ગુજરાતી (Gujarati): translationNotes

Updated ? hours ago # views See on DCS Draft Material

2 Corinthians

2 Corinthians front

૨ કરિંથીઓનો પરિચય

ભાગ ૧: સામાન્ય પરિચય

૨ કરિંથીઓના પુસ્તકની રૂપરેખા
  1. પાઉલ કરિંથના ખ્રિસ્તીઓ માટે ઈશ્વરનો આભાર માને છે. (૧:૧-૧૧)
  2. પાઉલ તેનો વ્યવહાર અને તેનું સેવાકાર્ય સમજાવે છે (૧:૧૨-૭:૧૬)
  3. પાઉલ યરુશાલેમની મંડળી માટે નાણાંકીય ફાળો આપવા વિશે વાત કરે છે (૮:૧-૯:૧૫)
  4. પાઉલ પ્રેરિત તરીકેના તેના અધિકારનો બચાવ કરે છે (૧૦:૧-૧૩:૧૦)
  5. પાઉલ અંતિમ અભિવાદન અને પ્રોત્સાહન આપે છે (૧૩:૧૧-૧૪)
૨ કરિંથીઓનું પુસ્તક કોણે લખ્યું?

પાઉલ લેખક હતો. તે તાર્સસ શહેરનો વતની હતો. તે તેના અગાઉના જીવનમાં શાઉલ નામથી જાણીતો હતો. ખ્રિસ્તી બન્યા પહેલા, પાઉલ ફરોશી હતો. તે ખ્રિસ્તીઓની સતાવણી કરતો હતો. ખ્રિસ્તી બન્યા પછી, તેણે ઘણીવાર રોમન સામ્રાજ્યમાં પ્રવાસ કરીને લોકોને ઈસુ વિશે કહ્યું હતું.

કરિંથમાં પાઉલે મંડળી શરૂ કરી હતી. જ્યારે તેણે આ પત્ર લખ્યો ત્યારે તે એફેસસ શહેરમાં રહેતો હતો.

૨ કરિંથીઓનું પુસ્તક શેના વિશે છે?

૨ કરિંથીઓમાં, પાઉલે કરિંથ શહેરમાંના ખ્રિસ્તીઓ વચ્ચેની તકરાર વિશે લખવાનું ચાલું રાખ્યું. આ પત્રમાં તે સ્પષ્ટ કરે છે કે કરિંથીઓએ તેની અગાઉની સૂચનાઓનું પાલન કર્યું હતું. ૨ કરિંથીઓમાં,પાઉલે તેમને એ રીતે જીવન જીવવાનું પ્રોત્સાહન આપ્યું કે જે ઈશ્વરને પ્રસન્ન કરે છે.

પાઉલે તેમને ખાતરી આપવા માટે પણ લખ્યું કે ઈસુ ખ્રિસ્તે તેને પ્રેરિત તરીકે સુવાર્તા પ્રગટ કરવા મોકલ્યો છે. પાઉલ ચાહતો હતો કે તેઓ આ સમજે, કારણ કે યહૂદી ખ્રિસ્તીઓના સમૂહે તે જે કરી રહ્યો હતો તેનો વિરોધ કર્યો હતો. તેઓએ દાવો કર્યો હતો કે પાઉલને ઈશ્વરે મોકલ્યો નથી અને તે ખોટો સંદેશ શીખવી રહ્યો છે. આ યહૂદી ખ્રિસ્તીઓનું જૂથ ઇચ્છતું હતું કે વિદેશી ખ્રિસ્તીઓ મૂસાના નિયમનું પાલન કરે.

આ પુસ્તકના શીર્ષકનો અનુવાદ કેવી રીતે થવો જોઈએ?

અનુવાદકારો આ પુસ્તકને તેના પરંપરાગત શીર્ષક દ્વારા, “બીજો કરિંથીઓ” બોલાવવાનું પસંદ કરી શકે છે. અથવા તેઓ વધુ સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, જેમ કે “કરિંથમાંની મંડળીને પાઉલનો બીજો પત્ર.” (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ભાગ ૨: મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક વિચારો

કરિંથ શહેર કેવું લાગતું હતું?

કરિંથ પ્રાચીન ગ્રીસમાં આવેલું એક મોટું શહેર હતું. તે ભૂમધ્ય સમુદ્રની પાસે હોવાને કારણે, ઘણા મુસાફરો અને વેપારીઓ ત્યાં સામાન ખરીદવા અને વેચવા આવતા હતાં. તેના પરિણામે શહેરમાં ઘણી વિવિધ સંસ્કૃતિઓના લોકો હતાં. અનૈતિક રીતોથી જીવનારા લોકોને કારણે આ શહેર પ્રખ્યાત હતું. લોકો ત્યાં ગ્રીકની પ્રેમની દેવી એફ્રાદિતની ઉપાસના કરતાં હતાં. એફ્રાદિતને સન્માનિત કરવાના સમારોહના ભાગ રૂપે, તેણીના ઉપાસકો ભક્તિસ્થાનની ગણિકાઓ સાથે જાતિય સંબંધ બાંધતા હતાં.

“ખોટા પ્રેરિતો” દ્વારા પાઉલનો અર્થ શું હતો (૧૧:૩૩)?

ત્યાં યહૂદી ખ્રિસ્તીઓ હતાં. તેઓએ શીખવ્યું હતું કે ખ્રિસ્તને અનુસરવા માટે વિદેશી ખ્રિસ્તીઓએ મૂસાના નિયમનું પાલન કરવું જોઈએ. ખ્રિસ્તી આગેવાનો યરૂશાલેમમાં મળ્યા હતાં અને આ અંગે નિર્ણય કર્યો હતો (જુઓ: પ્રેરિતોનાં કૃત્યો ૧૫). તેમ છતાં, તે સ્પષ્ટ છે કે ત્યાં કેટલાક સમૂહો હતાં જેઓ યરૂશાલેમમાં આગેવાનોએ જે નિર્ણય લીધો હતો તેની સાથે અસંમત હતાં.

ભાગ ૩: અનુવાદનાં મહત્વપૂર્ણ મુદ્દાઓ

એકવચન અને બહુવચન “તમે”

આ પુસ્તકમાં, “હું” શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે. વળી, “તમે” શબ્દ લગભગ હંમેશા બહુવચનમાં છે અને તે કરિંથના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. આ માટે બે અપવાદો છે જે ૬:૨ અને ૧૨:૯. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે” અને તમેનાં સ્વરૂપો)

ULTમાં ૨ કરિંથીઓમાં “પવિત્ર” અને “પવિત્રિકરણ” ના વિચારોને કેવી રીતે રજૂ કરવામાં આવ્યા છે?

વિવિધ વિચારોમાંથી કોઈ એક વિચારને દર્શાવવા માટે શાસ્ત્રો આ શબ્દોનો ઉપયોગ કરે છે. આ કારણે, અનુવાદકારો માટે ઘણી વાર તેમના સંસ્કરણોમાં તેમને સારી રીતે રજૂ કરવું મુશ્કેલ બને છે. અંગ્રેજીમાં અનુવાદ કરતી વખતે, ULT નીચેના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે:

*કેટલીક વાર કોઈ ભાગનો અર્થ નૈતિક પવિત્રતા દર્શાવે છે. વિશેષ કરીને સુવાર્તાને સમજવા માટે એ મહત્વપૂર્ણ છે કે ઈશ્વર ખ્રિસ્તીઓ પાપહીન બને તેવું માને છે કારણ કે તેઓ ઈસુ ખ્રિસ્તની સાથે એક થયા છે. બીજું સંબંધિત સત્ય છે કે ઈશ્વર સંપૂર્ણ અને દોષરહિત છે. ત્રીજું સત્ય છે કે ખ્રિસ્તીઓએ તેમના જીવનમાં આરોપરહિત, દોષરહિત રીતે વર્તન કરવું જોઈએ. આ કિસ્સાઓમાં, ULT “પવિત્ર,” “પવિત્ર ઈશ્વર,” “પવિત્ર પ્રજા,” અથવા “પવિત્ર લોકો” નો ઉપયોગ કરે છે.

  • ૨ કરિંથીઓમાં મોટાભાગના ફકરાઓનો અર્થ ખ્રિસ્તીઓ દ્વારા કોઈ વિશેષ ભૂમિકા સૂચિત કર્યા વિનાનો એક સરળ સંદર્ભ છે. આ કિસ્સાઓમાં, ULT “વિશ્વાસી” અથવા “વિશ્વાસીઓ”નો ઉપયોગ કરે છે. (જુઓ: ૧:૧; ૮:૪; ૯:૧, ૧૨; ૧૩:૧૩)
  • કેટલીક વાર ફકરાનો અર્થ કોઈકનો અથવા કોઈ વસ્તુનો વિચાર જે માત્ર ઈશ્વર એકલા માટે જ અલગ રાખેલ છે તેનું સૂચન કરે છે. આ કિસ્સાઓમાં, ULT “અલગ કરાયેલ,” “ને સમર્પિત,” “ને માટે અનામત,” અથવા “પવિત્ર કરાયેલ”નો ઉપયોગ કરે છે.

જ્યારે અનુવાદકારો વિચારે કે આ વિચારોને તેમના પોતાના સંસ્કરણોમાં કેવી રીતે રજૂ કરવા ત્યારે UST ઘણીવાર મદદરૂપ થશે.

“ખ્રિસ્તમાં” અને “પ્રભુમાં” જેવી અભિવ્યક્તિઓ દ્વારા પાઉલનો અર્થ શો હતો?

આ પ્રકારની અભિવ્યક્તિ ૧:૧૯, ૨૦; ૨:૧૨, ૧૭; ૩:૧૪; ૫:૧૭, ૧૯, ૨૧; ૧૦:૧૭; ૧૨:૨, ૧૯; અને ૧૩:૪ મા થાય છે. પાઉલનો અર્થ ખ્રિસ્ત અને વિશ્વાસીઓ સાથે ખૂબ જ નિકટની એકતા વ્યક્ત કરવાનો હતો. એ જ સમયે, તેનો હેતુ અન્ય અર્થોને વ્યક્ત કરવાનો પણ હતો. જુઓ, ઉદાહરણ તરીકે, “પ્રભુમાં મારા માટે એક દરવાજો ખોલવામાં આવ્યો હતો,” (૨:૧૨) જ્યાં પાઉલનો ખાસ અર્થ હતો કે પાઉલ માટે પ્રભુ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો.

આ પ્રકારની વધુ માહિતીની અભિવ્યક્તિ માટે મહેરબાની કરીને રોમનોના પુસ્તકનો પરિચય જુઓ.

ખ્રિસ્તમાં “નવી સૃષ્ટિ” બનવું તેનો અર્થ શો છે (૫:૧૭)?

પાઉલનો સંદેશ હતો કે જ્યારે વ્યક્તિ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે ત્યારે ઈશ્વર ખ્રિસ્તીઓને “નવી દુનિયા”નો ભાગ બનાવે છે. ઈશ્વર નવી દુનિયાની પવિત્રતા, શાંતિ અને આનંદ આપે છે. આ નવી દુનિયામાં, વિશ્વાસીઓને નવો સ્વભાવ મળે છે કે જે તેમને પવિત્ર આત્મા દ્વારા આપવામાં આવે છે. અનુવાદકારોએ આ વિચારને વ્યક્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ.

૨ કરિંથીઓના પુસ્તકમાંના લખાણમાં મુખ્ય મુદ્દાઓ કયા છે?
  • “અને અમારા માટે તમારા પ્રેમમાં” (૮:૭). ઘણા સંસ્કરણો, ULT અને UST સહિત, આ પ્રકારે વાંચે છે. તેમ છતાં, ઘણા બીજા સંસ્કરણો વાંચે છે, “અને તમારા માટે અમારા પ્રેમમાં.” ત્યાં મજબૂત પૂરાવો છે કે દરેક વાંચન અસલ છે. અનુવાદકારોએ તેમના ક્ષેત્રમાં અન્ય સંસ્કરણો દ્વારા પસંદ કરેલા વાંચનનું અનુસરણ કરવું જોઈએ.

(જુઓ: શાબ્દિક ભિન્નતા)

2 Corinthians 1

૨ કરિંથીઓ ૦૧ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

પ્રાચીન નજીકના પૂર્વમાં પત્ર શરૂ કરવાની રીત પ્રથમ ફકરામાં પ્રતિબિંબિત થાય છે.

વિશેષ વિચારો

પાઉલની પ્રામાણિકતા

લોકો પાઉલની ટીકા કરી રહ્યા હતાં અને કહી રહ્યા હતાં કે તે નિષ્ઠાવાન નથી. તે જે કરી રહ્યો હતો તેના હેતુઓ તેમને સમજાવીને પાઉલ તેના વિરુદ્ધની ટીકાઓને નકારી કાઢે છે.

દિલાસો

દિલાસો આ અધ્યાયનો મુખ્ય મુદ્રાલેખ છે. પવિત્ર આત્મા ખ્રિસ્તીઓને દિલાસો આપે છે. કરિંથીઓ સંભવતઃ પીડિત હતા અને તેમને દિલાસાની જરૂર હતી.

આ અધ્યાયમાં મહત્વના રૂઢિપ્રયોગો

અલંકારિક પ્રશ્ન

પાઉલ નિષ્ઠાવાન ન હોવાના આરોપો સામે પોતાનો બચાવ કરવા માટે બે અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. (જુઓ: આલંકારિક પ્રશ્ન)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

અમે

પાઉલ “અમે” સર્વનામનો ઉપયોગ કરે છે. આ સંભવિત રીતે ઓછામા ઓછા તિમોથી અને તેને પોતાને રજૂ કરે છે.

ખાતરી

પાઉલ કહે છે કે પવિત્ર આત્મા ખાતરી છે, જેનો અર્થ ખ્રિસ્તીના અનંત જીવનની પ્રતિજ્ઞા અથવા પ્રથમ ચૂકવણી. ખ્રિસ્તીઓને સુરક્ષિત રીતે/મુન્દ્રાંકિત કરીને બચાવવામા આવ્યા છે. પરંતુ જ્યાં સુધી તેઓ મૃત્યુ પામે નહીં ત્યાં સુધી ઈશ્વર દ્વારા આપવામાં આવેલ સર્વ વચનોનો અનુભવ કરશે નહીં. આમ થશે જ તેની વ્યક્તિગત ખાતરી પવિત્ર આત્મા છે. આ વિચાર વ્યાપાર શબ્દમાંથી આવે છે. કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને “ખાતરી” તરીકે થોડી મૂલ્યવાન વસ્તુ આપે છે જેનો અર્થ છે કે તે નાણાં પરત ચૂકવશે. (જુઓ: અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ અને બચાવવું, બચાવ્યા, સલામત, તારણ)

2 Corinthians 1:1

કરિંથમાંની મંડળીને અભિવાદન પછી પાઉલ, ઈસુ ખ્રિસ્ત દ્વારા દુ:ખ અને દિલાસા વિશે લખે છે. તિમોથી પણ તેની સાથે છે. આ સમગ્ર પત્રમાં “તમે” શબ્દ કરિંથની મંડળીના લોકો અને કરીંથમાંના બીજા વિસ્તારના લોકોનો ઉલ્લેખ કરે છે. પાઉલ જે કહે છે તેને સંભવિત રીતે તિમોથી ચર્મપત્ર પર લખે છે.

Παῦλος…τῇ ἐκκλησίᾳ τοῦ Θεοῦ τῇ οὔσῃ ἐν Κορίνθῳ

તમારી ભાષામાં આ પત્રના લેખકનો અને તેના લક્ષિત પ્રેક્ષકોનો પરિચય આપવા માટે કોઈ વિશેષ રીત હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરની મંડળી જે કરીંથમાં છે તેને, હું, પાઉલ ... તમને આ પત્ર લખું છું”

Τιμόθεος ὁ ἀδελφὸς

આ દર્શાવે છે કે પાઉલ અને કરિંથીઓ બંને તિમોથીને જાણતા હતાં અને તેને તેમનો આત્મિક ભાઈ માનતા હતાં.

Ἀχαΐᾳ

આ આજના સમયના રોમ પ્રાંતમાંના દક્ષિણ ભાગના ગ્રીસનું નામ છે.(જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

2 Corinthians 1:2

χάρις ὑμῖν καὶ εἰρήνη

આ એક સામાન્ય અભિવાદન છે જેનો ઉપયોગ પાઉલ તેના પત્રોમાં કરે છે.

2 Corinthians 1:3

εὐλογητὸς ὁ Θεὸς καὶ Πατὴρ τοῦ Κυρίου ἡμῶν Ἰησοῦ Χριστοῦ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “આપણે ઈશ્વર અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાની સ્તુતિ હંમેશા કરીએ” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ Θεὸς καὶ Πατὴρ

ઈશ્વર, જે પિતા છે

ὁ Πατὴρ τῶν οἰκτιρμῶν καὶ Θεὸς πάσης παρακλήσεως

આ બંને ભાગો સમાન વિચારને બે ભિન્ન રીતે વ્યક્ત કરે છે. બંને ભાગો ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાંતરણ)

ὁ Πατὴρ τῶν οἰκτιρμῶν καὶ Θεὸς πάσης παρακλήσεως

શક્ય અર્થો છે કે ૧) કે “કરુણા” અને “સર્વ દિલાસો” એ શબ્દો “પિતા” અને “ઈશ્વર”ના ચરિત્રનું વર્ણન કરે છે અથવા ૨) કે “પિતા” અને “ઈશ્વર” શબ્દો તેનો ઉલ્લેખ કરે છે કે જે “કરુણા” અને સર્વ દિલાસા”ના સ્રોત છે.

2 Corinthians 1:4

παρακαλῶν ἡμᾶς ἐπὶ πάσῃ τῇ θλίψει ἡμῶν

અહીં “અમે” અને “આપણા” (જુઓ: સમાવેશક “અમે”)

2 Corinthians 1:5

ὅτι καθὼς περισσεύει τὰ παθήματα τοῦ Χριστοῦ εἰς ἡμᾶς

પાઉલ ખ્રિસ્તના દુખો વિશે કહે છે જેમ કે તે કોઈ પદાર્થો હોય જેની વૃદ્ધિ સંખ્યામાં કરી શકાતી હોય. વૈકલ્પિક ભાષાંતર: “માટે જેમ ખ્રિસ્તે આપણા માટે મોટા પ્રમાણમાં દુ:ખ સહન કર્યું તે જ રીતે” (જુઓ: રૂપક)

τὰ παθήματα τοῦ Χριστοῦ

શક્ય અર્થો છે કે ૧) આ પાઉલ અને તિમોથીના દુ:ખનો ઉલ્લેખ કરે છે જે તેઓએ ખ્રિસ્ત વિશેનો સંદેશ પ્રચાર કરવાને કારણે અનુભવ્યા હતા અથવા ૨) આ તે દુ:ખનો ઉલ્લેખ કરે છે કે જે ખ્રિસ્તે તેમના બદલે અનુભવ્યા હતા.

περισσεύει…ἡ παράκλησις ἡμῶν

પાઉલ દિલાસાની વાત એ રીતે કરે છે જેમ કે તે કોઈ પદાર્થ હોય જે કદમાં વધી શકતો હોય. (જુઓ: રૂપક)

2 Corinthians 1:6

εἴτε δὲ θλιβόμεθα

અહીં “અમે” શબ્દ પાઉલ અને તિમોથીનો ઉલ્લેખ કરે છે, પરંતુ કરિંથીઓનો નહીં. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “પરંતુ જો લોકો અમને દુઃખ આપે” (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે” અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἴτε παρακαλούμεθα

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જો ઈશ્વર અમને દિલાસો આપે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῆς ὑμῶν παρακλήσεως, τῆς ἐνεργουμένης

તો તે તમારા અસરકારક દિલાસાના અનુભવને અર્થે છે.

2 Corinthians 1:8

οὐ…θέλομεν ὑμᾶς ἀγνοεῖν

આને સકારાત્મક શબ્દોમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “અમે ઈચ્છીએ છીએ કે તમે જાણો”(જુઓ: વક્રોક્તિ)

ὅτι καθ’ ὑπερβολὴν ὑπὲρ δύναμιν ἐβαρήθημεν

જાણે કે ખૂબ ભારે વજન તેઓએ ઉઠાવવાનું હોય તે રીતે તેમની નિરાશાની લાગણીઓનો ઉલ્લેખ પાઉલ અને તિમોથી કરે છે. (જુઓ: રૂપક)

ὑπερβολὴν…ἐβαρήθημεν

“કચડી નંખાયેલ” શબ્દ નિરાશાની લાગણીનો ઉલ્લેખ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જે વિપત્તિઓનો અનુભવ અમે કર્યો તેણે અમને સંપૂર્ણપણે કચડી નાંખ્યા” અથવા “અમે સંપૂર્ણ નિરાશામાં હતાં” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 1:9

αὐτοὶ ἐν ἑαυτοῖς τὸ ἀπόκριμα τοῦ θανάτου ἐσχήκαμεν

પાઉલ અને તિમોથી તેમની નિરાશાની લાગણીની સરખામણી કોઈ વ્યક્તિ સાથે કરે છે જે વ્યક્તિને મૃત્યુની સજા ફરમાવવામાં આવી હોય. વૈકલ્પિક ભાષાંતર: “જેને મૃત્યુંની સજા ફરમાવવામાં આવી હોય તેવા વ્યક્તિની જેમ અમે નિરાશામાં હતા” (જુઓ: રૂપક)

ἀλλ’ ἐπὶ τῷ Θεῷ

“અમારો વિશ્વાસ મૂકીએ/રાખીએ” શબ્દો આ શબ્દસમૂહમાંથી બહાર મૂકવામાં આવ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: “પરંતુ તેને બદલે, અમારો ભરોસો ઈશ્વરમાં મૂકીએ” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

τῷ ἐγείροντι τοὺς νεκρούς

અહીં ઉઠાડવું એ કોઈ વ્યક્તિ કે જે મૃત્યુ પામ્યો હોય તેને ફરીથી જીવીત કરવા માટેનો રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “જે મૃત્યુ પામેલાને ફરીથી જીવીત કરે છે” (જુઓ: રૂઢિપ્રયોગ)

2 Corinthians 1:10

θανάτου

તેઓએ જીવલેણ જોખમ અથવા અતિશય ભયનો સામનો કરવો પડ્યો તેના પરિણામ સ્વરૂપે પાઉલ તેની નિરાશાની લાગણીની સરખામણી કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “નિરાશા” (જુઓ: રૂપક)

ἔτι ῥύσεται

ઈશ્વર આપણો બચાવ કરવાનું ચાલુ રાખશે

2 Corinthians 1:11

συνυπουργούντων καὶ ὑμῶν ὑπὲρ ἡμῶν

ઈશ્વર અમારો જોખમમાંથી છૂટકારો કરશે જેમ તમે, કરિંથની મંડળીના લોકો પણ અમને સહાય કરો છો તેમ

τὸ εἰς ἡμᾶς χάρισμα

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે જે દયાળુ કૃપાદાન અમને આપ્યું છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 1:12

આ કલમોમાં પાઉલ “અમે,” “અમારી,” “અમે જાતે” અને “અમને” શબ્દોનો ઉપયોગ તેના પોતાને માટે અને તિમોથી તથા સંભવતઃ તેમની સાથે જેઓએ સેવા કરી તે અન્યોને માટે કરે છે. આ શબ્દો જે લોકોને તે આ પત્ર લખે છે તેઓનો સમાવેશ કરતાં નથી. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ἡ γὰρ καύχησις ἡμῶν αὕτη ἐστίν

અહીં “અભિમાન” શબ્દનો ઉપયોગ મોટા સંતોષની લાગણીના સકારાત્મક સ્વરૂપ અને કોઈ વસ્તુમાં આનંદ માટે કરવામાં આવ્યો છે.

τὸ μαρτύριον τῆς συνειδήσεως ἡμῶν

પાઉલ દોષીત ન હોવાની વાત એ રીતે કરે છે જાણે કે તેનું અંતઃકરણ એક વ્યક્તિ હોય કે જે બોલી શકતું હોય. વૈકલ્પિક ભાષાંતર: “અમે અમારા અંતઃકરણ દ્વારા જાણીએ છીએ” (જુઓ: વ્યક્તિનો અવતાર)

οὐκ ἐν σοφίᾳ σαρκικῇ, ἀλλ’ ἐν χάριτι Θεοῦ

અહીં “દૈહિક” શબ્દ માનવીનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “અમે માનવીય ડહાપણ પર નહીં પરંતુ ઈશ્વરની કૃપા પર આધાર રાખીએ છીએ” (જુઓ: ઉપનામ)

2 Corinthians 1:13

οὐ γὰρ ἄλλα γράφομεν ὑμῖν, ἀλλ’ ἢ ἃ ἀναγινώσκετε ἢ καὶ ἐπιγινώσκετε

આને સકારાત્મક શબ્દોમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “અમે જે કંઈ તમને લખીએ છીએ તે સઘળું તમે વાંચી અને સમજી શકો છો” (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

2 Corinthians 1:14

καύχημα ὑμῶν

અહીં “બડાઈ મારવી” શબ્દ મોટા સંતોષની લાગણી અને કોઈ વસ્તુમાં આનંદના સકારાત્મક અભિગમ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.

2 Corinthians 1:15

પાઉલે કરિંથીઓને ઓછામાં ઓછા ૩ પત્રો લખ્યા. બાઈબલમાં કરિંથનાં માત્ર ૨ જ પત્રો નોંધવામાં આવ્યા છે.

પાઉલ તેના પ્રથમ પત્ર પછી કરિંથનાં વિશ્વાસીઓને જોવા માટેના શુદ્ધ હેતુઓ સાથે તેની નિષ્ઠાપૂર્ણ અપેક્ષાને સમજાવે છે.

ταύτῃ τῇ πεποιθήσει

“આ” શબ્દ પાઉલની કરિંથીઓ વિશેની પાછલી ટિપ્પણીઓનો ઉલ્લેખ કરે છે.

δευτέραν χάριν σχῆτε

હું તમારી મુલાકાત બે વખત લઉં તેથી કદાચ તમને ફાયદો થાય

2 Corinthians 1:16

ὑφ’ ὑμῶν προπεμφθῆναι εἰς τὴν Ἰουδαίαν

મારા યહૂદીયા જવાના માર્ગ માટે મને સહાય કરજો

2 Corinthians 1:17

μήτι ἄρα τῇ ἐλαφρίᾳ ἐχρησάμην?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભાર મૂકવા માટે કરે છે કે કરિંથીઓની મુલાકાત લેવા માટેનો તેનો નિર્ણય ખાતરીપૂર્વકનો હતો. આ પ્રશ્નનો અપેક્ષિત ઉત્તર ના છે. વૈકલ્પિક ભાષાંતર: “હું ખચકાતો ન હતો.” અથવા “મને મારા નિર્ણય પર ભરોસો હતો.” (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἢ ἃ βουλεύομαι, κατὰ σάρκα βουλεύομαι, ἵνα ᾖ παρ’ ἐμοὶ τὸ ναὶ, ναὶ, καὶ τὸ οὒ, οὔ?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભાર મૂકવા માટે કરે છે કે કરિંથીઓની મુલાકાત લેવા માટેની તેની યોજનાઓ પ્રમાણિક હતી. વૈકલ્પિક ભાષાંતર: “પ્રવૃત્તિઓનું આયોજન હું માનવ ધોરણો અનુસાર કરતો નથી ... તે જ સમયે” (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἢ ἃ βουλεύομαι, κατὰ σάρκα βουλεύομαι, ἵνα ᾖ παρ’ ἐμοὶ τὸ ναὶ, ναὶ, καὶ τὸ οὒ, οὔ?

આનો અર્થ એ છે કે પાઉલે એક જ સમયે તે બંને બાબતો નથી કહેતો કે તે મુલાકાત લેશે અને તે મુલાકાત લેશે નહીં. “હા” અને “ના” શબ્દો ભાર મૂકવા માટે પુનરાવર્તિત થયા છે. વૈકલ્પિક ભાષાંતર: “હું પ્રવૃતિઓનું આયોજન કરતો નથી ... જેથી એક જ સમયે હું કહું કે ‘હા, હું ચોક્કસ મુલાકાત લઈશ’ અને તે જ સમયે હું કહું કે ‘ના, હું ચોક્કસ મુલાકાત લઈશ નહીં!’” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને બેવડું/બમણાં)

2 Corinthians 1:19

ὁ τοῦ Θεοῦ γὰρ Υἱὸς, Ἰησοῦς Χριστός…οὐκ ἐγένετο ναὶ καὶ οὒ, ἀλλὰ ναὶ ἐν αὐτῷ γέγονεν.

ઈસુ ઈશ્વરના વચનો સંબંધિત “હા” કહે છે, જેનો અર્થ છે કે તે ખાતરી આપે છે કે તેઓ સાચા છે. વૈકલ્પિક ભાષાંતર: “કેમ કે ઈશ્વર પુત્ર ... ઈશ્વરના વચનો સંબંધિત ‘હા’ અને ‘ના’ કહેતા નથી. તેને બદલે, તેઓ તો હંમેશા ‘હા’ જ કહે છે.” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὁ τοῦ Θεοῦ…Υἱὸς

આ ઈસુ માટે ઉલ્લેખાયેલ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધને વર્ણવે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

2 Corinthians 1:20

ὅσαι…ἐπαγγελίαι Θεοῦ, ἐν αὐτῷ τὸ ναί

આનો અર્થ છે કે ઈસુ ઈશ્વરના સર્વ વચનોની ખાતરી આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરના સર્વ વચનોની ખાતરી ઈસુ ખ્રિસ્તમાં આપવામાં આવી છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐν αὐτῷ τὸ ναί…δι’ αὐτοῦ…δι’ ἡμῶν

“તેમને” શબ્દ ઈસુ ખ્રિસ્તનો ઉલ્લેખ કરે છે.

2 Corinthians 1:21

ὁ δὲ βεβαιῶν ἡμᾶς σὺν ὑμῖν εἰς Χριστὸν καὶ χρίσας ἡμᾶς Θεός

શક્ય અર્થો છે કે ૧) “આપણે ખ્રિસ્તમાં છીએ તે કારણથી ઈશ્વર, ખ્રિસ્તમાં એકબીજા સાથેના આપણા સ્થિર સંબંધની પુષ્ટિ કરે છે” અથવા ૨) “ઈશ્વર કે જે ખ્રિસ્ત સાથે અમારા અને તમારા બંનેના સંબંધની પુષ્ટિ કરે છે.”

χρίσας ἡμᾶς

શક્ય અર્થો છે કે ૧) “તેમણે અમને સુવાર્તા પ્રચાર કરવા મોકલ્યા” અથવા ૨) “તેમણે અમને તેમના લોકો થવાને પસંદ કર્યા.”

2 Corinthians 1:22

ὁ καὶ σφραγισάμενος ἡμᾶς

પાઉલ કહે છે કે ઈશ્વર બતાવે છે કે અમે તેમના છીએ જેમ કે ઈશ્વરે અમારા પર કોઈ નિશાની જેવુ ચિહ્ન કર્યું હોય કે અમે તેમના છીએ. વૈકલ્પિક ભાષાંતર: “તેમણે તેમના માલિકીપણાની નિશાની અમારા પર કરી છે” અથવા “તેમણે બતાવ્યું છે કે અમે તેમના છીએ” (જુઓ: રૂપક)

δοὺς τὸν ἀρραβῶνα τοῦ Πνεύματος ἐν ταῖς καρδίαις ἡμῶν

અહીં “હ્રદયો” શબ્દ વ્યક્તિના આંતરિક ભાગનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “અમ પ્રત્યેકમાં રહેવા સારું તેમણે તેમનો આત્મા અમને આપ્યો” (જુઓ: ઉપનામ)

τὸν ἀρραβῶνα τοῦ Πνεύματος

આત્માની વાત તે રીતે કહેવામા આવે છે જાણે કે તે અનંત જીવન તરફ આંશિક પ્રથમ ચૂકવણી હોય. (જુઓ: રૂપક)

2 Corinthians 1:23

ἐγὼ δὲ μάρτυρα τὸν Θεὸν ἐπικαλοῦμαι ἐπὶ τὴν ἐμὴν ψυχήν

“સાક્ષી બનો” શબ્દસમૂહનો ઉલ્લેખ, દલીલનું સમાધાન કરવા માટે વ્યક્તિએ જે જોયું અથવા સાંભળ્યુ હોય તે કહેવા માટે થયો છે. વૈકલ્પિક ભાષાંતર: “હું ઈશ્વરને કહું છું કે તેઓ બતાવે કે જે હું કહું છું તે સત્ય છે”

ὅτι φειδόμενος ὑμῶν

જેથી હું તમારા વધુ દુ:ખનું કારણ ન બનું

2 Corinthians 1:24

συνεργοί ἐσμεν τῆς χαρᾶς ὑμῶν

અમે તમારી સાથે કાર્ય કરી રહ્યા છીએ કે જેથી તમને આનંદ થાય

τῇ…πίστει ἑστήκατε

“ઊભા રહેવું” શબ્દ, કોઈ એવી વસ્તુનો ઉલ્લેખ કરી શકે છે જે બદલાતી નથી. વૈકલ્પિક ભાષાંતર: “તમારા વિશ્વાસમાં અડગ રહો” (જુઓ: રૂઢિપ્રયોગ)

2 Corinthians 2

૨ કરિંથીઓ ૦૨ સામાન્ય નોંધો

વિશેષ વિચારો

કઠોર લેખન

આ અધ્યાયમાં, પાઉલ તે પત્રનો ઉલ્લેખ કરે છે જે તેણે કરિંથીઓને અગાઉ લખ્યો હતો. તે પત્રમાં કઠોર અને સુધારાત્મક સ્વર હતો. પાઉલે લગભગ તે લખ્યો ત્યાર પછી અને આ પત્ર અગાઉ, તે પત્ર પ્રથમ કરિંથીઓ તરીકે જાણીતો થયો. પાઉલ સૂચવે છે કે મંડળીએ ભૂલ કરનાર સભ્યને ઠપકો આપવો જોઈએ. હવે તે વ્યક્તિ પ્રત્યે કૃપાળુ બનવા માટે પાઉલ તેઓને ઉત્સાહિત કરે છે. (જુઓ: કૃપા, કૃપાળુ અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

સુવાસ

એક મીઠી સુવાસ એ એક આનંદદાયક સુગંધ છે. શાસ્ત્ર ઘણીવાર એવી બાબતોનું વર્ણન કરે છે જે ઈશ્વરને આનંદદાયક સુવાસ આપે છે.

2 Corinthians 2:1

તેઓના માટે તેના વધુ પ્રેમને કારણે, પાઉલ તે સ્પષ્ટ કરે છે કે તેના પ્રથમ પત્રમાં તેણે તેઓને આપેલ ઠપકો, (અનૈતિકતાના પાપનો તેઓ સ્વીકાર કરે તે માટેનો ઠપકો) તેના માટે સાથે સાથે કરિંથમાંની મંડળીના લોકો તથા અનૈતિક માણસ માટે પીડાનું કારણ બન્યો.

ἔκρινα γὰρ ἐμαυτῷ

મેં નિર્ણય લીધો

ἐν λύπῃ

તમારા માટે પીડાનું કારણ બની શકે તેવા સંજોગો વિશે

2 Corinthians 2:2

εἰ γὰρ ἐγὼ λυπῶ ὑμᾶς, καὶ τίς ὁ εὐφραίνων με, εἰ μὴ ὁ λυπούμενος ἐξ ἐμοῦ?

પાઉલ આ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ તે પર ભાર મૂકવા માટે કરે છે કે જો તેનું આગમન તેમની પીડાનું કારણ બનતું હોય તો તેને કે તેઓને કોઈ લાભ થશે નહિ. વૈકલ્પિક ભાષાંતર: “જો હું તમને પીડા પહોંચાડુ, તો મેં તે જ લોકોને દુ:ખ પહોચાડ્યું છે કે જેઓ મને પ્રોત્સાહિત કરે છે” (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ὁ λυπούμενος ἐξ ἐμοῦ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તે જ વ્યક્તિ જેને મે દુ:ખ પહોચાડ્યું હતું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 2:3

ἔγραψα τοῦτο αὐτὸ

આ અન્ય પત્રનો ઉલ્લેખ કરે છે કે જે પાઉલે કરિંથીઓના ખ્રિસ્તીઓને લખ્યો હતો કે જે હવે અસ્તિત્વમાં નથી. વૈકલ્પિક ભાષાંતર: “જેમ મેં મારા અગાઉના પત્રમાં લખ્યું હતું તેમ જ લખ્યું” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

μὴ…λύπην σχῶ ἀφ’ ὧν ἔδει με χαίρειν

પાઉલ કોઈ ચોક્કસ કરિંથીઓના વિશ્વાસીઓના વ્યવહાર વિશે વાત કહી રહ્યો છે કે જેઓએ તેને ભાવનાત્મક પીડા આપી. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેઓએ મને આનંદ પમાડવો જોઈએ તેમણે મને દુ:ખ પહોચાડવું નહિ” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἡ ἐμὴ χαρὰ πάντων ὑμῶν ἐστιν

મને જે આનંદ આપે છે કે જે તમને પણ આનંદ આપે છે

2 Corinthians 2:4

ἐκ γὰρ πολλῆς θλίψεως

અહીં “દુ:ખ” શબ્દ ભાવનાત્મક પીડાનો ઉલ્લેખ કરે છે.

συνοχῆς καρδίας

અહીં “હ્રદય” શબ્દ ભાવનાઓના સ્થાનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “અતિશય શોક સાથે” (જુઓ: ઉપનામ)

διὰ πολλῶν δακρύων

ઘણાં આંસુઓ સાથે

2 Corinthians 2:6

ἱκανὸν τῷ τοιούτῳ ἡ ἐπιτιμία αὕτη, ἡ ὑπὸ τῶν πλειόνων

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. “સજા” શબ્દનો અનુવાદ ક્રિયાપદના ઉપયોગથી થઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: “એવા માણસને બહુમતીથી શિક્ષા કરવામાં આવી છે તે બસ છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને અમૂર્ત નામો)

ἱκανὸν

પર્યાપ્ત છે

2 Corinthians 2:7

μή…τῇ περισσοτέρᾳ λύπῃ, καταποθῇ

આનો અર્થ છે કે તીવ્ર શોકના લીધે અતિ ભાવનાત્મક પ્રતીભાવ. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “અતિશય શોક તેને હકારાત્મક રીતે પ્રભાવિત કરતો નથી” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 2:8

પાઉલ કરિંથની મંડળીને તેઓએ જે વ્યક્તિને સજા કરી હોય તેના પ્રત્યે પ્રેમ બતાવવા અને ક્ષમા કરવા પ્રોત્સાહિત કરે છે. તે લખે છે કે, તેણે પણ તેને ક્ષમા કરી દીધું છે.

κυρῶσαι εἰς αὐτὸν ἀγάπην

આનો અર્થ છે કે તેઓ સર્વ વિશ્વાસીઓની હાજરીમાં આ માણસ માટે તેમના પ્રેમની પુષ્ટિ કરે.

2 Corinthians 2:9

εἰς πάντα ὑπήκοοί ἐστε

શક્ય અર્થો છે કે ૧) “તમે દરેક બાબતમાં ઈશ્વરને આજ્ઞાકારી છો” અથવા ૨) “મેં તમને જે શીખવ્યું છે તે દરેક બાબતોમાં તમે આજ્ઞાકારી છો” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Corinthians 2:10

δι’ ὑμᾶς

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તે મેં તમારા લીધે માફ કર્યું છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

δι’ ὑμᾶς

શક્ય અર્થો છે કે ૧) તમારા માટે મારા પ્રેમને કારણે ક્ષમા આપી છે” અથવા ૨) “તમારા લાભને માટે ક્ષમા આપી છે.”

2 Corinthians 2:11

οὐ γὰρ αὐτοῦ τὰ νοήματα ἀγνοοῦμεν

પાઉલ વિરોધી પર ભાર મૂકવા માટે નકારાત્મક અભિવ્યક્તિનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “માટે આપણે તેની યોજનાઓ સારી રીતે જાણીએ છીએ” (જુઓ: વક્રોક્તિ)

2 Corinthians 2:12

પાઉલને ત્રોઆસ અને મકદોનિયામાં સુવાર્તા પ્રચાર કરવાની જે તકો મળી હતી તે કહેવા દ્વારા કરિંથના વિશ્વાસીઓને પ્રોત્સાહિત કરે છે.

εἰς τὸ εὐαγγέλιον τοῦ Χριστοῦ, καὶ θύρας μοι ἀνεῳγμένης ἐν Κυρίῳ

પાઉલ સુવાર્તા પ્રચાર કરવાની તેની તકની વાત કરે છે જેમ કે તે કોઈ દરવાજો હોય જેમાંથી પસાર થવાની તેને મંજૂરી મળી હોય. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “પ્રભુએ મારા માટે દરવાજો ખોલ્યો ... સુવાર્તા પ્રચાર કરવા માટે” અથવા “પ્રભુએ મને તક આપી ... સુવાર્તા પ્રચાર કરવા માટે” (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 2:13

οὐκ ἔσχηκα ἄνεσιν τῷ πνεύματί μου

મારું મન અસ્વસ્થ હતું અથવા “હું ચિંતિત હતો”

Τίτον τὸν ἀδελφόν μου

પાઉલ તિતસને તેના આત્મિક ભાઈ તરીકે સંબોધે છે.

ἀλλὰ ἀποταξάμενος αὐτοῖς

તેથી મે ત્રોઆસના લોકોને છોડી દીધા

2 Corinthians 2:14

τῷ…Θεῷ…τῷ πάντοτε θριαμβεύοντι ἡμᾶς ἐν τῷ Χριστῷ

ઈશ્વર વિશેની વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તેઓ કોઈ વિજયી કવાયત તરફ દોરી જનાર એક સેનાપતિ હોય અને પાઉલ તેની તથા તેના સહકર્મીઓની વાત તે કવાયતમાં ભાગ લેનારાઓ તરીકે કરે છે. શક્ય અર્થો છે કે ૧) “ઈશ્વર, જે ખ્રિસ્તમાં તેમના વિજયમાં હંમેશા અમને ભાગ લેવાનું કારણ બનાવે છે” અથવા ૨) “ઈશ્વર, જે ખ્રિસ્તમાં હંમેશા અમને જેના પર તેમણે વિજય મેળવ્યો છે તે વિજય પર દોરી જાય છે” (જુઓ: રૂપક)

τὴν ὀσμὴν τῆς γνώσεως αὐτοῦ, φανεροῦντι δι’ ἡμῶν ἐν παντὶ τόπῳ

પાઉલ ખ્રિસ્તના જ્ઞાનની વાત એ રીતે કરે છે જાણે કે તે કોઈ ધૂપ હોય જેનામાં આનંદદાયક સુગંધ હોય. વૈકલ્પિક ભાષાંતર: “જેઓ આપણને સાંભળે છે તેઓ દરેક સુધી ખ્રિસ્તનું જ્ઞાન પ્રસરે તે પ્રકારે તેઓ અસર ઉપજાવે છે, જેમ કે બળતા ધૂપની સુગંધ નજીકના દરેક વ્યક્તિ સુધી ફેલાય જાય છે” (જુઓ: રૂપક)

φανεροῦντι…ἐν παντὶ τόπῳ

તે ફેલાય છે ... જ્યાં કહી આપણે જઈએ

2 Corinthians 2:15

Χριστοῦ εὐωδία ἐσμὲν τῷ Θεῷ

પાઉલ તેની સેવાની વાત કરે છે જેમ કે તે કોઈ દહનીયાર્પણ હોય કે જેને કોઈ વ્યક્તિ ઈશ્વરને અર્પણ કરતું હોય. (જુઓ: રૂપક)

Χριστοῦ εὐωδία ἐσμὲν τῷ Θεῷ

શક્ય અર્થો છે કે ૧) “મીઠી સુગંધ જે ખ્રિસ્તનું જ્ઞાન છે” અથવા ૨) “મીઠી સુગંધ જે ખ્રિસ્ત આપે છે.”

τοῖς σῳζομένοις

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેમને ઈશ્વરે બચાવ્યા છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 2:16

ὀσμὴ

ખ્રિસ્તનું જ્ઞાન એક સુગંધ છે. આ ૨ કરિંથીઓ ૨:૧૪ તરફ પાછા દોરી જાય છે, જ્યાં પાઉલ ખ્રિસ્તના જ્ઞાનની વાત એ રીતે કરે છે જેમ કે તે કોઈ ધૂપ હોય જેમાં આનંદદાયક સુગંધ હોય. (જુઓ: રૂપક)

ὀσμὴ ἐκ θανάτου εἰς θάνατον

શક્ય અર્થો છે કે ૧) “મૃત્યુ” શબ્દ ભાર મૂકવા માટે પુનરાવર્તન કરવામાં આવેલ છે અને તે ભાગનો અર્થ છે “સુગંધ જે મૃત્યુનું કારણ છે” અથવા ૨) “મૃત્યુની સુગંધ જે લોકોના મૃત્યુનું કારણ બને છે” (જુઓ: બેવડું/બમણાં)

οἷς

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “લોકો કે જેઓને ઈશ્વર બચાવી રહ્યાં છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὀσμὴ ἐκ ζωῆς εἰς ζωήν

શક્ય અર્થો છે કે ૧) “જીવન” શબ્દ ભાર મૂકવા માટે પુનરાવર્તન કરવામાં આવેલ છે અને તે ભાગનો અર્થ છે “સુગંધ જે જીવન આપે છે” અથવા ૨) “જીવનની સુગંધ જે લોકોને જીવન આપે છે” (જુઓ: બેવડું/બમણાં)

πρὸς ταῦτα τίς ἱκανός?

પાઉલ આ પ્રશ્નના ઉપયોગ દ્વારા ભાર મૂકે છે કે ઈશ્વરે તેમને જે માટે તેડ્યા છે તે સેવાકાર્ય કરવા કોઈ પણ વ્યક્તિ લાયક નથી. વૈકલ્પિક ભાષાંતર: “આ બાબતોને માટે કોઈ પણ લાયક નથી” (જુઓ: આલંકારિક પ્રશ્ન)

2 Corinthians 2:17

καπηλεύοντες τὸν λόγον τοῦ Θεοῦ

શબ્દ અહીં “સંદેશ” માટેનું સર્વનામ છે. વૈકલ્પિક ભાષાંતર: “જે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરે છે” (જુઓ: ઉપનામ)

εἰλικρινείας

શુદ્ધ હેતુઓ

ἐν Χριστῷ λαλοῦμεν

અમે એ લોકોની જેમ બોલીએ છીએ કે જેઓ ખ્રિસ્તની સાથે જોડાયેલા છે અથવા “અમે ખ્રિસ્તના અધિકારથી બોલીએ છીએ”

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે જેને મોકલ્યા છે તે લોકો તરીકે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

κατέναντι Θεοῦ

પાઉલ અને તેના સહકર્મીઓ ઈશ્વર તેમને જોઈ રહ્યાં છે તે સભાનતા સાથે સુવાર્તા પ્રગટ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “અમે ઈશ્વરની સમક્ષ બોલતા હોઈએ તેમ” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

2 Corinthians 3

૨કરિંથીઓ 0૩ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

પાઉલ પોતાનો બચાવ ચાલુ રાખે છે. પાઉલ કરિંથી ખ્રિસ્તીઓને તેના સેવાકાર્યના પુરાવા તરીકે જુએ છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચારો### મૂસા દ્વારા નિયમશાસ્ત્ર

પાઉલ પથ્થરની શિલાપાટો પર દસ આજ્ઞાઓ આપતા ઈશ્વરનો સંકેત આપે છે. આ મૂસા દ્વારા અપાયેલ નિયમશાસ્ત્રનું પ્રતિનિધિત્વ કરે છે. નિયમ સારો હતો કારણ કે તે ઈશ્વર તરફથી આવ્યો છે. પરંતુ ઈશ્વરે ઈઝરાએલીઓને સજા કરી કારણ કે તેઓએ તેમનો અનાદર કર્યો. જો હજી સુધી જૂના કરારનું અનુવાદ ના થયું હોત તો આ અધ્યાયને સમજવો અનુવાદકારો માટે મુશ્કેલ હોત.(જુઓ: નિયમ/કાયદો/કાનૂન, મુસાનો નિયમ, યહોવાનો નિયમ, ઈશ્વરનો નિયમ અને કરાર, કરારો, નવો કરાર અને પ્રગટ કરવું, પ્રગટ કરે છે, પ્રગટ કર્યું/પ્રકટીકરણ)

આ અધ્યાયમાં મહત્વના રૂઢિપ્રયોગો

રૂપકો

જટિલ આત્મિક સત્યોને સમજાવવા માટે પાઉલ આ અધ્યાયોમાં ઘણા રૂપકોનો ઉપયોગ કરે છે. આ પાઉલના શિક્ષણને સરળ બનાવે છે અથવા સમજવામાં વધુ મુશ્કેલ બનાવે છે તે સ્પષ્ટ નથી. (જુઓ: રૂપક)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""આ કરાર લખાણનો નહીં પણ આત્માનો કરાર છે.""

ઈશ્વરે તેમના લોક સાથે કરેલ જૂના કરાર અને આપણી સાથે કરેલ નવા કરારની તુલના પાઉલ કરે છે. નવો કરાર એ નીતિ નિયમોની પદ્ધતિ નથી. અહીં ""આત્મા"" સંભવત પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે. તે નવા કરારને, પ્રકૃતિમાં ""આત્મિક"" હોવાનો ઉલ્લેખ પણ કરી શકે છે. (જુઓ: આત્મા, આત્માઓ, આત્મિક)

2 Corinthians 3:1

પાઉલે તેઓને યાદ અપાવ્યું કે ખ્રિસ્તના માધ્યમથી તેણે જે કંઈ કર્યું છે તે તેઓને કહે છે ત્યારે તે બડાઈ મારતો નથી.

ἀρχόμεθα πάλιν ἑαυτοὺς συνιστάνειν?

તેઓ પોતાના વિષે બડાઈ મારી શકતા નથી તે બાબત પર ભાર મૂકવા માટે પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “અમારાં વખાણ કરવાની શરૂઆત અમે ફરીથી કરતા નથી” (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἢ μὴ χρῄζομεν, ὥς τινες, συστατικῶν ἐπιστολῶν πρὸς ὑμᾶς ἢ ἐξ ὑμῶν?

કરિંથીઓ પહેલેથી જ પાઉલ અને તિમોથીની સારી પ્રતિષ્ઠા વિશે જાણે છે તેમ દર્શાવવા માટે પાઉલ આમ કહે છે. આ પ્રશ્ન નકારાત્મક જવાબને ઉપજાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ કેટલાક લોકો કરે છે તેમ, તમારા માટે અથવા તમારા તરફથી ભલામણનાં પત્રોની જરૂર અમને ચોક્કસપણે નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

συστατικῶν ἐπιστολῶν

આ એક પત્ર છે કે જે કોઈ અન્યને માટે તેઓની પ્રસ્તાવના તથા તેઓની મંજૂરી જાહેર કરવા માટે વ્યક્તિ લખે છે.

2 Corinthians 3:2

ἡ ἐπιστολὴ ἡμῶν ὑμεῖς ἐστε

પાઉલ કરિંથીઓની વાત એ રીતે કરે છે જાણે કે તેઓ કોઈ ભલામણ પત્ર હોય. તેઓ વિશ્વાસી બન્યા છે કે તે હકીકત અન્ય લોકો સમક્ષ પાઉલના સેવાકાર્યને સમર્થન આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે સ્વયં અમારા ભલામણ પત્ર જેવા છો"" (જુઓ: રૂપક)

ἐνγεγραμμένη ἐν ταῖς καρδίαις ἡμῶν

અહીં ""હૃદયો"" શબ્દ તેમના વિચારો અને ભાવનાઓને દર્શાવે છે. શક્ય અર્થો છે કે ૧) પાઉલ અને તેના સહકાર્યકરોને ખાતરી છે કે કરિંથીઓ તેમનો ભલામણ પત્ર છે અથવા ૨) પાઉલ અને તેના સહકાર્યકરો કરિંથીઓની ખૂબ જ કાળજી લે છે. (જુઓ: ઉપનામ)

ἐνγεγραμμένη ἐν ταῖς καρδίαις ἡμῶν

આ સૂચિત વિષય તરીકે ""ખ્રિસ્ત"" સાથે સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે આપણા હૃદયો પર ખ્રિસ્તે લખ્યું છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

γινωσκομένη καὶ ἀναγινωσκομένη ὑπὸ πάντων ἀνθρώπων

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી સર્વ માણસોના જાણવામાં અને વાંચવામાં આવે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 3:3

ἐστὲ ἐπιστολὴ Χριστοῦ

પાઉલે સ્પષ્ટતા કરી કે ખ્રિસ્ત એ જ છે જેણે પત્ર લખ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે ખ્રિસ્ત દ્વારા લખાયેલ એક પત્ર છો"" (જુઓ: રૂપક અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

διακονηθεῖσα ὑφ’ ἡμῶν

અમારા દ્વારા લાવ્યા

ἐνγεγραμμένη οὐ μέλανι…ἐν πλαξὶν καρδίαις σαρκίναις

પાઉલે સ્પષ્ટતા કરે છે કે કરિંથીઓ એક આત્મિક પત્ર જેવા છે, એક એવા પત્ર જેવા નહીં કે જેને મનુષ્ય ભૌતિક પદાર્થોથી લખે છે.

ἐνγεγραμμένη οὐ μέλανι, ἀλλὰ Πνεύματι Θεοῦ ζῶντος

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે શાહીથી લખેલો પત્ર નથી પરંતુ જીવતા ઈશ્વરના આત્માથી લખેલો પત્ર છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

οὐκ ἐν πλαξὶν λιθίναις, ἀλλ’ ἐν πλαξὶν καρδίαις σαρκίναις

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે પથ્થરની શિલાપાટો પર લોકોએ કોતરેલો પત્ર નથી પરંતુ જીવતા ઈશ્વરના આત્માથી માનવ હૃદયપટ પર લખેલો એક પત્ર છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

πλαξὶν καρδίαις σαρκίναις

પાઉલ તેમના હૃદયોની વાત કરે છે જાણે કે તે પથ્થર અથવા માટીના સપાટ ટુકડાઓ છે જેના પર લોકો અક્ષરો કોતરે છે. (જુઓ: રૂપક)

2 Corinthians 3:4

πεποίθησιν δὲ τοιαύτην

પાઉલે હમણાં જ જે કહ્યું તેનો આ ઉલ્લેખ છે. તેનો વિશ્વાસ એ હકીકત જાણવા દ્વારા આવે છે કે કરિંથીઓ ઈશ્વર સમક્ષ તેની સેવાની માન્યતા છે.

2 Corinthians 3:5

ἀφ’ ἑαυτῶν ἱκανοί

પોતાનામાં યોગ્ય અથવા ""પોતાનામાં પર્યાપ્ત

λογίσασθαί τι ὡς ἐξ ἑαυτῶν

અહીં ""કંઈ પણ"" શબ્દનો અર્થ એ છે કે પાઉલની પ્રેરિત સેવાકાર્યને લગતી કોઈપણ બાબતોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “એવો દાવો કરવો કે અમે સેવાકાર્યમાં જે કંઈપણ કર્યું છે તે આપણા પોતાના પ્રયત્નોથી આવે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἡ ἱκανότης ἡμῶν ἐκ τοῦ Θεοῦ

ઈશ્વર આપણને આપણી પર્યાપ્તતા આપે છે

2 Corinthians 3:6

καινῆς διαθήκης, οὐ γράμματος

અહીં ""અક્ષર"" શબ્દનો અર્થ મૂળાક્ષરોના ઉપયોગ દ્વારા લખાયેલ પત્રો છે અને લોકો લખાણ માટે જે શબ્દોનો ઉપયોગ કરે છે તેનો તે ઉલ્લેખ કરે છે જે લોકો લખે છે. આ શબ્દસમૂહ જૂના કરારના નિયમ તરફ સંકેત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""એક એવો કરાર જે લોકોએ લખેલ આદેશો પર આધારિત નથી"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἀλλὰ Πνεύματος

પવિત્ર આત્મા તે છે જે લોકો સાથે ઈશ્વરનો કરાર સ્થાપિત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ એક એવો કરાર જે આત્માના કાર્યો પર આધારિત છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

τὸ…γράμμα ἀποκτέννει

પાઉલ જૂના કરારના નિયમની વાત એ રીતે કરે છે જાણે કે એક એવો વ્યક્તિ જે હત્યા કરે છે. એ નિયમનું પાલન આત્મિક મૃત્યુ તરફ દોરી જાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લેખિત નિયમ/અક્ષર મૃત્યુ તરફ દોરી જાય છે/મૃત્યકારક છે"" (જુઓ: વ્યક્તિનો અવતાર અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Corinthians 3:7

પાઉલ નવા કરારની શ્રેષ્ઠતા અને સ્વતંત્રતા સાથે જૂના કરારના વિલીન ગૌરવનો વિરોધાભાસ કરે છે. વર્તમાન પ્રકટીકરણની સ્પસ્ટતા સાથે મૂસાએ તેના મુખ પર જે ઘૂંઘટ નાખ્યો હતો તેની તુલના પાઉલ કરે છે. મૂસાના સમયે, હવે જે પ્રગટ કરાયેલ છે તે વિશેનું ચિત્ર આછું અને અસ્પસ્ટ હતું.

εἰ δὲ ἡ διακονία τοῦ θανάτου…ἐγενήθη ἐν δόξῃ, ὥστε

પાઉલ ભારપૂર્વક જણાવે છે કે નિયમ મૃત્યુ તરફ દોરી જાય છે, તેમ છતાં તે ખૂબ જ ગૌરવવાળું હતુ. (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

ἡ διακονία τοῦ θανάτου

મૃત્યુનું સેવાકાર્ય. આ જૂના કરારના નિયમનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરે મૂસા દ્વારા આપ્યો હતો. વૈકલ્પિક ભાષાંતર: ""સેવાકાર્ય જે મૃત્યુનું કારણ બને છે કારણ કે તે નિયમ પર આધારિત છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐν γράμμασιν ἐντετυπωμένη λίθοις

અક્ષરો દ્વારા પથ્થરો પર કોતરાયેલ નિયમ. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને ઈશ્વરે અક્ષરો દ્વારા પથ્થરમાં કોતર્યા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐν δόξῃ, ὥστε

ખૂબ મહિમામાં

διὰ

તેઓ જોઈ શક્યા નહીં કારણ કે

2 Corinthians 3:8

πῶς οὐχὶ μᾶλλον ἡ διακονία τοῦ Πνεύματος ἔσται ἐν δόξῃ?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભાર મૂકવા માટે કરે છે કે ""સેવા કે જે આત્મા કરે છે"" તે ""ઉત્પન્ન કરેલી સેવા"" કરતાં વધુ ગૌરવપૂર્ણ હોવી જ જોઈએ કારણ કે તે જીવન તરફ દોરી જાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી આત્મા જે કરે છે તે સેવા વધુ ગૌરવપૂર્ણ હોવી જ જોઈએ"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἡ διακονία τοῦ Πνεύματος

આત્માનું સેવાકાર્ય. આ નવા કરારનો ઉલ્લેખ કરે છે, જેનો એક સેવક પાઉલ છે. વૈકલ્પિક ભાષાંતર: ""સેવાકાર્ય જે જીવન આપે છે કારણ કે તે આત્મા પર આધારિત છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Corinthians 3:9

τῇ διακονίᾳ τῆς κατακρίσεως

દંડાજ્ઞાનું સેવાકાર્ય. આ જૂના કરારના નિયમનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સેવાકાર્ય જે લોકોને દંડ કરે છે કારણ કે તે નિયમ પર આધારિત છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

πολλῷ μᾶλλον περισσεύει ἡ διακονία τῆς δικαιοσύνης δόξῃ

અહીં ""કેવી રીતે"" શબ્દ આ ભાગને એક પ્રશ્ન તરીકે નહીં, ઉદ્દગારવાચક તરીકે ચિહ્નિત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તો પછી ન્યાયીપણાની સેવા ખૂબ મહિમામાં વિસ્તૃત હોવી જ જોઈએ!"" (જુઓ: ઉદ્ગાર સંબોધનો)

περισσεύει ἡ διακονία τῆς δικαιοσύνης δόξῃ.

પાઉલ ""ન્યાયીપણાની સેવા"" વિશે એ રીતે વાત કરે છે જાણે કે તે કોઈ પદાર્થ હતો જે બીજા પદાર્થને ઉત્પન્ન અથવા બીજા પદાર્થમાં વધારો કરી શકતો હતો. તેનો અર્થ એ છે કે નિયમ કે જે ગૌરવી હતો તેના કરતાં “ન્યાયીપણાની સેવા"" અતિ ઘણાં અંશે વિશેષ ગૌરવપૂર્ણ છે. (જુઓ: રૂપક)

ἡ διακονία τῆς δικαιοσύνης

ન્યાયીપણાનું સેવાકાર્ય. આ નવા કરારનો ઉલ્લેખ કરે છે, જેનો એક સેવક પાઉલ છે. વૈકલ્પિક ભાષાંતર: ""સેવાકાર્ય જે લોકોને ન્યાયી બનાવે છે કારણ કે તે આત્મા પર આધારિત છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Corinthians 3:10

καὶ γὰρ οὐ δεδόξασται, τὸ δεδοξασμένον…εἵνεκεν τῆς ὑπερβαλλούσης δόξης

નવો કરાર કે જે અતિ ઘણો ગૌરવપૂર્ણ છે તેની સાથે જ્યારે જૂના કરારને સરખાવવામાં આવે ત્યારે હવે જૂનો કરાર ગૌરવપૂર્ણ દ્રશ્યમાન થતો નથી.

τὸ δεδοξασμένον

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. AT ""નિયમ કે જે ઈશ્વરે એક વખત ગૌરવવંત બનાવ્યો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐν τούτῳ τῷ μέρει

આ રીતે

2 Corinthians 3:11

τὸ καταργούμενον

આ “દંડાજ્ઞાની સેવા"" નો ઉલ્લેખ કરે છે, કે જે પાઉલ બોલે છે જાણે કે તે પદાર્થ અદૃશ્ય થઈ શકે તેવો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તે જે નકામું બની રહ્યું હતું"" (જુઓ: રૂપક)

2 Corinthians 3:12

ἔχοντες οὖν τοιαύτην ἐλπίδα

પાઉલે હમણાં જ જે કહ્યું છે તેનો ઉલ્લેખ આ કરે છે. તેની આશા એ સત્ય જાણવા દ્વારા આવે છે કે નવા કરારમાં અનંતકાળીક મહિમા છે.

τοιαύτην ἐλπίδα

આવો વિશ્વાસ

2 Corinthians 3:13

τὸ τέλος τοῦ καταργουμένου

મૂસાના મુખ પર ચમકતા મહિમાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે મૂસાના મુખ પરનો મહિમા સંપૂર્ણપણે ટળી જાય છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Corinthians 3:14

ἀλλὰ ἐπωρώθη τὰ νοήματα αὐτῶν

પણ તેઓના મન કઠણ થઈ ગયા હતા. પાઉલ ઈઝરાએલી લોકોના મનની વાતો તે પદાર્થો તરીકે બોલે છે જે બંધ અથવા સખત થઈ શકે છે. આ અભિવ્યક્તિનો અર્થ એ છે કે તેઓએ જે જોયું તે સમજી શક્યા નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ ઈઝરાએલીઓ જે જોયું તે તેઓ સ્વયં સમજી શક્યા નહીં"" (જુઓ: રૂપક)

ἄχρι γὰρ τῆς σήμερον ἡμέρας

તે સમયે પાઉલ કરિંથીઓને લખતો હતો

τὸ αὐτὸ κάλυμμα ἐπὶ τῇ ἀναγνώσει τῆς παλαιᾶς διαθήκης μένει

જેમ ઈઝરાએલીઓ મૂસાના મુખ પરનો મહિમા જોઈ શકતા ન હતા કારણ કે તેણે પોતાનું મુખ પડદાથી ઢાંકી દીધુ હતુ, ત્યાં એક આત્મિક પડદો છે જે લોકોને જૂના કરારને વાંચતા હોય ત્યારે સમજતા રોકે છે. (જુઓ: રૂપક)

ἐπὶ τῇ ἀναγνώσει τῆς παλαιᾶς διαθήκης

જ્યારે તેઓ સાંભળે છે કે કોઈ જૂનો કરાર વાંચે છે

μὴ ἀνακαλυπτόμενον, ὅτι ἐν Χριστῷ καταργεῖται

અહીં ""તે"" શબ્દની બંને ઘટનાઓ ""સમાન પડદા"" નો ઉલ્લેખ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈ પણ પડદો દૂર કરતું નથી, કારણ કે ફક્ત ખ્રિસ્તમાં ઈશ્વર જ તેને દૂર કરે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 3:15

ἀλλ’ ἕως σήμερον

આ વાક્ય એ સમયનો ઉલ્લેખ કરે છે કે પાઉલ કરિંથીઓને લખતો હતો.

ἡνίκα ἂν ἀναγινώσκηται Μωϋσῆς

અહીં શબ્દ ""મૂસા"" જૂના કરારના નિયમને દર્શાવે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે પણ કોઈ મૂસાનો નિયમ વાંચે છે"" (જુઓ: ઉપનામ અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

κάλυμμα ἐπὶ τὴν καρδίαν αὐτῶν κεῖται

અહીં ""હૃદયો"" શબ્દ લોકોના વિચારોનું પ્રતિનિધિત્વ કરે છે, અને લોકો જૂના કરારને સમજવામાં અસમર્થ હોવાને એ રીતે રજૂ કરાયું છે જેમ કે એક ભૌતિક પડદો તેમની આંખોને ઢાંકી શકે છે તેમ તેમની પાસેનો એક પડદો તેઓના હ્રદયોને ઢાંકી દે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ જે સાંભળી રહ્યા છે તે સમજી શકતા નથી"" (જુઓ: ઉપનામ અને રૂપક)

2 Corinthians 3:16

ἡνίκα…ἐὰν ἐπιστρέψῃ πρὸς Κύριον

અહીં ""તરફ ફરશે"" એ એક રૂપક છે જેનો અર્થ છે કે કોઈની સાથે વફાદાર રહેવું. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે કોઈ વ્યક્તિ ઈશ્વરની સ્તુતિ કરવાનું શરૂ કરે છે"" અથવા ""જ્યારે વ્યક્તિ ઈશ્વરમાં ભરોસો મૂકવાનું શરૂ કરે છે"" (જુઓ: રૂપક)

περιαιρεῖται τὸ κάλυμμα

ઈશ્વર તેમને સમજવાની ક્ષમતા આપે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર પડદો દૂર કરે છે"" અથવા ""ઈશ્વર તેમને સમજવાની ક્ષમતા આપે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 3:18

ἡμεῖς δὲ πάντες

અહીં ""આપણે"" શબ્દ બધા વિશ્વાસીઓને ઉલ્લેખે છે, જેમાં પાઉલ અને કરિંથીઓનો સમાવેશ થાય છે. (જુઓ: સમાવેશક “અમે”)

ἀνακεκαλυμμένῳ προσώπῳ, τὴν δόξαν Κυρίου κατοπτριζόμενοι

કારણ કે મૂસાએ પોતાનાં મુખને પડદાથી ઢાંકી દીધુ હતું તેથી ઈઝરાયેલીઓ મૂસાના મુખ પર ઈશ્વરના મહિમાના પ્રતિબિંબિને જોઈ ન શક્યા, તેઓથી વિપરીત વિશ્વાસીઓને ઈશ્વરનો મહિમા જોવામાં અને સમજતા અટકાવનાર કંઈ નથી. (જુઓ: રૂપક)

τὴν αὐτὴν εἰκόνα μεταμορφούμεθα

આત્મા તેમના જેવા મહિમાવાન બનવા માટે વિશ્વાસીઓને બદલી રહ્યા છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર આપણને તેમના સમાન મહિમામાં પરિવર્તિત કરી રહ્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀπὸ δόξης εἰς δόξαν

એક માત્રાના મહિમાથી બીજા મહિમા માટે. આનો અર્થ એ છે કે આત્મા વિશ્વાસીઓની ગૌરવમાં સતત વધારો કરે છે.

καθάπερ ἀπὸ Κυρίου

જેમ આ ઈશ્વર તરફથી આવે છે

2 Corinthians 4

૨ કરિંથીઓ 0૪ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

આ અધ્યાય ""તેથી"" શબ્દથી શરૂ થાય છે. આ તેને પાછલા અધ્યાયમાં જે શીખવે છે તેની સાથે જોડે છે. આ અધ્યાયો કેવી રીતે વહેંચવામાં આવ્યા છે તે વાચકો માટે મૂંઝવણભર્યું હોઈ શકે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચારો

સેવાકાર્ય

પાઉલ લોકોને ખ્રિસ્ત વિશે જણાવીને સેવા આપે છે. તે લોકોને વિશ્વાસમાં લાવવા તેઓ પર યુક્તિ અજમાવતો નથી. કેમ કે જો તેઓ સુવાર્તા સમજી શકતા નથી, તો તે સમસ્યા છેવટે આત્મિક છે. (જુઓ: આત્મા, આત્માઓ, આત્મિક)

આ અધ્યાયમાં મહત્વના રૂઢિપ્રયોગો

પ્રકાશ અને અંધકાર

બાઈબલ ઘણીવાર વાત કરે છે અન્યાયી લોકોની, જેઓ ઈશ્વરને પસંદ બાબતો કરતા નથી, જાણે કે તેઓ અંધકારમાં ફરતા હોય. તે પ્રકાશની વાત કરે છે જાણે કે તે અન્યાયી લોકોને ન્યાયી બનવા, તેઓ જે ખોટું કરી રહ્યા છે તે સમજવા અને ઈશ્વરને આધીન થવાની શરૂઆત કરવા, સક્ષમ કરે છે. (જુઓ: ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું)

જીવન અને મૃત્યુ

પાઉલ અહીં શારીરિક જીવન અને મૃત્યુનો ઉલ્લેખ કરતો નથી. જીવન એટલે ખિસ્તી વ્યક્તિને ઈસુમાં નવું જીવન. ઈસુમાં વિશ્વાસ કર્યા અગાઉના વ્યક્તિના જૂના જીવનની રીતનું પ્રતિનિધિત્વ મૃત્યું કરે છે. (જુઓ: જીવન, જીવવું, જીવે છે, જીવંત અને મરી જવું, મૃત્યુ પામે છે, મૃત્યુ પામેલ, મૃત, ઘાતક, મૃત હાલત, મરણ, મરણો, જીવલેણ અને વિશ્વાસ/શ્રદ્ધા)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

આશા

પાઉલ હેતુપૂર્ણ રીતે પુનરાવર્તિત રચનાનો ઉપયોગ કરે છે. તે નિવેદન આપે છે. પછી તે મોટે ભાગે વિરોધી અથવા વિરોધાભાસી નિવેદનને નકારે છે અથવા અપવાદ આપે છે. આ સાથે મળીને મુશ્કેલ સંજોગોમાં વાચકને આશા આપે છે. (જુઓ: આશા, આશા રાખી, આશા રાખે છે)

2 Corinthians 4:1

પાઉલે લખે છે કે પોતાની પ્રશંસા કરીને નહી પરંતુ ખ્રિસ્તનો સંદેશ પ્રગટ કરવા દ્વારા તે પોતાના સેવાકાર્યમાં પ્રામાણિક છે. તે દર્શાવે છે કે કેવી રીતે ઈસુના મૃત્યુ અને જીવનમાં તે જીવે છે જેથી તે જીવન કરિંથી વિશ્વાસીઓમાં અસરકારક સાબિત થઇ શકે.

ἔχοντες τὴν διακονίαν ταύτην

અહીં ""અમે"" શબ્દ પાઉલ અને તેના સહકાર્યકરનો ઉલ્લેખ કરે છે, પરંતુ કરિંથીઓનો નહીં. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

καθὼς ἠλεήθημεν

આ વાક્ય સમજાવે છે કે કેવી રીતે પાઉલ અને તેના સહકાર્યકરો ""આ ધર્મસેવા ધરાવે છે."" જે એક દાન છે જે ઈશ્વરે તેમની દયા દ્વારા તેમને આપ્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે ઈશ્વરે આપણા પર દયા બતાવી છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Corinthians 4:2

ἀπειπάμεθα τὰ κρυπτὰ τῆς αἰσχύνης

આનો અર્થ એ છે કે પાઉલ અને તેના સહકાર્યકરોએ ""ગુપ્ત અને શરમજનક"" બાબતો કરવાનું નકાર્યું. તેનો અર્થ એ નથી કે ભૂતકાળમાં તેઓએ આ બાબતો કરી હતી.

τὰ κρυπτὰ τῆς αἰσχύνης

ગુપ્ત"" શબ્દ એ વસ્તુઓનું વર્ણન કરે છે જે લોકો ગુપ્ત રીતે કરે છે. શરમજનક બાબતોને લીધે તે લોકો શરમ અનુભવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે બાબતો શરમજનક છે તેથી લોકો તે ગુપ્ત રીતે કરે છે"" (જુઓ: સંયોજકો)

περιπατοῦντες ἐν πανουργίᾳ

છેતરપીંડી દ્વારા જીવે છે

μηδὲ δολοῦντες τὸν λόγον τοῦ Θεοῦ

ઈશ્વરનો શબ્દ અહીં ઈશ્વરના સંદેશા માટે એક સંવાદ છે. આ શબ્દસમૂહ હકારાત્મક વિચારને વ્યક્ત કરવા માટે બે નકારાત્મક વિચારોનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે ઈશ્વરના સંદેશાનો ઉપયોગ અયોગ્ય રીતે કરતા નથી"" અથવા ""આપણે ઈશ્વરના વચનનો ઉપયોગ યોગ્ય રીતે કરીએ છીએ"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો અને ઉપનામ)

συνιστάνοντες ἑαυτοὺς πρὸς πᾶσαν συνείδησιν ἀνθρώπων

આનો અર્થ એ છે કે જે તેમને સાંભળે છે તે દરેક વ્યક્તિને સાચા કે ખોટાનો નિર્ણય લેવા માટે તેઓ પૂરતા પુરાવા પૂરા પાડે છે.

ἐνώπιον τοῦ Θεοῦ

આ ઈશ્વરની હાજરીનો ઉલ્લેખ કરે છે. ઈશ્વરની સમજ અને પાઉલની સત્યતાને મંજૂરીની રજૂઆત ઈશ્વર તેમને જોવાને સમર્થ છે તે રીતે કરાઈ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરની સમક્ષ"" અથવા ""ઈશ્વર સાક્ષી તરીકે અમારી સાથે"" (જુઓ: રૂપક)

2 Corinthians 4:3

εἰ δὲ καὶ ἔστιν κεκαλυμμένον τὸ εὐαγγέλιον ἡμῶν, ἐν τοῖς ἀπολλυμένοις ἐστὶν κεκαλυμμένον

૨ કરિંથીઓને 3:૧૪ માં શરૂ થતાં પાઉલે જે કહ્યું તે આનો ઉલ્લેખ કરે છે. ત્યાં પાઉલે સમજાવ્યું કે એક આત્મિક પડદો છે જે લોકોને જૂના કરાર વાંચે ત્યારે તેમને સમજતા રોકે છે. તે જ રીતે, લોકો સુવાર્તાને સમજી શકતા નથી. (જુઓ: રૂપક)

εἰ…ἔστιν κεκαλυμμένον τὸ εὐαγγέλιον ἡμῶν…ἐστὶν κεκαλυμμένον

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો પડદો આપણી સુવાર્તાને ઢાંકી દે છે, તો તે પડદો તેને (જૂના કરારને) ઢાંકી દે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὸ εὐαγγέλιον ἡμῶν

સુવાર્તા જેનો અમે ઉપદેશ કરીએ છે

2 Corinthians 4:4

ὁ θεὸς τοῦ αἰῶνος τούτου ἐτύφλωσεν τὰ νοήματα τῶν ἀπίστων

પાઉલ તેમના મનની વાત કરે છે જાણે કે તેની પાસે આંખો છે, અને જેમ તેમનું મન જોવા માટે અસમર્થ છે તેમ તેઓ સમજવામાં અસમર્થ છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ જગતના દેવે અવિશ્વાસીઓને સમજવાથી અટકાવ્યા છે"" (જુઓ: રૂપક)

ὁ θεὸς τοῦ αἰῶνος τούτου

દેવ જે આ જગત પર રાજ કરે છે. આ શબ્દસમૂહ શેતાનનો ઉલ્લેખ કરે છે.

μὴ αὐγάσαι τὸν φωτισμὸν τοῦ εὐαγγελίου τῆς δόξης τοῦ Χριστοῦ

ઈઝરાએલીઓ મૂસાના મુખ પર ચમકતો ઈશ્વરનો મહિમા જોઈ શક્યા નહીં કારણ કે તેણે તેને પડદાથી ઢાંકી દીધું હતું (૨ કરિંથીઓ :૧૩:૧), અવિશ્વાસીઓ ખ્રિસ્તનો મહિમા જોઈ શકતા નથી કે જે સુવાર્તામાં પ્રકાશમાન છે. આનો અર્થ એ છે કે તેઓ ""ખ્રિસ્તના મહિમાની સુવાર્તા"" સમજવામાં અસમર્થ છે (જુઓ: રૂપક)

τὸν φωτισμὸν τοῦ εὐαγγελίου

સુવાર્તા દ્વારા આવતો પ્રકાશ

τοῦ εὐαγγελίου τῆς δόξης τοῦ Χριστοῦ

ખ્રિસ્તના મહિમા વિશે સુવાર્તા

2 Corinthians 4:5

ἀλλὰ Ἰησοῦν Χριστὸν Κύριον, ἑαυτοὺς δὲ δούλους ὑμῶν

તમે આ વાક્યો માટે ક્રિયાપદ આપી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""પણ અમે ખ્રિસ્ત ઈસુને પ્રભુ તરીકે જાહેર કરીએ છીએ, અને અમે પોતાને તમારા દાસો તરીકે જાહેર કરીએ છીએ"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

διὰ Ἰησοῦν

ઈસુને લીધે

2 Corinthians 4:6

ἐκ σκότους φῶς λάμψει

આ વાક્ય સાથે, પાઉલ ઉલ્લેખ કરે છે કે ઈશ્વરે અજવાળું બનાવ્યું, જેમ ઉત્પત્તિના પુસ્તકમાં વર્ણવવામાં આવ્યું છે તેમ.

ὃς ἔλαμψεν…πρὸς φωτισμὸν τῆς γνώσεως τῆς δόξης τοῦ Θεοῦ

અહીં ""અજવાળું"" શબ્દ સમજવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. ઈશ્વરે પ્રકાશ બનાવ્યો તે જ રીતે, તેઓ વિશ્વાસીઓને માટે સમજશક્તિ પણ બનાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે પ્રકાશ પ્રસર્યો છે ... ઈશ્વરનો મહિમા આપણે સમજીએ માટે આપણાને સક્ષમ કરવા"" (જુઓ: રૂપક)

ἐν ταῖς καρδίαις ἡμῶν

અહીં ""હૃદયો"" શબ્દ મન અને વિચારોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણા મનોમાં"" (જુઓ: ઉપનામ)

πρὸς φωτισμὸν τῆς γνώσεως τῆς δόξης τοῦ Θεοῦ

અજવાળું, જે ઈશ્વરના મહિમાનું જ્ઞાન છે

τῆς δόξης τοῦ Θεοῦ ἐν προσώπῳ Ἰησοῦ Χριστοῦ

ઈસુ ખ્રિસ્તના મોં પર ઈશ્વરનો મહિમા. જેમ ઈશ્વરનો મહિમા મૂસાના મુખ પર પ્રકાશમાન હતો (૨ કરિંથીઓ ૩:૭), તે જ રીતે તે ઈસુના મુખ પર પણ પ્રકાશમાન છે. આનો અર્થ એ છે કે જ્યારે પાઉલ સુવાર્તાનો ઉપદેશ આપે છે, ત્યારે લોકો ઈશ્વરના મહિમા વિશેના સંદેશને જોવા અને સમજવામાં સમર્થ બને છે. (જુઓ: રૂપક)

2 Corinthians 4:7

ἔχομεν δὲ

અહીં ""અમે"" શબ્દનો અર્થ પાઉલ અને તેના સહકાર્યકરોનો ઉલ્લેખ કરે છે, પણ કરિંથીઓને નહીં. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ἔχομεν…τὸν θησαυρὸν τοῦτον ἐν ὀστρακίνοις σκεύεσιν

પાઉલ સુવાર્તાની વાત એ રીતે કરે છે જાણે કે તે કોઈ ખજાનો હોય અને તેમનુ શરીર જાણે કે માટીમાંથી બનેલા તૂટેલા પાત્રો હોય. આ ભાર મૂકે છે કે તેઓ જે સુવાર્તાનો ઉપદેશ કરે છે તે સુવાર્તાની સરખામણીમાં તેઓ તુચ્છ છે. (જુઓ: રૂપક)

જેથી કે તે લોકો માટે સ્પષ્ટ હોય અથવા ""જેથી લોકો સ્પષ્ટ રીતે જાણે

2 Corinthians 4:8

ἐν παντὶ θλιβόμενοι

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો અમને દરેક રીતે દબાણમાં લાવે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 4:9

διωκόμενοι, ἀλλ’ οὐκ ἐνκαταλειπόμενοι

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો અમને સતાવે છે પણ ઈશ્વર અમને ત્યજી દેતા નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

καταβαλλόμενοι, ἀλλ’ οὐκ ἀπολλύμενοι

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો અમને નીચે પટકે છે પણ અમારો નાશ કરી શકતા નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

καταβαλλόμενοι, ἀλλ’ οὐκ ἀπολλύμενοι

અમને ખરાબ રીતે દુઃખ પહોંચાડાયું છે

2 Corinthians 4:10

πάντοτε τὴν νέκρωσιν τοῦ Ἰησοῦ ἐν τῷ σώματι περιφέροντες

પાઉલ તેના દુઃખો વિશે એ રીતે વાત કરે છે જાણે કે તેઓ ઈસુના મૃત્યુનો અનુભવ છે. વૈકલ્પિક ભાષાંતર: જેમ ઈસુ મૃત્યું પામ્યા હતા તેમ અમે હંમેશાં મૃત્યુંના જોખમમાં હોઈએ છીએ"" અથવા ""અમે ઈસુના મૃત્યુનો અનુભવ કરતા હોય તે રીતે અમે હંમેશા પીડા સહન કરીએ છીએ"" (જુઓ: રૂપક)

ἡ ζωὴ τοῦ Ἰησοῦ ἐν τῷ σώματι ἡμῶν φανερωθῇ

શક્ય અર્થો છે કે ૧) ""આપણું શરીર ફરીથી જીવશે, કેમ કે ઈસુ જીવીત છે"" અથવા ૨) ""ઈસુ જે આત્મિક જીવન આપે છે તે આપણા શરીરમાં બતાવી શકાય છે.

ἡ ζωὴ τοῦ Ἰησοῦ ἐν τῷ σώματι ἡμῶν φανερωθῇ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અન્ય લોકો આપણા શરીરમાં ઈસુના જીવનને જોઈ શકશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 4:11

ἀεὶ γὰρ ἡμεῖς, οἱ ζῶντες, εἰς θάνατον παραδιδόμεθα διὰ Ἰησοῦν

ઈસુના મૃત્યુંને વહન કરવું તે ઈસુને વફાદાર હોવાને કારણે મૃત્યુનું જોખમ હોવાનું સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે અમે જેઓ જીવિત છીએ, ઈશ્વર હંમેશાં અમને મૃત્યુનો સામનો કરવા દોરી જાય છે કારણ કે અમે ઈસુ સાથે જોડાયા છીએ"" અથવા ""અમે જેઓ જીવિત છીએ તેઓને લોકો હંમેશાં મૃત્યુંના જોખમમાં મૂકશે કારણ કે અમે ઈસુમાં જોડાયેલ છીએ"". (જુઓ: રૂપક)

ἵνα καὶ ἡ ζωὴ τοῦ Ἰησοῦ φανερωθῇ ἐν τῇ θνητῇ σαρκὶ ἡμῶν

ઈશ્વર ઇચ્છે છે કે ઈસુનું જીવન આપણામાં બતાવવામાં આવે. શક્ય અર્થો છે કે ૧) ""આપણા શરીર ફરીથી જીવશે, કેમ કે ઈસુ જીવીત છે"" અથવા ૨) ""ઈસુ જે આત્મિક જીવન આપે છે તે આપણા શરીરમાં બતાવી શકાય છે."" જુઓ કે તમે ૨ કરિંથીઓ ૪:૧૦ માં આ શબ્દસમૂહનુ ભાષાંતર કેવી રીતે કર્યુ છે.

ἵνα καὶ ἡ ζωὴ τοῦ Ἰησοῦ φανερωθῇ ἐν τῇ θνητῇ σαρκὶ ἡμῶν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. જુઓ કે તમે ૨ કરિંથીઓ ૪:૧0માં આ શબ્દસમૂહનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી અન્ય લોકો આપણા શરીરમાં ઈસુના જીવનને જોઈ શકે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 4:12

ὁ θάνατος ἐν ἡμῖν ἐνεργεῖται, ἡ δὲ ζωὴ ἐν ὑμῖν

પાઉલ મૃત્યુ અને જીવનની વાત એવી રીતે કરે છે જાણે કે તે કાર્યક્ષમ વ્યક્તિઓ છે. આનો અર્થ એ છે કે પાઉલ અને તેના સહકાર્યકરોનું જીવન હંમેશા શારીરિક મૃત્યુના જોખમમાં હતું જેથી કરિંથીઓને આત્મિક જીવન મળી શકે. (જુઓ: વ્યક્તિનો અવતાર)

2 Corinthians 4:13

τὸ αὐτὸ πνεῦμα τῆς πίστεως

વિશ્વાસ સમાન વલણ. અહીં ""આત્મા"" શબ્દ વ્યક્તિના વલણ અને સ્વભાવને દર્શાવે છે.

κατὰ τὸ γεγραμμένον

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેણે આ શબ્દો લખ્યા છે તેની જેમ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐπίστευσα, διὸ ἐλάλησα

આ ગીતશાસ્ત્રમાંથી એક અવતરણ છે.

2 Corinthians 4:14

ὅτι ὁ ἐγείρας τὸν Ἰησοῦν…ἐγερεῖ

અહીં ઉઠાડવું એ કોઈ મૃતકને ફરીથી જીવીત કરવાનો રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: ""કે જેમણે પ્રભુ ઈસુને ફરીથી જીવીત કર્યા તેઓ અમને પણ જીવિત કરશે"" અથવા ""ઈશ્વર, જેમણે પ્રભુ ઈસુને ઉઠાડ્યા, તેઓ અમને પણ ઉઠાડશે"" (જુઓ: રૂઢિપ્રયોગ)

2 Corinthians 4:15

τὰ γὰρ πάντα δι’ ὑμᾶς

અહીં ""સઘળું"" શબ્દ પાઉલે અગાઉની કલમોમાં વર્ણવેલ તે તમામ વેદનાનો ઉલ્લેખ કરે છે.

ἡ χάρις πλεονάσασα διὰ τῶν πλειόνων

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ ઈશ્વર ઘણા લોકો પર તેમની કૃપા પ્રસારે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὴν εὐχαριστίαν περισσεύσῃ

પાઉલ આભારસ્તુતિની વાત એ રીતે કરે છે જાણે કે તે કોઈ પદાર્થ છે જે સ્વયં વૃદ્ધિ પામી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""વધુને વધુ લોકો આભાર માનશે"" (જુઓ: રૂપક)

2 Corinthians 4:16

પાઉલે લખ્યું કે કરિંથીઓની મુશ્કેલીઓ નજીવી છે અને અદ્રશ્ય અનંતકાળિક બાબતોની તુલનામાં લાબું ટકી શકશે નહીં.

διὸ οὐκ ἐνκακοῦμεν

આને સકારાત્મક રીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી અમે વિશ્વાસુ રહીએ"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

ὁ ἔξω ἡμῶν ἄνθρωπος διαφθείρεται

આ તેમના ક્ષીણ થઈ રહેલા અને મરી જનારા શારીરિક દેહનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમારા શારીરિક શરીરો નિર્બળ પડી રહ્યા છે અને મરી રહયા છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὁ ἔσω ἡμῶν ἀνακαινοῦται ἡμέρᾳ καὶ ἡμέρᾳ

આ તેમના આંતરિક, આત્મિક જીવનને મજબૂત બનાવવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમારું આત્મિક મનુષ્યત્વ દિવસે ને દિવસે મજબુત થાય છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὁ ἔσω ἡμῶν ἀνακαινοῦται ἡμέρᾳ καὶ ἡμέρᾳ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર દરરોજ અમારા આંતરિક મનુષ્યત્વને નવું કરે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 4:17

τὸ γὰρ παραυτίκα ἐλαφρὸν τῆς θλίψεως ἡμῶν…αἰώνιον βάρος δόξης, κατεργάζεται ἡμῖν

પાઉલ તેમની વિપત્તિઓ અને જે મહિમા ઈશ્વર તેમને આપશે તે વિશે એ રીતે બોલે છે જાણે કે તે ભારે પદાર્થો હોઈ જેનું વજન કરી શકાય. મહિમા વિપત્તિને ઘણાં મોટા અંશે પરાજિત કરે છે. (જુઓ: રૂપક)

καθ’ ὑπερβολὴν εἰς ὑπερβολὴν

પાઉલ જે મહિમાનો અનુભવ કરશે તે એટલું ભારે છે કે કોઈ તેને માપી શકતું નથી. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને કોઈ માપી શકતું નથી"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 4:18

τὰ βλεπόμενα…τὰ μὴ βλεπόμενα

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વસ્તુઓ જે આપણે જોઈ શકીએ છીએ ... વસ્તુઓ જે આપણે જોઈ શકતા નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὰ δὲ μὴ βλεπόμενα

તમે આ શબ્દસમૂહ માટે ક્રિયાપદ આપી શકો છો. AT ""પણ અમે જે અદ્રશ્ય વસ્તુઓ છે તેને જોઈ રહ્યા છીએ"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

2 Corinthians 5

૨ કરિંથીઓને 0૫ સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચારો

સ્વર્ગમાં નવા શરીરો

પાઉલ જાણે છે કે જ્યારે તે મરી જશે, ત્યારે તે વધુ સારું શરીર પ્રાપ્ત કરશે. આને કારણે, તે સુવાર્તાના ઉપદેશ માટે માર્યા જવાથી ડરતો નથી. તેથી તે બીજાઓને કહે છે કે તેઓ પણ ઈશ્વર સાથે સમાધાન કરી શકે છે. ખ્રિસ્ત તેમના પાપને દૂર કરશે અને તેમને તેમનું ન્યાયીપણું આપશે. (જુઓ: સારા સમાચારો, સુવાર્તા, સમાધાન કરવું, સમાધાન કરે છે, સમાધાન કર્યું, સમાધાન અને પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું અને ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું)

નવી ઉત્પત્તિ

જૂની અને નવી ઉત્પત્તિ સંભવત પાઉલ જૂના અને નવા વ્યક્તિત્વને ઉદાહરણના રૂપમાં કેવી રીતે સમજાવે છે, તેનો ઉલ્લેખ કરે છે. આ ખ્યાલો પણ જૂના અને નવા માણસ જેવા જ છે. ""જૂનું"" શબ્દ સંભવત તે પાપી સ્વભાવનો ઉલ્લેખ કરતો નથી જેની સાથે વ્યક્તિ જન્મે છે. તે જીવનની જૂની રીત અથવા ખ્રિસ્તી બન્યા અગાઉ વ્યક્તિ પાપ દ્વારા જકડાયેલ હોવાનો ઉલ્લેખ કરે છે. ""નવું સર્જન"" એ એક નવો સ્વભાવ અથવા નવું જીવન છે જે ઈશ્વર ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યા પછી વ્યક્તિને આપે છે. (જુઓ: વિશ્વાસ/શ્રદ્ધા)

આ અધ્યાયમાં મહત્વના રૂઢિપ્રયોગો

ઘર

ખ્રિસ્તી વ્યક્તિનું ઘર હવે જગતમાં નથી. એક ખ્રિસ્તીનું વાસ્તવિક ઘર સ્વર્ગમાં છે. આ રૂપકનો ઉપયોગ કરીને, પાઉલ ભાર મૂકે છે કે આ જગતમાં ખ્રિસ્તીઓની પરિસ્થિતિઓ ક્ષણિક છે. તે દુ:ખ ભોગવી રહેલા લોકોને આશા આપે છે. (જુઓ: સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશી (સ્વર્ગીય) અને રૂપક અને આશા, આશા રાખી, આશા રાખે છે)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""સમાધાનનો સંદેશ""

આ સુવાર્તાનો ઉલ્લેખ કરે છે. લોકો જેઓ ઈશ્વર પ્રત્યે પ્રતિકૂળ છે તેઓને પસ્તાવો કરી ઈશ્વર સાથે સમાધાન કરવા માટેનું આહવાન પાઉલ આપે છે. (જુઓ: પશ્ચાતાપ કરવો, પશ્ચાતાપ કરે છે, પશ્ચાતાપ કર્યો, પશ્ચાતાપ અને સમાધાન કરવું, સમાધાન કરે છે, સમાધાન કર્યું, સમાધાન)

2 Corinthians 5:1

વિશ્વાસીઓના શારીરિક શરીરની વિપરીત ઈશ્વર તેઓને સ્વર્ગીય શરીરો આપશે તે વિરોધાભાસ સાથે પાઉલ આગળ ધપે છે.

ἐὰν ἡ ἐπίγειος ἡμῶν οἰκία τοῦ σκήνους καταλυθῇ, οἰκοδομὴν ἐκ Θεοῦ ἔχομεν

અહીં એક ક્ષણિક ""પૃથ્વીનું નિવાસસ્થાન"" એ વ્યક્તિના શારીરિક શરીરનું રૂપક છે. અહીં કાયમી ""ઈશ્વર દ્વારા ઘર"" એ નવા શરીર માટે એક રૂપક છે કે જે ઈશ્વર વિશ્વાસીઓને તેઓના મરણ પછી આપશે. (જુઓ: રૂપક)

ἐὰν ἡ ἐπίγειος ἡμῶν οἰκία τοῦ σκήνους καταλυθῇ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો લોકો અમારા પૃથ્વીના નિવાસસ્થાનને નષ્ટ કરે છે"" અથવા ""જો લોકો અમારા શરીરોને મારી નાખે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

οἰκίαν ἀχειροποίητον

અહીં ""ઘર"" નો અર્થ ""ઈશ્વર પાસેથી મકાન"" જેવી જ વસ્તુ છે. અહીં ""હાથ"" એ અલંકાર છે જે માણસને સંપૂર્ણરૂપે રજૂ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે એક એવું ઘર છે જે માણસોએ બનાવ્યું નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને અભિવ્યક્ત અલંકાર)

2 Corinthians 5:2

ἐν τούτῳ στενάζομεν

અહીં ""આ માંડવા"" નો અર્થ એ જ છે કે “પૃથ્વીનું નિવાસસ્થાન જ્યાં આપણે રહીએ છીએ"". કર્કશ શબ્દનો અર્થ છે કે જયારે વ્યક્તિ કંઈક સારું પ્રાપ્ત કરવાની ઈચ્છા આતુરતાથી રાખતો હોય ત્યારે તે જે અવાજ કરે છે તે કર્કશ છે.

τὸ οἰκητήριον ἡμῶν τὸ ἐξ οὐρανοῦ ἐπενδύσασθαι ἐπιποθοῦντες

અમારું સ્વર્ગીય નિસ્થાનવાસ"" શબ્દોનો અર્થ ""ઈશ્વર પાસેથી મકાન"" જેવો જ છે. વિશ્વાસીઓ મૃત્યું પામ્યા પછી જે નવા શરીરો મેળવશે તે વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે એક ઘર અને કપડાંનો ટુકડો છે જે બંનેની જરૂર વ્યક્તિને હોય છે. (જુઓ: રૂપક)

2 Corinthians 5:3

ἐνδυσάμενοι

અમારા સ્વર્ગીય નિવાસસ્થાન પર મૂકીને

οὐ γυμνοὶ εὑρεθησόμεθα

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે નગ્ન હોઇશું નહીં” અથવા ""ઈશ્વર સમક્ષ અમે નગ્ન દેખાઈશું નહીં"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 5:4

οἱ ὄντες ἐν τῷ σκήνει

પાઉલ શારીરિક દેહની વાત કરે છે જાણે કે તે એક ""માંડવો” હોય. (જુઓ: રૂપક)

ἐν τῷ σκήνει, στενάζομεν

માંડવા"" શબ્દનો અર્થ ""આપણે જેમાં રહીએ છીએ તે પૃથ્વીનું નિવાસ"" છે. કર્કશ શબ્દનો અર્થ છે કે જયારે વ્યક્તિ કંઈક સારું પ્રાપ્ત કરવાની ઈચ્છા આતુરતાથી રાખતો હોય ત્યારે તે જે અવાજ કરે તે કર્કશ છે. તમે ૨ કરિંથી ૫:૨માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ.

βαρούμενοι

પાઉલ શારીરિક શરીરે અનુભવેલી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરે છે જાણે કે તે વહન કરવામાં મુશ્કેલી પડે તેવા ભારે પદાર્થો હોય. (જુઓ: રૂપક)

οὐ θέλομεν ἐκδύσασθαι…ἐπενδύσασθαι

પાઉલ દેહ વિષે કહે છે જાણે કે તે કપડાં હોય. અહીં ""કપડાં વિના હોવું"" એ શારીરિક દેહના મૃત્યુનો ઉલ્લેખ કરે છે; ""કપડાંમાં હોવું"" એ ઈશ્વર જે પુનરુત્થાનવાળું શરીર આપશે તેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: રૂપક)

ἐκδύσασθαι

કપડાં વિના હોવું અથવા ""નગ્ન હોવું

ἵνα καταποθῇ τὸ θνητὸν ὑπὸ τῆς ζωῆς

પાઉલ જીવનની વાત એ રીતે કરે છે જાણે કે તે એક પ્રાણી છે કે જે ""મરણાધીન છે” તેનો ભક્ષ કરે છે. ભૌતિક શરીર જે મરી જશે તેનું સ્થાન પુનરુત્થાન પામનાર શરીર લેશે કે જે સદાકાળને સારું જીવશે. (જુઓ: રૂપક)

ἵνα καταποθῇ τὸ θνητὸν ὑπὸ τῆς ζωῆς

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી જીવન, જે મરણાધીન છે તેને ગળી જાય"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 5:5

ὁ δοὺς ἡμῖν τὸν ἀρραβῶνα τοῦ Πνεύματος

આત્માની વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે તેઓ અનંત જીવન તરફની એક આંશિક ચુકવણી હતા. ૨ કરિંથીઓ ૧:૨૨માં તમે સમાન શબ્દસમૂહનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. (જુઓ: રૂપક)

2 Corinthians 5:6

કારણ કે વિશ્વાસીઓનું નવું શરીર હશે અને બાંયધરી તરીકે પવિત્ર આત્મા હશે, પાઉલ તેમને વિશ્વાસ દ્વારા જીવવાનું યાદ અપાવે છે કે જેથી તેઓ ઈશ્વરને ખુશ કરી શકે. તેણે બીજાઓને સમજાવવા માટે તેઓને યાદ અપાવવાનું ચાલુ રાખ્યું કારણ કે ૧) વિશ્વાસીઓ ખ્રિસ્તના ન્યાયાસન આગળ હાજર થશે અને ૨) ખ્રિસ્ત પ્રત્યેના પ્રેમને લીધે જે વિશ્વાસીઓ માટે મૃત્યું પામ્યા.

ἐνδημοῦντες ἐν τῷ σώματι

પાઉલ શારીરિક શરીરની વાત એ રીતે કરે છે જાણે કે તે સ્થળ હોય જેમાં વ્યક્તિ નિવાસ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે આપણે આ પૃથ્વીના શરીરમાં જીવીએ છીએ"" (જુઓ: રૂપક)

ἐκδημοῦμεν ἀπὸ τοῦ Κυρίου

અમે પ્રભુ સાથેના ઘરે નથી અથવા ""અમે પ્રભુ સાથે સ્વર્ગમાં નથી

2 Corinthians 5:7

διὰ πίστεως…περιπατοῦμεν, οὐ διὰ εἴδους

અહીં ""ચાલવું"" એ ""જીવીત"" અથવા ""વર્તન"" માટે એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે વિશ્વાસ પ્રમાણે જીવીએ છીએ, આપણે જે જોઈએ છીએ તેના પ્રમાણે નહીં"" (જુઓ: રૂપક)

2 Corinthians 5:8

εὐδοκοῦμεν, μᾶλλον ἐκδημῆσαι ἐκ τοῦ σώματος

અહીં ""દેહ"" શબ્દનો અર્થ શારીરિક દેહ છે.

ἐνδημῆσαι πρὸς τὸν Κύριον

સ્વર્ગમાં પ્રભુની સાથે ઘરે

2 Corinthians 5:9

εἴτε ἐνδημοῦντες εἴτε ἐκδημοῦντες

પાછલી કલમોમાંથી ""પ્રભુ"" શબ્દ પૂરો પાડવામાં આવ્યો હશે. વૈકલ્પિક ભાષાંતર: ""ભલે આપણે પ્રભુ સાથે ઘરે હોઈએ કે પ્રભુથી દૂર હોઈએ"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

εὐάρεστοι αὐτῷ εἶναι

પ્રભુને પ્રસન્ન કરવા માટે

2 Corinthians 5:10

ἔμπροσθεν τοῦ βήματος τοῦ Χριστοῦ

ખ્રિસ્ત ન્યાય કરે તે પહેલાં

κομίσηται ἕκαστος τὰ διὰ

દરેક વ્યક્તિ જેને લાયક છે તેને તે પ્રાપ્ત કરે.

τὰ διὰ τοῦ σώματος

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""શારીરિક દેહમાં તેણે કરેલા કાર્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἴτε ἀγαθὸν εἴτε κακὸν

કાં તો તે કાર્યો સારાં હતા અથવા ખરાબ

2 Corinthians 5:11

εἰδότες…τὸν φόβον τοῦ Κυρίου

તે જાણીને કે પ્રભુનો ભય રાખવાનો અર્થ શું છે

ἀνθρώπους πείθομεν

શક્ય અર્થો છે કે ૧) ""સુવાર્તાના સત્યના લોકોને અમે સમજાવીએ છીએ"" અથવા ૨) ""અમે લોકોને સમજાવીએ છીએ કે અમે અધિકારયુક્ત પ્રેરિતો છીએ."" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Θεῷ…πεφανερώμεθα

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર સ્પષ્ટ રીતે જુએ છે કે આપણે કયા પ્રકારનાં લોકો છીએ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

καὶ ἐν ταῖς συνειδήσεσιν ὑμῶν πεφανερῶσθαι

તેની તમને પણ ખાતરી છે

2 Corinthians 5:12

ἵνα ἔχητε

જેથી તમારી પાસે કંઈક કહેવાનું હોય

τοὺς ἐν προσώπῳ καυχωμένους, καὶ μὴ ἐν καρδίᾳ

અહીં શબ્દ ""દેખાવ"" એ ક્ષમતા અને સ્થિતિ જેવી વસ્તુઓના બાહ્ય અભિવ્યક્તિઓનો ઉલ્લેખ કરે છે. ""હૃદય"" શબ્દ એ વ્યક્તિના આંતરિક ચરિત્રને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ તેમના પોતાનાં કાર્યોની પ્રસંશા કરે છે, પરંતુ તેઓ ખરેખર તેમના આંતરિક અસ્તિત્વમાં કેવા છે તે વિષે ધ્યાન આપતા નથી"" (જુઓ: ઉપનામ)

2 Corinthians 5:13

εἴτε…ἐξέστημεν…εἴτε σωφρονοῦμεν

પાઉલ અને તેના સહકાર્યકરો વિષે બીજાઓ જે રીતે વિચારે છે તે વિશે પાઉલ વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો લોકોને લાગે કે અમે ઘેલા છીએ ... જો લોકોને લાગે કે અમે સમજદાર છીએ"" (જુઓ: રૂઢિપ્રયોગ)

2 Corinthians 5:14

ἡ γὰρ ἀγάπη τοῦ Χριστοῦ

શક્ય અર્થો છે કે ૧) ""ખ્રિસ્ત માટેનો અમારો પ્રેમ"" અથવા ૨) ""ખ્રિસ્તનો અમારા માટેનો પ્રેમ.

ὑπὲρ πάντων ἀπέθανεν

સર્વ લોકોને માટે મૃત્યુ પામ્યા

2 Corinthians 5:15

τῷ ὑπὲρ αὐτῶν ἀποθανόντι καὶ ἐγερθέντι

જેમણે તેમના ખાતર મૃત્યુ સહ્યું અને જેમને ઈશ્વરે ફરીથી જીવંત કર્યા અથવા ""ખ્રિસ્ત, જેઓ તેમના માટે મરણ પામ્યા અને જેમને ઈશ્વરે ઉઠાડ્યા

ὑπὲρ αὐτῶν

શક્ય અર્થો છે કે ૧) આ શબ્દો ફક્ત ""મૃત્યુ પામેલા"" નો ઉલ્લેખ કરે છે અથવા ૨) આ શબ્દો ""મૃત્યુ પામેલા"" અને ""પુનરુત્થાન પામેલાઓ""નો ઉલ્લેખ કરે છે.

2 Corinthians 5:16

ખ્રિસ્તના પ્રેમ અને મૃત્યુને લીધે, આપણે માનવ ધોરણો પ્રમાણે ન્યાય કરવો જોઈએ નહીં. ખ્રિસ્તના મૃત્યુ દ્વારા ઈશ્વર સાથે એકતાપૂર્વક રહેવું અને શાંતિ પ્રાપ્ત કરવી તથા ખ્રિસ્ત દ્વારા ઈશ્વરનું ન્યાયીપણા પ્રાપ્ત કરવું, તે બીજાઓને શીખવવા માટે અમને નિયુક્ત કરવામાં આવ્યા છે.

ὥστε

પાઉલે હમણાં જ પોતાના બદલે ખ્રિસ્ત માટે જીવવા વિશે જે કહ્યું છે તેનો ઉલ્લેખ કરે છે.

2 Corinthians 5:17

καινὴ κτίσις

ખ્રિસ્તમાં વિશ્વાસ કરનાર વ્યક્તિ વિશે પાઉલ એવી રીતે વાત કરે છે જાણે કે ઈશ્વરે કોઈ નવી વ્યક્તિ બનાવી છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે એક નવી વ્યક્તિ છે"" (જુઓ: રૂપક)

τὰ ἀρχαῖα παρῆλθεν

અહીં ""જૂની બાબતો"" એ બાબતોનો ઉલ્લેખ કરે છે જે ખ્રિસ્તમાં વિશ્વાસ કરતા પહેલા વ્યક્તિની લાક્ષણિકતાઓ તરીકે વ્યક્તિઓમાં હતી.

ἰδοὺ

અહીં ""જુઓ"" શબ્દ આપણને આશ્ચર્યજનક માહિતી કે જે હવે પછી આવનાર છે તે પર ધ્યાન આપવાનું સૂચન કરે છે.

2 Corinthians 5:18

τὰ…πάντα

ઈશ્વરે આ સર્વ બાબતો કરી છે. નવી બાબતો જૂની બાબતોનું સ્થાન લે છે તે વિશે પાઉલે અગાઉની કલમમાં જે કહ્યું છે, આ તેનો ઉલ્લેખ કરે છે.

τὴν διακονίαν τῆς καταλλαγῆς

આને શાબ્દિક શબ્દસમૂહ સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોનું તેમની સાથે સમાધાન કરાવવાની સેવા"" (જુઓ: અમૂર્ત નામો)

2 Corinthians 5:19

ὡς ὅτι

આનો અર્થ એ છે

ἐν Χριστῷ κόσμον καταλλάσσων ἑαυτῷ

અહીં ""જગત"" શબ્દ જગતના લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્તમાં, ઈશ્વર પોતાની સાથે જગતનું સમાધાન કરાવી રહ્યાં છે"" (જુઓ: ઉપનામ)

θέμενος ἐν ἡμῖν τὸν λόγον τῆς καταλλαγῆς

ઈશ્વરે પાઉલને એ સંદેશ ફેલાવવાની જવાબદારી આપી છે કે ઈશ્વર લોકોનું પોતાની સાથે સમાધાન કરાવી રહ્યા છે.

τὸν λόγον τῆς καταλλαγῆς

સમાધાન વિશે સંદેશ

2 Corinthians 5:20

ὑπὲρ Χριστοῦ οὖν πρεσβεύομεν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે અમને ખ્રિસ્તના પ્રતિનિધિઓ તરીકે નિયુક્ત કર્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Χριστοῦ οὖν πρεσβεύομεν

જેઓ ખ્રિસ્ત માટે બોલે છે

καταλλάγητε τῷ Θεῷ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરને પોતાની સાથે તમારું સમાધાન કરવા દો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 5:21

τὸν μὴ γνόντα ἁμαρτίαν, ὑπὲρ ἡμῶν ἁμαρτίαν ἐποίησεν

ઈશ્વરે ખ્રિસ્તને આપણા પાપ માટે બલિદાન બનાવ્યા

ἡμῶν…ἡμεῖς

અહીં ""અમારા"" અને ""અમે"" શબ્દો વ્યાપક અર્થમાં છે અને સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

τὸν μὴ γνόντα ἁμαρτίαν

ખ્રિસ્ત તે એક છે જેમણે ક્યારેય પાપ કર્યું નથી

δικαιοσύνη Θεοῦ ἐν αὐτῷ

ઈશ્વરે આ કર્યું ... ખ્રિસ્તમાં ઈશ્વરનું ન્યાયીપણું

ἵνα ἡμεῖς γενώμεθα δικαιοσύνη Θεοῦ ἐν αὐτῷ

ઈશ્વરનું ન્યાયીપણું"" શબ્દસમૂહ ઈશ્વરની આવશ્યકતા અને જે ઈશ્વર તરફથી આવે છે તે ન્યાયીપણાને સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી ખ્રિસ્ત દ્વારા આપણામાં ઈશ્વરનું ન્યાયીપણું રહે."" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Corinthians 6

૨ કરિંથીઓનો 0૬ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

કેટલાક અનુવાદકોએ કવિતાઓની દરેક પંક્તિ બાકીના લખાણ કરતાં તેને વધુ સરળ વાંચવા માટે સુયોજિત કરી છે. ULT આ પ્રમાણે કલમો ૨ અને ૧૬-૧૮ સાથે કરે છે, જે જૂના કરારના શબ્દો છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચારો

સેવકો

પાઉલ ખ્રિસ્તીઓને ઈશ્વરના સેવકો તરીકે ઉલ્લેખ કરે છે. ઈશ્વર ખ્રિસ્તીઓને સર્વ પરિસ્થિતિઓમાં તેમની સેવા કરવા બોલાવે છે. પાઉલે કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓનું વર્ણન કર્યું જેમાં તેણે અને તેના સાથીઓએ ઈશ્વરની સેવા કરી હતી.

આ અધ્યાયમાં મહત્વના રૂઢિપ્રયોગો

વિરોધાભાસ

પાઉલ ચાર વિરોધાભાસનો ઉપયોગ કરે છે: ન્યાયીપણાની વિરુદ્ધ અધર્મીપણું, અંધકાર સામે પ્રકાશ, ખ્રિસ્ત વિરુદ્ધ શેતાન, અને ઈશ્વરના ભક્તિસ્થાન વિરુદ્ધ મૂર્તિઓ. આ વિરોધાભાસો ખ્રિસ્તીઓ અને બિન-ખ્રિસ્તીઓ વચ્ચેનો તફાવત દર્શાવે છે. (જુઓ: ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું અને પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ અને અંધકાર)

પ્રકાશ અને અંધકાર

બાઈબલ ઘણીવાર અધર્મી લોકો વિશે વાત કરે છે, લોકો કે જે ઈશ્વરને પસંદ છે તેવું કરતા નથી અને પસંદ નથી તેવું કરે છે, જેમ કે તે લોકો અંધકારની આસપાસ ચાલતા હોય. તે પ્રકાશની વાત એ રીતે કરે છે જાણે કે પ્રકાશ તે પાપી લોકોને ન્યાયી બનવા, તેઓ જે ખોટું કરે છે તે સમજવા અને ઈશ્વરને આધીન થવાની શરૂઆત કરવા સક્ષમ કરે છે. (જુઓ: ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું)

અલંકારિક પ્રશ્નો

પાઉલ તેમના વાચકોને શીખવવા માટે અલંકારિક પ્રશ્નોની શ્રેણીનો ઉપયોગ કરે છે. આ બધા પ્રશ્નો અનિવાર્યપણે એક જ મુદ્દો બનાવે છે: જેઓ પાપમાં જીવે છે તેમની સાથે ખ્રિસ્તીઓએ અઘટિત સબંધ ન રાખવા. પાઉલ ભાર મૂકવા માટે આ પ્રશ્નોનું પુનરાવર્તન કરે છે. (જુઓ: આલંકારિક પ્રશ્ન અને પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

અમે

પાઉલ સંભવિત ""અમે"" સર્વનામનો ઉપયોગ ઓછામાં ઓછું તિમોથી અને પોતાને રજૂ કરવા માટે કરે છે. તેમાં અન્ય લોકોનો પણ સમાવેશ થઈ શકે છે..

2 Corinthians 6:1

કલમ ૨ માં, પાઉલે પ્રબોધક યશાયાના પુસ્તકમાંથી એક અવતરણનો ઉલ્લેખ કર્યો છે.

ઈશ્વર માટે સાથે મળીને કામ કરવું તે કેવું હોવું જોઈએ તેનો સારાંશ પાઉલ આપે છે.

συνεργοῦντες

પાઉલ સૂચવે છે કે તે અને તિમોથી ઈશ્વર સાથે કામ કરી રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર સાથે મળીને કામ કરવું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

καὶ, παρακαλοῦμεν μὴ εἰς κενὸν τὴν χάριν τοῦ Θεοῦ δέξασθαι ὑμᾶς

પાઉલે તેમને વિનવે છે કે તેઓ ઈશ્વરની કૃપાને તેમના જીવનોમાં અસરકારક રહેવા માટે છૂટ આપે. આ સકારાત્મક દ્રષ્ટિએ કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તરફથી મળેલી કૃપાનો ઉપયોગ તમે કરો તે માટે અમે તમને આજીજી કરીએ છીએ"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

2 Corinthians 6:2

λέγει γάρ

માટે ઈશ્વર કહે છે. આ પ્રબોધક યશાયાના પુસ્તકમાંથી એક અવતરણનો પરિચય આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""માટે ઈશ્વર શાસ્ત્રમાં કહે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἰδοὺ

અહીં ""જુઓ"" શબ્દ આપણને આવનાર આશ્ચર્યજનક માહિતી પર ધ્યાન આપવાનું સૂચન કરે છે.

2 Corinthians 6:3

μηδεμίαν ἐν μηδενὶ διδόντες προσκοπήν

એવી કોઈ પણ બાબત કે જે વ્યક્તિને ખ્રિસ્તમાં વિશ્વાસ કરતા અટકાવે છે તે વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે કોઈ ભૌતિક પદાર્થ હોય જે સાથે વ્યક્તિ અથડાય અને પડી જાય. વૈકલ્પિક ભાષાંતર: ""અમે એવું કંઈ પણ કરવા માંગતા નથી જે લોકોને અમારા સંદેશ પર વિશ્વાસ કરતા અટકાવે"" (જુઓ: રૂપક)

μὴ μωμηθῇ ἡ διακονία

બદનામ"" શબ્દનો ઉલ્લેખ તે લોકો માટે થાય છે જેઓ પાઉલની સેવા વિશે ખરાબ બોલે છે, અને જે સંદેશ તેણે પ્રગટ કર્યો છે તેની વિરુદ્ધ કામ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે નથી ઈચ્છતા કે કોઈ પણ અમારી સેવા વિશે ખરાબ બોલે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 6:4

જ્યારે પાઉલ અહીં ""અમે"" નો ઉપયોગ કરે છે, ત્યારે તે પોતાનો અને તિમોથીનો ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ἐν παντὶ συνιστάντες ἑαυτοὺς ὡς Θεοῦ διάκονοι

અમે જે સર્વ કરીએ છીએ તે દ્વારા અમે સાબિત કરીએ છીએ કે અમે ઈશ્વરના સેવકો છીએ

Θεοῦ διάκονοι: ἐν ὑπομονῇ πολλῇ, ἐν θλίψεσιν, ἐν ἀνάγκαις, ἐν στενοχωρίαις

પાઉલે વિવિધ મુશ્કેલ પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરે છે જેમાં તેઓએ સાબિત કર્યું કે તેઓ ઈશ્વરના સેવકો છે.

2 Corinthians 6:5

ἐν πληγαῖς, ἐν φυλακαῖς, ἐν ἀκαταστασίαις, ἐν κόποις, ἐν ἀγρυπνίαις, ἐν νηστείαις

પાઉલે વિવિધ મુશ્કેલ પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરવાનું ચાલુ રાખ્યું જેમાં તેઓએ સાબિત કર્યું કે તેઓ ઈશ્વરના સેવકો છે.

2 Corinthians 6:6

ἐν ἁγνότητι…ἐν ἀγάπῃ ἀνυποκρίτῳ

પાઉલે કેટલીક નૈતિક લાક્ષણીકતાઓને સૂચવે છે જેનું અમલીકરણ તેઓએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ કર્યું, જેનાથી સાબિત થયું કે તેઓ ઈશ્વરના સેવકો છે.

2 Corinthians 6:7

ἐν λόγῳ ἀληθείας, ἐν δυνάμει Θεοῦ

ઈશ્વરના પરાક્રમથી સુવાર્તાનો ઉપદેશ આપવા માટેનું તેમનું સમર્પણ સાબિત કરે છે કે તેઓ ઈશ્વરના સેવકો છે.

ἐν λόγῳ ἀληθείας

સત્ય વિશે ઈશ્વરનો સંદેશ કહીને અથવા ""ઈશ્વરનો સાચો સંદેશ કહીને

ἐν δυνάμει Θεοῦ

લોકોને ઈશ્વરનું પરાક્રમ બતાવીને

διὰ τῶν ὅπλων τῆς δικαιοσύνης τῶν δεξιῶν καὶ ἀριστερῶν

પાઉલ તેમના ન્યાયીપણાની વાત એ રીતે કરે છે જાણે કે તે હથિયારો છે જેનો ઉપયોગ તેઓ આત્મિક લડાઈઓ લડવા માટે કરે છે. (જુઓ: રૂપક)

τῶν ὅπλων τῆς δικαιοσύνης

ન્યાયીપણું આપણા બખ્તર તરીકે અથવા "" ન્યાયીપણું આપણા હથિયારો તરીકે

τῶν δεξιῶν καὶ ἀριστερῶν

શક્ય અર્થો છે કે ૧) કે એક હાથમાં એક હથિયાર છે અને બીજામાં ઢાલ છે અથવા ૨) કે તેઓ યુદ્ધ માટે સંપૂર્ણપણે સજ્જ છે, કોઈપણ દિશામાંથી હુમલાઓ અટકાવવા માટે સક્ષમ છે.

2 Corinthians 6:8

તેના અને તેની સેવા વિશે, લોકોના કેટલાક અત્યાંતિક/ અતિરેક વિચારોની યાદી પાઉલ આપે છે. (જુઓ: મેરિઝમ)

ὡς πλάνοι

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો અમારા પર ઠગ હોવાનો આરોપ લગાવતા હોય છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 6:9

ὡς ἀγνοούμενοι καὶ ἐπιγινωσκόμενοι

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જાણે કે લોકો અમને ઓળખતા નથી અને તેમ છતાં લોકો અમને સારી રીતે ઓળખે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὡς παιδευόμενοι καὶ μὴ θανατούμενοι

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે કાર્ય કરીએ છીએ એવી રીતે જાણે કે લોકો અમારા કાર્યો બદલ અમને શિક્ષા આપી રહ્યા હોય પરંતુ એટલી હદે નહીં જાણે કે તેઓએ અમને મૃત્યુની શિક્ષા આપી હોય"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 6:11

પાઉલે કરિંથના વિશ્વાસીઓને મૂર્તિઓથી અલગ રહેવા અને ઈશ્વર માટે ચોખ્ખું જીવન જીવવા પ્રોત્સાહિત કર્યા.

τὸ στόμα ἡμῶν ἀνέῳγεν πρὸς ὑμᾶς

તમારી સાથે પ્રામાણિકપણે વાત કરી

ἡ καρδία ἡμῶν πεπλάτυνται

કરિંથીઓ પ્રત્યેના તેના વિશેષ પ્રેમ વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તેનું હ્રદય તેમના માટે ખુલ્લું છે. અહીં ""હૃદય"" એ વ્યક્તિની ભાવનાઓનું એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ"" (જુઓ: રૂપક અને ઉપનામ)

2 Corinthians 6:12

οὐ στενοχωρεῖσθε ἐν ἡμῖν, στενοχωρεῖσθε δὲ ἐν τοῖς σπλάγχνοις ὑμῶν

કરિંથીઓના તેના માટેના પ્રેમના અભાવની વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તેમના હૃદયો તંગ જગામાં નીચોવી કાઢવામાં આવ્યા હોય. અહીં ""હૃદય"" એ વ્યક્તિની ભાવનાઓનું એક રૂપક છે. (જુઓ: રૂપક અને ઉપનામ)

οὐ στενοχωρεῖσθε ἐν ἡμῖν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે તમને રોક્યા નથી"" અથવા ""અમને પ્રેમ કરતા અટકવા માટેનું કોઈ કારણ અમે તમને આપ્યું નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

στενοχωρεῖσθε…ἐν τοῖς σπλάγχνοις ὑμῶν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા પોતાના હૃદયો તમને રોકે છે"" અથવા ""તમે તમારા પોતાના કારણોસર અમને પ્રેમ કરવાનું બંધ કરી દીધું છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 6:13

πλατύνθητε καὶ ὑμεῖς

પાઉલ કરિંથીઓને વિનંતી કરે છે કે જેમ તેણે તેઓ પર પ્રેમ કર્યો છે તેમ તેઓ તેના પર પ્રેમ કરે. વૈકલ્પિક ભાષાંતર: ""અમને પાછા પ્રેમ કરો"" અથવા ""અમે તમને જેટલો પ્રેમ કર્યો છે તેટલો અમને પ્રેમ કરો"" (જુઓ: રૂપક)

2 Corinthians 6:14

કલમ ૧૬ માં, પાઉલે કેટલાક જૂના કરારના પ્રબોધકોના પુસ્તકોના ભાગોને સંક્ષિપ્તમાં રજૂ કરે છે: મૂસા, ઝખાર્યા, આમોસ અને સંભવતઃઅન્યો.

μὴ γίνεσθε ἑτεροζυγοῦντες ἀπίστοις

આને સકારાત્મક દ્રષ્ટિએ કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ફક્ત વિશ્વાસીઓ સાથે બંધાયેલા રહેવું"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

μὴ γίνεσθε ἑτεροζυγοῦντες

પાઉલ એક સામાન્ય હેતુ માટે સાથે મળીને કામ કરવાની વાત એ રીતે કરે છે જાણે કે તે હળ અથવા ગાડી ખેંચવા માટે સાથે જોડાયેલા બે પ્રાણી છે. વૈકલ્પિક ભાષાંતર: ""સાથે જોડાઓ"" અથવા ""સાથે ગાઢસંબંધ છે"" (જુઓ: રૂપક)

τίς γὰρ μετοχὴ δικαιοσύνῃ καὶ ἀνομίᾳ

આ એક અલંકારિક પ્રશ્ન છે જે નકારાત્મક જવાબની અપેક્ષા રાખે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે ન્યાયીપણાનું અન્યાયીપણા સાથે કોઈ જોડાણ હોઈ શકતું નથી"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἢ τίς κοινωνία φωτὶ πρὸς σκότος?

પાઉલ આ પ્રશ્ન પર ભાર મૂકવા માટે પૂછે છે કે પ્રકાશ અંધકારને દૂર કરે છે તેથી પ્રકાશ અને અંધકાર એક સાથે રહી શકતા નથી. ""પ્રકાશ"" અને ""અંધકાર"" શબ્દો વિશ્વાસીઓ અને અવિશ્વાસીઓના નૈતિક અને આત્મિક ગુણોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અંધકાર સાથે પ્રકાશની કોઈ સોબત ન હોઈ શકે"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને રૂપક)

2 Corinthians 6:15

τίς δὲ συμφώνησις Χριστοῦ πρὸς Βελιάρ

આ એક અલંકારિક પ્રશ્ન છે જે નકારાત્મક જવાબની અપેક્ષા રાખે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્ત અને બલિયાલ વચ્ચે કોઈ સમજૂતી નથી"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Βελιάρ

આ શેતાનનું બીજું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ἢ τίς μερὶς πιστῷ μετὰ ἀπίστου?

આ એક અલંકારિક પ્રશ્ન છે જે નકારાત્મક જવાબની અપેક્ષા રાખે છે. વૈકલ્પિક ભાષાંતર: ""એક વિશ્વાસીને અવિશ્વાસી સાથે કંઈપણ સામ્યતા નથી"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

2 Corinthians 6:16

τίς δὲ συνκατάθεσις ναῷ Θεοῦ μετὰ εἰδώλων?

આ એક અલંકારિક પ્રશ્ન છે જે નકારાત્મક જવાબની અપેક્ષા રાખે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના ભક્તિસ્થાન અને મૂર્તિઓ વચ્ચે કોઈ કરાર નથી"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἡμεῖς γὰρ ναὸς Θεοῦ ἐσμεν ζῶντος

સર્વ ખ્રિસ્તીઓ જાણે કે ઈશ્વરનું નિવાસસ્થાન બનતા હોય, તે પ્રકારનો ઉલ્લેખ પાઉલ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે એવા ભક્તિસ્થાન જેવા છીએ જ્યાં જીવીત ઈશ્વર નિવાસ કરે છે"" (જુઓ: રૂપક અને સમાવેશક “અમે”)

ἐνοικήσω ἐν αὐτοῖς, καὶ ἐνπεριπατήσω

આ એક જૂના કરારનું અવતરણ છે જે બે અલગ અલગ રીતે લોકો મધ્યે ઈશ્વરના અસ્તિત્વ વિશે કહે છે. શબ્દો ""મધ્યે રહેવું"" અન્યોની મધ્યે રહેવાની વાત કરે છે, જ્યારે ""મધ્યે ચાલવું"" શબ્દો તેઓ તેમના જીવનમાં જેમ આગળ ધપે તેમ તેમની સાથે રહેવા વિશે વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તેમની સાથે રહીશ અને તેમને મદદ કરીશ"" (જુઓ: સમાંતરણ અને રૂપક)

2 Corinthians 6:17

પાઉલે જૂના કરારના પ્રબોધકો, યશાયા અને હઝકિયેલના પુસ્તકના ભાગોનો ઉપયોગ કર્યો છે.

ἀφορίσθητε

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે પોતે અલગ થાઓ"" અથવા ""મને તમને અલગ કરવા દો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀκαθάρτου μὴ ἅπτεσθε

આને સકારાત્મક દ્રષ્ટિએ કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ફક્ત શુદ્ધ વસ્તુઓને જ સ્પર્શ કરો"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

2 Corinthians 7

૨ કરિંથીઓ 0૭ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

કલમો ૨-૪ માં, પાઉલ પોતાનો બચાવ પૂરો કરે છે. તે પછી તે તિતસના પાછા ફરવા અને તેના દ્વારા પ્રાપ્ત દિલાસા વિશે લખે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચારો

શુદ્ધ અને અશુદ્ધ

ખ્રિસ્તીઓ ""શુદ્ધ"" છે એ અર્થમાં કે ઈશ્વરે તેમને પાપથી શુદ્ધ કર્યા છે. તેઓએ હવે મૂસાના નિયમ પ્રમાણે શુદ્ધ હોવા અંગે ચિંતા કરવાની જરૂર નથી. અધર્મીપણે જીવવું કોઈપણ ખ્રિસ્તીને અશુદ્ધ બનાવી શકે છે. (જુઓ: શુદ્ધ, સાફ કરવું અને નિયમ/કાયદો/કાનૂન, મુસાનો નિયમ, યહોવાનો નિયમ, ઈશ્વરનો નિયમ)

ઉદાસી અને ખેદ

આ અધ્યાયમાં ""ઉદાસી"" અને ""ખેદ"" શબ્દો દર્શાવે છે કે કરિંથીઓ પસ્તાવો કરવા સુધી નારાજ હતા. (જુઓ: પશ્ચાતાપ કરવો, પશ્ચાતાપ કરે છે, પશ્ચાતાપ કર્યો, પશ્ચાતાપ)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

અમે

પાઉલ સંભવિત ""અમે"" સર્વનામનો ઉપયોગ ઓછામાં ઓછું તિમોથી અને પોતાને રજૂ કરવા માટે કરે છે. તેમાં અન્ય લોકોનો સમાવેશ પણ થઈ શકે છે.

મૂળ પરિસ્થિતિ

આ અધ્યાયમાં પાછલી પરિસ્થિતિની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આ અધ્યાયની માહિતીમાંથી આપણે આ પરિસ્થિતિના કેટલાક પાસાઓ શોધી શકીએ છીએ. પણ અનુવાદમાં આ પ્રકારની ગર્ભિત માહિતી શામેલ ન કરવી તે શ્રેષ્ઠ છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Corinthians 7:1

પાઉલ તેઓને પાપથી અલગ થવાનું અને હેતુપૂર્વક પવિત્રતાની શોધ કરવાની યાદ અપાવે છે.

ἀγαπητοί

તમે જેમને હું પ્રેમ કરું છું અથવા ""પ્રિય મિત્રો

καθαρίσωμεν ἑαυτοὺς

પાઉલ અહીં વ્યક્તિના ઈશ્વર સાથેના સંબંધને અસર કરે તેવા કોઈપણ પ્રકારના પાપથી દૂર રહેવાનું કહે છે.

ἐπιτελοῦντες ἁγιωσύνην

ચાલો આપણે પવિત્ર બનવાનો પ્રયત્ન કરીએ

ἐν φόβῳ Θεοῦ

ઈશ્વર પ્રત્યે ઊંડા આદરભાવથી

2 Corinthians 7:2

અન્ય આગેવાનો કે જેઓ પહેલેથી જ કરિંથના લોકો તેમને અનુસરે માટે પ્રયત્નશીલ હતા તેઓ વિશે ચેતવણી આપ્યા બાદ પાઉલ કરિંથીના લોકોને તેમના વિશેની તેની લાગણીઓ વિશે યાદ અપાવે છે.

χωρήσατε ἡμᾶς

તેઓ તેમના હૃદયોને પાઉલ માટે ખુલ્લા કરે તે વિશે ૨ કરિંથીઓ૬:૧૧ શરૂઆતમાં કરેલી વાતનો ઉલ્લેખ પાઉલ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા હૃદયોમાં અમારા માટે જગ્યા બનાવો"" અથવા ""અમને પ્રેમ કરો અને અમારો સ્વીકાર કરો"" (જુઓ: રૂપક અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Corinthians 7:3

πρὸς κατάκρισιν οὐ λέγω

હું તમને ખોટું કર્યું હોવાનો આરોપ મૂકવા માટે આ કહેતો નથી. શબ્દ ""આ"" માત્ર એટલો જ ઉલ્લેખ કરે છે કે પાઉલે કોઈની સાથે અન્યાય કર્યો નહોતો.

ἐν ταῖς καρδίαις ἡμῶν ἐστε

પાઉલ કરિંથીઓ પ્રત્યે તેના અને તેના સાથીઓના વિશાળ પ્રેમની વાત કરે છે જાણે કે તેઓએ તેમને તેઓના હૃદયમાં રાખ્યા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તમે અમને ખૂબ પ્રિય છો"" (જુઓ: રૂપક)

εἰς τὸ συναποθανεῖν καὶ συνζῆν

આનો અર્થ એ છે કે કંઈપણ થાય પરંતુ પાઉલ અને તેના સાથીઓ કરિંથીઓને પ્રેમ કરતા રહેશે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે જીવીએ કે અમે મરીએ"" (જુઓ: રૂઢિપ્રયોગ)

εἰς τὸ συναποθανεῖν

‘આપણે’ કરિંથી વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

2 Corinthians 7:4

πεπλήρωμαι τῇ παρακλήσει

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે મને દિલાસાથી ભરો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὑπερπερισσεύομαι τῇ χαρᾷ

પાઉલ આનંદની વાત એ રીતે કરે છે જાણે કે તે પ્રવાહી છે જે ઊભરાઈ જાય ત્યાં સુધી તેને ભરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું ખૂબ જ આનંદમય છું"" (જુઓ: રૂપક)

ἐπὶ πάσῃ τῇ θλίψει ἡμῶν

અમારી સર્વ વિપત્તિઓ છતાં

2 Corinthians 7:5

ἐλθόντων ἡμῶν εἰς Μακεδονίαν

અહીં ""અમે"" શબ્દનો પાઉલ અને તિમોથીનો ઉલ્લેખ કરે છે પણ કરિંથીઓ અથવા તિતસનો નહીં. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

οὐδεμίαν ἔσχηκεν ἄνεσιν ἡ σὰρξ ἡμῶν

અહીં ""શરીરો"" એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમને આરામ નથી"" અથવા ""અમે ખૂબ થાકી ગયા હતા"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ἐν παντὶ θλιβόμενοι

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે દરેક રીતે વિપત્તિનો અનુભવ કર્યો છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἔξωθεν μάχαι, ἔσωθεν φόβοι

બહાર""ના શક્ય અર્થો છે કે ૧) ""આપણા શરીરની બહાર"" અથવા ૨) ""મંડળીની બહાર."" ""અંદર"" શબ્દ તેમની અંદરની લાગણીઓને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અન્ય લોકો સાથેની લડાઈઓ દ્વારા અને અમારી અંદરની બીક દ્વારા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Corinthians 7:7

ἐν τῇ παρακλήσει ᾗ παρεκλήθη ἐφ’ ὑμῖν

પાઉલે એ જાણીને દિલાસો મેળવ્યો કે કરિંથીઓએ તિતસને દિલાસો આપ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તિતસને તમારી પાસેથી જે દિલાસો મળ્યો છે તે વિશે જાણીને"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Corinthians 7:8

આ કરિંથના વિશ્વાસીઓને પાઉલે લખેલા અગાઉના પત્રનો ઉલ્લેખ કરે છે જ્યાં તેણે વિશ્વાસીઓને ઠપકો આપ્યો હતો કેમ મેં તેઓએ એક વિશ્વાસીના તેના પિતાની પત્ની સાથેના જાતિય અનૈતિક સબંધને સ્વીકૃતિ આપી હતી.

પાઉલ તેમના ઈશ્વરીય ખેદ, તેમનું યોગ્ય કામ કરવાની ઝંખના અને તેને તથા તિતસને મળેલા આનંદ માટે તેમની પ્રશંસા કરે છે.

βλέπω ὅτι ἡ ἐπιστολὴ

જ્યારે મેં જાણ્યું કે મારો પત્ર

2 Corinthians 7:9

οὐχ ὅτι ἐλυπήθητε

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""એટલા માટે નહીં કે મેં મારા પત્રમાં જે કહ્યું તેનાથી તમને ખેદ થયો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐν μηδενὶ ζημιωθῆτε ἐξ ἡμῶν

તમે કોઈ ખોટ સહન કરી ન હતી કારણ કે અમે તમને ઠપકો આપ્યો હતો. આનો અર્થ એ છે કે જો કે પત્રથી તેમને ખેદ થયો, તેમ છતાં, તેમને છેવટે પત્રનો ફાયદો થયો કારણ કે તેણે તેમને પસ્તાવા તરફ દોર્યા. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી અમે તમને કોઈપણ રીતે નુકસાન પહોંચાડ્યું નથી"" (જુઓ: રૂઢિપ્રયોગ)

2 Corinthians 7:10

ἡ γὰρ κατὰ Θεὸν λύπη, μετάνοιαν εἰς σωτηρίαν

પસ્તાવા"" પહેલાનો સમય અને પછીનો સમય સ્પસ્ટ કરવા માટે પસ્તાવો શબ્દનું પુનરાવર્તન થઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""માટે ઈશ્વરીય ખેદ પસ્તાવો ઉત્પન્ન કરે છે, અને પસ્તાવો તારણ તરફ દોરી જાય છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

ἀμεταμέλητον

શક્ય અર્થો છે કે ૧) પાઉલને આ વાતનો કોઈ શોક નથી કે તેણે તેઓને ખેદિત કર્યા કારણ કે તે ખેદ તેમને પસ્તાવો અને તારણ તરફ દોરી ગયું છે અથવા ૨) કરિંથીઓને ખેદનો અનુભવ કરવામાં શોક થશે નહીં કારણ કે તે તેમને પસ્તાવા અને તારણ તરફ દોરી ગયું છે.

ἡ δὲ τοῦ κόσμου λύπη, θάνατον κατεργάζεται

આ પ્રકારનો ખેદ છે જે તારણને બદલે મૃત્યુ તરફ દોરી જાય છે કારણ કે તે પસ્તાવો ઉત્પન્ન કરતો નથી. વૈકલ્પિક ભાષાંતર: ""સંસારિક ખેદ, જો કે, આત્મિક મૃત્યુ તરફ દોરી જાય છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Corinthians 7:11

ἰδοὺ γὰρ αὐτὸ τοῦτο

તમારા માટે શું મહાન નિશ્ચય છે તે તરફ નજર કરો અને જુઓ

σπουδήν: ἀλλὰ ἀπολογίαν

અહીં ""કેવી રીતે"" શબ્દ આ નિવેદનને ઉદ્દગારવાચક બનાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે નિર્દોષ છો તે સાબિત કરવાનો તમારો નિશ્ચય ખૂબ મહાન હતો!"" (જુઓ: ઉદ્ગાર સંબોધનો)

ἀλλὰ ἀγανάκτησιν

તમારો ક્રોધ

ἀλλὰ ἐκδίκησιν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કે કોઈએ ન્યાય કરવો જોઈતો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 7:12

τοῦ ἀδικήσαντος

જેણે ખોટું કર્યું

τοῦ φανερωθῆναι τὴν σπουδὴν ὑμῶν, τὴν ὑπὲρ ἡμῶν πρὸς ὑμᾶς ἐνώπιον τοῦ Θεοῦ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી તમે જાણો કે અમારી પ્રત્યેની તમારી સારી ઇચ્છા નિષ્ઠાવાન છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐνώπιον τοῦ Θεοῦ

આ ઈશ્વરની હાજરીનો ઉલ્લેખ કરે છે. ઈશ્વરની સમજ અને પાઉલની સત્યતાને મંજૂરીની રજૂઆત ઈશ્વર તેમને જોવાને સમર્થ છે તે રીતે કરાઈ છે. તમે ૨ કરિંથીઓ ૪:૨માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર સમક્ષ"" અથવા ""ઈશ્વર સાથે સાક્ષી તરીકે"" (જુઓ: રૂપક)

2 Corinthians 7:13

διὰ τοῦτο παρακεκλήμεθα

જેમ પાઉલે અગાઉની કલમમાં વર્ણવ્યું છે તેમ અહીં ""આ"" શબ્દનો અર્થ, કરિંથીઓએ પાઉલના પાછલા પત્રનો જે રીતે પ્રત્યુત્તર આપ્યો તે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ એ જ છે જે અમને પ્રોત્સાહિત કરે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀναπέπαυται τὸ πνεῦμα αὐτοῦ ἀπὸ πάντων ὑμῶν

અહીં ""આત્મા"" શબ્દ વ્યક્તિના સ્વભાવ અને પ્રકૃતિનો ઉલ્લેખ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે સર્વએ તેના આત્માને તાજો કર્યો"" અથવા ""તમે સર્વએ તેને ચિંતા કરવાનું બંધ કરાવ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 7:14

ὅτι εἴ τι αὐτῷ ὑπὲρ ὑμῶν κεκαύχημαι

માટે જો કે મેં તેની સામે તમારા વિષે બડાઈ કરી છે

οὐ κατῃσχύνθην

તમે મને નિરાશ ન કર્યો

ἡ καύχησις ἡμῶν ἡ ἐπὶ Τίτου ἀλήθεια ἐγενήθη

અમે તિતસને તમારા વિશે અભિમાનપૂર્વક જે કહ્યું હતું તે સાચું હતું તેવું સાબિત તમે કર્યું છે

2 Corinthians 7:15

τὴν πάντων ὑμῶν ὑπακοήν

આ “આજ્ઞાપાલન"" નામને ક્રિયાપદ સાથે કહી શકાય છે, “પાલન કરો."" વૈકલ્પિક ભાષાંતર: ""તમે સર્વએ કેવી રીતે આધીનતા દર્શાવી"" (જુઓ: અમૂર્ત નામો)

μετὰ φόβου καὶ τρόμου ἐδέξασθε αὐτόν

અહીં ""ભય"" અને ""ધ્રુજારી""નો સમાન અર્થ થાય છે અને ભયની તીવ્રતા પર ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે તેનું ખૂબ જ આદરથી સ્વાગત કર્યું"" (જુઓ: બેવડું/બમણાં)

μετὰ φόβου καὶ τρόμου

શક્ય અર્થો છે કે ૧) ""ઈશ્વર માટે ખૂબ આદર સાથે"" અથવા ૨) ""તિતસ માટે ખૂબ આદર સાથે.

2 Corinthians 8

૨ કરિંથીઓનો પત્ર ૦૮ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

અધ્યાય ૮ અને ૯માં નવો વિભાગ શરુ થાય છે. પાઉલ લખે છે કે કેવી રીતે ગ્રીસની મંડળીઓએ યરુશાલેમમાંના જરૂરિયાતમંદ વિશ્વાસીઓને સહાય કરી.

કેટલાક અનુવાદો જુના કરારમાંના અવતરણોને બાકીના લખાણો કરતા જમણી બાજુએ દર્શાવે છે. આ પ્રમાણે કલમ ૧૫ના અવતરણ શબ્દોને ULT દર્શાવે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચારો

યરુશાલેમમાંની મંડળીને ભેટ

કરિંથની મંડળીએ યરુશાલેમમાંના દરિદ્ર વિશ્વાસીઓને નાણાં આપવાની તૈયારી શરુ કરી. મકાદોનીયાની મંડળીઓએ પણ ઉદારતાથી આપ્યું હતું. પાઉલે તિતસ અને અન્ય બે વિશ્વાસીઓને કરિંથ મોકલ્યા કે જેથી તેઓ કરિંથના વિશ્વાસીઓને ઉદારતાથી આપવા પ્રોત્સાહિત કરે. પાઉલ અને અન્યો તે નાણાં યરુશાલેમમાં લઈ જશે. તેઓ લોકોને જણાવવા માગે છે કે તે કાર્ય પ્રામાણિકપણે કરાયું છે.

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

અમે

પાઉલ સંભવિત રીતે “અમે” સર્વનામનો ઉપયોગ તિમોથી અને પોતાનો ઉલ્લેખ કરવા માટે કરે છે. આ સર્વનામ અન્ય લોકોનો પણ સમાવેશ કરી શકે છે.

વિરોધાભાસ

“વિરોધાભાસ” એક સત્ય નિવેદન છે જે કંઈક અશક્ય વસ્તુનું વર્ણન દર્શાવવા માટે થાય છે. કલમ ૨ માં આ શબ્દો વિરોધાભાસ છે. તેઓનો ભરપુર આનંદ અને અત્યંત દરિદ્રતાએ ઉદારતાની મહાન સંપત્તિ ઉત્પન્ન કરી છે. કલમ ૩ માં પાઉલ સમજાવે છે કે કેવી રીતે તેઓની દરિદ્રતાએ સંપત્તિ ઉત્પન્ન કરી છે. પાઉલ સંપત્તિ અને દરિદ્રતાના અન્ય વિરોધાભાસનો પણ ઉપયોગ કરે છે. (૨ કરિંથીઓ ૮:૨)

2 Corinthians 8:1

તેની બદલાયેલી યોજનાઓ અને તેના સેવાકાર્યની દિશા સમજાવ્યા પછી, પાઉલ દાન આપવા વિશે વાત કરે છે.

τὴν χάριν τοῦ Θεοῦ τὴν δεδομένην ἐν ταῖς ἐκκλησίαις τῆς Μακεδονίας

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરની કૃપા જે મકાદોનીયાની મંડળીઓને આપવામાં આવી છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 8:2

ἡ περισσεία τῆς χαρᾶς αὐτῶν καὶ ἡ κατὰ βάθους πτωχεία αὐτῶν, ἐπερίσσευσεν εἰς τὸ πλοῦτος τῆς ἁπλότητος αὐτῶν

પાઉલ “આનંદ” અને “દરિદ્રતા” વિશે એ રીતે કહે છે જાણે કે તેઓ જીવંત વસ્તુઓ હોય કે જે ઉદારતા ઉત્પન્ન કરતી હોય. વૈકલ્પિક ભાષાંતર: “લોકોના મહાન આનંદ અને અત્યંત દરિદ્રતાને કારણે, તેઓ વધુ ઉદારતા બન્યા હતાં.” (જુઓ: વ્યક્તિનો અવતાર)

ἡ περισσεία τῆς χαρᾶς αὐτῶν

પાઉલ આનંદ વિશે એ રીતે કહે છે જાણે કે તે કોઈ પદાર્થ હોય કે જે કદ અને જથ્થામાં વધી શકતો હોય. (જુઓ: રૂપક)

ἡ κατὰ βάθους πτωχεία αὐτῶν…τὸ πλοῦτος τῆς ἁπλότητος αὐτῶν

મકાદોનીયાની મંડળીઓએ પીડા અને દરિદ્રતા સહન કરી હોવા છતાં, ઈશ્વરની કૃપાથી, તેઓ યરુશાલેમમાંના વિશ્વાસીઓ માટે નાણાં એકત્રિત કરવામાં સક્ષમ બન્યા હતાં.

τὸ πλοῦτος τῆς ἁπλότητος αὐτῶν

ખૂબ જ મહાન ઉદારતા. ""મહાન સમૃદ્ધિ"" શબ્દો તેમની ઉદારતાની મહાનતા પર ભાર મૂકે છે.

2 Corinthians 8:3

κατὰ

આ મકાદોનીયાની મંડળીઓનો ઉલ્લેખ છે.

αὐθαίρετοι

સ્વેચ્છાએ

2 Corinthians 8:4

τῆς διακονίας τῆς εἰς τοὺς ἁγίους

પાઉલ યરુશાલેમમાંના વિશ્વાસીઓને નાણાં પૂરા પાડવાનો ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""યરુશાલેમમાંના વિશ્વાસીઓ માટે પૂરું પાડવાની આ સેવા છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Corinthians 8:6

προενήρξατο

પાઉલ યરુશાલેમમાંના વિશ્વાસીઓ માટે કરિંથીઓ પાસેથી નાણાં એકત્રિત કરવાનો ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેણે તમને આપવા માટે પ્રથમ પ્રોત્સાહન આપ્યું હતું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐπιτελέσῃ εἰς ὑμᾶς καὶ τὴν χάριν ταύτην

તિતસે કરિંથીઓને નાણાં એકત્ર કરવાનું કામ પૂર્ણ કરવામાં મદદ કરવાની હતી. વૈકલ્પિક ભાષાંતર: ""તમને ઉદાર ભેટ એકત્રિત કરવા અને આપવાનું કાર્ય પૂર્ણ કરવા પ્રોત્સાહન આપે છે."" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Corinthians 8:7

ἐν ταύτῃ τῇ χάριτι περισσεύητε

પાઉલ કરિંથના વિશ્વાસીઓને કહે છે જેમ કે તેઓએ ભૌતિક સામાન ઉત્પન્ન કરવાનો હોય. વૈકલ્પિક ભાષાંતર: “યરુશાલેમમાંના વિશ્વાસીઓને દાન આપવામાં તમે સારું કરો તેની તમે ખાતરી કરો"" (જુઓ: રૂપક)

2 Corinthians 8:8

διὰ τῆς ἑτέρων σπουδῆς…δοκιμάζων

પાઉલ કરિંથીઓના લોકોને જેમ મકાદોનીયાની મંડળીઓ ઉદારતાથી આપે છે તેમની સરખામણી દ્વારા ઉદારતાથી આપવા વિશે ઉત્તેજન આપે છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Corinthians 8:9

τὴν χάριν τοῦ Κυρίου ἡμῶν

આ સંદર્ભમાં, ""કૃપા"" શબ્દ એ ઉદારતા પર ભાર મૂકે છે જે દ્વારા ઈસુએ કરિંથીઓને આશીર્વાદ આપ્યા હતા.

δι’ ὑμᾶς ἐπτώχευσεν, πλούσιος ὤν

ઈસુ તેમના માનવ અવતાર અગાઉ સમૃદ્ધ હતા અને માનવદેહમાં આવ્યા પછી દરિદ્રી બન્યા વિશેની વાત પાઉલ કરે છે. (જુઓ: રૂપક)

ὑμεῖς τῇ ἐκείνου πτωχείᾳ πλουτήσητε

ઈસુ માનવ રૂપ ધરીને આવ્યા તેના પરિણામ સ્વરૂપે કરિંથીઓ આત્મિક રીતે સમૃદ્ધ બન્યાનું પાઉલ કહે છે. (જુઓ: રૂપક)

2 Corinthians 8:10

ἐν τούτῳ

આ તેઓના નાણાં એકત્રિત કરીને યરુશાલેમમાંના વિશ્વાસીઓને આપવા વિશેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""એકત્રિત કરવા સંદર્ભે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Corinthians 8:11

καθάπερ ἡ προθυμία τοῦ θέλειν

આને મૌખિક શબ્દસમૂહ દ્વારા કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે તે કરવા આતુર અને ઇચ્છુક હતાં"" (જુઓ: અમૂર્ત નામો)

καὶ τὸ ἐπιτελέσαι

તે સંપૂર્ણ કરો અથવા “તે પૂર્ણ કરો”

2 Corinthians 8:12

εὐπρόσδεκτος

અહીં ""સારા"" અને ""સ્વીકાર્ય"" શબ્દો સમાન અર્થો દર્શાવે છે અને વસ્તુના સારાપણાં પર ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""એ ખૂબ સારી બાબત છે” (જુઓ: બેવડું/બમણાં)

καθὸ ἐὰν ἔχῃ

આપવું એ વ્યક્તિ પાસે શું છે તેના પર આધારિત હોવું જોઈએ

2 Corinthians 8:13

γὰρ

આ યરુશાલેમના વિશ્વાસીઓ માટે નાણાં એકત્રિત કરવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""નાણાં એકત્રિત કરવાના આ કાર્યને માટે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἵνα ἄλλοις ἄνεσις, ὑμῖν θλῖψις

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી તમે અન્ય લોકોને રાહત આપી શકો અને પોતાના પર બોજો લો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐξ ἰσότητος

ત્યાં સમાનતા હોવી જોઈએ

2 Corinthians 8:14

ἵνα καὶ τὸ ἐκείνων περίσσευμα γένηται εἰς τὸ ὑμῶν ὑστέρημα

જ્યારે કરિંથીઓ વર્તમાન સમયમાં કાર્યો કરી રહ્યા છે, તે સૂચિત કરે છે કે યરુશાલેમના વિશ્વાસીઓ પણ ભવિષ્યમાં તેમને કોઈ સમયે મદદ કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""આ પણ એટલા માટે છે કે ભવિષ્યમાં તેમની અધિકતા પ્રમાણે તમારી જરૂરિયાત પૂરી કરે

2 Corinthians 8:15

καθὼς γέγραπται

પાઉલ નિર્ગમનના પુસ્તકમાંથી વાત કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ મૂસાએ લખ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

οὐκ ἠλαττόνησεν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેને જેની જરૂર હતી તે સર્વ તેની પાસે હતું” (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

2 Corinthians 8:16

τῷ διδόντι τὴν αὐτὴν σπουδὴν ὑπὲρ ὑμῶν ἐν τῇ καρδίᾳ Τίτου

અહીં ""હૃદય"" શબ્દ ભાવનાઓનો ઉલ્લેખ કરે છે. આનો અર્થ એ છે કે લોકોને પ્રેમ કરવા માટે ઈશ્વરે તિતસને દોર્યો. વૈકલ્પિક ભાષાંતર: ""જેમણે તિતસને હું જેટલી સંભાળ રાખું છું તેટલી જ સંભાળ રાખનાર બનાવ્યો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

τὴν αὐτὴν σπουδὴν

તે જ ઉત્સાહ અથવા “તે જ ઊંડાણપૂર્વકની ચિંતા”

2 Corinthians 8:17

ὅτι τὴν μὲν παράκλησιν ἐδέξατο

તિતસને કરિંથ પાછો આવવા અને સહાય પૂર્ણ કરવા માટે પાઉલ કહે છે તેનો ઉલ્લેખ પાઉલ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે તે માત્ર અમારી વિનંતી સાથે સહમત થયો એટલું જ નહિ પણ નાણાં એકત્ર કરવામાં મદદ કરી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Corinthians 8:18

μετ’ αὐτοῦ

તિતસ સાથે

τὸν ἀδελφὸν, οὗ ὁ ἔπαινος ἐν τῷ εὐαγγελίῳ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈ કે જેની સર્વ મંડળીઓમાંના વિશ્વાસીઓ પ્રશંસા કરે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 8:19

οὐ μόνον

નહીં કે ફક્ત મંડળીઓમાંના વિશ્વાસીઓ જ તેની પ્રશંસા કરે છે

καὶ χειροτονηθεὶς ὑπὸ τῶν ἐκκλησιῶν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મંડળીઓએ પણ તેને પસંદ કર્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

σὺν τῇ χάριτι ταύτῃ τῇ διακονουμένῃ ὑφ’ ἡμῶν

ઉદારતાનું આ કાર્ય હાથ ધરવા માટે. આ યરૂશાલેમમાં દાન લઈ જવાનો ઉલ્લેખ કરે છે.

προθυμίαν ἡμῶν

મદદ કરવા માટે અમારી ઉત્સુકતા દર્શાવે છે

2 Corinthians 8:20

ἐν τῇ ἁδρότητι ταύτῃ τῇ διακονουμένῃ ὑφ’ ἡμῶν

આ યરૂશાલેમમાં દાન લઈ જવાનો ઉલ્લેખ કરે છે. અમૂર્ત સંજ્ઞા ""ઉદારતા"" નો વિશેષણ સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે આ ઉદાર ભેટનો વહીવટ જે રીતે કરી રહ્યા છીએ તે અંગે"" (જુઓ: અમૂર્ત નામો)

2 Corinthians 8:21

προνοοῦμεν γὰρ καλὰ

આ ભેટનો માનનીય રીતે વહીવટ કરવા અમે ખૂબ કાળજી રાખીએ છીએ

ἐνώπιον Κυρίου…ἐνώπιον ἀνθρώπω

પ્રભુના મત પ્રમાણે ... લોકોના મત પ્રમાણે

2 Corinthians 8:22

αὐτοῖς

તેમને"" શબ્દ તિતસ અને અગાઉ જણાવેલ ભાઈનો ઉલ્લેખ છે.

2 Corinthians 8:23

κοινωνὸς ἐμὸς καὶ εἰς ὑμᾶς συνεργός

તે મારો સાથી છે જે મને મદદ કરવા માટે મારી સાથે કાર્ય કરે છે

εἴτε ἀδελφοὶ ἡμῶν

આ બીજા બે માણસોનો ઉલ્લેખ છે જેઓ તિતસની સાથે જોડાશે.

ἀπόστολοι ἐκκλησιῶν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મંડળીઓએ તેમને મોકલ્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

δόξα Χριστοῦ

આને મૌખિક શબ્દસમૂહ સાથે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો ખ્રિસ્તનું સન્માન કરે તે માટેનું કારણ તેઓ બનશે"" (જુઓ: અમૂર્ત નામો)

2 Corinthians 9

૨ કરિંથીઓ ૦૯ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ સરળ રીતે વાંચવા માટે જમણી બાજુ દર્શાવે છે. ULT કલમ ૯ ને આ પ્રમાણે દર્શાવે છે, જેનું અવતરણ જુના કરારમાંથી લેવામાં આવ્યું છે.

આ અધ્યાયમાં મહત્વના રૂઢિપ્રયોગો

રૂપકો

પાઉલ ત્રણ કૃષિ વિષયક રૂપકોનો ઉપયોગ કરે છે. તેણે તેમનો ઉપયોગ જરૂરિયાતમંદ વિશ્વાસીઓને દાન આપવાના શિક્ષણ આપવા માટે કર્યો છે. રૂપકો પાઉલને સમજાવવામાં મદદ કરે છે કે જેઓ ઉદારતાથી આપે છે તેમને ઈશ્વર ઈનામ આપશે. પાઉલે એમ નથી કહેતો કે ઈશ્વર કેવી રીતે અને ક્યારે ઈનામ આપશે.(જુઓ:રૂપક અને બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર)

2 Corinthians 9:1

જ્યારે પાઉલે અખાયાનો ઉલ્લેખ કરે છે, ત્યારે તે દક્ષિણ ગ્રીસમાં સ્થિત રોમન પ્રાંતનો કે જ્યાં કરિંથ સ્થિત છે તેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

પાઉલ આપવાના વિષય પર વાત કરવાનું ચાલુ રાખે છે. તે ખાતરી કરવા માંગે છે કે તેના આવ્યા પહેલાં યરૂશાલેમના જરૂરિયાતમંદ વિશ્વાસીઓ માટે તેમના દાનનો સંગ્રહ થાય કે જેથી લાગે નહીં કે તે તેમનો લાભ ઉઠાવી રહ્યો છે. આપવું તે કેવી રીતે આપનારને આશીર્વાદ આપે છે અને ઈશ્વરનો મહિમા કરે છે તે વિષે તે કહે છે.

τῆς διακονίας τῆς εἰς τοὺς ἁγίους

આ યરુશાલેમ વિશ્વાસીઓને આપવા માટે એકત્ર કરેલ નાણાંનો ઉલ્લેખ કરે છે. આ નિવેદનનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""યરુશાલેમમાંના વિશ્વાસીઓ માટેની સેવા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Corinthians 9:2

Ἀχαΐα παρεσκεύασται

અહીં ""અખાયા"" શબ્દ તે લોકોનો ઉલ્લેખ કરે છે કે જેઓ આ પ્રાંતમાં રહે છે, અને વિશેષ કરીને કરિંથની મંડળીમાંના લોકોને માટે. વૈકલ્પિક ભાષાંતર: ""અખાયાના લોકો તૈયારી કરી રહ્યા છે"" (જુઓ: ઉપનામ)

2 Corinthians 9:3

τοὺς ἀδελφούς

આ તિતસ અને તેની સાથેના બે માણસોનો ઉલ્લેખ કરે છે.

μὴ τὸ καύχημα ἡμῶν, τὸ ὑπὲρ ὑμῶν, κενωθῇ

પાઉલ એવું ઈચ્છતો નથી કે બીજાઓ એવું વિચારે કે તેણે કરિંથીઓની જે બાબતો વિશે અભિમાન કર્યું હતું તે ખોટી હતી.

2 Corinthians 9:4

εὕρωσιν ὑμᾶς ἀπαρασκευάστους

તમે આપવા માટે તૈયારી વિના માલુમ પડ્યા છો

2 Corinthians 9:5

τοὺς ἀδελφοὺς, ἵνα προέλθωσιν εἰς ὑμᾶς

પાઉલના દૃષ્ટિકોણથી, ભાઈઓ જઈ રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ તમારી પાસે આવવા નીકળ્યા છે"" (જુઓ: જાઓ અને આવો)

μὴ ὡς πλεονεξίαν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""એવું કંઈ નથી કે અમે તમને આપવા માટે દબાણ કર્યું છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 9:6

ὁ σπείρων…ἐπ’ εὐλογίαις καὶ θερίσει

પાઉલ આપવાના પરિણામોનું વર્ણન કરવા માટે બીજ વાવનાર ખેડૂતની છબીનો ઉપયોગ કરે છે. જેમ ખેડૂતની લણણી તે કેટલું વાવે છે તેના પર આધારિત છે, તે જ રીતે કરિંથીઓ કેટલી ઉદારતાથી આપે છે તેના આધારે ઓછા કે વધુ ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત થશે. (જુઓ: રૂપક)

2 Corinthians 9:7

ἕκαστος καθὼς προῄρηται τῇ καρδίᾳ

અહીં ""હૃદય"" શબ્દ વિચારો અને ભાવનાઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમણે જે ઠરાવ્યું છે તે પ્રમાણે આપો"" (જુઓ: ઉપનામ)

μὴ ἐκ λύπης ἢ ἐξ ἀνάγκης

આને મૌખિક શબ્દસમૂહો સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈએ દોષની લાગણી અનુભવીને નહીં અથવા કોઈ તેને દબાણ કરે છે તે કારણે નહીં"" (જુઓ: અમૂર્ત નામો)

ἱλαρὸν γὰρ δότην ἀγαπᾷ ὁ Θεός

ઈશ્વર ઈચ્છે છે કે લોકોએ સાથી વિશ્વાસીઓને પૂરું પાડવા માટે ખુશીથી મદદ આપવી જોઈએ.

2 Corinthians 9:8

δυνατεῖ δὲ ὁ Θεὸς, πᾶσαν χάριν περισσεῦσαι εἰς ὑμᾶς

કૃપા વિશે એ રીતે વાત કરવામાં આવે છે જાણે કે તે કોઈ ભૌતિક પદાર્થ હોય જેની માત્રા કોઈ વ્યક્તિ પાસે, ઉપયોગ કરી શકે તે કરતા પણ વધારે હોય. જેમ કોઈ વ્યક્તિ અન્ય વિશ્વાસીઓને આર્થિક મદદ આપે છે, તેમ ઈશ્વર આપનારને જરૂરી બધું જ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમને તમારી જરૂરિયાત કરતાં વધારે આપવા સક્ષમ છે"" (જુઓ: રૂપક)

χάριν

કોઈ ખ્રિસ્તીને જરૂરી ભૌતિક વસ્તુઓનો ઉલ્લેખ આ કરે છે, નહીં કે તેણે તેના પાપમાંથી બચાવવા માટે ઈશ્વરની જરૂરત વિશે.

περισσεύητε εἰς πᾶν ἔργον ἀγαθόν

જેથી તમે વધારે ને વધારે સારા કાર્યો કરવા સક્ષમ થાઓ

2 Corinthians 9:9

καθὼς γέγραπται

આ લખ્યું છે તેવું જ છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લેખકે જે લખ્યું છે આ તેવું જ છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 9:10

ὁ…ἐπιχορηγῶν

ઈશ્વર જે પૂરું પાડે છે

ἄρτον εἰς βρῶσιν

અહીં ""રોટલી"" શબ્દ સામાન્ય રીતે ખોરાકનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખાવા માટેનો ખોરાક"" (જુઓ: ઉપનામ)

χορηγήσει καὶ πληθυνεῖ τὸν σπόρον ὑμῶν

પાઉલ કરિંથીઓની સંપત્તિ વિષે એ રીતે કહે છે તે જાણે કે તેઓ બીજ હોય અને બીજાઓને આપવા દ્વારા તેઓ બીજ વાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે તમારી સંપત્તિનો પુરવઠો કરશે અને વધારશે જેથી તમે તેમને અન્ય લોકોને આપીને વાવણી કરી શકો"" (જુઓ: રૂપક)

αὐξήσει τὰ γενήματα τῆς δικαιοσύνης ὑμῶν

કરિંથીઓને તેમની ઉદારતામાંથી પ્રાપ્ત કરેલા લાભોની સરખામણી પાઉલ ફસલ સાથે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમારા ન્યાયીપણા માટે તમને વધુ આશીર્વાદ આપશે"" (જુઓ: રૂપક)

τὰ γενήματα τῆς δικαιοσύνης ὑμῶν

ફસલ જે તમારા ન્યાયી કૃત્યોથી આવે છે. અહીં ""ન્યાયીપણું” શબ્દ કરિંથીઓના ન્યાયી કૃત્યો જે યરુશાલેમમાંના વિશ્વાસીઓને તેમની સાધન સામગ્રીઓ આપીને પૂરી પાડી છે, તેનો ઉલ્લેખ કરે છે.

2 Corinthians 9:11

πλουτιζόμενοι

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમને સમૃદ્ધ કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἥτις κατεργάζεται δι’ ἡμῶν, εὐχαριστίαν τῷ Θεῷ

આ શબ્દ કરિંથીઓની ઉદારતાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારી ઉદારતાને કારણે, જે ભેટો અમે તેઓની પાસે લઇ જઈશું તેઓ ઈશ્વરનો આભાર માનશે” અથવા ""અને જ્યારે અમે તમારી ભેટો જરૂરીયાતમંદ લોકોને આપીએ છીએ ત્યારે, તેઓ ઈશ્વરનો આભાર માને છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Corinthians 9:12

ὅτι ἡ διακονία τῆς λειτουργίας ταύτης

અહીં ""સેવા"" શબ્દનો અર્થ પાઉલ અને તેના સાથીઓ કે જેઓ યરુશાલેમના વિશ્વાસીઓ માટે મદદ લાવ્યા તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ અમારી સેવા યરુશાલેમના વિશ્વાસીઓને માટે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἀλλὰ καὶ περισσεύουσα διὰ πολλῶν εὐχαριστιῶν τῷ Θεῷ

પાઉલ કરિંથીઓને વિશ્વાસીઓની સેવાના કાર્યની વાત એ રીતે કરે છે જાણે કે તે પ્રવાહી હોય જે તેના પાત્ર કરતાં વધુ માત્રામાં હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તે ઘણા કાર્યોનું કારણ પણ બને છે જેના માટે લોકો ઈશ્વરનો આભાર માને છે"" (જુઓ: રૂપક)

2 Corinthians 9:13

διὰ τῆς δοκιμῆς τῆς διακονίας ταύτης

આ વાક્યને સક્રિય સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે આ સેવાઓએ તમારી કસોટી થઈ છે અને તમને સાબિત કર્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

δοξάζοντες τὸν Θεὸν ἐπὶ τῇ ὑποταγῇ τῆς ὁμολογίας ὑμῶν εἰς τὸ εὐαγγέλιον τοῦ Χριστοῦ, καὶ ἁπλότητι τῆς κοινωνίας εἰς αὐτοὺς καὶ εἰς πάντας

પાઉલે કહ્યું કે કરિંથીઓ ઈસુ પ્રત્યે વિશ્વાસુ રહીને અને જરૂરિયાતવાળા અન્ય વિશ્વાસીઓને ઉદારતાથી આપીને, એમ બે રીતથી ઈશ્વરનો મહિમા પ્રગટ કરશે.

2 Corinthians 9:15

ἐπὶ τῇ ἀνεκδιηγήτῳ αὐτοῦ δωρεᾷ

તેમની ભેટ માટે, જે શબ્દો વર્ણવી શકતા નથી. શક્ય અર્થો છે કે ૧) આ ભેટ “ખૂબ મહાન કૃપા” કે જે ઈશ્વરે કરિંથીઓને આપેલી છે તેનો ઉલ્લેખ કરે છે, જે તેમને ખૂબ ઉદાર બનવા માટેનું કારણ બન્યું છે અથવા ૨) આ દાન ઈસુ ખ્રિસ્તનો ઉલ્લેખ કરે છે, જેને ઈશ્વરે સર્વ વિશ્વાસીઓને આપ્યા છે.

2 Corinthians 10

૨ કરિંથીઓ ૧૦ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

કેટલાક અનુવાદમાં બાકીના લખાણની તુલનામાં જુના કરારમાંથી જમણી તરફ અવતરણો દર્શાવવામાં આવ્યા છે. ULT આ કલમ ૧૭ ટાંકેલા શબ્દો સાથે દર્શાવાયેલ છે.

આ અધ્યાયમાં, પાઉલ તેના અધિકારનો બચાવ કરવા તરફ પાછો ફરે છે. તે જે રીતે બોલે છે અને લખે છે તેની તુલના પણ કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચારો

અભિમાન કરવું

""અભિમાન કરવું"" ઘણીવાર બડાઈ મારવી માનવામાં આવે છે, જે સારું નથી. પરંતુ આ પત્રમાં ""અભિમાન કરવું"" એટલે કે વિશ્વાસપૂર્વક આનંદ અથવા હર્ષ કરવો થાય છે.

આ અધ્યાયમાં મહત્વના રૂઢિપ્રયોગો

રૂપક

કલમ ૩-૬માં, પાઉલ યુદ્ધમાંથી ઘણા રૂપકોનો ઉપયોગ કરે છે. ખ્રિસ્તીઓ આત્મિક યુદ્ધમાં છે તે વિષે મોટા રૂપકના ભાગરૂપે તેનો ઉપયોગ કરે છે. (જુઓ: રૂપક)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

દેહ

""દેહ"" એ વ્યક્તિના પાપી સ્વભાવ માટેનું સંભવિત રૂપક છે. પાઉલ શીખવે છે કે જ્યાં સુધી ખ્રિસ્તીઓ જીવંત છે (“દેહમાં”), ત્યાં સુધી આપણે પાપ કર્યા કરીશું. પરંતુ આપણો નવો સ્વભાવ આપણા જૂના સ્વભાવ સામે લડતો રહેશે. (જુઓ: દેહ)

2 Corinthians 10:1

પાઉલ હવે દાન આપવાના વિષય તરફથી શિક્ષણ આપવાના તેના અધિકારની પુષ્ટિ તરફ ફરે છે.

διὰ τῆς πραΰτητος καὶ ἐπιεικείας τοῦ Χριστοῦ

શબ્દ ""નમ્રતા"" અને ""સૌમ્યતા"" અમૂર્ત સંજ્ઞાઓ છે, અને તે બીજી રીતે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું જે રીતે છું તે રીતે હું નમ્ર અને સૌમ્ય છું, કારણ કે ખ્રિસ્તે મને તે રીતે બનાવ્યો છે"" (જુઓ: અમૂર્ત નામો)

2 Corinthians 10:2

τοὺς λογιζομένους

જેઓ વિચારે છે કે

ὡς κατὰ σάρκα περιπατοῦντας

દેહ"" શબ્દ પાપી માનવ સ્વભાવ માટેનું એક રૂપક છે. ""આપણે માનવીય ઉદ્દેશોથી કાર્ય કરી રહ્યા છીએ"" (જુઓ: ઉપનામ)

2 Corinthians 10:3

ἐν σαρκὶ…περιπατοῦντες

અહીં ""ચાલવું"" એ ""જીવંત"" માટેનું રૂપક છે અને ""દેહ"" એ શારીરિક જીવન માટેનું એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે શારીરિક દેહમાં જીવન જીવીએ છીએ"" (જુઓ: ઉપનામ અને રૂપક)

οὐ…στρατευόμεθα

પાઉલ જાણે કે શારીરિક યુદ્ધ લડી હોય તે રીતે કરિંથીઓને સમજાવવા પ્રયત્ન કરે છે કે તેઓએ તેના પર વિશ્વાસ કરવો અને ખોટા શિક્ષકો પર વિશ્વાસ કરવો નહીં. આ શબ્દોનું શાબ્દિક રીતે અનુવાદ થવું જોઈએ. (જુઓ: રૂપક)

κατὰ σάρκα στρατευόμεθα

શકય અર્થો છે કે ૧) ""દેહ"" શબ્દ એ શારીરિક જીવન માટે રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""શારીરિક શસ્ત્રોનો ઉપયોગ કરીને આપણા દુશ્મનો સામે લડવું"" અથવા ૨) ""દેહ"" શબ્દ પાપી માનવ સ્વભાવ માટેનું એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""પાપી રીતોમાં યુદ્ધ જાહેર કરો"" (જુઓ: ઉપનામ)

2 Corinthians 10:4

τὰ…ὅπλα τῆς στρατείας ἡμῶν…λογισμοὺς καθαιροῦντες

પાઉલ માનવીય ડહાપણને ખોટું હોવાનું બતાવતા ઈશ્વરીય ડહાપણની વાત એ રીતે કરે છે જાણે કે તે કોઈ શસ્ત્ર હોય જેનાથી તે દુશ્મનના કિલ્લાનો નાશ કરી રહ્યો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે શસ્ત્રો સાથે અમે લડીએ છીએ ... લોકોને બતાવોકે આપણા દુશ્મનો જે કહે છે તે સંપૂર્ણપણે ખોટું છે"" (જુઓ: રૂપક)

પાઉલ જાણે કે શારીરિક યુદ્ધ લડી હોય તે રીતે કરિંથીઓને સમજાવવા પ્રયત્ન કરે છે કે તેઓએ તેના પર વિશ્વાસ કરવો અને ખોટા શિક્ષકો પર વિશ્વાસ કરવો નહીં. આ શબ્દોનું શાબ્દિક અનુવાદ કરવું જોઈએ. (જુઓ: રૂપક)

οὐ σαρκικὰ

શક્ય અર્થો છે કે ૧) ""દૈહિક"" શબ્દ માત્ર શારીરિક હોવા માટે એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""શારીરિક નથી"" અથવા ૨) “દૈહિક” શબ્દ પાપી માનવ સ્વભાવ માટે રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""પાપી નથી"" અથવા ""અમને ખોટું કરવા માટે પ્રેરશો નહીં"" (જુઓ: ઉપનામ)

2 Corinthians 10:5

πᾶν ὕψωμα ἐπαιρόμενον

પાઉલ હજી યુદ્ધના રૂપક સાથે એ રીતે બોલી રહ્યો છે, જાણે કે ""ઈશ્વરનું જ્ઞાન"" એક સૈન્ય હોય અને ""દરેક ઊંચી બાબત"" એ દિવાલ હતી જે લોકોએ સૈન્યને બહાર રાખવા માટે બનાવી હતી. વૈકલ્પિક ભાષાંતર: ""અભિમાની લોકો પોતાનું રક્ષણ કરવા માટે જે દરેક જુઠી દલીલો વિચારે છે તે

πᾶν ὕψωμα

સર્વ બાબતો જે અભિમાની લોકો કરે છે

ἐπαιρόμενον κατὰ τῆς γνώσεως τοῦ Θεοῦ

પાઉલ દલીલોની વાત એ રીતે કરે છે જાણે કે તેઓ સૈન્યની સામે એક ઉંચી દીવાલ હોય. ""ઉભા થવું"" શબ્દોનો અર્થ ""સ્થિર ઊભા રહેવું” છે, નહીં કે હવામાં તરતી ""ઊંચી વસ્તુ"". વૈકલ્પિક ભાષાંતર: ""લોકો દલીલોનો ઉપયોગ કરે છે જેથી ઈશ્વર કોણ છે તે જાણવાની જરૂર તેઓને રહે નહીં"" (જુઓ: રૂપક)

αἰχμαλωτίζοντες πᾶν νόημα εἰς τὴν ὑπακοὴν τοῦ Χριστοῦ

પાઉલ લોકોના વિચારોની વાત એ રીતે કરે છે જાણે કે તેઓ દુશ્મન સૈનિકો છે જેમને તેણે યુદ્ધમાં પકડ્યા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""અમે બતાવીએ છીએ કે લોકોના ખોટા વિચારો કેવી રીતે અનુચિત છે અને લોકોને ખ્રિસ્તનું પાલન કરવાનું શીખવીએ છીએ"" (જુઓ: રૂપક અને ઉપનામ)

2 Corinthians 10:6

ἐκδικῆσαι πᾶσαν παρακοήν

આ કાર્યો કરનારા લોકો માટે ""આજ્ઞાભંગનું કાર્ય"" શબ્દો એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ અમારી આજ્ઞાઓનો અનાદર કરે છે તે દરેકને સજા કરો"" (જુઓ: ઉપનામ)

2 Corinthians 10:7

τὰ κατὰ πρόσωπον βλέπετε

શક્ય અર્થો છે કે ૧) આ આદેશ છે અથવા ૨) આ એક નિવેદન છે, ""તમે ફક્ત તમારી આંખોથી જે જોઈ શકો છો તે જ જોઈ રહ્યા છો."" કેટલાક માને છે કે આ એક અલંકારિક પ્રશ્ન છે જેને નિવેદન તરીકે પણ લખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""શું તમે જોઈ રહ્યા છો જે તમારી સામે સ્પષ્ટરૂપે દેખાય છે?"" અથવા ""તમારી સામે જે સ્પષ્ટરૂપે દેખાય છે તે તમે જોઈ શકતા નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

λογιζέσθω πάλιν ἐφ’ ἑαυτοῦ

તેને તે યાદ રાખવાની જરુર છે

καθὼς αὐτὸς Χριστοῦ, οὕτως καὶ ἡμεῖς

કે જેમ તે ખ્રિસ્તનો છે તેમ આપણે પણ ખ્રિસ્તના છીએ

2 Corinthians 10:8

εἰς οἰκοδομὴν καὶ οὐκ εἰς καθαίρεσιν ὑμῶν

પાઉલ કરિંથીઓને ખ્રિસ્તને વધુ સારી રીતે ઓળખવામાં મદદ કરવા વિષે વાત કરે છે જાણે કે તે કોઈ મકાન બનાવી રહ્યો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તમને ખ્રિસ્તના વધુ સારા અનુયાયીઓ બનવામાં મદદ કરવા અને તમને નિરાશ ન કરવા કે જેથી તમે તેનું (કલમ ૭ માં ઉલ્લેખાયેલ વ્યક્તિનું) અનુસરણ કરવાનું બંધ કરો"" (જુઓ: રૂપક)

2 Corinthians 10:9

ἂν ἐκφοβεῖν ὑμᾶς

હું તમને ડરાવવાનો પ્રયત્ન કરું છું

2 Corinthians 10:10

βαρεῖαι καὶ ἰσχυραί

અપેક્ષાયુક્ત (માંગ કરનાર) અને પ્રબળ

2 Corinthians 10:11

τοῦτο λογιζέσθω ὁ τοιοῦτος

હું એવા લોકોને સાવધ કરવા માગું છું

οἷοί ἐσμεν τῷ λόγῳ δι’ ἐπιστολῶν ἀπόντες, τοιοῦτοι καὶ παρόντες τῷ ἔργῳ

જ્યારે ત્યાં અમે તમારી સાથે હોઈશું ત્યારે અમે તેજ પ્રમાણે કરીશું જે વિશે અમે અમારા પત્રોમાં લખ્યું છે જ્યારે અમે તમારાથી દુર હતા

ἐσμεν

આ સર્વ શબ્દોના દાખલાઓ પાઉલના સેવાકાર્ય જૂથનો ઉલ્લેખ કરે છે પણ કરિંથીઓનો નહીં. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

2 Corinthians 10:12

ἐνκρῖναι ἢ συνκρῖναι ἑαυτούς

કહેવા માટે કે અમે એટલા સારા છીએ

αὐτοὶ ἐν ἑαυτοῖς, ἑαυτοὺς μετροῦντες καὶ συνκρίνοντες ἑαυτοὺς ἑαυτοῖς

પાઉલ ઘણી બધી બાબત બે વાર કહે છે. (જુઓ: સમાંતરણ)

αὐτοὶ ἐν ἑαυτοῖς, ἑαυτοὺς μετροῦντες

પાઉલ ભલાઈની વાત એ રીતે કરી રહ્યો છે જાણે કે કોઈ વસ્તુ હોય જેની લંબાઈ લોકો માપી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ એકબીજા સામે જુએ છે અને શોધવાનો પ્રયત્ન કરે છે કે કોણ વધુ સારું છે"" (જુઓ: રૂપક)

οὐ συνιᾶσιν

દરેકને એવું બતાવો કે તેઓ કંઈ પણ જાણતા નથી

2 Corinthians 10:13

પાઉલ જે અધિકાર તેની પાસે છે તેની વાત એ રીતે કરે છે જાણે કે તે કોઈ ભૂમિ હોય જેના પર તે શાસન કરે છે, તે બાબતો જેની પર તેનો અધિકાર હોય અથવા તેની ભૂમિની ""હદ"" અને જે બાબતો તેના અધિકારમાં નથી કારણ કે તે ""હદ"" બહાર છે. (જુઓ: રૂપક)

οὐκ εἰς τὰ ἄμετρα καυχησόμεθα

આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેની પર આપણો અધિકાર નથી તે બાબતો વિશે અભિમાન કરવું નહીં"" અથવા ""ફક્ત જે બાબતો પર અમારો અધિકાર છે તેના પર અભિમાન કરીશું"" (જુઓ: રૂઢિપ્રયોગ)

κατὰ τὸ μέτρον τοῦ κανόνος, οὗ ἐμέρισεν ἡμῖν ὁ Θεὸς

ઈશ્વરના અધિકાર હેઠળની બાબતો વિશે

μέτρου, ἐφικέσθαι ἄχρι καὶ ὑμῶν

પાઉલ તેના અધિકારની વાત કરે છે જાણે કે તે કોઈ પ્રદેશ છે જે પર તે શાસન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને તમે અમારા અધિકારની હદમાં છો"" (જુઓ: રૂપક)

2 Corinthians 10:14

οὐ…ὑπερεκτείνομεν ἑαυτούς

અમારી હદ બહાર ગયા નહીં

2 Corinthians 10:15

οὐκ εἰς τὰ ἄμετρα καυχώμενοι

આ એક રૂઢીપ્રયોગ છે. જુઓ ૨ કરિંથીઓ ૧૦:૧૩માં આ સમાન શબ્દોનું અનુવાદ કેવી રીતે કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: “જે બાબતો પર અમારો અધિકાર નથી તેના વિશે અભિમાન કર્યું નથી” અથવા “ફક્ત જે બાબતો અમારા અધિકારમાં નથી તે પર અમે અભિમાન કરતા નથી"" (જુઓ: રૂઢિપ્રયોગ)

2 Corinthians 10:16

ἀλλοτρίῳ κανόνι

એક વિસ્તાર કે જે ઈશ્વરે બીજાને આપ્યો છે

2 Corinthians 10:17

ἐν Κυρίῳ καυχάσθω

પ્રભુએ જે કર્યું છે તેમાં અભિમાન કરો

2 Corinthians 10:18

ὁ ἑαυτὸν συνιστάνων

આનો અર્થ એ છે કે તે સાચો છે કે ખોટો તે નક્કી કરવા તે તેને સાંભળનાર દરેક વ્યક્તિને પૂરતા પુરાવા પૂરા પાડે છે. જુઓ “પોતાની ભલામણ” નું અનુવાદ [૨કરિંથીઓ૪:૨] (../૦૪/૦૨.md)માં કેવી રીતે કર્યું છે.

ἐστιν δόκιμος

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને પ્રભુ સ્વીકારે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὃν ὁ Κύριος συνίστησιν

તમે સમજાયેલી માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""તે એક જેની ભલામણ પ્રભુ કરે છે તેને જ પ્રભુ સ્વીકારે છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

2 Corinthians 11

૨ કરિંથીઓ ૧૧ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

આ અધ્યાયમાં,પાઉલ તેના અધિકારનો બચાવ કરવાનું ચાલુ રાખે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચારો

જુઠું શિક્ષણ

કરિંથીઓ જુઠા શિક્ષકોને બહુ જલ્દીથી સ્વીકારી લેતા હતા. તેઓને ઈસુ અને સુવાર્તા વિશે ભિન્ન શિક્ષણ આપવામાં આવ્યું જે સાચું નહોતું. આ ખોટા શિક્ષકોથી વિપરીત, પાઉલે બલિદાનયુક્ત કરિંથીઓની સેવા કરી. (જુઓ: સારા સમાચારો, સુવાર્તા)

પ્રકાશ

પ્રકાશ સામાન્ય રીતે રૂપક તરીકે નવા કરારમાં વપરાયો છે. પાઉલ અહીં ઈશ્વર અને તેમના ન્યાયીપણાને પ્રગટ કરવા પ્રકાશ શબ્દનો ઉપયોગ કરે છે. અંધકાર પાપનું વર્ણન કરે છે. પાપ ઈશ્વરથી છુપાયેલું રહેવા માંગે છે. (જુઓ: પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ, ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું અને અંધકાર અને પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું)

આ અધ્યાયમાં મહત્વના રૂઢિપ્રયોગો

રૂપક

પાઉલ આ અધ્યાયની શરૂઆત વિસ્તૃત રૂપકથી કરે છે. તે પોતાની તુલના એક કન્યાના પિતા સાથે કરે છે જે તેના વરરાજાને શુદ્ધ, કુંવારી કન્યા આપી રહ્યો છે. સાંસ્કૃતિક રીતે કે આધારે લગ્નની પ્રથાઓ બદલાય છે. પરંતુ કોઈને પુખ્ત અને પવિત્ર બાળક તરીકે રજૂ કરવામાં મદદ કરવાનો વિચાર આ વિભાગમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યો છે. (જુઓ: રૂપક અને પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પૂજ્ય અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

કટાક્ષવચન

આ અધ્યાય કટાક્ષવચનોથી ભરેલું છે. પાઉલ કરિંથીના વિશ્વાસીઓને તેના કટાક્ષવચનોથી શરમમાં મૂકવાની આશા રાખે છે.

""તમે આ બાબતોને સારી રીતે સહન કરો છો!"" પાઉલ વિચારે છે કે જે રીતે જુઠા પ્રેરિતોએ કરિંથીઓ સાથે વ્યવહાર કર્યો તેને કરિંથીઓએ સહન કરવો જોઈએ નહીં. પાઉલ માને છે તેઓ તો સાચા પ્રેરિતો છે જ નહીં.

આ વાક્ય, ""માટે તમે રાજીખુશીથી મૂર્ખોને સાથ આપ્યો છે. તમે પોતે જ જ્ઞાની છો!"" મતલબ કે કરિંથીઓ માને છે કે જૂઠા પ્રેરિતો ખૂબ બુદ્ધિશાળી હતા પણ પાઉલ તેમની સાથે સંમત નથી.

""જાણે કે અમે નિર્બળ હોઈએ, એમ પોતાને વખોડનાર તરીકે હું આ બોલું છું."" જેને ટાળવું તે ખૂબ ખોટું કાર્ય છે તેવા વર્તન વિશે પાઉલ વાત કરી રહ્યો છે. પાઉલ એમ માને છે કે તે પ્રમાણે નહીં વર્તવાથી તે ખોટું કરી રહ્યો છે. તે અલંકારિક પ્રશ્નનો કટાક્ષ તરીકે પણ ઉપયોગ કરે છે. ""તમને ઊંચા કરવા માટે મેં પોતાને નીચો કર્યો, એમાં શું મેં પાપ કર્યું?"" (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન અને પ્રેરિત, પ્રેરિતપદ અને આલંકારિક પ્રશ્ન)

અલંકારિક પ્રશ્નો

ઉત્તમ હોવાના દાવા સાથે ખોટા પ્રેરિતોને નકારી કાઢતા, પાઉલ શ્રેણીબદ્ધ અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. દરેક પ્રશ્ન તેના જવાબ સાથે જોડાયેલ છે: ""શું તેઓ હિબ્રુ છે? તો હું પણ છું. શું તેઓ ઈઝરાએલી છે? તો હું પણ છું. શું તેઓ ઈબ્રાહીમના વંશજો છે? તો હું પણ છું. શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? (હું કોઈએક ઘેલા માણસની જેમ બોલું છું.) હું તેઓના કરતાં વિશેષ છું.""

તે તેના દ્વારા ખ્રિસ્તમાં બદલાણ પામેલાઓ સાથે ભારપૂર્વક વાત કરવા માટે શ્રેણીબદ્ધ અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે:""કોને અશક્ત જોઈને હું અશક્ત નથી થતો? કોને ઠોકર ખવડાવવામાં આવે છે, અને મારું હ્રદય બળતું નથી?”

""શું તેઓ ખ્રિસ્તના સેવકો છે?""

આ કટાક્ષ છે, એક વિશિષ્ટ પ્રકારનો કટાક્ષ, જેનો ઉપયોગ મશ્કરી કરવા અથવા તો અપમાન કરવા થાય છે. આ ખોટા શિક્ષકો ખરેખર ખ્રિસ્તની સેવા કરે છે તેમ પાઉલ માનતો નથી પણ તે માને છે કે તેઓ ફક્ત ડોળ કરે છે.

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

વિરોધાભાસ

""વિરોધાભાસ"" એ એક સાચું નિવેદન છે જે કંઈક અશક્યને વર્ણન કરવા દર્શાવાય છે. કલમ ૩૦માં આ વાક્ય એક વિરોધાભાસ છે: ""જો અભિમાન કરવાની જરૂર પડે, તો જે બાબતોમાં હું નિર્બળ છું તેનું હું અભિમાન કરીશ."" ૨ કરિંથીઓ ૧૨:૯ સુધી પાઉલ ખુલાસો કરતો નથી કે તે શા માટે તેની નબળાઈઓમાં અભિમાન કરશે. (૨કરિંથીઓ૧૧:૩૦)

2 Corinthians 11:1

પાઉલ તેના પ્રેરિતપદની પુષ્ટિ કરે છે.

ἀνείχεσθέ μου μικρόν τι ἀφροσύνης

મારા થોડાઘણા મૂર્ખપણાનું સહન કરો

2 Corinthians 11:2

ζηλῶ…ζήλῳ

આ શબ્દો એક સારી વાત અને પ્રબળ ઇચ્છા પ્રગટ કરે છે કે કરિંથીઓ ખ્રિસ્ત પ્રત્યે વિશ્વાસુ રહે, અને તેમને ખ્રિસ્તને છોડી દેવાનું સમજાવવામાં કોઈ સફળ થાય નહીં.

ἡρμοσάμην γὰρ ὑμᾶς ἑνὶ ἀνδρὶ, παρθένον ἁγνὴν παραστῆσαι τῷ Χριστῷ

પાઉલ કરિંથીના વિશ્વાસીઓ માટેની તેની સંભાળ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેણે બીજા વ્યક્તિને વચન આપ્યું હતું કે તે તેની પુત્રીને તેના લગ્ન માટે તૈયાર કરશે અને તે માણસ પ્રત્યે પોતાનું વચન પાળવામાં સમર્થ હોવા વિશે તે ખૂબ જ ચિંતિત છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેણે પોતાની દીકરીને તેના પતિને સોંપવા માટે વચન આપ્યું હોય તેવા પિતા સમાન હું છું. તમને એક પવિત્ર કુમારિકા જેવા ખ્રિસ્તને સોંપવા માટે હું વચનબદ્ધ છું."" (જુઓ: રૂપક)

2 Corinthians 11:3

φοβοῦμαι δὲ, μή πως…τῆς ἁγνότητος τῆς εἰς τὸν Χριστόν

પરંતુ જેમ સર્પે ચાલાકીથી હવાને છેતરી હતી તેમ તમારા વિચારો ખ્રિસ્ત પ્રત્યેની નિષ્ઠા અને શુદ્ધ ભક્તિભાવથી ભટકી જશે તેવો મને ડર છે.

φθαρῇ τὰ νοήματα ὑμῶν

પાઉલ વિચારોની વાત એ રીતે કરે છે જાણે કે તે પ્રાણીઓ છે જેને લોકો ખોટા માર્ગે દોરી રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈ તમને ખોટી બાબતો પર વિશ્વાસ કરવા ભરમાવે"" (જુઓ: રૂપક)

2 Corinthians 11:4

εἰ μὲν γὰρ ὁ ἐρχόμενος

જ્યારે કોઈ આવે છે અને

ἢ πνεῦμα ἕτερον λαμβάνετε ὃ οὐκ ἐλάβετε, ἢ εὐαγγέλιον ἕτερον ὃ οὐκ ἐδέξασθε

પવિત્ર આત્મા કરતા જુદો આત્મા, અથવા અમારી પાસેથી પ્રાપ્ત કરેલી સુવાર્તા કરતા ભિન્ન સુવાર્તા રજૂ કરે છે ત્યારે

καλῶς ἀνέχεσθε

તમને ગેરમાર્ગે દોરવા પ્રયન્ત કરે છે. [૨કરિંથી૧૧:૧] (../૧૧/૦૧.md)માં આ શબ્દોનો અનુવાદ કેવી રીતે થયો છે તે જુઓ.

2 Corinthians 11:5

τῶν ὑπέρ λίαν ἀποστόλων

પાઉલ અહીં કટાક્ષનો ઉપયોગ કરતા દર્શાવે છે કે કરિંથીઓ માને છે તે કરતા તે શિક્ષકો ઓછા મહત્વના છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે શિક્ષકો વિશે કેટલાક માને છે કે તેઓ અન્ય કરતા વધારે સારાં છે” (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

2 Corinthians 11:6

οὐ τῇ γνώσει

આ નકારાત્મક વાક્ય તે હકારાત્મક સત્ય પર ભાર મૂકે છે કે પાઉલ જ્ઞાનમાં તાલીમબદ્ધ છે. અમૂર્ત સંજ્ઞા ""જ્ઞાન"" નો અનુવાદ શાબ્દિક રીતે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું નિશ્ચિતરૂપે જ્ઞાનમાં તાલીમ પામેલ છું"" અથવા ""તેઓ જે જાણે છે તે જાણવાને હું તાલીમ પામેલ છું.”(જુઓ: વક્રોક્તિ અને અમૂર્ત નામો)

2 Corinthians 11:7

ἢ ἁμαρτίαν ἐποίησα ἐμαυτὸν ταπεινῶν, ἵνα ὑμεῖς ὑψωθῆτε

પાઉલ દાવો કરે છે કે તેણે કરિંથીઓ સાથે સારો વ્યવહાર કર્યો છે. જો જરૂરી હોય તો, આ અલંકારિક પ્રશ્નને નિવેદન તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમને  ઊંચા કરવા માટે મેં પોતાને નીચો કર્યો, એમાં મેં પાપ કર્યું નથી તે વિશે હું માનું છું કે આપણે સમંતિ ધરાવીએ છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

δωρεὰν τὸ τοῦ Θεοῦ εὐαγγέλιον εὐηγγελισάμην ὑμῖν

તમારી પાસેથી કંઇ મેળવવાની અપેક્ષાને બદલે તમને ઈશ્વરની સુવાર્તાનો ઉપદેશ આપ્યો

2 Corinthians 11:8

ἄλλας ἐκκλησίας ἐσύλησα

આ એક અતિશયોક્તિ છે જે એ હકીકત પર ભાર મૂકે છે કે જે મંડળીઓએ પાઉલને નાણાં આપવા ફરજિયાત હતા નહીં તેઓ પાસેથી તેને નાણાં મળ્યાં. વૈકલ્પિક ભાષાંતર: ""મેં અન્ય મંડળીઓ પાસેથી નાણાં સ્વીકાર્યા"" (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન અને અત્યુક્તિ અને સામાન્યીકરણ)

τὴν ὑμῶν διακονίαν

આનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું કોઈ પણ કિંમત વિના તમારી સેવા કરી શકું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Corinthians 11:9

ἐν παντὶ ἀβαρῆ ἐμαυτὸν ὑμῖν ἐτήρησα

હું ક્યારેય પણ કોઈ પણ રીતે તમારા માટે આર્થિક બોજ બન્યો નથી. પાઉલ કોઈ એવી વ્યક્તિની વાત કરે છે જેના માટે કોઈ બીજાએ નાણાં ખર્ચ કરવાના હોય જેમ કે લોકો ભારે વસ્તુઓ હોય જેને બીજા લોકોએ ઊંચકીને લઈ જવાની હોય. આનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તમારી સાથે રહી શકું તે માટે મારાથી શક્ય એટલું બધું જ મેં કર્યું છે જેથી તમારે નાણાં ખર્ચવા પડે નહી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને રૂપક)

οἱ ἀδελφοὶ ἐλθόντες

આ “ભાઈઓ” શબ્દ, કદાચ સર્વ પુરુષોનો ઉલ્લેખ કરે છે.

τηρήσω

હું ક્યારેય પણ તમને બોજરૂપ થઈશ નહીં

2 Corinthians 11:10

ἔστιν ἀλήθεια Χριστοῦ ἐν ἐμοὶ

પાઉલ ભારપૂર્વક જણાવી રહ્યો છે જેથી તેના વાચકો જાણે કે તે ખ્રિસ્ત વિશેનું સત્ય પ્રગટ કરી રહ્યો છે, અહીં તે સત્ય જણાવી રહ્યો છે. ""જેમ તમે ખરેખર જાણો છો તેમ હું ખ્રિસ્તનું સત્ય જણાવી રહ્યો છું અને જાહેર કરી રહ્યો છું, જેથી તમે જાણી શકો કે હું આ જે કહું છું તે સત્ય છે.”

ἡ καύχησις αὕτη οὐ φραγήσεται εἰς ἐμὲ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈ પણ મને અભિમાન કરતા અને શાંત રહેવા અટકાવી શકશે નહીં"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἡ καύχησις αὕτη…εἰς ἐμὲ

પાઉલે શરૂઆત કરતાં જે વિશે કહ્યું હતું તેનો ઉલ્લેખ આ કરે છે (૨ કરિંથીઓ ૧૧:૭).

τοῖς κλίμασι τῆς Ἀχαΐας

અખાયાનો પ્રાંત.""ભાગો"" શબ્દ રાજકીય વિભાગોનો નહીં પણ ભૂમિના ક્ષેત્રોની વાત કરે છે.

2 Corinthians 11:11

διὰ τί? ὅτι οὐκ ἀγαπῶ ὑμᾶς?

પાઉલ કરિંથીઓ પ્રત્યે તેનો પ્રેમ પ્રગટ કરવા અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરે છે. આ પ્રશ્નોને જોડી શકાય છે અથવા નિવેદનમાં બદલી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તમારા માટે બોજ બનવા નથી માંગતો તે શું એટલા માટે કે હું તમને પ્રેમ નથી કરતો?"" અથવા ""હું તમને મારી જરૂરિયાતો માટે ચૂકવણી કરતાં અટકાવીશ કારણ કે આ બીજાઓને દર્શાવે છે કે હું તમને પ્રેમ કરું છું"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ὁ Θεὸς οἶδεν

તમે સમજાયેલી માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર જાણે છે કે હું તમને પ્રેમ કરું છું"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

2 Corinthians 11:12

જેમ પાઉલ તેનું પ્રેરિતપદની સતત પુષ્ટિ કરે છે, તેમ તે જુઠા પ્રેરિતો વિશે કહે છે.

ἵνα ἐκκόψω τὴν ἀφορμὴν

જે જુઠા દાવાની વાત તેના દુશ્મનો કરે છે તે વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે કશું હોય જેને તે પહોંચી વળે તેમ છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી હું તેને અશક્ય બનાવી શકું"" (જુઓ: રૂપક)

εὑρεθῶσιν καθὼς καὶ ἡμεῖς

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે લોકો વિચારશે કે તેઓ અમારા જેવા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 11:13

οἱ γὰρ τοιοῦτοι

હું જે કરું છું તે કરું છું કારણ કે લોકોને તે પસંદ છે

ἐργάται δόλιοι

અપ્રમાણિક કાર્યકરો

μετασχηματιζόμενοι εἰς ἀποστόλους

તેઓ પ્રેરિતો નથી, પરંતુ તેઓ પોતાને પ્રેરિતો જેવા દેખાડવાનો પ્રયત્ન કરે છે

2 Corinthians 11:14

οὐ θαῦμα

આને નકારાત્મક સ્વરૂપમાં જણાવીને પાઉલ ભારપૂર્વક જણાવવા માંગે છે કે બીજા ઘણાં “જુઠા પ્રેરીતો” ભવિષ્યમાં કરિંથીઓ પાસે આવે તેવી અપેક્ષા કરિંથીઓ રાખી શકે છે (૨ કરિંથીઓ ૧૧:૧૩) વૈકલ્પિક ભાષાંતર: ""તેવું બને શકે છે અને આપણે તેના માટે તૈયાર હોવા જોઈએ"" (જુઓ: વક્રોક્તિ)

ὁ Σατανᾶς μετασχηματίζεται εἰς ἄγγελον φωτός

શેતાન પ્રકાશનો દૂત નથી, પણ તે પોતે એવો દેખાવવાનો પ્રયત્ન કરે છે જાણે કે તે પ્રકાશનો દૂત હોય

ἄγγελον φωτός

અહીં ""પ્રકાશ"" એ ન્યાયીપણા માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""ન્યાયીપણાનો દૂત"" (જુઓ: રૂપક)

2 Corinthians 11:15

οὐ μέγα

આને નકારાત્મક સ્વરૂપમાં જણાવીને પાઉલ ભારપૂર્વક જણાવવા માંગે છે કે ઘણા ""જુઠા પ્રેરિતો"" કરિંથીઓ પાસે આવી શકે છે જે માટે કરિંથીઓએ તૈયાર રહેવું જોઈએ (૨ કરિંથીઓ ૧૧:૧૩) વૈકલ્પિક ભાષાંતર: ""આપણે નિશ્ચે તે માટે તૈયાર રહેવું જોઈએ"" (જુઓ: વક્રોક્તિ)

καὶ οἱ διάκονοι αὐτοῦ μετασχηματίζονται ὡς διάκονοι δικαιοσύνης

તેના સેવકો ન્યાયીપણાના સેવકો નથી, પરંતુ તેઓ પોતાને ન્યાયીપણાના સેવકો બતાવવાનો પ્રયત્ન કરે છે

2 Corinthians 11:16

ὡς ἄφρονα δέξασθέ με, ἵνα κἀγὼ μικρόν τι καυχήσωμαι

જેમ તમે મૂર્ખને સ્વીકારો છો તેમ મને સ્વીકારો: મને કહેવા દો, અને મારા અભિમાનને મૂર્ખના શબ્દો તરીકે માનો

2 Corinthians 11:18

κατὰ σάρκα

અહીં રૂપક ""દેહ"" તે માણસને તેના પાપી સ્વભાવમાં અને તે સ્વભાવમાં તેની સિદ્ધિઓને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમની પોતાની માનવ સિદ્ધિઓમાં"" (જુઓ: ઉપનામ)

2 Corinthians 11:19

ἀνέχεσθε τῶν ἀφρόνων

જ્યારે હું એક મૂર્ખ તરીકે વર્તુ ત્યારે તમે મારો અંગીકાર કરો. ૨કરિંથી૧૧:૧માં સમાન શબ્દસમૂહનું ભાષાંતર કેવી રીતે થયું છે તે જુઓ.

φρόνιμοι ὄντες

પાઉલ કટાક્ષનો ઉપયોગ કરીને કરિંથીઓને શરમમાં મુકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે વિચારો છો કે તમે જ્ઞાની છો પણ તમે નથી!"" (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

2 Corinthians 11:20

ὑμᾶς καταδουλοῖ

પાઉલ અતિશયોક્તિનો ઉપયોગ કરે છે જ્યારે તે કેટલાક લોકો વિશે કહે છે કે તેઓ નિયમોનું પાલન કરવા માટે બીજાને દબાણ કરે છે, જાણે કે તેઓ તેમને ગુલામ બનાવતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ જે નિયમો વિશે વિચાર્યું છે તેના પાલન માટે તમને ફરજ પાડે છે"" (જુઓ: રૂપક અને અત્યુક્તિ અને સામાન્યીકરણ)

κατεσθίει

ઉત્તમ-પ્રેરિતો તરીકે દેખાડો કરતા લોકો વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તેવા પ્રેરિતો જાતે જ લોકોને ખાઈ જતાં હતા. વૈકલ્પિક ભાષાંતર: ""તે તમારી સર્વ સંપત્તિ લઈ લે છે"" (જુઓ: રૂપક)

λαμβάνει

વ્યક્તિ જે બાબતો વિશે અજાણ હોય તેનો ફાયદો ઉઠાવીને બીજો વ્યક્તિ પોતાની જાણકારીઓ ઉપયોગ સ્વયંને લાભ અને બીજી વ્યક્તિને નુકસાન પહોંચાડવા કરે છે.

2 Corinthians 11:21

κατὰ ἀτιμίαν λέγω ὡς ὅτι ἡμεῖς ἠσθενήκαμεν!

હું શરમ સાથે કબૂલ કરું છું કે તમારી સાથે આવું વર્તન કરવા માટે અમે એટલા હિમંતવાન નહોતા. પાઉલ કરિંથીઓને કટાક્ષમાં કહે છે કે તેઓ સાથે તેનો સારો વ્યવહાર તેની નિર્બળતાને લીધે નહોતો. વૈકલ્પિક ભાષાંતર: ""તમને નુકસાન પહોંચાડવાની શક્તિ હોવા છતાં અમે તમારી સાથે સારો વ્યવહાર કર્યો તે કહેવામાં હું શરમ અનુભવતો નથી"" (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

δ’ ἄν τις τολμᾷ (ἐν ἀφροσύνῃ λέγω), τολμῶ κἀγώ

કોઈ પણ જેના વિષે અભિમાન કરે ... તો હું પણ તેમાં અભિમાન કરવાની હિંમત કરીશ

2 Corinthians 11:22

પાઉલ જેમ પોતાના પ્રેરિતપદની પુષ્ટિ કરતો જાય છે તેમ તે એવી વિશિષ્ટ બાબતોનો ઉલ્લેખ કરે છે જે તેના વિશ્વાસી બન્યા પછી તેની સાથે બની હતી.

Ἑβραῖοί εἰσιν?…Ἰσραηλεῖταί εἰσιν?…σπέρμα Ἀβραάμ εἰσιν?

જે રીતે કદાચ કરિંથીઓ પ્રશ્નો પૂછે તે રીતે પાઉલ પ્રશ્નો પૂછીને તે પ્રશ્નોનો જવાબ આપી રહ્યો છે એ બાબત પર ભાર મૂકવા કે પોતાને ઉત્તમ-પ્રેરિતો કહેનારા જેટલા અંશે યહૂદી છે તેટલાં જ અંશે પાઉલ પણ યહૂદી છે. જો શક્ય હોય તો તમારે પ્રશ્ન-જવાબ પત્ર તૈયાર કરવું. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ઇચ્છે છે કે તમે વિચારો કે તેઓ મહત્વપૂર્ણ છે અને તેઓ જે કહે છે તે પર વિશ્વાસ કરો કારણ કે તેઓ હિબ્રુઓ, ઇઝરાએલીઓ અને ઈબ્રાહીમના વંશજો છે. વારુ, હું પણ છું."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

2 Corinthians 11:23

διάκονοι Χριστοῦ εἰσιν? (παραφρονῶν λαλῶ), ὑπὲρ ἐγώ

જે રીતે કદાચ કરિંથીઓ પ્રશ્નો પૂછે તે રીતે પાઉલ પ્રશ્નો પૂછીને તે પ્રશ્નોનો જવાબ આપી રહ્યો છે એ બાબત પર ભાર મૂકવા કે પોતાને ઉત્તમ-પ્રેરિતો કહેનારા જેટલા અંશે યહૂદી છે તેટલાં જ અંશે પાઉલ પણ યહૂદી છે. જો શક્ય હોય તો તમારે પ્રશ્ન-જવાબ પત્ર તૈયાર કરવું. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ કહે છે કે તેઓ ખ્રિસ્તના સેવકો છે — હું જાણે ઘેલો હોઉં તેમ વાત કરી રહ્યો છું - પણ હું તેઓના કરતા વિશેષ છું"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

παραφρονῶν λαλῶ

જો કે હું સારું વિચારવા અસમર્થ હતો

ὑπὲρ ἐγώ

તમે સમજાયેલી માહિતીને સ્પષ્ટ બનાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""હું તેઓ કરતા વિશેષ ખ્રિસ્તનો સેવક છું"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

ἐν κόποις περισσοτέρως

મેં વધારે મહેનત કરી છે

ἐν φυλακαῖς περισσοτέρως

હું વધુ વખત કેદખાનામાં ગયો છું

ἐν πληγαῖς ὑπερβαλλόντως

આ એક રૂઢીપ્રયોગ છે, અને તે ભારપૂર્વક કહે છે કે તેને વાંરવાર માર મારવામાં આવ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""મને ઘણી વાર મારવામાં આવ્યો હતો"" અથવા ""ગણતરી કરવાનું પણ અર્થહીન લાગે તેટલી વધારે વાર મને માર મારવામાં આવ્યો છે” (જુઓ: રૂઢિપ્રયોગ અને અત્યુક્તિ અને સામાન્યીકરણ)

ἐν θανάτοις πολλάκις

અને હું ઘણી વાર લગભગ મોતના પંજામાં આવ્યો છું

2 Corinthians 11:24

τεσσεράκοντα παρὰ μίαν

૩૯ વખત ચાબુકનો માર ખાવો આ એક સામાન્ય અભિવ્યક્તિ હતી. યહૂદી નિયમમાં સૌથી વધુ તેઓને એક સમયે ચાળીસ ફટકા મારવાની મંજૂરી આપવામાં આવી હતી. તેથી તેઓએ સામાન્ય રીતે એક વ્યક્તિને ૩૯ વખત ચાબુક મારતા હતા જેથી આકસ્મિક રીતે ખોટી ગણતરીના લીધે પણ તેઓ કોઈને વધારે ચાબુક મારવાના પાપમાં ના આવે.

2 Corinthians 11:25

ἐραβδίσθην

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોએ મને લાકડાના દંડાઓથી માર માર્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐλιθάσθην

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું મરણ પામ્યો છું એવું લાગ્યું નહીં ત્યાં સુધી લોકોએ મને પથ્થરો માર્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

νυχθήμερον ἐν τῷ βυθῷ πεποίηκα

જે વહાણમાં તે હતો તેના ડૂબ્યા પછી પાણીમાં તરતા રહ્યા હોવાનો ઉલ્લેખ પાઉલ કરી રહ્યો હતો.

2 Corinthians 11:26

κινδύνοις ἐν ψευδαδέλφοις

આ નિવેદનનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને ખ્રિસ્તમાં ભાઈઓ હોવાનો દાવો કરનારા લોકો જેઓએ અમને દગો કર્યો તેઓથી જોખમ વેઠ્યું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Corinthians 11:27

γυμνότητι

અહીં પાઉલ પોતાની કપડાંની જરૂરિયાત બતાવવા માટે અતિશયોક્તિ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા શરીરને હૂંફાળું રાખવા માટેના જરૂરી કપડાં વિના"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

2 Corinthians 11:28

ἡ ἐπίστασίς μοι ἡ καθ’ ἡμέραν, ἡ μέριμνα πασῶν τῶν ἐκκλησιῶν

પાઉલ જાણે છે કે મંડળી કેટલી સારી રીતે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે છે અને જ્ઞાનની વાતો કહે છે તે માટે ઈશ્વર તેને જવાબદાર ઠેરવશે, જાણે કે એક ભારે પદાર્થ પાઉલને તેની નીચે દબાવી રહ્યો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""હું જાણું છું કે ઈશ્વર મને સર્વ મંડળીઓની આત્મિક વૃદ્ધિ માટે જવાબદાર ઠેરવશે, અને તેથી મને હંમેશા લાગે છે કે કોઈ ભારે પદાર્થ મને તેની નીચે દબાવી રહ્યો છે"" (જુઓ: રૂપક)

2 Corinthians 11:29

τίς ἀσθενεῖ, καὶ οὐκ ἀσθενῶ?

આ અલંકારિક પ્રશ્નનો અનુવાદ નિવેદન તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે કોઈ નિર્બળ હોય ત્યારે હું પણ નિર્બળતાની લાગણી અનુભવું છું."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τίς ἀσθενεῖ, καὶ οὐκ ἀσθενῶ?

નિર્બળ"" શબ્દ એ એક આત્મિક સ્થિતિ માટે કદાચ રૂપક છે, પરંતુ કોઈને જાણ નથી કે પાઉલ શા વિશે બોલી રહ્યો છે, તેથી અહીં તે જ શબ્દનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે કોઈ નિર્બળ હોય ત્યારે હું પણ નિર્બળ છું."" (જુઓ: રૂપક)

τίς σκανδαλίζεται, καὶ οὐκ ἐγὼ πυροῦμαι?

જ્યારે કોઈ સાથી વિશ્વાસીને પાપ કરવા માટે દોરવામાં આવ્યો હોય તેવા સંજોગોમાં પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ તેનો ગુસ્સો વ્યક્ત કરવા માટે કરે છે. અહીં તેનો ગુસ્સો તેની અંદર સળગી રહ્યો છે તે રીતે વાત કરવામાં આવી છે. આ અલંકારિક પ્રશ્નનો અનુવાદ નિવેદનમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે કોઈ વ્યક્તિ ભાઈને પાપ કરવાનું કારણ આપે છે, ત્યારે હું ગુસ્સે થાઉં છું."" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને રૂપક)

σκανδαλίζεται

પાઉલ પાપ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે કોઈ વસ્તુ ઉપર ભરાઈ રહ્યું હોય અને પછી નીચે પડતું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""પાપ તરફ દોરી ગયું છે"" અથવા ""એવું વિચાર્યું છે કે કોઈકે કરેલા કામને કારણે ઈશ્વર તેને પાપ કરવાની મંજૂરી આપશે"" (જુઓ: રૂપક)

οὐκ ἐγὼ πυροῦμαι

પાઉલ પાપ વિશે ગુસ્સે થયાની વાત કરે છે જાણે કે તેના શરીરની અંદર અગ્નિ ભરેલો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""હું તેના વિશે ગુસ્સે નથી"" (જુઓ: રૂપક)

2 Corinthians 11:30

τὰ τῆς ἀσθενείας

જે બતાવે છે કે હું કેટલો નિર્બળ છું

2 Corinthians 11:31

οὐ ψεύδομαι

તે સાચું બોલી રહ્યો છે તેના પર ભાર મૂકવા માટે પાઉલ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું સંપૂર્ણપણે સત્ય કહું છું"" (જુઓ: વક્રોક્તિ)

2 Corinthians 11:32

ὁ ἐθνάρχης Ἁρέτα τοῦ βασιλέως ἐφρούρει τὴν πόλιν

રાજ્યપાલ કે જેને રાજા અરિતાસે નિયુક્ત કર્યા હતા, તેણે માણસોને શહેરની રક્ષા કરવાનું કહ્યું હતું

πιάσαι με

તેથી તેઓ મને પકડે અને બંદી બનાવે

2 Corinthians 11:33

ἐν σαργάνῃ, ἐχαλάσθην

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેટલાક લોકોએ મને ટોપલીમાં મૂક્યો અને નીચે જમીન પર ઉતારી દીધો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὰς χεῖρας αὐτοῦ

પાઉલ રાજ્યપાલના હાથનો ઉપયોગ રાજ્યપાલ માટે રૂપક તરીકે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""રાજ્યપાલ તરફથી"" (જુઓ: ઉપનામ)

2 Corinthians 12

૨ કરિંથીઓને પત્ર ૧૨ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

પાઉલ આ અધ્યાયમાં તેના અધિકારનો બચાવ કરવાનું ચાલુ રાખે છે.

જ્યારે પાઉલ કરિંથીઓ સાથે હતો, ત્યારે તેણે અસરકારક સેવાકાર્યોથી પોતાને પ્રેરિત સાબિત કર્યો હતો. તેણે તેમની પાસેથી ક્યારેય કશું લીધું ન હતું. હવે જ્યારે તે ત્રીજી વખત આવે છે, તોપણ તે કંઈપણ લેશે નહીં. તે આશા રાખે છે કે જ્યારે તે મુલાકાત લેશે, ત્યારે તેમની સાથે કડક રીતે વર્તવાની જરૂર રહેશે નહીં. (જુઓ: પ્રેરિત, પ્રેરિતપદ)

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચારો

પાઉલનું દર્શન.

પાઉલ હવે સ્વર્ગના અદ્દભુત દર્શન વિશે કહીને તેના અધિકારનો બચાવ કરે છે. જો કે કલમ ૨-૫ માં, પાઉલ ત્રીજા વ્યક્તિ તરીકે વાત કરે છે પરંતુ કલમ ૭ સૂચવે છે કે તે દર્શનનો અનુભવ કરનાર વ્યક્તિ પાઉલ પોતે જ હતો. તે દર્શન ખૂબ મહાન હતું, તેથી પાઉલને નમ્ર રહેવા માટે ઈશ્વરે તેને દેહમાં કાંટો આપ્યો. (જુઓ: સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશી (સ્વર્ગીય))

ત્રીજુ આકાશ

ઘણા વિદ્વાનો માને છે કે ""ત્રીજુ"" આકાશ ઈશ્વરનું નિવાસસ્થાન છે. કારણ કે શાસ્ત્ર પણ ""આકાશ"" ને (""પ્રથમ"" આકાશ) અને બ્રહ્માંડને(""બીજું"" આકાશ)તરીકે ઉલ્લેખ કરવા માટે ""આકાશ"" નો ઉપયોગ કરે છે.

આ અધ્યાયમાં મહત્વના રૂઢિપ્રયોગો

અલંકારિક પ્રશ્નો

પાઉલ ઘણા અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે કારણ કે તેના પર આરોપો લગાવનાર શત્રુઓ સામે તે પોતાનો બચાવ કરી રહ્યો હતો. ""કેમ કે હું તમને ભારરૂપ થયો નહિ, એ સિવાય તમે બીજી મંડળીઓ કરતાં કઈ બાબતમાં ઊતરતા હતા?"" ""શું તિતસે તમારી પાસેથી કંઈ સ્વાર્થ સાધ્યો? શું એક જ આત્મા [ની પ્રેરણા] પ્રમાણે અમે ચાલ્યા નથી? શું એક જ પગલામાં અમે ચાલ્યા નથી?"" અને ""આ બધો વખત તમે ધારતા હશો કે અમે તમારી આગળ અમને પોતાને નિર્દોષ ઠરાવવાને પ્રયત્ન કરીએ છીએ.?"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

કટાક્ષ

પાઉલ કટાક્ષનો ઉપયોગ કરે છે, એક વિશિષ્ટ પ્રકારે કટાક્ષ, જ્યારે તે તેમને યાદ અપાવે છે કે તેણે તેમની પાસેથી કંઈપણ સહાય લીધા વિના તેઓને મદદ કરી હતી. તે કહે છે, ""મારો એટલો અપરાધ માફ કરો!"" તે સતત કટાક્ષનો ઉપયોગ કરતાં કહે છે કે: ""પણ ચતુર હોવાથી મેં તમને કપટથી ફસાવ્યા"" પોતાની વિરુદ્ધના હુમલા સામે પોતાનો બચાવ કરતાં, પાઉલ તેના દર્શન વિશે જણાવે છે જેને સત્ય માનવું ઘણું અઘરું હતું. (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

વિરોધાભાસ

એ ""વિરોધાભાસ"" એ એક સાચું નિવેદન છે જે કંઈક અશક્યનું વર્ણન કરે છે. કલમ ૫માં આ વાક્ય એક વિરોધાભાસ છે: ""હું મારી નિર્બળતા સિવાય કશામાં અભિમાન નહી કરું."" મોટાભાગના લોકો નિર્બળતામાં અભિમાન કરતા નથી. કલમ ૧૦માં આ વાક્ય પણ એક વિરોધાભાસ છે: ""માટે જ્યારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું."" કલમ ૯માં, આ બંને નિવેદનો કેમ સાચા છે તે પાઉલ સમજાવે છે. ([૨કરિંથીઓને પત્ર ૧૨: ૫] (./૦૫.md))

2 Corinthians 12:1

ઈશ્વર તરફથી તેના પ્રેરિતપદનો બચાવ કરતા, પાઉલે વિશ્વાસી બન્યો ત્યારથી તેની સાથે બનતી ખાસ બાબતો જણાવી રહ્યા છે.

ἐλεύσομαι

પરંતુ હવે તે વિષે હું વાત કરવાનું ચાલુ રાખીશ

ὀπτασίας καὶ ἀποκαλύψεις Κυρίου

શક્ય અર્થો છે કે ૧) પાઉલ ""દર્શનો"" તથા ""પ્રકટીકરણો"" શબ્દોનો ઉપયોગ “દેહમાં કાંટો” શબ્દો સાથેના સમાન અર્થને દર્શાવવા માટે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રભુએ ફક્ત મને તે જોવાની મંજૂરી આપી છે"" અથવા ૨) પાઉલ બે અલગ અલગ બાબતો વિશે કહી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ગુપ્ત બાબતો કે જે ઈશ્વર મને મારી આંખોથી મને જોવા દીધી છે અને બીજી ગુપ્ત બાબતો જેના વિશે તેમણે મને કહ્યું છે"" (જુઓ: સંયોજકો)

2 Corinthians 12:2

οἶδα ἄνθρωπον ἐν Χριστῷ

પાઉલ ખરેખર પોતાના વિશે એ રીતે બોલી રહ્યો છે જાણે કે તે કોઈ બીજા વિશે બોલતો હોય, પરંતુ જો શક્ય હોય તો આનું શાબ્દિક અનુવાદ કરવું જોઈએ.

εἴτε ἐν σώματι οὐκ οἶδα, εἴτε ἐκτὸς τοῦ σώματος οὐκ οἶδα

જાણે કે કોઈ બીજા વ્યક્તિ સાથે આવું થયું હોય તે રીતે પાઉલ પોતાના દર્શન વિશેનું વર્ણન ચાલુ રાખે છે. ""તે માણસ તેના શારીરિક શરીરમાં હતો કે તેના આત્મિક શરીરમાં હતો તે પણ હું જાણતો નથી

τρίτου οὐρανοῦ

આ આકાશ અથવા બાહ્ય અવકાશ (ગ્રહો, તારાઓ અને પૃથ્વી)ને બદલે ઈશ્વરના નિવાસસ્થાનનો ઉલ્લેખ કરે છે.

2 Corinthians 12:3

જાણે કે કોઈ બીજા વ્યક્તિ વિશે વાત કરતો હોય તે રીતે પાઉલ પોતાના દર્શન વિશેનું વર્ણન ચાલુ રાખે છે.

2 Corinthians 12:4

ἡρπάγη εἰς τὸν Παράδεισον

આ ""આ માણસ""નું (કલમ ૩) શું થયું તે અંગેનો અહેવાલ પાઉલ ચાલુ રાખે છે. તે સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. શક્ય અર્થો એ છે કે ૧) ""ઈશ્વરે આ માણસને ...પારાદૈસમાં લઈ લીધો"" અથવા ૨) ""એક દૂતે આ માણસને ... પારાદૈસમાં લઈ લીધો."" જો શક્ય હોય તો, તે વ્યક્તિને પારાદૈસમાં લેનારનું નામ ન લેવું શ્રેષ્ઠ રહેશે: ""કોઈએ …પારાદૈસમાં લઈ લીધો"" અથવા ""તેઓએ ... પારાદૈસમાં લઈ લીધો.

ἡρπάγη

અચાનક અને બળજબરીથી પકડાયેલ અને ઊંચકી લેવાયેલ

τὸν Παράδεισον

શક્ય અર્થો છે કે ૧) આકાશ અથવા ૨) ત્રીજુ આકાશ અથવા ૩) આકાશમાં એક વિશેષ સ્થાન.

2 Corinthians 12:5

τοῦ τοιούτου

તે વ્યક્તિનો

οὐ καυχήσομαι, εἰ μὴ ἐν ταῖς ἀσθενείαις

આને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""હું ફક્ત મારી નિર્બળતામાં અભિમાન કરીશ

2 Corinthians 12:6

પાઉલ જેમ ઈશ્વરથી તરફથી મળેલ તેના પ્રેરિતપદનો બચાવ કરે છે, તેમ તેને નમ્ર રાખવા ઈશ્વરે આપેલી નિર્બળતાની વાત તે કરે છે.

μή τις εἰς ἐμὲ λογίσηται ὑπὲρ ὃ βλέπει με, ἢ ἀκούει ἐξ ἐμοῦ

કોઈ પણ માણસ મને જેવો જુએ છે અથવા મારું સાંભળે છે તે કરતા મને કોઈ રીતે મોટો ન ધારે

2 Corinthians 12:7

આ કલમ જણાવે છે કે ૨ કરિંથીઓને પત્ર ૧૨:૨માં પાઉલ પોતાના વિશે વાત કરતો હતો.

καὶ τῇ ὑπερβολῇ τῶν ἀποκαλύψεων

કારણ કે કોઈએ કશુંપણ ક્યારેય જોયું હોય તેના કરતા સવિશેષ અને મહાન તે પ્રકટીકરણો હતા.

ἐδόθη μοι σκόλοψ τῇ σαρκί

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે મને દેહમાં કાંટો આપ્યો"" અથવા અથવા “મને દેહમાં કાંટો આપવાની મંજૂરી ઈશ્વરે આપી” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

σκόλοψ τῇ σαρκί

અહીં પાઉલની શારીરિક સમસ્યાઓની તુલના તેના દેહમાં ભોંકતા કાંટા સાથે કરવામાં આવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પીડા"" અથવા ""શારીરિક સમસ્યા"" (જુઓ: રૂપક)

ἄγγελος Σατανᾶ

શેતાનના દૂત

ὑπεραίρωμαι

અતિશય ગર્વ

2 Corinthians 12:8

τρὶς

આ શબ્દોનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં કરવા દ્વારા પાઉલ એ બાબત પર ભાર મૂકે છે કે “દેહમાંના કાંટા” વિશે તેણે ઘણીવાર પ્રાર્થના કરી છે. ([૨ કરિંથીઓને પત્ર ૧૨:૭] (../ ૧૨ /૦૭.md)).

ὑπὲρ τούτου…τὸν Κύριον

દેહના આ કાંટા વિશે પ્રભુ, અથવા ""પ્રભુ આ પીડા વિષે

2 Corinthians 12:9

ἀρκεῖ σοι ἡ χάρις μου

હું તારે માટે દયાળુ બનીશ, અને તેની જ તારે જરૂરત છે

ἡ γὰρ δύναμις ἐν ἀσθενείᾳ τελεῖται

કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે

ἐπισκηνώσῃ ἐπ’ ἐμὲ ἡ δύναμις τοῦ Χριστοῦ

પાઉલ ખ્રિસ્તના સામર્થ્ય વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે તેની ઉપર બનાવેલ તંબુ હોય. શક્ય અર્થો છે કે ૧) ""લોકો કદાચ જોશે કે મારી પાસે ખ્રિસ્તનું સામર્થ્ય છે"" અથવા ૨) ""મારા પર ખરેખર ખ્રિસ્તનું સામર્થ્ય છે."" (જુઓ: રૂપક)

2 Corinthians 12:10

εὐδοκῶ ἐν ἀσθενείαις, ἐν ὕβρεσιν, ἐν ἀνάγκαις, ἐν διωγμοῖς, καὶ στενοχωρίαις, ὑπὲρ Χριστοῦ

શક્ય અર્થો છે કે ૧) ""એ માટે જો નિર્બળતામાં, અપમાન સહન કરવા, તંગીમાં, સતાવણીમાં અને સંકટમય પરિસ્થિતીઓ આવે તો પણ હું આનંદ માનું છું કારણ કે હું ખ્રિસ્તનો છું"" અથવા ૨)“જો આ બાબતો વધુ લોકોને ખ્રિસ્તને જાણવાનું કારણ બને છે ... તો હું નિર્બળતામાં આનંદિત છું.

ἐν ἀσθενείαις

જયારે હું નિર્બળ છું

ἐν ὕβρεσιν

હું ખરાબ વ્યક્તિ છું એમ કહીને જ્યારે લોકો મને ગુસ્સે કરવાનો પ્રયત્ન કરે છે

ἐν ἀνάγκαις

જ્યારે હું દુઃખમાં છું

στενοχωρίαις

જ્યારે મુશ્કેલી હોય છે

ὅταν γὰρ ἀσθενῶ, τότε δυνατός εἰμι

પાઉલ કહે છે કે જ્યારે જે કરવાની જરૂર છે તે કરવા માટે હવે તે બળવાન નથી, તો ખ્રિસ્ત, જે પાઉલ ક્યારેય બળવાન બને તે કરતાં પણ વધારે બળવાન છે, તે પાઉલ દ્વારા જે કરવાનું છે તે કાર્ય કરશે. જો કે, જો તમારી ભાષા મંજૂરી આપે તો આ શબ્દોનું શાબ્દિક અનુવાદ કરવું શ્રેષ્ઠ રહેશે.

2 Corinthians 12:11

કરિંથીના વિશ્વાસીઓને મજબૂત કરવા એક પ્રેરીતના સાચા ચિહ્નો તથા તેઓ સમક્ષની તેની નમ્રતા વિશે પાઉલ તેઓને યાદ અપાવે છે.

γέγονα ἄφρων

હું મૂર્ખની જેમ વર્તી રહ્યો છું

ὑμεῖς με ἠναγκάσατε

તમે મને આ રીતે વાત કરવા દબાણ કર્યું

ἐγὼ…ὤφειλον ὑφ’ ὑμῶν συνίστασθαι

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""તમારે મારા વખાણ કરવા જોઈતા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

συνίστασθαι

શક્ય અર્થો એ છે કે ૧) ""વખાણ"" ([૨કરિંથીઓને પત્ર ૩:૧] (../ ૦૩/ ૦૧. md)) અથવા ૨) ""ભલામણ કરવી"" ([૨ કરિંથીઓને પત્ર ૪: ૨] (../ ૦૪/ ૦૨.md )).

γὰρ ὑστέρησα

નકારાત્મક સ્વરૂપનો ઉપયોગ કરીને, પાઉલ ભારપૂર્વક કહી રહ્યો છે કે જે કરિંથીઓ વિચારે છે કે પાઉલ કંઈપણ ગણતરીમાં નથી તેઓ ખોટા છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે હું પણ એટલો જ સારો છું"" (જુઓ: વક્રોક્તિ)

τῶν ὑπέρ λίαν ἀποστόλων

લોકો માને છે તે કરતાં તે જુઠા શિક્ષકો ઓછા મહત્વના છે તે દર્શાવવા પાઉલ કટાક્ષનો ઉપયોગ કરે છે. [૨કરિંથીઓને પત્ર ૧૧: ૫] (../ ૧૧/ ૦૫.md) માં આ કેવી રીતે અનુવાદિત કરાયું છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""કેટલાક માને છે કે તે શિક્ષકો બીજા કોઇપણ કરતાં સારા છે"" (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

2 Corinthians 12:12

τὰ μὲν σημεῖα τοῦ ἀποστόλου κατειργάσθη

“ચિહ્નો"" પર ભાર મૂકતા, આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રેરિત તરીકેના જે ચિહ્નો મેં દર્શાવ્યા છે તે સાચા પ્રેરિતના ચિહ્નો છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

σημεῖα…σημείοις

બંને સમયે એક જ શબ્દ ઉપયોગ કરો.

σημείοις τε, καὶ τέρασιν, καὶ δυνάμεσιν

આ ""એક પ્રેરિતના સાચા ચિહ્નો"" છે કે જે પાઉલે ""સંપૂર્ણ ધીરજ સાથે"" દર્શાવ્યા હતા.

2 Corinthians 12:13

τί γάρ ἐστιν ὃ ἡσσώθητε ὑπὲρ τὰς λοιπὰς ἐκκλησίας, εἰ μὴ ὅτι αὐτὸς ἐγὼ οὐ κατενάρκησα ὑμῶν?

પાઉલ કરિંથીઓને નુકસાન પહોંચાડવા માંગે છે તેવો તેઓનો આરોપ ખોટો છે તે બાબત પર પાઉલ ભાર મૂકે છે. આ અલંકારિક પ્રશ્નનું નિવેદન તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે હું અન્ય મંડળીઓ સાથે વર્ત્યો તે જ રીતે હું તમારી સાથે વર્ત્યો છું, તે સિવાય ... તમે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἐγὼ οὐ κατενάρκησα ὑμῶν

તમારું દ્રવ્ય અથવા મારી જરૂરીયાતની બીજી વસ્તુઓ મેં તમારી પાસેથી માંગી નથી.

χαρίσασθέ μοι τὴν ἀδικίαν ταύτην!

કરિંથીઓને શરમાવવા સારું પાઉલ કટાક્ષ કરી રહ્યો છે. તે અને તેઓ બંને જાણે છે કે તેણે તેઓનું કંઈ ખોટું કર્યું નથી, પરંતુ તેઓ તેની સાથે એવું વર્તન કરે છે જાણે કે તેણે તેમની સાથે અન્યાય કર્યો હોય. (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

τὴν ἀδικίαν ταύτην

તેમની પાસે દ્રવ્ય કે બીજી વસ્તુઓની માંગ કરી નથી

2 Corinthians 12:14

ἀλλὰ ὑμᾶς

આ વાક્યનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારે જે જોઈએ છે તે એ છે કે તમે મને પ્રેમ કરો અને મારો સ્વીકાર કરો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

οὐ…ὀφείλει τὰ τέκνα τοῖς γονεῦσιν θησαυρίζειν

તેમના સ્વસ્થ માતાપિતા માટે નાણાં બચાવવા અથવા તેઓને અન્ય વસ્તુઓ આપવા માટે નાનાં બાળકો જવાબદાર નથી.

2 Corinthians 12:15

ἐγὼ…ἥδιστα δαπανήσω καὶ ἐκδαπανηθήσομαι

પાઉલ તેમના કામ અને તેના શારિરીક જીવનની વાત એ રીતે કરે છે જાણે કે તે નાણાં હોય કે જે પાઉલ અથવા ઈશ્વર ખર્ચ કરી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું રાજીખુશીથી કોઈપણ કાર્ય કરીશ અને તેમના નામ માટે શહાદત વહોરવા જો ઈશ્વર મને મારી નાંખવાને લોકોને મંજૂરી આપે તો પણ હું આનંદિત હોઈશ"" (જુઓ: રૂપક)

ὑπὲρ τῶν ψυχῶν ὑμῶν

શબ્દ “આત્માઓ” એ લોકો માટે રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “તમારા માટે” અથવા “જેથી તમે સારી રીતે જીવો” (જુઓ: ઉપનામ)

εἰ περισσοτέρως ὑμᾶς ἀγαπῶν, ἧσσον ἀγαπῶμαι?

આ અલંકારિક પ્રશ્નનો અનુવાદ નિવેદન તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો હું તમને ખૂબ પ્રેમ કરું, તો તમારે મને થોડો પ્રેમ પણ ન કરવો જોઈએ."" અથવા ""જો ... ઘણું હોય, તમે કરો છો તે કરતા તમારે મને વધુ પ્રેમ કરવો જોઈએ."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

περισσοτέρως

પાઉલનો પ્રેમ તે કરતાં “વિશેષ” છે તે શું છે તે સ્પસ્ટ નથી. ""પુષ્કળ"" અથવા ""ખૂબ જ "" નો ઉપયોગ કરવો એ શ્રેષ્ઠ છે કે જેની તુલના પછીના વાક્યમાં ""ખૂબ ઓછા"" સાથે કરી શકાય છે.

2 Corinthians 12:16

ἀλλὰ ὑπάρχων πανοῦργος δόλῳ, ὑμᾶς ἔλαβον

કરિંથીઓને શરમાવવા માટે પાઉલ કટાક્ષનો ઉપયોગ કરતા કહે છે કે તેણે તેમની પાસે નાણાં માંગ્યા ન હોવા છતાં પણ તેઓની સાથે તે જૂઠું બોલ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ અન્ય લોકો માને છે કે મેં તમને ચતુરાઈથી છેતર્યા છે"" (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

2 Corinthians 12:17

μή τινα ὧν ἀπέσταλκα πρὸς ὑμᾶς, δι’ αὐτοῦ ἐπλεονέκτησα ὑμᾶς?

પાઉલ અને કરિંથીઓ બંને જાણે છે કે જવાબ ના છે. આ અલંકારિક પ્રશ્નનો અનુવાદ નિવેદનમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મેં મોકલેલા કોઈ પણ વ્યક્તિએ તમારો લાભ ઉઠાવ્યો નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

2 Corinthians 12:18

μήτι ἐπλεονέκτησεν ὑμᾶς Τίτος?

પાઉલ અને કરિંથીઓ બંને જાણે છે આનો જવાબ ‘ના’ છે. આ અલંકારિક પ્રશ્નનો અનુવાદ નિવેદનમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તિતસે તમારો લાભ લીધો ન હતો."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

οὐ τῷ αὐτῷ πνεύματι περιεπατήσαμεν

જીવન જીવવા વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે માર્ગ પર ચાલવા જેવુ હોય. પાઉલ અને કરિંથીઓ બંનેને ખબર છે કે આ પ્રશ્નનો જવાબ ‘હા’ છે. આ અલંકારિક પ્રશ્નનો અનુવાદ નિવેદનમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણા બધાનું વલણ સમાન છે અને આપણે એકસરખી રીતે જીવીએ છીએ."" (જુઓ: આલંકારિક પ્રશ્ન) (જુઓ: રૂપક)

οὐ τοῖς αὐτοῖς ἴχνεσιν?

જીવન જીવવા વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે માર્ગ પર ચાલવા જેવુ હોય. પાઉલ અને કરિંથીઓ બંનેને ખબર છે કે આ પ્રશ્નનો જવાબ ‘હા’ છે. આ અલંકારિક પ્રશ્નનો અનુવાદ નિવેદનમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે બધા એકસરખી રીતે વર્તીએ છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને જુઓ: રૂપક)

2 Corinthians 12:19

πάλαι δοκεῖτε ὅτι ὑμῖν ἀπολογούμεθα?

લોકો આવું કાંઈક વિચારી રહ્યા હશે તેની સ્વીકૃતિ સ્વરૂપે પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. આમ કરવા દ્વારા પાઉલ તેઓને ખાતરી આપે છે કે આ સાચું નથી. વૈકલ્પિક ભાષાંતર: ""કદાચ તમે વિચારો છો કે આ સઘળો સમય અમે તમારી સમક્ષ અમારી જાતનો બચાવ કરી રહ્યા છીએ."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

κατέναντι Θεοῦ

પાઉલ જે કાંઈ કરે છે તે દરેક વાત ઈશ્વર જાણે છે તે બાબત પાઉલ એ રીતે રજૂ કરે છે જાણે કે ઈશ્વર શારીરિક રીતે હાજર હતા અને તેમણે પાઉલના શબ્દો અને કાર્યોનું અવલોકન કર્યું હતું. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર સમક્ષ"" અથવા ""ઈશ્વર સાથે સાક્ષી તરીકે"" અથવા ""ઈશ્વરની હાજરીમાં"" (જુઓ: રૂપક)

ὑπὲρ τῆς ὑμῶν οἰκοδομῆς

તમારી ઉન્નતિને સારું. કેવી રીતે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું અને આજ્ઞાપાલનની ઈચ્છા રાખવી, તે વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તે શારીરિક વૃદ્ધિની વાત હતી. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી તમે ઈશ્વરને વધુ જાણો અને તેમનું પાલન કરો"" (જુઓ: રૂપક)

2 Corinthians 12:20

οὐχ οἵους θέλω, εὕρω ὑμᾶς

મારી જાણમાં જે આવે તે કદાચ મને પસંદ ન પડે અથવા “તમે જે કરો છો તે જોવું મને પસંદ ન પડે”

κἀγὼ εὑρεθῶ ὑμῖν οἷον οὐ θέλετε

તમે મારામાં જે જુઓ એ કદાચ તમને પસંદ ન આવે

μή πως ἔρις, ζῆλος, θυμοί, ἐριθεῖαι, καταλαλιαί, ψιθυρισμοί, φυσιώσεις, ἀκαταστασίαι

ક્રિયાપદની મદદથી ""ઝઘડા, ઈર્ષ્યા, ક્રોધ, હરીફાઇ, નિંદા, ગપસપ, ઘમંડી અને અવ્યવસ્થા"" અમૂર્ત સંજ્ઞાઓનો અનુવાદ કરી શકાય છે. શક્ય અર્થો એ છે કે ૧) ""તમારામાંના કેટલાક અમારી સાથે દલીલ કરશે, અમારી ઈર્ષ્યા કરશે, અચાનક અમારા પર ખૂબ ગુસ્સે થઈ જશે, આગેવાનો તરીકેના અમારા સ્થાનો લઈ લેવાનો પ્રયત્ન કરશે, અમારા વિશે જુઠી વાતો કરશે, અમારા અંગત જીવન વિશે વાતો કરશે, ગર્વ કરશે, અને તમને દોરવાણી આપવાના અમારા પ્રયત્નનો વિરોધ કરશે.""અથવા ૨)""તમારામાંથી કેટલાક એકબીજા સાથે દલીલ કરશે, એકબીજાની ઈર્ષ્યા કરશે, અચાનક એકબીજાથી ખૂબ ગુસ્સે થશે, આગેવાન કોણ બનશે તે અંગે એકબીજા સાથે ઝઘડો કરશે, એકબીજાની જુઠી વાત કરશે, એકબીજાની અંગત જીવન વિશે વાતો કરશે, ગર્વ કરશે, અને તમારામાંથી આગેવાની આપવાને ઈશ્વરે જેઓને પસંદ કર્યા છે તેમનો વિરોધ કરશે""(જુઓ: અમૂર્ત નામો)

2 Corinthians 12:21

πενθήσω πολλοὺς τῶν προημαρτηκότων,

તમારામાંના કેટલાકે તેઓના જુના પાપ વિશે પસ્તાવો કર્યો નથી, તેઓને માટે હું શોકિત હોઈશ.

μὴ μετανοησάντων ἐπὶ τῇ ἀκαθαρσίᾳ, καὶ πορνείᾳ, καὶ ἀσελγείᾳ

શક્ય અર્થોએ છે કે ૧) પાઉલ ભાર મુકવા માટે એક જ વાત લગભગ ત્રણ વખત કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ જે જાતીયતાનું પાપ કરતાં હતા તે કરવાનું બંધ કર્યું નથી"" અથવા ૨) પાઉલ ત્રણ જુદા જુદા પાપોની વાત કરી રહ્યો છે. (જુઓ: સમાંતરણ)

ἐπὶ τῇ ἀκαθαρσίᾳ

અમૂર્ત સંજ્ઞા અશુદ્ધતાનો અનુવાદ ""એવી વસ્તુઓ જે ઈશ્વરને પ્રસન્ન કરતી નથી"" તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરને પ્રસન્ન ન કરે તેવી બાબતો વિશે ગુપ્ત રીતે વિચારવું અને ઇચ્છા કરવી"" (જુઓ: અમૂર્ત નામો)

ἐπὶ τῇ…πορνείᾳ

અમૂર્ત સંજ્ઞા ""અનૈતિકતા"" નો અનુવાદ ""અનૈતિક કાર્યો"" તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અનૈતિકતાના કાર્યો કરવા"" (જુઓ: અમૂર્ત નામો)

ἐπὶ τῇ…ἀσελγείᾳ

અમૂર્ત સંજ્ઞા ""ઉપભોગ"" નો અનુવાદ ક્રિયાપદ શબ્દસમૂહ તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ની ... અનૈતિક જાતીયતા ઇચ્છાને સંતોષતી બાબતો કરવી"" (જુઓ: અમૂર્ત નામો)

2 Corinthians 13

૨ કરિંથીઓને પત્ર ૧૩સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

આ અધ્યાયમાં, પાઉલ તેના અધિકારનો બચાવ કરવાનું સમાપ્ત કરે છે. પછી તે પત્રને અભિવાદન અને આશીર્વાદ સાથે સમાપ્ત કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચારો

તૈયારી

પાઉલ જેમ કરિંથીઓની મુલાકાત લેવાની તૈયારી કરે છે તેમ તેમને સૂચનાઓ આપે છે. તે આશા રાખે છે કે મંડળીમાં કોઈને શિસ્તમાં રાખવાની જરૂર ન પડે જેથી તે આનંદથી તેમની મુલાકાત લઈ શકે. (જુઓ: શિષ્ય, શિષ્યો)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

સામર્થ્ય અને નબળાઈ

પાઉલ વારંવાર આ અધ્યાયમાં ""સામર્થ્ય"" અને ""નબળાઈ"" વિરોધાભાસી શબ્દોનો ઉપયોગ કરે છે. અનુવાદકે એવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ કે જે એકબીજાના વિરોધી હોવાનું સમજી શકાય.

""તમે વિશ્વાસમાં છો કે નહીં તેની પરીક્ષા તમે પોતે કરો. તમારી પોતાની પરીક્ષા કરો.""

આ વાક્યોનો અર્થ શું થાય છે તેના પર વિદ્વાનો વિભાજિત થાય છે. કેટલાક વિદ્વાનો કહે છે કે ખ્રિસ્તીઓએ તેઓની ક્રિયાઓ તેમની ખ્રિસ્તી વિશ્વાસ સાથે સુસંગત છે કે કેમ તે જોવા માટે પોતાની પરીક્ષા કરવી જોઈએ. સંદર્ભ આ સમજની તરફેણ કરે છે. અન્ય લોકો કહે છે કે આ વાક્યોનો અર્થ એ છે કે ખ્રિસ્તીઓએ તેમની ક્રિયાઓ જોવી જોઈએ અને પ્રશ્ન કરવો જોઈએ કે શું તેઓને ખરેખર બચાવવામાં આવ્યા છે. (જુઓ: વિશ્વાસ/શ્રદ્ધા અને બચાવવું, બચાવ્યા, સલામત, તારણ)

2 Corinthians 13:1

પાઉલે સ્થાપિત કર્યું કે ખ્રિસ્ત તેના દ્વારા બોલી રહ્યા છે અને પાઉલ કરિંથીઓને પુનઃસ્થાપિત કરવા, પ્રોત્સાહિત કરવા અને એકરૂપ કરવા માગે છે.

ἐπὶ στόματος δύο μαρτύρων καὶ τριῶν σταθήσεται πᾶν ῥῆμα

આને સક્રિય તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""માનો કે ફક્ત બે અથવા ત્રણ લોકોએ સમાન બાબત કહ્યાં પછી કોઈએ કંઇક ખોટું કર્યું છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Corinthians 13:2

τοῖς λοιποῖς πᾶσιν

તમે સર્વ અન્ય લોકો

2 Corinthians 13:4

ἐσταυρώθη

આને સક્રિય બનાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ તેને વધસ્તંભે જડ્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀλλὰ ζήσομεν σὺν αὐτῷ ἐκ δυνάμεως Θεοῦ

ઈશ્વર આપણને તેમની સાથે અને તેમનામાં જીવન જીવવાનું સામર્થ્ય અને ક્ષમતા આપે છે.

2 Corinthians 13:5

ἐν ὑμῖν

શક્ય અર્થો એ છે કે ૧) દરેક વ્યક્તિની અંદર રહેવું અથવા ૨) ""તમારી મધ્યે,"" જૂથનો એક ભાગ અને અતિ મહત્વપૂર્ણ સભ્ય.

2 Corinthians 13:7

μὴ ποιῆσαι ὑμᾶς κακὸν μηδέν

કે તમે બિલકુલ પાપ કરો નહીં અથવા ""જ્યારે અમે તમને સુધારીએ ત્યારે તમે અમારું સાંભળવાનો ઇનકાર કરશો નહીં."" પાઉલ તેના નિવેદન સાથે વિરુદ્ધ ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કે તમે સત્કર્મ કર્યા કરો"" (જુઓ: વક્રોક્તિ)

δόκιμοι

મહાન શિક્ષકો બનો અને સત્ય જીવો

2 Corinthians 13:8

οὐ…δυνάμεθά τι κατὰ τῆς ἀληθείας

અમે લોકોને સત્ય શીખતા અટકાવવા સક્ષમ નથી

τῆς ἀληθείας, ἀλλὰ ὑπὲρ τῆς ἀληθείας

સત્ય; અમે જે કંઈ પણ કરીએ છીએ તે લોકોને સત્ય શીખવા માટે સક્ષમ બનાવશે

2 Corinthians 13:9

τὴν ὑμῶν κατάρτισιν

આત્મિક રીતે પરિપક્વ થઈ શકે છે

2 Corinthians 13:10

εἰς οἰκοδομὴν καὶ οὐκ εἰς καθαίρεσιν.

પાઉલ કરિંથીઓને ખ્રિસ્તને વધુ સારી રીતે ઓળખવામાં મદદ કરવા વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે કોઈ ઈમારત બનાવી રહ્યો છે. [૨કરિંથીઓને પત્ર ૧૦: ૮] (../ ૧૦/૦૮.md)માં તમે સમાન વાક્યનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""તમને ખ્રિસ્તના સારા અનુયાયીઓ બનવામાં મદદ કરવા અને તમને નિરાશ ના કરવા કે જેથી તમે ખ્રિસ્તનું અનુસરણ કરવાનું બંધ કરો"" (જુઓ: રૂપક)

2 Corinthians 13:11

પાઉલ કરિંથીઓના વિશ્વાસીઓને પોતાનો આ પત્ર સમાપ્ત કરે છે.

καταρτίζεσθε

પરિપક્વતા માટે કાર્ય કરો

τὸ αὐτὸ φρονεῖτε

એકબીજા સાથે સુમેળમાં રહો

2 Corinthians 13:12

ἐν ἁγίῳ φιλήματι

ખ્રિસ્તી પ્રેમ સાથે

οἱ ἅγιοι

ઈશ્વરે જેઓને પોતાને માટે અલગ રાખ્યા છે