ, “પ્રભુના નિરીક્ષણમાં.” વૈકલ્પિક અનુવાદ: “પ્રભુના દ્રષ્ટિકોણથી, એક દિવસ હજાર વર્ષોના જેવો છે”

μία ἡμέρα παρὰ Κυρίῳ ὡς χίλια ἔτη, καὶ χίλια ἔτη ὡς ἡμέρα μία

આ બે શબ્દસમૂહોનો મૂળભૂત રીતે એક જ અર્થ થાય છે. પુનરાવર્તનનો ઉપયોગ ભાર મૂકવા માટે કરવામાં આવ્યો છે કે જે રીતે મનુષ્યો સમયમાં બંધાયેલા છે તેમ ઈશ્વર બંધાયેલા નથી. લોકોને માટે જે ટૂંકો કે લાંબો સમય લાગે તે મુજબ જ ઈશ્વર માટે પણ હોય એવું જરૂરી નથી. જો તમારી ભાષામાં તે સ્પષ્ટ થતું હોય તો, તમે આ શબ્દસમૂહોનું જોડીને એકરૂપ બનાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “એકદિવસ અને ૧૦૦૦ વર્ષો પ્રભુ માટે એકસરખા છે” (જુઓ: બેવડું/બમણાં)

2 Peter 3:9

οὐ βραδύνει Κύριος τῆς ἐπαγγελίας

અહીં, વચનશબ્દ ઇસુ પાછા આવશે તેના વિષેનાં વચનની પૂર્ણતાનો ઉલ્લેખ કરે છે. તેનો તમે 3:4 માં કઈ રીતે અનુવાદ કર્યો છે તેને જુઓ. વૈકલ્પિક અનુવાદ: “તેમના વચનને પૂર્ણ કરવા ઈશ્વર ઢીલ કરતા નથી” (જુઓ: ઉપનામ)

ὥς τινες βραδύτητα ἡγοῦνται

અહીં, કેટલાંકશબ્દ ઇસુ હજુ સુધી પાછા આવ્યા નથી તેને કારણે 3:3 માં પરિચય કરાયેલ “મશ્કરી કરનારાઓ” અને બીજી કોઈપણ વ્યક્તિ જે વિશ્વાસ કરે છે કે પ્રભુ તેમનો વાયદો પૂર્ણ કરવા માટે ઢીલ કરે છે તેઓનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કેટલાંક લોકોની જેમ, જેમ કે આ મશ્કરી કરનારાઓ, જેઓ વિલંબની ગણતરી કરે છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἀλλὰ μακροθυμεῖ εἰς ὑμᾶς

વાક્યને સંપૂર્ણ બનાવવા માટે કેટલીક ભાષાઓમાં જરૂર પડે એવા આ ઉપવાક્યના એક શબ્દને પિતર છોડી મૂકે છે. આ શબ્દ કલમની શરૂઆતમાંથી અહીં ઉઠાવીને લાવી શકાય છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, કોણ ધીરજ રાખી રહ્યું છે તે પણ તમે કહી શકો છો અને એક નવા વાક્યની શરૂઆત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ પરંતુ ઈશ્વર તમારા પ્રત્યે ધીરજ રાખી રહ્યા છે” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

μὴ βουλόμενός τινας ἀπολέσθαι

ઈસુના આગમન માટે ઈશ્વર કેમ વિલંબ કરે તેના કારણને આ ઉપવાક્ય છતું કરે છે. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે કોઈનો પણ નાશ ન થાય એવી તે ઈચ્છા રાખે છે” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ἀλλὰ πάντας εἰς μετάνοιαν χωρῆσαι

વાક્યને સંપૂર્ણ બનાવવા માટે કેટલીક ભાષાઓમાં જરૂર પડે એવા આ ઉપવાક્યના શબ્દોને પિતર છોડી મૂકે છે. અગાઉના ઉપવાક્યમાંથી આ શબ્દોને ઉઠાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ તે ચાહે છે કે સઘળા લોકો પસ્તાવો કરે” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

ἀλλὰ πάντας εἰς μετάνοιαν χωρῆσαι

જો તે તમારી ભાષામાં સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા પસ્તાવોની પાછળ રહેલા વિચારને એક ક્રિયાપદનાં શબ્દસમૂહ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ સઘળા પસ્તાવો કરે” (જુઓ: અમૂર્ત નામો)

2 Peter 3:10

δὲ

અહીં, પરંતુશબ્દ મશ્કરી કરનારાઓ ઈશ્વર વિષે જે માને છે અને ઈશ્વર હકીકતમાં જે કરશે તેઓની વચ્ચે એક વિરોધાભાસને રજુ કરે છે. પ્રભુ ધીરજ રાખી રહ્યા છે અને લોકો પસ્તાવો કરે એવું ચાહે છે, તેમ છતાં તે હકીકતમાં પાછા ફરશે અને ન્યાય કરશે. (જુઓ: જોડાણ-વિરોધાભાસ સબંધ)

ἥξει…ἡμέρα Κυρίου ὡς κλέπτης

ઈશ્વર દરેકનો ન્યાય કરશે એ દિવસસંબંધી પિતર બોલતા જણાવે છે કે જાણે તે ચોરહોય જે અનઅપેક્ષિત ઘડીએ આવશે અને લોકોને નવાઈ પમાડશે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક બિન અલંકારિક રીતમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પ્રભુનો દિવસ અચાનક આવશે” (જુઓ: ઉપમા)

κλέπτης, ἐν ᾗ

અહીં, તેશબ્દ “પ્રભુના દિવસ**ને દર્શાવે છે. જો તે તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો અને એક નવા વાક્યની શરૂઆત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ચોર”. “પ્રભુના દિવસે” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

στοιχεῖα…λυθήσεται

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો, અને કોણ ક્રિયા કરશે તેનો સંકેત પણ આપી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તત્વોનો નાશ કરશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

στοιχεῖα…λυθήσεται

અહીં, તત્વોનો અર્થ થઇ શકે: (૧) કુદરતી સૃષ્ટીને બનાવનાર મૂળભૂત તત્વો. વૈકલ્પિક અનુવાદ: “કુદરતના ઘટકોનો નાશ થશે” (૨) આકાશી મંડળ, જેમ કે સૂર્ય, ચંદ્ર અને તારાઓ. વૈકલ્પિક અનુવાદ: “આકાશી મંડળનો નાશ કરવામાં આવશે”

στοιχεῖα δὲ καυσούμενα λυθήσεται

અહીં, બાળી નાખવામાં આવશેશબ્દસમૂહ જેના વડે તત્વોનો નાશ કરવામાં આવશે તેને દર્શાવે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અને તત્વોને બાળી નાખીને નાશ કરવામાં આવશે” અથવા “ અને તત્વોને આગથી નાશ કરવામાં આવશે”

γῆ καὶ τὰ ἐν αὐτῇ ἔργα εὑρεθήσεται

ઈશ્વર સમગ્ર પૃથ્વીને અને તે પરના સઘળા કામોને જોશે, અને પછી તે સઘળાંનો ન્યાય કરશે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક શબ્દશૈલીમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર પૃથ્વીને અને તે પરના કામોને શોધી કાઢશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

γῆ καὶ τὰ ἐν αὐτῇ ἔργα εὑρεθήσεται

અહીં, કામોશબ્દ પૃથ્વી પરના લોકોના કાર્યોનો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પૃથ્વી અને તેમાં લોકોએ જે કામ કર્યા છે તેની તપાસ કરવામાં આવશે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

γῆ καὶ τὰ ἐν αὐτῇ ἔργα εὑρεθήσεται

અહીં, તપાસ શબ્દ સૂચવે છે કે આકાશો અને તત્વોને કાઢી નાખવાને લીધે પૃથ્વી અને તે પર જે કામો કરવામાં આવ્યા છે તે સઘળા ઈશ્વરની નજરમાં આવશે અને તેનો ન્યાય કરવામાં આવશે. વૈકલ્પિક અનુવાદ: “પૃથ્વી અને તે પરના કામોને ઉઘાડાં કરવામાં આવશે” અથવા “પૃથ્વી અને તે પરના કામોને પ્રગટ કરવામાં આવશે”

2 Peter 3:11

τούτων οὕτως πάντων λυομένων

બાકીની કલમમાં હવે પછી જે આવનાર છે તે અપેક્ષિત પરિણામ માટેના કારણને આ ઉપવાક્ય રજુ કરે છે. પિતર તેના વાંચકોને જણાવે છે કે ઈશ્વર ભવિષ્યમાં આકાશ અને પૃથ્વીનો નાશ કરનાર છે તો તે બાબત તેઓને માટે પવિત્ર અને ઈશ્વરમય જીવનો જીવવાનાં પરિણામોમાં રૂપાંતરિત થવા જોઈએ. વૈકલ્પિક અનુવાદ: “આ સઘળી બાબતોનો નાશ થવા જઈ રહ્યો છે તેને લીધે” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

τούτων οὕτως πάντων λυομένων

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સકર્મક રૂપમાં જણાવી શકો છો અને કોણ ક્રિયા કરશે તે પણ જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર આ સઘળી બાબતોનો નાશ કરનાર હોઈને” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τούτων

અહીં, આ સઘળીશબ્દ અગાઉની કલમમાં ઉલ્લેખ કરેલ આકાશો, તત્વો અને પૃથ્વીનો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અત્યારે જ મેં જેનું વર્ણન કર્યું તે બાબતો” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

ποταποὺς δεῖ ὑπάρχειν ὑμᾶς?

ભાર મૂકવા માટે પિતર પ્રશ્નાર્થવાચક વાક્યનો ઉપયોગ કરી રહ્યો છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેના શબ્દોને એક વિધાન વાક્ય તરીકે અથવા એક ઉદ્ગાર વાક્ય તરીકે અનુવાદ કરી શકો અને ભાર મૂકવાની બાબતને બીજી રીતે સંવાદમાં મૂકી શકો છો. જો તમે તેને એક વિધાન વાક્ય તરીકે અનુવાદ કરો છો તો પછી આગલી કલમમાં તમારે જે પ્રશ્નાર્થ ચિન્હ આવે છે તેને બદલીને પૂર્ણ વિરામનું ચિન્હ મૂકવાની જરૂરત પડશે. વૈકલ્પિક અનુવાદ: “તમારે થવાની ચોક્કસપણે તાતી જરૂરત છે” (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἐν ἁγίαις ἀναστροφαῖς καὶ εὐσεβείαις

વાક્યને સંપૂર્ણ બનાવવા માટે કેટલીક ભાષાઓમાં જરૂર પડે એવા આ ઉપવાક્યના શબ્દોને પિતર છોડી મૂકે છે. અગાઉના ઉપવાક્યમાંથી આ શબ્દોને ઉઠાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “પવિત્ર આચરણો અને ઈશ્વરમય કૃત્યો વડે જીવીને” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

2 Peter 3:12

προσδοκῶντας καὶ σπεύδοντας

અહીં, અગાઉની કલમમાં દર્શાવ્યા મુજબ પવિત્ર અને ઈશ્વરમય જીવનો જીવવાની સાથે સાથે તેઓમાટે રાહ જોઇને ઉતાવળ કરવી એ બે બાબતો પિતર તેના વાંચકો કરે એવી અપેક્ષા રાખે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “અપેક્ષા રાખીને અને ઉતાવળ કરીને”

δι’ ἣν

અહીં, જેશબ્દ અગાઉના ઉપવાક્યમાંના “ઈશ્વરના દિવસ”નો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તે દિવસને કારણે” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

πυρούμενοι

આકાશોનો જેનાથી નાશ કરવામાં આવશે તેના વિષે આ શબ્દસમૂહ સંકેત આપે છે. વૈકલ્પિક અનુવાદ: “આગ લગાડીને”

οὐρανοὶ πυρούμενοι, λυθήσονται

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક સકર્મક રૂપમાં જણાવી શકો છો અને કોણ ક્રિયા કરશે તે પણ જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આકાશો... નાશ પામશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

στοιχεῖα…τήκεται

અહીં, તત્વોનો અર્થ થઇ શકે: (૧) કુદરતી સૃષ્ટીને બનાવનાર મૂળભૂત તત્વો. વૈકલ્પિક અનુવાદ: “કુદરતી પદાર્થોનો નાશ થશે” (૨) આકાશી મંડળ. જેમ કે સૂર્ય, ચંદ્ર અને તારાઓ. વૈકલ્પિક અનુવાદ: “આકાશી મંડળોનો નાશ કરવામાં આવશે” 3:10 માં તમે કઈ રીતે અનુવાદ કર્યો છે તેને તપાસો.

καυσούμενα

આકાશો કઈ રીતે નાશ પામશે તેનો સંકેત આ શબ્દસમૂહ આપે છે. વૈકલ્પિક અનુવાદ: “ગરમીને લીધે સળગીને લય પામવાને લીધે”

2 Peter 3:13

καινοὺς…οὐρανοὺς καὶ γῆν καινὴν, κατὰ τὸ ἐπάγγελμα αὐτοῦ προσδοκῶμεν

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો અને કોણ ક્રિયા કરશે તે પણ જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તત્વોને પીગળાવી દેશે” (જુઓ: માહિતી માળખું)

κατὰ τὸ ἐπάγγελμα αὐτοῦ

ભાર મૂકવા માટે આ વાક્યની શરૂઆતે જ મુખ્ય ક્રિયાપદનાં પ્રત્યક્ષ વસ્તુને પિતર મૂકે છે. ભાર મૂકવા માટે જો તમારી ભાષા તેના જેવા જ કોઈ રચનાશૈલીનો ઉપયોગ કરે છે તો તેને તમારા અનુવાદમાં અહીં મૂકવું યથાયોગ્ય ગણાશે. પરંતુ જો આ રચના તમારા ભાષામાં મૂંઝવણ ઉભી કરતી હોય તો, આ ભાર મૂકવાની બાબતને તમે બીજી કોઈ રીતે અભિવ્યક્ત કરી શકો અને વાક્યની રચનાને બદલી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેમના વચન પ્રમાણેનાં નવા આકાશો અને નવી પૃથ્વીની આપણે રાહ જોઈએ છીએ” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

τὸ ἐπάγγελμα αὐτοῦ

અહીં, તેમનાસર્વનામનો અર્થ થઇ શકે: (૧) ઈશ્વર. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરના વચન અનુસાર” (૨) ઇસુ. વૈકલ્પિક અનુવાદ: “ઈસુના વચન અનુસાર” (જુઓ: @)

ἐν οἷς δικαιοσύνη κατοικεῖ

અહીં, વચનનો અર્થ થઇ શકે: (૧) યશાયા ૬૫:૧૭ અને યશાયા ૬૬:૨૨માં આપવામાં આવેલ વચન મુજબ નવા આકાશો અને નવી પૃથ્વીનું સર્જન કરવા ઈશ્વરનું વચન. વૈકલ્પિક અનુવાદ: “નવા આકાશો અને નવી પૃથ્વી માટેનું તેમનું વચન” (૨). 3:4 માં જેમ છે તેમ, ઈસુના બીજા આગમન અંગેનું વચન. વૈકલ્પિક અનુવાદ: “ઈસુના પાછા આવવા અંગેનું તેમનું વચન”

ἐν οἷς δικαιοσύνη κατοικεῖ

અહીં, ન્યાયીપણુંશબ્દને અલંકારિક ભાષામાં બોલવામાં આવ્યું છે કે જાણે તે કોઈ સ્થાને નિવાસ કરનાર કોઈ એક વ્યક્તિ હોય. જો આ બાબત તમારા વાંચકો માટે મૂંઝવણ ઊભી કરનારી હોય તો, તમે તેને બિન અલંકારિક રૂપમાં તેના ભાવાર્થને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેમાં ન્યાયીપણું વસે છે” (જુઓ: અમૂર્ત નામો)

2 Peter 3:14

διό

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા ન્યાયીપણુંની પાછળ રહેલા વિચારને તમે તેના સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેમાં સર્વ લોકો ન્યાયી છે” અથવા “જેમાં દરેક લોકો જે ખરું છે તે કરે છે” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ἀγαπητοί

પિતર, એ માટેશબ્દ અત્યારે જ તેણે જે કહ્યું હતું તેના પરિણામસ્વરૂપ તેના વાંચકોએ શું કરવું જોઈએ તેના વર્ણનનો પરિચય આપવા ઉપયોગ કરે છે. તે વિશેષ કરીને 3:10–13માં પ્રભુના આગમન અંગેની ચર્ચાનો તે ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: “આ કારણોને લીધે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ταῦτα

અહીં, વહાલાઓશબ્દ પિતર જેઓને આ પત્ર લખી રહ્યો છે તેઓનો ઉલ્લેખ કરે છે, જેનો વિસ્તાર સર્વ વિશ્વાસીઓ સુધી પહોંચી શકે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. તેનો તમે 3:1 માં કઈ રીતે અનુવાદ કર્યો છે તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “વહાલા સાથી વિશ્વાસીઓ” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

σπουδάσατε ἄσπιλοι καὶ ἀμώμητοι αὐτῷ εὑρεθῆναι

અહીં, આ બાબતોનીશબ્દ3:10–13માં પિતરે જેનું વર્ણન કર્યું હતું તે પ્રભુના આગમનનાં દિવસની સાથે સંકળાયેલ ઘટનાઓનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ પ્રભુના દિવસે જે આ બાબતો થનાર છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἄσπιλοι καὶ ἀμώμητοι

જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ખંતીલા થાઓ કે જેથી ઈશ્વર તમને નિર્દોષ અને નિષ્કલંક જુએ” (જુઓ: બેવડું/બમણાં)

αὐτῷ

નિર્દોષઅને નિષ્કલંકશબ્દોનો એકસરખો અર્થ થાય છે. ભાર મૂકવા માટે પિતર તેઓનો એકસાથે ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, કોઈ એકાકી અભિવ્યક્તિ વડે તમે તેનો અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “સંપૂર્ણ રીતે શુધ્ધ” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

ἐν εἰρήνῃ

અહીં, તેમનીસર્વનામનો અર્થ થઇ શકે: (૧) ઇસુ. વૈકલ્પિક અનુવાદ: “ઇસુ દ્વારા” (૨) ઈશ્વર. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર દ્વારા” (જુઓ: @)

2 Peter 3:15

τὴν τοῦ Κυρίου ἡμῶν μακροθυμίαν, σωτηρίαν ἡγεῖσθε

અહીં, શાંતિમાંશબ્દ આનો ઉલ્લેખ કરતું હોય શકે: (૧) ઈશ્વરની સાથે સુલેહ હોવી. USTમાં જેમ કરવામાં આવ્યું છે તેમ, વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરની સાથે સુલેહમાં” (૨) વ્યક્તિના હૃદયમાં શાંતિનો અનુભવ કરવો. વૈકલ્પિક અનુવાદ: “તમારા હૃદયમાં શાંતિ રાખીને”

τὴν τοῦ Κυρίου ἡμῶν μακροθυμίαν, σωτηρίαν ἡγεῖσθε

પ્રભુ ધીરજવાન છે તેથી ન્યાયદંડનો દિવસ હજુ આવ્યો નથી. તેને લીધે જેમ [3:9] (../03/09.md) માં પિતરની મારફતે ખુલાસો કરવામાં આવ્યો છે તેમ, લોકોને પસ્તાવો કરવાનો અને તારણ પામવાની તક મળે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુની ધીરજ પસ્તાવો કરવાની અને તારણ પામવાની એક તક છે એવું માંનો” (જુઓ: અમૂર્ત નામો)

σωτηρίαν

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞાઓ ધીરજઅને તારણની પાછળ રહેલા વિચારોને તમે તેના સમાનાર્થી અભિવ્યક્તિઓ વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “લોકોનું તારણ કરવા માટે આપણા પ્રભુ ધીરજ રાખે છે” (જુઓ: અમૂર્ત નામો)

ὁ ἀγαπητὸς ἡμῶν ἀδελφὸς Παῦλος

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞાતારણની પાછળ રહેલા વિચારને તમે તેના સમાનાર્થી અભિવ્યક્તિ વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “લોકોનું તારણ કરવા” (જુઓ: @)

κατὰ τὴν δοθεῖσαν αὐτῷ σοφίαν

ઇસુમાં એક સાથી વિશ્વાસી તરીકેનો પાઉલનો ઉલ્લેખ કરવા માટે પિતર અલંકારિક રૂપમાં ભાઈશબ્દનો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: “આપણા વહાલા સાથી ખ્રિસ્તી ભાઈ પાઉલ” (જુઓ: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate/figs-metaphor/01.md)

κατὰ τὴν δοθεῖσαν αὐτῷ σοφίαν

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક સકર્મક રૂપમાં જણાવી શકો છો અને કોણે ક્રિયા કરી હતી તે પણ જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે તેને આપેલી બુધ્ધિ પ્રમાણે” (જુઓ: અમૂર્ત નામો)

2 Peter 3:16

ἐν πάσαις ταῖς ἐπιστολαῖς

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞાબુધ્ધિની પાછળ રહેલા વિચારને તમે એક વિશેષણ જેમ કે “બુધ્ધિશાળી” વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેને આપવામાં આવેલ બુધ્ધિશાળી શબ્દો પ્રમાણે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

λαλῶν ἐν αὐταῖς περὶ τούτων

અહીં, સંદર્ભ સૂચવે છે કે પાઉલ પત્રોનો લેખક છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પાઉલનાં સર્વ પત્રોમાં” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

ἃ οἱ ἀμαθεῖς καὶ ἀστήρικτοι στρεβλοῦσιν

અહીં, આ બાબતોનો અર્થ થઇ શકે: (૧). 3:10–13 માં જેની ચર્ચા કરવામાં આવેલ છે અને 3:14 માં જેને “આ બાબતો” કહેવામાં આવેલ છે તે પ્રભુના દિવસની સાથે સંકળાયેલ ઘટનાઓ હોય શકે. વૈકલ્પિક અનુવાદ: “આ બાબતો જે પ્રભુના દિવસે થનાર છે” (૨). 3:14–15 માં ચર્ચા કરવામાં આવી છે તે મુજબ, ઈશ્વરમય જીવનો જીવવાની જરૂરત અને ઈશ્વરની ધીરજ લોકોના તારણ માટે છે એમ માનવું. વૈકલ્પિક અનુવાદ: “મેં તમને હમણાં જ જે કહ્યું છે તે નિર્દોષ જીવન જીવવાની અને ઈશ્વરની ધીરજ વિષેની આ બાબતો” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

ἃ οἱ ἀμαθεῖς καὶ ἀστήρικτοι στρεβλοῦσιν

અહીં, શબ્દ પાઉલના પત્રોમાં જે બાબતો સમજવામાં ઘણી કઠણ છે તેઓનો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો અને તમે એક નવા વાક્યની શરૂઆત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પાઉલના પત્રોમાં જોવા મળતી આ અઘરી બાબતોને અજ્ઞાન અને અસ્થિર લોકો વિકૃત બનાવી કાઢે છે” (જુઓ: રૂપક)

ὡς καὶ τὰς λοιπὰς Γραφὰς

જેનો આકાર બદલાઈ જાય એવી રીતે કોઈ વસ્તુને ફેરવી કાઢીવાની માફક એક ખોટો અર્થ આપવા માટે વાક્યના ભાવાર્થને બદલી કાઢવાની બાબતનો ઉલ્લેખ કરવા માટે અહીં, વિકૃતશબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક બિન અલંકારિક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેનો અજ્ઞાન અને અસ્થિર લોકો ખોટી રીતે અર્થઘટન કરે છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

πρὸς τὴν ἰδίαν αὐτῶν ἀπώλειαν

અહીં, બીજા લેખોશબ્દ સમગ્ર જૂનો કરાર અને પિતર આ પત્ર લખે છે તે દહાડા સુધી લખવામાં આવેલ નવો કરારનાં લેખોનો ઉલ્લેખ કરે છે. જો તે તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેમ અન્ય અધિકૃત શાસ્ત્રવચનોની માફક પણ” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

πρὸς τὴν ἰδίαν αὐτῶν ἀπώλειαν

અહીં, નેશબ્દ સૂચવે છે કે આ ઉપવાક્ય “અજ્ઞાન અને અસ્થિર લોકો” ખોટી રીતે શાસ્ત્રવચનોનું અર્થઘટન કરે છે તેના પરિણામને પૂરું પાડે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓના પોતાના વિનાશમાં પરિણમે છે” (જુઓ: અમૂર્ત નામો)

2 Peter 3:17

οὖν

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા વિનાશની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદનાં શબ્દસમૂહ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કે જેથી તેઓનો વિનાશ થઇ જાય” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ἀγαπητοί

અહીં, પિતર માટેશબ્દનો તેણે જે કહ્યું છે તેના પરિણામસ્વરૂપ તેના વાંચકોએ શું કરવું જોઈએ તેના વર્ણનનો પરિચય આપવા માટે ઉપયોગ કરે છે, જે આ હોય શકે: (૧) અગાઉની કલમમાં વર્ણન કરવામાં આવેલ શાસ્ત્રનાં લેખોનો ખોટી રીતે અર્થઘટન જેઓ કરે છે તેઓનો વિનાશ. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે જેઓ ખોટી રીતે શાસ્ત્રનાં લેખોનું અર્થઘટન કરે છે તેઓ નાશ પામશે” (૨) સમગ્ર પત્રનો આગલો વિષય, ખાસ કરીને ખોટા ઉપદેશકોનો નિશ્ચિત વિનાશ. વૈકલ્પિક અનુવાદ: “મેં તમને જે સઘળી બાબતો જણાવી છે તેઓને લીધે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

προγινώσκοντες

અહીં, વહાલાઓશબ્દ પિતર જેઓને પત્ર લખી રહ્યો છે તેઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ તે સઘળાં વિશ્વાસીઓ સુધી વિસ્તાર પામે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. તમે તેનો 3:1 માં અને 3:14 માં કઈ રીતે અનુવાદ કર્યો છે તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “વહાલા સાથી વિશ્વાસીઓ” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ἵνα μὴ…ἐκπέσητε τοῦ ἰδίου στηριγμοῦ

અહીં, આગલા શબ્દસમૂહમાં આપવામાં આવેલ તેની આજ્ઞા પ્રત્યે તેના વાંચકોએ કેમ કાળજી રાખવી જોઈએ તેનું કારણ પિતર આપે છે. વૈકલ્પિક અનુવાદ: “તમે અગાઉથી જાણો છો તેને લીધે” (જુઓ: રૂપક)

ἵνα μὴ…ἐκπέσητε τοῦ ἰδίου στηριγμοῦ

અહીં, પિતર સ્થિરતાવિષે અલંકારિક રૂપમાં એવી રીતે બોલે છે કે જાણે તે કોઈ એક સંપત્તિ હોય જે ખોવાઈશકે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક બિન અલંકારિક રીતમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કે જેથી તમે સ્થિર થવામાં બંધ પડી ન જાઓ” (જુઓ: @)

τῇ τῶν ἀθέσμων πλάνῃ συναπαχθέντες

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા સ્થિરતાની પાછળ રહેલા વિચારને તમે “સ્થિર”વિશેષણ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કે જેથી તમે તમારો સ્થિર વિશ્વાસ ખોઈ ન બેસો” (જુઓ: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate/figs-abstractnouns/01.md)

τῇ τῶν ἀθέσμων πλάνῃ συναπαχθέντες

તેઓની પોતાની સ્થિરતાને લોકો કેમ ખોઈ બેસી શકે તેનું કારણ આ ઉપવાક્ય દર્શાવે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અધર્મીઓની ભૂલથી ખેંચાઈ જવાને કારણે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῇ τῶν ἀθέσμων πλάνῃ συναπαχθέντες

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી લોકોની ખામી તમને દૂર ખેંચી જાય” (જુઓ: રૂપક)

τῇ τῶν ἀθέσμων πλάνῃ

અહીં, ખોટા પ્રબોધકો દ્વારા દુષ્ટ જીવન જીવવામાં લોકો ઠગાઈ જાય છે તેનો અલંકારિક રૂપમાં ઉલ્લેખ કરવા પિતર દૂર ખેંચી જાયનો ઉપયોગ એવી રીતે કરે છે કે જાણે તેઓને સીધા માર્ગમાંથી દૂર ખેંચી લઇ જવામાં આવી રહ્યા હોય. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક બિન અલંકારિક રૂપ વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી માણસોની ભૂલથી દુષ્ટ જીવન જીવવા ઠગાઈ કરવામાં આવે” (જુઓ: @)

2 Peter 3:18

αὐξάνετε…ἐν χάριτι, καὶ γνώσει τοῦ Κυρίου ἡμῶν καὶ Σωτῆρος, Ἰησοῦ Χριστοῦ

વ્યક્તિ જેનાથી દૂર ખેંચાઈ જાય તે બાબતને આ શબ્દસમૂહ દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી માણસોની ભૂલથી”

ἐν χάριτι, καὶ γνώσει

અહીં, વધતા જાઓનો ઉપયોગ અલંકારિક રૂપમાં સતત વધતી માત્રામાં કોઈક બાબતનો અનુભવ કરવો કે હોવાની રજૂઆત કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક બિન અલંકારિક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુ અને તારનાર ઇસુ ખ્રિસ્તની કૃપા અને જ્ઞાન વધારે ને વધારે થતા રહે” (જુઓ: @)

χάριτι

અહીં, માંનો અર્થ “તેની સાથેના સંદર્ભમાં” થાય છે. વૈકલ્પિક અનુવાદ: “કૃપા અને જ્ઞાનનાં સંદર્ભમાં”

γνώσει

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા કૃપાને સ્થાને તમે કોઈ એક સમાનાર્થી અભિવ્યક્તિ વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ભલા કામો” (જુઓ: અમૂર્ત નામો)

τοῦ Κυρίου ἡμῶν καὶ Σωτῆρος

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા જ્ઞાનને સ્થાને તમે કોઈ એક સમાનાર્થી અભિવ્યક્તિ વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમે જે જાણો છો” (જુઓ: માલિકી)

αὐτῷ ἡ δόξα

અહીં, આપણા પ્રભુનો અર્થ “આપણા પર ધણીપણું કરનાર વ્યક્તિ” અથવા “આપણા પર રાજ કરનાર વ્યક્તિ” થાય છે. સંયોજક અને સૂચવે છે કે આપણા શબ્દ તારનાર અર્થાત “આપણને બચાવનાર વ્યક્તિ” પર પણ લાગુ પડે છે. જો તમારા અનુવાદમાં તમે આ બંને શબ્દસમૂહોનો સમાવેશ કરો છો તો, પછી બીજા શબ્દ સમૂહના અંતે તમારે અલ્પવિરામ પણ મૂકવાની જરૂર પડશે. વૈકલ્પિક અનુવાદ: “આપણા પર રાજ કરનાર અને આપણને બચાવનાર વ્યક્તિની” (જુઓ: અમૂર્ત નામો)

εἰς ἡμέραν αἰῶνος

જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા મહિમાને સ્થાને તમે તેના સમાનાર્થી અભિવ્યક્તિ વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “દરેક વ્યક્તિ તેમની મહિમા કરો” (જુઓ: રૂઢિપ્રયોગ)