ગુજરાતી (Gujarati): translationNotes

Updated ? hours ago # views See on DCS Draft Material

Ephesians

Ephesians front

એફેસીઓને લખેલા પત્રની પ્રસ્તાવના

ભાગ ૧ : સામાન્ય પ્રસ્તાવના

એફેસી

૧ની રૂપરેખા. સલામ અને ખ્રિસ્તમાં મળતા આત્મિક આશીર્વાદો માટે પ્રાર્થના (૧:૧-૨૩) ૧. પાપ અને તારણ (૨:૧-૧૦) ૧. ઐક્યતા અને શાંતિ (૨:૧૧-૨૨) ૧. વિશ્વાસીઓમાં ખ્રિસ્તનો મર્મ પ્રગટ કરવામાં આવ્યો (૩:૧-૧૩) ૧. વિશ્વાસીઓને સમર્થ કરવા તેમના મહિમાની સંપત્ત માટે પ્રાર્થના (૩:૧૪-૨૧) ૧. \n આત્માની ઐક્યતા, ખ્રિસ્તના શરીરને બાંધવું (૪:૧-૧૬) ૧. નવું જીવન (૪:૧૭-૩૨) ૧. ઈશ્વરનું અનુકરણ કરનારા (૫:૧-૨૧) ૧.૧ પત્નીઓ અને પતિઓ; બાળકો અને માતપિતાઓ; ગુલામો અને માલિકો (૫:૨૨-૬:૯) ૧૧. ઈશ્વરના હથિયારો (૬:૧૦-૨૦) ૧. અંતિમ સલામ (૬:૨૧-૨૪)

એફેસીઓને પત્ર કોણે લખ્યો?

પાઉલે એફેસીઓને પત્ર લખ્યો. \n પાઉલ તાર્સસ શહેરમાંથી હતો. તેના શરૂઆતમાં જીવનમાં તે શાઉલ તરીકે જાણીતો હતો. ખ્રિસ્તી બન્યા પહેલા પાઉલ એક ફરોશી હતો. તેણે ખ્રિસ્તીઓને સતાવ્યા. ખ્રિસ્તી બન્યા પછી તેણે સમગ્ર રોમન સામ્રાજ્યમાં લોકોને ઈસુ વિષે કહેતા કેટલીકવાર મુસાફરી કરી હતી

\n પ્રેરિત પાઉલે પોતાની મુસાફરીઓમાંની એકમાં એફેસસ ખાતે મંડળી શરુ કરવા મદદ કરી હતી. તેણે એફેસસમાં દોઢ વર્ષ રહીને ત્યાંના વિશ્વાસીઓને મદદ પણ કરી. સંભવત: પાઉલ રોમ ખાતેના કેદખાનામાં હતો ત્યારે આ પત્ર લખ્યો હતો.

\nએફેસીઓને પત્ર શેના વિષે છે?

પાઉલે આ પત્ર એફેસીમાંના ખ્રિસ્તીઓને ખ્રિસ્તમાં ઈશ્વરના તેઓ માટેના પ્રેમને સમજાવવા લખ્યો હતો. ઈશ્વર જે આશીર્વાદો આપી રહ્યા હતા એ તેણે તેઓને વર્ણવ્યા કારણ કે તેઓ હવે ખ્રિસ્તમાં એક થયા હતા. તેણે સમજાવ્યું કે બધાં જ વિશ્વાસીઓને એક કરવામાં આવ્યા છે, પછી તે યહૂદી હોય કે બિનયહૂદી. પાઉલ એફેસસના વિશ્વાસીઓને ઈશ્વરને પ્રસન્ન કરે એવું જીવન જીવવા ઉત્તેજન આપવા પણ ઈચ્છતો હતો.

આ પુસ્તકના મથાળાનો કેવી રીતે તરજૂમો થવો જોઈએ?

ભાષાંતરકર્તાઓ આ પુસ્તકને તેના પરંપરાગત નામ “એફેસીઓને પત્ર” કહેવાનું પસંદ કરી શકે. અથવા તેઓ સ્પષ્ટ મથાળું પસંદ કરી શકે, જેમ કે “એફેસસમાંની મંડળીને પાઉલનો પત્ર” અથવા “એફેસસમાંના ખ્રિસ્તીઓને પાઉલનો પત્ર” (જુઓ “ નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

\n

ભાગ ૨: અગત્યના ધાર્મિક અને સાંકૃતિક ખ્યાલો

એફેસીઓને પુસ્તકમાં “મર્મ” શો હતો?

ULTમાં જે શબ્દને “મર્મ” અથવા “ગુપ્ત” તરીકે અનુવાદ કરવામાં આવ્યો આવ્યો છે તે છ વાર ઉદ્ભવ્યો છે. તેના વડે પાઉલ હંમેશા એવું કશુંક કહેવા માંગતો હતો જે ઈશ્વરે માણસને પ્રગટ કરવાનું છે કારણ કે માણસો પોતાની મેળે તે પ્રગટ કરી શકતા નથી. મર્મ હંમેશા, ઈશ્વરે માનવજાતને બચાવવા યોજના કેવી રીતે ઘડી, તે વિષે અનુલક્ષતો હતો. કેટલીકવાર તે ઈશ્વરની પોતાની અને માણસો વચ્ચે શાંતિ લાવવા વિષેની યોજના વિષે હતો. \n\nકેટલીકવાર તે યહૂદીઓ અને બિનયહૂદીઓને ખ્રિસ્ત મારફતે એક કરીને તેઓને બચાવવા વિષેની ઈશ્વરની યોજવા વિષે વધુ સ્પષ્ટ હતો. આ ગુપ્ત સત્ય એ હતું કે યહૂદીઓની જેમ હવે બિનયહૂદીઓ પણ ખ્રિસ્તના અભયવચનોમાંથી લાભ મેળવવાં સમર્થ છે.

\nપાઉલે તારણ અને ન્યાયી જીવન જીવવા વિષે શું કહ્યું હતું?

પાઉલે આ પત્રમાં અને તેના બીજા પત્રોમાં તારણ અને ન્યાયી જીવન જીવવા વિષે ઘણું બધું કહ્યું છે. તેણે કહ્યું કે ઈશ્વરે ઘણાં માયાળુ બનીને ખ્રિસ્તીઓને બચાવ્યા છે કારણ કે તેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે. એ માટે, ખ્રિસ્તીઓ બન્યા પછી તેઓએ પોતે ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે તે બતાવવા ન્યાયી રીતે જીવવું જોઈએ (જુઓ :ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું)

ભાગ ૩ : ભાષાંતરની અગત્યની સમસ્યાઓ

એકવચન અને બહુવચનમાં “તમે’

શબ્દ. આ પુસ્તકમાં “હું” શબ્દ પાઉલને અનુલક્ષે છે. \n‘તમે” શબ્દ એ હંમેશા બહુવચનમાં છે અને તે આ પત્રને વાંચી શકે એવા વિશ્વાસીઓને અનુલક્ષીને છે. આના ત્રણ અપવાદો આ છે : ૫:૧૪, ૬:૨ અને ૬:૩ (જુઓ :તમેનાં સ્વરૂપો)

“નવું માણસપણું” કે “નવા માણસ” કહેવા દ્વારા પાઉલનો અર્થ શો હતો?

જ્યારે પાઉલે “નવું માણસપણું” કે “નવા માણસ” વિષે કહ્યું ત્યારે તેનો અર્થ નવો સ્વભાવ હતો, જે સ્વભાવ વિશ્વાસી વ્યક્તિ પવિત્ર આત્મા પાસેથી મેળવે છે. \nઆ નવો સ્વભાવ ઈશ્વરની પ્રતિમામાં ઉત્પન્ન કરવામાં આવ્યો હતો (જુઓ ૪:૨૪). “નવો માણસ” વાક્યાંશ પણ ઈશ્વર યહૂદી અને બિનયહૂદીઓને શાંતિમાં લાવે છે તે માટે વપરાયો છે. ઈશ્વર તેઓને, લોકોના એવા એક જૂથ તરીકે સાથે લાવ્યા કે જે તેમના પોતાના લોકો હોય (જુઓ ૨:૧૫).

ULT અનુવાદ અનુસાર એફેસીઓને લખેલા પત્રમાં “પવિત્ર” અને “પવિત્રીકરણ”ના વિચારો કેવી રીતે રજુ કરવામાં આવ્યા છે?

શાસ્ત્રવચન કેટલાક ખ્યાલોમાંના કોઈકને જણાવવા આવા શબ્દોનો ઉપયોગ કરે છે, ઘણીવાર ભાષાંતરકર્તાઓ માટે તેમની આવૃત્તિઓમાં આ ખ્યાલોને રજુ કરવા એ અઘરું હોય છે. અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં ULT અનુવાદ નીચેના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે.

  • કેટલીકવાર આ ફકરામાં રહેલો અર્થ નૈતિક પવિત્રતાને જણાવે છે. ખાસ કરીને સુવાર્તાને સમજવા માટે “પવિત્ર” શબ્દનો ઉપયોગ અગત્યનો છે, જે એ હકીકત જણાવવા માટે છે કે ઈશ્વર ખ્રિસ્તીઓને પાપરહિત તરીકે નિહાળે છે કારણ કે તેઓ ખ્રિસ્તમાં એક થયા છે. \n“પવિત્ર” શબ્દનો અન્ય ઉપયોગ, ઈશ્વર સંપૂર્ણ અને દોષરહિત છે એ ખ્યાલ વ્યક્ત કરવા માટે છે. ત્રીજો ઉપયોગ એ ખ્યાલ વ્યક્ત કરવા માટે છે કે ખ્રિસ્તીઓએ પોતપોતાના જીવનમાં દોષરહિત, ભૂલરહિત રીતે વર્તવાનું છે. \nઆ કિસ્સાઓમાં, ULT અનુવાદ “પવિત્ર,” “પવિત્ર ઈશ્વર,” “પવિત્રો,” કે “સંતો” જેવા શબ્દો વાપરે છે (જુઓ ૧:૧, ૪)
  • કેટલીકવાર ખ્રિસ્તીઓએ ભજવેલ કોઈ ખાસ ભાગને સૂચિત કર્યા વિના ફકરામાંનો સંદેશ સાદી રીતે તેઓ સંદર્ભિત કરે છે.

આ કિસ્સાઓમાં, ULT અનુવાદ “સંત” અથવા “સંતો” જેવા શબ્દો વાપરે છે.

કેટલીકવાર ફકરામાંનો અર્થ એવા કોઈક અથવા કશાક વિચારને સૂચિત કરે છે જે કેવળ ઈશ્વર માટે અલગ કરાયેલું છે. આ કિસ્સાઓમાં, ULT અનુવાદ “અલગ કરાયેલું,” “અર્પણ કરેલું,” અથવા “ને માટે રાખી મૂકેલું” જેવા શબ્દો વાપરે છે. (જુઓ ૩:૫)

ભાષાંતરકર્તાઓ તેમની પોતાની આવૃત્તિઓમાં આ વિચાર્યો કેવી રીતે રજુ કરવા તે વિષે વિચાર કરી રહ્યા છે ત્યારે ઘણીવાર UST અનુવાદ મદદરૂપ હોય છે.

“ખ્રિસ્તમાં,” “પ્રભુમાં,” વિગેરે કહેવા દ્વારા પાઉલનો મતલબ શો હતો? \n

આ પ્રકારના શબ્દો ૧:૧-૩, ૪, ૬, ૭, ૯, ૧૦, ૧૧,૧૨,૧૩,૧૫,૨૦; ૨:૬,૭,૧૦,૧૩,૧૫,૧૬, ૧૮,૨૧,૨૨; ૩:૫,૬,૯,૧૧,૧૨,૨૧; ૪:૧,૧૭,૨૧, ૩૨; ૫:૮,૧૮,૧૯; ૬:૧,૧૦,૧૮,૨૧માં ઉદ્ભવે છે. પાઉલ ખ્રિસ્ત અને વિશ્વાસીઓ વચ્ચેના એકદમ નજીકના મેળાપનો વિચાર વ્યકત કરવા માંગતો હતો. \nમહેરબાની કરીને આ પ્રકારની અભિવ્યક્તિ વિષે વધુ માહિતી મેળવવા રોમનના પત્રની પ્રસ્તાવના જુઓ.

એફેસીઓને પત્રના લખાણમાં મુખ્ય સમસ્યાઓ કઈ છે?

  • “એફેસસમાં” (૧:૧). પહેલાની હસ્તપ્રતિઓમાંની કેટલીકમાં આ વ્યક્યાંશ નથી.\nએવું બની શકે કે પાઉલે આ પત્ર બીજી ઘણી મંડળીઓ પર વંચાય એવો ઈરાદો રાખ્યો હોય જેમાં એફેસસ અને બીજા ઘણાં શહેરો પણ આવી જાય. એવું હોઈ શકે છે કે શરૂઆતમાં તેણે શહેરના નામ માટે ખાલી જગ્યા રાખી હોય અને જે લોકો તેની નકલ કરીને જુદા જુદા શહેરોએ લઈ જવાના હોય તેઓએ તે ખાલી જગ્યા ભરવાની હોય. \nપરંતુ શહેરનું નામ ધરાવતા મૂળ લખાણોમાં કેવળ “એફેસસ”નું જ નામ મળ્યું છે. માટે ULT, UST અને બીજી ઘણી આધુનિક આવૃત્તિઓ તેનો સમાવેશ કરે છે.
  • “કારણ કે આપણે તેમના શરીરના અવયવો છીએ” (૫:૩૦). \nULT અને USTને સમાવતા મોટાભાગની આધુનિક આવૃત્તિઓમાં આ પ્રમાણે વાંચવા મળે છે. કેટલીક જૂની આવૃત્તિઓ આ પ્રમાણે જણાવે છે, “કારણ કે આપણે તેમના શરીરના અવયવો અને તેમના હાડકાં છીએ.” \nજો ભાષાંતરકર્તાઓના વિસ્તારોમાં તે પ્રમાણેનું હોય તો તેઓ બીજું લખાણ પસંદ કરવાનું નક્કી કરી શકે. જો ભાષાંતરકર્તાઓ બીજું લખાણ પસંદ કરે તો તેઓએ એ બતાવવા ચોરસ કૌંસની ([]) અંદર વધારાના શબ્દો મૂકવા જોઈએ કે સંભવત: તે શબ્દો મૂળ એફેસીઓને લખેલ પત્રના નથી.

    (જુઓ : શાબ્દિક ભિન્નતા)

Ephesians 1

એફેસી ૧ની સામાન્ય નોંધ

માળખું અને ગોઠવણી

“હું પ્રાર્થના કરું છું’

ઈશ્વરને સ્તુતિ કરતી પ્રાર્થનાની જેમ પાઉલ આ અધ્યાયના ભાગનું માળખું બનાવે છે. પરંતુ પાઉલ ઈશ્વર સાથે કેવળ વાત જ કરી રહ્યો નથી.\nતે એફેસસમાંની મંડળીને શીખવી રહ્યો છે. તે તેઓ માટે જે રીતે પ્રાર્થના કરી રહ્યો છે તે પણ તે એફેસીઓને કહે છે.

આ અધ્યાયમાં ખાસ ખ્યાલો

. પૂર્વનિર્માણ

ઘણાં અભ્યાસીઓ એવું માને છે કે આ અધ્યાય “પૂર્વનિર્માણ” તરીકે ઓળખાતા વિષય પર શિક્ષણ આપે છે. કલમ ૧:૫, ૧૧માં “પૂર્વનિર્માણ” શબ્દનો ઉપયોગ જુઓ. કેટલાક અભ્યાસીઓ આ બાબતને એ જણાવવા લે છે કે જગતનો પાયો નંખાયો ત્યારથી ઈશ્વરે કેટલાક લોકોને બચાવવા સારુ પસંદ કર્યા છે. \nબાઈબલ આ વિષય પર જે શીખવે છે તે પર ખ્રિસ્તીઓના વિચારો જુદા છે, માટે ભાષાંતરકર્તાઓએ આ અધ્યાયનું ભાષાંતર કરતી વેળાએ વિશેષ કાળજી રાખવાની જરૂર છે.

Ephesians 1:1

પાઉલ પોતાને એફેસસમાંની (અને બીજી જગ્યાની) મંડળીમાંના વિશ્વાસીઓને લખેલા આ પત્રના લેખક તરીકે જણાવે છે. આ પત્રમાં જ્યાં નોંધવામાં આવ્યું હોય તે સિવાય “તમે” અને “તમારું” શબ્દો એફેસસમાંના વિશ્વાસીઓને તેમ જ સર્વ વિશ્વાસીઓને અનુલક્ષે છે, અને માટે તે બહુવચન છે. (જુઓ:તમેનાં સ્વરૂપો)

Παῦλος, ἀπόστολος Χριστοῦ Ἰησοῦ…τοῖς ἁγίοις τοῖς οὖσιν

પત્રના લેખક અને સભાજનની ઓળખ આપવા તમારી ભાષા વિશેષ રીતની હોઈ શકે. વૈકલ્પિક ભાષાંતર : હું પાઉલ, ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત આ પત્ર તમને, ઈશ્વરના પવિત્ર લોકોને લખું છું”

ἐν Χριστῷ Ἰησοῦ

“ખ્રિસ્ત ઈસુમાં” આ વાક્યાંશ અને તેના જેવા અન્ય વાક્યાંશ એ રૂપકો છે જે નવા કરારના પત્રોમાં વારંવાર ઉદ્ભવે છે. તેઓ ખ્રિસ્ત અને જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેઓ વચ્ચેનો સૌથી મજબૂત પ્રકારનો સંબંધ વ્યક્ત કરે છે, અને વિશ્વાસીઓને ખ્રિસ્તની આસપાસ ઘેરાયેલા હોય એવું ચિત્ર આપે છે. વૈકલ્પિક અનુવાદ : “ખ્રિસ્ત ઈસુ સાથેના નજદીકી સંબંધમાં” (જુઓ : રૂપક)

Ephesians 1:2

χάρις ὑμῖν καὶ εἰρήνη

આ એક સામાન્ય સલામ અને આશીર્વાદ છે જે પાઉલ ઘણીવાર તેના પત્રોની શરૂઆતમાં વાપરે છે. તમારી ભાષામાં લખાણના સ્વરૂપનો ઉપયોગ કરો જે સ્પષ્ટ કરે કે આ સલામ અને આશીર્વાદ છે.

Ephesians 1:3

આ પુસ્તકમાં અલગથી જણાવ્યું તે સિવાય “આપણે” અને “અમે” શબ્દો પાઉલને, એફેસીના વિશ્વાસીઓને અને સર્વ વિશ્વાસીઓને અનુલક્ષે છે. (જુઓ : વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

પાઉલ તેના પત્રની શરૂઆત વિશ્વાસીઓના સ્થાન અને ઈશ્વર આગળ તેમની સલામતી વિષે વાત કરીને કરે છે.

εὐλογητὸς ὁ Θεὸς καὶ Πατὴρ τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ

તમે આને સક્રિય સ્વરૂપ જણાવી શકો. વૈકલ્પિક અનુવાદ : “આપણે ઈશ્વરની અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાની સ્તુતિ કરીએ” (જુઓ :સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ εὐλογήσας ἡμᾶς

“કેમ કે ઈશ્વરે આપણને આશીર્વાદિત કર્યા છે”

πάσῃ εὐλογίᾳ πνευματικῇ

“ઈશ્વરના આત્મા તરફથી મળતા દરેક આશીર્વાદ”

ἐν τοῖς ἐπουρανίοις

“અલૌકિક જગતમાં.” “સ્વર્ગીય” શબ્દ ઈશ્વર જ્યાં છે તે જગ્યાને અનુલક્ષે છે.

ἐν Χριστῷ

અહીંયા, ખ્રિસ્તમાંનો અર્થ આ હોઈ શકે : (૧) આપણા ખ્રિસ્ત સાથેના નજીકના સંબંધને અનુલક્ષતું એક રૂપક. વૈકલ્પિક ભાષાંતર : “ખ્રિસ્ત સાથે પોતાને જોડી દઈને” (૨) ખ્રિસ્તે જે કર્યું છે તે. વૈકલ્પિક ભાષાંતર : “ખ્રિસ્ત મારફતે” અથવા “ખ્રિસ્તે જે કર્યું છે તે મારફતે” (જુઓ : રૂપક)

Ephesians 1:4

ἁγίους καὶ ἀμώμους

પાઉલ નૈતિક સારાપણા પર ભાર મૂકવા આ બે સમાન શબ્દો વાપરે છે. જો તમારી ભાષામાં બે સમાન શબ્દો નથી તો તમે જેમ USTમાં છે તેમ બંને માટે એક શબ્દ વાપરી શકો છો. (જુઓ : બેવડું/બમણાં)

ἀμώμους

દોષરહિત શબ્દમાં બે નકારાત્મક વિચારો રહેલા છે: “દોષ” અથવા “ભૂલ” અને “-રહિત” કે જેનો અર્થ છે “વિના.” જો તે તમારી ભાષામાં સ્પષ્ટ છે તો બે નકારાત્મક વિચારોની સામેનો હકારાત્મક વિચાર “સંપૂર્ણ” તે શબ્દોની જગ્યાએ મૂકી શકાય છે. (જુઓ : બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

Ephesians 1:5

“તેમનું,” “તેઓ,” અને “તે” શબ્દો ઈશ્વરને અનુલક્ષે છે.

προορίσας ἡμᾶς εἰς υἱοθεσίαν

આપણે શબ્દ પાઉલને, એફેસસની મંડળીને અને ખ્રિસ્તમાં સર્વ વિશ્વાસીઓને અનુલક્ષે છે. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વર બહુ પહેલા આપણને દત્તક લેવાની યોજના ઘડી હતી” (જુઓ : વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

προορίσας ἡμᾶς

“ઈશ્વરે આપણને સમયની પહેલા પસંદ કર્યા” અથવા “ઈશ્વરે આપણને બહુ પહેલા પસંદ કર્યા”

εἰς υἱοθεσίαν

અહીંયા “દત્તકપણું” રૂપક છે જે ઈશ્વરના કુટુંબનો ભાગ બનવાને અનુલક્ષે છે. વૈકલ્પિક ભાષાંતર : “તેમના બાળકો બનવા સારુ” (જુઓ : રૂપક)

διὰ Ἰησοῦ Χριστοῦ

ઈસુ ખ્રિસ્તના કામ દ્વારા ઈશ્વર વિશ્વાસીઓને તેમના કુટુંબમાં લાવ્યા.

Ephesians 1:6

ἐχαρίτωσεν ἡμᾶς ἐν τῷ ἠγαπημένῳ

“તેમણે તેમના વહાલાં પુત્રના માધ્યમથી આપણને તે ઉદારતાથી આપી”

τῷ ἠγαπημένῳ

“ઈસુ ખ્રિસ્ત કે જેમને તેઓ પ્રેમ કરે છે” અથવા “તેમનો પુત્ર જેમને તેઓ પ્રેમ કરે છે”

Ephesians 1:7

διὰ τοῦ αἵματος αὐτοῦ

ઈસુનું રક્ત એ તેમના મરણ માટે નજીકનો શબ્દ છે. વૈકલ્પિક ભાષાંતર : “કારણ કે તે મરણ પામ્યા” (જુઓ : ઉપનામ)

τὸ πλοῦτος τῆς χάριτος αὐτοῦ

ઈશ્વરની કૃપા જાણે ભૌતિક સંપત્તિ હોય તેમ પાઉલ તેને વિષે વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વરની કૃપાની મહાનતા” અથવા “ઈશ્વરની કૃપાની પુષ્કળતા” (જુઓ : રૂપક)

Ephesians 1:8

ἧς ἐπερίσσευσεν εἰς ἡμᾶς

“જે તેમણે આપણને પુષ્કળતામાં આપી” અથવા “આપણા પ્રત્યે બહુ જ ભલા બનીને”

ἐν πάσῃ σοφίᾳ καὶ φρονήσει

આનો અર્થ આ હોઈ શકે : (૧) કારણ કે તેમની પાસે સર્વ ડહાપણ અને સમજણ છે. (૨) કે જેથી આપણી પાસે પણ ઘણું ડહાપણ અને સમજણ હોય.

σοφίᾳ καὶ φρονήσει

અહીંયા, ડહાપણ અને સમજણનો અર્થ એકદમ સમાન બાબતો છે. જો તમારી ભાષામાં બે સમાન શબ્દો નથી તો તમે બંને માટે એક શબ્દ વાપરી શકો છો. (જુઓ : બેવડું/બમણાં)

Ephesians 1:9

κατὰ τὴν εὐδοκίαν αὐτοῦ

આનો અર્થ આ હોઈ શકે : (૧) કારણ કે તેઓ આપણને તે જણાવવા માંગતા હતા. (૨) એ તેઓ ઇચ્છતા હતા.

ἣν προέθετο ἐν αὐτῷ

“જેમ તેમણે આ સંકલ્પ ખ્રિસ્તમાં જણાવ્યો”

ἐν αὐτῷ

“ખ્રિસ્ત વડે”

Ephesians 1:10

εἰς οἰκονομίαν

અહીંયા નવું વાક્ય શરુ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર : “તેમણે વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ કર્યું” અથવા “તેમણે આ કારભારીપણા વિષે વિચારીએ કર્યું”

τοῦ πληρώματος τῶν καιρῶν

“સમય યોગ્ય હોય ત્યારે” અથવા “તેમણે જે સમય નક્કી કર્યો છે ત્યારે”

ἐν αὐτῷ

“તેમના રાજ હેઠળ” અથવા “તેમની સત્તા હેઠળ”

Ephesians 1:11

καὶ ἐκληρώθημεν, προορισθέντες

આ કલમમાં બંને સર્વનામ આપણે અને અમે સમાવિષ્ટ છે. પાઉલ બધાં ખ્રિસ્તઓને સંદર્ભિત કરી રહ્યો છે, કે જેઓ ખ્રિસ્તના થવા સારુ પૂર્વનિર્મિત હતા. કલમ ૧૨ અને ૧૩માં તે આ જૂથને “આપણે” (એકમાત્ર) યહૂદી-ખ્રિસ્તીઓ અને “તમે” બિનયહૂદી-ખ્રિસ્તીઓમાં વિભાજીત કરશે. (જુઓ : વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

καὶ ἐκληρώθημεν

તમે આને સક્રિય સ્વરૂપમાં જણાવી શકો છો. આનો અર્થ આ હોઈ શકે : (૧) ઈશ્વરે આપણને પણ તેમની સંપત્તિ થવાને પસંદ કર્યા. (૨) ઈશ્વરે આપણને પણ તેમનો વારસો થવાને પસંદ કર્યા. (જુઓ : સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

προορισθέντες

તમે આને સક્રિય સ્વરૂપમાં જણાવી શકો. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વરે આપણને સમય અગાઉ પસંદ કર્યા” અથવા “ઈશ્વરે આપણે બહુ પહેલાં પસંદ કર્યા” (જુઓ : સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Ephesians 1:12

ἡμᾶς…τοὺς προηλπικότας ἐν τῷ Χριστῷ

અહીંયા આપણે શબ્દ વિશિષ્ટ છે અને તે યહૂદી વિશ્વાસીઓને અનુલક્ષે છે કે જેઓએ સૌ પહેલા શુભ સમાચાર સાંભળ્યા હતા, તે એફેસસના વિશ્વાસીઓને અનુલક્ષીને વાપર્યો નથી. (જુઓ : વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

εἰς τὸ εἶναι ἡμᾶς, εἰς ἔπαινον δόξης αὐτοῦ

“કે જેથી આપણે....તેમના મહીમાંર્થે તેમની સ્તુતિ કરવાને જીવીએ”

Ephesians 1:13

પાઉલ અગાઉની બે કલમોમાં પોતાને વિષે અને બીજા યહૂદી વિશ્વાસીઓ વિષે વાત કરી રહ્યો છે, પરંતુ હવે તે એફેસસના વિશ્વાસીઓ વિષે વાત કરવાનું શરુ કરે છે.

τὸν λόγον τῆς ἀληθείας

આનો અર્થ આ હોઈ શકે : (૧) સત્ય વિષે સંદેશ. (૨) સાચો સંદેશ.

ἐσφραγίσθητε τῷ Πνεύματι τῆς ἐπαγγελίας, τῷ Ἁγίῳ

આ રૂપકમાં પાઉલના આત્માને મુદ્રા તરીકેનું ચિત્ર આપે છે, ઉપરાંત તેમને મીણ સાથે સરખાવે છે, જે પત્ર પર ચોંટાડવામાં આવતું હતું અને જે વ્યક્તિએ આ પત્ર લખ્યો તેનું પ્રતિનિધિત્વ કરતા સંકેત સાથે તેની પર સિક્કો મારવામાં આવતો હતો. \nઆપણે ઈશ્વરના છીએ તેની ખાતરી આપવા ઈશ્વરે કેવી રીતે પવિત્ર આત્માનો ઉપયોગ કર્યો તે બતાવવા પાઉલ આ પ્રથાને ચિત્ર તરીકે વાપરે છે.\nવૈકલ્પિક ભાષાંતર : “જાણે પવિત્ર આત્મા મુદ્રા હોય તેમ ઈશ્વરે તેમને તમારા પર મોકલ્યા છે, કે જેનું તેમણે વચન આપ્યું હતું” (જુઓ : રૂપક)

ἐσφραγίσθητε

તમે આને સક્રિય સ્વરૂપમાં જણાવી શકો. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વરે તમને મુદ્રાંકિત કર્યા છે” (જુઓ : સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Ephesians 1:14

ἀρραβὼν τῆς κληρονομίας ἡμῶν

ઈશ્વરે તેનું વચન આપ્યું છે તે પ્રાપ્ત કરવું એ કુટુંબના સભ્ય પાસેથી મિલકતનો કે સંપત્તિનો વારસો મેળવવાનો હોય એ રીતે કહેવામાં આવ્યું છે. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વરે જેનું વચન આપ્યું છે તેમાંથી જે આપણે મેળવવાના છીએ તેનો શરૂઆતનો હિસ્સો” અથવા “ઈશ્વરે આપણને જે આપવાનું વચન આપ્યું છે તેની બાહેધરી” (જુઓ : રૂપક)

Ephesians 1:15

પાઉલ એફેસીના વિશ્વાસીઓ માટે પ્રાર્થના કરે છે અને ખ્રિસ્ત મારફતે જે પરાક્રમ વિશ્વાસીઓ પાસે છે તે માટે ઈશ્વરની સ્તુતિ કરે છે.

διὰ τοῦτο

જોડતો વાક્યાંશ આને કારણે કારણ-પરિણામ સંબંધની ઓળખ કરાવે છે. કારણ એ છે કે એફેસીઓને સુવાર્તા પર વિશ્વાસ કર્યો હતો અને પવિત્ર આત્મા દ્વારા મુદ્રાંકિત કરવામાં આવ્યા હતા. પરિણામ એ છે કે પાઉલ ઈશ્વરની સ્તુતિ કરે છે. તમારી ભાષામાં એવું વાક્યાંશ વાપરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ : જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

Ephesians 1:16

οὐ παύομαι εὐχαριστῶν

પાઉલ ઈશ્વરનો આભાર માનવાનું જારી રાખે છે તે બાબત પર ભાર મૂકવા બંધ કર્યું નથી શબ્દો વાપરે છે. વૈકલ્પિક ભાષાંતર : “હું ઈશ્વરનો આભાર માનવાનું જારી રાખું છું” (જુઓ : વક્રોક્તિ)

οὐ παύομαι εὐχαριστῶν

પોતે વારંવાર ઈશ્વરનો આભાર માને છે તેની પર ભાર મૂકવા પાઉલે આ અતિશયોક્તિભર્યું વિધાન વાપરે છે. વૈકલ્પિક ભાષાંતર: “હું ઈશ્વરનો આભાર માનવાનું જારી રાખું છું” અથવા “હું વારંવાર ઈશ્વરનો આભાર માનું છું” (જુઓ : અત્યુક્તિ અને સામાન્યીકરણ)

Ephesians 1:17

ἵνα

જોડતો વાક્યાંશ જેથી કરીને કારણ-પરિણામ સંબંધની ઓળખ કરાવે છે. કારણ એ છે કે પાઉલ એફેસસના લોકો માટે પ્રાર્થના કરે છે. પરિણામ એ છે કે પાઉલે ખ્રિસ્ત મારફતે તેઓ માટે જે સર્વ કર્યું છે તે વિષે ઈશ્વર એફેસીઓને માહિતગાર કરે. તમારી ભાષામાં એવું વાક્યાંશ વાપરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ : જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

πνεῦμα σοφίας καὶ ἀποκαλύψεως, ἐν ἐπιγνώσει αὐτοῦ

“તેમનું પ્રકટીકરણ સમજવા આત્મિક ડહાપણ”

Ephesians 1:18

πεφωτισμένους τοὺς ὀφθαλμοὺς τῆς καρδίας

અહીંયા, હૃદય શબ્દ વ્યક્તિના મન કે વિચારને અનુલક્ષે છે. વૈકલ્પિક ભાષાંતર : “કે જેથી તમે સમજણ પ્રાપ્ત કરો” (જુઓ : ઉપનામ)

πεφωτισμένους τοὺς ὀφθαλμοὺς τῆς καρδίας

તમે આને સક્રિય-કાળમાં જણાવી શકો. વૈકલ્પિક ભાષાંતર : “કે ઈશ્વર તમને સમજણ આપે” અથવા “કે ઈશ્વર તમારા મનોને પ્રકાશિત કરે” (જુઓ:સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τοὺς ὀφθαλμοὺς τῆς καρδίας

“તમારા હૃદયની આંખો” આ વાક્યાંશ વ્યક્તિની સમજણ મેળવવાની આવડત માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર : “કે તમે સમજણ મેળવીને પ્રકાશિત થાઓ” (જુઓ:રૂપક)

πεφωτισμένους

“કે ....... જોઈ શકો એવા બનો”

τῆς κλήσεως αὐτοῦ

ઈશ્વરનું તેડું લોકો તેમના પર વિશ્વાસ કરે માટે તેમણે તેઓને પસંદ કર્યા તેને અનુલક્ષે છે. વૈકલ્પિક ભાષાંતર : “કે તમારી પાસે છે કારણ કે તેમણે તમને તેમના લોકો થવા પસંદ કર્યા છે”

τῆς κληρονομίας αὐτοῦ

ઈશ્વરે વિશ્વાસીઓને જેનું વચન આપ્યું છે તે જાણે કોઈ વ્યક્તિ કુટુંબના સભ્ય પાસેથી મિલકત અને સંપત્તિનો વારસો મેળવતો હોય એ રીતે કહેવામાં આવ્યું છે. (જુઓ:રૂપક)

τοῖς ἁγίοις

“જેઓને તેમણે પોતાને માટે અલગ કર્યા છે” અથવા “જેઓ સંપૂર્ણપણે તેમના છે”

Ephesians 1:19

τὸ ὑπερβάλλον μέγεθος τῆς δυνάμεως αὐτοῦ

“ઈશ્વરનું પરાક્રમ, જે બીજા સર્વ પરાક્રમથી ઘણું વધારે છે”

εἰς ἡμᾶς, τοὺς πιστεύοντας

“આપણે જેઓ વિશ્વાસ કરીએ છે તેઓ માટે”

τὴν ἐνέργειαν τοῦ κράτους τῆς ἰσχύος αὐτοῦ

“તેમનું મહાન પરાક્રમ જે આપણા માટે કામ કરે છે”

τοῦ κράτους τῆς ἰσχύος αὐτοῦ

શક્તિ અને સામર્થ્ય શબ્દોના અર્થ સમાન છે અને તે જોડાયેલા હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર : “તેમના મોટા સામર્થ્યના” (જુઓ:બેવડું/બમણાં)

Ephesians 1:20

ἐγείρας αὐτὸν ἐκ νεκρῶν

“જ્યારે તેમણે તેમને ફરીથી જીવન કર્યા”

ἐκ νεκρῶν

આ લખાણ અધ:સ્થાનમાંના સર્વ મરણ પામેલા લોકોને એક સાથે વર્ણવે છે. તેઓમાંથી પાછા આવવું એ ફરીથી જીવંત થવા વિષે કહે છે. વૈકલ્પિક ભાષાંતર : “જેઓ મરણ પામ્યા છે તેઓમાંથી” (જુઓ : નામવાચક વિશેષણો)

καθίσας ἐν δεξιᾷ αὐτοῦ, ἐν τοῖς ἐπουρανίοις

રાજાના *જમણે હાથે જે વ્યક્તિ બેસે છે તે તેમની જમણી બાજુએ બેસીને, રાજાના જમણા હાથે કે જમણી બાજુએ બેઠેલ છે તેમના સર્વ અધિકારથી રાજ કરે છે. આ એક સ્થાનનો અલગ શબ્દ છે કે જે સ્થાન પરની વ્યક્તિના હાથમાં ભોગવટો હોય છે. વૈકલ્પિક ભાષાંતર : “સ્વર્ગમાંથી રાજ કરવા તેમણે સર્વ અધિકાર આપ્યો” (જુઓ : ઉપનામ)

καθίσας ἐν δεξιᾷ αὐτοῦ

ઈશ્વરના જમણા હાથે બેસવું એ ઈશ્વર તરફથી મોટું માન અને અધિકાર મેળવવાની સાંકેતિક ક્રિયા છે. વૈકલ્પિક ભાષાંતર : “પોતાની બાજુમાં માન અને અધિકારની જગ્યાએ તેમને બેસાડ્યા છે” (જુઓ : સાંકેતિક પગલું)

ἐν τοῖς ἐπουρανίοις

“અલૌકિક જગતમાં.” સ્વર્ગીય શબ્દ એ ઈશ્વર જ્યાં છે તે જગ્યાને અનુલક્ષે છે. તમે આનું કેવું ભાષાંતર કર્યું છે તે જુઓ [એફેસી ૧:૩] (../૦૧/૦૩.md).

Ephesians 1:21

ὑπεράνω πάσης ἀρχῆς, καὶ ἐξουσίας, καὶ δυνάμεως, καὶ κυριότητος

આ સર્વ શબ્દો અલૌકિક હસ્તીઓ, બંને દૂતો અને ભૂતોની પદવીઓ માટે છે. જો તમારી ભાષામાં શાસકો કે અધિકારીઓ માટે ચાર જુદા શબ્દો ન હોય તો તમે તેઓને એક શબ્દમાં સાંકળી કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર : “સર્વ પ્રકારની અલૌકિક હસ્તીઓ કરતા ઘણે ઊંચે” (જુઓ : બેવડું/બમણાં)

παντὸς ὀνόματος ὀνομαζομένου

તમે આને સક્રિય સ્વરૂપમાં જણાવી શકો છો. આનો અર્થ આ કોઈ શકે : (૧) દરેક નામ જે માણસ આપે છે. (૨) દરેક નામ જે ઈશ્વર આપે છે. (જુઓ : સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὀνόματος

આ (૧) મથાળા (૨) સત્તાના હોદ્દાને અનુલક્ષી શકે છે.

ἐν τῷ αἰῶνι τούτῳ

“આ સમયે”

ἐν τῷ μέλλοντι

“ભવિષ્યમાં”

Ephesians 1:22

ὑπὸ τοὺς πόδας αὐτοῦ

અહીંયા, પગ ખ્રિસ્તનું સ્વામીત્વ, અધિકાર અને પરાક્રમ રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : “ખ્રિસ્તના પરાક્રમ હેઠળ” (જુઓ : ઉપનામ)

κεφαλὴν ὑπὲρ πάντα

અહીંયા, શિર રૂપક છે, તે આગેવાન અથવા જે જવાબદારી પર છે તેને અનુલક્ષે છે. વૈકલ્પિક ભાષાંતર : “બધી જ બાબતો પર શાસક” (જુઓ : રૂપક)

Ephesians 1:23

τὸ σῶμα αὐτοῦ

જેમ શિર (કલમ ૨૨) માનવી શરીરને લગતી સર્વ બાબતો પર રાજ કરે છે તેમ ખ્રિસ્ત મંડળીરૂપી શરીરના શિર છે. (જુઓ : રૂપક)

τὸ πλήρωμα τοῦ τὰ πάντα ἐν πᾶσιν πληρουμένου

“કેમ કે જેમ ખ્રિસ્ત સર્વ બાબતોને જીવન આપે છે તેમ તેઓ મંડળીને પોતાના જીવન અને પરાક્રમથી ભરે છે”

τὸ πλήρωμα

આને : (૧) નિષ્ક્રિય રીત શકે છે, જેનો અર્થ ખ્રિસ્ત મંડળીને ભરે કે સંપૂર્ણ કરે છે એવો થાય. (૨) સક્રિય રીત શકે છે, જેનો અર્થ ખ્રિસ્ત મંડળીને સંપૂર્ણ કરે છે એવો થાય (જેમ શરીર શિરને સંપૂર્ણ કરે છે તેમ).

Ephesians 2

એફેસી ૨ સામાન્ય નોંધો

માળખું અને ગોઠવણી

ઈસુ પર વિશ્વાસ કર્યા પહેલા ખ્રિસ્તી વ્યક્તિનું જે જીવન હતું તેની પર આ અધ્યાય ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યાર પછી પાઉલ આ માહિતીનો ઉપયોગ વ્યક્તિની પહેલાની જીવન જીવવાની રીત કેવી રીતે “ખ્રિસ્તમાં” તેની નવી ઓળખથી જુદી છે તે સમજાવવા કરે છે. (જુઓ : વિશ્વાસ/શ્રદ્ધા)

\n

આ અધ્યાયમાંના ખાસ વિચારો

એક શરીર

આ અધ્યાયમાં પાઉલ મંડળી વિષે શીખવે છે. મંડળી લોકોના બે જુદા જૂથો (યહૂદીઓ અને બિનયહૂદીઓ)ની બનેલી છે. હવે તેઓ એક જૂથ અથવા “શરીર” છે. મંડળી ખ્રિસ્તના શરીર તરીકે પણ ઓળખાય છે. યહૂદીઓ અને બિનયહૂદીઓને ખ્રિસ્તમાં એક કરવામાં આવ્યા છે.

\n

આ અધ્યાયમાં અગત્યના શબ્દાલંકાર

“ઉલ્લંઘનો અને પાપોમાં મરણ પામેલા”

પાઉલ શીખવે છે કે જેઓ વિશ્વાસીઓ નથી તેઓ તેમના પાપમાં “મરણ પામેલા” છે. પાપ તેઓને બાંધી દે છે અથવા ગુલામ બનાવી દે છે. આ બાબત તેઓને આત્મિક રીતે “મરણ પામેલા” બનાવે છે. પાઉલ લખે છે કે ઈશ્વર વિશ્વાસીઓને ખ્રિસ્તમાં જીવંત કરે છે. (જુઓ : મરી જવું, મૃત્યુ પામે છે, મૃત્યુ પામેલ, મૃત, ઘાતક, મૃત હાલત, મરણ, મરણો, જીવલેણ, પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું અને વિશ્વાસ/શ્રદ્ધા)

\n\nજગિક જીવનનું વર્ણન

અવિશ્વાસીઓ કેવી રીતે વર્તે છે તે વર્ણવા પાઉલ ઘણી અને જુદીજુદી રીતો વાપરે છે. તેઓ “જગતની રીત અનુસાર જીવ્યા” અને “વાયુના સત્તાના અધિકારી અનુસાર જીવે છે,” “આપણા પાપી સ્વભાવની દુષ્ટ ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે,” અને “શરીર અને મનની ઈચ્છાઓ પ્રમાણે ચાલે છે.”

\nઆ અધ્યાયના ભાષાંતરમાં શક્ય એવી અન્ય મુશ્કેલીઓ
“તે ઈશ્વરની ભેટ છે”

કેટલાક અભ્યાસીઓ એવું મને છે કે અહીંયા “તે” શબ્દ બચાવ પામવાને અનુલક્ષે છે. બીજા અભ્યાસીઓ માને છે કે એ વિશ્વાસ છે જે ઈશ્વરની ભેટ છે. ગ્રીક વ્યાકરણના કાળો જે રીતે સંમત થાય છે તે કારણે અહીંયા “તે” શબ્દ સંભવત: બંને બાબતને અનુલક્ષે છે : ભેટ એ કે આપણે વિશ્વાસ દ્વારા ઈશ્વરની કૃપા વડે બચાવ પામ્યા છીએ.

શરીર

”\n“દેહ” શબ્દ એ કેટલીકવાર વ્યક્તિના પાપી સ્વભાવ માટે રૂપક તરીકે વાપરવામાં આવ્યો છે. વાક્યાંશ “દેહમાંના બિનયહૂદીઓ” સૂચવે છે કે એક સમયે એફેસીઓ ઈશ્વર માટે કોઈ મતલબ વિના જીવતા હતા. પરંતુ આ કલમમાં “દેહ” શબ્દ ભૌતિક વ્યક્તિને અનુલક્ષવા પણ વપરાયો છે, એટલે “માણસના શરીરના ભાગ”ને બરાબર.

Ephesians 2:1

પાઉલ વિશ્વાસીઓને તેમનો ભૂતકાળ અને હાલ જે રીતે તેઓ ઈશ્વર આગળ છે તે યાદ કરાવે છે.

ὑμᾶς ὄντας νεκροὺς τοῖς παραπτώμασιν καὶ ταῖς ἁμαρτίαις ὑμῶν

આ બાબત બતાવે છે કે કેવી રીતે પાપી વ્યક્તિની ઈશ્વરને આધીન થવાની અસમર્થતા એ મરણ પામેલ વ્યક્તિની શારીરિક રીતે પ્રતિસાદ આપવાની અસમર્થતાને બરાબર છે. વૈકલ્પિક ભાષાંતર : “તમે આત્મિક રીતે મરણ પામેલા હતા, અને પાપ સિવાય બીજું કશું પણ કરવાને અસમર્થ હતા” (જુઓ : રૂપક)

τοῖς παραπτώμασιν καὶ ταῖς ἁμαρτίαις ὑμῶν

ઉલ્લંઘનો અને પાપો આ શબ્દોના અર્થ સરખા છે. લોકોના પાપની મોટાઈ પર ભાર મૂકવા પાઉલ તે બંનેનો સાથે ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં આને માટે એક જ શબ્દ છે તો આ બંને શબ્દોને એક કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર : “તમારા ઘણાં પાપો” (જુઓ : બેવડું/બમણાં)

τοῖς παραπτώμασιν καὶ ταῖς ἁμαρτίαις ὑμῶν

ઉલ્લંઘનો અને પાપો આ શબ્દો એ અમૂર્ત સંજ્ઞા છે જે ક્રિયાઓ રજુ કરે છે. જો આને માટે વિશેષણ કે ક્રિયાપદ વધુ સ્પષ્ટ હોય તો તમે તે વાપરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર : “જે પાપી બાબતો તમે કરી” અથવા “ઈશ્વરની વિરુદ્ધ હંમેશા પાપ કરનારા” (જુઓ : અમૂર્ત નામો)

Ephesians 2:2

ἐν αἷς ποτε περιεπατήσατε

અહીંયા, ચાલો શબ્દ એ વ્યક્તિ જે રીતે જીવે છે તે માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર : “જે પ્રમાણે તમે જીવતા હતા” અથવા “જે તમે આદતથી કર્યું હતું” (જુઓ : રૂપક)

κατὰ τὸν αἰῶνα τοῦ κόσμου τούτου

આ જગતમાં રહેતા લોકોના સ્વાર્થી વર્તન અને ભૂંડા મુલ્યોને અનુલક્ષવા પ્રેરિતોએ વારંવાર જગત શબ્દનો ઉપયોગ કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર : “જગતમાં રહેતા લોકોના મુલ્યો અનુસાર” અથવા “આ વર્તમાન જગતના સિદ્ધાંતોને અનુસરનારા” (જુઓ : ઉપનામ)

τὸν ἄρχοντα τῆς ἐξουσίας τοῦ ἀέρος

આ દુષ્ટ અથવા શેતાનને અનુલક્ષે છે.

τοῦ πνεύματος τοῦ νῦν ἐνεργοῦντος

“શેતાનનો આત્મા, જે હાલ કામ કરી રહ્યો છે”

τοῖς υἱοῖς τῆς ἀπειθείας

“એવા લોકો જેઓ હંમેશા ઈશ્વરને અનાજ્ઞાંકિત થાય છે” (જુઓ : રૂઢિપ્રયોગ)

Ephesians 2:3

τὰ θελήματα τῆς σαρκὸς καὶ τῶν διανοιῶν

દેહ અને મન શબ્દો સમગ્ર વ્યક્તિને રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : “લોકો જે સ્વાર્થી બાબતો કરવા માંગે છે” (જુઓ : ઉપનામ)

τέκνα…ὀργῆς

“એવા લોકો જેના પર ઈશ્વર ક્રોધિત છે” (જુઓ : રૂઢિપ્રયોગ)

Ephesians 2:4

δὲ

જોડતો શબ્દ પરંતુ વિરોધાભાસી સંબંધને રજુ કરે છે. ઈશ્વરનો પ્રેમ અને દયા એ એફેસીઓ ઈશ્વરમાં વિશ્વાસ કર્યો તે પહેલા જે દુષ્ટ રીતે જીવતા હતા તેથી એકદમ વિરોધાભાસી છે. (જુઓ : જોડાણ-વિરોધાભાસ સબંધ)

Θεὸς πλούσιος ὢν ἐν ἐλέει

દયા* શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વર ભરપૂરીપણે દયાળુ છે” અથવા “ઈશ્વર આપણા પ્રત્યે ઘણાં માયાળુ છે” (જુઓ : અમૂર્ત નામો)

διὰ τὴν πολλὴν ἀγάπην αὐτοῦ, ἣν ἠγάπησεν ἡμᾶς

પ્રેમ શબ્દ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “કારણ કે તેમણે આપણને ઘણો પ્રેમ કર્યો” (જુઓ : અમૂર્ત નામો)

Ephesians 2:5

χάριτί ἐστε σεσῳσμένοι

તમે આને સક્રિય સ્વરૂપમાં જણાવી શકો. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વરે તમારે પ્રત્યે કૃપાળુ બનીને તમને બચાવ્યા” (જુઓ : સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

χάριτί ἐστε σεσῳσμένοι

કૃપા શબ્દ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વરે તમારા પ્રત્યે ઘણાં જ માયાળુ બનીને તમને બચાવ્યા” અથવા “ઈશ્વરે તમને મફત ભેટની જેમ બચાવ્યા” (જુઓ : અમૂર્ત નામો)

Ephesians 2:6

συνήγειρεν

અહીંયા, “ઉઠાડ્યા” શબ્દ એ કોઈક મરણ પામેલાને ફરીથી જીવંત કરવા માટેનો રૂઢીપ્રયોગ છે. (જુઓ : રૂઢિપ્રયોગ)

συνήγειρεν

આનો અર્થ આ હોઈ શકે : (૧) કારણ કે ઈશ્વરે ખ્રિસ્તને ફરીથી જીવંત કર્યા છે, માટે ઈશ્વરે પાઉલ અને એફેસસના વિશ્વાસીઓને નવું આત્મિક જીવન આપી જ દીધું છે. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વરે આપણને નવું જીવન આપ્યું છે કારણ કે આપણે ખ્રિસ્તના છીએ” \n(૨) કારણ કે ઈશ્વરે ખ્રિસ્તને ફરીથી સજીવન કર્યા છે, માટે એફેસસના વિશ્વાસી જાણી શકે છે કે પોતાના મરણ પછી તેઓ ખ્રિસ્ત સાથે જીવશે, અને જાણે વિશ્વાસીઓનું ફરી જીવવાનું થઈ ગયું હોય એમ પાઉલ તે વિષે કહી શકે છે.\nવૈકલ્પિક ભાષાંતર : “આપણે ખાતરીબદ્ધ બની શકીએ છીએ કે ઈશ્વરે જેવી રીતે ખ્રિસ્તને ફરીથી જીવંત કર્યા તેમ તેઓ આપણને જીવન આપશે.” (જુઓ :આગાહીસુચક ભૂતકાળ)

συνεκάθισεν

વિશ્વાસીઓ સ્વર્ગમાં ખ્રિસ્ત સાથે બેસી ચુક્યા છે એ રીતે પાઉલ વાત કરે છે, તે ભવિષ્યમાં થનાર કોઈ બાબત છે છતાંયે ભૂતકાળમાં ખ્રિસ્તે જે કર્યું તે કારણે તેની ખાતરી આપવામાં આવી છે. વૈકલ્પિક ભાષાંતર: “એ જાણે ઈશ્વરે આપણને ખ્રિસ્તની બાજુમાં બેસાડી જ દીધા છે એના જેવું છે” (જુઓ :આગાહીસુચક ભૂતકાળ)

ἐν τοῖς ἐπουρανίοις

સ્વર્ગીય સ્થાનો વાક્યાંશ ઈશ્વર જ્યાં છે એ સ્થાનને અનુલક્ષે છે. [એફેસી ૧:૩]માં કેવી રીતે તેનું ભાષાંતર થયું છે તે જુઓ (../૦૧/૦૩..md). વૈકલ્પિક ભાષાંતર: “અલૌકિક જગતમાં”

ἐν Χριστῷ Ἰησοῦ

ખ્રિસ્ત ઈસુમાં અને તે સમાન શબ્દો રૂપકો છે જે નવા કરારના પત્રોમાં વારંવાર આવે છે. આ શબ્દો ખ્રિસ્ત અને જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેઓ વચ્ચે શક્ય એટલા સૌથી મજબૂત પ્રકારના સંબંધ વ્યક્ત કરે છે.

Ephesians 2:7

ἵνα

જોડતો વાક્યાંશ કે જેથી ધ્યેય-સંબંધને રજુ કરે છે. વિશ્વાસીઓને ઉઠાડીને તેઓને સ્વર્ગમાં ખ્રિસ્તની સાથે બેસાડવાનો ઈશ્વરનો ધ્યેય કે હેતુ એ ખ્રિસ્તમાં તેમની કૃપાની હદ બતાવવાનો છે. (જુઓ :જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

ἐν τοῖς αἰῶσιν, τοῖς ἐπερχομένοις

“ભવિષ્યમાં”

Ephesians 2:8

γὰρ

જોડતો શબ્દ કેમ કે કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. કારણ આ કે એફેસીઓને તેમના પોતાના સારા કર્મો દ્વારા નહિ પરંતુ ઈશ્વર દ્વારા બચાવવામાં આવ્યા હતા. પરિણામ આ કે ખ્રિસ્ત ઈસુમાં આપણા પરની ઈશ્વરની કૃપા લોકો દેખશે. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

τῇ γὰρ χάριτί ἐστε σεσῳσμένοι διὰ πίστεως

તમે આને સક્રિય રીતે જણાવી શકો. વૈકલ્પિક ભાષાંતર: “તમારા તેમના પરના વિશ્વાસને કારણે ઈશ્વરે તમને કૃપા વડે બચાવ્યા છે” (જુઓ :સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῇ γὰρ χάριτί ἐστε σεσῳσμένοι

કૃપા શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વરે મફત ભેટ તરીકે તમારો બચાવ કર્યો” અથવા “ઈશ્વરે તેમની તમારા પ્રત્યેની મોટી ભલાઈને કારણે તમને બચાવ્યા” તમે [એફેસી ૨:૫] (../૦૨/૦૫.md)માં કેવી રીતે આ વાક્યાંશનું ભાષાંતર કર્યું છે તે જુઓ. (જુઓ :અમૂર્ત નામો)

τοῦτο

શબ્દ ફરીથી કૃપાથી વિશ્વાસ દ્વારા તમને બચાવવામાં આવ્યા છેને અનુલક્ષે છે.

Ephesians 2:9

οὐκ ἐξ ἔργων, ἵνα μή τις καυχήσηται

અહીંયા તમે નવું વાક્ય શરુ કરવાની ઈચ્છા રાખી શકો. વૈકલ્પિક ભાષાંતર : “કર્મોથી તારણ આવતું નથી, માટે કોઈ અભિમાન કરે નહિ” અથવા “વ્યક્તિ જે કરે છે તે કારણે ઈશ્વર વ્યક્તિને બચાવતા નથી, તેથી કોઈ અભિમાન કરીને કહી શકતું નથી કે તે પોતાનું તારણ કમાયો છે.

ἵνα

જોડતો વાક્યાંશ કે જેથી હેતુ-સંબંધને રજુ કરે છે. વિશ્વાસીઓના કર્મોને બદલે કૃપા વડે તેમને બચાવવાનો ઈશ્વરનો હેતુ કે ધ્યેય એ કે કોઈ વ્યક્તિ અભિમાન ન કરે. (જુઓ :જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

Ephesians 2:10

γάρ

જોડતો શબ્દ માટે કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. કારણ આ કે એ ઈશ્વર છે કે જેમણે આપણને, જે કોઈ પણ સારા કામો આપણે કરીએ છીએ તે કરવા આપણને ઉત્પન્ન કર્યા છે. પરિણામ આ કે લોકો અભિમાન કરી શકતા નથી. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ἐν Χριστῷ Ἰησοῦ

વાક્યાંશ ખ્રિસ્ત ઈસુમાં અને તે સમાન શબ્દો એ રૂપકો છે જે નવા કરારના પત્રોમાં વારંવાર ઉદ્ભવે છે. આ શબ્દો ખ્રિસ્ત અને જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેઓ વચ્ચે શક્ય એટલા સૌથી મજબૂત પ્રકારના સંબંધને વ્યક્ત કરે છે.

ἵνα

જોડતો વાક્યાંશ કે જેથી ધ્યેય-સંબંધને રજુ કરે છે. ઈશ્વરનો આપણને ઉત્પન્ન કરવાનો ધ્યેય કે હેતુ એ કે આપણે સારા કામો કરીએ, અને આ કામો આપણે કરીએ એવો તેમણે આપણા પ્રત્યે ઈરાદો રાખ્યો છે. (જુઓ :જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

ἐν αὐτοῖς περιπατήσωμεν

માર્ગ પર ચાલવું એ વ્યક્તિ તેનું જીવન કેવી રીતે જીવે છે તે માટેનું રૂપક છે. અહીંયા, તેઓમાં શબ્દ “સારા કામો”ને અનુલક્ષે છે. વૈકલ્પિક ભાષાંતર : “આપણે તે સારા કૃત્યો હંમેશા અને નિરંતર કરતા રહીશું” (જુઓ :રૂપક)

Ephesians 2:11

διὸ

જોડતા શબ્દો એ માટે કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. કારણ આ કે લોકોને વિશ્વાસ દ્વારા બચાવવામાં આવ્યા, તેઓએ પોતે જે કર્યું છે તે દ્વારા નહિ. પરિણામ આ કે એફેસીઓ યાદ રાખે કે તેઓ એક સમયે ઈશ્વરથી વિખુટા પડેલા હતા. તમારી ભાષામાં વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

પાઉલ આ વિશ્વાસીઓને યાદ કરાવે છે કે હવે ઈશ્વરે ખ્રિસ્ત તથા તેમના વધસ્તંભ મારફતે બિનયહૂદીઓ અને યહૂદીઓને એક શરીર કર્યા છે.

τὰ ἔθνη ἐν σαρκί

આ એ લોકોને અનુલક્ષે છે જેઓ યહૂદી તરીકે જન્મ્યા નથી. (જુઓ :રૂપક)

ἀκροβυστία

બિન-યહૂદી લોકોની બાળક તરીકે સુન્નત કરવામાં આવી નહોતી અને માટે યહૂદીઓએ તેઓને એવા લોકો ગણ્યા જેઓ ઈશ્વરના કોઈ નિયમો પાળતા નથી. વૈકલ્પિક ભાષાંતર : *બેસુન્નત અધર્મીઓ” (જુઓ :ઉપનામ)

περιτομῆς

યહૂદી લોકો માટે આ બીજો અન્ય શબ્દ હતો કારણ કે સર્વ નર બાળકો સુન્નત કરાયેલા હતા. વૈકલ્પિક ભાષાંતર : “સુન્નતી લોકો” (જુઓ :ઉપનામ)

ὑπὸ τῆς λεγομένης

તમે આનું સક્રિય સ્વરૂપમાં ભાષાંતર કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર : “ લોકો કહે છે તે વડે” અથવા “એવાઓ દ્વારા જેઓને લોકો કહે છે” (જુઓ :સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῆς λεγομένης περιτομῆς ἐν σαρκὶ χειροποιήτου

આ બાબત આને અનુલક્ષી શકે છે : (૧) યહૂદીઓ, જેઓ માણસો વડે સુન્નત કરાયેલા હતા. (૨) યહૂદીઓ, જેઓ ભૌતિક શરીરની સુન્નત કરાવે છે.

Ephesians 2:12

ὅτι

જોડતો શબ્દ માટે કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. કારણ આ કે યહૂદીઓ, જેઓ સુન્નત કરાયેલા હતા તેમનો તેઓ ભાગ નહોતા. પરિણામ આ કે બિનયહૂદી એફેસીઓ ઈશ્વરથી વિખૂટાં હતા. તમારી ભાષામાં વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

χωρὶς Χριστοῦ

“અવિશ્વાસીઓ”

ξένοι τῶν διαθηκῶν τῆς ἐπαγγελίας

પાઉલ બિનયહૂદી વિશ્વાસીઓ સાથે જાણે તેઓ પરદેશીઓ હોય, અને ઈશ્વરના કરારો તથા વચનોના દેશની બહાર રાખવામાં આવેલા હોય તેમ તેઓ સાથે વાત કરે છે. (જુઓ :રૂપક)

Ephesians 2:13

δὲ

જોડતો શબ્દ પરંતુ વિરોધાભાસી સંબંધને રજુ કરે છે. એફેસસના બિનયહૂદી વિશ્વાસીઓએ ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો તે પછીની તેઓની વર્તમાન સ્થિતિ આ કે તેઓ ઈશ્વરની નજીક છે. આ વર્તમાન સ્થિતિ એ તેઓએ ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો તે પહેલાની, એટલે ઈશ્વરથી વિખુટા પડેલા હતા તે સ્થિતિથી વિરોધાભાસી છે. (જુઓ :જોડાણ-વિરોધાભાસ સબંધ)

ὑμεῖς οἵ ποτε ὄντες μακρὰν, ἐγενήθητε ἐγγὺς ἐν τῷ αἵματι τοῦ Χριστοῦ

પાપને લીધે ઈશ્વરના ના હોવું એ જાણે ઈશ્વરથી ઘણાં દૂર હોય એમ કહેવામાં આવ્યું છે. ખ્રિસ્તના રક્તને કારણે ઈશ્વરના હોવું એ જાણે ઈશ્વરની નજીક લાવવામાં આવ્યા હોય એમ કહેવામાં આવ્યું છે. વૈકલ્પિક ભાષાંતર : “તમે જેઓ એક સમયે ઈશ્વરના નહોતા, હાલ તમે ખ્રિસ્તના રક્તને કારણે ઈશ્વરના છો” (જુઓ :રૂપક)

ἐν τῷ αἵματι τοῦ Χριστοῦ

અહીંયા ખ્રિસ્તનું રક્ત એ તેમના મરણ માટેનો શબ્દ છે. વૈકલ્પિક ભાષાંતર : “ખ્રિસ્તના મરણ વડે” અથવા “ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા ત્યારે” (જુઓ :ઉપનામ)

Ephesians 2:14

γάρ

સાંકળતા શબ્દો કેમ કે કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. કારણ આ કે ખ્રિસ્તે પોતે તેઓને યહૂદી વિશ્વાસીઓ સાથે જોડ્યા છે. પરિણામ આ કે એફેસસના બિનયહૂદી વિશ્વાસીઓને ઈશ્વરની નજીક લાવવામાં આવ્યા હતા. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

αὐτὸς…ἐστιν ἡ εἰρήνη ἡμῶν

“ઈસુ આપણને તેમની શાંતિ આપે છે”

ἡ εἰρήνη ἡμῶν

આપણું શબ્દ પાઉલ અને તેના વાચકોને અનુલક્ષે છે, અને એમ તે સમાવેશક છે. (જુઓ :વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ὁ ποιήσας τὰ ἀμφότερα ἓν

“કે જેમણે યહૂદીઓ અને બિનયહૂદીઓને એક કર્યા છે”

ἐν τῇ σαρκὶ αὐτοῦ

આ વાક્યાંશ “તેમનો દેહ,” એટલે તેમનું ભૌતિક શરીર એ તેમના મરણ પામતા શરીર માટેનો શબ્દ છે. વૈકલ્પિક ભાષાંતર : “વધસ્તંભ પર તેમના શરીરના મરણ વડે” (જુઓ :ઉપનામ)

τὸ μεσότοιχον τοῦ φραγμοῦ…τὴν ἔχθραν

યહૂદીઓ અને બિન યહૂદીઓ વચ્ચેની શત્રુતાને દીવાલ સાથે સરખાવામાં આવી છે. વૈકલ્પિક ભાષાંતર : “જે શત્રુતા દીવાલ જેવી હતી કે જેણે તેઓને વિખુટા પાડ્યા હતા” (જુઓ :રૂપક)

Ephesians 2:15

τὸν νόμον τῶν ἐντολῶν ἐν δόγμασιν καταργήσας

ઈસુનું રક્ત મૂસાના નિયમને સંતોષે છે કે જેથી યહૂદીઓ અને બિનયહૂદીઓ ઈશ્વરમાં શાંતિથી રહી શકે. વૈકલ્પિક ભાષાંતર : “મૂસાના નિયમમાંની માંગણીઓ તેમણે દૂર કરી”

ἵνα

જોડતો વાક્યાંશ કે જેથી હેતુ-સંબંધને રજુ કરે છે. નિયમને દૂર કરવામાં ખ્રિસ્તનો ધ્યેય અથવા હેતુ યહૂદીઓ અને બિનયહૂદીઓને એક જૂથમાં જોડવાનો હતો. (જુઓ :જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

ἕνα καινὸν ἄνθρωπον

યહૂદીઓ અને બિનયહૂદીઓ જાણે એક વ્યક્તિ બન્યા હોય તેમ પાઉલ તેઓની એકતા વિષે વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર : “એક નવા લોકો” (જુઓ :રૂપક)

ἐν αὑτῷ

ખ્રિસ્ત સાથે જોડાયેલા હોવું એ યહૂદીઓ અને બિનયહૂદીઓ વચ્ચેનું સમાધાન શક્ય બનાવે છે. પાઉલ આ સંબંધને જાણે ખ્રિસ્ત આપણા સર્વની આસપાસ ઘેરાયેલા હોય એમ વર્ણવે છે. વૈકલ્પિક ભાષાંતર : “કેમ કે તેમણે તે શક્ય બનાવ્યું છે” (જુઓ :રૂપક)

Ephesians 2:16

ἀποκαταλλάξῃ τοὺς ἀμφοτέρους

“કે જેથી ખ્રિસ્ત યહૂદીઓ અને બિનયહૂદીઓને શાંતિમાં સાથે લાવે”

ἐν ἑνὶ σώματι

ઘણીવાર મંડળીનું ચિત્રણ ખ્રિસ્તના શરીર તરીકે કરવામાં આવ્યું છે, અને ખ્રિસ્ત તેના શિર છે. અહીંયા મંડળી યહૂદીઓ અને બિનયહૂદીઓની બનેલી છે. (જુઓ :રૂપક)

διὰ τοῦ σταυροῦ

અહીંયા, વધસ્તંભ ખ્રિસ્તના વધસ્તંભ પરના મરણને રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : “ખ્રિસ્તના વધસ્તંભ પરના મરણ વડે” (જુઓ :ઉપનામ)

ἀποκτείνας τὴν ἔχθραν

તેઓની *શત્રુતાને બંધ કરવી એ જાણે તેમણે તેમની શત્રુતાને મારી નાખી હોય એમ કહેવામાં આવ્યું છે. વધસ્તંભ પર મરણ પામીને ઈસુએ યહૂદી અને બિનયહૂદીઓનું એક બીજા પ્રત્યે શત્રુ બનવાનું કારણ દૂર કર્યું. હવે તેઓમાંથી કોઈએ મૂસાના નિયમ પ્રમાણે જીવવાની જરૂર નથી. વૈકલ્પિક ભાષાંતર : “તેઓને એકબીજાની ધ્રુણા કરતા રોકીને” (જુઓ :રૂપક)

Ephesians 2:17

પાઉલ એફેસીઓને કહે છે કે બિનયહૂદી વિશ્વાસીઓ પણ હવે યહૂદી વિશ્વાસીઓ જેટલા જ ઈશ્વરના લોકોના ભાગ તરીકે છે. જેમ ખ્રિસ્ત, તેમ યહૂદી પ્રેરિતો અને પ્રબોધકો પણ તેઓના છે, અને તેઓ સર્વ આત્મામાં ઈશ્વર માટે મંદિર બનાવે છે.

εὐηγγελίσατο εἰρήνην

“અને શાંતિની સુવાર્તા જાહેર કરી” અથવા “શાંતિની સુવાર્તા જાહેર કરતા”

ὑμῖν τοῖς μακρὰν

વિદેશીઓ (બિન-યહૂદીઓ), જેઓ ઈશ્વરના લોકોનો ભાગ નહોતા, પાઉલ તેઓનું ચિત્રણ જાણે ઈશ્વરથી ભૌતિક રીતે દૂર હતા તે રીતે કરે છે. (જુઓ :રૂપક)

τοῖς ἐγγύς

યહુદીઓ, જેઓ જન્મથી ઈશ્વરના લોકો હતા, પાઉલ તેઓનું ચિત્રણ જાણે ભૌતિક રીતે ઈશ્વરની નજીક હતા તે રીતે કરે છે. (જુઓ :રૂપક)

Ephesians 2:18

ὅτι δι’ αὐτοῦ ἔχομεν τὴν προσαγωγὴν, οἱ ἀμφότεροι

અહીંયા, આપણે બંને શબ્દો પાઉલને, વિશ્વાસ કરતા યહૂદીઓને અને વિશ્વાસ કરતા બિન-યહૂદીઓને અનુલક્ષે છે. (જુઓ :વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ὅτι

જોડતો શબ્દ કેમ કે કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. કારણ આ કે ઈસુ પોતે છે જેમણે યહૂદીઓ અને બિનયહૂદીઓને પિતા પાસે આવવા સમર્થ કર્યા છે. કારણ એ કે ખ્રિસ્તે બંને યહૂદીઓ અને બિનયહૂદીઓને શાંતિ જાહેર કરી છે. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ἐν ἑνὶ Πνεύματι

બધાં જ વિશ્વાસીઓને, બંને યહૂદીઓ અને બિનયહૂદીઓને સમાન પવિત્ર આત્મા દ્વારા ઈશ્વર પિતાની હાજરીમાં પ્રવેશ કરવા સમર્થ બનાવવામાં આવ્યા છે. વૈકલ્પિક ભાષાંતર : “એક જ આત્માના માધ્યમથી”

Ephesians 2:19

ἄρα οὖν

જોડતો વાક્યાંશ તો પછી કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. ખ્રિસ્તે આત્મા મારફતે તેઓને ઈશ્વર પાસે પહોંચવાની વ્યવસ્થા કરી એ કારણ છે. એફેસસના વિશ્વાસીઓ હવે ઈશ્વરથી વિખુટા નથી એ પરિણામ છે. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ξένοι καὶ πάροικοι

પારકા અને પરદેશી શબ્દોનો અર્થ સરખો છે અને તે એકસાથે પણ હોઇ શકે છે. વૈકલ્પિક ભાષાંતર : “જે લોકોનો ઈશ્વર સાથે કોઈ જ સંબંધ નહોતો” (જુઓ :બેવડું/બમણાં)

ἀλλὰ

જોડતો વાક્યાંશ તેથી ઉલટું વિરોધાભાસી સંબંધને રજુ કરે છે. એફેસીઓનું પહેલાનું ઈશ્વરથી વિખુટાપણું એ તેમના વર્તમાનના ઈશ્વરના રાજ્યના નાગરિકો અને તેમના ઘરના સભ્યો તરીકેના સ્થાનથી વિરોધાભાસી છે. (જુઓ :જોડાણ-વિરોધાભાસ સબંધ)

ἐστὲ συνπολῖται τῶν ἁγίων καὶ οἰκεῖοι τοῦ Θεοῦ

જાણે પારકાઓ જુદા દેશના નાગરિકો બની રહ્યા છે તે વિષેની વાત પાઉલ કરતો હોય તેમ તે ફરીથી બિનયહૂદીઓની, તેઓ વિશ્વાસીઓ બન્યા પછીની આત્મિક સ્થિતિ વિષે કહી રહ્યો છે. (જુઓ :રૂપક)

Ephesians 2:20

ἐποικοδομηθέντες ἐπὶ τῷ θεμελίῳ

ઈશ્વરના લોકો જાણે ઈમારત હોય તેમ પાઉલ તેમના વિષે કહે છે. ખ્રિસ્ત એ ખૂણાનો પથ્થર છે, પ્રેરિતો પાયો છે, અને વિશ્વાસીઓ માળખું છે. વૈકલ્પિક ભાષાંતર : “તમે શિક્ષણ પર આધાર રાખો છો” (જુઓ :રૂપક)

ἐποικοδομηθέντες

તમે આને સક્રિય સ્વરૂપમાં જણાવી શકો. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વરે તમને બાંધ્યા છે” (જુઓ :સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Ephesians 2:21

πᾶσα οἰκοδομὴ συναρμολογουμένη, αὔξει εἰς ναὸν ἅγιον

પાઉલ ખ્રિસ્તના કુટુંબ વિષે જાણે તે “ઈમારત” હોય તેમ વાત કરે છે. એવી જ રીતે જેમ બંધાનાર માણસ બાંધતી વખતે પથ્થરોને એકબીજાની સાથે ગોઠવે છે તેમ ખ્રિસ્ત આપણને એક બીજાની સાથે ગોઠવે છે. વૈકલ્પિક ભાષાંતર : “આપણે સાથે વૃદ્ધિ પામીએ છીએ ત્યારે આપણામાંના સર્વ ઈશ્વરની આરાધના કરે એવું પવિત્ર જૂથ બને છે” (જુઓ :રૂપક)

ἐν ᾧ…ἐν Κυρίῳ

“ખ્રિસ્તમાં ........પ્રભુ ઈસુમાં.” આ પ્રકારના રૂપકો ખ્રિસ્ત અને જેઓ તેમનામાં વિશ્વાસ કરે છે તેઓ વચ્ચેના શક્ય એટલા મજબૂત સંબંધને વ્યક્ત કરે છે. (જુઓ :રૂપક)

Ephesians 2:22

ἐν ᾧ

તમે આનું “ખ્રિસ્તમાં,” તરીકે ભાષાંતર કરી શકો, આ એક રૂપક છે જે ખ્રિસ્ત અને જેઓ તેમનામાં વિશ્વાસ કરે છે તેઓ વચ્ચેના શક્ય એટલા મજબૂત સંબંધને વ્યક્ત કરે છે. (જુઓ :રૂપક)

καὶ ὑμεῖς συνοικοδομεῖσθε, εἰς κατοικητήριον τοῦ Θεοῦ ἐν Πνεύματι

આ બાબત વર્ણવે છે કે કેવી રીતે વિશ્વાસીઓને એવી જગ્યા બનવા એકસાથે મૂકવામાં આવ્યા છે કે જ્યાં ઈશ્વર પવિત્ર આત્માના પરાક્રમ મારફતે કાયમી ધોરણે વસવાટ કરશે. (જુઓ :રૂપક)

καὶ ὑμεῖς συνοικοδομεῖσθε

તમે આને સક્રિય તરીકે જણાવી શકો. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વર તમને પણ તેમની સાથે બાંધી રહ્યા છે” (જુઓ :સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Ephesians 3

એફેસી ૩ સામાન્ય નોંધો

માળખું અને ગોઠવણી

“હું પ્રાર્થના કરું છું”

પાઉલ આ અધ્યાયના ભાગને ઈશ્વરને પ્રાર્થના તરીકેનું માળખું આપે છે. પરંતુ પાઉલ કેવળ ઈશ્વર સાથે વાત કરી રહ્યો નથી. તે એફેસસમાંની મંડળી માટે બંને, પ્રાર્થના પણ કરી રહ્યો છે અને નિર્દેશ પણ આપી રહ્યો છે.\n આ અધ્યાયમાંના ખાસ ખ્યાલો

મર્મ

પાઉલ મંડળીને : “મર્મ” તરીકે અનુલક્ષે છે. એક સમયે ઈશ્વરની યોજનાઓમાં મંડળીએ ભજવવાનો ભાગની ખબર નહોતી. પરંતુ હવે ઈશ્વરે તે પ્રગટ કર્યો છે. ઈશ્વરની યોજનાઓમાં બિનયહૂદીઓને યહૂદીઓ સાથે સમાન સ્થાન છે તે આ મર્મના ભાગમાં સામેલ છે.

Ephesians 3:1

મંડળી વિષેનું ગુપ્ત સત્ય વિશ્વાસીઓને સ્પષ્ટ કરવા પાઉલ યહૂદીઓ અને બિનયહૂદીઓની એકતાને પાછો સંદર્ભિત કરે છે અને જેમ પથ્થરો એક મંદિર રચે છે તેમ કેવી રીતે તે બંને જૂથો ઈશ્વરની આરાધના કરે એવા એક જૂથને રચે છે તેને પણ સંદર્ભિત કરે છે.

τούτου χάριν

વાક્યાંશ આ કારણને લીધે કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. પાઉલે અધ્યાય-૨માં જેના વિષે વાત કરી તે કારણ છે, એટલે, યહૂદીઓ અને બિનયહૂદીઓ વચ્ચેના ભાગલા દૂર કરી તેઓને એક જૂથ બનાવવા દ્વારા ખ્રિસ્તે જે કૃપા દર્શાવી છે. પાઉલ બિનયહૂદીઓ માટે પ્રાર્થના કરે છે તે પરિણામ છે. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

τούτου χάριν

કારણ શું છે તે તમારે સુસ્પષ્ટ કરવાની જરૂર પડી શકે છે. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વરની કૃપા તમારા પર હતી તે કારણે” USTની જેમ તમારે અહીંયા પણ પરિણામ શું છે તે સુસ્પષ્ટ કરવાની જરૂર પડી શકે, કારણ કે ૩:૧૪ સુધી પાઉલ પરિણામ જણાવતો નથી કે તે તેઓ માટે પ્રાર્થના કરે છે. (જુઓ :અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὁ δέσμιος τοῦ Χριστοῦ Ἰησοῦ

“હું, જે બંદીખાનામાં છું, કારણ કે હું ખ્રિસ્ત ઈસુની સેવા કરું છું”

Ephesians 3:2

τὴν οἰκονομίαν τῆς χάριτος τοῦ Θεοῦ, τῆς δοθείσης μοι εἰς ὑμᾶς

અહીંયા, કૃપાનો અર્થ આ હોઈ શકે : (૧) પાઉલ વિશ્વાસીઓને સુવાર્તા જે ભેટ લાવી રહ્યો છે તે, અને તમે તેને આ રીતે અનુવાદિત કરી શકો, “ઈશ્વરે મને તમારી પાસે કૃપા લાવવાની જે જવાબદારી આપી.”\n(૨) બિન યહૂદીઓ માટે સુવાર્તાના કારભારી હોવાનું પાઉલનું કૃપાદાન, અને તમે તેનું આ રીતે ભાષાંતર કરી શકો, “તમારા લાભ માટે ઈશ્વર મને જે જવાબદારી ઉદારતાએ આપી.”

Ephesians 3:3

κατὰ ἀποκάλυψιν ἐγνωρίσθη μοι

તમે આને સક્રિય સ્વરૂપમાં જણાવી શકો. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વરે મને જે પ્રગટ કર્યું તે અનુસાર” (જુઓ :સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

καθὼς προέγραψα ἐν ὀλίγῳ

પાઉલ અહીંયા બીજા પત્રને અનુલક્ષે છે જે તેણે આ લોકોને લખ્યો હતો.

Ephesians 3:5

ὃ ἑτέραις γενεαῖς οὐκ ἐγνωρίσθη τοῖς υἱοῖς τῶν ἀνθρώπων

તમે આને સક્રિય સ્વરૂપમાં જણાવી શકો. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વરે ભૂતકાળમાં આ બાબત લોકોને જણાવી નહોતી” (જુઓ :સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὡς νῦν ἀπεκαλύφθη…ἐν Πνεύματι

તમે આને સક્રિય સ્વરૂપમાં જણાવી શકો. વૈકલ્પિક ભાષાંતર : “પરંતુ હવે આત્માએ તેને પ્રગટ કર્યું છે” અથવા “પરંતુ હવે આત્માએ તેને જણાવ્યું છે” (જુઓ :સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Ephesians 3:6

εἶναι τὰ ἔθνη, συνκληρονόμα…διὰ τοῦ εὐαγγελίου

આ ગુપ્ત સત્ય છે કે જેને પાઉલે અગાઉની કલમમાં સમજાવવાની શરૂઆત કરી હતી. યહૂદી વિશ્વાસીઓ ઈશ્વર પાસેથી જે પ્રાપ્ત કરે છે તે બિનયહૂદીઓ,* કે જેઓ ખ્રિસ્તનો અંગીકાર કરે છે તેઓ પણ તે બધું જ પ્રાપ્ત કરે છે.

σύνσωμα

મંડળીને ઘણીવાર ખ્રિસ્તના શરીર તરીકે સંદર્ભિત કરવામાં આવી છે.

ἐν Χριστῷ Ἰησοῦ

વાક્યાંશ ખ્રિસ્ત ઈસુમાં અને તે સમાન બીની અભિવ્યક્તિઓ એ રૂપકો છે જે નવા કરારના પત્રોમાં વારંવાર ઉદ્ભવે છે. આ શબ્દો ખ્રિસ્ત અને જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેઓ વચ્ચેનો શક્ય એટલો મજબૂત પ્રકારનો સંબંધ વ્યક્ત કરે છે.

διὰ τοῦ εὐαγγελίου

આનો અર્થ આ હોઈ શકે : (૧) સુવાર્તાને કારણે, બિનયહુદીઓ ઈશ્વરના વચનના સાથી-ભાગીદારો છે. (૨) સુવાર્તાને કારણે બિનયહૂદીઓ સાથી-વારસદારો અને શરીરના અવયવો છે અને ઈશ્વરના વચનના સાથી ભાગીદારો છે.

Ephesians 3:8

ἀνεξιχνίαστον

જે દરેક બાબત ખ્રિસ્ત આપે છે તે જાણે ભૌતિક રીતે ઘણી જ મોટી હોય અને જેને પૂર્ણ રીતે કળી ન શકાય એવી કશીક તે બાબત હોય એ રીતે પાઉલ તેમની વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર : “પૂર્ણ રીતે જાણવાને અસમર્થ” (જુઓ :રૂપક)

πλοῦτος τοῦ Χριστοῦ

પાઉલ ખ્રિસ્તના સત્ય વિષે અને જે આશીર્વાદો ઈસુ જાણે ભૌતિક સંપત્તિ હોય એમ લાવે છે તે વિષે કહે છે. (જુઓ :રૂપક)

Ephesians 3:9

τοῦ μυστηρίου, τοῦ ἀποκεκρυμμένου ἀπὸ τῶν αἰώνων ἐν τῷ Θεῷ, τῷ τὰ πάντα κτίσαντι

તમે આને સક્રિય સ્વરૂપમાં જણાવી શકો. વૈકલ્પિક ભાષાંતર: “જેમણે સર્વ બાબતો ઉત્પન્ન કરી, અને ભૂતકાળમાં યુગો સુધી આ યોજના ગુપ્ત રાખી, તે ઈશ્વરના” (જુઓ :સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Ephesians 3:10

ἵνα

જોડતો વાક્યાંશ કે જેથી ધ્યેય-સંબંધને રજુ કરે છે. પાઉલને મંડળીનો મર્મ પ્રગટ કરવા પાછળ ઈશ્વરનો ધ્યેય કે હેતુ એ સ્વર્ગીય સ્થાનોમાંના અધિકારીઓને ઈશ્વરનું ડહાપણ જોવા સમર્થ કરવાનો હતો. (જુઓ :જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

γνωρισθῇ…ταῖς ἀρχαῖς καὶ ταῖς ἐξουσίαις ἐν τοῖς ἐπουρανίοις…ἡ πολυποίκιλος σοφία τοῦ Θεοῦ

તમે આને સક્રિય સ્વરૂપમાં જણાવી શકો. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તેમનું મોટું ડહાપણ સ્વર્ગીય સ્થાનોમાંના અધિપતિઓ અને અધિકારીઓને પ્રગટ કરી શકે” (જુઓ :સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ταῖς ἀρχαῖς καὶ ταῖς ἐξουσίαις

આ શબ્દો સમાન અર્થ આપે છે. પાઉલ આ શબ્દોનો એકસાથે ઉપયોગ, દરેક આત્મિક હસ્તી ઈશ્વરનું ડહાપણ જાણશે તેની પર ભાર મૂકવા કરે છે. જો તમારી ભાષામાં આને માટે બે શબ્દો નથી તો તમે એક શબ્દ વાપરી શકો છો. (જુઓ :બેવડું/બમણાં)

ἐν τοῖς ἐπουρανίοις

સ્વર્ગીય જગ્યાઓ વાક્યાંશ ઈશ્વર જ્યાં છે તે જગ્યાને અનુલક્ષે છે. [એફેસી ૧:૩] (../૦૧/૦૩.md)માં તેનું કેવી રીતે ભાષાંતર કરવામાં આવ્યું છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર : “અલૌકિક જગતમાં”

ἡ πολυποίκιλος σοφία τοῦ Θεοῦ

ઈશ્વરનું ડહાપણ, જાણે તે ઘણી સપાટીઓ સાથેનો પદાર્થ હોય તેમ પાઉલ તેની વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વરનું જટિલ ડહાપણ” અથવા “ઈશ્વર કેટલા બધાં જ્ઞાની છે” (જુઓ :રૂપક)

Ephesians 3:11

κατὰ πρόθεσιν τῶν αἰώνων

“અનંતકાળિક યોજનાને જાળવીને” અથવા “અનંતકાળિક યોજના સાથે સુમેળમાં”

Ephesians 3:12

આ અધ્યાયના પછીના વિભાગમાં પાઉલ પોતાના દુ:ખના સમયમાં ઈશ્વરની સ્તુતિ કરે છે અને એફેસસના આ વિશ્વાસીઓ માટે પ્રાર્થના કરે છે.

ἔχομεν τὴν παρρησίαν

“આપણે ભય વિનાના છીએ” અથવા “આપણને હિંમત છે”

τὴν παρρησίαν καὶ προσαγωγὴν

આ બંને શબ્દો એક વિચાર વ્યકત કરવા સાથે કામ કરે છે : “હિંમતથી પ્રવેશ” અથવા “પ્રવેશ કરવા હિંમત” (જુઓ :સંયોજકો)

προσαγωγὴν ἐν πεποιθήσει

પ્રવેશ ઈશ્વરની હાજરીમાં છે, એને સ્પષ્ટપણે જણાવવું મદદરૂપ બની શકે છે. વૈકલ્પિક ભાષાંતર : “આત્મવિશ્વાસ સાથે ઈશ્વરની હાજરીમાં પ્રવેશ” અથવા “આત્મવિશ્વાસ સાથે ઈશ્વરની હાજરીમાં પ્રવેશ કરવાની આઝાદી” (જુઓ :અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

πεποιθήσει

“ચોક્કસતા” અથવા “ખાતરી”

Ephesians 3:13

διὸ

જોડતા શબ્દો એ માટે કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. કારણ એ કે વિશ્વાસીઓને આત્મવિશ્વાસથી ખ્રિસ્ત પાસે જવા પ્રવેશ છે. પરિણામ એ કે વિશ્વાસીઓ નાહિંમત નહિ થાય. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ὑπὲρ ὑμῶν, ἥτις ἐστὶν δόξα ὑμῶν

અહીંયા, તમારો મહિમા એ, પાઉલ દ્વારા એફેસીઓને ખ્રિસ્ત વિષે કહેવાના કાર્યને કારણે જે તારણ અને અનંતજીવન તેઓને મળવાનું છે, તે માટેનો બીજો શબ્દ છે. (જુઓ :ઉપનામ). આ કહેવાના પરિણામ સ્વરૂપે પાઉલને બંદીખાનું સહન કરવું પડ્યું હતું. તમે આને નવા વાક્ય તરીકે જણાવી શકો. વૈકલ્પિક ભાષાંતર : “તમારા માટે. તેઓ તમારી પાસે અદભુત લાભ લાવ્યા છે” અથવા “તમારા માટે. તેઓ તમારા તારણમાં પરિણમે છે”

Ephesians 3:14

τούτου χάριν

જોડતો વાક્યાંશ આ કારણને લીધે કારણ-પરિણામ સંબંધ રજુ કરે છે. કારણ આ કે પાઉલના દુઃખોએ વિશ્વાસીઓ માટે મહિમા ઉત્પન્ન કર્યો. પાઉલ પિતાને પ્રાર્થના કરે છે તે પરિણામ છે. તમારી ભાષામાં એવા વાક્યાશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

τούτου χάριν

કારણ શું છે તે તમારે વધારે સુસ્પષ્ટ કરવાની જરૂર પડી શકે. વૈકલ્પિક ભાષાંતર : “કારણ કે ઈશ્વરે તમારા માટે આ સર્વ કર્યું છે” (જુઓ :અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

κάμπτω τὰ γόνατά μου πρὸς τὸν Πατέρα

વળેલા ઘૂંટણો* એ પ્રાર્થનાના વલણમાં રહેલા આખા વ્યક્તિનું ચિત્ર છે. વૈકલ્પિક ભાષાંતર : “હું પિતા આગળ પ્રાર્થનામાં નમું છું” અથવા “હું નમ્રતાથી પિતાને પ્રાર્થના કરું છું” (જુઓ :અભિવ્યક્ત અલંકાર)

Ephesians 3:15

ἐξ οὗ πᾶσα πατριὰ ἐν οὐρανοῖς καὶ ἐπὶ γῆς ὀνομάζεται

અહીંયા નામ આપવાનું કૃત્ય એ સંભાવત: સર્જન કરવાનું કૃત્ય પણ રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : “કે જેમણે આકાશમાંના અને પૃથ્વી પરના દરેક કુટુંબને ઉત્પન્ન કરીને નામ આપ્યું” (જુઓ :સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Ephesians 3:16

ἵνα

જોડતો વાક્યાંશ કે જેથી ધ્યેય-સંબંધ રજુ કરે છે. પાઉલની પ્રાર્થનાનો ધ્યેય કે હેતુ એફેસસના વિશ્વાસીઓને ઈશ્વર દ્વારા તેમના વિશ્વાસ અને પ્રેમમાં દ્રઢ કરવામાં આવે એ છે. (જુઓ :જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

δῷ ὑμῖν κατὰ τὸ πλοῦτος τῆς δόξης αὐτοῦ, δυνάμει κραταιωθῆναι

“કારણ કે ઈશ્વર ઘણાં જ મહાન અને પરાક્રમી છે, તે તમને પોતાના પરાક્રમ વડે તમે બળવાન બનો એવું થવા દેશે”

δῷ

“તેઓ આપશે”

Ephesians 3:17

[એફેસી ૩:૧૪] (../૦૩/૧૪.md)માં પાઉલે શરુ કરેલ પ્રાર્થના જારી રાખે છે.

κατοικῆσαι τὸν Χριστὸν διὰ τῆς πίστεως ἐν ταῖς καρδίαις ὑμῶν ἐν ἀγάπῃ, ἐρριζωμένοι καὶ τεθεμελιωμένοι

આ બીજી બાબત છે જેને માટે પાઉલ એવી પ્રાર્થના કરે છે કે ઈશ્વર “તેમના મહિમાની સંપત્ત અનુસાર એફેસીઓને તે “આપે.” પહેલું એ કે તેઓ “બળવાન” કરવામાં આવે ([એફેસી ૩:૧૬] (../૦૩/૧૬.md)).

κατοικῆσαι τὸν Χριστὸν διὰ τῆς πίστεως ἐν ταῖς καρδίαις ὑμῶν

અહીંયા, હૃદયો શબ્દ વ્યક્તિના અંદરના માણસને રજુ કરે છે અને તેની મારફતે એ માધ્યમો વ્યક્ત કરે છે જે વડે ખ્રિસ્ત વિશ્વાસીની અંદર રહે છે. ખ્રિસ્ત વિશ્વાસીઓના હૃદયોમાં રહે છે કારણ કે તેઓ વિશ્વાસ રાખે એવું ઈશ્વર ઉદારતાથી થવા દે છે. વૈકલ્પિક ભાષાંતર : “કે ખ્રિસ્ત તમારામાં રહે, કારણ કે તમે તેમના પર ભરોસો રાખો છો” (જુઓ :રૂપક)

ἐν ἀγάπῃ, ἐρριζωμένοι καὶ τεθεμελιωμένοι

પાઉલ તેઓના વિશ્વાસ વિષે, જાણે તે ઊંડા મૂળ સાથેનું વૃક્ષ હોય અથવા મજબૂત પાયા પર બાંધેલું ઘર હોય એ રીતે વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર : “તમે ઊંડા મૂળ ધરવતા વૃક્ષ અને પથ્થર પર બાંધેલી ઈમારત જેવા હશો” (જુઓ :રૂપક)

Ephesians 3:18

ἵνα

જોડતો વાક્યાંશ કે જેથી કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. ખ્રિસ્ત તેમના હૃદયોમાં રહેશે તે કારણ છે. એફેસસના વિશ્વાસીઓ ઈશ્વરના પ્રેમને પૂર્ણ રીતે જાણશે અને ઈશ્વરના ભરપૂરીપણાથી ભરાશે એ પરિણામ છે. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

καταλαβέσθαι

આ ત્રીજી બાબત છે જેને માટે પાઉલ તેના ઘૂંટણો પર પડીને પ્રાર્થના કરે છે; પહેલું છે ઈશ્વર એવું થવા દે કે તેઓ બળવાન બને ([એફેસી ૩:૧૬] (../૦૩/૧૬.md)) અને બીજું એ કે વિશ્વાસ મારફતે ખ્રિસ્ત તેઓના હૃદયોમાં વસે (એફેસી ૩:૧૭).

πᾶσιν τοῖς ἁγίοις

“ખ્રિસ્તમાં સર્વ વિશ્વાસીઓ”

τὸ πλάτος, καὶ μῆκος, καὶ ὕψος, καὶ βάθος

આ રૂપકમાં પાઉલ જે ભૌતિક કે માપ્ય નથી એવી કોઈક બાબતનું જાણે તે કશુંક ભૌતિક છે અને બધી જ દિશામાં વધે છે, અને એમ તે ઘણું મોટું છે, તે રીતનું ચિત્ર આપે છે. આ બાબત આને અનુલક્ષી શકે : (૧) આપણા માટેના ખ્રિસ્તના પ્રેમની તીવ્રતા. વૈકલ્પિક ભાષાંતર : “ખ્રિસ્ત આપણને કેટલો બધો પ્રેમ કરે છે” (૨) ઈશ્વરના ડહાપણની વિશાળતા. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વર કેટલા બધાં જ્ઞાની છે: (જુઓ :રૂપક)

τὸ πλάτος, καὶ μῆκος, καὶ ὕψος, καὶ βάθος

આ શબ્દો શેને અનુલક્ષે તે સ્પષ્ટપણે જણાવવું જરૂરી હોઈ શકે. જો એમ છે તો તમે આને પછીની કલમના વાક્યાંશ વડે જોડીને કહી શકો છો : “ખ્રિસ્તના પ્રેમની પહોળાઈ અને લંબાઈ અને ઉંચાઈ અને ઊંડાઈને સાચે જ જાણો” અથવા “ખ્રિસ્તના પ્રેમની પહોળાઈ અને લંબાઈ અને ઉંચાઈ અને ઊંડાઈ, અને સાચે જ તેને જાણો” (જુઓ :અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Ephesians 3:19

γνῶναί τε τὴν…ἀγάπην τοῦ Χριστοῦ

આ બાબત અગાઉની કલમમાંથી ઉદ્ભવતો વિચાર જારી રાખે છે. તેઓ બંને ખ્રિસ્તના પ્રેમની મોટાઈ જાણવાને અનુલક્ષે છે. વૈકલ્પિક ભાષાંતર : “કે જેથી તમે જાણી શકો કે આપણા માટેનો ખ્રિસ્તનો પ્રેમ કેટલો મોટો છે”

ἵνα πληρωθῆτε εἰς πᾶν τὸ πλήρωμα τοῦ Θεοῦ

આ ચોથી બાબત છે જેને માટે પાઉલ ઘૂંટણે પડીને પ્રાર્થના કરે છે (એફેસી ૩:૧૪). પહેલું એ કે તેઓ “બળવાન કરવામાં આવે” (એફેસી ૩:૧૬), બીજું એ કે “વિશ્વાસ દ્વારા ખ્રિસ્ત તેઓના હૃદયોમાં રહે” (એફેસી ૩:૧૭), અને ત્રીજું એ કે તેઓ “ખ્રિસ્તના પ્રેમને સમજી શકે” (એફેસી ૩:૧૮).

ἵνα πληρωθῆτε εἰς πᾶν τὸ πλήρωμα τοῦ Θεοῦ

આ રૂપકમાં પાઉલ એફેસીઓના વિશ્વાસીઓને વાસણ તરીકે ચિત્રણ કરે છે, કે જેમાં ઈશ્વર પોતાને રેડી શકે. વૈકલ્પિક ભાષાંતર : “કે જેથી ઈશ્વર તમને જે બધું આપવાનું છે તે આપી શકે” (જુઓ :રૂપક)

ἵνα πληρωθῆτε

તમે આને સક્રિય રીતે જણાવી શકો. વૈકલ્પિક ભાષાંતર : “કે જેથી ઈશ્વર તમને ભરે” (જુઓ :સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἰς πᾶν τὸ πλήρωμα τοῦ Θεοῦ

ભરપૂરીપણું શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “જે દરેક બાબતથી ઈશ્વર ભરપૂર છે” (જુઓ :અમૂર્ત નામો)

ἵνα

જોડતો વાક્યાંશ કે જેથી કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. એફેસસના વિશ્વાસીઓ ખ્રિસ્તના પ્રેમને જાણે એ કારણ છે. તેઓ ઈશ્વરના ભરપૂરીપણાથી ભરપૂર થશે એ પરિણામ છે. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

Ephesians 3:20

આ પુસ્તકમાં “અમે” અને “આપણને” શબ્દો પાઉલ અને સર્વ વિશ્વાસીઓને સમાવેશ કરવાનું જારી રાખે છે. (જુઓ :વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

પાઉલ આ આશીર્વાદ વડે તેની પ્રાર્થનાનું સમાપન કરે છે.

τῷ δὲ

“હવે ઈશ્વરને, જેઓ”

ποιῆσαι ὑπέρἐκπερισσοῦ ὧν αἰτούμεθα ἢ νοοῦμεν

“આપણે જે સર્વ માંગીએ કે વિચારીએ તે કરતાં ઘણું વધારે કરે છે” અથવા “જે બાબતો આપણે તેમની પાસે માંગીએ કે તેઓ વિષે વિચારીએ તે કરતા જે બાબતો કરે છે ઘણી મોટી છે”

Ephesians 3:21

αὐτῷ ἡ δόξα ἐν τῇ ἐκκλησίᾳ

મહિમા શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વરના લોકો તેમને મહિમા આપે” અથવા “ઈશ્વર કેટલા બધાં મહાન છે તે માટે લોકો તેમની સ્તુતિ કરે” UST અનુવાદ જુઓ (જુઓ :અમૂર્ત નામો)

Ephesians 4

એફેસી અધ્યાય ૪ સામાન્ય નોંધો

માળખું અને ગોઠવણી

કેટલાક અનુવાદો, ગીતની દરેક રેખાને વાંચવા માટે સરળ બનાવવા ગીતના શેષ લખાણ/ફકરા કરતા જમણી બાજુએ દૂર ગોઠવે છે. કલમ ૮, જે જૂના કરારમાંથી ટાંકવામાં આવી છે તેની સાથે ULT અનુવાદ આવું કરે છે. \n

આ અધ્યાયના ખાસ ખ્યાલો

આત્મિક કૃપાદાનો## આત્મિક કૃપાદાનો એ ખાસ અલૌકિક આવડતો છે જે પવિત્ર આત્મા વિશ્વાસીઓને તેઓ ઈસુમાં વિશ્વાસ કરે ત્યાર પછી આપે છે. આ આત્મિક કૃપાદાનો મંડળીને વિકસાવવા પાયાગત હતા. અહીંયા પાઉલ માત્ર થોડા કૃપાદાનોની યાદી આપે છે. (જુઓ :વિશ્વાસ/શ્રદ્ધા)\n
એકતા

મંડળી એક છે તે બાબતને પાઉલ અતિ અગત્યનું ગણે છે. ચોથા અધ્યાયનો આ મુખ્ય વિષય છે.

અન્ય શક્ય ભાષાંતર : આ અધ્યાયમાંની મુશ્કેલીઓ

જુનું માણસપણું અને નવું માણસપણું

“જુનું માણસપણું” શબ્દો પાપી સ્વભાવને અનુલક્ષે છે કે જેના વડે વ્યક્તિ જન્મ્યો છે. “નવું માણસપણું” એ નવો સ્વભાવ કે નવું જીવન છે જે ઈશ્વર વ્યક્તિઓને, તેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે ત્યાર પછી આપે છે.

Ephesians 4:1

કારણ કે પાઉલ એફેસીઓને જે લખી રહ્યો છે માટે તે તેઓને કહે છે કે વિશ્વાસીઓ તરીકે તેઓએ કેવી રીતે જીવવું જોઈએ અને ફરીથી ભાર મૂકે છે કે વિશ્વાસીઓએ એકબીજા સાથે સંમત થવાનું છે.

οὖν

જોડતો શબ્દ એ માટે કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. મંડળીમાં ઈશ્વરને અનેક પેઢીઓ સુધી મહિમા આપવામાં આવશે, એ કારણ છે. વિશ્વાસીઓએ પ્રભુને યોગ્ય હોય એવી રીતે ચાલુ જોઈએ, એ પરિણામ છે. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ὁ δέσμιος ἐν Κυρίῳ

“એવો કોઈક જે બંદીખાનામાં છે કારણ કે તે પ્રભુની સેવા કરે છે”

ἀξίως περιπατῆσαι τῆς κλήσεως

ચાલવું શબ્દ એ વ્યક્તિના જીવન જીવવાના ખ્યાલને વ્યક્ત કરવાની સામાન્ય રીત છે. (જુઓ :રૂપક)

τῆς κλήσεως ἧς ἐκλήθητε

અહીંયા, તેડું શબ્દ, ઈશ્વરે તેઓને તેમના લોકો બનવા પસંદ કર્યા છે, એ હકીકતને અનુલક્ષે છે. વૈકલ્પિક ભાષાંતર : “કારણ કે ઈશ્વરે તમને તેમના લોકો થવા પસંદ કર્યા છે”

Ephesians 4:2

μετὰ πάσης ταπεινοφροσύνης καὶ πραΰτητος

નમ્રતા, `દીનતા, અને સહનશીલતા શબ્દો અમૂર્ત સંજ્ઞાઓ છે. વૈકલ્પિક ભાષાંતર : “નમ્ર, દિન અને સહનશીલ બનવાનું શીખવું” (જુઓ :અમૂર્ત નામો)

Ephesians 4:3

τηρεῖν τὴν ἑνότητα τοῦ Πνεύματος ἐν τῷ συνδέσμῳ τῆς εἰρήνης

અહીંયા પાઉલ, શાંતિ જાણે તે, લોકોને એકસાથે બાંધી રાખે એવું બંધન હોય તેમ તેના વિષે વાત કરે છે. બીજા લોકો સાથે એક થયા હોવા માટેનું આ રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર : “એકબીજા સાથે શાંતિએ રહેવા અને પવિત્ર આત્મા શક્ય બનાવ્યું તેમ એકત્રિત રહેવા” (જુઓ :રૂપક)

τηρεῖν τὴν ἑνότητα τοῦ Πνεύματος ἐν τῷ συνδέσμῳ τῆς εἰρήνης

એકતા અને શાંતિ શબ્દો અમૂર્ત સંજ્ઞાઓ છે. વૈકલ્પિક ભાષાંતર : “એકબીજા સાથે શાંતિએ રહેવા અને પવિત્ર આત્મા શક્ય બનાવ્યું તેમ એકત્રિત રહેવા” (જુઓ :અમૂર્ત નામો)

Ephesians 4:4

ἓν σῶμα

મંડળીને ઘણીવાર ખ્રિસ્તના શરીર તરીકે અનુલક્ષવામાં આવી છે.

ἓν Πνεῦμα

“માત્ર એક પવિત્ર આત્મા”

ἐκλήθητε ἐν μιᾷ ἐλπίδι τῆς κλήσεως ὑμῶν

તમે આને સક્રિય સ્વરૂપમાં જણાવી શકો. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે તમને તમારા તેડામાં એક આશા રાખવા તેડ્યા છે” અથવા “એક બાબત રહેલી છે કે ઈશ્વરે તમને પણ તેમના પર વિશ્વાસ રાખવા અને તેઓ એમ કરે એવી તેમના પ્રત્યે અપેક્ષા રાખવા પસંદ કર્યા છે” (જુઓ :સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Ephesians 4:6

Πατὴρ πάντων…ἐπὶ πάντων…διὰ πάντων…ἐν πᾶσιν

અહીંયા સર્વ શબ્દનો અર્થ છે “બધું જ.”

Ephesians 4:7

અહીંયા જે લખાણ છે તે દાઉદે લખેલ ગીતમાંથી ટાંકવામાં આવ્યું છે.

પાઉલ વિશ્વાસીઓને એ કૃપાદાનો વિષે યાદ કરાવે છે જે ખ્રિસ્ત વિશ્વાસીઓને મંડળીમાં વાપરવા માટે આપે છે, અને આ મંડળી એ વિશ્વાસીઓનું આખું શરીર છે.

ἑνὶ…ἑκάστῳ ἡμῶν ἐδόθη ἡ χάρις

તમે આને સક્રિય સ્વરૂપનો ઉપયોગ કરીને જણાવી શકો. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે આપણામાંના દરેકને કૃપા આપી છે” અથવા “ઈશ્વરે દરેક વિશ્વાસીને કૃપાદાન આપ્યું છે” (જુઓ :સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἑνὶ…ἑκάστῳ ἡμῶν ἐδόθη ἡ χάρις

કૃપા શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે જે અહીંયા ઈશ્વર તરફના કૃપાદાનને અનુલક્ષે છે. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વરે દરેક વિશ્વાસીને કૃપાદાન આપ્યું છે” (જુઓ :અમૂર્ત નામો)

Ephesians 4:8

διὸ

જોડતો વાક્યાંશ એ માટે કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. દરેક વિશ્વાસીને આત્મિક કૃપાદાન આપવામાં આવ્યું છે, એ કારણ છે. શાસ્ત્રવચન કહે છે કે ઈસુએ માણસોને દાનો આપ્યા, આ પરિણામ છે. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ἀναβὰς εἰς ὕψος

“જ્યારે ખ્રિસ્ત સ્વર્ગમાં ગયા”

Ephesians 4:9

ἀνέβη

“ખ્રિસ્ત ગયા”

καὶ κατέβη

“ખ્રિસ્ત નીચે પણ આવ્યા”

εἰς τὰ κατώτερα μέρη τῆς γῆς

આ બાબત આને અનુલક્ષી શકે છે : (૧) પૃથ્વીના ભાગ તરીકે નીચેના પ્રદેશો. (૨) પૃથ્વીને અનુલક્ષવા બીજી રીત તરીકે નીચેના પ્રદેશો. વૈકલ્પિક ભાષાંતર : “નીચેના પ્રદેશોમાં, પૃથ્વીમાં.

Ephesians 4:10

ἵνα πληρώσῃ τὰ πάντα

“કે જેથી તેઓ દરેક જગ્યાએ પરાક્રમસભર રીતે કામ કરી રહેલા હોય”

πληρώσῃ

“તેઓ પૂર્ણ કરી શકે” અથવા “તેઓ સંતોષ પમાડી શકે”

Ephesians 4:12

πρὸς τὸν καταρτισμὸν τῶν ἁγίων

“જે લોકોને તેમણે અલગ કર્યા છે તેઓને તૈયાર કરવા” અથવા “વિશ્વાસીઓને જે જરૂર છે તે પૂરું પાડવા”

εἰς ἔργον διακονίας

“કે જેથી તેઓ બીજાઓની સેવા કરી શકે”

εἰς οἰκοδομὴν τοῦ σώματος τοῦ Χριστοῦ

પાઉલ આત્મિક રીતે જેઓ વૃદ્ધિ પામે છે તેવા લોકો વિષે એવી રીતે કહી રહ્યો છે કે જાણે તેઓ પોતાના ભૌતિક શરીરનું બળ વધારવા કસરત કરી રહ્યા હોય. (જુઓ :રૂપક)

οἰκοδομὴν

“સુધારો”

τοῦ σώματος τοῦ Χριστοῦ

ખ્રિસ્તનું શરીર ખ્રિસ્તની મંડળીના સર્વ સભ્યોને અનુલક્ષે છે.

Ephesians 4:13

καταντήσωμεν οἱ πάντες εἰς τὴν ἑνότητα τῆς πίστεως, καὶ τῆς ἐπιγνώσεως τοῦ Υἱοῦ τοῦ Θεοῦ

જો વિશ્વાસીઓએ વિશ્વાસમાં એક થવું છે અને વિશ્વાસીઓ તરીકે પરિપક્વ બનવું છે તો તેઓએ ઈસુને ઈશ્વરપુત્ર તરીકે ઓળખવાની જરૂર છે.

καταντήσωμεν οἱ πάντες εἰς τὴν ἑνότητα τῆς πίστεως

એકતા શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “આપણે સર્વ સમાન રીતે વિશ્વાસમાં દ્રઢ બનીએ” અથવા “આપણે સર્વ વિશ્વાસમાં સાથે મળીને એક થઈએ” (જુઓ :અમૂર્ત નામો)

καταντήσωμεν οἱ πάντες εἰς τὴν ἑνότητα τῆς πίστεως

વિશ્વાસ શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “વિશ્વાસીઓ તરીકે સાથે મળીને એક થઈએ” (જુઓ :અમૂર્ત નામો)

τῆς ἐπιγνώσεως τοῦ Υἱοῦ τοῦ Θεοῦ

જ્ઞાન* શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “બધાં ઈશ્વરપુત્રને સારી રીતે જાણે” (જુઓ :અમૂર્ત નામો)

τοῦ Υἱοῦ τοῦ Θεοῦ

ઈસુ માટે આ અગત્યનું શીર્ષક છે. (જુઓ :પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

εἰς ἄνδρα τέλειον

“પરિપક્વ વિશ્વાસીને”

τέλειον

“પૂર્ણ વિકસિત” અથવા “વૃદ્ધિ પામેલા” અથવા “સંપૂર્ણ”

Ephesians 4:14

ἵνα

જોડતો વાક્યાંશ કે જેથી ધ્યેય-સંબંધને રજુ કરે છે. મંડળીમાં કૃપાદાન ધરવતા લોકોનો ધ્યેય કે હેતુ એ સર્વ વિશ્વાસીઓને આત્મિક પરિપક્વતાએ લાવવાનો છે. (જુઓ :જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

μηκέτι ὦμεν νήπιοι

આત્મિક રીતે વૃદ્ધિ પામ્યા નથી એવા વિશ્વાસીઓને પાઉલ જાણે તેઓ બાળકો હોય, કે જેઓ પાસે જીવનનો બહુ જ થોડો અનુભવ હોય, એ રીતે અનુલક્ષે છે. વૈકલ્પિક ભાષાંતર : “આપણે બાળકોના જેવા રહીએ નહિ” (જુઓ :રૂપક)

κλυδωνιζόμενοι καὶ περιφερόμενοι παντὶ ἀνέμῳ τῆς διδασκαλίας

એવો વિશ્વાસી જે પરિપક્વ બન્યો નથી અને તે વિવિધ ખોટા શિક્ષણને અનુસરે છે તેને વિષે પાઉલ એવી રીતે વાત કરે છે જાણે તે વિશ્વાસી માણસ હોડી હોય અને ખોટું શિક્ષણ જાણે પવન તથા મોજાં હોય. આ પવન અને મોજાં પાણી પર હોડીને જુદી દિશામાં લઈ જાય છે. UST અનુવાદ જુઓ (જુઓ :રૂપક)

ἐν τῇ κυβίᾳ τῶν ἀνθρώπων, ἐν πανουργίᾳ πρὸς τὴν μεθοδίαν τῆς πλάνης

ઠગાઈ, ચતુરાઈ, અને યુક્તિ શબ્દો અમૂર્ત સંજ્ઞાઓ છે. વૈકલ્પિક ભાષાંતર : “ધૂર્ત લોકો, જેઓ વિશ્વાસીઓને ચતુર જુઠ્ઠાણાથી છેતરે છે, તેઓ વડે” (જુઓ :અમૂર્ત નામો)

Ephesians 4:15

δὲ

જોડતો શબ્દ ઉલટું વિરોધાભાસી-સંબંધને રજુ કરે છે. દરેક બદલાતા શિક્ષણને અનુસરવું એ ખ્રિસ્તમાં પરિપક્વ બનવામાં અને તેમનું શરીર બાંધવામાં વિરોધાભાસી છે. તમારી ભાષામાં એવા શબ્દનો ઉપયોગ કરો જે વિરોધાભાસને ચીંધે છે. (જુઓ :જોડાણ-વિરોધાભાસ સબંધ)

ἀληθεύοντες

સત્ય શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “સત્યતાથી બોલવું” (જુઓ :અમૂર્ત નામો)

ἐν ἀγάπῃ

પ્રેમ શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “અવયવો તરીકે એકબીજાને પ્રેમ કરો” (જુઓ :અમૂર્ત નામો)

εἰς αὐτὸν…ὅς ἐστιν ἡ κεφαλή

જેમ શરીરનું શિર તંદુરસ્ત રીતે વૃદ્ધિ પામવા શરીરના ભાગોને એકઠા મળીને કામ કરતા કરે છે તેમ ખ્રિસ્ત કેવી રીતે વિશ્વાસીઓને એકઠા મળીને સુમેળમાં કામ કરતા કરે છે તે વર્ણવવા પાઉલ માનવી શરીરના રૂપકનો ઉપયોગ કરે છે. UST અનુવાદને જુઓ. (જુઓ :રૂપક)

Ephesians 4:16

ἐξ οὗ πᾶν τὸ σῶμα…τὴν αὔξησιν τοῦ σώματος ποιεῖται

જેમ શરીરનું શિર શરીરના ભાગોને તંદુરસ્ત રીતે વૃદ્ધિ પામવા એકઠા મળીને કામ કરતા કરે છે તેમ કેવી રીતે ખ્રિસ્ત વિશ્વાસીઓને એકઠા મળીને સુમેળમાં કરતા કરે છે તે વર્ણવવા પાઉલ શરીર તરીકે વિશ્વાસીઓના રૂપકને અને તેના શિર તરીકે ખ્રિસ્તના રૂપકને જારી રાખે છે. UST અનુવાદને જુઓ. (જુઓ :રૂપક)

εἰς οἰκοδομὴν ἑαυτοῦ ἐν ἀγάπῃ

માટે શબ્દ હેતુસભર વાક્યને ચીંધે છે. જેમ માનવી શરીરના ભાગો એકઠા મળીને સુમેળમાં કામ કરે છે તેમ સર્વ વિશ્વાસીઓ એકઠા મળીને સુમેળમાં કામ કરે તેનો હેતુ એ કે સર્વ વિશ્વાસીઓ આપણી ક્ષમતામાં એકબીજાને તથા ઈશ્વરને પ્રેમ કરવા વૃદ્ધિ પામે. તમારી ભાષામાં એવા શબ્દનો ઉપયોગ કરો જે આને હેતુસભર વાક્ય તરીકે જણાવે. (જુઓ :જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

ἐν ἀγάπῃ

પ્રેમ શબ્દ એ અમૂત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “જેમ અવયવો એકબીજાને પ્રેમ કરે છે” અથવા “એકબીજાને વધુ પ્રેમ કરવા સમર્થ” (જુઓ :અમૂર્ત નામો)

διὰ πάσης ἁφῆς τῆς ἐπιχορηγίας

પાઉલ વિશ્વાસીઓને માનવી શરીર સાથે સરખાવાના રૂપકને જારી રાખે છે. સાંધો એક મજબૂત બંધન છે જે હાડકાંને જોડે છે અથવા અંગોને શરીરમાંની જગ્યામાં જકડી રાખે છે. જેમ મજબૂત સાંધાઓ વડે શરીરને સાથે જકડી રાખવામાં આવે છે તેમ વિશ્વાસીઓને પ્રેમ વડે જકડી રાખવામાં આવ્યા છે, અને જેમ શરીરના ભાગો સાથે મળીને વધે અને કામ કરે છે તેમ આ પ્રેમ પણ મજબૂત થતો જાય છે. (જુઓ :રૂપક)

Ephesians 4:17

પાઉલ તેઓને તેઓએ શું કરવું ન જોઈએ તે કહે છે કેમ કે હવે ઈશ્વરના પવિત્ર આત્મા દ્વારા તેઓને વિશ્વાસીઓ તરીકે મુદ્રાંકિત કરવામાં આવ્યા છે .

οὖν

જોડતો શબ્દ માટે કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. તેનું કારણ એ કે ખ્રિસ્ત ઈચ્છે છે કે દરેક વિશ્વાસી આત્મિક રીતે પરિપક્વ બનીને બીજા વિશ્વાસીઓની સેવા કરે. તેનું પરિણામ એ કે એફેસસના વિશ્વાસીઓએ બિનયહૂદીઓ વર્તે છે તેમ વર્તવું ન જોઈએ. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

τοῦτο οὖν λέγω καὶ μαρτύρομαι

“મેં હમણાં જે કહ્યું તે કારણે હવે હું વધુ ઉત્તેજન આપવાના હેતુસર કશુંક વધારે કહીશ”

ἐν Κυρίῳ

આ બાબત હોઈ શકે : (૧) પ્રભુના અધિકારને અનુલક્ષવો (૨) આપણે સર્વ પ્રભુના છીએ તે જણાવવું.

μηκέτι ὑμᾶς περιπατεῖν, καθὼς καὶ τὰ ἔθνη περιπατεῖ ἐν ματαιότητι τοῦ νοὸς αὐτῶν

સામાન્ય રીતે પાઉલ આ રૂપક વાપરે છે, કે જે વ્યક્તિના જીવનને ચાલવા સાથે સરખાવે છે. વૈકલ્પિક ભાષાંતર : “તમે ..... નકામા વિચારો ધરવતા બિનયહૂદીઓની જેમ જીવવાનું બંધ કરો” (જુઓ :રૂપક)

Ephesians 4:18

ἐσκοτωμένοι τῇ διανοίᾳ

આ રૂપક ખોટા વિચાર કરવાને અંધકાર સાથે સરખાવે છે. વૈકલ્પિક ભાષાંતર : “તેઓ સ્પષ્ટતાથી વિચારી કે તર્ક કરી શકતા નથી” અથવા “તેઓ સમજવાને સમર્થ નથી” (જુઓ :રૂપક)

ἐσκοτωμένοι τῇ διανοίᾳ

તમે આને સક્રિય સ્વરૂપમાં જણાવી શકો. વૈકલ્પિક ભાષાંતર: “તેઓની વિચારવાની રીત અંધકારમય બની છે” અથવા “તેઓ સમજવાને સમર્થ નથી” (જુઓ :સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀπηλλοτριωμένοι τῆς ζωῆς τοῦ Θεοῦ, διὰ τὴν ἄγνοιαν τὴν οὖσαν ἐν αὐτοῖς

તમે આને સક્રિય સ્વરૂપમાં જણાવી શકો. વૈકલ્પિક ભાષાંતર: “કારણ કે તેઓ ઈશ્વરને ઓળખતા નથી, માટે જેવું ઈશ્વર ઈચ્છે કે પોતાના લોકો જીવે તે તેઓ જીવી શકતા નથી” અથવા “પોતાની અજ્ઞાનતામાં તેઓએ પોતાને ઈશ્વરના જીવનથી દૂર કર્યા છે” (જુઓ :સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀπηλλοτριωμένοι

“દૂર કર્યા” અથવા “વિખુટા કર્યા”

ἄγνοιαν

“જ્ઞાનનો અભાવ” અથવા “જાણકારીનો અભાવ”

διὰ τὴν πώρωσιν τῆς καρδίας αὐτῶν

તેમના હૃદયની કઠણતા આ વાક્યાંશ રૂપક છે જેનો અર્થ “હઠીલાપણું” છે. વૈકલ્પિક ભાષાંતર : “કારણ કે તેઓ હઠીલા છે” અથવા “કારણ કે તેઓ ઈશ્વરને સાંભળવાનું નકારે છે” (જુઓ :રૂપક)

διὰ

જોડતો શબ્દ કારણ એ કારણ–સંબંધને રજુ કરે છે. પહેલું કારણ એ તેઓ ઈશ્વરથી અજાણ્યા છે, તે છે. તેનું પરિણામ એ કે બિનયહૂદીઓ ઈશ્વરથી વિખુટા પડેલા છે. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

διὰ

જોડતો શબ્દ કારણ એ કારણ–સંબંધને રજુ કરે છે. બીજું કારણ એ કે તેઓના હૃદયો કઠણ થયેલા છે. તેનું પરિણામ એ કે બિનયહૂદીઓ ઈશ્વરથી વિખુટા પડેલા છે. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

Ephesians 4:19

ἑαυτοὺς παρέδωκαν τῇ ἀσελγείᾳ

પાઉલ આ લોકો વિષે, જાણે તેઓ પદાર્થો હતા, કે જેઓ પોતપોતાને બીજાને સોંપી દીધા દેતા હતા, એ રીતે કહે છે, અને પાઉલ એ રીત વિષે પણ કહે છે કે તેઓ શારીરિક ઇચ્છાઓ સંતોષવા માંગે છે અને એ શારીરિક ઇચ્છાઓ જાણે વ્યક્તિ હોય તેમ તેઓ પોતપોતાને તેઓને સોંપી છે. વૈકલ્પિક ભાષાંતર : “દરેક શારીરિક વાસનાઓના આદતી” અથવા “માત્ર પોતાની શારીરિક વાસનાઓ સંતોષવા માંગે છે” (જુઓ :રૂપક)

Ephesians 4:20

ὑμεῖς δὲ οὐχ οὕτως ἐμάθετε τὸν Χριστόν

જેમ એફેસી ૪:૧૭-૧૯માં વર્ણવ્યું છે તેમ આમ શબ્દ, બિનયહૂદીઓ જે રીતે જીવે છે, તેને અનુલક્ષે છે. આ બાબત ભાર મૂકે છે કે વિશ્વાસીઓ ખ્રિસ્ત પાસેથી જે શીખ્યા તે તેથી વિરુદ્ધની હતી. વૈકલ્પિક ભાષાંતર : “પરંતુ તમે ખ્રિસ્તના જે માર્ગો વિષે શીખ્યા તેઓ તેવા નહોતા”

δὲ

જોડતો શબ્દ પણ વિરોધાભાસી સંબંધને રજુ કરે છે. બિનયહૂદીઓ જે પાપી રીતથી જીવે છે તે, પાઉલે એફેસીઓને ખ્રિસ્તના સત્ય અનુસાર જીવવાનું જે શીખવ્યું તેથી વિરોધાભાસી છે. તમારી ભાષામાં એવો જોડતો શબ્દ વાપરો જે અહીંયા વિરોધભાસ બનાવે છે. (જુઓ :જોડાણ-વિરોધાભાસ સબંધ)

Ephesians 4:21

εἴ γε αὐτὸν ἠκούσατε καὶ ἐν αὐτῷ ἐδιδάχθητε

પાઉલ જાણે છે કે જે લોકોને તે લખી રહ્યો છે તેઓએ આ બાબતો સાંભળી* છે અને તેઓને શીખવવામાં આવી છે. તે ઠપકાના સ્વરૂપ તરીકે કટાક્ષનો ઉપયોગ કરે છે, એટલે તેઓ ખ્રિસ્તના માર્ગથી વિરોધાભાસી બાબતો કરી રહ્યા હતા કે કેમ, તેઓ તે કરતા વધારે સારું જાણે છે કે કેમ અને તેઓએ થોભવાની જરૂર છે કે કેમ. UST અનુવાદ જુઓ (જુઓ :વક્રોક્તિ /કટાક્ષવચન)

ἐν αὐτῷ ἐδιδάχθητε

તમે આને સક્રિય સ્વરૂપમાં જણાવી શકો. આનો અર્થ આ હોઈ શકે : (૧) તેઓએ ઈસુની ઇચ્છાનુસાર નિર્દેશો મેળવ્યા. (૨) ઈસુના લોકોએ તેમને શીખવ્યું છે. (જુઓ :સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

καθώς ἐστιν ἀλήθεια ἐν τῷ Ἰησοῦ

“જેમ ઈસુ આપણને જીવવા માટે સાચી રીત શીખવે છે” અથવા “જેમ ખ્રિસ્ત વિષે બધું જ સાચું છે.”

Ephesians 4:22

ἀποθέσθαι ὑμᾶς κατὰ τὴν προτέραν ἀναστροφὴν

પાઉલ નૈતિક ગુણો વિષે, જાણે તેઓ વસ્ત્રના ટુકડાઓ હોય તેમ કહી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર : “તમારે તમારી પૂર્વની રીત અનુસાર જીવન જીવવાનું બંધ કરવું જ રહ્યું” (જુઓ :રૂપક)

ἀποθέσθαι ὑμᾶς κατὰ τὴν προτέραν ἀναστροφὴν τὸν παλαιὸν ἄνθρωπον

પાઉલ જીવવાની રીત વિષે, જાણે તે એક વ્યક્તિ હોય, એમ કહી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર : “તમારું જૂનું માણસપણું જે બાબતો કરતી હતી તેઓ તમારે બંધ કરવી જ રહી” (જુઓ :રૂપક)

τὸν παλαιὸν ἄνθρωπον

જૂનું માણસપણુંજૂના સ્વભાવને અથવા **પહેલાની જાત”ને અનુલક્ષે છે, એટલે વ્યક્તિ ખ્રિસ્તમાં વિશ્વાસી બની તે પહેલા જે રીતની વ્યક્તિ હતી, તેને અનુલક્ષે છે. (જુઓ :રૂપક)

τὸν φθειρόμενον κατὰ τὰς ἐπιθυμίας τῆς ἀπάτης

પાપી જીવન જીવવું એ જાણે માણસ હોય એમ પાઉલ તેને વિષે કહેવાનું જારી રાખે છે. આવો માણસ દુષ્ટ બાબતો કરે છે. વૈકલ્પિક ભાષાંતર : “જ્યારે તમે પોતાને જે પણ દુષ્ટ બાબત તમે કરવા માંગતા હતા, તે સારી હતી એવું વિચારની પોતાને મુર્ખ બનાવ્યા” UST અનુવાદ જુઓ. (જુઓ :રૂપક)

Ephesians 4:23

ἀνανεοῦσθαι…τῷ πνεύματι τοῦ νοὸς ὑμῶν

આ સક્રિય સ્વરૂપમાં અનુવાદિત થઈ શકે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર, તમારા વલણો અને વિચારોને બદલે, એવું ઈશ્વરને કરવા દેવું” અથવા “ઈશ્વર તમને નવા વલણો અને વિચારો આપે એ ઈશ્વરને કરવા દેવું” (જુઓ :સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Ephesians 4:24

ἐν δικαιοσύνῃ καὶ ὁσιότητι τῆς ἀληθείας

ન્યાયીપણું, પવિત્રતા અને સત્ય, આ શબ્દો અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “સાચે જ ન્યાયી અને પવિત્ર” (જુઓ :અમૂર્ત નામો)

ἐνδύσασθαι τὸν καινὸν ἄνθρωπον

પાપી જીવન જીવવું એ જાણે માણસ હોય અને જાણે વસ્ત્રો હોય એમ પાઉલ તેને વિષે કહેવાનું જારી રાખે છે કે જેથી વ્યક્તિ નવા માણસને ઝભ્ભા તરીકે પહેરી શકે. વૈકલ્પિક ભાષાંતર : “નવા માણસ બનો” અથવા “નવી રીતે જીવવાનું શરુ કરો” (જુઓ :રૂપક)

Ephesians 4:25

διὸ

વાક્યાંશ એ માટે કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. કારણ આ કે ઈશ્વરે વિશ્વાસીઓને નવા, પવિત્ર લોકો તરીકે સર્જ્યા છે. તેનું પરિણામ આ કે જેમ અગાઉ તેઓ ભ્રષ્ટ રીતે વર્તતા હતા તે હવે તેઓ બંધ કરી દેશે. તમારી ભાષામાં એવું વાક્યાંશ વાપરો જે કારણને પરિણામ સાથે સાંકળે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ἀποθέμενοι τὸ ψεῦδος

જુઠ્ઠું બોલવું એ જાણે પદાર્થો હોય એમ પાઉલ તેના વિષે કહે છે, આ એવા પદાર્થો છે જેને વિશ્વાસીઓ બાજુમાં મૂકી શકે છે. વૈકલ્પિક ભાષાંતર : “હવેથી જુઠ્ઠું બોલતાં નથી” અથવા “જુઠ્ઠું બોલવાને બદલે” (જુઓ :રૂપક)

λαλεῖτε ἀλήθειαν ἕκαστος

સત્ય શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “તમારામાંનો દરેક સત્યતાથી બોલે” (જુઓ :અમૂર્ત નામો)

ὅτι

જોડતો શબ્દ કારણ એ કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. વિશ્વાસીઓ ખ્રિસ્તના શરીરના અવયવો છે, એ કારણ છે. વિશ્વાસીઓએ એકબીજા સાથે સાચું બોલવું જોઈએ, એ પરિણામ છે. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ἐσμὲν ἀλλήλων μέλη

અહીંયા પાઉલ વિશ્વાસીઓ વિષે, જાણે તેઓ દરેક એક શરીરના ભાગ હોય તેમ તેઓના એકબીજા સાથેના નજીકના જોડાણની વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર : “આપણે એકબીજાના છીએ” અથવા “આપણે સર્વ ઈશ્વરના કુટુંબના સભ્યો છીએ” (જુઓ :રૂપક)

Ephesians 4:26

ὀργίζεσθε, καὶ μὴ ἁμαρτάνετε

“તમે ગુસ્સે થઇ શકો, પરંતુ પાપ ન કરો” અથવા “જો તમે ગુસ્સે થાઓ, તો પાપ ન કરો”

ὁ ἥλιος μὴ ἐπιδυέτω ἐπὶ παροργισμῷ ὑμῶν

નીચે જતો સૂર્ય એ રાત પડવાને અથવા દિવસના અંતને રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : “રાત આવે તે પહેલા તમારે ગુસ્સે થવાનું બંધ કરવું જ રહ્યું” અથવા “દિવસનો અંત થયા પહેલા તમારા ગુસ્સાને જતો રહેવા દો” (જુઓ :ઉપનામ)

Ephesians 4:27

μηδὲ δίδοτε τόπον τῷ διαβόλῳ

“અને તમને પાપમાં દોરી લઈ જવાની શેતાનને તક ના આપો”

Ephesians 4:28

μᾶλλον δὲ

જોડતો વાક્યાંશ પરંતુ તેથી ઉલટું એ વિરોધાભાસી સંબંધને રજુ કરે છે. ભૂતપૂર્વ ચોરે મહેતનથી કામ કરવું કે તેની પાસે બીજા સાથે વહેંચવા કશુંક હોય, આ બાબત તે પોતાને માટે પહેલા જે રીતે ચોરી કરતો હતો, તેથી વિરોધાભાસી છે. (જુઓ :જોડાણ-વિરોધાભાસ સબંધ)

ἵνα

જોડતો વાક્યાંશ કે જેથી ધ્યેય-સંબંધને રજુ કરે છે. પોતાના હાથે ભારે મહેનતથી કામ કરવાનો ધ્યેય કે હેતુ એ બીજાઓની જરૂરિયાતોને પૂરી પાડવા સક્ષમ બનવાનો છે. (જુઓ :જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

Ephesians 4:29

λόγος σαπρὸς

આ એવી ઉક્તિને અનુલક્ષે છે તે ક્રૂર કે કઠોર છે.

ἀλλ’

જોડતો શબ્દ પરંતુ વિરોધાભાસી સંબંધને રજુ કરે છે. જે ભૂડું છે તેને બોલવું એ સારી બાબતો બોલવાની વિરુદ્ધમાં છે. આ બોલેલી સારી બાબતો બીજાઓને બાંધે છે. (જુઓ :જોડાણ-વિરોધાભાસ સબંધ)

πρὸς οἰκοδομὴν

“ઉત્તેજન આપવા માટે” અથવા “બળ આપવા માટે”

ἵνα

જોડતો વાક્યાંશ કે જેથીધ્યેય-સંબંધને રજુ કરે છે. બીજાઓને બાંધે એવી બાબતો બોલવાનો ધ્યેય અથવા હેતુ એ આ શબ્દો સાંભળે છે તેઓને કૃપા આપવાનો છે. (જુઓ :જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

τῆς χρείας, ἵνα δῷ χάριν τοῖς ἀκούουσιν

“જરૂરીયાતમંદ. આ રીતે તમે જેઓ તમને સાંભળે છે તેઓને મદદ કરશો”

ἵνα δῷ χάριν τοῖς ἀκούουσιν

કૃપા શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “કે જેથી જેઓ તમને સાંભળે તેઓ આત્મિક રીતે ઉત્તેજન પામી શકે” (જુઓ :અમૂર્ત નામો)

Ephesians 4:30

μὴ λυπεῖτε

“ખેદિત ન કરો” અથવા “ઉદાસ ન કરો”

ἐν ᾧ ἐσφραγίσθητε εἰς ἡμέραν ἀπολυτρώσεως

પવિત્ર આત્મા વિશ્વાસીઓને ખાતરી આપે છે કે ઈશ્વર તેઓનો ઉદ્ધાર કરશે. પાઉલ પવિત્ર આત્માને જાણે તેઓ વિશ્વાસીઓ પર લગાડવાનું ચિન્હ હોય, એમ કહે છે. આ એવું ચિન્હ જે ઈશ્વર વિશ્વાસીઓ પર મૂકે છે કે જેથી તેઓ વિશ્વાસીઓને બતાવે કે તેઓ તેમના છે. વૈકલ્પિક ભાષાંતર : “કેમ કે તેઓ મુદ્દ્રા છે જે તમને ખાતરી આપે છે કે ઉદ્ધારના દિવસે ઈશ્વર તમારો ઉદ્ધાર કરશે” અથવા “કેમ કે તેઓ એક છે જે તમને ખાતરી આપે છે કે ઉદ્ધારના દિવસે ઈશ્વર તમારો ઉદ્ધાર કરશે” (જુઓ :રૂપક)

ἐν ᾧ ἐσφραγίσθητε εἰς ἡμέραν ἀπολυτρώσεως

તમે આને સક્રિય સ્વરૂપમાં જણાવી શકો. વૈકલ્પિક ભાષાંતર : “કેમ કે તેઓએ તમને ઉદ્ધારના દિવસ માટે મુદ્રાંકિત કર્યા છે” (જુઓ :સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Ephesians 4:31

વિશ્વાસીઓએ શું ના કરવું તે કહીને પાઉલ તેની સુચનાઓ પૂરી કરે છે અને તેઓએ શું કરવું જ રહ્યું તે કહીને તેને સમાપ્ત કરે છે.

ἀρθήτω

વલણો અને વર્તનો, જાણે તેઓ હટાવી શકાય એવા ભૌતિક પદાર્થો હોય એમ પાઉલ તેઓ વિષે વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર : “તમારે તમારા જીવનનો ભાગ બનવા ...... મંજુરી ન જ આપવી” (જુઓ :રૂપક)

πικρία, καὶ θυμὸς, καὶ ὀργὴ

આ અમૂર્ત સંજ્ઞાઓ છે જે વિશેષણો તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર : “કડવા હોવું, અને ભારે માત્રામાં ક્રોધિત હોવું, અને ગુસ્સે હોવું” (જુઓ :અમૂર્ત નામો)

κακίᾳ

ખુન્નસ શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે, જે વિશેષણ તરીકે વાપરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર : “ખુન્નસવાળા હોવું” (જુઓ :અમૂર્ત નામો)

Ephesians 4:32

δὲ

જોડતો શબ્દ ઉલટું વિરોધાભાસી સંબંધને રજુ કરે છે. ગુસ્સાભરી અને ખેદકારક બાબતો બોલવી એ એકબીજા પ્રત્યે ભલી અને કરુણામય બાબતો બોલવાની વિરુદ્ધમાં છે. (જુઓ :જોડાણ-વિરોધાભાસ સબંધ)

εὔσπλαγχνοι

“બીજાઓ પ્રત્યે માયાળુ અને કરુણાળું”

Ephesians 5

એફેસી ૫ સામાન્ય નોંધો

માળખું અને ગોઠવણી

કેટલાક અનુવાદો ગીતની દરેક રેખાને વાંચવા માટે સરળ બનાવવા ગીતના શેષ લખાણ/ફકરા કરતા જમણી બાજુએ દૂર ગોઠવે છે. ULT અનુવાદ કલમ ૧૪ સાથે આવું કરે છે.

\nઆ અધ્યાયમાંના ખાસ ખ્યાલો

ખ્રિસ્તના રાજ્યનો વારસો

કેટલાક અભ્યાસીઓ માને છે કે જે લોકો કલમ ૫:૫માં વર્ણવેલ બાબતો આચરણમાં મૂકવાનું જારી રાખે છે તેઓ અનંતજીવનનો વારસો પામશે નહિ. પરંતુ ઈશ્વર આ કલમમાં વર્ણવેલા બધાં જ પાપ માફ કરી શકે છે. અનૈતિક, અશુદ્ધ અથવા લોભી લોકો પ્રાયશ્ચિત્ત કરીને ઈસુમાં વિશ્વાસ કરે તો તેઓ હજુયે અનંતજીવન પ્રાપ્ત કરી શકે છે. ઈશ્વર આ બાબતને નક્કી કરશે. (જુઓ : માફ કરવું, માફ કરે છે, માફ કરાયેલું, માફી, માફ કરવું, માફ થયેલ અને અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ અને જીવન, જીવવું, જીવે છે, જીવંત)

\nઆ અધ્યાયમાં નડી શકતી ભાષાંતરની અન્ય મુશ્કેલીઓ

પત્નીઓ, તમારા પતિઓને આધીન રહો

આ ફકરાને ઐતિહાસિક અને સાંકૃતિક સંદર્ભમાં કઈ રીતે સમજવો એની પર અભ્યાસીઓ વિભાજીત થયેલા છે. \nકેટલાક અભ્યાસીઓ એવું માને છે કે પુરુષો અને સ્ત્રીઓ સર્વ બાબતોમાં સંપૂર્ણપણે સરખા છે. બીજા અભ્યાસીઓ એવું માને છે કે ઈશ્વરે પુરુષો અને સ્ત્રી લગ્ન અને મંડળીમાં વિવિધ રીતે જુદાજુદા ભાગોમાં સેવા કરવા માટે સર્જ્યા છે. આ અભ્યાસીઓ જે રીતે આ બાબતનું અર્થઘટન કરે છે તેની અસર, ભાષાંતરકારો કેવી રીતે આ ફકરાનું ભાષાંતર કરે છે તે પર ન થાય તેની તેઓએ કાળજી રાખવાની છે.

Ephesians 5:1

પાઉલ વિશ્વાસીઓને કહેવાનું જારી રાખે છે કે ઈશ્વરના બાળકો તરીકે તેઓએ કેવી રીતે જીવવું જોઈએ અને ન જીવવું જોઈએ.

γίνεσθε οὖν μιμηταὶ τοῦ Θεοῦ

અનુકરણ કરનારાઓ આ શબ્દો ક્રિયાપદની સંજ્ઞા છે, અને તેનું ક્રિયાપદ તરીકે ભાષાંતર થઈ શકે છે. “એ માટે, ઈશ્વરનું અનુકરણ કરો” અથવા “એ માટે ઈશ્વર જે કરે છે તે તમારે કરવું જોઈએ.”

οὖν

જોડતા શબ્દો એ માટે કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. ઈશ્વર આપણને ખ્રિસ્ત મારફતે માફ કર્યા છે એ કારણ છે ([એફેસી ૪:૩૨] (../૦૪/૩૨.mdમાં જણાવ્યું છે)). વિશ્વાસીઓએ ઈશ્વર જેવા છે તેનું અનુકરણ કરવું જોઈએ એ પરિણામ (અહીંયા જણાવ્યું) છે. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ὡς τέκνα ἀγαπητά

ઈશ્વરના આપણે આત્મિક બાળકો છીએ માટે તેઓ ઈચ્છા રાખે છે કે આપણે તેમનું અનુકરણ કરીએ અથવા અનુસરીએ. વૈકલ્પિક ભાષાંતર : “જેમ વહાલાં બાળકો પોતાના પિતાઓનું અનુકરણ કરે છે” અથવા “કારણ કે તમે તેમના બાળકો છો અને તેઓ તમને ઘણો પ્રેમ કરે છે માટે” (જુઓ :ઉપમા)

Ephesians 5:2

περιπατεῖτε ἐν ἀγάπῃ

ચાલવું એ વ્યક્તિના જીવન જીવવાનો ખ્યાલ વ્યક્ત કરવાની સામાન્ય રીત છે. વૈકલ્પિક ભાષાંતર : “પ્રેમનું જીવન જીવો” અથવા “હંમેશા એકબીજાને પ્રેમ કરો” (જુઓ :રૂપક)

προσφορὰν καὶ θυσίαν τῷ Θεῷ εἰς ὀσμὴν εὐωδίας

આ રૂપક, ખ્રિસ્ત આપણા પાપો માટે વધસ્તંભ પર મરણ પામી રહ્યા છે તે બાબતને જૂના કરારના પાપ માટેના બલિદાન સાથે સરખાવે છે, આ બલિદાનોને અગ્નિમાં શેકવામાં આવતા ત્યારે તેઓ સુગંધ આપતા હતા. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વરને સુવાસિત અર્પણ અને બલિદાનની જેમ” અથવા “ઈશ્વરને એવું અર્પણ તથા બલિદાન જેણે ઈશ્વરને ખૂબ પ્રસન્ન કર્યા” UST અનુવાદ જુઓ (જુઓ :રૂપક)

Ephesians 5:3

πορνεία δὲ, καὶ ἀκαθαρσία πᾶσα, ἢ πλεονεξία, μηδὲ ὀνομαζέσθω ἐν ὑμῖν

તમે આને સક્રિય સ્વરૂપમાં જણાવી શકો : “એવું કશું ન કરો કે કોઈક એવો વિચાર કરે કે તમે જાતીય ભ્રષ્ટતાના અથવા કોઈપણ પ્રકારની અશુદ્ધતા અથવા લોભના દોષિત છો.” (જુઓ :સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

δὲ

જોડતો શબ્દ પરંતુ એ વિરોધાભાસી સંબંધને રજુ કરે છે. ઈશ્વરને સુગંધીદાર અર્પણ તથા બલિદાન એ પાપી કૃત્યો તથા વિચારો, જે સંતોને બંધબેસતા નથી તેઓની વિરુદ્ધમાં છે. તમારી ભાષામાં એવા જોડતા શબ્દનો ઉપયોગ કરો જે તમારી ભાષામાં વિરોધાભાસને ચીંધે છે. (જુઓ :જોડાણ-વિરોધાભાસ સબંધ)

ἀκαθαρσία πᾶσα

“કોઈપણ નૈતિક અશુદ્ધતા”

Ephesians 5:4

ἀλλὰ μᾶλλον εὐχαριστία

આભારપ્રગટ શબ્દ એ ક્રિયાપદની સંજ્ઞા છે, અને તેને ક્રિયાપદ વડે અનુવાદિત કરી શકાય : “તે બાબતોને બદલે તમારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ”

ἀλλὰ μᾶλλον

જોડતો વાક્યાંશ પરંતુ એથી ઉલટું એ વિરોધાભાસી સંબંધને રજુ કરે છે. પાપી કૃત્યો અને વિચારો એ ઈશ્વરનો આભાર માનવાની વિરુદ્ધમાં છે. તમારી ભાષામાં એવા જોડતા શબ્દનો ઉપયોગ કરો જે તમારી વિરોધાભાસી ભાષાને ચીંધે છે. (જુઓ :જોડાણ-વિરોધાભાસ સબંધ)

Ephesians 5:5

ἀκάθαρτος

અહીંયા અશુદ્ધ (ગંદા) હોવું એ પાપી હોવા માટેનું રૂપક છે. (જુઓ :રૂપક)

οὐκ ἔχει κληρονομίαν

ઈશ્વરે વિશ્વાસીઓને જે આપવાનું વચન આપ્યું છે તે પ્રાપ્ત કરવું એ જાણે કુટુંબના સભ્ય પાસેથી વારસામાં મિલકત અને સંપત્તિ લેવાની હોય એમ કહેવામાં આવ્યું છે. વૈકલ્પિક ભાષાંતર : “કશું પ્રાપ્ત કરશે નહિ” અથવા “કોઈ ભાગ નથી” UST અનુવાદ જુઓ (જુઓ :રૂપક)

Ephesians 5:6

κενοῖς λόγοις

“જેમાં સત્ય નથી એવા શબ્દો વડે” અથવા “સાચા નથી એવા શબ્દો બોલવા વડે”

γὰρ

જોડતા શબ્દો કેમ કે એ કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. પરિણામ પહેલા જણાવ્યું છે : કે તેમને કોઈ નિરર્થક વાતોથી છેતરે એવું એફેસસના વિશ્વાસીઓએ થવા ન દેવું જોઈએ. પછી કારણ જણાવ્યું છે : કે ઈશ્વરનો કોપ એવી બાબતોનો ન્યાય કરશે. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે, અને તમારી ભાષામાં બહુ જ સ્વાભાવિક છે એવા ક્રમમાં તેને ગોઠવે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ἔρχεται ἡ ὀργὴ τοῦ Θεοῦ ἐπὶ

કોપ શબ્દ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વર ચોક્કસપણે શિક્ષા કરશે” (જુઓ :અમૂર્ત નામો)

τοὺς υἱοὺς τῆς ἀπειθείας

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ, “જે લોકો આદતપૂર્વક અનાજ્ઞાંકિત થાય છે” અથવા “જે લોકોની લાક્ષણિકતા અનાજ્ઞાંકિતપણું છે” એ છે. વૈકલ્પિક ભાષાંતર : “જેઓ ઈશ્વરને અનાજ્ઞાંકિત થાય છે” (જુઓ :રૂઢિપ્રયોગ)

Ephesians 5:7

οὖν

જોડતા શબ્દો એ માટે એ કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. કારણ એ કે જે લોકો ઈશ્વરના કોપ હેઠળ છે તેઓનો ન્યાય ઈશ્વર કરશે. પરિણામ એ કે એફેસસના વિશ્વાસીઓએ દુષ્ટ માણસો સાથે ભાગીદાર થવું જોઈએ નહિ. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

Ephesians 5:8

ἦτε γάρ ποτε σκότος

જેમ કોઈ માણસ અંધકારમાં જોઈ શકતું નથી તેમ જે લોકો પાપને પ્રેમ કરે છે તેઓ ઈશ્વરની બાબતોને જોઈ કે સમજી શકતા નથી. વૈકલ્પિક ભાષાંતર : “કારણ કે અગાઉ તમે ઈશ્વર વિષે કશું જ સમજતા નહોતા” UST અનુવાદ જુઓ (જુઓ :રૂપક)

γάρ

જોડતા શબ્દો “કારણ કે” એ કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. કારણ પહેલા જણાવ્યું છે (ક.૭) : કે એફેસસના વિશ્વાસીઓએ દુષ્ટ માણસો સાથે ભાગીદાર થવું જોઈએ નહિ. બીજું પરિણામ જણાવ્યું છે (ક. ૮) : એફેસસના વિશ્વાસીઓ અંધકાર રહ્યા નથી, પરંતુ હવે તેઓ પ્રકાશ છે. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે એવા ક્રમનો ઉપયોગ કરીને જોડે છે જે તમારી ભાષામાં સૌથી સ્વાભાવિક છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

νῦν δὲ φῶς ἐν Κυρίῳ

જેમ કોઈ માણસ પ્રકાશમાં જોઈ શકે છે, તેમ જે લોકોને ઈશ્વરે બચાવ્યા છે તેઓ ઈશ્વરને કેવી રીતે પ્રસન્ન કરવા તે સમજે છે. વૈકલ્પિક ભાષાંતર : “પરંતુ હવે તમે ઈશ્વરને ઓળખો છો અને તેમને માટે જીવી શકો છો” UST અનુવાદ જુઓ (જુઓ :રૂપક)

δὲ

જોડતા શબ્દો “પરંતુ” એ વિરોધાભાસી સંબંધને રજુ કરે છે. એફેસસના વિશ્વાસીઓ અગાઉ અંધકારમાં હતા એ વાસ્તવિકતા હવે તેઓ પ્રકાશ છે તેની વિરુદ્ધમાં છે. (જુઓ :જોડાણ-વિરોધાભાસ સબંધ)

ὡς τέκνα φωτὸς περιπατεῖτε

માર્ગ પર ચાલવું એ વ્યક્તિ તેનું જીવન જે રીતે જીવે છે તે માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર : “જે લોકો, ઈશ્વર તેઓ પાસે શું કરાવવા માંગે છે એ સમજે છે, તેઓના જેવું જીવો: (જુઓ :રૂપક)

ὡς τέκνα φωτὸς

ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેમનું અનુકરણ કરીએ અથવા અનુસરીએ કેમ કે આપણે તેમના આત્મિક બાળકો છીએ. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વરના બાળકો, જેઓ સત્ય જાણે છે તેઓની જેમ” અથવા “કારણ કે તમે ઈશ્વરના બાળકો છો અને સત્યને જુઓ છો” (જુઓ :ઉપમા)

Ephesians 5:9

ὁ…καρπὸς τοῦ φωτὸς ἐν πάσῃ ἀγαθωσύνῃ, καὶ δικαιοσύνῃ, καὶ ἀληθείᾳ

અહીંયા, ફળ એ “”પરિણામ** અથવા અંજામ માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર : “સારા કામ, ન્યાયી જીવન અને સત્યતાભર્યું વર્તન એ પ્રકાશમાં જીવવાનું પરિણામ છે” (જુઓ :રૂપક)

γὰρ

જોડતો શબ્દ કેમ કે એ કારણ-પરિણામ સંબંધનું કારણ રજુ કરે છે. કારણ આ કે પ્રકાશનું ફળ એ ભલાઈ અને ન્યાયીપણું અને સત્ય છે. પરિણામ આ કે એફેસસના વિશ્વાસીઓએ પ્રકાશના બાળકો તરીકે ચાલવું જોઈએ. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

Ephesians 5:11

μὴ συνκοινωνεῖτε τοῖς ἔργοις τοῖς ἀκάρποις τοῦ σκότους

પાઉલ એવી નિરર્થક, પાપી બાબતોની વાત કરે છે જાણે તેઓ દુષ્ટ કૃત્યો છે, કે જેમને લોકો અંધરાંમાં કરે છે કે જેથી કોઈ જુએ નહિ, અને આ બાબતો અવિશ્વાસીઓ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : “અવિશ્વાસીઓ સાથે નિરર્થક, પાપી બાબતો ન કરો” (જુઓ :રૂપક)

τοῖς ἔργοις τοῖς ἀκάρποις τοῦ σκότους

અહીંયા પાઉલ દુષ્ટ ક્રિયાઓને બીમાર વૃક્ષ, જે કશું જ ઉપજાવતું નથી, તેની સાથે સરખાવી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર : “એવી ક્રિયાઓ જેઓ કશું સારું, ઉપયોગી કરતી નથી, અથવા ફાયદાકારક નથી, અને જેઓ અંધકારથી ઉદ્ભવેલી છે” (જુઓ :રૂપક)

τοῖς ἔργοις τοῖς ἀκάρποις τοῦ σκότους

ઘણીવાર અંધકાર શબ્દ પાપને રજુ કરવા વપરાયો છે. આ દાખલામાં, આ કામો પાપી ઈરાદાઓમાંથી ઉપજે છે. વૈકલ્પિક ભાષાંતર : “એવા કામો વ્યર્થ છે કારણ કે તેઓ પાપી ઈરાદાઓથી કરવામાં આવ્યા હતા” (જુઓ :રૂપક)

μᾶλλον δὲ

જોડતો વાક્યાંશ પરંતુ એથી ઉલટું એ વિરોધાભાસી સંબંધને રજુ કરે છે. અંધકારના કામોમાં ભાગ લેવો એ તેઓને ખુલ્લા પાડવાની વિરુદ્ધમાં છે. (જુઓ :જોડાણ-વિરોધાભાસ સબંધ)

ἐλέγχετε

અંધકારના કામોની વિરુદ્ધ બોલવું એ જાણે તેઓને પ્રકાશમાં લાવવાના હોય, કે જેથી લોકો જોઈ શકે, એમ કહેવામાં આવ્યું છે. વૈકલ્પિક ભાષાંતર : “તેઓને પ્રકાશમાં કાઢી લાવો” અથવા “તેઓને ખુલ્લા પાડો” અથવા “લોકોને બતાવીને કહો કે આ કૃત્યો કેટલા ખોટા છે” (જુઓ :રૂપક)

Ephesians 5:12

αὐτῶν

અહીંયા, તેઓને શબ્દ એ ૫:૬મ જણાવેલ “આજ્ઞાભંગ કરનારના દીકરાઓ”ને અનુલક્ષે છે. અને તેઓને ૫:૭માં પણ “તેઓ” તરીકે અનુલક્ષવામાં આવ્યા છે. જો એ અસ્પષ્ટ હોય કે બંને જગ્યાએ “તેઓને” કોને અનુલક્ષે છે તો “જેઓ ઈશ્વરને અનાજ્ઞાંકિત થાય છે” આવો વાક્યાંશ અથવા તેના જેવો વાક્યાંશ વાપરો. (જુઓ :સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)

Ephesians 5:13

એ અજાણ્યું છે કે આ ઉતારો એ યશાયા પ્રબોધકમાંના ઉતારાઓનું મિશ્રણ છે કે વિશ્વાસીઓએ ગાયેલા સ્તોત્રનો ઉતારો છે.

δὲ

જોડતો શબ્દ પરંતુ એ વિરોધાભાસી સંબંધને રજુ કરે છે. હાલ શરમજનક કામોને છુપાવવા એ પછીથી તેઓને પ્રકાશમાં ખુલ્લા પાડવાની વિરુદ્ધમાં છે. (જુઓ :જોડાણ-વિરોધાભાસ સબંધ)

πᾶν…τὸ φανερούμενον φῶς ἐστιν

ઈશ્વરનું વચન, લોકોની ક્રિયાઓ સારી કે ખરાબ છે એ બતાવે છે અને તે જણાવવાના હેતુસર પાઉલ આ સામાન્ય વિધાન કરે છે. બાઈબલ વારંવાર ઈશ્વરના સત્ય વિષે, જાણે તે પ્રકાશ હોય, જે કશાકનું ચરિત્ર પ્રગટ કરી શકે છે, તેમ વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વર જે કહે છે તેની સાથે જો તમે બધું જ સરખાવો તો તમે જાણી શકો કે તે સારું છે કે ખરાબ” UST અનુવાદ જુઓ (જુઓ :રૂપક)

Ephesians 5:14

διὸ

જોડતા શબ્દો એ માટે એ કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. કારણ આ કે પ્રકાશ વડે તેઓના પાપ ખુલ્લા કરવામાં આવશે. પરિણામ આ કે પાપીઓએ એવું થવા દેવું જોઈએ કે ખ્રિસ્ત તેઓ પર પ્રકાશે. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ἔγειρε, ὁ καθεύδων, καὶ ἀνάστα ἐκ τῶν νεκρῶν

આનો અર્થ આ હોઈ શકે : (૧) પાઉલ વિશ્વાસીઓને સંબોધી રહ્યો છે અને મરણને તેમની આત્મિક નિર્બળતાઓના ક્ષેત્રો તરીકે વાપરી રહ્યો છે, આ નિર્બળતાઓ તેઓને જાણવાની અને નકારવાની જરૂર છે. (૨) પાઉલ અવિશ્વાસીઓને સંબોધી રહ્યો છે જેઓએ આત્મિક રીતે મરણ પામેલા હોવામાંથી ઊઠવાનું જરૂર છે, જેવી રીતે મરણ પામેલા વ્યક્તિએ પ્રત્યુત્તર આપવા જીવંત થવું જ રહ્યું તેમ. UST અનુવાદ જુઓ (જુઓ :લુપ્તાશર સંબોધન, મૃત કે ગેરહાજર વ્યક્તિ કે વસ્તુને ઉદ્દેશીને કરેલું સંબોધન, ઉદ્ગાર સંબોધન)

ὁ καθεύδων

આનો અર્થ આ હોઈ શકે : (૧) પાઉલ આ ટીપ્પણી પ્રત્યક્ષ રીતે વિશ્વાસીઓને સંબોધી રહ્યો છે, કે જેઓ આ પત્ર વાંચી કે સાંભળી રહ્યા છે. (૨) પાઉલ આ ટીપ્પણી પ્રત્યક્ષ રીતે અવિશ્વાસીઓને સંબોધી રહ્યો છે કે જેઓ આ પત્ર વાંચી કે સાંભળી રહ્યા નથી. (જુઓ :લુપ્તાશર સંબોધન, મૃત કે ગેરહાજર વ્યક્તિ કે વસ્તુને ઉદ્દેશીને કરેલું સંબોધન, ઉદ્ગાર સંબોધન)

ἐκ τῶν νεκρῶν

આ અભિવ્યક્તિ બધાં જ મરણ પામેલા* લોકોને એક સાથે નીચેના જગતમાં વર્ણવે છે. તેઓમાંથી પાછા ઉઠવું એ ફરીથી જીવવા વિષે કહે છે અને તે આત્મિક રીતે જીવંત બનવા માટે અને ઈશ્વરને માટે જીવવા માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર : “જેઓ સર્વ મરણ પામ્યા છે તેઓમાંથી” અથવા “જેઓ સર્વ આત્મિક રીતે મરણ પામ્યા છે તેઓમાંથી” (જુઓ :રૂપક)

ἐπιφαύσει σοι

અહીંયા, “તમે** શબ્દ “ઊંઘનાર”ને સંબોધે છે અને તે એકવચન છે. (જુઓ :તમેનાં સ્વરૂપો)

ἐπιφαύσει σοι ὁ Χριστός

જેમ પ્રકાશ, અંધકારે જે ઢાંક્યું હતું તે ખરેખર શું છે તે બતાવે છે, તેમ ખ્રિસ્ત અવિશ્વાસી વ્યક્તિને દુષ્ટ કૃત્યો કેવા છે અને કેવી રીતે તેને માફ કરીને તેને નવું જીવન આપશે તે સમજવા સમર્થ કરશે. આ બાબત એવી કોઇપણ બાબતને લાગુ પડે છે જેને વિશ્વાસી વ્યક્તિએ પાપ તરીકે ઓળખી નથી. વૈકલ્પિક ભાષાંતર : “શું ખરું છે તે ખ્રિસ્ત તમને બતાવશે” (જુઓ :રૂપક)

Ephesians 5:15

βλέπετε οὖν ἀκριβῶς πῶς περιπατεῖτε, μὴ ὡς ἄσοφοι, ἀλλ’ ὡς σοφοί

જે લોકો નિર્બુદ્ધ છે તેઓ પોતાને પાપની સામે સંભાળતા નથી. જો કે, ડાહ્યા માણસો પાપને ઓળખીને તેનાથી નાસી જાય છે. વૈકલ્પિક ભાષાંતર : “એ માટે, તમારે મુર્ખ વ્યક્તિને બદલે ડાહ્યા વ્યક્તિની જેમ જીવવા કાળજી રાખવી જ રહી”

οὖν

જોડતા શબ્દો એ માટે એ કારણ-પરિણામ સંબંધને રજુ કરે છે. કારણ આ કે ખ્રિસ્તે તેના પર પ્રકાશ રેડયો છે. પરિણામ આ કે પાપી વ્યક્તિ પ્રકાશમાં કાળજીપૂર્વક ચાલશે. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ἀλλ’

જોડતો શબ્દ પરંતુ એ વિરોધાભાસી સંબંધને રજુ કરે છે. મુર્ખ હોવું એ ડાહ્યા હોવાની વિરુદ્ધમાં છે. (જુઓ :જોડાણ-વિરોધાભાસ સબંધ)

ὡς σοφοί

ચાલવું આ ક્રિયાપદ બાકી રહી ગયું છે. તમે આને સ્પષ્ટ રીતે જણાવી શકો. વૈકલ્પિક ભાષાંતર : “ડાહ્યાની જેમ ચાલો” (જુઓ :અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Ephesians 5:16

ἐξαγοραζόμενοι τὸν καιρόν

સમયનો ડહાપણભર્યો ઉપયોગ કરવો એ જાણે સમયનો સદુપયોગ કરોની જેમ કહેવામાં આવ્યું છે. વૈકલ્પિક ભાષાંતર : “તમારા સમય વડે કરી શકો એવી શ્રેષ્ઠ બાબતો કરવી” અથવા “ડહાપણથી સમયનો ઉપયોગ કરવો” અથવા “સમયને તેના શ્રેષ્ઠ ઉપયોગમાં વાપરવો” (જુઓ :રૂપક)

ὅτι αἱ ἡμέραι πονηραί εἰσιν

લોકો તે દિવસો દરમિયાન જે કરે છે તેને માટે દિવસો અન્ય શબ્દ છે. વૈકલ્પિક ભાષાંતર : “કારણ કે તમારી આસપાસના લોકો નિરંતર સર્વ પ્રકારની દુષ્ટ બાબતો કરે છે અને તમારી પાસે સારું કરવાની જે તકો છે તેઓ થોડી થઈ શકે છે માટે” (જુઓ :ઉપનામ)

ὅτι

જોડતા શબ્દો કારણ કે કારણ-પરિણામ સંબંધનું કારણ રજુ કરે છે. કારણ આ કે દિવસો ભૂંડા છે. પરિણામ આ કે વિશ્વાસીઓ સમયનો સદુપયોગ કરવો જ રહ્યો. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

Ephesians 5:17

διὰ τοῦτο

જોડતો વાક્યાંશ આને કારણે એ કારણ-પરિણામ સંબંધના પરિણામને રજુ કરે છે. કારણ આ કે દિવસો ભૂંડા છે. પરિણામ આ કે વિશ્વાસીઓ મૂર્ખા નહિ રહે, પરંતુ ઈશ્વરની ઈચ્છા સમજશે. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ἀλλὰ

જોડતો શબ્દ પરંતુ એ વિરોધાભાસી સંબંધને રજુ કરે છે. મુર્ખ હોવું એ ઈશ્વરની ઈચ્છા સમજવાની વિરુદ્ધમાં છે. (જુઓ :જોડાણ-વિરોધાભાસ સબંધ)

Ephesians 5:18

પાઉલ, કેવી રીતે સર્વ વિશ્વાસીઓએ જીવવું જોઈએ તે પરના નિર્દેશોનું સમાપન કરે છે.

καὶ μὴ μεθύσκεσθε οἴνῳ

“તમારે મદ્યપાન કરીને મસ્ત થવું જોઈએ નહિ”

ἐν ᾧ ἐστιν ἀσωτία

બેદરકારી શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “જે બેદરકાર વર્તન તરફ દોરે છે” અથવા “કારણ કે એ તમારો નાશ કરશે” (જુઓ :અમૂર્ત નામો)

ἀλλὰ πληροῦσθε ἐν Πνεύματι

“ઉલટું, તમે પવિત્ર આત્માથી નિયંત્રિત થવા જોઈએ”

ἀλλὰ

જોડતો શબ્દ અલબત્ત એ વિરોધાભાસી સંબંધને રજુ કરે છે. પીધેલા હોવું એ પવિત્ર આત્માથી ભરપૂર હોવાની વિરુદ્ધમાં છે. (જુઓ :જોડાણ-વિરોધાભાસ સબંધ)

Ephesians 5:19

ψαλμοῖς, καὶ ὕμνοις, καὶ ᾠδαῖς πνευματικαῖς

આનો અર્થ આ હોઈ શકે : (૧) પાઉલ આ શબ્દોને “ઈશ્વરની સ્તુતિ કરવા બધાં જ પ્રકારના ગીતો” માટે શબ્દાલંકાર તરીકે ઉપયોગ કરી રહ્યો છે (૨) પાઉલ ખાસ પ્રકારના સંગીતની યાદી બનાવે છે. (જુઓ :મેરિઝમ)

ψαλμοῖς

સંભવત: આ જૂના કરારના પુસ્તક ગીતશાસ્ત્રના ગીતો છે જે ખ્રિસ્તીઓ ગાય છે.

ὕμνοις

આ સ્તુતિ તથા આરાધનાના ગીતો છે જે ખ્રિસ્તીઓને ગાવા માટે લખાયા હોઇ શકે.

ᾠδαῖς πνευματικαῖς

આનો અર્થ આ હોઈ શકે : (૧) આ એવા ગીતો છે જે પવિત્ર આત્મા વ્યક્તિને એ જ ક્ષણે ગાવા પ્રેરે છે (૨) આત્મિક ગીતો અને “સ્તોત્રો” શબ્દોની જોળ રચે છે. મૂળભૂત રીતે તેઓ અર્થ સમાન હોય છે, અને તમે આને માટે બે શબ્દોને બદલે એક શબ્દ વાપરી શકો છો. (જુઓ :બેવડું/બમણાં)

τῇ καρδίᾳ ὑμῶν

અહીંયા, હૃદય એ વ્યક્તિના વિચારો અથવા આંતરિક મનુષ્યત્વ માટેનો શબ્દ છે. આનો અર્થ આ હોઈ શકે : (૧) તેઓએ સાચા ઈરાદા અને પ્રામાણિકતાથી આ કરવું જોઈએ. વૈકલ્પિક ભાષાંતર : “તમારા અંતરમાં ઊંડેથી” (૨) તેઓએ આ ઉત્સાહથી કરવું જોઈએ: વૈકલ્પિક ભાષાંતર : “તમારા પુરા અંતરથી” અથવા “ઉત્સાહપૂર્વક” UST અનુવાદ જુઓ (જુઓ :ઉપનામ)

Ephesians 5:20

ἐν ὀνόματι τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ

અહીંયા, નામ આને અનુલક્ષી શકે : (૧) ઈસુ પોતે. વૈકલ્પિક ભાષાંતર : “કારણ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના છો” (૨) ઈસુનો અધિકાર. વૈકલ્પિક ભાષાંતર : “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના અધિકાર વડે” (જુઓ :રૂપક)

τῷ Θεῷ καὶ Πατρί

“ઈશ્વરને, જેઓ આપણા પિતા છે”

Ephesians 5:22

પાઉલ, ખ્રિસ્તઓએ કેવી રીતે એકબીજાને આધીન થવાનું છે, તે સમજવાની શરૂઆત કરે છે (એફેસીઓને ૫:૨૧). પત્નીઓ અને પતિઓએ કેવી રીતે એકબીજા પ્રત્યે વર્તવાનું છે તેના નિર્દેશો વડે તે શરૂઆત કરે છે.

Ephesians 5:23

ὅτι

જોડતો શબ્દો કેમકે એ કારણ-પરિણામ સંબંધના કારણને રજુ કરે છે. કારણ આ કે જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે તેમ પતિ પત્નીનું શિર છે. પરિણામ આ કે પત્નીઓએ તેમના પતિઓને આધીન થવું જોઈએ. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

κεφαλὴ τῆς γυναικὸς…κεφαλὴ τῆς ἐκκλησίας

અહીંયા શિર શબ્દ આગેવાનને રજુ કરે છે. (જુઓ :રૂપક)

τοῦ σώματος

મંડળીને ઘણીવાર ખ્રિસ્તના *શરીર સાથે અનુલક્ષવામાં આવી છે.

Ephesians 5:25

અહીંયા પોતે અને તેઓ શબ્દો ખ્રિસ્તને અનુલક્ષે છે. તેની શબ્દ મંડળીને અનુલક્ષે છે.

ἀγαπᾶτε τὰς γυναῖκας

અહીંયા, પ્રેમનો અર્થ, પતિ પોતાની પત્ની માટે જે શ્રેષ્ઠ છે તે નિસ્વાર્થભાવે કરે છે, નિસ્વાર્થપણે પત્નીની સેવા કરે છે અથવા તેને આપે છે, તે છે.

ἑαυτὸν παρέδωκεν

“લોકો પોતાની હત્યા કરે એવું થવા દીધું”

ὑπὲρ αὐτῆς

પાઉલ વિશ્વાસીઓની સભાને જાણે તે સ્ત્રી હોય અને ઈસુ તેને પરણવાના હોય એમ તેને વિષે કહે છે. વૈકલ્પિક ભાષાંતર : “આપણા માટે” (જુઓ :રૂપક)

Ephesians 5:26

ἵνα

જોડતો વાક્યાંશ કે જેથી એ ધ્યેય-સંબંધને રજુ કરે છે. ખ્રિસ્ત પોતાને મરણ સુધી સોંપી દે છે તેનો ધ્યેય અથવા હેતુ મંડળીને પવિત્ર કરવાનો છે. (જુઓ :જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

αὐτὴν ἁγιάσῃ, καθαρίσας

પાઉલ વિશ્વાસીઓની સભાને જાણે તે સ્ત્રી હોય અને ઈસુ તેને પરણવાના હોય એમ તેને વિષે કહે છે. વૈકલ્પિક ભાષાંતર : “તે આપણને શુદ્ધ કરીને આપણને પવિત્ર બનાવી શકે” (જુઓ :રૂપક)

καθαρίσας τῷ λουτρῷ τοῦ ὕδατος ἐν ῥήματι

આનો અર્થ આ હોઈ શકે : (૧) પાઉલ ઈશ્વરને અનુલક્ષી રહ્યો છે, આ ઈશ્વર સુવાર્તાના સંદેશમાંના પોતાના વચન ના ઉપદેશ તથા સ્વીકાર વડે અને ખ્રિસ્તમાં પાણીના બાપ્તિસ્મા મારફતે ખ્રિસ્તના લોકોને શુદ્ધ બનાવી રહ્યા છે. (૨) પાઉલ, ઈશ્વર આપણા શરીરોને જાણે પાણી વડે શુદ્ધ કરી રહ્યા હોય એમ ઈશ્વર સંદેશ વડે આપણને આત્મિક રીતે આપણા પાપોથી શુદ્ધ કરે છે તે વિષે કહી રહ્યો છે. (જુઓ :રૂપક)

Ephesians 5:27

ἵνα

જોડતો વાક્યાંશ કે જેથી એ ધ્યેય-સંબંધને રજુ કરે છે. ખ્રિસ્ત મંડળીને તેના વચન વડે શુદ્ધ કરે છે તેનો હેતુ કે ધ્યેય એ મંડળીને મહિમાવંતી કન્યા તરીકે પોતાને રજુ કરે એ છે. (જુઓ :જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

μὴ ἔχουσαν σπίλον, ἢ ῥυτίδα

પાઉલ મંડળીને જાણે તે સ્વચ્છ અને સંપૂર્ણ સ્થિતિમાંનું વસ્ત્ર હોય, એમ કહે છે. વૈકલ્પિક ભાષાંતર : “કોઈપણ ખામી ન ધરાવતી” (જુઓ :રૂપક)

μὴ ἔχουσαν σπίλον, ἢ ῥυτίδα

અહીંયા, ડાઘ અને કરચલી એ મંડળીની શુધ્ધતા પર ભાર મૂકવા બે રીતની ખામીના સરખા વિચારને રજુ કરે છે. જો તમારી ભાષામાં બે જુદા શબ્દો ન હોય તો તમે આને માટે એક શબ્દ વાપરી શકો છો. (જુઓ :બેવડું/બમણાં)

ἀλλ’

જોડતો શબ્દ પરંતુ એ વિરોધાભાસી સંબંધને રજુ કરે છે. જે મંડળીને પાપના ડાઘ અને કરચલીઓ છે એ પવિત્ર અને નિર્દોષ મંડળીની વિરુદ્ધમાં છે. (જુઓ :જોડાણ-વિરોધાભાસ સબંધ)

ἵνα

જોડતો વાક્યાંશ “કે જેથી” એ ધ્યેય-સંબંધને રજુ કરે છે. ખ્રિસ્ત મંડળીને શુદ્ધ કરે છે તેનો ધ્યેય કે હેતુ એ મંડળીને પવિત્ર તથા નિર્દોષ બનાવવાનો છે. (જુઓ :જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

ἁγία καὶ ἄμωμος

અહીંયા, નિર્દોષનો અર્થ છે મૂળભૂત રીતે પવિત્ર વસ્તુ હોય એના જેવો જ છે. મંડળીની શુદ્ધતા પર ભાર મૂકવા પાઉલ બંન્ને શબ્દોને સાથે વાપરે છે. જો તમારી ભાષામાં બે શબ્દો નથી તો તમે આને માટે એક શબ્દ વાપરી શકો. (જુઓ :બેવડું/બમણાં)

Ephesians 5:28

ὡς τὰ ἑαυτῶν σώματα

લોકો તેમના પોતાના શરીરોને પ્રેમ કરે છે એ તમે સુસ્પષ્ટપણે જણાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર : “જેમ પતિઓ તેમના પોતાના શરીરોને પ્રેમ કરે છે” (જુઓ :અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Ephesians 5:29

ἀλλὰ ἐκτρέφει

“પરંતુ તે પોષણ કરે છે”

ἀλλὰ

જોડતો શબ્દ પરંતુ એ વિરોધાભાસી-સંબંધને રજુ કરે છે. પોતાના શરીરનો દ્વેષ કરવો એ તેની કાળજી રાખવાની વિરુદ્ધમાં છે. (જુઓ :જોડાણ-વિરોધાભાસ સબંધ)

Ephesians 5:30

ὅτι

જોડતો શબ્દ કારણ એ કારણ-પરિણામ સંબંધના કારણને રજુ કરે છે. કારણ આ કે મંડળી એ ખ્રિસ્તનું શરીર છે. પરિણામ આ કે ખ્રિસ્ત મંડળીની કાળજી રાખે છે. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

μέλη ἐσμὲν τοῦ σώματος αὐτοῦ

અહીંયા પાઉલ, વિશ્વાસીઓ જાણે ખ્રિસ્તના પોતાના શરીરના ભાગ હોય તેમ તેમની સાથેના તેમના નજીકના જોડાણની વાત કરે છે, અને એને માટે તે સ્વાભાવિકપણે કાળજી લેશે. (જુઓ :રૂપક)

Ephesians 5:31

મુસાના નવા કરારમાંના લખાણમાંથી આ ઉતારો છે.

પોતાની અને પોતે શબ્દો નર વિશ્વાસીને અનુલક્ષે છે જે લગ્ન કરે છે.

ἀντὶ τούτου

જોડતો વાક્યાંશ “આ કારણને લીધે” એ કારણ-પરિણામ સંબંધના પરિણામને રજુ કરે છે. આ કિસ્સામાં, આ વાક્યાંશ એ ઉત્પત્તિ ૨:૨૪માંથી ઉતારો છે અને માટે અહીંયા કારણ જણાવ્યું નથી, પરંતુ ઉત્પત્તિ ૨:૨૩માં તે જણાવ્યું છે કે પુરુષમાંથી સ્ત્રી સર્જવામાં આવી હતી. પરિણામ આ કે પુરુષ પોતાના માતપિતાને મૂકીને તેની સ્ત્રી સાથે જોડાશે. જો કારણને ન જણાવવું મૂંઝવણભર્યું છે તો તમે પાદ-નોંધ ઉમેરી શકો જે કહે છે, “કારણ એ કે પુરુષમાંથી સ્ત્રી સર્જવામાં આવી હતી. જુઓ ઉત્પત્તિ ૨:૨૩” (જુઓ :જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

Ephesians 6

એફેસી ૬ સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના ખાસ ખ્યાલો

ગુલામી

ગુલામગીરી સારી છે કે ખરાબ તે વિષે પાઉલ આ અધ્યાયમાં લખતો નથી. પાઉલ ઈશ્વરને પ્રસન્ન કરવા કામ કરવું તે વિષે લખે છે પછી તે ગુલામ તરીકે કામ હોય કે માલિક તરીકે. અહીંયા પાઉલ ગુલામગીરી વિષે જે શીખવે છે તે આશ્ચર્ય પમાડી રહ્યું છે. તેના સમયમાં માલિકો પ્રત્યે એવી અપેક્ષા રાખવામાં આવતી નથી કે તેઓ તેમના ગુલામો સાથે માનભર્યો વ્યવહાર કરે અથવા તેઓને ધમકી ન આપે.

\nઆ અધ્યાયમાં અગત્યના શબ્દાલંકાર

ઈશ્વરના હથિયાર

આત્મિક હુમલો થાય ત્યારે કેવી રીતે ખ્રિસ્તીઓ પોતાનું રક્ષણ કરી શકે તે આ રૂપક વર્ણવે છે. (જુઓ: આત્મા, આત્માઓ, આત્મિક અને રૂપક)

Ephesians 6:1

કલમ એકમાંની આજ્ઞા એ બહુવચન છે. પછી બે અને ત્રણ કલમોમાં પાઉલ મૂસાના નિયમમાંથી ટાંકે છે. મૂસા ઇઝરાયલના લોકો સાથે, જાણે તેઓ એક વ્યક્તિ હોય એમ વાત કરી રહ્યો હતો, માટે ત્યાં તમારા અને તમે શબ્દો એકવચન છે. જો તેનો કશો અર્થ નીકળતો નથી તો તમારે તે શબ્દોને બહુવચન તરીકે ભાષાંતર કરવાની જરૂર પડી શકે છે. (જુઓ : તમેનાં સ્વરૂપો)

કેવી રીતે ખ્રિસ્તીઓએ એકબીજાને આધીન રહેવાનું છે તે સમજાવાનું પાઉલ ચાલુ રાખે છે. તે બાળકોને, પિતાઓને, કર્મચારીઓને અને માલિકોને નિર્દેશો આપે છે.

ἐν Κυρίῳ

“કારણ કે તમે પ્રભુના છો” અથવા “પ્રભુના અનુયાયીઓ તરીકે”

γάρ

જોડતો શબ્દ કેમકે કારણ-પરિણામ સંબંધના કારણને રજુ કરે છે. કારણ આ કે બાળકોએ જે ખરું છે તે કરવું જોઈએ. પરિણામ આ કે બાળકોએ તેમના માતપિતાને આધીન થવું જોઈએ. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ : જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

Ephesians 6:3

ἵνα

જોડતો વાક્યાંશ કે જેથી એ ધ્યેય-સંબંધને રજુ કરે છે. તમારા માતપિતાને આધીન થવાનો ધ્યેય કે હેતુ એ પૃથ્વી પર સારું અને લાંબુ જીવન જીવવું એ છે. (જુઓ : જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

Ephesians 6:4

μὴ παροργίζετε τὰ τέκνα ὑμῶν

“તમારા બાળકોને ગુસ્સે ન કરો” અથવા “તમારા બાળકો ગુસ્સો કરે એવું ન કરો”

ἀλλὰ

જોડતો શબ્દ અલબત્ત એ વિરોધાભાસી સંબંધને રજુ કરે છે. જે પિતાઓ પોતાના બાળકોને ગુસ્સે થવા ઉશ્કેરે છે એ પોતાના બાળકોને શિસ્ત અને શિક્ષણમાં ઉછેરવાની વિરુદ્ધમાં છે. (જુઓ : જોડાણ-વિરોધાભાસ સબંધ)

ἐκτρέφετε αὐτὰ ἐν παιδείᾳ καὶ νουθεσίᾳ Κυρίου

શિસ્ત અને શિક્ષણ અમૂર્ત સંજ્ઞાઓને ક્રિયાપદ તરીકે વ્યક્ત કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર : “પ્રભુ બાળકો પાસે જે કરાવવા ઈચ્છે છે તે તેઓ જાણે છે અને કરે છે તેની ખાતરી રાખવા વડે તેઓને પુખ્ત થવાનું શીખવો” (જુઓ : અમૂર્ત નામો)

Ephesians 6:5

φόβου καὶ τρόμου

પોતાના માલિકોને માન આપવાના મહત્વ પર ભાર મૂકવા ભય અને કંપારી વાક્યાંશ બે સમાન ખ્યાલોનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : “ઊંડા માનસહીત” (જુઓ : બેવડું/બમણાં)

καὶ τρόμου

ગુલામો તેમના માલિકોને આધીન થાય એ કેટલું અગત્યનું છે તેની પર ભાર મૂકવા અહીંયા, કંપારી શબ્દ જે અતિશયોક્તિભર્યો છે તે વાપરવામાં આવ્યો છે. વૈકલ્પિક ભાષાંતર : “ઊંડા માન સાથે” અથવા “જાણે તમે ભયથી ધ્રુજતા હોય એમ” (જુઓ : અત્યુક્તિ અને સામાન્યીકરણ)

ἐν ἁπλότητι τῆς καρδίας ὑμῶν

અહીંયા, હૃદય એ વ્યક્તિના મન અથવા ઈરાદાઓ માટે બીજો શબ્દ છે. વૈકલ્પિક ભાષાંતર : “પ્રામાણિકતાથી” અથવા “નિષ્ઠાથી” (જુઓ : ઉપનામ)

ἐν ἁπλότητι

પ્રામાણિક શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “ઈમાનદારીથી” અથવા “નિષ્ઠાથી” (જુઓ : અમૂર્ત નામો)

ὡς τῷ Χριστῷ

આને સ્પષ્ટ કરવા અહીંયા તમને ક્રિયાપદ ઉમેરવાની ઈચ્છા થઈ શકે : “જેમ તમે ખ્રિસ્તને આધીન થાઓ છો” (જુઓ : અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Ephesians 6:6

ἀλλ’

જોડતો શબ્દ પરંતુ એ વિરોધાભાસી સંબંધને રજુ કરે છે. માણસોને ખુશ કરનારાની જેમ આપણા માલિકોને આધીન થવું એ આપણે ખ્રિસ્તના ચાકરો છીએ તે કારણે તેઓને આધીન થવાની વિરુદ્ધમાં છે. (જુઓ : જોડાણ-વિરોધાભાસ સબંધ)

ὡς δοῦλοι Χριστοῦ

“જાણે તમારા પૃથ્વી પરના માલિક ખ્રિસ્ત પોતે જ છે”

ἐκ ψυχῆς

અહીંયા, જીવ શબ્દ એ વલણો અથવા ઈરાદાઓ માટેનો બીજો શબ્દ છે. વૈકલ્પિક ભાષાંતર : “પૂરા હૃદયથી” અથવા “ઉત્સાહપૂર્વક” (જુઓ : ઉપનામ)

Ephesians 6:9

τὰ αὐτὰ ποιεῖτε πρὸς αὐτούς

અહીંયા, એમ જ શબ્દો પાછળ ([એફેસી ૬:૮] (..૦૬/૦૮.md))માંથી **જો તે કશુંક સારું કરે”ને અનુલક્ષે છે. વૈકલ્પિક ભાષાંતર : “તમારે તમારા ગુલામો સાથે સારી રીતે વ્યવહાર કરવો જ રહ્યો” અથવા “જેમ ગુલામોમાં તેના માલિકોનું સારું કરવું જ રહ્યું તેમ તમારે પણ તમારા ગુલામોનું સારું કરવું જ રહ્યું” (જુઓ : અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

εἰδότες ὅτι καὶ αὐτῶν καὶ ὑμῶν ὁ Κύριός ἐστιν ἐν οὐρανοῖς

“તમે જાણો છો કે ખ્રિસ્ત બંને ગુલામો અને તેમના માલિકોના સ્વામી છે, અને તેઓ સ્વર્ગમાં છે”

προσωπολημψία οὐκ ἔστιν παρ’ αὐτῷ

“તેઓ દરેકનો સરખી રીતે ન્યાય કરે છે”

Ephesians 6:10

આપણે ઈશ્વર માટે આ જે લડાઈમાં છીએ તેમાં વિશ્વાસીઓને દ્રઢ કરવા પાઉલ તેઓને નિર્દેશો આપે છે.

τῷ κράτει τῆς ἰσχύος αὐτοῦ

આ બે શબ્દો તેમના અર્થમાં સમાન છે. સાથે મળીને તેઓ એકબીજાને બળવત્તર કરે છે. વૈકલ્પિક ભાષાંતર : “તેમનું મહાન સામર્થ્ય” એફેસી ૧:૧૯ના અંતની નજીક તમે આ વાક્યાંશનું કેવું ભાષાંતર કર્યું છે તે જુઓ. (જુઓ : બેવડું/બમણાં)

Ephesians 6:11

ἐνδύσασθε τὴν πανοπλίαν τοῦ Θεοῦ, πρὸς τὸ δύνασθαι ὑμᾶς στῆναι πρὸς τὰς μεθοδίας τοῦ διαβόλου

આ રૂપકમાં પાઉલ, ઈશ્વર સર્વ ખ્રિસ્તીઓને જે આત્મિક સંસાધનો આપે છે તેઓનું ચિત્રણ સૈનિકના હથિયાર સાથે કરે છે. વૈકલ્પિક ભાષાંતર : “જેમ સૈનિક શત્રુના હુમલાથી પોતાનું રક્ષણ કરવા હથિયાર પહેરે છે તેમ શેતાનની વિરુદ્ધ દ્રઢતાથી ઊભા રહેવા ઈશ્વરના સંસાધનોમાંના સર્વનો ઉપયોગ કરો” (જુઓ : રૂપક)

τὰς μεθοδίας

“કુયુક્તિઓ”

Ephesians 6:12

ὅτι

જોડતો શબ્દ કેમ કે એ કારણ-પરિણામ સંબંધના પરિણામને રજુ કરે છે. કારણ આ કે આપણે અંધકારના આત્મિક પરિબળોની વિરુદ્ધ સંઘર્ષમાં છીએ. પરિણામ આ કે આપણે ઈશ્વરના બધાં જ હથિયાર પહેરવા જોઈએ. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ : જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

αἷμα καὶ σάρκα

આ અભિવ્યક્તિ લોકોને અનુલક્ષે છે, જે આત્માઓ પાસે માનવી શરીર હોતા નથી તેઓને અનુલક્ષતી નથી. વૈકલ્પિક ભાષાંતર : “માનવજાતો” (જુઓ : અભિવ્યક્ત અલંકાર)

ἀλλὰ

જોડતો શબ્દ પરંતુ એ વિરોધાભાસી સંબંધને રજુ કરે છે. જે લોકો માંસ અને રક્તના બનેલા છે તેઓ આત્મિક પરિબળોની વિરુદ્ધમાં છે. (જુઓ : જોડાણ-વિરોધાભાસ સબંધ)

πρὸς τοὺς κοσμοκράτορας

અહીંયા એ સુચિતાર્થ છે કે જગતનું નિયંત્રણ કરનારાઓ એ પરાક્રમી આત્મિક હસ્તીઓને અનુલક્ષે છે. વૈકલ્પિક ભાષાંતર : “લોકો પર રાજ કરે છે તે પરાક્રમી આત્મિક હસ્તીઓની વિરુદ્ધ” (જુઓ : અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τοῦ σκότους τούτου

અહીંયા, અંધકાર દુષ્ટ બાબતો માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર : “હાલના આ દુષ્ટ સમય દરમિયાન” (જુઓ : રૂપક)

Ephesians 6:13

διὰ τοῦτο, ἀναλάβετε τὴν πανοπλίαν τοῦ Θεοῦ

જે પ્રમાણે કોઈ સૈનિક તેના શત્રુઓથી પોતાનું રક્ષણ કરવા હથિયાર પહેરે છે તેમ ઈશ્વર જે રક્ષણાત્મક સંસાધનો ખ્રિસ્તીઓને આપે છે તેમનો ઉપયોગ તેઓએ શેતાનની સામે લડવા કરવો જોઈએ. UST અનુવાદ જુઓ (જુઓ : રૂપક)

διὰ τοῦτο

જોડતો વાક્યાંશ “આ કારણે” એ કારણ-પરિણામ સંબંધનું પરિણામ રજુ કરે છે. કારણ આ કે આપણે દુષ્ટ આત્મિક પરિબળો વિરુદ્ધ લડાઈમાં છીએ. પરિણામ આ કે આપણે ઈશ્વરના સર્વ હથિયાર પહેરવાના છે. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ : જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ἵνα δυνηθῆτε ἀντιστῆναι ἐν τῇ ἡμέρᾳ τῇ πονηρᾷ

ટકી રહો શબ્દોનો અર્થ છે કશાકનો સફળતાપૂર્વક પ્રતિકાર કરવો. વૈકલ્પિક ભાષાંતર : “કે જેથી દુષ્ટ તમારી પર હુમલો કરે ત્યારે તમે પ્રતિકાર કરવા સમર્થ હોવ” (જુઓ : રૂપક)

ἵνα δυνηθῆτε ἀντιστῆναι

વિશ્વાસીઓએ શેની સામે ઊભા રહેવાનું છે તે વધારે સ્પષ્ટ જણાવવું મદદરૂપ બની શકે છે. વૈકલ્પિક ભાષાંતર : “કે જેથી દુષ્ટના હુમલો સામે તમે ટકી રહેવા સમર્થ હોવ” (જુઓ : અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἵνα

જોડતો વાક્યાંશ કે જેથી એ ધ્યેય-સંબંધને રજુ કરે છે. ઈશ્વરના સર્વ હથિયાર પહેરવાનો ધ્યેય અથવા હેતુ એ અંધકારના આત્મિક પરિબળોના હુમલાઓ સામે ટકી રહેવા સમર્થ બનવાનો છે. (જુઓ : જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

Ephesians 6:14

στῆτε οὖν

અહીંયા ઊભા શબ્દ એ જે ખરું અને સાચું ત્યાં સ્થાન લેવાને રજુ કરે છે, તેમજ વિશ્વાસીને તે સ્થાન સાથે સમાધાન કરવા જે પરિબળો પ્રયત્ન કરે છે તેઓનો સફળતાપૂર્વક પ્રતિકાર કરવાને પણ રજુ કરે છે. તમે [એફેસી ૬:૧૩] (../૦૬/૧૩.md)માં “દ્રઢ ઊભા રહો”નું કેવું ભાષાંતર કર્યું છે તે જુઓ. “માટે દુષ્ટનો પ્રતિકાર કરો” (જુઓ : રૂપક)

οὖν

જોડતા શબ્દો એ માટે એ કારણ-પરિણામ સંબંધના પરિણામને રજુ કરે છે. કારણ આ કે આપણે વિશ્વાસીઓએ આત્મિક હથિયાર પહેરવાના છે. પરિણામ આ કે આપણે દુષ્ટ આત્મિક પરિબળોની સામે ઊભા રહીને પ્રતિકાર કરીશું. તમારી ભાષામાં એવા વાક્યાંશનો ઉપયોગ કરો જે કારણને પરિણામ સાથે જોડે છે. (જુઓ : જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

περιζωσάμενοι τὴν ὀσφὺν ὑμῶν ἐν ἀληθείᾳ

આ રૂપકમાં, સત્યને સૈનિકના કમરબંધ સાથે સરખાવામાં આવ્યું છે. જેમ કમરબંધ સૈનિકના વસ્ત્રોને એક સાથે જકડી રાખે છે તેમ સત્ય વિશ્વાસીઓ માટે દરેક બાબતને એક સાથે જકડી રાખે છે. UST અનુવાદ જુઓ (જુઓ : રૂપક)

ἀληθείᾳ

સત્ય શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “જે સાચું છે” (જુઓ : અમૂર્ત નામો)

ἐνδυσάμενοι τὸν θώρακα τῆς δικαιοσύνης

આ રૂપકમાં, ન્યાયીપણાને સૈનિકના બખ્તર સાથે સરખાવામાં આવ્યું છે. જેવી રીતે સૈનિકો શત્રુના હુમલાઓથી પોતપોતાનું રક્ષણ કરવા બખ્તર પહેરે છે તેમ વિશ્વાસીઓએ આત્મિક હુમલાઓથી પોતપોતાનું રક્ષણ કરવા ન્યાયીપણાની રુએ વર્તવું જોઈએ. UST અનુવાદ જુઓ (જુઓ : રૂપક)

δικαιοσύνης

ન્યાયીપણું શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “જીવવાની સાચી રીત” (જુઓ : અમૂર્ત નામો)

Ephesians 6:15

ὑποδησάμενοι τοὺς πόδας ἐν ἑτοιμασίᾳ τοῦ εὐαγγελίου τῆς εἰρήνης

આ રૂપકમાં, શાંતિની સુવાર્તાને સૈનિકના જોડાં સાથે સરખાવામાં આવી છે. જેવી રીતે સૈનિક પગમાં ભારે પકડ રાખીને લાંબા અંતર સુધી કુચ કરવા માટે પોતાને સક્ષમ કરવા મજબૂત જોડાં પહેરે છે તેમ વિશ્વાસી માણસ પાસે શાંતિની સુવાર્તાનું પૂરું જ્ઞાન હોવું જ રહ્યું અને તે પ્રભુ તેને તે સુવાર્તા પોકારવા ગમે ત્યાં મોકલે ત્યાં જવા તે તૈયાર હોવો જ જોઈએ. UST અનુવાદ જુઓ (જુઓ : રૂપક)

εἰρήνης

શાંતિ શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “લોકો અને ઈશ્વર વચ્ચે જે બધું જ સારું કરે છે તે” (જુઓ : અમૂર્ત નામો)

Ephesians 6:16

ἐν πᾶσιν ἀναλαβόντες τὸν θυρεὸν τῆς πίστεως

આ રૂપકમાં વિશ્વાસને સૈનિકની ઢાલ સાથે સરખાવવામાં આવ્યો છે. જેમ કોઈ સૈનિક દુશ્મનના હુમલાઓથી પોતાનું રક્ષણ કરવા ઢાલને વાપરે છે તેમ વિશ્વાસીએ, શેતાન હુમલો કરે ત્યારે પોતાનું રક્ષણ કરવા ઈશ્વર જે વિશ્વાસ આપે છે તેનો ઉપયોગ કરવો જ રહ્યો (જુઓ : રૂપક)

τῆς πίστεως

વિશ્વાસ શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે જેનું ક્રિયાપદ તરીકે ભાષાંતર થઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર : “તમે પ્રભુમાં કેટલો ભરોસો રાખો છો તે તે રજુ કરે છે” UST અનુવાદ જુઓ (જુઓ : અમૂર્ત નામો)

τὰ βέλη τοῦ πονηροῦ πεπυρωμένα

વિશ્વાસી વિરુદ્ધના શેતાનના હુમલાઓ એ બળતા ભાલાઓ જેવા છે, જે શત્રુ દ્વારા સૈનિક તરફ ફેંકવામાં આવ્યા હોય છે. (જુઓ : રૂપક)

Ephesians 6:17

τὴν περικεφαλαίαν τοῦ σωτηρίου δέξασθε

જેમ ટોપ સૈનિકના મસ્તકનું રક્ષણ કરે છે તેમ ઈશ્વર જે તારણ આપે છે તે વિશ્વાસીના મનનું રક્ષણ કરે છે. (જુઓ : રૂપક)

τοῦ σωτηρίου

તારણ શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે જેનું ક્રિયાપદ તરીકે ભાષાંતર થઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વરે તમને બચાવ્યા છે એ હકીકત જે રજુ કરે છે તે” UST અનુવાદને જુઓ (જુઓ : અમૂર્ત નામો)

τὴν μάχαιραν τοῦ Πνεύματος, ὅ ἐστιν ῥῆμα Θεοῦ

આ રૂપકમાં, ઈશ્વરના સંદેશાને સૈનિકની તરવાર સાથે સરખાવામાં આવ્યો છે. જેવી રીતે સૈનિકો પોતાના શત્રુ સામે લડવા અને તેને હરાવવા તરવાર વાપરે છે, તેમ શેતાનની સામે લડવા વિશ્વાસી વ્યક્તિ બાઈબલમાંના ઈશ્વરના સંદેશાનો ઉપયોગ કરી શકે છે. (જુઓ : રૂપક)

Ephesians 6:18

διὰ πάσης προσευχῆς καὶ δεήσεως, προσευχόμενοι ἐν παντὶ καιρῷ ἐν Πνεύματι

“પ્રાર્થના કરીને ખાસ વિનંતીઓ રજુ કરો ત્યારે સર્વ સમયે આત્મામાં પ્રાર્થના કરો”

εἰς αὐτὸ

જોડતો વાક્યાંશ “તેને અર્થે” એ ધ્યેય અથવા હેતુ સંબંધને જણાવે છે. હમણાં જ જેનો ઉલ્લેખ કર્યો તે ધ્યેય છે : સર્વ સમયે આત્મામાં પ્રાર્થના કરવી. એ કરવા માટે વિશ્વાસીઓએ સર્વ સંતો માટે આગ્રહથી વિનંતીઓ કરવા જાગૃત રહેવું જ રહ્યું. વૈકલ્પિક ભાષાંતર : “આ કારણને લીધે” અથવા “એ કરવા માટે” (જુઓ : જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

ἀγρυπνοῦντες ἐν πάσῃ προσκαρτερήσει καὶ δεήσει περὶ πάντων τῶν ἁγίων

શબ્દ આગ્રહ એ અમૂર્ત સંજ્ઞા છે, જેનું ક્રિયાપદ વડે ભાષાંતર થઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર : “સાવધ રહીને આગ્રહથી, ઈશ્વરના સર્વ પવિત્ર લોકો માટે પ્રાર્થના કરો” અથવા “સર્વ વિશ્વાસીઓ માટે નિરંતર જાગૃત રહીને પ્રાર્થના કરો” UST અનુવાદ જુઓ (જુઓ : અમૂર્ત નામો)

Ephesians 6:19

આ પત્રના સમાપનમાં, પાઉલ કેદખાનામાં છે તેને સુવાર્તા કહેવામાં હિંમત મળે માટે પ્રાર્થના કરવા તે તેના વાચકોને કહે છે, વળી તેઓને દિલાસો આપવા તે તુખિકસને મોકલી રહ્યો છે એવું પણ કહે છે.

ἵνα μοι δοθῇ λόγος

તમે આને સક્રિય સ્વરૂપમાં જણાવી શકો. વૈકલ્પિક ભાષાંતર : “કે ઈશ્વર મને વચન આપે” અથવા “ઈશ્વર મને સંદેશો આપે” (જુઓ : સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἵνα

જોડતો વાક્યાંશ કે જેથી એ ધ્યેય-સંબંધને રજુ કરે છે. વિશ્વાસીઓ પાઉલ માટે પ્રાર્થના કરે એનો ધ્યેય અથવા હેતુ એ પાઉલને હિંમતથી સુવાર્તા પ્રચાર કરવા સમર્થ કરવાનો છે (જુઓ : જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

ἀνοίξει τοῦ στόματός μου

બોલવા માટેનો આ બીજો શબ્દ છે. વૈકલ્પિક ભાષાંતર : “હું બોલું છું” (જુઓ : ઉપનામ)

Ephesians 6:20

ὑπὲρ οὗ πρεσβεύω ἐν ἁλύσει

સાંકળોમાં શબ્દ એ કેદખાનામાં હોવા માટેનો બીજો શબ્દ છે. વૈકલ્પિક ભાષાંતર : “”જેને કારણે હું હાલ કેદખાનામાં છું” (જુઓ : ઉપનામ)

ἵνα ἐν αὐτῷ παρρησιάσωμαι, ὡς δεῖ με λαλῆσαι

“પ્રાર્થના” શબ્દ એ કલમ ૧૮માંથી સમજવામાં આવ્યો છે. વૈકલ્પિક ભાષાંતર : “પ્રાર્થના કરો કે જ્યારે પણ હું સુવાર્તા પ્રગટ કરું ત્યારે મારે જેમ હિંમતથી બોલવું જોઈએ તેમ બોલું”

ἵνα

જોડતો વાક્યાંશ કે જેથી એ ધ્યેય-સંબંધને રજુ કરે છે. વિશ્વાસીઓ પાઉલ માટે પ્રાર્થના કરે તેનો ધ્યેય અથવા હેતુ એ પાઉલ જો કે સાંકળોમાં છે તો પણ તેને હિંમતથી સુવાર્તા પ્રચાર કરવા સમર્થ કરવાનો છે (જુઓ : જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

ἐν αὐτῷ

અહીંયા, તે શબ્દ પાછળની કલમ ૧૯માંના “સંદેશ”ને અનુલક્ષે છે જે પાઉલ કહેવા માંગે છે. જો તે તમારી ભાષામાં સ્પષ્ટ છે તો તમે અહીંયા સંદેશ શબ્દને ફરીથી લખી શકો છો. વૈકલ્પિક ભાષાંતર : “મારા સંદેશામાં” (જુઓ : સર્વનામ)

Ephesians 6:21

ἵνα

જોડતો વાક્યાંશ “કે જેથી” એ ધ્યેય-સંબંધને રજુ કરે છે. પાઉલ તુખિકસને એફેસસ મોકલી રહ્યો છે તેનો હેતુ અથવા ધ્યેય એ એફેસસના વિશ્વાસીઓને પાઉલને જે થઈ રહ્યું હતું તે કહેવાનો હતો. (જુઓ : જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

Τυχικὸς

જે કેટલાક માણસોએ પાઉલ સાથે સેવા કરી તેમાંનો તુખિકસ એક હતો. (જુઓ : નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ἀδελφὸς

તુખિકસ જાણે બીજા વિશ્વાસીઓ કે જેઓ ઈશ્વરના આત્મિક કુટુંબમાં હતા તેઓને ભાઈ હોય તેમ પાઉલ તેને વિષે કહે છે. વૈકલ્પિક ભાષાંતર : “સાથી વિશ્વાસી” (જુઓ : રૂપક)

Ephesians 6:22

παρακαλέσῃ τὰς καρδίας ὑμῶν

અહીંયા, હૃદયો એ લોકોના આંતરિક મન માટેનો બીજો શબ્દ છે. વૈકલ્પિક ભાષાંતર : “તે તમને ઉત્તેજન આપે” (જુઓ : ઉપનામ)

ἵνα

જોડતો વાક્યાંશ “કે જેથી” એ ધ્યેય-સંબંધને રજુ કરે છે. પાઉલ તુખિકસને એફેસસ મોકલે છે તેનો ધ્યેય અથવા હેતુ એ એફેસસના વિશ્વાસીઓના હૃદયોને ઉત્તેજન આપવાનો અને પાઉલ તથા તેના સાથીઓને જે થઈ રહ્યું છે તે તેઓ જાણે એ છે. (જુઓ : જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

Ephesians 6:23

પાઉલ એફેસસના વિશ્વાસીઓને લખેલ પત્રને, ત્યાંના સર્વ વિશ્વાસીઓ જેઓ ઈસુને પ્રેમ કરે છે તેઓ પર શાંતિ અને કૃપાના આશીર્વાદ વડે સમાપ્ત કરે છે.

εἰρήνη τοῖς ἀδελφοῖς

શાંતિ શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “ભાઈઓ પાસે શાંતિની ભાવના હોય એવું થાઓ” (જુઓ : અમૂર્ત નામો)

τοῖς ἀδελφοῖς

બીજા વિશ્વાસીઓ, જાણે અન્ય સર્વ વિશ્વાસીઓ કે જેઓ ઈશ્વરના આત્મિક કુટુંબમાં હતા તેઓને ભાઈઓ હોય તેમ પાઉલ આ બીજા વિશ્વાસીઓ વિષે કહે છે. વૈકલ્પિક ભાષાંતર : “સાથી વિશ્વાસીઓને” (જુઓ : રૂપક)

ἀγάπη

પ્રેમ શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “તમે એકબીજાને પ્રેમ કરો” (જુઓ : અમૂર્ત નામો)

μετὰ πίστεως

વિશ્વાસ શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે જેનું ક્રિયાપદ વડે ભાષાંતર થઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર : “તમે ઈશ્વરમાં ભરોસો કરો છો ત્યારે” UST અનુવાદ જુઓ (જુઓ : અમૂર્ત નામો)

Ephesians 6:24

ἡ χάρις μετὰ

કૃપા શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે જેનું ક્રિયાપદ વડે ભાષાંતર થઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર : “ઈશ્વર તમારા પર કૃપા રાખો” (જુઓ : અમૂર્ત નામો)

ἐν ἀφθαρσίᾳ

નિષ્કપટ શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક ભાષાંતર : “કોઈ ભ્રષ્ટ કરી ન શકે એ રીતે” અથવા “એટલું વધારે કે કોઈ તેમને પ્રેમ કરતા તમને રોકી શકે નહિ” UST અનુવાદ જુઓ (જુઓ : અમૂર્ત નામો)